Prabhuma Vishwas Jivan ma Suwas books and stories free download online pdf in Gujarati

Prabhuma Vishwas Jivan ma Suwas

પ્રભુમાં વિશ્વાસ જીવનમાં સુવાસ

ઃશ્રી યશોવિજય જૈન ગુરુકુળ-પાલીતાણા-સાલગિરિ પ્રસંગે આપેલા વકતવ્યમાંથી :

જીવન જીવી જાણ્યું નહીં તો, જીંદગી શા કામની

સાચું સુખ જો માણ્યું નહીં તો, જીંદગી શા કામની ..જીવન

કાળા કર્યા, ધોળા કર્યા, નાણાં બહુ ભેળા કર્યા.

જાતી વેળાએ ખાલી ચાલ્યા તો તીજોરીઓ શા કામની ......જીવન.

સાબુ અને અત્તર ઘણાં તુજ અંગ પર લેપાય તું

અંતે જયારે અગ્ની મુકાશે તો ટાપટીપ શા કામની . જીવન.

હાથી અને ઘોડે ફરે -પૃથ્વી પર નવ પગ ધરે

પણ છેલ્લી પાલખી વાંસની તો મોટરો શા કામની.. જીવન.

મહેલ ચણાવ્યો દશ માળનો, મુર્હત લીધું વાસ્તુ તણું..

મુર્હત પહેલા મોત આવ્યું તો હવેલીઓ શા કામની. જીવન.

તું મને ભગવાન એક વરદાન આપી દે, જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

હું જીવું છું એ જગતમાં જયાં નથી જીવન, જીંદગીનું નામ છે બસ બોજ ને બંધન,

આખરી અવતારનું મંડાણ બાંધી દે, જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

આ ભૂમીમાં ખૂબ ગાજે પાપ ના પડઘમ,બેસુરી થઇ જાય મારી પુણ્યની સરગમ,

દિલરૂબાના તારનું ભંગાણ સાંધી દે,જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

જોમ તનમાં જયાં લગી છે સૌ કરે શોષણ, જોમ જાતા કોઇ અહીંયા ના કરે પોષણ,

મતલબી સંસારનું જોડાણ કાપી દે, જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

તું મને ભગવાન એક વરદાન આપી દે, જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

દુષ્કર છે આ ભવસાગરનો દૂર દૂર કિનારો,

ડુબી ના જાઉં જો જો ભગવાન હાથ પકડજો મારો,

તારા શરણે આવેલાને મળે નહિં જાકારો,

તારે શરણે સોંપી દીધો છે, અંતરનો એકતારો.

જે પ્રભુની પાસે રહે છે, પ્રભુ તેની સાથે રહે છે.

અનુક્રમણિકા

૧.તીજોરી ની ત્રણ ચાવી

૨.પહેલી ચાવી

૩. બીજી ચાવી

૪.ત્રીજી ચાવી

૧૦૮- વાર્તાઓની અનુક્રમણિકા

૧ આપઘાતમાં સમ્યક સમજ

૨ જન્મ દિવસ

૩ અનોખો આત્મ વિશ્વાસ

૪ વિધિના લેખ કોઇ ન મારે મેખ

૫ મધુબિંદુ

૬ બુદ્ધિનો ખેલ

૭ તૃષ્ણાનો ખાડો કદી પુરાતો નથી

૮ હીરાઝડીત સોનાનું કડુ

૯ નવમી પેઢીનું શું?

૧૦ જીવનમાં સંતોષી રહેવું

૧૧ બળથી નહીઁ પણ કળથી કામ થાય છે

૧૨ જીભ નો ઘા

૧૩ વચન ની કીંમત

૧૪ પુરુષાર્થનું પરિણામ

૧૫ વસ્તુનું સાચું મૂલ્ય

૧૬ હેર હીટલર

૧૭ રીક્ષાવાળા ભાઇની વાત

૧૮ સ્ટીમરમાં ધક્કો

૧૯ ડોશી અને શેઠની કથા

૨૦ અમર ફળ

૨૧ ખેમચંદ શેઠ

૨૨ પેરાલીસીસ જમણાં ભાગમાં

૨૩ ક્રોધ ન કરવાની બાધા

૨૪ ર્સ્વગનો સ્ટોર

૨૫ ડોકટર દિકરો અને મા

૨૬ વાસી ખાઇ છે બધા

૨૭ ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી

૨૮ વડીલ છત્ર છે

૨૯ બે ઠગની વાત-બળદ-મોચી વિગેરે

૩૦ પાંચ રત્નો

૩૧ કટાક્ષ ભર્યુ હાસ્યનું વીપરીત પરિણામ

૩૨ નિયમનો ફાયદો

૩૩ સંતોષી નરનું પહેરણ

૩૪ વિશ્વની સાત અજાયબીઓ

૩૫ કારપેંટરની સમતા

૩૬ કઢીવાલે બાબા

૩૭ બાવાજીની કફની

૩૮ વગર વિચાર્યે કયારેય કંઇ કામ કરવું નહીં

૩૯ સમ્રાટ સંપ્રતિ

૪૦ મહારાજા શ્રેણિક

૪૧ સત્ય પાલન

૪૨ મુનીશ્રી ઢંઢણકુમાર

૪૩ કુહાડી-ઝાડ કાપતા તળાવમાં પડી જાય છે

૪૪ નંદીષેણ મુની

૪૫ પ્રવૃત્તિઓ ઘણી બદલી હવે વૃત્તિને બદલીએ

૪૬ મેઘરથરાજા

૪૭ કુબેરદત્તા

૪૮ ધન્ય તને પુણીયા

૪૯ પુણીઓ શ્રાવક

૫૦ શ્રી માનતુંગસુરિ

૫૧ મેતારજ મુની

૫૨ અનાથી મુની

૫૩ ગજસુકુમાલ

૫૪ ભરતેશ્વર અને બાહુબલિ

૫૫ સંતોષી કોણ?

૫૬ વચન મુજબ કરણી

૫૭ શ્રી કુરગુડુ મુની

૫૮ શ્રી નમિરાજા

૫૯ આંધળાનો હાથી

૬૦ રેતી અને પથ્થર

૬૧ ધોબીનો કુતરો ન ઘર નો કે ઘાટનોે

૬૨ સૂર્યોદય

૬૩ ઋષભ જિનેશ્વર પ્રીતમ મ્હારો

૬૪ તેલનો અઢોળ કટોરો

૬૫ જગડું તુ દાતાર, દૂજો થાવો નથી

૬૬ હસતો ગઢ ગિરનાર

૬૭ સજ્જનનું વર્તન

૬૮ કાયાના કુંભ પર કીર્તિકળશ

૬૯ મમ્મણ શેઠ

૭૦ નાની વાળી અને મોટી વાત

૭૧ ભકિતના કોડીયામાં શ્રદ્વાનું સિંચન

૭૨ અતૂટ અભિગ્રહ

૭૩ ભકિતનો ચઢાવ-ઉતાર

૭૪ ભૂલની કબુલાત

૭૫ સરસ જિનમંદિરનું સત્ય

૭૬ નિંદાની નનામી ઊંચકી શકે તેને

૭૭ રજકણ સૂરજ થવાને પંથ

૭૮ મનની તાકાત

૭૯ કલ્યાણનો પંથ

૮૦ સત્સંગ

૮૧ સંત તુકડોજી

૮૨ સહકાર

૮૩ અભિમાન

૮૪ ચિંતા

૮૫ લોભ ને થોભ નથી હોતો

૮૬ પ્રણમું તમારા પાય

૮૭ પૂર્ણ હૃદયથી આપો

૮૮ સાચી ઋણમુકિત

૮૯ બોધ આપવાનો મહાન માર્ગ કયો

૯૦ આલોયણા

૯૧ વાદળ આકાશમાં નથી પણ મનમાં છે

૯૨ પારસમણિ

૯૩ ગર્વ કિયો સોઇ નરઃ-છેલ્લો પડદો પણ હટી ગયો

૯૪ નીતિનું પાલન

૯૫ નિયમ ઘડવૈયાની ફરજ

૯૬ આત્મનિર્ભરતાનો આનંદ

૯૭ સાંભળો અને આચરણ પણ કરો

૯૮ જીવન ચંદનવન

૯૯ કાયમી પરબ

૧૦૦ ત્યારે પરમાત્મા સાથે મીલન શકય બને છે

૧૦૧ બે નારા માં કયો ચઢે?

૧૦૨ મન સ્વચ્છતો પરિવાર સ્વચ્છ

૧૦૩ જૂનાગઢના રાજાનું ગોવાળ વચને પરિવર્તન

૧૦૪ મેઘકુમાર

૧૦૫ આદર્શ મહાન દીકરો

૧૦૬ ભગવાન સાથે ભોજન

૧૦૭ મંત્ર તો એનો એ પણ

૧૦૮ ત્યાં ભગવાન જરૂર હશે?

પ્રભુમાં વિશ્વાસ

જીવનમાં સુવાસ

હે પ્રભુ - મેરા મન હો સુંદર - વાણી હો સુંદર – જીવન સુંદર

પ્રભુમાં વિશ્વાસ અને જીવનમાં સુવાસ આજ સફળતાની ચાવી છે.

ઙડટ્ટઠ્ઠણ્ત્ત્ડ્ઢ દ્વણ્દ્દઢથ્દ્ધદ્દ દ્દઢણ્ત્ત્ણૂણ્ત્ત્ડ્ઢ ણ્દ્મ ત્ણ્ણૂડ ડટ્ટદ્દણ્ત્ત્ડ્ઢ દ્વણ્દ્દઢથ્દ્ધદ્દ ઠ્ઠણ્ડ્ઢડદ્મદ્દણ્ત્ત્ડ્ઢ.

ઉ થ્ર્ટ્ટડ્ઢડ ઠ્ઠણ્ડ્ઢડદ્મદ્દડઠ્ઠ ણ્દ્મ ટ્ઠડદ્દદ્દડદ્ર દ્દઢટ્ટત્ત્ ટ્ટ દ્યથ્ત્દ્ધત્ર્ડ ઢદ્ધદ્રદ્રણ્ડઠ્ઠત્ધ્ દ્રડટ્ટઠ્ઠ.

આ લખાણમાં મારું કશું નથી. આ લખાણ ગુજરાતી ધર્મ ગ્રંથોમાંથી ઉતારેલ છે. હું કો નથી. ફકત વાર્તાઓનું સંપાદન કર્યુ છે. કો વ્યાવસાયિક નિમિત્તે નહીં પણ ાામાન્યજનના હૃદયમાં,મનમાં શ્વર સ્નેેહ,શ્વર નિષ્ઠા,શ્વર ભકિત જાગે તે નિમિત્તે આ પુસ્તિકાનું સંકલન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મારા પૂ.માતુશ્રી સ્વ.લીલાવંતીબેન મનસુખલાલ વનમાળીદાસ લવજી શાહના કરકમળમાં સમર્પિત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું તેઓ જયાં પણ હોય તેમના આશીર્વાદ સદા અમારી સાથે રહે. જૈનધર્મનું બીજુ નામ દયાધર્મ છે. દરેકે દરેક ધર્મમાં દયાધર્મ ને ખુબજ મહત્વ આપેલ છે. માટે હંમેશા દયાભાવ બધા માટે રાખો,આ જ સાચો ધર્મ છે. અહીંસા પરમોધર્મ છે. જીવદયા સાથે જીભદયા રાખો. સૈેરુમ મિઝેલે પરમ સમીપેમાં ખુબજ સંદર લખ્યું છેઃ-

મારા મસ્તકમાં વસો અને મારી આંખોમાં પણ,

મારી આંખોમાં વસો અને મારી દ્રષ્ટિમાં પણ,

મારા મુખમાં વસો અને મારી વાણીમાં પણ,

ાારા હૃદયમાં વસો અને મારી લાગણીમાં પણ,

ાભુ, મારા અંતિમ દિવસોમાં પાસે હજો અને વિદાયવેળાએ પણ.

મારા જીવનમાં આજ સુધી કદી આવી રીતે લખાણ કરેલ નથી. પહેલી જ વાર કોશીશ કરું છું. ઘણી બધી ચોપડીઓ,મેગેઝીનો,છાપાઓમાંથી મને યોગ્ય લાગ્યું તે લખાણ મારી રીતે ગોઠવેલ છે.મેં અલગ અલગ પુસ્તકો વિગેરે જે વાંચેલ છે અને મને તેમાંથી જે સારું લાગ્યું

તે આપ સર્વો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે. સાધારણ પાણીનું ટીપુ, જયારે કમળના

પાન પર પડે છે, મોતી નથી છતાં મોતી જેમ શોભે છે. એવીજ રીતે મારામાં શકિત નથી કે

આવડત નથી, તે છતાં ભગવાનના પ્રભાવથી જ આ લખી રહ્યો છું. ફકત ભગવાનની વાણી

આપ સર્વો સુધી સરળ ભાષામાં પહોંચાડવાનો પ્રયત્ન છે.કાંઇ ભુલ ચુક હોયતો ક્ષમા કરવા

વિનંતી છે. આપના સુઝાવ વગેરે મોકલવા નમ્ર વિનંતી છે. જાણતાં કે અજાણતાં મારાથી

કાંઇ પણ એવું લખાઇ જાય કે કોઇ ને દુઃખ થાય તો હું તેમની ક્ષમા માંગુ છું. પુસ્તકના આ

લખાણમાં કયાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ થઇ ગયું હોય તો એનું અંતઃકરણ પૂર્વક

ત્રિવિધે ત્રવિધે મિચ્છામિદુક્કડં માંગુ છું. મારો હેતુ આપના જીવનમાં સુવાસ ફેલાય અને

આપનો પ્રભુમાં વિશ્વાસ વધતો રહે, જીવનનો સદુપયોગ થાય,સારા સારા કાર્યો આપના

હસ્તકે થાય-આપ સર્વો પુણ્ય ઉપાર્જન કરો અને જીવનમાં નવા કોઇ કર્મો બાંધો નહીં એજ છે.

ખુદ ભગવાન પણ માતા-પિતા સામે આવેતો સિંહાસન ઉપરથી ઉભા થઇને તેમને સામે તેડવા

જાય છે. કાર્ય પૂર્ણ થતાં વળાવવા જાય છે. જે કાર્ય કરે તેમને પૂછીને સંમતિ મેળવીને કરે છે.

માતૃભકિત અને પિતૃભકિતમાં તેઓ કયારેય પાછા પડતાં નથી.મા બાપ ને સુખ આપશો તો

તમને પણ જીવનમા સુખ જ મળશે. કર્મ એવા કરો કે મા બાપ તમોને ખોબે ખોબે ભરીને

અંતરથી દુઆ તથા આર્શીવાદ આપે તોજ જીવનમાં તમારી સુવાસ ફેલાશે. જેની સાથે મા-

બાપ ના સાચા આર્શિવાદ છે તેને જીવનમાં બધે જ સફળતા મળે છે. કારણ ખુદ ભગવાન તેની

બધી મદદ કરવા હંમેશ તૈયાર જ હોય છે.

આપણે જેવા પણ હતા,

મા-બાપે આપણને સ્વીકારી લીધા !

મા-બાપ જેવા પણ છે,

આપણે એમને સ્વીકાર્યા છે ખરા?

સાંભળનારા લાખો છે,

સંભળાવનારા હજારો છે,

સમજનારા સેંકડો છે

પણ આચરનારા તો આંગણી ને વેઢે ગણાય એટલા જ હોય.

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ.

ભુલો ભલે બીજું બધુંં સંતાનને ભૂલશો નહીં,

ભુલો ભલે બીજું બધુંં સંતાનને ભૂલશો નહીં,

અગણિત છે ફરજો તમારી એને વિસરશો નહીં.

સંતાનને ઘડવાની આશા આપી તમને ઇશ્વરે,

સંતાનના ઘડતરમાં ખામી, કોઇ દિવસે રાખશો નહીં.

અવગુણ તમારી જિંદગીમાં, કેટલાયે હો ભલે,

સંતાન આગળ અવગુણોને પ્રગટ કદી કરશો નહીં.

હો ભલે શિક્ષિત, અશિક્ષિત, અલ્પ શિક્ષિત પણ તમે,

સંતાનના શિક્ષણ મહીં, પાછા કદી પડશો નહીં.

સ્વજની હો કે ગૃહિણી હો ને હો પરસ્પર પ્રેમ પણ,

સંતાન આગળ ચેનચાળા, પ્રેમના કરશો નહીં.

સંસ્કાર સારા જિંદગીમાં હોય સીંચાયેલા તો,

સંતાનમાં એ સીંચવાનું કદી વિસરશો નહીં.

જે આપશો તે પામશો, જેવા હશો તેવા થશે,

જેવા ઘડો તેવા ઘડાશે,એ વાત ભૂલશો નહીં.

ગુણમાં તમારાથી સવાયા, નામ એ તમ રાખશે,

ઘડપણ મહીં થાશે સહારો,વાત વિસરશો નહીં.

સંતાનનું સુખ સૌથી મોટું, દુઃખ પણ સંતાનથી,

શાંતિ માટે જીવનમાં,સંતાનને ભૂલશો નહીં.

ભૂલો ભલે બીજું બધુંુ,મા બાપને ભૂલશો નહીં,

ભૂલો ભલે બીજું બધુંુ,મા બાપને ભૂલશો નહીં,

અગણિત છે ઉપકાર એના, એહ વિસરસો નહીં.

પથ્થર પૂજયા પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું,

એ પુનિત જનના કાળજાં, પથ્થર બની છુંદશો નહીં.

કાઢી મૂખેથી કોળિયા,મ્હોમાં દઇ મોટા કર્યા

અમૃત તણા દેનાર સામે,ઝેર ઉગળશો નહીં.

લાખો લડાવ્યા લાડ તમને, કૌડ સૌ પૂરા કર્યા,

એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહીં.

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા

એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં.

સંતાનથી સેવા ચાહો,સંતાન છો સેવા કરો,

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.

ભીને સૂઇ પોતે અને સૂકે સૂવડાવ્યા આપને

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં

પુષ્પો બીછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર,

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહીંં

પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહીંં.

જે પ્રભુની પાસે રહે છે, પ્રભુ તેની સાથે રહે છે

દુઃખં પ્રાપ્ય ન દીનઃ સ્યાત સુખં પ્રાપ્ય ચ વિસ્મિતઃ

જ્ઞાનસાર

સડક પરથી નીકળતા રહે છે વરઘોડા અને સ્મશાનયાત્રા અને છતાં સડકને નથી હોતો એનો

કોઇ હરખ કે શોક ! જીભ આવતું રહે છે ઘી અને પાણી અને છતાં ઘીથી જીભ નથી બનતી

ચીકણી કે પાણીથી નથી કાયમ રહેતી ભીની ! ટપાલ પેટીમાં આવતી રહે છે -ટપાલો

વિવાહની અને મરણની અને છતાં ટપાલ પેટી અલિપ્ત રહે છે આનંદથી અને ઉદ્વેગથી!

પ્રભુ!

આપે આવી જ સલાહ આપી છે અમને? સુખ આવે તો વિસ્મિત ન બનો, દુઃખ આવે તો દીન

ન બનો. કારણ કે સુખ અને દુઃખ બંને કર્મની દેન છે. શુભ કર્મ છે તમારી પાસે માટે તમને

સુખ મળે છે. અશુભ કર્મ ઉદયમાં આવે છે માટે તમને દુઃખ મળે છે. આ સ્થિતિમાં હરખ-

શોક કરવાની તમારે જરૂર જ કયાં છે ? વાત તો

પ્રભુ!

આપની સાવ સાચી છે; પણ સુખને અમે અમારી હોશિયારીનું ફરજંદ માની બેઠા છીએ માટે

જ એ મળતાં અમે વિસ્મિત બની જઇએ છીએ અને દુઃખમાં અમે બીજાને જવાબદાર માની

બેસીએ છીએ માટે જ એમા દીન બની જઇએ છીએ! કૃપા કરો આપ કે આવી ભ્રમણામાંથી

અમે વહેલામાં વહેલા મુકત બની જઇએ.

પ્રભુ!

આપ એવા આશીર્વાદ આપો કે અમો સહુને સુખ મળો અને સહુનું દુઃખ ટળો એવી ભાવના

રાખીએ. પ્રભુ ! આપ અમારા હૃદયમાં પ્રવેશ કરીને, અમારા દોષોને હઠાવીને કાયમ માટે

અમારા હૃદયસિંહાસન પર બિરાજમાન થાઓ એવી આપને નમ્ર વિનંતી છે.

આકાશમાં રચાયેલું સપ્તરંગી મેઘધનુષ્ય નીરખતાં હૈયામાં ઊભરાતા આનંદનું આયુષ્ય

કેટલું? એ મેઘધનુષ્યને વિખેરી નાંખતો સૂર્ય આકાશમાં બહાર નથી આવ્યો ત્યાં સુધીનું!

મોતીની ભ્રમણા કરાવતું ઘાસના તણખલા પર રહેલા પાણીના બિંદુનું એ સૌંદર્ય કયાં સુધી?

પવનની એક નાનકડી લહેરખી નથી આવી ત્યાં સુધી!

ભગવાનનું શુદ્ધ સ્વરૂપ આપણામાં પ્રગટે. આ શુદ્ધ સ્વરૂપ આપણે નથી મેળવ્યું, માટે જ

ભટકીએ છીએ.ભગવાન સર્વત્ર છે જ, માત્ર એની અનુભુતિની જરૂર છે. જો એ થઇ જાય તો

કોઇપણ દર્દ કે દુઃખ રહી શકે નહીં. પૌદગલિકતાના આજના વાતાવરણમાં અહંકાર તીવ્ર છે

એના માટે નમસ્કાર ભાવની તીવ્ર જરૂર છે. આ પુસ્તકનું મિશન આજ છે.

જીવન જીવતાં આટલી કરકસર કરીએ તો અવસરેહાથ છૂટો રહે. પરંતુ પેટ જ પટારા જેવું

રાખ્યું હોયતો પછી પરમાર્થની નાની પણ પેટીઓ કયાંથી પૂરાય? જયાં સુધી સ્વાર્થમાં

કરકસર નહીં થાય ત્યાં સુધી પરમાર્થમાં-પરોપકારમાં હાથ પહોળો નહીં થાય. મેળવેલું ધન

સાથે નહીં આવે, પરંતુ ધન મેળવવા માટે બંધાયેલુ પાપ સાથે જ આવશે. બુદ્ધિનો ઉપયોગ

બજારમાં, સ્નેહનો ઉપયોગ સંસારમા અને શ્રદ્વાનો ઉપયોગ ધર્મમાં કરવો જોઇએ.

પુસ્તકનો પણ ઉપયોગ સારો એવો થાય માટે આપે વાંચ્યા બાદ બીજા બધાને પણ વાંચવા

આપવા નમ્ર વિનંતી છે. આપ આ રીતે પુણ્ય કાર્ય ના સહભાગી થશો. જે કોઇ ભાઇ કે બેન

આપની પાસેથી મળેલ આ પુસ્તક વાંચશે તેઓ ચોક્કસ આપનો આભાર માનશે. જ્ઞાન

ભંડારમાં રહેલા પુસ્તકો નકામા નથી જ. એને યોગ્ય કોઇને કોઇ જીવ આ વિશ્વમાં છે જ.

યોગ્ય કાળે એ આવી જ પહોંચશે. પુસ્તકો પોતાને યોગ્ય વાંચકોની પ્રતિક્ષા કરતાં અંદર

બેઠેલા છે. આ પુસ્તકના વાંચન પછી ખરેખર પરમાત્માની ભકિતમાં વધારે આનંદ આવશે.

આપના અશુભ ભાવોને દૂર કરી ઉપશમ ભાવ,વૈરાગ્ય ભાવ, ત્યાગ ભાવ તથા ભકિતભાવને

વધારવામાં આ પુસ્તક આપના આત્મા માટે ટોનીક પૂરવાર થશે.

ધર્મ ન હિન્દુ, બૌદ્ધ છે, ધર્મ ન મુસ્લિમ, જૈન,

ધર્મ ચિત્તની શુદ્ધતા, ધર્મ શાંતિ-સુખચેન,

ધર્મ ધર્મ તો સહુ કહે, પણ સમજે ના કોઇ,

શુદ્ધ ચિત્તનું આચરણ, સત્ય ધર્મ છે સોઇ.

એ જ ધરમની પરખ છે,એ જ ધર્મનું માપ,

જન જનનું મંગલ કરે, દૂર કરે સંતાપ.

બીજાનેે જ્ઞાન આપીએ તો આપણું જ્ઞાન સુરક્ષિત.

બીજાને ઘન આપીએ તો આપણું ધન સુરક્ષિત.

બીજાને સુખ આપીએ તો આપણુંં સુખ સુરક્ષિત

બીજાને જીવન આપીએ તો આપણું જીવન સુરક્ષિત.

પ્રત્યેક કલાકાર પોતાની કલાકૃતિ નીચે પોતાનું નામ લખે છે.

પરંતુ જનેતા પોતાના બાળકને એના પિતાનું નામ આપી દે છે.

માતા-પિતાનું ઋણ માથે રાખ્યા વિના કશું કાર્ય થાય નહીં.

માતા-પિતાની પ્રસન્નત્તા વિના ધર્મ-કર્મ કાંઇ થાય નહીં.

અનુક્રમણિકા

તીજોરીની ત્રણ ચાવીે

મારી પાસે ચાવી છે તીજોરીની જેની અંદર કરોડોનો માલ છે પણ કોઇ આ ચાવી લેવા તૈયાર

નથી. હું ચાવીઓ દેખાડું છું : તમો આજથી રોજ પરમાત્માની પૂજા ચાલુ કરો,રાત્રી ભોજન

કંદમૂળનો ત્યાગ કરો. પક્ષીઓને ચણ નાંખો,ગાયને ઘાસચારો નાંખો, દીન અને ગરીબોની

સેવા કરો,ગરીબોેને ભણતરમાં સહાય કરો,ગરીબ બીમારોની સેવા કરો, પ્રભુ ભકિત, પ્રભુ

નામ સ્મરણ કરો. અભક્ષ્યનો ત્યાગ,માનવતા અને જીવદયાના બધા કાર્યો પુણ્યની ફેકટરી

જેવા છે. પુણ્ય વધતું જશે-પાપ ઘટતું જશે. દુઃખો આપોઆપ પલાયન થઇ જશે તે મારી

ગેરંટી છે. તમારા જીવનમાં જય મંગલ થશે. સમય એજ જીવન છે તેને વેડફો નહીં. સમયનો

સદુપયોગ કરો. જીવનમાં એક માત્ર ધર્મ જ કરવો જોઇએ. જિંદગીમાં જેટલો ધર્મ થશે,તેટલી

જીંદગી સાર્થક,જેટલો ધર્મ ન કર્યો તેટલી જીંદગી નિરર્થક. સાધુપણાના આચારોની

અનુમોદના કરવાથી પાપની નિર્જરા થાય છે.વંદન કરવાથી ઉચ્ચ ગોત્ર બંધાય છે. આચરણમાં

ઉતરેલું હોય તે જ શિક્ષણ લાભદાયી નીવડે છે.બાકીનું જ્ઞાન વણવપરાયેલા શબ્દભંડાર જેવું

બની રહે છે. બોલ સકોતો મીઠા બોલો, કટુ બોલના મત શીખો,

બદલ સકોતો કુપથ બદલો, રાહ બદલના મત શીખો,

બતા સકોતો રાહ બતાઓ, પથ ભટકાના મત શીખો,

જલા સકોતો દીપ જલાઓ, દીલકો જલાના મત શીખો

બીછા સકોતો ફૂલ બીછાઓ, કાંટે બીછાના મત શીખો,

કમા સકોતો પુણ્ય કમાઓ, પાપ કમાના મત શીખો,

મીટા સકોતો વૈર મીટાઓ, પ્રેમ મીટાના મત શીખો,

લગા સકોતો બાગ લગાઓ,આગ લગાના મત શીખો.

આંતકવાદી જો આ સમજી જાયતો આતંક જ મટી જાય.

નીચોવી પ્રાણને માતા વરસાવે જ સ્નેહને,

ભોગના ત્યાગમાં ભોગ જે માણે ધન્ય તેહને.

અનુક્રમણિકા

પહેલી ચાવી

સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઇ આચરો.

રાગ દ્વેષથી મુકત થઇને, મોક્ષ સુખ સહુ જગવરો.

આજે ને આજે જ સુખી બનવું હોય તો આ રહ્યો ઉપાય! ધનને અમાપ બનાવવાના પ્રયત્નો

છોડીને હૃદયને વિશાળ બનાવવાના પ્રયત્નો કરતાં જાવ. જીવ માત્ર કાળ અનાદિથી સુખી થવા

ઇચ્છે છે. એક પણ જીવ એવો જોવા નહીં મળે કે, જેની નાની મોટી પ્રવૃત્તિનું દૂરનું કે નજીકનું

ધ્યેય સુખપ્રાપ્તિ ન હોય. કીડી હોય કે કુંજર હોય, સંસારી હોય કે સાધક હોય,આ બધાની

સામે સતત સતેજ રીતે તરવરતું કોઇ તત્વ હોય,તો તે સુખ છે. સુખી થવું હોય તો બીજાના

સુખની ચિંતા કરો. દુઃખ દૂર કરવું હોય તો બીજાના દુઃખ દૂર કરવા મથો! કેમકે દુનિયામાં

જે કાંઇ સાચા સુખી દેખાય છે, એ બીજાના સુખની ચિંતા કર્યા વિના રહ્યા નથી. તેમ જે

ખરેખર દુઃખી દેખાય છે,એમના અંતરમાં પોતાના જ સુખની ઇચ્છા ઠાંસી ઠાંસીને ભરી છે.

કોઇ દુઃખ આવે છે તે પીડા માટે નહીંં પણ આપણને ઘડવા માટે આવે છે. કોઇ આપણાંજ

નિકાચિત્ત કર્મ ઉદયમાં આવવાથી દુઃખ આવે છે. કોઇ વાતમાં વિરોધ હોય તો પહેલા તેની

વાત શાંતિથી સાંભળવી. પછી પાત્રતા મુજબ મધુરતાથી હિતશિક્ષા આપવી. કોઇ પ્રત્યે લેશ

અરુચી કે દ્વેષ મનમાં સંઘરવો નહીંં. મનને સદા પ્રસન્નતાના મહાસાગરમાં ઝુલતું રાખવું

જેથી સાધના કાળે આનંદ માણી શકાય.દરેક આત્મા જાતિથી એક જ છે - તેથી જીવ માત્રમાં

પોતાના આત્માનું દર્શન કરવું . દરેક જીવ પ્રત્યે સમભાવ અને કરુણા ભાવ રાખવો. પ્રભુ-

આપના એવા આશીર્વાદ વરસાવો કે અમો સહું પ્રભુએ ચીંધેલા માર્ગર્માં સ્થિર બની ઉત્તરોત્તર

પ્રગતિ સાધી પરમપદનાં ભોકતા બનીએ.સંસાર એ મોહરાજાનું નાટક છે. નાટકમાં હું રાજાય

નથી ને ભિખારી પણ નથી. મને મળેલો પાઠ મારે નિર્લેપભાવે ભજવવાનો છે. હું અને મારું

એજ દુઃખ છે. હું નહીં અને મારું નહીં એજ સુખ છે.આખો સંસાર આ મોહની શૃંખલા

છે.સંસાર એટલે શરીરનો મોહ. બધા તોફાનો આ શરીરને કારણે છે. કુટુંમ્બ પરિવારને

પોતાના માન્યા તો દુઃખ. શરીર-ઘર-મિલ્કત-પરિવાર બધુ ગમે છે. પણ મર્યા પછી શું?તેનો

વિચાર નથી. બીજાને પોતાના માનવાથી જીવ દુઃખી થયો. હવે વિચારજો કે હું કોણ. પુત્રને

પોતાનો માન્યો-જમાનો આવ્યો પાપનો,દીકરો નહીં બાપનો.ભગવાનને પોતાના માન્યા?

ભગવાન જ આપણું સર્વસ્વ છે એમને સમર્પિત રહીએ તો જ સુખી થઇએ. માટે ભાવથી

દિલથી ભગવાનની ભકિત કરવી. બીજા આપણું બગાડતા નથી પણ આપણે જ આપણું

બગાડીએ છીએ. દુઃખ મમતાનું છે. સહન કરવામાં અનેક ફાયદાઃ દેવું ચૂકવાઇ જાય-જુનું કર્મ

સાફ થઇ જાય-નવું કર્મ ન બંધાઇ-ભાવી ઉજળું થાય અને ભગવાનની આજ્ઞા પળાય.સુખી

થવાનો રસ્તો આવકનો વધારો નહીં પણ જરૂરતનો ઘટાડો છે. જાતના સુખની નહીં, જગતના

સુખની ઇચ્છા,એ સુખી થવાનો રાજમાર્ગ છે. જે સાધક બીજાના સુખની ચિંતા કરે છે, પોતાના

તરફથી અન્યને પીડા ન પહોંચે,એ માટે જે સતત સજાગ રહે છે. એના જીવનમાં અહિંસાની

માત્રા-યાત્રા વધતી જ રહે છે. અને જે વધુને વધુ અહિંસક બનતો જાયએ વધુનેે વધુ સુખી

બનતો જાય. દ્વનિ એવો પ્રતિદ્વનિ આ કહેવત પણ આજ વાત કહી જાય છે. આપણે બીજાના

સુખની ચિંતા કરીએ, તો બીજા આપણા સુખની ચિંતા કરે, આપણે બીજાને દુઃખ ન પહોંચે,

એ માટે સતત સજાગ રહીએતો બીજા પણ આપણને દુઃખ ન પહોંચે એની સતત ચિંતા

રાખે.જીવનમાં સુખી થવું હોય તો મારે કાંઇ જોઇતું નથી અને મારો કોઇ શત્રુ નથી.. આ

રટણ ચોવીસ કલાક કર્યા કરો. આજનું સુખ કે અત્યારનું દુઃખ,બેમાંથી એકેય શાશ્વત નથી

એ સમજણ જેટલી વહેલી આવશે એટલો વહેલો આપણો જીવનપથ ઊજમાળો બનશે. પારકાં

જયારે પોતાના લાગવા માંડે ત્યારે જીવનમાં માનવતાનો મહેરામણ ઊમટે છે. પ્રાણીમાત્રમાં

પ્રભુના દર્શન થાય છે. આપણા સાધનોથી કોઇ જરૂરતમંદના ચહેરા ઉપર સ્મિત રેલાવી

શકાય, કોઇના જીવનમાંનો પરિતાપ દૂર કરી શકાય તો તેથી જે શુકુુન મળે છે તે પ્રભુપૂજા

સમાન છે. અલૌકિક છે, અદ્દભૂત છે, સાત્વિક સુખ પામવા માટે પ્રતિદિન કોઇને ખપમાં

આવવાની કોશીશ કરીને પુણ્યની પ્રાપ્તિ કરતાં રહીએ.ગુરુદેવ ટાગોર કહેતાઃસુખ દુઃખથી

પર એવી પરમ આનંદની ભૂમિકામાં હું એવો લયલીન થઇ ગયો છું કે સર્વત્ર તારાં વરદાનની

ધૂપસુગંધ જ મને અનુભવાયા કરે છે. તમારે સુખ જોઇતું હોય તો સુખ વાવો,બીજાને સુખ

આપો. બીજા સુખી થાય તેવી ભાવના કરો. સર્વ જીવોને સુખી જોવાની ભાવનાનું પરિણામ એ

આવ્યું છે કે આખું જગત આજે મારું મિત્ર બની ગયું છે.

વાવીએ તે ઉગે,જે વાવે તેજ ભોગવે. જે કર્મ બાંધ્યા તે ભોગવવા પડે છે.મહેમાનને આમંત્રણ

આપ્યું હોય તો પછી એ આંગણે આવે ત્યારે જમાડવો જ પડેને!તો પછી રોતા રોતા શા માટે

જમાડવો? હસતે મોઢે શા માટે ન જમાડવો? તેમ જે કર્મો આપણે બાંધ્યા છે તે જ કર્મો

કાળક્રમે ઉદયમાન થાય છે. કર્મ ઉદયમાન થયું. એટલે તે જેવું કર્મ તે પ્રમાણે ફળ આપીને જ

જવાનું છે, તો તે વખતે રોવા શા માટે બેસવું?હાયવોય શા માટે કરવી? ઉદયમાન થયેલા

કર્મો હસતે મોઢે શા માટે ભોગવી ન લેવા?મળ્યો છે દેહ માનવીનો જગતમાં ધૂપસળી

થાજો,સુંગઘ અન્યને દેવા તમે જાતે બળી જાજો. જીવનમાં નક્કી કરો કે હું કદી કોઇને દુઃખ

નહીં આપંું, બને તેટલું સુખ આપીશ. એક વાત નક્કી છે સુખ આપશો તો સુખ જ મળશે. જે

આપો તે મળે. પ્રેમ આપોે તો પ્રેમ મળે. વેર આપો વેર મળે. દુઃખ આપો દુઃખ મળે. દુઃખ-

સંકટ આપણી એવી શકિતઓને બહાર લાવે છે, જે સુખ-સમૃદ્ધિ ના સમયે આપણામાં સુતેલી

હોય છે. આપણને દુઃખ શુંં કામ આવે છે આપણે કાંઇક પાપ-કર્મ કર્યા છે તો તે ભોગવવાજ

પડે છે. જો આપણને દુઃખ ન જોઇએ તો આપણે નવાં કર્મ-પાપ બાંધવા નહીં . કોશીશ કરશો

તો જીવનમાં તમો આમ કરી શકશો. આપણે ડગલે ને પગલે સાવચેત રહેવાનું છે કે મારાથી

હવે જાણતાં-અજાણતાં કોઇ નવા કર્મ-પાપ થાય નહીં. દુઃખ આવે જીવનમાં તો પણ દુઃખી

થવું જરૂરી નથી. મનને સમજાવો કે મેં કોઇ પાપ કર્મ કર્યા હશે એટલે મારે ભોગવવા તો પડે.

ટૂંકમાં મારું દેવું ઓછું થઇ રહ્યું છે તેમ સમજવાથી દુઃખી નહીં થાવ. દુઃખને કેમ જીરવવું, કઇ

રીતે પોતાની પ્રસન્નતા ટકાવવી અને આસપાસનાં સૌની વધારવી એ જીવનની મોટી કળા છે.

ઝિંદાદિલીનો-જીવનસાફલ્યનો મર્મ પણ આવી કળામાં સમાયેલો હોવાનું અનુભવે સમજાય.

તમામ દુઃખોની જડ અસ્વીકાર છે. તમારા સુખોની જડ સ્વીકાર છે. પહેલાં, સુખ આવે ત્યારે

હું સુખી થતો હતો અને દુઃખ આવે ત્યારે દુઃખી થતો હતો. હવે સુખ અને દુઃખ બંનેની પાછળ

તમારો ચહેરો ઝલકે છે. આનંદના દરિયામાં હવે તારું જહાજ નિઃશક થઇને તરતું જાય છે.

સૂર્યોદયનો આનંદ જેને જોઇતો હોય એણે સૂર્યાસ્તને સ્વીકારવાની તૈયારી રાખવી જ

પડે.ખીલતા ફૂલને જોવાની મજા જેને જોઇતી હોય એણે કરમાતા ફૂલને સ્વીકારે જ છૂટકો.

બાળકના જન્મની ખુશાલી જોઇતી હોય તો એના મૃત્યુને સહન કરવું જ પડે. ટૂંકમાં જેને

સુખ જોઇતું હોય એને દુઃખની ઉપેક્ષા કરવી ન પાલવે. પણ માનવમનની આ એક નબળી કડી

છે.પગમાં એક નાનકડો કાંટો ખૂંચી જાય છે તો જાણે ભાલો ભોંકાઇ ગયો હોય એવી ચીસ

પાડે છે. પણ માણસ એ વાતને ભૂલી જાય છે.આ દુઃખો,સંકટો,ઉપાધિઓ અને સમસ્યાઓ

જ મારું ઘડતર કરે છે, મારો વિકાસ કરે છે,અને સુખના માર્ગે આગળ વધારે છે. યાદ કરો,

મહાસતી મયણાને,સીતાને,દ્ધૌપદીને, દમયંતીને,અંજનાને,કલાવતીને-આ તમામના જીવનમાં

દુઃખના ડુંગરાઓ તૂટી પડયા–પણ જરાય ગભરાયા વગર આ દુઃખોને એમણે હસતે મુખે

ઝીલી લીધા. તો આગળ જતા સુખના મહાસાગરમાં તેઓ તરવા લાગ્યા.કવિએ કેટલું સરસ

દ્રષ્ટાંત આપ્યું છેકોઇ પણ મોંઘી વસ્તુ સહજમાં મળતી નથી. રત્નો મેળવવા હોય તો

દરિયામાં ડૂબકી મારવી પડે છે, કિનારે તો છીપલાને પથરા જ મળતા હોય છે. કોઇ બીજા

કવિએ આજ મતલબની વાત કરી છે..

શોધે છે શું કિનારે મોતીને શોધનારા, કોડી અને છીપલાઓ દેશે તને કિનારા,વસ્તુ કદી મોંઘી

મળતી નથી સહજમાં, મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા.

ટૂંકમાં, સુખઃદુઃખ એ પુણ્ય/પાપના ફળ છે. સુખમાં તો ઇશ્વર કૃપા સમજાય છે. પણ દુઃખમાં

યે પ્રભુ કૃપા છેકારણકે દુઃખ ભોગવવાથી પાપનો ક્ષય થાય છે અને સુખ પ્રાપ્તિનો માર્ગ

મોકળો થાય છે. એટલે આ દ્રષ્ટિથી વિચારીએ તો દુઃખ,સંકટ,આપત્તિ, મુશ્કેલી એ પાપ નથી

પણ વરદાન છે.પરમાત્માની અકૃપા નહીં પણ મહાન કૃપા છે.જેમ દુનિયામાં દિવસ અને

રાત્રિ, જીવન અને મૃત્યુ, ફુલ અને શૂલ,શ્વેત અને શ્યામ,અમૃત અને ઝેર એવા ઘણાં દ્રવ્યો

રહેલા છે.તેમ સુખ અને દુઃખ પણ રહેવાના જ. માણસને સુખ પચાવતા આવડવું જોઇએ

અને દુઃખની સામે હિમ્મતથી લડતા આવડવું જોઇએ.સુખમાં છકી ન જવું જોઇએ અને

દુઃખમાં ડગી ન જવું જોઇએ. દેેવ-ગુરુ-પસાય કહેવું એટલે ભગવાન અને ગુરુની શકિતનો

સ્વીકાર કરવો. જીવનનું સંસ્કરણ કરો. જ્ઞાનસારમાં તેની પ્રેરણા છે. ભંગાર બની ગયેલા

વાસણો પણ ચકચકિત થઇ શકે છે. સડી ગયેલા લાકડા પણ સંસ્કારિત કરી આકર્ષક બનાવી

શકાય છે.ફાટી ગયેલ કપડાંમાંથી કાંઇક નવીનતમ બનાવી શકાય છે તો આ જીવન કેમ ન

સુધારી શકાય? જીવન એ રીતે જીવવાની પ્રેરણા લો કે તમારાથી કોઇને પણ હાનિ ન પહોંચે.

ધર્મ એવી શકિત છે જે ઉપાધીઓને રોકે છે. પ્રતિકુળ સંજોગોમાં પણ માનસને સ્થિર રાખે

છે,સમાધી આપે છે.ધર્મથી પુણ્ય વધેછે. પાપ ઘટેછે. પરભવનું ભાથું બંધાય છે.

પોતાના દુઃખે અને પોતાના દર્દે રોનારા તો આ દુનિયામાં જયાંને ત્યાં અથડાય છે..બીજાના

દુઃખે દુઃખી થનારા આ જગતમાં કેટલા?લિસ્ટ કરવા બેસો તો સહુ પ્રથમ નામ તીર્થંકર

ભગવંતોનું આવે.આગલા ત્રીજા ભવમાં એ તારક પરમાત્માએ જીવોને ચારગતિ રૂપ સંસારમાં

ભટકતા જોઇને ભાવના ભાવી‘જો હોવે મુજ શકિત ઇસી, સવિ જીવ કરું શાસનરસી’ આ

ભાવના ભાવીને પ્રભુ માત્ર બેસી નથી રહ્યા, તે માટેનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ પણ કર્યો. કોઇ હિંદી

કવિએ ઓછા શબ્દોમાં આ વાત સારી રીતે સમજાવી છે.

કાંટા ઉનકો લગા, આંખે અમારી ભર આઇ .

આવો,આપણા દુઃખે તો ઘણીવાર દુઃખી થયા છીએ, હવે જરા બીજાના દુઃખે દુઃખી થવાનો

સ્વાદ પણ લઇએઃ-

વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે,

પરદુઃખે ઉપકાર કરે, તોય મન અભિમાન ન આણે રે,

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,

વાચ-કાચ-મન નિચ્છલ રાખે, ધન-ધન જનની તેણી રે,

સમનહીંને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,

જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે,

માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે,

આમ શું તાલી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે,

ને કપટ રહિત છે, કામ, ક્રોધ નિવાર્યા રે,

સેૈવો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યા રે.

અનુક્રમણિકા

બીજી ચાવી

આંખમાં અમી તો દુનીયા ગમી

જીભમાં અમી તો દુનીયા નમી.

વાંચક મિત્ર આપને મહાવીરસ્વામી બનવાનું પસંદ પડે કે ચંડકોશીયો બનવાનું?સ્વાભાવીકછે

મહાવીરસ્વામી બનવું ગમે.જીવનમાં જો મહાવીર સ્વામી બનવું હોય તો ભગવાનનાચરણમાંથી

દુધ અવિરત વહ્યું તેમ આપણામાં પણ બધા માટે શુભ ભાવ હોવો જોઇએ.આપણે એક

ઝાડનો દાખલો લઇએ ઝાડ મોટું થાય છે તેમ તેની ડાળી નીચી નમે છે. આપણે પણ જીવનમાં

મોટા બનીએતો ઝાડની ડાળી જેમ નમતા શીખવાનું છે.નવકાર મંંત્રનો પ્રથમ અક્ષર પણ નમો

થી શરૂ થાય છે. જે નમે તે સહુ ને ગમે-નહીંતો ભવમાં ભમે. પૂ.રવિશંકર મહારાજ તેમના

ભૂદાનયજ્ઞ દરમ્યાન કોઇ નવદંપતિ આશીર્વાદ લેવા આવે ત્યારે તેમને કાયમ માટેઆશીર્વાદમાં

સુખી થાઓ એવું કહેવાને બદલે સુખી કરજો એમ કહેવાનું ચાલુ કરેલું. જીવનમાં દરેકને સુખી

તો થવું જ છે તે માટે સુખી થવાની વાત છોડી અન્યને સુખી કરવાની વાત જીવનમાં અમલમાં

મુકવાથી અનાયાસે સુખ આવી મળે છે. સુખ મેળવવા કરતાં સુખ આપવાનીશરૂઆતજીવનમાં

સુખી થવાના તમામ દરવાજાઓ ને ખુલ્લા કરી દે છે.પ્રભુ પ્રેમ તમનેકરીએછીએભકિતઆપની

કરીએ છીએ-પણ દોટ તો બીજી જ વસ્તુ પાછળ મૂકી આધાર તો બીજા જ બળોનો લીધો.

પછી સાંજ ઢળ્યે સરવૈયું કાઢયું ત્યારે જણાયું કે કેવી તુચ્છ બાબતોમેં જીવનવહીગયું.વરદાનોનો

ધોધ આંગળીઓ વચ્ચેથી સરી ગયો-દિવસ ડૂબી ગયો ને અંતરમાં દીવો થયો નહીં. હે દિવ્ય

સ્વામી,એવું કરો કે,હું આશ્વાસન મેળવવા નહીં આપવા ચાહું. મને બધા સમજે એ કરતાં હું

બધાને સમજવા ચાહું. મને કોઇ પ્રેમ આપે એ કરતાં હું કોઇને પ્રેમ આપવા ચાહું–કારણકે

આપવામાં જ આપણને મળે છે. ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ. મૃત્યુ

પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.

દયાસિંધુ! દયાસિંધુ! દયા કરજે દયા કરજે!

મને આ જંજિરોેમાંથી, હવે જલ્દી છૂટો કરજે

નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની જવાળા

વરસાવીેે પ્રેમની ધારા, હૃદયની આગ બુઝવજે.

ના જોઇએ ધન વૈભવો, સંતોષ મુજને આપજે,

ના જોઇએ સુખ સાધનો,મન સંયમે મુજ સ્થાપજે,

ના જોઇએ અનુકૂળતા,સુખરાગ મારો કાપજે,

મુજ જીવનઘરમાં હે પ્રભુ! તુજ પ્રેમ સૌરભ આપજે.

અનુક્રમણિકા

ત્રીજી ચાવી

જીવનમાં કોઇ સંપુર્ણ નથી. દરેકમા કાંઇ સારુ છે કાંઇ ખરાબ પણ છે. આપણે સફેદ જોવાનું

છે કાળુ નહીં. બીજાની નીંદા કરવી નહીં. જેટલું થયું એટલું આપણું,માટે જ કરવાનું જલ્દી

કરી લો. સમય કોઇના માટે રાહ નથી જોતો. હું જે કાંઇ પણ લખું છું તે ભગવાનના પ્રભાવથી

લખું છું ને ભગવાનના ચરણોમાંજ તે અર્પણ કરું છું. બાકી હું તો કાંઇ જ નથી. સંસારમાં છું

માયાજાળમાં તો હું પણ ફસાયેેલ છું. હું પણ સંપૂર્ણ નથી -મારામાં પણ ખામીઓ તો છે

પણ ધીમેધીમે તે ખામીઓ દૂર કરવાના પ્રયત્નોે ચાલું જ છે. શ્રદ્વા રાખશો ભગવાનમાં તો

ધીમેધીમે આપણી ખામીઓ દૂૂર થતી જશે અને ગુણો વધશે. કોઇની ભૂલ જોવી નહીં. જોઇ

હોય તો શૂલની જેમ ફેંકી દેવી અને કોઇ જો આપણી ભૂલ બતાવેતોતે ફૂલની જેમ માથે

ચઢાવીને ભૂલને સુધારીને ભુલને શૂલની જેમ ફેંકી દેવી.નીંદા કરવી જ હોય તોે પોતાની

સ્વ.નીંદા કરવી. બીજાનું અશુભ વિચારશો નહીંંં-અશુભ કરશો નહીં-અશુભ ચાહશો નહીં.

જેથી કર્મ બંધાય નહીં.. કર્મ ભોગવવાજ પડે છે. આપણે દુઃખી નથી થવું - સુખી થવું છે તો

કર્મ કરતા પહેલા વીચારવું કે આ કર્મ કરીશ તો મારે તેની સજા ભોગવી જ પડશે. દોષ લેવા

હશે તો દોષ જોશો. ગુણ લેવા હશે તો ગુણ જોશો. આ ક્ષણ આપણા હાથમાં છે. તમો ઝાડને

પત્થર મારશો તો તે તમને ફળ આપશે તેમ આપણે પણ વેર ભાવના છોડી પ્રેમમય બનવાનું

છે.ઝાડ પોતે તડકો સહન કરે છે પણ બીજાને છાંયો આપે છે.ઝાડ કેટલાને છાંયો આપે છે

હિસાબ નથી રાખતું. આપણે પણ આપણા જીવન દરમિયાન બધાને છાંયો આપવાનો છે.

ભલે તડકો આપણે સહન કરીએ-પણ બીજાને હંમેશા છાંયો આપીએ એવી શુભ ભાવના

આપણા મનમાં તથા આચરણમાં હોવી જરુરી છે. ત્યારે આપણે કાંઇ સારું કાર્ય કરીએ એટલે

તરતજ બધાને કહેવાનું ચાલુ કરીએ કે મેં આમાં રૂપીયા વાપર્યા છે. મનને સમજાવવાનું કે

ભગવાને મને શકિત આપી છે તેનો જ મોટો ઉપકાર છે મારા ઉપર એટલે જ આ શુભકાર્ય

મારા હાથે શકય થયું છે. બાકી પ્રભુ ઇચ્છા-કૃપા ન હોય તો હું કશું કરી શકુ એમ નથી. એક

વાત સ્પષ્ટ કહી દઉ કે આપણે કાંઇ જ નથી. દાદાની ઇચ્છા હોય તો જ આપણે કાર્ય સંપૂર્ણ

કરી શકીએ છીએ. તેમની ઇચ્છા ન હોય તો એક જ સેંકન્ડમાં તમારો હાથ અટકી જાય. મન

ફરી જાય. એટલે જીવનમાંજે કાંઇ પણ થાય છે તે ભગવાનની ઇચ્છા મુજબ જ થાય છે તેમ

સમજશો તો સુખી થશો. જે થાય છે તે સારા માટે થાય છે.

નાનકડી પણ પાંખ,પંખીને જો વિરાટ આકાશની સફરે લઇ જઇ શકે છે,

તો નાનકડો પણ પ્રેમ, આત્માનું વિરાટ એવા પરમાત્મા સાથે મિલન કરાવી શકે છે.

અનુક્રમણિકા

વાર્તા નં :૧ આપઘાત માં સમ્યક સમજ

મહર્ષિ રમણ પતરાળા બનાવતાં હતા ત્યાં એક ભાઇ આવે છે. આપઘાત કરવો છે-છેલો

આપના દર્શન કરવા આવ્યો છું.રમણ મહર્ષિ તે ભાઇને કહેછે મારું એક કામ કરશો-આ

તેૈયાર પતરાળાને સામે ઉકરડામાં ફેંકી આવો. આપઘાત કરવા વાળો માણસ કહે છે કે

તમોએ આટલી મહેનત કરી આ પતરાળા બનાવ્યા છે તો તેને વાપર્યા પછી જ ઉકરડામાં

ફેંકાય. તરત રમણ મહર્ષિએ કહ્યું કે આ માનવ દેહ ફરી મળશે કે નહીં તે ખબર નથી. માનવ

જન્મ અમુલ્ય છે.મોહ માયા છોડો.જીંદગી વેડફો નહીં. સમય વેડફો નહીં. જીવન સુધારો,સારા

કાર્ય કરો. ભગવાને આપેલી આ મૂલ્યવાન કાયા આમ અકાળે રોળી નાંખવા માટે નથી.

એનો માનવ કલ્યાણ માટે ઉપયોગ કરવાનો છે. આપઘાતતો કાયરો કરે છે. મર્દે તો શહીદ

થવાનું હોય, બીજાના ભલા માટે મરી ફીટવાનું હોય. પેલા ભાઇને ગળે વાત ઊતરી ગઈ કહે

કે મારા કરેલા કર્મ મારે જ ભોગવવાના છે. હવે સમભાવે રહીશ અને જીવનમાં સુવાસ

આપીને રહીશ. કોઇને દુઃખી નહીં કરુ બને તેટલું બધાને સુખ આપીશ. નવ વર્ષ બાદ તેજ

સંતની ઝુંપડી પાસે એક મોટી ગાડી આવીને ઊભી રહી. એકદમ સફેદ યુનીફોર્મ પહેરેલ

ડ્રાઇવરે શેઠ માટે દરવાજો ખોલ્યો. શેઠ તરતજ બહાર નીકળી સંત શિરોમણીને સાક્ષાત

દંડવત પ્રણામ કર્યા. પછી પૂછે છે કે આપ મને ઓળખો છો? સંતને કાંઇ યાદ ન હતું તેમ

કહ્યું.પછી આજ ભાઇ પોતે આપઘાત કરવા આવેલ અને આપે જ્ઞાન આપી જીવનને સફળ

કરવા કહેલ અને ન્યાયથી બધું દેવું ચૂકવવાનું કહેલ વ્યાજ સાથે. અને આપની વાણીથી મારો

આત્મ વિશ્વાસ- મન મજબુત થયું અને પુરેપુરું વ્યાજ સહિત બધાને સામે જઇને દેવુ ચૂકવયું.

હવે પૈસા આવી ગયા એટલે પત્ની-બાળકો-મિત્રો બધા પાછા આવી ગયા છે. મેં બધાને

દીલથી માફ કરી દીધા છે. જીવન ધર્મ માર્ગે વાળતો જાવ છું. મનની ખુબ શાંતી મળે છે તે જ

બધી શકિત આપે છે. આપ હુકમ કરો તો આ ઝુંપડીની બદલે મોટો મહેલ આપને બનાવી

આપું.બીજું કાંઇ પણ કામ હોય તો મને લાભ આપશોજી. રમણ મહર્ષિ કે અમારે કાંઇ જોઇતું

નથી પણ તારા હાથે તારી મેળે સારા કામમાં જરૂર લક્ષ્મીનો સદુપયોગ કરતો રહેજે. ઢાળ

નદીને પહેલાં સાગર તરફ વાળે છે અને અંતે સાગર બનાવી દે છે તેમ પ્રેમ આત્માને પહેલાં

પરમાત્મા તરફ વાળે છે અને અંતે પરમાત્મા બનાવી દે છે.

જે ગણે શ્રી નવકાર તેને ન કોઇનો તિરસ્કાર ,

જે ગણે શ્રી નવકાર તે પામે સહુનો સત્કાર..

નવકાર એ મોક્ષમાં જવાની કાર છે.

અહંકાર એ નર્કમાં જવાની કાર છે.

અનુક્રમણિકા

વાર્તા નંઃ૨ જન્મ દિવસ

બેંકના ઓફીસર છે.નાનું કુટુંબ છે.એક પત્ની અને એક ૧૦ વર્ષનો દિકરો છે. દિકરાનો

જન્મદિવસ મુજબ કેક લાવી ઉજવવોજ છે. પિતા કહે છે ભલે તેમ કરશું. જન્મદિવસે પિતા

દિકરાને સ્કુટરમાં બેસાડી લઇ જાય છે. રસ્તામાં એક કતલખાના પાસે સ્કુટર ઉભું રાખે છે.

દીકરાને લઇ અંદર દાખલ થાય છે.કસાઇ એક વાછરડાને હલાલ કરવાની તૈયારીમાં છે. પિતા

તરતજ તેને રોકે છે અને કહે છે કે વાછરડાંને છોડાવવાના કેટલા રૂપીયા થશે.કસાઇ કહે છે

કે બે હજાર રૂપીયા આપો તો આને છોડી દઉં.પિતા દિકરાને પુછે છે કે તારે કેક લેવી છે કે

આ પુણ્યનું કામ કરવું છે. મારી પાસે તો ફકત બે હજાર રૂપીયા છે. હવે તારી ઇચ્છા મુજબ

કરશું. દિકરો પુછે છે કે આ વાછરડાં ના મા-બાપ કયાં છે તો કસાઇ કહે છે કે હમણાં જ તેને

હલાલ કરી દીધા છે.દિકરો પિતાને કહે છે કે બધા જીવોને છોડાવો તો સારું-પણ બાપ કહે છે

બેટા અત્યારે તો મારી પાસે એટલા રૂપીયા નથી પણ તું મોટો થા ત્યારે તારાથી જન્મદિવસે

જીવ છોડાવાય તેટલા જીવ છોડાવજે. કોઇ માણસ કંચનમય મેરુપર્વત જેટલું સુવર્ણનું દાન

કરે તથા સમગ્ર ધરતીનું પણ દાન આપે, એના કરતાં એક જીવને અભયદાન આપવાનું ફળ-

પુણ્ય અનેકગણું વધી જાય છે.જન્મ એ દુઃખનું કારણ છે એટલે તેને ઉજવાય નહીં.જન્મ એ

કર્મના કારણે થયેલો હોઇ જન્મને સારો કહેવાય નહીં કે વખાણાય નહીં. તિર્યંચ કેપંચેંદ્રિયનો

જીવ પણ વખાણાય નહીં. ફકત ભગવાનનો જ જન્મ ઉજવાય કે વખાણાય. ભગવાને તો જન્મનું

બીજ જ બાળી નાખ્યું છે.ફરીથી જન્મ લેવાના જ નથી માટે તેના જન્મકલ્યાણકો ઉજવવાજોઇએ

વગર આડંબરે. પ્રતિક્ષણ!પ્રતિપળ!જગતમાં કર્માધીન પ્રાણીઓના જન્મ અને મરણ થાય છે.

ફુલ ખીલે છે ને કરમાય છે.એમા કંઇ વિશેષતા નથી.એ સુવાસ ફેલાવે છે એમાજ એની મહત્તા

છે.સૂર્ય ઉગે છે ને આથમે છે એમા કંઇ વિશેષતા નથી-એ પોતાના પ્રકાશથી જગતને પ્રકાશિત

કરે એમાજ એની મહત્તા છે.ધૂપસળી પણ સળગે છે અને થોડા સમયમાં રાખ બનીનીચેપડેછે.

પણ તે વચ્ચેના સમયમાં આખાય વાતાવરણને સુવાસથી ભરી દે છે એમા જ એની મહત્તાછે.

તેમજ મહાપુરુષો પણ જગતમાં જન્મે છે ને સમય થતાં વિદાય લે છે તે કોઇ વિશેષતા નથી

પણ-વચ્ચેના સમયમાં તેઓ પોતાના જીવન દરમિયાન સંયમ સાધુતાની સુવાસ જગતમાં

પ્રસરાવી દે છે એજ મહત્વની વાત છે. તેઓમાં સંયમની શોભારુપ સમતા,અહિષ્ણુતા,વિનય,

વિવેકાદિ આદી ઉચ્ચ કોટીના ગુણ હતા. આ પ્રમાણે તેઓના જીવન બાગમાં સંયમગુણના

સુમનોથી સુરભીવંત હતા.તેઓના ગુણોની સૌરભ આખાયે સમુદાયમાં ધૂપસળીની માફક

વ્યાપક હતી.તેઓશ્રી સદાયે પ્રભુ ભકિતમાંમસ્ત રહેતા ખરેખર!ધન્ય જીવન!ધન્ય મૃત્યુ! પુષ્પ

કરમાયું પણ પરિમલ પ્રસરાવીને-સૂર્યઆથમ્યોપણ પ્રકાશ પાથરીને. જનમ પછી મરણનિવારી

નથી શકાતું પણ સુધારી જરૂર શકાય છે માટેધર્મ સ્વીકારી જીવન સુધારી લે.

અનુક્રમણિકા

વાર્તા નંઃ ૩ અનોખો આત્મ વિશ્વાસ

આ વાર્તા મારા પુત્ર નિલેશે કહેલ છે જે તેણે આલમામેટર કોર્સમાં સાંભળેલ હતી. જીવનમાં

શ્રદ્વા હોય તો જ ફળ મળે.શ્રદ્વા વગર કાંઇ ન થાય. આજે આપ વિમાનમાં જાવ છો - પાઇલોટ

પર વિશ્વાસ છે ને? કારમાં જાવ છો-ડા્રઇવર પર વિશ્વાસ રાખો છે ને? એમ જીવનમાં પ્રભુ

ઉપર પણ વિશ્વાસ-શ્રદ્વા રાખશો તો જ આ ભવસાગર તરી શકશો-જીવનસાર્થક થશે. એક

ગામમાં એક વર્ષ વરસાદ ન આવ્યો- ખેડુતો એ ગમેતેમ ચલાવ્યું.બીજે વર્ષે પણ વરસાદ ન

પડયો.આ વર્ષ પણ ચલાવ્યું. હવે ત્રીજે વર્ષે પણ વરસાદ પડયો નહીં . દુકાળ, હવે સહન થાય

તેમ ન હતું- દુઃખમાં સાંભરે ભગવાન.બધા ગામ લોકાએે નક્કી કર્યુ કે ગામના દેરાસર સામે

મોટુ મેદાન છે ત્યાં સવારના ૧૦ વાગે સમુહ પ્રાર્થના મેઘદેવતાને પ્રસન્ન કરવા રાખવી. દસ

વાગે બધાજ આવી ગયા. એક દસ વર્ષનો બાળક રેનકોટ પહેરી ને આવેલ. બધાનું ધ્યાનતેના

સામે ગયું. પુછયુંકે કેમ રેનકોટ પહેરીને આવ્યો છે તો બાળકે કહ્યુંકે આપણું આખું ગામભેગું

થયું છે મેઘદેવતાને પ્રાર્થના કરવા,તો તો જરૂર મેઘરાજા આપણી પ્રાર્થના સસાંભળશે અને

જોરદાર વરસાદ તુટી પડેતો આપણે એકાએક ભીના થઇ જઇએ. ફકત એક જ બાળકને શ્રદ્વા

હોય સંપૂર્ણ પણે. પ્રભુ ઉપર સંપૂર્ણ ભરોસો-શ્રદ્વા રાખશો તો તમારું ધાર્યુ જરૂર થશે.

મદ્રાસથી ૬૦ કીલોમીટરના અંતરે એક કીચીગુડી ગામ છે. એક યુવક-યુવતી અલગ અલગ

ધર્મના લગ્ન બાદ કુટુંબ સ્વીકાર ન કરતા અહીં આવી રહેવા લાગ્યા. એક વર્ષ બાદ પુત્ર જન્મ

આપી માં નું ડીલીવરીમાં મૃત્યુ થાય છે. ૨૧ દિવસ બાદ પિતા પણ મૃત્યુ પામે છે. નાના

બાળકને બાજુમાં રહેતાં પાડોશી મોટો કરે છે.બાળકનું નામ રામક્રૃષ્ણ રાખે છે. બાળક

ભણવામા ખુબજ હોંશિયાર છે. દરેક પરીક્ષામાં પ્રથમ આવે છે તથા સ્કોલરશીપ મેળવી

યુનીવર્સીટીમાં મેેકેનીકલ એંજીનીયરની ડીગ્રી મેળવે છે એક મોટી કંપની તેના ગામમાં સીમેંટ

નું કારખાનું નાંખે છે અને તેને આમા ચીફ તરીકે ૫૦,૦૦૦ ના પગારે કામ થી રાખી લે

છે.પહેલાજ દિવસે ફેકટરીમાં જાય છે અને કમનસીબે ઉપરથી એક મશીનનો ભાગ તેના

ઉપર પડે છે - બંન્ને ખંભાથી હાથ પુરેપુરા કપાય જાય છે.હાથ વગર જીવન ખુબજ કઠીન

બની જાય છે.આપણને છીંક આવે કે ચળ આવે આપણે ખંજવાળી શકીએ પણ તે કોને કહે.

તેના નસીબ કાંઇક સારા હશે કંપની તરફથી ફ્રી રાતદિવસ નર્સ તથા દવા તથા અર્ધો પગાર

ચાલુ હતો આજીવન. નસીબ વાંકુ હશે - તેનું અર્ધુ શરીર પેરેલાઇઝ થઇ ગયું. હવે તો

ખુરસીમાંજ જીવન વિતાવવાનો વારો આવ્યો. પણ તેણે હીંમત ન હારી તેના મા-બાપ

પાસે ૨૮ એકર બંજર જમીન હતી..એક કો-ઓપરેટીવ ચાલુ કરી તેમા ૭૦૦ હેન્ડીકેપને

શેરહોલ્ડર કરી તેમાં ખેતી શરુ કરી - ભગવાનની મેહરબાનીથી ખુબજ સારો પાક ઉગ્યો

અને હવે બીજી જમીન પણ લીધી એક ફેકટરી પણ ચાલુ કરી. આ રામક્રૃષ્ણને મળવા ત્રણ

ત્રણ રાષ્ટ્રપતિઓ તથા બે તો પ્રાઇમ મીનીસ્ટરો આવ્યા હતા. આખી દુનીયા તેની હીંમતના

વખાણ કરવા લાગી .

હમણાંતો એક અમેરીકન યુવતીએ તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મુકયો છે. બધા કહે કે તેની

નજર આના નાણાં પર છે પણ પછી ખબર પડી કે તેની પાસબુકમાંતો ૯ લાખ ડોલર જમા

છે.તેણીએ સ્પષ્ટ કર્યું કે તેને તો કોઇ ર્સ્વાથ નથી. પણ આમની સેવા નર્સ કરે કરતા તે જો

લગ્ન કરે તો સારી રીતે કરી શકેે તેજ ભાવનાથી આ વાત કરેલ છે. ખબર છે કે પતિથી તેને

કોઇ શારિરીક સુખ મળવાનું નથી પણ સેવા ભાવથી જ લગ્ન કરવા છે. આખરે તેના લગ્ન

થાય છે.રામક્રૃૃષ્ણ અને તે બહેન તન મન ધનથી તેની સેવા આજે પણ કરે છે તે ગામમાં જઇ

જોઇ શકશો. આને કહેવાય મન હોય તો માળવે જવાય - આપણી તકલીફ સાથે સરખાવી

જુઓ. આવું મનોબળ જોઇએ.આવી પરોપકારી ભાવના હોયતો પુણ્યની બેંકમા કદી ખોટ ન

પડે. ત્યાગ ભાવના આવી જોઇએ-જયાં સ્વાર્થ નથી ફકત ત્યાગ-બીજાનું ભલું કરવાની ઉચ્ચ

ભાવના જોઇએ . ભલું કરશો તો ભલું તમારું પણ થશે.

પ્રેમ એક એવુંપંખી છે કે જેને પગે તમે અપેક્ષાનો પથ્થર બાંધો છો તો એ વાસના બની જાય

છે અને જેને તમે લાગણીની પાંખ આપો છો તો એ ભકિત બની જાય છે.

શ્રી વીરભદ્રસૂરિ રચિત એક ગ્રંથ છે,જેનું નામ છે આરાધના પતાકા. આ ગ્રંથમાં એક બહુ

મજાની વાત કરી છે. આ સંસારની તમામ શુભ આરાધનાઓના કેન્દ્રસ્થાને કોઇ બિરાજમાન

હોય તો તે છે પરમાત્મા. એવા તારક તીર્થંકર પરમાત્માની જે આત્મા ભકિત કરતો નથી તે

માણસ સંયમ જીવન ધારણ કરવા છતાં ઉત્તમ ચોખાને ઉખરભૂમીમાં વાવી રહ્યો છે. ગંગાની

શિતળતા પામવા ગંગામાજ ઉતરવું પડે -ગંગામાં ન ઉતરીએ અને કિનારે કિનારે ચાલીએ તો

ગંગાને સ્પર્શીને આવતો પવન પણ થોડી ઠંડક આપે..તેમ ગુરૂના ચરણોમાં સમર્પિત ન

બની શકીએ તો છેવટે એમનો વાસક્ષેપ/આશિર્વાદ પણ આપણા માટે મહાન છે.

જયાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરતાં રહો - કરતાં જ રહો, કરતાં જ રહો.

જે હિમ્મત હાર્યા, તે બધું જ હારી ગયો. ધન જતા કૈંક જાય છે દોસ્ત જતા જ ઘણું,

પણ હિમ્મત જેની જાય છે સઘણું જાયે તે તણું.

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪ વિધિ ના લેખ કોઇ ન મારે મેખ

આ વાર્તા મારા મિત્ર અમૃતલાલભાઇના ધર્મપત્ની અ.સૌ.ભાનુબેનેે મને લખીને આપેલ છે.

તેમનો ખુબ જ આભાર. ઉજૈન નગરીના રાજા વીરવિક્રમ છ મહિના વેશપલ્ટો કરી નગરચર્ચા

જાણવા ફરતાં અને બીજા છ મહિના રાજય ચલાવતા હતાં. નગરજનોને કોઇ દુઃખ નથી તેનું

ખાસ ધ્યાન રાખતા. એક દિવસ રાજા વિક્રમ ફરતાં ફરતાં એક ગામડે આવી પહોંચ્યા. સાંજ

થઇ ગઇ હતી એટલે વિચાયુર્ં કે રાત ગામમાં રોકાઇને સવારે જંગલ તરફ પ્રયાણ

કરવું.ગામમાં એક બ્રાહ્મણનું ઘર હતું તેને ત્યાં રાતવાસો કરવાનું વિચાયુર્ં. રાજા બ્રાહ્મણનાં

ઘરે જાય છે.તેણે એક ખાટલો બહાર ઓસરીમાં ઢાળી દીધો અને ફાટેલ ગોદડું આપીને ભિક્ષા

માટે જાય છે. પણ કાંઇ ન મળવાથી થોડું મીઠું અને પાણી આપ્યું.રાજા સમજી ગયા કે

બ્રાહ્મણના ઘરમાં કાંઇ પણ ખાવાનું નથી.રાજાએ મીઠાનો ફાંકડો માર્યો અને પાણી પીધું. હવે

બંન્ને બેઠા હતા બ્રાહ્મણે પૂછયું કે તમે કોણ અને કયાંથી આવો છો. રાજાએ કહ્યું કે ભાઇ હું

વટેમાર્ગુ છું, મારું નામ વિરો છે અને ઉઘરાણીએ જાવ છું. બ્રાહ્મણના ઘરમાં દીવો જોયો

એટલે પૂછયું કે ઘરમાં કોઇ નથી?બ્રાહ્મણે કહ્યું કે મારી પત્ની અને પાંચ દિવસનો પુત્ર છે

આજે છઠ્ઠો દિવસ હોવાથી વિધાતા દેવી લેખ લખવા આવશે એટલે દીવો કરીને કાગળ અને

કલમ રાખેલ છે. રાજાને આશ્ચર્ય થયું અને મનમાં નક્કી કર્યુ કે વિધાતામાને મારે મળવું જ

છે એટલે તે વિધાતામાની વાટ જોઇને ખાટલામાં જાગતા રહ્યાં.બ્રાહ્મણતો સુઇ ગયો.અડધી

રાત્રે જેવા વિધાતામા બ્રાહ્મણનાં ઘરે અંદર ગયા એટલે રાજાએ ખાટલો બારણાની આડો

ઢાળી દીધોે અને વિધાતામા બહાર આવે તેની રાહ જોવા લાગ્યા. વિધાતામા જેવા બાળકના

લેખ લખી બહાર નિકળવા ગયા ત્યાં તેની સાડી રાજાના અંગુઠામાં ભરાણી. રાજાએ

વિધાતાને રોકીને પૂછયું કે તમે આ બાળક ના લેખમાં શું લખ્યું છે તે કહો. વિધાતામાએ

કહ્યું કે હે રાજન હું તને ઓળખી ગઇ છું, પણ લેખમાં શું લખ્યું છે તે તને જણાવીશ નહીં.

રાજાએ હઠ પકડી. ન છૂટકે વિધાતામાએ કહ્યું કે તું સાંભળી દુઃખી થઇ જઇશ. છતાં પણ

તારી જીદ હોય તો કહું છું : આ બાળક ગરીબ રહેશે અને ૧૬મે વર્ષે તેના લગ્નના દિવસે તે

મૃત્યુ પામશે એમ કહી અદ્રશ્ય થઇ ગયા. રાજાને વિચાર આવ્યો કે આ બાળકને કેમે કરીને

બચાવો જ છે. સવારે નીકળતી વખતે રાજાએ પોતાનું સરનામું બ્રાહ્મણને આપ્યું અને કહ્યું કે

તારા દિકરાના લગ્નમાં મને જરૂર બોલાવજે.

દિવસ આખો ગામમાં ફર્યા પછી ઉજૈન તરફ રવાના થયા. જતાં જતાં જંગલમાંજ રાત પડી.

રાજાએ એક ઝાડ ઉપર ચડીને ત્યાં રાતવાસો કરવો પડયો. અડધી રાત્રે એક નાગદેવતા ત્યાં

ઝાડ નીચે આવીને મોઢામાંથી નાગમણી કાઢીને શીકાર કરવા ગયા. થોડીવાર પછી પાછા

આવીને મણી લઇને પાતાળલોકમાં ચાલ્યા ગયા. રાજાએ આ બધું જોયું.સવારે બાજુના

ગામમાં જઇને લુહારને મળીને એક લોઢાનું ઢાંકણ તેને એક લાંબી સાંકળ બંધાવીને તે લઇને

પાછા જંગલમાં આવ્યા. અડધી રાત્રે પાછા નાગદેવતા આવ્યા અને મણી મૂકીને શીકાર માટે

ગયા. તરતજ રાજાએ સાંકળ વાળા ઢાંકણથી મણીને ઢાંકી દીધો. મણી ઢંકાઇ જતાં અંધારુ થઇ

ગયું અને નાગદેવતા ક્રોધીત થઇને પાછા ફર્યા.

રાજાએ ઝાડ ઉપરથી કહ્યું- હે નાગદેવતા તમારો મણી મારી પાસે છે-હું રાજા વિક્રમ છું અને

મારે તમારો નાગલોક જોવો છે. તમારો મણી લેવા બદલ ક્ષમા કરશોજી. નાગદેવતા

વિક્રમરાજાને પાતાળમાં નાગલોક લઇ ગયા. નાગરાજા અને નાગરાણીએ રાજાનું સ્વાગત

કર્યુ, રાજાવિક્રમે કહ્યું કે મારે અમીનો કુપો (અમૃત) જોઇએ છે મને જયારે જરૂર પડે ત્યારે તે

લેવા હું આવીશ. અમૃતના ટીપા પાવાથી મરેલ માણસ સજીવન થાય છે. આ વાતને ૧૬ વર્ષ

વિતી ગયા.

આ બાજુ બ્રાહ્મણના દિકરાના લગ્ન નક્કી થયા. તેને વટેમાર્ગુ યાદ આવ્યો. તેનું સરનામું

લઇને ઉજૈન નગરી કંકોત્રી આપવા આવ્યો ત્યારે ખબર પડી કે તે વટેમાર્ગુ બીજું કોઇ નહીં

પણ રાજા વીર વિક્રમ હતા.રાજાએ બ્રાહ્મણનો સત્કાર કર્યો અને કહ્યું કે તારા દિકરાના

લગ્નનો બધો ખર્ચો હું આપીશ અને મારા સૈનીકોની સાથે લગ્નમાં હાજર રહીશ. બ્રાહ્મણ

ખુશ થતો તેને ગામ ગયો.લગ્નને દિવસે રાજા સૈન્યની સાથે આવ્યો અને હુકમ કર્યો કે કાંઇ

પણ અણઘડતું ન થાય તેનું ધ્યાન રાખજો.લગ્નની વિધિ પતિ અને ચોરી ના ફેરા ચાલુ થયા.

ચોરીના મંડપમાં ચારે દિશામાં જે માટલા હતા તેમાં એકમાં સિંહનું ચીત્ર હતું. તેમાંથી સિંહ

પ્રગટ થાય છે ને વરરાજાને મારી નાંખે છે.રાજાને આશ્ચર્ય થાય છે કે વિધિના લેખ મુજબ જ

થયું પણ હીંમત ન હારી અને બ્રાહ્મણને કહ્યું કે તારા દિકરાના શબને અગ્નિસંસ્કાર આપતો

નહીં. હું કાલે સવારે આવું ત્યાં સુધી શબ એમને એમ રાખજો. રાજા જંગલમાં જાય છે અને

નાગદેવતાની સહાયથી નાગલોકમાં જઇને અમીનો કૂપો લઇ તે આવે છે બ્રાહ્મણના દિકરાને

પાય છે. બ્રાહ્મણનો દિકરો સજીવન થાય છે. વિધાતામાં પણ ખુશ થયા અને કહ્યું કે રાજન

હવે તેની ગરીબી પણ દૂર થશે અને લાંબુ જીવશે. રાજા વિક્રમ તે આજે વિધિના લેખ બદલી

નાંખ્યા. જે આજ સુધી કોઇ કરી શકયું નથી તે કરીને બતાવ્યું.

ઇચ્છા એજ દુઃખ છે અને ઈચ્છાનો અભાવ એ જ સુખ છે. કારણકે ઇચ્છાઓથી અપેક્ષા વધે

છે, અને તે પૂર્ણ ન થતાં દુઃખ વધે છે. મોક્ષમાં ઇચ્છાઓનો સર્વથા અભાવ ત્યાં પરમસુખ છે.

જે થયું છે તે સારું થયું છે,જે થઇ રહ્યું છે તે સારું થઇ રહ્યું છે,જે થશે તે પણ ઉત્તમ જ થશે.

પાણી ને શોષવાનું કામ જો તાપ કરે છે,જીવને શોષવાનું કામ જો સાપ કરે છે

તો આત્માના આનંદ ને શોષવાનું કામ પાપ કર છે.

અનુક્રમણિકા

વાર્તાનંઃ૫ મધુબિંદુ

જૂના વખતમાં વણજારાની પોઠો ચાલતી. આ પોઠોથી દેશનો વેપાર ચાલતો. વણજારા એક

દેશ થી બીજે દેશ માલ લઇ જતા ને લાવતા. હજારો બળદ રાખતા, હજારો સાંઢિયા રાખતા.

અનેક ચોકી કરનારા કૂતરા રાખતા. માંગો એટલી વાર. રાત-દિવસની ઝડપી ખેપ કરે.

લાવીને માલના ઢગલેઢગલા કરી દે.એ વખતના લોકો મુસાફરી માટે પણ વણજારાની

પોઠોનો સંગાથ શોધતા. આ સંગાથ માટે થોડા પૈસા વણજારાને ભરવા પડતા, પણ પછી

તમામ વાતની નિરાંત. ન ચોર ડાકુ નો ડર! ન વાટ ભૂલ્યાનો ભો! ન વાઘવરુની બીક!એક

ગામમાં શંબલ કરીને એક માણસ રહે. એને મુસાફરી કરવાનું મન થયું. તાકડે વણજારાની

પોઠોએ પણ ગામને પાદર પડાવ નાંખ્યો. જોગ સારો બાઝયો, પણ શંબલતો કહેવા માત્ર

શ્રીમંત હતો - મનતો એનું ગરીબ હતું. શ્રીમંતાઇ કે ગરીબાઇ પૈસામાં નથી રહેતી,મનમાં

રહે છે.શંબલે વિચાર્યુ કે જો આ વણજારાઓની સાથે મુસાફરી કરીશ, તો ભાડું આપવું પડશે.

વળી કોઇ ઓળખીતું-પાળખીતું નીકળશે તો બે પૈસે ઘસાવું પડશે. વળી પોઠ ઊઠે ત્યારે ઊઠવુું

પડશે, ને રોકાય ત્યાં રોકાવું પડશે. પૈસા આપવા અને તાબેદારી વેઠવી, એ તો ઠીક નહીં.

એના કરતા પોઠની પાછળ પાછળ જઇએ તો ભાડું પણ આપવું નહીં પડે, બીજો ઘસારો પણ

નહીં પહોંચે,ને સહેલાઇથી મુસાફરીની મુસાફરી થઇ જાય!બીજે દિવસે સવારે પોઠો રવાના

થઇ, એટલે પોતે પણ ખંભે થેલો ભેરવી રવાના થયો. પોઠ જયાં મુકામ નાંખે, ત્યાંથી થોડે

દૂર પોતે મુકામ કરે.વાહ,ભાઇ વાહ!અક્કલ છે કંઇ કોઇના બાપની? વગર ભાડાં ભથ્થે કેવી

મઝાની મુસાફરી!

લોકો કહેતા,ભાઇ,આતો હરામની મુસાફરી કહેવાય. લાભ લેવો, ને હકસી ન આપવી, એ

નીતિ ન કહેવાય .શંબલ કહેતો,જાઓ, જાઓ! હું એમનું કંઇ લઉ છું? એમની સાથે કંઇ

રહું છું?એમનું કંઇ ખાઉં છું? શું આ જમીન પણ તેના અખ્તયારમાં છે, કે અમારાથી ચલાય

નહીં?જોયા ન હોયતો નીતિધર્મના થાંભલા! અલ્યા વણજારાની દલાલી -બલાલી તો બાંધી

નથી ને?લોકો બિચારા ભોંઠા પડતા! નાગાથી તો પાદશાહ પણ આઘા, એમ સમજી ચાલ્યા

જતા.વણજારાઓ ખેપ કરતાં કરતાં એક ભયંકર જંગલમાં આવી પહોંચ્યા. રાત પડી જતાં

ભરજંગલમાં મુકામ કર્યો. શંંબલ પણ થોડે દૂર એક ઝાડી પાસે ઠર્યો. રાત ભેંકાર હતી.

વાઘવરુ, ચોરચખારનો પૂરો ડર હતો. વણજારાની પોઠોના ચોકીદારો અને કુતરાઓ ચોકી

કરતા હતા,ને મુસાફરો નિરાંતે ઊંઘ કાઢતા હતા. પણ શંબલના નસીબમાંતો આખી રાત

જાગવાનું હતું. રખેને અહીં થી વાઘ આવશે,રખેને પણેથી ચોર ચોરી કરવા આવશે, તો હું

એકલો શું કરીશ? ઘણી વાર એને થતું કે લાવ ને પોઠોમાં ચાલ્યો જાઉં, પણ પાછો વિચાર

થતો કે અડધે રસ્તેતો આવી ગયા. અડધા માટે હિંમત કાં હારું?આમ વિચાર કરતો શંબલ

આખી રાત જાગતો બેઠો, પણ પાછલા પહોરે એને ઊંઘ લાધી ગઇ.એ જાગ્યો ત્યારે બપોર

થઇ ગઇ હતી. સૂર્યનારાયણ સોળે કળાએ તપી રહ્યા હતા. શંબલ એકદમ ખડિયા-પોટલિયા

ઉપાડી આગળ વધ્યો. એ થોડે દૂર ગયો, ત્યાં ઝાડીમાંથી બે ચોરોને હથિયાર સાથે આવતા

જોયા. શંબલ તો જોતાની સાથે મૂઠીઓ વાળીને નાઠો; નાસતો નાસતો એક ભયંકર

જંગલમાં પેઠો. ધોળે દિવસે રાત લાગે, એવી ગીચ ઝાડી! હાશ! હવે અહીં ચોર તો શું,

એક ચકલું પણ એનો પીછો પકડી રહ્યું! ખરાં બચ્યા મારા બાપ!હાશ કરીને જેવો શંબલ

પાછળ જુએ છે, ત્યાં તો પાછળ એક ભયંકર હાથી ઉભેલો જોયો. પોતાના સ્વતંત્ર રાજમાં

દખલ કરનાર આ કાળા માથાના માનવીને જોઇ હાથી ધમપછાડા કરવા લાગ્યો. એ હવામાં

સૂંઢ વીંઝવા લાગ્યો, પગથી પૃથ્વી ખોદવા લાગ્યો, ને ભયંકર પીંગળી આંખો કાતરતો પાછળ

ઘસ્યો.માર્યા મારા બાપ! શંબલ તો ઉભી પૂંછડીએ ભાગ્યો. આગળ એ, પાછળ જીવતું મોત!

સીધે રસ્તે જાય તો હાથી પકડી પાડે, ઝાડ પર ચડે તો ઝાડ ઊથલાવી પાડે. ત્યારે કરવું શું?

ત્યાં તો એણે ઘાસથી છવાયેલો ને વડની વડવાઇઓથી ઢંકાયેલો એક કુવો જોયો.શંબલે તો

એમા ઝંપલાવ્યું, પણ એના સારા નસીબે વડલાની એક વડવાઇ એના હાથમાં આવી ગઇ.

શંબલે તે પકડી લીધી. અધવચ્ચે એ ટિંગાઇ રહ્યો. મનમાં ને મનમાં એણે પ્રભુનો ફરી પાડ

માન્યો. ચોર ચોરી કરે, નિર્દોષ ને સિપાહી પકડી જાય, ત્યારે ચોર માને કે ભગવાન તેની

ભેરમાં છે. મૂર્ખ શંબલ એ વડવાઇને પકડીને અડધે કૂવે લટકી રહ્યો. હવે હાથીની મઝાલ

નહોતી કે કંઇક ઇજા કરી શકે?ખૂબ બચ્યા! એણે પોતાના ભાગ્યની મનમાં ને મનમાં

પ્રશંસા કરી, પ્રભૂનો ફરી પાડ માન્યો.ને થોડી વારે નિરાંતમાં આવી ચારે તરફ જોવા લાગ્યો.

કૂવો અવડ અને અવાવરું હતો. શંબલે તળિયા તરફ નજર કરી. એ પોતે અચ્છો તરવેૈયો

હતો, પણ નીચે નજર નાંખતા જ એના મોતિયા મરી ગયા. કૂવાને તળિયે એક ભયંકર

અજગરને મોં ફાડીને બેઠેલો જોયો, એનું મોં પણ કૂવા જેમ મોટું ને પહોળું હતું. એમા

પડયા તો સોએ સો વર્ષ પૂરાં. શંબલે જરા ધ્યાનથી નીચે જોયું તો એક અજગર ઉપરાંત ચાર

બાજુ ચાર મોટા ભોરીંગ સાપ બેઠા હતા કે આ અજગરદાદા જરાક આઘા ખસે કે

ભાઇસાહેબની ખેર લઇ નાંખીએ. શંબલ આંખ મીંચીને બે પળ વિચારી રહ્યો.ત્યાંતો એના

માથા ઉપર ભયંકર સુસવાટો સંભળાયો. ઊંચે જોયું તો પોતાના માથા ઉપર હાથીની સૂંઢ

ફરતી હતી, પણ પોતાને પહોંચી શકે તેમ નહોતી. કાળા કામ કરનાર,પણ કાયદાની

ચુંગાલથી બચી જનાર કાળા-બજારિયાની જેમ એને શાંતી વળી, પણ જેના મૂળમાં પાપ હોય

એને વળી શાંતિ કેવી? તરત જ એક કાળો ને એક ધોળો એમ બે ઉંદરો એની નજરે ચડયા. એ

મોઢેથી ભયંકર ડાકલી વગાડતા હતા.પણ જેમ રીઢો ગુનેગાર જેવા તેવા સિપાહીને ગાંજે

નહીં, એમ એણે ઉંદરોને કંઇ દાદ ન આપી. પણ થોડી વારમાં એને ખ્યાલ આવ્યો કે જે

વડવાઇના આધારે એ લટકી રહ્યો છે,એ વડવાઇને જ આ ઉંદરો કરકોલી રહ્યા હતા. એક

નાનીશી ચિનગારી પણ આખા સાત માળના મહેલને ફૂંકી દઇ શકે ને!શંબલ વિચારમાં પડયો

ત્યાંતો બહાર ઊભેલા હાથીએ ભારે જોર કરવા માંડયું. આખા વડને ઊથલાવી નાંખવા

માંગતો હોય એમ સૂંઢ ભેરવીને એ આંચકા આપવા લાગ્યો.વડલોધ્રૂજી રહ્યો. સિપાહીઓથી

ઘેરાયેલા, પણ જંગલની ઊંડી ગુફામાં છૂપાયેલા હિંમતવાન ચોરની જેમ એ ઝનૂનથી

વડવાઇને પકડી રહ્યો.વડ ઉપર એક મોટો મધપૂડો બાઝેલ હતો.વડ હાલતાં મધપૂડામાંથી

રાતાં મોંવાળી મધમાખીઓ છૂટીને શંબલને વળગીને ચટકા ભરવા લાગી, શંબલ મૂંઝાયો.

પોતાને આ દુઃખમાંથી ઉગારવા પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો; લાખે જેનું મૂલ ન થાય એવા

દેવદેવીઓને પોતાની મદદે ધાવા ત્રણ ટકાના સિંદૂૂર,તેલને શ્રીફળની લાલચ આપવા લાગ્યો.

શંબલને મન ધર્મમાં પણ લાંચ-રુશ્વત કામ આવતાં હશે!અને વાહ ભાઇ વાહ! ત્યાંતો એના

કપાળ ઉપર મધનું એક બિંદુ ટપકયું. એ ટીપું સરીને એનાં મોંમાં ઉતરી ગયું. વડલો ડોલી

રહ્યો હતો. એટલે વારંવાર મધપૂડામાંથી ઝરીઝરી ને મધુબિંદુઓ શંબલના મોેંમાંપડવાલાગ્યા

ભૂખ્યો-તરસ્યો,થાકયો-હાર્યો શંબલ આ મધુબિંદુઓને લહેજતથી આરોગવા લાગ્યો. એને

તો જાણે અમૃત લાધ્યું. એ તો બધું દુઃખ ભૂલી ગયો. ડાળ કાપતા ઉંદરોની યાદ ચૂકી ગયો.

ડંશ દેતી માખીઓની સૂધબૂધ વીસરી ગયો. એ તો મધબિંદૂઓમાં મસ્તાન બની ગયો.ટપક!

ટપક! મધુબિંદુઓ ઝરતાં હતાં! શું સ્વાદ! શો રસ! નર્યુ અમૃત! શંબલ મોં ફાડીને ડાળે

લટકતો એ ઝીલતો રહ્યો. બનવાનું હશે તે, અચાનક એક વિધાધર રાજા પોતાની રાણી સાથે

ત્યાં થઇને નીકળયો. રાજા-રાણીને હથિયાર સાથે જોઇ હાથી જંગલમાં નાસી ગયો. અજાણ્યા

માણસને આવી બેહાલ હાલતમાં સપડાયેલો જોઇ રાણીને ખૂબ દયા આવી. એણે રાજાને કહ્યું

કે એને બચાવો! રાજાએ કહ્યું, રાણી! એ તમારો બચાવ્યો બચે એવો નથી. એ બધા હાથે

કરીને દુઃખ ઊભું કરનારા - દુઃખનો માર્ગ લેનારા છે, અને દુઃખ આવ્યા પછી હાયવરાળને

દીનતા બતાવનારા છેઃ થાંભલાને પકડીને થાંભલો મને છોડતો નથી એમ કહેનારા છે. એવા

પર દયા કરવી નકામી છે. ના,ના, જુઓતો ખરા,બિચારો કેવી હાલતમાં આવી પડયો છે!

એને જરુર બચાવો રાણીનું વચન ન ઉથાપનારો રાજા કૂવાની પાળ પર ગયો અને બોલ્યો -

ભલા માણસ,તું કોણ છે? અહીં કેવી રીતે આવી ચડયો છે?શંબલ કહે, ભાઇસાહેબ,માણસ

તો સજજન છું, પણ અત્યારે ભારે ઉપાધિમાં આવી પડયો છું. પૂંઠે હાથી પડયો છે. નીચે

અજગર બેઠો છે. જેનો આધાર છે એ ડાળને ઉંદર કાપી ખાય છે! આપદાનો પાર નથી.

જુઓને, આ મધમાખીઓએ મારું શરીર ચારણી જેવું કરી નાંખ્યું છે.વિધાધર રાજાએ હાથ

લાંબો કરતાં કહ્યું- મારો હાથ પકડીને બહાર નીકળી આવ. કોઇ તારોવાળ પણ વાંકો કરી

શકશે નહીં.. ધન્ય ધન્ય તમને પ્રભુ!પણ થોડી વાર થોભો.આ મધુબિંદુઓ ટપકે છે તે થોડાં

ચાખી લઉં. વિધાધર રાજા રાહ જોઇને ઉભા રહ્યા. થોડીવારે ફરી હાથ લંબાવીને એણે કહ્યું

ભાઇ ચાલ હવે.આવુંછું મારા સાહેબ!નરકાગારમાંથી તમેજ મને છોડાવશો.જનમ જનમનો

તમારો દાસ થઇને રહીશ,પણ બાપજી,ભેગાભેગું થોડું થોભો.અહા,મધબિંદુઓશું છે.નર્યા

અમૃતબિંદુઓ જ જોઇ લો!રાજા ને રાણી વળી થોભ્યાં,પણ પેલાનો સ્વાદ ન છૂટયો. રાજાએ

વળી કહ્યું - ચાલ ભાઇ ચાલ, બહાર તને બધું મળી રહેશે.શંબલ બોલ્યો હાથમાં રહેલો અડધો

રોટલો,બીજાના હાથમાં રહેલા બે રોટલા કરતાં વધુ કીમતી છે. જવું તો છે જ, બે ઘડી વહેલા

કે મોડા! પણ આ તો ભારે મજો છે હોં! આખરે સાંજના તડકા ઢળ્યા. રાજા-રાણી થાકીને

ચાલ્યા ગયાં, છતાં મધુબિંદુના સ્વાદમાં પડેલ શંબલને કાળખંજરી બજાવતી આવી રહેલી

કાળી રાત્રિનું ભાન ન રહ્યું.

આ વાર્તા એક વાર એક જ્ઞાની પુરુષે કહી,ને એનો સાર આ રીતે કહયો. ભાઇઓ, એ ઘોર

જંગલ એટલે આ સંસાર.હાથી એટલે મૃત્યુ. કૂવો તે મનુષ્ય જન્મ. અજગર તે નરક-જેલ.

માણસનાં ક્રોધ,માન,માયા ને લોભ તે પેલા હળાહળ વિષથી ભરેલા ચાર નાગ. વડલાની ડાળ

તે આયુષ્ય.ડાળને કાપનારા બે ઉંદર તે શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ રૂપી સમય. માખીઓ તે

વ્યાધીઓ.મધુબિંદુ તે સંસારના એશઆરામો.પૈસા-પાર્ટી,વેપાર-વણજ,સોનું-રૂપું,મારું તારું,

આ વસ્તુઓના મોહમાં માણસ એવો વિવેક વિનાનો ઘેલો બન્યો છે,કે કોઇ એનો હાથઝાલીને

ઊંચે લઇ જવા ચાહે છે,પણ એનું મન માનતું નથી! હકની રોટી, ન્યાયનું ધન, સેવાની કિર્તીને

ઇજજત-ઇમાનભર્યું જીવન આ મધુબિંદુઓ પાછળ માનવી ભૂલી બેઠો છે! એ જે સમજશે,

તો સુખી થશે. માનવ જીવનની માપ શીશી માનવી કેટલું જીવ્યો એ નહીંં પણ કેવું જીવ્યો એજ

છે.પવિત્રતાથી જીવો. જેેને નમવામાં આવે છે, તે પંચ પરમેષ્ટિ પુદગલથી વિરકત છે અને

ચૈતન્ય પ્રત્યે અનુરકત છે અને તેથી જ તેઓને ભાવથી નમનાર પુદગલ પ્રત્યે વિરકત અને

ચૈતન્ય પ્રત્યે અનુરકત બને છે. વિનયથી પ્રાપ્ત થયેલી વિદ્યા આ લોક અને પરલોકને વિશે

ફળદાયી થાય છે. વિનયહિન વિદ્યા પાણી વિનાના ધાન્યની જેમ ફળદાયી થતી નથી.પોતાની

મેળે પ્રગટ થઇ જશે. આપણા સુખમાં આપણે બીજાને સાથીદાર બનાવીએ. બીજાના દુઃખમાં

આપણે એના ભાગીદાર બનીએ. મંદીમાં ધર્મ થતો નથી..તેજીમાં ધર્મ કરવો નથી.આપણૂં

થશે શું?

એક ઉધોગપતિ પોતાના પુત્રને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવા ત્યાંના પ્રિન્સીપાલ પાસે ગયા.

તેણે પ્રિન્સીપાલને કહ્યુંઃ મારા દિકરાને ટૂંક સમયમાં ડીગ્રી મળી શકે તે માટે કોઇ રસ્તો

ખરો?એતો એ શું બનવા માંગે છે એના ઉપર આધાર રાખે છે એમ કહી પ્રિન્સીપાલે છેલ્લે

એટલું જ કહ્યું :

જુઓ ભગવાને આંબો ઉગાડવાનું ઇચ્છયું તો તેમને તેને ઉછેરતા બાર વર્ષ લાગ્યા અને ઘાસ

માટે ફકત બે જ મહિના લાગ્યા. તમારે આ બેમાંથી જ પસંદગી કરવી રહી.

સમય અને દરિયાની ભરતી કોઇની રાહ નથી જોતી.

ધર્મ કરો, ધર્મ નૌકા સમાન છે-સંસાર સાગર તરી જવાય છે.

મનુષ્ય કાયા નથી મોજ માટે,

ઘડી નથી તે પશુ પક્ષી ઘાટે,

અખંડ સ્વર્ગ સુખ આપનારું,

કરો કરો કાંઇક કામ સારું.

અનુક્રમણિકા

વાર્તાઃનંઃ ૬ બુદ્વિના ખેલ

રાજગૃહી નગરી છે. શ્રેણીક રાજા છે. રાજાને ચારસો નવ્વાણું મંત્રી છે.પણ રાજાને ચેન નથી.

એને એક બુદ્વિશાળી મંત્રી જોઇએ છે.જે ગમે તેવી આંટી-ઘૂંટીમાં પણ અકળાય નહીં. જે

પોતાની કાબેલીયતને કૌવતથી આખા મગધ દેશને ધ્રુ્રજાવે. રાજા આવા માણસની શોધમાં

છે. એને મુખ્ય મંત્રી બનાવવાની એમની ઇચ્છા છે. રાજાએ એક યુકિત કરી છેઃ નગરના મધ્ય

ભાગમાં એક કુવો છે. એમા રાજાએ પોતાની મોંઘેરી વીંટી નાંખી છે ને જાહેર કરાવ્યું છે કે,

કૂવાને કાંઠે ઊભા રહીનેજ,જે માણસ પાતાના હાથે આ વીંટી કાઢી આપશે,એને મુખ્યમંત્રી

બનાવવામાં આવશે. પાંચસો મંત્રીઓમાં જેની ધાક હોય,એવી મંત્રી મુદ્રા એનેઅપાશે.ગલીએ

ગલીએ ઢંઢેરો ફરે છે.ચોરે-ચોરે ને ચૌટે ચૌટે એક જ વાત છેઃઆ તોભારે અઘરી શરતકૂવાના

કાંઠે રહીને તે વળી વીંટી નીકળતી હશે? ભલા રાજા! ભલા એના મંત્રીઓ! આમ તે કાંઇ

મુખ્યમંત્રી મળી જતા હશે?તમાશાને તેડું નહીં! આખો દિવસ કૂવાને કાંઠે મેદની જામે છે.

બધા માણસો કુવામાં ડોકિયું કરે છે.અંધારામાં અજવાળું કરતી વીંટી જુએ છે ને પાછાં ફરી

જાય છે.એને કાઢવાની મહેનતતો કોઇ કરતું નથી. વીંટી કાઢવાનું બીડું ઝડપે પણ કોણ?

બુદ્વિ જોઇએને? કાંઠે ઉભા રહેવાનું છે. કુવો પાછો છીછરો નથી ને વીંટીને ઉપર લાવવાની

છે. એક દિવસ વિત્યો. બીજો દિ પસાર થયો.ધીમે ધીમે આ વાત આજુબાજુ ફેલાવા લાગી ને

લોકો રાજગૃહી આવવા લાગ્યા. બુદ્વિના ખાં ગણાતા મોટા મોટા મંત્રીઓ રાજગૃહીમાં આવ્યા

છે.મગધના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા કોને ન હોય?પણ એ કુવો જોતા ને શરત સાંભળતા

જ બધાના મોતિયાં મરી જાય છે. ધોળે દિવસે સૌ તારા ભાળવા માંડે છે ને બબડે છે :

રાજાજી! તમે તો અમને છેતર્યા! આ વીંટી આમતો કદી નીકળતી હશે ખરી?

રોજ રોજ ઢંઢેરો ફરે છે.પણ રાજાને હજી મનગમતો એવો માળસ જડતો નથી,જેને મુખ્યમંત્રી

બનાવી શકાય.પણ એક દિવસની વાત છે. એક પરદેશી છોકરો છે. રાજગૃહીમાં પેસતા જ એ

શું જાુએ છે!ઠેર ઠેર મેદની જામી છે.કૂવાનો કાંઠોતો ભરચક છે. એ પૂછે છેઃ ભાઇઓ! વાત

શી છે? આટલી હલચલ શાની છે?શું કુવામાં કોઇ પડી ગયું છે? માણસોતો છોકરાની

હાંસી ઉડાવે છે.કહેઃહા,પરદેશી કુમાર! કુવામાં મગધનો મહામંત્રી પડયો છે.તમારું એમા

કામ નથી. તમ-તમારે ખાઓ,પીઓ ને મજા કરો.આ તો બુદ્ધિનો ખેલ છે!પરદેશી છે તો

છોકરો!પણ બુદ્વિ એના બાપની છે. એણે બધું જાણવું છે.એ પૂછે છે કૂવામાં મહામંત્રી

પડયા છે ને બધાં આમ ફાડી ફાડી ને શું જોયા કરે છે. કોઇ કેમ એમને બહાર કાઢતું નથી?

લોકો કહેઃ ભલા, પરદેશી છોકરા! કોણ મંત્રીને બહાર કાઢે?કાંઠે રહીને જ કાઢવાની આજ્ઞા

છે.આતો અમારાં દેશની વાત છે.તમે શીદને એમા રસ લો છો?જાવ, તમે તો આ રાજગૃહીને

જુઓ. રાજા શ્રેણિકનાં દર્શન કરો.પરદેશથી આવ્યા છો તો રાજગૃહીને જોતા જજો. આ

નગરીનો જોટો નહીં જડે! તમારો આંટોય સફળ થઇ જશે. પરદેશીનેતો હવે વળી જાણવાની

વધુ ચાનક લાગી! એને થયુંઃ આ તે વળી કેવુંં?મંત્રીજી અંદર પડયા છે ને કાંઠે રહીને

કાઢવાની આજ્ઞા! જરૂર આમાં કંઇ રહસ્ય હોવું જોઇએ. એ કહેઃ અમે પરદેશી છીએ, એ વાત

સાચી! પણ રાજગૃહીનું હેત હમારા હૈયે પણ છે.વાત જરા માંડીને કહો, તો કંઇ સમજ પડે.

શકિત હશે તો રાજગૃહીની સેવા કરીશું. બધા કહેઃ છોકરાં સાથે કંઇ છાશ ન પીવાય.પણ

તમારી આટલી બધી જાણવાની ઇચ્છા છે,તો જાણી લો કે, અમારાં રાજાને મગધનો

મહામંત્રી જોઇએ છે, એ માટે એમણે એવો ઢંઢેરો પીટાવ્યો છે કે, આ કૂવામાંથી વીંટી જે કાંઠે

રહીને કાઢશે,એને મહામંત્રી બનાવવામાં આવશે!છોકરાં,બોલ,હવે તારું આમાં ગજું ખરું?

નાના મોઢે મોટી વાતો ના કરતા હોં પરદેશી.આ સાંભળીને એ પરદેશીતો તાળી પાડીને

બોલ્યોઃ ઓહો! આમાં તે શી મોટી ધાડ પાડવાની હતી?મરચાના છોડને ઠેકી જતાશી વાર?

ચાલો, અમારી બુદ્વિ જોવી હોયતો ચાલો.આ વીંટીતો અમે અબઘડી કાઢી આપીએ! બુદ્વિ

અમારા બાપની છે!લોકો હસ્યા. કહેઃ છોકરા! બડી બડી બડાશો ન હાંક! મોટા મોટા

મંત્રીઓનેય જયાં ધોળે દહાડે તારાં દેખાય છે, ત્યાં તું શું કરવાનો? ત્યાં જઇને હાર કબુલવી

એના કરતા અહીંથી જ પાછો ફર!છોકરરમતની રમતના રમીએ! છોકરોતો સીધો કુવા પાસે

આવ્યો.એણે કુવો જોયો, વીંટી જોઇ, પછી કહેઃ જાવ, તમારા રાજાને કહોકે, એક છોકરાંએ

વીંટી કાઢવાનું બીડું ઝડપ્યું છે, બુદ્ધિ ખેલ છે, જોવા હોય તો પધારો!

સેવકો દોડયા, રાજા પાસે આવ્યા,કહેઃરાજાજી એક છોકરો આવ્યો છે. છેે તો પરદેશી પણ

એણે બીડું ઝડપ્યું છે,લોક એને પૂછે છેઃઅલ્યા!નાના છોકરા!તું શું કરવાનો? તો

સણસણતો જવાબ વાળતા એ કહે છેઃ નાનો છું, પણ રાઇનો દાણો છું.શાણો છું અને

તમારો રાણો બનવાનો છું.તીખુ મરચું છે. રાજાજી! બોલવા ચાલવામાં બડો ચબરાક છે.

એણે આપને સંદેશો આપ્યો છેઃ બુદ્ધિ ખેલ છે,જોવો હોયતો કૂવા કાંઠે પધારો!રાજા

શ્રેણિકતો તૈયાર થઇ ગયા. ન રથ જોડાવ્યો, ન ઘોડો મંગાવ્યો, રાજાજીતો પગે ચાલીને કૂવા

આગળ આવ્યા.કહેઃ છોકરાં! બીડું તે ઝડપ્યું છે? છોકરો મઝાક કરતો કહેઃહા, રાજાજી વીંટી

તો કાઢી આપીશું. પણ અમને મુખ્યમંત્રી બનાવશોને? રાજા કહેઃશરત સાચવીને વીંટી

કાઢશો,તો અમે તમને મહામંત્રી બનાવીશું. લોકોતો કંઇ એકઠાં થયા છે,એકઠાં થયા છે.

જાણે કુવાની ચોમેર કીડીયારૂં ઊભરાયું. છોકરો કહેઃ રાજાજી! અમને થોડું છાણ મંગાવી

આપો. લોકો તો મનમાં બબડે છેઃ આમ, છાણથી કંઇ વીંટી નીકળતી હશે? રે! રાજાજીય શું

છોકરાં સાથે છાશ પીવા બેઠા? સેવકો દોડયાને છાણ લઇ આવ્યા.છોકરોભારે નિશાનબાજ!

એણે તો છાણ સીધું જ કુવામાં નાંખ્યું. બરાબર વીંટી પર જ છાણ પડયું. છાણથી વીંટી ઢંકાઇ

ગઇ. સહુ આશ્ચર્યથી જોઇ રહ્યા છે.છોકરો કહેઃમહારાજ! અમને હવે થોડું સુકું ઘાસ જોઇએ,

અગ્નિ પણ જોઇએ.પછી અમારે વીંટી કાઢવી, એ તો ડાબા હાથનો ખેલ છે. આ તો બુદ્ધિ

ખેલ! સેવકો ગયા ને ઘાસ અને અગ્નિને લઇને હાજર થયા. છોકરાંએ ઘાસનો પૂળો કૂવામાં

ફેંકયો. છાણ ઢંકાઇ ગયું. પછી તરત જ એણે ઘાસ પર અગ્નિનો તણખો ફેંકયો.ભડ ભડ કરતું

ઘાસ સળગી ઉઠયું.કૂવામાં રહેલું લીલું છાણ સૂકાઇ ગયું. વીંટી એની અંદર બંધાઇ ગઇ. છાણ

આગની ગરમીથી છાણું બની ગયું. કોઇને કંઇ સમજાતું નથી કે,આ છોકરો શું કરવા ધારે

છે?એની યોજના શી છે? રાજાજી કહેઃપરદેશી! હવે શી આજ્ઞા છે? છોકરો નમ્ર થઇને કહેઃ

રાજાજી! આપને તે વળી આજ્ઞા કરવાની હોય? હવે આ કૂવામાં પાણીની નીક છોડવાની છે.

સેવકોએ પાણીની નીક છોડી.કૂવો પાણીથી ભરાવા માંડયો.સુકાઇ ગયેલું છાણું જેમ જેમ

કૂવામાં પાણી ભરાતું ગયું,એમ ઉંચે આવવા લાગ્યું.છાણાની અંદર વીંટી તો બંધાઇ જ ગઇ

હતી.મૂશળધાર નીક વહે છે. કૂવો ભરાવા આવ્યો છે. થોડીવાર થઇ ને પરદેશી કહેઃ રાજાજી!

બસ નીક હવે બંધ થાય.પાણી આવતું બંધ થયું.છોકરો કૂવાની નજીક આવ્યો.કાંઠે ઉભા

રહીને એણે પોતાના હાથથી, કૂવામાં તરી રહેલું સૂકું છાણું લઇ લીધું. લોકો હજી સમજી

શકતા ન હતાં,ત્યાંતો છાણાને તોડતો એ કહેઃ લો, રાજાજી! આ તમારી વીંટી! કુવામાં

પડેલા મહામંત્રી બહાર નીકળ્યાં કે નહીં? શરત મુજબ અમે કામ કર્યુ હોય, તો અમને ઇનામ

આપો!રાજા શ્રેણીક તો રાજીના રેડ થઇ ગયા છે.કહેઃ છોકરા! ખરો નીકળ્યો તું? પરદેશના

ઓપંખી! તારો માળો કયાં છે? તું કયાં રહે છે? તું શા માટે અહીં આવ્યો છે? એ તો જરા

કહે.રાજગૃહીની પ્રજાના કાન સાવધાન થયા.છોકરો કહેઃમહારાજા! અમે બેનાતટ નગરથી

આવીએ છીએ.રાજા આભો બનીને પૂછેઃબેનાતટથી? ત્યાં ભદ્રશેઠની દીકરી સુનંદાને તમે

ઓળખો ખરા?બેનાતટનું નામ સાંભળતા જ રાજાની આંખ આગળ પોતાનો બાલ્યકાળ

તરવરી ઉઠયો.નાનપણમાં પિતાથી રીસાઇને શ્રેણીક બેનાતટ ગયેલા.ત્યાં સુનંદાની સાથે

લગ્ન કરેલું.પણ એક દિ પિતા પ્રસેનજિતની માંદગીના સમાચાર આવતા જ,શ્રેણિકને

પોતાની પત્નીને મૂકીને રાજગૃહી આવવું પડેલું. આજે એમને એ વહાલી પત્ની યાદ આવી છે.

આ બનાવ બન્યાને વર્ષો વીતી ગયા હતા. પરદેશી છોકરો કહેઃ રાજાજી કેમ ન ઓળખીએ

અમે એને? એનો બેટો તો બડો ચાલાક છે. અમારો તો એ દિલોજાન દોસ્ત છે. રાજાજી કહેઃ

વાહ! એને વળી દીકરો છે? છોકરો રમતે ચડયો. કહેઃ હા,એનું નામ અભયકુમાર! એ મારો

દિલોજાન દોસ્ત!ઘડી-પળ પણ હું એને ન છોડું, એ મને ન છોડે! રાજાનું હૈયું પુત્રપ્રેમથી

ભરાઇ આવ્યું. કહેઃ એ દેખાવે કેવો છે? રૂપે-રંગે કેવો છે? છોકરો કહેઃ બરાબર મારા જેવો

જ! મને જુઓ ને એને ભૂલો. એને જૂઓ ને મને ભૂલો. રાજાજી! આપ એમ જ જાણી લો ને

કે,હું જ અભય છું.રાજા તો સન્ન થઇ ગયા. કહેઃ શું તું જ મારો બેટો! તો તારી મા કયાં?

મને બનાવી ન જતો હોં! છોકરો કહેઃએવું તો હોય રાજાજી! હું જ આપનો અભય! મારાં

માતાજી નગરની બહાર છે.ને એ છોકરો બાપના ચરણે ઢળી પડયો. પછી કહેઃ પિતાજી! મેં

આપને આટલા હેરાન કર્યા,એની ક્ષમા માંગુ છું.આખું રાજગૃહી હેલે ચઢયું છે. એને

મુખ્યમંત્રી જ નથી મળ્યો.ભાવિનો રાજાય મળ્યો છે.શ્રેણિકને બેટો સાંપડયો છે.બેટાને બાપ

લાધ્યો છે.પ્રજા આખી આનંદ મંગલ કરવા માંડી છે.ત્યાં તો અભય કહેઃ રાજાજી! વાજાં

વગડાવો! ધવલમંગલ ગવડાવો! મારી માતાના સ્વાગત કાજે ઠેર ઠેર મોતીના ચોક પૂરાવો!

રાજગૃહીનાં વાતાવરણમાં આનંદ છવાયો! લોક કહેઃ અભયકુમારે બુદ્ધિ ખરા ખેલ બતાવ્યાં.

હજી એક વાર્તા બુદ્ધિના ખેલ ની છે : એક શ્રેષ્ઠી.નામે ધન્ય સાર્થવાહ. મગધના

મહાશ્રીમંતોમાં એની ગણના થાય,ભદ્રમાન પણ એવાજ. દૂરંદેશી ધન્ય સાર્થવાહ હંમેશા ખૂબ

સમજીને પગલું માંડે.ધન્ય સાર્થવાહનાં ધર્મપત્ની ભદ્રા શેઠાણીનું અવસાન થયું હતું ત્યારથી

ધન્યશ્રેષ્ઠી નિરંતર વિચારમગ્ન રહેતા. એમને પત્નીની યાદ કોરી ખાતી. કેવી સુંદર હતી

એ!પત્નીનું સ્મરણ અને શાણપણ યાદ આવતાં અને ધન્ય સાર્થવાહ વિહૃળ બની જતા. એણે

માત્ર મને, પરિવારને સાચવી જ નહીં પણ શોભાવી પણ જાણ્યાં. ચાર પુત્રો અને

પુત્રવધુઓથી ઘર ભલે તું મુકીને તું ચાલી ગઇ,ભદ્રા!પણ તારા વિના આ પરિવારનો વિકાસ

કેમ થશે?તારું ડહાપણ અને શાણપણ તો આ ભવનનો જલતો દીપક બની રહેતાં! શેઠ

સ્વગત બોલતા.ધન્ય શ્રેષ્ઠી હમણાંથી મૂંઝવણમાં રહેતા હતા.એમનેે પોતાના કુળના સંરક્ષણ,

વિકાસની ચિંતા થતી હતી. એમનેે થતું હતું કે પુરુષતો માત્ર ધન કમાઇ લે,કિંન્તુ પરિવારની

શાનતો બની રહે ઘરની સ્ત્રી.ધન્ય શેઠે વિચાર્યું કે ચારેય પુત્રવધુઓની પરીક્ષા કરવી જોઇએ,

તો જ ખ્યાલ આવે કે આ ઘરની શોભા કોણ વધારશે? એમણે મનોમન એક યોજના વિચારી

લીધી.આખો પરિવાર, સંપત્તિ અનેે સૌંદર્યથી ઊભરાતો હતો.પુત્રો વિવેકી હતા.પુત્રવધુઓ

સુશીલ હતી. સહુ શેઠની મર્યાદા સાચવતા હતા. કિંન્તુ શેઠની ચિંતા અનોખી હતી. એમણે

સમગ્ર પરિવારને તેમજ સ્વજનોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. કુટુંમ્બ મેળો જામ્યો અને

કિલ્લોલ વ્યાપી રહ્યો. શેઠે સહુને આદર આપ્યો,સત્કાર કર્યો.પછી ચારેય પુત્રવધુઓને

બોલાવી. દરેક પુત્રવધુને એમણે પાંચ-પાંચ ડાંગરના અખંડ દાણા આપ્યા,કહ્યુંઃહું જયારે

પાંચવર્ષ પછી પાછા માગું ત્યારે મને આપજો. પુત્રવધુઓએ દાણા ગ્રહણ કર્યા.પિતાતુલ્ય

સસરાના આશીર્વાદ માન્યા. સૌએ દાણા લીધા તો ખરા, કિંન્તુ ચારેયની મંથનની ઘટમાળા

વિભિન્ન માર્ગે ચાલુ થઇ ગઇ.સૌથી મોટી પુત્રવધુ હતી, ઉજિઝતા. એ તો વિચારમાં પડી ગઇ.

એને સસરાજી ઉપર હસવું આવી ગયું.એકતો મોટો ભોજન સંભારંભ કર્યો. મહેમાનોને

નિમંત્ર્યા અને પુત્રવધૂઓને ભેંટ આપી તો શું આપી?ડાંગરના પાંચ દાણા! એમનેય વળી

ઘરડે ઘડપણે આ શું સુઝયું? અને કહે છે કે હું પાંચ વર્ષ પછી પાછા માંગુ ત્યારે પાછા

આપજો! કમાલ છે! ઠીક છે,માંગે ત્યારે પાછા આપવાના છેને? ઘરમાંતો કોઠારો છલકાય

છે!માંગશે ત્યારે આપી દઇશ! અને ઉજિઝતાએ પાંચ દાણા કચરામાં ફેંકી દીધા.

બીજી પુત્રવધુ હતી ભોગવતી.એના મનની ધારા જૂદી હતી. ભોગવતી એ ચિંતવ્યુંં કે ભલે

સસુરજીએ પાંચ દાણા આપ્યા. એતો વડીલ છે, પૂજય છે, અને અનુભવી છે. આતો એમની

પ્રસાદી કહેવાય. આમ વિચારીને ભોગવતી એ પાંચ દાણા ખાઇ ગઇ! મનમાં ધાર્યુ કે શેઠ

માંગશે તો કોઠારમાંથી પાંચ દાણા લાવતાં શી વાર લાગવાની છે!ત્રીજી પુત્રવધુનું નામ હતું

રક્ષિકા,એ નામ જેવા ગુણ ધરાવતી હતી. રક્ષિકાને થયુંકે સસરાજીએ આજે કમાલ કરી! એતો

કેવા અનુભવીને કેવા વ્યવહારુ છે! આટલો વિશાળ સંભારંભ કર્યો, અમને બોલાવ્યા, પાંચ

દાણા આપ્યા, નક્કી એમા કોઇક રહસ્ય લાગે છે! મારે આ દાણા યથાવત સાચવી રાખવા

જોઇએ.એણે પાંચ દાણા મૂકયા સોનાની ડબીમાં અને ડબી મુકી પોતાની અંગતમંજૂષામાં!

રોહિણી એ ધન્યશ્રેષ્ઠીની સૌથી નાની પુત્રવધૂ હતી. એ ખૂબ ચકોર હતી,ખૂબ ભદ્રશાળી હતી.

એના હૈયે સૌ પ્રત્યે હેત હતું અને કુટુંબનું હિત હતું. એ કદી ઉતાવળે નિર્ણય ન લેતી અને

કદી ઉંચા સાદે બોલતી નહીં..એની ઠાવકાઇ માટે સૌને માન અને પ્રેમ હતા.રોહિણીનાહાથમાં

પાંચ દાણા આવ્યા અને પળવાર વિચારમાં પડી, પળવાર જ! અને એને થયું : નક્કી આ

સસરાજીએ આપેલ પાંચ દાણા એ માત્ર પાંચ દાણા નથી,પણ અમારી પરીક્ષા માટેની યોજના

છે અમારે એનાથી પાર પડવું જ રહ્યું. એણે પોતાના વિશ્વાસુ અનુચરને બોલાવીનેકહ્યુંઃભાઇ

ભાઇ, તું એક કામ કર.આ ડાંગરના પાંચ દાણા લે ને મારે પિયર જા,મારા ભાઇઓનેઆપજે

ને કહેજે કે જુદા ખેતરમાં એને વાવી દે.તેમાંથી જેટલા દાણાં થાયતે ફરીથી વાવે,આમ ચોથા

વર્ષે જે પાક થાય તે પાંચમા વર્ષે વાવે ને છેવટે જે અનાજ તૈયાર થાય તે જૂદા કોઠારમાં ભરી

રાખે.કહેજે કે ખાસ તમારી બહેને કહેડાવયું છે.પેલો અનુચર રોહિણીના પિયરમાં પહોંચ્યો ને

તેના ભાઇઓને સંદેશો આપ્યો. ભાઇઓએ તે મુજબ વાવેતર કરાવ્યું. પાંચ વર્ષ પૂરા થતાં શી

વાર લાગે?દીર્ધદ્રષ્ટિવંત ધન્યશ્રેષ્ઠી દિવસો ગણતા હતા.પાંચવર્ષ પૂરાં થયા એટલેપુનઃભોજન

સંભારંભ યોજયો. સૌને તેડા મોકલ્યા. કિલ્લોલ વ્યાપી રહ્યો. ભોજન સંભારંભના અંતે શેઠે

પોતાની મોટી પુત્રવધુ ઉજઝિતાને બોલાવી કહ્યું,બેટા,મેં પાંચવર્ષ પૂર્વ જે પાંચડાંગરનાદાણા

આપેલા તે લાવો.મને આપો. ઉજઝિતા કોઠારમાં દોડી,પાંચ દાણા લઇ આવી સસરાજીને

આપ્યા! શેઠે એ દાણા હાથમાં લીધાને એમના ચેહરા પર કડકાઇ આવી ગઇ. આમેં આપેલા

તે જ દાણા છે? ના જી. ઉજઝિતાની ગભરામણનો પાર ન રહ્યો.તેણે સાચી વાત કહીદીધી.

શેઠ ના ચેહરા પર એ જ કરડાકી હતી. તમારે આજથી ઘરમાં કચરો કાઢવાનું કામ કરવાનુંછે.

બીજા કામમાં ભાગ લેશો નહીં,જાવશેઠે બીજી પુત્રવધૂભોેગવતીનેબોલાવી.તેણેઉજઝિતાની

વાત સાંભળી હતી.શેઠે કહ્યું,મેં જે પાંચ દાણા આપેલા તે લાવો. ભોગવતી કોઠારમાં ન દોડી.

તેણે સાચી વાત કરી નાંખી! પિતાજી,એ તો હું આપની પ્રસાદીગણી ને દાણા ખાઇ ગયીહતી,

મને માફ કરો! શેઠના ચેહરા પર આનંદ નહોતો.એમની ભીતર મૂંઝવણનો લાવા ઘૂઘવતો

હતો. એમણે કહ્યું - આજથી રસોડું તમારે સંભાળવાનું છે!જી. ભોગવતી ચાલી ગઇ.ધન્ય

સાર્થવાહે રક્ષિકા પાસે દાણા માંગ્યા. તે દોડતી સોનાની ડબ્બી લઇ આવી. તેણે કહ્યું પિતાજી,

આપે જે દાણા આપેલ છે તે જ આ છે.મેં સાચવીને રાખેલા છે. શેઠના ચેહરા પર સ્મિતની

આછી લહેરખી આવીને ચાલી ગઇ. તમારે આજથી તિજોરીની ચાવીઓ સંભાળવાની છે. શેઠે

એ પળે જ બધી ચાવીઓ રક્ષિકાને સોંપી દીધી.શેઠે છેલ્લી પુત્રવધૂ રોહિણીને બોલાવી.રોહિણી

બેટા,ડાંગરનાં પાંચ દાણા આપો.રોહિણી એ હાથ જોડી ને કહ્યું કે-પિતાજી,એ દાણા લાવવા

માટેતો ગાડાંઓ જોઇશ! હેં! પાંચ દાણા માટે ગાડાં?હા જી. રોહિણીના મુખ પર સંસ્કારની

પ્રતિભા છલકાતી હતીઃ હા પિતાજી,આજે પાંચ દાણા પાંચ જ નથી રહ્યા પણ પાંચકરોડદાણા

થયા છે.રોહિણીએ પોતાના સસુરજીને સમગ્ર વાત કહી.ધન્ય શેઠ એ વાત સાંભળતા ગયા

અને તેમની આંખોમાં હર્ષનાં આંસુ વહેતાં રહ્યા.એમની,કુટુંબની,પરિવારની ગૌરવભરી શાન

આ પુત્રવધૂના હાથમાં અખંડ રહેવાની હતી! શેઠને થયું,ભદ્રા શેઠાણીની ઉણપ પોતાની આ

પુત્રવધૂ પૂર્ણ કરશે! એમણે કહ્યું-બેટા, આજે મારી જીંદગીનો સુખનો દિવસ છે. મને શ્રદ્વા છે

કે તું મારા કુળ ને ઉજાળીશ.આ કુટુંબની માન મયાર્દાને સાચવીશ. આ પરિવારના સુખમાં

અભિવૃદ્ધિ કરીશ. બેટા-સુખી થજે.અને શેઠે બીજી પુત્રવધૂઓને કહ્યું કે બેટા-તમે જયારે પણ

મુંઝાઓ ત્યારે રોહિણીની સલાહ લેજો ને સંપથી બધાં કામ કરજો. જયાં સંપ છે ત્યાં જંપ છે.

શેઠ રોહિણી તરફ ફર્યાઃ બેટા હું હમણાંજ ગાડાં મોકલીને દાણા મંગાવુ છુ, મારે મન એ

ડાંગરના નહીં સોનાના દાણા છે! રોહિણી એ વિનય થી હાથ જોડયા.ધન્ય સાર્થવાહના

જીવનમાં સુખનો સુર્યોદય થયો.

પાંચ ડાંગરના દાણાની જગાએ આ પાંચ મહાવ્રતો છે. અહિંસા થી તન, સત્ય થી વચન,

અર્ચોય થી ધન, બ્રહ્મચર્યથી મન અને અપરિગ્રહથી સુંદર જીવન. તન-મન-ધન-વચન અને

જીવન વ્યવસ્થિત હોય તો જ માણસ સુખી બને.

છે શકયતા તુજમાં ઘણી પણ યોગ્યતા મુજમાં નથી

છે દિવ્યતા તુજમાં ઘણી પણ ભવ્યતા મુજમાં નથી

છે ધૈર્યતા તુજમાં ઘણી પણ નમ્રતા મુજમાં નથી

તેથી જ આ સંસારમાં રખડી રહ્યો છું નાથજી.

હે જીવ! તુ સુખી હો તો પણ સુખના કારણરૂપ શ્રેષ્ટ ચારિત્રને કર (પાળ),

પરંતુ કલિકાળના આલંબનથી મોહ પામીને સચ્ચારિત્રનો ત્યાગ ન કરીશ.

‘તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી.’

અનુક્રમણિકા

વાર્તા નં : ૭ તૃષ્ણાનો ખાડો કદી પુરાતો નથી

તૃષ્ણા ત્યાગો. દુઃખી કોણ છે? જે મોહાધીન છે. મોહાધીન કોણ છે?જેને તૃષ્ણા છે.

ટૂંકમાં,તૃષ્ણા એ જ દુઃખનું મૂળ કારણ છે. કહ્યું છે કે જેની તૃષ્ણા ખતમ થઇ ગઇ, એનો મોહ

નષ્ટ થઇ ગયો.અને જેનો મોહ નષ્ટ થયો એનું દુઃખ દૂર થઇ ગયું. તૃષ્ણા એ ભયંકર ઊંડી

ખાઇ છે,એને પૂરવાની કયારેય કોશિષ ન કરવી જોઇએ.કારણ કે એને પૂરવાનો જેટલો

પ્રયત્ન કરવામાં આવે એટલી એ વધુને વધુ ઊંડી થતી જાય છે.

માણસ આખી જિંદગી પોતાની ઇચ્છાઓને-તૃષ્ણાઓને પૂરી કરવામાં ઘસી નાંખે છે,પણ

અફસોસ!એનું શરીર ઘસાઇ જાય છે,પણ એની ઇચ્છાઓ ઘસાતી નથી.એતોસદૈવ નવજુવાન

બની રહે છે. આંખ હોવા છતાં અંધારી રાતમાં પાસે રહેલી વસ્તુ નથી દેખાતી,તેમતૃષ્ણાગ્રસ્ત

વ્યકિતને પાસે રહેલી સંપત્તિ દેખાતી નથી.એટલે જ એ વધુને વધુ સંપત્તિ મેળવવા દોડે જ

રાખે છે. જીવનભર ઘાણીના બળદની જેમ પરિશ્રમ કરતો રહે છે. સબુર! દુઃખથી મુકત થવું

છે? મોહના બંધનોથી મુકત બનો. મોહથી મુકત થવું છે? તો તૃષ્ણાનો ત્યાગ કરો.વર્ષો પૂર્વે

ગુજરાતના એક શહેરમાં બની ગયેલ આ પ્રસંગની વાત છે. ૫૫ વર્ષની વયના એ બહેન

ખુબજ શ્રીમંત પરિવાર.ત્રણેક મહિનાથી એમને પેટમાં તકલીફ હતી. અનેક પ્રકારનાઉપચારો

પછી ય એમા કોઇ રાહત ન અનુભવાય ત્યારે એમના દીકરાએ મોટા ડોકટર પાસે બતાવ્યું

અને નિદાનમાં કેન્સર આવ્યું. દીકરાએ મનને મજબુત રાખીને મમ્મીને આ સમાચાર આપી

દીધા.પળ બેપળની ખામેશી પછી મમ્મી એ મૌન તોડયું. બેટા, એક ઇચ્છા છે- મનેનથીલાગતું

કે હવે છ મહિનાથી વધુઆ દુનિયામાં રહી શકું-મારી ઇચ્છા છે કે તું મને અમેરીકા,જર્મની,

ફ્રાન્સ,રશિયા,જાપાન, ચીન જે જે સ્થળે સારી સારી હોટલો હોય ત્યાં લઇ જા.જીંદગીનાજેટલા

પણ મહિનાઓ કે દિવસો બચ્યા છે એમા મારે એ દરેક હોટલોમાં પીરસાતી શ્રેષ્ટ વાનગીઓ

ખાઇ લેવી છે કારણકે મર્યા પછી તો આ બધું ખાવાનું કયાં મળવાનું છે?કલ્પના કરો-જીવન

સમાપ્ત થવાના આરે હોય,મોત આંખ સામે ડાચું ફાડીને ઉભું રહી ગયું હોયત્યારેજોખાવાની

આ હદની લાલસા જીવંત રહી શકતી હોયતો શરીર તંદુરસ્ત જ હોય,નખમાંય રોગ ન હોય

ત્યારે આપણે મનુષ્ય જીવન પ્રભુમય બનવામાં વિતાવવાનું છે પણ આપણે જી ઓે ડી ગોડની

બદલે ડી ઓ જી ડોગની જેમ જીવન વિતાવવા માંગીએ છીએ. પુણ્ય ભોગવવામાંજ રસ છે -

પુણ્ય બાંધવામાં રસ નથી. સમ્યક સમજણ નથી. ધર્મનું જ્ઞાન નથી કે પછી શ્રદ્વા નથી. શું

સમજવું?આતો પ્રેમની દુનીયા છે.આ જગતમાં માણસને માણસ ગમે છે. પ્રેમ થી પ્રેમ વધે

છે. સુખ દુઃખમાં સાથી જરુરી છે.સુખમાં છકીન જવું ને દુઃખમાં હિંમત ન હારવી.સુખદુઃખની

વાતતો મનુષ્ય લલાટે લખાવીને જ આવ્યો છે. સુખદુઃખ એક માનસિક પરિસ્થિતિ છે. મનની

લાગણી છે. દરેક માનવીના મનમાં ગર્ભિત અતૃપ્ત વાસનાઓ-ઇચ્છાઓ વિગેરે છૂપાયેલ છે.

આપણે ઇચ્છાની પણ કોઇ ઇચ્છા નથી તેવાં બનવાનું છે. ભગવાન મહાવીર સ્વામીએ કહેલ

છે કે બધા પાપનું કારણ આપણી ઇચ્છા જ છે. માટે ઇચ્છા જ ન કરવી તેવો ભાવ કેળવવા

મનને તૈયાર કરો.શાસ્ત્રકારો હંમેશા મહેચ્છ મટી એચ્છ બનવાની અને અલ્પેચ્છ મટીને

અનિચ્છ બનવાની વાતો ભવપ્રપંચ કથામાં શાસ્ત્રકારોએ મનમાં ઉઠતી ઇચ્છાઓને

મધમાખીઓની ઉપમા આપી છે. જીવ પહેલાં ઇચ્છાઓના મધપૂડાને છંછેડે છે પછી એમાથી

હજારોમાખીઓ ઉડવા માંડે છે ને પછી એજ માખીઓ તેનેચારેકોરથી ચટકાભર્યા કરે

છે.જીવ આખો દિવસ આવી અનેક - વિધ ઇચ્છાઓ,સંકલેશ, વિકલ્પો કર્યા કરે છે અને પોતે

જાતે ને જાતે દુઃખી થયા કરે છે.માણસના નેવું ટકા દુઃખો તો આ જાતે છંછેડેલા મધપૂડાની

માખીઓનાડંસમાંથી ઉભા થયેલા છે, દા.ત. તમે સાવ નવરા બેઠા છો અને એકાએક તમારા

મનમાં વિચાર આવ્યો કે સાલ્લુ બધા શેર ખરીદે છે તો આપણે કેમ ન ખરીદીએ?આ એક

ઇચ્છાનો જન્મથયો.બસ!હવે તમે સમજી લેજો કે મોંકાણ મંડાઇ જવાની છે.તમે એકેક કદમ

આગળ વધતા જશો.પપ્પા ને પૂછવું પડશે,પણ તે ના પાડશેતો?ડોસો તો આમેય કઇવાતે હા

પાડે છે,છો ના પાડે-આપણે પૈસાની અરેંજમેંટ તો કરવી પડશે ને?કંઇ વાંધો નહીં મારો

મિત્ર નરુ છે ને? એને કહીશું થોડી હેલ્પ કરને! પણ ના પાડશે તો? ના પાડે તો સંબંધ કાપી

નાંખવાનો, છેવટે વાઇફના દાગીના છે ને! વેંચી નાંખશું.ગીરવે મુકશું પણ તે ના પાડશે

તો?ના પાડેતો પીયર રવાના કરી દેવાની, પણ દાગીના ભેગા લઇને જતી રહેશે તો શું

કરશું?પોલીસ કમ્પલેઇન કરી પહેલા દાગીના મૂકાવી દઈશું પણ પછી સસરા છૂટાછેડાનો

કેસ કરશે તો? કંઇ વાંધો નહીં. એ એના રસ્તે અને આપણે આપણા રસ્તે. દેખોતો સહી તમે

કયાંના કયાં નીકળી ગયા. એક જ ઇચ્છા પાછળ કેટલી મધમાખીઓ ઉડી તમને કલાકો સુધી

પરેશાન કરી મૂકયા. અલબત્ત ઉપરના વિચારોમાંથી તમે એક પણ વિચાર અમલમાં મૂકવાના

નથી, મૂકી શકવાના પણ નથી. પરંતુ શેખચલ્લીના વિચારો કરીને તમે તમારી જાતને

વારંવાર દુઃખી કરી રહ્યા છો.તમારા મનમંદિરમાં તમે દીવોે કરો અને અંદરમાં ઉઠતી આ

ઇચ્છાઓની આંધીઓનો કંટો્રલ કરો, નહીંતર પેલી કૂવસ નામની વનસ્પતિને અડયા પછી

આખા શરીરે જેમ વલૂર ઉપડે છે તેમ એક ઇચ્છાને નહીં રોકોતો આખા શરીરે જેમ વલૂર

ઉપડે છે તેમ આખા આતમમાં એક એવી કાતીલ વલૂર ઉપડશે કે તમે દિનરાત વલૂર વલૂર

કરીને થાકી જશો. હમણાં વેસ્ટર્ન કંટી્રઝમાં ડાઉન શીફટીંગ જેવા શબ્દો પ્રચલિત બન્યા છે.

