Kabir - rajniti na ranma - 8 books and stories free download online pdf in Gujarati

કબીર : રાજનીતિ ના રણમાં - 8

આમ કબીર પોતાની સત્તાના ત્રણ વર્ષ કરતા વધારે સમય વિતાવે છે.કબીર બીજા 6 મહિના પોતાના રાજ્યના વિકાસ માં વિતાવે છે.કબીર ને હવે ધાર્યું પરિણામ મળવા લાગે છે.

વિકાસ આંખે વળગીને દેખાવા લાગે છે.એક દિવસ સાંજે કબીર મેટેટિંગ માં બુઝાય હોય છે ત્યાં એને મેસેજ મળે છે.

ગુજરાત માં બ્લાસ્ટ !!!
આતંકવાદી હુમલો !!!

કબીર ચોંકી જાય છે.અલગ અલગ જગ્યા એ IED વડે હુમલો થાય છે.કબીર પરિસ્થિતિ નો તાગ મેળવવા લાગી જાય છે.કબીર દરેક સમાજ ના લોકો ને શાંતિ ની અપીલ કરે છે.ભાઈચારો જાળવી રાખવા જણાવે છે.

તપાસ કરતા ખબર પડે છે કે પોતાના રાજ્ય ના મુસ્લિમ યુવાનો જેહાદ ના નામ પાર આતંકવાદી બની ગયા હોય છે.તેઓ પાકિસ્તાન ટ્રેનિંગ લેવા જાય છે.મુસ્લિમ સિવાયના બીજા ધર્મમાં માનતા લોકો ને કાફીર ગણી એમની બને એટલી હત્યા કરવા પ્રયાસ કરે છે.

ગુજરાત ને લાલ લોહી માં રંગવા માટે કાવતરું તૈયાર જ હોય છે ...
તેઓ 6 મહિના ત્યાં ટ્રેનિંગ લે છે અને પછી પાછા આવી ને !!!

કબીર ને ગુપ્તચર સંસ્થા દ્વારા ગુજરાત માં આતંકવાદી હુમલા માટેના ઇનપુટ મળે છે.કબીર તરત જ સક્રિય થઇ જાય છે.કબીર પોતાની પ્રજાના રક્ષણ માટે કમાન્ડો ફોર્સ બનાવે છે.જે ગુપ્તચર સંસ્થા સાથે સંપર્ક માં રહે છે અને આતંકવાદીઓ ની પળે પળ ની માહિતી મેળવે છે.જેવા આતંકવાદી ગુજરાત માં પ્રવેશે છે ત્યાં રાતે 2 વાગે હાઈવે પર એમની ગાડી ને પંચર પડે છે જેવા એ લોકો જોવા બહાર આવે છે એવા જ કમાન્ડો તૂટી પડે છે.સામસામે ગોળીયો ચાલે છે પણ અંત માં સ્નાઇપર કમાન્ડો આતંકવાદીઓ ને મારી નાખે છે.એમની લાશ અને ગાડી ને એક ગુપ્ત જગ્યા એ લઇ જાય છે.

તો પછી ગુજરાત માં આતંકવાદી હુમલા ક્યાંથી થયા ???
વાસ્તવમાં આ કબીરે ગોઠવેલી ચાલ હોય છે.આતંકવાદીઓ સાચે જ હોય છે એ બ્લાસ્ટ પણ કરવા આવવાના હોય છે.કબીર મરેલાં આતંકવાદીઓ જોડે થી બૉમ્બ લઇ લે છે. કબીર જાણી જોઈને બ્લાસ્ટ એવી જગ્યા એ કરાવે છે જ્યાં કોઈ વ્યક્તિ નુ મૃત્યુ કે ઈજા ના થાય. કબીર મુસ્લિમ લોકો માં એક સંદેશ આપવા માંગતો હોય છે.એ મુસ્લિમ લોકો નું હિત ઈચ્છતો હોય છે.

એને ખબર હોય છે કે જો મુસ્લિમ યુવાનો ધર્મના નામ પર આમ ને આમ ગેરમાર્ગે દોરાતા રહ્યા તો આતંકવાદ વધશે ,દુનિયામાં લોહી ની નદીઓ વહેશે.આ મુસ્લિમ આતંકવાદ મુસ્લિમો ને જ ભરખી જશે.

ઇસ્લામ એ ભાઈચારા માં માનનારો ધર્મ હોય છે.જે શાંતિ શીખવે છે.કબીર મીડિયા ,ઈન્ટરનેટ ,ટેલિવિઝન વગેરે માં એક વિડિઓ બનાવે છે અને એમાં બતાવે છે કે કેવી રીતે મુસ્લિમ આકાઓ યુવાનો નું બ્રેઈન વૉશ કરે છે.અલ્લાહ ના નામ પર , જેહાદ ના નામ પર મુસ્લિમ યુવાનોને ગેરમાર્ગે દોરે છે.લોહીની નદીઓ વહાવે છે.અને આ બધા માંથી મુસ્લિમ સમાજ ના લોકો કેવી રીતે બચી શકે ???
કબીર બધી જ વાત આ વિડિઓ માં બતાવે છે.

અંતમાં કબીર એક વાક્ય કહે છે
" જો કુરાન નો અનુવાદ મૌલાના ના બદલે માં એ કર્યો હોત તો મુસલમાનોની આજે આવી દશા ના હોત".

કબીર હવે શાળાઓ માં મુસ્લિમ યુવતીઓની ભરતી કરે છે જે ભણેલી , ગણેલી , સમજદાર હોય.જે મુસ્લિમ બાળકો ને કુરાનનું સાચું શિક્ષણ આપી શકે.જેહાદ અને કાફીર નો સાચો મતલબ બતાવી શકે.કબીર મુસ્લિમ યુવાનો અને યુવતીઓ નું જીવન સુધારવા માટે લાખો રૂપિયાની જોગવાઈ કરે છે.એમને સારું શિક્ષણ મળે , સારી નોકરી મળે માટે પુરા પ્રયાસો કરે છે.

આમ કબીર રાજનીતિ ના રણ માં વિજય ની હરિયાળી ફેલાવે છે

કબીર આ દુનિયાનો સૌથી મહાન નેતા બને છે !!!

લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893