રેઈકી ચિકિત્સા

(155)
  • 114.2k
  • 31
  • 42.5k

1. પ્રાથમિક જાણકારી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જે 5000 વર્ષ પુરાણી છે તેમાં પ્રાણ ઊર્જાનો ઉલ્લેખ કરેલ છે. જે સમગ્ર જીવનનો આધાર છે. પ્રાણ ઊર્જા આપણને જીવન આપે છે. ચીનમાં પણ પ્રાણ ઊર્જાનો ચી તરીકે ઉલ્લેખ કરેલો છે. આ બધા જીવિત તથા નિર્જીવ પદાર્થોમાં પ્રાણ ઊર્જા રહેલી છે. રશિયામાં તેને બાયોપ્લાઝમિક ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. માનવ ઇતિહાસ દરમિયાન સતત રીતે ચિકિત્સા પદ્ધતિઓમાં કોઈ ને કોઈ રીતે સર્વવ્યાપી એવી ઊર્જાનો આધાર લેવામાં આવ્યો છે. રેઈકી પણ એજ ઊર્જા છે જે વિશ્વમાં જીવન પેદા કરે છે અને તેને પોષે છે. હજારો વર્ષ પહેલાં ભારતમાં લોકોને ચૈતન્ય ઊર્જા અને પદાર્થ વિષે ઊંડી સમજ

New Episodes : : Every Tuesday

1

રેઈકી ચિકિત્સા

1. પ્રાથમિક જાણકારી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જે 5000 વર્ષ પુરાણી છે તેમાં પ્રાણ ઊર્જાનો ઉલ્લેખ કરેલ છે. જે સમગ્ર આધાર છે. પ્રાણ ઊર્જા આપણને જીવન આપે છે. ચીનમાં પણ પ્રાણ ઊર્જાનો ચી તરીકે ઉલ્લેખ કરેલો છે. આ બધા જીવિત તથા નિર્જીવ પદાર્થોમાં પ્રાણ ઊર્જા રહેલી છે. રશિયામાં તેને બાયોપ્લાઝમિક ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. માનવ ઇતિહાસ દરમિયાન સતત રીતે ચિકિત્સા પદ્ધતિઓમાં કોઈ ને કોઈ રીતે સર્વવ્યાપી એવી ઊર્જાનો આધાર લેવામાં આવ્યો છે. રેઈકી પણ એજ ઊર્જા છે જે વિશ્વમાં જીવન પેદા કરે છે અને તેને પોષે છે. હજારો વર્ષ પહેલાં ભારતમાં લોકોને ચૈતન્ય ઊર્જા અને પદાર્થ વિષે ઊંડી સમજ ...Read More

2

રેકી ચિકિત્સા - 2

2. રેઈકીના વિવિધ ઉપયોગો શારીરિક દુઃખ, દર્દ, પીડા થી મુક્તિ સદૈવ સ્વસ્થ અને નિરોગી રહેવા માટે તણાવો થી મુક્તિ માટે મનોકામનાઓની પૂર્તિ તથા પ્રાપ્તિ માટે મુલાકાત, મીટીંગને સફળ, સુખદ, સુરક્ષિત અને સમયસર પૂરી થવા માટે પોતાનો કે બીજાનો હોદ્દો, સ્ટેટસ, માન, મર્યાદા જાળવી રાખવા માટે પોતાની તથા બીજાની મુસાફરી સફળ સુખદ, સુરક્ષિત અને સમયસર બનાવવા માટે ડ્રાઈવિંગ શરૂ કરતાં પહેલાં પોતાને, સહ પ્રવાસીઓને, વાહનને, રસ્તાને, મુસાફરીના ઉદ્દેશને સફળ બનાવવા માટે તથા સલામત મુસાફરી માટે. પરીક્ષા કે સ્પર્ધામાં પાસ થવા કે જીતવા માટે ભય તથા શંકાને દૂર કરી નીડરતા અને વિશ્વાસની પ્રાપ્તિ માટે મકાન, દુકાન, મશીનરી, વાહન તથા અન્ય ...Read More

3

રેઈકી ચિકિત્સા - 3 (રેઈકી નું વર્ણન)