ઘણાં ઉંચે ચડયા હવે જરા નીચે ઉતરો. માણસ દિવસ-રાત વેપાર ધંધામાં અટવાયેલો છે.

ઉપાધીઓથી વીંટળાયેલો છેે. ટેન્શન ટેન્શન અને ટેન્શન! ફલેટ આખ ો લકઝરી આઇટમોથી

ઉભરાઇ રહ્યો છે. કુટુંબ આખું કલેશ કંકાસથી ઉભરાઇ રહ્યું છે.શરીર આખું રોગોથી ઉભરાઇ

રહ્યું છે અને માણસ નામનું એક અજબ કીસમનું પ્રાણી બ્લડપ્રેશર, હાર્ટએટેક,હેમરેજ અને

ડીપ્રેશન નામના વી.આઇ.પી. દર્દોથી ઉભરાઇ રહ્યુંં છે.આમાથી બચવાનો ઉપાય છે -

સાદગીથી -ઓેછી ચીજોથી ચલાવી લેવાનો સંકલ્પ કરો. ઇચ્છાઓ - અપેક્ષાઓ બધુ

ઘટાડોતો જ હાયહાય જીવનથી બચશો અને શાંતીથી જીવી શકશો.અપેક્ષા કયારેય રાખશો

નહીં., આવેશમાં આવશો નહીં, અધીરા કયારેય બનશો નહીં ત્રણેય દુઃખ આપનારા છે.

પરિગ્રહ - પરિમાણ એ ગૃહસ્થજીવનમાં સુખી થવાનો માર્ગ છે. સંતોષના સુખની કિંમત

વિષમ પરિસ્થિતિમાં વધુ સમજાય છે.સારી રીતેઆજીવિકાચાલતી એટલું ધન જો કમાવા

મળતું હોયતો વધુ ધન પાછળ દોટ મૂકવાને બદલે પોતાના બચેલા સમયનો સદુપયોગ

માણસે આત્મશ્રેયાર્થે કરી લેવો જોઇએ. સંસારમાં મોહનું પ્રાબલ્ય એટલું મોટું રહ્યુંં છે અને

રહેવાનું છે કે જૂજ વ્યકિતઓને જ આ તત્વ સમજાય એવું છે અને સમજાયા પછી વિરલ

વ્યકિતઓ જ એ સમજણને આચરણમાં મૂકી શકે છેસંત મહાત્માઓ વખતો વખત કહેતા

આવ્યા છે કે વિદ્યારૂપી, જ્ઞાનરૂપી, અધ્યાત્મરૂપી લક્ષ્મી જ એવી છે કે જેનું કોઇ હરણ કરી

શકતું નથી . જે મળેલ છે તેને ત્યાગો. જે નથી તેની ઇચ્છા કયારેય ન રાખશો.

હે માનવ અંતે શૂં?

‘ છે કોણ એવું આ જગતમાં મોત જેનું ના થાય,

પિંજર મુકી ચાલ્યા ગયા,જલી રાખ થઇ ઊડી ગયા,

ગુણ દેહ એના ના જલે, વરસો ભલે વીત્યા કરે.,

તે વિશ્વ વિભુતિના ચરણમાં,નમન જગ ભાવે કરે.’

માનવ જયારે માનવ મટીને દાનવ બને ત્યારે ધર્મને બદલે ધન, વિરાગને બદલે વિલાપ,

યોગને બદલે ભોગનું સ્વાગત કરે છે. કામ-ક્રોધ ભાન ભૂલાવે,માયા-મમતા નાચ નચાવે.

પછી હાલ મહમદ ગિઝની જેવા થશે. મહમદ ગિઝનીએ ૧૭ વાર હિંદ પર ચઢાઇ કરી.એ

અહીંથી ઘણી બધી દોલત માલ લેતો ગયો.અનેક મૂલ્યવાન રત્નો,અલભ્ય મોતીઓ,

અતિચમકદાર હીરા-માણેક-પન્ના-પોખરાજ વિ.લઇ જઇને મજબૂત તિજોરીઓ બનાવી તેમાં

મૂકાવ્યા. મહેલની ચારેબાજુ દોલતથી ભરપૂર કમરા. એવી માંદગી હતી એને કોઇ પણ વૈદ

ગમે તેટલી દોલત આપે પણ એને સાજો કરવા સમર્થ ન હતા. શરીર સાવ અટકી ગયેલ-

હાથ પગમાં તાકાત ન હતી. બધું પલંગમા જ કરવું પડતું હતું. હવે એને આવું જીવન પણ

ભારે લાગતું હતું. પોતાના સ્વાર્થ માટે કરેલ પાપની સજા તો ભોગવવી જ પડે છે..મૃત્યુ

સમયે નોકરોને બોલાવીને કહે, મને ખજાના પાસે લઇ જાવ, મારે છેલ્લે છેલ્લે દર્શન કરવા

છે. ઉભા તો થવાતું ન હતું. સેવકોએ એને ઉંચકયા. એને ખજાનાના એક એક રૂમમાં ફેરવ્યા.

એક પછી એક તિજોરી પાસે લઇ ગયા અને બતાવ્યું કે એનો ખજાનો ત્યાં સલામત પડયો

છે. હીરા જોયા, મોતીને માણેક જોયા, જર અને ઝવેરાત જોયું.જોતો ગયો અને રોતો ગયો.

આંખમાંથી આંસુ વહેતા ગયા અને એને મનમાં થઇ ગયુંઃ અરે રે! આખી જીંદગી આ ભેગુ

કર્યું અને ખરેખર આ બધું છોડીને જવાનું? સેવકો પણ રડતાં રડતાં કહી રહ્યા હતાઃ હે

જહાંપનાહ! આપે ભેગો કરેલો ખજાનો સલામત છે પણ એને ભોગવનાર આપ?હવે એ

બધું છોડીને આપ ખાલી હાથ જઇ રહ્યા છો. જિંદગીભરની કમાઇ ઉપર મહંમદ ધ્રુસકે ધ્રુસકેે

રડયો અને રડતાં રડતાં આ દુનિયામાંથી વિદાય થયો. દુનિયાભરના વૈભવો સામગ્રી ભેગી

કરીને એશ-આરામ કરવાનો પ્લાન કરનાર તું તારા વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરીશ

તો તને ખ્યાલ આવશે કે આમાં તારું શું અને કેટલું? ૨૧મી સદીના માનવી! બધું પ્રાપ્ત

કરીશ પણ અંતે શું?મોત-સમાધિમરણ નહીંતો કમોત-દુર્ગતી કરે છે. દેરાસર અને મૂર્તિનો

વિરોધ કરનારા એમ કહે છેભગવાન તો નિરાકાર છે.એને આકાર શા માટે આપવો?

એનો જવાબ છે-નિરાકારને જોવા માટે આપણે અંધ છીએ. મૂર્તિ એ સાકાર છે. નિરાકારને

પામવા માટે સાકારનો સહારો લેવો પડે જ.અગર દેરાસર અને મૂર્તિ હટી જશેતો જેઓને

આકારથી કદી પરમાત્માનું સ્મરણ નથી થયું તેઓને નિરાકારથી પરમાત્માનું સ્મરણ કેમ

થશે? હજી એક વાત-આપણે-નમો અરિહંતાણં બોલીયે છીએ. તેનો અર્થ નમો એટલે નમતા

શીખો-અરિનોઅર્થ-અહંકાર-અભિમાન-રાગ-દ્વેષ-મોહ-માયા-કંચન- કાયા-કામિની, તથા

હંત એટલે નાશ. આપણે જે કોઇપણમાં આ અવગુણ નથી તે બધાઓને એક સાથે વંદન

કરીએ છીએ. આમાં વંદન કોઇ આકારને નથી પણ ગુણો છે તેને વંદન છે.આ ગુણો અરિહંત

ભગવંતમાં છે.જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકર ભગવંતોને-અરિહંત ભગવંત માન્ય કરેલ છે અને

તેઓને મૂર્તિ રૂપ આકાર આપેલ છે.બીજી લીટી-નમો સિદ્ધાણં-જે સિદ્ધ થયેલ છે-પણ તેઓ

નિરાકારી છે. હવે જયારે આપણે આ બંને પદ નવકાર મંત્રમાં બોલીયે છીયે એટલે આપણે

સર્વો એક જ છીયે. મનુષ્યનાં સ્વભાવને લીધે-કે પછી ગમે તેમ વાડા થઇ ગયા છે જે દૂર

કરવા વિચારશું તો જરૂર આ કામ થશે.બધા મોટા મોટા ગચ્છાધિપતિ વિગેરે મળીને કરશે તો

મારું માનવું છે - દરેક વિવાદનો ઉકેલ છે. સમસ્ત જૈન એક જ માધ્યમથી ઓળખાશે. મારું

ચાલે તો આખી દુનિયાના બધા લોકોને એક રાખી રાજી ખુશીથી-એક જ થઇ જાય-ધર્મ માં

જેને જે ગળે ઉતરે તે કરે-કોઇ વાતમાં દબાણ નહિં કરવાનું.એકતામાં તાકાત છે.સાથેઆપણી

ત્રણ ચાવી ઉપર લખેલ છે તે કદી ભૂલવાની નહિં.આપણે તો બધા ને સુખ જ આપવું છે

કોઇપણને દુઃખ આપવાની વાત જ નથી. આમાં સારા કામ કરવામાં વિશેેષ ધ્યાન તથા

વિચારવાનું જરૂરી છે - મારાથી કોઇપણ ને દુખ ન થવુંં જોઇએ. સુખ આપી શકું તો મનમાં

આનંદ છે. પણ મારે નવા કર્મ બાંધવા નથી. કોઇ પાપ કરવું નથી હવે. આપણે ધર્મ સાથે

માનવ-સેવા,જીવદયા,બાળકો-બાળાઓ ને ભણતર આજના સમય સાથે ધર્મનું પણ આપી

શકીશું.હવે સમય આડંબરથી દૂર રહેવાનો છે.જરૂરી હોય તે જરૂર કરવાનું-બીનજરૂરી દેખાવ-

આડંબરથી દૂર રહેવાની જરૂરત છે. મૃત્યુ બાદ ચક્ષુ દાન - દેહ દાન કરવાની ભાવના રાખશો

અને જરૂરી તે માટે ફોર્મ-તમારે અગાઉથી ભરી દેશોજી- જવાનું તો નક્કી છે જ -તો મરણ

બાદ પણ બધાની દુઆ મળે તેમ કરશું-જેથી મનની ખૂબ જ શાંતિ મળશે.પરભવસુધરી જશે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૮ હીરાઝડીત સોનાનું કડુ

આ વાર્તા પણ મારા મિત્ર અમૃતલાલભાઇના ધર્મપત્ની અ.સૌ.ભાનુબેને મને લખી ને આપેલ

છે. તેમનો બંનેનો ખુબ ખુબ જ આભાર-સાથ સહકાર બદલ.

તપ અને જપ ઇશ્વરને પ્રાપ્ત કરવાની સાચી જડીબુટ્ટી છે.મિરાના ગુરુ રોહીદાસ તે ચમાર

હતા.એકવાર એક બ્રાહ્મણ તેના ચંપલ સંધાવવા રોહીદાસ પાસે ગયો. ચંપલ સંધાય ગયા

પછી બ્રાહ્મણે એક પાવલી મજુરી આપી. રોહીદાસે કહ્યું કે બ્રાહ્મણ પાસેથી મજુરી નો લેવાય.

પણ બ્રાહ્મણે કહ્યુંકે મારો ધર્મ મજુરી દેવાનો છે. રોહીદાસે પૂછયું કે તમે કયાં જાવ છો?

બ્રાહ્મણે કહ્યું કે ગંગાસ્નાન માટે જાવ છું.રોહીદાસે બ્રાહ્મણને બે પાવલી આપીને કહ્યું કે

ગંગામાતાને હાથોહાથ આપી દેજો. બ્રાહ્મણને થયું કે રોહીદાસ ગાંડો થયો લાગે છે. એની બે

પાવલી લેવા શું ગંગામાતા સાક્ષાત પ્રગટ થશે?બ્રાહ્મણે ગંગાનદીએ જઇને સ્નાન કરી

રોહીદાસે આપેલી બે પાવલી હે ગંગામાતા! હું તમોને હાથોહાથ આપું છુએમ બોલીને

ગંગાનદીમાં પધરાવી ત્યાંતો ચમત્કાર થયો. ગંગાનદીના પાણીમાંથી બે હાથ બહાર આવ્યા,

બ્રાહ્મણને આશ્ચર્ય થયું,આટલા વર્ષોથી હું પૂજા કરુ છું પણ મને ગંગામાતાએ દર્શન આપ્યા

નથી . ગંગામાતા પ્રગટ થયા અને બ્રાહ્મણને સોનાનું હીરાઝડીત કડુ આપ્યું ને કહ્યું કે આ કડુ

મારા ભકત રોહીદાસને આપજો એમ કહી અદ્રશ્ય થઇ ગયા.

બ્રાહ્મણની મતી બગડી. તે કડુ પોતાને ઘરે લઇ ગયો અને પત્નીને આપ્યું. બ્રાહ્મણની પત્નીએ

કહ્યું કે આ કડુ આપણે રાજાને આપી ઘણુંજ ધન મેળવશું. બ્રાહ્મણને વાત ગમી એટલે રાજાને

કડુ આપ્યુ. રાજાએ ખુશ થઇને ખુબ જ ધન આપ્યુ. હવે રાજાએ તે કડુ રાણીને આપ્યુ.

રાણીતો કડુ જોઇને જ ખુબ જ ખુશ થઇ ગઇ. એણે રાજા ને કહ્યું કે મને હજી એક કડુ જોવે છે

જેથી મારા બંને હાથ શોભે. રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો અને કહ્યું કે આ કડા જેવું જ હજી

એક કડુ આઠ દિવસમાં લઇ ને આવ - નહીં તો તને ફાંસીની સજા થશે. બ્રાહ્મણ હવે મુંજાયો,

હવે બીજુ કડુ કયાંથી આવશે- બધા સોનીઓ પાસે ચક્કર માર્યા-પણ બધાએ એકજ વાત કરી

આવી કારીગરી-આવા હીરા-અમારાથી શકય નથી. કયાંય શકયતા ન હોવાથી છેવટે બ્રાહ્મણ

છેલ્લા ઉપાય તરીકે રોહીદાસ પાસે ગયો. તેના પગે પડી ગયો અને માફી માંગીને સાચી

હકીકત જણાવી. અને કહ્યું કે ભાઇ હવે તમે જ મને જીવનદાન અપાવી શકો તેમ છે.

રોહીદાસને દયા આવી અને થયું કે જો હું આને મદદ નહીં કરું તો રાજા આ બ્રાહ્મણને મારી

નાંખશે-તેનુ કુટુંબ વેરવિખેર થઇ જશે અને મને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. રોહીદાસે જે

કડાઇમાં ચામડુ પલાળેલ તેને લઇને તેની અંદર પાણી નાંખીને ઉપર એક કપડું બાંધીને

ગંગામૈયાને યાદ કરી કહ્યું કે હે ગંગામાતા મારે આ બ્રાહ્મણનો જીવ બચાવવો છે, મારે લીધે

તેની હત્યા ન થવી જોઇએ.ગંગામાતાએ તેની દયાભાવભરી સાચી પ્રાર્થના સ્વીકારીને તેને

બીજુ કડુ આપ્યુ. બ્રાહ્મણતો રોહીદાસને બધુ ધન આપવા લાગ્યો - પણ રોહીદાસ ખુબ જ

સંતોષી હતા, તેમણે કહ્યું કે મારે કશું જોઇતું નથી પણ આ ધનનો ઉપયોગ સારા માર્ગે

કરશોજી. સાચા મનથી - સાચા હૃદયથી - સાચા ભાવથી જો પ્રાર્થના કરો તો પરમાત્માની

પ્રાપ્તિ થાય.

આજે તમને ત્યાગની વાતમાં આનંદ નથી આવતો. એનું કારણ એ જ છે કે ત્યાગ બુદ્ધિથી ધર્મ

થતો નથી. જો ત્યાગબુદ્ધિથી ધર્મ કરો તો ત્યાગની વાત સાંભળતા આત્મા પ્રફુલ્લિત થાય.

રોમરાજી વિકસ્વર થાય-શ્રી શ્રેણિકરાજા શાલિભદ્રને ત્યાં ગયા ત્યારે એની સાહ્યબી જોઇ,શ્રી

શાલિભદ્વને જોઇને,એની સુકોમળતા વગેરે જોઇને,એમને એક જ વિચાર આવે છે કે-ભગવાને

કહેલા પુણ્યના અનેક પ્રકારોમાંનો આ પણ એક પ્રકાર છે.એ વિચારે છે કે મારા

વિલાસભુવનમાં જે નથી તેવું આના પશુઓના રહેવાના મકાનમાં! કેવું અદ્દભૂત પુણ્ય! ધન્ય

છે કે મારા રાજયમાં આવા પુણ્યવાન વસે છે. અને જયારે શ્રી શાલિભદ્ર સંયમ લે છે એવી

ખબર મળે છે, ત્યારે રાજા શ્રેણિક કહે છે આવો ભોગી પણ સંયમી થાય છે અને હું હજી

રખડું છું, એનો મહોત્સવતો હું જ કરીશ.શ્રી શ્રેણિક મહારાજા ત્યાગ નહોતા કરી શકતા,

પણ ત્યાગ પ્રત્યે સન્માન કેટલું ધરાવતા?

મેરુપર્વતથી ઊંચુ કંઇ નથી. આકાશથી વિશાળ કંઇ નથી, તેવી જ રીતે જગતમાં અહિંસાથી

ઊંચો કોઇ ધર્મ નથી. ત્રણ વસ્તુઓને વેડફો નહીં : સમય - પૈસો - યુવાની. ત્રણ વાતને યાદ

રાખશો નહીં - તમારું કોઇકે કરેલું અપમાન, (ભૂલી જશો) તમે કરેલો ઉપકાર -(ભૂલી

જશો) બીજાના દુર્ગુણો.- (ભૂલી જશો).

હે પ્રભુ, અમારી વાણી તમારા ગુણોનું સ્તવન કરે. અમારા કાન તમારી કથાઓનું શ્રવણ કરે.

અમારા હાથ તમારી સેવા કર્મ કરે.અમારું મન તમારા ચરણોના ચિંતનમાં રહે.અમારું શિર

તમારા નિવાસ-સ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહે.અમારી દ્રષ્ટિતમારી મૂર્તિરૂપ સંતોના

દર્શનમાં રહે.દીન, દુઃખી તથા અશકત વગેરે જિવો પ્રત્યે દયાપૂર્વક દૂઃખ દૂર કરવાની વૃત્તિતે

કરૂણા. પ્રભુએ માંદગી રૂપી સાયરન દ્વારા ચેતવણી આપી દીધી છે કે હવે ગમેત્યારે મૃત્યુની

સવારી આવી શ્કે એમ છે- તો હવે આરામ કેમ કરાય?મારે પરલોકમાં આરાધનાની મુડી

અને એના સંસ્કારો સાથે લઇ જવા છે. પ્રભુ ભકિત તથા સ્વાધ્યાયમાં કાયમ તત્પર રહેવું.

સ્વાધ્યાયના ભોગે બીજી પ્રવૃત્તિ ન કરવી. ભગવાનની આશાતના ન થાય તેનું ધ્યાન રાખવું.

ઇતની શકિત હમેં દેના દાતા,મનકા વિશ્વાસ કમજોર હો ના,

હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલકર ભી કોઇ ભૂલ હો ના.ઇતની શકિત.

અનુક્રમણિકા

વાર્તા નં ૯ નવમી પેઢી નું શું?

એક શેઠ હતા. ખુબજ માલદાર હતા. એક દિવસ શેઠે મુનીમને પુછયું કે આપણી પાસે કેટલા

રૂપીયા છે? મુનીમ કહે કે શેઠજી આપણી પાસે તમારી આઠ પેઢી સુધી ચાલે તેટલા રૂપીયા છે.

તમારે ફીકર કરવાની કોઇ જરુર નથી.. પણ શેઠતો ચીંતામાં પડી ગયા અને મુનીમને કહે કે

મારી નવમી પેઢી નું શું? મુનીમ હાંેંશીયાર હતા તેમણે શેઠને કીધુ કે આપણા ગામમાં

મહારાજ સાહેબને વંદન કરવા જઇએ અને તેમની સલાહ લઇએ. શેઠ અને મુનીમ મહારાજ

સાહેબ પાસે આવે છે.વંદન કરે છે પછી મુનીમ તેમને શેઠની નવમી પેઢીની ચીંતાની વાત કરે

છે. મહારાજ સાહેબ કહે છે.આના માટે એક રસ્તો છે હું કહુ તેમ કરશો તો તમારી ચિંતા દૂૂર

થઇ જશે. શેઠ કહે સાહેબ આપ કહેશો તેમ જ કરીશું. સાહેબે કીધું કે ૩૦ દિવસ ચોવીહાર

કરવો પડશે અને બપોરે તમારે ઘરના ઓટલામાં બેસી ચાલીસ રોટલા ભીખારીઓને એક

એક કરીને આપવાના - પછી જ તમારે સાંજના જમવા બેસવાનું છે. શેઠ કહે આજથી જ

આપના કહ્યા મુજબ કરવાનુ ચાલુ કરી દઉ છું.શેઠ રોજ ચાલીસ રોટલા લઇને ઘરની બહાર

ઓટલા ઉપર બેસી જતા અને દરેક ભીખારી કે જે કોઇ માંગવા આવે તેને એક એક રોટલો

દેતા ત્યારબાદ જ જમવા બેસી જતા. આમ કરતા ઓગત્રીસ દિવસ થઇ ગયા. ત્રીસમે દિવસ

શેઠ રોટલા લઇને બેઠા ૩૮ રોટલા ખાલી થઇ ગયા ત્યારબાદ કોઇ ભીખારી આવતા નથી.

શેઠ રાહ જોઇને બેઠા છે કે કોઇ આવે રોટલા આપું અને પછી હું જમવા બેસુ. થોડીવારમાં

એક ફકીર આવે છે કહે બાબા અલ્લાહ કે નામ પે કુછ દેદે. શેઠ તેને બંને રોટલા આપવા

જાય છે પણ ફકીર કહે છે દેવો હોયતો એક જ રોટલો આપો-બે નહીં. શેઠ કહેછે કે બંને

રોટલા લઇલે તને કાલે કામ આવશે. ફકીર કહે છે બાબા કલ કી ફીકર કરે ઓ દુસરા હમ

નહીં. શેઠના મનમા ખ્યાલ આવે છે કે આની પાસે કાંઇ નથી તો પણ સાવ બેફીકર જ છે.

નથી પહેરવાનાં લુગડાં કે નથી રહેવાનું કોઇ ઠેકાણું, નથી જમવાનું પણ કાંઇ ઠેકાણું તો પણ

જરાપણ ફીકર નથી ત્યારે મારી પાસે તો આટલું બધું છે છતા હું ખોટી ફીકર કરું છુ. શેઠની

આંખ ઉઘડી જાય છે અને ચિંતાથી મુકત બને છે. આમાં સમજવાનુ કે કાલની ફીકર કરવી

નહીં - આપણો પુરુષાર્થ ચાલુ રાખવો-પછી આપણા ભાગ્યમાં જે હશે તે મળશે. તમોએ

સારા કર્મ કર્યા હશે તો સારુ થશે - બુરા કર્મ કર્યા હશે તો બુરુ થાશે.

એક જ પાપ બધા જ ધર્મોને ખતમ કરી શકે છે

એક જ ધર્મ બધા જ પાપોને સાફ કરી શકે છે.

મનુષ્યનો આંતર વૈભવ તેની ગુણસંપત્તિ છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૦ જીવનમાં સંતોષી રહેવું

એક ભાઇ ધન કમાવા અમેરીકા ગયા.અમુક સમય પછી થોડા ઘણાં ડોલરો કમાણા. પછી

વીચાર કર્યો કે હવે તો સુટ બુટ ખરીદી કરુ. એક સાંજે ભાઇ ખરીદી કરવા નીકળી ગયા. સુટ

લેવાઇ ગયો પણ બુટ લેવા હવે પાસે બે જ ડોલર વધ્યા હતા.બુટ ઓછામા ઓછા ૨ ડોલરથી

નીચે કોઇ દુકાનમાં મળતા ન હતાં.તે ભાઇ ભગવાનને કહેછે કે તમો કેવા છો મને સુટ -

શર્ટ - ટાઇ બધું આપ્યું પણ બુટ માટે ડોલર ન આપ્યા.તેવા જ સમયે બાજુની ગલીમાંથી તેણે

કોઇને ભારતીય ફીલ્મનું ગીત ગાતા સાંભળે છે વિચારે છે કે હું એટલો દુઃખી છું ત્યારે આ

ભાઇ કેટલા આનંદમાં છે-ચાલો જોઇએ તો ખરા કે કોણ છે તે. તે પણ બાજુની ગલીમાં જાય

છે-જોવે છે કે એક માણસ લાકડાની ઘોડી લઇ ચાલી રહ્યો છે-તેને પગ જ નથી, તે છતાં

આનંદથી ગીત ગાઇ રહ્યો છે. અને એકદમ ખુશ છે. તરત જ ભગવાનને હાથ જોડી કહે છે કે

હે ભગવાન ભલે મને બુટ ન આપ્યા પણ તારી તો અંત્યંત દયા છે કે મને પગ તો આપ્યા.

ટુંકમા સાર એ છે કે જે ભગવાને આપણને જે આપ્યું તેમા ખુશ રહેવું- સંતોષ રાખવો.

નરવા જીવનમાં ખડતલતા હોયજ અને એવી ખડતલતા આવે છે માણસની દુઃખના ઘા

ઝીલવાની- ખમવાની શકિતમાંથી. ખમે તે ખમતીધર. દુઃખ ખમવાનાં આવે- સંકટ સહન

કરવાનાં થાયતો એને તો, કવિ કલાપી કહે છે તેમ, જીવનનું એક લહાણું સમજવું જોઇએ.

ઉમાશંકરે પણ કહ્યું છે,જે સહી શકે છે તેજ ખરેખરું હસી શકે છે.વેઠે તેનો વટ-

વક્કર..ખાડાખૈયાવાળા-ઊબડખાબડ રસ્તે ચાલનારાને પછી લીસા સપાટ રસ્તે ચાલવામાં

દેખીતી રીતે જ કોઇ તકલીફ નહી જણાય. તકલીફ એ લોકોને થાય છે, જેમને સપાટ રસ્તો

છોડી પરિસ્થિતિ વશાત ઊબડખાબડ રસ્તે ચાલવાનું આવે છે. આપણાં સંતોએ તેથી જ યોગ્ય

રીતે દુઃખને જીવનમાં પ્રભુની પ્રસાદી-એનું વરદાન લેખીને આવકારવાનું કામ કર્યું છે. દુઃખને

માણસે પોતાના ખમીર અને ખુમારી બતાવવાની શુભ ઘડી માનવાની રહે છે. જયોત ઉપર

વહી જાય છે. એની પાછળ પાતળી ધૂમસેર ઉપર ચડતી રહે છે. તે પૂર્વે આત્મા બીજા કોઇ

શરીરમાં હોય છે અને આગળ નવા નવા શરીરો સાથેનું ભવિષ્ય ઊભુંજ હોય છે. એક

શરીરમાંથી બીજા શરીરમાં જવું તે સંસાર છે. શરીર દશામાંથી અશરીર દશામાં જવું તે મોક્ષ

છે. સંસાર સહજ થઇ ગયો છે. મોક્ષ અસહજ લાગે છે. આ અજ્ઞાન છે. સંસાર અને અજ્ઞાનની

જુગલબંદીમાં જીવ બરબાદ થઇ રહેલ છે. ગુરુ બોલે છે તો એમને એ રીતે બોલવાનો અધિકાર

છે.ગુરુ બોલ્યા તે ગુરુનું પરમજ્ઞાન.આપણને ન સમજાયું તે આપણું અજ્ઞાન. આ અધ્યાતમનું

પ્રારંભબિંદુ છે. અજ્ઞાનનું ભાન થવાથી અજ્ઞાનતો તૂટતું નથી પણ અભિમાન ભાંગી જાય છે.

અષ્ટપદીનો આનંદ અહીંથી પ્રકટે છે.ભકિતમાં સમય જાય છે તેમ હું નથી માનતો-આજ

સમય સફળ બને છે અને ભગવાનના જ પ્રભાવથી જ શકય છે.

અનુક્રમણિકા

વાર્તા નં :૧૧ બળથી નહીં પણ કળથી કામ થાય છે

આ વાર્તા મારા પૂ.રમણીકલાલકાકાએ કહેલ છે તેમનો ખુબજ આભાર. એક ગામમાંથી

એક મહારાજ સાહેબનો વિહાર હતો. ગામના બધા તેમને ગામના પાદર સુધી મુકવા જાય

છે- પછી મ.સા. ને કહે છે કે સામે બે રસ્તા છે તમો ડાબી બાજુના રસ્તાથી નહીં જતા ત્યાં

એક ભીલ રાક્ષસ જેવો છે - જે ત્યાંથી જાય છે તેને મારી ને લુંટી લે છે. મ.સા.કહેકે મને શું

ડરવાનું -ભગવાનની ઇચ્છા હશે તેમ થાશે. હું તો ડાબી બાજુએથી જ જઇશ.

મહારાજ સાહેબ ડાબી બાજુના રસ્તામાં વિહાર કરી ચાલવા લાગ્યા. થોડીવારમાં જ એક

ભીલ કદાવર અને મોટી મોટી મુછો - હાથમાં ભાલો લઇને સામે ઉભો રહી ગયો - મ.સા.

ને કહે છે ખબર નથી - આ જંગલ મારું છે- આ રસ્તામાં જે આવે તેને હું જાનથી મારી નાંખુ

છું એટલે હવે તમે પણ મરવા માટે તૈયાર થઇ જાવ. મ.સા. કહે કે ભાઇ તારામાં તાકાત તો

ખુબ જ લાગે છે- તું તો ખુબ જ શકિતશાળી છો. તારી બાજુમાં આ ઝાડ છે તેના પાંચ પાંદડા

તોડે તો તને માનું. ભીલ કહે છે-એમા શું- લો આ પાંચ પાંદડા તોડી નાંખુ છુ.ભીલે તો એક

સેકંડમાં પાંચ પાંદડા તોડીને મ.સા.ને આપ્યા. મ.સા. કે હવે હું માનું છું કે તું શકિતમાન છો-

પણ જો તું સાચો જ શકિતમાન હોય તો આ પાંચ પાંદડા પાછા ઝાડ પર જયાંથી તોડયા ત્યાં

પાછા લગાડી આપ. ભીલ તો મુંઝાય ગયો. તે કહે તોડી શકાય પણ પાછા કાંઇ લગાડી થોડા

શકાય. મ.સા. કહેછે કે હું તને કયારથી આ જ સમજાવું છું.તારે મારો જીવ લેવો સહેલો છે

પણ જીવ લીધા બાદ તું પાછો થોડો આપી શકીશ. જે ચીજ આપણે પાછી ન આપી શકીએ તે

લેવાનો આપણને હક્ક નથી. પછી તારી મરજી- મારો જીવ હવે લેવો હોય તો લઇ લે અમે

તો સાધુ મહારાજ - અમે તો બધું ત્યાગીને સંયમનો માર્ગ સ્વીકારેલ છે. તું મારું માન અને તું

પણ આ પાપનું કામ છોડી મારી સાથે સંયમ સ્વીકારી ભગવાનની ભકિતમાં જીવન વિતાવીશ

તો સુખી થઇશ. ભીલના હૃદયમાં વાત ઉતરી ગઇ. તે પણ મ.સા. સાથે તેમનો શીષ્ય બની

ધર્મના માર્ગે ચાલીને મોક્ષ ગતિ પામ્યો. આપણામાં બળ ન હોય પણ કળ હોય તો જીવનમાં

ગમે તે મુશ્કેલી આવે સામનો કરી શકાય. પ્રભુ! મને એવી નિર્મળ દ્રષ્ટિનો સ્વામી બનાવો કે

જેના બળે હું પાપોથી નિવૃત થઇને જ રહું.

હું શરીર નથી. હું શરીરમાં છું. હું આત્મા છું.આ બોધ ઉઘડી રહેલ છે.મેં આચરેલો ધર્મ મારા

આત્માને લાભાન્વિત કરી રહેલ છે. આ પ્રતીતી મનમાં જીવી રહી છે. ખૂબ ખુશી મળી રહી

છે. ધર્મ કરવો એક વાત છે. ધર્મમાં આનંદ પામવો બીજી વાત છે. ધર્મ નામના ફૂલમાંથી

આનંદની અઢળક સુવાસ નીકળવી જોઇએ. સુવાસ વિનાનું ફૂલ નકામું, આનંદ વિનાનો ધર્મ

નકામો. ધર્મનો આનંદ નક્કર છે,અઢળક છે અને એ આનંદ વહાલો લાગે છે.

હે પ્રભુ - મેરા મન હો સુંદર - વાણી હો સુંદર – જીવન સુંદર.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૨ જીભ નો ઘા

માતાપિતાની સાથે રહેતા ભાઇ-બહેન. બંનેને પરસ્પર ખૂબ પ્રેમ. શરીર જુદા પણ આત્મા

જાણે એક ન હોય એવી લાગણી! ભાઇ-બહેનનો નિર્દોષ પ્રેમ. સમય જતાં ભાઇના લગ્ન

થયાં. પણ પાત્ર બરોબર ન હતું-આ સંસાર કાયમ માટે સુખમય હોય તો ભગવાનને કોઇ

માનત નહીં.. ચડતી-પડતી-તડકો-છાંયો–ઉદય-અસ્ત આ બધું સંસારમાં અનુભવાય છે.

ભાઇને ધંધામાં જબરી ખોટ આવી.. ખાવા પીવાનાં પણ સાંસા થઇ ગયા. તેવામાં પત્ની પણ

ઘર છોડીને ચાલી ગઇ. કાંચીડો રંગ બદલે તેમ તેનો રંગ બદલાઇ ગયો. હવે શું થયું-તેની

નજર તો તેના રૂપિયા પર હતી અને એક દિવસ બધું ઉઠાવીને પોતાના જુના પ્રેમી સાથે

ભાગી ગઇ. ભાઇને દુઃખ થયું પણ પછી મનને મનાવ્યું કે જે રકમ છે તેમાં કામ ચલાવીશું.

બેન માટે સાચવીને રાખેલ એટલે તેના કામમાં વાંધો આવવાની શકયતા ન હતી. એક વખત

માતાના પેટમાં ભયંકર પીડા-વેદના થઇ. એ દુઃખાવાની પીડામાં માતા ખલાસ થઇ ગઇ.

ભાઇ-બહેન અને પિતા શાંતિથી જીવન વિતાવી રહ્યા છે.એક દિવસ અચાનક બહેન ચીસ

પાડીને જાગી જાય છે. વેૈદ ઉપાય બતાવે છે કે જે રીતે કહું તેમ તેલ બનાવી છ મહિના

બહેનને માલીશ કરો.તેલ બનાવવામાં આવ્યું. તેલથી ભયંકર સહન ન થાય તેવી દુર્ગંધ આવે

છે. બહેનની માલિશ કરવાં કોઇ તૈયાર નથી.પિતાને દમની તકલીફ ને મોટી ઉંમર.. આ સમયે

ભાઇએ છ મહિના સુધી રોજના ત્રણ કલાક માલિશ કરી બહેનનું સ્વાસ્થ્ય સારું થઇ ગયું.

સમય જતાં ભાઇએ બહેન માટે યોગ્ય વરની શોધ કરી. લગ્નપ્રસંગની તૈયારી કરી. કરોડપતિ

ઘરનાં છોકરા સાથે સગપણ નક્કી થયું. ભાઇએ બહેનના લગ્ન કરી વિદાય આપી કરિયાવર

પણ ખુબજ સારો બહેનને કર્યો. થોડા સમય બાદ પિતા પણ આ દુનીયા છોડી ગયા. ભાઇ

બહેનને ખુબજ લાગણી હોય પંદર દિવસે પત્ર લખે. એકાદ મહિને મળી પણ આવે. ભાઇ-

બહેન બંને સુખી છે.ભાઇ એકવાર બહેનના ગામના પાદરે પહોંચે છે.બહેનને સંદેશો

મોકલ્યો.પણ બપોર થવા આવી,બહેન ન આવી.ભાઇને થયું કે બહેન ભુલી ગઇ હશે.

વિશ્વાસ એ સંસારનું બહું મોટુ તત્વ છે.ભાઇની પરિસ્થતિના સમાચાર બહેનને મળી ચુકયા

હતા. કે હવે ભાઇ ખાલી થઇ ગયા છે. ખાવાનું પણ ઠેકાણું નથી. બનેવી પાછલા બારણેથી

બહાર નીકળી ગયા. ઇન-આઉટ ની વ્યવસ્થા રૂપ આ સંસાર છે! વાળ અને દાઢી વધેલાં છે,

કપડાં મેલા છે. બહેન ભાઇને જોઇને કહે છે આટલો મોડો આવ્યોતો જમીને જ આવ્યો

હોઇશ. બહેને એક ઠંડા પાણીનો ગ્લાસ આપ્યો. થોડીવારે પાડોશી સહેલી આવી. બાંકડા

ઉપર બેઠેલા માણસને જોઇને પુછે છે કે આ કોણ આવ્યું છે? જ્ઞાનીઓ કહે છે કે સંસારમાં

સહુ ઇમેજ જાળવવા ટેવાયેલા છે.બહેન બોલે છે આ તો મારા બાપાના ઘરનો રસોઇયોે

આવ્યો છે. બહેનના મુખથી આવા વેણ સાંભળી ભાઇનું ંતર ચિરાઇ ગયું. કાતરની ધાર,

ચપ્પુની ધાર, મશીનની ધાર ઘસાય છે, પણ આ એક એવી ચીજ છે જેમ જેમ ઉંમર થાય તેમ

તેમ ધારદાર થઇ જાય છે. એ ચીજ એટલે જીભ. છરીના ઘા કરતાંય જીભના ઘા ભયંકર હોય

છે.ભાઇની નજર સામે બહેન સાથેની યાદો બાળપળથી માંડીને લગ્ન સુધીની તાજી થઇ.

આટલો પ્રેમ ધરાવતી બહેન માટે હું નોકર બની ગયો. બહેનપણી તો ચાલી ગઇ. બહેને

ભાઇને કહ્યું વહેલો અજવાળામાં ઘરે પહોંચી જજે. તું રોકાવવાનો થોડો છે? ભાઇ ઉભો થઇ

ચાલવા લાગ્યો ત્યારે બહેને ખાવામાટે સવારનો સૂકો બાજરાનો રોટલો થેલીમાં આપ્યો.

ગામ બહાર જઇ ભાઇ વિચારે છે-લોહીના સંબધો પૈસાના સંબધોથી તોલાતા હશે એની

આજે ખબર પડી હવે જીવીને શું કરું?જીવનનો અંત આણવા તૈયાર થાય છે.ધર્મ પામ્યો

હોયતો વૈરાગ્ય તરફ વળે અન્યથા આગમાં બળે. સુખનો સુરજ લાવવા સ્વયં સમજણ લાવવી

જ પડશે.જીવનનો અંત આણવા ભાઇ કૂવાની પાળે ચડયાં છે.તમાચાના માર કરતાં

તિરસ્કારનો માર ભયંકર છે. સંસારમાં એકબીજાનો તિરસ્કાર કરવાનું બંધ કરો. એ સમયે

ત્યાંથી સાધુઓનું વૃંદ વિહાર કરતા નીકળ્યુ.ભાઇ જરાક ઉભો રહે. અવાજની દિશામાં જોયુંતો

સાધુઓ. ધન્ય ભાગ્ય મારા! મુનિ દર્શન મળ્યા. ચોક્કસ સારું થશે. ગુરુદેવની વાત્સલ્યયુકત

વાણી સાંભળી મસ્તક ઝુકાવી ધ્રુસકે ધ્રુસકેે રડે છે. પોતાની આપવીતી સંભળાવે છે. ગુુરુદેવ

ઉદય અને અસ્તની વાત સમજાવે છે. શામ સુરજ કો ઢલના શિખાતી હૈ, ઠોકરે ઇન્સાન કો

ચલના શિખાતી હૈ.ભાઇ, તને લાગેલી ઠોકર જ તને મહાન બનાવશે.ગુરુદેવ કહેછે પાછો

બહેનનાં ગામે જા જયાં ઠોકર લાગે ત્યાં ખોદજે. મન માનતું નથી છતાં તહતિ કરી આશીષ

મેળવે છે. આ આજ્ઞા લઇ નીકળ્યોે.મહાપુરુષોની મહાનતા કેવી છે કે એકબીજાનું નામ પણ

પુછયું નથી. આગળ ચાલતાં રસ્તામાં ઠોકર વાગે છે. ગુરુજી ના વચનને યાદ કરી ત્યાં ખોદે

છે તો ત્યાં રત્નના નિધાન નીકળ્યા. નિધાન એક જગ્યાએ રાખી ધંધાની શરૂઆત કરે છે.૨-

૪ માસમાં કરોડોની સંપત્તિ મેળવી. હોંશીયારી અને વાકચાતુર્યથી રાજ દરબારમાં પણ ઊંચુ

સ્થાન મેળવી લીધું. રક્ષાબંધનનો દિવસ આવતા અચાનક બહેનની યાદ તાજી થઇ. રાજા

પાસેથી અનુજ્ઞા મેળવી હાથી-ઘોડા સાથે બહેનના ગામના પાદરે આવ્યો.નામઠામ અનુસારે

સૈનિકોએ બહેનના ઘરે જઇ આપનો ભાઇ આવ્યો છે એ મુજબ સમાચાર આપ્યા. રાજના

સૈનિકોને જોઇ બહેનના મનમા શંકા પડી કે નક્કી ભાઇએ કાંઇ ગરબડ કરી હશે. મારોતો

કોઇ ભાઇ નથી આજ જવાબ આપી દીધો. સૈનિકો પાછા આવ્યા. બીજા માણસોનેમોકલાવ્યા

આ જ ઘર છે. આજ બહેન છે. બહેન, તમને તમારો ભાઇ બોલાવે છે. બહેન કહે છે, મારો

કોઇ ભાઇ જ નથી. બહેન વિચારે છે કે ઘર બંધ કરી અહીંથી ચાલ્યા જવામાં જ સાર છે.

સૈનિકો આવીને ભાઇને સમાચાર આપે છે. ભાઇ વિચારે છે આ સંસારનો ત્રીજો ફટકો. સગી

બહેન નથી ઓળખતી તો હું તો તેને ઓળખું છું ને! ભાઇ બહેનના ઘર તરફ આગળ વધ્યો.

આ બાજું પાછલે દરવાજેથી બનેવી ઘરે પહોંચી જઇ કહેછે તારો ભાઇ હાથી ઉપર બેસી

ઠાઠમાઠથી તને મળવા આવે છે.જલદી આરતી તૈયાર કર.આરતી લઇ બહેન બારણે ઉભી રહી

ગઇ. ભાઇ આવતાં ઓવારણા લીધાં. આરતી ઉતારી - સુંવાળી રેશમની ગાદી પર બેસાડે છે.

જમવામાં વિવિધ પકવાનો તૈયાર કરે છે. ચાંદીની થાળી પીરસાઇ. ભાઇ! હવે જમવાનું શરૂ

કરો. ત્યારે ભાઇએ પોતાના દાગીના કાઢયા અને બાંસુદીમાં ઝબોળી કહ્યુંકે દાગીનાઓ તમે

જમો. બહેન કહેછે ભાઇ ગાંડાતો નથી થયા ને?ત્યારે ભાઇ કહેછે કે ના બહેન, હવે તો હું

ડાહયો થયો છું. આ મારું જમવાનું નથી. આતો શણગાર જોઇને પીરસવામાં આવ્યું છે. મારું

જમવાનુંતો આ છે.એમ કહી સુકો બાજરાનો રોટલો કાઢે છે. ત્યાં બહેન રડી પડેછે. ભાઇ

મનેે માફ કર. ધનના મોહમાં પાગલ બની ગઇ હતી. ભાઇ કહેછે બહેન રડ નહીં, જ્ઞાનીઓએ

કહેલ સંસાર સ્વરૂપ ને હું જાણી ગયો છું. તને સમજાવવા માટે જ આવ્યો છું. ભગવાન તને

સુખી રાખે. આમ કહી ભાઇ બહેનને ઘણાં રત્નો-આભૂષણો ભેંટ આપે છે. લોહીની સગાઇ

રૂપ આ નાતો છે. એક વાર બહેન તારી ઉપર ક્રોધ હતો. પણ હવે નિર્મળ બન્યો છું મને કોઇ

ઉપર દ્વેષ નથી. હવે હુંં મારા માર્ગે જઇશજીવનનો માર્ગ સ્તવનમાં. જૂઠા જગની જોઇ મેં

જૂઠી રીત રે,જૂઠી રીત રે.જૂઠી રીત રેજૂઠી મમતા.જૂઠી પ્રીત રે..જૂઠા મધપુડસ માંહે મધ

જયાં લગી છે. મધ જયાંંલગી છે.માખીના ફેરા બસ ત્યાં લગી છે બસ ત્યાં લગી છેમધ

ખૂટે મધમાખીની પુરી થઇ પ્રીત રેપુરી થઇ પ્રીત રેેમારું મરણ જયારે નજદીક આવે-સ્નેહી

સ્વજનને મતલબ રડાવે,મતલબ રડાવે,મારાં કરતાં વહાલું સૌને પોતપોતાનું હિત રેસૌને

પોતપોતાનું હિત રેસોેૈને પોતપોતાનું હિત રેભૌતિક સ્તરનાંં જેટલા પણ સુખ હોય

તેનાથી ધર્મનુ સુખ સાવ જુદું છે.ભૌૈતિક સુખનું વર્ણન ભાષા કરી શકે. અંતરંગ સુખનું

વર્ણન ભાષા ન કરી શકે.કબીરદાસજી કહે છે તેમ, દેખન સરિખી બાત હૈ, બોલન સરિખી

બાત નાહીં. માર્ગ પર ચાલવાનો આનંદ, પ્રભુકથિત આરાધના કરવાનો આનંદ છે. માર્ગ

વિકટ અને વિરાટ છે પણ આપનાર પ્રભુ છે તે બહુ મોટી વાત છે. માર્ગ, પ્રભુનો દીધેલો છે

તો ચાલવાની તાકાત પણ પ્રભુ દેશે. રેતીમાંથી તેલ પ્રગટાવવું મોટી વાત નથી. આ દેહમાં

પ્રભુને પ્રગટાવવા એ જ મોટી વાત છે. એમાજ જીવનની સફળતા છે. બીજાને સમાધિ

આપશું તો જ આપણને સમાધી મળશે.ધર્મની માટે વિચારવાથી સૌથી મોટો ફાયદો એ થાય

છે કે સંસાર માટે વિચારવાનું ઓછું થઇ જાય છે. વિચારમાંથી સંસારની જેટલી બાદબાકી

થાય છે તેટલો વિવેકભાવ જાગૃત થાય છે. વિચાર જેટલો સ્પષ્ટ-ગતિ તેટલી તીવ્ર.ધર્મ ક્રિયા

સમજપૂર્વક કરતાં હોઇએ તો એક લાગણી મનમાં સતત રહ્યા કરેઃ ‘મારો મોક્ષ નજીક આવી

રહ્યો છે.’ શરીર શત્રુ નથી. શરીર માધ્યમ છે. સંસાર ગમે તો શરીર સંસાર સાંધવાનુંમાધ્યમ.

ધર્મ ગમે તો શરીર ધર્મ સાધવાનું માધ્યમ. મળવા લાયક તો એકલો આત્મા શરીર વિનાનો

છે. તે હવે સમજાતું થયું છે. આપણે હવે શરીર વિના મળીશું. ક્ષમા રાખો ક્ષમા માંગો-ક્ષમા

આપો.ક્ષમા એ મોક્ષનો દરવાજો છે.વેર થી વેર શમે નહિ જગમાં, પ્રેમ થી પ્રેમ વધે જીવનમાં.

વાર્તાઃઃ૧૩ વચન ની કીંમત

ચ્ર્ઢદ્રડડ દ્દઢણ્ત્ત્ડ્ઢદ્મ ત્ત્ડદ્યડદ્ર ઠથ્ત્ર્ડ ટ્ઠટ્ટઠણૂઃ - ટ્ટદ્રદ્રથ્દ્વ ડ્ડદ્રથ્ત્ર્ ટ્ઠથ્દ્વ, ત્ટ્ટત્ત્ડ્ઢદ્ધટ્ટડ્ઢડ ડ્ડદ્રથ્ત્ર્ ત્ર્થ્દ્ધદ્દઢ ટ્ટત્ત્ઠ્ઠ દ્મથ્દ્ધત્ ડ્ડદ્રથ્ત્ર્ ટ્ઠથ્ઠ્ઠધ્. ચ્ર્થ્ત્ત્ડ્ઢદ્ધડ ણ્દ્મ ટ્ટટ્ઠથ્દ્ધદ્દ દ્મણ્દૃ ણ્ત્ત્ઠઢડદ્મ , ટ્ઠદ્ધદ્દ ણ્દ્દ ઠટ્ટત્ત્ ઠ્ઠડડ્ડડટ્ટદ્દ દ્દઢડ ત્ર્ટ્ટત્ત્ થ્ડ્ડ દ્મણ્દૃ ડ્ડડડદ્દ.

માણસો વચનબદ્ય ન હોેય તેને અભી બોલા અભી ફોક જેવા વિશેષણો લાગે છે. ગંગા ગયે

ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ કહેવાય. જયારે મહાપુરૂષો જે બોલે છે તે પાળે છે. તે

એકજ વાર બોલે છે અને કરીને બતાડે છે. આપણે દિકરા-દિકરીને ઘણીવાર કહીયે છીએ કે

તારા જન્મ દિવસે સાયકલ અપાવીશ. પછી જન્મ દિવસના રોજ તમે બીજું કાંઇક લઇ આવો

છો - આવી રીતે વેપારમાં પણ ઘણીવાર કહીયે છે ઉઘરાણી કરનાર ને કે સોમવારે તમારો

ચેક મોકલશુ. પછીતો ઘણાં દિવસો નીકળી જાયતો પણ ચેક મોકલતાં નથી. આમ કરવાથી

બાળકો - વેપારીના મનમાં તમારી છાપ એમ પડી જાય કે આમની જબાનનોે કોઇ ભરોસો

નહીં . મારી વિનંતી છે કે જે બોલો તે પાળો તે કરી બતાઓ તો જ જીવનમાં આગળ આવશો.

સૂુર્યપૂુર્વનો પશ્ચિમમાં ઉગે એ કદાચ બને હજુ પણ શૂરવીર પુરુષો-મહાનપુરુષો-ઉત્તમપુરુષો

ગુણવાન આત્માઓ એક વાર બોલ્યા પછી કયારેય ફરતાં નથી.એમની જબાન કી કિંમત

ખુબજ હોતી થીજબાન દીયાસો દીયા- ફીર નફા યા નુકસાન સોચતે નહીં થે. લેકીન અપની

જબાન પર અડગ રહેતે થે આજ કે જૈસે નહીં.અભી બોલા અભી ફોક.વચનની કિંમત

સમજતા શીખજો. વાણી મળી છે તો એમજ પાણીના ધોધની જેમ વહાવતા નહીં. ઘી ની જેમ

સમજીને ઉચ્ચારજો. જો તમારાથી શકય ન હોય તેવા વેણ, તેવા વચનો કયારેય બોલવા

નહીં. બધી વાતે વિચાર્યા સમજયા વિના હા હા કરે જવી નહીં. ખોટી બડાશો કાંઇ હાંક હાંક

કરવી નહીં. વચનોના બણગા ફૂંકવા નહીં. હંમેશા જે બોલો તે પાળો.વચનનું કાયમ પાલન

કરવું.જબાનની કિંમત સમજશો તો જ જીવનમાં આગળ વધી શકશો અને તમારી સાખમાં

એમ કહેવાશેકે તેમણે કીધું એટલે પાકું જ તેમ કરશે. તથા કદી અપ્રિય વાણી ઉચ્ચારશો નહીં.

વાણીમાં બને તેટલી નમ્રતા-મીઠાશ-દયા-કરુણા-લાગણી રાખશોજી. તમારા કર્તવ્ય રૂપે સૌનુ

ભલું વિચારો અને ન્યાયનું કામ કર્મના નિયમને સોંપી દેવુ.ન્યાય કરવાવાળા આપણેકોણ ઉપર

પરમાત્મા છે તે કરશે.આપણી ગુજરાતી લોકભાષાના જેમ પ્રસિધ્ધ દુહામાં ગવાયું છે કેઃ

વા ફરે વાદળ ફરે,

ફરે નદીના પુર,

શુરા બોલ્યા ના ફરે,

ભલે પશ્ચિમ ઉગે સુર.

અંગ્રેજોના સમયની એક વાત આનાજ અનુસંધાનમાં જણાવું છું. સાચો કિસ્સો છે.

લક્ષ્મીપતસિંહ નામના જીયાજીગંજના શ્રાવક કલકત્તામાં અંગ્રેજની દુકાને જુદા જુદા કલરના

કાચના ભાવ પુછી રહ્યા હતાં. ટુંકી બંગાળી ધોતી અને ઉપર એક પાતળુ પહેરણ પહેર્યુ

હતુ. હાથમાં ધોતીયાનો છેડો પકડીને ઉભા હત્ાંાં. ઘણાં બધા ગ્લાસના ભાવ પુછતા પણ

કોઇ આઇટમ તેમણે હજી ખરીદી ન હતી. અંગ્રેજ દુકાનદારને થયું મનમાં કે આધાનંગા

જૈસા ખડા હૈ ઓર હરચીજકા દામ પુછકે સર ગરમ કરા હૈ. ઔર કુછ ખરીદના હૈ કી નહીં .

એણે ગુસ્સામાં કહી નાંખ્યુ, કે તું હમાલ જૈસા હર ચીજકા દામ પૂછ રહા હૈ તો કયા કાચ

ખરીદને કો આયા હૈ કી પુરી દુકાન ખરીદને કો આયા હૈ? લક્ષ્મીપતસિંહતો બહુ મોટી હસ્તી

હતી. તેમણે પણ બહુ ઠંડકથી જવાબ આપ્યો કે હર ચીજકા દામ બતાનેકા સમય નહીં હૈ તો

પુરી દુકાન કા ભાવ બતાદો- બોલો કયા ભાવ હૈ પુરી દુકાન કા? અંગ્રેજ વેપારીએ ગરમા

ગરમીમાં ઉતાવળે કહી નાંખ્યુ કે પુરી દુકાન કા ભાવ સાત લાખ રૂપીયા - બોલ હૈ તાકાત

ખરીદનેકી?શેઠશ્રીએ કમર પર બાંધેલા દશ લાખ રૂપીયા બાહર કાઢયા અને અંગ્રેજને કહ્યું ં

કે અભી જો આપ બોલે હો તો એ સાત લાખ ગીનલો.બાકી કી રકમ લૌટાદો ઔર નીકલ

જાઓ બહાર. હમને સારી દુકાન ખરીદ લી હૈ! અંગ્રેજ એક સેકંડનો પણ વિચાર કર્યા વિના

દુકાનમાંથી બહાર નીકળી ગયો અને કહેવા લાગ્યોકે તુમ તુમ્હારે વચન પર અડગ હો તો હું

પણ મારા વચન પર અડગ છું.તુમ ઇંડીયન હો તો મેં અંગ્રેજ હું.જાઓ આજસે એ દુકાન

તુમ્હારે હવાલે.અરસપરસના વચનોની આટલી મોટી કદર હતી. આ દુકાનમાં ૩૨ લાખના

કાચ છે તેમ સ્ટોક લેવાથી ખબર પડી. શેઠેતો માત્ર સાત લાખમાં લઇ લીધા. ઘરે જઇ

બંગલામાં લગાડવાનો વિચાર હતો પણ પૂજય માતુશ્રીએ કહ્યું કે વચનધર્મ ના પાલનથી

મળેલો માલ મહેલ કે બંગલામાં નહીં પણ દેરાસરમાં લગાડો. આ બધા કાચ કાટગોલાના

પ્રસિદ્ધ આદિનાથ ભગવાનના જિનાલયમાં લગાડવામાં આવ્યા. આજે પણ તે કાચમાંથી છ એ

ઋતુઓના સવાર-બપોર-સાંજની સંધ્યાઓમાં વિવિધ કલરો દેખાય છે. કલકત્તામાં દાદાવાડી

નામે પણ ઓળખાય છે.ઉદારતા તીજોરીમાંથી નહિં પણ હૃદયમાંથી પ્રગટે છે.દેહથી સંસાર

છૂટે તેનું નામ ત્યાગ. દિલથી સંસાર છૂટે તેનું નામ વૈરાગ્ય.

રઘુકુલ રીત સદા ચલી આર્ઇ,

પ્રાણ જાય પણ વચન ન જાય.

ભકિતમાં સમય જાય છે તેમ હું નથી માનતો

આજ સમય સફળ બને છે અને

ભગવાનના જ પ્રભાવથી જ શકય છે.

ગુણીજન વિશે પ્રિતી ધરું, નિર્ગુણ વિશે મધ્યસ્થતા,

આપત્તી હો સંપત્તિ હો, રાખું હૃદયમાં સ્વસ્થતા,

સુખમાં રહું વૈરાગ્યથી, દુઃખમાં રહું સમતા ધરી,

પ્રભુ આટલું ભવોભવ મને તું આપજે કરૂણા કરી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૪ પુરુષાર્થનું પરિણામ

જૂના જમાનાની વાત છે. એક રાજાને પ્રધાનમંત્રી નિયુકત કરવાની જરૂર ઉભી થઇ.

પ્રધાનમંત્રી કોને બનાવવા બાબત તે વિચારવા લાગ્યા. તેને એક ઉકેલ આવ્યો. ત્રણ વ્યકિત

પ્રધાનમંત્રી થવા ઇચ્છુક હતા.આ વાર્તા લખતાં લખતાં મનમાં સ્વ. વજુ કોટક લીખીત પુસ્તક

પ્રભાતનાં પુષ્પોની એક ખુબજ સુંદર વાત યાદ આવી છે તે તમના શબ્દોમાં જ લખું છુંઃઃ--

સાગર કિનારે જયારે હું નિરાશ થઇને હું એકલો બેઠો હતો ત્યારે તેમણે કહ્યુંઃવત્સ! તારા

જેવા આ દુનિયામાં ઘણાં છે કે જેઓ જીવનભર કિનારે બેસીને, સાગરના પટ પર આગળ

વધી રહેલા નાવિકોની ખોડખાંપણ જોયા કરે છે. તું પોકાર પાડે છે કે આવા તોફાનમાં

ઝુકાવનારા મૂર્ખા છે. પણ તને ભાન નથી કે મૂર્ખતો એ છે કે જે તોફાનથી ડરીને કિનારે બેસી

રહે છે.ધૂળના ઢેફામાં છુપાએલું સોનુંજો અગ્નિથી ડરવા માંડે તો તે કદીસુવર્ણ રૂપે બહાર

આવતું નથી. ધરતીના પેટમાં પડેલ બીજ કદી પણ એવા વિચાર નથી કરતું કે બહાર ટાઢ અને

તડકો સહન કરવા કરતાં અંદર પડયા રહેવું સારું. એ તો ધરતી ચીરીને બહાર આવે છે અને

ટાઢ તથા તડકામાંથી પોષણ મેળવીને તે વૃક્ષના રૂપમાં પ્રગટ થાય છે. કિનારે પડેલા પથ્થરોથી

ડરીને સાગરનાં મોજા કદી પાછા ફર્યા નથી. તેઓ જાણે છે કે પથ્થરો સાથે અફળાવવાથી

તેમના ટૂકડે ટૂકડા થઇ જશે. આમ છતાં પણ તેઓ ચોવીસે કલાક પથ્થરો સાથે માંથાં ઝીંકે છે

અને આખરે એમને રેતીમાં ફેરવી નાંખે છે. ખરું કહું તો મુશ્કેલીઓ, આફતો અને તોફાનો મેં

એટલા માટે જ પેદા કર્યા છે કે માણસને આગળ વધવાની પ્રેરણા મળે અને મને જાણવાનો તે

પ્રયત્ન કરે. શું તું એટલું પણ નથી જાણતો કે જયારે અગરબત્તી પોતાની જાતને બાળે છે ત્યારે

એેમાંથી પ્રગટ થતી સુવાસ મારાં ચરણો સુધી પહોંચે છે.પુરુષાર્થ એ ભાગ્યની તીજોરીની

ચાવી છે. રાજાએ સંબોધિત કરતાં કહ્યું, જુઓ! આ ત્રણ ઓરડા છે. ત્રણેય ઉમેદવાર અંદર

જશે.ત્યારબાદ ઓરડાનો દરવાજો બંધ કરી બહાર તાળું લગાવી દેવામાં આવશે. જે વ્યકિત

અંદર રહીને તાળું ખોલીને બહાર આવી જશે એને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે. કેટલી

અસંભવ અને સમજણથી પર એવી વાત. અંદર બેઠેલી વ્યકિત બહારનું તાળું કઇ રીતે ખોલી

શકે? ત્રણેેય ઉમેદવાર અંદર ગયા અલગ અલગ ત્રણ ઓરડામાં. બહારથી તાળું લગાવી

દેવામાં આવ્યું. પ્રથમ વ્યકિત એ વિચાર્યુ અંદરથી તાળું ખોલવાનું શકય નથી. એ અંદર જ

બેસી રહ્યો. તેણ્ેા કોઇ પ્રયત્ન ન કર્યો. બીજી વ્યકિત ઊભી થઇ કહે છે આ અસંભવ શરત છે

એમ વિચારી ઓરડામાં જઇ બેસી ગયો.ત્રીજી વ્યકિતએ વિચાર્યું કે આ શરતમાં અવશ્ય કોઇને

કોઇ રહસ્ય હોવું જોઇએ. શરત રાખનાર કોઇ સામાન્ય માણસ નથી. રાજા છે. તે આગળ

વધ્યો. દરવાજો ખખડાવ્યો. થોડો ધક્કો લાગ્યોને દરવાજો ખૂલી ગયો. તાળું ખાલી એમજ

લગાવેલું. બહાર નીકળી ગયો. તેને પ્રધાનમંત્રી પદ મળી ગયું.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૫ વસ્તુનું સાચું મૂલ્ય

એક ધનવાનને હીરા,માણેક વગેરે કિંમતી ઝવેરાત ખરીદવાનો બહુ શોક હતો, જે કોઇ

માણસ એને ત્યાં મહેમાન તરીકે આવે એને પોતાનું કિંમતી ઝવેરાત બતાવે. પેલો મહેમાન

એ ઝવેરાતના વખાણ કરે ત્યારે તેને ખૂબ જ આનંદ થતો.

એકવાર એને ત્યાં એક સંત પધાર્યા. એ સંતને પણ તેણે પોતાનો કીંંમતી ખજાનો બતાવ્યો.

સંતે હીરા, માણેક વગેરે જોઇને પેલા ધનવાનને પૂછયું, તમને આનાથી કશો ફાયદો થાય

છે ખરો? ધનવાન ગર્વભેર બોલ્યો, મહારાજ, એમાથી કશી ઊપજ થતી નથી. ઊલટું એ

કિંમતી વસ્તુઓ સાચવવા માટે મારે બીજો ખર્ચ કરવો પડે છે.

ધનવાન માણસને આ રીતે પોતાની બડાઇ હાંકતા જોઇને સંતે કહ્યું, આટલો બધો ખર્ચ

કરવાનું સાધારણ માણસને કદી ન પરવડે. તમે જરા મારી સાથે આવો. હું પણ તમને કશુંક

બતાવું.એમ કહીને સંત તેને એક ઝુંપડીમાં લઇ ગયા. ત્યાં એક વિધવા બાઇ ઘંટી પર

અનાજ દળી રહી હતી. એ બતાવી સાધુ બોલ્યા,આ ઘંટી પથ્થરની છે અને આ ગરીબ

બાઇને પોતાના ભરણપોષણ જેટલું રળી આપવામાં મદદરૂપ થાય છે. ત્યારે તમારી પાસે જે

કિંમતી પથ્થરાઓ છે એ તો કશા ઉપયોગમાં આવવાને બદલે નકામો ખર્ચ વધારે છે, તેથી

તમારા એ નકામા પથરાઓ કરતાં વિદ્ધાનો આ પથ્થરને ઘણો કિંમતી ગણે કારણકે તે

વિધવાને આધારરૂપ નીવડે છે.સંતના આ વચનો સાંભળીને પેલા ધનવાનનું ગુમાન

ઊતરી ગયું.જેનું અન્ન ભ્રષ્ટ તેનું મન ભ્રષ્ટ - જેનું મન ભ્રષ્ટ તેનું જીવન ભ્રષ્ટ. જેનુ જીવન

ભ્રષ્ટ તેનું મરણ ભ્રષ્ટ. જેનું મરણ ભ્રષ્ટ તેનો પરલોક ભ્રષ્ટ. સુખ-દુઃખ, તડકો - છાંયો

જીવનમાં આવે અને જાય. સુખમાં છકી ન જવું. દુઃખમાં સમતા-હિંમત-સહનશીલતા રાખવી.

સુખ દુઃખની વાત તો મનુષ્ય લલાટે લખાવીને જ આવ્યો છે. કર્મ પ્રમાણે ભોગવવાજ પડે.

શબ્દો તણો વૈભવ નથી, ભાવોનો વૈભવ આપજો.

શકિત તણો વૈભવ નથી, ભકિતનો વૈભવ આપજો.

બુદ્ધિ તણો વૈભવ નથી, શ્રદ્વાનો વૈભવ આપજો.

વિજ્ઞાન તણો વૈભવ નથી, વૈરાગ્ય વૈભવ આપજો.

પ્રભુ ને પૂજે તે પૂજનીય બને.

પ્રભુ ને સ્તવે તે સ્તવનીય બને.

પ્રભુ ને નમે તે નમનીય બને.

અનુક્રમણિકા

વાર્તા નં :- ૧૬ હેર હીટલર

જર્મનીનો હેર હીટલર ઠંડીમાં થરથર ધ્રૂજી રહ્યો હતો. તે અકિંચન ખૂબ જ ગરીબ હતો, તેની

પાસે એક પણ પૈસો ન હતો. રસ્તામાં કચરો વીણીને માંડ ખાવાનું પુરુ થતું. ઠંડી ખૂબ હતી.

શરીર ઠંડીથી ધ્રુજતું હતું. ભિખારી જેવી દશામાં તેણે સ્વેટરની દુકાન ધરાવતા એક યહૂદી

પાસે માંગ્યું - આ ઠંડી મારાથી સહન નથી થતી એક ઓવરકોટ મને આપો. આ ઠંડીથી મારું

મોત થશે તેવું લાગે છે. ડીફેકટીવ ઓવરકોટ પણ ચાલશે. મહેરબાની કરો- દયા કરો - એમ

આ બાળક વિનંતી કરી ખુબ કરગર્યો - મારી પાસે પૈસા થશે એટલે સામેથી હું તમોને આપી

દઇશ. પણ પેલો યહૂદી દુકાનદારે વોચમેન પાસે ડંડો મરાવીને અપમાનીત કરીને હાંકી

કાઢયો-આ બાળક મોટો થયો ને હેર હીટલર તરીકે દેશનો વડો બન્યો. હીટલરના મનમાં

વેરની ગાંઠ યહૂદી માટે વસી ગઇ - શું યહૂદી આટલા ક્રુર–નિષ્ઠુુર અને પથ્થર દીલ છે જે

મરતાં માણસને એક કોટ પણ ન આપી શકે. મારું ચાલશેતો એક પણ યહૂદીને જીવતો નહીં

રહેવા દઉં. તેઓતો જમીનનો ભાર વધારે છે. તેણે વેર વસુલ કરવા ગેસ ચેમ્બરની યોજના

કરી હજારો યહૂદીઆને ભેગા કરી ગુંગળાવીને મારી નાંખ્યા. એક સાધારણ ઘટનાનું કેટલું

મોટું પરિણામ.એટલે લખુંછું કે જીવનમાં દયા-પરોપકાર-દાન કોઇકવાર કોઇક સારું કાર્ય

કરવાની તક મળેતો છોડવી નહીં..દુઃખને દૂૂર કરવા માટે સર્વ પ્રાણીઓ રાતદિવસ પ્રયત્ન કરે

છે. પણ દુઃખની પાછળ રહેલા પાપને દૂર કરવાનો પ્રયત્ન કોઇ વિરલ આત્માજ કરે છે. સંત

પાસે એક યુવાન આવ્યો. યુવાનનો પ્રશ્ન હતો.તમે ભગવાનની વાત ઘણી કરો છો, પણ

મારે એ ભગવાનને મળવું છે. જો ભગવાન હોય તો મને બતાવો. સંતે કહ્યુંઃ મારી પાછળ

પાછળ ચાલ્યો આવ. વહેતી ગામની બહાર નદીમાં સંતે પગ મૂકયો. યુવાન પણ સંતને

અનુસર્યો. નદીના મધ્યભાગમાં આવતાં જ સંતે યુવાનને બોચીથી પકડી નદીમાં ડૂબાડી દીધો.

પાંચ મિનિટમાં બહાર કાઢયો, અને સંત પાછા કિનારે આવી ગયા. યુવાન ધુંવાપૂવા થઇ

ગયો હતો. સંતે પૂછયુંઃ મેં જયારે તને નદીમાં ડૂબાડી દીધો ત્યારે તને શું વિચાર આવ્યો?

યુવાને ગુસ્સાથી કહ્યુંઃ બીજા શું વિચાર આવે? એક માત્ર જીવ બચાવવા માટે હું તડપતો

હતો. સંતે કહ્યું : જે દિવસે ભગવાનને મળવા માટે આવી તલપ પેદા થશે તે જ દિવસે તને

પરમાત્માનું મિલન થઇ જશે. ભકતને પ્રભુમિલન માટેની તડપન હોવી જોઇએ. હૃદયમાં દયા

અને કરૂણા રાખનારો શાંતિ અને શાતા પામે છે. વ્યવહારમાંનીતિમત્તાને, પ્રામાણિકતા

રાખનારો,જીવન સંતોષને પામે છે. વિચારોમાં વિશુદ્ધિ અને આચારમાં શુદ્ધિ પવિત્રતાને પામે

છે. બંધ મુઠ્ઠી કરતાં ખુલ્લા હાથ ઘણાં મિત્રો બનાવી શકે છે.

બધાયને મિત્ર નથી બનાવી શકતા?

દુશ્મન એકને પણ ન બનાવશો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૭ રીક્ષાવાળા ભાઇની વાત

અમદાવાદનાએ સુશ્રાવક - નામ વિનોદભાઇ - ચલાવે છે એ રિક્ષા. રાત્રિભોજન એ કરતા

નથી અને પ્રભુની પૂજા કર્યા વિના એ રહેતા નથી. સાધુ-સાધ્વીજી પ્રત્યેએમનો બહુમાનભાવ

ભારે પ્રશંસનીય છે તો પ્રવચન શ્રવણનો રસ એમનો અનુમોદનીય છે. પૂજયપાદ આચાર્ય

ભગવંત શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમના એક પ્રવચનમાં કહ્યું

હતું કે કોઇ પણ મુમુક્ષુની પત્રિકા આવેતો એ પત્રિકા વાંચીને એમનેમ મૂકી ન દેતા પણ એ

મુમુક્ષુનાએ પરાક્રમની અનુમોદના કરવા કાઇંક ને કાંઇક સત્કાર્યતો કરીને જ રહેજો.

આ વિનોદભાઇએ એ દિવસથી નક્કી કર્યું કે કોઇ પણ દેરાસરે કે ઉપાશ્રયે લાગેલ દીક્ષાની

પત્રિકા મારા વાંચવામાં આવશે અને એ દીક્ષાર્થી ભાઇ કે બહેનજો અમદાવાદના જ હશે તો

એમના ઘરે રિક્ષા લઇને હું પહોંચી જઇશ અને એમને વિનંતિ કરીશ કે અમદાવાદના કોઇ

પણ પાંચ દેરાસરે દર્શન કરવા મારી રિક્ષામાં બેસવાનો લાભ મને આપે. સાહેબજી છેલ્લે

જયારે વિનોદભાઇને મળ્યાં ત્યારે પુછયું કે રિક્ષામાં મુમુક્ષોને બેસાડવાનો લાભ મળે છે?

આજ સુધીમાં કેટલાં મુમુક્ષુઓનો લાભ મળ્યો. જવાબમાં વિનોદભાઇએ કહ્યુંકે અડસઠ

મુમુક્ષુઓનો. અને ઉર્મેયુ કે મારી ભાવના છે કમ સે કમ ૧૦૮ મુમુક્ષુઓ મને લાભ આપે.

હું પણ ધન્ય થઇ જાઉં અને મારી રિક્ષા પણ ધન્ય થઇ જાય! આટલું બોલતાં બોલતાં એમની

આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તમારી પાસે ગાડી છે કદી આવો વિચાર આવ્યો?

જીવનમાં ધર્મપ્રવૃત્તિની તકને શોધતા ફરજો. .જે બીજાના દુઃખે સુખી થાય તે શયતાન છે.,જે

બીજાના સુખે દુઃખી થાય તે હેવાન છે, જે બીજાના સુખે સુખી થાય તે ઇન્સાન છે, જયારે

જે બીજાના દુઃખે દુઃખી થાય તે ભગવાન છે. મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી

કીલો હોય છે. અને અગ્નિસંસ્કાર બાદ તેની રાખનું પણ વજન અઢી કીલો જ હોય છે.

જીંદગીનું પહેલું કપડું જેનું નામ ઝભલું. એમા ખીસુ ન હોય અને જીંદગીનું છેલ્લું કપડું કફન

એમાય ખીસુ ન હોય. તો વચગાળાના ખીસા માટે આટલી બધી ઉપાધી શા માટે? આટલી

બધી દોડધામ શા માટે?

બીજાનેે જ્ઞાન આપીએ તો આપણું જ્ઞાન સુરક્ષિત.

બીજાને ઘન આપીએ તો આપણું ધન સુરક્ષિત.

બીજાને સુખ આપીએ તો આપણુંં સુખ સુરક્ષિત

બીજાને જીવન આપીએ તો આપણુ જીવન સુરક્ષિત.

જનમ પછી મરણ નિવારી નથી શકાતું પણ સુધારી જરૂર શકાય છે માટે

ધર્મ સ્વીકારી જીવન સુધારી લે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૮ સ્ટીમરમાં ધક્કો

સાગર ની સફરે નીકળેલા ચિન્ટુ, પિન્ટુ,મિન્ટુ અને રિન્કુ ઉભા હતા સ્ટીમરના તૂતક પાસે અને

અચાનક શું થયું, સ્ટીમરમાં બેઠેલા અન્ય યાત્રીઓમાંના કોક એક યાત્રીનો સાગરમાં

પડવાનો અવાજ સંભળાયો. બધાય તૂતક પાસે એકઠાતો થઇ ગયા પણ કોઇ કાંઇ સમજે એ

પહેલાતો ચિન્ટુને એ યાત્રી પાછળ સાગરના પાણીમાં ઝંપલાવતો સહુએ જોયો અને સહુના

શ્વાસ અદ્વર થઇ ગયા. સહુના મોઢામાંથી ચિન્ટુ માટે ધન્યવાદના શબ્દો નીકળી ગયા. અને

માત્ર વીસેક મીનીટનો સમય પસાર થયો અને પેલા પડી ગયેલા યાત્રી સાથે ચિન્ટુ છેક સ્ટીમર

પાસે આવી ગયો. તૂતક પાસે ઉભેલા સહુંએ દોરડું નાંખીને એ બંનેને ઉપર લઇ લીધા.

સાંજના સમયે સ્ટીમરપરના યાત્રીઓએ ચિન્ટુએ કરેલ આ ભવ્ય પરાક્રમ બદલ એનો

બહુમાન સંભારભ યોજયો. એ બહુમાન સંભારભમાં દરેક યાત્રીએ પ્રશંસાના શબ્દોનો ધોધ

વહાવ્યો. છેલ્લે સભારંભના અધ્યક્ષે ચિન્ટુને બે શબ્દો બોલવાની વિનંતિ કરી. ચિન્ટુ બોલવા

ઉભો થયો. જેવું માઇક એણે હાથમાં લીધું એ જોરથી બરાડી ઉઠયો - પહેલા મને એ જવાબ

આપો કે સ્ટીમરના તૂતક પરથી ધક્કો મારીને સાગરના પાણી પર ધકેલ્યો કોણે? હા, અપાત્ર

પાસે આગ્રહ કરીને જયારે પરોપકાર કરાવવામાં આવે છે ત્યારે આ કરૂણતા સર્જાય છે.

જે સંપત્તિ ઘરમાં આવ્યા બાદ સંતતિ સાથે નાતો તોડાવતી હોય, જે દોલત કુટુંબના દિલ

તોડવાનું કારણ બનતું હોય, જે શ્રીમંતાઇ સંતો સાથેનો નાતો તોડાવતી હોય, જે ધન ધર્મ

સાથેના સંબંધ તોડાવતું હોય - એ સંપત્તિ, એ દોલત, એ શ્રીમંતાઇ,એ ધન શું કામની?

હૈયે વસેલા નાથ ! તારી અજબ સુંદર મૂર્તિ

જોયાં કરું અનિમેષ નયને તોય તૃપ્તિ ના થતી,

વસવા મળે ભવોભવ મને બસ આપના ચરણો મહીં,

એથી વધું ઓ નાથ ! હું માંગુ બીજું કશું એ નહીં..

અણમોલ માનવના ભવે પંચાત મેં બીજી કરી

પલ પલ તૂટે છે આયખૂં એ વાત દિલમાં નવિ ધરી

વીતરાગના વચનો વિષે બેકાળજી બની રહ્યો

નરભવ મળ્યો મુજ દોહિલો, હારી ગયો !

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૯ ડોશી અને શેઠની કથા

સાલ સંવત ભલે ભૂંસાઇ ગયા હોય પણ એ વાત હજી જીવતી-જાગતી આજે પણ ઇતિહાસના

પાને સંઘરાયેલી પડી છે.એક રમણીય શહેર! શહેર વચ્ચે જ એક સુંદર બંગલો! બંગલામાં

રહે એક કરોડપતિ શેઠ! બંગલાની સામેજ એક નાનકડી મઢૂલી! મઢૂલીમાં કોઇ ન રહે,

સિવાય એક ઘરડાં ડોશી. આ ડોશી શ્રાવિકા હતી. શેઠને ત્યાં ધનના ઢેર! ઘર આંગણે

આવેલો કોઇ પાછો ન જાય , જે આવે તેને ખોબો ભરી ભરીને શેઠ સૌનેયા આપે. સવારના

શેઠ ઊઠે ત્યારે બંગલાની આગળ માણસોની લાઇન લાગી હોય! રોજ સવારના ઊઠીને કલાક

સુધી દાન કરવાનો શેઠનો કાર્યક્રમ! કલાકમાં તો શેઠ હજારો નહીં તો લાખો સોનૈયા વેરી દે.

ડોશીમાંને ઉઠવાનો પણ એ જ ટાઇમ! ડોશીમાં ઉઠીને સીધા મંદિરે જાય. દર્શન કરે, ગુરુવંદન

કરે ને ઘરે આવી સામાયિક લઇને બેસી જાય.શેઠનો દરરોજનો કાર્યક્રમ દાન દેવાનો.

ડોશીનો દરરોજનો કાર્યક્રમ સામાયિક કરવાનો. બંને એક બીજાને જુવે! બંને એકબીજાનાં

સાક્ષી .એક દિવસની વાત છે. કોણ જાણે શું બન્યું? ન શેઠ આખા દિવસમાં દાન દઇ શકયા,

ન ડોશીમા આખા દિવસમાં સામાયિક કરી શકયા! બંનેને કંઇ અંતરાય નડયો. પોતાનો

નિયમ તૂટયો તેથી બંનેના રંજ નો પાર ન રહ્યો.સાંજ પડી. બંને ભેગા થયાં ને ખૂબ પસ્તાવો

કરવા માંડયા. શેઠ કહેઃ હું દાન ન દઇ શકયો! ડોશી કહેઃહુ સામાયિક ન કરી શકી ! શેઠ

ને થયુંઃડોશી જબરી છે.મારા લાખ સોનૈેયાનાં દાન સાથે એની એક સામાયિકને સરખાવતાં

એને શરમ નથી આવતી?શેઠનો અભિમાનનો પારો સાતમે આસમાને ચડી પોકારી ઉઠયો,

અરે ડોકરી! તું વળી શીદને આટલો પસ્તાવો કરે છે? એક મુહપત્તિનો કકડો આમથી તેમ

ન ફેેરવ્યો એમા તારું શું જતું રહ્યું? એમા વળી કયો મોટો ધર્મ થઇ જવાનો હતોને પુણ્ય

બંધાઇ જવાનું હતું! પૈસાનો ખર્ચ નહીં ને બે ઘડી આરામનો આરામ ! એમા જ બધો ધર્મ

થઇ જતો હોત તો લાખો સોનૈેયાનું દાન કોઇ કરત જ નહીઁ .પોતાની સામે નહીં પણ

સામાયિક જેવા મહાનધર્મ સામે આક્ષેપ આવતાં ડોશી ઝાલ્યાં ન રહ્યાં. ડોશી કહે, શેઠ!

તમે દાનેશ્વરી -તમને પગે લાગીએ, પણ તમે મનમાં ફાવે તેમ બોલો એ તો સારું ન

કહેવાય. તમે સામાયિકના ફળને જાણતાં નથી એટલે આવું બોલો છો પણ ભગવાનતોકહે

છે,હીરાના ઘુમ્મટવાળું,સોનાની દીવાલોવાળું,મોતીના પગથિયાવાળું, મારું મંદિર કરાવો

અને જે પુણ્ય થાય તે કરતાં એક સાચી સામાયિકમાં વધુ પુણ્ય બંધાય! શું ભગવાન આવું

કહી ગયા એ ખોટું હશે?શેઠના દાનાભિમાનના ઉભા કરેલા મહેલમાં એક જબરદસ્ત

ધરતીકંપનો આંચકો આવ્યો!શેઠ કંઇપણ જવાબ આપ્યા વિના ચાલતા થયા. ડોશીમાં પોતાને

કામે લાગ્યાં.વર્ષો સુધી બંનેનો આ કાર્યક્રમ ચાલુ જ રહ્યો! બંનેના માથાના વાળ હવે ધોળા

થયા. માથે મોતના દૂતો આંટા મારવા લાગ્યા. પહેલા કોણ સપડાશે. એ કુદરતના ખોળે

ખેલાતો પ્રશ્ન હતો.એમા એક ગોઝારી રાત્રે બંગલામાં કરૂણ ચીસો સંભળાણી, ડોશીમાં

સફાળા જાગી ઉઠયાં. પૂછયું તો ખબર પડી કે શહેરમાં અનેક સખાવતો કરનાર, છૂટે હાથે

લક્ષ્મીનું દાન કરનાર કરોડપતિ શેઠ એકાએક મૃત્યુની પથારીમાં પડયા છે, એમની આ કરુણ

ચીસો સંભળાયછે!ડોશીમાં લાકડીના ટેકે બંગલાનું કમ્પાઉન્ડ વટાવી ઝડપભેર શેઠને

સહાનુભૂતિ બતાવવા ઉપર ચઢવા માંડયા,પણ એ પૂરાં પગથીયાં ન ચઢી શકયાંને શેઠનો

પ્રાણદીપ બુજાઇ ગયો. શેઠનું ખોળિયું એમને એમ રહ્યું. ને આર્તધ્યાનના પનારે પડેલો શેઠનો

આત્મા તિર્યંચગતિમાં હાથી બનીને ફરવા લાગ્યો. દાનનું અભિમાન,માનનીલાલસા,ધર્મક્રિયા

પ્રત્યે તુચ્છતા,આ ત્રણ પાપના શાપે બિચારા શેઠને કયાંય ધકેલી દીધા.

થોડાં વરસ વીત્યાંને ડોશીમાનો નંબર લાગ્યો. ડોશીમાના જીવનદીપમાં તેલ ખૂટવા માંડયું.

એ પણ મરણશય્યા પર પડયાં, પણ એમનું મોં હસતું હતું. એમના મોં પર જીવવાનો લોભ કે

મરવાનો ભય જરીએ દેખાતો ન હતો. દરરોજ બે ઘડી જગતથી જુદા પડી આત્માના

સાંનિધ્યમાં બેસવાની પાડેલી શુભ ટેવનું જ આ પરિણામ હતું.એક સમી સાંજે, એ દીવો પણ

બુઝાઇ ગયો. એ દીવાની બુઝાઇ ગયેલી આત્મજયોત તે જ નગરના રાજવીના રાજમહેલમાં

રાજપુત્રીના રૂપમાં ઝળહળી ઊઠી.. બે ઘડીના સામાયિકે સમતાભાવે ડોશીમાને રાજકુમારી

બનાવી દીધાં.

એક દિવસની વાત છે. રાજપુરુષો કોઇ સુંદર હાથીની શોધમાં વન-વન ભમી રહ્યા છે, એમા

એક હાથી એમની જાળમાં સપડાઇ જાય છે. એ હાથી બીજો કોઇ નહીં - એ જ નગરનો

કરોડપતિ શેઠ! રાજા હાથીને જોઇ ખુશ થઇ જાય છે ને પટહસ્તીનું બિરુદ આપે છે. પટહસ્તી

પર બેસી રાજા આખા નગરમાં ફરવા નીકળે છે. રાજપુત્રી પણ સાથે છે. રાજા જે રસ્તે જઇ

રહ્યા છે, એ જ રસ્તે શેઠની હવેલી અને ડોશીમાનું ઘર છે.

હાથી ધીરે ધીરે આગળ વધી રહ્યોે, ત્યાં જ હાથીની નજર હવેલી પર પડે છે. હવેલી પર નજર

પડતાં જ હાથીને પૂર્વજન્મનું સ્મરણ થાય છે ને એ જ ક્ષણે મૂર્ચ્છા ખાઇને પોતે ધરતી પર ઢળી

પડે છે. ચારે બાજુ હાહાકાર મચી જાય છે. કોઇપણ હિસાબે હાથી ઊભો થતો નથી. હવે

કરવું શું?એ વિચારમાં બધા ઉભા છે. ત્યાં તો બીજી અહૃઢ અવનવી ઘટના બની જાય છે.

રાજપુત્રીની આંખ પોતાના ઘર ઉપર પડે છે ને એકાએક એને પણ પૂર્વજન્મનું સ્મરણ થઇ

જાય છે અને મૂર્ચ્છા ખાઇને નીચે પડી જાય છે. ભાનમાં આવીને રાજપુત્રી બધું જ સમજી જાય

છે. તરત જ હાથી પાસે જઇ એને ઊભા કરવા પ્રયત્ન કરે છે. પણ એ શાનો ઊભો થાય? એ

તો બેભાન છે! તરત જ રાજપુત્રી મોટેથી કાનમાં કહે છે. શેઠ! ઊઠો. ભ્રમણાને દૂર કરો.

તમે દાનના પ્રભાવે પટહસ્તી બન્યા છો ત્યારે હું સામાયિકના પ્રતાપે રાજકુમારી બની છું.

કારણ દાન કરતાં સામાયિક વધુ કિંમતી છે.રાજકુમારીના બોલ કાને પડતાં જ હાથી ઊભો

થઇને ચાલવા માંડયો. બધાં જોતા જ રહ્યાં. એક રાજપુત્રીએ શો ચમત્કાર સજર્યો!

રાજકુમારીએ હાથીને તથા તમામ રાજયપરિવારને પોતાનો અને હાથીનો પૂર્વભવ કહી

સંભળાવ્યો. પૂર્વભવ સાંભળતાં જ હાથીને પોતાની ભૂલનું ભાન થયું - પ્રતિબોધ પામ્યો ને

એ દિવસથી પોતે હાથી છતાં દરરોજ સવાર-સાંજ બે સામાયિક ભાવથી કરવા લાગ્યો.

દરરોજ સવાર-સાંજ સામાયિક કરતી વખતે જમીન પર નીચી દ્રષ્ટિ રાખી રાજપુત્રીની સામે

એ બે ઘડી ઊભો રહેતો. સામાયિક પૂર્ણ થતાં રાજપુત્રીને માથું નમાવી એ ચાલ્યો જતો.

જીવનના છેડા સુધી એણે એનો આ નિયમ પાળ્યો. અંતે એ જ બેઘડીના બે સામાયિકે એને

આયુષ્ય પૂર્ણ થતા આઠમા સહસ્ત્રાર દેવલોકના દેવનું સ્થાન અપાવી દીધું. શાસ્ત્રના શબ્દોમાં

વિચારવા જઇએ તો માત્ર બેઘડીના એક સામાયિકથી બાણું ક્રોડ ઓગણસાઠ લાખ, પચ્ચીસ

હજાર નવસો પચ્ચીસ જેટલું પલ્યોપમનું દેવભવનું (અસંખ્ય વર્ષોનું) આયુષ્ય બંધાય છે.

બીજુ કાંઇ ન કરી શકો તો છેવટે જીવનમાં દરરોજ એક સામાયિક કરી બે ઘડી જગતની

તમામ ઝંઝાળોમાંથી મુકત થઇ મૌન પણે સમભાવે આત્માના સાનીધ્યમાં બેસવાની પ્રતિજ્ઞા

કરો તોપણ તેનો ઉદ્વાર થઇ જાય.

મારા મૃત્યુને, સ્વામી સુધારશો. (રાગ - જરા સામને તો આ)

મારું આયખું ખૂટે જે ઘડીેએ, ત્યારે મારા હૃદયમાં પધારજો,

છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો , મારું આયખું ખૂટે.

જીવનનો ના કોઇ ભરોસો, દોડાદોડીના આ યુગમાં,

અંતરિયાળે જઇને પડું જોે ઓચિંતા મૃત્યુના મુખમાં,

ત્યારે મારા સ્વજન બની આવજો, થોડા શબ્દો ધર્મના સુણાવજો.

છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આયખું ખૂટે.

દર્દો વધ્યા છે આ દુનિયામાં મારે રિબાવી રિબાવીને,

એવી બીમારી જો મુજને સતાવેછેલ્લી પળોમાં રડાવીને ત્યારે મારી મદદમાં પધારજો,

પીડા સહેવાની શકિત વધારજો.

છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આયખું ખૂટે.

જીવવું થોડું ને ઝંઝાળ ઝાઝી, એવી સ્થિતિ છે સંસારની,

છુટવા ના દે છેલ્લી પળોમાં.ચિંતા મને જો પરિવારની,

ત્યારે દીપક તમે પ્રગટાવજોમારા મોહ તિમિરને હટાવજો,

છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આયખું ખૂટે.

ઊંથ્ણ્ત્ત્ડ્ઢ ત્ર્થ્દ્રડ દ્દઢટ્ટત્ત્ ણ્દ્મ ડદૃથ્ર્ડઠદ્દડઠ્ઠ દ્દથ્ ત્ર્ટ્ટણૂડ ટ્ટત્ત્થ્દ્દઢડદ્ર’દ્મ ત્ણ્ડ્ડડ ટ્ટ ત્ણ્દ્દદ્દત્ડ ત્ર્થ્દ્રડ ટ્ઠડટ્ટદ્રટ્ટટ્ઠત્ડ

દ્વણ્દ્દઢથ્દ્ધદ્દ દ્ધદ્દદ્દડદ્રણ્ત્ત્ડ્ઢ ટ્ટ દ્મણ્ત્ત્ડ્ઢત્ડ ઠથ્ત્ર્થ્ર્ત્ટ્ટણ્ત્ત્દ્દ ત્ર્ડટ્ટત્ત્દ્મ ઠથ્ત્ર્થ્ર્ટ્ટદ્મદ્મણ્થ્ત્ત્.

ચ્ર્થ્ ણૂણ્ત્ત્ થ્દ્ર ઢદ્ધદ્રદ્દ ટ્ટત્ત્ધ્ ત્ણ્દ્યણ્ત્ત્ડ્ઢ ટ્ઠડણ્ત્ત્ડ્ઢ ટ્ટત્ર્થ્દ્ધત્ત્દ્દદ્મ દ્દથ્ ણૂણ્ત્ત્ણ્ત્ત્ડ્ઢ થ્દ્ર ઢદ્ધદ્રદ્દણ્ત્ત્ડ્ઢ થ્ત્ત્ડ દ્મડત્ડ્ડ.

ઊથ્ત્ર્થ્ર્ટ્ટદ્મદ્મણ્થ્ત્ત્ દ્દથ્ થ્દ્દઢડદ્રદ્મ ણ્દ્મ ઠથ્ત્ર્થ્ર્ટ્ટદ્મદ્મણ્થ્ત્ત્ દ્દથ્ થ્ત્ત્ડ’દ્મ થ્દ્વત્ત્ દ્મડત્ડ્ડ.

‘ચ્ર્ણ્દ્રદ્દઢટ્ટત્ત્ણૂટ્ટદ્ર ઉંઢટ્ટડ્ઢદ્વટ્ટત્ત્ ચ્દ્રણ્ ખ્ર્ટ્ટઢટ્ટદ્યણ્દ્ર ચ્દ્વટ્ટત્ર્ણ્.‘

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૦ અમર ફળ

રાજાને અમર ફળ ભેંટમા આવ્યું તેણે પીંગલારાણીને ભેંટ આપ્યું. પીંગલારાણીએ અમરફળ

મહાવતને આપ્યું. ત્યારે મહાવતતે અમરફળ વેશ્યાને આપે છે આ ફળ તું ખાઇ લે-અમર બની

જઇશ. કહે છે કે તારા વગર મને નહી ચાલે માટે જ આ ફળ તને આપું છું. આના વગર મને

નહી ચાલે તે રાગ,બધા વગર ચાલે,ફાવે તે વૈરાગ્ય. વેશ્યા-મનમાં વિચારે છે કે હું અમર

બની જીંદગીભર પાપો જ કરવાની. તેના કરતાં કોઇક ધર્માત્માને આ ફળ આપું. આખા

નગરનો રાજા જ સૌથી વધુ ધર્માત્મા છે.ફળ લઇને રાજાને ભેંટ ધરે છે અને કહેછે આ

અમરફળ આપ ખાઇ લો. માણસ વાણીથી મપાય. સોનું કસોટીથી પરખાય. ફળ જોઇને રાજા

વિચારે છે કે મારાથી શરૂ થયેલું પાછું મારી પાસે આવ્યું. વિષયની વાસના છૂટે તોજ આત્મઘર

તરફ પગલાં પડે. પ્રભુ!કેવા મુરખ બન્યાં અમે? દુઃખમાંથી સુખમાં જવાના પ્રયત્નોતો અમે

જીવનભર કર્યા પણ સુખમાંથી આનંદમાં જવાની વાત તો અમે ભુલી જ ગયા. આશિષ આપો

અમને કે અમે આત્માના આનંદરસને શોષી કે ખતમ કરી નાંખે એવા એક પણ પ્રકારના

પરિબળને હૃદયમાં સ્થાન ન આપીએ કે ન જીવનમાં અપનાવી બેસીએ.

વ્હાલા મારા હૈયા માં રહેજે, ભૂલું ત્યાં તું ટોકતો રહેજે

માયાનો છે કાદવ એવો, પગ તો ખૂંચી જાય ;

હિંમત મારી કામ ન આવે, તું પકડજે બાંય. વ્હાલા મારા.

મરકટ જેવું મન અમારું જયાં ત્યાં કૂદકા ખાય;

મોહ મદિરા ઉપર પીધો, ને પાપે પ્રવૃત્ત થાય. વ્હાલા મારા..

દેવું પતાવવા આવ્યા જગમાં, દેવું વધતું જાય;

છૂટવાનો એક આરો હવે તો, તું છોડે છુટાય, વ્હાલા મારા.

પુનિતનું આ દર્દ હવે તો, મુખે કહ્યું નવ જાય;

સોંપી મેં તો તારા શરણમાં, જે થવું તે થાય. વ્હાલા મારા.

મા તે મા, બીજાં વગડાના વા.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૧ ખેમચંદ શેઠ

ખેમચંદ શેઠ દુકાનેથી થાકયા પાકયા ઘરે આવ્યાં. હજુ ઘરમાં પગ મૂકયો ન મૂકયો ત્યાં પત્નિ

તાડુકી- તમારાં ઘરડાં મા-બાપથી હું કંટાળી ગઇ છું. આખો દિવસ ઘરમાં કચ કચ કર્યા કરે

છે, તમો આખો દિવસ દુકાને હોવ, અહીંયા મા-બાપની કચ કચ મારે સહન કરવાની એ તે

વળી કેવુંઘરમાં હું તો હેરાન થઇ ગઇ છું. વળી તમારા મા-બાપ વારંવાર મારુ અપમાન કરે

છે. એટલુંજ નહીં વારંવાર શિખામણ આપ્યા કરે છે.એક કહેવત છે કે શિખામણ આપવી

ગમે પણ લેવી ન ગમે. પત્નિ વધુમાં જણાવે છે કે હું જાણે નાનું છોકરું ના હોઉ એ રીતે

શિખામણ આપે છે. જાણે મને કોઇ સમજણ જ ન પડતી હોય,સવારે મારા હાથમાંથી કાચનું

વાસણ પડી ગયું અને ફુટી ગયું.અને તમારી મા એ બોલવાનું ચાલુ કરી દીધું.બેટા વસ્તુ

સાચવીનેલો તો આવું ન બને.હવે કાચ સાફ કરી લે જે નહી તો કોઇના પગમા આવી જશે કે

કોઇને વાગી જશે તો લોહીલુહાણ થઇ જશે.તમે જ કહો કે તૂટેલી વસ્તુના કાચ હું કાંઇ એમ

જ પડયા રહેવા દઉ એવી છું? જરૂર હોય કે ના હોય શિખામણ આપ્યા જ કરે છે.ખેમચંદશેઠે

કહ્યુંકે,અરે મારી બા જેવીતો બીજી કોઇની બા નથી. પેલી રમીલાને તો તું ઓળખે છે ને.તેની

સાસું તો બોલે તો છે પણ જે હાથમાં આવે તે વસ્તુનો ઘા પણ કરે છે. મારી બા તો તને વહું

નહીં પણ દીકરી સમજીને પ્રેમથી કહે છે. તારા પ્રત્યે એને લેશ માત્ર દુર્ભાવ નથી, કેટલીય

વાર તારી ગેરહાજરીમાં મારી પાસે તારા વખાણ કરે છે. પત્નિ બોલી મારે આવું બધું કશુ જ

સાંભળવું નથી, હવે હું એમનાથી ત્રાસી ગઇ છું હવે કાં તો એ ઘરમાં નહી રહે, કાં તો હુંનહીં

રહું.પસંદગી તમારે કરવાની રહેશે,અરેમારા કોઇ સગા વહાલા કે બહેનપણીઓઆવે આવે

ત્યારે એ બુઢાઓ ત્યાં બેસેલા હોય,તો ઘરનું અને મારું કેટલુ ખરાબ લાગે? હવે તમને

ફરીથી કહું છું કે આવતીકાલથી આ ઘરમાં કાં તમારા બુઢા મા બાપ, કાં તો હું.ખેમચંદ શેઠે

પત્નિને ઘણું સમજાવી અને કહ્યું કે હાલ હું જે સ્તરે પહોંચ્યો છું આજે હું જે કાંઇ પણ છું તે

તો મારા બા-બાપુજીના કારણે છું.પણ પત્નિ કાંઇપણ હકીકત સાંભળવા કે સમજવા તૈયાર

નથી. ખેમચંદશેઠ બા-બાપુજીનું કહેલું કરવાને બદલે બાયડીએ કહેલું તુરંતજ કરતાં તેથી

છેવટે કંટાળી પત્નિને ખુશ કરવા ખેમચંદ શેઠે કહ્યું, તારી ઇચ્છા એવી જ હોયતો આવતીકાલે

બા-બાપુજીને કોઇ ઘરડાંઘરમાં મૂકી આવીશું. તેમ પતિએ કહેતા પોતાની ઇચ્છા પૂર્ણ થઇ

રહી છે તે જાણી ખુશખુશાલ થઇ ગઇ. સવારે પત્નિ ખેમચંદ શેઠને જમાડી રહેલ છે તે સમયે

પંખો નાંખતા પત્નિને બા-બપુજીને આજે ઘરડાંઘરમાં મૂકવા માટે જવાનુ છે એ વાત યાદ

કરાવી.ખેમચંદશેઠે કહ્યું કે તું જાણે છે કે જે ઘરમાં મા-બાપ નથી એ ઘર ઘર નથી.,પણ

સ્મશાન છે.તું અત્યારે મા-બાપને સાચવવા તૈયાર નથી પણ તને તારો ભાવી સમય જ

બતાવશે કે તારો નિર્ણય ખોટો છે.હમણાં તારી ઇચ્છા છે તો મા બાપને ઘરડાંઘરમાં મૂકી

આવીશું.બાજુના ઓરડામાં રહેલા માતા-પિતાએ દીકરાની તેમજ તેની વહુની વાતચીત

સાંભળી. દીકરાની વાત સાંભળીને મા બાપ થોડા ઉદાસ થઇ ગયા. ખેમચંદ શેઠે સાંજના

સમયમાં ઘરડાં ઘરમાં મૂકવા જવાનું નક્કી કયુર્ં. માતા-પિતા બપોરનો સમય હોઇ રોજનીશી

પ્રમાણે સમય થતાં સૂઇ ગયા.સાંજનો સમય થતાં દીકરાએ માતા-પિતાને ઘરડાંઘરમાં

મૂકવાનુ એકાદ બે દિવસમાં વિચાર્યુ છે. પરન્તુ અમારે અહીં આવવાનું છે તેતો ચાલીસ વર્ષ

પૂર્વે નક્કી થઇ ગયું હતું. દીકરો અને દીકરાની વહુ એકી સાથે બોલી ગયા કેમ પિતાજી

ચાલીસ વર્ષ પૂર્વે?પિતાજી બોલ્યા બેટા આજથી લગભગ ચાલીસ વર્ષ પૂર્વે તારી માની

વારંવાર વિનંતીથી તેની વિનંતીને માન આપી મારા બા-બાપુજીને અહીં મૂકવા આવેલ-એ

વખતે તું આ તારા સાથે રહેલ પુત્ર જેવડો હતો.મેં તારી માને સમજાવેલ કે બા-બાપુજીતો

પૂજય કહેવાય,એમનું અપમાન ન કરાય. કે એમને આવી રીતે ધકેલી ન મૂકાય,પણ એ સમયે

તારી બા ને સમજાવવા છતાં માનેલી નહીં ત્યારે મેં એને કહેલ કે તને સમય બતાવશે. આજે

એ સમય આવી ગયો છે.તારા પત્નિ ના કહેવાથી આજે તારા બા-બાપુજીને અહીં મૂકવા

આવ્યો છે. એવીજ રીતે તારો દીકરોમોટો થશે-એના લગ્ન થશે, ત્યારે એ એની પત્નિના

કહેવાથી તને અહીં મૂકવા આવશે, એક વાત ધ્યાનમાં રાખજે.આજ મારો વારો છે તો કાલે

તારો વારો આવશે. આજે જે મારા પર વીતી રહી છે. તો આવતીકાલે તારા પર વિતશે. જેવું

કરો તેવું પામો-જેવું વાવો તેવું લણો.

વારા પછી વારો,મારા પછી તારો

મુજ વીતી, તુજ વિતશે.

અંતરમાં છે એક ઝંખના, તારા જેવા બનવાની,

રાગી મટીને તારા જેવા, વિતરાગી બનવાની

પણ વિષય કષાયના, બંધનમાં બંંધાયો,

કરૂણા સાગર કરૂણા કરી, બંધન મુકત બનાવો.

રાગ દ્વેષ પર વિજય વર્યા છો, અમને વિજયી કરજો,

ભવસાગરને તરી ગયા છો અમને ભવપાર કરજો.

કેવળજ્ઞાન લહયું છે આપે, અમને જ્ઞાની કરજો.

સર્વ કર્મથી મુકત બન્યા છો, અમ બંધન ને હરજો.

એેક જ પાપ બધા જ ધર્મોને ખતમ કરી શકે છે.

એક જ ધર્મ બધા જ પાપોને સાફ કરી શકે છે.

રડવાના સો કારણો હાજર છે, તો હસવાના હજારો કારણો શોધી લો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૨ પેરાલીસીસ જમણાં ભાગમાં

શરીરના જમણાં ભાગમાં પેરાલીસીસ છે. ઘરે મહારાજ સાહેબના પગલા થયા - પૂછે છે કે

કોઇ તકલીફ? કાંઇ નથી - દિકરો ખવરાવે છે - બધા ધ્યાન રાખે છે. મારા અશુભકર્મો

ઉદયમાં આવ્યા છે એટલે એને શાંતિથી ભોગવવાનો દઢ નિર્ધાર છે જેથી નવા અશુભ કર્મો

બંધાતા અટકી જાય. પણ આંખમાં ખૂબજ આંસુ આવી ગયા. કેમ ભાઇ રોવો છો? મારી

પરમાત્માની પૂજા બંધ થઇ ગઇ છે એ મારાથી સહન થતું નથી - એ જિનની પૂજા વિનારે,

જન્મ ગુમાવ્યો ફોક સલુણા- આ પંકિત મારા મસ્તક પર સતત હથોડાની જેમ ઝીંકાઇ રહી

છે- આપને શું કહું? રોજ એ તારકની પૂજા કરતાં રહીને આટલા વર્ષોમાં મેં જે પ્રસન્નતા

અનુભવી છે–જે પુણ્યોપાર્જન કર્યું છે, જે સદગુણોનો ઉઘાડ કર્યો છે અને અવગુણોનાં

દોષોનો જે કડાકો બોલાવ્યો છે એ તમામનોે પૂજા બંધ થતાની સાથે જ પૂર્ણવિરામ મુકાઇ

ગયું છે. પાપના ઉદયે આવેલ દુઃખની મને વેદના નથી - પણ આ દુઃખે મારા પુણ્યોપાર્જન

પર પૂર્ણવિરામ મુકી દીધું છે એની મને વેદના છે. એટલે એક ફેરફાર થઇ શકે - ભગવાનને

વિનંતી જમણાં હાથનેા લકવો ડાબા હાથમાં આપી દે - આ પ્રશ્નનો જવાબ શું? કાંઇ કરી

શકાય નહીંંં. જીવનમાં એક માત્ર ધર્મ જ કરવો જોઇએ. જીંદગીમાં જેટલો ધર્મ થશે, તેટલી

જિંદગી સાર્થક, જેટલો ધર્મ ન કર્યો તેટલી જિંદગી નિરર્થક. એવું જીવન જીવવું કે જીવનજ

ખુદ ધર્મ બની જાય. માણસ સરળતાથી અને સહજતાથી વહેતો રહેતો - પ્રેમના પુષ્પો ખીલે.

જયાં અહંકાર ન હોય, જયાં રાગ ન હોય, જયાં દ્વે્રેષ ન હોય, જયાં લોભ ન હોય, જયાં

સ્વાર્થ ન હોય, જયાં લાલસા ન હોય, જયાં મમત્વ ન હોય, જયાં આસકિત ન હોય, જયાં

અસંતોષ ન હોય, જયાં અતૃપ્તી ન હોય,જયાં ક્રુરતા નથી,જયાં ક્રોધ નથી, જયાં દૂૂરાચાર

નથી,જયાં અવગુણ નથી, જયાં પરનીંદા નથી થતી,જયાં હીંસા નથી, જયાં કટુવચન-કટુવાણી

નથી - આવી સ્થિતિમાંતો મન-શરીર પ્રસન્નતાથી જીવન જીવે છે. એવું જીવન જીવો કે જયારે

તમે આ દુનીયાથી કાયમ માટે વિદાયલો ત્યારે ખુદ ભગવાનને પણ તમને આ જગતમાંથી

ઉઠાવતી વખતેે દુઃખ લાગે. પ્રભુ! કેવા મુરખ બન્યાં અમે? દુઃખમાંથી સુખમાં જવાના

પ્રયત્નોતો અમે જીવનભર કર્યા પણ સુખમાંથી આનંદમાં જવાની વાત તો અમે ભુલી જ

ગયા. આશિષ આપો અમને કે અમે આત્માના આનંદરસને શોષી કે ખતમ કરી નાંખે એવા

એક પણ પ્રકારના પરિબળને હૃદયમાં સ્થાન ન આપીએ કે ન જીવનમાં અપનાવી બેસીએ.

ભૂલનો બચાવ કરતાં

ભૂલની કબૂલાત કરી લેવામાં

બહુ ઓછો સમય લાગે છે.

પ્રભુમાં વિશ્વાસ અને જીવનમાં સુવાસ આજ સફળતાની ચાવી છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૩ ક્રોધ ન કરવાની બાધા

માનવીને જીભ તો જન્મથી મળી જાય છે. પછી તેનો ઉપયોગ કેમ કરવો એ કળા મેળવતા

કયારેક આખી જિંદગી વીતી જતી હોય છે.માનવીની જીભ કરવતનું કામ કરે છે અને ફાનસનું

કામ પણ કરે છે, એ મારી પણ શકે છે અને તારી પણ શકે છે. ધારે તો ડુબાડી શકે છે

અનેઉગારી પણ શકે છે. વાણી કાતર પણ છે અને સોય પણ છે.વાણી એ અર્થ પણ છે અને

અર્નથ પણ છે. તકરારનું સાધન પણ છે અને સમાધાન પણ છે. માણસની પ્રગતિ કે

અવનતિનો તમામ આધાર જીભ છે. કહ્યું છે કે :-

મિત્ર પણ શત્રુ બને, જીભની એક વાતથી.

શત્રુ પણ મિત્ર બને, જીભની તાકાત થી.

આપણે કદાચ વાણીનું મૂલ્ય સમજયા જ નથી. એક શબ્દ સામી વ્યકિતને ઉત્સાહના શીખરો

પર લઇ જાય અને બીજો શબ્દ એને હતાશાની ખીણમાં ધકેલી દે.આ ઊંડાણને સમજવું

જરૂરી છે. શબ્દોનો સાચો અને સમર્થ ઉપયોગ થવો જોઇએ.

અને છેલ્લે આપણા શબ્દો કોઇકના હૃદયમાં આનંદની સ્થાપના કરે , પણ ઉથાપના તો કદીય

ન કરે ..એનાથી ઉત્તમ કોઇ પ્રાર્થના નથી.

ક્રોધની આગથી ક્ષમાના આંસુ બળવાન છે. ક્ષમા એજ શાંતી અને પ્રેમનો સૂત્ર મંત્ર છે. સ્નેહ

અને મૈત્રીની આધાર શીલા છે. જીવનની લાંબી યાત્રામાં ક્ષમા એજ નંદનવન છે.ક્રોધ માટે

ખુબ ખુબ લખાયેલ છે છતાં આપણે ક્રોધને કંટો્રલ કરી શકતા નથી. ક્રોધ માટે જેટલું લખીએ

એટલું ઓછું છે કારણકે ક્રોધનો પરિવાર મોટો છે. ક્રોધની એક લાડકી બેન છે જીદ.

જે હંમેશા ક્રોધની સાથે રહે છે. ક્રોધની પત્ની છે હિંસા. તે ક્રોધની પાછળ રહી છૂપાઇને કાર્ય

કરે છે. પરંતુ કયારેક અવાજ ગરમી (મગજની) જોઇ બહાર આવી જાય છે. ક્રોધનો

મોટોભાઇ છે અહંકાર જે ક્રોધને હંમેશા પ્રોત્સાહન આપે છે. ક્રોધનો પિતા પણ છે-જેનાથી

બધા ડરે છે એનું નામ ભય છે. નિંદા અને ચાડી-ચુગલી ક્રોધની દિકરીઓ છે - એક મોઢા

પાસે તો બીજી કાન પાસે રહે છે. ક્રોધનો એક વેર નામે દિકરો છે જેની યાદ શકિત ખુબ છે.

વેરની પત્ની ઇર્ષા છે જે આ પુરાં ખાનદાનની બદમિજાજી વહુ છે. આ પરિવારોની એક ધૃણા

નામે પૌત્રી છે. ધૃણા હંમેશા નાક પાસે જ રહે છે. એનુ મુખ્ય કામ નાક અને ભ્રમર

ચઢાવવાનું કામ હોય છે. ક્રોધની મા ઉપેક્ષા છે જેનું પરિવારમાં કાંઇ જ ચાલતું નથી.

કેટલાક માણસો એમ કહેતા ફરતા હોય છે કે આપણે તો કોઇના બાપનીય સાડીબારી

રાખતા નથી, જેવું હોય તેવું સામાને મોઢેમોઢ જ કહી દેવું. પછી પરિણામ ભલે ને ગમે તે

આવે. પુલ બની શકતા પથ્થરનો ઉપયોગ દીવાલ બનાવી દેવામાં કરી દેવો એ જો બેવકૂફી

છે, પ્રતિમા બની શકતા પથ્થરનો ઉપયોગ કોકનું માથું ફોડી નાંખવામાં કરી દેવો એ જો

ક્રૂરતા છે તો સંખ્યાબંધ મિત્રો બનાવી સકતા શબ્દોનો ઉપયોગ મિત્રોની સંખ્યામાં કડાકો

બોલાવી દેવા અને દુશ્મનોની સંખ્યામાં તેજી લાવવા કરતાં રહેવું એ તો નરી અક્કલહીનતા

જ છે. બચવું છે આ અપાયથી? તો બે કામ ખાસ કરો. વાંસણી જેવા બની જાઓ. વાંસણી

વાચાળ નથી હોતી, કોક બોલાવે છે તોજ બોલે છે. વાંસણી કડવું નથી બોલતી,મધુર જ

બોલે છે. અપનાવી લેશું આપણે વાંસણીના આ બે ગુણો?

ક્રોધ ,જો કાબુમાં તો આપણે સદા આબુમાં.

ક્ષમા જેવું કોઇ ઉત્તમ દાન નથી.

પોતાનામાં કાણાં પડવા દે છે તોજ વાંસ વાંસળી બની શકે છે.

માનવજીવન પણ એક બંધ કળી જેવું છે. એ જો પૂરેપૂરું ખીલી જાયતો એમાથી અપાર સૌંદર્ય

અને સુવાસ પ્રગટ થશે.પણ જો એ ખીલ્યા વગરનું રહી જાયતો એ એક દુર્ભાગ્ય છે.

ૠથ્દ્ર ડદ્યડદ્રધ્ દ્દડત્ત્ ત્ર્ણ્ત્ત્દ્ધદ્દડદ્મ ધ્થ્દ્ધ ટ્ટદ્રડ ટ્ટત્ત્ડ્ઢદ્રધ્, ધ્થ્દ્ધ ત્થ્થ્દ્મડ ૬૦૦ દ્મડઠથ્ત્ત્ઠ્ઠદ્મ થ્ડ્ડ ઢટ્ટથ્ર્થ્ર્ણ્ત્ત્ડદ્મદ્મ.

ઉ દ્મત્ર્ણ્ત્ડ ણ્દ્મ ટ્ટત્ત્ ણ્ત્ત્ડદૃથ્ર્ડત્ત્દ્મણ્દ્યડ દ્વટ્ટધ્ દ્દથ્ ણ્ત્ર્થ્ર્દ્રથ્દ્યડ ધ્થ્દ્ધદ્ર ત્થ્થ્ણૂદ્મ.

ક્રોધ જેવી બીજી કોઇ આગ નથી.. ક્રોધ એ નિર્બળતાની નિશાની છે, ક્ષમા વીરનું ભૂષણ છે.

ગુસ્સો કરવો હોય તો પોતાના ઉપર પહેલા કરો. ક્રોધ એક એવું તોફાન છે જે વિવેકને નષ્ટ

કરી નાંખે છે. સંબંધો પ્રેમથી બંધાય છે અને ગુસ્સાથી તૂટે છે. અંહકાર એ ક્રોધનો પિતા અને

ઇર્ષા એ ક્રોધની માતા છે. ક્રોધ પેટ્રોલ જેવો છે,કરનાર ખુદ બળે છે અને બીજાને પણ બાળે

છે.કામ અપેક્ષા કયારેય રાખશો નહીં. આવેશમાં આવશો નહીં. અધીરા કયારેય બનશો નહીં..

ત્રણેય દુઃખ આપનારા છે. કામ,ક્રોધ ભાન ભૂલાયે, માયા મમતા નાચ નચાવે.

ક્રોધ કો અગર પ્રેમમેેંં બહાદો, તો કૃષ્ણ બન જાઓગે!

ક્રોધ કો અગર ધ્યાનમેં બહાદો, તો બુદ્ધ બન જાઓગે!

ક્રોધ કો અગર કરૂણામેં બહાદો, તો મહાવીર બન જાઓગે!

ક્રોધ કો અગર ભકિતમેં બહાદો, તો ભગવાન બન જાઓગે!

ક્રોધ કરવો ખરાબ નથી ,જો તમો કર્મો પર, કષાયોં પર, વાસના પર ક્રોધ કરો અને પોતાના

ક્રોધ ઉપર પણ ક્રોધ કરો તો ક્ષમાના ફુલ ખીલશે. ક્રોધમાં પણ કેવળજ્ઞાન મળેલ છે.ઉજજયિની

નગરીમાં એકદા સાધુ સમુદાય સાથે પૂં.આચાર્યશ્રી ચંડરૂદ્રસૂરીશ્વરજી પધાર્યા છે.કર્મયોગે

આચાર્યશ્રી શિષ્યોની સ્ખલના સહન કરી શકતા ન હતા આથી તેમને ઘણો સંતાપ થતો

અને ક્રોધી થઇ જતા. આ ક્રોધ એ પોતાનો મહાન દોષ છે તે એ બરાબર સમજતા અને

અન્યોનું હિત કરવા જતાં પોતે પોતાનું ચૂકી જવાય છે તેપણ સમજતા. આવા દોષના પ્રસંગો

વારંવાર ન બને તે માટે સમુદાયથી થોડે દૂરના એકાંતભાગમાં પોતાના જપ-તપ તથા ધ્યાન

આદિ ધાર્મિક પ્રવૃત્તિમાં બેઠા હતાં.

તે દિવસે ગામના પાંચ - સાત તોફાની યુવાનો મજાક-ઠેકડી કરતા ત્યાં આવી પહોંચ્યા. એક

બીજાની મશ્કરી કરતાં કરતાં એક યુવકે બીજા એક યુવક ભદ્રસેેનને દીક્ષા લેવાની વાત કરી.

બીજા યુવાનો હા હા મઝાની વાત-ભદ્રસેનતો આમે ભદ્રિક છે. વ્રત-તપ કરે છે. સાધુ સંતોની

ભકિત કરે છે. માટે તે સાધુ થઇ જાયતો સરસ. એમ એકબીજાની મશ્કરી કરતાં આ સાધુ

સમુદાય પાસે આવી ગયા અને કહ્યું સાહેબ, આ ભદ્રસેન દીક્ષાનો ભાવિક છે તેનું માથું મુંડી

નાંખો. આ સાંભળી બીજા યુવકો હા હા ખી ખી કરવા લાગ્યા. એટલે સાધુઓ સમજી ગયા

કે આ યુવાનો ફકત ટીખળ - મશ્કરીઓ કરવા આવ્યા છે. આમ વિચારી સાધુ સમુદાયે

આંગળી ચીંધી કહ્યું, ભાઇઓ! પણે અમારા ગુરુદેવ આચાર્યશ્રી બેઠા છે ત્યાં જાઓ અને

તેમને તમારી વાત જણાવો.

એટલે એ ટોળકી આચાર્યશ્રી ચંડરૂદ્રસૂરીશ્વરજી પાસે આવી અને કહ્યું - મહારાજ આ અમારો

દોસ્ત ભદ્રસેનઃ એણે હમણાંજ લગ્ન કર્યા છે પણ સંસાર ઉપર મોહ નથી અને ભદ્રિક છે. તેને

આપ દીક્ષા આપો. બીજા મિત્રોએ હા હા કરતાં તાળીઓ પાડી સૂર પુરાવ્યો. આચાર્યશ્રી

સમજી ગયા કે, આ યુવકોની યુવાનીની આ મસ્તી - મજાક છે.

તેમણે ભદ્રસેેનને પૂછયું, બોલ ભાઇ, તારી શી ઇચ્છા છે? ભદ્રસેનેે મજાકમાં કહ્યું, હા

મહારાજ! વાત સાચી છે સંસારમાં કાંઇ સાર નથી . મને દીક્ષા આપી દો તો મારું કલ્યાણ

થશેને સુખપૂર્વક રહેવાશે.આચાર્યશ્રી આ લોકોની ટીખળ સમજી ગયા. પણ હવે આ યુવકોને

પાઠ શીખવવો જ જોઇએ એમ જાણી ભદ્રસેનને કહ્યું - અલ્યા ભાઇ, તારે દીક્ષા લેવી જ છે?

બરાબર સમજીને કહેછે ને? ફરી તો નહીં જાય ને? ભદ્રસેન હજુ પણ મજાકમાં કહે છે - ના

મહારાજ! ફરે એ બીજા! દીક્ષા લેવી છે. ચાલો આપો. હું તૈયાર છું. શ્રી ચંડરૂદ્રસૂરીશ્વરજી

એક બીજા યુવાનને બાજુમાં થોડેક દૂર પડેલ રાખ ભરેલી માટીની કુંડી પડી છેે તેને લાવવા

કહે છે. તે યુવાન લાવી આપે છે અને આચાર્ય ભદ્રસેેનના માથે ચોળી વાળનો લોચ કરી

નાંખે છે. આ આચાર્યશ્રી નો રોષ,તેમની મુખમુદ્રા જોઇ યુવાનોસ્તબ્ધ થઇ ગયા અરે આ તો

હસવામાંથી ખસવું થઇ ગયું એમ જાણી ભાગવા તૈયારી કરી અને ભદ્રસેેનને કહ્યું -ચાલ, હવે

ઘણું થયું.સાધુઓને સતાવવામાં સાર નહીં. ચાલ અમારી સાથે, દોડ અને ભાગી છૂટીએ.

પણ ભદ્રસેેન હવે ઘેર જવા ના પાડે છે. તેના હૃદયમાં નિર્મળ વિચારણા જાગેછે અને મનોમન

કહે છે - હવે હું ઘેર કેમ જાઉં? મેં મારી જાતેે પોતે જ માંગીને વ્રત સ્વીકાર્યુ છે. હવે નાશું તો

મારી ખાનદાની લાજે. મારું કુળ કલંકિત થાય. હવે તો વિધિપૂર્વક ગુરુ મહારાજ પાસે વ્રત લઇ

મારા આત્માનું કલ્યાણ સાધું! વગર પ્રયત્ને અનાયાસે આવો ઉત્તમ માર્ગ મને મળી ગયો.

મારું તો શ્રેય થઇ ગયું. આવી વિમળ વિચારના કરી તે આચાર્યશ્રીને વિનંતી કરે છેે કે

ભગવન આપે કૃપા કરી મને સંસારસાગરમાંથી તાર્યો. આપ વિધિપૂર્વક વ્રત આપી મને

કૃતાર્થ કરો. આપનો અનંત ઉપકાર મારા ઉપર છે.

ત્યારબાદ આચાર્યશ્રી ચંડરૂદ્રસૂરીશ્વરજી તેને વિધિપૂર્વક વ્રત ઉચરાવે છે અને ભદ્રસેન હવે

ભદ્રસેનમુનિ બને છે.નૂતન દીક્ષિત હવે વિચારે છે કે,મારા મા-બાપ,સાસુ-સસરા,પત્ની વગેરે

ઉજજયિનીમાં છે તે બધાં અત્રે આવી મને દીક્ષામાંથી ખસેડી ઘરે લઇ જશે. પણ હવે કોઇ રીતે

મારે આ માર્ગ છોડવો નથી. એટલે ગુરુમહારાજને હાથ જોડી વિનંતી કરે છે - ભગવંત મારું

કુટુંબ મોટું છે. તેઓને આ યુવાનો ખબર આપી દેશે તેથી તેઓ મને લેવા ચોક્કસ આવશે

અને બળજબરીથી પણ અહીંથી લઇ જવા પ્રયત્ન કરશે. આપણો ગચ્છ તો વિશાળ છે. બધા

સાથે તાત્કાલિક તો વિહાર થઇ શકે નહીં પણ આપણે બે જણ છૂપી રીતે અહીંથી જતા રહેવું

જોઇએ. બધા વિહાર કરીએ તો લોકો જાણી જાય અને આપણને અટકાવે માટે જલ્દી

કરો.આચાર્ય મહારાજ નૂતન દીક્ષિત મુનિને કહે છે, તારી વાત બરાબર છે. તું એકવાર જઇને

રસ્તો જોઇ આવ. અત્યારે સાંજ પડવા આવી છે. અંધારુ થઇ જશે તો રસ્તામાં તકલીફ ઉભી

થશે.માટે ભદ્રસેનમુનિ થોડે સુધી જઇ રસ્તો જોઇ આવે છે અને આચાર્યશ્રીને લઇને તે

સ્થાનકથી નીકળી જાય છે. ગુરુ મહારાજ વૃદ્ધ છે અને આંખે ઓછું દેખાય છે એટલે ભદ્રસેન

મુનિ તેમને ખભે બેસાડી ઉતાવળે ઉતાવળે વિહાર કરે છે પણ રસ્તો ખાડા ટેકરાવાળો હોઇ

ખભે બેઠેલા મહારાજને આંચકા આવે છે અને નૂતન દીક્ષિતને બરાબર ચાલવા તાકીદ કરે

છે.પણ અંધારુ વધતાં રસ્તાના ખાડા-ટેકરામાં પગ પડી જતાં ભદ્રસેન મુનિ કોઇક વાર

સમતોલપણું ગુમાવે છે આથી આચાર્ય મુનિ ક્રોધ કરી જોરથી પોતાનો દંડો નૂતન મુનિના

માથામાં મારે છે અને કહે છે તું દેખતો નથી - મારી આ વૃદ્વાવસ્થાએ તું મને આ રીતે દુઃખ

આપે છે. દંડાના પ્રહારથી અને લોચ તે દિવસે કર્યા હોવાથી નૂતન મુનિના ટાલિયા માથા

ઉપર લોહી આવવા માંડે છે. પણ એ અવસ્થામાં પણ નૂતન દીક્ષિત ભદ્રસેન મુનિ સમતા

રાખી વિચારે છે - ધિક્કાર છે મારા આત્માને, મે પૂજયશ્રીને પહેલાંજ દિવસે, ગુરુદેવને

અશાતા આપી. મારે ધીરે ધીરે સાવધ રહીને ચાલવું જોઇતું હતું. આવા ગુણરત્નના સાગર

જેવા ગુરુદેવને મેં રોષનું નિમિત્ત આપ્યું. તેઓનો કોઇ દોષ નથી.. ખરેખર હું દોષીત છું. આ

રીતે હૃદયની સરળતાથી ભદ્રિક એવા તે નૂતન મુનિ પોતાના દોષોને જોતાં શુભ ધ્યાને ચઢયા

અને ક્ષપક શ્રેણી પર પહોંચતા કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાની એવા ભદ્રસેેનમુનિ જ્ઞાનના

યોગે બધું જાણી શકે છે. હવે તે ગુરુ મહારાજ,જે ખભા ઉપર બેઠેલ છે તેમને જરાકે આંચકા

ન પહોંચે તે રીતે સીધા રસ્તે લઇ જઇ શકે છે. હવે આચાર્ય મહારાજ કહે છે કે હવે તું બરાબર

ઠેકાણે આવ્યો. સંસારમાં એવો નિયમ છે કે ચમત્કાર વગર નમસ્કાર નહીં. દંડો પડયો

એટલે હવે કેવો સીધો થઇ ગયો!કેમ બરાબર છે ને? હવે સીધો ચાલવા માંડયો ને.નૂતન

દીક્ષિત કહે છે ભગવાન એ આપની કૃપાનુ ફળ છે. રસ્તો બરાબર જાણી શકાય છે, એ

આપશ્રીની અમી દ્રષ્ટિના યોગે જ્ઞાનથી જાણી શકાય છે. આ સાંભળી આચાર્યશ્રી આશ્ચર્ય

પામે છે અને વિચારે છે કે નૂતન દીક્ષિત કહે છે કે જ્ઞાનથી જાણી શકાય છે. તો તેને કયું જ્ઞાન

હશે? હવે થોડું થોડું અજવાળું થતાં ગુરુ મહારાજને શિષ્યના માથા પર લોહી નીકળેલ છે તે

દેખાય છે તેથી પૂછે છે-તને આ મારા દંડાના પ્રહારથી લોહી નથી નીકળયું ને?પણ ભદ્રસેેન

મૌન રહે છે.વળી આચાર્યશ્રી પૂછે છે કે તને સીધો રસ્તો જણાયો તે કયા જ્ઞાનના યોગે?

રસ્તામાં તને કોઇ સ્ખલનાતો નથી આવીને?વત્સ,શું હકીકત છે તે તું યર્થાથ જણાવ ભદ્રસેન

કહે છે, ભગવન! આપની કૃપાથી જ જ્ઞાન પ્રાપ્ત થયું છે.તેના યોગે હું માર્ગ જાણી શકયો છું.

આચાર્યશ્રી વધુ ચોખવટ કરવા શિષ્યને પૂછે છે, વત્સ! તે જ્ઞાન પ્રતિપાતિ કે અપ્રતિપાતિ?

ભદ્રસેનને કહે છે ભગવન - અપ્રતિપાતિ. આ સાંભળતાંજ આચાર્યશ્રી ખભા ઉપરથી ઉતરી

કેવળજ્ઞાની શિષ્યને ખમાવે છે. પોતાનાથી થઇ ગયેલા ક્રોધને કારણે જે અપરાધ થયો તે માટે

તેઓને તીવ્ર પાયશ્ચિત થાય છે. વિચારે છે, હા હું કેવો પાપી! આટઆટલા વર્ષોથી સંયમ,

તપ,સ્વાધ્યાય આદિની આરાધના કરવાં છતાં વાતવાતમાં ક્રોધને આધીન થઇ મને ઉગ્ર થઇ

જતાં વાર લાગતી નથી. આચાર્યના પદ પર આરૂઢ હોવા છતાં હું એટલી પણ ક્ષમા નથી રાખી

શકયો. મારો સંયમ,મારી આરાધના ખરેખર નિષ્ફળ ગયા. ખરેખર આ નૂતન દીક્ષિતને ધન્ય

છે, ગઇકાલે એણે સંયમ અંગીકાર કર્યો, તેનામાં કેવી અદભૂત ક્ષમા! કેવી અપ્રિતમ

સરળતા!અને કેવું એનું સમર્પણ ! હું હીનભાગ્ય છું, આ પુણ્યાત્માં તરી ગયા. હું પામ્યો,

છતાં ડુબી રહ્યો છું. આમ વિચારતાં અને કેવળજ્ઞાની નૂતન મૂનિને ખમાવતાં પોતાની જાતે

પોતાની લઘુતા અને સરળતાપૂર્વક નિંદા કરતાં- શુભ ધ્યાને ચઢતા આચાર્ય મહારાજ પણ

ક્ષપકશ્રેણી પર આરૂઢ થઇ કેવળજ્ઞાન પામ્યા. આમ ગુરુ તથા શિષ્ય બંને તરી ગયા. ધન્ય

સરળતા! ધન્ય ક્ષમાપના! ક્રોધના પરિણામે કેવળજ્ઞાન પામવાનો આ એક જ દાખલો જૈન

ધર્મમાં છે.ક્રોધ ની એક કાકા કાકી ની પણ વાર્તા અહીં લખવી જરૂરી લાગે છેઃ

કાકા ઉમ્ર૭૪ કાકી ઉમ્ર ૭૧- લગભગ ત્રણસો વર્ષ પહેલાની વાત છે. પાલીતાણા થી ૩૦

માઇલ દૂર એક ગામમાં રહેતા હતાં. કાકા-કાકી ને ૯૯ કરવાનું મન થયું અને પ્રભુકૃપાથી

આ ઉમરે પણ ૯૯ જાત્રા કરી પણ કરી. તે વખતેે આર્ચા્ય મહારાજ તથા ત્યાંના સંઘે આ

કાકા-કાકી નું બહુમાન કર્યુ અને ત્યારે મહારાજ સાહેબે કહ્યું કે તમારે એક વસ્તુ અહીં મુકીને

તમારા ગામે જવાનું છે - બોલો છે મંજુર? કાકા-કાકી વિચારમાં પડી ગયા કે શું મુકવાનું

છે? મહારાજ સાહેબે કહ્યું કે તમારો ક્રોધ અહીં મુકવાનો છે - હવે આ જ પછી - આ બાધા

લીધા બાદ ગમેતે થાય ક્રોધ કરવાનો નથી - બંને એ બાધા લઇ લીધી. પછી પોતાના ગામે

પાછા આવી ગયા. ત્યાં તેમના ભત્રીજાને ખબર પડી કે કાકા-કાકીએ બાધા ક્રોધ નહીં કરવો

તેમ લીધી છે એટલે તેને પરીક્ષા કરવાનું મન થયું. તે વખતે ગામમાં વીસેક ઘર જૈનોના હતા.

સ્વામી વાત્સલ્ય રખાયતો આજની જેમ દેરાસરના બોર્ડ પર લખવાની પ્રથા ન હતી. બધાના

ઘરે જઇ રૂબરુ વિનંતી કરાતી અને સાથે ચાંદીની વસ્તુ શકિત પ્રમાણે ભેંટ ધરાતી. ભત્રીજો

આખા ગામમાં જઇ રવિવારે મારા કાકા-કાકી એ ૯૯ જાત્રા કરી તેની ખુશાલીમાં સ્વામી

વાત્સલ્ય છે તો બધાને સહકુટુંબ પધારવા આમંત્રણ છે. પણ કાકા-કાકી ને કાંઇ કહ્યું નહીંં.

