શિવકવચ - 9

  • 874
  • 462

"મને નહીં આવડે.' કહી તેજે કાગળ પાછો આપ્યો. "સાંભળને શિવ હું આજે ફોટા પાડતો હતો ત્યારે એક કાકા મળ્યા હતા. એ આયુર્વેદના ડોકટર હતા. કંઈક જડીબુટ્ટી શોધવા આવ્યા હતા. મને ફોટા પાડતા જોઈ એમણે મને કહ્યું કે અહીંથી થોડે દૂર જંગલની અંદર ઘણા મંદિર છે તને ત્યાં ફોટા પાડવાની મજા આવશે. મેં કહ્યું કે મને ક્યાંથી રસ્તો મળે? તો તેમણે કહ્યું તમારે જવું હોય ત્યારે કહેજો મારો નાનો દિકરો આવશે જોડે. એમણે મારી જોડે બહુ વાતો કરી. આયુર્વેદમાં કેવી કેવી દવા છે અને ક્યા રોગમાં કઈ જડીબુટ્ટી વપરાય. એમનું કહેવું તો એવું છે કે કોઈ પણ ભયંકર રોગ હોય એની