3. રેઈકી નું વર્ણન રેઈકી સર્વવ્યાપી જીવન ઊર્જા માટેનો જાપાનીઝ શબ્દ છે. બે શબ્દ ‘રેઈ’ માં વહેંચાયેલો છે. જાપાનીઝ મૂળાક્ષરો કાંજી પ્રમાણે રેઈ એટલે સર્વ વ્યાપી, અપાર્થિવ પ્રાણ ઊર્જા કે ગૂઢ ઊર્જા કે અર્ક થાય છે અને કી એટલે આવશ્યક જીવન ઊર્જા. આપણી પાસે રેઈકી સર્વવ્યાપી જીવન ઊર્જા છે કારણ કે આપણને જન્મજાત પ્રાપ્ત થયેલી છે. બીજી સારવારની પદ્ધતિઓ થી રેઈકી જે કારણોથી અલગ પડે છે તે એટ્યુનમેન્ટ છે. જે રેઈકી ના વિધાર્થીઓ રેઈકીના અલગ અલગ એટ્યુનમેન્ટ લેવલ ઉપર એટ્યુનમેન્ટ દ્વારા પામે છે. કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિની ઉપર હાથ મૂકીને ચુંબકીય ઊર્જા મોકલીને રોગ જલ્દીથી મટાડવામાં મદદરૂપ ...Read More

4

રેઈકી ચિકિત્સા - 4 (રેઈકી નો ઈતિહાસ)

4. રેઈકી નો ઈતિહાસ રેઈકી નો ઈતિહાસ આજે તો દંતકથા બની ગઈ જે રેઈકી માસ્ટર પાસેથી રેઈકી ના વિધાર્થીને મૌખિક રીતે મળી રહી છે. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિના સંશોધક ડૉ. મિકાઓ ઉસુઈ છે. તેઓ અઢારમી સદીના અંતમાં જાપાનના ક્યોટો શહેરની એક નાની ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં પ્રોફેસર અને હેડ હતા. સામાન્ય રીતે રેઈકી સેમિનારમાં રેઈકીની શોધ ક્યાંથી થઇ એ બાબતે એમ કહેવામાં આવે છે કે રેઈકીની શોધ ડૉ. મિકાઓ ઉસુઈ એ કરેલી. વાસ્તવમાં આ વાત સત્ય નથી લાગતી. આ વિદ્યા અતિ પ્રાચીન છે જે અનાદિ કાળ થી ગુરુ શિષ્ય પરંપરાથી ચાલી આવી છે. રામાયણમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે કે ભગવાન ...Read More

5

રેઈકી ચિકિત્સા - 5 - શક્તિપાત

પ્રિય વાચક મિત્રો, આ વખતે વ્યવસાઈક વ્યસ્તતાના લીધે રેઈકી સીરીઝ નાં રેગ્યુલર પ્રકરણ પ્રકાશિત કરવામાં વિલંબ થયેલ છે બદલ હૃદપૂર્વક ક્ષમા માંગુ છું. આશા રાખું છું કે હવે થી આપ ને નિયમિત પ્રકરણ વાંચવા મળી રહેશે. રેઈકી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો મારા મોબાઇલ નંબર 9925012420 ઉપર સંપર્ક કરી પ્રશ્નનો ઉકેલ મેળવી શકો છો. જો આપને મારી આ સીરીઝ પસંદ આવી હોય તો કોમેન્ટ કરશો અને લાઈક કરશો. રેકી પ્રકરણ 5 - શક્તિપાત રેઈકી ઉપચાર પદ્ધતિથી કુદરતી સારવાર આપણા હાથ દ્વારા આપી શકાય છે. રેઈકી શીખવી ખૂબજ સરળ છે અને ફક્ત બે દિવસમાં પહેલી અથવા બીજી ...Read More

6

રેઈકી ચિકિત્સા - 6 ઔરા

આપણે આપણા જે શરીરને જોઈ શકીએ છીએ તે આપણું સ્થૂળ શરીર છે. આપણા સ્થૂળ શરીરની બહારની બાજુએ બીજા છ આવેલા છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તે આ મુજબ છે: 1. સ્થૂળ શરીર - PHYSICAL BODY 2. પ્રાણ શરીર - ETHERIC BODY 3. મનોમય શરીર - MENTAL BODY 4. ભાવ શરીર - EMOTIONAL BODY 5. ચૈતન્ય શરીર - SPRITUAL BODY 6. સૂક્ષ્મ શરીર - ASTRAL BODY 7. નિર્વાણ શરીર - CELESTIAL BODY સ્થૂળ શરીરની બહારની બાજુએ રહેલા બાકીના શરીરને આપણે આભા તરીકે ઓળખીએ ...Read More