કાકી ને તો ગુસ્સો આવી ગયો કે જુવો આપણો ભત્રીજો. આપણે જાત્રા કરીતે નિમિત્તે

જમણવાર યોજે છે અને આપણને જ નિમંત્રણ નથી? કાકા કાકીને સમજાવે છે કે આપણે

તો ઘરનાં છીએ - અને આપણા લગ્નમાં આપણે કાંઇ કંકોત્રીની રાહ થોડી જોવાય -આપણે

તો જવાનું જ છે.રવિવારના દિવસે જમવાનાં સમયે કાકા-કાકી પણ પહોંચી ગયા. તે સમયે

આવેલા મેહમાન બધાના પગ યજમાન ધોવે અને આજની જેમ બુફે પ્રથા ન હતી .ત્યારેતો

જમીન પર બેસાડી પ્રેમથી જમાડવાનું થતું. ભત્રીજાએ કાકા-કાકીને જોયા પણ પગ

ધોવાનું કર્યુ નહીં. કાકાએ કાકીને કહ્યું કે ચાલો આપણે જમવા બેસી જઇએ. બંને જમવા

બેસી ગયા. હવે ભત્રીજો ચુરમાના લાડુ પીરસતો હતો - બધાની થાળીમાં લાડુ મુકે છે પણ

કાકા-કાકીની થાળીમાં પીરસતો નથી. ત્રણ ચાર ફેરા થયાં પણ કાકા-કાકીની થાળીમાં લાડુ

પીરસાણા નહીં. આખરે કાકાએ ભત્રીજાને બોલાવી લાડુ પીરસવાનું કહ્યું.ભત્રીજાએ લાડુ

પીરસ્યા પણ હાથમાં લીધાં તો પથ્થરના લાડું હતા.કાકીને ગુસ્સોઆવી ગયો અને કહે કાકાને

આનો જ ઘા કરી ભત્રીજાને મારવો જોઇએ. પણ કાકા સમજાવે છે કે ગુસ્સો ન કરવાની

બાધા લીધી છે તે ભુલવાનું નથી અને આ તો આપણી જ ભુલ છે કે આપણે બધાને જમાડી

પછી જ જમવા બેસવું પડે - બધાને પીરસવું જોઇએ - એટલે જ આપણી ભુલ બતાવવાં મારાં

ભત્રીજાએ પથ્થરનો લાડુ પીરસેલ છે. ભત્રીજો બધું સાંભળતો હતો - તરત જ કાકા-કાકીની

માફી માંગે છે અને કહે છે આપે ક્રોધ ન કરવાની બાધા લીધી તેની પરીક્ષા કરવા માટે મેં

આમ કરેલ છે. ટુંક માં ક્રોધ ન કરો તો ખુબ જ લાભ છે અને નવા કર્મો બંધાતા નથી . વાણી

પર સંયમ રાખો.જે બોલો તોલી તોલી ને બોલો - કોઇને દુખ થાય તેવું કદી ન બોલો.પ્રભુ

પ્રત્યે પ્રેમ અને સમર્પણ એજ સાચી પ્રાર્થના છે. રાગ- દ્વ્રેષ-અભિમાન એ મુખ્ય કર્મની ગ્રંથ

થાય. નિવૃતિ જેહથી તેજ મોક્ષ નો પંથ. વિનય જીવન વિકાસનું પ્રથમ સોપાન છે. વિનયશીલ

વ્યકિત જ ઉંચી બની શકે છે, ઉન્નત્તિ નિશ્ર્ચિત કરી શકે છે. કોઇ પણ આડંબર રહિત સાદી

દીક્ષા લેનાર હતાં -ચંપક મૂની.તેમના ગુરુજીનું નામ હતું વિનયચંદ્રજી મહારાજ.‘ગુરુદેવ,મારે

તો સાદી દીક્ષાજ જોઇએ છે?કોઇપણ જાતની ધાંધલ કે ધમાલ વિના,આડંબર રહિત,ચૂપચાપ

દીક્ષા મારે લેવી છે. વરઘોડા કે એવા ખર્ચાળ આડંબરો નથી કરવા ઇચ્છતો. નિરાંડબરી

દીક્ષાને ભગવતી દીક્ષા કહેવાય અને આવી જ દીક્ષા કલ્યાણ અને મંગલતાની દાતા બની શકે.

હું તો આત્માના મેલને ધોવા નીકળું છું. દીક્ષા મહોત્સવને નામે નવા રૂપે મલીનતા વધારવી

નથી .’ આજે આપણે કોઇ કાર્ય કરવું છે તો આવો વિચાર આપણને કેમ નથી આવતો?

જીવનમાં સાદગી હશે તો જ ઉચ્ચ વિચારોનો મનમાં પ્રવેશ થવો શકય છે. બાકી તો દંભ-

દેખાદેખી - થી તમો કદાચ લોકોને પ્રભાવિત કદાચ કરી શકશો - પણ તમારો મોક્ષ માર્ગ

તરફ જે પ્રયાણ નો પ્રયાસ તમે કર્યો તે તો ચુકી જ ગયા. તમારી ગાડી આડંબર ને લીધે પાટા

પરથી ઉતરી ગઇ છે. એટલે ધર્મમાં સાવચેતી ખૂબ જ રાખવાની છે. વાહ વાહ કરાવવા કે

નામ કમાવા ધર્મ નથી કરવાનો. સાચો ધર્મ તો તે જ કરી શકે જેને ઇચ્છા નથી નામનાની.

જેના મનમંદિરમાં જયણા - અહિંસા પ્રથમ સ્થાને છે.આપણે ધર્મ પુણ્ય કમાવવા માટે

કરવાનો છે. પુણ્યની બદલે પાપ - હિંસા ના માર્ગે કે વાહ વાહ -નામ કમાવાના માર્ગે ન

જઇએ - આડંબર -ખોટો ખર્ચો- ધર્મના નામે કર્મ ન બંધાય તે માં સાવચેતી રાખશું તો જ

પ્રભુની પાસે જઇ શકશું. ભગવાન તો વિતરાગ હતા - તો પછી આપણે રાગી બની ને કેવી

રીતે એની પાસે પહોંચી શકીએ કે એના જેવા કેવી રીતે બની શકીએ. સંસાર છોડો છો -ત્યાગ

ભાવના ઊંચી છે - તો પછી અહંકાર, - આડંબરથી હંમેશ દૂર રહેવાની ભાવના સતત

રાખશો તો જ પુણ્ય મળશે. ધર્મ માં પ્રથમ નમ્રતા - વિનય-વિવેક -સાદગી - જરૂરી છે. મારી

વિનંતી છે કે ધર્મમાં રાજનીતિ નું કે સ્વાર્થનું કોઇ સ્થાન નથી. ધર્મમાં દયાભાવ-કરૂણા ભાવ

જરૂરી છે. કોશીશ કરીએ ભગવાન ના જે ગુણો છે તે આપણામાં આવે. એક અંગ્રેજ લેખક

કહે છે કે તમે હસો છો ત્યારે માત્ર તમારા બે સ્નાયુઓ જ ખેંચાય છે, પણ ગુસ્સે થાઓ છો

ત્યારે પાંચ સ્નાયુ તંગ થાય છે.બાલાશંકર કંથારિયાએ એમની વિખ્યાત ગઝલ બોધ માં

ક્રોધને દુશ્મન ગણાવી આપણને એક સોનેરી સલાહ આપી છેઃ વસે છે ક્રોધ વેરી ચિત્તમાં,

તેને ત્યજી દેજે, ઘડી જાયે ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે. ક્રોધ એ ટૂંકા ગાળાનું ગાંડપણ

છે. ગાંડપણ જેમ માણસને ભાન ભુલાવી દે છે, વિવેકહીન અને અમાનુષી બનાવી દે છે,એમ

ક્રોધ પણ માણસને થોડા સમય માટે ગાંડપણની સ્થિતિમાં મુકી દે છે. ક્રોધ પર કાબૂ મેળવવા

માટે પહેલી શરત છે સહનશીલતા. જેનામાં સહી લેવાની શકિત છે, ગમ ખાવાની તાકાત છે

એ સહેલાઇથી ક્રોધપર કાબૂ મેળવી શકે છે. બીજી શરત છે ક્ષમાવૃત્તિ, જે ઉદાર હૈયે ક્ષમા

કરી શકે છે; કટ્ટર દુશ્મનને પણ માફ કરી શકે છે એ ક્રોધ પર સહેલાઇથી કાબૂ મેળવી શકે

છે. ઇસુને વધસ્થંભ પર ચડાવવામાં આવ્યા ત્યારે એમણે કહ્યું હતુંઃ એ બીચારા શું કરી રહ્યા

છે, એનું એમને ભાન નથી, પ્રભુ એમને માફ કરજે. સદભાવથી કરવામાં આવેલી ઉપેક્ષા

પણ ક્રોધ પર કાબૂ મેળવવાનો ઉત્તમ માર્ગ છે. ગૌતમ બુદ્ધ નો શિષ્ય પૂર્ણ જયારે દક્ષિણમાં

ઉપદેશ આપવા જવા તૈયાર થયો ત્યારે બુદ્ધ ે એની કસોટી કરવા માટે એને પૂછયુંઃ ધારો કે

તારો ઉપદેશ સાંભળી લોકો તને ગાળો દેશે તો તું શું કરીશ? તો હું એમ માનીશ કે લોકો

એટલા સારા છે કે મને પથ્થરો મારતા નથી. પૂર્ણે કહ્યું.અને તને પથ્થર મારશે તો? એમ

માનીશ કે એ લોકો મને હથિયારથી મારતા નથી એટલા સારા છે. અને તને હથિયારથી

મારશે તો? તો હું માનીશ કે મને જાનથી મારી નાંખતા નથી એટલા એ લોકો સારા છે. અને

જાનથી મારી નાંખશે તો? તો ઉપદેશ આપતાં મળેલાં નિર્વાણને હું મારું ધનભાગ્ય

સમજીશ. ને બુદ્ધે પૂર્ણને જવાની રજા આપી. આ આદર્શ નજર સામે રાખીને જીવીએ તો

ગુસ્સા પર કાબૂ મેળવી શકાય. ઘણીવાર ગુસ્સે થવું આવશ્યક થઇ પડે છે. પણ એવા

ગુસ્સામાં વ્યકિતગત વેરવૃતિ કે ક્રોધ હોવોના જોઇએ. મહાપુરુષો આવો ગુસ્સો કરે છે ત્યારે

આપણે એને યોગ્ય રીતે જ પુણ્યપ્રકોપ કહીએ છીએ. પણ મહાપુરુષોના આવા પુણ્યપ્રકોપ

પાછળ સહૃદયતા અને કરુણા જ રહેલા હોય છે. એક વાર સાબરમતી આશ્રમમાં ગાંધીજીને

મળવા માટે મદ્રાસથી એક ભાઇ આવી ચડયા. એમનો પ્રશ્ન એટલો નાનો હતો કે ગાંધીજીને

એમ લાગ્યું કે આવા નાના કામ માટે એ ભાઇએે મદ્રાસથી ભાડું ખર્ચીને આવવું જોઇતું ન

હતું. પણ બળતામાં ઘી તો ત્યારે હોમાયું જયારે એણે પાછા ફરવા માટે ગાડીભાડાનાં પૈસા

ગાંધીજી પાસે માંગ્યા! ગાંધીજીએ કહ્યું કે આશ્રમના પૈસા એ જાહેર મિલ્કત છે. એનો હું

દુરૂપયોગ ના કરી શકું. તમારી પાસે ભાડુંના હોય તો તમે ચાલતા મદ્રાસ પાછા જાઓ.

અને એમ કહી મહાદેવભાઇને કહ્યું કે, તમે આ માણસને મદ્રાસ જવાનો રસ્તો બતાવી

આવો! મહાદેવભાઇ પાછા આવ્યા એટલે ગાંધીજીએ પૂછયુંઃ શું કર્યુ? એમને મદ્રાસની

ટિકિટ કઢાવી આપી અને થોડાં વાટ ખર્ચીના રોકડા રૂપિયા આપ્યા - એમ મહાદેવભાઇએ

કહ્યું. હું જાણતો હતો કે તમે એમ જ કરશો. એટલે તો મેં, તમને મૂકવા મોકલ્યા હતા.

ગાંધીજી બોલ્યા. પણ બધા માણસો કંઇ આવો પુણ્યપ્રકોપ કરી શકતા નથી. પ્રખ્યાત ગ્રીક

તત્વચિંતક એરિસ્ટોટલે લખ્યું છેઃ ઉત્ત્ધ્ટ્ઠથ્ઠ્ઠધ્ ઠટ્ટત્ત્ ટ્ઠડઠથ્ત્ર્ડ ટ્ટત્ત્ડ્ઢદ્રધ્ દ્દઢટ્ટદ્દ ણ્દ્મ ડટ્ટદ્મધ્; ટ્ઠદ્ધદ્દ દ્દથ્ ટ્ઠડ

ઉત્ત્ધ્ટ્ઠથ્ઠ્ઠધ્ ઠટ્ટત્ત્ ટ્ઠડઠથ્ત્ર્ડ ટ્ટત્ત્ડ્ઢદ્રધ્ દ્દઢટ્ટદ્દ ણ્દ્મ ડટ્ટદ્મધ્; ટ્ઠદ્ધદ્દ દ્દથ્ ટ્ઠડ ટ્ટત્ત્ડ્ઢદ્રધ્ દ્વણ્દ્દઢ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ થ્ર્ડદ્રદ્મથ્ત્ત્, ટ્ટત્ત્ઠ્ઠ દ્દથ્ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ ઠ્ઠડડ્ઢદ્રડડ, ટ્ટત્ત્ઠ્ઠ ટ્ટદ્દ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ દ્દણ્ત્ર્ડ, ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્ર દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ થ્ર્દ્ધદ્રથ્ર્થ્દ્મડ ટ્ટત્ત્ઠ્ઠ ણ્ત્ત્ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ દ્વટ્ટધ્ દ્દઢટ્ટદ્દ ણ્દ્મ ત્ત્થ્દ્દ દ્વણ્દ્દઢણ્ત્ત્ ડદ્યડદ્રધ્ટ્ઠથ્ઠ્ઠધ્ દ્મ થ્ર્થ્દ્વડદ્ર ટ્ટત્ત્ઠ્ઠ ણ્દ્મ ત્ત્થ્દ્દ ડટ્ટદ્મધ્

તેવો ઓડકાર જેવું અન્ન તેવું મન - વી..આર, વોટ વી ઇટ. જેવું જીવન તેવું મરણ- જેવું

મરણ તેવો પરલોક.સાવધાન! લમણે હાથ દઇને રોવાનો સમય આવે તે પહેલા મા-બાપની

કદર કરતાં શીખીએ, એમની આમન્યા પાળીએ, એમની ઇચ્છાને માન આપીએ, આપણા

જીવ ને કે આપણી ગર્લફેંડને રાજી રાખવાને બદલે એમના જીવને રાજી રાખીએ. એમની

આંતરડી ઠારીએ અને એમના અંતરના આશિષ ખોબે ખોબે ભરીને લઇએ. પછી આપણે

પણ ઇંદુલાલ ગાંધીની જેમ ગાઇએમાની આંખોમાં કેવી મમતા છે ને હૃદયમાં અનોખી

સમતા છે. માની છાયામાં એક તરણામાં વૃક્ષ થવાની ઉગી ક્ષમતા છે.

અર્હન્તો ભગવંત ઇન્દ્ર મહિતાઃ સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતાઃ

આચાર્યો જિનશાસનોન્નતિકરાઃ પૂજયા ઉપાધ્યાયકાઃ

શ્રી સિદ્ધાન્ત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકાઃ

પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં,

કુર્વન્તુ વો મંગલમ !

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૪ ર્સ્વગનો સ્ટોર

(ડો.આઇ. કે. વીજળીવાળા લીખીત પુસ્તક મોતીચારોમાં થી સાભાર)

વર્ષો પહેલાં જિંદગી કેરા હાઇવે પર હું ગયેલો,

એ વખતે એક અદભૂત એવો મને અનુભવ થયેલો !

રોડના કાંઠે દુકાન પર લખ્યું’તું, સ્વર્ગનો સ્ટોર,

કુતહલપૂર્વક ત્યાં જઇને મેં ખખડાવ્યું’તું ડોર!

દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઇને આવ્યો!

સ્ટોરનો આખો રસ્તો એણે સરખેથી સમજાવ્યો!

હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો - સાંભળ ભાઇ!

જે કંઇ જોઇએ ભેગું કરીને લઇ આવજે તું આહીં!

કદાચ પડે જો ટોપલી નાની બીજો ફેરો તું કરજે!

નિરાંત જીવે ખરીદજે ને ઘરને તારા ભરજે!

પ્રથમ ઘોડામાંથી બેે ચાર પેકેટ ધીરજ લીધી.

પ્રેમ ને ડહાપણની સાથે મેં સમજણ પણ લઇ લીધી!

બેગ ભરી મેં શ્રદ્વા લીધી, માનવતા શેં વીસરું?

થયું કે થોડીક હિંમત લઇ લઉં, પછી જ બહાર નીસરું!

સંગીત,શાંતિ અને આનંદ સૌ ડિસ્કાઉન્ટ રેટે મળતાં,

પુરુષાર્થની ખરીદી પર મફત મળતી’તી સફળતા!

મુકિત મળતી હતી મફત, પ્રાર્થના પેકેટ સાથે.

લેવાય એટલી લઇ લીધી મેં વહેંચવા છુટ્ટે હાથે!

દયા કરુણા લઇ લીધી, મળતી’તી પડતર ભાવે

થયું કદીક જો પડયાં હશે તો કામ કોઇકને આવે!

ટોપલી મારી ભરાઇ ગઇ’તી જગ્યા રહી’તી થોડી,

રહેમ પ્રભુની મળતી’તી શી રીતે જાવું છોડી?

કાઉન્ટર પર પહોંચીને પૂછયું કેટલા પૈસા થયા?

ફિરસ્તાની આંખે પ્રેમનાં અશ્રુ આવી ગયા!

બોલ્યોઃ વહેંચજે સૌને આ, કરતો ના સહેજે ઢીલ,

ભગવાને ખુદ હમણાં જ ચૂકવી દીધું તારું બિલ!

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૫ ડોકટર દિકરો - અને મા

ક્ગ્ર્ઊં ઊઉગ્ગ્ગ્ર્ચ્ર્ ઉંઋ ઋજ્ઋઙજીજકઋઙઋ ચ્ર્કઋઙઋૠગ્ર્ઙઋ કઋ ખ્ર્ઉઊંઋ ખ્ર્ગ્ર્ચ્ર્કઋઙચ્

માનવે ઇશ્વરને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી, ઇશ્વરે માને મોકલી આપી.

ગોળ વિનાનો મોળો કંસાર-મા વિનાનો સૂનો સંસાર .ઇશ્વર સદેહે બધે પહોંચી શકે નહીં

માટે એણે માતાનું સર્જન કર્યું. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે,ઘોડે ચડતો બાપ

મરજો,પણ દળણાં દળતી મા ના મરશો. એમા પણ માતાપ્રત્યેની ભકિત જ પ્રતિબિંબિત થઇ

છે. આપણાં કવિ બોટાદકરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એપંકિતથી શરૂ થતા

ભાવવાહી ગીતમાં માતા પ્રત્યેનો પ્રેમ ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છેઃ

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,

તેથી મીઠી તો મારી માત રે,

જનની જોડ જગે નહીં જડે રે લોલ!

મા એટલે કોણ ? ભૂખ બાળકને લાગે અને તેનો એહસાસ જેને થાય તે માતા -ઠેસ બાળકને

લાગે અને જેને પીડા થાય તેનું નામ મા - બાળક છોડીને જાય અને છતાં તે કહે સુખી રહેજે

તેનું નામ મા . પ્રેમ ને સાકાર થવાનું મન થયુંને માનું સર્જન થયું. જેને કોઇ ઉપમા આપી ન

શકાય એનું નામ છે મા– જેના પ્રેમને કયારેય પાનખર ન નડે એનું નામ છે મા - આવી ત્રણ

મા છે - પરમાત્મા, મહાત્મા અને મા. આજે તું જે કાંઇ પણ છે તે તારી માના પ્રતાપે છે.

કેમકે તેણે તને જન્મ દીધો.મા એ તો દેવી છે. બચપણમાં ગોદ દેનારને ઘડપણમાં દગો

દેનારા ના બનતા - ૧ાા કીલો ની બ્રિફકેસ ૧ાા કલાક પકડીને ઉભા રહેતા તારો હાથ દુઃખી

જાય છે, તો તને નવ નવ મહીના માએ પેટમાં કેવી રીતે ઉંચકયો હશે - આટલુંતો વિચારજો.

નાનો હતો ત્યારે માની પથારી ભીની રાખતો, મોટો થયોેને માની આંખડી ભીની રાખે છે-

અરે પુત્ર, શું તને મા ને ભીનાશ મા રાખવાની ટેવ પડી છે. મા પહેલા આંસુ આવતાને તું

યાદ આવતી - આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે. ઘર મોટા હોવાથી ભેગું નથી

રહેવાતું - મન મોટા હોયતો જ ભેગું રહેવાય છે. મા-બાપે આપેલો સાચો વારસો પૈસો નહીં

પણ પ્રમાણિકતા,પવિત્રતા,વાત્સલ્ય,સંસ્કાર,ચારિત્ર,વિવેક-નમ્રતા,દયા,કરુણા,પરોપકારની

ભાવના અને પ્રેમ છે. ભાગ માટે ભાંગજડ કરનારા દિકરાઓ મા-બાપને ત્યજવામાં ઉદાર બને

છે.ધર્મનો પહેલો પાયો છે માતાપિતાના ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા.મા ને મૂકેતે માનવનો ભવ

ચૂકે. ગુરૂમા ને મૂકે તે મોક્ષ માર્ગ ચૂકે.મા-બાપ સાથે પાડે જે વાંધા, સદગતિ ના કરી ન શકે

તે સાંધા.શેતાનનો સંગ,જીવન સળગાવે છે.સંતોનો સંગ જીવન શણગારે છે.સંસાર છે

શેરડીનો સાંઠો એમા દુઃખ કેરી ગાંઠો.વીતી ગયેલી ગઇકાલ તમો પાછી નહી લાવી

શકો,આવતીકાલમાં પહોંચવું હજી તમારા હાથમાં છે.સાચી ચમક દેહની સુંદરતામાં નહીંં,

પણ દેહથી થતા સત્કાર્યોમાં છે.દાળ બગડતા દિવસ, અથાણું બગડતા વર્ષ, બાયડી બગડતા

ભવ અને કુગુરુ મળતાં અનંતા ભવો બગડે છે.મા એ તમારા માટે શું કર્યું એ જોવું હોય તો

તમને એક ભલામણ ખાસ કરું છું કે દેરાસરોમાં ભલે રોજ જજો પણ કયારેય મહિનામાં

એકાદ દિવસ કોઇક અનાથાશ્રમમાં પણ જરૂર જજો.ત્યાં તમારા જેવા બે હાથ-પગવાળા

બાળકોને જોજો. એમની મા કોણ છે એમની એમને ખબર નથી,એમનો બાપ કોણ છે એની

પણ એને ખબર નથી. તમેતો પુણ્યશાળી છો કે તમો તમારા માતાપિતા સાથે છો જે તમારું

બધું ધ્યાન રાખે છે. જેણે મા-બાપની સેવા કરી તેને માટે સ્વર્ગનુંં તોરણદ્વાર ખુલી ગયું.

બચપણમાં જે દિકરાને મા - બાપે બોલતા શીખવાડયું હતું એજ દિકરા, ઘડપણમાં મા-બાપ

ને ચૂપ રહેતાં શીખવાડે છે.પિતા માટેતો દિકરી મારી વહાલનો દરિયો અને દિકરો મારું

વટવૃક્ષ હોય છે. જે માએ તારા માડે ખાટું-ખારું ખાવાનું છોડયું હતું. કડવા ઓસડીયા પીધા

હતાં. એ માનું મન ખાટું ન કરતો. એનું જીવન ખારું ન કરતો ને એને કદી કડવા વચન ના

કહેતો, કમસે કમ આટલું તો કરજે જ કરજે. જે દિવસે મા બાપ તમારાં કારણે રડે છે, ત્યારે

તમારો કરેલ ધર્મ એ આંસુમાં વહી જાય છે. મા-બાપ ને સોને ન મઢાય તો ચાલે, હીરે ન

ઝડાય તો ચાલે, પણ એની આંતરડીતો ના જ કકળાવાય. જે દિકરાના જન્મ વખતે મા-બાપે

પેંડા વહેંચ્યા એ જ દિકરાઓએ મોટા થઇ ને મા-બાપને વહેંચ્યા આ તે કેવી કરુણતા. મા અને

ક્ષમા બન્ને એક છે કેમકે માફી આપવામા બન્ને નેક છે. ૪ વર્ષનો તારો બાબલો જો તારા

પ્રેમ ને ઇચ્છે છે તો ૬૦ વર્ષના તારા મા-બાપ તારો પ્રેમ કેમ ન ઝંખે? ઘરની મા ને રડાવે ને

મંદીરની મા ને ચુંદડી ઓઢાડે.યાદ રાખજે .મંદીરની મા તારા પર ખુશ નહીં થાય, કદાચ

થશે તો ખફા જરુર થશે. પેટમાં પાંચ દિકરા જેને ભારે નોતા પડયા,એ મા પાંચ ફલેટમાં પણ

ભારે પડે છે.કબુતરને જુવાર નાંખનારો જુવાન જો ઘરડા મા-બાપને જાળવે નહીં તો,એની

જુવારમાં ભલીવાર નથી .. બચપણમાં જેણે તમને પાળ્યા, એનાં ઘડપણમાં હૈયા બાળ્યા?

યાદ રાખજો તમારા ભાગ્ય પરવાર્યા. ઘરમાં ઘરડા મા-બાપને સાચવે નહીં,ને ઘરડાંઘરમાં દાન

(ડોનેશન) તથા જીવદયામાં રુપીયા લખાવે તેને જીવદયા પ્રેમી કહેવો કે જીવદયાનું અપમાન

કહેવું. તેે જયારે ધરતી પર પહેલોશ્વાસ લીધો, ત્યારે તારા માતપિતા તારી પાસે હતા,માત-

પિતા છેલ્લો શ્વાસ લે ત્યારેતું એમની પાસે રહીશને? જરૂર રહેજે. પત્ની પસંદગીથી બનતો

સંબંધ છે - મા-બાપ પુણ્યથી પ્રાપ્ત થાય છે. પસંદગીથી બનતા સબંધોે માટે પુણ્યથી પ્રાપ્ત

થતો નાતો તોડાય નહીં..જે પરિવારમાં વહુને દીકરી જેટલોજ પ્રેમ અને સન્માન મળે છે તે વહુ

પરિવારને મજબૂત બનાવીને એકસૂત્રે તાંતણે બાંધે છે. હયાત માતા-પિતાની છત્રછાયામાં

વ્હાલપના બે વેણ બોલીને નીરખી લેજો.હોઠ અર્ધ બીડાય ગયા પછી - ગંગાજળ મુકી ને શું

કરશો? અંતરના આર્શીવાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેંટી લેજો. હયાતિ ન હોય

ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો.કાળની થપાટ વાગશે. અલવિદા એ થઇ

જશે. પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે... લાખ કરશો ઉપાય તો એ વાત્સલ્ય

લહાવો નહીં મળે. પછી દિવાનખંડમાં તસ્વીર મુકી ને શું કરશો.માતા-પિતાનો ખજાનો

ભાગ્યશાળી સંતાનને મળે. અડસઠ તીર્થ તેના ચરણોમાં, બીજા તીર્થના ફરશો.સ્નેહની ભરતી

આવીને ચાલી જશે પળમાં, પછી કીનારે છીપલાં વીણી ને શું કરશો. હયાત હોય ત્યારે હૈયું

તેનું ઠારજો, પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો.પંચભુતમાં ભળી ગયા પછી આ

દેહના અસ્થિને ગંગામા પધરાવીને શું કરશો. શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,

હેતથી હાથ પકડીને કયારેક તીર્થ સાથે ફરજો. મા બાપ બે વખત રડે - દિકરી ઘર છોડે ત્યારે

અને દિકરાઓ તરછોડે ત્યારે - પરંતુ મા એ તો જીંદગી ભર રડવાનું જ હોય– છોકરા નાના

હોય ત્યારે-અને છોકરાઓ જમે નહીં એટલે મા રડે - અને એજ છોકરાઓ મોટા થઇ માને

જમાડે નહીં એટલે મા રડે. માતૃદેવોભવ, પિતૃદેવોભવ સનાતન સત્ય છે, પછી રામનામ સત્ય

છે બોલીને શું કરશો.એક વાત યાદ આવે છે. એક કુટુંબ હતું. સુખી હતું. ઘરમાં મા-દિકરો

બેજ હતા. દિકરો મોટો થયો એના લગ્ન નક્કી થયા. વહુ આવી ગઇ. વખત જતા તેને પણ

એક દિકરો જન્મયો. પણ હવે વહુને સાસુ ગમતી નથી. તેને ઘરના છેવટના રુમમાં મોકલી

આપે છે અને ઘરનાં બધા જમી લે પછી વધેલું એક માટીના વાસણમાં ખાવાનું આપે.

સાસુમાં સમજી ગયા હવે દીકરો પણ તેને ભૂલી ગયો છે. આ વાતને સાત-આઠ વર્ષ થઇ

ગયા. પૌત્ર મોટો થઇ ગયો. હવે સાસુમાં જમી ને જે માટીના વાસણમાં ખાતા હતા - તે આ

નાનો બાળક ધોઇને પોતાના રુમ માં સાચવીને મુકવા લાગ્યો. એક દિવસ તેની માં એ આ

જોયું એટલે પૂછયું તું શા માટે આ માટીના વાસણ ભેગા કરે છે? દિકરાએ જવાબ આપ્યો -

મા હું મોટો થઇશ- મારા પણ લગ્ન થાશે - ત્યારે આજે દાદીમા જયાં રહે છે તને હું ત્યાં જ

રાખીશ અને આ વાસણોમાં તને જમવા મારી પત્ની આપશે એટલે કામ લાગશે. મા શું

બોલે? મનમાં પરિવર્તન આવી ગયું. તરતજ પોતાની સાસુને સારા એવા ઓરડામાં ફેરવી

નાંખ્યા અને હવેથી રોજ સાથે જમાડવાનું ચાલુ કર્યુ અને દિલથી સેવા કરવા માંડી. મનમાં થયું

કે બાળક તો જે ભાળે તેનું અનુકરણ કરે છે. એટલે સાચા મનથી સાસુમાં ની સેવા કરવા

માંડી. જેવું કરો તેવું પામો. બાળકો યાદ રાખજો તમો જેમ તમારા મા બાપ માટે કરશો

તેમ જ તમારા બાળકો તમારા માટે કરશે. મા બાપના અગણિત ઉપકાર છે તેને કદી ભુલશો

નહીં. અને મા બાપ કદી પોતાના બાળકોનું અશુભ કે અહીત સ્વપનામાં પણ ઇચ્છે નહીં.

શ્રવણ જેવા ના બનો તો ચાલશે પણ તેમને દુઃખ લાગે તેવું કદી કરશો નહી. મા બાપને સુખ

આપશો તો તમને પણ જીવનમાં સુખ જ મળશે. કર્મ એવા કરો કે મા બાપ તમોને ખોબે

ખોબે ભરીને અંતરથી દુઆ તથા આર્શીવાદ આપે તોજ જીવનમાં તમારી સુવાસ ફેલાશે. પૈૈસા

ખર્ચતાં સઘળું મળશે, પણ મા-બાપ નહીં મળે,ગયો સમય પાછો નહીં આવેે,લાખો કમાઇને

શું કરશેા..પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનાર નહીં મળે,પછી ઉછીનો પ્રેમ લઇને,આંસુ સારીને

શું કરશો જમાનો આવ્યો પાપનો, દીકરો નહીં બાપનો.શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેમ સમુદ્ર

કયારેય મર્યાદા મૂકતો નથી - જેમ પવર્તો કયારેય ચલાયમાન થતા નથી-તેમ ઉત્તમ પુરૂષો

કયારેય ઉચિત્ત વ્યવહારનું ઉલ્લંઘન કરતા નથી એથી જ આખું જગત જેમને નમે છે એવા શ્રી

દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા પણ માતા-પિતા પ્રત્યેનું ઓૈચિત્ય પાળે છે.

એક પતિ-પત્ની હતા. એક બાળક થયો અને બાળક થયા બાદ બાપને ઓફીસમાં સેક્રે્રટરી

સાથે લફડું થયું અને પહેલી પત્નીને છૂટાછેડા આપી નવા લગ્ન કર્યા. હવે ઘરમાં મા-દીકરો

બંને જ રહે છે અને થોડી ઘણી જે આવક હતી તેમાંથી ઘર ચાલે છે. પણ પહેલી પત્ની રોજ

પોતાના પતિના ફોટાને પગે લાગે અને વાત કરે આજે તમારો દિકરો પહેલે નંબરે પાસ થયો

વિગેરે.દીકરો જેમ મોટો થતો ગયો, જેમ સમજણ પડવા લાગી- એટલે માને કહે છે કે મારા

પિતાએ તને નાનપણમાં છોડી દીધી તે છતાં તું તેમને આટલું બધું માન શું કામ આપે છે?

મા એ જવાબમાં કહ્યું બેટા,તે હતા એટલે જ તારા જેવો સુંદર -આજ્ઞાકારી-હોંશિયાર દિકરો

મને થયો. એટલે જ તેમનો ઉપકાર આજ પણ યાદ રાખું છું. આને કહેવાય પોઝીટીવ થીંકીંગ.

દરેક વાતમાં પોઝીટીવ - હકારાત્મ વિચારશો તો જ સુખી થાશો. અપનાવજોે આવી સાત્વિક

વિચારણા!નેગેટીવ વાત હોય પણ તેમાથી પોઝીટીવ વાત ગોતવી એ બહુ જ મુશકેલ છે.

આપણે પણ નેગેટીવમાંથી પોઝીટીવ જોવાનું છે. તો જ સુખી થાશો.

એક પતિ-પત્ની હતા.નાણાંકીય સ્થિતિ નબળી હતી. તેમને એક દિકરો હતો. દિકરાને ડોકટર

બનાવવાની પિતાની ખૂબ જ ઇચ્છા હતી. પણ દિકરો ત્રણ વર્ષનો થયો ત્યાં એક અકસ્માતમાં

પિતાનું મૃત્યુ થઇ જાય છે. મા ના ઉપર ઘર ચલાવવાની જવાબદારી આવી ગઇ. બહુ ભણેલ

ન હતી-એટલે બીજાના ઘરકામ કરી ગમે તેમ ચલાવાતું. માની ઇચ્છા હતી કે પોતાના પતિનું

સ્વપ્ન દિકરાને ડોકટર બનાવવાનું છે ગમે તેમ પુરું કરવું. ખુબ જ કામકાજ કરી - કરકસર

કરી રહી ગમેતેમ દિકરાને ડોકટરનું ભણાવે છે.દિકરો પણ હોંશીયાર હતો-સ્કોલરશીપવિગેરે

કાયમ મળતું કારણ તેદર વખતે પ્રથમ નંબરે પાસ થતો.ભણીનેે ગામમાં એક કલીનીકખોલ્યું.

સારી પ્રેકટીસ હતી. હવે દિકરો માને કહે છે કે હું ઓપરેશન સર્જરી ભણેલછુંત મોટાશહેરમાં

જઇએ તો જ ઉપયોગમાં આવશે. મા કહે-બેટાતું કહે તેમ કરીશું. પુના બંને જાય છે દિકરો

મોટી હોસ્પીટલમાં જોડાય જાયછે અને હવેતો કમાણી પણ સારી એવી કરે છે.માનેહવેતકલીફ

નથી.બંગલો-કાર-નોકર-ચાકર બધું છે.મા-દિકરાને કહે છે બેટાહવેઆપણીપાસેભગવાનની

કૃપાથી બધું છે પણ મારે હવે તારા દિકરા-દિકરી જોવાનું ખુબજ મન થાય છે એટલે હવેતારા

લગ્ન કરવાની મારી ઇચ્છા છે. દિકરો કહે ભલે મા.લગ્નની વાત ચાલુ કરી.ઘણાંમાંગા આવ્યા

એક કન્યા ખુબજ રુપાળી-દેખાવડી મોટા ઘરની વાત હતી એટલે નક્કી કરી લીધું અને એક

શુભ દિવસે લગ્ન પણ ખૂબજ ધામધૂમથી થઇ ગયા.હવે ઘરમાં નવી વહુ આવી- સાસુ તો તેને

ખુબ જ સારી રીતે રાખતાં હતાં પણ વહુ નવા જમાનાની હતી - સાસુની કાંઇ પણ રોકટોકન

હતી - તો પણ તેને સાસુમાં ગમતા ન હતા કારણ તે તો સાદાઇથી રહેતા – કોઇ શોખ નહીં

બસ દિકરાનું નાસ્તો-જમવાનુું-કપડાનું બધું ધ્યાન રાખતા હતા.હવે વહુને તો રોજ કીટીપાર્ટી

વિગેરેનો શોખ હતો– એમા પણ સાસુમાંએ કદી તેને અટકાવેલ પણ નહીં - મનમાં એમ કે

નાની વય છે- છોકરા-છોકરી થશે બધું બરોબર થઇ જશે.પણવહુનાસ્ત્રીમિત્રો ઘરે આવેત્યારે

ત્યારે સાસુમાં જુના સાડલામાં કે સાધારણ કપડામાં હોય તો તેને નાનપ લાગતી. રોજ

ડોકટર પતિના કાન ભરવાનું ચાલું કરી દીધું કે તારી મા ને સમજાવ વિગેરે પણ દિકરો મા

વિરુદ્ધ સાંભળવા જ તૈયાર ન હોતો. તે છતાં કહેવત છે ને કે એક જૂઠને તમો સો વાર કહો

તો સાચું થઇ જાય તેમ દિકરાના મનમાં થયું કે કદાચ મા વહુ સાથે બરાબર ન રહેતી હોય.

આ તો ખુબજ મોટા ઘરમાંથી આવે છે કદાચ તેની વાત સાચી હશે. એટલે બીજે દિવસે

નાસ્તો કરતી વખતે મા ને કહે છે - મા તારું મોઢુ જોઇને સવારે જાવ છું તો મને અપશુકન

થાય છે - મા ની આંખમાં આંસુ આવે છે પણ દબાવી રાખેછે અને કહે છે બેટા કાલથી તું

નાસ્તો કરી ને જઇશ પછી હું બહાર આવીશ.વહુને આનાથી સંતોષતો ન થયો. થોડા દિવસ

પછી એક દિવસ તેના પતિને સમજાવે છે કે ઘરમાં એકલીમા કંટાળી જાય છે. ૧૦ કીલોમીટર

દૂર એક વૃદ્વાશ્રમ છે ત્યાં મા ને મુકી આવીએ. દિકરો તો હવે પૂરો પત્નીમય બની ગયો છે. મા

ને કહે છે કે તારો સામાન બાંધી લે થોડે દૂર એક વૃદ્વાશ્રમ છે ત્યાં તને ગમશે. તને કંપનીપણ

રહેશે.અહીં તો અમારા આગળ સમય નથી તું એકલી કંટાળી જતી હોઇશ.મા કે ભલે. પતિ

પત્ની ગાડીમાં માને લઇ જઇ વૃદ્વાશ્રમમાં દાખલ કરવા જાય છે. દિકરો મા ને કહે છે તું ફીકર

નહીં કરતી દર મહીને ૫૦૦ રૂપીયાનું મનીઓર્ડર તને નિયમિત મળે તેવી ગોઠવણ કરી છે.

મા કે ભલે. આશ્રમમાં પહોંચે છે દાખલ કરવાની વિધિ પતાવે છે-ત્યારે મા કહે છે બેટા અહીં

પંખો નથી-તુંએક પંખો નંખાવી આપ તો સારું.તરતજ વહુ બોલે છે ઘરમાંએ.સી કે પંખો કદી

તારી મા એ વાપર્યો જ નથી -હવે આ માંગણી કરે છે. દિકરો ઓફિસમાં પંખાના ખર્ચા પેટે

હજાર રૂપીયા આપે છે અને મા ને કહે છે તું જયાં કહીશ ત્યાંપંખો ફીટ કરશે અને તરતજ

ત્યાંથી નીકળી જાય છે.મા તો આશ્રમમાં ખુબ જ લોકપ્રીય બની જાય છે-કારણ કાયમ બધાનું

કામ કરે તો જ તેને ગમતું.કોઇ બીમાર હોય કે બીજું કાંઇ પણ હોય કાયમ બધાને મદદકરવા

તત્પર.. પહેલાતો એક દિકરાની મા હતી અહીંતો બધા તેને માનથી મોટીમા કહીનેબોલાવતાં.

દિકરો પૈસા મોકલાવતો હતો પણ મળવા કદી કોઇ આવતું નહીં. માને રોજ અંદરથી આશા

થાય કે આજ તો મારી યાદ આવશે,વહુ ન આવે તો ભલે- દિકરો જેને પેટે પાટા બાંધી મોટો

કર્યો તેને જરુર હું યાદ આવીશ.પણ હવે ડોકટર તો મોટા માણસ બની ગયેલો-રૂપીયા ખુબજ

કમાણી હતી-સમય હતો જ નહીં-અને સમય મળેતો પાર્ટીમાંથી ફુરસદ ન હતી.આમ ૩૦

મહિના નીકળી ગયાં.મા તો રોજ દિકરાને જોવા તલસે પણ દિકરો કયાં હવે વહુને છોડી

આવે તેમ હતો.બધું બદલાઇ ગયું.હવે દિકરાનો વિયોગ મા થી સહન નથી થતો અને તે

ખુબજ બીમાર થઇ જાય છે- આશ્રમના બધા ટ્રસ્ટીઓ પણ મળવા આવે ત્યારે એક વખત-

છેલ્લી ઘડી મા દિકરાનું મોઢુ જોવાની ઇચ્છા છે તેમ કહે છે- ટ્રસ્ટીઓ ફોન કરે છે પણ ડોકટર

વાત જ નથી કરતો-મેસેજ આપે છે તમારા મા ખુબ જ બીમાર છે-છેલ્લી વખત મળવા આવો

તો સારું- તો પણ આવતા નથી.પછી બધા ટ્રસ્ટી નક્કી કરે છે સવારના વહેલા આઠેક વાગે

ઘરમાં મળી જશે આપણે રુબરુ મળીને વાત કરી લઇએ-જરુર આવશે. પણ ડોકટરતો ઘરમાં

આ લોકોને કાઢી મૂકે છે કે મારા અપોઇન્ટમેંટ વગર હું કોઇને મળતો નથી. આ લોકો કહે છે

કે આપના માતુશ્રીનેછેલ્લી વખત મળવા માટે ખાસ કહેવા અમો આવેલ છીએ. તમો મળીલો

તો સારુ તેનો જીવ સુખ થી જશે. પણ ડોકટર સાંભળવા જ તૈયાર નથી. કહે છે મા માટે પણ

મારી પાસે સમય નથી અને અપમાનીત કરીને પાછા મોકલેે છે.મા ખુબ જ બીમાર છે. જીવ

દિકરામાં છે. દિકરો જોઇ લઉ પછી પ્રાણ ભલે જાય. એટલે હવે ઉપાય શું કરવો.એકાએક

એક ટ્રસ્ટીને ઉપાય યાદ આવે છે કહે છે કે મારો એક મિત્ર દેખાવમાંતો ડોકટર જેવો લગભગ

લાગે છે-આવા જ કપડાં પહેરાવીને મા પાસે આવે પણ બોલે નહીતો કામ થઇ જાય. ડુપ્લીકેટ

ડોકટર તૈયાર કરવામાં આવે છે અને મા ને કહેવામાં આવે છે સાંજના આઠ વાગે ફકતએકજ

મીનીટ માટે તમારો દિકરો આવશે પણ તરત જ રવાના થઇ જશે એને મીટીંગ છે.મા કહે

વાંધો નથી. બસ છેલ્લી વાર જોઇ લઉ. નક્કી કરેલ સમયે ડુપ્લીકેટ ડોકટર જેવા જ કપડા વિ.

માં આવે છે દૂર થી જ મા ને હાથ હલાવીને જોઇને બાયબાય કરે છે - મા કહે છે બેટાબરાબર

જમજે,તબિયતનું ધ્યાન રાખજે ત્યાંતો રવાના થઇ જાય છે.મા ને ખબર નથી- તેને ઉમ્રના

હિસાબે ઓછું દેખાય એટલે દિકરો મળી ગયો તેનો જીવને સંતોષ છે. તેજ રાત આખરી

જીવનની રાત હતી. સવારના ખબર પડી કે મોટીમાતો હવે નથી. આખો આશ્રમ રોવે છે.

નિયમ મુજબ દિકરાને માના મૃત્યના સમાચાર આપવામાં આવે છે. તરતજ દિકરો-વહૂ આવે

છે કહે છે કે મને બોડી આપી દો-ચીફ મીનીસ્ટરનેે કહીને એક દિવસનો શોક આખા રાજયમાં

રખાવીશ-બધા મોટા મોટા માણસો મારી મા ને છેલ્લા વંદન કરવા આવશે. નિશાળ-

કોલેજમાં રજા જાહેર કરાવીશ-તમો મને બોડી આપી દો. ટ્રસ્ટીઓ મનમાં નારાજ જ હતાં

કીધું તમારી માની ઇચ્છા અહીં અમારું નાનું એવુ સ્મશાન છે ત્યાં જ તેમની છેલ્લી ક્રિયા

પતાવવા અમોને કહેલ છે એટલે આ કામ શકય નથી. પણ હજી એક કામ બાકી છે એમનો

સામાન આપને સોંપવાનો છે તમો સહી કરી લઇ જાવ.બધો સામાન-મંગાવેછે-પણ સામાન

માં તો માત્ર એક નાની પેટી હતી–કીધું કે તમો ખોલીને જોઇલો બધું બરાબર છે કે નહીં.

ડોકટરનોે લોક કીર્તી મેળવવાનો પ્લાન નાકામયાબ થયો- પછી પેટી ખોલે છે અંદર થી એક

પોટલી લાલ કપડાની મળે છે જેના ઉપર જ એક કાગળ લખેલો હતો. કાગળમાં-મા લખે છે

બેટા હવે હું નથી.તને કોઇ વાતની તકલીફ નહીં પડે.આ સાથે ૩૦મહીનામાં તારીમોકલાવેલ

રકમ પાછી તનેજ કરું છું- તું તો મારો સારો દિકરો હતો - મને દર મહીને વાત મુજબ ૫૦૦

રૂપીયા મોકલાવતો હતો-પણ બનવાજોગ છે તારો દિકરો ભવિષ્યમાં તને અહીં જ મુકી જાય

અને તારી જેમ રૂપીયાન મોકલે તો તને તે રકમ કામમાં આવે એટલે જ મેં તારામાટેબચાવીને

રાખી છે.આ રકમ આવા દિવસો માટે સાચવીને રાખજે.બીજું ંપંખો પણ તારામાટેજનંખાવવા

કહેલ-મને તો બધું ગરમી ઠંડી ચાલે પણ તને તો પંખા વગર ચાલશે નહી તે માટે જ પંખો

નંખાવેલ છે કે ભવિષ્યમાં મારા દિકરાને અહીં ગરમી ન પડે. બાકી મેં તો આજ દિવસ સુધી

તેનો ઉપયોગ કરેલ નથી. દિકરાની આંખમાં આંસુ આવી ગયા- આવી સારી મા અને હું

ઘરમાંથી આશ્રમમાં મુકી આવ્યોતો પણ મને વઢતી પણ નથી ઉલટાનું ભવિષ્યમાં મને કોઇ

તકલીફ ન પડે તે જ વિચાર છે. મા ની માફી માંગે છે પણ હવે તો બોડી પણ મળવાનું નથી.

ચુપચાપ ઘરે ભારે હૈયે જાય છે.પછી સાંભળવા મળેલ છે જે ડોકટરનો એેકે કેસ ખોટો ન

થતો - હવે જે પણ કેસ લે ખોટો થવા મંડયો. લક્ષ્મીદેવીની કૃપા જીરો થઇ ગઇ.ઘર બાર

હોસ્પીટલ બધું વેંચાય ગયું અને પત્ની પણ રૂપીયા વગરના પતિને છોડી બીજા સાથે ચાલી

ગઇ - અને ડોકટર ગાંડો બની છેલ્લે તે જ આશ્રમમાં રહેવા આવે છે.ત્યાં જોવેછે તેની મા નો

મોટો લાઇફસાઇઝ ફોટો હતો.અને બધા જ રોજ તેમને પગે લાગતાં-આર્શીવાદ લેતા-હવે

સમજે છે કે મારી મા ને દુઃખ આપ્યું તેનું પરિણામ ભોગવવાનું મારે છે. તેણે તો મારા માટે

તેનું જીવન આપ્યું પણ હું નાદાન પત્નીનીવાતમાં આવી દેવી જેવી મા સાથે અન્યાય કરીબેઠો

ભગવાન માફ કરજે. મારું પુણ્યજ મારી મા હતી તેના જીવતા મને હંમેશ જશ જ મળેલ અને

તેની ગેરહાજરીથી મારી આ દશા થઇ ગઇ. હું જ કમનસીબ કે માને કહ્યું કે વિધવાનું મોઢું

જોઉં છું અને મારો દિવસ બગડે છે.મા તું જયાંપણ હોય મને માફ કરજે.

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

શબ્દકોષના તમામ શબ્દોમાં જે મીઠાશ નથી,તે મીઠાશ એક ‘મા’ શબ્દમાં છે.

દુઃખ સુખ આવે તે સહેજો, મા નાં ચરણકમળમાં રહેજો.

પંછી પાની પીને સે, ઘટે ન સરિતા નીર,

ધર્મ કરે ધન ન ઘટે, કહ ગયે સંત કબીર.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૬ વાસી ખાઇ છે બધા

એક ગામમાં ખુબ જ સુખી કુટુંબ રહેતું હતુ. ઘરમાં રસોઇયા-નોકર–ચાકર-ગાડીઓ-

ડા્રઇવરો-ભૌતિક રીતે બધું સુખ હતું. ઘરમાં શેઠ-શેઠાણી- એક દિકરો ત્રણ જ જણાં રહેતા

તાં.દિકરાની લગ્નની ઉમ્ર થઇ એટલે સારા ઘરની સુંદર કન્યાના માંગા આવવા લાગ્યા. એક

કન્યા -કુટુંબ બધું સારુ હતુ– ત્યાં નક્કી થઇ ગયું. લગ્ન થઇ ગયા - વહુ દીકરી ઘરે આવી ગઇ

હવે સવારના બધા હોલમાં બેઠા હતાં ત્યાંજ નવા વેવાઇનો ફોન આવ્યો. શેઠ સાથે વાત

પહેલા કરી - પછી દિકરી સાથે વાત કરે છે- બેટા તું મજામાં છો ને? કાંઇ તકલીફ નથી ને?

ના ના પપ્પા હું તો ખુબ જ મજામાં છું. પણ અહીં બધા વાસી ખાય છે. સસરાજી એ સાંભળ્યું

કહે કે વહુદિકરી-આપણા ઘરમાં રોજ તાજું શાક-ફળ બધુ નિયમીત આવે છે, તમે કેમ વાસી

કીધું-મારી સમજમાં આવતું નથી. વહુ બહુજ જ્ઞાની હતી તેણે કીધું કે આપણા ઘરમાં રૂપીયા-

પૈસાની કોઇ તકલીફ નથી. ખાવાની કે કપડાંની કે બીજી કોઇ તકલીફ નથી. પણ આપણા ઘર

પાસે કોઇ દેરાસર-ઉપાશ્રય કાંઇ જ નથી - જે છે ખુબજ દૂર છે. ત્યાં આપણે કોઇ જતાં નથી.

સમાજમાં આપણું કાંઇ નામ નથી - આપણે જે ખર્ચાઓ કરીએ છીએ તે આપણી પાછળ જ

કરીએ છીએ. આ તો આપનું ગયા ભવનું જમા પુણ્ય છે તેટલો સમય ભોગવશો - પણ નવું

પુણ્ય ઉર્પાજનનું કોઇ કામ કરતાં નથી એટલે આપણે વાસી ખાઇએ છીએ તેમ કહેવાય.

સસરાજીની આંખ ખુલી ગઇ. થોડા સમયમાંજ ઘર પાસે જ નાનું પણ શીખરબંધી દેરાસર

બનાવરાવ્યું.સાથે ઉપાશ્રય,આયંબીલશાળા,ભોજનશાળા,પાઠશાળા-આમ લક્ષ્મીનો સદુપયોગ

ચાલુ થઈ ગયો. ઘરમાંથી પણ બધા દેરાસર પૂજા વિગેરે ધર્મની બધી પ્રવૃત્તિમાં નિત્ય રસ

લેતા થઇ ગયા અને તે કુટુંબનું નામ સમાજમાં ગાજતું થઈ ગયું. એક જ સારું પાત્ર ઘરમાં

આવે જે ના મનમાં શૂભ ભાવના હોય-સવી જીવ કરું શાસન રસીતો આખું કુટુંબ તરી જાય

છે. ધર્મ આવવાથી ઘરમાં લક્ષ્મીદેવીની પણ કૃપા વધતી જ ગઇ.

શત કોટિ કોટિ વાર વંદન, નાથ! મારા હે તને,

તે તરણ તારણ નાથ તું સ્વીકાર મારા નમનને,

હે નાથ ! શું જાદું ભયુર્ં અરિહંત અક્ષર ચારમાં

આફત બધી આશિષ બની તુજ નામ લેતા વારમાં.

ધન્વંતરી છો વૈદ છો, મારા જીવનના હૈ પ્રભુ !

ભવરોગના વળગાડને મુજ દૂૂર કરજો હે વિભુ!

ઉપકાર કરી વિતરાગ! મુજને જ્ઞાનદર્શન આપજો

ચારિત્રમાં નિશદિન રહું એવી સુબુદ્ધિ આપજો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૭ ભગવાન ના ઘરે દેર છે પણ અંધેર નથી

ભગવાનના ઘરે દેર છે પણ અંઘેર નથી. કર્મની લાઠી કોઇને છોડતી નથી.. નીચે એક સત્ય

ઘટના જણાવું છુ. કર્મમાં જેવું કરશો તેવું પામશો. વાવો તેવું લણશો. ખાડો ખોદશે તે પડશે.

જેવી કરણી તેવી ભરણી. કુદરત પાપની સજા કરે છે પણ ધીરે ધીરે. જે કોઇ પણ પાપ કરે છે

આખરે તેને ભગવાનની લાઠી વાગે છે અને જે પણ પાપ કર્યુ હોય તેની ચક્રવર્તી વ્યાજ સાથે

વસૂલાત આપવી પડે છે. મુંબઇ નગરીની સત્ય ઘટના છે. લગભગ આજથી સો વર્ષ પહેલાની

વાત છે. વડગાદીમાં ચાલી સીસ્ટમમાં લોકો રહેતા બહેનો માસીક પાળતા, બાજુના ઘરેથી

રસોઇ આવી જતી - આજની જેમ મોંઘવારી ન હતી.ખુબજ સોંઘવારી હતી.નાની વયે લગ્નનો

જમાનો હતો.દીકરી ૧૨વર્ષની થાય ત્યારે લગ્ન થઇ જતા અને દીકરો ૧૪ વર્ષનો થાય ત્યારે

તેના પણ લગ્ન થઇ જતા. ભણવાનું લખતા વાંચતા આવડે એટલે પુરું થઇ જતું. એક પતિ-

પત્ની વડગાદીની ચાલમાં રહેતા હતાં. લગ્ન બાદ પહેલા જ વર્ષૅમા દીકરાનો જન્મ થયો. ત્યાર

બાદ ચૌદ વર્ષ બાદ પત્નીને સારા દિવસો રહ્યા - પણ બીજા દીકરાનો જન્મ આપી મા તરતજ

મૃત્યુ પામી. હવે ઘરમાં ૩૧વર્ષનો બાપ-૧૩વર્ષનો મોટો દીકરો અને તાજુ જન્મેલું બાળક.

બાપે દીકરાને પરણાવવાનો નિર્ણય કર્યો અને ઘરમાં બાર વર્ષની કન્યા આવી ગઇ. પુણ્ય

હતુ. કન્યા ખુબજ સારા ઘરની સંસ્કારી હતી . ઘર આખું સંભાળી લીધુ અને નાનો દેરતો તેનુ

રમકડું બની ગયું આખો દિ તેને રમાડવો-વ્હાલ કરવું-દુધ પાવું- ખવરાવવું-કપડાં નવા નવા

પહેરાવી તેની સાથે રમવું. સાથે ઘર પણ સંભાળવું તેજ તેનું જીવન બની ગયું. સસરા ખુબજ

ખુશ હતા - પતિ પણ ખુશ હતા અને નાનો દેરતો તેને મા મા કહીને ખુબજ રમતો.

સારો સમય કાયમ રહેતો નથી. એક રાતના સસરાને ખુબજ ઉઘરસ આવવા મંડી - આખી

રાત જાગરણ થયું. સવારના ડોકટરને બતાવ્યું ખબર પડી કે ટી બી છે ત્યારે ટીબીની કોઇ દવા

ન હતી. ડોકટર કહે છે કે માંડ મહીનો દોઢ મહીનાનું આયુષ્ય બાકી છે. સસરાએ મોટા

દીકરાને પાસે બોલાવ્યો અને એક વચન માંગ્યુ. દીકરો કહે બાપુજી તમો જેમ કહેશો તેમ

કરીશ. તમો કોઇવાતની ચીંતા નહીં કરો. બાપાએ કીઘુંકે આપણી ફેકટરી-ઘર તથા બઘું

મળીને ૪૦,૦૦૦/- ચાલીસહજારની મુડી થાય છે-તારે નાનાને ભણાવવાનો -પરણાવાનો

તથા તે સમયે તારી પાસે જે કાંઇપણ મુડી હોય તેમા તેનો અર્ધો ભાગ રાખવાનો - સાથે

રહેતો મુડી ભેગી રહેશે, નહીંતર તેને ટોટલ મુડીનો અર્ધો ભાગ આપવાનો રહેશે-છે મંજુર .

દીકરોે કહે બાપુજી તમો જેમ કહો છો તેમજ કરીશ- આખરેતો તે મારો નાનો ભાઇજ છે ને.

રાતનાજ મૃત્યુ થયું. બાર દિવસતો બઘી વિઘીમાં ચાલ્યા ગયા. પછી મને તેનુ પોત પ્રકાશવાનું

ચાલું કરી દીઘું - મન વીચારે છે કે આજેતો ચાલીસ હજાર રુપીયા છે કાલે ૧૦-૨૦-૪૦

લાખ મારી મહેનતથી કમાઉ અને નાનાને મારે અર્ઘા આપવાના- જો નાનો હોત જ નહી તો

આ બઘુ મારુ જ રહેત. હવે નાનાને દૂૂર કરવો પડશે પણ પોતાની જ પત્નીતો એક મીનીટ

પણ નાનાને દૂૂર કરતી નથી આખો દિવસ-રાત તેનુ જ ઘ્યાન રાખેછે. હવે આ કાંટો કેમ દૂૂર

કરવો મનમાં ખુબજ અશાંતી છે.

રવિવારના સવારનો સમય છે–છાપાવાળો મુંબઇ સમાચાર છાપું ઘરમાં ફેંકે છે. પહેલા પાને

રશિયન સર્કસ ની જાહેરાત છે અને પત્ની ઘરમાં એક ખુણામાં ગરમ ઘાબળો પાથરી બેઠી છે.

આ મોકો સારો છે - પત્નીને કહેકે સર્કસમાં નાનાને મજા આવશે તું પણ સાથે આવ - હાથી

ઘોડા વિગેરે જોઇને નાનો ખુબજ ખુશ થશે.પત્ની કહે છે મારાથી તો આવી શકાય એમ નથી

પણ તમો નાનાને સર્કસ જરુર લઇ જાવ-ચોકલેટ મીઠાઇ વિગેરે ખવરાવજો-નવા કપડાં

પહેરાવીને લઇ જાજો. સાચવીને જશોજી. ભાવતું હતુ તે મળી ગયું-તરત નાનાને નવા કપડાં

પહેરાવી -ચોકલેટ-મીઠાઇ અપાવી અને ઘર બહાર નીકળી ગયા બંને.નાનોતો ખુશ હતો

મુંબઇમાં ત્યારે થોડી ઘણી લોકલ રેલ્વે ચાલુ હતી - બે કલાક એક ટ્રેનમાં ફરાવી ંએક સ્ટેશને

બંને ઉતરી ગયા. નાનાને કહે છે કે તું અહીંયાજ બેસજે. હું સર્કસની ટીકીટ લઇને આવુ છું.

કાંઇ જતો નહીં - પછી છેલ્લીવાર તેને રમાડી પુલ પરથી બાહર નીકળી એક બસમાં બેસી

ગયો. ત્રણ ચાર કલાક રખડીને ઘરે રોતો રોતો આવ્યો. પત્નીને કહેકે સર્કસમાં ખુબજ ગર્દી

હતી નાનો અલગ થઇ ગયો. પોલીસમાં પણ જણાવેલ છે-હવે નાનો મળે નહીં ત્યા સુઘી હું

અનશન કરીશ-પાણી પણ નહીં વાપરું. ૨૪ કલાક આમજ કાઢયા-રોઇરોઇને-ભલે મનમાતો

પાપ હતું - અંદરથી ખુબજ ખુશ હતો - હવે જે રુપીયા બનશે બઘુ મારુંજ રહેશે કોઇનો ભાગ

હવેતો નથી. પત્ની ખુબજ સમજાવે છે કે ભગવાનની ઇચ્છા આગળ આપણું કાંઇ પણ

ચાલતું નથી.તમો જમી લો,હું પણ તોજ જમીશ.આખરે સમય જતાં નાનો ભુલાઇ ગયો. પાપ

છાનું કરો કે ચોકમાં,અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં! અતિકષ્ટથી ઉછેરીને,ડાહ્યા

બનાવ્યા દીકરા,મા બાપને માને નહીં પેટે અડધા ઝખ મારવા દરરોજ જૂવે છે છતાં,જન

સેંકડો સ્મશાનમાં, હું અમર છું એમ માને, માનવી ઉંડાણમાં! ધનભોગ કાજે પાપ કરતાં નર

જન્મ એળે ખોવતાં, પરલોક સાથે કઇ ગતિ, ચેતે નહીં નિજ ચિત્તમાં! વર્ષગાંઠ તણે દિને,

ખાએ પીએ છે માલ, પણ સમજે નહીં એટલું, કે દિવસ ગાંઠ નો જાય.

હવે પત્નીને બે જોડીયા ખુબજ દેખાવડા દીકરાઓનો જન્મ થાય છે. બે ભાઇની ઉમ્રમાં ફકત

પાંચ મીનીટ નો ફરક છે. મા હવે આ બંને દીકરાને મોટા કરવા પોતાનો પુરેપુરો સમય આપે

છે અને બાપ રૂપીયા પાછળ અમદાવાદ - સુરત- મુંબઇ દોડાદોડીમાં વ્યસ્ત છે. કુટુંબ માટે

સમય જ હવે નથી.ઘીમે ઘીમે બંને બાળકો મોટા થાય છે.ખૂબજ દેખાવડા-ભણવામાં પણ

હોંશિયાર -વિનયીવિવેકી - ઘર્મનું પણ જ્ઞાન સારુ.બંને ભાઇઓમાં પણ ખુબજ બનતું. આ

બઘું જોઇને બાપ મનમાને મનમાં ખુશ થાતો. ભગવાન જેવુું કાંઇ નથી. મને તો પાપ કર્યા

બાદ આટલું સુખ મળેલ છે એકદમ આજ્ઞાકારી પત્ની મળેલ છે આટલા સુંદર બે દીકરાઓ -

ખુબજ આજ્ઞાકારી-ભણવામાં હોંશીયાર-રમતગમતમાં હોંશીયાર-ઘર્મીષ્ટ વિગેરે ગુણોથી

ભરપુર - મા બાપને બીજુ શું જોઇએ. સમય સમયનું કામ કરે છે. બંને દીકરા મેટી્રકમાં

પહેલે-બીજે નંબરમાં પાસ થયા.બાપુજીને કહે છે આપણી ૪૦ મીલો ચાલે છે- અમે બંને

ટેકસટાઇલ એંજીનીયરીંગનું ભણવા અમેરિકા જવા વિચારીએે છીએ. બાપે તો હા પાડી પણ

મા એકે દીકરાને મોકલવા રાજી નથી. હવે શું કરવું? આખરે એવું નક્કી થયું મોટો દીકરો

જાય અને નાનો મા પાસે રહે. બાપ તો રૂપીયા પાછળ જ ભાગતો હતોઘડીકમાં અમદાવાદ

તો પછી સુરત - આમ રૂપીયા પાછળ ભાગતો જ રહેતો.

હવે મોટો દીકરો અમેરીકા ભણવા પહોંચી જાય છે. નિયમીત પત્રો લખે છે. મા તો ભણેલ

નથી પણ નાના દીકરા પાસે પત્ર વંચાવે-જવાબ લખાવે. બાપનેતો પત્ર વાંચવાનો પણ સમય

નથી . તે ભલો ને તેની રૂપીયા પાછળ ભાગ મ ભાગ. મોટા દીકરાનો પત્ર આવે છે કે મારુ ં

ભણવાનું પતિ ગયુ છે.નાતાલની રજા છે મેં અમેરીકા જોયું નથી તમો નાનાને એક

અઠવાડીયું મોકલો અમો સાથે બધું ફરી લેશું અને પછી સાથે જ મુંબઇ આવીશું. નાનો માને

સમજાવે છે કે મને જવા દો અમે બંને સાથે આવીશું. મા ને સમજાવી નાનો પણ અમેરીકા

જાય છેે. બપોરનો સમય છે મા એકલી હોલમાં હીંડોળા પર બેઠા બેઠા બંને દીકરાઓના ફોટા

વિગેરે જોવે છે. ત્યાં જ ઘરનો બેલ વાગે છે મા પોતેજ દરવાજો ખોલે છે. સામે એક પોસ્ટમેન

ઉભો છે કહેછે તમારો પરદેશથી તાર છે. અહીં સહી કરો એટલે હું જાઉ. મા ને તો લખતાં

વાંચતા આવડતું નથી એટલે પોસ્ટમેનને કહે છે ભાઇ તું જ આ તાર વાંચીને જણાવ કે શું

વાત છે. પોસ્ટમેન તાર વાંચે છે ને કહે છે અમેરીકામાં તમારા બંને દીકરા બોટીંગ કરવા લેક

સુપીરીયરમાં ભમરી -વમણમાં ફસાઇ ગયા અને બંને દીકરાઓ અકાળે અવસાન પામેલ છે.

મા નું તો આ સાંભળીને ત્યાંં ને ત્યાં હાર્ટફેઇલ થઇ ગયું. કેવી કુદરતની કમાલ - એક સાથે

ઘરના ચાર મેમ્બરમાંથી ત્રણ નથી. હવે રહ્યો એકલો બાપ અને કરોડો રૂપીયાની સંપત્તિ. શું

કામના આ રૂપીયા જે બઘે અશાંતી ફેલાવે. ભગવાનના રાજમાં કર્મ ની સજા ભોગવવી જ

પડે છે. કોઇકવાર કર્મની સજા મોડી થાય છે કારણ આપણી સાથે કુટુંબ હોય તેનુ પુણ્ય

જોરદાર હોય, એટલે તેઓ જયારે આપણાથી દૂૂર થાય ત્યારે તે સજા ભોગવી પડે છે.

ચેનથી જીવવા માટે ચાર રોટી - બે લંગોટી પણ પુરતી છે

બેચેની થી જીવવા માટે ચાર મોટર - બે બંગલા પણ પુરતા નથી.

શેઠ સવારના ઉઠેછે બધી વિઘી પતાવે છે. પણ હવેકોના માટે જીવવું. મન- તન ખુબજ દુઃખી

છે. હવે શેઠના નસીબ પણ બદલાઇ જાય છે. અત્યાર સુઘી જયાં હાથ નાંખે ત્યાં લક્ષ્મીદેવીની

ખુબજ કૃપા હતી,પણ હવે પત્ની-બંને દીકરાનું ભાગ્ય સાથે નથી . હવેતો શેઠે કરેલ કર્મની

સજા ભોગવવી જ રહી.. સવારથી માઠાં સમાચાર આવવાનું ચાલુ જ રહે છે. અમદાવાદથી

સમાચાર-ફેકટરીમાં આગ લાગી છે ખુબજ મોટું નુકસાન થયેલ છે. ત્યાં સુરતથી સમાચાર

કસ્ટમ તથા એકસાઇસની રેડ પડી છે ફેકટરીને સરકારના સીલ લાગી ગયા છે. ટેન્સનનું

પરિણામ આવ્યું કે શેઠ માંદા પડી ગયા-બીપી-હાર્ટ અટેક-સફેદ પેચસ-પેટમાં બળતરા

વિગેરે પ્રોબલમ થવા માંડયા- હવે નાનો ભાઇ યાદ આવ્યો ખુબ તપાસ કરી પણ મળે

કયાંથી . સ્ટેશને-આજુ બાજુ અનાથાશ્રમમાં બઘે તપાસ કરી- આખરે શેઠ આવી જીંદગીથી

કંટાળી ગયા. મુંબઇ સમાચારના એેડીટર પાસે ગયા પોતાની પુરી આપવીતી કહી અને

વીનંતી કરી મારી સંપૂર્ણ મુડી કામા ચેરીટીબલ ટ્રસ્ટને આપુ છું જેનોે સ્વીકાર કરી મને આ

પાપના રૂપીયાથી છુટકારો આપો. મને ફકત બાજુના અનાથાશ્રમમાં ચપરાસીની નોકરી

આપો - હું દર કલાકે ઘંટ વગાડીશ અને ત્યાં જ વઘેલું ઘટેલું ખાઇ લઇશ. પણ આપને વીનંતી

છે કે મારી આપવીતી મુંબઇ સમાચારમાં જરુર છાપશોજી. નામ બદલી લેજો, જેથી હવે બીજો

કોઇ આવું કામ કરેજ નહીં. હું સમજતો હતો કે ભગવાન નથી. પણ આજે ખબર પડી કે

ઉપરવાળાની લાઠીમાં દેર છે પણ અંઘેર નથી.આપણાં કમ્પ્યૂટરમાં ગોલમાલ કરો પણ

ઉપરવાળાના કમ્પ્યૂટરમાં તમો કાંઇ પણ ગોલમાલ કરી સકતા નથી.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહયા કરે,

શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે;

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,

એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે મૈત્રી

દીન, ક્રુર ને ધર્મ વિહોણાં, દેખી દિલમાં દર્દ રહે.

માર્ગ ભૂલેલા જીવન પથીકને, માર્ગ ચીંધવા ઉભો રહું

કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચીત ધરૂં...મૈત્રી

ચીત્રભાનુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે,

વેર ઝેરના પાપ તજીને મંગલ ગીતો એ ગાવે મૈત્રી.

માતા તો થાકયાનો વિસામો છે,હારેલાની હામ છે,શાંતિનું પરમધામ છે.

મા એટલે ગુરૂ, મા એટલે કલ્પવૃક્ષ,મા એટલે સુખનો સાગર,મા એટલે પ્રેમનું

પીયર,મા એટલે સર્વ મંગલનો સાર અને મા એટલે અમૃતની ધાર.

જનની ની ગોદમાં અને ગુરૂની છાયામાં જે જ્ઞાન અને પ્રેમ મળે છે તે વેદોમાં ગોથા

મારવાં છતાં મળતું નથી. હું જે કંઇ કરી શકું છું અને જે કંઇ થઇ શકું છું તે મારી દિવ્ય

માતાની પ્રસાદી છે. માતાનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સીટી.

સત્યની પ્રાપ્તિ શ્રદ્વાથી થાય છે. અન્ય સાથે કપટ એ પાપ અને વિશ્વાસઘાત એ મહાપાપ છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૮ વડીલ છત્ર છે

જાપાન ની એક વાત છે. ૨૦૦ વર્ષ પહેલાની વાત છે જયારે રાજાશાહી ચાલતી હતી.

એકગામના રાજાનું મરણ થાય છે.૧૮વર્ષનો દીકરો રાજગાદી પર બેસે છે અને તેનો

રાજયાભીષેક થાય છે. રાજદરબારમાં બધા વૃદ્વો વધારે હતાં. નવા રાજાએ પહેલો હુકમ

કર્યોકે ૬૦વર્ષની ઉપરના બધાને ગામની બહાર એક જંગલમાં મુકી આવવાના ભલે જંગલી

જનાવર તેમને મારી નાંખે.જે કોઇ આ કાયદાનો ભંગ કરશે તેના આખા કુટુંબને મારી

નાંખવામાં આવશે– ઘર વિગેરે બઘું જપ્ત કરવામા આવશે.

ઘીમે ઘીમે ગામમા વડીલો ખાલી થઇ ગયા. ગામમા એક બાપ દીકરો રહેતા હતા .બાપની

ઉમ્ર ૬૦ વર્ષ થઇ એટલે દીકરાને કહે કે મને હવે તું જંગલમાં મુકી દે નહીંતર રાજા તને,

તારી વહુને તથા દીકરાને મારી નાંખશે એટલે હવે મને જલ્દીથી જંગલમાં લઇ જા. દીકરો

માનતો નથી કહે કે તમને આમ જંગલમાં મુકવાનું મન નથી માનતું. બાપ ખુબજ સમજાવે છે

ત્યારે દીકરો માને છે. જંગલમાં જતી વખતેે બાપ એક ભગવા રંગનો તાકો ઘરમાથી લે છે

અને એના નાના નાના ટુકડા કરી ને એક થેલામાં સાથે લે છે. દીકરો રોતા રોતા બાપને

ખંભા પર બેસાડી જંગલ તરફ રવાના થાય છે. રસ્તામાં આવતાં ઝાડ ઉપર બાપ એક એક

ટુકડો લટકાવતો જાય છે. દીકરો જોવે છે પણ કાંઇ બોલતો નથી. આખરે જંગલમાં બાપને

મુકવાની જગા આવી જાય છે બાપા દીકરાને કહે છે હવે તું પાછો જા અને તને સહેલાઇથી

રસ્તો મળે એટલે આ ભગવા રંગના ટુકડા જોતો જોતો સીઘો ઘરે પહોંચી જઇશ. દીકરાની

આંખમાં આંસુ આવે છે. તે મનમાં વિચારે છે કે મૌત તેમનું સામે છે પણ હું કેમ સહી

સલામત ઘરે પાછો પહોંચું તેનો જ બાપા એ કેટલો ખ્યાલ કર્યો છે.

તે મનોમન બાપને ઘરે પાછા લઇ જવાનુ નક્કી કરે છે અને બાપને સમજાવે છે કે આપણને

જતાં બઘાએ જોયા છે હવે રાતના અંઘારામાં આપણે પાછા ઘરે કોઇને ખબર ન પડે તેમ

પહોંચી જાશુ. આપણા ઘરમાં એક ભંડકીયુ છે ત્યાં તમો રહેજો. હું દિવસના ત્રણ ચાર વાર

ત્યાં આવતો રહીશ તમારો નાસ્તો જમવાનું બઘુ ત્યાંજ. કોઇને ખબર નહીં પડે. બાપ

દીકરાની વાત માની જાઇ છે અને ભંડકીયામા રહેવા લાગે છે. દીકરો બાપ ને ત્રણ ચાર વાર

મળવા રોજ જાય છે. હવે રાજાના દરબારમાં બાજુના રાજયમાથી એક દુત આવે છે એક

કોયડો લઇને. તેના રાજાને રાખની દોરી જોઇએ છે. રાજાના દરબારમાં કોઇ જવાબ આપી

શકતું નથી એટલે રાજા ઢંઢેરો પીટાવે છે કે જે કોઇ રાખની દોરી બનાવી આપશે તેને એક

લાખ સોનામહોર ઇનામ મળશે.

દીકરો બાપને મળવા ભંડકીયામાં જાય છે ત્યારે તે વાત કરે છે - બાપ કહે કે આતો બહુ

સહેલું છે. એક મોટી થાળી લઇ આવ-એક ઘાસની દોરી લઇ આવ અને એક માચીસ. દીકરો

બધુ લઇ આવેછે-બાપ થાળીમાં ઘાસની દોરી મુકી બાળે છે- રાખની દોરી થઇ ગઇ. દીકરો

મહેલમાં જાઇ છે અને રાજા ને કહે છે કે હું રાખની દોરી બનાવી શકુ પણ મારી એક શર્ત છે

મારા આખા કુટુંબને અભયદાન આપો તો જ હું કરુ.. રાજા કહે છે તું કહે તે મંજુર. આતો

આપણા રાજયની ઇજજતનો સવાલ છે. દીકરો અને રાજા મિત્રો બની જાયછે.દીકરો રાજા ને

સાચું સાચું કહી દે છે કે આ કોયડાનો ઉકેલ તો મારા ૬૦ વર્ષ ઉપરના બાપા છે ઘરના

ભંડકીયામાં જ રહે છે. તમારી આજ્ઞા વિરુદ્ધ મેં આમ કરેેલ છે એટલે જ પહેલેથીજ અભયદાન

માંગી લીઘુ હતું-રાજા સચ્ચાઇ સાંભળીને ખુબ જ ખુશ થાય છે કહે છે કે તે આપણા રાજયની

લાજ રાખી - માંગ માંગ તને એક લાખ સોનામહોરો થી પણ બીજુ કાંઇ જોઇએ તે. દીકરો

કહે છે મને કાંઇ જોતુ નથી . ફકત ૬૦ વર્ષ ઉપરના ને જંગલમાં મુકવાનો કાયદો રદ કરો.

વડીલો હશે તો જ તેમનો અનુભવ આપણને જીંદગીમાં લાભદાયક રહેશે.તેઓ તો દરેક

ઘરના છત્ર છે - છત્ર વગર ઘરમાં અંઘારુ રહેશે. એટલે આજથી આ કાયદો રદ કરવા હુકમ

આપી દેવા મારી નમ્ર વિનંતી છે. રાજાને ગળે વાત ઉતરી ગઇ અને આ કાયદો રદ કરવામાં

આવ્યો. વડીલોનું ઘર અને સમાજમાં માન હોવુ જરુરી છે -પોતાની આખી જીંદગી પરીવાર -

સમાજ માટે સમર્પિત કરે અને છેલ્લી જીંદગીમાં સુખ આપવું તે દરેક સંતાનોની ફરજ છે.

એક મા બાપને ત્રણ દીકરા પોષાય પણ ત્રણ દીકરાઓને એક મા બાપ ન પોસાય.મા

વિનાનું ઘર અને ઘર વગરની મા આ એક ખુબજ દુઃખ લાગે તેવું છે. બાળકો યાદ રાખજો

તમો જેમ તમારા મા બાપ માટે કરશો તેમ જ તમારા બાળકો તમારા માટે કરશે. મા બાપના

અગણિત ઉપકાર છે તેને કદી ભુલશો નહીં. અને મા બાપ કદી પોતાના બાળકોનુ અશુભ કે

અહીત સ્વપનામાં પણ ઇચ્છે નહીં. કોઇકવાર કોઇ વિધ્નસંતોષી હોય -તમને મા-બાપ વિરુદ્વ

ઉશકરે તો તેની વાત કૃપા કરીને માનશો નહી.ં શ્રવણ જેવા ના બનો તો ચાલશે પણ તેમને

દુઃખ લાગે તેવું કદી કરશો નહીં. કરો તેવું પામો - વાવો તેવું લણો. જે પ્રભુની પાસે રહે છે,

પ્રભુ તેની સાથે રહે છે. પ્રત્યેક કલાકાર પોતાની કલાકૃતિ નીચે પોતાનું નામ લખે છે પરંતુ

જનેતા પોતાના બાળકને એના પિતાનું નામ આપી દે છે.નીચોવી પ્રાણને માતા વરસાવે જ

સ્નેહને, ભોગના ત્યાગમાં ભોગ જે માણે ધન્ય તેહને.માતા–પિતાનું ઋણ માથે રાખ્યા વિના

કશું કાર્ય થાય નહીં. માતા-પિતાની પ્રસન્નતા વિના ધરમ-કરમ કાંઇ થાય નહીં.ધર્મ એવી

શકિત છે જે ઉપાધીઓને રોકે છે.પ્રતિકુળ સંયોગોમાં પણ માણસને સ્થિર રાખેે છે, સમાધી

આપે છે.ધર્મથી પુણ્ય વધે છે. પાપ ઘટે છે. પરભવનું ભાથું બંધાય છે.હકારાત્મક વલણ

સમસ્યાને અડધી કરી નાંખે છે. નકારાત્મક સંજોગોમાં પણ હકારાત્મ જોતા શીખવાનું છે.

મારા કારણે કો’કની આંખમાં આંસુ,મારું જીવન નિષ્ફળ છે.

મારા માટે કો’કની આંખમાં આંસુ,મારું જીવન સફળ છે.

મનને નિરંતર સ્વસ્થ રાખવાનો ઉપાય જ એ છે કે તેને સારા વિચારોમાં રોકાયેલું રાખવું.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૯ બે ઠગ - બળદ- મોચીની વાત

એક નાના એવા ગામની વાત કરુ છું. આજથી ૨૦૦વર્ષ પહેલાની વાત છે. આજના જેમ

મોેંઘવારી ન હતી. ૧૦ થી ૨૦ રુપીયામાંતો ઘામઘુમથી લગ્ન થઇ જતાં જીવન સરળ હતું.

લોકાની ઇચ્છા આજની જેમ નહોતી - લોકો ખુબજ સંતોષી હતા.

ગામમાં લક્ષ્મીદાસ શેઠ રહેતા હતા.દીવાળીનો દિવસ હતો. શેઠે આખા ઘરને ખુબજસજાવેલ

આખી રાત બઘા દીપક વિગેરે ચાલુ હતુ અને લક્ષ્મીદેવીની ખુબ જ ભાવ પુર્વક પૂજા કરેલ.

હવે લક્ષ્મીદેવીનું વિમાન આ શેઠના ઘર ઉપરથી પસાર થયું ને તેમને તરતજ શેઠનો હીસાબ

સમજાય ગયો-મનમા થયું આ શેઠને સુઘારવાજ પડશે.લક્ષ્મીદેવી સાક્ષાત સવારના પાંચ વાગે

શેઠ સમક્ષ પ્રગટ થઇ ગયા. શેઠેતો તરતજ સાષ્ટાંગ વંદન કર્યા - શેઠ કાંઇ બોલે પહેલાજ દેવી

એ કહ્યું કે હું તને એક વરદાન આપું છું-આ વરદાન તારાને મારા વચ્ચે રહેશે,જો કોઇને

ખબર પડશે તો વરદાન કેન્સલ.શેઠે તરતજ હા પાડી દીઘી. લક્ષ્મીદેવીએ કહ્યું કે હવેથી તારા

ઘરમાં જે કોઇ આવે તેને માનથી -પુરા વિવેકથી બેસાડવાનો-પહેલા પાણી આપવાનું પછી

શિરામણનો સમય હોય તો શિરામણ કરાવવાનું ખુબજ માન સન્માન સહીત. જમવાનો

સમય હોય તો પ્રેમથી જમાડવાના.તેમનું નામ પુછવાનું નહીં-કેટલી રકમ જરુરત છે આપી

દેવાન–વ્યાજ પુછવાનું જ નહીંં-શુું કામ જોઇએ છે તે પણ પુછવાનું નહી.ં.કયારે પાછાઆપશે

તે પણ પુછવાનું નહીં . શેઠ કહે મારુંતો દિવાળુ નીકળી જશે આમ કરવાથી - લક્ષ્મીદેવી કહે

છે- પહેલા મારી પુરી વાત સાંભળી લે પછી તને મંજુર હશે તો જ આ વરદાન આપીશ. તારી

તીજોરીમાં થી એક રુપીયો કાઢીશ તો તે જગાએ દસ રુપીયા આવી જશે-અને એક રુપીયો

પાછો આવશે તો તીજોરીમાં ૧૦ રપીયા હતા તે એક રૂપીયો થઇ જશે-એટલે હવે જેટલું

આપીશ તારો ફાયદો થશે. હજુ એક વાત કોઇ પાસે કાગળ દસ્તાવેજ સોનુ કાંઇ પણ તારે

માંગવાનુ નહી. બઘા ઉપર ભરોસો કરવાનો અને આમ જ તને એક ના દસ મળશે તેનાથી

સંતોષ રાખવાનો-બોલ મંજુર છે. શેઠે તરતજ હા પાડી દીઘી. લક્ષ્મીદેવીતો ત્યાંથી અદ્રશ્ય થઇ

ગયા.શેઠે જોયુું એક ખેડુત ઘરની બહાર શેઠ ઉઠે તેની રાહ જોઇને ઉભો હતો - શેઠે તેને

અંદર બોલાવ્યો - પહેલા પાણી પાયું - પછી કહે કામની વાત પછી પહેલા તું શિરામણ ખાઇ

લે પછી તારું જે કામ છે તે કરી આપીશ. ખેડૂતતો નવાઇ પામી ગયો આ શેઠ કદી બેસવાનું ન

કહે આજે તો પ્રેમથી બેસાડયો-નાસ્તો પેટ ભરીને કરાવે છે.કાગળીયા માંગતા નથી -ખેર જે

છે તે સામે આવશે. નાસ્તા બાદ શેઠ પુછે છે બોલ તારી જરુરત શું છે. ખેડુત કાગળીયા

મુકીને શેઠને કહે છે કે મારી એકની એક દીકરીના લગ્ન માથે છે મારે ખુબજ ઘુમઘામથી

લગ્ન કરવા છે આપે સહકુટંબ જમવામા આવવાનું છે મને ૨૦ રૂપીયાની જરુરત છે - શેઠ

તરતજ તિજોરીમાંથી ૨૦ રૂપીયા આપે છે.શેઠ આપનો ખુબ ખુભ આભાર. શેઠ કહે તારી

દીકરી તે મારી પણ દીકરી- તું આનંદ થી લગ્ન કરજે. બાકી રકમ બાબત ફીકર કરતો નહીં .

હું તમને ગમે ત્યારે તકલીફ હોય તો મદદ કરવા હંમેશ તૈયાર જ છું.ઘીમે ઘીમે ગામમાં શેઠનું

નામ પ્રખ્યાત થઇ ગયું - બઘા શેઠ પાસે રકમ કઢાવવા ચાલુ થઇ ગયા. શેઠને તો હવે ફીકર

ન હતી -૨૦ આપ્યાતો તીજોરીમાં બસો તો લક્ષ્મીદેવીની ક્રૃપાથી થઇ ગયા. હવે તો શેઠ જે

આવે તેને જે રકમ જોઇએ આપે છે. સારી અગ્તાસ્વાગતા કરે છે અને બઘા સાથે હળી મળીને

રહે છે. ઘીમે ઘીમે ગામમાં વાત ફેલાઇ ગઇ કે શેઠનું મગજ ચસકી ગયું છે વહેલું કે મોડું આ

શેઠ દિવાળુ કાઢશે.ગામમા બે ઠગ રહેતા હતા- તેમણે નક્કી કર્યું કે આપણે સવારના બની

ઠની ને જઇએ અને મોટી રકમ કઢાવી લઇએ, જેથી આખી જીંદગી આપણે કાંઇ કામ કરવાનું

ન રહે-સવારના પહોરમાં બન્ને પહોંચી ગયા-શેઠે પાણી– શિરામણ વિગેરે કરાવ્યું. પછી

કીઘું હુકમ કરો તમોને જે રકમ જોઇએ તે બોલો.પહેલા ઠગે ૧૦૦૦૦ રુપીયા માંગ્યા, તે

વખતના દસ હજાર રુપીયા આજના દસ કરોડ થાય. તો પણ લક્ષ્મીદેવીનુંં વરદાન હતું શેઠે

ખુશી ખુશી થી દસ હજાર રુપીયા આપ્યા. તીજોરી ચેક કરી જયાંથી દસ હજાર રૂપીયા આપ્યા

ત્યાં દસ ઘણા વઘી ને એક લાખ થઇ ગયા. શેઠતો ખુશ ખુશ થઇ ગયા - રોજ દસ રૂપીયા-

વીસ રૂપીયા વાળા આવેતો આખી જીંદગી પુરી થાય આટલા રૂપીયાના બને. મારો તો દિવસ

સુઘરી ગયો. હવે બીજો ઠગ હતો તેને મનમાં થયું કે હું તો કોરો જ રહી ગયો. તેણે પણ

શેઠને કહ્યુંકે તમારી પાસે છુટ હોય તો મને પણ દસ હજાર રુપીયા જોઇએ છે. શેઠતો ખુશ

થઇ દોડીને હજી એક દસ હજાર રૂપીયા લઇ આવ્યા અને તેને આપ્યા. તીજોરીમાં પાછા દસ

ઘણા વઘી ગયા. શેઠ તો આજે ખુબ જ ખુશ ખુશ થઇ ગયા.

હવે બંને ઠગ બાહર આવ્યા-બંનેને એમ કે આ તો સ્વપ્ન લાગે છે હાથમાં ચીંટીયા ભર્યા અને

પછી માન્યુ કે આ તો સાચુ જ છે. આટલા રૂપીયામાં તો આખું ગામ ખરીદી શકાય . પણ કાલે

શેઠ રકમ પાછી માંગવા આવે તો ગામમાં રહેશું તો બઘા શેઠની જ વાત સાચી માનશે એના

કરતા હવે આ ગામ છોડી નવા ગામે જતા રહીએ - અને ત્યાં રાજાની જેમ રહીએ.

બંને ઠગો ગામ છોડી નવા ગામે જાય છે. રસ્તામા વીચાર કરે છે કે પહેલાંતો સારી મોઝડી

બનાવી લઇએ. તે વખતેે અંદર ઘર - બાહર દુકાન તેવી સીસ્ટમ હતી. આજ ની જેમ બાટા

જેેવી દુકાનોની સીસ્ટમ ન હતી. એક મોચીની દુકાને જાય છે બંને.કહે છે તારી મોંઘામા

ંમોંઘી મોઝડી અમારે જોઇએ છે-મોચી કહે ૧૦૦ રૂપીયા એક જોડીના થાશે -પાંચ રુપીયા

એડવાંસમાં આપવા પડશે.બંનેએ પાંચ પાંચ રૂપીયા મોચીને આપ્યા અને મોચીએ માપ

પગનું લઇ મોઝડી બનાવવાનુ ચાલુ કર્યુ. બંને ઠગ ત્યાં એક બાંકડો હતો ત્યાં બેઠા અને

મોચી ઘરેથી ચા-નાસ્તો લઇ આવ્યો તે ખાતા હતા. હવે મોચીની બાજુમાં એક તેલની ઘાણી

હતી. ઘાંચી તો છ ફુટ નો હતો. મોટી મોટી મુછો હતી અને બળદને જોર જોરથી લાકડી

ફટકારતો હતો. બંને ઠગને બળદ પર ખુબજ દયા આવે પણ તેઓ સાડાચાર ફુટના હતા.

કાંઇ કહેવા જાય અને ઘાંચી તેમને જ ઉંચકી ને ફેંકી શકે. એટલે ચુપચાપ જોયા કરવા સીવાય

બીજો કોઇ ઉપાય જ ન હતો. એટલામાં ઘાંચીની પત્નીએ અંદર ઘરમાંથી બુમ પાડી તેને કોઇ

કામ અંગે અંદર બોલાવી લીધો. હવે બંને ઠગને મન થયું કે બળદ પાસે જઇએ તેને લાકડીના

મારથી લીલામાં થઇ ગયા છે જરાપંપાળશુ તો તેને આરામ મળશે. બંને ઠગ બળદ પાસે જાય

છે અને હાથ થી પંપાળે છે. ત્યાં એક ચમત્કાર થાય છે. બળદનુ મોઢું માણસ જેવું થઇ જાય છે

અને બળદ કહે છે કે હું તમારી દયાને લાયક નથી . મારા કરેલા કર્મોની આ મને સજા મળેલ

છે. મારી આપવીતી સાંભળો.ગયા ભવમાં હું અને આ ઘાંચી નાનપણ થી જ મિત્રો હતાં.

સાથે રમતાં - સાથે જમતા - સાથે ભણતાં. કુદરતનું કરવુ અમારા લગ્ન પણ બે સગી બેનો

સાથે થયા. મિત્રૌ હતા- હવે સાઢુ ભાઇ પણ બની ગયા. ભગવાનની કૃપાથી અમને બંનેને

ઘરે પારણુ બંધાયુ- બંને ઘરે એક એક પુત્રીનો જન્મ થયો.સમય જતાં મારી દીકરીનું સગપણ

નક્કી થયું- તે વખતેે મારી પાસે રૂપીયા ન હતા એટલે આજે જે ઘાંચી છે જે મારો મિત્ર હતો

ગયા ભવમાં તેની પાસે ઉધાર સો રૂપીયા લીધા. એણે તો મેં માંગ્યા એટલે તરતજ સો

રૂપીયા આપી દીધા. મારી દીકરીના લગ્ન ખુબજ ધામધુમથી થયા. સારા મા સારો કરીયાવર

કર્યો અને આખા ગામને જમણ પણ કરાવેલ. હવે છ મહીના બાદ તેની દીકરીનું વેવીશાળ

થયું અને લગ્ન તારીખ નક્કી થઇ ગઇ. મારા મિત્રે મારી પાસે લગ્નમાં જરુરત હોવાથી ૧૦૦

રૂપિયા પાછા માંગ્યા. પણ મારા મનમાં પાપ અને લાલચ આવી ગઇ. મે કહ્યું કે કયા સો

રૂપીયા ની વાત કરે છે મેં તો તારી પાસે કોઇ દી કાંઇ લીધુ નથી. મિત્રેતો વાત સાંભળી પણ

મનમા વિશ્વાસ જ ન થાય કે આ મારો જીગરજાન મિત્ર છે- આપણને બહારનું કોઇ છેતરેતો

આટલુ દુઃખ ન થાય પણ પોતાનો જેને ગણ્યો હોય તે જો આમ કરે તો હૃદયમાં ખુબ જ

આઘાત લાગે.અને આ ભાઇબંધનું ત્યાંજ હાર્ટફેઇલ થઇ ગયુ. મિત્રનું મોત જોઇને મારી

અક્કલ ઠેકાણે આવી. મને થયું કે ખુબજ મોટી ભુલ થઇ ગઇ-અને પસ્તાવો કરતાં મારા પણ

પ્રાણ ત્યાંજ ઉડી ગયા. ગામના લોકો તો વાત કરતા થઇ ગયા કે મૈત્રી હોય તો આવી. બંને

એક સાથે જ આ લોક છોડી પરલોકમાં પહોંચી ગયા. અંદરની વિશ્વાસઘાતની વાતની તો

કોઇને ખબર જ ન હતી.. હવે ઉપર યમરાજાના દરબારમાં બંનેનો ચોપડો ખોલવામા આવ્યો

અને સજા થઇ કે આણે તેના મિત્ર સાથે દગોે કર્યો છે એટલે તેને ૧૭ વર્ષ બળદ બનવાનું

અને તેનો મિત્ર ૧૭ વર્ષ ઘાંચી બનીને એને રોજ લાકડીથી મારશે. આટલે આમાંં વાંક મારા

કરેલા કર્મોનો જ છે. આઠ વર્ષ તો થઇ ગયા. હવે નવ વર્ષ બાકી છે પછી મારો છૂટકારો થશે.

ત્યાંતો ઘાંચી આવી ગયો અને બળદનું મોઢું બળદ જેવુું થઇ ગયુ - બંને ઠગ તો ઘાંચીનેજોઇ

જોઇને પાછા મોચી પાસે આવી ગયા.

બંને સાવ શાંત થઇ ગયા અને મનોમન વીચારમાં પડી ગયા કે શેઠેતો આપણું નામ પણ

પુછેલ નથી અને માંગેલી રકમ આપી દીધી છે. આપણે પણ શેઠ સાથે વિશ્વાસઘાત જ કર્યો

કહેવાય અને મરણ બાદ આવતા ભવમાં આપણને જે સજા થાય તે ભોગવવાનું ભારી થઇ

જશે તેના કરતા ઇમાનદારીથી રોટલો ખાયને જીવન કાઢી નાંખશુ. બંને મોચીને કહે કે ભાઇ

અમારે આ મોઝડી નથી જોઇતી તું રૂપીયા પાછા આપી દે. મોચી ને તો ખુબજ ગુસ્સો આવી

ગયો કહે કે મારોતો દિવસ બગાડયો- પાંચ રૂપીયા પાછા ન મળે. જોઇએ તો બાકી ની રકમ

આપી મોઝડી લઇ જાવ. ન જોઇએ તો રવાના થઇ જાવ.

બંને ઠગ પાછા શેઠના ઘરે આવ્યા. શેઠતો જોઇને જ ખુશ ખુશ થઇ ગયા. આવો આવો બેસો.

મારા લાયક કાંઇ કામકાજ હોય તો કહો. બંને ઠગે ગજવામાંથી ૯૯૯૫ રૂપીયા શેઠને પરત

આપ્યા અને બંને કહે છે શેઠજી તમારા પાંચ પાંચ રૂપીયા આપવાના બાકી છે આપ કહો તે

આપનું ઘરનું કે બહારનું કામ કરી તે રકમ પણ વાળી દેશું.શેઠનું મોઢુ તો સાવ નાનું થઇ

ગયું. કારણ આ રૂપીયા તીજોરીમાં મુકવા પડશે અને તીજોરીમાં દસ ઘણા ઓછા થઇ જશે.

પણ લક્ષ્મીદેવીનું વરદાન મુજબ પાછી આવેલ રકમ સ્વીકારવી જ રહી.ઠગે શેઠનું ઘરકામ કરી

રકમ વાળી દીધી-પછી જ તેમને મનોમન શાંતી થઇ.આમા સમજવાનું છે કે વિશ્વાસઘાત

કરવો નહીં. બીજાને આમ કરી આપણે દુઃખ જ આપીએ છીએ-જો સુખ જોઇએ તો દુઃખ

અપાય નહીં..આટલી મોટી રકમ પણ ઠગ સમજી ગયા અને પાછી આપી દીધી. આપણે પણ

આમાથી બોધ લેવો જોઇએ.

ગણ અને ગુણના પતિ એવા ગણપતિએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાને બદલે પોતાની

માતા પાર્વતીની અને પિતા શીવજીની પ્રદક્ષિણા કરવાનું ઉચિત્ત માન્યું હતું.

કલેશ થાય તેવું બોલવું નહીં

રોગ થાય તેવું ખાવું નહીં

પાપ થાય તેવું કમાવું નહીં

દેવું થાય તેવું ખર્ચવું નહીં.

મન બગડે તેવું વીચારવું નહીં

જીવન બગડે તેવું આચરવું નહીં .

સંસાર ઘસાય તેનું નામ ધર્મ

પૈસાની મૂર્ચ્છા ઘસાય તે દાન

વાસના મનથી ઘસાય તે શીલ

ખાવાપીવાની ઇચ્છા ઘસાય તે તપ અને

મનની પ્રવૃત્તિઓ ઘસાય તે ભાવ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૦ પાંચ રત્નો

ચંપાનગરીમાં એક શેઠ રહેતા હતા.નામ હતું ભગવાનદાસ. તેને પાંચ દીકરા હતા.બધા

દીકરાઆજ્ઞાકારી, દેખાવડા અને હોંશીયાર હતા. શેઠની દુકાન કાયમ ઘરાકોથી ભરેલી

રહેતી. ગામમાં પુણ્યશાળી શેઠ તરીકે તથા મોટા ધર્માત્મા ગણાતા. શેઠની સામે જ મકાનમાં

રાજ પુરોહીત શંકેલાલ રહેતા હતા. તેમને એક દીકરો નારાયણ નામે હતો. તે દીકરાને

રમવાનો તથા રખડવાનો ખુબજ શોખ.શંકર દીકરાને ખુબજ સમજાવતો કે બ્રાહ્મણનો

દીકરો જો ભણશે નહીેંતો પછી જીવવા માટે ભીખ માંગવી પડશે.પણ મા કહેછેકે આ ઉમ્રમાં

તો તેને ખાવા ફરવા રમવાના દિવસો છે તો અત્યારથી ચોપડીઓનું વજન આટલા નાના

બાળક ઉપર કેમ નંખાય. માના પ્રેમે નારાયણને ભણવા ન દીધો. તેનું બાળપણ રમત

ગમતમાં પસાર થઇ ગયું. એક વાર તેના મા-બાપ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને નારાયણ

ખૂબજ દુઃખી થઇ ગયો. હવે તો હું એકલો છું શુ કરીશ? હું તો ભણેલો નથી એટલે મારા

બાપાની રાજદરબારની જગા માટે લાયક નથી. એણે દીવાલ પર લખેલ વાંચ્યું કે જે મા

બાપ છોકરાવને ભણાવતા નથી તે જ તેમના મોટા દુશમન છે. હવે મનમાં કહે છે કે જો

મને ભણાવ્યો હોત તો આજે હું કામ વગરનો છું તેમ ન હોત. થોડા દિવસો શોકમાં પસાર

થઇ ગયા. પછી વિચાર કર્યોે કે હજી મારા બાપાના કમાયેલા ખુબજ રૂપીયા છે. મુસાફરી

અલગ અલગ જગાની કરી ને હજી હું આંનદમાં રહી શકીશ. ફરવા જતા પહેલાં ઘરમાંથી

એક ડબ્બો મળે છે. ખોલીને જોવે છે તો તે ડબ્બામાં પાંચ કીંમતી રત્નો હતા. રાજાએ મારા

પિતાજી ઉપર ખુશ થઇને તેમને આપ્યા હશે. તેણે બોક્ષમાં કપડાના તાકાથી વીંંટી લીધા ને

એક સોનાચાંદીના વેપારી પાસે ગયો અને તેની કીંમત પુછી દિકરા આ તો ખુબજ મોંઘા

હીરા છે. મારા ખ્યાલથી એક એક હીરાના તને એક કરોડ સોનામહોર મળશે. મારે વેંચવા

નથી ફકત ભાવ જાણવા માટે હુ તો આવ્યો હતો. હવે તો તે ઘરે આવ્યો અને દિવસના પણ

સ્વપના જોવા લાગ્યો. હવે મારે કમાવાની કોઇ જરુરત નથી.. બહાર ફરીને આવીશ.

પછી એકજ હીરો વેંચીશ તો પણ મારું નવું ઘર, લગ્ન બધુ પતિ જશે અને હું ત્યારબાદ

સુખેથી જીવીશ કાયમ માટે. ભવિષ્યના સપના જોઇને ખુબજ ખુશ થતો હતો. પછી વિચાર

આવ્યો કે હું બહારગામ જાઉં અને કોઇ આ ચોરી કરી લેશે તો - એટલે આને કોઇ સેફ

જગામાં મુકવા પડશે. મારા બાપા શેઠના ખુબજ વખાણ કરતા અને તે તો આપણી સામે જ

રહે છે - પાછો જૈન શ્રાવક છે એટલે આ હીરાનુ બોક્ષ તેમને સાચવવા આપીને બહાર

ફરવા જાઉં. બીજા દિવસે તે કપડામા વીંટી બોક્ષ લઇ શેઠને ઘરે જાય છે. શેઠજી મને તો

ઓળખો છો ને? અરે તું તો શંકર રાજ પુરોહીતનો દીકરો છે.શેઠ જી હું બહારગામ જાવ છું

એટલે આપના ઘરે સાચવવા આ બોક્ષ થોડા દિવસ માટે મુકવું છે.શેઠ કહે બીજાનું કાંઇ પણ

હોય તે આગ સમાન છે હું તો તેને અડવામાં પણ પાપ સમજુ છુ. શેઠજી તમારે કયાં

અડવાનું છે. ફકત સાચવવાનું છે. હું પાછો આવીશ ત્યારે લઇ જઇશ. એટલી મેહરબાની

કરો. શેેઠે એક મેડો બતાવ્યો કે ત્યાં મુકી દે. હું તો હાથ પણ નહીં અડાડું. તેણે મેડામાં બોક્ષ

મુકી દીધો. અને શેઠજીને કહ્યું તમારો ખુબ ખુભ આભાર. હું થોડા સમયમાં જ પાછો

આવીને લઇ જઇશ. હવે ચિંતા થી મુકત થઇ ને તે બધે ફરવા લાગ્યો.દીપાવલીના દિવસો

અગાઉ શેઠના ઘરમાં સાફસૂફીનું કાર્ય ચાલુ થયું.તેવામાં ઉપરથી આ બોક્ષ નીચે પડે છે. શેઠ

ત્યાંજ હતા તેમણે બોક્ષ ખોલ્યું. અંદરના હીરા જોઇને શેઠનું મન લલચાઇ ગયું. હું આમાથી

બે હીરા વેંચુંતો અઢળક સંપત્તિ મળશે. નારાયણ શું કરશે-મારી વાત જ બધા સાચી માનશે.

બે હીરા વેંચી ૨૦૦ લાખ સોનામહોર મળી . તેણે પાંચ માળનું મકાન બનાવ્યું તથા

પોતાના માટે ચાંદીનો રથ ખરીદી લીધો. હવે નારાયણ પાછો આવે છે. સીધો શેઠ પાસે

જાય છે. શેઠતો તેને જોઇને ગુસ્સે થઇ જાય છે. કોણ છે તું? આમ રજા વગર મારા

બંગલામાં આવવાની હીંમત કરે છે. નારાયણ કહે છે શેઠજી તમો મને ભુલી ગયા લાગો

છો. હું રાજ પુરોહીત શંકરનો દીકરો નારાયણ છું તમોને મે એક બોક્ષ સાચવવા આપેલ

હતું તે મને પાછું આપવા વિનંતી છે. શેઠ ગુસ્સે થઇ ને કહે છે કે મને તે કાંઇ આપ્યું જ નથી

તો હું શું પાછું આપુ? શેઠ પોતાના નોકરોને બોલાવે છે અને કહે છે આ ગાંડા માણસને

ઘરમાથી ફેંકી દો. નોકરોએ તો તેને ઉપાડીને બહાર ફેંકી દીધો. નારાયણ બોલ્યા કરે છે શેઠ

મારો દાગીનાનો બોક્ષ તમે પચાવી લીધો છે. હું તમને નહીં છોડુ. પણ નારાયણની વાત

પર કોણ વિશ્વાસ કરે?નારાયણ હવે દુઃખથી ગાંડો થઇ ગયો.રસ્તામાં બુમાબુમ કરે કે શેઠ

ચોર છે મારો દાગીનાનો ડબ્બો ખાઇ ગયા. પણ લોકો કહે આ ગાંડો થઇ ગયો છે આટલા

ધર્મીષ્ટ શેઠ ઉપર ખોટું આળ ચઢાવે છે. શેઠ તો હવે આ જોઇને ખુબજ ખુશ થઇ ગયા કે લપ

ગઇ. આ બાજુ નારાયણ દુઃખ-ભુખથી તબિયતથી લથડી જાય છે અને પહાડ પર જઇને

આપઘાત કરે છે. શેઠને સમાચાર આપઘાતના મળી ગયા એટલે તે તો ખુશ થઇ જાય છે.

હવે કાંટો નીકળી ગયો. હવે પાંચે હીરા મારા છે.અમુક સમય પછી સૌથી મોટા દીકરાના

લગ્ન નક્કી થયા. લગ્ન બાદ વરઘોડીયા ઘરે આવ્યા. ઘરના છ પગથીયા ચઢી ગયા પણ જેવો

સાતમો અને છેલ્લું પગથીયું ચઢવાની કોશીશ કરે છે ત્યાંતો તેની બુમાબુમ ચાલુ થઇ ગઇ કે

મને સાપ કરડયો છે. વેદો બધા આવે છે બચાવવાની ખુબ કોશીશ કરે છે પણ બધી નિષ્ફળ.

આખરે તેના શરીરને અગ્નીદાહ દેવાણો. લોકો વાત કરે છે કે શેેઠે કાંઇક પાપ કર્યુ હશે

તેની સજા જ ભગવાને આપી લાગે છે.હવે બીજા, ત્રીજા અને ચોથા દીકરાના વારાફરતાં

લગ્ન લેવાણા અને દરેક વખતેે પહેલા દીકરાની જેમ કોઇ નાગ દેવતા આવે અને સાતમે

પગથીએ તેને કરડી લેતા હતા. આમ ચારે દીકરા ભગવાનના ઘરે પહોંચી ગયા. ઘરમાં

ચાર વીધવા હતી. પહેલા સીસ્ટમ હતી કે લગ્ન પછી વહુ સાસરે જ રહે અને ત્યારે બીજા

લગ્નનીતો રીત જ ન હતી. શેઠ ખુબજ દુઃખી દુઃખી રહેવા લાગ્યા. ભગવાને મારા ચાર ચાર

દીકરાઓને લગ્નના જ દિવસે લઇ લીધા. આખું ઘર શોકમય હતુ. શેઠ વિચારમાં પડી

ગયા કે મારા કેવા કર્મો હશે જેની સજા પામુ છું. કમાલ છે કે વિશ્વાસઘાતનું મોટું કર્મ કરેલ

છે, બીજાના રત્નો પચાવી પાડયા છે,અત્યારે તો યાદ પણ નથી. દુષ્કર્મ કરોતો તેની સજા

વહેલી કે મોડી પણ ભોગવવી જ પડે છે. સ્વયં ભગવાન મહાવીરસ્વામીએ પોતાના પૂર્વ

જન્મમાં કરેલ કર્મ - સેનાપતિના કાનમાં ઉકળતું શીશુ નાંખેલ તેની સજા રુપે ગોવાળે

તેમના કાનમાં ખીલ્લા ઠોકેલ. તો પછી આપણે પણ આપણા કુકર્મ ની સજા ભોગવવી તો

પડે જ .ત્રણ ત્રણ વર્ષ થઇ ગયા. દુઃખ નુ ઓસડ દહાડા. એક દિવસ એક વેપારી આવે છે.

શેઠજી આપના નાના દીકરાની લગ્ન કરવાની ઉમ્ર થઇ ગઇ છે. હવે તેના લગ્ન નક્કી કરવા

જોઇએ. શેઠ કહે મારો દીકરો કુંવારો જ સારો છે. મારે તેનુ મોત જોવું નથી. વેપારી

સમજાવે છે કે આ દુનીયામાં જે જન્મ લે છે તેનુ મરણ નક્કી. શેઠ ખીજાઇ જાય છે અને કહે

છે કે તમારી દીકરીને નાની ઉમ્રમાંજ તમારે વિધવા બીજી ચાર વહુઓની જેમ શું કામ કરવી

છે? વેપારી કહે છે કે ભગવાન પર ભરોસો રાખો બધુ સારુ જ થશે. મારી દીકરી ચોક્કસ

તમારા કુટુંબને બચાવી શકશે.મને પુરો ભરોસો છે.આખરે શેઠ લગ્ન માટે તૈયાર થઇ

ગયા.લગ્ન બાદ વરવધુ ઘરના આંગણામાં આવે છે. હવે સાત દાદરા ચઢવાના બાકી છે.

નવી વધુ એ કહ્યું કે શેઠજીને બોલાવો મારે તેમની સાથે દાદરા ચઢતા પહેલાં કાંઇ વાત

કરવી છે એકાંતમા. શેઠજી તરત જ આવે છે. વધુ તો પહેલાં તેમને પગે પડે છે. પછી

તેમને કહે છે કૃૃપા કરી પાંચ રત્નો જે નારાયણ તમારી પાસે મુકી ગયો છે તે લઇ આવો.

શેઠ કહે છે કયા રત્નો-વહુકહે છે, પિતાજી વીચારવાનો સમય નથી. અત્યારેતો આપના

દીકરાનો જીવ બચાવવાનો સમય છે. શેઠ કહે છે કે બેટા તને આ વાતની ખબર કેવી રીતે

પડી? વહુ કહે છે અત્યારે સમય નથી આપ જલદીથી હીરાનો બોક્ષ લઇ આવો સાથે એક

પાત્રમાં ગાયનું દુધ લઇ આવો. શેઠ વહુ કહે તેમ કરે છે. વરવધુ છ દાદરા ચઢી ને અટકી

જાય છે. બધાના જીવ ઉંચા છે કે હમણાં નાગ આવશે અને જીવ જશે. વહુએ સાતમા દાદરા

પર દુધ મુકી દીધું અને દાગીનાનો ડબ્બો ખુલો કર્યો ને મુકયો. પછી પ્રાર્થના કરી કે હે

નાગદેવતા મારા સસરાજીને માફ કરો તેમણે તમારો વિશ્વાસઘાત કરેલ છે. મેહરબાની કરી

આ ત્રણ હીરા છે તે સ્વીકારી લો. ક્રોધની આગથી ક્ષમાના આંસુ બળવાન છે. ક્ષમા એજ

શાંતિ અને પ્રેમનો મંત્ર છે.સ્નેહ અને મૈત્રી ની આધાર શિલા છે. જીવનની લાંબી યાત્રામાં

ક્ષમા એજ નંદનવન છે.અને ત્યારે જ એક મોટો નાગ ત્યાં બધાને દેખાય છે. વહુ તરતજ

હાથ જોડીને તેને વંદન કરે છે અને કહે છે કે હે નાગદેવતા આપની પાસે મારા સોભાગ્યની

ભીખ માંગુ છુ. આપ ક્રૃપા કરી મારા પતિદેવને જીવતદાન આપો.નાગદેવતા પાત્રમાંથી દુધ

પીવે છે અને એક જ હીરો લઇને ચાલ્યા જાય છે. લોકો બધા ખુશ થઇને ફુલોથી વહુને

વધાવી લે છે. શેઠ વધુને પુછે છે કે તને કેમ ખબર પડી આ વાત તો કોઇ પણ જાણતું નથી

. વધુ કહે છે કે પિતાજી તમોને સાચવવા આપેલ પાંચ હીરા તમે પચાવી લીધા અને

નારાયણ મરીને નાગદેવતા બને છે અને આપથી બદલો વાળવા તેણે આપના ચારે

દીકરાનો લગ્ન બાદ જીવ હણી લીધો.પણ આજે મેં તેની માફી માંગી અને તેના હીરા પાછા

આપવા તમોને સમજાવ્યા. પણ શેઠ કહે છે કે તેણે એક જ હીરો કેમ લીધો. વહુ કહે છે કે

ચાર હીરાની બદલે તેણે આપના ચાર દીકરાના જીવ લીધા - એટલે એક જ હીરો લઇને

ચાલી ગયો. હીસાબ બરાબર થઇ ગયો. શેઠ પુછે છે કે તને આ ખબર કેવી રીતે પડી? વહુ

કહેછે કે એક સાધુ મહારાજ આવેલ અને મને બધું કહીને આપના નાના દીકરા સાથે લગ્ન

કરવાનું કહી ગયા હતા.કોઇનો વિશ્વાસઘાત કરો તો તેની સજા ભોગવવી જ પડે છે. માટે

કદી કોઇનો વિશ્વાસ તોડશો નહીં.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૧ કટાક્ષ ભર્યુ હાસ્યનું વીપરીત પરિણામ

બોલતા વખતેે ખાસ ધ્યાન રાખવું જીભને તોલીને એવું જ બોલવું કે જેથી સામા માણસને

સાંભળીને આનંદ થાય એવુ મીઠું જ બોલવું. વારાણસીના ચોકમાં એક ઘોડાગાડી

લક્ષ્મીનીવાસ સામે આવીનેે ઉભી રહી . તેમાથી એક શ્રીમંત વેપારી ઉતર્યા અને પુછે છે કે

લક્ષ્મીચંદભાઇ ઘરમાં છે? આવો સાહેબ - આપ કયાંથી પધારો છો? હું શેઠ લક્ષ્મીચંદને

મળવા આવ્યો છું. મુનીમજી મહેમાનને લઇ શેઠ પાસે લઇ જાય છે. શેઠ કહે છે આવો

ફુલચંદજી . આપનો સંદેશો ગઇકાલે જ મને મળેલ છે. બધું સારુ છે હવે આપની રજા હશે

તો અમને ખુબ જ આનંદ થશે. લક્ષ્મીચંદનો દીકરો શ્રીપતિ કોલેજ થી આવ્યો અને હોલમાં

તેની ઓળખાણ ફુલચંદશેઠ સાથે કરાવાય છે. લક્ષ્મીચંદ શેઠ કહે છે કે આ મારો દીકરો છે

અને આ વર્ષે કોમર્સ કોલેજમાંથી ગ્રેજયુએટ થયેલ છે. શેઠ મારી દીકરી મોહીનીને ભગવાને

આપનાં દીકરા માટે જ બનાવેલ છે. તેઓ તેમની દીકરીનો ફોટો આપે છે. લક્ષ્મીચંદને કન્યા

પસંદ પડે છે એટલે કહે છે મારી પત્નીને ફોટો બતાવી આપને જવાબ આપીશ. ત્યાં સુધી ચા-

નાસ્તો કરીએ. ફુલચંદશેઠ પછી આપના જવાબની રાહમાં છું કહીને નીકળી ગયા.

થોડા જ દિવસોમાં લક્ષ્મીચંદે હા મા જવાબ મોકલાવી આપ્યો. અનેએક શુભ દિવસે શ્રીપતિના

લગ્ન મોહીની સાથે ધામધુમથી થઇ ગયા. નવા પરણેલા દંપતિ હનીમુન માટે એક હીલ

સ્ટેશન ફરવા ગયા. પાછા આવ્યા. ત્રણ મહીના બાદ શેઠે પોતાના પુત્રને કહ્યું કે હવે ઓફીસે

આવવાનું ચાલુ કરો અને તારી પત્નીને પણ હવે ઘરકામમાં તારી મા ની મદદ કરવાનું ચાલું

કરવુ જોઇએ. લક્ષ્મીચંદના પત્ની કમલા શેઠને કહે છે કે તમારેતો મારા જવાન દીકરાને

ઓફીસમાં બેસાડી નફો જ કરવો છે. હજીતો તેના હરવા ફરવાના દિવસો છે. ધંધા માટેતો

આખી જીંદગી પડી છે. શેઠ કહેછે હું નફા માટે નથી કહેતો પણ મારા જીવતા ઓફીસમાં

આવશે તો તેને સારો અનુભવ મળશે. ભવિષ્યમાં મને કાંઇ થાય તો તેને બધુ કામ સહેલું

પડશે. શ્રીપતિ કહે છે પિતાજી હું કોમર્સમાં ભણેલો છું એેટલે તમો કોઇ ચીંતા કરશો નહીં .

જે દિવસથી હું ઓફીસમાં આવીશ ત્યારથી જ બધુ કામ હું સંભાળી લઇશ. તમો નાહકની

ચીંતા કરો છો. દીકરા ધંધો ફકત ડીગ્રીથી નથી ચાલતો એના માટે અનુભવ જરુરી છે. તે

છતાં તારી મરજી.

હવે શ્રીપતિ તથા મોહીની પટણા જાય છે. તેમની ખુબજ સરસ આગતા સ્વાગત કરાય છે.

મોહીનીની મા તારા પુછે છે કે દીકરી સાસરામાં કેમ છે બધુ. દીકરી કહે છે કે મારા સાસુ

ખુબ જ સારા છે. તે મને ખુબજ પ્રેમ કરે છે અને ઘરનું મારે કાંઇ કામ કરવાનું નથી . મારે

તો જીવનનો આનંદ લેવાનો આ સમય છે. પણ મારા સસરાજ ખુબ જ લોભી છે. તે તો

મારા પતિને અત્યારથી જ ઓફીસમાં બેસવાનું કહે છે. ત્યાંજ શ્રીપતિ આવે છે અને વાતચીત

બંધ થઇ જાય છે. શ્રીપતિ કહે છે કે આપણે તરતજ વારાણસી જવું પડશે. પિતાજીની તબીયત

બરોબર નથી એમ સંદેશો આવેલ છે. મોહીની માની નહીં અને આખરે શ્રીપતિ એકલો જ

પાછો આવી જાય છે. ઘરે આવે છે તો ખબર પડે છે કે પિતાજી ને તો હોસ્પીટલમાં દાખલ

કરેલ છે. પાંચ દિવસમાં શેઠ ગુજરી જાય છે અને તેની પત્ની કમલા પણ બીજે જ દિવસે

ગુજરી જાય છે. શ્રીપતિના સાસુ-સસરા-મોહીની હવે આવે છે અને શ્રીપતિને હીંમત રાખવા

જણાવે છે.બાર દિવસબાદ સાસુ-સસરા પાછા પટણા ચાલ્યા જાય છે. થોડા દિવસ પછી

શ્રીપતિએ ઓફીસ જવાનું ચાલુ કર્યુ. તેને આ દેશી ઢબની ઓફીસ ન ગમી. તેણે પોતાના માટે

એક આધુનીક ઓફીસ બનાવી.

એક દિવસ તેના ચીફ મુનીમજી શ્રીપતિની ઓફીસમાં આવે છે અને કહે છે, શેઠજી મારી

દીકરીના લગ્ન નક્કી થયા છે મારે એક મહીનાની રજા જોઇએ છે. અને મારે લગ્ન માટે

એડવાંસ રૂપીયા જોઇએ છે. શ્રીપતિ કડક થઇને કહે છે અત્યારે બીઝનેસ સીઝન છે એટલે

રજા આપવાનો કોઇ ઇરાદો જ નથી. એક સ્ટાફ માટે હું નિયમ બદલાવી ન શકું. નીરાશ

થઇને મુનીમ દયાનંદ શેઠની કેબીન માં થી બાહર નીકળી જાય છે. દયાનંદે પોતાની પત્નીના

દાગીના વેંચી લગ્ન પતાવ્યા.પંદર દિવસમાં ઓફીસમાં પાછા કામે આવી ગયા. શેઠ તેને

કેબીનમાં બોલાવે છે અને કહે છે કે મેં રજા ન આપેલ તો પણ તમારી મેળે જ રજા લઇ લીધી.

હવે તમારી આ ઓફીસમાં જરુરત નથી તમો કામ છોડીને કાયમની રજા લઇલો. આંખમાં

આંસુ સાથે દયાનંદ બાહર નીકળી જાય છે. આ વાતની ઓફીસમાં બધાને ખબર પડે છે

એટલે જુના બધા માણસોએે નક્કી કર્યુ કે આપણે હવે અહીંયાથી એક સાથે કામ છોડી દઇએ.

બીજે દિવસે બધા શેઠ પાસે આવે છે અને કહે છે કે શેઠજી અમો હવે બુઢઢા અને શારિરીક

રીતે નબળા થઇ ગયા છે અમોને પણ રજા આપવા વિનંતી છે. શ્રીપતી ગરમ થઇને કહે છે કે

તમો બધા અત્યારથી જ કાયમ માટે રજા લઇ શકો છો. બજારમાં વાત થવા મંડી કે શેઠ

લક્ષ્મીચંદના દીકરા એ બધા જુના માણસોને કાઢી મુકયા છે ને નવા બીન અનુભવી માણસો

જેને ધંધાનો ક ખ ગ પણ આવડતો નથી તેવા માણસોથી હવે ધંધો કેમ ચાલશે. થોડાક

દિવસમાં શ્રીપતીનું બજારમાં માન ખતમ થઇ જાય છે અને લેણદારો ઉઘરાણી કરવા લાગ્યા.

શ્રીપતીએ નવા મુનીમને કહ્યું કે મને લેણદારોની યાદી તથા આપણી ઉઘરાણીની યાદી

બનાવીને આપો.નવા મુનીમે કહ્યું કે હજી મને નામાની બધી ખબર નથી એટલે સમય લાગશે.

હવે લેણદારો શ્રીપતીના ઘરે આવવા લાગ્યા અને એની જ લખેલ પો્રમીસરી નોટ બતાવી

ઉઘરાણી કરવા લાગ્યા.બધાનું લીસ્ટ જોઇ શ્રીપતી કહે છે કે મારી ઉઘરાણી આવે એટલે

આપના રુપીયા આપી દઇશ. બધા લેણદારો કહે છે કે અમોને અમારી રકમ પાછી જોઇએ છે.

તમોગમે તેમ કરો પણ અમોને અમારા રૂપીયા ચુકવી દો.શ્રીપતી એક અઠવાડીયાનો સમય

માંગે છે. ઘરે તે ગુમસુમ થઇ ને પડયો છે એટલે તેની પત્ની મોહીની કહે છે શું વાત છે.

શ્રીપતી કહે છે લેણદારો માથે બેઠા છે અને અઠવાડીયામાં રકમ ચુકવવાની છે. તારા

દાગીના વેંચીને ચુકવણીનો એક જ ઉપાય છે બીજો કોઇ રસ્તો નથી. મોહીની ગુસ્સામાં બધા

દાગીના આપે છે કે ઠીક છે તમો આને વેંચી દો. બધા દાગીના વેંચવાથી થોડું દેવુ ઓછું થયું

પણ હવે તો ઘર અને ઓફીસ પણ વેંચવા પડયા. શ્રીપતી એ ભાડાનું નાનુ એવુ ઘર લઇ

લીધુ. મનમા ખુબજ વીચારે છે કે મેં તો સટ્ટો કે જુગાર કાંઇ નથી

કર્યુ તો આમ કેમ થયું. તે પોતાના ખ્યાલોમાં ખોવાઇ ગયો. તેને પોતાની જુની વાત યાદ

આવી બધા અનુભવી માણસોને કાઢી નાંખ્યા અને નવા બીન અનુભવી માણસોને રાખ્યા

એટલે ઉઘરાણી બધી ડુબી ગઇ અને લેણદારોએ મને રસ્તા પર કરી દીધો. હવે તેને ખુબજ

પસ્તાવો થયો. ત્યાંજ તેની પત્ની ઝાડુ લઇને આવે છે મારા થી આ ઘરમાં રહેવાતું નથી અને

મને આવું ઘરકામ કરવું ફાવતુ નથી મને પીયર પટણા મોકલી આપો. શ્રીપતી કહે છે અત્યારે

હું ખુબજ મુશકેલીમાં છુ તારે પણ જવું છે ખેર હું તને મોકલવાની અરેંજમેંટ કરુ છું. છ

મહીના પછી તે પોતાના સસરાને કાગળ લખે છે કે હવે કામકાજ સારું છે હું ત્યાં આવી શકું

તેમ નથી નમો મોહીનીને મોકલી આપોતો મારો જમવાનો પ્રોબલમ મટી જાય. જીદદી

મોહીની એ જવાની ના પાડી દીધી કે એવા ઘરમાં મને રહેવુ ફાવતું જ નથી . બે મહીના થઇ

ગયા મોહીની ન આવી એટલે શ્રીપતી જ તેને તેેડવા પટણા પહોંચી ગયો. મોહીનીના મા

બાપે તેને સમજાવી કે હવેતો દીકરી તારે જવુ જ પડે. ગુસ્સામાં જ મોહીની જવા તેૈયાર થઇ

પણ ટે્રનમાં શ્રીપતી જોડે કાંઇ વાત જ કરતી નથી. શ્રીપતી કંટાણીને ડબ્બાના દરવાજા પાસે

ઉભો રહી ગયો કમ સે કમ થોડી તાજી હવા ખાવાતો મળશે. મોહીનીના મનમાં પાપ ભરાયું

આનાથી છુટવાનો ઉપાય એને ધકકો મારી દઉ તો જ હું છુટીશ.

ત્યાંં જ ટે્રન એક નદી ઉપર પુલથી પસાર થાઇ છે. મોહીનીએ ચુપચાપ શ્રીપતીની પાછળ

ઉભી રહી અને એકદમ જોરદાર ધકકો મારી તેને ગાડી ની બહાર ફેંકી દીદો. શ્રીપતી નદીમાં

પડી ગયો - મોહીની તે જોઇને પાછી તેની જગા પર આવી ગઇ. શ્રીપતીએ મનને કાબુમાં

રાખી પાણીમાં તરવાનું ચાલુ કર્યુ. સવારનો સમય હતો. એક વેપારી સવારના રોજ ફરવા

આવતો. તેણે જોયું કે પાણીમાં કોઇ છે. તેણે તરતજ બુમાબુમ કરી કે પાણીમા કોઇ છે તેને

બચાવો. બે જણા તરતજ કુદી પડયા ને શ્રીપતિ ને બચાવી લીધો. શ્રીપતિનેે બધા પુછે છે

તમે કેમ નદીમાં પડી ગયા. શ્રીપતિ મનમાં કહે છે કે મારી પત્નીએ ધક્કો માર્યો તેમ કહવું

ઠીક નથી . તેણે કહ્યું કે ટ્રેનમાં ખુલ્લા દરવાજાથી જોતો હતો ત્યાં મારું બેલેંસ ચુકી ગયો અને

નદીમાં પડી ગયો. કાંઇ વાધો નથી મારી ઘોડાગાડી અહીંયા જ છે તમો મારા ઘરે આવો.

આરામ કરો પછી તમારી મંજીલ તરફ પ્રયાણ કરજો.

ધર્મચંદ શેઠ પુછે છે કે તમો કયાંથી આવો છો અને તમારા ઘરમાં કોણ કોણ રહે છે.

શ્રીપતિએ પોતાનું નામ જણાવ્યું અને કીધું કે હું તો એકલો જ છું અને નોકરી ની શોધ કરું

છું. અને વારાણસીમા રહેતો હતો. શેઠે કીધું કે ફીકર કરશો નહીં . મારો કાપડનો ધંધો છે.

શેઠે તરતજ પોતાના નોકરને બોલાવી ને કીધું કે આ ભાઇ આપણા મહેમાન છે. તેને

આપણા ગેસ્ટહાઉસમાં રહેવાની સગવડ કરો અને રસોડામાંથી જમવાનું મોકલો. શ્રીપતિએ

મનોમન ભગવાનનો આભાર માન્યો અને મનોમન વિચાર્યું કે એક તરફ પત્ની ધક્કો મારીને

ફેંકી દે છે તો બીજી તરફ એક સાવ અજાણ્યા શેઠ તેને રહેવાનું- જમવાનું– નોકરી બધું આપે

છે. તેણે શેઠજી ની દુકાનમાં ખુબ મહેનત થી કામ કરવાનું ચાલુ કર્યું. શેઠ પણ એનાથી ખુશ

હતા. બીજા વિશ્વયુધ્ધ વીશે છાપામાં વાંચ્યુ અને શેઠજીને કીધું કે દુકાનમાં માલ ભરી રાખશો

તો આપણને ખુબ જ લાભ થશે. શેઠે તેના કહેવા મુજબ સારો એવો માલ ભરીને રાખ્યો.

લડાઇ ચાલુ થઇ અને બધા ભાવ ખુબ જ વધી ગયા. જેનો ખુબ જ લાભ શેઠને થયો.

શ્રીપતિએે શેઠને કીધું કે હવે મેં સારી એવી કમાણી કરી છે અને મને બનારસ બહુજ યાદ

આવે છે આપ રજા આપો તો ત્યાં જઇ હું વેપાર કરીશ. શેઠ તેનાથી ખુશ હતાં અને સારા

એવા રૂપીયા આપે છે અને કહે છે મારું ઘર તારા માટે કાયમ ખુલું જ છે જયારે મન થાય

ત્યારે પાછો આવી શકે છે. તે છતાં ત્રણ વાત કરું છું જે મુજબ જીવનમાં કરીશ તો ખુબ જ

આગળ આવી જઇશઃ૧.કયારે જીવનમા ખોટું બોલવું નહીં-હંમેશા સત્ય જ બોલવું.૨.બીજું -

કદી કોઇનું અપમાન ન કરવું.૩.ત્રીજું -કદી કોઇની ખાનગી વાત કોઇને કહેવી નહીં.

શ્રીપતિએ ત્રણેે વાત મનમા રાખી લીધી અને નક્કી કયુર્ંં કે શેઠે કીધા મુજબ જ કાયમ કરવું

પછી શેઠની રજા લઇને બનારસ જવા નીકળી ગયો.બનારસ પહોંચી પહેલાતો પોતાનું ગીરવી

મકાન રકમ ચુકવી છોડાવી લીધુ. પછી પોતાની જુની ઓફીસ પણ ખરીદી લીધી. પછી

પોતાના જુના મુનીમજી દયાનંદ પાસે જઇ માફી માંગી અને ઓફીસમાં પાછા આવવા વીનંતી

કરી. બીજે જ દિવસે મુનીમજી ઓફીસમાં આવી જોડાઇ ગયા અને ધીમે ધીમે જુનો સ્ટાફ પણ

પાછો આવી ગયો. હવે એનું કામકાજ સારું ચાલવા લાગ્યું. મનમાં વીચાર કર્યો કે કદાચ

મારી ગરીબીને કારણે જ મોહીનીએ મને નદીમા ફેંકી દીધો હશે મારે બધું ભુલી ને તેને પાછી

બોલાવવા પટણા જવું પડશે. ચાર નોકરને લઇ અને ખુબ જ ભેંટ લઇને પટણા જવા શ્રીપતિ

રવાના થાય છે. મોહીનીના મા બાપ જમાઇને જોઇને ખૂબજ ખુશ થયા અને મોહીનીએ

જાણ્યું કે હવે મારા વર પાછા શ્રીમંત છે એટલે સાથે પાછા જવા તૈયાર થઇ ગઇ. પીયરમાં

જાજુ રહેવાથી માન પણ ઓછું થઇ ગયુ હતું અને એકલવાયી જીંદગીથી કંટાળી પણ હતી.

ચાર પટારા ભરીને શ્રીપતિ મોહીની માટે ભેંટ લાવેલ-એકમાં ભારી સાડીઓ-બીજામાં ઘરેણાં

જાતજાતનાંત્રીજામાં મેકપનો સામાન અને ચોથામાં રોકડા રૂપીયા. મોહીનીને મનમાં ડર

હતો કે કોઇને કહેશે કે મેં એમને નદીમાં ફેંંકી દીધા તો હું કોઇને મોઢું બતાવી શકીશ નહીે

પણ શ્રીપતિતો ખુબ જ પ્રેમથી તેની સાથે વાત કરે છે અનેકહે છે કે ભગવાનની મેહરબાનીથી

આપણે પાછા શ્રીમંત બની ગયા છે અને હવે તને ઘરમાં જરાય દુઃખ નહીં પડે અને આપણે

આનંદથી રહેશું. શ્રીપતિ બધું ભુલી ગયોે લાગે છે અને મને ખુબ જ પ્રેમ કરે છે એટલે હવે

બધું ભુલીને સંપીને રહેવામાં જ સાર છે.સમય જતાં મોહીનીને એક દીકરાનો જન્મ થાય છે

અને શ્રીપતિ એ ખુબ જ ધુમધામથી તેનો જન્મ ઉજવ્યો. દીકરાનું નામ શ્રીધર રાખ્યું. શ્રીધર

પણ મોટો થતો જાય છે અને તે પણ ગ્રેજયુએટ થઇ ગયો અને તેના માટે સારા સારા ઘરથી

માંગા લગ્ન માટે આવવા લાગ્યા. એક દિવસ પટણાથી શેઠ રુપચંદ પોતાની દીકરી પદમાનું

માંગુ લઇને આવે છે શ્રીપતિના ઘરે અને કહે છે કે મારી એક જ દીકરી છે અને મારી બધી

મુડીની તે જ વારસદાર છે અને તે પણ શ્રીધર જેટલું ભણી છે. મોહીની આ વાત સાંભળી

તરત તૈયાર થઇ જાય છે અને શ્રીપતિને કહે છે આટલી સારી વાત સ્વીકારી લેવી જોઇએ.

