કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 23

(76)
  • 5k
  • 3
  • 2.9k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૩અર્જુન અને રિયા બધાને લઈ સલામત સ્થળે પહોંચી ગયા હતા. શંકરનાં અંતિમ સંસ્કારની વિધિ પૂરી થઈ હતી. સંજયનાં પગનું ઓપરેશન થઈ ગયું હતું. રાજુ, ખેંગાર અને અંગાર જેલમાં વિક્રાંત અને એના મિત્રો પર શુક્લા દ્વારા ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. એમણે ઠેકઠેકાણે નીલિમા અને અર્જુનને શોધવા માટે માણસો દોડાવ્યા હતા. પર્વતસિંહનાં હ્રદયમાં શંકરનાં મોતનો બદલો લેવા માટે આગ લાગી હતી. બધા પોતાની રીતે એકબીજાને હરાવવા અને હંફાવવા માટે તત્પર હતા. પર્વતસિંહ અને સુધા સલિમનાં ગેરેજ પાછળ સુરક્ષિત જગ્યા પર હતા તથા પત્ની અને પુત્ર પહેલેથી સુરક્ષિત હતા, એની કરણને શાંતિ હતી. હવે