માઁ ની મુંજવણ - ૫

(58)
  • 5.1k
  • 13
  • 2.3k

આપણે જોયું કે શિવને 'થેલેસીમિયા મેજર' ની વારસાગત બીમારી છે, અને એ જાણી ડૉક્ટરએ એજ્યુકેટેડ આસિત અને તૃપ્તિ સહીત એમના ગાયનેક ડૉક્ટર માટે પણ ઠપકો આપ્યો હતો. હવે આગળ...તૃપ્તિને આ બીમારી વિશે વધુ  કોઈ જાણકારી ન હોવાથી એ ડોક્ટરને આ બીમારી વિશે બધી જ માહિતી જણાવવા કહે છે. ડૉક્ટર તૃપ્તિ અને આસિતને જણાવે છે કે, 'થેલેસીમિયા મેજર' એ વારસાગત બીમારી છે, આ બીમારીથી લોહી  બનતું નથી.આથી દર્દીને અશક્તિ ખુબ લાગે છે અને તેની રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી હોવાથી એ બહુ ઝડપથી બીમાર થાય કે ચેપ લાગી જવાની ફરિયાદ રહે છે. લોહી બનતું ન હોવાથી દર્દીને લોહી ચડાવવું પડે છે.આ