શ્રીપતિને પદમાના જીદદી સ્વભાવની ખબર હતી પણ મનમાં થયું કે બધાનું મન છે તો પછી

મારે પણ હા પાડવી જ બરોબર છે. એક સારા મુર્હતેે લગ્ન થઇ જાય છે અને ઘરમાં પદમા

વહુ આવી જાય છે. પદમાને ઘરકામ ગમતું નથી . તેણેતો મોજશોખ-હરવા-ફરવા-ખરીદી

સીવાય કદી કોઇ કામ કર્યુ નથી. એક દિવસ મોહીની પદમાને કહે છે કે હવે તમે ઘર

સંભાળી લો - મારે મારું બાકીની જીવન ઘાર્મીક રીતે પસાર કરવું છે. પદમા તરતજ કહે છે કે

હું કાંઇ નોકરાણી નથી. મારીતો હજી ફરવાની ઉમ્ર છે. હું કામ કરું અને તમારે આરામ

કરવો છે. આ સાંભળી મોહીની ચુપ થઇ ગઇ.તેને પોતે પોતાની સાસુ સાથે આવું જ વર્તન

કરેલ તે યાદ આવે છે. જેવી કરણી તેવી ભરણી-જેવું વાવો તેવું લણો. રક્ષાબંધનનાં રોજ

પદમાના ભાઇ મોહનને જમવાનું તથા રાખી બાંધવાનું આમંત્રણ આપેલ. શ્રીપતિ - શ્રીધર

તથા મોહન જમવા બેઠા હતાં. સૂરજનાં કિરણો રસોડાની એક બારીમાંથી સીધા શ્રીપતિના

મોઢા ઉપર પડતાં હતા. તે જોઇને મોહીનીએ વિચાર્યુ કે બારી બંધ કરવાથી અંધારુ થઇ જશે

એટલે પોતાની સાડીનો પાલવ આડો ધરી રાખ્યો જેથી શ્રીપતિ આરામથી જમી શકે. શેઠને

જુની વાત નદીમા ફેંકી દીધો તે યાદ આવે છે અને આજે તેજ તેના આરામ માટે તત્પર છે.

સમય કેવો બદલાય છે. અને તેને હસવું આવી ગયું. પદમા પણ ત્યાં જ હતી એને મનમાં

થયું કે મારી સામે જોઇ સસરાજી હસી રહ્યા છે. શ્રીપતિને હસતાં જોઇ મોહીની પણ હસી .

પદમા ચોરીછીપીથી બધુ જોઇ રહી હતી તેના મનમાં થયું કે અત્યાર સુધી સાસુ મને

સતાવતા હતાં, હવે સસરાજી પણ તેની સાથે જોડાઇ ગયા. તે જમવાનું ફેંકીને તેના રુમમાં

જતી રહી ગુસ્સામાં. આ જોઇ શ્રીધર અને મોહન ઉભા થઇને તેના રુમમાં શું વાત છે પુછવા

ગયા? પદમાને પુછે છે શું થયું પણ તે કાંઇ બોલતી નથી - બે દિવસ પલંગમાંજ સુતી રહી.

શ્રીધરના વારંવાર પુછવાથી તેને કહે છે કે અત્યાર સુધી સાસુજી પરેશાન કરતા હતા, હવે

સસરાજી પણ જોડાઇ ગયા. શ્રીધર કહે મારા પિતા માટે આવી ફાલતું વાત બરોબર નથી..

ાદમા કહેછે કે રક્ષાબંધનને દિવસે તમો ત્રણે જમતાં હતા ત્યારે સાસુજીએ સાડીનો પાલવ

ધરી છાંયો આપ્યો. પછી બંને મારી સામે જોઇ હસવા લાગ્યા. મને કહો કે શું કામ સસરાજી

હસ્યાં મારી સામે જોઇને? જયાં સુધી હસવાનું કારણ મળશે નહીંં ત્યાં સુધી હું જમીશ નહીં..

શ્રીધરે ખુબજ સમજાવવાની કોશીશ કરી પણ પદમા તેની જીદ પકડીને જ રહી.. આખરે

શ્રીધર કહે છે કે હું પાપા ને પુછી તને જણાવીશ હસવાનું શું કારણ હતું. બીજે દિવસે

ઓફીસમાં પાપાને પુછે છે કે રક્ષાબંધનને દિવસે તમો જમતી વખતેે હસ્યા તેનું કારણ

જણાવશોજી. મારા સમ છે ન જણાઓ તો. શ્રીપતિએ દીકરાની જીદ સામે મા એ નદીમા ફેંકી

દીધો તથા ધર્મદાસશેઠે કેટલી મદદ કરી બધું જ કહી દીધું અને દીકરાને કહ્યું કે આ વાત

કોઇને કરવી નહીં. શ્રીપતિને ધર્મદાસશેઠની વાત યાદ આવી કે કદી કોઇની ખાનગી વાત

જાહેર કરવી નહીં પણ દીકરાએ સમ આપ્યા એટલે કહેવું પડયું કરીને મન મનાવ્યુ. હવે

પદમાએ ગમે તેમ પટાવીને શ્રીપતિ પાસે વાત કઢાવી લીધી . શેઠજી પદમા પર નહોતા

હસ્યા, પણ મોહીની ઉપર હસેલ, કારણકે નદીમાં ફેકનાર પણ તે અને જમતી વખતેે સાડીનો

પાલવ શેઠની આંખમા તડકો ન પડે તે પણ તેજ. શ્રીધર ઓફીસ જાય છે. પણ પદમા હવે

ખુબજ ખુશ હતી તેની સાસુની ખાનગી બધી વાત તેને ખબર પડી ગઇ. હવે મારા સાસુ મારી

સામે જરા પણ અવાજ કરી નહીં શકે જયાં સુધી તે જીવશે મારાથી ડરશે. અમુક દિવસ પછી

પદમાને ઝગડો કરવા કારણ મળી ગયું તેણે રસોડામા જઇ વાસણો ફેંકવા માંડયા. ખુબ જ

અવાજ થયો એટલે સાસુ જોવા આવે છે. પદમા જોરજોરથી સામું બોલવા લાગી. તેની સાસુ

એ કહ્યું કે તારું માથું ફરી ગયુ લાગે છે. પદમા કહે છે કે મારું મોઢું ખોલાવો નહીં , નહીંતો

ન થવાનુ થશે. ઘરના બધા નોકરો પણ દોડીને આવી ગયા ત્યાં. પદમા તેની સાસુને કહે છે

કે હું મોઢું ખોલીશતો તમે તમારું મોઢું બતાવી નહીં શકો. હવે મોહીની ગુસ્સામાં કહે છે

તારું મોઢું ખોલ . મારે કાંઇ ડરવાનું નથી. પદમા કહે છે કટાક્ષમાં કે તમે જ તમારા પતિ

જયારે ગરીબ થઇ ગયા ત્યારે ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી નદીમા ફેંકી દીધા હતા. પછી ભલે

તે જીવે કે મરે. મોહીનીની આંખે અંધારા આવી ગયા. હવે તો બધાને ખબર પડી ગઇ છે.

તરતજ પોતા રુમ પર જાય છે. અત્યાર સુધી કોઇને ખબર ન હતી હવે તો ઘરમાં નોકરોને

પણ ખબર પડી ગઇ અને હવે ધીમે ધીમે આખા ગામમાં આ વાત ફેલાઇ જશે. બધા મને

ધુત્કારશે અને મને ખુની કહેશે. મોત જ હવે જીવન કરતાં સારુ છે. તેણે સાડીનો એક છેડો

ઉપર એક હુક હતું તેમા બાંધ્યો-એક ખુરશી લીધી-ગળે ફાંસો બનાવી નાંખી દીધો. હવે

ખુરશીને લાત મારી દૂૂર કરે છે અને આ રીતે પોતાના જીવન નો અંત લાવે છે.હવે બપોરના

શ્રીપતિ ઘરે જમવા આવે છે. ઘરમાં વાતાવરણ ખુબજ શાંત હતું એટલે પોતાની રુમમાં જાય

છે -અને મોહીનીની દોરી બધી કાપી નાંખે છે અને નાડી તપાસે છે. મન વિચારમાં પડયું

એવું તો શું થયું હશે કે આણે આપઘાત કરવો પડયો. પછી મનમાં ખ્યાલ આવ્યો કે શ્રીઘરને

મેં કહ્યું અને તેણે પદમાને કીધું હશે અને પદમા ઝગડો કરતાં બધુ બોલી ગઇ હશે જે ઘરના

નોકરોને પણ ખબર છે. મારો જ વાંક છે - હવે હું પણ મરી જાઉં. તે પણ આપઘાત કરે છે

આવીજ રીતે.ત્રણ વાગે દીકરો જમવા આવ્યો પણ કોઇ જમ્યું નથી એટલે તે પણ મા બાપને

બોલાવવા ઉપર ગયો. બંનેને આપઘાત કરીને મરેલા જોયા. તેને લાગ્યું કે મારો જ વાંક

છે. હવે મારે પણ જીવીને શું કામ ? તેણે પણ આપઘાત કર્યો - હવે નીચે પદમા બધાની

રાહ જોતી બેઠી હતી આખરે થોેડા સમય પછી તે પણ ઉપર રુમ મા ગઇ અને ત્રણે ને મરેલા

જોયા. તેને થયું કે હું જ પાપી છું મારા કટાક્ષ ભર્યા શબ્દોથી ત્રણ જીવ ગયા છે હવે મારે પણ

એકલા રહીને શું જીવવાનું. તેણે પણ ત્યાં જ આપઘાત કરી લીધો. પાંચ વાગી ગયા નોકરો

ચીંતામાં પડી ગયા અને બધા સાથે જાય છે તો ચાર ચાર લાશ પડી છે. પોલીસને બોલાવ્યા

ને પદમાનો તેની સાસુ સાથે ઝઘડો થયો તેના કટાક્ષ ન સહન થતાં આ બધા મરણો થયેલ

છે. બધા એ વારાફરતાં આપઘાત કરેલ છે કારણ કટાક્ષમય વચનથી આખું કુટુંબ ખતમ થઇ

ગયું. આ વાર્તા આપે વાંચી જેમાં સમજણ ભેર જીવી ન શકે તો છેલ્લો આપઘાત કરવો જ

રહ્યો . એટલે એક નિયમ લેવો કે કદી કોઇની ગમે તેવી ખાનગી વાત હોય કદી બોલવી જ

નહીં. જીભ ભગવાને આપી છે તો ખુબજ તોલી તોલી ને બોલવાનું રાખવું. નહીંતર આખું

કુટુંબ આપઘાત કરે છે એવો વારો કદી કોઇનો આવે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. મૃત્યુ

સમયેખુલ્લા આકાશ તળે, તમારી વિરાટતાનું, તમારા સત્યનું, તમારા પ્રકાશનું, તમારા

પ્રેમનું ધ્યાન ધરતાં મારી આંખો આનંદથી મીંચાય, એવું કરજો હે પરમાત્મા. દૂધ ભલેને

વીસ લિટર જેટલું છે, લીંબુનાં માત્ર બે-ચાર ટીપાં એનામાં પડે છે અને બધું જ દૂધ ફાટી જાય

છે. રૂમમાં અંધકાર ભલે ને ગાઢ છે, સૂર્યનું એક જ કિરણ અંદર પ્રવેશે છે અને ગાઢ અંધકાર

પણ રવાના થઇ જાય છે. તપશ્ચર્યાની મૂડી ભલે ને તમારી પાસે જબરદસ્ત છે, માત્ર બે-ચાર

વખતનું જ અત્યંત આસકિતપૂર્વકનું તમારું ભોજન, તમારી તપશ્ચર્યાની એ મૂડીને રફેદફે

કરી શકે છે. કુસંસ્કારો અને કર્મોનું જોર આત્મા પર ભલેને ભારે છે, માત્ર અંતર્મુહર્તનું

તમારું શુકલધ્યાન તમારા આત્માને કુસંસ્કારો-કર્મોથી મુકત કરી શકે છે. પ્રભુ! આપ એવી

કૃપા વરસાવો અમારા પર કે અમે ધર્મને પાપથી કયારેય બાધિત થવા ન દઇએ અને પાપને

સતત ધર્મ દ્વારા બાધિત કરતા જ રહીએ.નિવૃત્તિ જેહથી તેજ મોક્ષનોપંથ. અશુભ વિચારોથી

અશુભ કર્મ - અશુભ કર્મથી પાપ - પાપથી દુઃખ. આપણા દુઃખનુંસર્જન આપણાં જ હાથે

થઇ રહ્યું છે. દુઃખ ન જોવેતો શુભ વિચારોજ કરો.ભગવાનનું નામ બહુમાનપૂર્વક લેવાનું શરું

કરો એટલે પાપો પોતાના બિસ્ત્રા પોટલા લઇને ભાગશે જ. સૂર્યના કિરણથી અંધકાર ભાગે

તેમ. પ્રભુના નામ થી જ પાપ ભાગે. અશુભ સ્પર્શ અશુભ અસર કરે. શુભ સ્પર્શ શુભ

અસર કરે. તાંબા ને સુવર્ણ રસ નો સ્પર્શ થાય તો તે સોનુ થઇ જાય છે એમ કહેવાય છે. આ

પ્રભાવ સ્પર્શનો છે. પ્રભુનો સ્પર્શ ન મળે ત્યાં સુધી આપણે તાંબુ છીએ. ભગવાનનો સ્પર્શ

થતાં જ આપણો પામર આત્મા પરમ બની જાય. અપ્રકાશિત દીવો પ્રકાશિત દિવાના સ્પર્શ

વિના પ્રકાશિત ન બની શકે તેમ પ્રભુના સ્પર્શ વિના આપણો આત્મા પરમ આત્મા ન બની

શકે.પ્રભુ - માણસ - પશુ વચ્ચે આપણે વચમાં છીએ. માણસે વિચારવાનું છે કે તેને ઉપર

જવું છે કે પશુ-ઢોરની જેમ જીવવું છે.કેવું જીવન જીવવું તે આપણે નક્કી કરવાનું છે. સળગતાં

ઘરમાં થી વાણિયો રત્નની પોટલી લઇને તરતજ નીકળી જાય તેમ મૃત્યનાં સમયે સળગતાં

શરીરમાંથી નવકારરુપી રત્નની પોટલી લઇને આપણે નીકળી જવાનું છે. આજના મોેર્ડન

મા-બાપ પોતાના સંતાનને ઘોડીયા ઘરમાં મોકલે છે અને એ જ સંતાન કાલે તમને

ઘરડાઘરમાં ન મોકલે તો મને કહેજો. અહંકારની પાઘડી ઉતારીશું તો જીવતરનો મર્મ સમજતા

લાગશે માત્ર પા - ઘડી. ધર્મ સંસાર તરવા માટે - પાપ ખપાવવા માટે કરવાનો છે. ધર્મનો

પ્રારંભ શ્રદ્વાથી એટલે દર્શનથી , વિકાસ સમ્યગજ્ઞાનથી, પરિણામ ચારિત્રથી અને ઊત્તમ ફળ

તપથી મળે છે. જયારે જે પરિસ્થિતિ આવે તેમાં આનંદ માણવો ને હંમેશા હકારાત્મક વલણ

રાખવું. હતાશ ન થવુ. જે થાય છે પ્રભુની ઇચ્છાથી જ થાય છે. જે થાય છે તમાં ખુશ રહેવું.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૨ નિયમ નો ફાયદો

પાળ વગરનું તળાવ, કિનારા વગરની નદી અને તાર વગરની સિતાર ખલાસ થાય છે. બંધન

(નિયમ વિરતિ) વગરનું જીવન ખતમ થઇ જાય છે. નિયમમાં રહેશો તો જ આપણા મન

ઉપર કાબુ - સંયમ રહેશે.

એક શેઠ શેઠાણી. તેમને એક દિકરો ૧૨-૧૩ વર્ષનો પણ ધર્મમાં જરાય રસ નહીં.શેઠશેઠાણી

ખુબજ ધર્મીષ્ટ એટલે કોઇ પણ મહારાજ સાહેબ આવે ત્યારે દિકરાને વ્યાખ્યાન સાંભળવા લઇ

જાય કે કયારેક તો તેના જીવનમાં ધર્મ ભાવના જાગૃત થશે.

હવે એકવાર એક મોટા આચાર્ય મહારાજ આવ્યા .દિકરાને વ્યાખ્યાન સાંભળવા લઇ ગયા.

છેલ્લે ગુરુ મહારાજ ને વંદન કર્યા . ગુરુજીએ પુછયુંકે શું સમજયો ભાઇ? તો દિકરો કહેછે કે

આપ પ્રવચન કરતાં હતાં ત્યારે આપના ગળાના કાકડા ૧૦૦૮ વાર ઉંચા નીચા થયા તે મેં

ગણ્યું. ગુરુ મહારાજતો મનમાં સમજી ગયા કે આને શીખડાવવાનો કોઇ અર્થ નથી .બીજે વર્ષે

ચાર્તુમાસમાં હજી એક મહારાજ સાહેબ આવ્યા. શેઠ દિકરાને વ્યાખ્યાન સાંભળવા લઇ ગયા.

કીધું ભાઇ ધ્યાનથી સાહેબની વાત સાંભળજે તો તારું જીવન સુધરશે.આવખતે પણ વ્યાખ્યાન

પુરું થયું. પછી સાહેબને વંદન કરવા ગયા. ગુરુ મહારાજે પુછયું કે કાંઇ સમજયો કે નહીં? હા

હા-હું બેઠો હતો ત્યાં એક કીડીનું દર હતું. હું વિચાર જ કરું છું કે આટલા નાના દરમાંઆટલી

બધી કીડીઓ કેવી રીતે રહેતી હશે?મહારાજ થોડા પાકા હતા એટલે કે બાધાતો તમારે લેવી

પડશે. નહીંતર હું અનશન કરીશ. દિકરો હોંશીયાર હતો તેણે કીધું કે મને બાધા આપો.આખા

નાળીયેર ખાવાના નહીં તોડીને જ ખાવાના. મહારાજ સાહેબ કહે કોઇપણ આખાનારીયેલ

ખાઇ જ ન શકે? આવી ફાલતું બાધા ન ચાલે. બીજું કાંઇક બોલ. દિકરો કહે છે કે મારાઘરની

સામે એક કુંભાર છે- જમતાં પહેલા તેની ટાલ જયાં સુધી તે ઘરની સામે રહે છે અને જીવેત્યાં

સુધી જમતાં પહેલા એની ટાલ જોયા બાદ જ જમીશ-આ બાધા આપો.સાહેબજીએબાધાઆપી

દીધી. હવે જમતાં પહેલા રોજ કુંભારની ટાલ જોઇ આવે અને પછી જ જમીલે. એક દિવસ

દિકરો જમવાં બેઠો. મા એ પુછયું કુંભારની ટાલ જોઇ? તો યાદ આવ્યું કે આજે ભુલી ગયો

છું એટલે તરતજ તેના ઘરે જાય છે-પણ તેની પત્ની કહે છે કે તે તો ગામ બહાર સીમમાંમાટી

લેવા ગયેલ છે. કલાક-બે કલાકમાં આવી જશે. પછી મળજો. દિકરોતો ભુખ લાગેલ એટલે

ગામ બહાર પહોંચી ગયો. દૂૂરથી કુંભારને જોયો-એટલે જોરથી બોલ્યો કે જોઇ જોઇ. હવે

કુંભારનેતો સોનાનો ચરુ તથા સોનામહોરો મળેલ. તેને એમ કે આ ચરુ જોઇ ગયો લાગે છે

એટલે તરતજ દોડીને તેને ઉભો રાખે છે અને કહે છે કે આપણે સરખે ભાગે વહેંચી લઇએ .

દિકરોતો ખુશ થઇ ગયો કે આ બાધામાં આટલો લાભ તો તો સાહેબની બધી બાધા લેવી

જોઇએ ખુબજ લાભ થશે. ઘરે મા-બાપને સોનામહોર-ચરુ બધું આપે છે-અને પોતે મહારાજ

સાહેબ પાસે દીલથી-મનથી જાય છે-અને જીવનમાં ધર્મ ઉપર વિશ્વાસ વધતો જાય છે અને

આખરે દીક્ષા લે છે. અને ખુબજ સુંદર ધર્મ આરાધના કરે છે. પ્રભુનો પ્રેમ એટલે તમો પ્રભુનો

સંપૂર્ણ સ્વીકાર કરો. જે પ્રભુના બની જાય તેને પોતાનું કઇં રહેતું નથી. જે કંઇ થાય છે તે

પ્રભુની કૃપાથી - પ્રભુના પ્રભાવથી જ થાય છે.

આકાશમાં ઊંડાણ ને જેમ માપવું જેમ મુશ્કેલ હોય છે તેમ પરમાત્માની પરમ કૃપાને પામેલા

સંતોને પણ સંપૂર્ણપણે સમજવા કપરું કાર્ય છે. પરમાત્માના સંપૂર્ણ સમર્પિત થયેલએ

મહાપુરુષોના નામસ્મરણથી સર્વ કષ્ટો ટળી જાય છે. તપ ના થાયતો ચાલશે- પણ કોઇની

ઉપર કયારે તપતાં નહીંં . ટુંકમાં નિયમમાં આવવાથી આપણામાં સંયમ આવે છે નેજીવનમાં

તમારી સુવાસ ચોતરફ ફેલાય છે. નિયમમાં રહેશો તો જ આપણું મન-જીભ બધું કાબુમાં

રહે છે.ફાયદો જ ફાયદો છે જો નિયમ લેશો તો. આજે બાળકને જરૂર છે સંસ્કારઅનેશિક્ષણના

વારસાની. એવો વારસો કે જે જીવનના દરેક મોડ પર તેનો સાથ આપશે. ગુજરાતી ભાષા

આપણી માતૃભાષા ઉત્તમ છે. અને અંગ્રેજી ભાષા સર્વોત્તમ છે. કારણકે સમગ્ર વિશ્વમાં તે

સર્વમાન્ય છે. હીંદી આપણી રાષ્ટ્રભાષા છે. એટલે ત્રણે ભાષા બાળકોને શીખડાવવી જરૂરી

છે.મનુષ્યનો આંતરવૈભવ તેની ગુણ સંપત્તિ છે.

પરદેશ ગયેલા રોકફેલરને પૂછવામાં આવ્યું,આપને જીવનમાં શાની ઉણપછે.અબજોડોલરોનો

માલિક રોકફેલર કહે છે સાચા મિત્રોની ઊણપ છે.પત્રકારો આદિ વિચાર કરે જેેનીઆજુબાજુ

ગોળની ઉપર માખી, ફૂલની પાછળ ભમરા ગુંજે તેમ મિત્રો વીંટળાયેલા છે અને તે કહે છે કે

સાચા મિત્રોની ઉણપ છે. મનની મૂંઝવણ રોકફેલર પાસે રજુ કરતાં રોકફેલરે કહ્યું -આ

રોકફેલરના મિત્રો નથી . આ બધાતો ડોલરના મિત્રો છે. રોકફેલરની પાર્ટી ઉઠે તો બધા

રૂઠે. એક કવિ એ સરસ વાત કરી છે

શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક

યામેં સુખદુઃખ વામીએ, સો લાખણ મે એક.

માનવતાનાં મૂલ્ય ઘટયાને ધનવંતા રહી જામી,

પાપને પુણ્યની વાતો જાણે થઇ ગઇ સાવ નકામી,

દુનિયાની આ પરિસ્થિતિને કોઇ શકે ન પામી,

સાચો રાહબતાડો સ્વામી, હે પ્રભુ! મહાવીર સ્વામી.

જેની પાસે ઘણું બધું છે તે સુખી નથી પણ જે ઘણાં બધા વગર ચલાવી શકે તે સુખી છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૩ સંતોષી નરનું પહેરણ

એક ગામમાં એક રાજા હતાાં બધું સુખ હતું. પણ રાજાને મનમાં કાયમ અસંતોષ જ રહે.

રાજા મનથી દુઃખી હતાં-એક દિવસ દરબારમાં ઢંઢેરો પીટવામાંં આવ્યો કે રાજાનું દુઃખ દૂૂર

કરશે તેને મોટું ઇનામ આપવામાં આવશે. કોઇ કાંઇ કરી શકયું નહીં - પણ એક ફકીર

આવ્યો તેણે કીધું કે કોઇ સુખી માણસનું પહેરણ પહેરવાથી રાજાની બધી ચીંતા દૂૂર થઇ જશે.

હવે પહેરણની તપાસ ચાલું થઇ પણ દરેકને કાંઇક ને કાંઇક દુઃખતો હોયજ. એકે સુખી

માણસનો મેળ ખાધો નહીં. એમ કરતાં ખબર પડીકે બાજુના પહાડ ઉપર એક સાધુ રહેછે

તે એકદમ સુખી છે કોઇ વાતની ચીન્તા નથી. તરતજ સીપાઇઓ ઘોડા પર સવાર થઇને તે

સાધુ પાસે ગયા. સાધુને વંદન કરી પુછે છે કે આપને કોઇ ફીકર ચીંતા છે? સાધુ કહે કે

અમને તો શું ચીંતા હોય - અમે તો જે મળે તેમાં ખુશ અને કાંઇ ન મળે તો પણ ખુશ.

ભગવાન પર પુરો ભરોસો રાખીને તેમની ભકિતમાં જીવન પસાર કરીએ. સીપાઇમાંથી એકે

કહ્યું કે આપનું એક પહેરણ અમારા રાજા માટે જોઇએ છે બદલામાં તમો ને જે જોઇએ તે

આપશું. પણ સાધુ કહે છે કે મારી પાસેતો ફકત એક લંગોટી જ છે. બીજું કોઇ કાપડ જ

નથી. અમારે તો એક જ લંગોટી બસ થઇ રહે. પહેરણની તો વાત જ કયાં? સીપાઇઓ પાછા

રાજા પાસે આવે છે બધી વાત કરે છ.ે રાજા સમજી જાય છે કે ખુશ રહેવા માટે એક લંગોટી

જ બસ છે મારી પાસે તો આખું રાજય છે-મારે શું ફીકર કરવાની?ભગવાન પર શ્રદ્વા

રાખવાની બસ.જીવનમાં સંતોષ મેળવવા માટે માણસે પોતાની આશા,આકાંક્ષા,તૃષ્ણા,

સ્પૃહા,ઇચ્છા વગેેરેને ઉત્તરોત્તર ઓછી કરતાં જઇ નિઃસ્પૃહતા આવે તો પછી આખું જગત

તણખલા જેવું લાગે. નિઃસ્પૃહત્વમાંથી જે માનસિક સુખ પ્રાપ્ત થાય છે તે કેવું છે તે તો

અનુભવમાંથી જ સમજાય એવું છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ જ્ઞાનસાર માં કહ્યું છેઃ ભૂમિ

ઉપર શયન હોય,ભિક્ષાથી ભોજન હોય,પહેરવાને જીર્ણ કપડાં હોય અને વન એ જ ઘર હોય

તો પણ સાચો નિઃસ્પૃહ મનુષ્ય ચક્રવર્તીના સુખથી અધિક સુખ ભોગવેછે.

શ્રીમંત બનવું છે? આવક વધારવી પડશે.

શ્રીમંત રહેવું છે?ખર્ચ ઘટાડવો પડશે.

અહંકારી કોઇની પાસે જવા તૈયાર નથી.

સારું કામ ખરાબ મૂર્હતે નથી જ કરવું?

ખરાબ કામ સારા મૂર્હતે પણ ન જ કરો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૪ વિશ્વની સાત અજાયબીઓ

સાતમાં ધોરણનો ભૂગોળનો કલાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની

નોંધ કરવાની વિધાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિધાર્થીએ નીચે મુજબ સાત

અજાયબીઓ લખીઃ-

૧. ઇજિપ્ત ના પિરામીડ

૨. તાજમહાલ

૩. પિઝાનો ઢળતો મિનારો

૪. પનામા નહેર

૫. એમ્પાયર સ્ટેટસ બિલ્ડિંગ

૬. બેબીલોન ના બગીચા

૭. ચીનની ની મહાન દીવાલ

શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધ્યાનમાં આવ્યું કે એક છોકરી સાવ શાંત બેઠી હતી.

કંઇક મુંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાનો કાગળ પણ શિક્ષકને બતાવ્યો

નહોતો. કેમ બેટા! કંઇ તકલીફ છે? યાદ નથી આવતું? શિક્ષકે પૂછયું. નહીં સર! એવું

નથી. પણ મેં સાત અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી કહેવાય. એવું મને લાગે છે.

શિક્ષકને નવાઇ લાગી. સાત અજાયબીઓ ભેગી કરવામાં પણ બધાને લોચા પડતા હતા,

ત્યાં આ છોકરીતો ઘણીબધી અજાયબીઓની વાત કરે છે!ચાલ,બોલ જોઉં,તે કંઇ સાત

અજાયબીઓ લખી છે? શિક્ષકે કહ્યું.

પેલી બાળકી થોડીક ખચકાઇ, પછી પોતાના કાગળ સામે જોઇ બોલીમારા માનવા

મુજબ વિશ્વની સાત અજાયબીઓ છેઃ-

૧. સ્પર્શવું

૨. સ્વાદ પારખવો

૩. જોઇ શકવુ ં

૪. સાંભળી શકવું

૫. દોડી શકવું કુદી શકવું

૬. હસવું અને

૭. ચાહવું-પ્રેમ કરવો.

શિક્ષક સ્તબ્ધ બની ગયા. કલાસમાં પણ શાંતિ છવાઇ ગઇ. એમને થયું કે ભલે ભૂગોળની

દ્રષ્ટિએ આ ખોટું હોય પણ છોકરી જરા પણ ખોટી નથી.આપણે કેટલા બધા આસાનીથી

માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઇએ છીએ અને ભગવાનની

બનાવેલ અદ્દભૂત રચનાઓને સામાન્ય ગણતા હોઇએ છીએ.

ગુરુ ગુણાનુવાદઃ વિતરાગ પ્રભુનો આ તે કેવો શ્રમણ! હા! વિશ્વની પહેલી અજાયબી

જેને ગામમાં ઘરબાર ન હોય .

જેને બજારમાં દુકાન કે પેઢી ન હોય .

જેને સીમમા ખેડવાં ખેતર ન હોય .

જેને દુનિયાની કોઇ બેંકમાં ખાતું ન હોય .

જેને કોઇના ઘરે એની થાપણ ન હોય .

જેને પોતાની પાસે ફૂટી કોડી પણ ન હોય .

અને આ બધું ન હોવા છતાં પ્રસન્નતાનો મહાસાગર જેનામાં હિલોળા લેતો હોય તે જ વ્હાલા

વીર પ્રભુનો સાચો શ્રમણ હોય. પ્રભુ આપણને સાચી અજાયબીઓ ઓળખવાની શકિત

આપે.પ્રભુ! આપે મનને જે વિચારવાની ના પાડી છે, જીભને જે બોલવાની ના પાડી છે અને

કાયાને જે આચરવાની ના પાડી છે એ હું જયારે વિચારું છું, બોલું છું અને આચરું છું ત્યારે

આપો આપ હું આપની આજ્ઞાની બહાર થઇ જાઉ છું. આ હકીકત જયારથી મારા ખ્યાલમાં

આવી છે ત્યારથી હું સાવધ બની ગયો છું. પ્રભુ! એક વાત કહું? જંગલમાં યથેચ્છ વિહરતા

હાથીને જેમ થાંભલે બંધાવું ગમતું નથી તેમ અનંત અનંત કાળથી યથેચ્છ વિહરી રહેલાં મારાં

મન-વચન-કાયાને પણ આપની આજ્ઞાના ખીલે બંધાવું ગમતું નથી. આપ એવો કંઇક જાદુ

કરી દો ને કે મારાં મન-વચન-કાયાને આપની આજ્ઞાના સ્વીકાર સિવાય ચેન જ ન પડે!

આજનો માણસ શિરામણ નથી કરતો. બ્રેકફાસ્ટ લ્યે છે. તે જમતો નથી. લંચ લેતો હોય છે.

તે વાળું નથી કરતો, ડીનર લેતો હોય છે. લંચનો સમય ખસતો ખસતો છેક બપોરના ત્રણ

વાગ્યા પર પહુંચી ગયો છે. અને ડીનરનો સમય અગિયાર વાગ્યા પર. સૂવાનો સમય ખબર

ન પડે તેમ રાતના ૧/૨/૩ વાગ્યા પર. આવી ગયેલ છે. આ ક્રમ ચાલુ રહે તો ભવિષ્યમાં,

કદાચ મળસ્કે પાંચ વાગે પથારીમાં સુવાનું ચાલુ થશે. જેટલું જીવન નિયમિત હશે અને ધર્મ

માર્ગે ચાલશો તો જ સુખી થશો. આપણે આપણા સંસ્કાર સાચવશું તો જ સુખી થશું.

જયાંં માતા છે ત્યાં બદ્રીકેદાર છે, કાશી છે, કાબા છે, જેરૂસલેમ છે, માતા તીર્થોત્તમ છે.

ભોજન શરીરને ટકાવવા માટે અનાશકત ભાવે કરવાનું હોય છે.

ક્ણ્દ્યણ્ત્ત્ડ્ઢ ત્ર્થ્દ્રડ દ્દઢટ્ટત્ત્ ધ્થ્દ્ધ ઢટ્ટદ્યડ ટ્ટત્ત્ઠ્ઠ ડદૃથ્ર્ડઠદ્દણ્ત્ત્ડ્ઢ ત્ત્થ્દ્દઢણ્ત્ત્ડ્ઢ ટ્ઠદ્ધદ્દ ડ્ઢદ્રટ્ટદ્દણ્દ્દદ્ધઠ્ઠડ ણ્ત્ત્ દ્રડદ્દદ્ધદ્રત્ત્ ત્ર્ડટ્ટત્ત્દ્મ દ્મડત્ડ્ડત્ડદ્મદ્મત્ત્ડદ્મદ્મ. કથ્ત્ઠ્ઠણ્ત્ત્ડ્ઢ ધ્થ્દ્ધદ્ર ઢડટ્ટઠ્ઠ ઢણ્ડ્ઢઢ ટ્ટત્ત્ઠ્ઠ ટ્ઠડણ્ત્ત્ડ્ઢ દ્દઢડ ટ્ઠડદ્મદ્દ ધ્થ્દ્ધ ણૂત્ત્થ્દ્વ ધ્થ્દ્ધ ઠટ્ટત્ત્ ટ્ઠડ દ્વઢડત્ત્ ત્ણ્ડ્ડડ દ્મડડત્ર્દ્મ દ્દથ્ ડ્ડટ્ટત્ત્ ટ્ટથ્ર્ટ્ટદ્રદ્દ ટ્ટદ્દ ધ્થ્દ્ધદ્ર ડ્ડડડદ્દ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડટ્ટઠણ્ત્ત્ડ્ઢ ડટ્ટઠઢ ઠ્ઠણ્ડ્ડડ્ડણ્ઠદ્ધત્દ્દધ્ દ્વણ્દ્દઢ દ્દઢડ ઠથ્ત્ત્ડ્ડણ્ઠ્ઠડત્ત્ઠડ દ્દઢટ્ટદ્દ દ્દણ્ત્ર્ડ દ્વણ્ત્ત્ ટ્ઠદ્રણ્ત્ત્ડ્ઢ ધ્થ્દ્ધ ટ્ઠડદ્દદ્દડદ્ર દ્દથ્ત્ર્થ્દ્રદ્રથ્દ્વદ્મ ટ્ટત્ત્ઠ્ઠ ત્ત્ડદ્યડદ્ર ડ્ઢણ્દ્યણ્ત્ત્ડ્ઢ દ્ધથ્ર્ ત્ર્ડટ્ટત્ત્દ્મ ટ્ઠડત્ણ્ડદ્યણ્ત્ત્ડ્ઢ ણ્ત્ત્ ધ્થ્દ્ધદ્રદ્મડત્ડ્ડ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૫ કારપેંટર ની સમતા

આ વાર્તા મારા પુત્ર નિલેશે કહેલ છે જે તેણે આલમા મેટર કોર્સમાંં સાંભળેલ હતી. બે

સુથાર મિત્રો હતા. નાનપણ થી જ દોસ્તી. હવે એક સુથારને બાજુના જ ગામમાં મોટું કામ

મળ્યું. એટલે તેણે ત્યાં જ ભાડે ઘર લઇ ફેમીલી સાથે રહેવાનું નક્કી કયુર્ં. બીજો મિત્ર આ જ

ગામમાં એક આર્કીટેકટ નીચે કામ કરતો હતો. પણ બંને મિત્રોએ મહીનામાં એક વાર મળવું

જ તેવું નક્કી કરેલ. એક મહીનામાં જેના ગામે મળે તેના ઘરે જ જમી લેવાનું.

હવે આર્કીટેકટને એક શેઠના બંગલાનું કામ મળ્યું. આ કામ આ સુથાર તથા તેની નીચે બીજા

આઠ સુથારની ટીમ કરવા લાગી. કામ ચાલુ હતું અને પહેલા સુથારનો બાજુના ગામમાંથી

મિત્ર આવ્યો. મિત્ર નવરો બેઠા વાત કરે જાતો હતો પણ આ સુથાર તો સારો હતો. કામ ચાલુ

રાખીને જ વાત કરે. ત્યાં અચાનક શેઠજી આવ્યા. કામ ચાલુ હતું. ફકત બહારગામનો સુથાર

કાંઇ કામ કરતો ન હતો. શેઠને ખુબજ ગુસ્સો આવી ગયો અને તેના મિત્ર સુથારને ખખડાવી

નાંખ્યો કે આર્કીટેકટ કયાં છે? તેણે કહ્યું કે શેઠજી એતો દિવસમાં ગમે ત્યારે આવે અને જાય.

અમોને કામ સોંપેલ હોયતે મુજબ અમો કામ કરીએ. અમો એક મીનીટ પણ બગાડતાં નથી.

શેઠતો ગુસ્સામાંજ દાદરો ઉતરી ગયા. નીચેે પહોંચ્યા ત્યાંજ સામો ર્આકીટેક મળ્યો. શેઠે એને

પણ ખુબજ વઢી નાંખ્યો. ઉપર આવી આર્કીટેકટ બધા સુથારોને વઢવા લાગ્યો. આ સુથારના

મિત્રને તો બહુજ ગુસ્સો આવતો હતો શેઠ ઉપર અને આર્કીટેકટ ઉપર.. પણ તેના મિત્રે તેનો

હાથ પકડી ચુપ રહેવા વિનંતી કરી.હવે સાંજના કામ પુરુ થયું - બંને મિત્રો સાથે જ જાય છે -

બાજુના ગામનો સુથાર તેની સાયકલમાં આવેલ, તેના ઉપર સુથારી સામાનની પેટી મુકી

બંને ચુપચાપ ચાલીને જાય છે.ઘર નજદીક હતું. આવી ગયું. સામાનની પેટી લઇ ઘરમાં એક

વડનું ઝાડ છે તેને આ સુથાર ભેંટે છે પછી ઝાડમાં બખોલ છે ત્યાં સામાન મુકીને ઘરમાં જાય

છે. ઘરે તેની પત્ની, માતા-પિતા તથા એક દિકરો અને દિકરી છે. બાળકોતો દોડીને પપ્પા

આવ્યા કરીને ભેંટી પડયા. તેની પત્ની-માતા-પિતા બધા સાથે ખુબજ હસીને વાતો કરે છે.

આ બીજા સુથાર ને મનમાં થયું કે મારી સાથે જો આમ થાયતો તો મારી પત્ની-બાળકો-મા-

બાપ બધાનું આવી બને.મારો ગુસ્સો તો કાંઇક તો નીકળવો જોઇએને. પણ આતો જો!

જાણે કાંઇ બન્યું નથી તેમ બધાની સાથે આનંદથી વાત કરે છે. બધા સાથે જમવા બેઠા, ઘરનું

વાતાવરણ ખુબ જ આનંદીત છે. પછી બંને એકલા પડયા એટલે તેના મિત્રને પૂછે છે કે શું

તું માણસ છે કે કાંઇ બીજું. તનેતો શેઠ આટલું વઢીને ગયા - પછી આર્કીટેકટ પણ ખુબજ

વઢીને ગયો- તું તો હું આવ્યો તો પણ કામ એક મીનીટ પણ બગાડયા વગર કરતો હતો. તો

પણ તને જરા પણ ગુસ્સો જ નથી. મને સમજાતું નથી.હવે તેનો મિત્ર તેને સમજાવે છે -

બાહરથી આવી પહેલા વડલા ને વંદન કર્યા - પછી મારી સુથારી પેટી ત્યાં મુકી દીધી. એટલે

બહારની ચીંતા બહાર. હું દુઃખી હતો. પણ મારા મા-બાપ-પત્ની-બાળકોનો શું વાંક?મારે

તેઓને શું કામ દુઃખી કરવા? હું હસતો હોઉં તો તેઓ પણ હસે-કદી આપણા બહારના

કામની ચીંતા ઓફીસની ચીંતાકે બીજું કાંઇ હોય ઘરમાં નાહકના બધાને ચીંતામા મુકવાથી શું

મળે? હવે કાલે સવારે કામ પર જઇશ ત્યારે મારી ચીંતા મારી સાથે લઇ જઇશ. પણ

ઘરમાંતો આપણે બધાને હસાવવાના-ખુશ રાખવાના. બીજો સુથાર મિત્ર સમજી ગયોકે હવે

હું પણ તારી જેમ મારા ઘરમાં બહારનું કાંઇ પણ ટેનશન હોય તો પણ બધા ને ખુશ જ

રાખીશ. જીવનમાં ખુશી બાંટો. પણ ગમ નહીં બાંટો. સૂર્ય એક છે પણ એના કિરણો અનેક

છે. પુષ્પ એક છે પણ એની પાંખડીઓ અનેક છે. મકાન એક છે પણ એમા બારીઓ અનેક

છે. તેમ પુરુષ એક છે પણ એની પાસે ચિત્ત અનેક છે. સવારે ચા ઝંખતું ચિત્ત, બપોરે બરફી

ઝંખવા લાગે છે. આજે વ્યકિત સાથે મૈત્રી જમાવતું ચિત્ત આવતીકાલે દુશ્મનાવટ જમાવી બેસે

છે. સાંજના વાતાવરણમાં અકળામણ અનુભવતું ચિત્ત, બપોરના ધૂમ તાપમાં પ્રસન્નતા

અનુભવવા લાગે છે. પ્રભુ! આવા અનેક વિષયો તરફ આકર્ષિત-વિકર્ષિત થતા ચિત્તને મારે

આપનામાં સ્થિર શી રીતે કરવું, એ હું સમજી શકતો નથી. જો મારે કયાંક પહોંચવું છે તો એ

દિશા તરફ જ મારે કદમ માંડવા પડે છે, તો જો મારે આપના જેવા બનવું છે તો મારા ચિત્તને

મારે આપનામાં જ કેન્દ્રિત કરવાનું છે. ઇચ્છું છું કે આપનો ગુણવૈભવ મારા ચિત્તના

આકર્ષણનું એકમાત્ર કેન્દ્ર બની જાય. પછી હું પણ તુંહિ તુંહિ તુંહિ તુંહિ યુંહિ ધરતા ધ્યાન

રેલલકાર્યા વિના નહીં રહું.ભગવાન ને ભગવાન બનાવનાર જ કરુણા છે. એ કરુણા જ

તેમને સર્વ જીવો પ્રત્યે વિનય કરવા પ્રેરે છે. ભગવાન પણ વિનય ન છોડે તો આપણાથી કેમ

છોડાય? અજૈન સંત સૂરદાસ કહે છે - સદા અમારી આંખોમાં વર્ષાઋતુુ રહો. પ્રભુને જોતાં

જ આંખોમાંથી હર્ષાર્શ્રુનાં તોરણો બંધાવા જોઇએ..

દર્શનં દેવ દેવસ્યમ, દર્શનં પાપ-નાશનંમ

દર્શનં સ્વર્ગ સોપાનં,દર્શનં મોક્ષ સાધનંમ.

મુની ને કોઇએ પુછયું કે સંસારની બધી વસ્તુઓમાં મોટી વસ્તુ કઇ? મુનીએ કહ્યું કે આકાશ

કારણ જે કાંઇ છે તે આકાશના ઘેરાવામાં સમાયેલું છે. પરંતુ સ્વયં આકાશ કશામાં નથી.

બીજો સવાલ પુછયો કે સહુ થી શ્રેષ્ટતમ શું? મુની એ કહ્યું કે માણસનું ચારિત્ર. ચારિત્ર માટે

બધુ ન્યાછોવર કરવું પડે છે. ત્રીજો સવાલ પુછયો કે સોૈથી ગતિમાન કોણ? મુની એ કહ્યું

‘ચ્ર્ઢટ્ટદ્દ દ્વઢણ્ઠઢ દ્મદ્ધટ્ઠઠ્ઠદ્ધડદ્મ થ્ર્ટ્ટદ્મદ્મણ્થ્ત્ત્દ્મ, ત્ડટ્ટઠ્ઠદ્મ દ્દથ્ ટ્ઠત્ણ્દ્મદ્મ,ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્મદ્દડદ્રદ્મ ડ્ડદ્રણ્ડત્ત્ઠ્ઠત્ણ્ત્ત્ડદ્મદ્મ ણ્દ્મ

ઠટ્ટત્ત્ડઠ્ઠ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ ણૂત્ત્થ્દ્વત્ડઠ્ઠડ્ઢડ.‘

ચ્ર્ણ્દ્રદ્દઢટ્ટત્ત્ણૂટ્ટદ્ર ઉંઢટ્ટડ્ઢદ્વટ્ટત્ત્ ચ્દ્રણ્ ખ્ર્ટ્ટઢટ્ટદ્યણ્દ્ર ચ્દ્વટ્ટત્ર્ણ્.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૬ કઢી વાલે બાબા

એક ખુબજ મોટા ઝવેરી હતાં. તેમની ૧૬ તો સોના-ચાંદીની દુકાનો હતી. મોટો બંગલો

હતો. પતિ-પત્ની અને એક ૧૬ વર્ષનો દિકરો- આમ ત્રણ જણાં ઘરમાં રહેતા હતાં. ૧૬

તો મોટર કાર હતી.૧૬ તો મુનીમ હતાં. રોજ બપોરે ચાર વાગે બધા હીસાબ -રૂપીયા-

દાગીના જે કંઇ હોય તે લઇને શેઠને હિસાબ આપી દેતા. આ ૧૬ મુનીમમાં એક અમીચંદ

મુનીમ હતો. તે રોજ વર્ષોથી આ બાળક માટે ચોકલેટ-ભાગ વિગેરે લાવતા હતા. પણ

અમીચંદ શેઠ હમણાં થી બે-ત્રણ દિવસ થયાં આવ્યા નહીં, છોકરો હવે બીજા મુનીમને પછે

છે કે કેમ અમીચંદ મુનીમજી નથી આવતાં? તો કહે છે કે તે ગુજરી ગયા.છોકરો પુછે છે

ગુજરી ગયા એટલે શું? તો કહે તેના શરીરમાંથી આત્મા-જીવ ચાલ્યો ગયો અને એનું શરીર

સ્મશાને લઇ જઇ બાળી નાંખવામાં આવેલ છે. એટલે હવે તે કદી પાછા નહીંં આવે.

નાનો બાળક ૧૬વર્ષનો એને મનમાં થયું કે મારે પણ એક દિવસ આ બધું છોડી ને જવું

પડશે. એના કરતાં ચારિત્ર લઇ ને સંસારનો ત્યાગ કરું તો સારું રહેશે. મા-બાપની રજા માંગે

છે - મા-બાપ સમજાવે છે આટલી બધી જમીનો-બંગલા-ખેતરો-૧૬ તો કાર ૧૬ સોના

ચાંદી ની દુકાન-આ બધું તારું જ છે–દિક્ષા લેવી સહેલી નથી- ઉઘાડા પગે વિહાર કરવાનો-

ઘર ઘર ફરી ને ગોચરી લેવાની -ખાવા-પીવા-સુવાની બધી મર્યાદા. તું આજ સુધી રાજા ની

જેમ રહેલ છો તારા થી આ બધું સહન ન થાય. તારે અમારો વંશ લગ્ન કરીને આગળ

વધારવાનો છે. અમારે તો અમારા પૌત્ર-પૌત્રી ને રમાડવા હોય - આ માટે આ વાત તું

ભૂલી જા. પણ આને માથે દિક્ષા લેવી છે સિવાય બીજી વાત નથી. મા- બાપ પણ જેૈન

દેરાવાસી મૂર્તિપૂજક અને ધર્મીષ્ટ છે. ત્યાં મોટા શેઠનો મિત્ર અહીં કામ માટે આવ્યો હશે.

શેઠ દુઃખી થઇ ને તેને વાત કરે છે.તેના મિત્રે શેઠ-શેઠાણી ને સમજાવ્યું કે તમારા ઘરમાં

આટલી સાહ્યબી થી રહ્યો છે એનું મન છે દિક્ષા લેવા દો. ૧૦-૧૫ દિવસમાં થાકી ને પાછો

ઘરે આવી જશે. આપણી દિક્ષા ખુબજ કઠીન છે. એકવાર અંદર જશે પછી સામેથી જ પાછો

આવી જશે. તેનું મન છે તેમ કરો. આખરે ધામધુમથી દિક્ષા લેવાય ગઇ અને નુતન દિક્ષિત

મોટા મહારાજ સાથે વિહાર કરી ને ગયા .

હવે દિક્ષાર્થીની ઉમ્ર ૨૧ વર્ષની થઇ હતી. તેઓ એક ગામમાં આવ્યાં.આજે ગોચરીનો વારો

આનો હતો. ગામમા જઇ ગોચરી લઇ આવે છે અને ગુરુ મહારાજ સમક્ષ બધું મુકી દે છે.

આજે ગોચરીમાં કઢી હતી - આ ને કઢી બહુ ભાવી એટલે હવે તે જયાં ગોચરીમાં જવાના

હોય સામેથી કઢી બનાવવાનું કહી દે. એમ કરતાં કરતાં એમનું નામ કઢીવાલે બાબા પડી

ગયું. હાથી નો હાથી નીકળી ગયો પણ પૂંછડામાં જીવ અટકાયો. ગુરુ મહારાજ જ્ઞાની હતાં.

કાંઇ કહેતા નહીં, મનમાં હતું ધીમે ધીમે ગાડી પાટા ઉપર આવી જશે.

એકવાર બધા ભકતો મળ્યા - વિચાર કર્યો કે સાહેબજી એ દિક્ષા લીધી છે પણ કઢીનો મોહ

છૂટતો નથી- આપણે બધા નક્કી કરીએ . કઢી સિવાય તમો જે કહો તે યોગ છે - એમ કરતાં

તેમની કઢી ની પ્રીતી ઘટી જશે. બાકી એમનાંમાં બીજી કોઇ ખામી જ નથી. સવારના

વ્યાખ્યાન પછી કઢીવાલે બાબાએ કહ્યું કે જેના ઘરે કઢીનો યોગ હોય ત્યાં હું ગોચરી માટે

આવીશ. એક પછી એક બધા જવાબ આપે છે - સાહેબ આપ કહો બદામ-પીસ્તા-કોઇ પણ

ફળ વિગેરે નો યોગ છે પણ કઢીનો યોગ નથી. કઢીવાળા બાબા ચૂપ થઇ ગયા- કહે જેવી

દાદાની મરજી- આજે તો મારે ઉપવાસ કરવો છે.બીજે દિવસે પણ તેમ જ થયું- બધાએ કઢી

સિવાય કાંઇ પણ કહો સાહેબજી અમો તૈયાર છીએ - સાહેબે આજે પણ ઉપવાસ કર્યો. આમ

કરતાં કરતાં અગીયાર દિવસ થયાં- સાહેબ તેની જીદમાં- ભકતો તેમની જીદમાં. પણ

૧૧માં દિવસે ભકતો બધા ઢીલા થઇ ગયા- બધા મળ્યા અને વિચાર્યુ કે કઢી ખાઇ છે ને

૧૧- દિવસના ઉપવાસ છે હવે આપણે નમતું છોડી દઇએ..તરત જ બધા કહે છે સાહેબ મારા

ઘરે આવજો કઢી નો યોગ છે. સાહેબ હસ્યાં -મનમા કહ્યું કે હું જીત્યો અને આ લોકો હાર્યા.

ખુશ ખશ થઇ ગયા કે હવે કાલથી કઢી ચાલું થશે - હવે મને કોઇના નહીં પાડે. રાતના સુતી

વખતે ઘડિયાળમાં બેવાગ્યાનો ડંકોરો પડયો અને કઢીવાલે બાબાનો આત્મા જાગી ગયો.

આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. મનને કહે છે કે તું હાર્યો - આ ભકતો જીતી ગયા.

તેઓતો બીચારા તમારી કઢી નું આકર્ષણ દૂૂર કરવા પ્રયત્ન કરતાં હતાં. મેં સંસાર છોડયો -

આજે બાપ ને ઘરે હોત તો ૧ નહીં એકવીસ નોકરો હાજર હોત અને હું બોલું તે સો ટકા

બની જાત. મેં સંસાર છોડયો - આખો હાથી નીકળી ગયો અને પૂંછડામાં અટકી ગયો. ધન્ય

છે આ ભકતો જેમણે મારી આંખ ઉઘાડી. સવારના બધી વિધિ પતાવી ગુરુ મહારાજને વંદન

કરી આજ્ઞા લે છે કે હું જયાં ગોચરી માટે જાઉં છું ત્યાં જ ગોચરી વાપરવાની રજા આપશોજી.

ગુરુ મહારાજ જ્ઞાની હતા-હા પાડે છે. હવે કઢીવાલે બાબા પહેલા ભકતને ત્યાં જાય છે અને

કહે છે આપ કહો તો અહીં જ ગોચરી વાપરું. ભકત તો ખુશ થઇ ગયો. સાહેબ જમવા બેસી

ગયા - કહે છે કે કઢી સિવાય કાંઇ લાવશો નહી. એક બકેટ કઢી મુકી દો અને એક વાટકો

આપો. પછી એક પછી એક વાટકા ભરીને કઢી મોઢામાં મુકતા જાય છે અને પોતાની જીભને

કહે છે કઢી જોઇએ છે - લે - લે.બહુજ કઢી પીવી છે ને લે. આ જીભે જ મને કઢી માટે

સંયમના માર્ગમાં બધું છોડયું પણ એક જીભના સ્વાદ પાછળ મારું આખું સંયમ જીવન

નિષ્ફળ થઇ ગયું. સાત આઠ વાટકા પીધા પછી ઉલ્ટી થવા મંડી. તેમણે ઉલ્ટી માટે હજી

એક વાસણ મંગાવ્યું અને જીભને ઉલ્ટી પીવરાવવા માંડયા. લે - લે - લે હજી કઢી જોઇએ છે

ને. આજે તારા ઉપર હું વિજય મેળવીશ.ભકતે સાહેબ નો હાથ પકડી લીધો - સાહેબ ઉલ્ટી ન

પિવાય. સાહેબ પછી ઉભા થઇ જાય છે અને તે વખતે કઢી આજીવન નહીં ખાઉં તેમ બાધા

લઇ લે છે. નામ કઢીવાલે બાબા જ રહ્યું - પણ હવે કઢીની આજીવન બાધા લઇ લીધી. અને

ત્યાર બાદ જીવનમાં તેમણે ઘણી તપસ્યા કરી અને ચારિત્ર ધર્મ ખુબ જ સુંદર રીતે પસાર કરી

૭૨માં વર્ષે દેવલોક થયા.આપણને જીવનમાં દુઃખો કર્મના ઉદયે આવે છે. કર્મો

પાપાચરણના કારણે બંધાય છે. ધર્માચરણનાં માર્ગે વળો તો દુઃખો નાશ પામી જાય, સુખો

અવશ્ય હાજર થઇ જાય છે. પણ દુઃખની વાત એ છે કે દુઃખી જીવો ધર્મનો રાહ પકડતાં

નથી. ધર્મનો રાહ પકડાય જાયતો સહાય લેવાવાળો વર્ગ સહાય દેવાવાળો બની ગયા વિના

રહે નહીં. કોઇની સહાય પર નિર્ભર રહેવાની બદલે જો પુણ્યનું પ્રોડકશન ચાલુ કરી દેવામાં

આવે તો પગભેર થઇ જતાં વાર નહીં લાગે. ગુજરાતના એક કવિએ સરસ ગાયું છે કેઃ-અંતર

કે આયને કી જબ સફાઇ હો જાયેગી, બાદશાહી તો કયાં ખુદ ખુદાઇ મિલ જાયેગી. લોહી લેતા

ગ્રુપ ચેક કરાય છે. પૈસો લેતા જરાક પૈસો ચેક કરજો એ કયા ગ્રુપનો છે? કે હરામનો છે?

ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી આજે ઘરઘરમાં અશાંતિ, કલેશ, કંકાસ છે. હરામનો

પૈસો રાખશોતો જીમખાનાને,દવાખાના,કલબો અને બારમાં પૂરો થઇ જશે.ને તનેય પૂરો

કરી જશે. બેંક બેલેંસ વધે પણ જો ફેમીલી બેલેંસ ઓછું થાય તો સમજવું કે તે પૈસા આપણને

સૂટ નથી થતા ભઇલા ઢાળ નદીને પહેલાં સાગર તરફ વાળે છે અને અંતે સાગર બનાવી દે

છે તેમ પ્રેમ આત્માને પહેલાં પરમાત્મા તરફ વાળે અને અંતે પરમાત્મા બનાવી દે છે.

સમતાથી દર્દ સહું

સમતાથી દર્દ સહું, પ્રભુ! એવું બળ દેજો.મારી વિનંતી માનીને,મને આટલું ફળ દેજો..

કોઇ ભવમાં બાંધેલા, મારા કર્મો જાગ્યા છે.કાયાના દર્દ રૂપે મને પીડવા લાગ્યા છે.

આ જ્ઞાન રહે તાજું એવું સિંચન જળ દેજો. ..

દર્દોની આ પીડા, રોવાથી મટશે નહીંં. કલ્પાંત કરૂં તો પણ પીડા ઘટશે નહિ.

દુર્ધ્યાન નથી કરવું,એવું નિશ્ચય બળ દેજો.

આ કાયા અટકી છે નથી થાતાં દર્શન, ના જઇ શકુ સુણવાને, ગુરુની વાણી પાવન,

જિન મંદિરે જાવાનું ફરીને અંજળ દેજો. ઉપાશ્રયે જાવાનું ફરીને અંજળ દેજો

. નથી થાતી ધર્મ ક્રિયા,એનો રંજ ઘણો મનમાં,દિલડું તો દોડેે છે, પણ શકિત નથી તનમાં,

મારી હોંશ પૂરી થાયે, એવો શુભ અવસર દેજો.

છોને આ દર્દ વધે, હું મોત નહિ માંગુ,વળી છેલ્લા શ્વાસ સુધી, હું ધર્મ નહિં ત્યાગુ.

રહે ભાવ સમાધીનો એવી અંતિમપળ દેજો. .

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૭ બાવાજીની કફની

પેલા બાવાજીની કફની ને યાદ કરો. ઠંઠી ના દિવસો હતા. બાવાજી માત્ર લંગોટી બાંધીને

ઠંડીમાં પણ મજેથી દિવસ વિતાવતા હતા. એક દિવસ કોઇ ભકતે પોતાની સારી નવી કફની

બાવાજીને ભેંટ આપી. બાવાજી આમતો લંગોટી થી વધારે કોઇ ચીજને ઇચ્છતા ન હતા પણ

ઠંડીના દિવસો હતા ને ભકતનો આગ્રહ હતો ને એટલે કફની રાખી લીધી. એક દિવસ

બાવાજીએ કફનીમાં મોટું કાણું પડેલું જોયું. ચેલાને બોલાવીને પુછયું કે ગિરજાશંકર! યે

કફની કો કીસને કાટા? સ્વામીજી! લગતાં હૈ કિ ચૂહેને કાટા હોગા. કયોંકી આજકલ

આશ્રમમેં ચૂહે જયાદા નજર આતે હેં. અરે! બેટા ઐસે ચૂહે કફનીકો કાટતે રહેંગેતો

પહનેંગે કયા? ઇલાજ તુંહી દીખા! ગુરુદેવ! મેરે કો લગતા હેૈ કી આશ્રમમેં એક બીલ્લીકો

પાલના ચાહિયે. બીલ્લી રહેગી તો ચૂહા એકભી ન આયેગા. ઇસસે બહેેતર ઇલાજ કોઇ નહીં

હૈ.ઠીક હૈ બેટા ઐક બીલ્લી કો લે આઓ!લેકિન ગુરુજી!બીલ્લી ઐસીતો થોડી રહેગી ?ઇસકો

તો હરદમ દુધ પીલાના પડેગા. ઠીક હૈ દૂધકે લીયે એક ભકત કે ઘરસે ગૈયા માંગ કે લે

આઓ. ગુરુજી ગૈયાતો લે આઉંગા લેકીન ઉસકો ચરાનેકે લીયે, દોહનેકે લીયે એક ગ્વાલાભી

લાના પડેગા, અરે ચેલા ફીર તું કયા કામ કરેગા? ગુરુજી! સુનો! મૈ ગૈયાકી સેવામેં લગ

જાઉંગા તો આપકી સેવા કૌન કરેગા? આટા માંગને કૌન જાયેગા. ઠીક હે તો એક ગ્વાલે

કો ભી લે આઓ. અરે ગુરુ! ગ્વાલા ઐસે મુફતમેં થોડા રહેગા. ઉસકો ભી તનખા દેના

પડેગા. ખાનેકો દેના પડેગા. ઉસકા ઇંતજામ કહાસેં કરેંગે? ગુરુના ટેન્શનનો પાર ન રહ્યો

ગુરુએ કહ્યું કે યહ સબ મામલા કફની સે શુરૂ હુઆ હૈ જો કફની નહીં હોતી તો કોઇ પ્રોબ્લમ

નહીં થા. પૂરી જીંદગી લંગોટી પર રહે લેકીન યે કફનીને આકર હમારાં પૂરા સંન્યાસ હિલા

દિયા. ચેલા ખડા હો ઔર કફનીકો ઇધર લા. ચેલાએ કફની ગુરુના હાથમાં આપી. ગુરુ

ઉભા થયા અને સળગતા ચૂલામાં કફનીને સળગાવીને રાખ કરી નાખી. ચેલા, સુન, અબ

ઝંઝટ સમાપ્ત હો ગઇ. અબ ન ચૂહા આયેગા, ન બીલ્લી લાની પડેગી, ન ગૈયા લાની હૈ, ન

ગ્વાલા લાના હૈ, ન તનખા લાના હૈ, બસ આટા લાઓ, રોટી પકાઓ ઔર હરિ હરિ કરો.

શીતળતા આપે એ ધર્મ.

સાર્થકતા નામમાં નહિ પણ કામમાં છે.

સાધકની સાધના ને જોવા માટે સમ્યગ દ્રષ્ટિ જોઇએ અને એમાથી પ્રેરણા પામવા માટે સુવર્ણ

પાત્રતા જોઇએ.

મરણનું સ્મરણ રાખી જીવન વ્યવહાર કરે તે શુદ્વિના માર્ગે અગ્રેસર બન્યા વિના ન રહે.

ઉ ઠ્ઠથ્ત્ત્ટ્ટદ્દણ્થ્ત્ત્ ટ્ઠથ્દૃ ણ્ત્ત્ દ્દઢડ દ્દડત્ર્થ્ર્ત્ડ થ્ર્દ્રથ્ત્ર્થ્દ્દડદ્મ ટ્ટત્ત્થ્ત્ત્ધ્ત્ર્થ્દ્ધદ્મ ડ્ઢણ્દ્યણ્ત્ત્ડ્ઢ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૮ વગર વિચારે કયારેય કંઇ કામ કરવું નહીંં

વર્ધમાન ભાઇ નામના એક યુવાન સંસ્કારી શેઠ હતાં . લગ્ન લેવાયા બાદ ટૂંક સમયમાં જ

ભર જોબનવયમાં વેપાર માટે વિદેશના પ્રવાસે નીકળી પડયા. વિરાટ રસાલા સાથે તેઓ

દરિયાઇ પ્રવાસ કરતાં જતા હતા. માલની લે વેંચ કરતા જતા હતા. રાજા મહારાજાને મળતા

જતા હતા. આમ કરતાં કરતાં શેઠને સત્તર અઢાર વર્ષના વહાણાં વાઇ ગયાં. ન માલૂમ કે

શેઠને એકાએક વતનની મીઠી યાદ આવી ગઇ અને શેઠે રસાલાને પાછા ફરવાનો હુકમ કરી

દીધો. જોત-જોતામાં તો માર્ગ કપાઇ ગયો. વતનની મીટ્ટીની સુગંધ આવવા માંડી.

ઓળખીતા,પાળખીતા, જાણીતા મળવા લાગ્યા. રાત પડતાં શેઠ પોતાની હવેલીએ પહોંચ્યા.

એકાએક શેઠાણીના શયનખંડમાં પ્રવેશ કર્યોતો શેઠનો આત્મા કંપી ઉઠયો. તેમનાથી રહેવાયું

નહીંં. શેઠાણી જોડે એક જુવાન માણસ ગહેરી નીંદમાં સુતોે હતો. શેઠે તો કટાર ખેંચી કાઢી.

એક ઘા ને બે કટકા બંનેના કરી નાંખુ. કટાર ઉગામી જયાં હાથ વીંઝવા જતાં હતા ત્યાં

સામેની દિવાલ પર પોતાનો લખેલ શ્લોકઃ -- ’વગર વિચારે કયારેય કાંઇ કામ કરવું નહીંં

નજરે પડયો. શેઠે વિચાર કર્યો અત્યારે જ હવેલી ના કોટને તાળું મરાવી દઉં છું અને પહેરો

ગોઠવી દઉ છું સવાર પડે વાત. શેઠતો જુદા ખંડમાં જઇ સુઇ ગયા. વહાણું વાયું અને

શેઠાણીને શેઠના રાત્રિવેળાનાં શુભઆગમનના સમાચાર મળ્યા. શેઠાણી ઉભા થઇને પેલા

સુતેલા જણને ભેગો લઇને શેઠની સામે હાજર થયાં, પગે પડયાં અને પેલા ઉભેલા જુવાનને

કહ્યું કે આ તારા પરમ પૂજય પિતાશ્રી છે - પગે પડ. શેઠાણીએ કહ્યું કે લગ્ન બાદ તમો

પરદેશ જવા રવાના થયા ત્યારે મારા પેટે આ પંખીએ માળો બાંધી દીધો હતો. તમારી વિદાય

પછી સાત સાડા સાત મહીને આ પુત્રરત્નનો જન્મ થયો. આજે તમને પાછા વળતાં અઢાર

વર્ષનાં વહાણાં વાયાં એટલામાં તો પુત્ર જુવાનીમાં આવી ગયો. શેઠે નજર કરીતો ડીટ્ટો

શેઠની ઝેરોક્ષ કોપી જોઇલો. બાપ દિકરો ભેંટી પડયા. શેઠે મનોમન ગાંઠ વાળી લીધી કે કદી

વગર વિચાર્યે કોઇ કાર્ય કરવું નહીંં.

જેવું જીવ્યા એવું જીવાવાનું નથી.

જેટલું જીવ્યા એટલું જીવવાનું નથી.

માટે હે જીવ

રાગ દ્વેષ છોડી દે

ધર્મમાં મન જોડી દે.

પુષ્પને લીલું છમ રાખવા મૂળની માવજત કરો

સંબંધને લીલોછમ રાખવા સ્નેહની માવજત કરો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૯ સમ્રાટ સંપ્રતિ

સમ્રાટ સંપ્રતિ પૂર્વ જન્મમાં ભીખારીનો આત્મા હતો, કશુંજ ખાવા મળતું ન હતું. તેણે

ભિક્ષાચર્યાએ ભ્રમણ કરતાં જૈન મુનિઓ પાસે ભોજન યાચના કરી હતી. મુનિઓ તેને

ઉપાશ્રયે લઇ આવ્યા હતા. આચાર્ય સુહસ્તિસૂરી પાસે તેણે ભોજનની ભીખ માંગી ત્યારે

આચાર્યશ્રીએ તેને સમજાવ્યું કે, અમને જે ગૃહસ્થો ગોચરી આપે છે, તે અમને સંયમી,

સદાચારી, સુવ્રતી સાધુ સમજીને આપે છે, એટલે જે અમારા જેવા હોય તેને જ અમારે આ

ભિક્ષા દેવાય. બીજાને ન આપી શકાય. નહીંતર દાતારનો આધાર નષ્ટ થાય. ભૂખનો માર્યો

ભીખારી સાધુ બની ગયો. પેટ ભરીને તેને ખાવાનું મળ્યું. તેણે મન મૂકીને, મનગમતાં

ભોજન આરોગ્યાં. રાત પડતાં તેની તબિયત લથડી ગઇ. વ્યાધિએ ઉપાડો લીધો. આખો

ઉપાશ્રય ભકતોથી ઉભરાય ગયો. મોટ મોટા શેઠ આ નૂતન દીક્ષિત મુનીરાજની ચરણસેવા

કરવા લાગી ગયા. આ પ્રસંગે આ મુનિશ્રીના મનમાં થયું કે, સાલ્લુ! મેં તો ખાવા માટે દીક્ષા

લીધી હતી અને તેમ છતાં જુઓ તો ખરા કે આ વેશનો કેવો મહિમા છે! ગઇકાલે હું જેના

આંગણે ઉભો રહીને કટકો રોટલો આલજો ભા - ની બૂમો પાડતો હતો છતાં કોઇ સામે

જોતું ન હતું. તે બધાજ આજે મારી ચરણસેવા કરી રહ્યા છે. આ બધો પ્રભાવ સાધુ વેશનો

છે. આવો વેશમેં પેટ ભરવા લીધો? અર.રર. મારા જેવો બીજો કપાતર કોણ હશે?

આવો વેશ લઇને તો મારે આરાધના-સાધના કરી ને સ્વ પરનું કલ્યાણ સાધવું જોઇએ.

આવી ભાવના ભાવતા ભાવતા આ ભીખારી મુનિવરનો હંસલો ઉડી ગયો અને પીંજર પડી

રહ્યું. દેહાંત પામીને આ આત્મા સમ્રાટ સંપ્રતિ તરીકે પેદા થયો.પૂર્વભવમાં કરેલા શુભ

સંકલ્પોના બળે અખૂટ લક્ષ્મી આ આત્માના ચરણો ચાટવા લાગી. આ પૂણ્યશાળીએ

ભારતભરની ભવ્ય ભૂમિને જિનાલયો-દેવાલયોથી મંડિત કરી. સવા લાખ જિનમંદિરોના

નિર્માણ કરાવ્યા. સવા ક્રોડ જિનમૂર્તિઓ નિર્માણ કરાવી. અન્નશાળાઓ, દાનશાળાઓ

કરાવીને દીન-દુઃખીયાઓના દુઃખ દૂૂર કર્યા.

લઇ અવતાર માનવનો,ભલું તેં શું કર્યું પરંતુ?

કર્યા એ સુકૃતો સાચા, પ્રભુ તે પૂછશે તને.

ચ્ર્ઢડદ્રડ ણ્દ્મ ત્ત્થ્ ણૂત્ત્થ્દ્વત્ડઠ્ઠડ્ઢડ દ્વણ્દ્દઢથ્દ્ધદ્દ દ્રણ્ડ્ઢઢદ્દ ડ્ડટ્ટણ્દ્દઢ,

ગ્થ્ ઠથ્ત્ત્ઠ્ઠદ્ધઠદ્દ ણ્દ્મ થ્ર્થ્દ્મદ્મણ્ટ્ઠત્ડ દ્વણ્દ્દઢથ્દ્ધદ્દ ણૂત્ત્થ્દ્વત્ડઠ્ઠડ્ઢડ,

જણ્દ્દઢથ્દ્ધદ્દ ઠથ્ત્ત્ઠ્ઠદ્ધઠદ્દ, દ્દઢડદ્રડ ણ્દ્મ ત્ત્થ્ ત્ણ્ટ્ઠડદ્રટ્ટદ્દણ્થ્ત્ત્, :

જણ્દ્દઢથ્દ્ધદ્દ ત્ણ્ટ્ઠડદ્રટ્ટદ્દણ્થ્ત્ત્, ત્ત્થ્ ઠ્ઠડત્ણ્દ્યડદ્રટ્ટત્ત્ઠડ.

ચ્ર્ણ્દ્રદ્દઢટ્ટત્ત્ણૂટ્ટદ્ર ઉંઢટ્ટડ્ઢદ્વટ્ટત્ત્ ચ્દ્રણ્ ખ્ર્ટ્ટઢટ્ટદ્યણ્દ્ર ચ્દ્વટ્ટત્ર્ણ્.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૦ મહારાજા શ્રેણિક

ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશમાં રાજા શ્રેણિક રાજય કરતા હતા. શરૂશરૂમાં જ્ઞાન

ન હોવાને કારણે તેમને શિકાર કરવાનો ખાસ શોખ હતો. શિકાર કરવામાં તેમને મઝા

આવતી.એક દિવસ શ્રેણિક જંગલમાં શિકાર કરવા ગયા. તેમણે દૂરથી એક હરણી ને જોઇ.

તેમણે પોતાનો ઘોડો તે તરફ દોડાવ્યો. ધનુષ્ય પર બાણ ચડાવ્યું. ઘોડો દોડી રહ્યો છે હરણી

પણ દોડી રહી છે.બરાબર નિશાન તાકી શ્રેણિકે તીર છોડયું.તીર હરણીના પેટમાં ખૂંપી ગયું.

તેનું પેટ ફાટી ગયું. પેટમાંથી મરેલું બચ્ચું બહાર પડી ગયું. હરણી પણ મરી ગઇ.શ્રેણિક ઘોડા

ઉપરથી ઉતરીને મરેલી હરણી પાસે આવ્યો. દ્રશ્ય જોઇને એ ખૂબ જ ખુશ થયા.ગર્વ થી બોલ્યા

મારા એક જ તીરથી બબ્બે પશુ મરી ગયા! હરણી અને તેનું બચ્ચુ પણ! શિકાર આને

કહેવાય. શ્રેણિકનો આનંદ સમાતો નથી. હર્ષથી તે ઝૂમી ઉઠયા અને શ્રેણિક રાજાએ પહેલી

નારકી તરફ ગતિનું કર્મ બાંધી લીધું.

ત્યાર પછી શ્રેણિક રાજાને કાળક્રમે અને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાનના પરમ

ઉપાસક બન્યા. એક વાર ભગવાનને પોતાની ગતિ પૂછી. ભગવાન મહાવીરના પરિચયમાં

આવ્યા ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યુંઃ શ્રેણિક મરીને તું પહેલી નારકી જઇશ.શ્રેણિક ગભરાયા.

તે બોલ્યા : પ્રભુ! હું આપનો પરમ ભકત અને હું નરકે જઇશ? ભગવાને કહ્યું - શ્રેણિક! તે

શિકાર કરીને ખૂબ જ હર્ષ કર્યો હતો. આથી તારું પહેલી નરક ગતિનું આયુષ્ય બંધાઇ ગયું છે.

તારું એ પાપકર્મ નિકાચિત હતું. એ કર્મ ભોગવવું જ પડે.અમે પણ તે અન્યથે કરવા સમર્થ

નથી હે રાજન! આ તરફની વેદના તારે ભોગવવાની છે પણ તું જરા પણ ખેદ કરીશ નહીં

કારણ કે ભાવિ ચોવીશીમાં તું પદ્મનામ નામે પહેલો તીર્થંકર થઇશ.શ્રેણિક બોલ્યો કે હે નાથ!

એવો કોઇ ઉપાય છે કે જેથી અંધકૂપમાંથી આંધનાની જેમ મારી નરકમાંથી મારી રક્ષા થાય.

પ્રભુ બોલ્યા જો કપિલા દાસી પાસે જો હર્ષથી ભિક્ષા અપાવે અને જો કાળસૌરિકની પાસે

કસાઇનું કામ મુકાવે તો નરકથી તારો મોક્ષ થાય. તે સિવાય થાય તેમ નથી. આ ઉપદેશ

સાંભળી શ્રેણિક પોતાના સ્થાને ગયા.

પછી શ્રેણિકે ગામમાંથી કપિલાદાસીને બોલાવી અને તેની પાસે માંગણી કરી કે - હે ભદ્રેે!

તું સાધુઓને ભિક્ષા આપ. હું તને ધનની રાશિ આપીને ન્યાલ કરી દઇશ. કપિલા બોલી કે

મને સુવર્ણમય કરો અથવા મને મારી નાંખો તો પણ હું એ કૃત્યુ નહીં કરું. પછી રાજાએ

કાળસૌરિકને બોલાવીને પૂછયુ કે જો તું આ કસાઇપણું છોડી દે તો હું તને ઘણું દ્રવ્ય આપું.

કેમકે તું પણ ધનના લોભથી કસાઇ થયો છે. કાળસૌરિક બોલ્યો કે આ કસાઇના કામમાં

સો દોષ છે? જેનાથી અનેક મનુષ્યોના પેટ ભરાય છે એવા કસાઇના ધંધાને હું કદી છોડીશ

નહીં આ સાંભળી રાજા એ તેને એક રાત્રિ - દિવસ કૂવામાં પુરી રાખ્યો અને કહ્યું કે - હવે

તું કસાઇનો વ્યાપાર શી રીતે કરીશ?

પછી રાજા શ્રેણીકે ભગવંતની આગળ જઇ કહ્યું કે - હે સ્વામી! મેં કાળસૌરિકને એક રાત્રી

દિવસ સુધી કસાઇનું કામ છોડાવ્યું છે. પ્રભુ બોલ્યા કે- હે રાજન! તેણે અંધકૂપમાં પણ

કોલસાથી પાડા ચીતરી પાંચસો પાડા માર્યા છે. તત્કાળ શ્રેણિકે જઇને જોયું તો તે પ્રમાણે જ

હતું. એેટલે તેને ઘણું દુઃખ થયું કે - મારા પૂર્વકર્મને ધિક્કાર છે તેવા દુષ્કર્મના કારણે

ભગવાનની વાણી અન્યથા થશે નહીં..

કાળક્રમે શ્રેણિક રાજા વૃદ્ધ થયા. તેમના પુત્ર અભયકુમારે દીક્ષા લીધી. આથી લાગ સારો

મળ્યોે છે એમ સમજી શ્રેણિકના બીજા પુત્ર કૂણિકે પાતાના કાળ વગેરે દશ બંધુઓને એકઠા

કરી કહ્યુંઃપિતાવૃદ્ધ થયાતો પણ હજુ રાજય છોડતા નથી. આપણા જયેષ્ઠ બંધુ અભયકુમારને

ધન્ય છે કે જેણે યુવાન હોવા છતાં રાજલક્ષ્મી ને છોડી દીધી. પરંતુ આપણા વિષયાંધ પિતા

તો હજુ રાજય ભોગવતાં કાંઇ પણ જોતા જ નથી.માટે આજે એ પિતાને એકદમ દોરડાથી

બાંધી લઇને આપણેસમગ્ર રાજય ગ્રહણ કરીએ. આમ વિચારી તેણે પિતાને એકદમ દોરડાથી

બાંધી પીંજરામાં પૂરી દીધા. વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં. ઊલટો તે પાપી

કૂણિક પ્રતિદિન સવારે અને સાંજે સો સો ચાબુકના પ્રહારો મારતો. કૂણિક શ્રેણિકની પાસે

કોઇને જવા દેતો નહીં. ફકત માતા ચેલ્લણાને તે રોકી શકતો નહીં. રાણી ચેલ્લણા માથાના

વાળ સારી રીતે ધોઇ તેમાં પુષ્પનાં ગુચ્છાની જેમ અડદનો એક પિંડ ગોપવી લઇ જતી અને

શ્રેણિક તે દિવ્ય ભોજન સમજી ખાતો અને પ્રાણ રક્ષા કરતો.

કેટલાક વખતે માતા ચેલ્લણાના કેટલાક ખુલાસાથી કૂણિક ને સદબુદ્ધિ આવી અને ઓહ!

આવું અવિચારીત કાર્ય કરનારા એવા મને ધિક્કાર છે! હવે જેમ થાપણ રાખેલી સોંપે તેમ

મારા પિતાને રાજય પાછું આપી દઉં. આ પ્રમાણે અધુર્ં ભોજન કરેલ તેવી સ્થિતિમાં જ પુરું

ભોજન કરવાં ન રોકાતાં તરતજ પિતાને પહેરાવેલ લોખંડની બેડીઓ તોડવા એક લોહદંડ

ઉપાડી ને તે શ્રેણિકની પાસે જવા દોડયો.કૂણિકે શ્રેણિક પાસે રાખેલા પહેરેગીરો પૂર્વના

પરિચયથી શ્રેણિક પાસે દોડતાં આવ્યા અને કૂણિકને લોહદંડ સાથે આવતો જોઇને બોલ્યા,

અરે રાજન! સાક્ષાત યમરાજાની જેમ લોહદંડને ધારણ કરી તમારો પુત્ર ઉતાવળો આવે છે.

તે શું કરશે? તે કાંઇ અમે જાણતાં નથી.તે સાંભળી શ્રેણિકે વિચાર્યું કે આજે તો જરૂર મારા

પ્રાણ જ લેશે. કારણ કે આજ સુધી તો તે હાથમાં ચાબુક લઇને આવતો હતો અને આજે તે

લોહદંડ લઇને આવે છે. વળી હું જાણતો નથી કે તે મને કેવા સખત મારથી મારી નાંખશે!

માટે તે અહીં આવી પહોંચે તે પહેલા જ મારે જ મરણનું શરણ કરવું યોગ્ય છે. આવું વિચારી

તેને તત્કાળ તાળપુટ વિષ જીભ ઉપર મુકયું જેથી તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા.કૂણિક

નજદીક આવ્યો ત્યાંતો તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તેણે તત્કાળ છાતી ફૂટીને

પોકાર કર્યો કે, હે પિતા! હું આવા પાપકર્મથી આ પૃથ્વીમાં અદિદતિય પાપી થયો છું. વળી હું

જઇને પિતાને ખમાવું આવો મારો મનોરથ પણ પૂર્ણ થયો નહીં. તેથી હમણાંતો હું અતી

પાપી છું. પિતાજી! તમારા પ્રસાદનું વચનતો દૂર રહ્યું પણ મેં તમારું તિરસ્કાર ભરેલ વચન

પણ સાંભળ્યું નહીં. મને મોટું દુૃર્દ્વવ વચમાં આવી નડયું. હવે ગમે તેમ કરીને મારે મરવું તે જ

યોગ્ય છે. આ પ્રમાણે અતિ શોકમાં ગ્રસ્ત થયેલો કૂણિક મરવાને તૈયાર થયો.શ્રેણિકનો

આત્મા પહેલી નરકે ગયો. કાળ કરીને આવતી ચોવીસીમાં પહેલાં તીર્થંકર પદ્મનાભ થશે.

નવકારમંત્ર રોજ ગણો છો. પ્રથમ પદમાં પ્રથમ શબ્દ નમો આવે છે. અરિહંતાણં બોલતા પૂર્વે

નમો બોલવું પડે છે. પહેલા નમો એટલે નમસ્કાર કરો. નમસ્કાર કરવો એટલે અહંકારને કાઢી

મૂકવો. અહંકારને ઉભો રાખીને કરાતો નમસ્કાર એ માત્ર અભિનય છે, બહારનો દેખાવ છે.

અંદરમાં પ્રભુ પ્રત્યે બહુમાન પ્રગટે એટલે તરત અંતર ભીનું થઇ જશે. નમવાની ઇચ્છા જાગૃત

થશે.એવી ઇચ્છા જાગ્યા પછી થતો નમસ્કાર અહંકારને તોડી મૂકે છે. અહંકાર જાય અને

નમસ્કાર આવે. અંદરના અહં ને કોઇ પણ રીતે ભગાવો અને પ્રભુની શરણાગતિ સાચી

બનાવો. એ નિતાંત આવશ્યક છે.

ભગવાનનું મંદિેર એટલે સદબુદ્ધિના બીજ ને વાવવાનું ખેતર. બીજ વવાયેલું હોય એટલે એ

ઉગવાનું જ. જિનાલય ધ્યાનની સંપત્તિનું નિધાન છે.ભગવાનનો પ્રેમ એટલે આત્માનો

પ્રેમ.ભગવાનનો પ્રેમ એટલે ભગવાન સાથે એકમએક બની જવું. ભગવાનની જાણકારી એટલે

આત્માની જાણકારી.ઇશ્વર પ્રેમના માર્ગે જ મળે છે. પ્રેમ ક્ષમાના માર્ગે જ ટકી રહે છે અને

ક્ષમા,સામી વ્યકિતના ગલત વર્તાવને ભૂલી જવાના માર્ગે જ આપી શકાય છે.પ્રભૂ મને

ભૂલકણો બનાવી દો.

હકારાત્મક વલણ સમસ્યાને અડધી કરી નાખે છે.

પૈસા સાથે જીવન બરાબર છે, પૈસા માટે જીવન, પાગલતા છે.

કોને ખબર કયારે મળે, પાછો જનમ માનવતણો

માટે પ્રભુ ભકિત કરો, હજીએ સમય તમને ઘણો.

ચ્ર્ઢણ્દ્મ ણ્દ્મ દ્દઢડ દ્મદ્ધત્ર્ થ્ડ્ડ ઠ્ઠદ્ધદ્દધ્ઃ ઊંથ્ ત્ત્થ્દ્દ ઠ્ઠથ્ દ્દથ્ થ્દ્દઢડદ્રદ્મ દ્વઢટ્ટદ્દ દ્વથ્દ્ધત્ઠ્ઠ ઠટ્ટદ્ધદ્મડ થ્ર્ટ્ટણ્ત્ત્ ણ્ડ્ડ ઠ્ઠથ્ત્ત્ડ દ્દથ્ ધ્થ્દ્ધ. -

કણ્ત્ત્ઠ્ઠદ્ધણ્દ્મત્ર્.

જે પ્રભુના બની જાય તેને પોતાનું કંઇ રહેતું નથી.

જે કંઇ થાય છે પ્રભુ કૃપાથી -પ્રભાવથી થાય છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૧ સત્ય પાલન

ખંભાતમાં ભીમ નામનો શ્રાવક હતો. તે પૌષધવ્રતમાં બેઠેલો હતો. એજ રાત્રે એના ઘરે ઘાડ

પડી. યુવાન ચાર પુત્રોને લુંટી લીધા પછી ચોરોએ પુછયું કે બોલો! આથી વધારે કઇ મુડી

તમારી પાસે છે? પુત્રોએ કહ્યું કે બસ આટલીજ અમારી પાસે છે. લૂંટારા કહે કે જો તપાસ

કરતાં પાછળથી વધારે મળશે તો તમને જાનથી મારી નાંખશું. પુત્રોએ પોતાની વાત ન બદલી

પણ લૂંટારાઓ એ જયારે તેના બાપને પકડયો અને પૂછયું , સાચું બોલ! તારા દીકરાઓએ

જે આંકડો આપેલ છે, તે બરાબર છે? ત્યારે સત્યવ્રતને પાળનારા ભીમે કહ્યુંઃ ના! એમા

પુત્રોની ભૂલ છે,તેઓ કહેછે તેના કરતાં રકમ વધારે છે.બાપના સત્યવ્રત પર આફ્રીન થઇને

લૂંટારાઓએ થેલા નીચે મુકી દીધા અને બોલ્યા કે આવા નીતિમાનના ધનનું અપહરણ ન

કરાય. પુત્રના માથે મોત ભમતું હોવા છતાંય ભીમ શ્રાવકે સત્યવ્રતને ન ભાંગ્યું. તે ન જ

ભાંગ્યું.સાચું બોલો તમે દુકાનમાં ચીજનો ભાવ કરવામાં સત્યવ્રતને પાળો ખરા? એક

ચીજનો ભાવ કેટલી વાર બદલો છો? મામુલી લાભ ખાતર સત્યવ્રતપાલનનો કેટલો મોટો

લાભ જતો કરો છો?

ઉપદેશસાર ગ્રંથમાં એક વાત આવે છે. રાજાને એકવાર ગંધ આવી ગઇ કે ફલાણા શેઠ ને ત્યાં

૬૦ લાખ રૂપિયા છે.રાજાએ શેઠને બોલાવીને પૂછયું કે તારી પાસે સાઠ લાખ રૂપિયા છે તે

વાત સાચી છે! ત્યારે શેઠે કહ્યું કે આજે કોઇ જવાબ નહીં આપી શકું, પણ કાલે આપને

ગણીને ચોક્કસ જણાવીશ. બીજે દિવસે રાજદરબારમાં આવીને શેઠે કહ્યું કે રાજન! આપની

દયાથી મારી પાસે ચોરાસી લાખ રૂપિયા છે. શેઠની આ નીતિમત્તા પર ખુશ થઇને રાજાએ

સેવકોને કહ્યું : બીજા સોળ લાખ રૂપિયા લાઓ અને આ શેઠને ભેંટણું ધરો અને લખપતિના

બદલે તેમને કરોડપતિ જાહેર કરો. પૂૂર્વ આવા રાજાઓ અને આવી પ્રજા હતી. આજતો

ઇન્કમટેક્ષવાળાને ખબર પડે તો રેડ પાડે. રાજા અને પ્રજા બેય બદલાઇ ગયાં છે.

ખ્ટ્ટધ્ ત્ત્થ્દ્દ થ્ત્ત્ ટ્ટત્ત્ધ્ દ્મથ્દ્ધત્ ટ્ટ ત્થ્ટ્ટઠ્ઠ દ્દઢટ્ટદ્દ ધ્થ્દ્ધ દ્વથ્દ્ધત્ઠ્ઠ ત્ત્થ્દ્દ દ્વણ્દ્મઢ દ્દથ્ ટ્ઠડ ત્ટ્ટણ્ઠ્ઠ દ્ધથ્ર્થ્ત્ત્ ધ્થ્દ્ધ ટ્ટત્ત્ઠ્ઠ ઠ્ઠડદ્મણ્દ્રડ ત્ત્થ્દ્દ ડ્ડથ્દ્ર ટ્ટત્ત્ધ્થ્ત્ત્ડ દ્દઢડ દ્દઢણ્ત્ત્ડ્ઢદ્મ ધ્થ્દ્ધ દ્વથ્દ્ધત્ઠ્ઠ ત્ત્થ્દ્દ ઠ્ઠડદ્મણ્દ્રડ ડ્ડથ્દ્ર ધ્થ્દ્ધદ્રદ્મડત્ડ્ડ. ઉંટ્ટઢટ્ટ ણ્ - (ઘ્દ્રથ્થ્ર્ઢડદ્દ-ઉંટ્ટઢટ્ટદ્ધત્ત્ટ્ટઢ) ૠથ્દ્રડ્ઢણ્દ્યડત્ત્ડદ્મદ્મ ણ્દ્મ ટ્ટ દ્વથ્ત્ત્ઠ્ઠડદ્રડ્ડદ્ધત્ દ્દઢણ્ત્ત્ડ્ઢ દ્દથ્ ઙઋઊઋક્કજ્ઋ ટ્ટત્ત્ઠ્ઠ દ્દથ્ ક્ક્કજ્ઋ. ક્કદ્મ દ્દઢડદ્રડ દ્મથ્ત્ર્ડથ્ત્ત્ડ ણ્ત્ત્ ધ્થ્દ્ધદ્ર ત્ણ્ડ્ડડ દ્દઢટ્ટદ્દ ધ્થ્દ્ધ’દ્યડ ત્ત્ડદ્યડદ્ર ડ્ઢથ્દ્દદ્દડત્ત્ ટ્ટદ્રથ્દ્ધત્ત્ઠ્ઠ દ્દથ્ ડ્ડથ્દ્રડ્ઢણ્દ્યણ્ત્ત્ડ્ઢ, ડણ્દ્દઢડદ્ર ણ્ત્ત્ થ્ર્ડદ્રદ્મથ્ત્ત્ થ્દ્ર ણ્ત્ત્ ધ્થ્દ્ધદ્ર ઢડટ્ટદ્રદ્દ? ઊંથ્ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ દ્દઢણ્ત્ત્ડ્ઢદ્દઢડ દ્વડણ્ડ્ઢઢદ્દ થ્ડ્ડડ્ડ ધ્થ્દ્ધદ્ર દ્મઢથ્દ્ધત્ઠ્ઠડદ્રદ્મ ણ્દ્મ ણ્ત્ર્ત્ર્ડટ્ટદ્મદ્ધદ્રટ્ટટ્ઠત્ડ.

મારી આંખની બારીઓને અને મારા આત્માને જો કોઇએ ઉઘાડયા હોય,

તો તે મારી માતાએ.

માતાની મમતાથી મોટું કોઇ મયુરાસન માનવ જાત પાસે નથી.

અનુક્રમણિકા

વાાર્તા નં : ૪૨ મુનીશ્રી ઢંઢણકુમાર

ભગવાન નેમનાથસ્વામીના સમવસરણમાં શ્રીકૃષ્ણના પુત્ર, ઢંઢણારાણીના લાડકવાયા

ઢંઢંણકુમારે પ્રવજયા ગ્રહણ કરી. તેજ દિવસે તેઓએ પ્રતિજ્ઞા કરી કે,જયાં સુધી મને મારા

ભાગ્યોદયથી ભિક્ષા નહીં મળે ત્યાં સુધી કોઇના ભાગ્યથી મળેલી ભિક્ષા ગ્રહણ નહીં કરું.

આવી ભીષ્મ પ્રતિજ્ઞા ગ્રહણ કરીને તેઓશ્રી તપશ્ચર્યાના પારણે ગોચરીએ જવા નીકળ્યાંં પણ

પોતાનું લાભાન્તરાય કર્મ તેજ દિવસથી ઉદિત થયું હોવાથી ઘર ઘર ફરવા છતાં ભિક્ષા ન મળી

તેઓ રોજ રોજ ભિક્ષાર્થે ભ્રમણ કરતા પણ શુદ્ધ ભિક્ષા પ્રાપ્ત થતી ન હતી. કર્મનો પાવર

એટલો જોરદાર હતો કે, તેમને તો ભિક્ષા નહોતી મળતી પણ તેમની સાથે અન્ય કોઇ મુનિ

ભિક્ષાર્થે ગયા હોય તો તેમને પણ ભિક્ષા ન મળે. છ છ માસ સુધી ઉપવાસની આરાધના

ચાલી પણ પાવરફુલ કર્મ ટસ નું મસ ન થયું . સ્વભાગ્યોદયે ભિક્ષા ન મળી તે ન મળી

એકવાર મહારાજા શ્રીકૃષ્ણ રથારુઢ થઇને રાજમાર્ગેથી જઇ રહ્યા હતા. રસ્તામાં આ મુનીને

ભાવભરી વંદના કરી. પછી મુનીશ્રી રસ્તાની સામે વાળા કોઇ ઘરમાં પ્રવેશ્યા અને પેલા

સદગ્રહસ્થે મુનિરાજને સુગંધીદાર મોદક ભિક્ષામાં આપ્યા. મુનિશ્રીએ જાણ્યું કે આજે મારો

ભાગ્યોદય થયો લાગે છે,નહીંતર મને આ મોદક ન મળે. તેઓશ્રીએ પરમાત્મા

નેમીનાથસ્વામીજી પાસે જઇને પુછયું કે, હે ભગવંત! આજે મારું કર્મ ક્ષીણ થયું? આજે મારો

ભાગ્યોદય શરૂ થયો? આજે મને જે ભીક્ષા મળી તે મારા પુણ્યથી મળી કે અન્યના? બધા

સવાલોનો સામટો જવાબ આપતાં ભગવાન નેમનાથસ્વામી એ કહ્યું કે, ઢંઢંણ આજે જે લાભ

થયો છે, તે તારા ભાગ્યોદયથી નહીં પણ મહારાજા શ્રીકૃષ્ણના પુણ્યથી તને લાભ થયો છે.

ત્રિખંડાધીપતિએ તને વંદના કરી તેથી પેલા શ્રીમંતને મનમાં થયું કે ઓ. હો

હોધ્વારકાધીશ જેને વાંદે છે ,એ મુની કેવા મહાન હશે! એમ માનીને તને જે મળ્યું છે

એમા કારણ શ્રીકૃષ્ણ મહારાજ છે. તારું અંતરાય કર્મ હજી ક્ષીણ થયું નથી. મુનીશ્રીએ

જંગલની વાટ પકડી. મોદકને પેટમાં નાંખવાને બદલે તેમળે ધૂળમાં ચોળવા શરૂ કર્યા.

મોદકને તેઓ ધૂળમાં ચોળી રહ્યા હતા ત્યારે મનમાં વિચારી રહ્યા ં હતા કે,મેં પૂર્વમાં કેવું

ચીકણું કર્મ બાંધ્યું છે કે જે આજે પણ ક્ષીણ થયું નથી. અ રે રે .

મેં પૂર્વ ભવોમાં કેટલાના માર્ગમાં હું વિધ્નરૂપ થયો હોઇશ! હે સર્વ જીવો મને માફ કરજો!

હે પ્રભુ! આ પાપી જીવને આપના શરણમાં લેજો. અને વિશ્વમાં સર્વનું ભલું કરનારા

ભવ્યાત્માઓની સુકૃતોની ભલી ભલી અનુમોદના હોજો! આવી ભાવના ભાવતા ભાવતા,

લાડુ ચોળતા ચોળતા મુનિશ્રીએ લાભાન્તરાય સમેત આઠે આઠ કર્મો ને તત્કાળ ચોળી નાંખ્યા.

સર્વકર્મને ભસ્મસાત કરી,છેલ્લો શ્વાસ મૂકી આંખડી ઢાળી દીધી. નિશ્ચેેતન દેહડી જમીન પર

ઢળી પડી.મુનીરાજનો હંસલો કેવલ્યજ્ઞાન પામી અંતકૃતકેવલી બની મોક્ષને સંપ્રાપ્ત કરી ગયો.

પૂર્વભવમાં ઊપાર્જેેલ લાભાન્તરાય નામનું કર્મ અમને જો ભિક્ષા પણ ન મળવા દે તો તમને

લક્ષ્મી ન મળવા દે તેમાં શું આશ્ચર્ય છે? દાન આપતી વ્યકિતને જોઇ અંતરથી થાય કે આ

બહુ સારું કરે છે.આવો પરિણામ થાય તો લાભાંતરાયકર્મ તૂટે પણ તેવો પરિણામ ન થાય

અને ઇર્ષાનો પરિણામ થાય તો લાભાંતરાયકર્મ બંધાય.

જગતપૂજય,જગન્નાથ,જગત્પિતા,ભગવાન ઋષભદેવને પણ તેર તેર માસ સુધી અને પ્રભુ

વીરને છ છ માસ સુધી નકોરડા નિર્જલા ઉપવાસ કરવા પડયા હતા. તેમા પણ આ કર્મ જ

કારણ હતું.

આપણે પણ પૂર્વ ભવમાં આવું કર્મ - બીજાને લાભમાં પથ્થરો નાંખવાથી આ કર્મ બંંધાય છે.

કોઇ ને કાંઇક સુખ સંપ્રાપ્તિ મળવાના ચાંસ હતા પણ તમે વચ્ચે એવી કાંઇક આડખીલી

ઉભી કરી કે પેલો માણસ તે લાભથી વંચિત રહી ગયો. આવી રીતે કોઇના લાભમાં તમે

અંતરાયો નાંખવાનું જે કાર્ય કર્યુ હોય તેના દ્વારા તમારા આત્મામાં એવા એક કર્મનું

નવસર્જન થાય છે કે, તે કર્મ તમને થનારા લાભમાં આડું આવ્યા વિના રહે નહીં.

ઢંઢણમુનીનો આત્મા પૂર્વભવે બળદોને માલિકના ખેતરમાંથી સમયસર ભોજને છોડવાને

ભદલે થોડાં લેઇટ છોડતાં અને થોડી ઓવરડયુટી પોતાના ખેતરમાં પણ કરાવી લેતા. આવો

એક આહારમાં અંતરાય કરેલો તેના પરિણામે તેઓશ્રીને છ માસ સુધી ભિક્ષાનો લાભ ન

થયો. બહુ સાવધાની રાખી જીવન જીવવા જેવું છે. આજે ઓફીસોમાં સ્ટાફ પાસે તમે

ઓવરડયુટી કરાવો છો,પણ પછી વળતર તો આપતાજ નથી. તો કોઇકના લાભમાં અંતરાય

કર્મ પાડી રહ્યા છો . જેના દ્વારા તમને લાભાંન્તરાય નામનું કર્મ બંધાય છે.

ઘણાં લોકો પોતાના દુશ્મનને હેરાન કરવા વ્યાપારીયોેને ફોન કરી કહેતા હોય છે કે, આ

ચીટર છે. આની સાથે વ્યવહાર કરવા જેવો નથી . આને નોકરીએ રાખવા જેવો નથી .આતો

બદમાશ માણસ છે. આમ કરવાથી પહેલા માણસની રોજી રોટી રખડી પડતી હોય છે. આવા

કામ કરવાથી તમને લાભાંન્તરાયકર્મ નામનું કર્મ બંધાય છે.

આવીજ રીતે કોઇના ફલેટ કેંન્સલ કરાવી દેવા,કન્યાઓના વેવીશાળ તોડાવી નાંખવા,

જમીનોની ખરીદીમાં અંતરાયો નાંખવા, સોદાઓ કેંન્સલ કરાવી દેવા વગેરે દ્વારા સામે વાળી

પાર્ટીને થનારા લાભોમાં કંઇ અંતરાયો ઉભા કરવાના પ્રયત્નોથી જ આવું ખતરનાક કર્મ

બંધાય છે.જે તમને આ જન્મમાં, વ્યાપાર-ધંધામાં,વ્યવહારમાં ફાવવા ન દે,કંઇને કંઇ

મુશકેલીઓ ઉભી કર્યા જ કરે.

તમેજો આવી કંઇક મુશકેલીઓ અનુભવી હોયતો નિશ્ચયથી સમજશો કે,તમે પૂર્વે કોઇના

માર્ગમાં કાંટા વેર્યા છે અને કોઇના લાભમાં અંતરાયો ઉભા કર્યા છે. પથ્થરો નાંખ્યા છે, જેથી

તમને પગલે પગલે મુશકેલી નડયા કરે છે. આ કર્મનો વિનાશ કરવો હોયતો ન્યાયના મારગે

ચાલો-તો જ તમારા આ કર્મ છૂટે છે. તમારે કડો સંકલ્પ કરવો પડશે કે હવે ધંધામાં ખોટું

કરવું નથી. ખુબજ ન્યાય થી કાર્ય નવાં કર્મો બાંધ્યા વગર કરશો તો જ તમારો જુના

લાભાંન્તરાય કર્મ થી છૂટકો મળશે.સાધુ ન બની શકો તો સીધા તો બનો. અત્યાર સુધી

આપણે વાંકાજ ચાલ્યા છીએ. આત્માનો સ્વભાવ સીધા ચાલવાનો છે. પણ મોહ હોય ત્યાં

સુધી સીધા ચાલતા નથી. માટેજ કલ્યાણ થતું નથી. મનનો ભાવ આવો જોઇએ. સીધ્ધાચલ

કહે છે સીધા ચલ. એ યુવા ફાધર તેના દશ અને બાર વર્ષના બે સુપુત્રોને લઇને ઉપાશ્રયમાં

આવ્યા હતા.તેમને પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને મળવું

હતું.ગુરુદેવ આરામમાં હતા એટલે તેઓપંન્યાસ હેમરત્નવિજયજી મહારાજ સાહેબ પાસે

બેઠા. તેમણે પૂછયું કે શું કામ હતું? તેમણે કહ્યુંઃ આ બંને બાળકોને એક વર્ષ માટે રોજ

ઉકાળેલું પાણી,જિનપૂજા અને રાત્રિભોજન ત્યાગની પ્રતિજ્ઞા પૂ.ગુરુદેવશ્રીના શ્રીમુખલેવાનીે

છે. મેં કહ્યું એક વર્ષની શા માટે જીવનભરની જ અપાવોને?યુવાન પિતાશ્રીએ કહ્યું કે જન્મ

થયા પછી આજ સુધીમાં તો કયારેય રાત્રિભોજન કર્યુ નથી અને કરવાના પણ નથી. પરંતુ

પ્રતિજ્ઞા દર વર્ષૈ લેવડાવીએ છીએ. જન્મના ૪૦ દિવસ બાદ કરતાં આજસુધીમાં પૂજા વગરનો

એક પણ દિવસ ગયો નથી..નાના હતાં ત્યારે નવડાવી પૂજાના કપડાં પહેરાવી દેરાસરે લઇ

જતા. પ્રભુજીના જમણા અંગુઠે ફકત પૂજા કરાવી અને માથે એક તિલક કરાવીને તરતજ ઘરે

પાછા મોકલી દેતા એટલે કપડાં બગડવાના કે આશાતના થવાનો પ્રસંગ ન આવે. જન્મ પછી

કયારેય કાચું પાણી પીધું નથી. ગાજે છે, ગાજે છે, મહાવીરનું શાસન ગાજે છે. આજના કાળે

પણ આવા ઊજળા દૂધ જેવા રાજહંસ સમાં બાળકો જૈન સંઘમાં મોજુદ છે. આપણો સંઘઆવાં

રાજહંસોથી અને એને જન્મ દેનારાં માનસરોવર સમા માાતરથી ઊજળો છે.

કુટુંબના વડીલનું મૃત્યુ થાય-તમો નાણાંકીય રીતે સુખી છો-તમને ખબર છે તેમની ઇચ્છા એક

ચેરીટેબલ ટ્રસ્ટ કરવાની હતી. પણ સંજોગવશાત તે કામ થયું નથી. એટલે જો મૃતકની ઇચ્છા

ને પૂરી કરવાની તમારી ભાવના હોય તો તેમની જીવન વીમાની રકમ જે પણ વારસદારનેમળે

તે રકમ ના એકાવન ટકા રૂપીયાનું ચેરીટેબલ ટ્રસ્ટ કરશો તે મૃતકના આત્મા માટે અને તમારા

સર્વને પણ સારા કાર્યમાં રકમ વાપરવા આ ટ્રસ્ટ કાયમને માટે ઉપયોગી બનશે. સ્મરણાંજલી

સમજો કે જે કાંઇ પણ વિચારો - આ વિચાર અનુકુળતા હોય તો અમલમાં મુકશોજી. તમારા

જીવનમાં શુભ વિચારો આવશે -અને શુભ કાર્ય કરવાથી શુભ ફળ મળશે -જીવનમાં રાજયોગ

ટકશે અને ધર્મ માર્ગે - માનવ સેવા - જીવદયા જયાં પણ તમો મળેલ લક્ષ્મીનો સદુપયોગ

કરશો તો લાભ જ છે સરવાળે. સતકાર્ય - પુણ્યની બેંકમાં તમારું રોકાણ છ–વાવેતર છે.

પરભવનું ભાથું છે.

મળ્યો છે દેહ માનવીનો, જગતમાં ધૂપસળી થાજો,

સુગંધ અન્ય ને દેવા તમે જાતે બળી જાજો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૩ કુહાડી - ઝાડ કાપતાં તળાવમાં પડી જાય છે

આ વાર્તા પણ મારા દીકરા નીલેશે મને કહેલ છે. એક કઠિયારો હતો. રોજ જંગલમાં એક

તળાવ ને કિનારે ઝાડની ડાળી કાપી ગુજરાન ચલાવતો હતો. ઘરે એક પત્ની હતી. આમ

સુખે થી દિવસ પસાર થતાં હતાં. એક દિવસ કઠિયારાની કુહાડી તળાવમાં પડી ગઇ -

બીચારો મુંઝાઇ ગયો હવે લાકડાં કાપવાનં કેમ કામ થશે? ઘર કેમ ચાલશે? બીચારો

જોરજોરથી રોવા લાગ્યો - હે ભગવાન હવે મારું શુ થશે? કુદરતનું કરવું કે તે તળાવના દેવ

હતા તે પ્રગટ થયા. તેમણે કીધું કે શું કામ ભાઇ રોવો છે ?તમારી કુહાડી હું પાણીમાં જઇ ને

લઇ આવું છું. દેવ અંદર ગયા પાણીમાં અને એક સોનાની કુહાડી લાવ્યા. કઠિયારો ઇમાનદાર

હતો. તેણે કહ્યું આ મારી નથી.. દેવ પાછા અંદર ગયા હીરા-માણેક-મોતીની કુહાડી લાવ્યા.

આ પણ મારી નથી . દેવ હવે અંદર ગયા અને લોઢાની જે કઠિયારાની હતી તે કુહાડી લઇ

આવ્યા. તરતજ કઠિયારાએ કહ્યું કે આ મારી છે. દેવતા તો મનમાં ખુશ થઇ ગયા- આ તો

એકદમ ઇમાનદાર માણસ છે. એટલે રાજી થઇને ત્રણે કુહાડી કઠિયારાને આપી કહ્યું કે હવે

તું રાજા ની જેમ જીવજે.કઠિયારો ઘરે આવ્યો - મોટું મકાન બનાવ્યું નોકર- ચાકર વિગેરે

રાખી પોતાની પત્ની સાથે આનંદથી રહેવા લાગ્યો. પણ એક દિવસ એની પત્ની પુછે છે કે

આ બધું આવ્યું કેવી રીતે. કઠિયારાએ તો સાચી વાત કરી દીધી . હવે પત્ની જીદ પર આવી

ગઇ કે મને તે તળાવ બતાઓ. મારે જોવું જ છે. આખરે કઠિયારો તેની પત્ની ને લઇ તળાવ

પાસે આવે છે અને બધું બતાવે છે. ત્યાં કાંઇક પગ લપસ્યો ને કઠિયારાની પત્ની તળાવમાં

અંદર પડી ગઇ. ફરી પાછો કઠિયારો રોવે છે અને દેવ આવે છે - શુંં થયું? મારી પત્ની

તળાવમાં પડી ગઇ છે એને બચાવોે તો સારુંં. દેવ પાણીમાં જાય છે અને એક ખુબસુરત

દેખાવડી કન્યા લઇને બહાર આવે છે. કઠિયારો આ વખતે તરત જ હા પાડી ને તે બાઇને

સાથે લઇ જવા માંડે છે. દેવતાને મનમાં થયું કે આટલો ઇમાનદાર માણસ કેમ બદલાય

ગયો. એટલે એને ઉભો રાખેે છે અને કહે છે ભાઇ આ તો તારી પત્ની નથી તો પણ હા પાડી

ને કેમ લઇ જા છો? કઠિયારો જવાબ આપે છે સાહેબ આપની વાત સાચી-પણ આ વખતે

પણ તમો ત્રણ સ્ત્રીઓ લઇ આવો તો છેલ્લે તો બધી મને જ આપીદોને. અહીં એકને માંડ

માંડ સંભાળાય છે ત્યાં ત્રણ કેવી રીતે સાચવીશ? એટલે તમોએ પહેલા જે પત્ની આપી તે

લઇ ને હું જવા તૈયાર થઇ ગયો. બીજું કશું નથી. દેવતા સમજી ગયા કહે કે બસ હવે

શાંતિથી ધર્મધ્યાનના માર્ગે ચાલજે. આ પત્ની તને પુરો સહકાર આપશે.

કોને ખબર કયારે મળે, પાછો જનમ માનવતણો

માટે પ્રભુ ભકિત કરો, હજીએ સમય તમને ઘણો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૪ નંદીષેણ મુનિ

રાજગૃહી નગરીના શ્રેણિક મહારાજાનો પુત્ર નંદીષેણ, એક દિવસ મહાવીર સ્વામીની દેશણા

સાંભળી વૈરાગ્યની ભાવના થઇ દીક્ષા લેવા પ્રભુને વિનંતી કરી . ભગવાન મહાવીરે તેમને

થોભી જવા કહ્યું . હજુ તારે સંંસારના ભોગ ભોગવવાના બાકી છે. પણ તીવ્ર વૈરાગ્યનો રંગ

લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા લીધી. ભગવાને ભાવિ ભાવ જાણી તેમને દીક્ષા આપી.

શાસન દેવતાએ પણ દિવ્યધ્વનિ દ્વારા ચીમકી આપી કે સંસારી કર્મ ભોગવવા બાકી છે, કર્મ

કોઇને છોડતું નથી. પણ નંદીષેણે દીક્ષા લીધી અને તપ અને સંયમી જીવન ગાળતાં ઘણી

વિધાઓ પ્રાપ્ત કરી. ભગવાને ભાખેલું ખોટું પાડવા ઠીક ઠીક મથામણ કરી . છઠને પારણે

આયંબિલ અને પાછો છઠ એમ તપ આરંભ્યા. વિકાર છોડવા જંગલમાં રહેવા માંડયું. પણ

માંકડા જેવુંં મન વિકારી વિચારો છોડી ન શકયું. મન મનાવવા ખૂબ મથામણ કરી અને તે

આવા વિકારી મનથી હારી આપઘાત કરવાના વિચારે એક ટેકરી પર ચડી ભૂસ્કો મારી

આપઘાતની તૈયારી કરી. પણ ભૂસ્કો મારતાં પહેલાં આત્માનો ધક્કો લાગ્યો. આવું

આપઘાતનું પાપ કર્મ કેમ થાય? પ્રભુ મહાવીરનું નામ લજવાશે. આપઘાત ન જ થાય.

મનને વારી દીક્ષાના દિવસો પસાર કરતા રહ્યાં.

તેઓ એક દિવસ ગોચરી માટે નીકળ્યા અને એક અજાણ્યા આવાસમાં જઇ ચડયા. ધર્મલાભ

બોલી ગોચરીની જિજ્ઞાસા બતાવી . કર્મ સંજોગે એ આવાસ કોઇ ગૃહસ્થીનો ન હતો. એ તો

વેશ્યાનો આવાસ હતો. વેશ્યાએ ધર્મલાભ સામે જવાબ આપ્યો. અહીં ધર્મલાભનું કોઇ કામ

નથી. અહીં તો અર્થલાભ જોઇએ.નંદીષેણને પણ આ મહેણું લાગ્યું. લે તારે અર્થલાભ જોઇએ

છે ને - એમ કહી એક તરણુ ં હાથથી હલાવી સાડા બાર ક્રોડીની વર્ષા ઘરમાં કરી દીધી.

આવી વિધાવાળો જુવાન આંગણે આવેલો જાણી વેશ્યાએ પોતાના હાવ-ભાવ, ચંચળતા

દેખાડી મુનિને લોભાવી દીધા. મુનિ સાધુતા છોડી ગ્રહસ્થ બની ગયા- મનને મનાવ્યું ભાવિ

ભાવ સંસારના ભોગવવા બાકી છે. એ વીરવાણી ખરેખર સાચી જ હોય. ભોગ ભોગવી લેવા

રહ્યા . શાસન દેવે સંભળાવેલ ભોગ કર્મ ઉદયે આવ્યાં તેથી બાર વર્ષ સુધી આ આવાસે રહ્યા .

દરરોજ ૧૦ જણને પ્રતિબોધવાનો નિયમ રાખ્યો. જયાં સુધી ૧૦ જણા પ્રતિબોધી ન શકાય

ત્યાં સુધી ભોજન ન લેવાનો પાકો નિયમ.એક દિવસ ૯ જણ પ્રતિબોધ્યા પણ ૧૦મો જણ

કોઇ ન મળ્યો. જમવાનું મોડું થયે જતું હતું. એક મુરખને પ્રતિબોધવા ઘણી મહેનત કરી

પણ તે ન બૂજયો. આથી વેશ્યા વનિતાએ હસતાં હસતાં કહ્યું, નવતો થયા. દશમાં તમે, અને

નંદીષેણનો આત્મા પ્રજવલિત થઇ ગયો. હા દસમો હું. બધું છોડી ભગવાન પાસે ચાલી ફરી

દીક્ષા ગ્રહણ કરી. ચોખ્ખું ચારિત્ર પાળી, તપ, જપ-સંયમ ક્રિયા બધું સાધી, ઘણાં જીવ

પ્રતિબોધી દેવલોક ગયા.

અનુક્રમણિકા

વાર્તાઃ નંઃ૪૫ પ્રવૃત્તિ ઘણી બદલી હવે વૃત્તિને બદલીએ

પ્રવૃત્તિ ઘણી બદલી પણ વૃત્તિ તો એની એ જ રહી.. આ વાત બધાને લાગુ નથી પડતી.

એટલે ખાસ વિનંતી છે કે કોઇએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. હે સ્વામિન! આપનો

તપ સુખરુપ ચાલે છે ને? આપના શરીરમાં કોઇ પીડા નથી ને? આપની સંયમયાત્રા આપ

સુખરુપ વહન કરી રહ્યા છો? કેટલી મધુર અને લાગણીસભર આ પ્રશ્નોત્તરી છે. સુખતપ,

શરીર નિરાબાધ, સુખસંજમ જાત્રા નિર્વહો છો જી?શ્રાવકનું કાર્યતો સાધુની સંયમયાત્રા

સુખપૂર્વક નિરાધાબાદ વહેતી રહે તે માટે જરૂરી કાળજી કરવાની છે. સાધુની સંયમયાત્રાજ

ભ્રષ્ટ થાય એવું કાર્ય સાધુ પાસે શ્રાવક હરગીજ ન જ કરાવે - ન જ ઇચ્છે.

જીવનમાં સંયમનો સ્વીકાર કરવા દીક્ષા ગ્રહણ કરી . ઘરબાર, ધંધો-ધાપો મિત્રો સ્વજનો

છોડયા. પ્રવૃત્તિ તદન બદલાઇ ગઇ. પુત્ર-પુત્રી-પરિવાર હતાં, તેને સ્થાને શિષ્યો-

શિષ્યાઓનો પરિવાર. માનીતા ભકતોએ સ્વજનોનું સ્થાન લઇ લીધું. સંસારમાં હતાં ત્યારે

બંગલા-ફેકટરીનો નિર્માણ અને વિસ્તારની વાત હતી, હવે મંદિરો,સ્થાનકોના નિર્માણ અને

વિસ્તારની શૃંખલા શરૂ થઇ. પસંદગીના ધર્મસ્થાનકો ગમવા લાગ્યાં. ત્યાં વધુ રહેવાનું

આકર્ષણ થયું. ખાસ ભકતજનોનો સંગ વધ્યો. પ્રવૃત્તિ બદલાઇ પણ વૃતિ ના બદલાઇ.

વેપાર-ધંધોતો આપણા કુટુંબ-પરિવાર ના લાભ માટે કરતાં હોઇએ છીએ. જયારે સેવામાં

અન્યના કલ્યાણ અને માંગલ્યની ભાવના ભળેલી છે તેથી તેમા સ્વાર્થને બદલે પારમાર્થિક

ભાવના કેંદ્ર સ્થાને છે તેથી તે પ્રવૃત્તિમાં સત્વશીલતા છે.

જયારે સેવા, સંસ્થાના પદ પર મમત્વ જાગે ત્યારે એ મમકારં અહં ને પણ ખેંચી લાવશે અને

જેવી એ સંસ્થા અને તેના પદમા આસકિત જાગશે તેવી સત્વશીલતા ખતમ થઇ જશે. પ્રવૃત્તિ

સાત્વિકતાનો લોપ થશે. પહેલા મારાં કુટુંબ પર મારું શાસન ચાલતું હતું. કુટુંબના વડીલ

હોવાની સત્તાનો કેફ ગર્વ હતો. હવે સંસ્થામાં પદ અને સત્તા મળી છે. મારું ચાલે છે તેનો

મને ગર્વ છે. પહેલાં મારા પરિવારના સ્વજનો અને બંગલા પર મોહ આસકિત હતાં. હવે

સંસ્થાના મકાન, સહકાર્યકરો અને પદ પર આસકિત છે. સંસ્થામાં દાન કર્યું છે તો

ટ્રસ્ટીશીપતો મળવી જ જોઇએ ને. અહીં દાનતો થયું પણ ત્યાગ ન થયો. પ્રવૃત્તિ બદલાઇ પણ

વૃત્તિના બદલાઇ. દાનથી લક્ષ્મી-પરિગ્રહનું વિર્સજન તો થયું પણ ત્યાગ વિના દાનનું સાફલ્ય

અધુરું છે સારા-નિષ્ઠાવાન દાતાને સંસ્થા સામે ચાલીને ટ્રસ્ટીશીપ માટે આમંત્રણ આપે તે

સંસ્થાના હિતમાં છે. સંસ્થા સેવક કે દાતાનું સન્માન કરે કે તકતી લગાડે તે દાન કે સેવાનું

સન્માન છે.પરંતુ મેં સેવા કે દાન કર્યા પછી મારા હૈયામાં સન્માન,પદ કે શીલાલેખની

ભાવના શિલાલેખની જેમ કોતરાઇ જાયતો દાન દ્વારા પરિગ્રહ વિર્સજનની ભાવના

અધુરી છે.ત્યાગ વિનાનું સાફલ્ય નથી, માત્ર પ્રવૃત્તિ બદલવાથી કલ્યાણ નથી, વૃત્તિ પણ

બદલવી જોઇએ. જીવનની અંતિમ ક્ષણે ભગવાન મહાવીરે પોતાના પ્રિય શિષ્ય ગૌતમને દૂર

મોકલી અળગો કર્યો,અનાસકતભાવ ઉજાગર કરવાની ભાવનાથી પ્રભુએ આમ કર્યુંને તેના

પરિણામેજ ગણધર ગૌતમ કેવલ્યના અધિકારી બન્યા. એક મુનીની પ્રેરણાથી શિક્ષણ સંકુલની

સ્થાપના થઇ.મુનિના દસ વર્ષના પ્રચંડ પુરૂષાર્થ પ્રવૃત્તિ બાદ સંસ્થા એક આદર્શ સંસ્કારધામ

બની. કેટલીક સેૈધ્ધાંતિક વૃત્તિ બાબતોમાં સંચાલકો અને ટ્રસ્ટીઓ સાથે એ જૈન મુનિને

મનભેદ થયો. મુનિનુંઆર્ત્તધ્યાન જોઇ તેમના ગુરુએ કહ્યું કે આ સંસ્થામાં તું આસકત થયો

છે, તારું આર્ત્તધ્યાન, રોદ્રધ્યાન તરફ ઝડપથી જઇ રહ્યું છે. આ સંજોગોમાં તું મૃત્યુ પામેતો

આ શિક્ષણ સંકુલમાં સાપ તરીકે જ જન્મે. મુનિને ઝટકો લાગ્યો, પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિ

પર નિરિક્ષણ કર્યુ. આલોચના કરી. આખી રાતના મનોમંથન બાદ ચિત્તમાંથી પહેલા સંસ્થાને

અને તેના સંચાલકોને દૂર કર્યા.

વહેલી સવારે સંસ્થાના સ્થાનકમાંથી વિહાર કયૌ. મુનિની જાગૃત ચેતનાના સમ્યક

પરાક્રમે,અહીં પ્રવૃત્તિ સાથેવૃત્તિ બદલાઇ ગઇ. મુનિનું મહાભિનીષ્ક્રમણ નિજી સંયમ જીવનનો

મર્યાદા મહોત્સવ હતો. રાજા મહેલમાંથીતોે બહાર નીકળી ગયાં પરંતુ રાજામાંથી મહેલ

નહોતો ગયો. રાજામાંથી રાજર્ષિ થવું હોયતો પ્રવૃત્તિ સાથે વૃત્તિ બદલવી પડે.

પહેલા ધંધો કરતાં હતા. માત્ર ધંધો,વ્યવસાય. હવે એ પ્રવૃત્તિ બંધ કરી, સેવાની પ્રવૃત્તિ શરૂ

કરી. વૃત્તિ ધંધાની હતી એટલે સેવામાં ધંધો ભળી ગયો. ખબર ન પડે તેમ ધીરે ધીરે સેવાનું

વ્યાવસાયિકરણ થઇ ગયું અને ધીરે ધીરે સેવાનો ધંધો શરૂ થઇ ગયો.આશકિતના સંદર્ભે

આચાર્યર્ મહાપજ્ઞજીએ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. નગરમાં એક સંન્યાસી આવ્યા,

સંન્યાસીની જીવનચર્યા જોઇ રાજાએ સંન્યાસી બનવાનું નક્કી કર્યું. રાજ પાટ -વૈભવ છોડી

રાજા સંન્યાસી પાસે આવ્યા અનેે કહ્યું કે મને સન્યસ્ત દીક્ષા આપો.સંન્યાસીએ રાજાને દીક્ષા

આપી. રાજાતો જંગલમાં કુટિર બનાવી રહેવા લાગ્યા. રાજાને દીક્ષા આપનાર ગુરુ અન્યત્ર

ચાલી ગયા. સંન્યાસી બનેલા રાજા માત્ર કુટિરને વિશાળ બનાવે છે. વિવિધ વૃક્ષોના રંગીન

લાકડાઓની કલાકૃતિ બનાવી તેને શણગારે છે. વિવિધ રંગીન ફૂલો અને પર્ણોથી કુટિરના

વિશાળ આંગણામાં કેટલાક પશુપંખીને પાળે છે.એક વર્ષ પછી રાજાને દીક્ષા આપનાર

સન્યાસી ગુરુ તે જંગલના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતાં.રાજાએ ગુરુ સન્યાસીને પોતાની

કુટિરમાં પધારવા આમંત્રણ આપ્યું.રાજાએ કુટિર,આંગણું,પશુ-પંખી અને સુશોભનો બતાવી

પૂછયું - ગુરુજી મારી કુટિર કેવી લાગી? ગુરુજીએ કહ્યુંઃ કુટિરતો મહેલ જેવી સોહાય છે.

ગુરુ દ્વારા કુટિરના વખાણ સાંભળી સન્યસ્ત થયેલા રાજાના મુખ પર અહં અને ખુશીના ભાવ

જોઇ ગુરુ વિચારે છે. રાજા મહેલમાંથીતો બહાર નીકળી ગયા પણ રાજામાંથી મહેલ નથી

ગયો. ચિત્તમાં મહેલ મોજુદ છે. ગુરુ કહે છે - પહેલાં મહેલ અને રાજયના વિસ્તાર શણગાર

કરતાં હતાં હવે કુટિરનો. પહેલાં મહેલ, રાણી, કુંવરો, સેવકો પ્રત્યે મોહ હતો. હવે કુટિર,

ફુલ, ઝાડ-પાન, પશુ-પંખી પ્રત્યે મોહ આમાં પરિગ્રહ પ્રત્યેની આસકિત કેમ છૂટશે? પ્રવૃત્તિ

જરૂર બદલાઇ વૃત્તિ નથી બદલાઇ. રાજામાંથી રાજર્ષિ થવું હોય તો પ્રવૃત્તિ સાથેે વૃત્તિને

બદલવી પડશે. સંન્યાસી બનેલ રાજા પ્રમાદ અને મોહની નિદ્વાથી જાગૃત થયા તે પશુ-પંખી

ફૂલ-ઝાડ ને કુટિરનો ત્યાગ કરી અન્ય સ્થળે ચાલી ગયા.

પૂર્વ સંન્યાસી થવા સમગ્ર સામ્રાજયનો ત્યાગ કર્યો હતો તે ત્યાગ કરતાં જંગલની આ કુટિરનો

ત્યાગ મહાન હતો. કારણ આ ત્યાગમાં ચિત્તવૃતિમાંથી આસકિતનો ત્યાગ અભિપ્રેત હતો.

અહીં પ્રવૃત્તિની સાથે વૃત્તિ બદલાઇ હતી.કુટિરમાંથી અન્યત્ર જંગલ તરફ જતી સંન્યાસીની

યાત્રા અનાસકિતના માર્ગે ભકિતની યાત્રા હતી. એક કરોડ રૂપિયાનું દાન હજી કદાચ શકય

છે, માસખમણની તપશ્ચર્યા હજી કદાચ સરળ છે, જિંદગીભરના બ્રહ્મચર્યનો પડકાર ઝીલી

લેવામાં ય હજી કદાચ સફળતા મળી શકે છે પરંતુ બીજાના નાનકડા પણ ગુણ પાછળ પાગલ

બની જવા માટે મન તૈયાર થતું નથી. અન્યના નાનકડા પણ ગુણની પ્રશંસા કરવા માટે જીભ

તત્પર બની જવા તૈયાર થતી નથી.સંપત્તિ છૂટથી વાપરવા તૈયાર થઇ જતું મન અન્યના ગુણોના

દર્શને છૂટથી પ્રશંસાના શબ્દો વાપરવા તૈયાર થઇ જતું નથી. પ્રભુ! અહંકાર અમારો આટલો

બધો ભયંકર? સત્કાર્યો કરવા એ તૈયાર થઇ જાય પણ અન્યના સત્કાર્યો જોઇને એ રાજી થવા

તૈયાર ન થાય? આનો અર્થ તો એ જ થયો ને કે અમને અમે ગમીએ છીએ પણ સત્કાર્યો

નથી ગમતાં! એક વિનંતી છે પ્રભુ! અમને સ્વપ્રશંસા માટે જીભ તો લાંબી મળી જ છે,

પરગુણ પ્રશંસા માટે અમને તમો પહોળું હૃદય આપશોજી.

મારા જીવનમાં પ્રભુ પધારો

(રાગ- તુમકો દેખા તો એ ખયાલ)

મારા જીવનમાં નાથ આપ આવો, હેતની હૈલી પ્રભુ વરસાવો મારા

મારા મસ્તક પર આપ હાથ મુકો, શાંત થઇ જાયે મન ના તોફાનો હેત

આંગળી મારી પ્રભુજી પકડો, આપના માર્ગે મુજને લઇ જાઓહેત

કર્મના ઉદયો મુજને ઘેેરે છે, સાચી સમજણ બની તમે આવો

ભકિતના પુર પ્રભુ લઇ આવોમારા.

ચ્ર્ઢડ ક્રટ્ટણ્ત્ત્ ચ્ટ્ટઠ્ઠઢદ્ધદ્મ ત્ડટ્ટઠ્ઠ ટ્ટ ત્ણ્ડ્ડડ ડ્ડદ્ધત્ત્ થ્ડ્ડ થ્ર્દ્ધદ્રણ્દ્દધ્ દ્વઢણ્ઠઢ ણ્દ્મ થ્ર્દ્રટ્ટણ્દ્મડઠ્ઠ ટ્ઠધ્ ટ્ટત્ત્. કડ થ્ર્દ્રટ્ટઠદ્દણ્ઠડદ્મ દ્દઢડ જ્દ્રટ્ટદ્દટ્ટદ્મ ટ્ટત્ત્ઠ્ઠ દ્રણ્દ્દડદ્મ દ્મદ્દદ્રણ્ઠદ્દત્ધ્ ટ્ટત્ત્ઠ્ઠ દ્મઢથ્દ્વદ્મ દ્દથ્ દ્દઢડ દ્વથ્દ્રત્ઠ્ઠ દ્દઢડ દ્વટ્ટધ્ થ્ત્ત્ડ ઢટ્ટદ્મ દ્દથ્ ડ્ઢથ્ ણ્ત્ત્ થ્દ્રઠ્ઠડદ્ર દ્દથ્ દ્રડટ્ટત્ણ્દ્મડ દ્દઢડ દ્મથ્દ્ધત્ થ્દ્ર ટ્ટદ્દત્ર્ટ્ટ. ઋદ્યડત્ત્ દ્દઢડ ત્ણ્ડ્ડડ થ્ડ્ડ ટ્ટ ક્રટ્ટણ્ત્ત્ ઢથ્દ્ધદ્મડ ઢથ્ત્ઠ્ઠડદ્ર ણ્દ્મ દ્મથ્ દ્મણ્ત્ર્થ્ર્ત્ડ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડટ્ટદ્ધત્દ્દત્ડદ્મદ્મ દ્દઢટ્ટદ્દ ક્કત્ત્ઠ્ઠણ્ટ્ટ દ્મઢથ્દ્ધત્ઠ્ઠ ટ્ઠડ થ્ર્દ્રથ્દ્ધઠ્ઠ થ્ડ્ડ દ્દઢડત્ર્.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૬ શ્રી મેઘરથ રાજા

પૂર્વ મહાવિદેહમાં પુંડરીકણી નગરીમાં ધનરથ રાજા હતા. તેમને પ્રિયમતી નામની સખી

હતી.તેમને ત્યાં મેઘરથકુમારનો જન્મ થયો. સમય થતાં પિતાએ મેઘરથને રાજય સોંપ્યું.

મેઘરથ રુડી રીતે જૈન ધર્મ પાળતા હતા. એક દિવસ મેઘરથરાજા પૌષધશાળામાં પૌષધ

અંગીકાર કરી ભગવંત ભાષિત ધર્મનું સ્વાધ્યાય કરતા હતાં. તે વખતે ભયથી કંપતું અને

મરણોન્મુખ હોય તેમ દીનદ્દષ્ટિ ફેરવતું એક પારેવડું તેમના ખોળામાં આવી પડયું અને તેણે

મનુષ્ય જેવી ભાષાથી અભયની માગણી કરી.. એટલે કરૂણાના સાગર જેવા રાજાએ - ભય

પામીશ નહીં એવું આશ્વાસન આપ્યું.થોડી વારે હે રાજન,એ મારું ભક્ષ્ય છે માટે સત્વર મને

સોંપી દો એ પ્રમાણે કહેતું એક બાજપક્ષી ત્યાંઆવ્યું. એટલે રાજાએ કહ્યું કે તને આ પારેવડું

હું આપીશ નહીં - તેે મારે શરણે આવ્યું છે અને શરણાર્થીનો જીવ બચાવવોએ ક્ષત્રીયધર્મ છે

અનેઆવા પ્રાણીનેમારીખાવું એ તારાજેવાબુદ્ધિમાનને શોભતું નથી. તારા શરીર ઉપરથી એક

પીછું ઉખેડીએ તો તને કેવી પીડા થાય,તેવી પીડા બીજાનપણ થાય.પણ કોઇનેમારીનાંખવાથી

તેને કેટલી પીડા થાય એ તું કેમ વિચારતો નથી? વળી આવી જીવની હિંસા કરી તારું પેટ ભરે

તેથી નરકે જવાનું તું પાપ કરે છે એ તો વિચાર. ત્યારે બાજ પક્ષીએ કહ્યું, તમે આ પારેવડાંનું

રક્ષણ કરો છો તો મારો વિચાર કેમ કરતાં નથી. હું પણ ભૂખથી પીડાઉં છું. આથી મારા પ્રાણ

ચાલ્યા જશે. માંસ એજ મારો ખોરાક છે. મને તાજુ માંસ તમો આપશો! રાજા પોતાના દેહનું

માંસ કાઢી આપવા તૈયાર થયા અને પારેવાના વજન જેટલુંં માંસઆપવાત્રાજવુંમંગાવીએક

તરફ પારેવડાંને બેસાડી પોતાના શરીરમાંથી માંસ કાપી કાપી ને મૂકવા લાગ્યા. માંસશરીર

કાપતા જ જાય પણ પારેવડાંના તોલ કરતાં ઓછું જ તોલમાં થાય.છેવટે પોતાનું આખુંશરીર

ત્રાજવાના બીજા પલ્લામાં મૂકી પારેવડા બરાબર વજન કર્યુ તે જોઇ સર્વ પરિવારે હાહાકાર

કરી. સામંત, અમાત્ય બીજા મિત્રોએ રાજાને કહ્યું કે અરે પ્રભુ, અમારા અભાગ્યે તમે શું કરો

છો? આ શરીર વડે તો તમારે બધી પૃથ્વીનું રક્ષણ કરવાનું છે માટે શરીરનો ત્યાગ કેમ કરો

છો? આ તો કોઇ માયાવીપંખી લાગે છે કારણકેપંખીનો આટલો બધો ભાર સંભવે નહીં..

આમ પરિવાર અને નગરજનો વગેરે કહેતા હતા ત્યારે મુગટ,કુંડળ તથા માળા ધારેલ કોઇ

દેવતા જાણે તેજનો કોઇ રાશિ હોય તેમ પ્રગટ થયા ને બોલ્યા, હે નૃપતિ! તમો ખરેખર

મેરુપર્વત જેવા છો. સ્વસ્થાનથી જરાયે ચળિત થયા નહીં. ઇશાનેંદ્ર તમારી પરીક્ષા કરવા

આવ્યા હતા. અમારો આ અપરાધ ક્ષમા કરો.એ પ્રમાણે કહી રાજાને સાજામાજા કર્યા. ત્યાર

બાદ મેઘરથ રાજાએ સંયમ લીધો અને વિશસ્થાનકનું વિધિપૂર્વક તપ કરી તીર્થંકરગોત્ર બાંધી

એક લાખ પૂર્વ પૂર્વનું આયુષ્ય ભોગવી તેમના બારમા ભવે અિઅચરાજીની કુખે અવતરી શ્રી

શાંતીનાથ નામે સેળમાં તીર્થંકર થયા.