7

રેઈકી ચિકિત્સા - 7 - ચક્રો

આપણા ઋષિમુનિઓએ તેમની દિવ્યદ્રષ્ટિથી આપણા સ્થૂળ શરીરની બહાર રહેલા છ અદ્રશ્ય શરીર અંગે ખૂબ સુંદર જ્ઞાન મેળવ્યું હતું. તેમણે શરીરમાં રહેલા સાત ચક્રોની આપણા જીવન સાથેની અગત્યતા આપણને ખૂબ સુંદર રીતે સમજાવી છે. તણાવના કારણે ચક્રની ગતિમાં ઉદ્દભવતી અસમતુલા, શક્તિમાં થતો ક્ષય, પંચતત્ત્વની અસમતુલા અને તેનાથી ઉત્પન્ન થતી બીમારી વગેરેની સચોટ જાણકારી તેમની પાસે હતી. આ સાત ચક્રો આપણા સ્થૂળ શરીરની બહાર આવેલા હોવાથી તે આધુનિક વિજ્ઞાન અથવા સર્જરી દ્વારા જોઈ શકાતાં નથી. યોગ્ય અભ્યાસ દ્વારા આપણે તેને અનુભવી શકીએ છીએ. કિર્લિયન ફોટોગ્રાફી અને આધુનિક વિજ્ઞાન પણ તેને સમર્થન આપે છે. શરીરમાં કરોડરજ્જુ ઉપર છેલ્લા મણકા થી લઇ માથાના ...Read More

8

રેઈકી ચિકિત્સા - 8 - ઉપચારની સ્થિતિઓ

આભારવિધિ: હું મારો પોતાનો (નામ સાથે) આભાર માનું છું. રેઈકી શક્તિનો આભાર માનું છું. હું ડૉ. મિકાઓ ઉસુઈનો આભાર છું. હું મારા પાર્ટનર (નામ સાથે) નો આભાર માનું છું. હું મારા ગુરૂઓનો આભાર માનું છું પોતાની ઉપર અને અન્ય ઉપર રેઈકી ઉપચાર કરવાની સ્થિતિઓ: 1 આંખો 2 મસ્તકની બન્ને બાજુઓ (લમણાં) 3 કાન 4 મસ્તક આગળ પાછળ 5 બન્ને હાથ મસ્તકની પાછળ 6 એક હાથ ગાળાની આગળ, બીજો પાછળ7 બન્ને હાથ ગાળાની આગળ 8 અનાહત ચક્ર (હૃદય ચક્ર) 9 મણિપુર ચક્ર 10 લીવર 11 ફેફસાંના ઉપરના ભાગ 12 પેન્ક્રીયાઝ અને સ્પ્લીન 13 સ્વાધિષ્ઠાન ચક્ર (નાભિ) 14 મૂલાધાર ચક્ર ...Read More

9

રેકી ચિકિત્સા 9 - 10

વ્હાલા વાચક મિત્રો, કોમ્પ્યુટરમાં ટેકનીકલ ખામી ને લીધે સીરીઝ સમયસર પ્રકાશિત કરી શક્યો નથી માટે માફી ચાહું છું. હવે પ્રકરણ એક સાથે પ્રકાશીત થશે જેથી આપનો વાંચવાનો રસ જળવાઈ રહે. આભાર. રેકી સંબંધીત કોઈ પણ મુંજવણ હોય તો +919925012420 ઉપર સંપર્ક કરશો. પ્રકરણ 9. સમૂહ સારવાર માટેનાં સૂચનો: ð આગળ અને પાછળની સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી જોડી બનાવવી. ð શરીરના આગળના ભાગની સારવાર એક સાથે કરો. ð મૂલાધાર અને માથાની સારવાર એકી સાથે આપવાથી વધુ લાભદાયી બને છે. ð એક વ્યક્તિને ત્રણ વ્યક્તિઓ સાથે સારવાર આપવા માટે ત્રણે વ્યક્તિઓને પહેલેથીજ પોઝીશન વહેંચી આપવી. જેથી ત્રણે વ્યક્તિઓ ...Read More

