Graam Swaraj - 23 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 23

૨૩

ગ્રામસફાઇ

મજૂૂરી ને બુદ્ધિ વચ્ચે ફારગતી થઇ છે તેથી ગુનો ગણાય તેટલી હદ સુધી આપણાં ગામડાંઓ તરફ આપણે બેદરકાર થયા છીએ. એટલે શોભીતાં અને રળિયામણાં નાનાં નાનાં ગામો ઠેર ઠેર પથરાયેલાં હોય બધાં, ગામોમાં પેસતી વખતે જે અનુભવ થાય છે તેનાથી આનંદ ઊપજતો નથી. ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે ને તેમાંથી એવી બદલો ઊઠે છે કે ઘણી વાર ગામમાં પેસનારને આંખ મીંચી જવી પડે છે ને નાક દબાવવું પડે છે. મોટા ભાગ સહાસભાવાદીઓ ગામડાંના વતનીઓ હોવા જોઇએ. તેમ હોય, તો તેમણે આપણાં ગામડાંઓને બધી રીતે ચોખ્ખાઇના નમૂના બનાવવાં જોઇએ. પણ ગામડાંના લોકોના નિત્ય એટલે કે રોજેરોજના જીવનમાં ભાગ લેવાની અથવા તેની સાથે એકરૂપ થવાની તેમણેપોતાની ફરજ કદી માની નથી. રાષ્ટ્રીય કે સામાજિક સફાઇને આપણે જરૂરી ગુણ માન્યો નથી ને કેળવ્યો નથી. આપણા રિવાજથી અમુક ઢબે નહાઇએ છીએ એટલું જ, બાકી જે નદી, તળાવ કે કૂવાને કાંઠે આપણે શ્રદ્ધા ને એવા બીજા ધર્મવિધિ કરીએ છીએ, ને જે જળાશયોમાં આપણે પવિત્ર થવાને સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતાં કે ગંદું કરતાં આપણને પવિત્ર થવાને સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતાં કે ગંદું કરતાં આપણને છીત થતી નથી. આપણી આ ખામીને હું એક મોટો દુર્ગુણ ગણું છું અને આપણાં ગામડાંઓની તેમ જ આપણી પવિત્ર નદીઓના પવિત્ર કાંઠાઓની નામોશી ઉપજાવે તેવી અવદશા અને ગંદવાડમાંથી પેદા થતા રોગો આપણે તે દુર્ગુણનાં ફળરૂપે ભોગવીએ છીએ.૧

ગામડાંમાં આપણે કરવાનું એ છે કે તળાવ કૂવા સાફ કરવાં ને રાખવાં, અને ઉકરડા કાઢી નાખવા. ગ્રામસેવકો જો જાતે કામ શરૂ કરશે, દરરોજ પગારદાર ભંગીની પેઠે કામ કરશે, અને લોકોને એટલું સમજાવશે કે એમની પાસેથઈ પણ એ કામમાં જોડાવાની અને અંતે જાતે એ બધું કામ ઉપાડી લેવાની અપેક્ષા રખાય છે, તો ગ્રામસેવકો ખાતરી રાખે કે ગામડાના લોકો વહેલા મોડા એમને સહકાર આપ્યા વિના નહીં રહે.

રસ્તા અને શેરીઓ પરથી બધો કચરો ફેંકી દેવો જોઇએ, ને એનું વર્ગીકરણ કરવું જોઇએ. એમાં કેટલીક ચીજો એવી હોય છે જેનું ખાતર બની શકે; કેટલીક એવી હોય છે જેને દાટી દેવી જોઇએ, અને કેટલીક એવી હોય છે કે જેમાંથી તરત જ પૈસા પેદા થઇ શકે. જેટલાં હાડકાં મળી આવે તે કાચા સોના જેવાં ગણાય, ને એમાંથી ઉપયોગી વસ્તુઓ બને, અથવા એને વાટીને ભૂકો કરવાથી એનું સુંદર ખાતર બને. ચીંથરાં ને નકામાં કાગળમાંથી કાગળ બને, અને મળનું ગામડાંનાં ખેતરને માટે સોના જેવું ખાતર બને.

ગામડાના તળાવના પાણીને લોકો નાહવા, કપડાં ધોવા અને પીવા તથા રાધવા માટે ફાવે તેમ વાપરે છે. ઘણા ગામડાંનાં તળાવનો ઢોર પણ ઉપયોગ કરે છે. ભેંસો ઘણી વાર એમાં આળોટતી દેખાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગામડાંના તળાવનો આટલો ઘોર દુરુપયોગ થતો હોવા છતાં ગામડાં હજુ એવા ચેપી રોગોથી નાશ પામ્યાં નથી. બધા જ ડૉંકટરો એવો પુરાવો આપે છે કે ગામડાંને સ્વચ્છ પાણી જ મળે એવી વ્યવસ્થા આપણે કરી નથી શકતા તે જ ગામડાંના ઘણા રોગોનું મૂળ કારણ છે.

એટલું સૌ કબૂલ કરશે કે આ કામ એવું છે કે એમાં રસના ઘૂંટડા આવે, ઘણી કીમતી કેળવણી મળે, અને એમાંથી હિંદુસ્તાનની દુઃખી પ્રજાને પાર વિનાનો લાભ થાય. આ કામને પહોંચી વળવાના ઉપાયનું જે વર્ણન મેં કર્યું છે એટલું સ્પષ્ટ સમજાયું હશે કે જો કલમ કે સીસાપેનના જેટલાં જ સહેલાઇથી ને ગર્વથી સાવરણી અને પાવડો ચલાવવાનો તત્પર એવા ઉત્સાહી ગ્રામસેવકો આપણને મળી રહે તો ખરચનો સવાલ તો લગભગ આખો ઊડી જ જાય. સાવરણી, ટોપલી, પાવડો, ને કોદાળી અને કદાચ કંઇક ચેપ અટકાવનારી વસ્તુ એટલો જ સરંજામ આપણને જોઇએ. સૂકી રાખ એ કોઇ પણ રસાયણશાસ્ત્રી આપી શકે એના જેટલી જ અસરકાર રીતે ચેપ અટકાવનારી વસ્તુ હશે. પણ આ બાબતમાં પરગજુ રસાયણશાસ્ત્રીઓએ આપણને કહેવું જોઇએ કે ગામડાંના લોકો ગામડામાંથી જ મેળવી શકે એવી સૌથી અસરકારક અને સસ્તી ચેપ અટકાવનારી વસ્તુ કઇ ગણાય.૨