અનુક્રમણિકા

વાર્તા નં :૪૭ કુબેરદત્તા

મથુરાનગરીમાં એક પ્રસિદ્વ વૈશ્યા રહે.રૂપવાન અને વૈભવશાળી. નામ એનું કુબેરસેના. કર્મ

યોગે એક વાર એનેેગર્ભ રહ્યો.વેશ્યાગૃહની માલીકણ બાઇએ ગર્ભ પડાવી નાંખવા કહ્યું.

કુબેરસેના સંમત ન થઇ. બાળકનો જન્મ થતાં શું કરવું એ જોઇશું એમ જણાવી ગર્ભ ન

પડાવ્યો.નવ મહિના પૂરા થતાં કુબેરસેનાને જોડકું જનમ્યું. એક પુત્ર અને એક પુત્રી.

માલીકણ બાઇ તો પાછળ પડી હતી. તેને આ કુટણખાનામાં નાનાં બાળક હોય તે ન પોષાય

એવી સમજથી બન્ને બાળકોને એક કપડું વીંટી, વીટી તેમના નામની પહેરાવી પેટીમાં પૂરી,

પેટી યમુના નદીમાં વહેતી મૂકી દીધી . પેટી તણાતી તણાતી શૌરીપુરી નગરીના કાંઠે આવી

કોક બે જણે પેટી જોઇ નદીમાંથી બહાર કાઢી.પેટી ઉઘાડી અને બે બાળકો એમા જોયાં. બન્ને

રાજી થયા. જરૂર પ્રમાણે એક ભાઇએ બાળક અને બીજાએ બાળકી રાખી લીધી.. બાળકની

આંગળીએ વીંટી હતી તેનું નામ કુબેરદત્ત લખેલ.બાળકીની આંગળીએ વીંટીમાં નામ

કુબેરદત્તા લખેલ. તે પ્રમાણે એનું નામ રાખ્યું. બન્ને વયસ્ક થયાં. એક બીજાને ઓળખતાં

નથી. મા બાપે લગ્ન લીધાં અને કર્મ સંજોગે ભાઇ-બહેન પતિ-પત્ની બન્યાં. એકવાર બન્ને

સોગઠાંબાજી રમતાં હતાં. ત્યાં કુબેરદત્તની વીંટી ઉછળીને કુબેરદત્તાના ખોળામાં પડી.

કુબેરદત્તા વીંટી જોઇ વિચારમાં પડી. બન્નેની વીંટી એક જેવી જ છે. એક જ કારીગરે ઘડી

લાગે છે. બન્ને એક સાથેજ બની હોય તેવું દેખાય છે. બરાબર ધારીને જોઇતો અમારાં

બન્નેના રૂપ અને આકૃતિ બધું જ સરખું લાગે છે. શું અમે બન્ને ભાઇ-બહેનતો નહીં હોઇએ!

બન્નેએ પોતાનાં મા-બાપ ને પૂછયું ત્યારે ખુલાસો થયો. તેમણે કહ્યું કે તમે બન્ને એક

પેટીમાંથી નીકળ્યા હતાં.કુબેરદત્તા સમજી ગઇ કે આ મારો સગો ભાઇ છે. ભાઇ સાથે લગ્ન

કર્યા એ ઠીક ન કર્યું. ખૂબ પશ્ચાતાપ થયો અને વૈરાગ્ય થયો. પરિણામેે પાપો ધોવા માટે

કુબેરદત્તા દીક્ષા લઇ સાધ્વી બની. તપ, જપ કરીને આત્મસાધના કરવા લાગી.

કુબેરદત્તને પણ ખબર પડી કે મેં બહેન સાથે લગ્ન કર્યા છે. હવે આ નગરીમાં શું મોઢું

બતાવવું! તેથી મા-બાપની આજ્ઞા લઇ તે પરદેશ ગયો. ભાગ્યયોગે ફરતાં ફરતાં તે

મથુરાનગરીમાં જ આવી ચઢયો અને કુબેરસેના વેશ્યાને ત્યાં રહ્યો. કુબેરસેના તેની સગીમા

હતી, તે તે જાણતો ન હતો. અજાણતાં પણ સગીમા સાથે ભોગ ભોગવ્યા. વિલાસમાં

કેટલોક કાળ પસાર થયો અને કુબેરસેનાએ એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનો પિતા

કુબેરદત્ત જ હતો.

બીજી બાજુ કુબેરદત્તા જેણે દીક્ષા લીધી હતી. તેને અવધિજ્ઞાન થયું. તેણે જ્ઞાન દ્વારા જોયું કે

ભાઇ કયાં છે! જોતાંજ ભયંકર દુઃખ થયું.અરેરે!મારો ભાઇ તેની સગીમા સાથે ભોગવિલાસ

કરે છે. કર્મની ગતી ન્યારી છે. મારો આત્મા સાદ પાડે છે સમજાવ માતાને - ભાઇને.

કુબેરદત્તા સાધ્વી આકરો વિહાર કરતાં કરતાં મથુરા પધાર્યા. ભાઇને અને માતાને પ્રતિ

બોધ કરવા માટે બાળકને પારણે ઝુલાવતાં ૧૮ પ્રકારની સગાઇ ગાઇ સંભળાવી. વત્સ ! તું

રડે છે શું કામ? તું તો મારો ભાઇ થાય છે કારણ કે આપણા બંનેની માતા એક જ છે. તું

મારો પુત્ર પણ થાય છે કારણ કે તું મારા પતિનો પણ પુત્ર છે. તું મારો દિયર પણ થાય છે

કારણકે તું મારા પતિનો નાનો ભાઇ પણ છે. તું મારો ભત્રીજો પણ થાય છે કારણ કે તું

મારા ભાઇનો પુત્ર પણ છે. તું મારો કાકો પણ થાય છે કારણ કે તું મારી માતાના પતિનો

ભાઇ પણ છે અને તું મારા પુત્રનો પુત્ર પણ છે કારણ કે મારી સપત્ની કુબેરસેનાના પુત્ર

કુબેરદત્તનો તું પુત્ર છે.

વળી તારા પિતા સાથે મારે છ સંબંધ છે. તારો પિતા એ મારો ભાઇ છે કારણ કે અમારા

બંનેની માતા એક જ છે. તારો પિતા એ મારો પણ પિતા છે કારણ કે તે મારી માતાનો

પતિ છે. તારો પિતા તે મારો પિતામહ છે કારણકે મારી માતા કુબેરસેનાના પતિ

કુબેરદત્તનો તું અનુજબંધુ છે તેથી કાકો અને તેના પિતા કુબેરદત્ત તેથી વૃદ્ધ પિતા થાય છે.

તારો પિતા તે મારો સ્વામી છે કારણ કે તેની સાથે મારા વિવાહ થયા છે. તું મારો પુત્ર

પણ છે કારણકે તુ મારી શોકયનો પુત્ર છે. વળી, તારા પિતા તે મારા સસરા પણ થાય છે

કારણકે તે મારા દિયરના પિતા છે.

વળી તારી માતા સાથે પણ મારે છ સંબંધ છે. તારી માતા તે મારી પણ માતા છે કારણ કે

મારો જન્મ એની કુખે થયો છે. તારી માતા તે મારી પિતામહી થાય છે કારણ કે તે મારા

કાકાની માતા છે. તારી માતા તે મારી ભોજાઇ થાય છે કારણ કે તે મારા ભાઇની સ્ત્રી છે.

તારી માતા તે મારી પુત્રવધૂ પણ છે કારણ કે મારી શોકયના પુત્ર કુબેરદત્તની તે સ્ત્રી થાય

છે. તારી માતા મારી સાસુ પણ છે કારણ કે તે મારા પતિની માતા છે. તારી માતા તે મારી

શોકય પણ છે કારણ કે તે મારા પતિની બીજી સ્ત્રી છે. કુબેરદત્તને-સંસારીપણાના ભાઇને

તથા કુબેરસેના-સંસારીપણાની કુબેરદત્તાની માતાને ભાન થયું કે સગા મા-દીકરાએ

ભોગવિલાસ કર્યો છે. પાપનો ભયંકર પશ્ચાતાપ બન્નેને થયો. બન્નેએ દીક્ષા લીધી.

જ્ઞાનની ઉપાસનામાં તથા તપ-જપ કરતાં રહ્યા અને ત્રણે જણે પોતાના આત્માનો ઉધ્ધાર

કર્યો. આનું નામ સંસાર છે -કોઇ પણ સંબંધ સ્થિર નહીં. .

સંપત્તિ એ વિલાસની અને આળસની માતા છે.

તો ગરીબાઇ એ ક્ષુદ્રતા અને દુર્ગુણની માતા છે.

બંનેમાંથી અસંતોષ જન્મે છે.

આંખ માનવીના અંતરની આરસી છે

જીભ માનવીના વ્યવહારની આરસી છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૮ ધન્ય તને પુણિયા

રાજગૃહીમાં એક શ્રાવક વસે,નામે પુણિયો. શ્રમણશ્રેષ્ટ વર્ધમાનસ્વામી પણ તેમના

ધર્મપ્રવચનમાં પુણિયાની પ્રશંસા કરે. પુણીયાની શ્રીમંતાઇનો પાર નહીં. વૈભવ એના ગૃહ

આંગણે આળોટે. એકદા મહાવીર સ્વામી રાજગૃહીમાં અચાનક આવ્યા.પુણિયો વંદન કરવા

ગયો ને સવિવેક કહ્યુંઃ પ્રભુ! આપે આ નગરી અણધારી પાવન કરીઃ અમે ધન્ય થયા!

ભગવાન મહાવીરે નેહનીતરતાં તેની સામે જોયું - પુણિયા આજે તો ચિંતા થઇ ગઇ. શાની,

પ્રભો! તારી! મારી ? પુણિયાના શબ્દોમાં આશ્ચર્ય અવતર્યું.હા, તારી પાસે અપાર લક્ષ્મી છે.

એમા તું આસકત થઇને ડૂબી જઇશ તો દુર્ગતિ દૂર નહીં હોયઃ ઓહ! એવું કેમ બનવા

દેવાય?ન જ બનવા દેવાય! પુણિયાએ તત્ક્ષણ હાથ જોડયાઃપ્રભો! જે કાંઇ મારી સંપત્તિ છે,

તેમાં રહેવા માટે ઘર, સૂવા સંથારો, જરૂરી સામગ્રી સિવાયની તમામ સંપત્તિનો આજથી

ત્યાગ! પ્રભુ, આસકિત મારામાં પ્રવેશે તે પૂર્વે જ તેનો ત્યાગ કરવો વધુ સારો નહીં ? હું

આજથી પ્રતિજ્ઞાબધ્દ્ય થાઉં છું સમગ્ર રાજગૃહીએ આ જાણ્યું ત્યારે સૌએ પ્રશંસાના ફૂલ

વરસાવ્યા. એ પળથી પુણિયાનું જીવન જ પલટાઇ ગયું. જયાં સંપત્તિ રમતી હતી, ત્યાં સાદગી

આવીઃ જયાં વૈભવ રમતો હતો, ત્યાં વિરાગ આવ્યો : જયાં ઐશ્વર્ય રમતું હતું, ત્યાં સભ્યતા

આવી! જાણે સંસ્કારે ત્યાં નિવાસ કર્યો! રાજગૃહીનાં આંગણે એક સંસ્કારવંતા જીવનનાં

દર્શન લાધ્યાં. પુણિયો હવે રોજના સાડા બાર દોકડા કમાતો! સાદાઇથી રહે,એક દિન ખુદ

ઉપવાસી રહેનેઅતિથિસત્કાર કરે, બીજે દિવસે પત્ની ઉપવાસ કરે અને અતિથિને આવકારે.

અતિથિવિહોણો દિવસ ન જાય. એ કહે. તિથિ જોયા વિના આવે તે અતિથિ, તેને સત્કારી

શકુ તો જીવન સફળ લાગે. સમય વિતે છે. વ્રતભર્યા જીવનનાં તેજ પુણિયાના મુખ પર ચમકે

છે. એક દિવસની વાત છે. પુણિયા શ્રાવકને ત્યાં અતિથિ આવ્યા છે. અનોખો એ અતિથિ છે,

અનોખી છે એમની વાતો. વિધાસિદ્ધ પુરુષ છે એ.ચર્તુદશીનો દિવસ છે. પુણિયાનો ઉપવાસ

છે. આંગણે આવેલા અતિથિનો અદ્દભૂત સત્કાર કર્યો છે, ભાવથી સાધર્મિક ભકિત કરી છે.

આંગતુક મહેમાને ચોપાસ નજર ઘુમાવી, ઘરમાં માટીનું લીંપણ છે, સ્વચ્છતા છે, જરૂરી થાળી

-વાટકા છે, બીજું કંઇ જ નથી! પુણિયાના અને તેની પત્નીના મુખ પર સંતોષનાં તેજ છે!

સિદ્વ પુરુષનું મન ધન્યતા વરસાવી રહ્યુુંઃ વાહ, પુણિયા! તેં કમાલ કરી! દુનિયા ધનથી જીતે

છે તું વ્રતથી જીત્યો. બહારથી તારી પાસે કંઇ દેખાતું નથી પણ હૃદયથી તું કેટલો ભરપૂર છે!

આવી સ્થિતિમાંય જમાડીને જમે છે, ઉપવાસ કરીને સ્વાગત કરે છે! વાહ! સિદ્વપુરુષનું મન

અહોભાવથી છલકતું હતુંઃ એમણે નિશ્ચય કર્યોઃ મારી પાસે સાધન છે, સિદ્વિની શકિત છે,તો

પુણિયાને પુનઃ ધનવાન બનાવવો! સંધ્યા ઢળી. પુર્ણિમાની રાત પ્રારંભાઇ. પુણિયાને પ્રગાઢ

નિદ્વા આવી ગઇ. ધર્મના શરણે ગયા પછી સંસારની કલુષિતતાનો જાણે સ્પર્શ જનહોતારહ્યો!

સિદ્વ પુરુષે મધ્યરાતે રસોડામાં જઇને એક તુચ્છ તપેલી હાથમાં લીધી, પોતાની ઝોળીમાંથી

મણિ કાઢયો ને તપેલીને સ્પર્શ કરાવ્યોઃ તપેલી સોનાની બની ગઇ!પ્રાતઃકાળ થયો,કૂકડો

બોલ્યો ત્યારે અતિથિ આગળ ચાલ્યા ગયા, પુનઃ કદીક આવવાનું વચન આપીને!પુણિયાએ

સવારમાં જોયુંતો તપેલી, જે પોતાની હતી,તે જ ન મળે! તેની જગ્યાએ સાવ સોનાનીતપેલી

ગવાક્ષમાંથી વહી આવતાં સુર્ય કિરણો તેને વધુ ચમકાવતાં હતાં. પુણિયાનેક્ષણેકવાર આ શું

છે તે ન સમજાયું,પણ પછી અતિથિનું આ કાર્ય છે ત્યારે તેણે નિશ્વાસનાંખ્યોઃઅતિથિએ આ

તો અનર્થ સર્જયોઃ આ તપેલી તેમણે સોનાની બનાવી આપી,પણ મારે નવી આણવીકયાંથી?

અને,સુવર્ણનું મને શું કામ છે? જે હતું તેય પ્રભુના વચને ત્યાગયું. આ અણહકનું મને ન

જોઇએ! પ્રભુ કહેતા હતા કે અણહકના ધનની કિંમત ધૂળ જેટલીય નથી! પુણિયાના હાથમાં

રહેલી સોનાની તપેલી ચમકતી હતી, આંખમાં રહેલું ઝાકળના બિંદુ જેવું આંસુપણ!પળવાર

માંં તેણે નિશ્ચય કર્યોઃ એક જીર્ણ વસ્ત્રમાં તપેલી વીંટી, ને દોડયો રાજગૃહી ની બહારઃ એને

જલ્દી અતિથિને આંબી જવું હતું,આ ધન તેમને સોંપી દેવું હતું! વનની કેડીએ ચાલતાઅતિથિ

સિદ્વ પુરુષને પુણિયો ઝડપથી આંબી ગયો. સિદ્વપુરુષે પુણિયાને પોતાની પછવાડે આવી

પહોંચેલો જોઇને આશ્ચર્યથી પૂછયું,તમે? પુણિયાની છાતિમાં શ્વાસ સમાતો નહોતોઃઆપ

એવું કશુંક કરીને ગયા કે મારે તરત દોડવું પડયું! પુણિયાએ જીર્ણ વસ્ત્રમાં લપેટેલી તપેલી

કાઢીને કહ્યુંઃ આ તમે શું કર્યું ? તમે તપેલી સોનાની બનાવી દીધી પણ હું તે રાખી લઉં

એટલે મારી જીંદગી શ્યામ જ બની જાયને! શ્રમ વિનાનું લેવાય? આજે જે શુભ ભાવનાઓ-

અરમાનો મારા ઉરમાં ઊભરાય છે, પછી તે પ્રકટશે?મહાપુરુષ,મને સુવર્ણ નહીં, સત્કર્મ

જોઇએ. વિધાસિદ્વ પુરુષનાં નેત્રોમાં ઝળઝળિયાં આવી ગયા! આવો અપૂર્વ વૈરાગ્યભાવ કયાં

મળે! જે સંતોષથી તમારું જીવન ચમકે છેદમકે છે, એ મને પણ પ્રાપ્ત હજો. સુવર્ણનો આ

જગતમાં કોને મોહ ન થાય? પણ તું નિર્લેપ રહ્યોઃ ધન્ય તને પુણિયા! આકાશમાં ઊડતાં

પંખીઓ, વનનાં વૃક્ષો, સૂર્યના કિરણો પુણિયાની આંતરિક મહાનતાને આવકારી રહ્યા : સુંદર

રાજગૃહી એ દિવસે વધુ સુંદર બની.

જ્ઞાન-દર્શન-ચરણરૂપી રત્નત્રય જે ઉજજવળા,

કયારે કદાપિ પાળીયા કે ખીલવી સંયમકળા,

તેવા સવિ શુભ કર્મ જે મેં નાનકાં પણ આદર્યા,

સારું કર્યું - સુંદર કર્યું,ભાવે કરું અનુમોદના

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૯ પુણીઓ શ્રાવક

એક વખત વ્યાખ્યાન પુરું થતાં ભગવાન મહાવીરને રાજા શ્રેણિકે પૂછયું, ભગવાન! મારે

નરક નો બંધ છે તો મારે નરક ટળે એવો ઉપાય બતાવો.પ્રભુએ રસ્તા બતાવ્યા. એમા એક

રસ્તો એ બતાવ્યો કે પુણીયા શ્રાવક પાસે જઇ એની એક સામાયિકનું ફળ વેંચાતુ લઇ આવ.

આ ફળ જો મળી જાય તો નરકે નહીં જવું પડે.

શ્રેણિક મહારાજને વાત સહેલી લાગી. તેણે પુણીયા શ્રાવકને બોલાવી કહ્યુંકે તારી એક

સામાયિકનું ફળ મને વેંચાણ કરી આપ. તમો કહો તે કિંમત આપવા હું તૈયાર છું. બોલો

તમારે કેટલી કિંમત જોઇએ છે? પુણીયા શ્રાવકે કહ્યું ધાર્મિક ક્રિયાનું ફળ એ રીતે વેંચી ન

શકાય. અને એની શી કિંમત ગણાય એનો મને ખ્યાલ નથી . પણ તમને જેણે સામાયિકનું

ફળ વેંચાતું લેવાનું કહ્યું હોય તેને જ તેની કિંમત પુછો.મહારાજ શ્રેણિકે ભગવાન પાસે આવી

શ્રાવકનો જવાબ સંભળાવ્યો અને વિનંતી કરી કે, આ શ્રાવકની સામાયિકની કિંમત કેટલી

કહેવાય એ પ્રભુ મને કહો. ત્યારે ભગવાને જણાવ્યું કે - તારું સમગ્ર રાજરિદ્ધિ આપી દે તો

પણ તેની કિંમત ભરપાઇ થાય નહીં.. ફકત તેની દલાલી ચૂકવી શકાય. કિંમતતો બાકી

જ રહે. બીજી રીતે સમજાવતાં કહ્યું કે કોઇ અશ્વ ખરીદ કરવા જાય, તેની લગામની કિંમત

જેટલી તારી સમગ્ર રાજરિદ્ધિ ગણાય અને અશ્વની કિંમતતો બાકી જ રહે. તેમ આ પુણીયા

શ્રાવકનું સામાયિક અમૂલ્ય છે. તેની કિંમત આંકી શકાતી જ નથી. આ સાંભળી શ્રેણીક રાજા

નિરાશ તો થયાં પણ પુણીયા શ્રાવકની સામાયિકની પ્રશંસા કરવા લાગ્યા. હવે આ પુણીયા

શ્રાવકનું જીવન કેવું હતું એ જોઇએઃ પુણીયો શ્રાવક પ્રભુ મહાવીરનો ખરેખરો ભકત હતો.

વીરની વાણી સાંભળી તેણે સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો. આજીવિકા ચલાવવા તે રૂની

પુણીઓ બનાવી વેંચીને તેમાંથી મળતાં બે આનાથી તે સંતોષ માનતો.લાંભાતરાયના ઉદયથી

તેને વધારે કાંઇ મળતું ન હતું. તે અને તેની સ્ત્રી બન્ને જણ સ્વામી વાત્સલ્ય કરવાના હેતુથી

એકાંતરે ઉપવાસ કરતાં હતાં. બે જણની રસોઇ થતી તેથી બહારના એક જણને જમાડતાં.

એક જણને ઉપવાસ કરવો પડતો હતો. બન્ને સાથે બેસી સામાયિક કરતાં હતાં. પોતાની

સ્થિતિથી સંતોષ માની સુખપૂર્વક બન્ને રહેતાં હતાં.એક દિવસ સામાયિકમાં ચિત્ત સ્થિર રહેતું

નથી. તેનું શું કારણ? તું કંઇ અદ્રત્ત કે અનીતિનુંદ્રવ્ય લાવી છું? શ્રાવિકાએ વિચાર કરી કહ્યું

કે, માર્ગમાં અડાણા-છાણા પડયા હતાં તે લાવી હતી. બીજું કંઇ લાવી નથી. પુણીયા શ્રાવકે

કહ્યું કે, રસ્તામાં પડેલ ચીજ આપણાથી કેમ લેવાય?તે તો રાજદ્રવ્ય ગણાય, માટે છાણા

પાછા રસ્તા પર નાંખી દેજો અને હવે પછી આવી કોઇ ચીજ રસ્તા પરથી લાવશો નહીં.

આપણને અણહક્કનું કશું પણ ખપે નહીં. ધન્ય પુણીયો શ્રાવક કે જેનાં ભગવાન મહાવીર

સ્વામીએ સ્વમુખે વખાણ કર્યા. સુખ દુઃખ સકલ વીસરૂં પ્રભુ! એવી મળે ભકિત મને - સૌને

કરૂં શાસન રસી એવી મળો શકિત મને -સંકલેશ અગન બુઝાવતી મળજો અભિવ્યકિત મને -

મન ને પ્રસન્ન બનાવતી મળજો અનાસકિત મને.આત્મા તણાં આનંદમાં મશગૂલ રહેવા

ઇચ્છતોે સંસારના દુઃખ દર્દથી ઝટ છૂટવાને ઇચ્છતો આપો અનુપમ આશરો પ્રભુ ! દીનબંધુ

દાસને આવ્યો છું શરણે આપના તારો પ્રભુ! તારો મને !

હે દેવ! તારા દિલમાં, વાત્સલ્યનાં ઝરણાં ભર્યા,

હે નાથ ! તારા નયનમાં કરુણાતણાં અમૃત ભર્યા,

વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યા,

તેથી જ તારા શરણમાં બાળક બની આવી ચડયા.

.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૦ શ્રી માનતુંગસૂરિ

ભોજરાજાની ધારા નગરીમાં બાણ અને મયૂૂર નામના સાળા બનેવી બેપંડિતો રહેતા હતા.

બન્ને જણ પોતાનીપંડિતાઇ માટે પરસ્પર ઇર્ષા ધરાવતા હતા. બન્ને જણે રાજયસભામાં સારી

પ્રતિષ્ઠા મેળવી.. બન્ને રાજમાન્યપંડિત હતા. એક વખત બાણપંડિત પોતાની બહેનને મળવા

માટે તેને (મયુરના) ઘરે ગયો. તેની સારી સરભરા કરી રાત્રે ઓસરીમાં બિછાનું પાથરી તેને

સુવાડયો. ઘરમાં મયૂર અને તેની સ્ત્રી (બાણ ની બહેન) સુતાં. પણ દંપતિને રાત્રી વખતે

કોઇક વાતની તકરાર થઇ પડી. તે બધી તકરાર બહાર સુતેલા બાણે સાંભળી લીધી. મયૂર

તેની સ્ત્રીને ઘણુંં ઘણું સમજાવે છે પણ તે સ્ત્રી માનતી નથી. પછી સવાર થવા આવતાં મયૂર

તેણીને મનાવવા એક કવિતા બોલવા લાગ્યો.તેમાંનાં ત્રણ પદ જયારે તેણીને સંભળાવ્યા

ત્યારે બહાર સુતેલા બાણથી રહેવાયું નહીં.. તેથી ચોથુ પદ તેણે પૂર્ણર્ર્ કર્યું. તે સાંભળી તેની

બહેનને ઘણી રીસ ચઢી. પોતાના મીઠા કલહમાં અણછાજતી રીતે ભાઇની દખલગિરિ થવાથી

તેને એવો શ્રાપ આપ્યો કે,જા તું કોઢિયો થઇ જઇશ.તે સ્ત્રી સતી હતી. તેથી તે (બાણપંડિત)

તરતજ કોઢિયો થઈ ગયો.

પ્રાતઃકાળે રાજસભામાં મયૂરપંડિત પહેલાથી બેઠેલા હતા. તેણે જયારે બાણપંડિત આવ્યા

ત્યારે કહ્યું કે-આવો આવો કોઢિયા બાણ આવો. મયૂરના આવા વચન સાંભળી રાજા ભોજ

બોલ્યા કે એને કોઢ શી રીતે થયો. એટલે મયુરે બધી વાત ત્યાં જણાવી. એટલુંજ નહીં પ્રત્યક્ષ

બાણનાં અંગો ઉપર કોઢના સફેદ ચાંઠા બતાવ્યાં. તેથી ભોજરાજાએ એવો હુકમ કર્યો કે,

જયાં સુધી એને કોઢ મટે નહીં ત્યાં સુધી એેને રાજસભામાં આવવાની તેમજ નગરમાં

રહેવાની સખ્ત મનાઇ ફરમાવાઇ. આવા કારણથી બાણપંડિત ઘણો જ લજવાઇ ગયો અને

અભિમાનમાં આવી જઇ તરતજ ત્યાંથી ઉઠીને નગર બહાર ચાલ્યો ગયો. નગર બહાર બે

વાંસડાના સ્તંભ આરોપી, વચ્ચે ઉંચી દોરી બાંધી.તેમાં એક છ બંધનવાળું સીકું બાંધી,તેમાં તે

પોતે બેઠો અને નીચે અગ્નિકુંડ સળગાવી. સૂર્યદેવતાની સ્તવના સંબંધી એકેક કાવ્ય રચી

બોલીને એકેક સીંકાની દોરી પોતાના હાથથી જ છેદી નાખતાં પાંચ કાવ્યો બોલીપાંચદોરીઓ

છેદી નાંખી. છેવટની દોરી છઠ્ઠા કાવ્ય બોલવાને અંતે જયારે કાપવાનો આરંભ કરે છે તે

વખતે જોવા મળેલ પુષ્કળ માણસોની ભીડ વચ્ચે સૂર્યદેવતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા એટલુંજ

નહીં પણ તેનો કોઢ દૂર કરી સુવર્ણક્રાંતિ જેવું શરીર કરી આપ્યું. આવો બનાવ બનવાથી ત્રીજે

દિવસે રાજાએ તેને ઘણાં ઠાઠથી ગાજતે વાજતે દરબારમાં બોલાવ્યો.જયારે આવ્યો ત્યારે તેણે

પોતાના બનેવીને (મયૂર) કહ્યું કે કાળા મોંના કાગડા જેવા ક્ષુૃદ્વપંખી!ગરુડના જેવા મારા

આગળ તારીશી શકિત છે?જો શકિત હોયતો દેખાડને?બેસી કેમરહ્યો છે? તે વખતે મયૂર

બોલ્યો કે છે, છેઃ અમારામાં પણ એવી શકિત છે. જો કે નીરોગીને ઓૈષધની કંઇ જરૂર નથી.

તો પણ તારા વચનને અન્યથા કરવા હું મારી શકિત સભા સમક્ષ બતાવી દઉં છું તે તું તારી

આંખો ઉઘાડીને જો. એમ કહીને તરતજ તેણે એક છરી મંગાવી પોતાના હાથ-પગની

આંગળીઓ પોતાના હાથેજ છેદી નાંખી અને ચંડી દેવીની સ્તવના કરતાં, કાવ્ય રચી

બોલતાં, કવિતાના છઠ્ઠા અક્ષરનો ઉચ્ચાર કરતાં દેવી પ્રસન્ન થઇ આવી ઉભા રહ્યા -

બોલ્યા કે હે મહા સાત્વિક! માંગ, હું તારા પર પ્રસન્ન છું. તું જે માંગે તે આપું. તેણે તરતજ

દેવી પાસેથી વર માંગી પોતાની છેદેલી આંગળીઓ સાજી કરાવી. એટલુંજ નહીં પણ પ્રસન્ન

થયેલી દેવીએ તેનું વજ્રમય દઢ શરીર કરી આપ્યું. આ ચમત્કાર દેખી આખી સભા આશ્ચર્ય

પામી ગઇ. આથી રાજાએ તેનું ઘણું જ સન્માન કર્યું એટલું જ નહીં પણ તેના વર્ષાસનમાં

પણ ઘણો વધારો કરી આપ્યો.

આવા અવસરે જૈન ધર્મ ઉપર દ્વેે્રષ ધરનારા કોઇકે સભા વચ્ચે વાત ચલાવી કે જૈન ધર્મમાં

આવી ચમત્કારિક કવિતા રચનારાપંડિતો કોઇ પણ જોવામાં આવ્યા નથી. જેથી રાજાએ

તરતજ પોતાના સેવકોને મોકલી દૂર દેશમાં વિચરતા શ્રી માનતુંગાચાર્ય નામના જૈનાચાર્યને

રૂબરૂ બોલાવ્યાને પૂછયું કે, તમારામાં એવો વિવ્દ્વાન ન હોયતો તમારા ધર્મ માટે કંઇ પણ

વિચાર કરવો પડશે.માનતુંગાચાર્યે કહ્યું કે - મને એક ઓરડામાં પૂરો અને મારા શરીરને ચારે

બાજુ લોખંડની સાંકળથી બાંધો.હાથે પગે બેડીઓ બાંધો.તેને ચુમાલીશ તાળાં મારો.હું સ્તોત્ર

રચતો જઇશ અને બેડીઓ,સાંકળો અને તાળાંઓ તૂટતાં જશે અને હું ઓરડાનીબહારઆવીશ

રઆવીશ આવીશ. રાજાએ તાત્કાલિક આ રીતે પ્રબંધ કરાવી શ્રી માનતુંગાચાર્યને એક

ઓરડામાં બેસાડી સાંકળ વગેરે બાંધી બારણા બંધ કરી ચુમાલીશતાળામાર્યા.શ્રીમાનતુંગચાર્યે

પ્રભુ આદેશ્વરની પ્રાર્થર્ના કરી. હૃદયમાં શ્રી આદેશ્વર તિર્થંકરને સ્થાપ્યા અને એક પછી એક

ભકતામર સ્તોત્રની ગાથા પોતાની અનોખી કવિતા શકિતથી બનાવતાં ગયા. જેમ જેમ ગાથા

બોલતા ગયા તેમ તેમ સાંકળો-બેડીઓ અને તાળાં તૂટતાં ગયા અને છેલ્લી ગાથા બોલ્યા

ત્યારે મહારાજશ્રી તદન બંધન મુકત થઇ ઓરડાની બહાર આવ્યા. રાજા અને રાજસભા અને

પુષ્કળ લોકોએ આ ચમત્કાર જોયો. અને આવો ચમત્કાર દેખી જૈન શાસનની મોટી ઉન્નતિ

થઇ એટલુંજ નહીં પણ રાજા ભોજ તેમજ સભાનો મોટો ભાગ જૈન ધર્મનો બોધ પામ્યા. જે

ચુમાલીશ ગાથાઓની તેમણે રચના કરી તે આજે ભકતામર સ્તોત્ર નામથી સુપ્રસિધ્ધ છે.

દિગંબર લોકો તેમાં ચાર ગાથા ઉમેરી તેની ૪૮ ગાથાઓનો પાઠ પણ ભણે છે.

ભકતામર -પ્રણત-મૌલિ-મણિ–પ્રભાણા

મુધોતકં દલિત-પાપ-તમો-વિતાનમ ;

સમ્યક પ્રણમ્ય જિન–પાદ-યુગં યુગાદા,

વાલંબનં ભવ-જલે પતતાં જનાનામ.

યઃ સંસ્તુતઃસકલ વાઙમય- તત્ત્વ–બોધા,

દુદભૂત-બુદ્ધિ–પટુભિઃ સુરલોકનાથૈ;

સ્તોત્રે-ર્જગત્ત્રિતયચિત્તહરેરુદારૈ;

સ્તોષ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્વમ.

અર્થઃ- ભકિતમંત દેવતાઓના નમેલા મુકુટને વિષે રહેલા મણિઓની ક્રાંતિઓને પ્રકાશ

કરનાર, દલન કર્યો છે પાપ રૂપ અંધકારનો સમૂહ જેણે એવા અને ૧ યુગની આદિમાં

ભવસમુદ્વમાં પડતાં ભવ્યજનોને આધારભૂત એવા (પ્રથમ) તીર્થંકરના ચરણયુગલને રૂડે

પ્રકારે નમસ્કાર કરીને જે ભગવંત સમસ્ત શાસ્ત્રના રહસ્યના જ્ઞાન થકી ઉત્પન્ન થયેલ

બુદ્ધિવડે કુશળ એવા ઇન્દ્વ વડે ત્રણ જગતના ચિત્તને હરણ કરનારાં અને ઉદાર સ્તોત્રો વડે

રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલ છે, તે પ્રથમ જિનેન્દ્વને હું પણ નિશ્વે સ્તવીશ.

જગતમાં કોઇએ ન આપ્યો હોય એવો કર્મવાદ જિનેશ્વર ભગવંતે આપ્યો છે. પ્રત્યેક કર્મનો

બંધ, કર્મનો ઉદય, કર્મ-વિપાક - પરિણામ બધું જ પ્રભુએ દર્શાવ્યું છે. જગતમાં જે કાંઇ

દુઃખ આવે છે તેની પાછળ માત્રને માત્ર કર્મ કારણ છે. ઉદયમાં આવી ચૂકેલા કર્મને સમતાથી

સહન કરી લેવું તે શ્રેષ્ટ માર્ગ છે.

આવો જીવનમાં નયને કરુણા લાવીએ.

આવો જીવનમાં વચને અમૃત વહાવીએ.

આવો જીવનમાં હૃદયે સ્નેહની ગંગા વહાવીએ.

ધર્મરાજાની ઇમારત નમસ્કાર પર ઉભી છે.

મોહરાજાની ઇમારત અહંકાર પર ઉભી છે.

પ્રવાસમા ભકિત ઉમેરાય તો તે યાત્રા બને.

ભોજનમાં ભકિત ઉમેરાય તા તે પ્રસાદ બને.

શ્રમમાં ભકિત ઉમેરાય તો તે સેવા બને.

જલપાનમાં ભકિત ઉમેરાય તો તે ચરણોદક બને.

નિરાહારમાં ભકિત ઉમેરાય તો તે ઉપવાસ બને.

મકાનમાં ભકિત ઉમેરાય તો તે મંદીર બને.

પથ્થરમાં ભકિત ઉમેરાય તો તે મૂર્તિ બને.

શબ્દમાં ભકિત ઉમેરાય તો તે પ્રાર્થના બને.

આપણી ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન છે. ધર્મર્ એટલે જ ભકિત. .

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૧ મેતારજ મુનિ

ભગવાનશ્રી મહાવીરનું ચોમાસું રાજગૃહી નગરીમાં, રાજા શ્રેણિક, તેમની રાણીઓ- પુત્રો–

નગરજનો વગેરે દેશના સાંભળે છે.શ્રેષ્ઠીશ્રી મેતાર્યને દેશના સાંભળી વૈરાગ્ય ભાવ જાગ્યો.

ભગવાનને ચારિત્ર આપવા વિનંતી કરી. સંસારી સગાઓએ અને ખુદ શ્રેણિક રાજા મેર્તાયને

સમજાવે છે : આ વૈભવ, નવ નવ નારીઓ છોડી આ દુષ્કરપંથે કયાં જાઓ છો, વિચારો?

મેતાર્ય - ભગવાને દેશનામાં કીધેલ ઘેટાને સારું સારું ખવરાવી કસાઇ છેવટે કાપવાનો જ છે.

એ ઘેટુંં સમજતું નથી એમ જીવ ખાઇ-પી મોજ માણે છે પણ એક દિવસ યમરાજ જીવ લઇ

જવાના છે તે જીવ સમજે તો ચારિત્ર એ જ એક માત્ર ઉપાય, આત્મા માટે ભવ ભ્રમણામાંથી

છૂટવાનો છે.ભગવાન મેતાર્યર્ શ્રેષ્ઠીને દીક્ષા આપી મેતારજ મુનિ બનાવે છે. મુનિ મેતારજે

આકરાં તપ શરૂ કર્યા. ઘણા વખત બાદ પાછા રાજગૃહ આવ્યા. એક મહિનાના ઉપવાસ

બાદ મેતારજ મુનિ પારણા માટે ગોચરી લેવા એક સોનીને ઘેર પધાર્યા. સોની રાજા શ્રેણિક

માટે સોનાના જવલા ઘડતો હતો. વહોરાવવા માટે ગોચરી લેવા અંદરના ભાગમાં ગયો.

સોની અંદર ગયો એટલે એક ચકલો ત્યાં આવી સાચા જવ સમજી ચરી ગયો અને સોની

બહાર આવે ત્યાર પહેલાં ઊડી બાજુના ઝાડ ઉપર જતો રહ્યો. સોનીએ બહાર આવી મુનિને

ભાવથી ગોચરી વોહરાવી અને મુનિ વિદાય થયા. સોની પાછો કામે બેઠો અને જોયું તો

જવલા ન મળે -કયાં જાય જવલા, ચોક્કસ મુનિ લઇ ગયા. દોડયો,મુનિને પકડયા. ઘરે પાછા

લાવી ધમકાવ્યા. જવલા લાવો. મુનિતો સાચા વૈરાગી - સાચું બોલતો સોની ચકલાને મારી

જવલા મેળવે જેથી હિંસાનું પાપ લાગે- જૂઠું બોલે તો મૃષાવાદનો દોષ લાગે. મુનિ મૌન જ

રહ્યા .સોનીતો ક્રોધ કરતોજ ગયો. સાચી વાત તે જાણતો નથી. જવલા રાજાજીને ન

પહોંચાડેતો રાજાજી ભારે દંડ કરશે - એમ વિચારી સાધુ મુનિને ભારે શિક્ષા કરવા મનથી

નક્કી કરી.. પાસે પડેેલ ચામડાનું વાઘરું પાણીમાં પલાળી મુનિના મસ્તકે તાણી તાણીને બાંધી

દીધું. વાઘરું મસ્તકની ગરમીથી સુકાશે તેમ તેમ મસ્તકની નસોેખેંચાશે અને મુનિ માની જશે.

જવલા આપી દેશે. એમ સોની માનતો હતો.મુનિતો સમતા ધારી ઉભા છે. કેવા કેવા ઉપસર્ગો

સહન કરી મહાનુભાવો મોક્ષે ગયા છે, તે વિચારતાં વિચારતાં મસ્તકની વેદના સહન કર્યે

જાય છે. ચામડું ખેંચાતું જાય છે. મસ્તકની નશો તૂટતી જાય છે અને મુનિ અંતરથી સર્વ

જીવોને ખમાવતા જાય છે. પોતાનાં કર્મો ખપતાં જાય છે. સોનીનો કોઇ દોષનથીચકલાનો

પણ કંઇ દોષ નથી. એમ વિચારતાં સમતાનાસર્વોતમ શિખરે પહોંચી મુનિ કેવળજ્ઞાની થાય

છે. થાડીક વારમાં દેહ ઢળી પડે છે. મુનિનો આત્મા મોક્ષેજાય છે.થોડા વખત પછી એક બાઇ

લાકડાનો ભારો ઝાડ નીચે નાંખે છે. તે અવાજથી ચોંકી જઇ ક્રોંચ પક્ષી ચરકી જાય છે અને

તેના ચરકમાં જવલા દેખતાં જ સોની કંપી ઊઠે છે.અરરર! સાચું જાણ્યાં વિના કેવો અનર્થ

કર્યો. મુનિના પ્રાણની જવાબદારી કોની?આ ગુના માટે રાજાજી ભારે શિક્ષા કરશે જ.

ગભરાયેલ સોનીેએ મુનિનો ઓઘો લઇ તેમનાં વસ્ત્રો પહેરી તે સોની અણગાર (સાધુ)બની

ગયો. કાળે કરી ખુબ જ પસ્તાવો કરી પોતાના આત્માને તાર્યો. મા-બાપથી મોટા કોઇ

ભગવાન નથી,મા-બાપથી મોટું કોઇ તીર્થ નથી. જે ઘરમાં છે મા-બાપ ના માન તે ઘરમાં

રાજી છે ભગવાન. હુંં યુવાવર્ગને કહીશ કે તમે એવું કયારેય ન બોલતા કે અમારી સાથે માતા-

પિતા રહે છે પણ એમ બોલો કે અમે અમારા માતા-પિતા સાથે રહીએ છીએ. આવું

બોલવામાં જ સમજદારી છે. એટલે કે માતા પિતાને પોતાની સાથે ન રાખો પણ તમે માતા

પિતા સાથે રહો. સંતાનોને વિચારવું પડશે કે, ફાઇવસ્ટારમાં એક દિવસ રહેવાનું ભાડું કેટલું

હોય છે? ખબર છે? એટલું જ નહીં ૨૫ વર્ષ સુધી મોટા કર્યા તે ૯૦૦૦ દિવસનું ભાડું

આપી શકશો? જીવનમાં ધર્મનું કેટલું મહત્વ છે? તેના માટે શું કરવું? જેવી રીતે શરીરમાંથી

ચામડીને અલગ નથી કરી શકાતી તેવી જ રીતે ધર્મને જીવનમાંથી અલગ નથી કરી શકાતો.

ધર્મ તો આત્માનો સ્વભાવ છે.ધર્મની પ્રથમ શરૂઆત ઘરથી થાય છે. મંદિરથી નહીં. જીવનમાં

માતા-પિતા જ સૌ પ્રથમ ભગવાન છે. નૈતિકતાની શરૂઆત પણ ઘરથી કરો.જીવનમાં બે વસ્તુ

ન ભૂલો મા અને ક્ષમા જો આ વસ્તુ અપનાવશો તો જીવનમાં વિકાસ થશે અને જીવન ખીલી

ઉઠશે. જીવનમાં સહુથી વજનદાર શબ્દ હોયતો તે છે મા. ક્ષમાતો વીરોનું આભૂષણ છે.

બાળપણમાં મા-બાપના આશીર્વાદ જોઇએ,યુવાવસ્થામાં મહાત્માના આશીર્વાદ અને

વૃદ્ધાવસ્થામાં પરમાત્માના આશીર્વાદ જોઇએ.

જે દિવસે માબાપ તમારા કારણે રડે છે,

ત્યારે તમારો કરેલો ધર્મ, એ આંસુમાં વહી જાય છે.

ધર્મની માતા દયા ને ધર્મનો પિતા છે દાન,

પાપની માતા માયા ને પાપનો પિતા છે લોભ.

મેળવળ નાંખ્યા પછી દહીં જામે તેની રાહ જ જોવાની હોય,

અવિશ્વાસ ન રખાય,સાધના મળી તેનું પરિણામ આવશે જ.

ધીરજ રાખવાની હોય.

મેળવજો નીતિથી,

વાપરજો રીતિથી

રહેજો પ્રીતિથી,

તો બચી જશો દુર્ગતિથી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૨ અનાથી મુનિ

એક મુનિ, અનાથી જેમનું નામ. વનમાં એક ઝાડ નીચે ધ્યાનસ્થ ઉભા છે. ત્યાં મગધરાજ

શ્રેણિક પોતાના રસાલા સાથે ક્રીડા કરવા આવે છે અને આ મુનિને જોતાં અચંબો પામે છે.

મુનિની કંચનવર્ણી કાયા, રૂપાળુ મુખ અને ગુણવંતી તરુણ અવસ્થા જોઇ મુનિને પૂછે

છે?અરે મુનિ, કેમ આ વેશ લીધો છે! આ યૌવનવયને કેમ વૈરાગ્યમય બનાવ્યો?આ વયે

ધનને યૌવનને કેમ ભોગવતા નથી - અવસર આવે ભલે વૈરાગી - પણ આ વયે કુટુંબ, ધન,

યૌૈવન કેમ છોડયું?મુનિ કહે છેઃ રાજન! હું અનાથ છું. અનાથ હોવાથી સંસાર છોડયો છે.

એટલે શ્રેણિક રાજા કહે છે-હું તમારો નાથ થાઉં જે જોઇએ તે આપીશ. ચાલો મારી સાથે

મારા રાજયમાં.મુનિ કહે છે,અરે ભાઇ, તું પણ અનાથ છે. તું કયાંથી મારો નાથ થઇશ. જો

સાંભળ, મારા ઘરે ઇંદ્રાણી જેવી સુશીલ ગુણની ભરેલી મારી સ્ત્રી હતી- મારે મા-બાપ,

બાપ,કાકા,કાકી, મામા,માસી,બેન,ભાણેજો હતા- બધી સાહ્યબી મારે હતી - બધી જાતનાં

ભોગ હું ભોગવતો હતો. પણ એક દિવસ મને રોગે ઘેરો ઘાલ્યો. ન સહન થાય એવું દુઃખ

અને વેદના થતી હતી. વૈદોએ દવા આપી. મંત્ર-યંંત્ર કીધા. પણ કોઇ રીતે દુઃખ ઓછુ ન

થયું. મારા સગાં મા-બાપ, મારી સ્ત્રી કોઇ મારું દુઃખ લેવા તૈયાર ન થયું. દુઃખ હું ભોગવતો

જ રહ્યો. કોઇ સહાય કામ ન આવી.. આવા અતિ દુઃખના સમયમાં વિચાર્યુ કે મારું કોઇ નથી.

હું એકલોજ છું. આ દુઃખમાંથી છૂટી જાઉં તો તરત સંયમ લઇ લઉં. આવો નિશ્ચય મનમાં

કર્યો. ધીરે ધીરે વેદના ઘટતી ગઇ. સવાર સુધીમાં તો બધી વેદના ભાગી ગઇ અને મેં મારા

નિશ્ચય પ્રમાણે ઘરથી નીકળી સંયમ લઇ લીધો. હે રાજન! મને પાકું સમજાયુંકે હું અનાથ જ

હતો. હવે હું સનાથ છું. શ્રેણિક મહારાજા આ સાંભળી બોધ પામ્યા અને કબૂલ કર્યું

કે,ખરેખર તમારું કહેવું સાચું છે. હુંં પણ અનાથ જ છું કયાંથી તમારો નાથ થાઉં? મુનિની

પ્રશંસા કરી, તેમને શીશ નમાવી, વંદના કરી , પોતાના મહેલે આવ્યા - મુનિ ચારિત્ર પાળી

શિવપુરી પહોંચ્યા.

જો ઘરમાં બધું હોય પણ પ્રેમ ન હોય તો એ ઘર ઘર નથી પરંતુ સ્મશાન છે. પરિવારમાં પ્રેમ

ભાવના-સમર્પણ હોય તો જીવન ર્સ્વગ છે. પરસ્પર પ્રેમ-વાત્સલ્ય એ સંસારમાં મુખ્ય છે. ધૃણા

નફરતથી મોટું દુનિયામાં કોઇ નર્ક નથી.

વિચારો કેટલા આવે છે?

મહત્વનું નથી.

કેવા આવે છે?

બહું મહત્વનું છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૩ ગજસુકુમાલ

સોરઠ દેશની ધ્વારિકાનગરીના રાજા વસુદેવની રાણી દેવકીજીના નાના પુત્ર ગજ-સુકુમાલ.

એક દિવસ નેમીજિણંદ ધ્વારિકા પધાર્યા.રાજય પરિવાર સહીત બધા ભગવંતનીવાણી સાંભળે

છે અને ગજસુકુમાલને વાણી ર્સ્પશી જાય છે. ચારિત્ર લઇ વૈરાગી થવા મનથી નક્કી કરે છે

કે, ચારિત્ર લેવા રજા આપ! માતાજી આ સાંભળી મોહવશ હોવાથી બેભાન થઇ જાય છે.

ભાનમાં આવતા ગજસુકુમાલને ચારિત્ર કેટલું મુશકેલ છે તે સમજાવે છે. દીકરા,આ સમુદ્ર

તરવો મુશ્કેલ છે. મીણના દાંતે લોઢાના ચણા ના ચાવી શકાય. ઘરે ઘરે ફરી ભિક્ષા લાવવી

પડે.ઉઘાડા પગે વિહાર કરવો પડે. વાળનો હાથે લોચ કરવો પડે. આ બધું તું હજી નાનો છે

માટે નહીં સહી શકે. ગજસુકુમાલ જવાબ આપે છે કે,કાયરો ચારિત્ર ન પણ પાળે.હું સિંહ

જેવો છું. ગમે તેવો તારો અને વસુદેવનો દીકરો છું. મોહ છોડી મને ચારિત્ર માટે રજા આપ.

માસમજાવે છેકેતેં સોમલની બેટીનું પાણીગ્રહણકરેલ છે.તેની સાથે તારે લગ્ન કરી સંસારસુખ

ભોગવવાના છે. તારી ઉપર અપાર પ્રેમ છે. આ બધું સુખ છોડી ના જા દીકરા, ના જા. દ્વ

જયારે માતાની કોઇકારી ફાવતી નથી ત્યારે કહેજા,સિંહની માફક ચારિત્ર પાળજે. દુશ્કરપંચ

મહાવ્રત બરાબર પાળજે. એવી આશિષ સાથે આપે છે.ગજસુકુમાલ નેમિજીનેશ્વર પાસે સંયમ

ગ્રહણ કરે છે અને આગમનો અભ્યાસ કરે છે. એક દિવસ ભગવાનનો આદેશ લઇ કાઉસગ

ધ્યાને સ્મશાને જઇ ઉભા રહે છે ત્યાં પોતાની બેટીને ન પરણતાં તેનું વેર વાળવા સોમલ

(તેના સસરા) સ્મશાને આવે છે અને ગજસુકુમાલના માથા ઉપર માટીની પાળ બાંધી વચ્ચે

સળગતાં અંગારા મૂકે છે. સળગતી સગડીમાં અંંગારા સળગે તેમ ગજસુકુમાલના માથા ઉપર

અંગારા સળગે છે. ગજસુકુમાલ ખૂબજ વેદના દુઃખમાં હોવા છતાં વિચારે છે કે, મારું કંઇ

બળતું નથી. મારા સસરા ખરેખરા મારા સગા થયા. જન્મ જન્માંતરોમાં આ જીવે ઘણાં

અપરાધો કર્યા છે, તે બધા ખમાવી લઇએ, એમ શુકલ ધ્યાને ચડી ગયા. સસરાએ મુકિતની

પાઘડી મને પહેરાવી એમ વિચારતાં વિચારતાં કર્મ ખપી ગયાં. માથું અગ્નિજવાળાએ ફાટી

ગયું. પણ મરણ થતાં પહેલાં ગજસુકુમાલ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.

સાગર દયાના છો તમે કરુણા તણા ભંડાર છો

અમ પતિતોને તારનારા વિશ્વના આધાર છો

તારા ભરોસે જીવન નૈયા આજ મેં તરતી મૂકી

કોટિ કોટિ વંદન કરું જિનરાજ! તુજ ચરણે ઝુકી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૪ ભરતેશ્વર અને બાહુબલિ

બાહુબલિજીએ એક વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી . શરીર ઉપર સેંકડો શાખાઓવાળી લતાઓ

વીંટાઇ હતી અને પક્ષીઓએ શરીરમાં માળા બાંધ્યા.તે સમયે ભગવાન શ્રી ઋષભદેવે બ્રાહ્મી

અને સુંદરીને બોલાવી બાહુબલજીપાસે જવાકહ્યું અને મોેહનીકર્મનાઅંશરૂપમાન(અભિમાન)

ને લીધે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આથી બ્રાહમી અને સુંદરી બાહુબલજી જયાં તપ

કરતા હતા ત્યાં આવી ઉપદેશ આપવા લાગ્યાં અને કહ્યું. હે વીર! ભગવાન એવા આપણા

પિતાજીએ કહેરાવ્યું છે કે હાથી ઉપર બેઠેલાને કેવળજ્ઞાન થતું નથી. વીરાગજથી હેઠા ઉતરો.

આ સાંભળી બાહુબલિજી વિચારવા લાગ્યા કે, હું કયાં હાથી ઉપર બેઠો છું પણ આ બન્ને

ભગિનીઓ ભગવાનની શિષ્યા છે તે અસત્ય ન બોલે અને સમજાયું કે, હું વયે મારાથી નાના

પણ વ્રતથી મોટા મારા ભાઇને હું કેમ નમસ્કાર ન કરું? - એવું જે અભિમાન મને છે તે–રૂપી

હાથી ઉપર હું બેઠો છું. આ વિનય મને નથી લાધ્યો. એઓકનિષ્ટ છે વાંદવાની ઇચ્છા મને ન

થઇ. હવે હમણાંજ ત્યાં જઇ એ મહાત્માઓને વંદન કરું. આમ વિચારી બાહુબલિએ પોતાનો

પગ ઉપાડયો અને બધાં દેહાંતિકર્મ તૂટી ગયાં અને તે જ પગલે આ મહાત્માને કેવળજ્ઞાન

પ્રાપ્ત થયું.ભરત મહારાજા એક દિવસ સ્નાન કરી, શરીરને ચંદન વડે વિલેપન કરી, સર્વ અંગે

દિવ્ય રત્નનાં આભૂષણો ધારણ કરી, અંતઃપુરના આદર્શગૃહમાં ગયા. ત્યાં સામે ઝડેલા

દર્પણમાં પોતાનું સ્વરૂપ જોતા હતાં ત્યાં પોતાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઇ.એ

આંગળી ઉપર નજર પડતાં તે ક્રાંંતિ વિનાની લાગી. એથી વિચાર્યું કે આ આંગળી શોભા

રહિત કેમ છે? જો બીજા આભૂષણ ન હોય તો તે પણ શોભા રહિત લાગે? એમ વિચારતાં

વિચારતાં એકેક આભૂષણ ઉતારવા લાગ્યા. બધા આભૂષણ ઉતરી ગયાં ત્યારે પોતાનું શરીર

પાંદડા વગરનાં ઝાડ જેવું લાગ્યું.શરીર મળ અનેમૂત્રાદિકથી મલિન છે. તેના ઉપર કપુર અને

કસ્તૂરી વગેરેના વિલેપનને પણ તે દોષીત કરે છે એમ સમ્યક પ્રકારે વિચારતાં વિચારતાં

ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઇ શુકલધ્યાન પામતા અને સર્વ ઘાતિ કર્મના ક્ષય થવાથી કેવળજ્ઞાન

પામ્યા.

વિકાસનું એક માત્ર કારણ પ્રેમ છે.

વિનાશનું એક માત્રરણ અહંકાર છે.

કોને ખબર કયારે મળે, પાછો જનમ માનવતણો

માટે પ્રભુ ભકિત કરો, હજીએ સમય તમને ઘણો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૫ સંતોષી કોણ?

એક ધનપતિના મૃત્યુ બાદ તેની અંતીમ ઇચ્છા પ્રમાણે એક જાહેરાત કરાઇ કે નગરીના સહુથી

સંતોષી મનુષ્યને એની તીજોરીની ચાવી આપવામાં આવશે.સંતોષીઓ (?) ની લાંબી લાઇન

લાગી. છેવટે સર્વશ્રેષ્ઠ (?) સંતોષીને પસંદ કરવામા આવ્યો. અને તેને તીજોરીની ચાવી

આપવામાં આવી. ચાવી લગાડીને તીજોરી ખોલીતો તીજોરી ખાલીખમ.અંદર માત્ર એક

કાગળ હતો. જેમાં લખેલ હતું કે જો તમે સંતોષી હોત તો તમે આ માટે મેહનત જ ન કરી

હોત. તમને તો ધનની અપેક્ષા હતી-અપેક્ષાથી કેટલી બધી પીડા થાય છે. એટલે જ કહેલ છે

સાદું જીવન જીવો -તમારી ઇચ્છા પર કાબુ રાખો- તૃષ્ણા તો એવો ખાડો છે કે તે કદી પુરાશે

નહીં.. ઇચ્છા અને અપેક્ષા જ દુઃખનુ મોટું કારણ છે. જેટલી જરુરીયાત ઓછી એટલું જીવન

સુખમય. જીવવા માટે ખાવાનું છે ખાવા માટે જીવવાનું નથી.

કોઇ ભિખારીને એક સવારે એક વનદેવી મળી ગઇ. વનદેવીએ કહ્યુંઃતારી ઝોળી ધર. હું એમા

સોનામહોર નાંખું છું. પણ એટલું ધ્યાનમાં રાખજે કે એક પણ સોનામહોર નીચે પડશે તો એ

બધી સોનામહોરો માટી થઇ જશે.

ભિખારીએ કહ્યુંઃ દેવી, નાંખો તમે તમારે. હું એક પણ સોનામહોર નીચે નહીં પડવા દઉં.

વનદેવીએ સોનામહોરો નાંખવા માંડી. બેત્રણ ખોબા નાખતાં ભિખારીની જૂની ઝોળી ફાટવા

લાગી.. વનદેવીએ પૂછયુંઃ બસ ને હવે? ના, ના, નાંખોને થોડી,માડી! એકાદ ખોબામાં

વાંધો નહીં આવે. અસંતોષી ભિખારી બોલ્યો. વનદેવીએ વધુ એક ખોબો સાનામહોરોનાંખી.

ભિખારીની ઝોળી ફાટી ગઇ અને બધી સોનામહોરો જમીન પર વેરાતાં ધૂળ થઇ ગઇ.સંતોષી

નર સદા સુખી એ સાદી કહેવતમાં ઘણો અર્થ ભર્યો છે. લોભને થોભ નથી હોતો એથીલોભી

માણસ કદી સુખી થતોનથી.પોતાની પાસે જેટલું હોય એટલામાં સંતોષ માનનાર હંમેશાંસુખી

થાય છે. અંગ્રેજ નિબંધકાર એડિસન કહે છે, સંતોષી આત્મા એ મનુષ્યપરનો મોટામાંમોટો

આશીર્વાદ છે. એવો આત્મા મળ્યો હોય એ માણસ દુનિયામાં આનંદથી જીવી શકે છે.

સંતોષી માણસ સદાય ઉમદા સ્વભાવ ધરાવનારા હોય છે.

સંતોષ એ જીવનનું મહામોલું સત્વ છે.જે લોકો એમ માને છે કે સંતોષ માણસને પુરુષાર્થમાં

પાંગળો બનાવે છે, પ્રગતિ અને સતત પુરુષાર્થ માટે અસંતોષ આવશ્યક છે,એ લોકો

પ્રગતિનો સાચો અર્થ સમજતા નથી. અસંતોષથી જે પ્રગતિ થાય છે તે ભૌતિક પ્રગતિ છે. એ

માટે જેમ્સ મેકિનટોસે સારી સલાહ આપી છે. એ કહે છે કે, આપણી પાસે જેટલું છે એનાથી

સંતોષ માનો,પણ આપણે જેવા છીએ એનાથી સંતોષીના બનો. મતલબકે ભૌતિક સાધનો

જેટલાં હોય એટલાથી સંતોષ માનો, પણ આંતરિક સદગુણો ઓછા હોયતો એનાથીઅસંતુષ્ટ

રહી એ વધારવા પ્રયાસ કરો.કવિ બાલાશંકરે એક ગઝલમાં કહ્યું છે કેઃરહેજે શાંતિ-સંતોષે

સદાયે નિર્મળ ચિત્તે.આચરણમાં-વ્યવહારમાં ઉતારશો તો-સાથે પરોપકાર ભાવના- દયા-

કરુણા સત્ય માર્ગે ચાલવાનું-બની શકે એટલું પોતાનુ સુખ વધુમાં વધુ લોકોને આપું અને

શકય એટલું બીજાનું દુઃખ હું કેમ ઓછું કરુ તેવી ભાવના જોઇએ. સર્વ જીવો પ્રત્યે મનમાં

મૈત્રી ભાવના હોવી જૌઇએ -દ્વેષ - મોહ-માયા - લોભ -પરનિંદાથી દૂૂર.. અરે મનને એવી

રીતે કેળવવું જોઇએ કે કોઇ પરસ્ત્રી જોઇને મનમાં વીકાર ભાવના ન આવે- મન કહે કે આ

બહેન પણ કોઇની મા છે-કોઇની પત્ની છે,કોઇની દીકરી છે-કોઇની બહેન છે. હે પ્રભુ!આ

સમજયા બાદ પણ મારા મનમાં વાસના-વીકાર ઉત્પન થાયતો મારી આંખો ફોડી નાંખશો.

આપે આ આંખ સારુ જોવા માટે આપી છે એટલે તેનો કદી પણ દુરૂપયોગ કરીશ નહીં..

સાચી કિંમત માપવાનો એક જ માપદંડ છે. તે પોતાની જાતથી, પોતાના સ્વાર્થથી કેટલો

મુકત થયો છે તે જ સાચો માપદંડ. સારા અને શુદ્ધ માણસો જ માનવજાત ને આગળ લઇ જઇ

શકેે.ત્યાગમાં જે સુખ છે તે ભોગમાં નથી. બીજાને આપવામાં જે સુખ છે તે ભંડાર ભરવામાં

નથી. જેટલું બીજાને સુખ આપશો તેટલા તમો સુખી થશો. વૃક્ષ નીચે ઉભા રહી ને શીતળતા

મળે છે. તેમ સંતપુરુષોના સાનિધ્યમાં આવનારા ને શીતળતા લાગે છે. વૃક્ષ પોતે તડકો

સહન કરે છે અને બીજાને છાંયો આપે છે. વૃક્ષ કોઇને કહેતું નથી - કેટલા માણસોને છાયો

આપ્યો? તેમ સંતપુરુષો કદી કહેતા નથી-તે પોતાનું કાર્ય સદભાવનાથી કરે છે. માણસ

જેટલો ઉંચો ઉઠે છે તેટલી સરળતાથી તે બીજાનું ભલું કરતો રહે છે. બીજાનું ભલુ કર્યાનો

એહસાસ પણ રાખતો નથી. તે સત્કર્મો કરતો રહે છે તેનો લાભ કોને મળે છે તે જોતો

પણ નથી- એક નદી ની જેમ તે વહે છે તેના નીર કોણ પીએે છે તેનો તે ખ્યાલ કરતા નથી તે

જે કાંઇ કરે છે તે અનાયાસે થઇ જાય છે. આવો સરળ અને સહજ માણસ સંત જેવો હોય છે.

તે કદી કોઇનું અહિત કરતો નથી. તેના દિલમાં પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ,દયા અને કરુણા હોય

છે.માણસે માત્ર એટલી વાત સમજવી જોઇએ કે બીજાનું ભલું કરવામાંજ પોતાનું ભલું

સમાયેલું છે. જીવન એક સમપર્ણ છે પરમાત્માને.બીજાનું ભલું કરવાની તક કેટલા પુણ્ય કર્યા

હોય ત્યારે મળે છે. એવી જો એકાદ તક મળેતો એને હાથથી જવા નહીં દેતા.ખેતરમાં વાવેલ

અનાજના બધા કણ નહીં ઉગે પણ સત્કર્મના કણે કણ ઉગીને પાંગરસે એ ચોક્કસ છે.

ધોળી ધજા યુધ્ધવિરામ,ધોળા ભાત ભોજન વિરામ, ધોળા વાળ જીવન વિરામ.

ક્ષમા એ મોક્ષનો દરવાજો છે.

ધર્મ માં લાગી જા - આત્મા ને સાધી જા.

જે પ્રભુના બની જાય તેને પોતાનું કંઇ રહેતું નથી.

જે કંઇ થાય છે પ્રભુ કૃપાથી -પ્રભાવથી થાય છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૬ વચન મુજબ કરણી

હમણાં એક પુણ્યવાન મને મળવા આવેલા. તેમનો યુવાન પુત્ર ફોરેનમાં વસે છે. ધંધામાં

નુકશાન કર્યા બાદ પપ્પાને ફોન કર્યો. બાપે કહ્યું કે, ભલે બેટા જે પૈસા ગયા તે તારા નહીં

મારા કમાયેલા હતા. હવે તું તારી રીતે ત્યાં ટા્રય કર અથવા અહીં વતનમાં પાછો આવ તો હું

તને સેટ કરી દઉં. દીકરો કહે કે, ના! મારે અહિં જ રહેવું છે. ફોન મુકતા બાપે કહ્યું કે, ભલે

ત્યાં રહે પણ ધ્યાન રાખજે કે, ધંધામાં જેને ખોટું કહેવાય એવું કરીશ નહીં અને ધંધામાં

ધર્મનો દસ ટકા ભાગ રાખવાનું ભૂલીશ નહીં. આપણા સંસ્કારનો વારસો જીવતો રાખીશ

તોય સુખી થઇશ.દીકરો બાપની સાચી સલાહ માનીને ભાગ્યનો ખેલ ખેલી લેવા નીકળ્યો.

માત્ર એક માસના ટુંક સમયમાં તે દીકરો સાડા ત્રણ કરોડ રૂપીયા કમાયો. પાછો પપ્પાને

વધામણીનો ફોન કર્યો - તો બાપે કહ્યું કે બેટા! જે કમાયો છે તેમાંથી દશ ટકાતો અવશ્ય

સારા કાર્યમાં વાપરજે. દીકરાએ તરતજ પાંત્રીસ લાખનો ડા્રફટ પૂજય પિતાશ્રી ને સત્કાર્યાથે

વાપરવા મોકલી દીધો. આજે આપણે કમાઇએ છીએ પણ તેમાંથી ધર્માદા માટે શું વાપરીયે

છીએ? લક્ષ્મીનો પ્રવાહ ચાલુ રહેશે જો સત્કાર્ય ચાલુ હશે તો જ.આ વાત લખતાં મુંબઇની

એક જાણીતી શ્રીમંત પેઢીની વાત યાદ આવે છે. નામ છે શેઠ શ્રી દીપચંદ ગાર્ડી પરિવાર.

તેમણે ધર્માદા માટે બહુ મોટુ ટ્રસ્ટ બનાવ્યું છે. આજ રોજના એક લાખ રૂપીયાનું દાન કરે છે.

તેમણે માસ્ટર પ્લાન તો એવો ગોઠવ્યો છે કે, તેમનો ગ્રાન્ડસન મોટો થશે ત્યારે તે રોજનું

એક કરોડ રૂપીયાનું દાન કરી શકશે. આવા પૂણ્યવાન દાતારોથી આ ધરતી આજે પણ ટકી

છે.સામાન્ય રીતે માણસો પોતાની કથા કરવામાં સવિશેષ દિલચસ્પી દાખવતા હોય છે.

માણસને જેમ બીજાના નાના દોષોને મોટા કરીને દેખાડવાની કુટેવ હોય છે તેમ પોતાના

નાના અમસ્તા દુઃખને મસમોટું રૂપ આપીને સૌને બતાવતા કરવાની અને એમ કરીને બને

તેટલાંની, બને તેટલી સહાનુભૂતિ ઉઘરાવતા રહેવાનીયે કુટેવ હોય છે. પોતાનાં રોદણાં

રોઇ સામાને પોતા તરફ ખેંચવાના વૃતિવર્તાવ ઠીક તો નથી જ. આપણું જીવનતો છે એક

નિરંતર વહેતી નદી કોઇ ઘાટે, કોઇ કાંઠે તે અટકી રહેતી નથી.. તમને કોઇ વ્યકિત મળે તો

તમે તેની નબળી વાત કદી કરતા નહીં. દા.ત. તમે કેમ ઢીલા દેખાઓ છો? તમારું શરીર

નબળુંં પડી ગયુ છે? તમે કોઇ ચિંતામાં લાગો છો? આના બદલે આવું બોલજો..

તમારી તબિયત સરસ લાગે છે. મોં ઉપર પ્રસન્નતા જણાય છે. નેગેટીવ કથનો હતાશ કરે

છે. પોઝીટીવ કથનો ઉત્સાહ જન્માવે છે. બીજાને હતાશ કરવાનો આપણને શો અધિકાર?

અંતર કે આયને કી જબ સફાઇ હો જાયેગી,

બાદશાહી તો કયાં ખુદ ખુદાઇ મિલ જાયેગી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૭ શ્રી કુરગુડુ મુનિ

એક દ્રષ્ટિવિષ સર્પ હતો. તેને જે કોઇ બાજુ થી જુવે તેનું મોત થાય તેવું વિષ વાળું તેનુ શરીર

હતું. તેણે પૂર્વ ભવે કરેલ પાપો જાતિસ્મરણ જ્ઞાન થવાથી યાદ આવ્યાં અને તેથી તેનું મોઢું

દરમાં જ રાખવા લાગ્યો.મોં બહાર કાઢે અને કોઇ જુએ તો ઘણાં લોકોનું મોત થાય.એવું

મારે ન કરવું જોઇએ. એમ સમજીનેફકત તેનું પૂછડું જ દર ની બહાર રહે તેમ રાખવા લાગ્યો.

એવામાં કુંભ નામના રાજાના પુત્રને કોઇક સર્પે ડંખ માર્યો જેથી તે તરતજ મૃત્યુ પામ્યો.

આ કારણથી સર્પ ની જાતિ ઉપર કુંભરાજા બહુ ક્રોધે ભરાયા અને તેણે હુકમ બહાર પાડયો

કે જે કોઇ પણ સર્પને મારીને તેનું મડદું લઇ આવશે તેને દરેક મુડદાં દીઠ એકએકસોનામહોર

ઇનામ આપવામાં આવશે. આવા ઢંઢેરાથી લોકો ખોળી ખોળી સાપ મારીને તેનું મૃતશરીરલઇ

લઇ આવવા લાગ્યા. એક જણે પેલા દ્રષ્ટિવિષ સાપનું પૂછડું જોયું તેને જોરથી પૂછડું ખેંચવા

માંડયું પણ પૂંછડું ખેંચવા છતાં દયાળુ સાપ બહાર ન નીકળયો.પૂંછડું તૂટી ગયું.સાપઆવેદના

સમતાથી સહન કરી રહ્યો હતો. વળી તૂટી ગયેલા પૂંછડાનો થોડો ભાગ દેખાતા પેલા

માણસે કાપી લીધું.આમ શરીરના છેદન-ભેદન થતા હતા તે વખતે સર્પ વિચારતો હતો કે

‘ચેતન. તું એમ ન સમજ કે આ મારું શરીર જ કપાય છે પણ એમ સમજ કે આ શરીરના

કપાવવાથી તારાં પૂર્વ કરેલાં કર્મો કપાય છે. જો તેને સમતાથી સહન કરીશ તો આ દુઃખ

ભવિષ્યમાં તારું ભલું કરનારા થશે. આમ વિચારી તે આખરે મૃત્યુ પામ્યો.‘

એક રાત્રે પેલા કુંભ રાજાને સ્વપન આવ્યું કે તારે કોઇ પુત્ર નથી એની સતત ચિંતા તું કરે

છે. જો તું હવેથી કોઇ પણ સર્પને નહીં મારું એવી પ્રતિજ્ઞા લે તો તને પુત્ર રત્નની પ્રાપ્તિ

થશે.આથી કુંભ રાજાએ હવેથી સર્પ ન મારવાની પ્રતિજ્ઞા આચાર્ય મહારાજ પાસે જઇ લીધી.

દ્રષ્ટિવિષ સર્પ મરીને આ કુંભરાજાની રાણીની કુક્ષીએ અવતર્યો. તેનું નામ નાગદત્ત રાખ્યું.

યૌવન અવસ્થાએ પહોંચતાં એક વખત પોતાના ગોખમાં ઉભા ઉભા નીચે જૈન મુનિઓને

જતા જોયા અને વિચારતાં વિચારતાં તેને જાતિસ્મરણ થતાં સર્પનો પૂર્વ ભવ યાદ આવ્યો.

તેથી તે નીચે ઉતરી સાધુ મહારાજને વંદન કરી વૈરાગ્ય પામેલ હોવાથી દીક્ષા લેવા તૈૈયાર

થયો. માતાપિતાએ તેને ઘણો સમજાવ્યો છતાં કોઇનું ન માનતાં, મહામહેનતે તેમની આજ્ઞા

લઇ તેણે સદગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી. તે તિયર્ંચ યોનીમાંથી આવેલો હોવાથી અને તેને

વેદનીય કર્મનો ઉદય હોવાથી ભૂખ સહન કરી શકતો ન હતો. તેથી એક પોરસી માત્રનુું પણ

પચ્ચખાણ કરી શકાતું ન હતું. આવી તેની પ્રકૃતિ હોવાથી ગુરુ મહારાજે તેની યોગ્યતા જાણી

એવો આદેશ આપ્યો કે, જો તારાથી તપશ્ચર્યા થઇ શકતી નથી તો તારે સમતા અંગીકાર

કરવી એથી તને ઘણો લાભ થશે.

તે દીક્ષા સારી રીતે પાળવા લાગ્યો. પણ દરરોજ સવારમાં ઉઠી એક ગડુઆ (એક જાતનું

વાસણ) ભરીને કુર (ભાત) લાવીને જયારે વાપરે ત્યારે જ તેને હોશ–કોશ આવે. આમ

દરરોજ કરવાથી તેનું નામ કુરગડુ પડી ગયું.જે આચાર્યશ્રી પાસે કુરગડુએ દીક્ષા લીધી હતી

તેમના ગચ્છમાં બીજા ચાર સાધુઓ મહાતપસ્વી હતા. એક સાધુ એક માસના લાગલગાટ

ઉપવાસ કરતાં.બીજા સાધુ બે માસના લાગલગાટ ઉપવાસ કરતાં, ત્રીજા સાધુ ત્રણ માસના

ઉપવાસે પારણું કરતા અને ચોથા સાધુ ચાર માસના લાગટ ઉપવાસ કરી શકતા. આ ચારે

સાધુ મહારાજ આ કુરગડુ મુનિને -નિત્ય ખાઉં - એમ કહીં તેની દરરોજ નિંદા કરતા હતા.

પણ કુરગડુ મુનિ સમતા રાખી તેમના ઉપર તલ માત્ર દ્વેષ કરતા ન હતાં.એક વખત શાસન

દેવીએ આવીને કુરગડુ મુનિને પહેલા વાંધ્યા. આ જોઇ તપસ્વી મુનિએ કહ્યું, તમે પહેલાં

તપસ્વી મુનિને ન વાંદતાં આ તુચ્છ મુનિને કેમ વાંધ્યા? ત્યારે શાસનદેવી એ આ કુરગડુ

મુનિની સ્તુતિ કરતાં બોલ્યા કે હું દ્રવ્ય તપસ્વીઓને વાંદતી નથી. મેં ભાવ તપસ્વીનેે વાંદયા

છે. એક મહાપર્વ ને દિવસે સવારે કુરગડુ મુનિ ગોચરી વહોરી લાવ્યા અને જૈન આચાર

પ્રમાણે તેમણે દરેક સાધુને બતાવી કહ્યું - આમાંથી જો કંઇક વાપરવાની અભિલાષા હોય તો

વાપરો - આટલું સાંભળતાં જ તપસ્વી મુનિઓ ક્રોધાયમાન થઇ જેમ તેમ બોલવા લાગ્યા

અને કહ્યું આવા પર્વના દિવસે પણ તમે તપ કરતાં નથી. ધિક્કાર છે તમને, અને અમોને

પાછું વાપરવાનું કહો છો? આમ લાલપીળા થઇ ક્રોધથી હાકથું એમ કહી માંએથી બળખા

કાઢી તેમના પાતરામાં થુંકયા. આમ થવા છતાં પણ કુરગડુને બીલ્કુલ ગુસ્સો આવ્યો નહીં

અને મનથી વિચારવા લાગ્યા, હું પ્રમાદમાં પડેલો છું નાનું સરખું તપ પણ હું કરી શકતો

નથીં. ધિક્કાર છે મને, આવા તપસ્વી સાધુઓની યોગ્ય વૈયાવચ્ચ પણ કરતો નથી.. આજે

તમારા ક્રૌધ નું સાધન હું બન્યો. ઇત્યાદિક આત્મનિંદા કરતાં પાત્રામાં રહેલો આહાર

નિઃશકપણે વાપરવા લાગ્યા અને શુકલધ્યાનમાં ચડી જતાં તરત જ કેવળજ્ઞાન પામ્યા.

દેવતાઓ તરત જ દોડી આવ્યા અને સુવર્ણ સિંહાસન ઉપર તેમને સ્થાપી કેવળજ્ઞાન

મહોત્સવ ઊજવવા લાગ્યા.ચારે તપસ્વી મુનિઓ અચંબામાં પડી ગયા અને ઓહો, આ સાચા

ભાવ તપસ્વી છે.અમો ફકત દ્વવ્ય તપસ્વીઓજ રહ્યા. એ તરી ગયા. ઓહો ધન્ય છે તેમના

આત્માને. એમ કહી કેવળજ્ઞાની કુરગડુ મુનિને ખમાવવા લાગ્યા. એમ ત્રિકરણ શુદ્વિએ તેમને

સાચા ભાવથી ખમાવતા તે ચારે પણ કેવળજ્ઞાન ને પામ્યા.

પાવન કરે તે પર્વ,તારે તે તીર્થ,

શ્રદ્વા ત્યાં એકરાર, તર્ક ત્યાં તકરાર.

ચડતા દિનનું પારખું, નિત આવે મેહમાન,

પડતા દિનનું પારખું, ઘર ન આવે શ્વાન.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૮ શ્રી નમિરાજા

નભિરાજા અને ચંદ્રયશા બન્ને સહોદરને લડતાં બચાવ્યા અને ચંદ્રયશાએ રાજય નભિરાજાને

સોંપી દીક્ષા લીધી તે વાત આપણે મદનરેખાના ચારિત્રમાં જોઇ.

નભિરાજા ન્યાયમાર્ગે રાજય ચલાવતા હતા. ચંદ્રયશાનું રાજય લીધા પછી લગભગ છ મહિને

તેમને દાહ જવર ઉત્તપન્ન થયો. વૈદોે તેમની દવા કરતા હતા. પણ દાહ જવરમાં કિંચિંત ફેર

પડતો ન હતો. દાહ જવરને શાંત કરવા તેમની રાણીઓ ચંદન ઘસતી હતી. તેમના

ચૂડલાનો અવાજ નભીરાજાને અત્યંત વેદના કરતો હતો. તેમણે કહ્યું, મને આ દારુણ

અવાજ શેનો સંભળાય છે? તેના જવાબમાં સેવકોએ ચંદન ઘસાતું હતું તેમ જણાવ્યું અને

કહ્યું કે, ચંદન ઘસતી રાણીઓના હાથ ઉપરનાં કંકંણોનો આ અવાજ છે ત્યારે બધી

રાણીઓએ એકેક કંકણ રાખી બાકીના કંકણ કાઢી નાંખ્યા જેથી થતો અવાજ બંધ થઇ જાય.

વધારાના કંકણો ઉતારી નાખવાથી અવાજ બંધ થયો. આમ થવાથી નભીરાજાએ પૂછયું કે,

હવે કેમ અવાજ બંધ થઇ ગયો? ત્યારે સેવકોએ જણાવ્યું કે, સૌભાગ્યનું કંકણ રાખીને બાકી

નાં બધાં ઉતારી નાંખ્યા છે. ત્યારે રાજા વિચારવા લાગ્યો. ઘણા કંકણો હતાં તેનો અવાજ

દુઃખકારક હતો પણ ફકત એક જ કંકણ રહેવાથી એકદમ શાંતી થઇ. એમ એકલાપણાં માં

મહાસુખ છે. જંજાળ વધવાથી દુઃખ વધે છે, સુખ વધતું નથી. માટે આત્મહિત માટે જંજાળ

નો ત્યાગ કરવો એમ વિચારતાં મનથી નક્કી કર્યું કે જો મારો આ દાહ જવર બિલકુલ શાંત

થશે તો હું ચારિત્ર અંગીકાર કરીશઆમ વિચારી તેઓ સુઇ ગયા.

પ્રભાતે ઊઠયા ત્યારે દાહ જવર શાંત થઇ ગયો હતો. તે રાત્રે સ્વપ્નમાં તેમણે ઐરાવત

હસ્તી અને મેરૂપર્વત ને જોયેલ. આવા સુંદર સ્વપ્નના કારણે રોગ દૂર થયો એમ નભિરાજા

સમજયા. આ સ્વપ્નને ફરી ફરી વિચાર કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મેં પૂર્વ

ભવે સાધુપણુું પાળ્યું હતું. ત્યાંથી મૃત્યુ પામીને હું પ્રાણાત દેવલોકે દેવતા થયો હતો. આમ

જાતિયસ્મરણ જ્ઞાન થવાથી પોતાના પુત્રને રાજય સોંપી દીક્ષા ગ્રહણ કરી નભિરાજાએ

ચારિત્ર લીધું એટલે ઇંદ્રરાજાએ બ્રાહ્મણનું રૂપ લઇને તેમની પરીક્ષા કરવા આવ્યા અને કહે,

હે રાજન! તેં રાજયનો તૃણવત ત્યાગ કર્યો તે બહુ સારુ કર્યુ પણ તારે જીવદયા પાળવી

જોઇએ. તારી સ્ત્રીઓ તું વ્રત ગ્રહણ કરે છે તેથી રૂદન કરે છે માટે જીવદયા ખાતર તારે વ્રત

ગ્રહણ ન કરવું જોઇએ .

નભિ મુનિ એ ઉત્તર આપ્યો કે મારું વ્રત એ દુઃખનું કારણ નથી પણ તેઓના સ્વાર્થમાં હાની

પહોંચે છે, તે તેમને દુઃખકર્તા છે. માટે હું તો મારું જ કાર્ય કરું છું . ઇંદ્રે કહ્યું,હે રાજન!

તારા મહેલ,અંતઃપુર આદિ સળગે છે તેની તું કેમ ઉપેક્ષા કરે છે ? નભિરાજાએ કહ્યું આ

મહેલ મારા નથી. અંતઃપુર પણ મારું નથી.ઇંદ્રે કહ્યું રાજન! જયારે તું રાજય છોડીને જાયે

તો આ નગરીના કોટ ને મજબૂત કરીને જા . રાજર્ષિએ કહ્યું મારે તો સંયમ એ જ નગર

છે, તેમાં શમ નામે કોટ છે, ને યમ નામે યંત્ર છે . ઇંદ્રે કહ્યું, હૈ ક્ષત્રિય! લોકોને રહેવા

માટે મનોહર પ્રાસાદ કરાવીને પછી વ્રત લેજે . મુનિએ ઉત્તર આપ્યો એતો દુર્બુદ્ધિજન કરે,

મારે તો જયાં મારો દેહ છે ત્યાં જ મંદિર છે .વળી ઇંદ્રે કહ્યું તું ચોર લોકોનો નિગ્રહ કરી

પછી વ્રત લે .મુનિ બોલ્યા મેં રાગ,દ્વેષ આદિ ચોરોનો નિગ્રહ કર્યો છે .ઇંદ્રે કહ્યું,કેટલાક

ઉદ્ધત રાજાઓ હજી તને નમતા નથી તેમનો પરાજય કરી પછી તું પ્રવજયા લે.રાજાએ કહ્યું,

યુદ્ધમાં લાખો સુભટોને જીત્યાથી શું જય ગણાય? ખરો જય તો એક આત્માને જીત્યાથીથાય

છે અને એને જીતીને મેં પરમ જય મેળવ્યો છે. (ઇત્યાદિ બોધદાયક નભિરાજર્ષિ અને

ઇંદ્રરાજાનો સંવાદ ઉત્તરાધ્યન સૂત્રથી જાણવો.) આ સંવાદ પૂરો થતાં નભિરાજ આગળ

ચાલવા જાય છે ત્યાં ઇંદ્રે પોતાનું અસલ સ્વરુપ પ્રગટ કરીને બોલ્યા,હૈ યતિશ્વર! તમને

ધન્ય છે. તમે સર્વ ભાવ વૈરીનો પરાભવ કરી તમારો ઉત્કૃષ્ટ સ્વભાવ જણાવ્યો છે.એમ

સ્તુતિ કરી ઇંદ્ર સ્વર્ગમાં ગયા અને નભિરાજા કાળે કરી મુકિતએ ગયા.ગુણને નમસ્કાર એટલે

ગુણીને નમસ્કાર..હું તમે કે આ દુનિયાનો કોઇ પણ આત્મા રાગદ્ધેષ ખતમ કરી દે તો

ભગવાન બની શકે છે. ભગવાન બનવાની મોનોપોલી જૈન શાસનમાં કોઇ એક વ્યકિતને

આપવામાં નથી આવી. માટે બર્નાડશા જૈનકુળમાં જન્મ લેવા ઇચ્છતા હતા.

ખ્ર્દ્ર.ક્ડથ્દ્રડ્ઢડ ઉંડદ્રત્ત્ટ્ટદ્રઠ્ઠ ચ્ઢટ્ટદ્વ, ણ્ત્ત્ દ્દઢડ ઠથ્દ્ધદ્રદ્મડ થ્ડ્ડ ઢણ્દ્મ દ્દટ્ટત્ણૂદ્મ દ્વણ્દ્દઢ ચ્ઢદ્રણ્ ઊંડદ્યણ્ઠ્ઠટ્ટદ્મ ક્ટ્ટત્ત્ઠ્ઠઢણ્, દ્મથ્ત્ત્ થ્ડ્ડ ખ્ર્ટ્ટઢટ્ટદ્દત્ર્ટ્ટ ક્ટ્ટત્ત્ઠ્ઠઢણ્ ડદૃથ્ર્દ્રડદ્મદ્મડઠ્ઠ દ્દઢડ દ્યણ્ડદ્વ દ્દઢટ્ટદ્દ ક્રટ્ટણ્ત્ત્ટ્ટ ચ્ર્ડટ્ટઠઢણ્ત્ત્ડ્ઢદ્મ દ્વડદ્રડ ટ્ટથ્ર્થ્ર્ડટ્ટત્ણ્ત્ત્ડ્ઢ દ્દથ્ ઢણ્ત્ર્ ત્ર્દ્ધઠઢ ટ્ટત્ત્ઠ્ઠ દ્દઢટ્ટદ્દ ઢડ દ્વણ્દ્મઢડઠ્ઠ દ્દથ્ ટ્ઠડ દ્રડટ્ઠથ્દ્રત્ત્ ણ્ત્ત્ ટ્ટ ક્રટ્ટણ્ત્ત્ ડ્ડટ્ટત્ર્ણ્ત્ધ્. ઊંદ્ધડ દ્દથ્ દ્દઢડ ણ્ત્ત્ડ્ડત્દ્ધડત્ત્ઠડ થ્ડ્ડ ક્રટ્ટણ્ત્ત્ણ્દ્મત્ર્, ઢડ દ્વટ્ટદ્મ ટ્ટત્દ્વટ્ટધ્દ્મ દ્દટ્ટણૂણ્ત્ત્ડ્ઢ થ્ર્દ્ધદ્રડ ડ્ડથ્થ્ઠ્ઠ ડ્ડદ્રડડ ડ્ડદ્રથ્ત્ર્ ત્ર્ડટ્ટદ્દ ઠ્ઠણ્ડદ્દ ટ્ટત્ત્ઠ્ઠ ત્ણ્દદ્ધથ્દ્ર. ઊંણ્દ્યણ્ત્ત્ણ્દ્દધ્ દ્મણ્ત્ત્ડ્ઢદ્મ ડ્ડદ્રથ્ત્ર્ દ્દઢડ ઢડટ્ટદ્રદ્દદ્મ થ્ડ્ડ દ્દઢથ્દ્મડ દ્વઢથ્ ઠટ્ટત્ત્ ટ્ઠડ ડ્ઢથ્થ્ઠ્ઠ ડદ્યડત્ત્ દ્દથ્ દ્દઢથ્દ્મડ દ્વઢથ્ ઢટ્ટદ્યડ ત્ત્થ્દ્દ ટ્ઠડડત્ત્ ડ્ઢથ્થ્ઠ્ઠ દ્દથ્ દ્દઢડત્ર્. ચ્ર્થ્ ટ્ઠડ દ્રદ્ધઠ્ઠડ ણ્દ્મ દ્દઢડણ્દ્ર ઠઢટ્ટદ્રટ્ટઠદ્દડદ્રદ્દથ્ ટ્ટથ્ર્થ્ર્દ્રડઠણ્ટ્ટદ્દડ ણ્દ્મ ત્ર્ધ્ ઊઢટ્ટદ્રટ્ટઠદ્દડદ્ર. ઋદૃથ્ર્ડદ્રણ્ડત્ત્ઠડ ણ્દ્મ દ્દઢડ ટ્ઠડદ્મદ્દ દ્દડટ્ટઠઢડદ્ર. ઉડ્ડદ્દડદ્ર દ્દઢડ ડ્ઢટ્ટત્ર્ડ થ્ડ્ડ ઠઢડદ્મદ્મ- દ્દઢડ ણૂણ્ત્ત્ડ્ઢ ટ્ટત્ત્ઠ્ઠ દ્દઢડ થ્ર્ટ્ટદ્વત્ત્ ડ્ઢથ્ ણ્ત્ત્દ્દથ્ દ્દઢડ દ્મટ્ટત્ર્ડ ટ્ઠથ્દૃ, ડ્ઢથ્ડદ્મ દ્દઢડ ક્કદ્દટ્ટત્ણ્ટ્ટત્ત્ દ્મટ્ટધ્ણ્ત્ત્ડ્ઢ. ચ્ર્દ્રદ્ધડ, ટ્ઠદ્ધદ્દ દ્વઢધ્ ટ્ઠડ ટ્ટ થ્ર્ટ્ટદ્વત્ત્ દ્વઢડત્ત્ ધ્થ્દ્ધ ઠટ્ટત્ત્ ટ્ઠડ દ્દઢડ ણૂણ્ત્ત્ડ્ઢ. ઉદ્મ દ્દઢડ ણૂણ્ત્ત્ડ્ઢ, ધ્થ્દ્ધ ઠટ્ટત્ત્ દ્મડદ્રદ્યડ દ્મથ્ ત્ર્ટ્ટત્ત્ધ્ ટ્ટત્ત્ઠ્ઠ ટ્ઠડ દ્ધદ્મડડ્ડદ્ધત્ દ્દથ્ દ્મથ્ ત્ર્ટ્ટત્ત્ધ્. ઙડત્ર્ડત્ર્ટ્ઠડદ્ર, દ્મડદ્રદ્યણ્ઠડ દ્દથ્ ઢદ્ધત્ર્ટ્ટત્ત્ણ્દ્દધ્ ણ્દ્મ દ્દઢડ દ્રડત્ત્દ્દ દ્વડ થ્ર્ટ્ટધ્ ડ્ડથ્દ્ર ત્ણ્દ્યણ્ત્ત્ડ્ઢ ણ્ત્ત્ દ્દઢણ્દ્મ થ્ર્ત્ટ્ટત્ત્ડદ્દ. જઢટ્ટદ્દ દ્વડ ઠ્ઠથ્ ડ્ડથ્દ્ર થ્દ્ધદ્રદ્મડત્દ્યડદ્મ દ્વણ્ત્ત્ ઠ્ઠણ્ડ દ્વણ્દ્દઢ દ્ધદ્મ,દ્વઢટ્ટદ્દડદ્યડદ્ર દ્વડ ઠ્ઠથ્ ડ્ડથ્દ્ર થ્દ્દઢડદ્રદ્મ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્ર દ્દઢડ દ્વથ્દ્રત્ઠ્ઠ દ્વણ્ત્ત્ ટ્ઠડ ત્ડડ્ડદ્દ ટ્ઠડઢણ્ત્ત્ઠ્ઠ ટ્ટત્ત્ઠ્ઠ ણ્દ્દ દ્વણ્ત્ત્ દ્રડત્ર્ટ્ટણ્ત્ત્ ણ્ત્ર્ત્ર્થ્દ્રદ્દટ્ટત્. ઉત્ત્ ત્ર્દ્ધદ્મદ્દ દ્રડત્ર્ડત્ર્ટ્ઠડદ્ર ઠ્ઠડટ્ટદ્દઢ ઠ્ઠથ્ડદ્મ ઠથ્ત્ર્ડ ણ્ત્ત્ દ્દઢડ ડત્ત્ઠ્ઠ. ચ્થ્ત્ર્ડ થ્ર્ડથ્થ્ર્ત્ડ ટ્ટદ્રડ દ્ધત્ત્ઠ્ઠડદ્ર દ્વદ્રથ્ત્ત્ડ્ઢ ણ્ત્ર્થ્ર્દ્રડદ્મદ્મણ્થ્ત્ત્ ટ્ટટ્ઠથ્દ્ધદ્દ ડધ્ડ ટ્ટત્ત્ઠ્ઠ ટ્ઠથ્ઠ્ઠધ્ ઠ્ઠથ્ત્ત્ટ્ટદ્દણ્થ્ત્ત્. ઋદ્યડત્ત્, ણ્ડ્ડ ધ્થ્દ્ધ ઠ્ઠથ્ ત્ત્થ્દ્દ ઠ્ઠથ્ત્ત્ટ્ટદ્દડ ટ્ટત્ત્ધ્દ્દઢણ્ત્ત્ડ્ઢ - દ્દઢડત્ત્ ટ્ટત્દ્મથ્ થ્ત્ત્ઠડ ધ્થ્દ્ધદ્ર દ્મથ્દ્ધત્ ણ્દ્મ ત્ત્થ્ ત્ર્થ્દ્રડ ણ્ત્ત્ દ્દઢડ ટ્ઠથ્ઠ્ઠધ્ -ણ્ડ્ડ ધ્થ્દ્ધ દ્દઢણ્ત્ત્ણૂ ઠ્ઠડડથ્ર્ત્ધ્ દ્વઢટ્ટદ્દ ધ્થ્દ્ધ ટ્ટડ્ઢદ્રડડ દ્દથ્ ઠ્ઠથ્ત્ત્ટ્ટદ્દડ ટ્ટડ્ડદ્દડદ્ર ઠ્ઠડટ્ટદ્દઢ ઢડત્થ્ર્દ્મ દ્દદ્વથ્ ટ્ઠત્ણ્ત્ત્ઠ્ઠ થ્ર્ડદ્રદ્મથ્ત્ત્દ્મ- દ્મડડ દ્દઢડ દ્વથ્દ્રત્ઠ્ઠ. ચ્ર્ઢડણ્દ્ર દ્રડદ્મથ્ર્ડઠદ્દ ડ્ડથ્દ્ર ઢદ્ધત્ર્ટ્ટત્ત્ણ્દ્દધ્ દ્વણ્ત્ત્ થ્ર્થ્દ્મણ્દ્દણ્દ્યડત્ધ્ ણ્ત્ત્ઠદ્રડટ્ટદ્મડ ટ્ટત્ત્ઠ્ઠ ક્ક ટ્ટત્ર્ દ્મદ્ધદ્રડ દ્દઢથ્દ્ધડ્ઢઢ દ્દઢડધ્ ત્ર્ટ્ટધ્ ત્ત્થ્દ્દ ણૂત્ત્થ્દ્વ-દ્વઢથ્ ણ્દ્મ દ્દઢડ ઠ્ઠથ્ત્ત્થ્દ્ર -દ્મદ્દણ્ત્ત્ દ્દઢડણ્દ્ર ટ્ઠત્ડદ્મદ્મણ્ત્ત્ડ્ઢદ્મ દ્વણ્ત્ત્ ઠથ્ત્ર્ડ ડ્ડદ્રથ્ત્ર્ દ્દઢડણ્દ્ર ઢડટ્ટદ્રદ્દ. ક્કડ્ડ દ્દઢડધ્ ઠ્ઠથ્ ટ્ઠધ્ ઠઢટ્ટત્ત્ઠડ -ટ્ટત્ત્ધ્દ્દઢણ્ત્ત્ડ્ઢ દ્વદ્રથ્ત્ત્ડ્ઢ - ધ્થ્દ્ધ દ્વણ્ત્ત્ ત્ત્થ્દ્દ ટ્ઠડ ડ્ઢદ્ધણ્ત્દ્દધ્. ગ્થ્દ્વ, ક્થ્ઠ્ઠ ઢટ્ટદ્મ ડ્ઢણ્દ્યડત્ત્ ધ્થ્દ્ધ ડધ્ડદ્મ- ણ્ડ્ડ ધ્થ્દ્ધ ઠ્ઠથ્ દ્મથ્ત્ર્ડદ્દઢણ્ત્ત્ડ્ઢ દ્વદ્રથ્ત્ત્ડ્ઢ ઠ્ઠથ્ ધ્થ્દ્ધ ત્ર્ડટ્ટત્ત્ દ્દથ્ દ્મટ્ટધ્ -ક્થ્ઠ્ઠ ણ્દ્મ દ્રડદ્મથ્ર્થ્ત્ત્દ્મણ્ટ્ઠત્ડ. ઘ્ત્ડટ્ટદ્મડ દ્દદ્રધ્ દ્દથ્ દ્ધત્ત્ઠ્ઠડદ્રદ્મદ્દટ્ટત્ત્ઠ્ઠ - ક્ષ્ઉઙખ્ર્ઉ દ્દઢડથ્દ્રધ્.

અનુક્રમણિકા

વાર્તા નં :૫૯ આંધળાનો હાથી

કાશી ની ઉત્તર દિશામાં એક સુંદર શહેર આવેલું છે. ખાધેપીધે સુખી છે. ખેડખેતરે પૂરું છે.

નવાણ-નીરે છલકાતુ છે. એમા રહે છે સાતભદ્રમાણસોે.આ સાતે કાશી જઇને ભણી આવ્યા

છે. વિધામાં, વિવેકમાં,વિનયમાં એકબીજાને આંટે એવા છે! એકને જુઓ, બીજાને ભૂલો!

એકલી વિધાથી ન ચાલે! વિધા સાથે વિવેક અને વિનય પણ ખરાં. ભણીએ પણ વિવેક ન

જાણીએ તો યે નકામું. વિધા અને વિવેક હોય, પણ વિનય ન હોય તો બે ય નકામા! જૂના

વખતમાં એ ત્રણેય સાથે ભણે તે જપંડિત કહેવાય. લોકોને ખબર પડી કે કાશી એ જઇને

ભણી આવેલાપંડિતો આવ્યા છે; એટલે સહુનો પડયો દરોડો. સહુ કહે કે અમને તમારી

વિધાનું સત્વ કરો.

વિધાનું સત્વ એટલે તારણ.દૂધને મેળવી દહીં કરીએ ને દહીં ને વલોવી છાશ જુદી કરી,

માખણ તારવી લઇએ એનું નામ સત્વ. સાતેપંડિતો પોતપોતાની વિધાનું સત્વ આપવા

લાગ્યા.

પહેલોપંડિત કહે દુનિયામાં જ્ઞાન ઉત્તમ છે, જ્ઞાન વગરનું બધું નકામું. ખૂબ જ્ઞાન ભણો, તો

જ માનવ જીવનનું સાર્થક કરશો .

બીજોપંડિત કહે, જ્ઞાન તો ઠીક; પણ ક્રિયા મોટી ચીજ છે. મોંએથી પાણી પાણી બોલીએ,

વળી જ્ઞાનથી આપણે જાણીએ કે પાણી પીધે તરસ છીપે, પણ જયાં સુધી પાણી પીવાની ક્રિયા

ન કરીએ ત્યાં સુધી બધું નકામું તળાવે જઇને તરસ્યા આવવા જેવું એ તો કહેવાય!

ત્રીજોપંડિત કહે જ્ઞાન અને ક્રિયા તો ઠીક, પણ તપ મોટી ચીજ છે. કાયા ને કષ્ટ ન આપો

ત્યાં સુધી દુનિયામાં કંઇ કામ ન સરે .

ચોથોપંડિત કહે, જ્ઞાન, ક્રિયા ને તપ તો ઠીક, પણ જીવનમાં દયાભાવ રાખવો જોઇએ.

કહ્યું છે ને, દયા ધર્મકા મૂલ હૈ .

પાંચમોપંડિત કહે, જ્ઞાન,ક્રિયા,તપ ને દયાભાવ તો ઠીક, પણ પહેલા સંસારથી અળગા થઇ

સંન્યાસ લેવો જોઇએ. દુનિયાદારી સાથે બહુ સંબંધ રાખો એટલે તો ફસાઇ જ પડો .

છઠ્ઠોપંડિત કહે, એમ સંન્યાસ લઇ તમારે વન જંગલમાં જવાની જરૂર નથી. અરે, કહ્યું છે

ને કે, સંસાર સુ સરસો રહે ને મન મારી પાસ - ભકિત કરતાં આવડવી જોઇએ. મન ચંગા

તો કથરોટમાં ગંગા - ભકિત કરો તો જ બેડો પાર થાય.

સાતમોપંડિત કહે, એ બધું ઠીક, પણ સેવાભાવ રાખો તો એમા બધું આવી જાય.

શાસ્ત્રમાં સેવાધર્મ ને પરમ ગહન કહ્યોછે.

આમ મૂંડે મૂંડે જુદી મતિ થઇ! ગામના લોકો ભારે મૂંઝવણમાં પડયા એટલે ગયા રાજા

પાસે, એ વેળાએ રાજા બહુ ડાહયો અને ચતુર. એણેપંડિતોને બોલાવ્યા ને કહ્યું કે ધર્મમાં કે

તત્વ માં હું કાંઇ ન સમજું. વાદવિવાદ કરો ને સાચો કોણ એ નક્કી કરો. સહુથી શ્રેષ્ટ ઠરે

એપંડિતને મારે રાજદરબારમાં રાજપંડિતનું સિંહાસન ને વિધાની મશાલ આપવી છે.

એ વખતે સાતેપંડિતો હાથ જોડીને બોલ્યા રાજાજી! કહો તે રીતે વાદવિવાદ કરીએ.

આપને રુચે તેની વાત માનો, પણ રાજદરબારમાં સિંહાસન મુકાય તો સાતેયનાં મુકાય; ન

મુકાય તો એકેયનું નહીં! રાજા કહે, તો સાતમાં સાચું કોણ?

સાચુ માણસ અને સાચી માણસની માણસાઇ! સાતેપંડિતોએ કહ્યું. અમે લડવા-ઝઘડવા કે

એકબીજાને નીચે દેખાડવા વિધા ભણ્યા નથી. આ તો અમે જે સમજયા તે ન કહીએ તો વિધા

ના ૃદ્વોહી ઠરીએ. દુનિયામાં કુસંપથી મોટોે કોઇ અધર્મ નથી. રાજાએ સાતેને પોતાની સભામાં

સિંહાસન-માન બધું આપ્યું.એ વાતને એક જમાનો વીતી ગયો. સાતેપંડિતો અને રાજા પણ

કાળક્રમે ગુજરી ગયા. નવો રાજા-નવી પ્રજા -સાતેપંડિતોના પુત્રો આવ્યા.

નવા રાજા એ વિચાર કર્યો કે સાતપંડિતોના સાત સિંહાસનો દરબારમાં ખુબજ જગા રોકે છે.

નવા રાજાએપંડિતોને નોતર્યા ને કહ્યું તમારા સાતમાં કોણ શ્રેષ્ટ છે તેને રાજગુરુનું સિંહાસન

મળશે. સાતેપંડિતોમાં તું તું ને મેં મેં થઇ રહ્યું કયાં બાપ ને કયાં બેટા! વિવેક અને વિનય

વિનાની વિધા તે આનું નામ! રાજા એ નારાજ થઇ સાતે સિંહાસન દરબારમાંથી રદ કર્યા.

લાખનાપંડિતો ટકાના ત્રણ શેર થઇ ગયા. હવે એમની આંખો ખુલી. બનવાકાળ કે એ

ગામમાં એક મહાજ્ઞાની ગુરુ પધાર્યા.જંગલમાં રહે, સહેજમાં મળે તે ખાય. આખો દિવસ

ધ્યાનમાં મસ્ત રહે. બધાપંડિતો જુદા જુદા એ ગુરુ પાસે પહોંચ્યા. એમના મનમાં એમ કે

ગુરુ પાસે પોતાનો મત સાચો ઠેરવી લઇએ, પછી જોઇ લેવાશે! રાજા પણપંડિતોના

ઝઘડાથી કંટાળ્યા હતા. એ પણ ગુરુ પાસે પહોંચ્યા. ગામ લોકો પણ રોજના લેવા-દેવા

વગરના આ ઝઘડાથી કંટાળ્યા હતા. તેઓ પણ ત્યાં આવ્યા.પંડિતોએ, રાજાએ, લોકોએ

ગુરુને પ્રશ્ન પૂછયો - આ બધામાં કયાપંડિતનો મત સાચો છે? ગુરુજી જાણકાર હતા.

એમણે ન શાસ્ત્ર કાઢયાં, ન વિવાદ કર્યો, સામાન્ય વાત કરતા હોય તેમ કહ્યું કે તમારા

ગામમાં અંધ માણસો કેટલા છે? લોકો કહે કે સાત જણા તો સાવ જન્મથી જ અંધ છે, બાકી

કોઇ રોગથી, કોઇ અકસ્માતથી, કોઇ મારામારી થી-એમ અંધ થયેલાં ઘણાં છે. ગુરુ એ કહ્યું

- જન્મથી અંધ છે તે સાત જણાને બોલાવો.તથા રાજાની ગજશાળામાંથી એક હાથી ને

બોલાવો. હાથી આવ્યો એટલે ગુરુએ જન્માંધો ને પૂછયું - ભાઇએા તમે કદી હાથી જોયો છે?

બધા કહે અમે તો જન્મથી જ અંધ છીએ. હાથી કયાંથી જોયો હોય?ગુરુ કહે - હાથી વિશે

કાંઇ સાંભળ્યું છે? પેલા સાતે આંધળા કહે - ના બાપજી! ગુરુ કહે ચાલો ત્યારે, તમને

બતાવું. પછી તેઓ એક અંધ ને હાથીની સૂંઢ પાસે લઇ ગયા. કહ્યું કે આ હાથી છે, એને

અડો. બીજાને પગ પાસે લઇ જઇને ઉભો રાખ્યો. ત્રીજાને પૂંછડા પાસે, ચોથા ને કાન પાસે,

પાંચમાને દંતશુળ પાસે, છઠ્ઠાને પેટ પાસે ને સાતમાને ગંડસ્થળ પાસે ઊભો રાખ્યો ને કહ્યું કે

હાથી ને બરાબર જોઇ તપાસી લો.

થોડી વારે ગુરુએ પૂછયું કહો ભાઇઓ! હાથી કેવો? સૂંઢ ઝાલનાર અંધ કહે-ગુરુજી -હાથી

અજગર જેવો છે. ત્યાંતો પૂંછડું ઝાલનાર અંધ કહે - અજગર જેવો તો નહીં, પણ દોરડા જેવો

છે. ત્યાં તો કાન ઝાલનારે કહ્યું - અલ્યા આંખોના આંધળા તો છો સાથે અક્કલના પણ અંધ

છો? હાથી તો ચોખ્ખો સૂપડા જેવો છે. ત્યાંતો ગંડસ્થળ પર બેઠેલો કુધો નીચે તે ઝનૂનમાં

બોલ્યો, હાથી તો માટલા જેવો છે. ત્યાં તો પેલો પેટવાળો અંધ બરાડી ઊઠયો.અરરરરરર!

તમારા બધાનું ખસી ગયું લાગે છે. હાથી તો ખાસ્સો મશક જેવો છે. તો પેલો પગ ઝાલનારો

કહે કે તમારા બધાની આંખ સાથે અક્કલ પણ ફૂટી ગઇ લાગે છે. હાથી તો થાંભલા જેવો છે.

ત્યાં દંતશૂળ ઝાલનારો કહે કે ફૂટી તો આપણા બધાની ગઇ છે, બાકી મેં પાકી ખાત્રી કરી

છે, કે હાથી લાકડા જેવો છે.

બધા ને લાગ્યું કે ગુરુએતો વળી નવો ઝઘડો ખડો કર્યો! એક તો સાતપંડિતોનો ઝઘડો

ઉભો છે ત્યાં આ બીજો જાગ્યો! પણ ના, એ તો સમજાવવાની નવી રીત હતી. એતો આડે

લાકડે આડો વેહ! સાચા ગુરુની ખૂબી જ એ છે! સાતે આંધળા લડવા માંડયા, એટલે ગુરુએ

સહુને શાંત પાડતાં કહ્યું-તમારા રાજા તમને કહેશે કે હાથી કેવો છે. રાજા કહે- હાથી

સૂપડાના જેવા કાનવાળો, સાપના જેવી સૂંઢવાળો, દોરીના જેવીપૂંછવાળો, માટલા જેવા

ગંડસ્થળવાળો, મશક જેવા પેટવાળો, થાંભલાના જેવા પગવાળો ને લાકડાના જેવા

દંતશૂળવાળો છે. દરેક આંધળાએ હાથીનું એક એક એમ અલગ અંગ ઝાલેલ -બધા ની વાત

તે અંગ પૂરતી સાચી હતી. ગુરુ એ કહ્યું કે જેઓને જોવા માટે કુદરતે દીવા જેવી આંખો આપી

છે, તેઓ જયારે મોટાઇથી અંધ બનીને લડે છે ત્યારે કોને દેખતા કહેવા ને કોને આંધળા

કહેવા એની ભારે વિમાસણ થઇ જાય છે.

વાહ ગુરુ વાહ, ખરું સમસ્યામાં સમજાવ્યું.પંડિતો આખરેતો જ્ઞાની હતા ને! તેઓ પોતાની

ભૂલ સમજયા, પણ તે કેવા? વાઢો તો લોહી ન નીકળે! તેઓ ગુરુના ચરણમાં પડયા ને

બોલ્યા - અમો પણ છતી આંખે આંધળા બન્યા, છતી અક્કલે ર્મૂખ બન્યા. છતે જ્ઞાને અજ્ઞાની

બન્યા, માણસાઇરુપી હાથી ને જ વીસરી ગયા, ને પૂંછ કે પગ ઝાલી મંડયા લડવા-ઝગડવા,

જયાં ઝઘડો ત્યાં ધર્મ નથી, એ અમે ન સમજયા. ગુરુ કહે- ભાઇઓ, ડાહયા ભૂલે ત્યારે

આખી ભીંત ભૂલે. ભલે તમને સૂજેે તે દેશકાળને અનુસરતા તમારા મત સ્થાપો, પણ

માણસાઇરૂપી હાથીને કદી ન ભૂલશો. કોઇ એક અંગમાં જ્ઞાન પણ સાચું છે, ક્રિયા પણ

સાચી છે, તપ સદાવ્રત સેવા અને સંન્યાસ પણ સાચા છે. છતાં એ વાત ન ભૂલશો કે એ બધા

માણસાઇના અંગ છે. માણસાઇમાં એ બધું આવી જાય.માણસાઇ જાય ત્યાંથી એ બધું જાય.

બધા પોતાની ભૂલ સમજયા,ને બગડેલી બાજી સુધારવા લાગી ગયા.

ખામેમી સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મે,

મિત્તિમે સવ્વ ભુએસુ, વેરં મજઝ ન કેણઇ.

ભૂલ થઇ જાય એ પ્રકૃત્તિ છે.

ભૂલ પર ભુલ કર્યા કરવી એ વિકૃતિ છે.

ભૂલ થયા બાદ એને સુધારી લેવી એ સંસ્કૃતિ છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૦ રેતી અને પથ્થર

બે મિત્રો રણમાં ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા કોઇક વાતે તેઓ ઝઘડી પડયા અને

એક મિત્રે બીજા મિત્રે બીજાને લાફો મારી દીધો. જેને લાફો પડયો તે મિત્રને ખુબ દુઃખ

થયું,પણ કંઇ બોલ્યા વગર તેણે રેતીમાં લખ્યું, આજે મારા શ્રેષ્ટ મિત્રે મને તમાચો માર્યો.

તેમણે ચાલવાનું રાખ્યું અને તેઓ એક જગ્યાએ પહોંચ્યા જયાં પાણીના નાના તળાવ જેવું

હતું. તેમણે ત્યાં નહાવાનું નક્કી કર્યું. તેઓ પાણીમાં ઉતર્યા. જેને લાફો પડયો હતો તે મિત્ર

ડુબવા લાગ્યો અને બીજા મિત્રે તેને બચાવ્યો. સ્વસ્થ થઇ ગયા બાદ તેણે એક પથ્થર પર

લખ્યું, આજે મારા સૌથી નજીકના અને શ્રેષ્ટ મિત્રે મારો જીવ બચાવ્યો.

બીજા મિત્રે પુછયું,જયારે મેં તને માર્યુ ત્યારે તે રેતીમાં લખ્યું પણ જયારે મેં તારો જીવ

બચાવ્યો ત્યારે તેં પથ્થર પર લખ્યું. આવુંશા માટે?હસીને પેલાએ જવાબ આપ્યો, જયારે

કોઇ મિત્ર તમને દુઃખ પહોંચાડે ત્યારે તમારે તે રેતી માં લખવું જોઇએ, જેથી ક્ષમાનો પવન

એ લખાણ ને ભૂંસી નાંખશે. પણ જયારે કોઇક મહાન ઘટના બને ત્યારે આપણે તેને

હૃદયરૂપી પથ્થર પર કોતરી નાંખવી જોઇએ જેથી કોઇ તેને ભૂંસી શકે નહીં..

આમ, જયારે તમારું કોઇ સ્વજન કે તમારો અંગત મિત્ર તમારી લાગણી દુભવે ત્યારે તમે પણ

રેતીમાં લખજો એટલે કે તેને ભૂલી જજો. અને જયારે તમારું કોઇ અંગત સ્વજન કે સ્નેહી

મિત્ર તમારા માટે ખરેખર કંઇક સારું કરે ત્યારે તેને પથ્થર પર લખજો ઐટલે કદાપિ

ભૂલશોનહીં.. ખોટું બોલતાં શીખવું પડે છે. જયારે સત્ય કુદરતી બોલાય જાય છે.સદાચાર

એટલે પ્રભુ સમીપ લઇ જનાર આચાર..મુકિત એ ભકિતનો પડછાયો છે. ભકિતથી અવશ્ય

મુકિત મળે છે.

ઉત્ત્ધ્ ડ્ઢથ્થ્ઠ્ઠત્ત્ડદ્મદ્મ ઠ્ઠથ્ત્ત્ડ દ્દથ્ ધ્થ્દ્ધ, થ્દ્ર ડદ્યડત્ત્ ટ્ટ ણૂણ્ત્ત્ઠ્ઠ ડ્ઢડદ્મદ્દદ્ધદ્રડ ટ્ઠધ્ ટ્ટત્ત્ધ્ ટ્ઠડણ્ત્ત્ડ્ઢ થ્ડ્ડ દ્દઢડ દ્ધત્ત્ણ્દ્યડદ્રદ્મડ ણ્દ્મ દ્વથ્દ્રદ્દઢ ઠટ્ટદ્રદ્યણ્ત્ત્ડ્ઢ થ્ત્ત્ ધ્થ્દ્ધદ્ર ઢડટ્ટદ્રદ્દ. ઉત્ત્ધ્ ણ્ત્ત્ણુદ્ધદ્મદ્દણ્ઠડ ઠ્ઠથ્ત્ત્ડ દ્દથ્ ધ્થ્દ્ધ ણ્દ્મ દ્વથ્દ્રદ્દઢ દ્વદ્રણ્દ્દણ્ત્ત્ડ્ઢ થ્ત્ત્ દ્દઢડ દ્મટ્ટત્ત્ઠ્ઠ. ૠથ્દ્રડ્ઢણ્દ્યડ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્રડ્ઢડદ્દ ણ્દ્મ દ્દઢડ થ્ર્ટ્ટત્ત્ટ્ટઠડટ્ટ ડ્ડથ્દ્ર ટ્ટઠઢણ્ડદ્યણ્ત્ત્ડ્ઢ ઢટ્ટથ્ર્થ્ર્ણ્ત્ત્ડદ્મદ્મ ટ્ટત્ત્ઠ્ઠ ડદ્દડદ્રત્ત્ટ્ટત્ થ્ર્ડટ્ટઠડ થ્ડ્ડ ત્ર્ણ્ત્ત્ઠ્ઠ દ્વઢણ્ઠઢ દ્વડ ટ્ટત્ત્ ત્થ્ત્ત્ડ્ઢ ડ્ડથ્દ્ર..ડ્ડદ્રથ્ત્ર્ ઋત્ત્ડ્ઢત્ણ્દ્મઢ ડઠ્ઠણ્દ્દણ્થ્ત્ત્ - ‘ઊટ્ટદ્રદ્યડ ક્કદ્દ ગ્ર્ત્ત્ જીથ્દ્ધદ્ર કડટ્ટદ્રદ્દ ટ્ઠધ્ ઉઊકઉઙજીઉ ચ્કઙક્કખ્ર્ઉઊં જ્ક્કક્રઉજી ઙઉચ્ર્ગ્ઉચ્છગ્ઊંઋઙચ્છઙક્કચ્કજઉઙક્રક્ક ખ્ર્ઉકઉઙઉક્ર ચ્ઉકઋઉં.

ઉઊકઉઙજીઉ ચ્કઙક્કખ્ર્ઉઊં જ્ક્કક્રઉજી ઙઉચ્ર્ગ્ઉચ્છગ્ઊંઋઙચ્છઙક્કચ્કજઉઙક્રક્ક ખ્ર્ઉકઉઙઉક્ર ચ્ઉકઋઉં.

દુઃખો તણા ડુંગર ભલે તૂટી પડો મુજ ઉપરે,

આપત્તિના વાદળ ભલે વરસી પડો મુજ ઉપરે,

રોગો તણી ફોજો ભલે ને ત્રાટકે મુજ ઉપરે,

પણ સર્વ કાળે નાથ! તારો હાથ રહો મુજ ઉપરે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૧ ધોબીનો કુતરોે ન ઘરનો કે ઘાટનો

મોહન નાનો હતો. તેના પિતા સદાચારી હતા.તેમણે મોહનને સદાચારી અને સુસંસ્કારી

બનાવવા માટેના ખુબ જ અરમાનો અને અભરખા હતા. પોતાના જીવનમાં સુસંસ્કારો અને

સંતાનમાં પણ આવે તેવું ઇચ્છતા હતા. પરન્તુ ન જાણ્યું જાનકી નાથે,કાલે સવારે શું થવાનું

છે. પુત્રને સંસ્કારો આપે એની પૂર્વે સ્વધામ સિધાવ્યા. જયારે મોહનના પિતા હયાત હતા

ત્યારે તો એમની પાસે સંપત્તિ પણ ઘણી હતી. મોહનની માતા ભણેલી ન હતી. ગામડાની

નારી હતી. અને તે કારણે તે સ્વભાવે સરળ અને ભોળી પણ હતી. મોહનના પિતાના મૃત્યુ

પછી પોતાના ઘરે આવેલા સ્વજનોએ સંપત્તિ વગે કરી અને સ્વજનોએ સંપત્તિ લીધી તો

ગામના લોકોએ પણ સંપત્તિ લેવામાં બાકી ન રાખ્યું. આમ થતાં જ કરોડપતિમાંથી રોડપતિ

બની ગયાં. મોહનની માતા નિર્ધન બની.

મોહનની મા રોજ પારકા ઘરે મજૂરી કરવા જતી . કોઇને ત્યાં કપડાં ધોતી તો કોઇક ને ત્યાં

વાસણ સાફ કરતી. મોહનની માતા માટે એક સમય એવો પણ હતો કે પાણી માંગે દૂધ

હાજર થતું, અત્યારે બે ટાઇમ જમવાની પણ તકલીફ પડતી હતી. પતિ સ્વધામે સિધાવ્યો -

સંપત્તિ ચાલી ગઇ અને પારકા ઘરે કરવી પડતી કાળી મજૂરીના કારણે દુઃખી બની ગઇ અને

ચિંતાને કારણે અકાળે વૃદ્ધ બની ગઇ, દુઃખના કારણે તથા કાળી મજૂરીના કારણે તથા

અપુરતા પોષણના કારણે શરીર પણ ઉતરી ગયું, શરીરને ન મળતાં પુરતાં પોષણના કારણે

એક વાર મોહનની મા બિમાર પડી તાવ આવ્યો, મોહન મૂંઝાઇ ગયો. ઘરમાં પૈસા નથી,

બિમાર માની દવા કેવી રીતે કરવી, મોહન વિચારે છે કે જે માએ પોતે ભુખી રહી મને

જમાડયો, જે માએ મારા માટે કેટકેટલા કષ્ટો સહન કર્યા, મારા અસ્તિત્વ ને જાળવવા માટે

કેટકેટલું કરી મારા ઉપર ઉપકાર કરેલ છે તેવી અનંત ઉપકારિણી મા જયારે બીમાર પડી છે

ત્યારે હું તેની દવા નથી કરાવી શકતો, ધિક્કાર..છે મને.

આવા વિચારોથી મોહનનું દીલ ભરાઇ આવ્યું અને પોતાની માતાને તાવમાં રીબાતી જોઇ

ચોધાર આંસુએ રડી પડયો, માતાએ પોતાના પુત્રને રડતો જોઇ માનું હૈયુ કંપી ઉઠયું,

માતાથી પણ ન રહેવાયું અને એ પણ રડી પડી, અને કહ્યું બેટા .ચિંતા ના કરીશ -

આપણાં સારા દિવસો ફરી આવશે, બેટા.તુ રડ નહીં. આમ દિવસ પછી દિવસ પસાર

થવાં લાગ્યાં. સતત બે દિવસના ભૂખ્યાં મા-દિકરાના આંસુ લુછનાર ત્યાં કોઇ નથી.એક

દિવસ માએ મોહનને કહ્યું, બેટા.હું જે શેઠને ત્યાં નોકરી કરું છું એ શેઠને ત્યાં જઇ બધી

વાત કરજે, થોડી ઘણી મદદ કરે તો દવા કરી શકાશે અને દવા લીધા બાદ બે-ચાર દિવસમાં

સારું થઇ જશે. પછી નોકરી કરી એમને પૈસા વાળી આપીશું, માના કહેવાથી દીકરો શેઠ

પાસે ગયો. માની અત્યંત માંદગીની તેમજ એના ઘરની અસહય પરિસ્થિતિની અને વેદનાની

વાત શેઠને કરી અને મદદ માટે કાકલુદીભરી વિનંતી કરી, પણ શેઠનું હૈયુ પથ્થરનું હોઇ

લેશમાત્ર પણ પીગળ્યું નહીં, મોહન સતત કરગરે છે. મોહન પોતાની માની દવા કરાવવા

માટે કરવા પડતાં તમામ પ્રયત્નો કરી છૂટે છે છતાં શેઠનો સ્વભાવ એટલે પથ્થર ઉપર

પાણી..પીગળ્યો જ નહીં ને.. શેઠ એકપણ પૈસો આપવા તૈયાર થયાં નહીં, શેઠે મોહનને

સ્પષ્ટ સંભળાવી દીધું કે અહીંયા કંઇ પૈસાના ઝાડ ઉગે છેએટલુંજ નહીં એ પણ સંભળાવી

દીધું કે તારા બાપા મારે ત્યાં કોઇ થાપણ મૂકી ગયા છે? તે માંગવા આવ્યો છે.મોહન તો

શેઠના વચનો સાંભળી આભો જ બની ગયો. મોહનને તિરસ્કાર કરીને શેઠે તેમના નોકરો

મારફતે ઘરની બહાર કઢાવી મૂકયો. મોહન આંસુ પાડયા સિવાય કાંઇ કરી શકયો નહીંં ંઅને

કરી પણ શું શકે ગરીબ પાસે એના સિવાય શું હોઇ શકે.માત્ર આંસુ જ કારણ કે

ગરીબની તો તે મૂડી છે નેઘણીવાર તો આ આંસુ પણ પાડી પાડી સૂકાઇ જાય છે

ને..શું આપણે આવી હકીકત બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશને કે ઘર આગળ ભીખ માંગવા

આવનારમાં જોઇ નથી? જો જોઇ હોય તો કદી આપણને વિચાર આવ્યો છે કે કંઇ મજબુરીથી

આપણી પાસે શું અપેક્ષા રાખે છે.પોતાની માની દવા માટે પૈસા માંગવા આવેલ છે. એેક

આશા શેઠ પાસે હતી તે ઠગારી નીવડી તેથી રડતો રડતો દીકરો ઘરે આવ્યો. ઘરમાં પ્રવેશતાં

જ મહામહેનતે કઠણ કરી રાખેલું હૈયું ભાંગીને ભૂક્કો થઇ ગયું, ઘરે આવતાં જ દીકરા મોહને

જોયું કે પોતાની માની સેવા બાજુમાં રહેતા રમીલાબેન કરતાં હતા. હવે પ્રભુ કૃપાએ માને

સારું થઇ ગયું હતુ. મા હવે મજૂરી કરવા જઇ શકતી હતી. આગળ જતાં એક દિવસ એવો

પણ આવ્યો કે ઘરમાં અનાજનો દાણો પણ નથી. રોજ રોજ મજૂરી કરવી પડે અને તે

રોજગારીમાંથી રોજ રોજ જમવાનુંથાય તેવી પરિસ્થિતિ સર્જાઇ ગઇ. એક પણ દિવસ મજૂરીએ

ના જાય તો ભૂખ્યાં સૂઇ રહેવું પડે. મા પોતે ભૂખી રહીને પણ મોહનને જમાડે છે. મા મેહનત

મજૂરી કરીને પણ પોતાના દીકરા મોહનને ભણાવે છે. દીકરો મોહન હોંશિયાર હતો. ખંત

અને મહેનતથી ભણવા લાગ્યો, મોહને મનમાં નક્કી કર્યુ, હું ભણી ગણી એવી મોટી ઉપાધી

(ડીગ્રી) મેળવું કે જેથી માને મજૂરી કરવી ન પડે.અને સુખના દિવસો પાછા આવે. મોહન એક

નો એક પુત્ર હોવાના કારણે નક્કી કરે છે કે હવેનું શેષ જીવન માની સેવામાં વિતાવીશ અને

માને એક દિવસ પણ અળગી મૂકીને કયાંય જઇશ નહીં. મોહન હોશિયાર તથા બુદ્વિશાળી

હોવાને કારણે પહેલા નંબરે પાસ થયો, સ્થાનિક શાળામાં જયાં સુધી અભ્યાસ થઇ શકતો

હતો ત્યાં સુધીનો તમામ અભ્યાસ થઇ ચૂકયો હતો- હવે વધુ અભ્યાસ કરી ભાવિમાં ડોક્ટર

બનવા માટે શહેરમાં જવું જરૂરી હતું અને તે માટે શિષ્યવૃત્તિ સિવાય વધુ અભ્યાસ થઇ શકે

તેમ ન હતો. તેવા સમયે મા એ સ્વૈચ્છિક સંસ્થામાં મોહન હોંશિયાર હોય તેને વધુ અભ્યાસ

માટે સહાય મેળવવા પ્રયત્ન કર્યો. મોહને પોતાની મા ને સહાય મેળવી વધુ અભ્યાસ કરવાની

ના પાડી કારણ કે પોતાની ગેરહાજરીમાં પોતાની માનું કોણ એ ચિંતા મોહનને સતત

સતાવતી હતી.. જે મા એ પોતાના અસ્તિત્વ માટે કેટકેટલા દુઃખો વેઠયા છે તે તમામ તેના

માનસ પટ ઉપર ઉપસી આવ્યા. મા નો ઉપકાર તો શે ભૂલાય. જે મા એ પોતે ભૂખી રહીને

મને જમાડયો,એ માને એકલા મૂકીને વધુ અભ્યાસ માટે શહેરમાં જવાનો જીવ દીકરાનો

ચાલતો નથી.. મા એ જે સંસ્થામાં વાત કરી હતી તે સંસ્થાના મેનેજર મોહનની મા ને મળ્યા,

મોહનને વધુ અભ્યાસ માટે શહેરમાં મોકલવાનો તમામ ખર્ચ સંસ્થા ઉપાડી લેશે એમ જણાવી

કહ્યું તમે તમારા મોહનને શહેરમાં મોકલો. મા એ વિચાર્યું કે મારી જીંદગી મહેનત મજૂરીમાં

ગઇ , પણ મોહનને શહેરમાં મોકલવો. કમ સે કમ તે તો સુખી થશે ને..મા એ મોહનને

સમજાવ્યો, બેટા તું આગળ અભ્યાસ કરીશ તો તે તારા અને મારા બંનેના સુખ માટેે જ છે ને

આમ કહેતા મોહનની ઇચ્છા ન હોતી છતાં ભાવિમાં સુખની અપેક્ષાએ મોહને વધુ અભ્યાસ

માટે સંમતિ જાણી જણાવ્યું કે માત્ર દર અઠવાડિયે પત્ર લખતો રહીશ તો પણ મને સંતોષ

થશે. બેટાસાચવીને જજે. માએ તિલક કરી આર્શીવાદ આપ્યા. મા ને મોહને પ્રણામ કર્યા

અને આર્શીવાદ માંગ્યાં. મા ના આશિષ મેળવી વધુ અભ્યાસ માટે શહેરમાં ગયો, થોડાક

દિવસો પસાર થયાં હશે,ત્યાં એક દિવસ દિકરાનો પત્ર આવ્યો.પુત્રનો પત્ર જોઇ મા આનંદીત

બની ગઇ , એમા જણાવ્યું હતું કે તબિયત સારી છે. અભ્યાસ સારો થાય છે. અનુકુળતા

મેળવી લીધી છે, મારી કોઇ જાતની ચિંતા કરીશ નહી . તારી તબિયત સાચવજે, વારંવાર પત્ર

વાંચ્યા કરે છે -માની છાતી ગજગજ ફૂલે છે. પડોશીઓના ઘરે જઇ કહે છે કે મારા દીકરાનો

પત્ર આવ્યો છે. એક નો એક પત્ર વારંવાર વાંચી દીકરો જાણે પ્રત્યક્ષ હોય તે રીતે જ પત્ર

સાથે વાતો કરે છે. તેમ કરતાં ખાવા પીવાનું પણ ભાન ભૂલી જાય છે. થોડોક સમય પસાર

થયો હશે. ત્યાં બીજો પત્ર આવ્યો એમા જણાવ્યું હતું કે મા હવે તું મજૂરી કરીશ નહીં, અહીં

મને અભ્યાસની સાથે સાથે નોકરી પણ મળી ગઇ છે. હવે આવક પણ થવા લાગી છે.

મોહન માને રકમ પણ મોકલવા લાગ્યો. એક દિવસ દીકરાનો પત્ર માના હાથમાં આવ્યો,

લખ્યું હતું કે મારો અભ્યાસ પૂર્ણ થઇ ગયો છે ડોકટર બની ગયેલ છું. હવે હું ટુંક સમયમાં જ

ઘરે આવી જઇશ.મા હવે વિચારે છે કે મારો દીકરો ડોકટર બની ગયો છે હવે તો ખાનદાન

ઘરની કન્યા સાથે પરણાવીશ, પછી તો મારે ઘરમાં કાંઇજ કામ કરવાનું રહેશે નહીં. હવે

અમારા સુખના દિવસો ફરી આવી રહ્યા છે.પત્ર આવ્યો ત્યારથીજ રોજ મા બસ સ્ટેશને જાય

બસ આવે તેના દીકરાની રાહ જૂએ દીકરો આજે આવશે-કાલે આવશે તેમ માની રોજ

છેલ્લી બસ આવે ત્યાં સુધી રાહ જુએ. રોજ સવારે જાય અને સાંજે પાછી આવે, દીકરો પ્રત્યેે

મા ની કેવી લાગણી છે. દીકરો આજે ચોક્કસ આવશે. લાવ દિકરાને લઇ આવું,રોજ

બસસ્ટેન્ડે જાય અને પાછી આવે.

મોહન એક દિવસ બસમાં પોતાના માદરે વતન પરત આવી રહ્યો છે ત્યારે વિચારે છે કે

આટઆટલાં વર્ષ પછી ઘરે જઇ રહ્યો છું. મને જોઇને મા કેટલી આનંદીત થશે, હવે માને કોઇ

જાતની ચિંતા નહીં રહે. મારી માના દરેક અરમાનો, અપેક્ષાઓ, ઇચ્છાઓ ને હું પૂર્ણ કરીશ.

મારી માનો મારા ઉપર કેટલો બધો ઉપકાર છે. નાનો હતો ત્યારે મારી માએ કેટકેટલા દુઃખો

સહન કર્યા છે, કેટકેેટલી મુશ્કેલિઓ વેઠી ત્યારે મને મોટો કર્યો છે, ઘેર જઇ માને કોઇ

તકલીફ ન પડે તેનું હુ ધ્યાન રાખીશ, જયાં દીકરો મા નો વિચાર કરી રહ્યો છે.એજ અવસરે

બસમાંં બેઠેલી એક યુવતીનો પરિચય થયો, પળવારના પરિચયમાં તો બંન્નેએ એકબીજાને

લગ્નના કોલ આપી બેઠા, અને મા એ આપેલ સંસ્કારો પર પાણી ફરી વળ્યું વીસ વીસ વર્ષ

ના મા સાથેના સંબંધો તોડી માની આ અંગે સલાહ કે આજ્ઞા લીધા સિવાય બંન્ને જણાએ

લગ્ન કરવાનું નક્કી કરી લીધું. વાતવાતમાં મોહને એની માની ઉપકારની વાત યુવતીને કરી,

યુવતીએ વિચાર કર્યો કે જેની સાથે આખી જીંદગી જીવવાની હોય તેની પરીક્ષા કર્યા વગર

લગ્ન ના કરી શકાય, વગર વિચાયુર્ં ઉતાવળું પગલું ભરવું જોઇએ નહીં અને ભરીશ તો

ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે. યુવતીએ મોહનની પરીક્ષા કરવાનું નક્કી કરી કહ્યું કે જો

તમો તમારી મા નું કાળજું કાપી મને લાવી આપો તો જ હું તમારી સાથે લગ્ન કરું.

મોહન યુવતીની વાત સાંભળી વિચારમાં પડી ગયો, જે માએ નવ-નવ મહીના સુધી પેટમાં

રાખ્યો, પ્રસુતિની પીડા સહન કરી મને જન્મ આપ્યો, મારા અભ્યાસ માટે, મારા વિકાસ માટે

એણે મહેનત મજૂરી કરી, કાળી મજૂરી કરી ને પણ મારી દરેક ઉચ્છા પૂર્ણ કરી, પોતે ભીને

સૂઇને મને સૂકે સૂવડાવ્યો, પોતે ભૂખે રહીને મને જમાડયો.મારા મળ મૂત્ર સાફ કર્યા. હું

કેટલીય વાર રાત્રે રડયો હોઇશ અને મારી મા ને સુખેથી સૂવા પણ ન દીધી હશે. છેલ્લે મને

ઉચ્ચ અભ્યાસ માટે ડોકટર બનાવવા પોતે દુઃખ વેઠીને પણ મને શહેરમાં અભ્યાસ કરવા

મોકલ્યો. આવી ઉપકારીણી માતાની સેવા કરવી તો બાજૂ પર રહી પણ માનું કાળજું તો કેવી

રીતે મંગાય.