10

રેકી ચિકિત્સા - 11 - જુદા જુદા ઉપચારોમાં રેઈકીનો ઉપયોગ

સારવાર આપતી વખતે રેઈકીના 24 પોઈન્ટ ઉપર ત્રણ ત્રણ મિનિટ રેઈકી આપવી જરૂરી છે. રોગીના શરીરમાં જે રોગ હોય દૂર કરવા અને રોગને જડ મૂળથી દૂર કરવા માટે એ રોગને લગતા અસંતુલિત અવયવો ઉપર રેઈકી આપવી જરૂરી છે. નીચે પ્રમાણે જે તે ભાગ ઉપર રેઈકી આપવાથી તે પ્રમાણેના રોગો માટી શકે છે. રેઈકી પોતાની આંતરસૂઝ પ્રમાણે આપવી. (કૌંસમાં લખેલા આંકડા રેઈકીના પોઈન્ટ નંબર દર્શાવે છે.) 1. એક હાથ માથા ઉપર (4) અને બીજો હાથ અનાહત ચક્ર ઉપર (8)• વિચારોના તણાવ કે ભાવનાઓનું દબાણ દૂર કરવા માટે.• ક્રોધ, ગુસ્સો કે ચિંતા અને નિરાશા દૂર કરવા માટે.• વધુ જાગૃતિ અને ...Read More

11

રેકી ચિકિત્સા - 12 - રેઈકી ના પાંચ મૂળભૂત સિદ્ધાંતો

રેઈકી ના પાંચ મૂળભૂત સિદ્ધાંતો ડૉ. મિકાઓ ઉસુઈએ તેમના જીવનના સાત કીમતી વર્ષો ભિક્ષુક ગૃહમાં ભિક્ષુકોને રેઈકી સારવાર આપી. તંદુરસ્ત કરવામાં આવ્યા કે જેથી તેઓ ફરી પાછા સમાજના પ્રવાહમાં ફરીથી ભળી જઈ સમાજને ઉપયોગી બને. પરંતુ તેમાંના કેટલાક દૈનિક જીવનમાં પોતાની જવાબદારી નિભાવવામાં ઉણા ઉતર્યા અને ભિક્ષુક ગૃહમાં ફરી પાછા આવવા લાગ્યા. ત્યારે તેમણે આત્મખોજ કરીકે તેમાંના પોતાનામાં અથવા રેઈકી શક્તિ લેનાર ભિક્ષુકોમાં ખામી ક્યાં હતી કે તેમને આ કાર્યમાં સફળતા ના મળી. આખરે આત્મખોજ દ્વારા તેમણે રેઈકીના બે ખાસ સિદ્ધાંત બનાવ્યા. 1. રેઈકી શક્તિ કોઈ પણ વ્યક્તિ સામેથી માંગે ત્યાં સુધી આપવી નહીં કારણકે વગર માંગે મળેલ વસ્તુનું ...Read More

12

રેકી ચિકિત્સા - 13 - રેઈકી ની સફળતાનાં નવ સૂત્રો અને રેઈકી ની નિષ્ફળતાનાં 5 કારણો

રેઈકી ની સફળતાનાં નવ સૂત્રો રેઈકી ઉપચારમાં સફળતાનાં નવ સૂત્રો છે. જો તેને સમજીને અમલમાં મૂકવામાં આવે તો રેઈકી સફળ થવા ઉપરાંત તમે તમારા જીવનને પણ સાચા અર્થમાં સફળ બનાવી શકશો. આ સુત્રો છે: 1. સ્વાભિમાન/સ્વમાન2. જાગૃતતા3. સમગ્રતા (એકાગ્રતા માંથી મુક્તિ)4. નીડરતા 5. દયા/ક્ષમા ભાવ6. કાર્યશીલતા અને અનુશાસન7. પ્રેમ8. સમર્પણ9. જ્ઞાન નો સાક્ષાત્કાર રેઈકી ની નિષ્ફળતાનાં 5 કારણો જે લોકોને રેઈકી થેરાપીમાં ઈચ્છિત પરિણામ મળતું નથી. પરિણામે સમયાંતરે આ થેરાપી માંથી વિશ્વાસ ડગી જાય છે તેવાં મુખ્ય પાંચ કારણો નીચે પ્રમાણે છે.1. ઈચ્છિત પરિણામ સાથે જોડાણ 2. અભિગમ / માર્ગ 3. પ્રેક્ટિસ નો અભાવ4. ધીરજનો અભાવ5. તાત્કાલિક પરિણામ ...Read More