વસુધા - વસુમાં - પ્રકરણ -59

(52)
  • 3.7k
  • 2
  • 2k

વસુધા-વસુમાં પ્રકરણ-59          ભાનુબહેને ફોન કરતાં ગુણવંતભાઇને કહ્યું “આ બધી વાત તમારાં મનમાં આવી સારું કર્યું જેને દીકરી હોય બધાંને વિચાર આવે પણ આપણે વસુધાનાં પીયર જઇશું. એવી તો ચર્ચા થઇ હતી એ બહાને વસુધા એનાં માવતર સાથે થોડાં દિવસ રહી શકે. એ અને દીકરી આકું થોડાં...” અને કહેતાં કહેતાં આંસુ રોકીને ચૂપ થઇ ગયાં.        ગુણવંતભાઇએ કહ્યું “હાં હાં મેં વેવાઇને કહ્યું અમે તમારાં ઘરે આવીએ છીએ મળવાં.. એ લોકો તો અહીં ખરખરો કરીને ગયાંજ છે. વસુધાને પણ ત્યાં જવાનું મન હશે પણ અહીંની જવાબદારીઓ માથે રાખી ત્યાં જવાનું નામ નથી લેતી... એ જે કહી નથી શકતી એ