માણસને સમય, સંજોગ અને સ્થાન બદલાય તો વિચારોમાં પણ પલટો આવ્યા વિના રહેતો

નથી..મોહનને યુવતીનો સંજોગ મળ્યો,કુળજોયા સિવાય લગ્નનો કોલ આપી બેઠો મોહમાં

ફસાયોસુસંસ્કારોમાં આગ લાગી રાખ થઇ ગયાં અને તેમ થતાં જ પોતાના સારા

વિચારોમાં પરિવર્તન આવ્યું જેમ લીંબુનું એક ટીપું પણ તમામ સારા દૂધ ને ફાડી નાંખવા

સમર્થ છે.તે ન્યાયે મોહને વિચાર્યું બહું લાગણીવેડા કરવાની જરૂર નથી. મા ની તો આમે

ય ઉંમર થઇ છે તે તો હવે ખર્યુ પાન જ કહેવાય, ગમે ત્યારે મરવાની તો છે જ ને,પરન્તુ

આવી રૂપાળી યુવતી થોડી ગુમાવાય. મોહને યુવતીનું સરનામું લઇ લીધું . યુવતીનું સ્થાન

આવતા તે ઉતરી ગઇ. ઉતરતાં પહેલા મોહને ફરી મળવાનું નક્કી કરી લીધું હતું. યુવતીના

વિચારોમાં ને વિચારોમાં તથા યુવતીએ કહેલી શરત કેવી રીતે પુરી કરવી તે વિચારોમાં બાકી

રહેલ માર્ગ કયારે કપાઇ ગયો તેનું ભાન રહ્યું નહીં, પોતાનું સ્થાન આવ્યું પણ શરતની

પૂર્ણતા કેવી રીતે કરવી તેની મૂંઝવણ કેવી રીતે દૂર કરવી તેના વિચારોમાં ખોવાઇ ગયો. જે

મા પાસે આશિષ, આશિર્વાદ માંગી કે મેળવિ શકાય તે જ માનું કાળજુ કેવી રીતે મંગાય કે

મેળવી શકાય ? મોહન ઉદાસ બની ગયો. મા ને પોતાના દીકરાને માણસ બનાવતાં વીસ

વર્ષ લાગે, પણ વીસ વર્ષની યુવતી એજ યુવાનને ક્ષણમાં બેવકુફ બનાવી શકે છે.

પોતાનું ગામ આવ્યું. બસમાંથી ઉતર્યો, મા તો હંમેશની જેમ આવેલી જ હતી.. દીકરાને જોઇ

માં ના આનંદનો કોઇ જ પાર રહ્યોનહીં . મા નું દીલ ભરાઇ આવ્યું. હર્ષના આંસુ આંખમાંથી

સરી પડયાં, ગળામાં ડુમો ભરાઇ ગયો, દીકરાને ભેંટી પડી . બંનેમાંથી કોઇ બોલતું નથી.

થોડોક સમય પસાર થયો. બંને ઘરે પહોંચ્યા. પણ મા એ જોયું કે મોહન આનંદમાં નથી .

કાંઇ ખોવાયેલો લાગે છે. દીકરાને ઉદાસ જોઇ માએ પુછયું - બેટા ઉદાસ કેમ છે ? શું તને

કોઇ તકલીફ તો નથી ને?કે મારા તરફથી કોઇ દુઃખ થયું છે.મારી કોઇ ભૂલતો નથી થઇ ને?

બેટા..મૂંઝાઇશ નહીં જે હોય તે કહે પણ તું ઉદાસ ન રહે. તારા આનંદમાં મારો આનંદ છે.

તારી ઉદાસી માં મારી ઉદાસી છે. તારું હાસ્ય જોવા મારી આંખો તલસી રહી છે. તું નાનો

હતો ત્યારે પણ તારા હાસ્યથી જ મેં મારા કઠીન દિવસો પણ સુખેથી વિતાવ્યા છે. માટે તું હવે

હસએટલું જ કહેતા ભૂતકાળના સંસ્મરણો યાદ કરતાં જ મા ગળગળી થઇ ગઇ. દીકરાના

મગજમાં યુવતી એ મૂકેલી શરત પૂરી કરવા માટેનો આ શ્રેષ્ટ સમય જોઇ, આ સમયે મા પાસે

કાળજાની માંગણી કરવામાં આવશે તો મા ના પાડી શકશે નહીં.

મરતી મા જીવતા દીકરાનો વિચાર કરે છે,

જીવતો દીકરો મરતી માનો વિચાર નથી કરતો.

મોહને પોતાનું કાળજું કઠણ કયુર્ંં. માના આગ્રહની સામે દીકરાએ કહી દીધું-મા .. મારે

એક ચીજ જોઇએ છે જે તારા સિવાય કોઇ આપી શકે તેમ નથી.. હું માંગીશ તો આપીશ જ

ને..ના તો નહીં પાડે ને. ના ન પાડે તો માંગુુ.

મા કહેબેટા તારી ખુશી માટે મેં શું શું નથી કર્યું અને તારી ખુશી માટે તો મારી જીંદગી

ખર્ચી નાંખી. હવે તો શેષ જીંદગી તારા સિવાય કોના કામમાં આવશે? તારા માટે તો જીવી

રહી છું, તું મારા પ્રાણથી તો અધિક નહી જ માંગી શકે ને? તું કહે તો મારા પ્રાણ પણ

આપી દઇશ, પણ તું હાસ્ય રેલાવી કહે.તારી ઇચ્છા હું પૂર્ણ કરીશ.દીકરો યુવતીના મોહ

અને માયામાં ફસાયેલો હોઇ માએ આપેલા સુંસંસ્કારોને ભૂલી જઇ કહી દીધું કે

મા તારું કાળજું જોઇએ છે

બચપણમાં માતા દીકરાને ગોદ આપે છે,

મોટો થયા પછી દીકરો માને દગો આપે છે ે

મા એ કહ્યું બેટાતારી પાછળ જીંદગી ખર્ચી નાંખી છે હવે તો તારી છેલ્લી ઈચ્છા પણ હું

પૂર્ણ કરીશ. મોહને પોતાની શરત પૂર્ણ થતી હોઇ હાસ્ય રેલાવ્યુંમા હાસ્ય જોઇ આનંદીત

થઇ ઉઠી અને તુરત જ મોહને સુતેલી મા ઉપર તલવારથી કાળજું કાઢયું, માની અંતિમ વિધિ

કરવા પણ ન રોકાયો, કાળજું લઇને ઉલ્લાસ મને યુવતી પાસે જઇ રહ્યો છે. ત્યાં રસ્તામાં

ઠેસ વાગી, કાળજું નીચે પડી ગયું. દીકરો ઉભો થઇને કાળજું લેવા જાય છે, ત્યાં માના

કાળજામાંથી અવાજ આવ્યો, બેટા વાગ્યુંતો નથી ને? પણ યુવતીને મેળવવાની ઉતાવળમાં

એની જ તમન્નામાં, કાળજામાંથી આવેલો અવાજ પણ સંભળાયો નહીં. હરખાતો હરખાતો

જયાં યુવતીના ઘરે પહોંચ્યો, ઘંટડી વગાડી, યુવતીને કહે છે લે મારી માનું કાળજું. કાળજું

જોઇ યુવતીએ ભયંકર આશ્ચર્ય વ્યકત કર્યુ અને વાઘણની જેમ મોહન ઉપર તૂટી પડી, લાત

મારી મોહનને કાઢી મૂકયો, આજે તું મારા રૂપનું પતંગિયું બની, તારી ઉપકારીણી માતાને

મારતા વિચાર નથી કર્યો, તોે મારા કરતાં અધીક રૂપવતી યુવતી મળી જાયતો એના કહેવાથી

તું મને નહીં મારે એનો શો ભરોશોે? મોહનની હાલત ધોબીના કૂતરા જેવી થઇ ગઇ,નહીં

ઘરનો કે નહીં ઘાટનો.મોહનના જીવનમાં મધ્યાન્હને સૂર્યાસ્ત થઇ ગયો, યુવતીતો ન મળી

પણ પોતાની ઉપકારીણી મા પણ ગુમાવી.

એક સમય એવો હતો કે રડવું આવે ત્યારે મા યાદ આવતી

હવે મા યાદ આવે છે ત્યારે રડવું આવે છે.

મોહન વિચારે છે કે હવે જીવવું કોના માટે. અંતે પોતે પણ પોતાની જાતને જે શસ્ત્ર વડે

માનું કાળજું મેળવ્યું હતું તે જ શસ્ત્ર વડે પોતાની જીંદગીનો અંત લાવી સ્વધામ સિધાવે છે.

જે મા એ નિર્સ્વાથ ભાવે દીકરાને મોટો કરેલ, જે દીકરા ઉપર ઉપકારોની હેલી વરસાવેલ, એ

દીકરો માનું મૃત્યુ નિપજાવી કયારેય સુખી ન બની શકયો, અકાળે મર્યો.

આ તો લૌકીક દષ્ટાંત છે. માતા પણ લોકોત્તર જૈન શાસનને સમજેલી હોતતો કથાનકનો

પ્રસંગ અન્ય રીતે ઘટયો હોત. પણ આપણે તેમાંથી માત્ર આટલો સાર જો જીવનમાં સુખી થવું

હોય તો નીચેના વાકયો યાદ રાખોઃ

સુખી બનવાનો સરળ ઉપાય મા બાપની આંતરડી ઠારજો,દુઃખી બનવાનો સરળ ઉપાય મા

બાપની આંતરડી બાળજો.

અનુક્રમણિકા

વાર્તાનઃ૬૨ સૂર્યોદય

ઉત્તમ પહાડો અને ઘેઘૂર વૃક્ષોના વન વીંધીને મલયાનિલનો પવન વહી આવતો હતો.

પાટલીપુત્ર શાંત નિદ્રામાં પોઢી ચૂકયું હતું. તે વેળાએ નગરશ્રેષ્ટી ધનાવહની પુત્રી રુક્ષમણિની

આંખોમાં અનિદ્રા અંજાઇ હતી. સંધ્યા ઢળતી હતી, ત્યારે જે સાંભળ્યું તેનાથી એ બેચેન બની

ગઇ હતી..મનોહર ઝરૂખામાં એ એકલી બેઠી હતી. આકાશમાં અજવાળું ઓછું થઇ રહ્યું હતું.

એ વખતે અનુપમા આવી. સાદા અને શુભ વસ્ત્રોમાં પણ એ અનુપમ લાગતી હતી.

રુક્ષ્મણિએ મનોમન પોતાની સાથે એની સરખામણી કરી મેઇઃ ના, મારા જેટલી સુંદર એ

નથી લાગતી! અનુપમાએ રુક્ષ્મણિનેે આવકારી ત્યારે અનુપમા ખરે જ ઉત્સાહમાં હતી. તેણે

કહ્યું આવતી કાલથી નગરમાં ઉત્સવ રહેશે. કેમ?મુનિ વજ્ર્રકુમાર પધારે છે! એ કોણ?

અનુપમા હસીઃ જેને સમગ્ર ભારતવર્ષ જાણે છે તેને જ તું નથી જાણતી ? એ મહાજ્ઞાની છે.

બાળપણે એણે દીક્ષા ગ્રહણ કરી અને જૈન મુની બન્યા. એમ કહે છે કે એ જન્મે બ્રાહ્મણ

હતા પણ માતાની કસોટીમાંથી પસાર થઇને એમણે બાળપણમાં સંસાર ત્યજી દીધો! હજી

યુવાનીની વસંત મહોરે તે પૂર્વ તેમણે અગાધ શાસ્ત્રોનું જ્ઞાન સંપાદન કર્યુ છે અને દેવોને

પોતાના તપોબળથી વશ કર્યા છે! ને પણ તું તો મને તેમની જીવનકથા કહેવા બેઠી!

રુક્ષ્મણિ છેડાઇ ગઇ.અનુપમાનો ભાવોઉલ્લાસ ન ઘટયો. તેણે કહ્યું : એમને મેં જોયાને

તેમના મુખકમળનું તેજ મેં જોયું, તે હજીય મારાથી વિસરાતું નથી! એમના દેહની ગરિમા .

આવું અદ્દભૂત પૌરુષ - લાવણ્ય મેં કયાંય જોયું નથી. અને આંખોમા રમતું વિમળ કૌતુક

..ઓહ! રુક્ષ્મણિ હવે એકતાર થઇ ગઇ : એ શબ્દો પુનઃ ઉચ્ચાર ને, અનુપમા! આંખોમાં

શુ? આંખો જોઇને મોહી જવાય તેવી નિર્મળ હસતી આંખો. રુક્ષ્મણિએ આ સાંભળતા આંખો

મીંચી દીધી : અનુપમા કયારે ચાલી ગઇ તે ખબર ન રહી. એ અતીતમાં સરકી ગઇ હતી.

વર્ષો પૂર્વે કોઇએ કહેલુ. જેની આંખોમાં નિર્મળતા રમવા નીકળી હોય તેઓ યુવાન કયાં મળે

છે? એ વખતે તો રુક્ષ્મણિના સમજણનો ઉષાઃકાળ હતો, છતાં મનોમન નિશ્ચય કરેલોઃ હુ

એવા જુવાનને પરણીશ, જેના નયનો મને જ નિહાળે! પણ વર્ષોના સમયગાળામાં એવો

યુવાન ન મળ્યો, જેની આંખોમાં કૌતુક હૌયઃજેની આંખોમાં આકર્ષણ હોયઃ જેની આંખોમાં

તેજ છલકતું હોય. પડખા ઘસતી રુક્ષ્મણિને જંપ નહોતોઃ શું મુનિ વજ્ર્રસ્વામી એવા જુવાન

હશે? એની આંખોમાં કોઇ અદ્દભૂતનુર હશે? જો એવું હશે તો .એ મખમલની પથારીમાં

બેઠી થઇ ગઇઃ તો તો એજ મારો સ્વામી હશે? રુક્ષ્મણિએ દઢ પ્રતિજ્ઞા લઇ લીધી. .

પરણીશ તો એને જ!દૂર કૂકડો બોલ્યો, સૂર્યોદય ને ઘડીભરની વાર હશે ને રુક્ષ્મણિ તૈયાર

થઇ ગઇ. એને વહેલી તૈયાર થઇને જોતા શ્રેષ્ટી ધનાવહ હસ્યા : બેટા, કેમ જલ્દી? પણ

રુક્ષ્મણિ દલિલ કર્યા વગર તેમને સમજાવીને ઉધાન તરફ ચાલી, જયાં મુનિ વજ્રસ્વામી આવી

રહ્યા હતા!થોડાક મુનિઓ સાથે શ્રી વજ્રસ્વામી આવ્યા. રુક્ષ્મણિ એમને અનિમેષ જોઇ

રહીઃવજ્રસ્વામીની દેહની આસપાસ જે તપનું, જ્ઞાનનું, સચ્ચાઇનું આભામંડળ રચાયું હતું,

તે અનન્ય હતું. ઉંચો અને પ્રભાવશાળી દેહ, ગૌર મુખ અને એમની આંખો! જે જોવા

વર્ષોથી પોતે ઝંખતી હતી તે આંખો!રુક્ષ્મણિ પાગલ થઇ ગઇ : સમગ્ર સંસારનું લાવણ્ય,તેજ

ત્યાં ઉભરાય છે તેવી આંખો! એ આજ છે જેને વર્ષોથી પોતે શોેધે છે! વજ્રસ્વામીની સાથે

આવેલ મુનિઓએ ગુરુવર માટે આસન બિછાવ્યું, ત્યાં વજ્રસ્વામી બિરાજયા. આશિષ આપતો

વરદ હસ્ત ઊંચો કર્યોઃ ધર્મલાભ!ઉપસ્થિત ધર્મીજનોને પ્રણામ કર્યાને વીખરાયા ત્યાં સુધી

પિતા ધનાવહ સાથે સ્થિર ઉભેલી રુક્ષ્મણિ આગળ આવીને ઝુકી પડી! મને સ્વીકારો, નાથ!

વજ્રસ્વામી સ્તબ્ધ થઇ ગયા. આવી અદભુત રુપવતી કન્યા વળી સંસ્કારી દેખાતી, ને શું બોલે

છે? ભદ્રે તેં શું કહ્યું? વજ્રસ્વામીએ પૂછયું ત્યારે નતમસ્તક રહેલી રુક્ષ્મણિ કહેતી હતી :મને

સ્વીકારો નાથ! જેને મેળવવા ઝંખતી હતી તે યુવાન તમે છો! મને સ્વીકારો! વજ્રસ્વામી હવે

વધુ સ્તબ્ધ હતા, શ્રેષ્ટી ધનાવહ પણ. એમને સમજાતું નહોતું કે આ શું બની રહ્યું છે?

વજ્રસ્વામી આ ચરણો પાસે ઢળેલી અને દેવી રુપ ધરાવતી કન્યાને નિહાળી રહ્યા. એની

વિનંતીમાં રહેલો ધ્વનિ એમણે ઓળખ્યો અને બીજી ક્ષણે મૃગજળ જેવી સંસારની માયા

એમને નાચતી દેખાઇ. સંસારની માયાએ કોને છોડયા છે? એમણે ધીમેથી કહ્યું : ભદ્રે તું

કોણ છો? નાથ! આ પળે હું માત્ર સમર્પિતા છું! મને સ્વીકારો! તું મને શા માટે સમર્પિત

હશે, ભંતે? રુક્ષ્મણિએ સહેજ ઊંચુ જોયું. એના રુપાળા મુખ પર આંસુ અને લજજા રમતાં

હતાં. સ્વામી! વર્ષોથી એવા યુવાનને શોધતી હતી, જેના નેત્રૌમાં સૌને આકર્ષતું બળ રમતું

હોય! તમને નિહાળ્યા અને તે શોધ પૂરી થઇ, નાથ તમારી આ આંખોથી મને આવરી લો,

સ્વામી.! ઓહ! વજ્રસ્વામી એ શબ્દો ઝડપી લીધાઃતને મારા નેત્રોમાં કાંઇક અનેરું લાગ્યું,

ખરું ? રુક્ષ્મણિએ હક્કાર ભણ્યો. એ કયાંથી આવ્યું જાણે છે? એણે મૌન પાળ્યું, એને

વજ્રસ્વામીના ઊંડાણમાંથી આવતા શબ્દો શાતા દેતા હતા. જીંદગીમા કશુંક અનોખું, અનુપમ

મેળવવું હોય તો તે માટે ત્યાગ કરવો પડે છે,તપ કરવુંપડે છે, સાધના કરવી પડે છે. ત્યાગ

પછી એ બધુ સાંપડે છે. વર્ષોથી સાધના પછી આવેલા એ તેજે તને આકર્ષી લાગે છે.... તને

માત્ર આ તેજ ગમે છે કે હું પણ? આપતો સર્વસ્વ છો, મારા નાથ!વજ્રસ્વામીએ હવે વાતનો

તાર સાંધ્યોઃ ભંતે! આ તેજ, આ મહાનતા એ તપથી મળી છે,જે તપ આના કરતાં

અનંતગણી વધુ તેજોભૂમિ સુધી લઇ જવા સમર્થ છે.તું જે ઝંખે છે તે સંશારની માયા છે. હું જે

ઝંખુ છું તે માયાથી પર અપૂર્વ સ્થિતિ છે તે માયા થી પર છે. ત્યાં પહોંચવા માટે દેહની

લાલસા ન ચાલેઃ દેહમુકત આત્મપ્રેમ પકડવો જોઇએ! ભદ્રે ત્યાં પહોંચવા માટે મથતો હું એક

યાત્રિક છું . તું મને એમા સહકાર ન કરે? રુક્ષ્મણિ સાંભળી રહી હતી ત્યારે એના હૃદયના

પડ ખૂલતાં જતાં હતાં. એને સમજાયું કે આ તો મુનિ છે -સ્ત્રી, ધન અને સંસારના સમસ્ત

ત્યાગી! આવા ત્યાગીનેપંથે ચાલવામાં જીવનમાં જે કસોટી છે, તેમાંથી પોતે પસાર થઇ

શકે? પોતે શુૃદ્વ નિક મૌહથી જ આ વાતો નહોતી કરી? જે તપ જ દ્વારા વજ્રસ્વામી મહાન

બન્યા તે પોતે પણ પામે તો ? એણે હસ્તદ્વયની માળા રચી : પ્રભુ તમારો જેપંથ તે મારોપંથ

હજો. મનેય આવું અપૂર્વ આત્મતેજ આપવા દિક્ષા આપો.વજ્રસ્વામીએ દીક્ષા આપી. રૂક્ષ્મણિ

સાધ્વી રૂક્ષ્મણિ બનીને ચાલ્યાં ત્યારે વજ્રસ્વામીેએ આકાશ ભણી જોયું. એમને આજનો

સૂર્યોદય અદભુત લાગ્યો : આજે આકાશ અને પૃથ્વી બંને સ્થળે સૂર્યોદય થયો હતો.

અંતરના એક કોડિયામાં, દીપ બળે છે ઝાંખો,

જીવનના ઓ જયોતિર્ધર, નિશ દિન એને જલતો રાખો;

ઊંચે ઊંચે ઉડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો,

તુજને ઓળખું નાથ નિરંજન, એવી આપો આંખો.

દાદા તારી મુખ મુદ્રાને અમીય નજરે નિહાળી રહ્યો,

તારા નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો,

ક્ષણભર આ સંસારની માયા તારી ભકિતમાં ભુલી ગયો,

તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો .

જો જાગત હૈ સો પાવત હૈ.

જો સોવત હૈ સો ખોવત હૈ.

ચલના જીવનકી કહાની

રુકના મૌત કી નિશાની.

સુખમાં સાંભરે સોની. દુઃખમાં સાંભરે રામ -

સુખ કે માથે શીલા પડો - હરી હૃદય સે જાય. બલિહારી ઉસ દુઃખકી પળ પળ હરી

સંભળાય.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૩ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો

જ્ઞાનના આલોકને પોતાના સ્પર્શે યશોજજવલ બનાવી દે તેવા એ જ્ઞાની.પૃથ્વીને પગલે પગલે

તીર્થભૂમિ બનાવી દે તેવા એ સંતપુરુષ. આત્માને આકાશને છેડે ઊર્ધ્વભૂ સુધી ઉન્નત

બનાવવા સતત મથતા એ મહામુનિ.

અરુણોદય થવાની એકાદ ઘડી વેળા હશે ત્યારે વનને પાર કરી રહેલા એ મુનિના પ્રભાવશાળી

વ્યકિતત્વથી અંજાઇને કોઇ જિજ્ઞાસુએ પૂછયું,પૂજયવર! આપનું નામ કહેશો? સંતપુરુષે

તેની સામે જોયુંને ક્ષણ પછી કહ્યું લોકો મારા દેહને આનંદધન કહે છે!આપજ આનંદધનજી?

પૂછનારના ઉદગારમાં ભકિતનો વેગ ભળ્યો. પણ તે પહેલા તો આનંદધનજી દૂર નીકળીગયા

હતાઃ સંસારીના શબ્દોનું ઘેન ચઢે તો સંત વિકાસ ખોઇ બેસે!વનના માર્ગે ચાલી રહેલા

આનંદધનજીને સ્વાનુભવ સ્મૃતિએ ચઢયોઃ કેવા હતા એ દિવસો! બે મિત્રો, સુવર્ણસિદ્ધિ

મેળવવા ગામ,નગર, વનમાં ઘૂમે. વેલીના રસ કાઢે,તાંબુ તપાવે, મંત્રો ઉચ્ચારે, અગ્નિ

પ્રગટાવે. છેવટે મળે રાખ! સુવર્ણ ના નામથી એ બંને પાગલ થઇ ગયેલા. કયાં મળે? પણ એ

ન મળ્યું, ભટકીને થાકયા. અંતે બંને મિત્રોમાંથી એક સાધુ થઇ ગયો.ન જોઇએ આ બધું!

અહીં માગ્યા પેટભર ધાન નથી મળતા, તો સુવર્ણ કયાંથી મળે? માયા છોડીને એ દિક્ષિત થઇ

ગયા. વનમાં રહે, ઝાડ નીચે સૂએ. અલખની ગેબી વાણી જેવું કશુંક ગુંજયા કરે!

કાળ કાળનું કામ કરે. એકદાઆ મહાત્મા પાસે આવીને કોઇએ કૂંપી મૂકી. કાચની શીશીને

રસથી ભરેલી. આંગતુકને સંતે પૂછયુંઃ શું છે ભાઇ,આ? આંગતુકે કહ્યું,આપના મિત્રે મોકલી

છે. સંતને યાદન આવ્યુંઃ કોણે મોકલી છે?આપની સાથે વર્ષો પૂર્વે જે મિત્ર સુવર્ણસિદ્ધિની

પ્રાપ્તિ અર્થે પુરુષાર્થ કરેલો તેણે તે પ્રાપ્ત કરી લીધી છેઃ પણ જેવી તેમને એ સિધ્ધિ મળી કે

તરત જ પોતાનો નિરાશ થઇને સાધુ થયેલો મિત્ર સાંભર્યો. હું એમનો અનુયાયી છું.

મુનિએ કુંપી ઊંચકી ને પલકવારમાં ભૂતકાળ યાદ કરી લીધોઃ માયાને એક વાર ત્યાગી, પછી

પુનઃ સંગ કેવો? એમણે તે ફેંકીઃ આંગતુક સ્તબ્ધ બની ગયોઃ અરે અરે .. એના

અવાજમાં ગભરાટ હતોઃ આ શું કરો છો? જેને મેળવવા .. હા મુનિએ વાકય

સાંધ્યુંઃ જેને મેળવવા લોકો ભટકે છે, તડપે છે,તેને હું ફેંકી દઉ છું! ભાઇ, જયાં સુધી હુંય

તદર્થે ભટકયો,ત્યાં સુધી કાંઇ જ ન મળ્યું.ને છોડીને ચાલી નીકળયો ત્યારથી આ દેહના અણૂ-

અણૂમાંથી સુુવર્ણ સર્જનારો રસ ઝરે છે. પણ એથી શું? એણે કોને સુખી કર્યા છે? સાચું અને

સ્થિર શાશ્વત સુખતો અંતરમાં વિલસે છે. હું એને પામવા તડપું છું. મને બાહરી સુખ પ્રત્યે

લેશ પણ આંકાક્ષા નથી .

આંગતુક મુનિ આનંદધનના તેજથી ઝળહળાં થતા મુખને નિહાળી રહ્યો. આનંદધનજીએ

શાશ્વત સુખની શોધ અખંડ ચાલુ જ રહી હતી. અત્યારે વનને પાર કરતાં કરતાં પણ એમને

સતત આ પૂર્વે એ સુખને પ્રાપ્ત કરી ચૂકેલા સિદ્ધોે સ્મરણે ચઢતા હતા. વનને પાર કરીને કોઇ

ગ્રામભૂમિ તરફ તેઓ વળ્યા. ગામના પાદરમાં ઢોલ-ત્રાંસા વાગતાં હતાં.લોકો પાગલ થઇને

નાચતા હતા. ાષ્ઠની ચિત્તા સળગતી હતી. અબીલ-ગુલાલ ઉડતો હતો.આકાશ ચિરાઇ જાય

એવા ભયજનક અવાજો થતા હતા.આનંદધને એ દિશા તરફ જોયું.ગામના પાદરમાં લોકો આ

શું કરતા હશે તેવો સવાલ થયો,પરંતુ તરત જ એમણે મન વાળીને પોતાના માર્ગે ચાલવા

માંડયું. થોડાક ડગલા હજી એમણે કાપ્યા હશે ત્યાં કાને મરણચીસ અથડાઇ. ચોંકીને ઉભા

રહી ગયાઃ લોકાનાં ટોળાને વીંધીને ચીસ આવતી હતી. આનંદધને અવાજ પારખવા કોશીશ

કરીઃ એ કોઇ સ્ત્રીનો હતો! એ ઝડપથી લોકોની વચમાં જઇને ઉભા રહ્યા, ત્યાંકારમું કારમું

દ્રશ્ય રચાયું હતુંઃ ચિત્તા પર એક યુવાન પુરુષના દેહને લઇને કોઇ યુવાન સ્ત્રી બેઠીહતી.લોકો

ભયંકર અવાજો કરતાં હતા, ચિત્તાને ઘેરી વળ્યા હતા. આનંદધનની પીડાઅસીમ બની ગઇ.

તેમણે કોઇને પૂછયુંઃ આ બધુ શું છે? પેલાએ ઉત્તર ન આપ્યો.આનંદઘનઅકળાતાઃઆ સ્ત્રીને

જીવતી કેમ જલાવો છો?કોઇએ ઉત્તર આપ્યો -એ તો સતી થાય છે! એટલે? આજે એનો

પતિ મરી ગયો. સ્ત્રી તેના વિના જીવી નહીં શકે.એ તેનીજ સાથે સતી થશેઃ આવતે ભવે ફરી

એને પામશે.ઓહ! એવું કયાંથી બની શકે? આનંદધન એ જીવંત મૃત્યુનું ભયંકર દ્રશ્ય ખમી

ન શકયા. અહીં કોઇને કશું કહેવાનો અર્થ નહોતો. એ પોતાના માર્ગે ચાલ્યા, પણ પીડાના

ઓથારને લઇને એમના ચિત્તતંત્રને શારડી ફરતી હોય એવી વેદના થતી હતી. આ શું

અજ્ઞાનતા છે? મોહ છે આ? શું પુનઃ એ જ પતિ મળે? આવી કાતિલ પીડામાં શું એ જ

સુખને પણ પુનઃ પુનઃ મેળવવાની ઝંખના અવશેષ રહેતી હશે? આ બધું એ સ્ત્રી ની

સ્વઇચ્છાથી થતું હશે?આ બધું શેમાંથી આવ્યું? આ સમગ્ર ઘટનાનું મૂળ શોધવા એ પ્રયતી

રહ્યા : લગ્નના સુખની ભાવનામાંથી? લગ્ન એવાં થવાં ઘટે જે કદી વિરહ ન આપે. જેનો

સંસંર્ગ કદી છૂટવાનો જ ન હોય તેવો સંબંધ રચાવો જોઇએ. એ લગ્ન દૈહિક નથી હોતાંઃ

આંતરિક હોય છે. હા, સંબંધ અને આંતરિક સંબંધ અને શાશ્વત આંતરિક સંબંધ નિર્માણ

થવો ઘટેઃ દેહનો નહીં, દેહની પેલે પારનો. આનંદઘનને એ ભીષણ વિચારસંક્રમણને અંતે

કંઇક હૃદયમાંથી ફૂટતું લાગ્યું. એ ઉભા રહ્યા , ને એક અમરગાથા અંતરમાંથી વહી આવીઃ

ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે,ઔર ન ચાહું રે કંત;

રીઝયો સાહિબ સંગ ન પરિહરે,ભાંગે સાદિ અનંત. ઋષભ

પ્રીત સગાઇ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઇ ન કોય;

પ્રીત સગાઇ રે નિરુપાધિક કહી રે, સોપાધીક ધન ખોય. ઋષભ

કોઇ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરેરે, મિલશું કંત ને ઘાય;

એ મળો નવિ કહિએેે સંંભવેરે, મેળો ઠામ ન ઠાય. ઋષભ.

ગ્રામભૂમિથી થોડે દૂર ઊભેલા યોગી અનંદધનના અંતરમાંથી સ્તવન, હિમાલયમાંથી વહી

આવેલી ગંગાની જેમ પ્રકટી આવ્યું : ભીતરમાંથી આવતી એ પ્રત્યેક પંકિત આનંદધનને પેલા

શાશ્વત સુખની નજીક લઇ જતી હતી!

પાંચમાં ધોરણમાં બાબો પાંચમી વાર નાપાસ થયો અને તમારો પિત્તો ફાટયો. નાલાયક!

સ્કૂલમાં તું ભણવા જાય છે કે હજામત કરવા? અને બાબાએ તમને ઠંડે કલેજે જવાબ આપી

દીધો,પપ્પા!હું ચોથા ધોરણમાંતો નથી આવી ગયોને? જવાબ આપો. જીવનમાં આજે જે

પણ ધર્મ છે એ આજનો જ છે કે વરસોનો છે? જો વરસોનો એ ધર્મ છે તો આટલાં વર્ષો

બાદ પણ એ ધર્મમાં આપણે વધારો નથી કરી શકયા એની આપણને વેદના છે કે પછી ય એ

ધર્મ આપણે ટકાવી શકયા છીએ એ બદલ આપણે સંતુષ્ટ જ છીએ? બાબાએ જો આગલા

ધોરણમાં જવું જ જોઇએ તો ધર્મમાં આપણે પણ આગળ વધવું જ જોઇએને?

હે ત્રણ ભુવનના નાથ! મારી કથની જઇ કોને કહું?

કાગળ લખ્યો પહોંચે નહીં ફરિયાદ જઇ કોને કરૂં?

તું મોક્ષની મોઝારમાં હું દુઃખભર્યા સંસારમાં

જરા સામું પણ જુઓ નહીં તો કયાં જઇ કોને કહું?

ઙડત્ર્ડત્ર્ટ્ઠડદ્ર, દ્મડદ્રદ્યણ્ઠડ દ્દથ્ ઢદ્ધત્ર્ટ્ટત્ત્ણ્દ્દધ્ ણ્દ્મ દ્દઢડ દ્રડત્ત્દ્દ દ્વડ થ્ર્ટ્ટધ્ ડ્ડથ્દ્ર ત્ણ્દ્યણ્ત્ત્ડ્ઢ ણ્ત્ત્ દ્દઢણ્દ્મ થ્ર્ત્ટ્ટત્ત્ડદ્દ. જઢટ્ટદ્દ દ્વડ ઠ્ઠથ્ ડ્ડથ્દ્ર થ્દ્ધદ્રદ્મડત્દ્યડદ્મ દ્વણ્ત્ત્ ઠ્ઠણ્ડ દ્વણ્દ્દઢ દ્ધદ્મ,દ્વઢટ્ટદ્દડદ્યડદ્ર દ્વડ ઠ્ઠથ્ ડ્ડથ્દ્ર થ્દ્દઢડદ્રદ્મ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્ર દ્દઢડ દ્વથ્દ્રત્ઠ્ઠ દ્વણ્ત્ત્ ટ્ઠડ ત્ડડ્ડદ્દ ટ્ઠડઢણ્ત્ત્ઠ્ઠ ટ્ટત્ત્ઠ્ઠ ણ્દ્દ દ્વણ્ત્ત્ દ્રડત્ર્ટ્ટણ્ત્ત્ ણ્ત્ર્ત્ર્થ્દ્રદ્દટ્ટત્. ઉત્ત્ ત્ર્દ્ધદ્મદ્દ દ્રડત્ર્ડત્ર્ટ્ઠડદ્ર ઠ્ઠડટ્ટદ્દઢ ઠ્ઠથ્ડદ્મ ઠથ્ત્ર્ડ ણ્ત્ત્ દ્દઢડ ડત્ત્ઠ્ઠ.

બોલ સકોતો મીઠા બોલો, કટુ બોલના મત શીખો,

બદલ સકોતો કુપથ બદલો, રાહ બદલના મત શીખો,

બતા સકોતો રાહ બતાઓ, પથ ભટકાના મત શીખો,

જલા સકોતો દીપ જલાઓ, દીલકો જલાના મત શીખો

બીછા સકોતો ફૂલ બીછાઓ, કાંટે બીછાના મત શીખો,

કમા સકોતો પુણ્ય કમાઓ, પાપ કમાના મત શીખો,

મીટા સકોતો વૈર મીટાઓ, પ્રેમ મીટાના મત શીખો,

લગા સકોતો બાગ લગાઓ,આગ લગાના મત શીખો.

આંતકવાદી જો આ સમજી જાયતો આતંક જ મટી જાય.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૪ તેલનો અઢોળ કટોરો

મંત્રીશ્વર અભય, મગધના મહામંત્રી, મુનીશ્વરાના પરમ અનુયાયી, સંસારમાં રહેવા છતાં

યે આત્માના ઊંચા સાધક. એમનો એક મિત્ર,ધર્મ સાધનાથી સંર્પૂણ વિમુખ.નામે અંબર.

અભયકુમાર સાધના કે જાગૃતિની વાતો કરે તો અંબર છળી ઉઠે. એ કહેઃ આ બધી નકામી

અને છેતરામણી વાતો છે. માનવી એ કક્ષાએ આત્મલીન બની શકતો નથી. જયાં સંસારનું

કોઇ નામ નથી,બાહ્ય વાસનાનું કોઇ નિશાન નથી . અને જો એમ બનતું નથી તો એવો

નિરર્થક પ્રલાપ કે પ્રચાર કર્યે સો લાભ? એ તારી જૂઠી દલીલો છે. મંત્રી કહેતા, માનવી

એવી પરમ કક્ષાનું ધ્યાન ધરી શકે છે અને ત્યારે તેને કોઇ સંસારી વાસનાનો સ્પર્શ સુધ્ધાં

થતો નથી! અને એવી કક્ષાનું ધર્મધ્યાન આવે તો જ જીવ મોક્ષ ભણી જાય છે, તો ય અંબર

માનવા તૈયાર નહોતો.એને આ બધું આકાશમાં કમળ ઊગવા જેવું ભારેખમલાગતું.મંત્રીશ્વર

અભય હેરાન થઇ જતા કે મારા સંગે રહેલા મિત્રનું જીવન શું સદાયે વાસનાગ્રસિત રહેશે?

અને જો એમ જ થશે તો એના ભયંકર પાપકર્મો તેને કઇ ગતિ સુધી દોરી જશે?મહામૂલો

મનખો અવતાર એળે જાશે. તેમણે નક્કી કર્યુ કે અંબર નું શુભ થાય તેવું કશુક કરવુંજ.

કેટલોક વખત વીત્યો. એક વેળા અંબર કંઇક ગુનામાં સપડાયો. અભયે આ તક ઝડપી લીધી.

અભયકુમારમાનતાહતા કેઆ દુનિયામાં હરકોઇને પોતાનો જીવ વહાલો છે, ઐનાથી અધીક

કશું જ નહીં!માનવી પોતાનો જીવ બચાવવા ગમે તે આપી દેતો હોય છે! અને, વિશેષતા તો

એ છે કે માનવીને હંમેશા સુખ જ પસંદ છે.એને દુઃખકે મૃત્યુની વાત માત્રથી પસીનો વળી

જતો હોય છે. અભય ને થયું કે જો તે મૃત્યુથી ડરે તો આ તક છે!અંબરને તેમણે કહ્યું, તને

સજા ભયંકર થશે. શી, મંત્રીશ્વર ? હું તમારો જીગરી મિત્ર છું તે ન ભૂલશો. ન્યાય

પાસે મિત્ર ને દુશમન બંને સમાન છે. તને આ જન્મ કેદ થી ઓછી સજા નહીં હોયઃ તો પણ

મહારાજ શ્રેણિકે તારી મુકિત અર્થે એક માર્ગ સૂચ્વયો છે. શું? અંબર થથરી ગયો.પોતાને

આજીવનકેદ? અભયકુમાર તેના મનનો ભાર પારખી ગયા. તે કહેઃ માર્ગતો છે,સજામાંથી

છૂટી શકાય તેમ છે, પણ મુશકેલ માર્ગ છે શું થશે? હું મુશકેલને સહેલ બનાવીશ. અંબરની

વેદના મોં પર વરતાતી હતી, રહી સહી મુકિતની બારી પણ કાંઇ નષ્ટ ન થઇ જાય!

અભયકુમારે કહ્યું કે તું નહીં કરી શકે છતાં પ્રયત્ન કર.એમા માત્ર જાગૃતિની - પૂર્ણ જાગૃતિની

જરૂર છે.તેમણે ભારપૂર્વક કહ્યું,અલબત્ત. તારામાં એ સામર્થ્ય તો છે જ.આ જન્મ કેદની સજા

અથવા ગમે તો બીજી આઃતારા હાથમાં તેલથી છલોછલ કટોરો દેવામાં આવશે.તારી સાથે

સૈનિકો પણ રહેશે, રાહમાં નૃત્યો યોજાશે.તારેતે કટોરો લઇને રાજગૃહીની કોટની રાંગે રાંગે

ફરવાનું.જો તેલના કટોરામાંથી એક બુંદ પણ ઢળે તો તો મને કહેતા વેદના થાય છેઃ એનો

અંજામ બૂરો આવશેત્યાં ને ત્યાં વધ! આ ભયાનક સજા છે. છે તૈયારી? હા! અંબર

તૈયાર થઇ ગયોઃ તેને કારાગર કરતાં આ વધુ પસંદ હતું ને પોતાના પર હતીઃ શ્રદ્વા તેલના

કટોરામાંથી એક બુંદ નહીંજ ઢોળાય! ધનપતિ અને સુખ ભરપૂર જીવન જીવવા ટેવાયેલો

અંબર કેદમાં રહે?અંબર હાથમાં કટોરો લઇને નીકળી પડયો.સાથે સૈનિકો ખુલ્લી તલવારે

ચાલતા હતાઃ જાણે જીવતું મોત સાથે ચાલતું હતું!

માર્ગમાં અદ્દભૂત નૃત્યો થતાં હતાં. સુમધુર સંગીત ગુંજતું હતું.રાજગૃહીના કાંગરે કાંગરે

આકર્ષક દ્રશ્યો રચાયાં હતાં. કિંતુ અંબરનું ધ્યાન એ કશામાં નહોતું. એ જાણતો હતો કે અહીં

એકપળ પણ બેકરાર રહ્યેતો જાન ખતમ! કટોરોમાં રહેલા બુંદ-બુંદમાં એનો જીવ પરોવાઇ

ગયો હતો! એ આવી પહોંચ્યો ત્યારે અભયે પૂછયુંઃ કેવો અનુભવ થયો અંબર!રાહમાં શું શું

જોયું? અંબર કાતિલ માનસિક પીડાના છૂટકારા પછીની સ્થિતિમાં હતોઃ નિહાળૂુંતો જાન

જાય! બહારની દુનિયા જ કોણે ઉંચી આંખે જોઇ છે? હાશ! માંડ બચ્યા!પણ તું તો કહેતો

હતો ને કે માનવી દુનિયાથી પર જાગૃતિપૂર્ણ એકાગ્રતા કેળવવા અસર્મથ છે, ને આજે..

અંબરના જવાબમાં અનુભવની સચ્ચાઇ આવીઃ મોત કોને ગમે? હવે લાગે છે કે દેહથી

મુકત એવું આત્મઘાત થઇ શકે. અભયના ચેહરા પર સ્મિત ઝળકતું હતુંઃતું હવે સાચું

સમજયો છે,અંબર! દરેક માનવી એવી પરમ જાગૃતિ અવશ્ય મેળવી શકે છે કે જેમાં કોઇ જ

વાસના,લોલુપતા.ઝંખના સ્પર્શતા નથી! તને કેદની સજા થઇ ને તું ભયાર્ત બની ગયો. પણ

પ્રિય! તું વાસનાઓની,કર્મોની કેદમાં અનંત સમયથી પ્રતિબંધિત છે. શું એની કોઇ ચિંતા

તને નથી થતી? મૃત્યુનો ડર તને લાગ્યો.પણ કર્મમુકત આત્મદશા ન પ્રકટે ત્યાં સુધી

જન્મમરણની વેદના અવિરામ રહેવાની જ. જો મૃત્યુથી ડરે છે તો મૃત્યુનું પણ મૃત્યુ થાય તેવી

સાધનામાં લાગી જવું જોઇએ! એવા મનુષ્યનું જીવન ખુદ આત્માને અંજલી બને. આપ

સાચું કહો છો પણ એનો ઉપાય?ભગવાન જિનેશ્વરના શરણે જવું તે. એના ચરણનું

શરણ ગ્રહે તેને ભવબંધનમાંથી મુકિત મળે. શું તને કોઇ એવી ભાવના થાય છે?

અભયકુમારને અંબરમાં કાંઇ પરિવર્તન દેખાયું. અંબરે થોડી ક્ષણો મૌનમાં ગાળી! મિત્ર!

તારા સંસર્ગે આજે મને મુકિતનો માર્ગ લાધ્યોઃ જાગૃતિનો મહિમા સમજાયો. તું જ મારો

સાચો મિત્ર, તારો અહેસાન માનું છું. હવે મને બાહ્ય ઝંખના નથી. મૃત્યુથી બચવા જે

ચીવટથી મેં તેલનો કટોરો અઢોળ રાખ્યો એના કરતાં અધિક ચીવટથી હું ભગવાન

મહાવીરનાં ચરણે જઇશઃ નિર્મળ ચારિત્ર્યની ઉત્કૃષ્ટ સાધનાથી આત્માને અજવાળીશ. દૂર-

સુંદર મેના એ જ પળે ગુંજી, પોપટે સૂર પૂર્યા, સાધનાના માર્ગે જઇ રહેલા અંબરને જોઇ

અભયકુમાર ને થયું, અંબર કરતાં પોતે નાનો છે! ચાલો આટલું કરીએ : દરેક વ્યકિતમાં

કોઇ ને કોઇ દોષ તો છે જ. આપણે એને માફ ન કરી શકીએ ? દરેક વ્યકિતમાં વિવિધતા -

વિચિત્રતા તો છે જ. આપણે એને શું નભાવી ન શકીએ? દરેક વ્યકિતમાં કોઇ ને કોઇ આદત

તો છે જ .આપણે એને પ્રેમથી સ્વીકારીન શકીએ? દરેક વ્યકિતના પોતાના સિદ્ધાંત -માન્યતા

હોવાનાજ આપણે એને હૃદયથી માન ન આપી શકીએ? દરેક વ્યકિતમાં કોમળ લાગણીનું

ઝરણુંતો વહે છે આપણે એની કદર ન કરી શકીએ? દરેક સાલ સંવત્સરી તો આવેજ આપણે

એને સાચી રીતે ઉજવી ન શકીએ? દરેક ને સાચા હૃદયથી ક્ષમાપના આપીએ અને બધા પાસે

પણ ક્ષમાપના માંગીએ. વેર થી વેર શમે નહીં જગમાં, જીવનમાં -પ્રેમથી પ્રેમ વધે જીવનમાં.

હે પરમાત્મા, મને તમારી શાંતિનું વાહન બનાવ :

ક્ષ :ઃઃ ક્ષણીક છે જીવન કીંમતી છે હર પળ.

માઃઃઃઃઃ માફી માંગો અને માફી આપો.

પ :ઃઃઃઃ પરોપકાર કરો - પાપનો પશ્ચાતાપ કરો.

ના :ઃઃઃઃ નાનપ ન રાખો - મન મોટું રાખો.

ક્ષમા એ મોક્ષનો દરવાજો છે-તેેમાં પ્રવેશવા માટેનો મહામંત્ર મિચ્છામી દુક્કડમ

છે.આગમાં તો જે લાકડાં નાંખો તે જ બળે છે, પણ પશ્ચાતાપની આગમાં તો..ભવોભવના

પાપો બળી જાય છે. વંદન,ચંદન કરતા શીતળ છે. ચંદન કપાળને ઠંડુ કરશે,વંદન હૃદયને ઠંડુ

કરશે. પ્રભુ પિતા પણ આ રીતે પ્રસન્ન થાય છે. નમવું એટલે નમ્ર થવું. નમવું એટલે મય થવું.

સંસ્કાર હશે તેને નમસ્કાર ગમશે. નમ્રતા એ જ્ઞાનનો પ્રારંભ છે. ધર્મ માત્રનું મૂળ નમ્રતા

છે. ધર્મ પામવાનું પહેલું પગથીયું નમ્રતા છે. જે નમ્ર બની શકતો નથી,તે ધર્મને ઓળખી

શકતો નથી. ધર્મનું મૂળ નમ્રતા એટલે વંદના છે.

કલેશ થાય તેવું બોલવું નહીં

રોગ થાય તેવું ખાવું નહીં

પાપ થાય તેવું કમાવું નહીં

દેવું થાય તેવું ખર્ચવું નહીં.

મન બગડે તેવું વીચારવું નહીં

જીવન બગડે તેવું આચરવું નહીં .

સંસાર ઘસાય તેનું નામ ધર્મ

પૈસાની મૂર્ચ્છા ઘસાય તે દાન

વાસના મનથી ઘસાય તે શીલ

ખાવાપીવાની ઇચ્છા ઘસાય તે તપ અને

મનની પ્રવૃત્તિઓ ઘસાય તે ભાવ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૫ જગડું તુ દાતાર, દૂજો થાવો નથી

આંખ માંડો ત્યાં અફાટ રણ સિવાય કંઇ દેખાતું નહોતું. ધરતી પર એકેય લીલું તરણું પણ

રહ્યું નહોતું. આકાશ અને ધરા - બંને સૂકાં સૂકાં હતાં. ધૂળની ડમરીઓ ઉડતી હતી. ઊંચી

હવેલીના ગવાક્ષમાં બેઠેલા જગડુના દૂર-દૂર નિહાળતાં આંખ અને અંતર બળતાં હતાં હવે

તો આંસુય ઊભરાતાં નથી!એને થતું હતુંઃ શું આ બળબળતો વલોપાત આંસુય બાળી

નાંખશે

ગવાક્ષમાં સુખાસન પર બેઠેલા જગડુશાને ચેન નથી. એના ગરવા મુખ પર સમસ્ત વેદના

જડાઇ ગઇ હતી. ભેંકાર દશ્ય સતત વલય રચતું હતું. ધરતી તપતિ હતી, એમા તિરાડો ઊઠી

હતી. આકાશ બેવફા થયું હતું. માનવ અને પ્રાણી - સૌ પાણી માટે વલવલતાં હતાં.

જગડુશાનાં હૃદયમાં વેદનાના શોર ઊઠતા હતાં. માનવી સ્વયં માનવતા વેંચવા બેસે તેવા

કરૂણ દિવસો આવ્યા હતા! એના કાનમાં પેલી સ્ત્રીનું કરુણ આક્રંદ અફળાતું હતું. એણે કહ્યું

હતું, શેઠ પાણી વિના તરફડીએ છીએ. હવે તો એક જ રસ્તો છે! શો? જગડુશાના મનમાં

આશા ઝબકી. આ મારો દીકરો છે ને ? પેલી સ્ત્રીએ હાથમાં કોમળ ફૂલ જેવો દીકરો, જે

સાક્ષાત દુકાળના દીદાર જેવો દેખાતો હતો, તેને બતાવીને કહ્યુંઃ શેઠ.આ દીકરાને મારી ને

તેનું લોહી પીવાનો રસ્તો બાકી છે! પાણી વિના કેમ ચાલે?હેં! એ સાંભળતા જગડુશાને,

પોતાને કોઇ ચીરી રહ્યું હોય તેવી વેદના થઇ હતી કેવો કરુણ કાળ! ને હજી તો, દુકાળ નું

પહેલું વર્ષ પુરું થયું છે. ન જાણે હજીય કેવા દિવસો આવશે!આ ગમગીન સમયના

આગમનની તો જગડુશાને પહેલેથી ખબર પડી ગઇ હતી. સંધ્યાની વેળા હતી, આકાશ

વાદળથી આચ્છાદિત હતું. વાદળ રચાતાં હતાં, વીખરાતાં હતાં, વરસતા નહોતાં. ધર્મી

જગડુશા કુદરતનો આ તાપ નિહાળતા ઉપાશ્રયમાં પહોંચ્યા. સૌનું નિરંતર કલ્યાણ ઇચ્છતા

ગુરુજનોની નિશ્રામાં ધર્મક્રિયા કરી. એ દિવસે પ્રતિક્રમણ કરતાં વિશેષ આહલાદ થયો. તેથી

વધુ સમય રોકાયા. એક ખૂણામાં બેઠા ને એકાગ્રચિત્તે પ્રભુસ્મરણ આદર્યું.મધરાત થવા

આવી. ત્યાં ગુરુજન ઊઠયા. ઉપાશ્રયમાં બેચેનીથી ઘૂમવા માંડયા. સાથે બેઠેલા શિષ્યે પૂછયુંઃ

ગુરુદેવ, તબિયતની કોઇ અવસ્થતા તો નથી ને? ઉત્તર ન મળ્યો. પુનઃ અનુત્તર પ્રશ્ન.

પુનઃ પ્રશ્ન . ગુરુદેવે કહ્યું,વત્સ! મનમાં જિરવાશે તારાથી? હવે શિષ્યે મૌન પાળ્યું. ગુરુજી

ગંભીર હતા. કંઇક ગંભીર વાત હતી. થોડીક ક્ષણો પછી ગુરુદેવ કહેતા હતા,એમના

ધ્વનિમાં મેઘનો લય અને વાદળનો વિષાદ હતોઃ બિહામણો કાળ આવે છે! ભેંકાર દિવસો

આવશે. પાણી પણ નહીં મળે, પશુઓ માટે લીલું ઘાસ નહીં મળે - બાળકો,સ્ત્રીઓ, વૃદ્વો ,

જુવાનો, પ્રાણીઓ- સૌ તરફડશે, કકળશે, વલવલશેઃ ઓહ! બિહામણો કાળ આવે

છે! અંધારિયા ખૂણામાં બેઠેલા જગડુશાના કાને આ શબ્દો અડકયા ને એ ગુરુદેવ પાસે

આવી ઉભા રહ્યા : ગુરુદેવ! ક્ષમા,મેં એ સાંભળ્યું છે. પુનઃ કહો પ્રભુ! શું થશે? ગુરુ

અને શિષ્ય જગડુશા ને નિહાળી રહ્યા . એમને કલ્પના નહોતી કે ઉપાશ્રયમાં કોઇક છે!

ગુરુદેવે કહ્યુંઃ તેં સાંભળ્યું, જગડુશા? જી!જગડુશાના અવાજમાં અપરાધભાવ હતો. ખોટું

થયું! ખોટું થયું!ગુરુદેવે કહ્યું, એમના કપોલ ઉપર પ્રસ્વેદબિંદુ ઝબકયુંઃ જાણે એ વિષાદનો

છાંટો હતો. ખોટું થયું જગડુશા! તેં કાળવાણી સાંભળી!

ના, ગુરુદેવ! જગડુશાએ સવિનય ગુરુદેવને રોકયા. સારું થયું છે, આ કાળવાણી હું

જીરવીશ, એ પળે શું કરવું તેની આજ્ઞા કરો.

ક્ષણનું મૌન. પછી ગુરુદેવે કહ્યુંઃ દુકાળ આવશે. ભયંકર દુકાળ. આચાર્ય ભદ્રબાહુસ્વામીના

સમયમાં આવ્યો હતો. તેવો બિહામણો, વિકરાળ. જગડુશા તારાથી થાયતો આજથી ઘાસ

સંઘરજે, અનાજ ભરજે, પાણી સાચવજે. સૌને કહેજે કે પાણી ઘી ની જેમ વાપરે!અને

ગુરુદેવ વહેલી સવારે વિહાર કરી ગયા.એ દિવસે જગડુશા ઘરે પહોંચ્યા ત્યારે એક ઓલિયા

ફકીર ગૃહઆંગણે ઊભા હતાં. વિષાદના વમળની વચ્ચે તેને આનંદ થયોઃ પ્રાતઃકાળે

ગુરુવરનાં દર્શન કરીને આવ્યો ને અહીં ફકીરના દર્શન થયા! સરસ થયું. ઓલિયાપીરને એ

ઝૂકયો ત્યારે ફકીરે કહ્યુંઃ આ ઘરના આંગણામાં પથ્થર રખડે છે તે શું છે?જગડુશા

ચમકયોઃ એ તો ખાલી પથ્થર છે!નહીં, એમા રત્નો છે! કહીને ફકીર અલોપ થઇ

ગયા! ખરેખર, એ પથ્થરમાંથીં રત્નો નીકળયાં. જગડુશાના આશ્ચર્યની અવધિ નહોતીઃ એણે

દેશભરમાંથી અનાજ ભર્યું, પાણીના કૂવા ગળાવ્યા. ને ગુરુવાણી સત્ય ઠરી.. દુકાળના પહેલા

વર્ષે એની વિકરાળતાનો પરિચય આપી દીધોઃ લોકો ત્રાહિ ત્રાહિ પોકારી ગયા. ધરતી જીવતી

ચિત્તા બની ગઇ. લોકો પાસે અનાજ ખૂટવા માંડયુ એટલે જગડુશાએ પોતાના ભંડારો ખુલ્લા

મૂકી દીધા. ભદ્રેશ્વરસહિ પાસે લોકોના પૂર આવતા રહ્યા ં. જગડુશા સૌને મળે.એમના

દુઃખમાં સહભાગી થાય, આશ્વાસન આપેઃવરસાદ આવવાનો જ છે, એનેે જ આપણા વિના

નહીં ગમે! હૃદયની સચ્ચાઇમાંથી આવતાં એ મીઠાં વેણ જનસમૂહને તૃપ્ત કરતાં.

બીજું વર્ષ ભયંકર વીત્યું. ત્રીજા વર્ષનો આષાઢ આવ્યો. વાદળ રચાયા. પણ વરસ્યા નહીં!

દુકાળના એ ત્રીજા વર્ષમાં જગડુશાએ સૌને સાચવી લેવા દ્રઢ સંકલ્પ કરીને બેઠા હતા.

માનવી અને પશુઓનો જીવ બચવો જોઇએ : ધનની કોઇ વિસાત નથી. દુકાળના એ કરાળ

કાળને નાથવા જગડુશાએ જીવનસર્વસ્વ અર્પી દીધું. જનસમૂહના પૂર ઊભરાતાં રહેતા હતાં.

જગડુશાના આવાસ પાસે ઠલવાતા રહેતાં. જગડુશા આંખના અમીથી અને અંતરના હેતથી

સહુને આવકારતા, ન કોઇ હિજરાતું, સહુનુ દુઃખ સહુમાં વહેંચાઇ જતું હતું. જગડુશા જાણે

એમા વધારે ભાગ પડાવતા હોય તેમ દિવસ-રાત એક કરતા.ત્રણ-ત્રણ વર્ષના ભયાનક

સમયકાળ પછી એક દિવસ આકાશ ઘેરાયું, વાદળ રચાયાં ને મેઘ મન મૂકીને વરસ્યો, ત્યારે

તેનું બુંદે બુંદ ગાતું હતુંઃ જગડુ, તુ દાતાર! દૂજો થાવો નથી!

જગડુશાના આવાસ પાસે ઊભેલા વિરાટ લોકસાગરે એ પંકિત ઊર્મિથી ગાઇ. જગડુશા લોક

હૈયે અમર બની ગયા છે. મહાન દાનેશ્વરી જગડુશાના મૃત્યુ સમયે સૌએ આંસુ પાડયાં, પણ

વૃક્ષ,ધરતી ને પવનઃ માનવી ને પ્રાણી : સૌને હૈયે તે અમર છે.

મૃત્યુ તો દેહના થાય છે, અમરપંથ છે આત્માનો. દાનધર્મનો આવો મહિમા સાંભળીને તમારા

જીવનમાં તમે રોજ નાનું મોટું કંઇ દાન આપવાનો નિર્ધાર કરજો! તમારું એકાંતે કલ્યાણ

થાશે. બીજા પણ દાનીઓની થોડી વાત યાદ આવે છે તે પણ જણાવવી જરૂરી છેઃકવિવર

માધની સ્થિતિ ખૂબ ખરાબ હતી. ઘરનું વાસણ વેેંચાઇ ગયું હતું. છાપરામાં ભારવટમાં

નાંખેલા એવા મોટા કાષ્ટ પણ વેચાઇ ગયા હતા. અન્ન-દાંતને વૈર પડયા હતા ત્યારે રાજા

ભોજને કાવ્ય સંભળાવીને દાન મેળવવાની આશા એ તેઓ રાજસભામાં ગયા હતા. રાજાએ

ખુશ થઇને લાખ સોનામહોર આપી હતી. જગતમાં દાનેશ્વરીની ખ્યાતિ પામેલા માધ

રાજસભામાં ગયા હતા રાજાએ ખુશ થઇને લાખ સોનામહોર આપી હતી. જગતમાં

દાનેશ્વરીની ખ્યાતિ પામેલા માધ રાજસભામાંથી બહાર નીકળયા ત્યાં તો યાચકોની લાઇનો

લાગી ગઇ હતી. હાથ લંબાવતા ગયા અને માધ ડોનેશન આપતા ગયા. નગરની બહાર

નીકળે ત્યાં તો લાખ સોનામહોરો પુરી થઇ ગઇ. ઘરે લઇ જવા કશું જ બચ્યું ન હતું. ગામની

બહાર જે ઝુંપડીમાં તેઓ ગરીબીના દિવસો વીતાવી રહ્યા ં હતા ત્યાં સુધી યાચકો પાછળ ને

પાછળ લાગ્યા રહ્યા . માધ પાસે હવે દાન દેવા માટે કશું જ બચ્યું ન હતું. તેઓ યાચકોને

તો ના ન પાડી શકયા. પોતાના પ્રાણને પ્રાર્થના કરતાં કહ્યું કે! હે પ્રાણ! યાચકોને તમે

કશું આપી શકતા નથીતો શરીરમાં રહીને શું કરશો? હે પ્રાણ! તમે ચાલી જાવ! આ પિંજર

ખાલી કરો! આટલા આટલા શબ્દો બોલતાં બોલતાં તો માધના શ્વાસ પુરા થઇ ગયા.

માધકવિના પ્રાણ પરલોકે ચાલ્યા ગયાં ઇતિહાસમાં આજ સુધી માધ સમાન કોઇ દાતો થયો

નથી અને થવાનો પણ નથી.

આત્માનો જીવનવિકાસ આમ દાનધર્મ દ્વારા થાય છે. દાનધર્મથી તત્કાળ પુણ્યનો બંધ થાય

છે. તે પુણ્ય થી આગળ વધવા માટે જરૂરી બધી સામગ્રીઓ અને સંજોગો આવી મળે છે.

જીવનની વિકાસયાત્રા નિરાધાબાધપણે આગળ વધતી જ રહે છે. દાન ધર્મ જીવનના

વિકાસનો મૂલાધાર છે, એટલે પદાર્થો પ્રત્યેના મમત્વભાવને ઓછો કરી ને જયાં પણ અવસર

મળે ત્યાં દાનધર્મનો લાભ લેતા રહેવું જોઇએ. દાન દેવાથી લેનારા જીવને તત્કાળ શાતા મળે

છે. ભોજન એ સર્વ જીવોની એકસરખી આવશ્યકતાવાળી ચીજ છે. વિશ્વનો કોઇ પણ જીવ

ભોજન વિના રહી શકતો નથી. ભોજન ન મળે ત્યાં સુધી જીવ વ્યાકુળ સ્થિતિમાં હોય છે.

ભોજન મળતાં જ જીવને તૃપ્તિ થાય છે, શાંતિ થાય છે. દુઃખી જીવને તત્કાળ સુખનો

અનુભવ કરાવનાર ભોજન છે, માટે સર્વ દાનોમાં અન્નદાન શ્રેષ્ટ કહેવાયું. કરવાનું કામ

કરજો! યજ્ઞકુંડના અગ્નિમાં ઘી હોમવાની બદલે જઠરના પ્રબળ અગ્નિમાં અન્નનો હોમ

કરવાનું ચૂકશો નહીં , એ સાચો યજ્ઞ થયો કહેવાશે.

સ્વર્ગીય દેવી શ્રીમતી તારાબેન કાંકરીયાએ પોતાના જીવનમાં આવા દીન-દુઃખીયાના દુઃખો

દૂર કરવાના ઘણા કાર્યો કર્યા હતા. છતાં કોઇને ખબર પડવા દેતા ન હતાં. કલકત્તાના રોડ

પર, ફૂટપાથો પર રઝળતા ભિખારીઓને પોતાની ગાડીમાં જાતે ઉંચકીને બેસાડતા,

લક્ષ્મીનારાયણ હોસ્પિટલમાં એડમીટ કરતા, ડોકટરોને કડક સૂચના આપતા. દિવસમાં બે

વાર તે ભિખારીની ખબર અંતર પૂછવા જતા, સાથે ફળ-નાસ્તો લઇ જતા . જરૂર હોય તેને

દવા પણ અપાવી દેતા. એમનો જીવ ખૂબ જ ઉદાર હતો. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની

ભકિત પણ તેઓ ખૂબ જ કરતા. જીવદયા, અનુકંપામાં પણ તેઓ છુટ્ટે હાથે દાન કરતાં હતા.

પ.પૂ.આ.શ્રી હેમરત્નસૂરીશ્વરજી મ.સા.ગુજરાતમાં વિ.સં. ૨૦૪૩-૪૪-૪૫ માં દુષ્કાળ ન

ઉત્તરે ત્યાં સુધી દૂધ ન વાપરવાની પ્રતિજ્ઞા કરી હતી. તારાબેનને ખબર પડી એટલે તેઓ

અમદાવાદ-નારણપૂરા વંદન કરવા આવ્યા. આચાર્ય ભગવંતને વિનંતી કરી કે તમો દૂધની

બાધા ખોલો! સાહેબે કહ્યું કે દૂધ આપનારા ઢોરો જયારે રોજ હજારોની સંખ્યામાં મરી રહ્યા

હોય ત્યારે આપણાથી દૂધ કેવી રીતે વાપરી શકાય? તારાબેને કહ્યું કે તમો જો દૂધની બાધા

ખુલ્લી કરો તો હું આજથી રોજ દોઢ લાખ રૂપિયા પશુઓ માટે વાપરીશ. જેટલો સમય

દુષ્કાળ ચાલશે તેટલો સમય ડોનેશન આપવાનું ચાલું રાખીશ, પણ આપ દૂધની બાધા ખુલ્લી

કરો! આવો આગ્રહ કરીને તેમણે બાધા ખોલાવી હતી અને રોજ દોઢ લાખ રૂપિયા પશુઓ

માટે આપવાના ચાલુ કર્યા હતા. જોગાનુજોગ જ તે વર્ષે અષાઢ મહિનામાં વરસાદ પડયો અને

ગુજરાતમાંથી દુષ્કાળના ઓળા ઉતરી ગયા.

એક શ્રાવકભાઇ બહુજ મુશકેલીમાં હતા. ઘણી મુંઝવણમાં હતા. રોજ ઉપાશ્રય જતા હતા.

પૂ. આચાર્યશ્રીને એમણે એક દિવસ ગભરાતાં ગભરાતાં વાત કરી કે સાહેબ માથે દેવાનો પાર

નથી. ઘરમાં ખાવા માટે ઘાન નથી, બજારમાં ધંધો નથી, ઉઘરાણી પાછી આવતી નથી . શું

કરું ? મને તો મરવાના વિચારો આવ્યા કરે છે. પૂજયશ્રીએ તેને કહ્યું કે, જયારે કપરા દિવસો

ચાલતા હોય ત્યારે દાન ધર્મ ઉદારતા પૂર્વક કરવો જોઇએ. પોતાની બધી ચિંતા છોડી દઇને

અબોલ-મૂંગા પશુ-પક્ષીની ચિંતા કર. જા! કાલથી એક મુઠ્ઠી જુવાર કબુતરોને નાંખજે! તારા

બધા પ્રોબ્લમ પતિ જશે. પેલા ભાઇએ જરા પણ ભૂલ્યા વિના આ દાનધર્મ પાળવાનું ચાલુ

કર્યું. પરિણામે જતે દિવસે બધી જ મુશકેલીઓ ટળી ગઇ. એ ભાઇ કરોડપતિ બન્યા, માત્ર

એક મુઠ્ઠી જુવારના પ્રભાવે. નાનકડો પણ આવો દાનધર્મ કયારેક બહુ મોટું રીઝલ્ટ દેખાડે છે,

માટે કયારેય દાનધર્મમાંથી પાછા પડવું નહીં. દાનધર્મનો આ મહિમા સાંભળીને તમારા

જીવનમાં તમે રોજ નાનું મોટું કંઇ દાન આપવાનો નિર્ધાર કરજો! તો એકાંતે કલ્યાણ થાશે.

દાન છાનું કરો છપાવીને નહીં.એક વાર એક ભિખારી ને બે રૂપીયા આપ્યાં. અને હું

આગળ નીકળી ગયો. કૂતહલવશ મેં પાછળ જોયું એ ભિખારી પાનવાળાની દુકાન પર ઉભો

રહીને જીભ પર માવાની પડીકી મૂકી રહ્યો હતો! મારા દાનના આપેલ રૂપીયાનો આવો

દુરુપયોગ? પળભર આ વિચારે મન ખિન્ન થઇ ગયું. જો આપણા આપેલા દાનનો આવો

જ દુરુપયોગ જ થતો હોય તો બહેતર છેે દાન આપવાનું બંધ જ કરી દેવું. પણ બીજી જ પળે

એક અલગ વિચારણાના સહારે મનને એ વિચારથી મુકત કરી દીધું મારા આપેલ દાનનો

દુૂરુપયોગ કરનારને દાન આપવાનું બંધ કરી દેવાનું જો હું વિચારું છું તો આવતી કાલે પ્રભુ

પણ એમ વિચારે કે મેં જયારે આ યુવકને આંખ,કાન, નાક,પગ,મન,સંપત્તિ વગેરે જે આપેલ

છે એનો એ જો દુુરુપયોગ જ કરી રહ્યો છે તો શા માટે આવતાં જન્મમાં એ બધું એને આપવું

જોઇએ? ટુંકમા દાન આપવાનું બંધ તો ન જ કરવું જોઇએ પરંતુ દાન વિવેકપૂર્વક કરવું

જોઇએ. દા.ત. તમારા દ્વારા અપાયેલ પૈસાથી ભિખારી બીડી- સિગરેટ જ પિતો હોય,

માવો જ ખાતો હોય કે જુગાર જ રમતો હોય તો તમે એને પૈેસા દેવાનું બંધ કરી - એને એ

બદલે કેળાં આપો, બિસ્કિટ આપો કે રોટલી વગેરે આપો. ટુંકમાં સત્કાર્ય સેવન બંધ કરવાની

કયારે ય ભૂલ ન કરવી . ભગવાન આ જ વાત કરે છે. તને દુઃખ છગનભાઇએ આપ્યું છે કે

મગનભાઇએ આપ્યું છે. તારું અપમાન ચિન્ટુએ કર્યુર્ છે કે નિકુંજે કર્યુ છે, તારી ઉઘરાણી

નરેશે દબાવી છે કે રમેશે દબાવી છે. તને ગાળ નાથાલાલે કે પેથાલાલે આપી છે, તારા

પોતાના કોક જન્મના પ્રમાદ સેવનના ફળ સ્વરૂપે બંધાયેલ અશુભ કર્મો સિવાય એમા અન્ય

કોઇ જવાબદાર નથી. તને જેઓ ગુનેગાર કે જવાબદાર લાગે છે એ બધાય માત્ર નિમિત્ત જ

છે.ભગવાન શ્રી મહાવીરના કાનમાં ઠોકાયેલા ખીલાના પ્રસંગમાં આપણે જો પ્રભુએ ૧૭ માં

ભવમાં શય્યાપાલકના કાનમાં સીસું રેડયું એ કૃત્યને જ જવાબદાર ઠેરવીએ છીએ તો પછી

આપણાં વર્તમાન દુઃખમાં ભૂતકાળના કોક ભવના પ્રમાદને-કર્મોને જવાબદાર માનવા જ

પડશે.

દાનેશ્વરી કર્ણ પાસે અચાનક એક યાચક આવી ચડયો. એ વખતે કર્ણના હાથમાં એક સુવર્ણ

પાત્ર હતું. કર્ણેે સુવર્ણપાત્ર દાનમાં આપી દેવા યાચકના હાથમાં મૂકવાનો જેવો પ્રયાસ

કર્યો,યાચકે પોતાનો હાથ પાછો ખેંચી લીધો.પણ કેમ? સુુવર્ણપાત્ર તમારા ડાબાહાથમાં

છે અને ડાબા હાથે અપાતા દાનને સ્વીકારવામાં અપશુકન થાય છે. તમે સુવર્ણપાત્ર જમણા

હાથમાં લઇને મને આપો તો એ હું સ્વીકારું. ભૂદેવ! તમારી વાતતો સાચી છે પણ એક વાત

તમને કરું? નથી તો મને મારા આયુષ્ય પર ભરોસો કે નથી તો મને મારા મન પર ભરોસો.

ડાબા હાથમાં રહેલ સુવર્ણપાત્ર જમણાહાથમાં લેવા જતાં વચ્ચે જ મારું ય આયુષ્ય પુરું થઇ

જાય એ ય શકયતા છે તો વચ્ચે મારું મન બદલાઇ જાય એ ય શકયતા છે.માટે ભૂદેવ! મારું

ડાબા હાથનું દાન પણ તમે સ્વીકારી જ લો.

શાલીભદ્રે પોતાના પૂર્વભવમાં ભરવાડના ભવમાં જે દાન કર્યુ હતું, તે ખૂબ સાંકડા સંજોગમાં

કયુર્ં હતુ. કોકના ઘરે રંધાતી ખીર જોઇને ઘરે જઇને ખીર ખાવાની જીદ કરી હતી. માતાએ

આસપાસમાંથી માંગી માંગીને દૂધ, સાકર, ચોખા ભેગા કરીને ખીર બનાવી હતી. ભૂખ

કકડીને લાગી હતી. ખીર ખાવાની ઉતાવળ હતી. જીંદગીમાં પ્રથમ જ વાર ખીર મળી રહી

હતી. આ ખીર દાનમાં આપી દેવાય તો જીંદગીમાં ફરી ખીર ખાવા મળવાની ન હતી. જે

ચીજ રડીને મેળવી હતી . માતાએ દ્રવ્યો ઉઘરાવીને બનાવી હતી.. આવા સંજોગોમાં આ ખીર

શાલિભદ્રના જીવે માસક્ષમણના તપસ્વી મુનીરાજને વહોરાવી દીધી. પૂરેપૂરી ખીર આપી

દીધી. ઉદારતા સાથે. તમારામાં શકિત હોય, સમજણ હોય તો પહેલું કામ ભૂખ્યાનો

જઠરાગ્નિ શાંત કરવાનું કરજો! પુણ્ય કરવાની તક મળે તો ચૂકશો નહીં.

ધર્મ વગરના માનવીને સુખ મળે કે દુઃખ; બંને દુર્ગતિમાં લઇ જાય. સુખ મળે તો રાગ કરીને

કર્મ બાંધે અને દુઃખ મળે તો દ્વેષ કરીને પાપ કરે . બેય રીતે મરે..જયારે ધર્માત્મા સુખમાં

વિરકિત અને દુઃખમાં સમાધિ રાખીને સદગતીમાં જાય. રસ્તામાં ખાડા ટેકરા વગેરાતો

રહેવાના જ. સુખી માણસો સારી શોકએબસોર્બરવાળી ગાડી વસાવી તેમાં બેસીને નીકળે

છે, જેથી કોઇ ચિંતા જ નહીં. ધર્મ એ સારી ગાડી જેવો છે. હૃદયમાં ગોઠવી દો તો સંસારના

ચડાવ-ઉતાર બધું જ આવે પણ તમે મસ્તીમાં જ રહી શકશો. ક્રિયા એ ધર્મને પેદા કરવાનું

માધ્યમ છે. કોડીયું,તેલ ને વાટ એ જયોતને પ્રગટાવવાનું સાધન છે. માત્ર ક્રિયા કરનારો વર્ગ,

જે ભાવ પેદા કરવાનો પ્રયત્ન નથી કરતો તે કોડીયું, તેલ ને વાટ ને જ ભેગી કરે છે. એકલી

ભાવની વાત કરે છે તે બધાં કોડિયું,તેલ ને વાટ વિના જ જયોતને પ્રાપ્ત કરવાનું કહે છે. તે

પણ વ્યર્થ છે. બંને જોઇએ. જે ક્રિયા દ્વારા ધર્મ પેદા થાય તેને ધર્મક્રિયા કહેવાય.

દુનીયામાં બે પ્રકારના માણસોછે. કેટલાક જયાં જાય ત્યાં આનંદ ફેલાવે છે. કેટલાક જયાંથી

જાય ત્યાં આનંદ ફેલાવે છે. આપણો નંબર શેમાં છે.? તમારા નાના અવગુણોને મોટા માની

તજો. ઇંદ્રિયો ઉપર જય કરે છે તે મોટા મહારાજા. અહિંસા અમૃત છે. અપરિગ્રહ અમીરી છે.

કુદરત કર્મની સજા ધીરે ધીરે કરે છે. અલ્પભાષી સર્વોતમ મનુષ્ય છે. અણબોલાવ્યો બોલે તે

તણખલાની તોલે. તૃષ્ણા એ વધતો જતો રાક્ષસ છે. દાનએ લક્ષ્મીની પરમ શોભા છે.

કુમાર્ગની ગીની કરતાં સુમાર્ગની પાઇ વધે. નિંદા છાનું અને ધીમુ ઝેર છે. જેની પાસે દીલ

ની કોમળતા છે - સામાના કુટુંબને સમજવાની આગવી સમ્યગદ્રષ્ટિ-કર્મોના વિષમ વિપાકોની

સમજ છે. અંતકરણમાં પરોપકારનો રસ છે એ આત્માની મનોવૃતી સંપૂર્ણપણે બદલાઇ જાય

છે. બીજા પર આવી પડેલા દુઃખને મારું ચાલેતો દૂૂર કરી ને જ રહું અને મારી પાસે રહેલ

સુખને વધુ થી વધુ વ્યકિતઓ સુધી વહેંચતો રહું આવી મનોવૃતી એ આત્માની બની જાય છે.

કોઇ પણ દુઃખ આવે છે તે પીડા માટે નહીંં પણ આપણને ઘડવા માટે આવે છે. નિકાચિત

કર્મ ઉદયમાં આવવાથી દુઃખ આવે છે. નીતિ શાસ્ત્ર લખે છે કે મજેથી જીવવું હોયતો તમારા

પોતાનાં ઘરમાંય મહેમાનની જેમ રહો -પણ કરૂણતા એ સર્જાઇ છે કે આજનો માણસ

મહેમાનના ઘરમાંય માલિકની જેમ રહેવા માંડયો છે.

સંત તુકારામ રસ્તે જતા હતા ને ચણતાં કબુતરો ઊડી ગયા. તેમનાં હૃદયમાં ઘા પડયો. મારા

દ્ધારા કેટલું દુઃખ થયું? કેટલો અંતરાય થયો? કોઇની ભૂખ તો કદાચ હું ન ભાંગી શકુ પણ

કોઇને સુખે ખાવાય ન દઉં? આવું મારુ જીવન? તેઓ ત્યાં જ બેસી ગયા-નક્કી કર્યુ જયાં સુધી

કબુતર પાછા ન આવે ત્યાં સુધી અન્ન–જળનો ત્યાગ. સંત તુકારામની સંકલ્પ શકિતથી

કબુતરો પાછા આવી ને પ્રેમથી તેમના ખભા ઉપર બેઠા.

આપણે પ્રથમ અહંકાર ને ઓગાળી નાંખવો પડે. અભિમાન અને અહંકાર હોય ત્યાં સુધી

સાચી વાત સમજાય નહીં. સત્યને બીજે કાંઇ શોધવાની જરૂર નથી-તે આપણી અંદર જ છે.

જયાં સુધી માણસ જાગૃત ન બને ત્યાં સુધી આત્મદર્શન દુર્લભ છે. સ્વયં ને અને સત્યને જાણ્યા

વગર આત્માને ઓળખી શકાય નહીં.

ગમે તેટલું મળે પણ મનનો સ્વભાવ જ એવો છે એને એ ઓછું લાગે. મહિને ૧ લાખનો નફો

થાય પણ એનેે ખબર પડે કે મારો હરીફ મહીનાના ૨ લાખ કમાય છે તો મન દુઃખી થાય છે.

લાખ રૂપીયા કમાવા છતાં આનંદ મળતો નથી. મનના લોભને કદી સંતોષ નથી. માણસ જ

એક એવો ગધેડો છે કે જે એક ના એક ખાડામાં વારંવાર પડયા પછી ય એમાથી કોઇ

બોધપાઠ લેવા તૈયાર થતો નથી. આપણે આવું બનવું છે?માણસને એક દિવસતો બધું

છોડીને એકલા જ મૃત્યુ પામવાનું છે -પણ એક માત્ર પ્રભુ એવો છે જે મને મોતના સમયે

પણ વિજેતા બનાવી શકે છે. કારણ કે પ્રભુ પોતે મોત નું મોત કરી ચુકયા છે . તે અજર-

અમર-અવિનાશી બની ચૂકયા છે અને શાશ્વતસુખના સ્વામી બન્યા છે. જિંદગીનો બધો જ

સમય તમે જેને આપી રહ્યા છો એમાની એક પણ ચીજ આંખ બંધ થયા પછી સાથે આવવાની

નથી અને જે ચીજ સાથે આવવા તૈયાર છે એને માટે તમારી પાસે સમય જ નથી. આને

કરુણતા કહેવી કે મૂર્ખાઇ?વાસના એક જ વાત કરે છે, બને એટલો સહુનો ઉપયોગ કરી લો.

પ્રેમ એક જ વાત કરે છે, બને તેટલા સહુને ઉપયોગી બની જાઓ. પ્રેમમાં ભૂલ કરવાની

નબળાઇ છે એ વાત મંજૂર છે પણ સામાની સંખ્યાબંધ ભૂલોને ભૂલી જવાની ઉદારતા પણ

પ્રેમમાં છે એ વાત સતત આંખ સામે રાખજો.સંપત્તિ કદાચ આ ભવને સદ્ધર બનાવે છે,

સત્કાર્યો કદાચ પરભવને સદ્ધર બનાવે છે, પણ સદબુદ્ધિતો ભવોભવને સદ્ધર બનાવી દે છે.

આ વાસ્તવિકતા એક પળ માટે ય વિસરશો નહીં..ક્ષમા એ મોક્ષનો દરવાજો છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૬ હસતો ગઢ ગિરનાર

ગરવો ગઢ ગિરનનાર શોભે છે. દૂર દૂર થી યાત્રિકો દર્શનાર્થે આવે છે. આજે કેટલાક

મુનિઓ આ તીર્થ માટે પાવન થવા પધાર્યા છે. પ્રભુનું દર્શન,જીવનનો કેટલો મોટો લહાવો!

વિહારનો શ્રમ દેહને પીડે છે પણ મન આનંદથી ઓળઘોળ છે. વાહ,મનમાન્યું તીર્થર્ મળ્યુ!

જાણે પતિતપાવનની ગંગા મળી! શિખરે પહોંચવા પેલા મુનિવરોએ જયાં પહેલા સોપાને

પગ માંડયો, કે એક અવાજ આવ્યોઃ ઊભા રહો! કેમ? અજાણ્યા ન થાવ. દામ વગર

જગતમાં કામ થતું નથી. શેના દામ? દર્શનના દામ! મુનિઓમાં રહેલા મોટા વિસ્મયથી

બોલ્યા, ભાઇ! દર્શનનાં તે વળી દામ હોતા હશે? ને અમે તો મુનિ. માયાના ત્યાગી. અમારી

પાસે એ કયાંથી હોય?એ અમે ન જાણીએ. અમારે તો દામનું કામ. આ ભૂમિના અમે

માલિક. અમારા જીવનનો આ જ આધાર છે. અહીં આવે તે પાંચ દ્વમ્મ આપીને જાય, ન

અપેતો પાછા જાયમુનિના ગરવા મુખ પર વેદના તરી આવી. જે તીર્થ ઘાટે છોડવાનું

ત્યાગવાનું છે, ત્યાં જ ધનની વાત?! તો શું અમારે દર્શન કર્યા વિના જ પાછા ફરવું પડશે?

હા. મુનિઓ પાછા વળ્યા. દર્શનનો ઉમંગ નિરાશામાં પરિણમ્યો. એ પાછા વળ્યા, પણ એ

મુનિત્રિપુટી ચિત્તે હેરાન પરેશાન થઇ ગઇ. પ્રભુદર્શનાથે ખેડેલો આ વિરાટ વિહાર નિષ્ફળ

જશે કે શું? ત્યાગની ધરતી પર આ શું ? ભકિતશીલ મુનિઓઅ દ્રઢ પ્રતિજ્ઞા કરીઃ પ્રભુના

દર્શન ન થાય ત્યાં સુધી અન્નજળ નો ત્યાગ..! આખોય દિવસ માંડ વિત્યો. અંતરમાં

અંજપો ઉભરાતો હતો, ને એ અંજપામાં ત્રણ ત્રણ દિવસ વિત્યા. મુનિઓ દર્શન માટે

પ્રતિદિન તીર્થ ભણી ડગ માંડતા રહ્યા , પણ પેલા લોકો માન્યા નહીં. મુનિઓ દર્શન માટે

મક્કમ હતા. પેલા દામ માટે.ઐવામાં પવનની નાજુક સવારી પર સંગીતની સુમધુર સૂરાવલિ

વહેતી આવતી મુનિઓએ અનુભવી. આ શેનો અવાજ છે?અવાજ નજીકને નજીક

આવતો હતો. મુનિઓને થયું કે આ તો કોઇ પુણ્યશાળી પ્રભુને ભેંટવા વાજતેગાજતે

આવતા દીસે છે! મુનિઓ નજીક સર્યા. મંત્રીશ્વર વસ્તુપાલ તેમના સંઘ સાથે તીર્થભણી

આગળ આવતા હતા. તેમણે મુનિજનોને નિહાળ્યા, પૂછયું ધન્ય બન્યા પ્રભુ, તમારા

દર્શનથી. કાંઇ સેવા?સેવા? મુનિના નેત્ર ચમકયા. ત્રણ ત્રણ દિવસથી પ્રભુનો વિરહ

અમને વિહવળ બનાવે છે. મંત્રીશ્વર!વસ્તુપાળે વિનયથી કહ્યુંઃ ગુરુદેવ સંઘ સાથે

ભગવાનને ભેંટવા પધારો.મુનિએ આકાશભણી મીટ માંડી. ઊંચેરા ગઢ ગિરનાર પરથી

ભગવાન નેમનાથ તેમને નિમંત્રતા હતા. એમની આર્ષદૃષ્ટિએ ભવિષ્ય ભાળ્યુંઃ અમે તો સંઘ

સાથે જઇશું. કિંતુ પછી પધારનારા મુનિવરોનું કોણ? દર્શનના દામ એ કયાંથી લાવશે?

મંત્રીશ્વરને મુનિશ્વરે ટપાર્યાઃ વસ્તુપાળ! આજનું કાજતો સરી જશે, કાલનું શું?મંત્રી

સમજી ગયા. મુનિની વાણીમા વહેતી વેદના એમણે પારખી. નમ્રતાપૂર્વક એમણે પૂછયુંઃ

ગુરુજી, આનો ઉપાય શો?ઉપાય હું બતાવું. વેરો બંધ થાય તેવું કંઇક કરો. વેરાના

બદલામાં એ લોકો જે ઇચ્છે તે આપી સંકટ સદાયને માટે દૂૂર કરો. ધર્મને માર્ગે આવો

અંતરાય કોઇને નડવો ન જોઇએ. વસ્તુપાળના ગળે મુનિની વાત ઉતરી. સિપાઇઓને

મોકલી એમણે વેરો ઉઘાવનારાઓને બોલાવ્યા ને પૂછયુંઃ ભાઇઓ! આ વેરો લેવાનું તમે

બંધ ન કરો?તો પછી અમારું પોષણ શી રીતે થાય?એની વ્યવસ્થા થઇ રહેશે. કહો

વેરો બંધ કરવાના બદલામાં તમો શું ઇચ્છો છો? આપ અમારી ઇચ્છા પૂરી કરશો,

મંત્રીશ્વર? જરૂર મંત્રીશ્વરે ખાત્રી આપી. તો બાજુનું કુહાડી ગામ અમોને સોંપી દો એટલે

આ ગિરનાર પરનો બધો હક્ક અમે આપને આપી દઇશું. મંત્રીશ્વર વસ્તુપાલના મોંમાંથી

શબ્દો બહાર આવ્યાઃ‘ આજથી એ કુહાડી ગામ તમારું; બસ‘! વેરો બંધ થયો. યાત્રા સુલભ

થઇ. મુનિ અને મંત્રીએ આ ધર્મકાર્યથી સંતુષ્ટ થઇને ગિરનાર સામે જોયું ગરવો ગિરનાર

હસતો હતો. જાણે એમને નિમંત્રણ આપતો ના હોય!

નિર્લેપ રહેતાં આવડે તો ન થાય

દુઃખી કે દર્દી કે કોઇ, ભૂલેલા માર્ગ વાળાને ,

વિસામો આપવા ઘરની, ઉઘાડી રાખજો બારી,

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,

તમારા કર્ણનેત્રોની, ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોમાં, છૂટા જંજીરથી થાવા,

જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.

ગુણની ઉપર ગુણ કરે એ તો વહેવારાં વટ,

અવગુણ ઉપર ગુણ ખરી ખાત્રિયાં વટ

એકના બદલામાં એક એનું નામ વ્યવહાર,

શૂન્યના બદલામાં એક એનું નામ ઉપકાર..

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૭ સજ્જનનું વર્તન

આજ સવારની જ વાત. રાજસભા ભરાઇ હતી. મહારાજા સભાજનો પાસે નગરકથા

સાંભળતા હતા. મહારાણી જયાદેવી સોનાના પડદાની પછીતે બિરાજતાં હતાં. દીપકોના

ઝળહળાટમાં સમગ્ર રાજસભા પ્રકાશથી ઊભરાતી હતી. ઇંન્ૃદ્વની નગરી જેવી ચંપાપુરીનું

ઐશ્વર્ય અત્યારે રાજસભામાં ઠલવાતું હતું. પ્રસન્ન વાતાવરણ હતું.

એવામાં, અજાણ્યો કોઇ માનવી આવી ચઢયો. મુંઝાયેલો લાગતો હતો એ. કિંતુ એના વર્તન

પરથી એ સંસ્કારી જણાતો હતો. એની અકળામણ નિહાળીને મહારાજા વાસુપૂજયે તેને પાસે

બોલાવ્યો ને સ્નેહપૂર્વક પૂછયુંઃ કોઇ ચિંતામા છે, ભાઇ? એ આંગતુક માનવીનાં નેત્રોમાં

આંસુ છલકાયાં : રાજન, જીવનમાં દુઃખ કદી કોઇને ન આવશો .

મહારાજા હસ્યા, ભાઇ, એ આપણા હાથ ની કયાં વાત છે ? કર્યા કર્મ કોને છોડે છે?

કિંતુ રાજન! મારા દુઃખને કોઇ અવધિ નથી. એવું તે શું છે! કરુણ કથા છે,દેવ! મારા

પિતા આ જ નગરના વસનારા,અતીવ સંપત્તિવત. એમની હૂંડી તો વનમાં વૃક્ષ પણ સ્વીકારે,

તેવા નીતિવંત. એમનો હું એક જ પુત્ર.

કિંતુ ભાગ્યની કથા નિરાળી હોય છેઃ એમની પાસે અપાર સંપત્તિ હતી, મને મળી, પણ

મારા કિસ્મતનું પાત્ર ફૂટેલું તે કંઇ ન બચ્યું. માત્ર રહેવા માટેનો એક વિશાળ મહાલય

બચ્યો. તે પણ ખટપટ કરીને મારા મુનીમે પડાવી લીધો!

હા મને યાદ આવે છે! મહારાજા વચમાં બોલ્યા : પછી તમે અહીં આવેલા અને રાજની

વગથી એ મહાલય તમને પાછો અપાવેલો. ખરું?

ભલું યાદ રાખ્યું, પ્રભુ! આંગતુકે હાથ જોડયા ને પોતાની કર્મકથા આગળ વધારીઃ

રાજન! એ મહાલય મળ્યા પછી તેમાં રહેવા જવાનું નક્કી કર્યું. સાત માળનો મહેલ.

ગગનચુંબી મહાલય. અમે ત્યાં એક સપ્તાહથી આવી ગયા છીએ. પણ કુટુંબના એક પણ

સભ્યે જંપીને નિદ્વા લીધી નથી. રાત પડે છે અને મહાલયમાં અજાણ્યા રુદનના સ્વર ઊઠે છે!

ભેંકાર પડઘા પડે છે! બિહામણા દશ્યો રચાય છે! સતત અવાજ આવ્યા કરે છે! પડું?

પડું?

આ શું છે તે સમજાતું નથી ને અનિદ્વામાં દિવસ-રાત વિતાવીએ છીએ. રાજન, આપે

મહાલય તો પાછો અપાવ્યો પણ હવે નિરાંતે તેમાં શ્વાસ લઇ શકીયે તેવી કૃપા કરો.

મહારાજા વાસુપૂજય વિચારમાં પડી ગયા. આંગતુકની આંખોમાં દરિયો ઉભરાયોઃ શું ખુદ

મહારાજા આનો રસ્તો નહીં કાઢી આપે?

સ્વામી, અવિનય ક્ષમા કરો, પણ હું કંઇક કહું? સોનાના પડદા પાછળથી રૂપાની ઘંટડી

જેવો અવાજ આવ્યો. એ સ્વર મહારાણી જયાદેવીનો હતો. મહારાજાએ મૃદુ સ્વરે કહ્યું કહો

મહારાણી!

સ્વામી, આંગતુકને કહો એ નિચિંત રહે. આજે એ મહેલમાં હું રહીશ ને આવતી કાલથી એ

સુખની નિદ્વા પામશે. મને આજ્ઞા આપો, સ્વામી!

મહારાજા સ્તબ્ધ થઇ ગયાઃ આપ જશો? સ્વયં? મહારાણી, દેહની સ્થિતિ તો વિચારોઃ કશુંક

અવનવું થાયતો? મહારાજાનાં ચક્ષુ સમક્ષ પડદા પાછળ બિરાજમાન સતી શિરોમણિ

જયાદેવી તરી રહ્યા -એ ગર્ભવતી હતાં. જોશીઓએ આગાહી કરેલી : ગર્ભનો જીવ પુણ્યવંતો

છે. એ ચૌદ સ્વપ્નથી સૂચિત છે માટે. પૂર્વસૂરિઓએ કહ્યું છે તેમ, એ જીવ જન્મ પામીને

જૈનધર્મમાં બારમાં તીર્થંકર ભગવાન વાસુપૂજય પણ થાય! મહારાજા વિહવળ બની ગયાઃ

સ્વયં મહારાણી શા માટે જાય?

કિંતુ મહારાણી મક્કમ રહ્યા : સ્વામી મને આજ્ઞા આપો. ગર્ભસ્થ જીવની ચિંતા ન કરવી કલ્પેઃ

એનાં પુણ્યપ્રતાપ રૂડાં છે! આપણને કયાં અનુભવ નથી?

મહારાજા એ વાતે સંમત હતાઃ જયારથી એ બાળકનો જીવ ગર્ભમાં આવ્યો ત્યારથી સર્વ

પ્રકારે નિત્ય વૃધ્ધિ છે! એમણે સંમતિ આપી. .

સંધ્યા આથમી ત્યારે મહારાણી તે મહાલયમાં પહોંચ્યા. સાતમાં માળે પહોંચ્યા ત્યારે

આકાશમાં ચંદ્રોેદય થઇ ચૂકયો હતો. ને મહાલયમાં ભેંકાર કોલાહલ ઉઠયો! ડાકલાં વાગતાં

જણાયાં! જાણે ભૂતના પડછંદા ગાજતા હતા! છતમાંથી અવાજ આવ્યોઃ

પડું? પડું? મહારાણીના કંઠમાંથી મધુર અવાજ પ્રકટયોઃ પડ!

ને એ જ પળે છતમાંથી સુવર્ણનો એક પુરુષ પડયો. ભેંકાર સ્વર બંધ થઇ ગયો. સુમધુર

સંગીત આપોઆપ ઝકૃત થઇ ગયું! મહારાજા ત્યાં દોડી આવ્યા, મંત્રીઓ, નગરવાસીઓ

બધા દોડીને આવ્યા. મહારાણીને વધાવી લીધાં, મહાલયનો માલિક એમના ચરણમાં પડીને

સતત વીનવતો હતોઃ મહાદેવી! આ તમારા પગલે સોનાનો વરસાદ વરસ્યોઃ કૃપા કરીને તે

સ્વીકારો. મહારાજા મૌન રહ્યા, મહારાણી જયાદેવી બોલ્યાંઃ ભાઇ, આ તારું છે ને તારે

રાખવાનું છે. સજજનોનું કામ સારા કાર્ય માં સહયોગી બનવાનું છે. એ બને તો આપે, લે

નહીં! ભાઇ, તું સુખી થા!

મહારાણી ના ભવ્ય નિર્મળ મુખને સૌ નિહાળી રહ્યા . ત્યાં અનોખી દીપ્તિ મહોરતી હતીઃ દૂર

કોયલ ને પપૈયા ટહુકતાં હતાં. જાણે તે ય મહારાણીને વધાવતાં ન હોય!

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૮ કાયાના કુંભ પર કીર્તિકળશ

પૂર્વાકાશે કુમકુમવર્ણા કિરણો ફૂટયા. ધરતી સોનલવર્ણી બની ગઇ. ડેલીની સાંકળ ખખડી.

અંદરથી કશો પ્રત્યુત્તર ન મળ્યો. સાંકળ ફરી જોરથી ખખડી. સવચંદ શેઠ વિચારમાં ડૂબ્યા,

સવારના કોણ પરોણો હશે? આસ્તેથી એમણે દ્વાર ખોલ્યા. જોયુંતો ગામના મોટા

ગરાસદાર! શેઠના પ્રતિભાશાળી ચહેરા પર એક સ્મિત ઝબકયું. અંતરના ઉમળકાથી એમણે

ગરાસદાર ને આવકાર્યા : પધારો.. ગરાસદારે કહ્યું, શેઠ, મનમાં તો અનેકવાર થતું કે

મારે મળવું જોઇએ તમને, પણ કામોમાંથી બહાર નીકળાતું જ નથી. આજ તો થયું કે લાવ

અત્યારે જ મળી આવું. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય! આપના પગલાં અમ આંગણે કયાંથી? કહો

શી આજ્ઞા છે? ગરાસદાર બોલ્યો, શેઠ, આજ્ઞાતો શી હોય? તમારી નેકી અને નીતિના

વાવટાતો ચોમેર લહેરાય છે. શ્વાસથી જેમ શરીર નભે,તેમ આપના વિશ્વાસથી જીવનનાં

વહાણ તરે છે! હમણાં પૈસાની ખૂબ ખેંચ રહે છે. મનમાં થયું, પોતાના માણસ પાસે

અડધી રાતેય જવામાં વાંધો નહીં. શેઠ, મારા આપની પાસે લેણા નીકળતા એક લાખ રૂપીયા

અત્યારે આપશો? શેઠના શરીરમાંથી વીજળી જેવી એક કંપારી પસાર થઇ ગઇ.પૈસા! એક

લાખ રૂપીયા!શેઠને યાદ આવ્યું - પરદેશ ગયેલા પોતાના વહાણના હજુ કાંઇ સમાચાર

આવ્યા નથી. અહીંની પેઢી હમણાં ખોટમાં છે. પરદેશ ગયેલા મારાં વહાણ મારી સઘળી

મિલકત લઇ ગયાં છે.કદાચ દરિયામાં એ ડૂબી ગયા હશે તો?

શેઠના ચહેરા પર ચિંતાની છાલક વાગી, ઓહ! આ પૈસા નહીં અપાય તો ઇજજતનું શું?

મારા નામે લોકો પૈસા એમ ને એમ મારે ત્યાં મૂકી જાય છે. વામનસ્થલિનું એક એક બાળક,

વૃક્ષનું પ્રત્યેક પાન, સવચંદના વિશ્વાસે શિર મૂકીને પોઢી જાય છે. રે! એ વિશ્વાસનોે આજે

ભંગ થશે કે? કંચનની દરકાર નથી, કીર્તિનો કાંગરો ખરશે તો શું થશે? બીજી જ ક્ષણે શેઠ

સ્વસ્થથઇ ગયા. એકાદ અઠવાડિયું ધીરજ રાખી શકાય તો રાખો,ભાઇ, ત્યાં સુધીમાં

પરદેશથી મારાં વહાણ પણ પાછા વળશે.

ગરાસદાર હા જ ભણવા જતો હતો, પણ જીભ થોથવાઇ. એના કાનમાં હજીય પડઘાતા

હતા પેલા વેપારીના શબ્દોઃ એલા, જોજે! સવચંદ શેઠની વીતક હમણાં સારી નથી. પરદેશે

સંચરેલા વહાણના કુશળ વાવડ મળ્યા નથી. એમનાં વહાણ ભેળા તારા પૈસાય ડૂબી ન

જાય! ના, શેઠ, એ પૈસા વિના એક અઠવાડિયું તો શું એક દહાડો ય ચાલે તેમ નથી! ને

તમારી પેઢીનું તો નગર માં નામ ગાજે છે. ગમે તેને હુકમ કરશો એટલે પૈસાનો ઢગલો થઇ

જશે. મારે પૈસા હાલ જ જોઇએ છે. શેઠ ગરાસદારની દાનત કળી ગયા, નક્કી આ મારી

ઇજજત લેવા બેઠો છે! શું એમ તો નહીં હોય, કોઇએ મારી કીર્તિને કલંકિત કરવા આને

ચઢાવ્યો હોય!એક પળ એમણે વિચાર્યુ, શું કરું? વામનસ્થલિમાં કોઇને કહીશ તો મારી

આબરૂનો ભરમ નંદવાઇ જશે. દેશાવરમાં કોઇને લખુંતો? પણ કોને? કોણ આપશે આટલા

બધા પૈસા? ત્યાં જ એક નામ એમની સ્મૃતિઝરોએ ઝબકયું - સોમચંદ શેઠ! અમદાવાદનો

એ માલેતૂજાર શ્રીમંત! શેઠે કહ્યુંઃ ભાઇ! અમદાવાદ હૂંડી લખી આપું? ગરાસદારે હા

કહી. શેઠે હૂંડી લખવા માંડી, પણ એના હાથ કંપ્યા. મારે ને સોમચંદશેઠને શી પિછાણ? ના

ત્યાં મારું ખાતુ ચાલે છે કે ન નાણાં લેવડદેવડનો કશો વ્યવહાર ચાલે છે. એ હુંડી સ્વીકારશે

ખરા? ધ્રુજતા હાથે હૂંડી લખી રહેલા શેઠના નેત્રો છલકાયાં. આંસુનાં બે બુંદ એ હુંડી પર

ખરી પડયાં. થોડી વાર પછી ગરાસદારના હાથમાં હૂંડી મૂકી. ગરાસદાર હર્ષ પામતો વિદાય

થયો. વર્ષો વીતી ગયા છે. ગ્રીષ્મની વેળા છે. અમદાવાદના રાજમાર્ગ પરથી એક શ્રેષ્ટી

પસાર થઇ રહ્યા છે. એમની આંખોમાં ઉત્કંઠા અને ચાલમાં વેગ છે. સોમચંદશેઠનું ડહેલું

પૂછતાં એ આગળ વધી રહ્યા છે. પસીનાથી એ લથબધ છે ને તો ય મુખ પર પ્રસન્નતાનું

તેજ પથરાયેલું છે.સોમચંદશેઠના ડહેલે એ પહોંચ્યા. ગાડું ઊભું રખાવ્યું ને એમાથી રોકડા

રણકતા રૂપિયાની થેલીઓ ઉતરાવી. સોમચંદશેઠ આશ્ચર્યમાં પડયા. આ શું બની રહ્યું છે?

એક અજાણ મારે ત્યાં આટલા બધા રૂપિયા ઉતારે છે! એ પૂછી બેઠા, અરે ભાઇ! તમે કોણ

છો? ને આ શું કરો છો?આંગતુક શેઠ સોમચંદના ચરણે નમ્યો. એણે કહ્યું, મારી

ઇજજતના રક્ષક! આ આપનું ધન, આપને અપર્ણ! મારું ધન! સોમચંદ શેઠ ને લાગ્યુ કે

આંગતુક કશા ભ્રમમાં છે. એ બોલ્યા, ભાઇ તમારી કંઇક ભૂલ તો નથી થતી ને?ભૂલ?

હા તમારી કાંઇક ભૂલ થતી લાગે છે. મારું ધન તમારી પાસે કયાંથી? આંગતુકે કહ્યું

ઉદારતાના શ્રેષ્ટી,ભૂલ મારી નહીં,આપની થાય છે. વર્ષૌ પહેલા મારી એક હુંડી સ્વીકારીને

આપે એક લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ભૂલી ગયા છો એ વાત? સોમચંદશેઠના ચિત્તાકાશમાં

અતીતની એક ઘટના ઊપસી આવીઃ બરાબર આવી જ મધ્યાન્હની વેળા હતી. શ્રમથી થાકેલો

એક પુરુષ હાંફળો ફાંફળો થતો હુંડી લઇને પોતાની પેઢીએ આવેલો. ઉતાવળ માં હતો એ.

મેં એને અતિથિવાસમાં આરામ કરવા કહેલું. મુનીમને વામનસ્થલિના સવચંદ શેઠનું ખાતું

ખોળવા કહેલું, પણ આશ્ચર્ય! મારે ત્યાં ખાતું નહીં, ને હુંડી આવી! મુનીમને મેં ખાતું

ખોળવા ફરીથી કહ્યું ત્યારે મુનીમે કહેલું, શેઠ! આ નામનું કોઇ ખાતું જ આપણે ત્યાં ચાલતું

નથી! તત્કાળ મારી નજર હુંડી પર પડેલા આંસુ પર ગયેલી. સૂકાયેલા એ આંસુ કોઇ

આબરુદાર વ્યકિતના સૂકાયેલા જીવનની કથની કહેતાં હતા. મને થયું,આ હુંડી લખનારને

મારા પર કેટલી શ્રદ્વા હશે! કેટલો વિશ્વાસ હશે! રે! એ વિશ્વાસને- ને એ વિશ્વાસ

કરનારની પ્રતિષ્ઠાને હું કેમ તોડી શકું?મેં મુનીમજીને આદેશ કરી હુંડી લાવનારને એક લાખ

રૂપિયા ચૂકવ્યા હતા.સોમચંદશેઠની નજર આગળથી પેલી ઘટના પસાર થઇ રહી, ને ત્યાંજ

પેલા આંગતુક પર એમનું ધ્યાન ગયું. એ બોલ્યાઃ તો તમે જ સવચંદશેઠ?હા, હુ જ એ

સવચંદ! આપનો સેવક! ને આટલું બોલતાં તો સવચંદશેઠની આંખોમાં ઝળઝળિયા આવી

ગયાં. એ સોમચંદશેઠના ચરણે ઢળી પડયા.સોમચંદશેઠે કહ્યું, ભાઇ! સેવક નહીં, સાધર્મિક!

મનમાં સહેજે ઓછું ન આણો. એ રકમ તો મેં તમારા નામે નહીં, દેવ નિર્માલ્ય રૂપે આપેલી.

એ હવે હું શી રીતે પાછી લઉં? કિંતુ, શેઠ મેં તો રકમ લીધી હતી, એટલે પાછી આપવી જ

પડે ને! લીધેલું દેવું, એ તો વ્યવહાર છે, આ ધન સ્વીકારીલો એ આપનું જ છે. પણ વાહ,

સોમચંદશેઠ! રકમ લેવા એ તૈયાર થયા જ નહીં!એમણે માત્ર એક જ વાત કરીઃ આ રકમ

હવે મારી ગણાય જ નહીં. મેં તો આપી દીધી. આ તરફ સવચંદશેઠ પણ મક્કમ રહ્યા. ધન

બંનેની વચ્ચે પડયું હતું, ને કોઇ એનો માલિક થવા તૈયાર નહોતું. આખરે સવચંદશેઠના

શાણપણે વચલો માર્ગ વિચાર્યોઃઆ દ્રવ્ય આપણા બેમાંથી કોઇનું નથી. એને ધર્માથે

વાપરીએ તો? મંજૂર. સોમચંદશેઠના હૃદયમાં હર્ષનો ઉભરો આવ્યોઃ એમા મારી રકમ

ઉમેરું છું. આપણે સિધ્ધગિરિ પર ટૂંક સર્જીએ. આ દ્રવ્યનો એ જ માત્ર સદુપયોગ છે. આપ

શીલ્પીઓને નિમંત્રો. સવેળા જિનમંદિર રચો. સિધ્ધાચળના ગૌરવવંતા ગિરિ પર સવા-

સોમા ની ટૂંક પરની ભોમમાં લહેરાતી ધજા આજેય આ કીર્તિગાથા ગાયા કરે છે.

કસોટી થી સોનુ પરખાય - જીભથી માણસ પરખાય.

જીવદયા સાથે જીભદયા પણ પાળો.

દાન એક એેવી ઔષધી છે જે પરિગ્રહ નામના રોગ થી મુકત કરે.

સુવાસ જ ન હોય તો પુષ્પ અને પથ્થર માં શું ફરક?

જો જીવનમા પ્રેમ,વાત્સલ્ય,કરુણા અને લાગણી ન હોય તો આંખ હોય કે નહોય–દેખતા

હોય કે અંધાપો હોય-શું ફરક પડે છે?

ઉંડત્ણ્ડદ્યડ ણ્ત્ત્ ધ્થ્દ્ધદ્રદ્મડત્ડ્ડ - દ્મદ્દટ્ટત્ત્ઠ્ઠણ્ત્ત્ડ્ઢ ડ્ડથ્દ્ર દ્વઢટ્ટદ્દ ધ્થ્દ્ધ ટ્ઠડત્ણ્ડદ્યડ ણ્ત્ત્ દ્રડડ્ઢટ્ટદ્રઠ્ઠત્ડદ્મદ્મ થ્ડ્ડ દ્દઢડ થ્ઠ્ઠઠ્ઠદ્મ ટ્ટડ્ઢટ્ટણ્ત્ત્દ્મદ્દ ધ્થ્દ્ધ

ટ્ટત્ત્ઠ્ઠ દ્દઢડ થ્ર્દ્રડદ્મદ્મદ્ધદ્રડ દ્દઢટ્ટદ્દ દ્દડટ્ટદ્રદ્મ ટ્ટદ્દ ધ્થ્દ્ધદ્ર દ્રડદ્મણ્દ્મદ્દટ્ટત્ત્ઠડ ત્ર્ડટ્ટત્ત્દ્મ ઠથ્દ્ધદ્રટ્ટડ્ઢડ.

ક્ષ્ડડથ્ર્ણ્ત્ત્ડ્ઢ ટ્ટ દ્મત્ર્ણ્ત્ડ થ્ત્ત્ ધ્થ્દ્ધદ્ર ડ્ડટ્ટઠડ દ્વઢડત્ત્ ણ્ત્ત્દ્મણ્ઠ્ઠડ ધ્થ્દ્ધ ડ્ડડડત્ ત્ણ્ણૂડ ઠ્ઠધ્ણ્ત્ત્ડ્ઢ ડ્ડથ્દ્ર દ્દઢડ દ્મટ્ટણૂડ થ્ડ્ડ દ્મદ્ધથ્ર્થ્ર્થ્દ્રદ્દણ્ત્ત્ડ્ઢ

થ્દ્દઢડદ્રદ્મ ત્ર્ડટ્ટત્ત્દ્મ ઠથ્દ્ધદ્રટ્ટડ્ઢડ. ચ્દ્દથ્થ્ર્થ્ર્ણ્ત્ત્ડ્ઢ ટ્ટદ્દ ત્ત્થ્દ્દઢણ્ત્ત્ડ્ઢ ટ્ટત્ત્ઠ્ઠ ઠ્ઠથ્ણ્ત્ત્ડ્ઢ દ્વઢટ્ટદ્દ ણ્ત્ત્ ઢડટ્ટદ્રદ્દ ધ્થ્દ્ધ ણૂત્ત્થ્દ્વ ણ્દ્મ દ્રણ્ડ્ઢઢદ્દ

ત્ર્ડટ્ટત્ત્દ્મ ઠ્ઠડદ્દડદ્રત્ર્ણ્ત્ત્ટ્ટદ્દણ્થ્ત્ત્. કથ્ત્ઠ્ઠણ્ત્ત્ડ્ઢ ધ્થ્દ્ધદ્ર ઢડટ્ટઠ્ઠ ઢણ્ડ્ઢઢ ટ્ટત્ત્ઠ્ઠ ટ્ઠડણ્ત્ત્ડ્ઢ દ્દઢડ ટ્ઠડદ્મદ્દ ધ્થ્દ્ધ ણૂત્ત્થ્દ્વ ધ્થ્દ્ધ ઠટ્ટત્ત્ ટ્ઠડ

દ્વઢડત્ત્ ત્ણ્ડ્ડડ દ્મડડત્ર્દ્મ દ્દથ્ ડ્ડટ્ટત્ત્ ટ્ટથ્ર્ટ્ટદ્રદ્દ ટ્ટદ્દ ધ્થ્દ્ધદ્ર ડ્ડડડદ્દ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડટ્ટઠણ્ત્ત્ડ્ઢ ડટ્ટઠઢ ઠ્ઠણ્ડ્ડડ્ડણ્ઠદ્ધત્દ્દધ્ દ્વણ્દ્દઢ દ્દઢડ ઠથ્ત્ત્ડ્ડણ્ઠ્ઠડત્ત્ઠડ

દ્દઢટ્ટદ્દ દ્દણ્ત્ર્ડ દ્વણ્ત્ત્ ટ્ઠદ્રણ્ત્ત્ડ્ઢ ધ્થ્દ્ધ ટ્ઠડદ્દદ્દડદ્ર દ્દથ્ત્ર્થ્દ્રદ્રથ્દ્વદ્મ ટ્ટત્ત્ઠ્ઠ ત્ત્ડદ્યડદ્ર ડ્ઢણ્દ્યણ્ત્ત્ડ્ઢ દ્ધથ્ર્ ત્ર્ડટ્ટત્ત્દ્મ ટ્ઠડત્ણ્ડદ્યણ્ત્ત્ડ્ઢ ણ્ત્ત્

ધ્થ્દ્ધદ્રદ્મડત્ડ્ડ.

ઘ્થ્ડત્ર્ ટ્ઠધ્ ખ્ર્ટ્ટદ્રદ્રધ્ ઋત્ત્ડત્ત્ ક્રથ્દ્મડથ્ર્ઢ ટ્ટદ્મ ટ્ટથ્ર્થ્ર્ડટ્ટદ્રડઠ્ઠ ણ્ત્ત્ ક્રઉક્કગ્ઉ ઋઠ્ઠદ્ધઠટ્ટદ્દણ્થ્ત્ત્ ચ્ડદ્રણ્ડદ્મ ૯૦૧ દ્રડડ્ડડદ્રડત્ત્ઠડ ટ્ઠથ્થ્ણૂ.

‘ક્રટ્ટણ્ત્ત્ટ્ટ દ્મદ્દટ્ટત્ત્ઠ્ઠદ્મ ડ્ડથ્દ્ર ૠડઠ્ઠડદ્રટ્ટદ્દણ્થ્ત્ત્ થ્ડ્ડ ક્રટ્ટણ્ત્ત્ ઉદ્મદ્મથ્ઠણ્ટ્ટદ્દણ્થ્ત્ત્દ્મ ણ્ત્ત્ ગ્થ્દ્રદ્દઢ ઉત્ર્ડદ્રણ્ઠટ્ટ.‘

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૯ મમ્મણ શેઠ

રાજગૃહી નગરીમાંં શ્રેણિક રાજ રાજય કરતા હતા. તેમને ચેલ્લણા નામે પટરાણી હતી. એક

વખતે ચોમાસાની ૠતુમાં રાજા-રાણી ગોખમાં બેઠા બેઠા વરસતાં વરસાદમાં સાથેે વાતો

કરતાં હતાં કે, મારા રાજયમાં કોઇ દુઃખી નથી. એવામાં વીજળીના ઝબકારામાં રાણીએ એક

માણસને નદીમાંથી તણાઇ આવતાં લાકડાં ખેંચી નાખતો જોઇ રાજાને કહ્યું કે,તમે કહો છો

કે મારા રાજયમાં કોઇ દુઃખી નથી તો આ માણસ દુઃખી ન હોય તો આવું કામ કેમ કરે?

રાજાએ સિપાઇને મોકલી ને માણસને તેડાવી પૂછયું તારે શું દુઃખ છે કે આવી અંધારી રાત્રે

નદીમાંથી લાકડા ખેંચી કાઢે છે?તેણે કહ્યું કે મારી પાસે બે બળદ છે.તેમાં એક બળદનું શીંગડું

અધુરું છે. તે પુરું કરવા ઉધમ કરું છું. શ્રેણિકે કહ્યું કે તને સારો બળદ અપાવી દઉં? તેણે

કહ્યું, એક વાર મારા બળદને જૂઓ પછી અપાવવાનું કહેજો. રાજાએ તેનું ઠેકાણું લખી કહ્યું

કે, હું સવારે તારા બળદને જોવા આવીશ એમ કહી તેને વિદાય કર્યો.

સવાર પડતાં રાજા તેના ઘરે ગયા. તેણેે ભોંયરામાં લઇ જઇ બળદ બતાવ્યા. તે બળદ નગદ

સોનાના હીરામાણેકથી જડેલા જોઇ રાજા આશ્ચર્ય પામી કહેવા લાગ્યા. તારા ઘરમાં આટલી

સંપત્તિ છતાં તું આવા દરિૃદ્વના વેશે કેમ ફરે છે? તેણે કહ્યું, આ સંપત્તિ કાંઇ વધારે નથી.

વધારે ૃદ્વવ્ય મેળવવા માટે મારા પુત્રો પરદેશમાં ગયા છે. મને બીજું કામ ન સૂઝવાથી આ

કામ કરું છું. બળદના શીંગડાં ઉપર રત્નો ઝડવા સંપત્તિ ભેગી કરવી જરૂરી છે. તે માટે આવા

ઉધમો કરું છું તેમાં શરમ શી? માણસે કોઇ પણ ઉધમ તો કરવોજ જોઇએે? રાજા એ પુછયું

કે તમારા ઉધમ પ્રમાણે તમારો ખોરાક પ્રમાણમાં સારો હશે. તેણે કહ્યું કે હું તેલને ચોળા

ખાઉં છું,બીજું અનાજ મનેપચતું નથી. બીજાને સારું ખાતા જોઇ હું કચવાઉં છું કે

ખાવાપીવામાં લોકો નાહકનો આટલો બધો ખર્ચ કેમ કરે છે?

આ સાંભળી રાજાએ તેમનું નામ પૂછયું. તેણે કહ્યું - મારું નામ મમ્મણ શેઠ છે. પછી રાજો

એ મહેલમાં જઇ મમ્મણ શેઠની બધી હકીકત ચેલ્લણા રાણી ને કહી.

બીજે દિવસે વીર પ્રભુને વાંદવા શ્રેણિક અને ચેલ્લણા ગયાં. મમ્મણશેઠની હકીકત કહી પ્રભુને

પુછયું કે, મમ્મણ પાસે અઢળક દ્રવ્ય હોવા છતાં આવું હલકું જીવન કેમ ગુજારે છે? પ્રભુએ

કહ્યું, પૂર્વભવમાં તેના ઘરે કોઇ મુનિ મહારાજ વહોરવા આવતાં પ્રભાવનામાં મળેલ ઉત્તમ

સુગંધી મોદક વહોરાવ્યો. પણપછી કોઇના કહેવાથી જાણ્યું કે તે તો બહુ સ્વાદિષ્ટ મોદક હતો.

આ સાંભળી તે વહોરાવેલ મોદક પાછો લેવા ગયો કે, આવો સારો લાડુ નાહકનો મહારાજને

વહોરાવી દીધો. મુનિ પાસે પહોંચી વહોરાવેલ લાડુ તેણે પાછો માંગ્યો. મુનિએ કહ્યું, ધર્મલાભ

આપીને લીધેલ પાછું અમે આપી શકીએ નહીં. પણ તેણે જીદ કરી લાડુ પાછો મેળવવા પાત્રની

ખેંચતાણ કરી. ખેંચતાણીમાં મોદક નીચે પડેલ રેતીમાં પડયો અને રગદોળાઇ ગયો. મુનિએ

ત્યાંજ ખાડો ખોદી જમીનમાં પરઠવી દીધો. આથી તે આપેલ દાનની નિંદાને પશ્ચાતાપ

કરવાથી ગાઢ ભોગાંતરાયને ઉપભોગાંતરાય કર્મ બાંધી મમ્મણ શેઠ તરીકે ઉત્પન્ન થયો છે ને

નથી સારું ખાઇ શકતો કે મળેલ લક્ષ્મીનો ભોગવટો પણ કરી શકતો નથી.. પછી દાન

આપવાની તો વાત જ શી? ખરેખર કૃપણ નું ધન કાંકરા બરાબર છે.

કેમ્બ્રિજ યુનીવર્સીટીના પ્રોફેસર બ્રાઉને ધ એનર્જી ઓફ લાઇફબુકમાં લખ્યું છે કે, યુઝ ઇટ

ઓર લુઝ ઇટ. તમારા મનની એનર્જી ને વાપરતા રહો. હું ઘરડો થયો છું એમ સમજીને

તન-મનની શકિત વાપરવાનું જ બંધ કરી દે છે. ઘડપણ એ તો મનની અવસ્થા માત્ર છે.

પ્લુટોનિયમને બાળી નાંખો એટલે ફરીવાર પાછું એટલું જ પ્લુટોનિયમ પેદા થાય છે.

માનવની શકિતનું પણ એવું જ છે. તમે જેટલી શકિત વાપરી નાંખશો એટલે બીજી નવી

શકિત પેદા થશે.તનની જેમ મનની પણ અગાધ શકિત છે. એ શકિતને સર્જનકાર્યમાં વાપરતા

રહો. તમારા ખુદની અંદર અફાટ શકિતનો ધોધ વહે છે. જો શરીરમાં એનર્જીનો બફરસ્ટોક

છે તેપરોપકાર, ધર્મક્રિયા, ઘરકામ-ઓફીસકામ માટે વાપરશો નહીંતો ડાયાબીટીસ,હાર્ટએટેક

અને કોલસ્ટો્રલ જેવી બીમારીઓઆવશે. ેને તમે સર્જનકાર્યમાં લગાડશો તો તમે આ જગતમાં

મહાન સર્જનહાર બની જશો. લગની સાથે એકવાર કામે લાગો. આ જગતમાં ઘણાંય

પરોપકારના કાર્યો તમારી રાહ જોઇ રહ્યા છે. બોલો કયારથી કામે લાગો છો? હું મને ૬૬

વર્ષનો યંગમેન - જવાન સમજું છું.તેમ તમો પણ તમારી જે પણ ઉમ્ર હોય તેટલા વર્ષના

જવાન - યંગ સમજશો. અને જીવનની છેલ્લી ઘડી સુધી સત્કાર્યો કરતાં રહેવાની ભાવના

રાખજોે. આજ તો પર ભવનું ભાથું છેં. જીવન દરમિયાન તો સત્કાર્યો કરશો - પણ મનમાં

વિચારશોજી કે કદાચ હું ન હોઉં તો પણ મારી બાદ મારા કુટુંબીજનો પણ મારી કરતાં પણ

વધારે સત્કાર્યો કરી શકે તે માટે હું વ્યવસ્થા કરી જાઉં જેથી તેઓ પણ તેમના જીવનમાં શુભ

કાર્ય કરતાં રહે. શુભવિચાર કદી મુલતવી રાખશો નહિં. એક પળ પછી શું થશે તે કહેવું

મુશ્કેલ છે. બીજું આપણાં માં ચક્ષુદાન ઘણાં કરે છે. જે આનંદ ની વાત છે. બે અંધ વ્યકિતની

દુઆ મળે છે. પણ આમાં પણ વિજ્ઞાન આગળ વધ્યું છે આપણા શરીરનાં ઘણાં અંગો બીજી

વ્યકિતને ઉપયોગી થઇ શકે એમ છે. તો મારી નમ્ર વિનંતી છે કે દેહ દાન પણ કરવું જરૂરી છે.

જીવનબાદ પણ પુણ્ય કમાવાનો લાભ ચૂકશો નહિં. યોગી બની શકયા નથી - ઉપયોગી

બનશું તો જીવન-મરણ બંને સફળ થશે.

ઙડત્ર્ડત્ર્ટ્ઠડદ્ર, દ્મડદ્રદ્યણ્ઠડ દ્દથ્ ઢદ્ધત્ર્ટ્ટત્ત્ણ્દ્દધ્ ણ્દ્મ દ્દઢડ દ્રડત્ત્દ્દ દ્વડ થ્ર્ટ્ટધ્ ડ્ડથ્દ્ર ત્ણ્દ્યણ્ત્ત્ડ્ઢ ણ્ત્ત્ દ્દઢણ્દ્મ થ્ર્ત્ટ્ટત્ત્ડદ્દ. જઢટ્ટદ્દ દ્વડ ઠ્ઠથ્ ડ્ડથ્દ્ર થ્દ્ધદ્રદ્મડત્દ્યડદ્મ દ્વણ્ત્ત્ ઠ્ઠણ્ડ દ્વણ્દ્દઢ દ્ધદ્મ,જઢટ્ટદ્દડદ્યડદ્ર દ્વડ ઠ્ઠથ્ ડ્ડથ્દ્ર થ્દ્દઢડદ્રદ્મ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્ર દ્દઢડ દ્વથ્દ્રત્ઠ્ઠ દ્વણ્ત્ત્ ટ્ઠડ ત્ડડ્ડદ્દ ટ્ઠડઢણ્ત્ત્ઠ્ઠ : ક્કચ્ર્ જક્કખ્ખ્ ઙઋખ્ર્ઉક્કગ્ ક્કખ્ર્ખ્ર્ગ્ર્ઙચ્ર્ઉખ્ .

ટ્ઠડઢણ્ત્ત્ઠ્ઠ ટ્ટત્ત્ઠ્ઠ ણ્દ્દ દ્વણ્ત્ત્ દ્રડત્ર્ટ્ટણ્ત્ત્ ણ્ત્ર્ત્ર્થ્દ્રદ્દટ્ટત્. ઉત્ત્ ત્ર્દ્ધદ્મદ્દ દ્રડત્ર્ડત્ર્ટ્ઠડદ્ર ઠ્ઠડટ્ટદ્દઢ ઠ્ઠથ્ડદ્મ ઠથ્ત્ર્ડ ણ્ત્ત્ દ્દઢડ ડત્ત્ઠ્ઠ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૭૦ નાની વાળી અને મોટી વાત

માનવીનો મિજાજ એક ગજબની ચીજ છેઃ કોઇ પ્રેમ માટે તાજમહલ ચણે છે, કોઇ ભકિત

માટે કળામય મોટાં મંદિર ચણે છે! મુંબઇ ના શાહ સોદાગર શેઠ મોતીશાએ શેંત્રુજાના

પહાડ પર પ્રભુની ભકિતથી પ્રેરાઇને દેરું બાંધ્યું, ધનનું પૂર વહાવ્યું! શેઠ મોતીશાના સુપુત્ર

હતા ખીમચંદ શેઠ. સંસ્કારી અને ખાનદાન શેઠ ખીમચંદ ને મુશ્કેલીના દિવસો આવ્યા.

કિસ્મતનાં કરતૂત કોણે જાણ્યા છે? શેઠ મોતીશા ગયા, ધન ગયું; ધંધો બંધ થયો ને

મુંબઇમાં હાહાકાર મચ્યો. લેણિયાતોનાં ટોળાં આવ્યાં. વિ.સં.૧૯૦૮ની શ્રાવણ વદ એકમે

શેઠ ખીમચંદે પેઢીને તાળુ માર્યુ અને સરકારને જાણ કરી કે પોતે લેણીયાતોને પોતાની પાસે

જે હશે તે આપવા તૈયાર છે, તમારો સહકાર આપો. ખીમચંદ શેઠની ભીતરમાં ભગવાન

જાગતો બેઠેલો. એ સમયે સ્વજનોએ સલાહ આપી કે-જે હોય તે બધું બતાવી દેવું નહીં,

નહીંતર ભીખ માંગવાના દહાડા આવશે?ખીમચંદ શેઠ એટલું જ બોલ્યા કે જેનાં માતાપિતા

ધનને હાથનો મેલ માનતાં હતાં તે પૈસા માટે મનને મેલું નહીંં કરું! ખીમચંદ શેઠે આના-

પાઇનો હિસાબ કોર્ટમાં મૂકયો, જમીન-જાયદાદ,ઘરેણાં વગેરે તેમાં પૂરેપૂરા લખ્યાં! જજ

અંચબો પામી ગયાઃ આવો પ્રામાણિક શેઠિયો કયાંય જોયો નહોતો! રે વાણિયા, કાગળ પર

આમ કાંડાં કેમ કાપ્યાં? બધું નોંધાવીને ખીમચંદ શેઠ કોર્ટમાંથી બહાર નીકળ્યાને વળતી પળે

દોડતાં પાછા આવ્યા, જજને શેઠે કહ્યું કે,મને માફ કરો! જસ્ટીસે પૂછયું, શાને માટે?

જાજરમાન ખીમચંદ શેઠ બોલ્યાઃ સાહેબ, બધું જ નોંધાવી દીધું પણ કાનમાં રહેલી કીંમતી

વાળી નોંધાવવી રહી ગઇઃ એમા નીલમ, હીરા ને માણેક છે,મોંઘી વાળી છે, હમણાં હાથ

કાન પર ગયો ને એ યાદ આવીઃ નોંધી લો સાહેબ. જજની આંખમાં આંસુની ભીનાશ આવી

ગઇ. એણે કહ્યું- પૈસો ગયો પણ આ માનવીની માણસાઇ ખરેખર જીવંત છે! સોનુ

જમીનમાં દાટો તોય એ માટી નથી બનતું, સોનું જ રહે છે તે આનુ નામ! એક નાનકડી

વાળીએ અનેકને રૂડાં સંસ્કારનોપંથ બતાવ્યો.૧૦૦ ડિગ્રી ઉષ્ણતામાને પાણી જો વરાળ થઇને

જ રહે છે તો જગતના જીવમાત્ર પ્રત્યેના પ્રેમભાવે આત્મા પરમાત્મા બનીને જ રહે છે.

જીવનમાં દુઃખ ના સમયે નાસીપાસ ન થવું -પણ પુરુષાર્થ - ર્ધૈય - સાહસ કરશો તો સફળ

થશો.

બોલવા નું શીખવા માટે બે વર્ષ લાગે છે.

પણ શું ન બોલવું તે શીખતાં આખી જીંદગી પણ ઓછી પડે છે.

ચ્ણ્ત્ડત્ત્ઠડ ણ્દ્મ દ્દઢડ ટ્ઠડદ્મદ્દ ટ્ટદ્રદ્દ થ્ડ્ડ ઠથ્ત્ત્દ્યડદ્રદ્મણ્થ્ત્ત્.

અનુક્રમણિકા

વાર્તા નં : ૭૧ ભકિતના કોડીયામાં શ્રદ્વાનું સિંચન

શ્રાવણના ગીત જેવી શ્રાવસ્તી નગરીમાં મેઘરથ રાજાનું રાજ હતું. ખુબ દયાળૂ રાજા હતા.

રાજસભામાં એકદા કોઇ નિમિત્તિઓે આવ્યો. અગમ નિગમ નો જાણતલ. સહુ ટોળે ઉમટયા.

જોશ જોવરાવવા માંડયા.એ સમયે રાજા મેઘરથે નિમિત્તિઆને કહ્યુંં કે, હે ભૂત-ભાવીના

જાણનાર! મારું ભાવિ ભાખ, સાચું પડે તો તને સોને મઢું!

નિમિત્તિઓેે કહે કે લખ્યા લેખ મિથ્યા થાતા નથી . આજથી સાતમે દી તમને વીજળીની ઘાત

છે. સર્વત્ર હાહાકાર થઇ રહ્યો . મંત્રીઓ,પ્રજા, રાણીઓ,કુમારો બધાના મન સૂન થઇ ગયા.

કોઇ કહે ભોંયરું ખોદાવો!કોઇ કહે જયાં વાદળને વીજળી ન હોય ત્યાં ચાલો! જેટલા માણસ

તેટલા મત! રાજા મેઘરથ માટે સ્નેહનું પૂર વહયું.એ સમયે રાજા મેઘરથ,તમે ઊંડા

મનોમંથનમાં ડુબી ગયા. દિવસ હતા સાત બાકી અને મોત હતું સાવ સામે! રાજા એ ગહન

વિચારને અંતે સૌને કહ્યું કે આ જગતમાં સૌનુ મોત છે જ, કોણ અમર છે? આવે ટાણે

આશ્રય માત્ર ધર્મનો, શરણું માત્ર ધર્મનું! જીવનને સુખ આપે અને અમર કરે તો તે! હું

ધર્મદ્વારે જઇને બેસીશ, પૌષધનું રૂડું વ્રત રાખીશ. આજથી આ રાજ તમારું,મારું કાંઇ નહીં!

શ્રાવતી બહાવરું બની ગયું, લોકો કહે કે રાજા તો એક જ, મેઘરથ રાજા! સિંહાસન પર

તેમની પાદુકા મૂકો. રાજ ભલે દીવાન ચલાવે.મેઘરથ રાજા ધર્મના શરણે ગયા, ઉપાશ્રયમાં

જઇ વસ્યા. પૌષધવ્રત લીધું . મૌન ધારણ કર્યુ અને અંતરથી ગોઠડી માંડી .

સાતમો દિવસ થયો. આકાશમાં ઘેઘૂર વાદળો જામ્યાં. થોડી વારે વીજળી કડાકા કરતી ધરતી

માથે પડી. સૌએ માન્યું કે નિમિત્તિઆનું કથન સાચું પડયું. બધા દોડયા ઉપાશ્રયમાં અને

જઇને જોયું તો મેઘરથ રાજા પૌષધની સાધનામાં લીન હતા અને વીજળી દૂર જમીનમાં પેસી

ગયેલી! મેઘરથ રાજા, શ્રદ્વા તમારી ફળી હતી. તમે સ્વીકાર્યું કે ધર્મના પસાયથી તમને નવો

જન્મ મળ્યો, તમે અંતરથી સાચા ધર્મી બન્યા. એ દિવસે કંઇકના હૃદયમાં રહેલ ભકિતના

કોડિયામાં નું સિંચન થયું!

કલેશ થાય તેવું બોલવું નહીં

રોગ થાય તેવું ખાવું નહીં

પાપ થાય તેવું કમાવું નહીં

દેવું થાય તેવું ખર્ચવું નહીં.

મન બગડે તેવું વીચારવું નહીં

જીવન બગડે તેવું આચરવું નહીં .

અનુક્રમણિકા

વાર્તા નં : ૭૨ અતૂટ અભિગ્રહ

કેટલાક માનવીઓનાં જીવન અને મરણ બંને રળિયાત હોય છે. ચંદ્રાવસંત રાજા હતા તો

વિશાલાપુરી નરેશ, પણ સર્વત્ર લોકપ્રિય હતા. એની ધર્મપરાયણતાને કારણે એ જાણીતા

હતા. સમય મળે ને ધર્મક્રિયામય બની જાય. એકદા રાત્રે એ કાર્યોત્સર્ગમાં ઊભા હતા.

મનમાં દઢ અભિગ્રહ ધાર્યો કે જયાં સુધી દીવો બળે ત્યાં સુધી કાર્યોત્સર્ગ (કાઉસગ્ગ) ચાલુ

રાખવો, પારવો નહીં .

એક પ્રહર પૂર્ણ થવા આવ્યો. દીવાનું તેલ પૂરું થવા આવ્યું ત્યાં ખંડમાં દાસી આવી. એણે

દીવાની જયોત જોઇને દોડતી તેલ લઇ આવી. દીવાના કોડિયામાં રેડયું, વાટ સંકોરી. એને

થયું કે પોતે ધ્યાન રાખ્યું તે સારું કર્યુ, રાજાજીને કેવી તકલીફ પડત!

રાજાનો કાઉસગ્ગ ચાલુ હતો. બીજો પ્રહર પૂર્ણ થવા આવ્યો. સેવિકા ખંડ બહાર જાગરૂક

ખડી હતીઃ રાજાજીને તકલીફ પડવી ન જોઇએ! એણે દીવામાં તેલ પૂર્યુ. દીવો ઝગઝગી

ઊઠયોં.

