વણનોંધાયેલ ગુન્હો

(29)
  • 12.9k
  • 1
  • 4.8k

વણનોંધાયેલ ગુન્હો....! એટલે એવો ગુન્હો જે ઘટના બની હોય અથવા બની રહી હોય પરંતું એવી ઘટના કે ગુન્હા અંગે કોઇએ ફરિયાદ નોંધાવી ન હોય અથવા એ ગુન્હો હજી પણ બની રહ્યો હોય પરંતું તે અંગેની ફરિયાદ નોંધાવવાની હિંમત ન થતી હોય અને એ ગુન્હો નોંધાયા વગરનો ગુન્હો બની રહ્યો હોય.

New Episodes : : Every Monday

1

વણનોંધાયેલ ગુન્હો - ભાગ-૧

વણનોંધાયેલ ગુન્હો - ભાગ-૧ UNREGISTERED CRIME વણનોંધાયેલ ગુન્હો....! એટલે એવો ગુન્હો જે ઘટના બની હોય અથવા બની રહી પરંતું એવી ઘટના કે ગુન્હા અંગે કોઇએ ફરિયાદ નોંધાવી ન હોય અથવા એ ગુન્હો હજી પણ બની રહ્યો હોય પરંતું તે અંગેની ફરિયાદ નોંધાવવાની હિંમત ન થતી હોય અને એ ગુન્હો નોંધાયા વગરનો ગુન્હો બની રહ્યો હોય. સમાજમાં આવા તો ઘણાંય ગુન્હા એવા છે જે નોંધાયા વગરના ગુન્હા હોય છે. પરંતું મારા આ લેખમાં મેં એવા ગુન્હાની વાત કરી છે જે કદાચ કાયદાની નજરમાં ગુન્હો હોય પણ અથવા ન પણ હોય...! પરંતું ગુન્હાનો ભોગ બનનાર માટે તો એ ખુબ જ ...Read More

2

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૨

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૨ આપણા દેશમાં જ્યારે રાજાશાહી હતી ત્યારથી આ વાતની શરૂઆત કરીએ. રજવાડાઓ તો રાજ કરીને જતા રહ્યા. પરંતું રાજા રજવાડાઓએ તેમના વારસો માટે જે સંપત્તિઓ વસાવી હોય તે સંપત્તિઓનું શું? કહેવાય છે કે “ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જવાનું છે.” તો સાથે શું હતું, શું રહ્યું અને શું રહેશે? શું પૂર્વજોએ તેમના વારસો માટે વસાવેલી કે વિકસાવેલી સંપત્તિ તેમના વારસોને મળે છે..! રાજાશાહીમાં તો વિશ્વાસ અને જુબાનની ખુબ જ કિંમત હતી પરંતું હાલના સમયમાં તો વિશ્વાસ અને જુબાનની તો એક પાઇ પણ ન આવે. એમાં પણ જ્યારે સંપત્તિનો સવાલ હોય...! સંપત્તિની બાબતમાં તો ભાઇ ...Read More

3

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૩

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૩ રઘુભાનાં સ્ટાફમાં પિયૂન કાકાને બાદ કરતા અન્ય કુલ દસ જણા. તેમાં ચાર મહિલાઓ અને છ પુરૂષો. ચાર મહિલાઓની માંડીને વાત કરીએ તો આ ચાર મહિલાઓ પૈકી એક મહિલાઓની ઉંમર આશરે ૬૦ થી ૬૩ વર્ષની, એક મહિલા ૫૦ - ૫૫ વર્ષની અને બીજી બે મહિલા ૪૦ વર્ષથી ઓછી વયની. આ ચારેય મહિલાઓમાં સિનિયર સીટીઝન મહિલા જે છે એ રઘુભાની ઓફિસમાંથી જ સિનીયર સીટીઝન પ્રોટેક્શન સ્ક્વોડનાં અધ્યક્ષ છે. અન્ય એક મહિલા જે ૫૦-૫૫ વર્ષની છે તે મહિલા સુરક્ષા અને કલ્યાણ અંગેની શાખા –ચેઇન ચલાવે છે. અને બાકીની બે મહિલાઓ પૈકી એક મહિલા સુરક્ષા અંગે અને અન્ય એક મહિલા ...Read More

4

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૪

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૪ ઇશ્વરપ્રસાદના આ કુલ નવ સંતાનો પૈકી મોટી દિકરી તેના જન્મનાં પાંચેક વર્ષમાં જ ગંભીર બિમારીને કારણે પામેલી. અને બાકીની ત્રણ દિકરીઓના વિવાહ તેમના સમાજના ઉચ્ચ હોદ્દાની વ્યક્તિઓ સાથે વાજતે-ગાજતે સમાજના રીતિરિવાજો મુજબ કરાવી દીધેલા. અને પાંચ દિકરાઓનાં પણ લગ્ન સમાજના પ્રતિષ્ઠીત અને સધ્ધર કુંટુંબોની દિકરીઓ સાથે કરાવેલા. આમ, ઇશ્વરપ્રસાદે પોતાના સંતાનોનું ઉજ્જવળ ભવિષ્ય તેમની હયાતીમાં જ ગોઠવી આપેલું. દરેક સંતાનોને સારી અને ઉચ્ચ શિક્ષણ આપેલ હોઇ. તેઓ પોતાના ધંધા-વ્યવસાયમાં સેટ થઇ ગયેલા. તે પૈકી તેમના એક દિકરા નામે જીવણભાઇ પોતે જાતે વ્યવસાયે વકિલ થયાં. જીવણભાઇનો જન્મ ૧૯૨૨ ના અરસામાં થયેલો. તેઓ જન્મથી જ ખુબ જ હોશિયાર ...Read More