પ્રેમ સમાધિ - પ્રકરણ-53

(13)
  • 1k
  • 2
  • 512

પ્રેમ સમાધિ પ્રકરણ-53વિજય વેઈટરની વાતો એક ધ્યાનથી અને ગંભીરતાથી સાંભળી રહ્યો હતો. શંકરનાથ અહીં આવીને ગયા ? એમણે બીજા કોઈનો સંપર્ક કેમ ના કર્યો ? એમણે વેઈટર સામે ધ્યાનથી જોયું પછી નારણની સામે જોઈને કહ્યું “આ બધું શું છે ? આતો ચક્રભ્રમી કોઈ ચાલ છે મને નથી સમજાતું કશુંજ. પછી એણે પેલાં વેઈટરને પૂછ્યું હાં આગળ બોલ શું થયું ?”પેલાએ કહ્યું "સર એ ખુબજ ઉતાવળમાં હોય એમ લાગ્યું હતું વારે વારે બોલતાં પાછળ જોયાં કરતાં હતાં તેઓએ મને બાબુભાઇ વિશે પૂછ્યું હું જવાબ આપું ત્યાં પાછળથી કોઈ એમને બૂમ પડતું હોય એમ તેઓ જ્યાંથી આવેલાં ત્યાંજ પાછળ તરફ દોડી ગયાં.