ત્રીજા, પ્રહરે પણ તેલ પૂરવામાં આવ્યું રાજા કાઉસગ્ગમાં અડીખમ ઊભા છે. એ મનથી દઢ

છે. એ વિચારે છે કે શૂરવીર રણમાં પીઠ ન ફેરવે, સાચો સાધક પ્રતિજ્ઞા ન તોડે, સતી કદી

સચ ન છોડે, હું પણ મારો અભિગ્રહ નહીં છોડું! રાજા કાઉસગ્ગમાં ઉભા છે. દાસી પણ

સર્તક હતી. ચોથા પ્રહરે તેણે નિર્દોષભાવે તેલ ભર્યું. સવાર થઇ, દીવો ઠર્યો. રાજાએ

કાઉસગ્ગ પાર્યો. પણ રાતભર ઊભા રહેવાના શ્રમથી એમની વૃદ્ધ કાયા ડગમગી. એ બેસવા

ગયા ને ઢળી પડયા. એમનું પ્રાણપંખેરુ ઊડી ગયું.

વ્રતની દઢતા, અંતરનું તેજ વધુ પ્રકાશવંત બનાવે છે. એવા માનવીનાં જીવન અને મરણ

બંને ઊજળા છેઃ ધન્ય એનું જીવન. અમર તું મરણે રે!

બીજાને પ્રભાવિત કરવામાં કદાચ પૈૈસો સફળ બને છે

પણ અંતઃકરણને પ્રકાશિત કરવામાં પ્રેમની તોલે કંઇ જ આવી શકે તેમ નથી.

જયાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવુ.

જયાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા.

જયાં શંકા છે ત્યાં શ્રદ્વા.

જયાં હતાશા છે ત્યાં આશા.

જયાં અંધકાર છે ત્યાં પ્રકાશ.

જયાં શોક છે ત્યાં આનંદ.

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૭૩ ભકિત નો ચઢાવ-ઉતાર

પાલીતાણામાં શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર વિ.સં ૧૨૧૭ માં પાટણના મંત્રી બાહ૯ડે

પ્રતિષ્ઠા-ઉત્સવ આરંભ્યો. તીર્થના જિનમંદિરનો જીર્ણોદ્વાર કરવાનો લાભ એને મળ્યો હતો,

હવે પ્રતિષ્ઠા-ઉત્સવ પ્રારંભાર્યો ત્યારે તેની ખુશી અનહદ બની ગઇ. પ્રતિષ્ઠાનો ઉલ્લાસ સર્વત્ર

જામ્યો. ચારેકોરથી ભકિતભર્યા હૃદયે સહુ આવવા માંડયા.એ ધર્મભાવનાશીલ ભકતગણમાં

ટીમાણાનો જૈન શ્રાવક ભીમ પણ આવ્યો હતો. એ ગરીબ હતો ને ચીંથરેહાલ તેનાં વસ્ત્રો

હતાં. તે સાવ નાનો વેપારી હતો. કુંડલાનું પ્રખ્યાત ઘી એ વેંચતો. એથી એ કુંડલીઓ

કહેવાતો હતો. આજેય એ ઘી લાવ્યો. સંઘમાં ફરીનેે ઘી વેંચ્યું. એને એક રૂપીયો અને સાત

દ્વમ્મની કમાણી થઇ. એક રૂપીયાના ફૂલ ખરીધાં, પ્રભુની ભાવથી પૂજા કરી. ઉત્સવભર્યું

વાતાવરણ હતું અને ધર્મભકિતનાં ગાન સઘળે ગુંજતાં હતાં. ભીમના હૃદયમાં થયું કે આવા

મોંઘેરા ઓચ્છવ કરાવનારા મોંઘેરા માનવીઓનાં દર્શન કરવાં જોઇએ! એ મંત્રી બાહડના

તંબૂમાં ગયો. એ જોઇજ રહ્યો. અહીંતો સૌ ધનવાન હતા અને પોતે હતો સાવ ગરીબ! મંત્રી

બાહડે તેને જોયો, એ માનવપારખું મંત્રીએ તેનામાં હીર જોયું. તેને પાસે બોલાવ્યો ને

બેસાડયો. તેની કથા જાણી.. ભીમે કહ્યું, મંત્રીશ્વર! મારે કંઇક કહેવું છે! એ સમયે ત્યાં સૌ

તીથૌદ્વાર આદિ નિમિત્તે ટીપ કરતાં હતા, ભીમે તે જોયું. એના મનમાં ભાવના જાગી. ભીમે

પોતાના ફાટેલા ખિસ્સામાંથી સાત દ્વમ્મની પોતાની મુડી મંત્રીને ધરી દીધી! મંત્રી જોઇ જ

રહ્યા. એમણે શ્રાવક ભીમનું નામ ટીપમાં મથાળે લખ્યુંં. કહ્યું કે, આ તેના જીવનની સંપૂર્ણ

મૂડી છે ને તે અર્પણ કરે છે! ભીમની આંખો સજળ થઇ ગઇ. મંત્રી બાહડે તેને ત્રણ વસ્ત્રો

અને પાંચસો દ્વમ્મની ભેંટ આપી. ભીમે હસીને તે સ્વીકારવાની ના પાડી. કહ્યું કે, મંત્રીશ્વર

એ તો મનને છેતરવાનું કામ કહેવાય. મને મળેલી ભકિતનો લાભ હું વેંચી ન શકું. તમોએ

કેવા મોટા ધર્મના કાર્યો કર્યા હશે, ને આજે આમ મોટા થયા! મનેય નાના કામનું પુણ્ય

ઉર્પાજિત કરવા દો! મંત્રીએ તેને પાનનું બીડું આપીને સન્માન કર્યુ.

ભીમ ઘરે આવ્યો તો નવું અચરજ દીઠું. રોજ હિસાબ માંગનારી કર્કશા નાર આંગણામાં

ઊભેલી ને આજે શાંત હતી, વળી પસન્ન પણ. થયેલું એવું કે ઘરની ગમાણમાં ગાયને

બાંધવાનો ખીલો કાઢીને બરાબર જમીનમાં ખોસવા ગઇ તો તેને ચાર હજાર સોનામહોર

મળી! એ હરખભેર ભીમને કહેવા માંડી. ભીમ કુંડલીઆની ભીતર જુદો અવાજ પ્રગટયો.

એણે કહ્યું, આ તો પ્રભુની પૂજાનું ફળ છે, એ રકમ તીર્થના કામમાં જ વપરાય! ઘરવાળીએ

હા પાડી. એનું વર્તન સાવ જુદું જ થઇ ગયું હતું. બીજા દિવસે એ રકમ તેણે મંત્રી બાહડને

આપીને બધી વાત કરી. મંત્રી બાહડે તે રકમ લેવાની ના પાડીઃ આ તો તારા નસીબનું જ

ધન છે ને તું જ રાખ! ભીમ કેમેય ન માને. એની પત્ની પણ ન માને. એમના હૃદયમાં

ભકિતભાવના ડંકા પડે. મંત્રી અને ભીમની વચમાં રકઝક લાંબી ચાલી. સાંજ પડી.રાત્રે

શંત્રુજયગિરિના અધિષ્ઠાયક કપર્દી યક્ષ પ્રગટ થયા ને કહ્યું કે - હે ભીમ! તારી પ્રભુની

પુષ્પપૂજાથી પ્રસન્ન થઇને મેં આ ધન આપ્યું છે. તે તારા માટે છેઃ હવે તારા ઘરમાં સદાય

લક્ષ્મીનો વાસ થશે.ભીમ કુંડલીઆએ પત્ની સાથે પુષ્પપૂજા કરી અને ઉત્તમ દ્વવ્યોથી ભકિત

કરી. કપર્દી યક્ષની પૂજા કરી. એના ઘરમાં સદાય ધન-દોલત ઊભરાયાં, એણે શંત્રુજય

ગિરિરાજ પર કુંડ બંધાવ્યો, જે ભીમકુંડ તરીકે આજે પણ છે. સાચા ભાવથી કરેલ સદકાર્ય

કદીય એળે જતું નથી . જાતને જો સતત સાફ કરતા રહીએ જગતને જો સતત માફ કરતા

રહીએ અને જગત્પતિને જો સતત યાદ કરતા રહીએ તો આપણું જીવન સાર્થક બની ગયા

વિના ન રહે. સંસાર ઘસાય તેનું નામ ધર્મ,પૈસાની મૂર્ચ્છા ઘસાય તે દાન,,વાસના મનથી ઘસાય

તે શીલ,ખાવાપીવાની ઇચ્છા ઘસાય તે તપ અને મનની પ્રવૃત્તિઓ ઘસાય તે ભાવ.

સમય અને દરિયાની ભરતી કોઇની રાહ નથી જોતી.

ધર્મ કરો, ધર્મ નૌકા સમાન છે-સંસાર સાગર તરી જવાય છે.

મનુષ્ય કાયા નથી મોજ માટે,

ઘડી નથી તે પશુ પક્ષી ઘાટે,

અખંડ સ્વર્ગ સુખ આપનારું,

કરો કરો કાંઇક કામ સારું.

અનુક્રમણિકા

વાર્તા નં : ૭૪ ભૂલની કબુલાત

પચાસેક વર્ષ પહેલાની આ સત્યઘટના છે. માનવ જીવનના વહેણને કોઇ મહાપુરુષનો પારસ

સ્પર્શ કેવો વળાંક આપી દે છે તેનો સાક્ષાત્કાર થાય છે.

સૌરાષ્ટ્રના એક તીર્થસ્થાનમાં એક આચાર્ય મહારાજનાં દરરોજ સવારે પ્રવચનો થાય.

એમના વ્યાખ્યાન સાંભળવાને માટે માનવ મહેરામણ ઊમટે. તેમાં વિચિત્ર વેશભૂષાવાળા

એક ભાઇ નિયમિતપણે આવે અને એમણે નક્કી કરેલા ખૂણામાં બેસી વ્યાખ્યાન સાંભળે.

સોનેરી કિનારનું ધોતિયું, લાંબું અંગરખું, રેશમી પાઘડી, હાથમાં વેઢ-વીંટીઓ,

ડોકમાંપંદરેક તોલા વજનની મોહનમાળા - આ એમના વસ્ત્રાલંકાર. અધુરામાં પૂરું ઠીંગણી

દેહાકૃતિ, શ્યામ વર્ણ અને કદરુપો ચહેરો. આ બધાથી એ ભાઇ સૌથી જુદા તરી આવે.

અદ્દભૂત વેશભૂષાને લીધે એક દિવસ આચાર્ય મહારાજનું ધ્યાન કેન્દ્વિત થયું. સંઘની એક

અગ્રગણ્ય વ્યકિતને પાસે બોલાવી તેમનાં ભાવિકપણાનાં વખાણ કર્યા અને એમને વિશે

પૃચ્છા કરી. પેલા સંઘના માણસે જવાબ આપ્યોઃ સાહેબ, તેની વિચિત્રતાનો પાર નથી.

વ્યાખ્યાનમાંથી નીકળી, ઘેર જઇ આ કપડાં-ઘરેણા ઊતારી નાંખી, દરેક ધર્મશાળાએ જઇ

ભિક્ષા માંગવા નીકળશે! આ રીતે એણે સારી એવી પૂંજી પણ એકઠી કરી છે. બાકી

ભાવિકતા કે સમજણ જેવું કશું નથી. હા વ્યાખ્યાન સાંભળવા આવે છે એ ખરું. પણ એ તો

ટેવને આધીન થઇને મનુષ્ય કોઇ કામ કરે તેવું જ તેનું શ્રવણ છે. બાકી તેનામાં કાંઇ નથી.

આચાર્ય મહારાજ પણ તે શ્રોતાની આ કહાણી સાંભળીને આશ્ચર્ય પામ્યા અને કર્માધીન

જીવમાત્રની ગતિ છે એમ માની વાતની સમાપ્તિ કરી. વ્યાખ્યાનનો ક્રમ અને પેલા ભાવિક

શ્રોતાનું શ્રવણાર્થે આગમન યથાવત ચાલે છે.

એક દિવસની વાત છે. આચાર્ય મહારાજ કોઇ કારણવશાત બહાર નીકળ્યા છે. યોગાનુંયોગ

પણ આ ભાઇ પણ ફાટયાં-તૂટયાં કપડાં પહેરી ધર્મશાળાની ઓરડીએ ઓરડીએ ફરી રહ્યા

છે. દીનતા દર્શાવવામાં કમી ના રાખતાં નથી. આચાર્ય ભગવંતે જે સાંભળ્યુંં તે સ્વયં જોઇ

રહ્યા છે. તેમણે તે ભાઇને પોતાની પાસે બોલાવી કહ્યુંઃ જૈનને આ શોભે? વ્યાખ્યાનમાં

સોનાના ઘરેણાં અને રેશમી પાઘડી પહેરીને આવો છો અને પછી આ યાચકવેડા? બપોરે

મારી પાસે આવજો.

ધર્મશાળાની એક ઓરડીમાં બે વ્યકિતનો સંવાદ સંભળાય છે. એક છે પ્રભાવિક મહાત્મા

પુરુષ અને બીજા છે યાચક શ્રોતા-ગૃહસ્થ. સાધુનો અવાજ કાંઇક સત્તાવાહી જણાય છે.

બોલો, કેટલા વર્ષથી આ યાચકપણાનો ધંધો કરો છો?સાહેબ! ઘણાં વર્ષો થયાં

આવી રીતે કેટલા રૂપીયા ભેગા કર્યા?જી, આશરે દસેક હજાર તો હશે જ.ઘણું જ

ખરાબ કર્યુ છે. શ્રાવકને આ શોભતું નથી. આજથી યાચના બંધ કરો અને મહેનત-મજૂરી

કરી કમાવાનું શરૂ કરો.ભલે સાહેબ! એમ કરીશ.ના, હજુ એટલાથી પૂર્ણ થતું નથી.

ભીખ માંગીને વાણિયા પાસેથી પૈસા ભેગા કર્યા છે તે રાખી શકાય નહીં. તમારે એ વાપરી

નાંખવા જોઇએ.ભલે સાહેબ, વાપરી નાંખુ પણ પછી મારા ધંધાનું શું થાય? આપ કહો

તો અર્ધી રકમ રાખી તેમાંથી કંઇક ધંધો શરૂ કરું.સારું, તેમ કરો. બોલો અડધી રકમ

શેમાં વાપરશો?આપની આજ્ઞા પ્રમાણે વાપરીશ. વાણિયા પાસેથી ભેગા કર્યા છે એટલે

આ પ્રસિદ્વ તીર્થસ્થાનમાં સ્વામીવાત્સલ્યનો જમણવાર કરી તેમને જમાડો.બહુ સારું,

સાહેબ તેમજ કરીશ.

સારું,કાલે વ્યાખ્યાનમાં આ વાત જાહેર કરશો?વ્યાખ્યાનમાં બોલવાની મારી હિંમત

નહીં ચાલે, વળી કોઇ માનશેય નહીં તેથી વ્યાખ્યાનમાં આપ સાહેબ જ જાહેર કરી દેજો.

ભલે હું કહીશ. પણ તમે ફરી જતાં નહીં. કબૂલ થજો.ભલે સાહેબ, તેમ જ કરીશ.

વાતચીત પૂર્ણ થઇ અને તે ભાઇ વંદન કરી સ્વસ્થ વદને પોતાને ઘેર ગયા. આખી

વાતચીતમાં કયાંય આગ્રહ, નકાર કે ગ્લાનિનો ભાવ ન મળે. સહજ રીતે જ યાચકપણું

છોડવાનો અને એકત્ર થયેલી રકમ વાપરવાનો નિર્ણય થયો. કેવી એ સોનેરી ક્ષણ હશે

ખરેખર હૃદય પરિવર્તનની એ અમુલ્ય, અદ્દભૂત અને સોનેરી પળ હતી.

હંમેશની જેમ મહારાજશ્રીનું વ્યાખ્યાન શરૂ થયું. જનમેદની ચિક્કાર છે. આચાર્યશ્રીએ

વ્યાખ્યાનનો પ્રવાહ અટકાવી કહ્યુંઃ સિદ્વર્ષિ મહારાજે ઉપમિતિ ભવપ્રપંચમાં આ જીવને રાંક

કહ્યોછે તે સત્ય જ છે. આપણે બધા એક યા બીજા રૂપે તેવા ને નેવા છીએ. હમણાં આ

સભામાં જેની સામે મેં જોયું તે ભાઇને તમે સૌ જાણો છો. એમણે નિશ્ચય કર્યો છે, આજથી

કદી ભિક્ષા નહીં માંગુ, એટલું જ નહીં પણ એમણે એકત્ર કરેલી રકમમાંથી અર્ધી જેટલી રકમ

સ્વામીવાત્સલ્યના જમણવારમાં ખર્ચવા માંગે છે. માટે અહીં બેઠેલા અગ્રેસરોને હું સૂચવું છું

તેમનો આ પ્રશ્ન આનંદથી ઉકેલી આપે.

મહારાજશ્રીનું નિવેદન પૂર્ણ થયું ને સભામાં આછા હાસ્યનું મોજું ફરી વળ્યું.વાતોનો

ગણગણાટ શરૂ થયોઃ એ યાચવાનું છોડે એ વાત કોઇ કાળે બને નહીં અને પાઇ પાઇ કરીને

એકત્રીત કરેલી રકમ ખર્ચે એ વાતમાં શું માલ છે? મહારાજ સાહેબને પણ આબાદ બનાવ્યા.

આચાર્યશ્રીના ચહેરાની રેખાઓ તંગ થઇ, જે કોઇ ચડતો હોય તેને પાડવાની વાત ન કરો.

સભામાં છવાયેલ સ્તબ્ધતાનો ભંગ કરતાં એ અગ્રેસરે કહ્યુંઃ ભલે સાહેબ! આપે કહ્યું તેમ

બનેતો એથી રૂડું બીજું શું હોય?પણ અમે વાણિયા એટલે એમ ન માનીએ. એ ભાઇ

જમણવાર જેટલી રકમ અહીં લાવીને હાજર કરે એટલે અમે સાંગોપાંગ પાર ઉતારવા કબૂલ

છીએ.સાહેબ, પાંચ મિનિટમાં રૂપિયા લઇ આવું છું!આમ કહી તે ભાઇ ગયા. સભામાં

હજુ અવિશ્વાસનું વાતાવરણ હતું. પણ સૌના આશ્ચર્ય વચ્ચે એ ભાઇ પાછા આવ્યા અને

કપડાંની પોટલીમાં પાંચેક હજારની રકમ રજૂ કરીઃ ફરીથી આખી સભા સ્તબ્ધ થઇ ગઇ.

શાસનદેવનો જયકાર બોલાવી જમણવારનું નક્કી થયું. નિયત સમયે આનંદપૂર્વક

સ્વામીવાત્સલ્યનો જમણવાર થયો. એ ભાઇએ પોતાની દિશા બદલી નાંખી. હૃદયપરિવર્તનની

અર્પૂવ પળ જીવનમાં કામ કરી ગઇ અને જીવનભરનો યાચક, ગૃહસ્થમાં-સાચા ગૃહસ્થ માં

ફેરવાઇ ગયો.

એ શહેર તે પાલીતાણા .

એ સ્થળ તે મોતી સુખિયાની ધર્મશાળા .

એ ગૃહસ્થનું નામ સ્મરણ માં નથી.

એ મહાપુરુષ તે યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય શ્રી

અજિતસાગરસૂરિશ્વરજી મહારાજ.

જૈન ધર્મનું જ્ઞાન તો જીવને જીવવાની સાચી રાહ બતાવે છે,તેનાથી આલોકમાં અને

પરલોકમાં પણ આત્મા કલ્યાણ અને સુખના માર્ગમાં આગળ વધતો રહે છે. આજના મોર્ડન

જૈન માવતરોને જૈન ધર્મ પ્રત્યે એટલી અરુચિને અણગમો કેમ છે? જયારે પણ ધર્મની વાતો

તેમની સમક્ષ આવે, તો તેમની આંખ તિરછી થાય, મોઢું પહોળું થાય છે. આ બધી ગાઢ

મિથ્યાત્વની નિશાની છે. મોટા ભાગે મા-બાપો માને છે કે આજે ધર્મ એટલે નવરા લોકોનું

કામ, જેને સંસારમાં કાંઇ કામ ન હોય તેવા મફતિયાઓ ધર્મ કરે, જેને પૈસા કમાતાં ન

આવડે તે બધા ધરમનાં પૂછડાં બને! આવી હલકી માન્યતા દ્વારા લોકો ધર્મને નીચે ઉતારી

પાડે જે તેમના અજ્ઞાનનું પરિણામ છે. ધર્મનું જ્ઞાન હોય તો જ ધર્મની મહત્તા સમજાય. ધર્મ

વગર આપણું જીવન ઢોર-પશુ સમાન છે. આજે મોટો ભાગ અજ્ઞાન છે,મોહને આધીન છે

અને એજ કારણે એ અવ્યકત્ત રીતે પણ ધર્મનો દ્વેષી છે, માટે જ ધર્મ કરનારને સલાહ આપે

છે કે, ‘આ કઇ તમારી ઉંમર છે ધર્મ કરવાની? ઘરડાં થાઓ ત્યારે કરજો.‘ આવું

બોલનારાઓને પૂછવું જોઇએ કે, ભાઇ તમે ઘરડા થવાના જ છો-એવી તમને ખાત્રી છે?

ઘડપણ આવ્યા પહેલાં જ મૃત્યુ થપ્પડ મારીને તમને નહિ જ લઇ જાય એની તમને ખાત્રી છે?

ભૂલનો બચાવ કરતાં

ભૂલની કબૂલાત કરી લેવામાં

બહુ ઓછો સમય લાગે છે.

પ્રભુમાં વિશ્વાસ અને જીવનમાં સુવાસ આજ સફળતાની ચાવી છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૭૫ સરસ જિનમંદિરનું સત્ય

ઊંચો અને આજાબાહુ દેહ, ખભે બાણ અને કેડે કટારી. આંખોમાંથી ર્શૌય, તેજ, વીજ

ઝબકારા મારે . એનુ નામ વિમળ. ગુજરાતના મંત્રીશ્વર, ચંદ્રાવતીનો અધિપતિ, મહારાજા

સિદ્વરાજ એને વિમળશા કહીને બોલાવે. મંત્રી વિમળ ચંદ્રાવતી આવ્યો ને નગરીની કાયા

પલટાઇ ગઇ. શુષ્ક નગરીમાં જાણે ચેતનાનો સંચાર થયો. જાજરમાન શ્રીદેવીએ વિમળશાને

અણહિલપુર પાટણમાં ઝરુખામાંથી જોયા હતા ને મનોમન ગાંઠ વાળીઃ આ શોૈર્યના અવતાર

જેવા પુરુષને મારો ભરથાર બનાવીશ! એ નિશ્ચય, સત્ય બનીને જીવનની સપાટી પર તર્યો

ત્યારે વિમળશા શ્રીદેવીને નિહાળતોજ રહી ગયોઃ આ શ્રીદેવી?

સૌંદર્યની એ સાક્ષાત દીપ્તિ! એ ચાલતી તો પૃથ્વી પર કુમકુમ પગલાં પડતાં, એ બોલતી તો

આનંદના ઓથ ઊછળતા ને એ હસતી તો સુખના મેહ વરસતાઃ વિમળશાને જીવન સ્વર્ગ

થયેલું લાગ્યું. અવતાર ધન્ય થયેલો લાગ્યોઃ એણે શ્રીદેવીને પોતાના વિશાળ ભવનની

અગાશી માં આકાશી જયોત્સનાની સાક્ષીમાં કહ્યું. શ્રી, તને મેળવીને મેં ઘણું મેળવ્યું છે! હું

કેવો સુખી છું, નહીં. શ્રીદેવી કહે છે તમને મેળવીને મેં સમસ્ત જીવન મેળવ્યું છે, મારા

માલિક .

મંત્રી વિમળશા આકાશ ભણી જોઇ રહ્યા . શ્રીદેવી એમનાં મુખ ભણી જોતી રહી ને પછી એ

સઘળું સમજી ગઇઃ મારી અંતરવ્યથા તમને પર્શી ગઇ કે શું?કેટલા વર્ષૌ વીતી ગયાં

લગ્નને પણ હજી ખોળાના ખૂંદનાર નો અણસાર ન હતો. શ્રીદેવી હંમેશા કહેતીઃ તમે

ગિરિરાજ આબુ ઉપર જાવ, કૂળદેવી અંબીકાને આરાધો, એ આપણી સામે જોશે! આપણને

ખોળાનો ખૂંદનાર આપશે! કિંન્તુ વિમળશા એ ન સ્વીકારે. પરંતુ એ વ્યથા, હમણાં કેટલાક

દિવસોથી વિમળશાને ઊભરાઇ રહી. એણે કહ્યું હું કાલે જ ગિરિવર આબુ પર જઇને

અંબીકાદેવીની ભકિત કરીશ. શ્રીદેવીએ પ્રસન્ન મૌન ધર્યું . પ્રભાતની છડી હજી કુકડો

પોકારે તે પહેલાં વિમળશા આબુ પર ચઢતો હતો ને સંધ્યા ઢળે તે પહેલાં તો તે પાછો આવી

ગયોઃ ચાતક જેમ વર્ષાને ઝંખે, શ્રીદેવી વિમળશાના સફળ આગમનને ઝંખતી હતી ને

વિમળશાના નેત્રોમાં ન ઓળખાય તેવો ગહન ઉજાસ હતોઃ હું જઇ આવ્યો તેણે કહ્યું, મા

અંબીકાએ અંતે પ્રાથના સાંભળીઃ કઇ મા એના પુત્રને નિરાશ કરે ? કહે કે તારે દિકરો

જોઇએ છે કે દેરું? બે માંથી એક વસ્તુ માંગઃ સારું તે તારું, હું મુંઝાયો ને મેં કહ્યું : હું

શ્રીદેવી ને પૂછીને આવું. તેમણે હા કહી . હવે કાલે તું જ ચાલ, ને કહે તે માંગીએ.

એ રાત અજંપામાં, મૌનમાં, વિચારોમાંને વાર્તાલાપોમાં વીતી ને ઉજાગરાએ પર્વત ચઢતાં

શ્રીદેવીને વધારે થકવી નાંખી, એક સરોવરના કિનારે એ બેસી પડી. વિમળશાએ તેનો હાથ

ગ્રહયોઃ થાક લાગ્યો ખરું?શ્રીદેવીના તેજસ્વી મુખારવિંદ પર પ્રસ્વેદબિંદુઓ ઝમતાં હતાં.

એ હસીઃ હાપછી કહ્યું, કેવું સુંદર સરોવર છે! વિશાળ સરોવર હતું એ. સ્ફટિક જેવા

જળમાં ઊગતા ભાણનું પ્રતિબિંબ પડતું હતું. કિનારે કિનારે હરિયાળા વૃક્ષો ઊગ્યાં હતાં.

ચોખ્ખા સંગેમરમરની પગથીપર લહેરાતાં જળબિંદુઓ ચમકી રહ્યા ં હતાં. ઊઘડતા

પ્રભાતની સાથેપંખીઓનો રવ ગુંજતો હતો. આબુના ભૂમિભાગમાંથી કોઇ અનેરી સુગંધ

વહી આવતી હતીઃ વિમળશા અને શ્રીદેવીનાં ચિત્ત પ્રસન્ન થઇ ગયાં. શ્રીદેવીએ કહ્યું, સુંદર

સરોવર અને નમણી સવાર! કોઇ દાનવીરે અહીં જળાશય બનાવીને ધનનો સાચે જ

સદવ્યવ કર્યો છે!સાચું . વિમળશાએ સંમતિ દર્શાવીઃ એ સંસ્કારી માનવીએ ધનનો

સદુપયોગ કર્યો. કુળના સંસ્કાર દીપાવ્યા. માનવતાનો ધર્મ બજાવ્યો : એવા વીરલા તો

પૃથ્વીનાં રત્નો છે!ક્ષણેક વારે શ્રીદેવીએ કહ્યું. આગળ વધશું? વેળા થશે તો તાપ વધશે!

હા.વિમળશાએ કહ્યુંઃ કિન્તુ તું શ્રમિત છે તો પાણીથી તૃષા છીપાવને!

શ્રીદેવી અને વિમળશા જળાશયમાં ઊતર્યા. હાથના પાત્રમાં હજી પાણી લેવા નીચાં નમે ત્યાં

દૂરથી અવાજ આવ્યોઃ થોભો.મંત્રીશ્વર વિમળશા અને શ્રીદેવી ખચકાયાં. દૂરથી એક

કિશોર દોડી આવતો હતો. ફાટેલા વસ્ત્રો, ર્દુગંધભરેલું મોં ને નિસ્તેજ આંખોઃ પ્રતાપી

વિમળશાએ તેને જોયોને પૂછયુંઃ કેમ?કિશોરે કહ્યું. તમે કોણ છો તેની ખબર નથી પણ

અહીં પાણી પીવાના પૈસા આપવા પડે છે!હેં ! વિમળશા અને શ્રીદેવી માટે આ નવું

હતું. કિશોરે કહ્યું મારા પિતા પાસે ધન હતું તે જળાશય બંધાવી નાંખ્યું પણ અમારો વિચાર

ન કર્યો ને ગુજરી ગયા!એ કિશોરના ધ્વનિમાં તિરસ્કાર સિવાય કંઇ નહોતું. અમે નક્કી

કર્યુ છે કે જે જળ ઇચ્છે તે પૈસા આપે.મંત્રીશ્વર વિમળશાએ એક સોનૈયો આપ્યો ત્યારે

તેમને આ કિશોર પ્રત્યે ક્રોધ નહીં દયા જાગી. એક સંસ્કારી પિતાનો આ તે કેવો પુત્ર?

એમને વ્યથા થઇ આવીઃ ત્યારે શ્રીદેવીના ચિત્તમાં આંદોલન ઊઠયું હતુંઃ અમે શા માટે

જઇએ છીએ? અમારો પુત્ર પણ આવોજ હશે તો? એ મનોમન ધ્રુજી ઊઠયાં. હૃદયમાં

ઘૂમરાતું તોફાન એમણે વ્યકત કરી દીધું. વિમળશાએ કહ્યું,પરિવારની ઝંખનાએ નશ્વરની

માયા લાગે છે! આપણને શાશ્વતની અભિપ્સા હોવી ઘટેઃ સંસ્કાર એ જિંદગીની શોભા છે.

આત્માનો અલંકાર! આર્થિક અવદશા એ તો ભાગ્યની કથા છેઃ એથી સંસ્કાર ચાલ્યા જાય તે

કેમ ચાલે? આપણે મા અંબિકા પાસે શું માંગીશું? દીકરો કે દેરાસર ?

શ્રીદેવીના અંતરમાંથી અવાજ ઊઠયોઃ દેરાસર! શાશ્વત સુખનું ધામ! યુગયુગાંતર એ

રહેશે, સૌને ધર્મ પ્રબોધશે,જીવનકલ્યાણ ચીંધશે- તેવું સર્જન! અર્પૂવ જિનમંદિર! આ જ

ગિરિરાજની ટોચે સર્જીશું તે!મંત્રીશ્વર વિમળશા અને મહાદેવી શ્રીદેવી ગિરિરાજ આબુ

ભણી હસ્તકમળની માળા રચીને ઊભાં રહ્યા ં. શાશ્વતીનાં એ અપૂર્વ સર્જન જેવાં

જિનમંદિરો આજે પણ ગિરિરાજ આબુ પર ખડાં છે!

જો સાચા શ્રમણો (સદગુરુ) ના મુખે ધર્મવાણીનું શ્રવણ મળી જાય તો બેડો પાર થયા વિના

રહે નહીં. પોતાની પત્નીને ક્રુરતાથી મારી નાંખ્યાના અને ગર્ભસ્થ બાળકને પથ્થરની સાથે

પછાડીને છુંદેછુંદા કરી દીધાના સમાચાર પામીને આઘાતથી ડાકુ જયતાકને યશોભદ્રસૂરિજી

રૂપી પારસનો સત્સંગ થયો કે તરત એ લોઢું સુવર્ણ બની ગયું. વળતે ભવે કુમારપાળ થયા.

પછી દેવ - પછી ગણધર તરત મોક્ષપ્રાપ્તિ. રામના સંગે જટાયું મહારાજ બન્યો.

પ્રભુવીરની વાણી નહીં સાંભળવાની બાધા આપનારા બાપના દીકરા રોહીણીઆ ચોરથી

અનિચ્છાએ વીરવાણી સંભળાઇ ગઇ તો તેનો બેડો પાર થઇ ગયો. તે અગાર (ઘરબારી)

મટીને અણગાર બન્યો. અભયકુમારના સંગે કસાઇનો દીકરો સુલસ ધર્માત્મા બન્યો.

ધ્યાનસ્થ મહાત્માના ત્રણ જ શબ્દો ઉપશમ,વિવેક,સંવર ના શ્રવણથી ચિલાતી મહાત્મા

ચિલાતી બની ગયો. કબીરના હેત નીતરતા શબ્દો સુનો મેરે ભૈયા! સુનો મેરે સાધુ!

વારંવાર સાંભળીને સુરા-સુંદરીમાં પાગલ સૂરણ (પૂરણ નો ભાઇ) જીવનનો અદ્દભૂત ટર્નિંગ

પોઇન્ટ પામી ગયો. રામ એ ભગવાન નું નામ છે એવું જાણી ને તેનો જપ કરવાની જંગલી

વાલિયાએ સંતપુરુષને સાફ ના પાડી.. ચાલાક (ગીતાર્થ) સંતે તેને મરા નામનો જપ વા

કહ્યું, તે ભગવાનનું નામ નથી. વાલિયાએ મરા,મરા,રામ,રામ,રા..જપવાનું ચાલું

મરા,મરા,રામ,રામ,રા..જપવાનું ચાલું કર્યું મરા, મરા ,રામ,રામ..જપવાનું મરાનું રામ

થઇ ગયું. વાલિયો રામાયણનો મહાગ્રંથ રચયીતા સંત વાલ્મિકી બની ગયો. સાચી વાત છેઃ

રામ નામ સત હૈ, મગર ચાબી ગુરુ કે હત્થ હૈ.

ગાંધીજી ની પ્રાર્થના ની એક વાત યાદ આવે છે. પારસમણિ લોખંડને સુવર્ણ બનાવે છે

પરંતુ પ્રાર્થનામાં એ સામર્થ્ય છે કે તે ઇન્સાનને ભગવાન બનાવી દે છે. એકવાર દક્ષિણ ભારત

ના પ્રવાસ દરમિયાન ગાંધીજી એક જગ્યાએ કાંતણ સ્પર્ધા જોવા ગયા. ત્યાંથી પાછા ફર્યા

ત્યારે એ એટલા બધા થાકી ગયા હતા કે પથારીમાં પડતાં જ ઘસઘસાટ ઊંઘી ગયા. રાતે બે

વાગ્યે એકાએક જાગી જતાં એમને યાદ આવ્યું કે સુતા પહેલાં પ્રાર્થના કરવાનો એમનો

નિયમ તૂટયો છે. પછી તો બાકી રહેલી રાતભર એમને ઊંઘ જ ના આવી. એમના મનને

એટલો બધો આઘાત લાગ્યો કે શરીર થરથર ધ્રુજવા લાગ્યું. આખો દેહ પરસેવાથી રેબઝેબ

થઇ ગયો. સવારે બધાએ પૂછયું ત્યારે આખી વાત કહેતાં એ બોલ્યાઃ જેની કૃપાથી હું જીવું

છું એ ભગવાનને ભૂલી ગયો. એનાથી બીજી કઇ ભૂલ હોઇ શકે? આપણે સુખમાં તો

ભગવાનને સાવ ભૂલી જઇએ છીએ. અને દુઃખ આવે ત્યારે હર પળ યાદ કરીએ છીએ.

સુખમાં વૈરાગ્યથી જીવો અને દુઃખ માં સમતા ધરી જીવો તો જીતી જશો. નિયમ લો તો જરૂર

પાળો. નહીંતર કર્મ બંધાશે જેની સજા પણ ભોગવવી જ પડશે તે યાદ રાખશોજી. ગાંધીજી ના

આ પશ્ચાતાપથી જીવનમાં પ્રાર્થના કેટલી બધી મહત્વની છે એ સહેલાઇ થી સમજી શકાય છે.

પોતાના સર્જનહાર અને સંરક્ષકનું કૃતજ્ઞતાથી સ્મરણ કરવું એનું નામ પ્રાર્થના. સાચી પ્રાર્થના

એટલે અદ્દશ્ય ઇશ્વર સાથે અંતરાત્માએ કરેલું સંવનન. નરસિંહ મેહતાની પ્રાર્થના સાંભળી

ભગવાને એમના બધા કાર્યો કરી આપ્યા હતા. પ્રાર્થના સાથે મુખ્ય શરત, શ્રદ્વા છે. શ્રદ્વા

વિનાની પ્રાર્થના એ પાયા વિનાની ઇમારત જેવી હવાઇ વાત છે. પ્રાર્થના એ તો ઇશ્વર પાસે

પહોંચવાની પાંખ છે. પ્રભુ પ્રત્યે પ્રેમ અને સમર્પણ એજ સાચી પ્રાર્થના છે.

કોનાથી બગાડું, કોનાથી બગાડું

કોનાથી બગાડું, કોનાથી બગાડું,જીવવું થોડું ને મારે, કોનાથી બગાડુ

વ્હેલું કે મોડું, સહુએ જવાનુ,આ દુનિયા છેમુસાફીરખાનું

સુખે સુતેલાને નહીંંરે જગાડું જીવવું થોડુંને મારે કોનાથી બગાડું

પંખી તમો સહું સંપીને રહેજો, વડલાની ડાળે વિસામો રે લેજો

ડરશોના દિલમાં તમને નહીંં રે ઉડાડુ . જીવવું થોડુંને મારે કોનાથી બગાડુ

અંતરજામી હું એટલું જ માંગુ, પરદુઃખે હું દોડીને જાવું

આંખના આંસુથી અગ્નિ બુજાવું, જીવવું થોડુંને મારે કોનાથી બગાડું

કોણ છે વેરી ને કોણ છે વ્હાલું , ખાલી હાથ આવ્યોને ખાલી હાથ જવાનું

જીવવું થોડુંને મારે કોનાથી બગાડું, ક્ષણિક સુખ માટે દુઃખ નહીં લગાડું.

એવું લાગે છે આજે મને,પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં

મિત્ર માનું બધા જીવને,ભાવ જાગ્યા છે મારા હૃદયમાં.

ઠંડો સૂરમો અંઝાઇ ગયો,ગાતા ધગધગતા લોચન મહીં,

ક્રોધ આવ્યો તો એના ઉપર.પ્રેમ પ્રગટયો છે મારા હૃદયમાં,

એવું લાગે છે આજે મને. પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં.

જેની જાગીથી ઇર્ષા મને,એની ઇચ્છું છું પ્રગતિ હવે,

સુખ એનું એ માણે ભલે,બઢું સ્થાને હું મારા હૃદયમાં,

એવું લાગે છે આજે મને,પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં.

કરે નુકશાન તેઓ મને એતો કેવલ નીમીત્તો બધા,

ભાગ ભજવે છે મારા કરમ.સાચું સમજાયું મારા હૃદયમાં,

એવું લાગે છે આજે મને,પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં.

અનુક્રમણિકા

વાર્તા નં : ૭૬ - નિંદાની નનામી ઊંચકી શકે તેને પ્રતિષ્ઠાની પાલખીમાં બેસવાનો હક્ક

વૈશાલી નગરીમાં આનંદનો ઉછરંગ વ્યાપ્યો હતો. શ્રમણશ્રેષ્ટ બુદ્ધનાં વૈશાલીમાં પગલાં

થયા અને મહાજનો તેમને વંદન કરવા ઊમટયાઃ તથાગતે પ્રસન્ન મુદ્રાથી વરદહસ્ત ફેલાવ્યોઃ

એ ધર્માશિષમાંથી આત્મસુખનું વરદાન ટપકતું હતું. કોઇએ પૂછયુંઃપ્રભુ,અમ સંસારીઓથી

કદી થાક નથી લાગતો? બુદ્ધના ઉત્તરમાં અંતરસંયમની મહેક હતીઃ ના કોઇ આવે તો હું

ઊભરાઇ જતો નથી,ન આવે તો હું અકળાતો નથી. મારી મસ્તીમાં હું લીન છું. અને આટલી

બધી લોકપ્રિયતાથી કયારેય અકળામણ થાય?

એ વચનો અસરકારક રહેતાં.તથાગત બુદ્ધનાં વચનો,એમના સદાચારભર્યા જીવનમાંથી

પ્રકટતાં. વૈશાલીના વૈશ્યો, ક્ષત્રિયો અને સહુ એમને મળવા,કશુંક પામવા ઊમટતા. તથાગત

એમને સમભાવથી જોતા. વૈશાલીની સૌંદર્યવતી સ્ત્રીઓ એમના ચરણે ઝૂકતી-તથાગત

એમનેય સમભાવથી જોતા. એ રૂપ, એમને મન વૃક્ષ પરથી ખરી પડેલાં પાંદડા જેવું હતું! એ

સ્વયં સંસારની શ્રેષ્ટ સૌંદર્યવતી સ્ત્રી અને વહાલસોયા પુત્રનો ત્યાગ કરીને આવ્યા હતા.

પત્ની યશોદા અને પુત્ર રાહુલઃએમને છોડતાં ક્ષણનોય ખચકાટ કયાં થયો હતો? ત્યાગ તો

એક ઝાટકે થાય!અને થાય પણ શા માટે? એ સહુને ઉપદેશતાઃમોહ તો કળણ છે. મોહને

છોડયા વિના કલ્યાણ નથી. એ નિર્લેપવૃતિએ, તથાગત બુદ્ધને અસીમ લોકપ્રિય બનાવી

દીધાઃએમ,એ અતી લોકપ્રિયતા દ્વેષનું કારણ પણ બની ગઇ.એક સવારે, વૈશાલીના મહારાજા

સન્મુખ કોઇ વૃદ્ધ બ્રાહ્મણે ઉપસ્થિત થઇને કહ્યું, બુદ્ધના સંયમમાં મને શંકા છે! વીજળીના

કડાકાની જેમ મહારાજા કંપ્યાઃકંઇ બોલતાં શરમ આવે છે? એ બ્રાહ્મણ ડગ્યોઃરાજન,

તમારા ક્રોધની કલ્પના સહિત હું આવ્યો છું. ત્રણ દિવસથી રાજયની લક્ષ્મી જેવી

પુષ્કરવાસિનીનો પત્તો નથી. તથાગત જે ઉધાનમાં ઉતર્યા છે તે ખોદાવો! સન્નાટો પ્રસરી

રહ્યો. હમણાંથી હવામાં એક વાત ઘૂમરાતી રહેતી હતીઃ એ પુષ્કરવાસિની, નિત્ય, તથાગત

પાસે જતી. કયારેક ઘટિકાઓપ પર્યંત ત્યાં રહેતી. કમળના ફૂલ જેવું રૂપ, મલકતી આંખો,

મધઝરતી કાયાઃ ઉધાનના ત્યાગપૂત વાતાવરણમાં સુરભિ ફેલાઇ જતી. જિજ્ઞાસાથી ભરીભરી

સ્ત્રી હતી એ. તથાગત બુદ્ધના ચરણોમાં ઝુકીઝુકીને એ પ્રશ્નો કરતી. સમાધાન પામતી.

કિન્તુ એની જિજ્ઞાસા અટલ સાગર જેવી હતી. બુદ્ધ તેને હસીને ઉત્તર દેતા અને એક પિતા

પુત્રીને જુએ, એમ નિહાળી રહેતા. એ સુંદરી, એક પવિત્ર મંદિરમાં દર્શનલાભનો આનંદ

માણતી. જયાં સમગ્ર દુનિયા લોલુપ આંખોથી જોતી હોય ત્યાં આ પવિત્રતાના ધામમાં

અનોખી અનુભૂતિ થતી હતી.એને અપૂર્વ સાંત્વના મળતી. એ કહેતી, ભગવન,આ દર્શનથી

મને અંતસ્તોષ થાય છે. એ રૂપવતી સ્ત્રી,ત્રણ દિવસથી દેખાતી નહોતી. કયારેક કોઇ પૂછતુંય

ખરુંઃએ હમણાં કેમ નહીં આવતી હોય? કોઇ ઉત્તર ન આપતું. મહારાજા બ્રાહ્મણની વાતે એ

સ્તબ્ધ બની ગયા. એમનું રોમરોમ ક્રોધથી કંપતું હતું. શું આ શકય હતું? સંયમમૂર્તિ બુદ્ધ પર

આશંકા કરી શકાય ?

મહારાજાએ ઉધાનમાં ખૂણેખૂણો ખોદાવ્યો. કશુંય ન મળ્યું. કિન્તુ જયાં ઉધાનના પ્રવેશદ્વારની

અંતરભૂમિમાં જ તપાસ થઇ તો એક સ્ત્રીના દેહના ટૂકડા મળી આવ્યા! હવામાં શંકા તો હતી

જ. એ જાણે સત્ય ઠરી! વૈશાલીમાં તલવારો રણઝણી ઊઠી. ભકિતની નદીમાં ઓટ આવી

ગઇ. નિંદાનો કાદવ ઊભરાયો. ગંદી વાતોની કોઇ સીમા ન રહી! નિંદાને પગ નથી હોતા,

પાંખ હોય છેઃ એ ચાલતી નથી હોતી. ઊડે છે! તથાવત બુદ્ધના કાને આ વાત અથડાઇ,

ત્યારે તેમણે કહ્યું, સંસાર દોરંગી છે! એની પ્રશંસાથી ડોલી ન જવાય. એમ નિંદાથી અકળાઇ

ન જવાયઃ સૌ શાંત રહો, સમય જ સત્ય કહેશે. વૈશાલીની દુનિયા એ દિવસે બદલાઇ ગઇ

હતી.કોઇની પ્રગતિ કયારેક ઇર્ષાર્ દોરી લાવે છે. પછી વિનાશ બારણાં ઠોકતો આવે છે!સંસાર

ગજબ માનવીઓથી ઊભરાય છે. વૈશાલિની નજીક સોહામણી નદી વહે. ગંડકી નદી. એનાં

કોતરોમાં એક રાત્રિએ તોફાન ઊઠયું.ચાર માનવીઓ બેઠા હતા ત્યાં. વચ્ચે સોનૈયાનો ઢગલો

હતો. ચારેય માનવી અરસ પરસ ગાલીપ્રદાન કરતા હતા. સોનૈયા વહેંચવાની લડાઇ હતી એ.

એ જેવા ક્રુર હતા એવીજ રોૈદ્વ એમની વાણી હતી. માનવી સ્વાર્થે જોડાય છે ને ર્સ્વાથ પૂરો

થતાં વિખુટો પડે છે! એક બોલતો હતોઃ એનું ખૂન મેં કરેલું, મારો હિસ્સો વધારે જોઇએ.

બીજોકહેઃ હવે જા. એના કટકા તો મેં કરેલાં! ત્રીજો કહેઃ ડંફાસ નહીં મારો, ખૂન કરવાથી

જમીનમાં દાટવા સુધીનાં બધાં કામ મેં કરેલાં! ચોથાએ વાત કરવાને બદલે સોનૈયાના

ઢગલામાંથી કોથળો ભરીને ચાલવા માંડયું ને ત્યાં તોફાન મચી ગયું. વૈશાલીના ગુપ્તચરો

ત્યાં ઘૂમે, એમણે કાનોકાન આ સાંભળ્યું. ચારેયને પકડયા ને મહારાજા સમક્ષ ખડા કરી

દીધા. મહારાજાનીે આગઝરતી વાણીએ ચારેયને હલબલાવી દીધાઃ એ સ્ત્રીનો દેહ કયાં

છે? ચારેય કંપતા હતાઃ તથાગત બુદ્ધના ઉધાનમાં પ્રવેશદ્વારમાં તે દાટયો હતો! આવું

ક્રુર કાર્ય શા માટે કર્યું? એકે કહ્યું. અમને સોમ બ્રાહ્મણે લાલચ આપેલી.તેબુદ્ધની

લોકપ્રિયતાથી અકળાઇ ગયો હતો. એણે કહ્યું કે બુદ્ધની પાસે જે સ્ત્રી હંમેશા જાય છે તેની

જ હત્યા થાય તો તેની ભરપૂર નિંદા થાય! મહારાજાની આંખમાં આંસુ તગતગ્યાંઃરે! દ્વેષ

કેવાં કેવાં કરપીણ કાર્યો કરાવે છે! પવિત્ર પુરુષોની નિંદાથી સતી સ્ત્રીઓને કલંક દેવાથી આ

સૌને કેવાં પાતક બંધાતા હશે? એમને શું કોઇ પાપનો ભય નહીં હોય? વૈશાલીેએ આ

જાણ્યું ત્યારે ભકિતની નદીમાં પૂર આવ્યું. તથાગત બુદ્ધની પવિત્રતાની અખંડ પ્રતિભા એ

તો સૌની મિરાત હતી. મહામુની શ્રમણશ્રેષ્ટ બુદ્ધ આ જોઇને હસ્યા. એમણે કહ્યું, સંસાર

દોરંગી છે! એની પ્રતિષ્ઠાથી સુખી ન થવું કે એની નિંદાથી દુઃખી ન થવું. શિષ્ય આનંદે કહ્યું,

ભગવન, તમને કશી વેદના ન થઇ? થઇ . તેમણે કહ્યું, કિંન્તુ એ વેદના આ નિંદાની

નહોતી..સંસારના અજ્ઞાન માટેની હતીઃ એક સ્ત્રીની હત્યા જેવું ધૃણાસ્પદ કાર્ય આ લોકો કરે!

માત્ર દ્વેષને ખાતર! અહો,એવાં દુષ્કાર્યો કયારે બંધ થશે? ક્ષણેક વાર તથાગત બુદ્ધ કદંબના

વૃક્ષ ભણી જોઇ રહ્યા. પછી કહ્યું, અને, જે માનવી ખોટી નિંદાની ભારી ઊંચકી શકે, એવા

દુઃખમાંય નિર્લેપ રહી શકે, સ્વસ્થ રહી શકે તે જ પ્રતિષ્ઠાની પાલખીમાં બેસવાનો હક્ક

પામેને! વૈશાલીનો આનંદ નિરાળો હતોઃ એને એના તથાગત બુદ્ધ,જેવા હતા તેવા જ,

નિષ્કલંક પાછા મળ્યા હતા!

જગતમાં કેટલાય લોકો ભૂકંપરાહતકાર્યો, રેલરાહત ના કાર્યો, દુષ્કાળ રાહત ના કાર્યો કરે

છે. સાધર્મિકોને અનેક રીતે મદદ કરવાના કાર્યો કરે છે. બીજાને સહાયક થવાનો જયાં કયાંય

પણ ભાવ દેખાય તો તે તીર્થંકર ભગવંતના પરોપકારનું એક સેમ્પલ છે એમ સમજીને સાચા

દિલથી અનુમોદના કરો! કયાંય કચાશ ન રાખો! સેવા કરવાની કોઇ પણ તક મળે ચૂકો

નહીં. કોઇકનું ભલું કરવાની કે કોઇને ઉપયોગી થવાની તક મળે તો તરતજ તક ઝડપી લેજો.

આવા કોઇ સત્કાર્યોને કરનારા કાર્યકરોનો તમને ભેટાડો થઇ જય તો તેમના ચરણ ચૂમી

લેજો! ભેટી પડજો! તેમના કદમોમાં નમી પડજો! હૃદયના સાચાભાવથી તેમની અનુમોદના

ના પુષ્પો બિછાવજો! આવી સોહામણી સૌભાગ્યવંતી તકને જવા ન દેશો! અવસર બેર બેર

નહીં આવે. જેટલા ઓવારણા લેવાય એટલા લેજો! એ પુણ્યાત્માને ઘરે લઇ જજો! આખા

કુટુંબનો પરિચય કરાવજો! કંસારના આંધણ મૂકાવજો! થાય એટલી ભકિત કરજો! જો

ચૂકી જશો તો રહી જશો, કેમકે પ્રબળ પુણ્યના ઉદય વિના આવો સંજોગ મળતો જ નથી.

હું બી.કોમ માં રેંક લઇ ને પાસ થયો. ઘરે આવ્યો, પણ મારી બા એ કહેલ-શબ્દો હજી યાદ

છે કે બી.કોમ થયા, બી.એ થયા પણ જો જીવનમાં ધર્મ નહીં તોે હીરા નહીં પણ કાંકરા.

તેમનું કહેવું હતું કે ઢોર થઇને જીવશો નહીં. જીવનમાં ધર્મ પણ જરૂરી છે. નાનો હતો

વડગાદીમાં રહેતા હતા. મારો જન્મ મુંબઇ માં થયેલ છે. કોઇ એકના ઘરે નવરાત્રિ રાખતા

અને માળાના બધા ભાગ લેતા.તે વખતે સાંભળેલ ગરબાની થોડીકપંકિત યાદ છેઃ મેટ્રિકમાં

પાસ હું તો થઇ - મારાથી હવે કામ થશે નહીં .વાસણ મંજાશે નહીં,ચોકડી ધોવાશે નહીં -

મારા થી હવે કામ થશે નહીં.કેમ જાણે કે કેળવણી લીધી એટલે શ્રમનો કોઇ મહિમા રહ્યો

નહીં. સમાજનું અને કેળવણીનું આ કાબરચીતરૂં ચિત્ર છે. નવરાત્રિ જ બદલાઇ ગઇ છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૭૭ રજકણ સૂરજ થવાનેપંથ

અંધારા વેરાય ત્યારે જ પ્રકાશ જન્મે તેવો કુદરતનો કાનૂન છે. ગૂંગળામળ વધે ત્યારે જ

લહરીઓ વાય તેવો પ્રકૃતિનો નિયમ છે. સમયની ઘડીમાંથી રેતી સતત ખરતી રહે છે. નવસો

વર્ષ પૂર્વેની એક સત્ય ઘટના છે. એકદા અહૃઢ અધારિયા અંતરમાં જે ભયાનક ગૂંગળામણ

વ્યાપી તેણે અનેરી સોડમભરી પવનની લહેરખીઓ આણી આપીઃજે વિકરાળ અંધકાર વ્યાપ્યો

તેણે પાવન પ્રકાશ નોતરી આપ્યો. એ સુમધુર હવાએ એક જિંદગીની રજકણ હરી લીધી. એ

ઉજજવળ પ્રકાશે એક જીંદગીની શ્યામલ રાત હટાવી દીધી.!ભરી મધ્યાહનની વેળા.

ધોમધખતો ઉનાળો. માનવી અનેપંખી સહુ પોતાના નિવાસમાં આશ્રયના ઓછાયામાં

લપાઇને બેસી ગયાં હતાં. ઊભા સરોવર સુકાઇ જાય તેવી ગરમી આકાશેથી વરસતી હતી.

તેવે સમયે, તેવે વખતે એક નવજુવાન યતિ કંટકભર્યા, કંકરભર્યા માર્ગે ચાલી રહ્યો હતો.

પગમાં ન પાદુકા હતી, શિર પર ન છત્ર હતુંઃ હાથમાં કાષ્ટપાત્ર, દંડ લઇને એ ચાલી રહ્યો

હતો. મંજિલ દૂર લાગતી હતી. આકરા તાપથી પગ શેકાતા હતા, પ્રસ્વેદની ધારા દેહ પરથી

વહેતી હતી કિન્તુ બાહૃય તાપથી એ યતિ નિઃસંગ હતોઃ એની એને પરવા નહોતી.. આ

ભયાનક અગ્નિ કરતાંય, અનંત દાહક આતશ એના અંતરમાં જલતો હતો! આ અગ્નિ તો

માત્ર દેહદાહ આપતો હતો. પેલો અગ્નિતો જીવનદાહક હતો! એ યતિ ચાલતો ન હતો.

ઊડતો હતો એ. ને એનું ચિત્ત-એ તો દૂરસુદૂર પહોંચી ગયું હતુ. એના ચિત્તમાં વિચારોનું

વાવાઝોડું ઊમટયું હતું. મારે જલ્દી ગુરુદેવ પાસે પહોંચવું જોઇએ - એ વિચારતો હતોઃ

ગુરુવરના શરણ વિના હવે કોઇ જ આરો-ઓવારો નથી! હવે એજ તારે કે એ જ મારે! મેં

કરેલાં પાપોની ક્ષમાયાચના હવે તો એમનાં ચરણકમળ પ્રક્ષાલન કરીશ, મારાં આંસુઓથી,

ત્યારે જ થશે. એ વિના કોઇ જ ઉપાય નથી.. રે! મારા જીવની કેવી દુર્ગતિ થશે? ઓહ!

મારા નિમિત્તે એ ધર્મી વ્યકિત, અધર્મ તો નહીં પામી જાય ને? એ ધર્મની ભાવનાથી

વિમુખતો નહી થઇ જાય ને? મેં ખુદ કેવું દૂૂરાચરણ કયુર્ં?આ જીવન મેં પ્રભૂચરણે સમર્પિત

કર્યું તે વેળાથી હું પ્રતિજ્ઞાબદ્વ હતોઃ આ જીવન હું નિર્મળ, વિમળ, પવિત્ર રાખીશ. સ્ત્રીસંગતો

દૂર રહ્યો , તેનો વિચાર સુધ્ધાં નહીં કરુંઃ કિંતુ મારી જુવાની, મારું વ્યકિતત્વ એક દિવસ

કયાંક મોહનો માળો બાંધી બેઠું! એક અજાણી સ્ત્રી, રૂપથી ભરેલી, દમકતી યુવાનીથી

ઊભરાતી ને આંખોનાં માંડવે સૌને ઝુલાવતી એ સ્ત્રીઃ મેં તારામૈત્રક રચી દીધું ત્યાં! ને રે!

હું કેવો મોહાંધ! મને ખબર પડીકે એ સ્ત્રીતો નગરની, અણહિલપુરની, વાસકસજજા હતી,

ત્યારે તો ઘણું મોડું થઇ ગયું હતું! મારું ચિત્ત નિત્ય તેના જ વિચારો કરતું હતું. મારું

રોમરોમ તેને ઝંખતું હતું. એ ન મળે તો દિવસ વ્યર્થ વીતતો. રાત્રિ નીરસ બની જતી. હું

તડપ્યા કરતો. મારી એ તડપેે મારો જીવનધર્મ મને વિસરાવી દીધી હતો! હું તો સાધુ હતો.

પવિત્ર મારું જીવન હતું. કિન્તુ શિથિલાચારનો એક જ અંશમાત્ર, સમૂળા જીવનને સાફ કરી

નાંખતાં કયાં વાર લગાડે તેમ છે?મારાં વ્રતો, મારું જ્ઞાન, મારો સંયમ, સાધુત્વ મેં કોરે મૂકી

દીધા હતાં! ને ગઇ કાલે જ કેવી ઘટના બની ગઇ! હું સાન્તુવસહિકા ચૈત્યમાં હતો. સૂર્ય

આકાશના મધ્યભાગમાં પહોંચ્યો હતો. એ યુવતી પણ મંદીરમાં આવી ચડી. હું તેની સાથે

રસભરી વાતો કરતો હતો. ચૈત્ય,તેની મર્યાદા હું વીસરી ગયો હતો ને એ જ પળે ચૈત્યમાં

અણધાર્યા ગુર્જરમંત્રીશ્વર સાંતુ મહેતા ત્યાં દર્શનાથે આવી ચડયા! મંત્રીએ મને એક યુવાન

સ્ત્રી સાથે વાતો કરતો જોયો ને એક પળ, માત્ર એક જ પળ! મને થયું કે મંત્રી હમણાં કડવાં

વેણ કહેશે! પણ વાહ રે મંત્રી! એની સ્વસ્થતા, એનું ધેૈર્ય, એની બાહોશીઃ દેવતાને અદેખાઇ

જન્મે તેવાં હતાં! એણતો મને કશુંય કહેવાને બદલે,પંચાંગપ્રણિપાત રીને મને વંદન કર્યા!

મારાં ચરણોમાં સુખ શાતા પૂછી! અને જાણે કંઇ જ બન્યું નથી એમ, એ ત્યાંથી વિદાય થઇ

ગયા!મારા જીવનને ધિક્કાર હજો! મને થયું કે આવો મહાન મંત્રી. ઉત્તમ શ્રાવક, મારા

સાધુચરિત પરિવેશને પ્રણમે, ને હું કયાં જઇ બેઠો? રે! ધિક ધિક મારા અવતારને! વળતી

ક્ષણે હું મારા નિવાસે પહોંચ્યોઃ મેં નિશ્ચય કર્યો કે જયાં સુધી ગુરુવર પ્રાયશ્ચિત ન આપે ત્યાં

સુધી અન્નજળ ત્યાગ! સંધ્યા આથમતી હતી ત્યારે પસીનામાં ઝબોળાઇને એ યતિ ગુરુ પાસે

પહોંચ્યા. એ હતા મલધારી શ્રી હેમચન્દ્વસૂરિ. યતિએ વંદના કરી. દેહની પરવા કર્યા વિના

એણે સજળ નેત્રે, ભીના હૃદયે સમગ્ર ઘટના વર્ણવી દીધીઃ અંતરના ઓરડામાં ગૂંગળામણ

વ્યાપી હતી ને ત્યાં પાવન પવનની પ્રતીક્ષા હતી. એણે સમગ્ર ઘટના આંસુમાં બોળીને કહી

દીધી ત્યારે પ્રાતઃકાળ આકાશમાં રંગ ધારતો હતો.ગુરુવરે એક જ વાકય ઉચ્ચાર્યુઃ

તીર્થાધિરાજ શત્રુંજય પહોંચી જા. એ તીર્થનું ત્યાં ધ્યાન કર.એ વાકયે યતિના હૃદયમાં

ઝળહળતો પ્રકાશ ફેલાવ્યો, સુગંધસભર પવન રેલાવ્યોઃ એ વાકય નહોતું, એનું ભવતારક

ગંગાજળ હતું એ. યતિ શંત્રુજય ભણી ચાલી નીકળયો. સમયની ઘડીમાંથી રેતી સતત ખરતી

રહે છે. નદીઓનાં કઇંક નીર વહી ગયાં, ઋતુઓએ કંઇક ચક્રો બદલ્યાઃ વર્ષો ન જાણે કયાં

પસાર થઇ ગયાં! એકદા એક મુનિજન ગિરિવર શત્રુંજય પર ખડા હતા. તેજસ્વી દીસતા

હતા. એ ધ્યાનમય હતા. નિષ્પલક નેત્રોથી એ ઉત્તુંગ ગિરિરાજને નિહાળતા હતા.

કાઉસગ્ગની એમની મુદ્રા હતી. એ જ પળે, ત્યાંથી પસાર થતી પાલખીમાંથી એક પુરુષ

ઊતર્યા. વૃદ્વ, તેજસ્વી, પ્રભાવશાળી મુનિને કાયોત્સર્ગમાં જોઇને એ આકર્ષાયા હતાં. તેમણે

વિધિવત વંદના કરી. મુનિ સામે જોયું ને પછી મનમાં ચિંતવ્યુંઃ કેવા ઉત્તમ મુનિ છે! એમનો

પરિચય પૂછયો હોય તો! એમણે નજીક સરીને નમ્ર સ્વરે પૂછયુંઃ ગુરુવર! આપનો પરિચય

દેશો? આપના ગુરુદેવનું શુભ નામ?મુનિએ કાઉસગ્ગ પૂર્ણ કર્યો. આંગતુક વૃદ્ધ પુરુષ

સામે જોયું,હૃદયમાં પરિચયનાંપંખીએ ઊડાઊડ કરી મૂકીઃ મારો પરિચય જી. આપો તો

કૃપા થાય.આગંતુકના ધ્વનિમાં ભકિત હતી. મારો પરિચય તો શું આપું? કિન્તુ મારા

ગુરુદેવનું નામ કહુંઃ એમનું શુભ નામ છે, સાન્તુ મહેતા!હેં?આગંતુક સ્તબ્ધ હતોઃ

હું આપનો ગુરૂ? હું તો સામાન્ય શ્રાવક છું!એ સાન્તુ મહેતા હતાં.મુનિ હસ્યા. એ

નિર્દોષ હાસ્ય હતું. એમણે સાન્તુવસહિકાચૈત્યમાં ઘટેલો પ્રસંગ વર્ણવ્યોને ઉમેર્યુઃ મંત્રીશ્વર,

તમારી ધૈર્યવૃત્તિએ મને તાર્યો!મંત્રીના નેત્રો સજળ હતાંઃ નહીં ગુરુવર! તમારી આંતરિક

સજજનતાએ તમને ઉગાર્યા!મુનિએ કહ્યુંઃ મંત્રીશ્વર, એ સજજનતાને તમે સંકોરી હતી.

તેથી મેં તમને ચિત્તમાં ગુરુપદે સ્થાપ્યા હતા!કિન્તુ, શિષ્ય તો હું જ છું!મંત્રીએ કહ્યું.

ગિરિવર શંત્રુજય એ ગુરુ અને એ શિષ્યનો સાક્ષી બનતો ઉભો હતોઃ એ પાવન ગિરિ પર તો

સહુ પવિત્ર થવા જ આવે છે ને.

પરમ કૃપાળુ પરમાત્મામાં ભરોસો વિશ્વાસ રાખી જીવનની ગાડી ચલાવ્યે રાખવી. તમારો

દિકરો જયારે એક દિવસ તમારી જગાએ આવશે-જયારે તેનો દિકરો તેની જગાએ આવશે

ત્યારે જ તે સમજશે. જે વ્યવહાર તમે મા-બાપ સાથે કરશો એ જ વ્યવહાર તમારા દીકરા

તમારી સાથે કરવાના છે- એ વાત લખી રાખો. ભગવાનની લાઠી બધાને માટે છે.માટે આપણે

પાપથી ડરવું. પાપ ન થાય તે ધ્યાન રાખવું. કદી આપણાથી તેને દુઃખ ન થાય તેનું ધ્યાન

રાખવું. હંમેશા બધામાં પ્રભુનું રૂપ જોવું. બધાજ પ્રભુના બનાવેલ રમકડાં છે. દર્પણ સ્વચ્છ

હોય તો પ્રતિબીંબ પડે છે. હૃદય સ્વચ્છ હોયતો પ્રભુનું પ્રતિબીંબ પડે છે. સમતા વિના મોક્ષ

નથી. દુઃખી ને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતાં વધુ

સાર્થક છે.

કડત્થ્ર્ણ્ત્ત્ડ્ઢ ટ્ટ ડ્ડદ્રણ્ડત્ત્ઠ્ઠ ણ્ત્ત્ ત્ત્ડડઠ્ઠ ત્ત્થ્ ત્ર્ટ્ટદ્દદ્દડદ્ર દ્દઢડ દ્દણ્ત્ર્ડ થ્દ્ર ડડ્ડડ્ડથ્દ્રદ્દ દ્દથ્ દ્દઢડ ટ્ઠડદ્મદ્દ થ્ડ્ડ ધ્થ્દ્ધદ્ર ટ્ટટ્ઠણ્ત્ણ્દ્દધ્ ત્ર્ડટ્ટત્ત્દ્મ

ખ્ગ્ર્જીઉખ્ચ્ર્જી.

દવા મળી જાય તો તન સુધરી જાય,

દુઆ મળી જાય તો મન સુધરી જાય,

દેવ મળી જાય તો જીવન સુધરી જાય,

દેવાધિદેવ મળી જાય તો આત્મા સુધરી જાય.

(અનંત-આશા પુસ્તકમાંથી સાભાર.)

પારસમણિ લોખંડને સુવર્ણ બનાવે છે.

પરંતુ પ્રાર્થનામાં તે સામર્થ્ય છે કે તે

ઇન્સાન ને ભગવાન બનાવી દે છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૭૮ મનની તાકાત

એક સાંજે પ્રખ્યાત વૈદરાજ એક વૃદ્ધ પુરુષને જોવા ગયા. નાડી અને અન્ય લક્ષણો જોતાં

લાગ્યું કે તે માંડ ૪૮ કલાક કાઢશે. હાંફ પણ ખૂબ ચડતો હતો. તાત્કાલિક રાહત માટે દવા

અને માંદગીનો અહેવાલ તેને રાત્રે જ મોકલી આપવાનું કહી ઘેર આવવા નીકળયા.

એક ધનિકનો યુવાન પુત્ર માંદો હતો. રોજ તેને ત્યાંથી તેની દવા લઇ જતા હતા. તેમને

થયુંઃ ઘર રસ્તામાં આવે છે, તો તેને પણ જોઇ આવું તો સારુ! તેઓ તેને જોવા ગયા, તેની

નાડી વગેરે જોઇ.તે ધનિકપુત્ર થોડો વહેમી હતો. વૈદરાજને તેણે કેટલાયે સવાલ પૂછયા,

વૈદરાજે ટૂંકમાં તેને જણાવ્યું કે, તમારી માંદગીનો પૂરો અહેવાલ અને દવા હું હમણાં જ

મોકલુું છું તેથી તમારે હવે પ્રશ્ન પૂછવાપણું નહીં રહે. હિંમત રાખજો. સૌ સારા વાનાં થઇ

જશે.

રાત્રે તેણે બંને સ્થળે, પોતાના માણસ સાથે દવા અને રિપોર્ટ મોકલી આપ્યા. યુવક માટે

દવા સાથે લખ્યું હતુંઃ જીવનનો વહેલો મોડો અંત આવે જ છે. મૃત્યુ નિશ્ચિત વસ્તુ છે. માટે

તેનો ભય રાખવો નહીં; અને પ્રભુભજન કરવું. હવે તમારા જીવનના ગણતરીના કલાકો જ

બાકી છે, તો સત્કાર્ય કરી લેશો. સાથે મોકલેલી દવાથી તાત્કાલિક સત્કાર્ય કરી શકોને તમારી

મિલ્કતની વ્યવસ્થા કરી શકો તેટલી તાકાત આવી જશે.

યુવાને રિપોર્ટ વાંચ્યો અને તેના હાજાં ગગડી ગયાં. વહેલી સવારે તેને માટે વૈદરાજને તેડવા

માણસ આવ્યો. વૈદરાજે જણાવ્યુંઃ મોટા માણસ છે એટલે બોલાવે તે તેમને પોષાય પણ

ખરેખર હવે મારે ત્યાં આવવું જરૂરી નથી. હું મારા પૂજાપાઠ, નિત્યક્રમ પતાવી નિરાંતે આવી

જઇશ.મારી દવાથી આરામ થઇ જ જશે.

વૈદરાજે આવવાનું જરૂરી ન માન્યું એટલે યુવાનને મૃત્યુની ખાતરી થઇ ગઇ અને તે એકદમ

મૂંઝાઇ કલ્પાંત કરવા લાગ્યો. તેના માતાપિતા બીજાં શહેરમાં હતાં. તેમને બોલાવવા તાર

થયા. વૈદરાજ છેવટે તેને જોવા માટે બે પહોર દિવસ ચડી ગયો ત્યારે પહોંચ્યા. યુવાનની

ગંભીર હાલત જોઇ. ગઇ કાલે સાંજે તો તેને ઠીક હતું અને આમ કેમ થયું? વૈદરાજની સામે

જોઇ યુવાન ક્ષીણ અવાજે બોલ્યોઃ ગઇ રાતથી ઊંઘી શકયો નથી. મૃત્યુ સતાવે છે. મારી

બધી મિલ્કત લઇ લો, પણ બેઠો કરો. મારે મરવું નથી. વૈદરાજ બોલ્યાઃ કોણે કહ્યું કે તમે

મરી જવાના છો? તમારી તબિયત તો ખુબ જ સારી છે. તેથી તો મેં તમને સાંત્વના રહે

એટલે શકિતની દવા મોકલી છે. તમને તો દવા ન આપું તો પણ ચાલે તેમ હતું. યુવાન

દયામણું હસી બોલ્યોઃ વૈદરાજ, આપ મને ખોટું આશ્વાસન શા માટે આપો છો? ગઇ રાત્રે

તો આપે અહેવાલમાં મારા મૃત્યુની સ્પષ્ટ ચેતવણી આપી હતી!

વૈદરાજ તાજુબ થયા. તેમણે એ અહેવાલ જોવા માંગ્યો. વાંચીને તેઓ ખૂબ હસ્યા. તેમણે

કહ્યુંઃ ગઇ રાત્રે એક વૃદ્ધ ને જોવા ગયો હતો. તે પાકું પાન હોવાથી, તેમજ તેમની હાલત

ગંભીર હોવાથી, તેમને મેં ઉત્તેજક દવા મોકલી હતી અને પ્રભુનામમાં તેનો અંતકાળ જાય

એટલે ચેતવણી લખી મોકલી હતી. ભૂલથી મારો માણસતે રિર્પોટ અને દવા, તેને બદલે

તમોને આપી ગયો છે; બાકી તમને તો ખરેખર કાંઇ જ નથી, આવી ભૂલ ન થાય તેની વધુ

દરકાર મારે રાખવી જોઇતી હતી. શું કહો છો? કહેતો તે યુવાન તરત બેઠો થઇ ગયો.

જેને થોડીવાર પહેલાં પડખું ફરવામાં પણ કષ્ટ પડતું હતું અને પત્નીની મદદથી તે પડખું માંડ

માંડ ફરી શકતો, તેવી હાલતવાળો યુવાન કોઇની મદદ વિના એકદમ બેઠો થઇ ગયો.

વૈદરાજ બોલ્યા : સાવ સાચું કહું છું એ વાત સાંભળતાજ તમે કેવા બેઠા થઇ ગયા! તમારા

શરીરમાં કાંઇ ખામી નથી. એક નાના ભ્રમમાં તમે તમારું શરીર કેવું ભાંગી નાંખ્યું હતું! તે

તમારા મનનું જ કારણ હતું. મનથી તમે મૃત્યુને નજીક જોયું એટલે તમારા શરીરમાંથી

કૌવત ચાલી ગયું, નિદ્વા ન આવી, અને આવી હાલત રહી હોત તો ખરેખર કદાચ થોડા

સમયમાં તમારી સ્થિતિ ખૂબ જ વણસી જાત.ભલા માણસ, હવે ઘટના ઉપરથી બોધપાઠ

લઇને મનને મજબૂત બનાવો, વહેમ છોડો ને મૃત્યુને સદાય નજર સામે રાખી પ્રભુપરાયણ

રહો. આ સાંભળી તે યુવાન ખુબ જ આનંદમાં આવી ગયો. તે વૈદને પગે લાગ્યોઃ વૈદરાજ,

મને જોવા આવવા અને દવા આપવા માટે તમોને હવે ઘરમાં કદી બોલાવવા નહીં પડે.

અહા,મારે હાથે જ મેં મારી સ્થિતિ બગાડી હતી. પણ વૈદરાજ, પેલા વૃદ્ધજનને મારી સ્થિતિનો

અહેવાલ મળ્યો છે, તેનું શું થયું હશે? ચાલો હું તમારી સાથે તેમને જોવા આવું.હવે તે

ચાલીને બહાર નીકળવા પણ શકિતમાન થઇ ગયો હતો.

બંને જણ પેલા વદ્ધજનને મળવા ગયા. તેની પથારી પહેલે માળે હતી. પણ વૈદરાજ ઘરે

પહોંચ્યા તો તેણે જોયું કે તે વૃદ્ધ પુરુષ નીચે રસોડામાં આવી રોટલો ને દૂધ જમતાં હતા.

એકદમ તે ઊભા થયા અને બોલી ઉઠયાઃ વૈદરાજ, ભલું થજો તમારું. તમારી દવા પણ ખૂબ

જ સારી અને તમારો અહેવાલ વાંચ્યો ત્યારે જ મને ખબર પડી કે હું નાહક સેવાચાકરી લઇ

રહ્યો છું. મારામાં જરાય રોગ નથી અને ફકત નબળાઇ જ છે એ વાત જો રૂબરૂ જ કહી હોત

તો હરકત નહોતી. બે માસ હું મૂર્ખામીમાં ખાટલે પડયો રહ્યો અને અનેક વૈદ-ડોકટરોને

બતાવી નાહક ખુવાર થયો. અનુભવી તે અનુભવી. જો તમોને જ પહેલાં મળ્યો હોત તો

આવી તકલીફમાં ન મુકાત. બેસો, બેસો. જલપાન લો.પેલો યુવાન કશુંક કહેવા જતો હતો.

તેને રોકીને વૈદરાજ બોલ્યાઃજુઓ,આ વૃદ્ધ છે એમ કોઇ કહે? યુવાનને પણ શરમાવે તેવા

છે ને?સમજાઇ ગઇ તમને મન ની તાકાત.

અનુક્રમણિકા

વાર્તા નં : ૭૯ કલ્યાણનોપંથ

ફૂલમાંથી કદી ફોરમ જતી નથી. સજજનમાંથી કદી સંસ્કાર ચાલ્યા જતા નથી. સુલસ એવોજ

એક રાજગૃહીનો નવજુવાન હતો. રાજગૃહીના પ્રસિદ્ધ કાલસૌરીક કસાઇનો એક માત્ર પુત્ર

હતો. કિંતુ લોકો કહેતા કે આ તો ઉકરડે આવેલું રતન છે. અને સુલસ હતો પણ એવો જ.

એના પિતા નિર્દય થઇને કતલ કરી શકતા અને સુલસની વેદનાનો પાર ન રહેતો. એ દયાળુ

હતો. એના હૃદયમાં સૌ પ્રત્યે કરુણા ભરી હતી. એ પિતાને વિનંતી કરતો,આપણે આ

વ્યવસાય છોડી દઇએ. પણ કાલસૌરિક કહેતોઃ બેટા, આ કતલ કરું છું ત્યારે તો મને શાંતી

વળે છે.એક વાર તો ગજબ બન્યું. કાલસૌરિક કસાઇનું કતલખાનું બંધ કરાવવા માટે

મહારાજા શ્રેણિકે એને ખાલી કુવામાં ઉતારી દીધો. મહારાજા શ્રેણિકે માન્યું એમ કરવાથી

કાલસૌરિક સુધરી જશે. પણ રે કાલસૌરિક :એણે તો કલ્પનાથી પાડા ચીતર્યા અને હાથથી

વધેર્યા! આખા રાજગૃહીમાં અરેરાટી ફેલાઇ ગઇ. સુલસ આવા નિર્દય પિતાનો પુત્ર હોવા

છતાં દયાના સંસ્કાર પામ્યો હતો. એનું કારણ હતું મંત્રીશ્વર અભયકુમારનો સંગ! મંત્રી

અભયકુમાર એટલે મગધના મહાન મુત્સદી. કસ્તૂરીનાં સંગમાં કુદરત જેમ સુગંધીત બની

જાય તેમ મંત્રી અભયકુમારના સંગમાં સુલસ દયાના ભંડાર જેવો બની ગયો હતો. જાણે કે

કોઇ જન્મના પાપનો ઉદય કે કાલસૌરીક કસાઇને ત્યાં જન્મયો. નહીં તો લોકો કહેતા કે

આવો સજજન જુવાન , એ અહીં થોડો આવે?

કર્મ કોઇને છોડતાં નથી.

કરમને કોઇની શરમ નડતી નથી.

એક દિવસની વાત છે. કાલસૌરીક કસાઇનો દેહ અનેક રોગોથી ભરાઇ ગયો. એનાથી વેદના

સહેવાતી નહોતી. એની ભયંકર પીડાને કારણે એ બૂમો પાડવા લાગ્યો. એ ચીસો નાંખવા

લાગ્યો. પરિવાર આખો ભેગો થઇ ગયો. વૈદો આવ્યા, હકીમો આવ્યા. કિંતુ, કોઇ ઉપચાર

કારગત ન થયો.વૈદોએ કહ્યું કાલસૌરિકના દેહ ને ભયંકર દાહ ઊઠયો છે. એને શાંત કરવા

માટે ચંદનલેપ જોઇએ. સુલસે તેમ કર્યું. કિંતુ તેમ કરવાથી તો કાલસૌરિકે વધારે ચીસો

નાંખવા માંડી. એની વેદના તીવ્ર બની ગઇ. સુલસની અકળામણનો પાર નહોતો. એને કોઇ

પણ ભોગે પિતાને શાંતિ થાય તેવું જોઇતું હતું. એ સુંદર મજાના પુષ્પોના ચિત્રો લઇ આવ્યો

કે એને નિહાળી ને પિતાનુ ચિત્ત શાંત થાય. કાલસૌરિકે એ ચિત્રો જોયા અને ઔર વિહવળ

થઇ ગયો. એને એ શાંતિના ચિત્રો પીડાદાયક બની ગયા. મંત્રી અભયકુમાર એવે ટાણે ત્યાં

આવી ચડયા. કાલસૌરિકની સ્થિતિ નિહાળીને એ પલકવારમાં સઘળું સમજી ગયા. એમને

યુદ્વની વાર્તા માંડી. વેરના પ્રસંગો કહયા. કાલસૌરિક શાંત થઇ ગયો.

અભયકુમારે સુલસને કહ્યું, મિત્ર,આ દુર્ગતિની નિશાની છે. માલણમાં અને માછળમાં

આટલો જ ફેર હોય છે કે એકને દુર્ગંધ ગમતી નથી. તારા પિતાની આ પરિસ્થિતિ છે એને

સદવિચારની વાર્તા ગમતી નથી. એને ક્રોધના અને વેરનાં પ્રસંગો ગમેે છે. મનુષ્યની જેવી

ગતિ થવાની હોય છે તેવા અંતિમ સમયે વિચાર તેમને ગમે છે. ભયાનક પીડા ભોગવીને

કાલસૌરિક મૃત્યુ પામ્યો.

આટલી ભયંકર કત્લ કરીને મારા પિતાનો આત્મા મૃત્યુ પામી ને કયાં ગયો હશે?

પિતાના મૃત્યુના આઘાતથી વિહવળ બનેલા સુલસે ભગવાન મહાવીરને પૂછયું? મહાવીરે

સમભાવથી કહ્યું તારા પિતાનો આત્મા મૃત્યુ પામીને નરકમાં ગયો. સુલસ તું એક કામ

કરજે; કદી હત્યા કરીશ નહીંં. કદિ જીવ હિંસા કરીશ નહીં. સુલસે પ્રતિજ્ઞા લેતા કહ્યું કે

ભગવાન, હું જીવનમાં કદી કીડીની પણ હિંસા કરીશ નહીં .

પિતાના મૃત્યુના થોડા એક દિવસો વીત્યા. કિંતુ સુલસના મનમાં જીવમાત્ર પ્રત્યેનો પ્રેમ

સતત દઢ થતો રહેતો હતો. એને હિંસાની કલ્પના માત્રથી ધ્રુૃજારી થતી હતી. બે ચાર દિવસ

પછી સુલસની માતાએ કહ્યુંઃ બેટાઃ હવે પિતાનો ધંધો સંભાળી લે . સુલસ કંપી ઉઠયો. એણે

વિનયપૂર્વક ના પાડી દીધી. કહ્યું કે આવો પાપી ધંધો હું નહીં કરુ. આખો પરિવાર દિગ્મૂૂઢ થઇ

ગયોઃસુલસ પિતાના ધંધાને ત્યાગ કરી દેશે? બધાએ એનેે સમજાવવા માંડયો. પિતાનો

ધંધો સંભાળવો જોઇએ તેમ કહ્યું. સુલસે ના પાડી.તેના અંતરમાં તો જુદું મનોમંથન ચાલતું

હતું. એ વિચારતો હતો કે આ તો પાપનો વ્વયસાય છે. અધર્મનો રસ્તો છે. દુર્ગતિનો માર્ગ

છે. એને વાલિયા લુંટારાનો પ્રસંગ યાદ હતો. સંતે તેને કહ્યું કે તારા પાપના ધંધામા,કોઇ

તારો ભાગીદાર નહીં થાય. માત્ર ખાવામાં ભાગીદાર થશે.

સુલસે માતાને કહ્યુંઃ આ પાપનો ધંધોે હું નહીંં કરું. આ પાપનું જે પણ ફળ બંધાય એમા

તમે થોડા ભાગીદાર થવાના છો? મા ખિલખિલાટ હસી પડી, એણીએ પુત્રને ચુમી લીધો.

કહ્યું બેટા તારી સમજદારી ખોટી છે. તુંં પાપ તારા એકલા માટે કર્યા કર છે? અમારા માટે

પણ કરે છે. અમેકાંઇ સ્વાર્થી થોડા છે કે તને એકલો છોડી દઇએ. હમણાંતો ધીરજ રાખવાની

છે. હિંદુ સુલસનું ચિત્ત માનતુંનહોતું. તું નિશ્ચિત થઇને તારા પિતાનો ધંધો આગળ વધાર..

તુ પાપ તારા અને અમારા બધા માટે ફરે છે. એથી અમે પણ ભાગીદાર છીએ ખરા જ ને.

એક દિવસની વાત છે. સુલશે હાથમાં કુહાડી લીધીને જોરથી પોતાના પગ ઉપર મારી. બીજી

જ ક્ષણે પગમાંથી લોહી ની ધારા વહી. એણે ચીસ પાડીઃ બચાવો! આખો પરિવાર ભેગો

થઇ ગયો. સુલસ ચીસો પાડતો હતો. મા અને બહેને કહ્યું, ભાઇ, થોડી વાર શાંતિ રાખ,

હમણાં તારા માટે ઉપચાર કરીએ છીએ. કોઇ કોઇની વેદના તો લઇ શકતું નથી. પણ

સાંત્વન તો આપી શકાય. ભાઇ, થોડીક પળ ધીરજ ધર! સુલસને લોહી નીકળતું હતું.

અપાર વેદના થતી હતી. અને છતાંય ખડખડાટ હસી પડયો. એણે કહ્યું, મા, મને અપાર

વેદના થાય છે. થોડીક તો તમે લઇ લો, તમે તો કહેતાં હતાં તારા પાપના ધંધામાં અમે

ભાગીદાર થઇશું. તો આ વેદનામાં થોડાંક ભાગીદાર નહીં થાઓ? જે આપણે કહીએ તે

કરીને થોડોક વિશ્વાસતો ઉત્પન્ન કરવો જોઇએ! સ્તબ્ધ મૌન ફેલાઇ ગયું. સૌ અવાચક બની

ગયાં. જાણે ચીત્રમાં ચીતર્યા ન હોય! સુલસ હસ્યો. એમા વેદના ભરી હતીઃ મા, આ તો

બધા મોહના ચાળા છે. પાપતો જે બાંધે તે ભોગવે. મારા પિતાએ જે પાપો બાંધ્યા એ એમણે

ભોગવવાનાં હતાં. હું બાંધીશ તે હું ભોગવીશ. મા,પાપના રસ્તે મારે નથી જવું. આપણો

જીવનનિર્વાહ થઇ રહેશે. એની તું ચિંતા તું ન કરીશ. મંત્રી અભયકુમારે આ ઘટના જાણી

ત્યારે તેમનો હર્ષ અનંત બની ગયો. એમણે કહ્યુંઃસુલસ તારો ધર્મભાવ તને તારશે.સુલસ

શ્રમણ ભગવાન મહાવીરના માર્ગે ચાલ્યો. એના પગલે પગલે કલ્યાણનાં ફૂલ ખીલ્યાં.

દર્શનથી વિચારમાં,જ્ઞાનથી ઉચ્ચારમાં, ચારિત્રથી આચારમાં અને તપથી કાયામાં જીવનમાં

માધુર્ય પ્રગટે છે.હૃદયને જીવ ભરી જીવવા દો-ભદ્રને કહો બહુ બોલે નહીં ; સોનાની મૂર્તિને

લોખંડના ત્રાજવામાં મૂકીને કોઇ તોલે નહીં. ધૈર્ય છે તે બાપ,ક્ષમા છે તે મા,પત્ની છે તે શાંતી,

સત્ય છે તે ભાઇ પણ હોય શકે,સત્ય છે તે દીકરો પણ હોય શકે- દયા છે તે બેન.ધર્મની માતા

દયા ને ધર્મ નો પિતા છે દાન.પાપની માતા માયા ને પાપ નો પિતા છે લોભ. લાકડા સાથે

જોડાયેલા ખીલા પણ તરી જાય,ધર્મ સાથે જોડાય તો પાપી પણ તરી જાય.જતું કરે તેનુંકંઇજતું

જતું નથી, જતું ન કરે તેનું કંઇ બચતું નથી.શરીરની ચિંતા કરનારી પત્ની કર્મપત્ની છે અને

આત્માની ચિંતા કરનારી પત્ની ધર્મપત્ની છે. જે આંખમાંથી કરૂણા ના વરસે, તે આંખ

આંખના કહેવાય.જે હૃદયમાંથી લાગણીની ધારાના વરસે,તે હૃદય, હૃદયના કહેવાય. જે

બાગમાં ગુલાબના ફુલના ખીલે, તે બાગને બાગના કહેવાય. જે જીવનમાં જિનભકિતનું

ગુલાબના ખીલે, તે જીવનને જીવન ના કહેવાય. બીજાના દોષો જોવા કરતા હંમેશા પોતાના

જ દોષો ને જોવાની વૃત્તિ કેળવવી. બીજાના દોષ જોવા વાળા આપણે કોણ? ઇશ્વર છે ઉપર..

સર્વ રોગ નુ મૂળ છે મન. એવા દર્દો દવાથી કે હવાથી નહીં પણ ભગવાન પ્રત્યેની શ્રદ્વાથી

ચાલ્યા જાય છે. સંપુણ પારદર્શક જીવન જીવશો-સાથે આચરણ માં- વ્યવહાર મા ઉતારશો

તો-સાથે પરોપકાર ભાવના- દયા-કરુણા સત્ય માર્ગે ચાલવાનું-બની શકે એટલું પોતાનુ સુખ

વધુમાં વધુલોકોને આપું અને શકય એટલું બીજાનું દુઃખ હું કેમ ઓછું કરુ તેવી ભાવના

જોઇએ. સર્વ જીવો પ્રત્યે મનમા મૈત્રી ભાવના હોવી જૌઇએ -રાગ-દ્વ્રેષ-મોહ-માયા-ક્રોધ -

લોભ પરનીંદાથી દૂૂર.

અનુક્રમણિકા

વાર્તા નં :૮૦ સત્સંગ

આપણા શાસ્ત્રોમાં સત્સંગનો ખૂબ જ મહિમા કરવામાં આવ્યો છે. સારા માણસની સોબત

ગમે તેવા દુષ્ટ અને અધમ માણસને પણ સદાચારના માર્ગે ચાલવાની ફરજ પાડે છે. વાલિયો

લુંટારો વાલ્મીકિ નામનો મહાન સંત કવિ બન્યો એ સત્સંગનો ચમત્કાર છે. એ જ રીતે શ્રી

રવિશંકર મહારાજના સંસર્ગથી બહારવટિયાઓમાં આવેલ પરિવર્તનની કથાઓ શ્રી ઝવેરચંદ

મેઘાણીએ લખેલા માણસાઇના દીવાનામના પુસ્તકમાં સંપાદિત કરેલી છે. શ્રી ગણેશ

વાસુદેવ માવલંકરના માનવતાના ઝરણાંનામના જેલજીવનના અનુભવ પરથી લખાયેલા

પુસ્તકમાં પણ સારી સોબતનો મહિમા પ્રગટ થાય છે. હિંદીમા તુલસીદાસનો એક દોહો

સત્સંગનો મહિમા બતાવે છેઃ-

એેક ઘડી, આધી ઘડી, આધીમેં પુની આધ;

તુલસી સંગત સંતકી, મિટે કોટી અપરાધ.

સત્સંગનો અર્થ માત્ર સાધુપુરુષની સોબત જ થતો નથી. સારા પુસ્તકોનું વાચન, સારી કથાનું

શ્રવણ અને સારા માણસોનું જીવન નિરીક્ષણ પણ સત્સંગની ગરજ સારે છે. શાસ્ત્રના

એકાદ વાકયના શ્રવણથી પણ માણસના જીવનમાં પરિવર્તન આવી જાય છે એ દર્શાવતી એક

સરસ લોકવાર્તા છેઃએક વૃદ્ધ ચોરે મરતી વખતેે એના પુત્રને સલાહ આપી હતી કે જયાં કથા

વંચાતી હોય એ માર્ગેથી પસાર થવું નહીં અને સંજોગવશાત ત્યાંથી પસાર થવું પડે તો કાને

હાથ દઇને પસાર થઇ જવું. કથાકારનો એક શબ્દ પણ કાને પડવા ન દેવો. ચોરપુત્રે આ

સલાહનું ઘણા સમય સુધી પાલન કયુર્ં. પણ એક વાર એ ગામનાં મંદિર પાસેથી પસાર થતો

હતો ત્યારે એકાએક ત્યારે એકાએક એના પગમાં કાંટો વાગ્યો. ચોરપુત્રે કાંટો કાઢવા હાથ

લંબાવ્યો એટલે એના કાને મંદિરમાં વંચાતી કથાનું એક વાકય પડી ગયું :-જૂઠું બોલવા જેવું

બીજું કોઇ પાપ નથી . ચોરપુત્ર એ નિશ્ચય કર્યો કે હવે પછી કદી જુઠું બોલવું નહીં. પણ

સાચું બોલવું અને ચોરી કરવી એ બે પ્રવૃત્તિ ઓ સાથે કેવી રીતે ચાલી શકે? કથા કહે છે કે

આ ચોરપુત્રે વિક્રમ રાજાના મહેલમાં ચોરી કરી અને રાજાંના હાથે પકડાય જતાં સાચું

બોલીને રાજાનું દિલ જીતી લીધું. પરિણામે એ ચોર મટી રાજાનો પ્રધાન બની ગયો.

સારાં પુસ્તકોના વાંચને માણસોના જીવનમાં મોટુુ પરિવર્તન લાવ્યાના દાખલા પણ શોધવા

જવા પડે એમ નથી. મહાત્મા ગાંધીજી પર રસ્કિનના : અન ટુ ધીસ લાસ્ટ - પુસ્તકની કેવી

જબરદસ્ત પરિવર્તનકારી અસર પડી હતી એ એમણે આત્મકથામાં નોંધ્યું છે. ડેલકાર્નેગી,

નોર્મન પીલ,સ્વેટ માર્ટન અને ડોકટર નેપોલિયન હિલ જેવા ચિંતકોનાં પુસ્તકોએ દુનિયાના

કેટલા બધા માણસોને નિરાશાની ઊંડી ખાઇમાં ગબડતાં અટકાવ્યા છે.

સત્સંગ એટલે સારી સોબત. સારા માણસનો ઘડીક સંગ આપણા જીવનમા એક નવો રંગ

અને ઉમંગ લાવી શકે છે. ડોકટર જોસફસીઝ ખૂબ નિરાશ અને હતાશ થઇ ગયા હતા. એ

સમયે તેઓ ડોકટર નહોતા કે અર્ધી દુનિયામાં વિખ્યાત પણ નહોતા. એ એક યુવાન હતા

અને દુનિયાનાં અજાણ્યા પથ પર પગ મૂકતાં નિષ્ફળતા મળવાથી હતાશ થયેલા હતા. એવી

હતાશાની પળે એમને એક સજજનનો ભેટો થઇ ગયો.એ સજજને એમને એક વાકય કહ્યું હતું

અને ડો.જોસેફસીઝનું આખું જીવન પલટાઇ ગયું. જીવનના ઘોર અંધકારમાં એમને આશાનું

એક કિરણ મળી ગયું.આ વાકય સાંભળ્યા બાદ એમણે અધુરો રાખેલ અભ્યાસ આગળ

લંબાવ્યો. ડોકટરની ઉપાધી પ્રાપ્ત કરી, ધર્મપ્રચાર અને સમાજસેવા શરૂ કરી. ભૂલેલાઓને

સાચી રાહ બતાવવાનો શરૂ કર્યું. પેલા સજજને એમને આ વાકય કહું હતુ. જેણે તને આ

જગતમાં મોકલ્યો છે એ જીવનયાત્રામાં તારી સાથે જ છે. એણે તને એકલો છોડી દીધો નથી.

સારા માણસની સોબત એ જીવનનો એક અમુલ્ય લહાવો છે. સંતની સાથે આપણે જેટલો

સમય એટલો સમય પસાર કરીએ છીએ એટલો સમય આપણાં મનમાં ઉદાત અને કોમળ

ભાવનાઓ તરતી હોય છે. એથી સાધુ પુરુષના સાનિધ્યમાં આપણને પ્રસન્નતા અને શાંતિ

મળે છે. એટલા સમય સુધી આપણાં મનમાં આદર્શો પ્રત્યે આપણાં જીવનને વાળવાનાં

સંકલ્પો જાગે છે. પણ સંત સમાગમની અસર એ સંતની લાકડી પર કે એમની ચાખડીઓ પર

કશી થતી નથી. એ ધ્યાનમાં રાખવા જેવું છે. સત્સંગ કરનાર એ વ્યકિતને એ સંત માટે આદર

હોય, એમની સાધુતા જોવાની-સમજવાની શકિત હોય તો એમનો લાભ મળી શકે. સાધુના

પગલાંથી ઘરમાં લક્ષ્મી આવશે, સંતાન પ્રાપ્ત થશે, કુપુત્રોમાં સુધારો થશે. રોગ મટી

જશે.અથવા કોર્ટમાં વિજય થશે. એવી દુન્યવી લાભની કોઇ અપેક્ષા રાખનાર સત્સંગનો

મહિમા સમજતો નથી એમ માનવુંરહ્યું. આવી સિદ્વિ કોઇ સાધુ પાસે હોયતો પણ એની

પાસેથી એ આશા રાખવી એ પંગુતાની નિશાની છે. અરે મનને એવી રીતે કેળવવું જોઇએ કે

કોઇ પરસ્ત્રી જોઇને મનમાં વિકાર ભાવના ન આવે-મનને સમજાવવું જોઇએ કે-આ બેન પણ

કોઇની દીકરી, કોઇની બહેન,કોઇની માતા, કોઇની પત્ની છે. મારી બહેન-મારી દીકરી કે

પત્ની ને જોઇ કોઇ આમ વિચારે તો મને શું લાગે? ભગવાન તે છતાં જો મારી આંખમાંથી

વિકાર ન જાય તો મારી આંખ જ ફોડી નાંખજે. ભગવાનની ભકિતમાં ભૂખ તરસ યાદ આવે?

અરે! ભકિત કરવાથીતો શરીરનો શ્રમ પણ દૂર થઇ જાય છે. કોઇ પણ આત્મા પરમાત્મા સાથે

તન્મયત્તા-તાદમ્યતા સિધ્ધ કર્યા સિવાય પરમાત્માને અભેદભાવે મળ્યા સિવાય મોક્ષમાં જઇ

શકતો નથી. પ્રભુ સાથે લીનતા આવી જાય - પછી દીનતા શાની? ભગવાનમાં જ લીન હોય

અને જો ભગવાનનો જ અનુગ્રહ હોય તો ભગવાનનાજ બધા જ ગુણો આવી જશે.ભાવનાની

સીમા ન હોય-ઉદાર દિલે કામ કરો-બધું કામ ભગવાન પાર પાડશે.જિનશાસન જયવંત છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૮૧ સંત તુકડોજી

અંતરની અમીરાત એ એની નિજી સંપત્તિ : દેહ પર ફાટેલા વસ્ત્રો, આંખો ઉંડે ઊતરી ગયેલી,

મોં નિસ્તેજ લાગે. એને સૌ તુકડોજી કહીને બોલાવે.ઘરમાં આવવું એને જ નહોતું ગમતું.

ત્યાં જઇને કરવુંય શું? ત્યાં કંઇજ નહોતું. નિતાંત ગરીબી સિવાય ત્યાં શું અવશેષ હતું?

કોઇએ એક વાર એના ઝુંપડામાં નિવાસ કર્યો ત્યારે ચારે તરફ જોયું. ઘરમાં દરવાજો જ

નહોતો! આંગતુકને અનંત આશ્ચર્ય ઘેરી વળ્યું હતું. એણે પૂછયું, ભાઇ તારા ઘરમાં

દરવાજો, બારી કેમ નથી? તને ચોરનો ભય નથી લાગતો?તુકડોજી ખડખડાટ હસી

પડયો. એણે કહ્યું મારાં એવા નસીબ કયાંથી કે મારે ત્યાં ચોર આવે!એને ઘરમાં

આવવું જ નહોતું ગમતું. થોડા સમય પૂર્વે ઘરમાં આવવા એક માત્ર આકર્ષણ હતું સ્નેહાળ

માતાનું! એ પોતાના આ દેહના ગરીબ પરંતુ દિલના શ્રીમંત દીકરાને નિરંતર પ્રેમ ભરી

આંખે આવકારતી. એ જાણતી હતી કે તુકડોજી ધન ન મેળવી શકે તે સાચું છે, કેમકે એ સાચું

બોલનારો છેઃ એ નિખાલસ છેઃ એ સાફ દિલનો છે, ને ધન પ્રાપ્ત કરવા માટે એ તત્વો

સંસ્કાર હોવા છતાંય ઉપયોગી નથી બની શકતાં. તેવું બને છે! કિંતુ પોતાનો પુત્ર સંસ્કારથી

કેટલો શ્રીમંત છે! મા એને નિહાળતી અને હરખાતી કહેતી , બેટા! તારે ઘરમાં જ રહેવુ

જોઇએ.ના, મા!એ કહેતો, આ ઘર મને નથી ગમતુંઃ આ ભૂમિમાં મેં માત્ર જન્મ

લીધો છે અને દારિૃદ્વ આણ્યું છેઃ હું દેવાદાર છું મા!મા એ શબ્દોમાં નિર્જર્રતી સચ્ચાઇ

પારખી શકતી ને તુકડોજીને બહાર ફરવા દેતી. કિન્તુ માનું અંતર તો નિત્ય તેની સાથે જ

ઘૂમ્યા કરતું હતું. એક દિવસ અચાનક એણે તુકડોજીને પૂછી લીધુંઃ બેટા, આ ઘરમાં સ્થિર

થવા માટે તારી પાસે શું હોવું જોઇએ?

તુકડોજી માટે આ સવાલ નવો હતો. એ માં ભણી નિહાળી રહ્યો . જેમ આ પ્રશ્ન અણધાર્યો

હતો, તેમ માનું આ રૂપ અણચિંતવ્યું હતું. એ હસ્યોઃ મા, મને શું જોઇએ તે ખબર નથી.

પણ કલ્પના કર કે હું જે માંગુ તે મળે ખરું?માની આંખોમાં અકથ્ય ચમક આવી ગઇઃ

હા,બેટા! તું માંગે તે મળે!ઓહ!તુકડોજી ઉભડક બેસી ગયો : મા, તું કયાંકથી

વરદાન લઇ આવી કે શું?હા, બેટા! એમજ સમજી લે.તુકડોજી હવે ન હસ્યો. એણે

કહ્યુંઃ મા, તો તો એક ભેંસ હોય તો હું આ ઘરમાં સ્થિર થઇ જાઉં. બીજું મને કંઇ ન

જોઇએ. સ્વયં ઇશ્વર ઉપરથી આવીનેય કંઇક આપે તો ય ન લઉં!મા આ સંતોષી પુત્રને

જોઇ રહી. એને માટે આ ઉત્તર નવો નહોતોઃ એ પુત્રના અંતરવૈભવને પિછાણતી હતી. એ

બોલીઃ બેટા, હું જયારે નહીં હોઉ ત્યારે આ ઘરમાં ભેંસ તારી પાસે હશે જ. તું સાચવીને

રહેજે બેટા!તુકડોજી માના પગમાં પડી ગયો, એ આવું કેમ બોલી? મા મૌન બેસી રહી.

બંનેના નેત્રો સજળ હતાં.તુકડોજીને એક માત્ર ઘરે આવવાનું આકર્ષણ હતું એ સ્નેહભરી

માતાનું! પરંતુ તે પણ વિલય થઇ ગઇ. મા વગર નું ઘર કેમ ગમે? હવે ઘરે જવું જ ગમતું

નથી. નાનકડા, સાધારણ, ધૂળ ભરેલા ઝૂંપડામાં મન ગોઠતું નથી. કેટલા કેટલા દિવસોના

ઉપવાસ કયારેક થઇ જાય છે! કયારેક કોઇનું કામ કરવા મળે છે, તો ગુજરાન ચાલે છે.

કદીક માનું વચન યાદ આવી જાય છે. હું નહીં હોઉં ત્યારે..– પરંતુ એ યાદ આવતાં

જ ધ્રુજી ઉઠાય છેઃ મા, તુ ન હો, ન ભેંસ મળે, દૂધમાંથી રકમ ઉપજે, ગુજરાન ચાલે તોય શું

અને ન ચાલે તોય શું? એની આંખો ભીની થઇ જાય છે! કુદરત કયારેક અજનબી ખેલે છે.

એની મજૂરીના બદલામાં એક શેઠે તેને એક ભેંસ ભેંટ આપી! માનું વચન સત્ય ઠર્યું!

કમાલ! તુકડોજીને હૃદયમાં આશ્ચર્ય ઊભરાઇ રહ્યું. આંસુ ઊભરાઇ રહ્યા ! ભેંસ,કાળી

ભેંસ. સુંદર ભેંસ. હવે તેના સહારે જીવન હતું. તેના સહારે આનંદ અને શોકઃ હર્ષ અને

વેદના જીરવી લેવાનાં હતાં. એ માતાની કૃપાપ્રસાદી હશે? - એને વિચાર આવી જતો.એ

તેની સાથે વાતેય કરતો. એનું દૂધ એને અમૃત જેવું લાગતું. એને લાગતું કે આ ભેંસ

સંગાથે તેને અપૂર્વ આત્મીયતા બંધાઇ ગઇ છે! હવે એના વિના તો કદાપી નહીં ગમે! એ

ઐના ચારેય પગની વચ્ચે, તેના પેટનું છત્ર બનાવીને સૂઇ જતો. એને જે આનંદલાભ થતો

તે પોતાના હૃદયમાં ઘૂંટયા કરતોઃ એ કહી ન શકતો! એના નાનકડા ગામમાં કોઇ ધાર્મિક

વકતા આવ્યા ત્યારે તેણે કહેલો એક પ્રસંગ તુકડોજીને યાદ આવી જતોઃ માનવી અને પ્રાણી

ઃ બંનેનો જીવ તો એકસરખો જ છે! એ વકતાએ વાતની માંડણી આમ કર્યા પછી પ્રસંગ

કહ્યોહતો, પરંતુ આરંભે ઉચ્ચારેલા શબ્દોતો હૃદયની દીવાલ પર કોતરાઇ ગયા હતા.

અમારો જીવ એકસરખો! એમા કોઇ ફર્ક નહીં! એ વકતાએ કેવું સત્ય કહ્યું હતું!એક

મઝાનો પ્રસંગ છેઃ એક માનવી હાથીની દોસ્તી કરી બેઠેલો. એ જયાં જાય ત્યાં હાથી હોય,

સાથે જ. એક દિવસ સવારે એ ભાઇ દૂરનાં ગામે ગયેલાં એકલા. વળતાં પાછા આવતાં નદી

આવતી હતી. તેમાં પૂર આવી ગયેલું. પેલો માણસ વિચારતો હતો કે ઘરે કેમ પહોંચાશે?

એ પાછો વળ્યો. ચીંતાનો પાર નહીં , નદીને કિનારે પહોંચ્યો ને આશ્ચર્ય : એને લેવા હાથી

આવી પહોંચ્યો હતો! પેલાએ હાથીને પૂછયુંઃ તું મને લેવા આવ્યો? તને નદીમાં પૂર આવ્યું

છે તેવી ખબર હતી ? હાથી જાણે સમજતો હોય તેમ તેણે મસ્તક ધુણાવ્યુ. આ પ્રસંગ યાદ

આવતો અને તુકડોજી પોતાની પ્રિય ભેંસને વળગી પડતો. એ જીવનાધાર હતી, એ સર્વાધાર

હતી. તુકડોજી તેને સાચવતો. જિંદગી આપીને સાચવતો. પરંતું એક દિવસ અજબ ઘટના

બનીઃ ભેંસ કયાંક ગુમ થઇ ગઇ! તુકડોજી હેરાન થઇ ગયો, પરેશાન થઇ ગયોઃ ભેંસ કયાં

ગઇ? એ તો એનું સર્વસ્વ હતી. એ ગોતવા ઢૂંઢવા નીકળયો. ચોપાસ શોધ કરી એણે.

કયાંય પતો ન લાગ્યો. એ શોધતાં શોધતાં એક ટેકરી ઉપર આવી ચડયો. ત્યાં એક સાધુ

બેઠા હતા. એને આશા બંધાઇ કે આ સાધુ કાંઇક ભાળ આપશે. તેણે પૂછયુંઃ સાધુ, મારી

ભેંસ જોઇ ?સાધુ એને જોઇ રહ્યાઃ મેં તારી ભેંસ તો નથી જોઇ, પણ તને એક સવાલ

પૂછું?હેં!--- તુકડોજી ચમકયોઃ તમે મને સવાલ પૂછશો?હા.તને કેટલા વર્ષ

થયાં?પિસ્તાળીશ.ભાઇ , સંતે કહ્યું, તારી જીંદગીના પિસ્તાળીશ વર્ષ ગુમ થઇ ગયાં

તેની તને ચિંતા નથી અને તું ખોવાયેલી ભેંસને ગોતવા નીકળ્યો છે.એક જ વાકય!

હૃદયભેદક વાકય! તુકડોજી એ સાંભળ્યું. ને વળતી પળે એનો આતમરામ જાગૃત થઇ

ઊઠયોઃ એણે સંસાર છોડી દીધો. આ તુકડોજી તે પ્રસિધ્ધ સંત તુકડોજી મહારાષ્ટ્રની

ખ્યાતનામ સંતમાળામાંના એક પવિત્ર સંત.

કસોટીથી સોનુ પરખાઇ,જીભથી માણસ પરખાય.જીવદયા સાથે જીભદયા પાળો. જીભમાં

કાયમ મીઠાશ રાખવી. કદી ક્રોધીત થઇને બોલવું નહીં. દયા,કરુણા,નમ્રતા,જીવ મૈત્રી,દાન,

મધુરવાણી અને પરોપકારી જીવન આના જેવું વશીકરણ દુનિયામાં બીજું એકેય નથી.

સુરજની કિંમત તેના પ્રકાશથી છે,દીપકની કિંમત એના ઉજાશથી છે,પુષ્પની કિંમતએની

સુવાસ થી છે- માણસ ની કિંમત એની માણસાઇ તથા વ્યવહારથી છે. શેરડી પીલાઇ છે તો

પણ રસ તો મીઠો જ આપે છે. સુખડ ઘસો છતાં સુવાસ આપવાનું ચાલુ જ રાખે છે. જીભ

જીતી એણે જગત જીત્યું. આપણેે પણ જીવનમાં સુવાસ ફેલાવીએ. કેવળ પગદંડી આપણને

કાંઇ પહોંચાડતી નથી . એ માત્ર લક્ષ્યસ્થાન તરફ ઇશારો કરે છે.પણ ત્યાં પહોંચવાતો આપણે

પગતો આપણાંજ મુકવા પડે છે. સુંદર વિચારો પગદંડી જેવા છે.જયારે સદાચરણ એ પગદંડી

પર મૂકાતાં પગલા જેવું છે.માત્ર પગદંડી જોઇને ખુશ થશો નહીં એના પર પગલા પણમૂકજો.

બેફામ પાણી એ જો ગામો ના ગામ ડુબાડયા છે તો બેફામ વાણી એ કુટુંબોના કુટુંબો તારાજ

કર્યા છે. બેફામ પાણીને અટકાવવાનોતો કદાચ વિજ્ઞાન પાસે ઇલાજ છે, પણ બેફામ વાણીને

અટકાવવા તો વિવેકને શરણે જ જવું પડે તેમ છે. અન્યના દુઃખે અને પોતાના દોષે રડતી

આંખોજો વંદનીય છે તો અન્યના દુઃખ અને પોતાના દોષે હસતી આંખો નિંદનીય છે.

સંઘને સંગઠિત કરવો,સુવ્યવસ્થિત કરવેા, એ ધર્મ છે. સંઘને વિઘટિત કરવો, તેમાં સંઘર્ષ,

ખેંચતાણ કે કલેશ પેદા કરવા તે અધર્મ કે પાપ જ નહિં, મહા પાપ છે. (ચંપક સ્મૃતિમાંથી) .

અનુક્રમણિકા

વાર્તા નં : ૮૨ સહકાર

એક કથા છે કે એક વાર વિષ્ણુ ભગવાને દેવો અને દાનવોને ભોજન માટે નિમંત્રણ આપ્યું.

સૌ આવીને જમવા બેઠા એટલે વિષ્ણુ ભગવાને કહ્યુંઃ જમવાનું શરૂ કરતાં પહેલા દરેક જણે

એક શરત ધ્યાનમાં રાખવાની છે. કોઇએ જમતી વખતે કોણીમાંથી હાથ વાંકો વાળવાનો

નથી.બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા. કૌણીમાંથી હાથ વાંકો વાળ્યા સિવાયતો કોળિયો

મોઢામાં મુકાય જ કેવી રીતે? દાનવોતો ખિજાઇને ઊભા જ થઇ ગયા. આ તે જમણવાર કે

મજાક ?એમ બબડતા સૌ દાનવો ચાલ્યા ગયા. દેવોતો થોડી વાર વિચાર કરતાં બેઠા.

એકાએક એમને એક યુકિત જડી આવી. હાથ સીધો રાખીને પોતાના મોઢામાં કોળિયો મુકી

ના શકાય, પણ બીજાના મોઢામાં તો મુકી શકાયને? અને દેવોએ એક બીજાના મોઢામાં

કોળિયા મુકીને નિરાંતે ભોજન કયુર્ં. સહકાર નું આ કેવું અનોખું ઉદાહરણ છે! માણસે

પોતાનીભદ્ર દ્વારા પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફ પ્રગતિ કરી છે, એમ માનવા કરતાં સહકાર દ્વારા

પ્રગતિ સાધી છે એમ માનવું વધારે સયુકિતક લાગે છે. પુરુષે સ્ત્રીનો અને સ્ત્રીએ પુરુષનો

સહકાર લીધો અને લગ્ન જેવી સાંસ્કૃતિક સંસ્થા સર્જાઇ. માનવી સહકારથી જીવતાં શીખ્યો

અને સમાજની સુવ્યવસ્થિત રચના થઇ. ગ્રામ,નગર,રાજય,રાષ્ટ્ર અને એ બધી સંસ્થાઓ

સહકારના પાયા પર રચાઇ છે.આંધળા અને લંગડાની પેલી જાણીતી બાળવાર્તામાં સહકારના

ફાયદાનું અદભુત રહસ્ય છૂપાયું છે. આંધળો અને લંગડો એમ બે મુસાફરો એક સ્થળે ભેગા

થઇ ગયા. બંનેને મુસાફરી કરવામાં તકલીફ પડતી હતી. પછી લંગડો આંધળાના ખભા ઉપર

બેસી ગયો અને એના બતાવેલા રસ્તે આંધળો ચાલવા લાગ્યો. બે અપંગો એકબીજાના

સહકારથી રસ્તો ઝડપથી કાપી શકયા.

પુણ્યથી જન્મ સુધરે,ગુણોથી જીવન સુધરે - સમાધીભાવ સાધી મરણ સુધરે,પણ દીલના

ભાવ સુધરે તો ભવોભવ સુધરે. સ્નેહના સરવાળા કરી, વેરની બાદબાકી કરવી , ગુણોના

ગુણાકાર કરી, ભુલો નો ભાગાકાર કરી જીવનને પ્રભુમય કરો, સાચી શાંતી ધર્મમાં છે.

જ્ઞાનની પરાકાષ્ટા ભકિતમાં જ છે. ભકિતથી જ પ્રભૂ સાથે અભેદણી અનુભુતિ થશે. આત્મ

વિશ્વાસ આધીને જલ્દીથી શાશ્વત સુખ મેળવશો. આગ લાકડાની રાખ કરી નાંખે એ પહેલાં

એને આગમાંથી બહાર કાઢી લો. સંસાર પુણ્યની રાખ કરી નાખે એ પહેલા પુણ્યનો વધુ ને

વધુ સદુપયોગ કરતા જ રહો. સંપત્તિને મેં પૂછયું, તારી તાકાત કેટલી ? એણે મને પર્વતનું

શિખર દેખાડયું અને સાથોસાથ ખાઇ પણ બતાવી! હું એના સંદેશાને સમજી ગયો. સદુપયોગ

કરતાં આવડે તો શિખર! દુરુપયોગ કરો તો ખાઇ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૮૩ અભિમાન

એ એક મહાન શિલ્પી હતો. એણે ઘડેલી પ્રતિમાઓ હંમેશા જીવંત લાગતી. મૃત્યુનો સમય

નજીક આવ્યો એટલે એણે યમના દૂતોને છેતરવાનો નિર્ણય કર્યો. એણે પોતાના જેવીજ સાત

મુર્તીઓ કંડારી ને એમને સુવાડીને બાજુમાં પોતે સૂઇ ગયો. યમનાં દૂતો શીલ્પીના આત્માંને

લેવા આવ્યા ત્યારે એકને બદલે આઠ શિલ્પીઓને જોઇ ભારે વિમાસણમાં પડી ગયા. બહુ

ઝીણવટથી નિરીક્ષણ કરવાં છતાં સાચો શિલ્પી ઓળખાયો નહીં, એટલે દૂતો યમરાજા પાસે

..પાછા ગયા અને તેમની સમક્ષ પોતાની મૂંઝવણ વ્યકત કરી.

યમરાજાએ એક યુકિત બતાવી. દૂત ખુશ થતાં પાછા શીલ્પીના ઘરે આવ્યા, આઠે

શિલ્પીઓની આસપાસ ફરી ફરીને મુખ્ય દૂતે મોટેથી કહ્યુંઃ શિલ્પીએ કારીગરી તો સરસ કરી

છે પણ માત્ર એક જ ભૂલ રહી ગઇ છે. ના હોય, મારી ભૂલ હોય કદી? કયાં છે બતાવો?

એમ કહીને શિલ્પી ઊભો થઇ ગયો. દૂતોએ કહ્યું : આ જ તારી ભૂલ. અને એના આત્માને

ખેંચીને લઇ ગયા. કોઇએ સાચું જ કહ્યું છેઃ અંહમ, તું જ મૃત્યુ છે. નીતિ શાસ્ત્રમાં એક

વાર્તા છે. એક રાજાના રાજયમાં એક હરિજન પાસે આંબાની કેરી નજરમાત્રથી પાડવાની

અદભુત વિધા હતી. રાજાએ એ વિધા હરિજન પાસેથી શિખવાનો આરંભ કર્યો પણ રાજાને

કેમે કરી વિધા સાધ્ય થાય જ નહીં. આખરે પેલા હરિજન ગુરુએ કહ્યુંઃ મહારાજ, આપ ગાદી

પર બેસો છો અને મને જમીન પર બેસાડો છો એથી આપને મંત્રો યાદ રહેતા નથી. રાજાને

પોતાની ભૂલ સમજાઇ. બીજા દિવસે એણે હરિજનને ગાદી પર બેસાડયો અને પોતે જમીન

પર બેઠા. તેને તરત જ મંત્રો યાદ રહી ગયા. આ રૂપકકથા એમ સૂચવે છે કે કોઇ પણ સિદ્વિ

પ્રાપ્ત કરવા માટે નમ્રતા કેળવવી જોઇએ. અંહમનો બોજો માથે લઇને ફરનાર કદી જ્ઞાન

પ્રાપ્ત કરી શકતો નથી કે નથી તો સિદ્વિના ઉન્નત શિખરે પહોંચી શકતો.તમારો અહંકાર

બીજાને કદાચ ડંખે,પણ તમારું તો પતન જ કરે

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

ચિંતા સે ચતુરાઇ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન,

ચિત્તા બડી અભાગણી, ચિંતા ચિત્તા સમાન.

અનુક્રમણિકા

વાર્તા નં : ૮૪ ચિંતા

ચિંતાનું મુખ્ય કારણ શ્રદ્વાનો અભાવ છે. આપણે જો આપણા પ્રારબ્ધમાં અને પ્રભુમાં શ્રદ્વા

રાખી શકીએ તો ચિંતા કરવાનું કારણ નથી. જે થવાનું છે તેમાં કોઇ ફેરફાર કરે એમ નથી

અને જે થવાનું નથી તે કદી થવાનું નથી . ઇશ્વર પર શ્રદ્વા નહીં રાખવાથી પણ ચિંતા થાય

છે. સદા એ યાદ રાખો કે તમે એકલા નથી, ઇશ્વર તમારી સાથે જ છે. ઇશ્વરની ઇચ્છામાં

પોતાની ઇચ્છા ભેળવી દેનાર અથવા જે થાય છે તે બધું સારા માટે થાય છે એમ માનનાર

વ્યકિત કદી ચિંતાનો શિકાર બનતો નથી.એક રાજાનો પુત્ર તલવાર લઇ રમતો હતો ત્યાં

એની આંગળી કપાઇ ગઇ. મહેલમાં દોડાદોડી મચી ગઇ. પણ રાજાના શાણા પ્રધાને કહ્યુંઃ

જે થાય તે સારા માટે .રાજાને પ્રધાન પર ગુસ્સો આવ્યો, એણે એને કાઢી મુકયો.રાજાનો

પુત્ર મોટો થયો અને એક વાર જંગલમાં શિકાર કરવા ગયો. એ પોતાના સાથીઓથી છૂટો

પડી ગયો અને જંગલી લોકોના હાથમાં સપડાઇ ગયો. જંગલવાસીઓ એને પોતાની માતા

આગળ ભોગ ધરાવવા લઇ ગયા. એનો ભોગ આપવા જતા હતા ત્યાં પૂજારીની નજર એની

કપાયેલી આંગળી પર પડી, તેણે કહ્યું આવો ખંડીત ભોગ માતાને ના ધરાવી શકાય,

અને રાજકુંવરને છોડી દેવામાં આવ્યો.

ઘેર આવી રાજકુંવરે પોતાની વિતક-કથા કહી કે તરતજ રાજાને પોતાનો શાણો પ્રધાન યાદ

આવ્યો. એની વાત સાચી પડી હતી એથી રાજાએ પ્રધાનને પાછો બોલાવી નોકરીમાં રાખ્યો,

પણ રાજા ને એક શંકા થતાં એણે પ્રધાનને કહ્યુંઃ પ્રધાનજી, મેં તમને નોકરીમાંથી કાઢી

મૂકયા એમા શું સારું થયું ગણાય? પ્રધાને કહ્યું એ પણ સારા માટે જ થયું હતું. જો હું

નોકરીમાં ચાલુ હોત તો શિકારમાં આપના પુત્રની સાથે જ ગયો હોત અને જંગલીઓ અમને

બંનેને પકડત તો મારો ભોગ આપ્યા વિના ના જ રહેત ને? આમ, જે કંઇ બને છે તે સારા

માટે જ હોય છે એમ માનનાર કદી ચિંતા કરતો નથી. આત્મ સમર્પણ કરી દેવાથી પણ

ચિંતામુકત થઇ શકાય છે. માતાના ખોળામાં સુતેેલું બાળક જેમ નિશ્ચિતપણે ઊંઘી શકે છે

એમ : પ્રભુને સર્વ સોંપીને પ્રભુનું ધાર્યુ થાવા દે;

પ્રભુની આ બદન-બંસી પ્રભુને તું બજાવા દે.

પ્રભુએ રચેલી સૃષ્ટિમાં શ્રદ્વા ધરાવતો માનવી કદી કશો ઉચાટ કરતો નથી. અંતે ચિંતાની બે

ચિંતકોએ આપેલી વ્યાખ્યા જોઇએ. એક કહે છેઃ-

ચિંતા એટલે મુસીબતની થાપણ પાકે એ પહેલા તેની પર આપણે ચૂકવેલું વ્યાજ.

બીજો કહે છેઃ-

ચિંતા એટલે આજના સૂરજને આવતીકાલના વાદળ પાછળ ઢાંકી દેવો તે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૮૫ લોભ ને થોભ નથી હોતો

એક વખત એક રાજાએ પોતાના નગરમાં જાહેરાત કરાવી કે આવતીકાલે રાજાનો જન્મદિવસ

છે. આ વર્ષ રાજા જન્મદિવસ અંત્યત ધામધૂમથી ઉજવવાને બદલે જુદી રીતે જ ઉજવવાના છે.

રાજા એ નક્કી કર્યુ છે કે, નગરના સૌ લોકોએ વહેલી સવારે સૂર્યોદય થાય ત્યારે દોડવાનું

શરૂ કરી દેવું. જે માણસ જેટલું વધુ દોડશે એટલો તેને વધુ લાભ થશે. જેટલો લાંબો માર્ગ

માણસ દોડીને કાપશે, તેટલી જમીન એને રાજા તરફથી ઇનામરુપે મળશે!

લાભ હોય ત્યાં લોભ ઝાલ્યો રહે ખરો?

શાણા માણસોએ તો સંતોષપૂર્વક થોડુંક દોડીને જરૂરીયાત જેટલી જમીન મેળવી લીધી. પણ

નગરમાં એક લોભીયો માણસ રહેતો હતો. એણે વિચાર્યુ કે આ તો રૂડી તક છે. આવી તક

કાંઇ વારંવાર મળતી નથી. આ વખતે રાજા રીઝેલા છે જેટલું દોડીએ તેટલી જમીન ભેંટમાં

આપવાના છે. તો શા માટે પૂરી શકિત કામે ના લગાડવી? એ માણસ આગળની રાત્રે પણ

નિરાંતે સૂઇ ન શકયો. કયારે ર્સૂ્યોદય થાય અને કયારે હું દોડું ?

અને પૂર્વની ક્ષિતિજે સૂર્યનું પ્રથમ કિરણ દેખાતાં જ એણે દોડવાનું શરૂ કર્યુ. મુઠ્ઠીઓ વાળીને

એ દોડયો. જોર કરીને દોડયો, ના ખાવા રોકાયો, ના પીવા! ના તો થાક ખાવા એ અટકયો!

અટકે એ ભટકે નહીં! પણ આણેતો અટકવાનું નામ જ ના લીધું. સાંજ પડી. આ માણસ

પશ્ર્ચિમની ક્ષિતિજ ઉપર નજર રાખીને લગાતાર દોડતો જ રહ્યો દોડતો જ રહ્યો . હજી

સૂરજ પૂરો ડૂબ્યો નથી.હજી થોડીક ક્ષણો બાકી છે હજી થોડું દોડી લઉં. બસ, પછી તો

આખી જીંદગી આરામથી પસાર કરવાની છે ને!અને અંતે શું બન્યું? થાક, ભૂખ, તરસથી

આક્રાત એ લોભી માણસ પછડાયો. એની છાતી ધમણની જેમ હાંફતી હતી.. તોય એની

નજર તો પશ્ચિમના સૂર્યાસ્ત તરફ જ હતી. હજી થોડીક ક્ષણો દોડવાની તક હતી. તે ઉઠયો,

ફરીથી મુઠ્ઠીઓ વાળી ફરીથી દોડવા લાગ્યો. પણ આખરે શરીર હતું ને! પગ કહ્યું કરતાં

નહોતા. ફેફસાં હાંફતાં હતાં. આખરે એક ક્ષણ એવી આવી કે આકાશમાં સૂર્યનો અસ્ત થયો

અને એજ ક્ષણે એ જ ક્ષણે પેલા લોભી માનવીના જીવનનો પણ અસ્ત થયો. એ જે જગાએ

પડયો હતો એ જ જગામાં એને દાટી દેવામાં આવ્યો!

આપણે દોડી દોડી ને કેટલું મેળવ્યું તે જોવા જેવું છે. ભૌતિક સુખોની લાલસા અને લક્ષ્મીનો

લોભ આપણને કયાં લઇ ગયો છે? લક્ષ્મીના લોભેતો આપણને લોહી તરસ્યા કરી મૂકયા

છે! માણસ શોધે છે સુખનો છાંટો, પણ એને મળે છે અતૃપ્તિનો કાંટો!

કો’ક સંતે સરસ વાત કરી છેઠ-

ગૌધન, ગજધન,રત્નધન.કંચન ખાણ સુજાણ,

જબ આવે સંતોષ ધન,તબ સબ ધન ધૂલ સમાન.

અનુક્રમણિકા

વાર્તા નં : ૮૬ પ્રણમું તમારા પાય

સંસારસમુદ્ર ને સામે કિનારે જવા માટેની શ્રેષ્ઠ નૌકા એક જ છેઃ ધર્મ. રાજગૃહીમાં ભગવાન

મહાવીર પધાર્યા છે. મહારાજા શ્રેણિક,મહાસતી ચેલણા,શ્રેષ્ઠી આનંદ અને અગણિત

માનવસમુદાય વંદનાર્થે ઊમટયો છે. મહારાજા શ્રેણિકની જિજ્ઞાસા મહાસાગર જેવી ગહન છે.

તેમણે વિનંતી કરીઃ સ્વામી, એક જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્ન મનમાં રમે છે. આપને પૂછું? શ્રમણ

ભગવાન મહાવીરે સંમતિ આપી .

રાજા શ્રેણિકે સવાલ કર્યોઃ પ્રભુ, હમણાંજ મેં એક સાધનાના અવતાર જેવા મુનિને

નિહાળ્યા. હું જયારે વંદના કરવા આવતો હતો, ત્યારે માર્ગમાં એ ઊભા હતા. એમની નજર

સૂર્યસન્મુખ હતી, બંને હસ્ત આકાશ ભણી ઊંચા હતા, એક પગ પર બીજો પગ સ્થાપ્યો

હતો, અને તેઓતો એક ધ્યાનથી કાઉસગ્ગ કરતા હતા. પ્રભુ, પ્રશ્ન એ છે કે આવી સર્વોચ્ચ

દશામાંએ મુનિ મૃત્યુ પામે હમણાંતો એ જીવ કઇ ગતિમાં જાય? સાતમી નરકમાં જાય!

હેં! શ્રેણિક રાજા સ્તબ્ધ બની ગયાઃ શું કહો છો? અત્યારે મૃત્યુ પામે તો શી ગતિ થાય?

છઠ્ઠી નરક! ઓહ! શ્રેણિકને નિરવધિ આશ્ચર્ય થતું હતું. એ પુનઃ પુનઃ પુછતા રહ્યા ,

પ્રભુ મહાવીર અનુક્રમે પાંચમીનરક,ચોથીનરક અને છેવટે દેવકક્ષા આદિ કહેતા રહ્યાં. એ

પળે, આકાશમાં દેવદુંદુભિ ગર્જી.શ્રેણિકે વળી પૂછયું,ભગવંત આ અવાજ શેનો? ભગવાન

મહાવીરે કહ્યું.જે મુનિ માટે પ્રશ્ન હતોને, તેઓને કેવળજ્ઞાન થયું છે.દેવો આનંદથી તેનાં

વધામણાં કરે છે! ઓહ! શ્રેણિકથી હવે ધૈર્યની કસોટી સહન કરી શકાય તેમ નહોતીઃ

પ્રભુ, આપ ક્ષણ પૂર્વે કહેતા હતા કે સાતમી નરક, ક્ષણ ક્ષણ પછી કહ્યું કે મુકિત! આમ કેમ

બની શકે? પર્ષદાનો અસંખ્ય ઉપસ્થિત સમુદાય પણ આ પ્રશ્નોત્તર સાંભળીને જિજ્ઞાસાતુર

બની ગયો. ભગવાન મહાવીરે પોતાની એ જ ધીરગંભીર વાણીમાં કહ્યું, ભંતે! આ વાતનું

અનુસંધાન માત્ર એ એક મુનિ છે, પણ આ વાત છે સૌની. માનવીનું મન અટપટું છે,એને

વશ રાખવું સહજ નથી.માનવીનું મન ઘડીકમાં એને મુકિતગામી બનાવી દે છે,ઘડીકમાં

નરકગામી બનાવી દે છે. મન જ મુકિત અને બંધનનું કારણ છે,ભાઇ,સાંભળ,જો સંપૂર્ણ વાત

આમ બની છે ભગવાન મહાવીરે એ ઘટના વિગતવાર સમજાવીઃ પોતનપુર

નામનું નગર છે. એ નગરના મહારાજા છે પ્રસન્નચંદ્ર એમના ભાઇનું નામ વલ્કલગિરિ. એ

કેવળજ્ઞાન પામીને મોક્ષમાં ગયા ત્યારથી પ્રસન્નચંદ્ર નિરિહભાવે રાજય કરતા હતા. એમણે

મોહનો ત્યાગ કરવા માંડયો હતો. એક દિવસ એમની નજર પડી આકાશ તરફ, આકાશમાં

મેઘધનુષની અનુપમ કળા ખીલી હતી! ક્ષણ-બે ક્ષણનો એ પ્રસંગ, મેઘધનુષ જેવું રચાયું તેવું

વિલાયું!એમને વૈરાગ્યની ભાવના થઇ. તત્ક્ષણ એમણે મંત્રીઓને બોલાવીને પોતાના બાળ

રાજકુમારને સિંહાસન પર બેસાડયો,મહારાજાપદે સ્થાપ્યો. અને, પોતાને આત્મકલ્યાણની

તમન્ના હતી એટલે સંયમ સ્વીકારીને વનના માર્ગે ચાલી નીકળ્યા. એ ઉત્તમજ્ઞાની થયા. એ

શ્રેષ્ટ તપસ્વી બન્યા.એ અનુપમ સાધક થઇ રહ્યા. અંત્યત આકરી સાધના કરતાં પ્રસન્નચંદ્ર

મુનિ રાજગૃહી પધાર્યા. એ સૂર્યની આતાપના લેતા ધ્યાનમાં મગ્ન હતા તેવી વેળાએ શ્રેણિક,

તમારી સવારી ત્યાંથી પસાર થઇ અને એમને જોયા. શ્રેણિક, તમારી સવારીમાં મોખરે હતા

બે સેવકો -એક સુમુખ - બીજો દુર્મુખ. સુમુખે પોતાના સાથી દુર્મુખને કહ્યું હતું,મિત્ર,જો

તો ખરો, આ કેવા ઉત્તમ તપસ્વી છે! રાજવૈભવ, ભોગવિલાસ અને અનંત સંપત્તિનો ત્યાગ

કરી દીધો! ધન્ય છે એમને! એ સાંભળીને દુર્મુખ ચિડાયોઃઅરે ભાઇ, મૂકને એનું નામ?

એનામાં મોટાઇનો નર્યો દંભ છે! દૂધમલ દીકરાને રાજય સોંપી દીધું, ચાલી નીકળ્યા,પણ

અત્યારે પોતનપુર ઉપર કોઇ સૈન્ય ચઢી આવ્યું છે,પ્રજાની પરેશાનીનો પાર નથી,અને બાળ

રાજા હણાવાની તૈયારીમાં છે! ભંતે, એ શબ્દો પ્રસન્નચંદ્ર મુનિના કર્ણદ્વાર સાથે અથડાયા!

અને એ વિચલિત થઇ ગયા. એમના અંતરમાં મોહ જાગી ગયો-પુત્રમોહ! એમણે મનોમન

યુદ્વ કરવા માંડયું! વૈરાગ્યની મુદ્રા વીસરી ગયા એ. ચિત્તને રણસંગ્રામ બનાવી દીધું ને વિચાર

જ એમના હથિયાર બની ગયા! મનમાં કેટલાયની કતલ કરી નાંખી!એ ઘડી ને એ પળ,

પાપનું સર્જન થવા માંડયુ.જો તે પળે મૃત્યુ પામેતો સાતમી નરકમાંજ જાય તેવી એ ક્ષણહતી.

કિન્તુ,એ તો જ્ઞાનીનો મનોસંસાર!મનથી જ યુદ્ધ કરતા હતાં તેમાં શસ્ત્રો ખૂટયાં.છેલ્લાશસ્ત્ર

શસ્ત્ર તરીકે શિરસ્ત્રાણ લેવા ગયા ત્યાં પોતાના મૂંડિત મસ્તક પર હાથ પ્રસર્યો.અનેપછી

વૈરાગ્યદશા આવી ગઇ! એમને થયુંઃ રે! આ મેં શું માંડયું છે! કોના છોરૂં ને કોનાં વાછરું,

કોના તે મા ને બાપ! મેં આ શું કર્યું? આ જગતમાં કશુંય મારુ છે જ કયાં? ન કોઇ પિતા છે,

ન કોઇ પુત્ર.જયાં મારો દેહ જ મારો નથી, ત્યાં રાજય તો મારું હોય જ કયાંથી? અરેરે!મેં

મનોમન કેવી કતલ કરી, કેવી અને કેટલી હત્યાઓ કરી! ઓહ,મારું શું થશે?એમનો

પશ્ચાતાપ તીવ્ર બનવા લાગ્યો. એમનું અંતર પશ્ચાતાપના પાવક અગ્નિમાં શુદ્વ થવા લાગ્યું,

આ તો ક્ષણના ખેલ હોય છે.બીજી ક્ષણે પશ્ચાતાપથી પરિશુદ્વ થઇ ગયા એ. એમનો આત્મા

કેવળજ્ઞાન પામ્યો. મહારાજા શ્રેણિકે હાથ જોડયાઃ પ્રભુ! આપની વાણી સત્ય છે,પ્રભુ!મન

જ માનવીને પરિભ્રમણ કરાવે છે - વાસનાના અને વાંછનાના ગુમરાહે ચઢાવે છે!

અનુક્રમણિકા

વાર્તા નં : ૮૭ પૂર્ણ હૃદયથી આપો

(અમી છાંટણાં-ભાગ -૧ શ્રી કૌશિકભાઇ ઠાકોર સંકલિતમાંથી ) એક દિવસ નિશાળે જતાં

જતાં, ઘર ઘરની વસ્તુઓ વેંચતા એક ગરીબ વિર્દ્યાર્થીને ખબર પડી કે તેની પાસે માત્ર દસ

સેંટનો સિક્કો જ છે અને તેને ખૂબ ભૂખ લાગી છે. તેણે વિચાર્યું કે હવે પછીના ઘરે તે ભોજન

માંગશે. પણ જયારે એક સુંદર યુવતીએ બારણું ખોલ્યું ત્યારે તે ભાન ભૂલી ગયો અને

ભોજનને બદલે તેણે પાણી માંગ્યું. પેલી યુવતી ને લાગ્યું કે તે ભૂખ્યો છે એટલે મોટો ગ્લાસ

ભરીને દૂધ તે લાવી, પેલા છોકરાએ ધીમે ધીમે તે દૂધ ગટગટાવ્યું અને પછી પૂછયું. મારે

કેટલા પૈસા આપવાના છે?એકેય પૈસો નહીં!યુવતીએ ઉત્તર આપ્યો અને ઉમેર્યું દયા

દર્શાવવા બદલ એક પૈસો કયારેય લેવાની મા એ ના પાડી છે. પેલા છોકરાએ કહ્યું,તોે હું

અંતરથી તમારો આભાર માનું છું. તે ઘર છોડયા પછી હાવર્ડ કેલીને લાગ્યું કે તે માત્ર

શારીરિક શકિત અનુભવતો નથી પણ માણસ અને ઇશ્વરમાં તેની શ્રદ્વા બળવાન બની છે.

વર્ષો પછી પેલી યુવતી ગંભીર માંદગીમાં સપડાઇ. સ્થાનિક ડોકટરો મૂંઝાઇ ગયા. તેમણે

તેને મોટા શહેરમાં મોકલી. ત્યાં તેમણે નિષ્ણાતોને તેના આવા અપવાદરુપ રોગનું નિદાન

કરવા બોલાવ્યા. ડો. હાવર્ડ કેલીને પણ બોલાવ્યા. જયારે તેમણે જે ગામમાંથી આવી હતી તે

ગામનું નામ સાંભળ્યું અને તેમના મનમાં અચાનક પ્રકાશ થયો. સત્વરે ઊભા થઇ તે તેના

ઓરડામાં ડોકટરનો ગાઉન પહેરીને ગયા. તે તરત તેને ઓળખી ગયા. પછી પોતાના

કન્સલટેશન રૂમમાં પાછા ફરી તે સ્ત્રીની જીંદગી બચાવવા જે કરવું પડે તે કરવાનેા તેમણે

નિર્ણય કર્યો. તે દિવસથી તેમણે આ કેસ પર ખાસ ધ્યાન આપવા માંડયું. લાંબા સંઘર્ષ પછી

યુદ્વ જીતાયું. ડો.કેલીએ આખરી બીલ પોતાની સંમતિ માટે મોકલવાની વિનંતી કરી. તેમણે

તે જોઇ તેને છેડે કંઇક લખી પેલી યુવતીના કમરામાં પાછું મોકલ્યું. યુવતીએ તે ખોલ્યું અને

તેનું ધ્યાન બીલને છેડે હતું. તેણે આ શબ્દો વાંચ્યાઃ દૂધના એક ગ્લાસથી સંપૂર્ણ બીલ

ચૂકવાઇ ગયુ છે. ડો. હાવર્ડ કેલી . તેની આંખોમાં આંસુ ના પૂર આવ્યાં. તેના પ્રસન્ન

હૃદયે પ્રાર્થના કરી, ઇશ્વર તારો આભાર. માનવ હૃદયો અને હાથો દ્વારા તારો પ્રેમ સર્વત્ર

પ્રસર્યો છે.

ઘસવા છતાં સુખડ જુવો સુવાસ ને છોડે નહિ,

પીલાય તોયે શેરડી મીઠાશને છોડે નહિ,

સુવર્ણ બળે અગ્નિમાં ચળકાટ ને છોડે નહિ,

તેમ આપત્તિમાં સજજનો સિદ્ધાંતને છોડે નહિ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૮૮ સાચી ઋણમુકિત

ભાવનગર સ્ટેટના એક જમાનાના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી ખૂબ જ પ્રખ્યાત બની ગયા

હતા.તેમની વાતો ચોટે ચર્ચાતી હતી.એક દિવસ ઓફીસમાં કામ કરી રહ્યા હતા ત્યારે

પટાવાળાએ આવીને કહ્યુંઃ સાહેબ, કોઇ તમને મળવા આવ્યું છે.પટ્ટણી સાહેબે તેને અંદર

લાવવાનો હુકમ કર્યો. પેલો માણસ અંદર આવ્યો અને દીવાન સાહેબના પગે પડી ગયો. પછી

ગળગળા સ્વરે બોલ્યોઃ સાહેબ, તમે મને ઓળખ્યો નથી, પરંતુ એક દિવસે હું તમારી પાસે

આવ્યો હતો અને મારી દુર્દશા વર્ણવી હતી. મારે આગળ અભ્યાસ કરવો હતો,પરંતુ મારી

સ્થિતિ ખૂબ ગરીબ હતી. તે વખતે તમે મને મદદ કરી હતી. આજે હું જે કાંઇ પણ છું તેતમારા

લીધે જ છું. સાહેબ આજે હું ઋણમુકત થવા આવ્યો છું.લ્યો આ સાત હજાર રૂપીયા.દીવાન

સાહેબ થોડી વાર વિચારમાં પડી ગયા.પછી મૃદુ સ્વરે બોલ્યાઃ ભાઇ, મે તમને મદદ કરી હશે

તો મને તેની કોઇ સ્મૃતિ નથી,પરંતુ તમે ભણ્યા-ગણ્યા અને આગળ વધ્યા તે જાણી ને મને

હર્ષ ઉપજે છે, પરંતુ તમે ઋણમુકિતની વાત કરી તે મને પસંદ ન પડી. ઋણમાંથી મુકત થઇ

જ ન શકાય.મા-બાપ તમને પાળી-પોષીને મોટા કરે અને પછી વૃદ્ધ થઇ જાય ત્યારેતમેતેમના

ઋણમાંથી મુકત થવા કેટલી રકમ ચૂકવશો? મિત્રે તમને કયારેય મદદ કરી હોય તો તે ઋણ

માત્ર પૈસાથી જ ચૂકવી શકાય?લ્યો, આ તમારા રૂપીયા અને જીવનમાં કોઇ ગરીબ વિધાર્થીની

જિંદગી સુધારજો.

પહેલાના જમાનામાં મા-બાપ દીકરી ને સાસરે વળાવે ત્યારે શીખવાડીને મોકલે કે પતિના

પુણ્યથી જેે મળે તેમાં ઘર ચલાવજે. પતિ જે લાવે તેમાં સંતોષથી જીવજે. કયારેય મોટી અપેક્ષા

રાખતી નહીં અને પતિના ગજા બહારની માંગણી, ડિમાંન્ડ કરતી નહીં. પતિના હિતની રોજ

ચિંતા કરજે.દીકરી પણ પરણીને સાસરે જાય ત્યારે પતિને કહે મારી ખાતર વધારે મહેનત

મજૂરી કરતાં નહીં તમે આખો દિવસ મહેનત મજૂરી કરીને હાડકાં-પાંસળા એક કરીને રાત્રે

ઘરે આવો તે મારાથી સહન નહીં થાય, જે મળે તેમાં સંતોષથી જીવીશું, અમારા માટે કાંઇ

ખોટું પણ કરતા નહીં તમે ખોટું કરીને જે લાવશો તે ભોગવશે બધા અને પાપ તમારે

એકલાને ભોગવવું પડશે,દુર્ગતિમાં જવું પડશે. અમારા કારણે તમે દુર્ગતિમાં જાઓ તે

અમારાથી સહન નહીં થાય. જે હશે તેમાં સંતોષપૂર્વક મજેથી જીવશું. આ અગાઉની કેળવણી

હતી. આજે પરિસ્થિતિ હજી ગંભીર બની ગઇ છે. હવે પત્નીને કોઇપણ હિસાબે બધું જોઇએ

એટલે જોઇએ. તમે ચોરી કરો કે ઉધાર વ્યાજે રૂપીયા લો તેની ઇચ્છા મુજબ ન થાય તો આવી

બન્યું. ઘરની શાંતી - અશાંતી બની જાય. તમારું જે થવું હોય તે થાય પણ એની ઇચ્છા પૂરી

કરવી પડે. આ આજની નારી નું રૂપ છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૮૯ બોધ આપવાનો મહાન માર્ગ કયો

એક નાનો, ક્રોધી સ્વભાવનો છોકરો હતો. તેના બાપે તેને ખીલા ભરેલું ખોખું આપી કહ્યું,

જયારે જયારે તને ગુસ્સો આવે ત્યારે ત્યારે વાડની પાછળ એક ખીલો ઠોકવો.પહેલે

દિવસે છોકરાએ વાડમાં ૩૭ ખીલા ઠોકયા, અઠવાડિયા પછી જેમ જેમ તેનો ગુસ્સો કાબૂમાં

આવતો ગયો તેમ તેમ ખીલાઓની સંખ્યા ઓછી થતી ગઇ. તેને ભાન થયું કે વાડમાં ખીલા

ઠોકવા કરતાં ગુસ્સો કાબૂમાં રાખવાનું કામ સહેલું છે.છેવટે એક એવો દિવસ આવ્યો કે

જયારે તેણે લગીરપણ ગુસ્સો ના કર્યો. તેણે પોતાના બાપને આ વાત કહી. બાપે કહ્યું જે

દિવસે ગુસ્સો કાબૂમાં રાખી શકે તે દિવસથી રોજ એક ખીલો ઊખેડવાનું સૂચન કયુર્ં.

દિવસો વીતતા ગયા અને એક દિવસ દીકરો બાપને કહી શકયો કે બધા ખીલા ઊખડી ગયા

છે. બાપ તેનો હાથ ઝાલી વાડ પાસે લઇ ગયો. તેણે કહ્યું, દીકરા, તે કામતો સારું કર્યુ

પણ આ વાડમાંના છિદ્વોને જો-વાડ એવી ને એવી કયારેય નહીં રહે. જયારે તમે ક્રોધમાં કહીં

કહો છો ત્યારે તે ઘાનો જખમ કરે છે. માણસમાં ચાકુ ખોસીને તમે પાછું બહાર કાઢી શકો.

હું દીલગીર છું એ તમે કેટલીવાર બોલ્યા તે મહત્વનું નથી, ઘા તો રહે જ. વાણીનો ઘા

પણ શારીરિકઘા જેટલો ખરાબ છે. મિત્રો સાચે જ અમૂલ્ય રત્નો છે.તેઓ તમને હસાવે છે

અને સફળતા માટેનું પ્રોત્સાહન આપે છે. તે તમને સાંભળે છે, વખાણના શબ્દોને તેઓ

વહેંચે છે અને તેઓ સદાય તેમનું અંતર તમારી સમક્ષ ખોલવા માંગે છે. સફળ જીવન માટે

સારા મિત્રો હોવા ખુબ જ જરુરી છે. નાનપણમાં મિત્રતા સહેલાઇથી થાય છે.મોટી ઉમ્રમાં

મિત્રો સહેલાઇથી બનતાં નથી. એટલે બાળપણની મૈત્રી ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે.

મારા વહાલા મિત્રોદિલની દીવાલમાં અજાણપણે મારાથી કયારેય કટુ શબ્દોનો

ખીલો મરાઇ ગયો હોય તો મને માફ કરજો.

છે શકયતા તુજમાં ઘણી પણ યોગ્યતા મુજમાં નથી

છે દિવ્યતા તુજમાં ઘણી પણ ભવ્યતા મુજમાં નથી

છે ધૈર્યતા તુજમાં ઘણી પણ નમ્રતા મુજમાં નથી

તેથી જ આ સંસારમાં રખડી રહ્યો છું નાથજી.

જેનામાં સંયમની સુવાસ અને બ્રહ્મચર્યની શોભા છે,

તેને અન્ય અલંકારની આવશ્યકતા નથી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૯૦ આલોયણા

સંવત્સરી દિને એકએક જૈને આલોયણા કરી હશે. આલોયણા ત્યારે જ સાર્થક બને છે જયારે

એક ને એક પાપ ફરી ન થાય. આલોયણાનો વિકૃત અર્થ એ ન કરવો જોઇએ કે-ઠીક છે;

પાપ કરવામાં વાંધો નથી; સંવત્સરી દિને આલોયણા લઇ લેશુ! સંવત્સરી આવ્યે તે ને તે પાપ

માટે ફરી માફી માંગવી; અને પાછા તે ને તે જ માર્ગે! રજ સરખો પણ ફેરફાર નહીં! રજ

સરખૂં પણ પરિવર્તન નહીં!આ રીતે તો આપણે આલોયણા વર્ષો થયા સાંભળીએ છીએ,

કરીએ છીએ; પરન્તુ તેટલું પર્યાપ્ત નથીઃ થયેલ પાપનું પ્રાયશ્ચિત લીધા બાદ, તે ને તે પાપ

ફરી ન કરવામાં આવે તો જ આપણે દુષ્કૃત્યોમાંથી હળવા થઇ શકીએ અને સુકૃત્યો કરતાં

થઇએ; ખોટા માર્ગેથી પાછા વળી શકીએ અને સમ્યગ માર્ગે આગળ વધી શકીએ.

એક શેઠને ત્રણ દીકરા હતાઃ સવાઇમલ, પૂરણમલ અને પોણમલ. જયારે કોઇ પાસે થી માલ

વેંચાતો લેવાનો હોય, ત્યારે શેઠ પોતાના દીકરા સવાઇમલને બોલાવતા અને માલ જોખવાનું

કહેતા; સવાઇમલનો જોખ હંમેશા શેરનો સવાશેર થતો. જયારે કોઇને માલ દેવાનો હોય

ત્યારે શેઠ પોણમલને બોલાવતા.તેને હાથે હંમેશા શેરનું પોણાશેર જ જોખાતું! જયારે

સરકારી ખાતામાં માલ આપવાનો હોય ત્યારે શેઠ પૂરણમલ હસ્તક માલ જોખાવતા;

પૂરણમલને હાથે બરોબર જોખ થતો-શેર નો શેર જ ઉતરતો.આ રીતે શેઠ પાતાનો વેપાર

ચલાવ્યે જતા હતાં. તેમને મન આ બધું સાહજિક હતું. દુનિયાદારીના વ્યવહાર પ્રમાણેનું

હતું.

એકવાર ચાર્તુમાસ દરમ્યાન વિવ્દ્વાન અને પ્રતિભા સમપન્ન સાધુજીનો જોગ હતો,પરંતુ

શેઠજીએ પોતાના ધંધામાં શેરનું સવાશેર લેવામાં અને પોણોશેર દેવામાંથી ફુરસદ જ મળતી

ન હતી. તે કદી ઉપાશ્રયે જતા ન હતા કે આવા મુનિરાજનો અમૂલ્ય લાભ લેતા ન હતા.

ધર્મ ત્રણ પ્રકારે થાય છે - લાજે, દાઝે અને ખાજે; કેટલાકને ધર્મ પ્રતિ ખરેખર શ્રદ્વા હોય

અને તેની આરાધના કરતાં હોય; ધર્મ સ્થાનકે જતા હોય; પૂ.સાધુ-સાધ્વીજીઓના દર્શન અને

વ્યાખ્યાન શ્રવણનો લાભ લેતા હોય અને તેમના ઉપદેશ મુજબ જીવનનું ઘડતર કરતા હોય

છે. કેટલાક લાજ શરમે કરે છે. કોઇ દિવસ ઉપાશ્રયે ન જનાર પણ વર્ષમાં એકવાર -સંવત્સરી

ને દિવસે લાજે-શરમે ઉપાશ્રયે જાય છે; કેટલાક લાભે લોભે ધર્મ કરે છે. ઠીક છે - આજે

ઉપવાસ કે પોષો કરનારને લ્હાણું દેવાનું છે. માટે કરી નાંખો ઉપવાસ-પોષો, આ લાલચે

પણ ધર્મ આરાધના-તપશ્ચર્યા કરે છે.શેઠને ધર્મમાં શ્રદ્ધા ન હોતી . પરંતુ સંવત્સરીને દિવસે

તો જૈને -શ્રાવકના દીકરાએ ઉપાશ્રયે જવું જોઇએ, આલોયણા સાંભળવી જ જોઇએ અને

સંવત્સરી પ્રતિકમણ પણ કરવું જ જોઇએ; એમ સમજીને શેઠ ચડયા ઉપાશ્રયના પગથીએ,

પોતાના ત્રણે દીકરાઓને પણ સાથે લીધા.

મહારાજશ્રીએ પોતાની અસરકારક શૈલીમાં વર્ષ દરમ્યાન થયેલા પાપોની આલોયણા

કરાવવા માંડી; તેમાં બીજા વ્રતના અતિચાર આવ્યાઃ ખોટા તોલ માપ વાપર્યા હોય, ઓછું

આપ્યું હોય,એક માલ બતાવીને બીજો માલ આપ્યો હોય વગેરે તોતસ્સ મિચ્છામિદુક્કડં.

શેઠ છોકરાઓ પ્રતિ અને છોકરાઓ શેઠ પ્રતિ જોવા લાગ્યા. બે હાથ જોડીને સૌએ તસ્સ

મિચ્છામિદુક્કડંકહ્યું ; આજ સુધીમાં થયેલ પાપોમાંથી મુકિત મળી ગયાનો સૌએ સંતોષ

અનુભવ્યો.

બીજે દિવસે સૌ પોતપોતાના દેનિક જીવનની ગડમથલમાં પડી ગયા; માલ લેવાનો હતો,

એટલે શેઠે પોતાના દીકરા સવાઇમલને બોલાવ્યો; સવાઇમલે સવાયા તોલ ન લીધા. પરન્તુ

પૂરા તોલ લીધા; શેઠ વિચારમાં પડી ગયા.માલ લેવાનું કાર્ય પતિ ગયા પછી શેઠે પૂછયું,

સવાઇમલઃતે આમ કેમ કર્યુ?આપણીપદ્ધતિમાં ફેરફાર કેમ કર્યો?સવાઇમલેકહ્યું,પિતાજીહજુ

આપણે કાલેજ મહારાજશ્રી પાસેથી કરેલા પાપોનું પ્રાયશ્ચિત લીધું છે;ખોટા તોલમાપ

વાપર્યાનું; પછી હવે ફરીથી તે ને તે પાપ કરવાનું પ્રાયશ્ચિત લીધાને બીજે દિવસથી શરૂ કરી

દઇએ? તે વ્યાજબી છે?શેઠ તાડુકયા.પ્રાયશ્ચિત મેં પણ કયાં નથી લીધું?વર્ષ દરમ્યાન કરેલા

પાપોનું પ્રાયશ્ચિત ગઇકાલે લેવાય ગયું, પરન્તુ તેનું હવે આજે શું છે? હવે નવેસરથી ખાતા

ખોલવાના રહ્યા.આવતા વર્ષે ફરી પ્રાયશ્ચિત લઇ લઇશું.પિતાજી,એ કેમ બને?મહારાજશ્રીએ

અંતમાં ચોખવટ કરેલી તે મારા હૃદયમાં બરાબર ઉતરી ગઇ છે. તેઓએ કહેલું કેપાપમાંથી

મુકિત ત્યારે જ મળે કે જયારે તે ને તે પાપ ફરીથી ન થાય. તેને તે ફરીથી થયા કરે તો તે

વજ્રલેપ સમાન બની જાય છે. પૂ. મુનિરાજના કહેવા મુજબ આપણને આપણે કરેલ પાપો

માંથી મુકિત ત્યારે જ મળે,જયારે આપણે હવેથી ખોટા તોલ અને માપ વાપરવાનું મૂકીદઇએ.

શેઠને થયું કે કુમળા મગજના છોકરાવને ઉપાશ્રયે તેડી ગયો તે જ મારી ભૂલ થઇ છે. શેઠે

વાત ટુંકાવી, રાત્રે હું તને નિરાંતે સમજાવીશ.માલ દેવાનો હતો ત્યારે શેઠે પોતાના દીકરા

પોરમલને બોલાવ્યો. તેણે પણ સવાઇમલ મુજબ જ વર્તન કર્યું. પોણો શેર લેવાને બદલે

પૂરા તોલ લીધા; શેઠે પૂછયું, ત્યારે તેણે પણ સવાઇમલ જેવોજ ખુલાસો કર્યો. દિવસ

દરમ્યાન માલ લેવામાં અને દેવામાં શેરનું શેર જ દેવાયું - લેવાયું.રાત્રે શેઠે પોતાના ત્રણે

દીકરાઓને એકાંતમાં બોલાવ્યા અને તેમને સમજાવવા માંડયાઃ જુઓ,હજુ તમે બાળકછો,

તમને દુનિયાદારીનું ભાન નથી.મહારાજશ્રીતો બાવા બન્યા છે અને બધાને બાવા બનાવવા

માંગેછે. પરન્તુ આપણે તે કહેે તેમ કરીએ તો આપણો વ્યવહાર કેમ ચાલે? શેરનું શેર જ

આપીએ અને શેર જ લઇએ તો તેમાં ઘરનું ખર્ચ કેમ નીકળે? લગ્નના અને અન્ય વ્યવહારિક

ખર્ચા કેમ નીકળે? આપણું નામ મોટું રહ્યું,એટલે દર વર્ષે ફંડ ફાળામાં પણ સારી એવી રકમ

આપવી પડે છે.આ બધાનો મહારાજશ્રીએ થોડો વિચાર કરવાનો છે? માટે મહારાજશ્રી તો

ઉપદેશ આપ્યા કરે, તે તેનું કામ છે. પરન્તુ આપણે કરતાં હોય તેમ કરીએ.સમજયા?છોકરા

ઓએ પિતાની વાત શાંતિથી સાંભળી અને પછી કહ્યું-બાપુજી,અત્યાર સુધી અમે જે કયુર્ં

તેનો અમોને પસ્તાવો થાય છે. હવે અમે તે મુજબ કરી શકશું નહીં. અમે તો શેરનું શેર જ

લેવાના અને શેરનું શેર જ દેવાના. શેઠે આખરે કંટાળીને કહ્યું-ત્યારે રંગ છે મને ને? મારી

છાતીને ધન્ય છે ને?આજે ૫૦ - ૫૦ વર્ષ થયા દર વર્ષે આલોયણા સાંભળું છું. છતાં મને

જરા પણ અસર થઇ નથી અને તમે એક વખત આલોયણા સાંભળી ત્યાં પીગળી ગયા?ખેર!

તમે ય હવે મોટા થયા છો, એટલે તમોને વધુુ કહી શકાય નહીં; તમારે જે પ્રમાણે કરવું હોય

તે પ્રમાણે કરો, પરન્તુ લખી નાંખજો કે એ માર્ગે બે પૈસા એકઠા નહીં થાય અને સમાજમાં

તમારું આગળ પડતું સ્થાન છે તે નહીં રહે.છોકરાવ તો પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા.તેઓ

એ ભારપૂર્વક કહ્યું,શ્રીમંત બનવાનો આ જ માર્ગ હોય તો આ માર્ગે અમારે શ્રીમંત થવું નથી.

પ્રમાણીકપણે રોટલો રળતાં જે દાળ રાટલી મળશે તે ખાઇશું અને સંતોષથી જીવીશું.તેલ

પીધેલ ઘડો હોય અને તેમાં પાણી નાંખવામાં આવે તો ઘડાને પાણી અડશે નહીં તેમ ઘણાં

એવા ભારે કર્મી આત્માઓ હોય છે કે તેમને સત્સંગી કે ઉપદેશની કંઇ અસર થતી નથી; તેથી

ઉલ્ટું નવો ઘડો હોય તેમાં પાણી નાંખવામાં આવે તો નવો ઘડો પાણી પી જાય છે; તેમ ઘણાં

એવા હળુકર્મી હોય છે, કે તેમને ઉપદેશની કે સત્સંગની તરત જ અસર થઇ જાય છે.સમાજમાં

શેઠ જેવી આલોયણા કરનારની સંખ્યા વધુ હશે અને શેઠના દીકરાઓ જેવી આલોયણા

કરનારની સંખ્યા અલ્પ હશે. શેઠના દીકરાઓ જેવી આલોયણા કરનારની સંખ્યા વધશે ત્યારે

જૈન ધર્મનો પ્રભાવ વ્યાપક બની શકશે.જૈનધર્મનું તેજ વિશ્વભરમાં ફેલાશે.મારે તમને ફરીથી

કહેવું છે કે,જીંદગી આમ ગટરમાં વહાવી ન દો. વહી જતી જીંદગીનો સદુપયોગ કરી લો અને

સહુ પ્રથમ ર્કા્ય હવે ઇચ્છાઓને રોકવાનું અને અપેક્ષાઓને ઘટાડવાનું ચાલુ કરો.આજ સુધી

બધું જોઇએ,જોઇએનો નારો લઇને રખડયા. હવે બોલો કે ઓછું જોઇએ,કશું ન જોઇએ. જે

મળે તેમાંથી ચલાવી લઇશું. જો તમે આવી રીતે જીવવા મંડોતો સુખ તમારા ચરણોમાં

આળોટતું હશે. ઇચ્છાઓ,અપેક્ષાઓ અને આંકાક્ષાઓને ઘટાડવા મંડો. રોજ સવાર પડે અને

આજે શાના વગર ચાલી શકશે તેનું પ્લાનીંગ કરો.અપેક્ષા કયારેય રાખશો નહીં. આવેશમાં

આવશો નહીં. અધીરા કયારેય બનશો નહીં.. ત્રણેય દુઃખ આપનારા છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૯૧ વાદળ આકાશ માં નથી, મનમાં છે

હંમેશા સફરમાં રહેતા એક ધર્મગુરુ એક ગામમાં ધાર્મિક વ્યાખ્યાનોે આપતાં હતા. પાંચ છ

દિવસ પછી તેમને સાંભળવા આવતા શ્રોતાવૃંદમાં સતત વધારો થતો રહ્યો પણ વ્યાખ્યાનને

અંતે તેની પોથી પર દક્ષિણા સાવ નજીવી જ એકઠી થતી.

એકવાર એ વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યાં કોઇકે આવી શ્રોતાઓને કહ્યું બુબલીન (પોલેન્ડ

નું એક શહર) ના મહાન સંત આવ્યા છે.સાંભળતાજ એક પછી એક શ્રોતા ઊભા થઇ

બુબલીન સંતના ઉતારા પર જવા માંડયાં. થોડી વાર પછીતો ધર્મગુરુ સાવ એકલાજ રહી

ગયા. એમને થયું ચાલ જીવ, હું ય જઇનેઆ સંતને સાંભળુ. અહીં એકલા બેસી ને શું કરીશ?

એ ધર્મગુરુ ગયા, બુબલીન સંત તો અવધૂતની જેમ બેઠા હતા, ભાવિકો તેમની આગળ ભેંટ

ધરી રહ્યા હતા, જે શ્રોતાઓ રોજ પોતાને સાંભળવા આવતા અને પોથી પર કશું જ મૂકયા

વિના ચાલી જતા એ જ શ્રોતાઓ અહીં આ સંતના ચરણોમાં સોના અને ચાંદીના સિક્કા મૂકી

રહ્યા હતાં.

બધા વિખેરાયા પછી ધર્મગુરુ સંત પાસે ગયા અને પૂછયું બધા તમારા જેવા સંતનો આદર

કરે તેની તો નવાઇ નથી, પણ એક વાત મને સમજાતી નથી.. શું? સંતે પૂછયું. આ એજ

માણસો મારા વ્યાખ્યાનમાં એક ફૂટી કોડી પણ પોથી પર ધરતા ન હતાં. અહીં એ બધા જ

સોના રૂપાના સિક્કા મૂકીને ગયા. આટલા દિવસોમાં મને કંઇ ન મળ્યું અને એક કલાકમાં

આ ગામે તમને માલામાલ કરી દીધા. આમ કેમ?સંતે કહ્યું જો ભાઇ આનું કારણ જુદું છે.

આપણા મનમાં જે હોય તે સામાના મનમાં ઉગે. એ કઇ રીતે? ધર્મગુરુને સમજાયું નહી.

એ વાત પછી કરું. પહેલા તો તમે આ બધા પૈસા લઇ લો. તેની તમને જરૂર છે. પેલા

ધર્મગુરુએ તો એકએક સિક્કો વીણી લીધો પછી પૂછયું પણ તમે વાતતો અધૂરી રાખી . પણ

તમે પૂરી કરીને? મેં? હા - મેં તમને સમજાવ્યું કે આપણા મનમાં જે હોયતે સામી વ્યકિતના

મનમાં ઉગાડી શકીએ. મારા મનમાં અપરિગ્રહ છે. મને કઇં જોઇતું નથી તો બધાને પોતાનું

જે કંઇ હોય તે મૂકતા જવાનું મન થાય છે. તેમના મનમાં પણ અપરિગ્રહ નો પડઘોે પડે છે,

પણ તમારા મનમાં પરિગ્રહ છે. તને કંઇક જોઇએ છે એટલે તમારા શ્રોતાઓના મનમાં

પરિગ્રહ જગાડે છે. એ પૈસા આપવાને બદલે સંઘરે છે.

આપણા મનમાં જે લાગણી હોય એ જ આપણે બીજાના મનમાં જગાડી શકીએ, સવાલ એ છે

કે આપણી લાગણીની દઢતા આપણે કેળવી છે? મનનું આ વાદળું ખરેખર આકાશમાં નથી.

માણસના મન માં છે. મનમાં ઊગેલા વાદળાં સૂરજને ઢાંકી દે એ તો આપણે ઇચ્છીએ તો જ

બને. તમે હીરાને ખિસ્સામાં સંતાડીને રાખો ત્યાં સુધી એ પ્રગટ નથી થતાં. એને આંગળીની

વીંટીમાં મઢીએ એટલે ઝળહળી ઊઠે છે.

અનુક્રમણિકા

વાર્તા નં :૯૨ પારસમણિ

પ્રકાશ ની કેડીમાં વાંચેલો આ પ્રસંગ હૃદયને સ્પર્શી જશે.પારસમણિ વિષે કિવદતીઓતો ઘણી

સાંભળી હશે,પરંતુ પૃથ્વીના પટ ઉપર સાક્ષાત પારસમણિ મળવો મુશ્કેલ છે.ધર્મવીરશેઠજેટલા

ં ધાર્મિક હતા તેટલા આધ્યાત્મિક પણ હતાં. તેમણે જીવનની ધૂપછાંવ બરોબર પચાવી હતી.

એક સમયેકરોડોના માલિક હતાં.તોએક સમયે રોડપતિ પણ બની ગયા હતાં. ફરીનસીબેયારી

આપી અને ફરી જીવનનો સુુવર્ણયુગ શરૂ થયો. તેમણે એક રહસ્ય પચાવી લીધું હતું કે, ઇશ્વર

જો ખોબાભરીને આપે તો ચપટી ભરીને બીજાને આપતાં સંકોચ રાખવો જોઇઅ નહીં..મળેલું

માત્ર એકઠું કર્યા કરવાથી નિરર્થક ઢગલા થશે અને છેવટે બોજ બની જશે. આપનારને કશું

ગુમાવવાનું હોતું નથી .જે થોડામાંથી થોડું આપે તે પારસમણિ છે.

ધર્મવીર શેઠને ધીમે ધીમે ચોતરફ બધા પારસમણિ કહેવા લાગ્યા.આ વાત એક ગરીબ

ડોશીના કાને પડી. તેણે સાચેસાચ માની લીધું કે, શેઠને લોખંડ સ્પર્શે તો તે સોનું થઇ જાય

છે. આ ડોશી બહુ જ દુઃખી હતી, તેણે બે જવાનજોધ પુત્ર ગુમાવી દીધાં હતાં, ત્રીજા પુત્રને

જીવલેણ બીમારી લાગુ પડી ચૂકી હતી. એક સાંધે ત્યાં તેર તૂટતાં હતાં. છેવટે તેણે વિચારી

લીધું કે શેઠની પરીક્ષા કરી લેવી. તેણે એક લોંખડનો ટુકડો શોધી કાઢયો અને પહોંચી ગઇ

શેઠની હવેલીએ. શેઠના દરવાજા બધા માટે કાયમ માટે ખુલ્લા રહેતા હતાં.

ડોશીએ શેઠને વિનંતી કરીઃ મને આ લોખંડનો ટુકડો તમારા શરીરને અડાડવા દો. તે સોનું

થઇ જશે તો હું મારા બીમાર દીકરાની સારવાર કરી શકું. શેઠે કહ્યુંઃ માજી જો કોઇના શરીર

ને સ્પર્શ કરાવવાથી લોખંડ સોનું બની જતું હોત તો હું આ પૃથ્વીનોે સૌથી ધનિક માણસ

બની ચૂકયો હોત . તમારી મુશ્કેલી મારી મુશકેલી બની ચૂકી છે.લાવો તમારો લોખંડનો

ટુકડો. હું તેને સોનુ બનાવી આપું. અને પોતાના મહેતાજીને લોખંડનો ટુકડો તોલવાનું કહ્યું

બરોબર ૨૫ તોલા થયો.શેઠે હુકમ કર્યો કે લોખંડના ટુકડાના વજન બરાબર સોનું ડોશીમાં

ને આપો. ડોશી તો રાજીના રેડ થઇ ગયાં.શેઠ તો સાક્ષાત પારસમણિ નીકળ્યા.

શેઠ પ્રભુ મહાવીરના આદર્શ ને અનુસરતા હતા.અલ્પમાંથી અલ્પ આપો, પણ આપો જરૂર.

જયારે પાત્ર પાણીથી ઊભરાઇ જાય છે ત્યારે તે નીચે ઢોળાઇ જાય છે. વાદળોમાં જળભંડાર

જયારે વધુ પડતો બોજ બની જાય છે ત્યારે તે વરસી પડે છે. નદી જયારે પૂરગ્રસ્ત બને છે

ત્યારે બંને કાંઠા ઊભરાવા લાગે છે. આમવૃક્ષ કેરીથી લદબદ બની જાય છે ત્યારે કેરીઓ

આપોઆપ ખરી પડે છે.અતિરેક થાય ત્યારે જે તરછોડવું પડે છે તે દાન નથી,પરંતુ

અડધામાંથી અડધું આપે તેને દાન કહેવાય. જે શકય ન હોય તે કરી બતાવે તેને સુકૃત્ય

કહેવાય. ધર્મવીર શેઠ સાચે જ પારસમણિ હતા.

અનુક્રમણિકા

વાર્તા નં : ૯૩ ગર્વ કિયો સોઇ નરઃ છેલ્લો પડદો પણ હટી ગયો

આ કબીર! મારો શિષ્ય! મેં એને ગુરુમંત્ર આપ્યો છે! અશકય. કબીર જાતનો વણકર -

અછૂત હું એનો પડછાયો ન પડવા દઉં મારી ઉપર.. પછી શિષ્ય કર્યાની વાત જ કયાંથી આવી.

રામાનંદ સ્વામી ગર્વ થી બોલી ઉઠયા. અમે તો સાંભળેલી વાત કહી, ગામ આખું વાતો કરે

છે. ખુદ કબીર પણ કહે છે રામાનંદ સ્વામી મારા ગુરુ..વડા શિષ્યો કબીરને બોલાવી

લાવ્યા. ત્યારે રામાનંદ વૈષ્ણવી એ ગરવાઇથી કહ્યું આ કબીર અને મારી વચ્ચે સાત પડદા

રાખો, એનો પડછાયો પણ મારા પર પડવો ન જોઇએ.પ્રખર સંત રામાનંદ સ્વામી, પરમ

વૈષ્ણવ પણ એવા જ પૂરા મરજાદવાળા, એમને કબીર જેવા સંત માટે આવો પૂર્વગ્રહ હોય!

એ આશ્ચર્ય જેવી વાત જ છે ને! પણ આ હકીકત છે ને હકીકતના તાણાવાણા કેવા છિન્ન

ભિન્ન થાય છે. કબીરને બોલાવાય છે બંને વચ્ચે સાત પડદા આડશરૂપે રખાય છે.સ્વામીજી

માનસિક પૂજામાં પરોવાયા છે. પ્રભુની મૂર્તિને સ્નાનાદિ કરાવી મસ્તકે મુકુટ તો પહેરાવાયો.

મુકટ તો પહેરાવી દીધો પણ રામાનંદને હવે મૂંઝવણ થઇ. પ્રભુને મુકુટ પહેરાવતા પહેલા

માળા પહેરાવવાની રહી ગઇ. હવે માળા મુકુટ ઉપરથી પહેરાવવા પ્રયત્ન કરે, પણ માળા છે

નાની. મુકુટ માથેથી ઊતારાય નહીં. માળા આરોપાય નહીં. ખરી થઇ છે મૂંઝવણ.કબીર

સાતમે પડદે ઊભા ગુરુની સમસ્યા જાણે છે. એમણે સાતમે પડદેથી કહ્યુંઃ ગુરુજી ફૂલમાળની

ગાંઠ ઉકેલી નાંખી , પ્રભુના ગળામાં ફૂલમાળા આરોપો.

રામાનંદ તો આ સાંભળી આશ્ચર્ય પામ્યા. એમના વૈષ્ણવપણાનાં ગર્વના સાત સાત પડદા

આડેથી આવો ઉકેલ પાઠવનાર કબીર કોઇ સામાન્ય વ્યકિત નથી. છે કોઇ યોગનિષ્ઠ આત્મા

એમનું મન પોકારી ઉઠયુંઃ ને એમણે આદેશ દીધોઃ કબીર આડેથી છ પડદા ઉઠાવી લો.

હજી એક પડદો બાકી રહ્યો. પૂજા વિધિ પત્યાં પછી રામાનંદે કબીરને પૂછયુંઃ મેં તમને

કયારેય ગુરુમંત્ર આપ્યો? મને તો નથી કાંઇ સ્મરણમાં. ત્યારે કબીર હસ્યાઃ ને એમને મુખેથી

એક સાખી વહી રહીઃ જબ હમ પોઢે જો ગંગાકે તીરા, ઠોકર લાગી હમારે શરીરા - તબ તુમ

રામમંત્ર હમે દિન્હા. આપ ગંગા સ્નાન કરવા ગંગાઘાટ પધાર્યા હતા,હું ગંગાઘાટે સુતો

હતો. અજાણતાં આપનો પગ મને અડયો. અને હું રડી ઉઠયો. આપ નીચા નમ્યા. બચ્ચા

મત રો, રામ રામ જપ.રામાનંદ સામે ગર્વનો રહ્યો સહ્યો એક પડદો પણ ગયો બોલી

ઉઠયાઃ કબીર! તમે ધન્ય છો. તમે મારા સર્વર્ શિષ્યોમાં શિરમોર છો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૯૪ નીતિનું પાલન

દક્ષિણ ગુજરાતના એક શહેરમાં એક વેપારીની કાપડની દુકાન. એક વખત તેમની

ગેરહાજરીમાં દુકાનના નોકરે સાડીઓ લેવા આવેલા ઘરાકને ૧૬૫ રૂપિયાના ભાવનીપંદર

સાડી ૧૯૫ રૂપિયામાં વેંચી. વેપારી દુકાને આવ્યા. બિલ જોયું. નોકરને પૂછયું ૧૬૫ ની

સાડી ૧૯૫ માં કેમ વેંચી? છાપેલા ભાવ વાચવામાં મારી સમજ ફેર થઇ ગઇ.નોકરે

જવાબ આપ્યો. આ વેપારીએ બીેલ પર લખેલા સરનામાં પર કાગળ લખી ને ઘરાકને

બોલાવ્યા. હકીકત જણાવીને નોકરનીે ભૂલ બદલ માફી માંગી અને વધારાના રૂપિયા પાછા

આપી દીધા. ઘરાકની આંખ માં આંસુ આવી ગયા.જે કાળમાં નીતિની વાતો સાંભળવીય

દુર્લભ બની ગઇ છે એ કાળમાં નીતિનું પાલન કરતાં વેપારીઓને જોઇને એ લાગે છે કે ના ,

ધર્મ અને ધર્મી તો આજેય જીવતાં છે. સરકારે , કરવેરા એવા નાંખ્યા છે આ કાળમાં અનીતિ

વિના ધંધો થાય જ નહીં. આવું માનનારાઓ એ આ દ્રષ્ટાંત ધ્યાનથી વાંચવા જેવું છે.

સાવકી મા પાસે ઉછરતાં સંતાનને એક વખત બાપે પૂછયું,બેટા! તારી સગીમા અને

સાવકીમા માં તને શું ફરક લાગ્યો? ત્યારે દીકરાએ કહ્યું પપ્પા! સગીમા જૂઠું બોલતી અને

નવી મા સાચું બોલે છે.બાપે પૂછયું, બેટા એ કઇ રીતે? ત્યારે છોકરાએ કહ્યું પપ્પા!

મારી સગીમાં જીવતી હતી ત્યારે હું તોફાનમસ્તી કરતો ત્યારે મા ચીડાઇ જતી, ક્રોધિત થતી

અને કહેતી કે હું તને આજ ખાવા નહીં આપું, પણ એ જૂઠૂં બોલતી હતી કારણકે એ

ખાવાની ના પાડતી હતી પણ પછી એ ખાવા તો આપતી જ હતી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૯૫ નિયમ ઘડવૈયાની ફરજ

ભારતમાં પાલી ભાષાના એક પ્રખરપંડિત થઇ ગયા. એમનુ નામ હતું ધર્માનંદ કોસમ્બીજી!

તેઓ ગાંધીજીના પણ પરિચયમાં આવ્યા હતા અને રાષ્ટ્રવાદના રંગથી રંગાયા પણ હતાં.

તેમણે પાલીનો અભ્યાસ બ્રહભદેશમાં એક બૌધવિહારમાં રહીને કર્યો હતો. આ શિક્ષણ

સંસ્થામાં ત્રિલોકચાર્ય આચાર્યપદે હતા. આચાર્યે સંસ્થા માટે એક નિયમ ઘડયો હતો કે દરેક

વિધાર્થીએ સવારના પાંચ વાગ્યે ઊઠી જવું. જે વિધાર્થી મોડો ઊઠે તેના માટે દંડની જોગવાઇ

હતી.. એ જોગવાઇ મુજબ જે કોઇ વિધાર્થી મોડો ઊઠે તેણે પાસે આવેલ નદીમાંથી પાણીના

અમુક ઘડા ભરી લાવીને સંસ્થાના બગીચાના વૃક્ષો અને છોડવાંઓને પાણી પાવું.એકવાર

ધર્માનંદ કોસમ્બી સવારના બગીચામાં આવ્યા કે તેમણે ત્રિલોકચાર્યનેબગીચામાં પાણીપાતા

જોયા. તેઓ તરતજ આચાર્ય પાસે દોડી ગયા અને બોલ્યા,ગુરૂજી,તમે શા માટે પાણીપાઓ

છો? લાવો હું ઝાડને પાણી પાઉં. આચાર્યે કહ્યું, ભાઇ, આજે હુ. મોડો ઊઠયો હતો એટલે

સંસ્થાના નિયમનો મારાથી ભંગ થયો છે-એટલે જેમ વિધાર્થી જે મોડા ઊઠે તેને પાણી ના

ઘડા ભરવા પડે અને બગીચામાં ઝાડ ને પાણી પાવું પડે તેમ મારે પણ નિયમભંગ માટે દંડ

સહન કરવો જ રહ્યો!ધર્માનંદ કોસમ્બીએ જરા નવાઇ પામી કહ્યું,પણ તમે તો સંસ્થાના

આચાર્ય આચાર્ય છો,તમે કાંઇ વિધાર્થી નથી! આ નિયમ તો વિધાર્થીઓ માટે છે, તમારા

માટે નહીં!ત્રિલોકચાર્યે કહ્યું, ભલે,નિયમ વિધાર્થીઓ માટે રહ્યો.પણ એ નિયમનો ઘડનારતોે

હું જ છું ને! જે નિયમનો ઘડનારજ નિયમ ન પાળે તો એ નિયમ બીજા પાસે પળાવવાનો

એને કશો અધિકાર રહેતો નથી .નિયમ ઘડનારાએતો નિયમને પ્રથમ માન આપવું જોઇએ.

સમુદ્ર રત્નોને આશ્રય આપી શકે છે પરંતુ મડદાંને કદી પોતાના પેટાળમાં સમાવી સકતો નથી

ત્યાં એની વિશાળતા વામણી બની જાય છે.એક પ્રભુને શ્રદ્ધાથી વળગી રહો તો બધા કાર્યો

સિદ્ધ થઇ જશે પ્રભુના પ્રેમના કારણે મરુદેવીમાતાના વિર્યોઉલ્લાસે એટલો બધો ઉછાળો

માર્યો કે ક્ષપકશ્રેણી માં ઠેઠ આઠમી દ્રષ્ટિસુધી પહોચી ગયા.હું તો કહું છું કે પ્રતિમાનાં

આલંબનથી પણક્ષપકશ્રેણી માંડી શકાય .

અનુક્રમણિકા

વાર્તા નં : ૯૬ આત્મનિર્ભરતાનો આનંદ

બંગાળના પ્રખ્યાત સમાજસુધારક, કેળવણીકાર અને લેખક ઇશ્વરચંદ્રે નાની વયે શિક્ષણમાં

એવિ પ્રતિણ્થયા. એમણે માતૃભાષાની શાળાઓ અને કન્યાશાળાઓ સ્થાપી.. સમાજ સુધારક

તરીકે વિધવા વિવાહ શરૂ કરવા માટે જોરદાર લડત આપી અને સ્વયં પોતાના પુત્રને એક

વિધવા સાથે પરણાવ્યો. ગરીબાઇમાં ઊછર્યા હોવાથી દુઃખી અને ગરીબોની ખૂબ સેવા કરી.

ઇંગ્લેંડની રાણી વિકટોરિયાએ એમને સી.આઇ.ઈ. નો ઇલ્કાબ આપ્યો હતો. ઇંગ્લેંડની ઉત્તમ

વદ્વવાનોની રોયલ એશીયાટિક સોસાયટીનું એમને માનદ સભ્યપદ આપવામાં આવ્યું

હતું.તેઓ ઇંગ્લેંડના પ્રવાસે ગયા ત્યારે એમને ઇંગ્લેંડની ઘણી સંસ્થાઓએ ભાષણ આપવા

માટે નિમંંત્રણ આપ્યા. એમના અધ્યક્ષપદે એક સભાનું આયોજન થયું હતું. સમયપાલનમાં

પાબંદ ઇશ્વરચંદ્ર સભાસ્થાને આવ્યા,તોએમણે જોયુુ કે આયોજકો મુંઝવણભરી સ્થિતિમાં

ભવનની બહાર ઉભા હતા.ઇશ્વરચંદ્ર વિધાસાગરને જોઇને થોડા વિશેષ મૂંઝાયા. એમણે

ક્ષમા યાચના કરતા હોય તેમ કહ્યું, ક્ષમા કરજો. કાર્યક્રમ માં થોડો વિલંબ થશે. ભવનના

સફાઇ કર્મચારીઓ આવ્યા નથી.. અમે એમની રાહ જોઇએ છીએ.ઇશ્વરચંદ્ર વિધાસાગરે કહ્યું

, સફાઇ કર્મચારીઓ ભલે ન આવ્યા હોય, આપણે તો આવી ગયા છીએ ને? ચાલો,

આપણેજ ભવનને ચોકખું કરીએ. આયોજકો સ્તબધ બની ગયા.એકબીજાના સામે જોઇ

રહ્યા ,પણ ઇશ્વરચંદ્ર વિધાસાગરે તો બાજુમા પડેલું ઝાડુ ઉઠાવીને સફાઇકાર્ય શરૂ કરી દીધું.

ધીરે ધીરે બીજા બધાં સફાઇકાર્યમાં જોેડાય ગયા. થોડીવારમાંતો આખું ભવન ચોખ્ખું થઇ

ગયું અને કાર્યક્રમનો પ્રારંભ થયો.પોતાના અધ્યક્ષી્ય પ્રવચનમાં ઇશ્વરચંદ્ર વિધાસાગરે કહ્યું

કે કોઇ કાર્ય નાનું કે મોટું હોતું નથી. હકીકતમાં તો આ પણ આપણા મનની માન્યતા છે.

જો મનમાં ઉચ્ચ વિચાર હશેતો કોઇ પણ સારું કાર્ય કરતાં સંકોચ નહીં થાય , આપ સહુ

જાણો છો કે આત્મનિર્ભરતા જેવો બીજો કોઇ આનંદ નથી. . પ્રભુ! હૃદય મારું પ્રેમાળ

બન્યું રહે, હાથ મારો હૂફદાયક બન્યો રહે, વલણ મારું હકારાત્મક બની રહે આ ત્રણ ચીજની

ભેંટ તું મને આપીને જ રહેજે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૯૭ સાંભળો અને આચરણ પણ કરો

એક સાધુ હતા. વસ્તીથી થોડે દૂર એકાંત સ્થળે તેમનો આશ્રમ હતો. તેઓ ખૂબ સરળ અને

સાત્વિક જીવન વિતાવતા હતા. એક દિવસ એક શેઠ આશ્રમમાં આવ્યા. શહેરમાં તેમની

કરિયાણાની બહુ મોટી દુકાન હતી. તેમણે ભદ્વનમાં ભાગ લીધો. પછી સાધુનો ઉપદેશ

સાંભળવા લાગ્યા. સાધુએ જણાવ્યું કે ધર્મ માત્ર આંખો બંધ કરીને ધ્યાન ધરવામાં જ નથી .

જીવનના દરેક કાર્યમાં સત્ય અને પ્રમાણિકતાથી વર્તન કરવું એ જરૂરી છે. અંતીમ સમયે કંઇ

પણ કામ નથી આવતું.વ્યકિતના સારાં-ખરાબ કર્મ જ સાથે રહે છે. શેઠ સાધુની સામે બેઠા

હતા અને તેમની વાતો સાંભળીને ઝૂમી રહ્યા હતા. તેઓની થોડે દૂર એક ચોર બેઠો હતો.

તેના કાન સાધુનો ઉપદેશ સાંભળી રહ્યા હતા, પરંતુ તેની આંખો શેઠ પર મીટ માંડી રહી

હતી.

ચોર સાધુની વાણીથી એટલો પ્રભાવિત થયો કે તેણે પોતાનો ગંદો વ્યવસાય છોડી દેવાનો

સંકલ્પ કર્યો અને સાધુની સામે પ્રતિજ્ઞા લઇ ચાલ્યો ગયો. સંજોગવશાત બીજે દિવસે તે ચોર

શેઠની દુકાને ચીજવસ્તુ લેવા ગયો. તેણે જોયું કે જોખવામાં શેઠે છેતરપિંડી કરી છે. તે

માણસે કહ્યું, શેઠ. આ શું કરો છો? કાલે તો તમે સ્વામીજીની સામે ઝૂમી રહ્યા હતા.

તેમની વાતોને ભૂલી ગયા?શેઠની ભ્રમર ચઢી ગઇ. બોલ્યા તમે સામાન ખરીદવા આવ્યા

છો કે ઉપદેશ આપવા? તે માણસે કહ્યું, શેઠ, જે દુનિયા સાથે છળકપટ કરે છે, તે પોતાની

જાતને છેતરે છે. શુભ વાણી માત્ર સાંભળો જ નહીં આચરણ પણ કરો!

આપણી કાયા -શરીર શું છે? ખાણમૂત્રને મળની- રોગજરાનું નિવાસનું ધામ-કાયા એવી

ગણી ને-માન ત્યજીને કરે સાર્થક કામ.બાકી કાયા તો નાશવંત છે.આત્મા શાશ્વત છે.

કાયાનો,માયાનો,અંહકારનો,રાગ-દ્વેષ તેને છોડો.વિનય-વિવેક તથા નમ્રતામય જીવન

જીવો.

ઋષભદેવ ભગવાનને પારણું કરાવનાર શ્રેયાંસકુમારે એક નવો પૈસો વાપરેલ નથી .

વરઘોડા કાઢયાં નથી.. બેંડ વગાડયા નથી. છતાં પણ આટલા બધા વર્ષો પછી પણ આજ

આપણે ભૂલી શકતા નથી . આ વરઘોડોને-બેંડ અને લોકોનો સમુહ,થોડી હિંસા વધારી બીજી

ઘડીએ શાંત થઇ જશે. કોઇ તેને યાદ નહીં કરે. (આચાર્યપં. શ્રી ચંપકમુનિ ની ચંપક

સ્મૃતિ-ગ્રંથરત્ન માં થી )

અનુક્રમણિકા

વાર્તા નં : ૯૮ જીવન ચંદનવન

એક વખત શિકારે નીકળેલા રાજા ભૂખથી આકુળવ્યાકુળ થઇ ગયા, ત્યારે એક વનવાસીએ

રાજાનો અતિથિસત્કાર કરી તેને ભૂખતરસથી મુકત કર્યા. ખુશ થઇને બીજે દિવસે રાજાએ

જતાં જતાં તેને ચંદનના ઘણાં વૃક્ષવાળો એક બાગ ભેંટમાં આપ્યો. વનવાસી ચંદનના

બગીચામાં રહેવા લાગ્યો પણ ચંદનનું મહત્વ તેને ખબર ન હોવાથી તે ચંદનના વૃક્ષોના

લાકડામાંથી કોલસા બનાવી નગરમાં વેંચી આવતો.

ધીરે ધીરે બધાં વૃક્ષો ખલાસ થઇ ગયાં. છેલ્લે એક વૃક્ષ બચ્યું. વરસાદ પડવાને કારણે

કોલસા ન બની શકતાં તેણે લાકડાં વેંચવાનો નિર્ણય કર્યો.લાકડાનો ભારો બનાવી તે વેંચવા

નીકળ્યો ત્યારે તેની સુગંધ અને મૂલ્ય જાણનાર લોકોએ ખુબ પૈસાના બદલામાં તમામ

લાકડાં ખરીદી લીધા. આશ્ચર્યચકિત થયેલા વનવાસીએ જયારે તેનું કારણ પૂછયું તો

લોકોએ કહ્યું,અરે, આ તો ચંદનના લાકડા છે, તે ખુબ કીંંમતી છે. તારી પાસે હજી આવાં

લાકડાં છે કે શું? વનવાસી પોતાના અજ્ઞાન ઉપર પસ્તાવા લાગ્યો.

ચંદનવનના પ્રત્યેક વૃક્ષની જેમ જીવનવનની પ્રત્યેક પળ અંત્યંત મૂલ્યવાન છે પણ મૂઢ માણસો

અજ્ઞાન અને આળસમાં, ઇચ્છા અને વાસનાઓમાં મસ્ત બની એને બરબાદ કરી દે છે.

આયુષ્યની એક ક્ષણ પણ જગતભરના બધાં રત્નોથી મેળવી શકાતી નથી. જે માણસ એને

વ્યર્થ વેડફી નાંખે છે એ એની મોટી ભૂલ છે. સંત કબીર કહેછે તેમ આપણે હીરા જેવા,

ચંદન વૃક્ષ જેવા આ માનવભવને કોડી જેવી તુચ્છ વસ્તુઓ માટે વેડફી નાંખએ છીએ.

આમ છતાં આપણે હવે જાગી જઇએતો પણ લાભદાયક છે. વિખ્યાત કવિ વિલિયમ વર્ડઝવર્થ

કહે છે, હાથમાંથી જે છટકી ગયું છે એના પર અફસોસ ન કરો, હાથમાં જે બાકી રહ્યું છે

તેને પૂરી રીતે માણો.

સંત ડીયોજિનીશે સંસારના સાંજ અસબાબ છોડી દીધા હતા. માત્ર કમંડલ લઇને તેઓ ફરતા

હતા. એકવાર એક સરોવરના કિનારે એક કુતરાને જીભથી પાણી પિતા જોયો. સંતને વિચાર

આવ્યો કે, કમંડલ વિના જો કુતરાને ચાલી શકે છે તોમારે તેની શી જરૂરત છે? મારી પાસે તો

રૂપાળા બે હાથ છે. હું તો બે હાથ વડે પણ પાણી પી શકું છું. આ કમંડલ લઇને ફર્યા કરવાની

કોઇ જરૂર નથી. ડાયોજિનીશે કમંડલને સરોવરમાં ફગાવી દીધું. સર્વસંગથી વિમુકત થઇ

ગયા.

અનુક્રમણિકા

વાર્તા નં : ૯૯ કાયમી પરબ

બોઅરના યુધ્ધમાં અગ્રભાગ ભજવનાર રાષ્ટ્રભકત કુગરનું નિધન થતાં લાખો લોકો શોકમાં

ગરકાવ બની ગયા.

આવા મહાન દેશભકતનું નામ દેશમાં અમર રહે તે માટે લોકોએ એમનું એક સુંદર બાવલું

તૈયાર કરીને કોઇ યોગ્ય જગાએ મૂકવાનું નક્કી કર્યું.

એક ખ્યાતનામ શિલ્પકારને બાવલું તૈયાર કરવાનું કામ સોંપાયું. તેણે વિચાર કર્યો કે આ

દેશભકતનું બાવલું કેવું બનાવવું એ અંગે થોડું માર્ગદર્શન એમની પત્ની પાસેથી મેળવવું.

એક દિવસ શિલ્પકાર કુગરની વિધવા પત્ની પાસે પહોંચ્યા અને બોલ્યા લોેકોએ નક્કી કર્યું છે

કે આપના પતિનું એક બાવલું તૈયાર કરવું! તેની પત્ની એ કહ્યું કે મને તેમાં કશો વાંધો

હોઇ શકે નહીં. કેમ કે, તેઓ મારા કરતાં પણ દેશને, દેશના લોકોને અને દેશની તમામ

વસ્તુઓને વધુ ચાહતા અને તે માટે તો તેમણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે.

શિલ્પકાર બોલ્યો મારે બાવલું કેવું બનાવવું? વિધવાએ કહ્યું કે તમોને જે ઠીક લાગે તેવું

બાવલું બનાવો, પણ તમારે એ બાવલાના માથાનો ભાગ ખુલ્લો રાખવો કે જેથી ત્યાં પાણી

ભરી શકાય અને એમ થતાં પક્ષીઓને પાણી પીવાની સગવડ મળી રહે. આવી પરબ ઊભી

કરવા સિવાય એમનું બીજું તો શું અપર્ણ કરી શકીએ?

સં. ૧૮૯૩ ની વાત છે. એક બહેનનાં લગ્ન થયા. વિદાય વખતે ભાઇએ કરિયાવરમાં ઘણું

બધું આપ્યુ. વિદાય વખતે ભાઇએ બહેનને કરિયાવર માં ૧૭ ગાડાં ભરીને કરિયાવર આપ્યો.

વિદાય આપતાં ભાઇની આંખમાં આંસુ .ભાઇ, બહેનને પુછે છે, બહેન તને સંતોષ છે ને?

હજી કંઇ ઓછું લાગતું હોય તો બોલ? ભાઇ, તારે ખરેખર આપવું હોય તો મને એક ચીજ

જોઇએ છે - બહેનની વાત સાંભળી લોકો પરસ્પર બોલે છે - આટલું બધું આપ્યા પછી પણ

કમાલ છે! સ્મશાનને કયારેય સંતોષ ન હોય, પેટ નો ખાડો કયારેય ભરાય નહીં, સાગર નો

ખાડો પણ કયારેય ભરાય નહીં,તેમ મનનો ખાડો ભરવો બહુ મુશકેલ છે. બહેનોનું મન

કયારેય ધરાતું નથી. ભાઇ કહે છે બોલી નાંખ. હજી શું જોઇએ છે? બહેન કહે છે ૧૭ ગાડાં

ભરી કરિયાવર આપ્યો પણ જો તું સાચો ભાઇ હોય તો એક ગાડામાં દેરાસર આપે તો તેં

ખરેખર કરિયાવર આપ્યો કહેવાય. તરત ભાઇએ એક ગાડું મંગાવ્યુ. અને ચીઠઠી નાંખી

ઉજમ ટુંક. આજે પણ પાલીતાણામાં ઉજમફઇની ટુંકના દર્શન થાય છે. ઉજમબેન જેવું

માંગતા પણ આવડવું જોઇએ. જીવનમાં દેવ-ગુરુ-ધર્મ સિવાય બધું જ અધુરું.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૦૦ ત્યારેે પરમાત્મા સાથે મિલન શકય બને છે

(ડોકટરની પ્રાર્થના : પરમ સમીપેમાંથી સાભાર)

આ વાર્તા અમદાવાદના માનનીય ડોકટર સાહેબ વિક્રમભાઇ શાહ તથા તેમના તમામ

સાથીદારોને સમર્પિત કરું છુ અને આશા રાખું છું તેઓ સર્વે જરૂર એક વાર આ પ્રાર્થના વાંચે

અને વંચાવે. મારા માટે તો ડોકટર વિક્રમભાઇ શાહ, ડોકટર પાચોરી-બીજા બધા તેમના

ટીમના ડોકટરો થકી આજે હું ચાલી શકું છું . તેમનો ઉપકાર તો હું કદી ભૂલી ન શકું. અને

બીજા સ્વ. ડોકટર ધોળકીયા જયાં મારા પુજય રમણીકકાકાની કૃપાથી કોઇનું ઓપરેશન

કેંસલ થયું અને ૨૯.૦૨.૯૨ ના મારા પગનું ઓપરશન થઇ ગયું. દસ માર્ચે બીજા પગમાં

પણ ગોંઠણનું ઓપરેશન થઇ ગયુ. તેમનું પણ કામ એવું સરસ હતું કે તે પણ મારા માટે

ભગવાન નો મોટો ઉપકાર છે. મારું જીવન પાછું નોરમલ થઇ ગયું. મારા પૂ.રમુકાકા-કાકી

તથા સમસ્ત શાહ ચુનીલાલ લવજી પરિવારના સ્વ.તલકચંદ ચુનીલાલ શાહ-સૌથી મોટાકાકા,

પું કાંતીકાકા ચુનીલાલ શાહ તથા સ્વ.પ્રતાપકાકા બધાના સહકારથી જ હું ચાલતો થયો હતો.

સૌ.જયોતીબેન જગતકુમાર શાહે ત્યારે લોહીની એક બોટલ મને જરૂર હતી-આપેલ.બધાનોે

ઉપકાર ભુલાય તેમ નથી. કાકાના દીકરાઓ રાજેશભાઇ - રોહીતભાઇ વિગેરે એ ખુબ જ

કંપની આપેલ. મારી નાની બેન હર્ષાબેને તો મુલુંડથી મુંબઇ હોસ્પિટલનો પાસ કઢાવી

લીધેલ કે મને રોજ મળવા આવી શકે. બીજા ઘણાંનો સાથ સહકાર મળેલ છે નામ બધાના

લખવું શકય નથી.. તેમનો પણ મન અને હૃદયથી ખુબ જ આભાર માનું છુ.ં

એ મોટી વિડંબના છે કે ડોકટરોની આજીવિકાનો આધાર લોકોની માંદગી છે. પણ એ મારું

સદભાગ્ય પણ છે કે લોકોની પીડા દૂર કરવાની. એમની સેવા દ્વારા મારા સ્વાર્થ ને ક્ષીણ

કરવાની કરવાની એક ઉત્તમ તક આપે મને આપી છે. મારા પર આ તેં બહુ મોટી જવાબદારી

મૂકી છે એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકુ એવી મને શકિત આપજો. દર્દીને

હું, મારી આવડતની કસોટીનું સાધન ન ગણું. રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન

ગણું, કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું - તેને સાજો કરવા સિવાય બીજો કોઇ ઉદ્દેશ

ન રાખું-તેનો ઉપચાર કરતાં, તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉં એવી મને સદબુદ્વિ

આપજો. તેની બધી ફરિયાદ હું ચિત્ત દઇને સાંભળુ તનની સાથે તેના મનની તકલીફો પણ

ધ્યાનમાં લઉં, નિદાન અને દવા ઉપરાંત આશા અને આશ્વાસનના બે સ્નેહાળ શબ્દોની પણ

તેને ખૂબ જરૂર હોય છે એ ભૂલી ન જા–તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વાભાવિક ચિંતા

અને તેની આર્થિકસ્થિતિનો પણ ખ્યાલ રાખું એવી અનુકંપા,ધીરજ,ઉદારતા મને આપજો હે

પ્રભુ. આ વ્યવસાય પુણ્યનો છે પણ તેમાં લપસવાપણું ઘણું છે; તેમાં મારી જાતને જાળવી

રાખું-ગંભીર નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે વ્યાવસાયિક જવાબદારી,મનુષ્ય તરિકેની

નિષ્ઠા અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરિકેની ભૂમિકા વચ્ચે સમતોલપણું જાળવી શકું

એવો વિવેક અને એવી સ્થિરતા આપજે. અને આ બધાયે વખત સૌથી મહાન ઉપચારકતો

આપ જ છો. સ્વસ્થતાનો સ્તોત્ર આપનામાંથી જ વહી આવે છે-હુ તો માત્ર નિમિત્ત છું - એ

હંમેશા યાદ રાખી શકું,એવી મને શ્રદ્વા આપજો. પ્રાર્થના એટલે પરમ પિતા સમીપમાં છે એમ

અનુભવવું અને તે પ્રમાણે જીવવુ .

ગ્ર્ઢ ક્થ્ઠ્ઠ ચ્ર્દ્ધદ્મદ્મણ્ડ ડ્ઢદ્રડટ્ટદ્દ ઢથ્

તારીખઃ આજની જ

પ્રતિ : તમોને જ

વિષયઃ જિંદગી અને તમો

ભાઇશ્રી / બહેનશ્રી,

આજે તમને બે શબ્દો લખવા માંગુ છું ધ્યાન થી વાંચજો. આજે તમારી જીંદગીના બધા

પ્રશ્નોેનું નિરાકરણ કરી શકાય એવો રસ્તો તમને બતાવવાનો છું એટલું યાદ રાખજો. મારે

તમારી મદદની કોઇ પણ જગાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ

નથી . તમારે ફકત નીચેનું લખાણ યાદ રાખવાનું છે અને તેનું જ પાલન કરવાનો પ્રયત્ન

કરવાનો છેઃ-

(૧) જિંદગી તરફથી એવી કોઇ સમસ્યા ઉભી થાય કે જે તમારાથી હલ ન થઇ શકેતો એને

મારા નામની પ્રાર્થનાના પોસ્ટબોક્ષમાં મુકી દેવી.. એના ઉપર-ભગવાનને માટે- એવું અવશ્ય

લખવું. એક વ્વખત આ બોક્ષમાં સમસ્યા મૂકયા પછી વારંવાર તેને બાહર કાઢીને તપાસ્યા ન

કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે - પણ હા મારા સમયે, તમારા સમયે નહીંં.

(૨) તમે ધંધાની કોઇ આફતમાં ઘેરાઇ જાવ તો મુંઝવણ ન અનુભવશો- ફકત એવા

માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધોજ નથી.

(૩) ટા્રફિકમાં કયારેય ફસાવ તો અધીરા ન થશો. એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર

ચલાવવી એક પરીકથાની વસ્તુ જેવું હોય.

(૪) તમારા શેઠ સાહેબ તમને કયારેય ખીજાયતો એવા માણસોનો વિચાર કરજો-કે જેમના

નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાઇ જ ન હોય ને સાવ બેકાર જ હોય.

(૫) તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુઃખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ

કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજ રોજ કપરી મજૂરી કરવી પડતી હોય જેનો

એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

(૬)કયારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસ ને બદલે બંને પગે જેને પેરાલિસિસ કે

લકવો થયોે હોય તેવી વ્યકિતને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળેતો એ

લોકો કેટલો આનંદ પામે તેનો વિચાર કરજો.

(૭)તમારી જીંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદિકેય આવે તો એવા લોકોને યાદ

કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય તે પહેલાજ તેમનું મૃત્યુ તેમને આંબી ગયું

હોય.

(૮)કોઇ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે,તમારું અપમાન કરે,તમને નુકસાન

પહોંચાડે તો પણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યકિત નથી!

(૯) કોઇ દિવસ અરિસામાં એકાદ સફેદ વાળ જોઇ જાવ તો કેંસર થી પીડાતાં નાના બાળકો

કે નાની ઉંમરની વ્યકિતઓને યાદ કરજો કે જે પોતાના વાળ હોય તેવી આશા રાખતાં હોય

અને છેલ્લે હું તમારા પ્રશ્નનુંં નિરાકારણ કરીશ જ. વિશ્વાસ રાખજો કે ત્યાં સુધીમાં તમને આ

બાબતો ગમી હોયતો તમારાં મિત્રોને - સગાવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ

સુધારજો અને એ લોકો પણ નિશ્ચિત થઇ જાય તેવું કરજો.

એજ લિ. ભગવાનના આશિષ.

આપણા જીવનમાંં-આડંબર વધી રહેલ છે. દેખા દેખી વધી રહી છે.ભૌતિક ઇચ્છાઓ વધતી

જાય છે. સુખી થવું હોય તો ઇચ્છાઓ ઓછી કરો. સાદાઇ અને ચોખ્ખાઇ ખુબ જરૂરી છે.

જરૂરી હોય તે કરવું તે બરોબર છે પણ બીનજરૂરી આડંબર થી દૂર રહેશું તો સારુ થશે.

આપણે તો ભગવાને બતાવેલા માર્ગે ચાલવાનું છે. ભગવાને સ્વયં બધી જ ભૌતિકસુખની

સામગ્રીનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે. વિહાર પણ પગપાળા કરેલ છે. તેઓ તો વિતરાગ છે.રાગ-

દ્વેષ-મોહ-માયા-મમતા-કામ-ક્રોધ-વિષય-વાસના-વિકાર-અહંકાર બધા થી મુકત છે. એટલે

હવે આપણે દેખાદેખી તથા બીનજરૂરી આડંબરથી દૂૂર રહેશું તો જ આપણા ધર્મનો જય જય

કાર થશે તથા નવી પેઢી પણ ધર્મ પ્રત્યે માનથી જોશે અને ધર્મમાં જોડાશે. આ ખુબ જ ધ્યાન

માં રાખવાની વાત છે. સમજશો અને આડંબર વગર ધર્મ કાર્ય કરશો તો તેનો ખુબ જ સારો

પ્રતિસાદ મળશે. કારણ બીનજરૂરી ભપકો કે દેખાવમાં ખર્ચ ધર્મ ના નામે કરશો તો નવી પેઢી

તુરંત કહેશે આટલા રૂપીયામાં એક ગરીબનું ઘર ઉભું થઇ શકત કે કોઇ કેંસર દર્દીનો દવાનો

ખર્ચો નીકળી જાત કે કોઇ ગરીબ વિધાર્થીને ભણવાની ફી વિગેરે ભરી શકાત.એટલે ધર્મ સાથે

હવે આપણે માનવ સેવા-જીવ દયા વિગેરે કાર્યો પણ કરવા જ જોઇએ. તો જ નવી પેઢી જૈન

ધર્મમાં સામેથી ભાગ લેશે. તેમનું માનવું છે કે દરિદ્રોની આરોગ્યસેવા વાસ્તવમાં પ્રભુસેવાછે.

આનાથી મોટું પુણ્યકાર્ય કોઇ નથી..જૈન સ્કુલો, જૈન કોલેજો, જૈન હોસ્પીટલો,જૈન ગૌશાળા,

જૈન અનાથાશ્રમ,જૈન સાધર્મિક ભકિત,જૈન આયંબીલશાળા,જૈન પાઠશાળા વિગેરે કાર્યો પણ

હવે ખાસ જરૂરી છે. દેરાસર-ઉપાશ્રય-આયંબીલશાળા-ભોજનશાળા-પાઠશાળા પણ જરૂરી છે.

કોઇ કુદરતી આફત-જેમ કે ભૂકંપ,દુષ્કાળ,પુર,રોગચાળો,સુનામી કોઇ પણ જગાએ થાય તો

મારું માનવું છે કે જૈનોએ પણ ધર્મ સાથે આ માનવસેવા કાર્યમાં તન-મન-ધનથી જોડાઇ જવું

જોઇએ. નવીપેઢીને ગુજરાતી માતૃભાષા તથા ધર્મના સૂત્ર અને અર્થ સમજાવવા ખુબજ જરૂરી

છે. જૈન ધર્મ નું થોડુ ઘણું જ્ઞાન હશે તો તેની આવનારી પેઢી ને તે આગળ આપી શકશે.

કુવામાં હશે તો જ હવાડામાં આવશે.આ પુસ્તકમાં પણ વાર્તા વિગેરેથી ધર્મ વિશે શ્રદ્વા વધે

તેવોજ પ્રયાસ છે.આજની નવી પેઢીઓના બાળકો અંગ્રેજી ભાષામાં ભણવા જાય છે જયાં

મોટે ભાગે જૈન ધર્મ વિશે કાંઇ સમજાવવામાં આવતું નથી-બીજા ધર્મોની વાતમાં નવી પેઢી

ખેંચાય છે-ત્યાં હવે હોસ્પીટલ, અનાથાશ્રમ,દવાખાનું,માનવ સેવા,મફત ભણતર વિગેરે

તેમને આકર્ષાય એવા કામ થાય છે. જો આપણી નવી પેઢી ને જૈની બનાવી રાખવી હશે તો

આપણે પણ માનવસેવા, પશુસેવા તથા બીજા લોકોપયોગી કામમાં પણ હવે સારો એવો

લાભ લેવો જોઇશે. મારા મનમા એક વિચાર છે - આપણા દરેક દેરાસરમાં હવે થી એક

માનવ સેવા ભંડારરાખવાનું જરૂરી છે. માનવ સેવા એટલે ઇશ્વર સાથેનું સાંનિધ્ય.

પરોપકાર એ જ જીવનનો પુરુષાર્થ હોવો જોઇએ. આ મનુષ્યદેહ પરોપકાર માટે જ છે.

પરનો અર્થ પારકો એવો સમજાતો હોય છે. તેથી પરોપકાર એટલે પારકા ઉપર ઉપકાર..

પરંતુ પરનો અર્થ શ્રેષ્ઠ પણ થાય છે. આ શ્રેષ્ઠ તો ઇશ્વર જ છે. માટે પરોપકાર એટલે ઇશ્વર

પર ઉપકાર, ઇશ્વરની અભિવ્યકિતરૂપ સૃષ્ટિ ઉપર ઉપકાર, સચરાચર જગતની સેવા, કોઇની

પણ સેવા ઇશ્વરની સેવા છે એવી ભાવનાથી સેવા કરવી. માનવ સેવા ભંડાર કે ફંડ-આ

ભંડારમાંથીજે રકમ નીકળે તેનો ઉપયોગ માનવ સેવા-કેન્સર હોસ્પીટલ,સાર્ધમીકને સારવાર

માટે મદદ, કુદરતી આફત જેમકે સુનામી, પુર, દુષ્કાળ તેમાં પણ રકમ વાપરી શકાય.

અનાથાશ્રમ,આંધળા ભાઇઓ-બહેનો માટે રહેવાની-ભણવાની વ્યવસ્થા આવા ઘણાં જ

માનવ ઉપયોગી કાર્યમાં તે રકમ વાપરી શકાય.

જેમ જેમ બીજાની ઉન્નતિ અને સેવા માટે તમે વધારે શકિત વાપરશો તેમ તેમ તમારામાં

વધારે દિવ્ય શકિત વહેવા લાગશે તથા તમારામાં નમ્રતા,શુદ્ધ પ્રેમ,ક્ષમા અને કરૂણાનો વિકાસ

થાય છે. માટે જ સેવાને આધ્યાત્મિક માર્ગનું પ્રથમ પગથિયું કહ્યું છે. તેથી દીનદુઃખીઓની

સેવા કરીને હૃદયને શુદ્ધ કરીએ અને તેને ઇશ્વરને રહેવા લાયક બનાવીએ. સેવા એટલે

નમ્રતાની પરાકાષ્ઠા. આંખતો દુઃખીના દુઃખ જોઇને રડવા માટે મળી છે. સંપત્તિની સાર્થકતા

સેવામાં છે. ધર્મનો ઉપયોગ તો માણસાઇ ના દિવા પ્રગટાવીએ. આવું બધું કહેવા માટે કે

લખવા માટે હુંતો સાવ નાનો છું-પણ ગચ્છાદીપતીઓ,આચાર્યસૂરીશ્વરજી તથા ઉચ્ચ

પદાધીકારીઓ બધા આ વાત પર ધ્યાન દેશે તો બહુ સારું થશે. મારી કોઇ પણ ભૂલ હોય

તો મને ક્ષમા કરશોજી. મારો હેતુ જન સેવામાં આપણે લાભ લેતા થઇએ તેમ છે.

આજના મા બાપો વાતવાતમાં છોકરાં માનતા નથી એવી ફરિયાદો કર્યા કરે છે. મારો એમને

એક સવાલ છે કે જો છોકરા માનતાં નથી,તો પછી છોકરાની આટલી બધી સેવા શા માટે

કરો છો? તમારા પૈસાથી પાલન પોષણ પામતાં છોકરાં જો ધર્મની વાતમાં તમારું કહ્યું કરવા

તૈયાર ન હોય, તો તમે એમના પાલન - પોષણની જવાબદારી એમના માથે નાંખી દો.

જુઓ પછી થોડા જ વખતમાં એ તમારું માનતા થઇ જાય છે કે નહીં? પણ આવું પગલું જે

મોહથી મસ્ત અને મોહથી ગ્રસ્ત ન હોય, એજ ભરી શકે. તેથી તમારા આવા પગલાની આશા

કેમ રાખી શકાય?

જીવનમાં વ્યવહારિક શિક્ષણની જેટલી જરૂર છે તેથી વધુ ધાર્મિક શિક્ષણની અને તે દ્વારા

ચારિત્ર ઘડતરની જરૂર છે. ભાવી પ્રજાના જીવનમાં ધાર્મિક સિધ્ધાંતો ઉતર્યા હશે તો તે

સારાસારનો વિવેક જાળવી શકશે; શું ગ્રહણ કરવા જેવું છે અને શું ત્યજવા જેવું છે તે સમજણ

તેનામાં પ્રગટશે.

શાસ્ત્રમાં લખેલું છે કે ધર્મ વિક્ષેપક પ્રવૃત્તિનો ત્યાગ . ધર્મકાર્યમાં વિક્ષેપ કરે તેવી પ્રવૃત્તિ

નો ત્યાગ કરવાનું સુચન કરેલું છે. જીવ જયારે પ્રગતિના પગથારે કદમ બઢાવી રહ્યો હોય

ત્યારે જો કોઇ ખોટું પગલું ભરાઇ જાય તો તેની આધ્યાત્મિક પ્રગતિને ઘણો મોટો ધક્કો

લાગીજાય. એટલે જીવનમાં એવી કોઇ પ્રવૃત્તિને સ્થાન આપવું નહીંં જેનાથી પ્રગતિનો ઇન્ડેક્ષ

તૂટીને સાવ નીચે આવી જાય.

પરમાત્મા મહાવીરદેવનો આત્મા પ્રથમ નયસારના ભવથી ક્રમશઃ ઉદિતોદિત સ્થિતિને સંપ્રાપ્ત

કરતો થોડો ઉપરને ઉપર જઇ રહ્યો હતો, નયસારના ભવ પછી બીજા ભવમાં દેવલોકનો ભવ

મળ્યો હતો. તે પછી ત્રીજા ભવે આધ તીર્થંકર શ્રી ઋષભદેવનાં ઘરમાં ચક્રર્વતી ભરતના પુત્ર

મરીચી તરીકેનો જન્મ સંપ્રાપ્ત થયો હતો. યૌવનવયમાં જ પ્રભુના વરદ હસ્તે પ્રવજયાની

સંપ્રાપ્તિ થઇ હતી. ઊત્ક્રાંતિનો ક્રમ કૂદકે ભૂસ્કે ઉપર વધી રહ્યો હતો. એમા એક દિવસ ગરમી

લાગી ગઇ, તાપની વેદના સહન ન થઇ અને જીવનમાં એક વિક્ષેપકારી પ્રવૃત્તિનો પ્રવેશ થઇ

ગયો. સાધુવેશને બદલે નવા વેશનું પરિધાન કર્યું,ભગવા વસ્ત્રો,પગમાં પાવડી, મસ્તકે મુંડન

અને ચોટી,સોનાની જનોઇ,ચંદનનું વિલેપન, કપાળે ત્રિપુંડ,હાથમાં ત્રિદંડ લાકડી રાખી નવા

જ વેશની પરિકલ્પના કરી. વિરાટ શ્રમણ સંપ્રદાયથી તેઓ સાવ જ અલગ થઇ ગયા. આ

પ્રવૃત્તિથી તેઓ ખૂબજ વિક્ષિપ્ત થઇ ગયા.ત્રણ ભવથી એકધારું જે ઉડાન ચાલી રહ્યું હતું, તેમાં

વિક્ષેપ ઉભો થઇ ગયો. ગરમી સહન ન થવાથી નવા વેશની સંકલના કરી પછી જયારે બિમારી

આવી ત્યારે એક શિષ્ય કરવાનો મનસૂબો કર્યો અને કપિલ શિષ્ય થવા તૈયાર થયો ત્યારે

ઉત્સૂત્ર ભાષણ-પ્રરૂપણા કરી પોતાની પાસે જ્ઞાન-દર્શન-ચરિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગનો ધર્મ ન

હોવા છતાંય વિપરીત રજુઆત કરીને જયાં ધર્મ ન હતો ત્યાં ધર્મની સ્થાપના કરી અને એક

મિથ્યાવચનનાં ભાષણને કારણે એક કોડાકોડી સાગરોપમનો સંસાર વધી જવા પામ્યો.

ઉત્ક્રાંતિની ગાડી આખી પાટા પરથી ઉથલી પડી અને ભવ ભ્રમણનો ચકરાવો શરૂ થઇ

ગયો.જયારે તમારી એકધારી વિકાસયાત્રા ચાલી રહી હોય ત્યારે કોઇ કામ કયારેય એવું ન

કરવું કે તમારી વિકાસયાત્રા વિનાશયાત્રામાં પરિવર્તન થઇ જાય. ક્ષેત્ર ભલે ભૌતિક હોય કે

આધ્યાત્મિક હોય પણ વિક્ષેપક પ્રવૃત્તિઓ તો બંને ક્ષેત્રે નુકશાન કરી બેસે છે. ભૌતિકનું

નુકશાન ભૌતિકક્ષેત્રને ડીસ્ટર્બ કરે છે તો અધ્યાત્મક્ષેત્રે કરેલી ભૂલ અધ્યાત્મક્ષેત્રનેડીસ્ટર્બ કરે

છે.તમારો ધંધો ખૂબ સારો ચાલતો હોય, આવક સારી હોય,ખર્ચા નીકળી જતા હોય, બેપૈસા

સારા માર્ગે વાપરી પણ શકતા હો, દર વર્ષે પ્રોફીટ પણ વધતું જતું હોય,કશુંજ ટેન્શન નહોય,

આવી પ્રોગેસની સ્થિતિમાં એક કાળી રાત્રે તમને વિચાર આવ્યો કે, હું શેરબજારમાં પૈસા

લગાડી દઉં તો ખુબ સારા રૂપિયા કમાઇ લઇશ.આસપાસનું વાતાવરણ,છાપાના સમાચાર,

ટી.વી.ન્યૂઝ - બધા જ સંજોગો તમારા મન પર સવાર થઇ ગયા અને તમે જીવનની બધી જ

મુડી શેરબજારમાં લગાડી દીધી. બીજાનું દેવુ કરીને પણ રૂપિયા ભેગા કર્યા અને ખેલ પાડી

દીધો.અંતે જે થવાનું હતું તે થયું. ઇન્ડેક્ષ તૂટી ગયો. તમે રોડ પર આવી ગયા. બધું જ ગુમાવી

બેઠા. રાતાપાણીએ રોવાનો વખત આવ્યો, લેણદારોને રૂપિયા કયાંથી ચૂકવવા તે મોટો

પ્રશ્ન બની ગયો. દાગીના વેંચાઇ ગયા, ઘર-દુકાન વેંચાઇ ગયા. ભાડાના મકાનમાં રહેવા

જવાનો સમય આવ્યો. ઉપર આભ અને નીચે ધરતી. તમારી ભૂલ માત્ર એટલી જ હતી કે તમે

આ ધંધાને વિક્ષેપ કરનારી પ્રવૃત્તિ ને સમજી ન શકયા અને ઉતાવળે ઉતાવળે શેર બજારમાં

ઝંપલાવી દીધું. આખી જીંદગી તમારા માટે પછતાવા સિવાય કશું બચવા પામ્યું નહીં.

ભૌતિકક્ષેત્રે ધંધાનો વિક્ષેપ થવાથી આધ્યાત્મિકક્ષેત્રે તમારા ધર્મમાં પણ વિક્ષેપ ઉભો થઇ

ગયો. આવી પ્રવૃત્તિને વિક્ષેપક કહેવાય. તમે ધંધો અને ધર્મ બંન્ને વિક્ષિપ્ત કરી નાંખ્યા છે.

શાસ્ત્રકાર ભગવંતો એવી સૂચના કરે છે કે, કોઇપણ પ્રવૃત્તિ શરૂ કરતાં પૂર્વે શાંતચિત્તે પહેલાં

લાભાલાભનો વિચાર કરવો.ધંધો કે ધર્મ જરાય ડામાડોળ ન થાય તેની તકેદારી રાખીને પછી

કદમ ભરવું જોઇએ. આજકાલ ઇઝી મનીના આ ફાસ્ટ જમાનામાં દરેક યુવાનોને ઝપાટાબંધ

પૈસાદાર થઇ જવું છે.લોકોને ઇન્સ્ટેંટ ફૂડની જેમ ઇન્સ્ટંટ મની જોઇએ છે. મહેનત કરવી નથી.

પરિશ્રમ કરવો નથી. માઇંડ વાપરવું નથી. હાથપગ હલાવવા નથી. માત્ર કોમ્પ્યુટરની સ્વીચ

દબાવીને પૈસાદાર બની જવું છે.

સ્પીડ એ આજની યુવાપેઢીની હોબી બની ગઇ છે. ફાસ્ટ લાઇફ, ફાસ્ટ ડા્રઇવીંગ, હાર્ડ ડીં્રકસ,

ઇન્સ્ટંટ પૈસા, ઇન્સ્ટંટ પ્રસિધ્ધિ. ઘૂમ પીકચરને જોયા પછી દારૂ પીને હાઇસ્પીડમાં સ્કૂટરો,

ગાડીઓ દોડાવવાનો ક્રેે્રઝ વધી ગયો છે. કોલસેન્ટરોમાં સર્વીસ કરતા યુવાનો અને યુવતિઓ

નાઇટ શીફટ કરીને તગડા પગારો મેળવે છે. વિદેશી બ્રાન્ડનાં કપડાં પહેરે છે. વારે તહેવારે

મોબાઇલ બદલે છે. નવા નવા આઇપોડના મોડલો વસાવે છે. રૂઆબ છાંટવા થાય એટલા

વલખાં મારે છે. પબમાં જઇને દારૂ પીવે છે. મોડી રાતમાં બહાર નીકળીને હાઇસ્પીડમાં

ગાડીઓ દોડાવે છે. ફૂટપાથ પર સુતેલા ભીખારીઓ અને ગરીબોને કચડી નાંખે છે, મારી

નાંખે છે. આમ સાહસના પ્રયોગો કરીને તે યુવતિઓને આકર્ષિત કરવાના પ્રયત્નો કરે છે.

આજની યુવાપેઢીને બધું જ ફાસ્ટ જોઇએ છે. માનવ જયારે માનવ મટી દાનવ બને ત્યારે ધર્મ

ને બદલે ધન, વિરાગ ને બદલે વિલાપ, યોગ ને બદલે ભોગનું સ્વાગત કરે છે. અંતરમાં

ધગધગતી આ ફાસ્ટ ઇચ્છાઓને પૂરી કરવા માટે તે લોકો ડીસીશન પણ એકદમ ફાસ્ટ લે છે.

ફાસ્ટ પરિચય,ફાસ્ટ ડેટીંગ,ફાસ્ટ મેરેજ અને પછી ફાસ્ટ ડીર્વોસ! ફાસ્ટ પરણી ગયેલાના મેરેજ

લાંબો ટાઇમ ટકતા નથી. સેંકડો યુવતિઓની મેરેજ લાઇફો રફે દફે થઇ ચૂકી છે.ઘર ઘર માં

આવા પ્રોબ્લમ સર્જાયા છે.ગૃહસ્થ જીવનનો મૂલાધાર છે,અર્થ અને કામ. આ બન્ને જયારે

અપસેટ થઇ જાય છે ત્યારે આખું ઘર અપસેટ થઇ જાય છે. આખું જીવન અપસેટ થઇ જાય છે.

ફાસ્ટ રૂપિયા કમાઇ લેવાની લ્હાયમાં મમ્મી પપ્પાઓને અંધારામાં રાખીને સુપુત્રોએ કરોડોનુંં

આંધણ શેર બજારમાં કરી નાંખ્યું હોય છે. (અથવા બીજા ત્રીજા ધંધાઓમાં લોકોના રૂપિયા

ભેગા કરીને ડૂબાડી દીધા હોય છે.) જયાં સુધી લેણદાર ગુંડાઓને ઘરે ન મોકલે ત્યાં સુધી

તો બધું સસ્પેન્સમાં રહે છે.પછી બધો પરપોટો ફૂટી જાય છે. વાત ઉઘાડી થઇ જાય છે અને

આખું કુટુંબ હેબતાઇ જાય છે. હવે ગુંડાઓની ચુંગાલમાંથી કેવી રીતે બચવું? વેપારીઓનું

તથા બેંકનું દેવું કેવી રીતે ચૂકવવું? સમાજમાં કેવી રીતે ઉભા રહેવું?સ્વજનોને કેવી રીતે

મોઢું બતાવવું? ઘર કેવી રીતે ચલાવવું? ભાગીને હવે કયાં જવું? વગેરે વગેરે હજારો પ્રશ્નો

ફણા ડોલાવતા નાગની જેમ ફૂંફાડા મારતા સામે ખડા થઇ જાય છે. જીવનની કઠણાઇ

કહીએ,કસોટી કહીએ કે અગ્નિપરીક્ષા કહીએ તે શરૂ થઇ જાય છે. માણસો આપઘાતના

વિચારોમાં ચડી જાય છે. ન કરવાના કામો કરી નાંખે છે. જીંદગી હારી જાય છે. ધર્મ ને ખોઇ

બેસે છે.મેં આવી રીતે પાયમાલ થતા અનેક લોકોને નજરે નિહાળ્યા છે.ઘરના એક જ

યુવાનની પાછળ આખા ફેમીલીને રીબાતા-સીદાતા મેં જોયું છે. અબ પછતાયે કયા હોત,

જબ ચીડીયા ચુગ ગઇ ખેત જે ખ્યાલ ભૂલ કરતાં પહેલા રાખવો જોઇએ એે ખ્યાલ યુવકો

રાખતા નથી. ફાસ્ટ નું ભૂત એના માથે એવું સવાર થયેલું હોય છે કે. એમને ચપટી વગાડતાં

રૂપિયાના ઢગલા થતાં દેખાતા હોય છે. રૂપિયા કમાવવાની બાબતમાં પોતાની જાતને તેઓ

સહુ કરતાં વધું હોંશિયાર માને છે. એમના જેવો બિઝનેસ કરતાં કોઇને આવડતો નથી, એવી

રાઇ એમના મગજમાં ભરેલી હોય છે, એટલે પ્રવચનો, શિખામણો કે આવા પ્રેરણાપત્રના

લખાણો તેમના માટે પ્રેરણાદાયી બનતાં નથી.હમ હી ખુદા હૈ! હમ કીસીસે કમ નહીં!

હમસે બઢકર કૌન? દીવા કરે તે દીકરા, બાકી બધા તો ઠીકરા.

ગૃહસ્થ જીવનનો મૂલાધાર ધન છે અને ધનનો મૂલાધાર ધર્મ છે. બન્નેમાંથી એકપણ અપ્સેટ

થાય એટલે સાથો સાથ બન્ને અપ્સેટ થઇ જાય છે.વેપાર અંગે સુંદર માહિતી આપતા

આચાર્યશ્રી હેમરત્ન સૂરીશ્વરજી મહારાજે બીઝનેસ સીલેકશન નામનું પુસ્તક લખ્યું છે.

ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધર્મબિંદુ ગ્રંથમાં દર્શાવેલ વેપારની સમજ આપી છે.

એમા ચાર સૂચનો કરાયા છેઃ-

(૧) તમારો ધંધો તમારી કુલ પરંપરાથી આવેલો હોવો જોઇએ. મતલબ જેમાં તમારી

આવડત હોય એવો જ ધંધો જ કરવો જોઇએ. (શેર બજારમાં બોરનું બીટ પણ

જાણતા ન હોય તો જોખમ કરવા ન જવાય).

(૨) તમારો ધંધો લોકનિદ ન હોવો જોઇએ. બીજાને પાયમાલ કરી નાંખે તેવો ધંધો પણ

નિંદ જ ગણાય.

(૩) તમારો ધંધો તમારી પોતાની મૂડી કે પ્રોપર્ટી જેટલી હોય તેટલો જ હોવો જોઇએં.

પારકા પૈસે ધંધો ન થવો જોઇએ. બજારના ઇન્વેસ્ટમેન્ટમાં તમારી પોતાની મૂડી

હોવી જોઇએ..

(૪) તમારો ધંધો ન્યાયપૂર્વકનો હોવો જોઇએ.

તા. ૨૧-૧–૨૦૦૯ ના સોમવારે સવારે શેર બજારનો ઉછળતા બજારે બરાબર ૧૦-૦૫

મિનિટના કાળ ચોઘડિય એકાએક ઇન્ડેક્ષ તૂટયો. સાવ તળીયે આવી ગયો. આજ સુધી રોજ

દહાડો ઉગેને ઇન્ડેક્ષ કુદકેને ભૂસ્કે ઉપર જ જઇ રહ્યો હતો. સહુના હૈયે આનંદ અને

હર્ષોલ્લાસનો કોઇ પાર ન હતો. લીધેલા શેર કોઇ વેંચવા તૈયાર ન હતું.સહુને અતી

ઉજજવલ ભાવિના દર્શન થતાં હતા. હજી વધશે. હજી વધશે. આ તો કાંઇ નથી દોસ્ત! હજુ

વધશે, હજી તેજી વધવાની છે. આવી તેજીમાં કોઇ દિવસ વેંચાય જ નહીં. લીધે જાવ, લીધે

જાવ.લોકો ભરતાંજ ગયા.અંતે એક કાળ ચોઘડીયે શેરબજારના આખલાએ શીંગડા નમાવીને

ઉંધા માથે યાહુ કરીને ઝંપલાવી દીધું. તે ચોઘડીયાને તે ક્ષણો, તે દિવસ કચ્છના જાન્યુઆરી

૨૬ના ભૂંકપને યાદ કરાવી ગયો. કેટલા મર્યા, કેટલા કચડાઇ ગયા, કેટલાકને ફે્રકચર થયા.

કેટલાના હાડકાં ભાંગીને ભૂક્કો થયા તેનો કોઇ આંકડો છાપામાં જાહેર ન થ્યો હોવા છતાંય

ભૂકંપ કરતાંય ભારે હોનારત શેરબજાર કંપાયમાન થવાથી થઇ ચૂકી હતી. મુંબઇના દરિયા

કિનારે, લોકલટે્રનના પાટા પર અને અમદાવાદમાં સ્યુસાઇડ માટે ફેમસ થયેલા કાંકરિયા

તળાવની પાળ ઉપર પોલીસો ગોઠવવી પડે એટલી હદે પરિસ્થિતિ ભયજનક બની હતી.

મોબાઇલ ફોનમાં એસ.એમ. એસ. ના સ્વરૂપે સુભાષિતોની સરવાણીઓ ફૂટી નીકળી હતી.

કેટલા ગોલ્ડન વાકયો મને યુવાનોએ સંભળાવેેલા :-

૧) મહુડી ની સુખડી અને શેરબજારની મૂડી, કોઇ ઘરે લઇ જઇ શકતું નથી.

૨) આ તે દલાલ સ્ટી્રટ કે હલાલ સ્ટી્રટ.

૩) શેર બજાર પોતે એક પવિત્ર ટેમ્પલ છે, જયાં મુકીને જવાનું હોય, લઇ જવાનું નથી

હોતું નથી.

૪) તારે ઝમી પે નહીં , સારે ઝમી પે.

૫) રાઇના ભાવ રાત્રે ગયા, શેરના ભાવ દહાડે ગયા.

૬) જેનું આગલું બારણું બજારમાં ખુલે અને પાછલું બારણું સ્મશાનમાં ખુલે તેનું નામ

શેરબજાર..

૭) પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સખ તે શેરબજારે રમ્યા, ત્રીજું દુઃખ તે જીવતા

મૂઆ!

શેર બજારે તો તમને ભર્યા બજાર વચ્ચે બેય ગાલે ધડાધડ સેંકડો તમાચા,ગડદા પાટુ અને

લાતો મારીને ધકેલી દીધા હોવા છતાંય તમે સાવ જ નફફટ બનીને ફરી પાછા એ જ બજારના

આંગણામાં પહોંચી જાવ છો. તમને માન-અપમાનની કશી જ પડી નથી. અરે!ઘરમાં આવતા

કૂતરાને પણ એકવાર લાકડી મારીને ભગાડીએતો કુતરો પણ લાકડીનો માર યાદ રાખીને

ફરીવાર પાછો તે બારણે નથી આવતો. માણસને શું કૂતરા જેટલી પણ અક્કલ નથી? કોને

કહીએ? કેટલું કહીએ? કૌન સુનતા હૈ? કૌન સમજતા હૈ? કૌન લૌટતા હેૈ?લાઇફને

ડીર્સ્ટબ કરી નાંખે તેવા રસ્તા કયારેય લેશો નહીં. રોટલો અને મરચું મળતું હોય તો પ્રેમથી

એટલાથી ચલાવી લેજો. પણ પુરી અને દુધપાકના કટોરા પર તરાપ મારવાની મૂર્ખામી ન

કરશો. સંભવ છે કે દુધપાકતો હાથમાં આવે જ નહીં . પણ હાથમાં થી રોટલો પણ ઝુંટવાઇ

જાય!તમે સાવ ભૂખે મરી જાવ, એવી મૂર્ખામી કયારેય કરશો નહીં.

ભૌતિકક્ષેત્રમાં ખોટો નિર્ણય લેવાય જાય તો અધ્યાત્મિક ક્ષેત્રે પણ તેનો આંચકો લાગે છે.

તમારી ધર્મકરણી હલી જાય છે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પ્રવચન શ્રમણ આદિ નિત્ય

આરાધનાના યોગો પણ ડહોળાઇ જાય છે. માનસિક રીતે ધર્મ કાર્યમાં એકાકાર થઇ શકતા

નથી. એટલે ધર્મક્ષેત્રે પણ ખોટી વિક્ષેપક પ્રવૃત્તિમાં જોડાઇ ન જાવ ની ખાસ તકેદારી રાખજો.

એક સંઘમાં ઉપધાન તપની આરાધના થવાની હતી. જાહેરાત થઇ ચૂકી હતી. નામો નોંધાઇ

ચૂકયા હતા. ઉપધાન શરૂ થવાની રાહ જોવાતી હતી. એવામાં કેટલાક ભાઇઓ એ આ

જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો. બીજા બે-ચાર-દસ ભાઇઓએ એમને ટેકો આપ્યો. વિરોધનો

વંટોળમોટો થઇ ગયો. વિરોધીવર્ગે આત્મસંતોષ માણ્યો.સમયવીતી ગયો.વર્ષો પછી સમાચાર

સાંભળ્યાકે જેટલા વિરોધમાં હતા,તેબધાજ અંતે કેન્સર જેવી અસાધ્ય બિમારીનો ભોગબનીને

આ લોકમાંથી વિદાય થયા હતા. સમાધી મૃત્યુ પણ ન પામી શકયા.ઉપધાન જેવા

અનુષ્ઠાનમાં સમૂહમાં કેટલી બધી આરાધના થાય છે? તેનો કોઇ અંદાજ તમે લગાડયો છે?

એક એક આરાધક રોજની ૨૦ બાંધી માળાનો જાપ કરે છે. સો લોગ્ગસનો કાયોત્સર્ગ કરે

છે. સો ખમાસમણા આપે છે. બે ટાઇમ પ્રતિક્રમણ, બે પડિલેહણ, ત્રિકાળ દેવવંદન કરે છે.

આવી સાધના બસો માણસો કરે ત્યારે ગુણાકાર કેટલો મોટો થાય? વિરોધ કરતા માણસો

કેટલા મોટા પુણ્યના પ્રોડકશનને રોકી પાડે છે. તમારી ફેકટરીમાં ૨૦૦ માણસો સ્ટા્રઇક પર

જાય તો કેટલું નુકશાન થાય છે. તમને સહુને ભલામણ કરું છું કે, તમારા સંઘમાં, ગામમાં,

ગ્રુુ્રપમાં જ્ઞાતિમાં કાંઇ સારૂ કાર્ય થતું હોય તો સાથ આપજો પણ વિરોધ ન કરજો. જો વિરોધ

કરશોતો સકળ વિશ્વનું કલ્યાણ કરનારી આરાધનાઓમાં અંતરાય કરવાથી મોટું નુકશાન થાય

છે અને અંતરાયકર્મ બંધાઇ જાય છે. તમારે ખર્ચવાની તૈયારી ન હોય તો તમે ભલે ન ખર્ચો,

પણ બીજાને અંતરાય કરવાનું પાપ કયારેય ન કરશો. ધર્મ પ્રવૃત્તિમાં વિક્ષેપ કર્યાનુ મોટું પાપ

બંધાય છે. જન્માંતરમાં ફરી તેમને કયારેય કોઇ ધર્મકાર્ય કરવાનો ચાંસ જ નથી મળતો. આખી

જીંદગીમાં કોઇ સારું કામ કરી નહીં શકે. શુભપ્રવૃત્તિને કયારેય રોકશો નહીં. ફરી ફરી ને આ

વાત એટલા માટે રીપીટ કરી છે કે ધર્મપ્રવૃૃત્તિમાં વિક્ષેપ કરવો તે ઘણું મોટું પાપછે. તેના

વિપાકોે ખૂબ ખરાબ હોય છે, માટે તમને સાવધ કરવાની મારી ફરજ છે. આજની ઉગતી

પેઢીને કળિયુગના કલુષિત દોષિત વાતાવરણથી મુકત કરી બચાવી લઇ- સ્નેહ,સેવા,સદાચાર

અને ધર્મના માર્ગે વાળવાની જરૂર છે. જિનમંદિરનો ખર્ચો ખોટો નથી. આપણી સમજણ

નથી -ખર્ચ સાર્થક છે. આપણને આ તારક ભકિતયોગનું આલંબન કરવાનું સ્થળ -આત્મઘર

પરમાત્મા તરફ લાવવાનું કામ આ જિનમંદિરથી જ શકય છે. ભગવાનનું દેરાસર એટલે

સદબુદ્ધિ ના બીજ ને વાવવાનું ખેતર. બીજ વવાયેલું હોય એટલે એ ઉગવાનું જ. જિનાલય

ધ્યાનની સંપત્તિનુ નિધાન છે.

મારી તબિયતની ખબર કાઢવા ઘરે મારા મિત્ર કિર્તીભાઇ આવ્યા. દેરાસરમાં સ્તવન ગાય,

ગળાની મીઠાશ ખૂબ જ સરસ છે - તમે બાહર જતાં હો તો પણ મન કહે આટલું સુંદર સ્તવન

ગાય છે સાંભળી ને જ જઇએ.

તેમણે કહેલ બે એક વાત અહીં લખું છું.એક ભાઇનો કોર્ટ કેસ હતો–જજમેન્ટનો દિવસ હતો

એટલે પોતાના મિત્રને કહ્યું કે તું સાથે આવ. મિત્રે ના પાડી. મન માં દુઃખ થયું.પછી બીજા

એક મિત્રને પુછયું તું સાથે આવ. તે કહે કે હું કોર્ટના દરવાજા સુધી આવીશ પણ અંદર સાથે

નહીં આવું. આખરે ત્રીજા એક મિત્રને પુછયું- તે તો તૈયાર થઇ ગયો. હવે વાત નો ખુલાસો

કરું. પહેલો મિત્ર સંપત્તિ હતો. મૃત્યુ થાય ત્યારે પૈસા સાથે ન આવે. બીજો મિત્ર સગા-સંબંધી

હતા. સ્મશાન સુધી સાથે આવે પણ છેલ્લે તમને બાળવામાં આવે ત્યાં સુધી સાથે રહે - એટલે

બીજો દરવાજા સુધી સાથે આવીશ તેમ કહે છે અને ત્રીજો મિત્ર - આપણા પાપ-પુણ્ય-ધર્મ-

કર્મ છે તે ઠેઠ સુધી સાથે રહે છે.

જીવન અમુલ્ય છે તો જયાં સુધી જીવીએ બધે આપણી સુવાસ ફેલાવવી જોઇએ. પૈસા જીવન

સુધી સાથે રહેશે,કુટુંબીઓ સ્મશાન સુધી સાથે આવશે-જયારે ધર્મ-પુણ્ય-પાપ-કર્મતો

પરભવમાં પણ સાથે આવશે.માણસની ઉન્નતિ કે અવનતિનો આધાર જીભ છે.જીભ,ઝેર અને

અમૃત બંનેની ખાણરુપ છે. દુનિયામાં તમારુ કોઇ નથી. જે કોઇ તમારું છે,તમારી પાસે તે

અનામત તરીકે છે. પુત્ર છે તો પુત્રવધુની અનામત છે. પુત્રી છે તો જમાઇની અનામત છે.

શરીર સ્મશાનની અને જીંદગી પણ મોતની અનામત છે. તમે જો જો એક દિવસ પુત્ર તેની

વહુનો થઇ જશે. પુત્રીને જમાઇ લઇ જશે. શરીર સ્મશાનની રાખમાં મળી જશે અને જીંદગી

મોત સામે હારી જશે. તો અમાનતને અમાનત સમજીને જ તેની સાર-સંભાળ કરજો. તેના

પર માલિકીનો સિક્કો ન લગાડી દેતા..

બીજી વાત. બે મિત્રો હતાં. એક શ્રીમંત-બીજો મધ્યમ. સારી દોસ્તી હતી. હવે મધ્યમ હતો

તેની દિકરીના લગ્ન નક્કી થયાં. પણ નાણાંકીય ભીડ હતી. તેણે મનમાં બીજા મિત્ર પાસે

લોન લેવાનું વિચાર્યું. ખૂબ મન મજબુત કરી ને શ્રીમંત મિત્ર પાસે જાય છે.પહેલો ખુબજ ખુશ

થાય છે. ઘણી વાતચીતો થાય છે છેલ્લે તે મિત્ર ને કહે છે કે મને પાંચ હજાર રૂપીયા જોઇએ

છે તને ધીમે ધીમે લગ્ન બાદ પરત કરીશ. તરતજ પાંચ હજાર રૂપીયા આપી દે છે. મિત્ર જાય

છે. પણ શ્રીમંત મિત્ર નું મોઢું ખૂબજ સીરીયસ હોય છે તેના પત્ની ત્યાં જ હતાં-કહે છે કે

રૂપીયા ન આપવા હોય તો બહાનું કાઢી લેવું હતું. હવે આપ્યા પછી શું વિચાર કરો છો? વરે

જવાબ આપ્યો પૈસાનો વિચાર નથી પણ મને મનમાં એમ થાય છે કે મારા મિત્રને અહીં સુધી

આવવું પડયું રૂપીયા માટે. ખરેખર મારી ફરજ હતી તેના ઘરે જઇ કાંઇ જરૂરત હોયતો પુરી

કરવાની. મને કેમ આવો ખ્યાલ ન આવ્યો? તેનું જ મને દુઃખ છે રૂપીયાનું દુઃખ નથી. મારી

ફરજ મારે ચુકવી ન જોઇએ.

નવકારમંત્ર માં પ્રથમ શબ્દ નમો છે. જે નમશે તે સહુને ગમશે નહીંતો ભવમાં ભમશે.

નમન એટલે વિનય. વિનય જીવન વિકાસનું પ્રથમ સોપાન છે. વિનયશીલ વ્યકિત જ ઊંચી

બની શકે છે. વિનયશીલ વ્યકિત જ કુટુંબ, સમાજ, સંઘ કે રાષ્ટ્રમાં પોતાનું સ્થાન નિશ્ચિત

કરી શકે છે.

જીવનમાં નમ્રતા ખુબ જ જરૂરી છે.મને અનુભવ થયેલ એક વાત યાદ આવે છે તે લખું છું

એકવાર પાવાપુરી (આબુ થી ભૈરુતારક જતા વચમાં આવે તે) અમો ગયેલ દેરાસરમાં પુજા

કરવા લાઇનમાં ઉભા હતા-ઘી તો ખુબજ ઉંચીે બોલી ને આદેશ લીધો હશે, આપણે તો

લાઇનમાં ઉભા હતા.મારી આગળ કોઇક વડીલ મોટી ઉમ્રના હતા-અને દેરાસરના પુજારીઓ

તેમની પાસે સલાહ સુચન માટે આવતાં હતા. વખત આવે પુજા થઇ ગઇ. દેરાસરની બહાર

અમો આવ્યા - એટલે કુતહલ વશ પુછયું કે આ ભાઇ કોણ છે? પુજારીજી એ કહ્યું-શું તમોને

ખબર નથી? મેં કીધું કે હું તો બેંગલોરથી આવુ છું -હું કયાંથી ઓળખું? પુજારીજી કહે કે તે

વડીલ કે.પી.સંઘવી ના પરિવાર જન છે -આ દેરાસર ગૌશાળાકરોડો રૂપીયા તેઓ

ધર્માદામાં વાપરે છે.મેં કહ્યું કે તો તેમને લાઇનમાં ઉભા રહેવાની શી જરૂર? તે તો સીધા

ગભારામાં જઇ પુજા કરી શકતા હતા. પુજારીજી એ કહ્યું અમારા શેઠ ખુબજ સિદ્ધાંતવાદી

છે-પુજા માટે હંમેશ લાઇનમાં ઉભા રહીને જ કરશે- તેઓ સીધા જઇ શકે- કોઇ એને

અટકાવી ન શકે-પણ તેમનું માનવું છે હું પણ બધાની જેમ જ છું. શેઠની નમ્રતા ને હું

મનોમન વંદન કરી રહ્યો. ભગવાનને તરત પ્રાર્થના કરી કે લક્ષ્મી મળે - પણ આમની જેમ

નમ્રતા - વિનય- વિવેક પણ સાથે મળે. જીવનમાં પરિગ્રહ રાખો કે મારી પાસે દાખલા તરીકે

૫૦ કરોડ થી વધારે રુપીયા થશે તો હું સંપૂર્ણ રકમ સદકાર્યોમાં વાપરીશ. મારી પાસેઆજની

તારીખે આ રકમ નથી પણ મારા દીકરા- વહુ (નીલેશ-ડોલી) પાસે તેમની રાજીખૂશી સંમતી

થી જ- બાધા લેવરાવેલ છે કે તેમારી પાસે ટોટલ પચાસ કરોડ ઉપર જે પણ મુડી થાય તે

તમામ તમો શુભ કાર્યોમાં વાપરશો. હું આશા કરું છું -વાંચક મિત્રૌ પાસે કે તેઓ પણ

મનથી જરૂર અમુક રકમ નક્કી કરે - અને તેનાથી ભગવાન વધારે રકમ આપે તો પુરેપુરી

રકમ સારા માર્ગે વાપરીશું તેમ નક્કી કરે. જો સાચા હૃદયથી બાધા લેશો તો મારુ માનવું છે કે

ભગવાન તે રકમ સુધી તમોને જલ્દી થી જ પહોંચાડશે. પણ પછી જ કસોટી છે, બાધા

પાળવાની. નહીંતર ખુબ જ વિપરીત પરિણામ આવશે. ભગવાન ના ઘેર દેર છે પણ અંધેર

નથી તે કાયમ યાદ રાખશોજી.

બળદેવ મુનિવર હતા. રૂપવાન હતા. નગરમાં જાય તો સ્ત્રીઓ તેમના રૂપમાં પાગલ થઇ

જતી. કૂવાના કાંઠે એક સ્ત્રી તેમનું રૂપ જોઇ એવી આસકત થઇ ગયેલી કે,દોરડાનો ગાળો

ઘડાને બાંધવાને બદલે તેણે બાળકના ગળામાં નાંખી દીધો હતો. રસ્સી ખેંચવાની તૈયારી હતી

ત્યાં મુનિવરની નજર પડી. એમણે રાડ પાડી અને અર્નથ થતો અટકાવી દીધો. પોતાના રૂપ

પાછળ થઇ રહેલા અનર્થને નિહાળીને મુનિશ્રીએ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી કે,હવે વનવગડામાં

પડયો રહીશ પણ ભિક્ષા ગ્રહણ કરવા માટે નગરમાં નહીં આવું. જંગલમાં ભિક્ષા મળશે તો

ભોજન કરીશ, અન્યથા ઉપવાસો કરી દેહને ખપાવી દઇશ. કૂવાના કાંઠેથી જ મુનિવર પાછા

ફરી ગયા. બસ! ગયા તે ગયા! ફરી કયારેય નગરમાં પાછા ન ફર્યા તે ના જ ફર્યા!

જંગલમાં વસતાં ત્યાંના પશુઓ પણ તેમના ભકતો બની ગયા. મુનિશ્રી ધ્યાન ધરતા ત્યારે

પશુઓ ચારેકોર વીંટળાઇને ગોઠવાઇ જતા. સમય જતા એક હરણ મુનિશ્રીનું પરમભકત

બની ગયું હતું. તે જંગલમાં આથડયા કરતું હતું અને આજે કયાંથી આહાર મળશે? તેની

શોધ કર્યા કરતું. વનવગડાંમાં લાકડા કાપવા આવેલ લોકો પોતાની સાથે ભાતું (ટીફીન)

લાવ્યા હોય તો હરણ, મુનિશ્રીને ખેંચીને ત્યાં લઇ જતું. એકવાર એક સુથાર ઇમારતી કાષ્ટ

લેવા વનમાં આવ્યો હતો. તેણે ઝાડની અડધી શાખા કાપીને અધૂરી છોડી હતી. ભોજનનો

સમય થતાં તેણે ડબ્બો ખોલ્યો હતો. હરણ, બળદેવમુનિના વસ્ત્રનો આંચલ ખેંચીને ત્યાં

લઇ ગયું હતું. સુથાર પણ ઉદાર ભાવે ઉભો થઇને મુનિશ્રીને તેડવા આવ્યો હતો. વૃક્ષની નીચે

અડધી કાપેલી શાખાની નીચે મુનિશ્રી પધારતાં સુથારે સુપાત્રદાનની તૈયારી કરી. મુનિશ્રીએ

હાથ લંબાવ્યો.સુથાર આહારદાન કરી રહ્યો હતો. તપસ્વી મુનિ આહાર ગ્રહણ કરી રહ્યા હતા.

એક આહારદાતા છે, તો બીજો તપસ્વી છે. બંનેને જોઇને હરણ સાચા ભાવે અનુમોદના કરે

છે, ધન્ય છે આ મુનિવરને! જેઓ તપ કરે છે, ધન્ય છે આ સુથારને! જે તપસ્વી મુનિશ્રીને

પારણું કરાવે છે. અંતરના અહોભાવથી હરણ કિલ્લોલ કરી રહ્યું હતું. ત્યાંજ એકાએક પ્રચંડ

પવનનો ધક્કો આવ્યો. અડધી કાપેલી શાખા તૂટી પડી. એક જ લાઇનમાં ઉભેલા સુથાર, મુનિ

અને હરણ ત્રણેના મસ્તક રંગાઇ ગયા. એકી ઝાટકે ત્રણેયના પ્રાણ ઉડી ગયા. કરણ, કરાવણ

અને અનુમોદનાના ભાવ સાથે દેહાંત પામીને ત્રણેય જણ એક સાથે પાંચમા દેવલોકમાં દેવ

તરીકે ઉતપન્ન થયા.તપસ્વી મુનિવરને અને દાતાર સુથારને તો જરૂર દેવલોક મળ્યો,પણ

માત્ર અનુમોદના કરીને પાર્ટનર બનેલા હરણને પણ દેવલોક મળ્યો. ત્રણેને એક સરખું

રીઝલ્ટ મળ્યું. આ છે અનુમોદનાનો ચમત્કાર..

મારી માતા મને ઘણી વાર પૂછતી કે શરીરનું સૌથી મહત્વનું અંગ કયુ?દરેક વખતે હું

વિચારતો અને મારી તે સમયે સુઝ હતી તે પ્રમાણે સાચો જવાબ આપવા પ્રયત્ન કરતો.

જયારે હું ખૂબ નાનો હતો ત્યારે મેં વિચારેલું-અવાજ ઘણો મહત્વનો છે તેથી મેં કહેલું,

મારા કાન, મમ્મી .તેણે કહેલું, ના, ઘણાં લોકો બહેરા હોય છે,પણ તું વિચારજે અને

ફરી જલ્દી હું તને પાછું પૂછીશ ત્યારે સાચો જવાબ આપજે .

થોડા વર્ષો પસાર થઇ ગયાં અને ફરી તેણે મને પૂછયું, મારા પહેલા જવાબ પછી મેં થોડું

વિચાર્યું હતું અને આ વખતે મેં સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરતાં કહ્યું, મમ્મી, મનુષ્ય

માટે આંખ ખૂબ મહત્વ ની છે, તેથી સૌથી મહત્વનું અંગ આંખ હોવી જોઇએ.તેણે મારી

સામે જોયું અને કહ્યું કે તું ઝડપથી ઘણું શીખી રહ્યો છે, પણ આ જવાબ સાચો નથી, કારણ

કે આ જગતમાં ઘણાં લોકો અંધ છે.

ફરી હું ચૂપ થઇ ગયો અને મારી જ્ઞાનપિપાસા વધતી રહી. માતાએ ઘણીવાર મને એજ પ્રશ્ર્ન

ફરી -ફરી પૂછયો અને દરેક વખતે મારો જવાબ સાંભળી તે કહેતી. ના, પણ દિકરા તું વર્ષે

વર્ષે હોંશિયાર થતો જાય છે.

ગયા વર્ષે મારા દાદા ગુજરી ગયા. બધાને ખુબ દુઃખ થયું. બધા રડતાં હતા. મારા પપ્પા પણ

રડતા હતા.મને એ ઘટના યાદ છે,કારણકે મારા જીવનમાં તેઓ બીજી વાર રડી રહ્યા હતા.

મારી માતાએ મારી સામે જોઇને મને ફરી એક વાર પેલો પ્રશ્ન પૂછયો,વહાલાં, શું તું જાણે

છે,શરીરનું સૌથી મહત્વનું અંગ કયું?

આ પ્રસંગે તેણે મને આ પ્રશ્ન પૂછયો ત્યારે હું આભો જ બની ગયો. મેં હંમેશા વિચારેલું કે

આ આમારા વચ્ચેની એક રમત છે. તેણે મારા ચહેરા પરના ગૂંચવણના ભાવ જોઇ મને કહ્યું,

આ પ્રશ્ન અતિ મહત્વનો છે તે જયારે જયારે આ પ્રશ્નનો જવાબ આપ્યો ત્યારે ત્યારે મેં તને

કહ્યું તું ખોટો છે અને એ માટે મેં તને કારણ પણ આપ્યા છે, પણ આજે તારે એક અતિ

મહત્વનો પાઠ શીખવાનો છે. એક માતા જ પોતાના સંતાન તરફ જોઇ શકે એવી નજરે તેણે

મારી સામે જોયું.તેની આંખમાં અશ્રુ હતાં તે બોલી.વહાલાં,શરીરનો સૌથી મહત્વનો ભાગ

છે ખભો. મેં આશ્ચર્યથી પૂછયું.શા માટે? તે બોલી,કારણ કે ખભો મિત્ર કે અંગત

સ્વજન જયારે દુઃખમાં હોય ત્યારે તેમના માથાને ટેકો આપે છે. વહાલાં, જીવનમાં જયારે

દુઃખ આવે કે રડવાનો પ્રસંગ આવે ત્યારે તેમના માથાને ટેકો આપે છે, દરેક વ્યકિતને એક

ખભાની જરૂર હોય છે. જયાં માથું મૂકી તે પોતાનું દુઃખ હળવું કરી શકે. હું એવી આશા રાખું

છું, કે તારા જીવનમાં એટલો પ્રેમ અને એટલા મિત્રો હોય કે જયારે કદાચ દુઃખની ઘડી આવે

ત્યારે હંમેશા તને કોઇનો ખભો તો મળી જ રહે.ત્યાં અને ત્યારે જ મને જીવનનું એક સત્ય

સમજાઇ ગયું, કે શરીરનો સૌથી મહત્વનો ભાગ ર્સ્વાથી એવો નથી.. પણ બીજાના દુઃખને

સમજી શકે અને મુશ્કેલી સમયે મદદરુપ બની રહે એવો છે. લોકો ભૂલી જશે તમે શું કહેલુ.

લોકો ભૂલી જશે કે તમે શું કરેલું, પણ તમે તેમને તમારા વર્તન દ્વારા કેવો અનુભવ કરાવેલો

એ તેઓ હંમેશા યાદ રાખશે. સારા મિત્રો તારા જેવા છે જેને તમે હંમેશા જોઇ ન શકો.પણ

તેઓ હંમેશા હોય તો છે જ-જયારે તમને એની ખરી જરૂર હોય.(આ વાર્તા વિકાસ ધનશયામ

નાયક લિખિત શ્રેણી ઇન્ટરનેટ કોર્નરપૈકીના પુસ્તક કથા કોર્નરમાંથી સાભાર.)

એક બહેન નો નાનો દિકરો ખુબ જ ગોળ ખાતો હતો - એટલે મહારાજ પાસે બાધા ગોળ -

મુક લીમીટ માં ખાવાનો તે લેવા ગયા. પણ સાહેબજી એ કહ્યું કેપંદર દિવસ પછી આવજો.

બેનપંદર દિવસ પછી જાય છે- સાહેબે તરતજ બાધા આપી દીધી. બેન વિચારમાં પડી ગયા,

પહેલા ન આપી ને હવે ફટાફટ આપી દીધી - સાહેબજી તમો પહેલા કેમ બાધા ન આપી -

મને સમજાતું નથી?આ બાધા તો ત્યારે જ આપી શકત? સાહેબજી એ કીધું કે હું પોતે જ

ગોળ વધારે ખાતો હતો- એટલે પહેલા મેં તે ઓછો કર્યો - પછી જ હું બાધા આપવા યોગ્ય

બનું. પહેલા મારા આચરણમાં આવવું જોઇએ પછી જ બીજાને કહેવાય. આ તો તેના જેવું

કહેવાય કે હું જુગાર રમું અને બીજાને કહું કે આ ન કરાય. તેની અસર થાય જ નહીં. પહેલા

આચરણમાં મુકવું પડે પછી જ બીજાને કહેવાય તો જ વાતનું વજન પડે. સુખ પુણ્યથી મળે

છે અને પુણ્ય ધર્મથી પેદા થાય છે. સુખમાં મસ્ત બનીને જે ધર્મને જ ધક્કો મારે એ

વિશ્વાસઘાતી અને સ્વામીૃદ્વોહી ગણાય.જેણે પુણ્ય કર્યુ હોય, એને જ સુખ મળે આ વાતમાં તો

તમારી પાકી ખાત્રી છે નેે? કેટલાક માણસો નોકરી કરે છતાં પેટ પણ ભરી શકતા નથી.

જયારે કેટલાક જનાવરોની તહેનાતમાં પણ માણસને નોકર તરીકે કામ કરવું પડે છે. આ

બતાવી આપે છે કે પુણ્ય વિના સુખની પ્રાપ્તિ સંભવી શકાતી નથી. ધર્મથી પુણ્ય અને પુણ્યથી

સુખ મળે ખરું,પણતે સુખમાં જે રાગી બની જાય,ધર્મ ભુલી જાય-એેના તો બાર જ વાગે.

સુખમાં રહું વેૈરાગ્યથી- દુઃખમાં રહું સમતા ધરી ;

પ્રભુ આટલું ભવોભવ મને તું આપજે કરૂણાકરી

આમ રહેશો તો સારુ. કોઇકના દુઃખને દૂર કરવાની તાકાત આપણામાં ન હોય એ તો સંભવ

છે પરંતુ કોઇકના દુઃખને સાંભળવા જેટલો સમય પણ જો આપણી પાસે નથી તો સમજવું કે

આવતીકાલે આપણુંય દુઃખી થવું નિશ્ચિત છે.

રાજાની સભામાં એક જયોતિષી આવ્યા. રાજાએ ભવિષ્ય જાણવા ઇચ્છા વ્યકત કરી.

કરી..જયોતિષીએ જોયું અને ઉદાસ થઇ ગયો. રાજાએ કહ્યું ઉદાસ શું કામ થાઓ છો? જે

હોય તે જણાવો. જયોતિષીએ કહ્યું, રાજન વાત ઘણી અશોભનીય છે. પણ આપ જાણવા

ઇચ્છો છો એટલે મારે જણાવવું જ પડશે. આપની નજર સમક્ષ આપનો આખો પરિવાર એક

પછી એક મરણને શરણે થશે.રાજાએ સાંભળ્યું, ઘણો ક્રોધ ઉત્પન્ન થયો. તેણે જયોતિષને

દેશનિકાલ કર્યો.

થોડાં દિવસો બાદ એક બીજા જયોતિષ આવ્યા. રાજાએ તેને પણ પોતાનું ભવિષ્ય જણાવવા

કહ્યું.તેણે કહ્યું,‘‘રાજન! આપ ઘણાં સૌભાગ્યશાળી છો.આપ લાંબા સમય સુધી જીવશો.

આપ ચિરાયુ થશો. સમગ્ર પરિવારમાં આપ દીર્ધાયુ થશો.‘રાજા પ્રફુલ્લિત થઇ ગયો. તેણે

જયોતિષને ખૂબ ઇનામ આપ્યુ.વાત એકની એક જ હોય,પણ એક માણસ એવી મીઠાશ અને

ખૂબી થી રજૂ કરે છે કે સાંભળનાર આનંદથી ડોલી જાયઃ જયારે એની એ જ વાત બીજા એવા

કટુ શબ્દમાં મૂકકે સાંભળનાર હસતો હોય તોય રડી પડે. બંન્ને જયોતિષીએ એક જ વાત કરી

પણ વાત કહેવાની રીત જુદી હતી. કુશળ એ છે જેને બોલતા આવડે છે, એક વાતની રજુઆત

પ્યાલો ખાલી છે તેમ હતીે નેગેટીવ. બીજાની વાત ની રજુઆત પ્યાલો અર્ધોભરેલ છે તેમ

હતું-પોઝીટીવ. હંમેશા હકારાત્મક- પોઝીટીવ રીતે વાતની રજુઆત લાભદાયક નિવડે છે.

નેગેટીવ - નકારાત્મક વલણ નુકસાનકારક નિવડે છે.

શબદ શબદ તું કયા કરે? શબદકો ન હાથ ન પાંવ;

એક શબદ ઓૈષધ કરે, એક શબદ કરે ઘાવ.

શબ્દને હાથ પગ નથી પણ એનામાં એવી તાકાત છે કે સુંદર રીતે એનો ઉપયોગ થતો હોય

તો એ દાઝેલા હૈયાના ઘા પર મલમનું કામ કરે. પણ એજ શબ્દ અણઘડ રીતે વાપર્યો હોય તો

કોઇના દિલમાં ન હોય તોય જખમ ઊભો કરે. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરોકે

કોઇકવાર કોઇક દુઃખી માણસને મળો-તો એમ નહી બોલતા કે તે એના ગયા ભવના

પાપકર્મ ભોગવે છે! આવું બોલવું પણ ઘોર પાપ છે. સૌને કર્મ મુજબ જ ફળ મળે છે! પણ

દાઝેલાને ડામ દેેશો નહીં - બોલવામા વિવેક રાખજો - બંને તો એનું દુઃખ ઓછું કરવા

કોશીશ કરજો. જીવતા માણસની ઉપેક્ષા કરી કોઇ વ્યકિત કદીય સાચો ધર્મ પાળી કે નિભાવી

શકે ખરો?

પોતાના બે માળનું નવું જ બંધાયેલું મકાન આજે સવારના જ તૂટી ગયું હોવા છતાં એ યુવક

ખૂબ મસ્તિથી બજારમાં ફરતો હતો. અરે! એકઠા થયેલા ચાર પાંચ મિત્રોને તે નાસ્તો

કરાવવા એ હોટલમાં લઇ ગયો. દોસ્ત! નવું જ મકાન તૂટી ગયું તો ય કાંઇ થતું નથી ?

થાય શું? ખૂબ આનંદમાં છું.શું વાત કરે છે!સાચી વાત કરું છુંકારણ કે

અત્યારે પાંચ વાગે તો હું સપરિવાર એ મકાનમાં રહેવા જવાનો હતો. જો રહેવા ગયા પછી

આ મકાન તૂટયું હોત તો ? નસીબદાર ગણું છું મારી જાતને કે મકાન વહેલા તૂટયું!મિત્ર

શું બોલે? મનની સમાધી કેવી રીતે ટકાવવી એનું સૂચક આ દષ્ટાંત છે. સંસારમાંં આવા

પ્રતિકુળ પ્રસંગો તો ડગલે ને પગલે બનતાં જ રહેવાના! જો બગડતા એ પ્રસંગો પાછળ

મનને બગાડશો તો તો જીવનની શાંતિ ગુમાવી બેસસો. અપનાવજોે આવી સાત્વિક

વિચારણા! અપનાવજો આવી પોઝીટીવ થીંકીંગ. જીવન જીતી જશો.

જેનું મન સ્થિર થયું તે પૂરો સુખી. મન સ્થિર ન થાય તો સાધુ પણ દુઃખી. સાધુની ખુમારી -

મસ્તી એની નિસ્પૃહતામાં છે. કેશીકુમાર શ્રમણે એક દિવસ ભગવાન મહાવીર સ્વામીના

પ્રમુખ ગણધર ગૌતમ સ્વામીને પ્રશ્ન કર્યોઃ તમે હજારો શત્રુઓની વચ્ચે રહો છો, તેઓ

તમારા પર હુમલો પણ કરે છે. છતાં તમે કેવી રીતે વિજયી થાઓ છો? ગૌતમ ગણધરે કહ્યું-

પહેલા હું મારા એક શત્રુને જીતી લઉં છું. પછી સહેલાઇથી ચારને જીતી લઉં છું. ચાર તાબે

થાય એટલે દસ પર હલ્લો કરું છું ને વિજય મેળવું છું. કુમાર શ્રમણે પૂછયું- એ શત્રુઓ કયા

કયા? ગૌતમ બોલ્યાઃ પહેલા તો સૌથી મોટો શત્રુ મારો અહંકારી આત્મા. એના પર વિજય

મેળવું એટલે ક્રોધ,માન,માયા,લોભ એ ચાર કષાય શત્રુઓ તરતજ જિતાય છે. એ ચારને

જીતી લઉં એટલે કાન,નાક,આંખ,જીભ અને સ્પર્શ એ પાંચેય ઇંન્દ્વિયોના પાંચ સારા અને

પાંચ ખોટા વિષયો જીતી શકાય છે. આ દસ શત્રુઓને જીત્યા એટલે પછી હજારોની પરવા

રહેતી નથી; હું પછી શાંતિથી ભ્રમણ કરી શકુ છું.

હે ગૌતમ!માનવના હૃદયમાં એક વિષવેલ ઊગે છે,ફૂલેછે,ફળેછે.એને તમેકેવી રીતે કાપી?

એનું-નામ શું? ગૌતમસ્વામી કહે છે-પહેલા એ વેલને કાપી, પછી મૂળથી ઉખાડીને ફેંકી;

પછી એના વિષફળ મારે ચાખવાના જ ન રહ્યાં. આ વિષવેલનું નામ છે - ભવતૃષ્ણા!

આ રીતે આત્માને ઓળખવો એટલે દેહની ભિન્નતા પિછાણવી, જીવનની સર્વ રાતો અને

સર્વ દિવસો દેહના સુખ માટે ગાળ્યા-જીભના સ્વાદ માટે તલસ્યાં,સારું જોવા તલપાપડ થયાં,

સારું સાંભળવા કાનને સતેજ રાખ્યા,સારા વસ્ત્રો પરિધાન કરવામાં આનંદ માન્યો પણ

આત્માના આનંદ વિના એ બધા ફિક્કા પડી ગયાં.આજ તાજા લાગ્યાં,કાલે વાસી લાગ્યા.દેહને

બળવાન બનાવ્યો,પણ મોત આવ્યું,રોગ આવ્યો કે શોક આવ્યો-આપણે સર્વ હિંમત હારી

ગયા.વલોપાત કરવા લાગ્યા.

આત્માની વિસ્મૃતિ માનવતાની વિસ્મૃતિ બની છે ને એ જ કારણે માનવતાનો-માણસાઇનો

મહાન ધર્મ અભય (દયા ધર્મ) વિસરાયો છે.પ્રેમની સ્નિગ્ધતા જાણે માનવ ઇમારતના પાયા

માં નથી. - હું કોઇને ઇજા કરીશ નહીં. દરેક જીવનો હું મિત્ર છું આ છે સાચો પ્રેમ. કયારેય

કોઇ અપેક્ષા રાખવી નહીં. જગતના જીવો મારી સાથે જે વ્યવહાર કરે છે તેમાં મારા પુણ્ય -

પાપ જ કારણ છે આવી વિચારધારા કેળવાય તો કયારે પણ કોઇપણ મુદ્દે ક્રોધ નહીં આવે

અને આવી વિચારધારા નહીં કેળવાય તો જયારે કોઇ નાનકડી ભૂલ બતાવશે તો તેની સામે

દસ ભૂલ બતાવવાનું મન થશે. તમે કોઇને સાચું અને સારું કહેવા ગયા, છતાં સામી

વ્યકિતએ તમારું ના સ્વીકાયુર્ં ત્યારે ક્રોધ આવવાની સંભાવના હોય છે,પણ તે વખતે

વિચારવાનું કે આમાં મારી કયાં ખામી છે? પોતાની ખામી જોવાની અને દેખાય તો તેને

સુધારવાની.આપણી ભૂલ વગર પણ કોઇ આપણને કાંઇ કહે તો પ્રેમથી સાંભળવાની તૈયારી

રાખવી. તેમાં સાચું હોય તો સ્વીકારી લેવાનું અને સાચું ન હોય તો તેને બાજુમાં મૂકવાનું.

લાઇફ ની સીરીયલ પરમાત્માંથી શરુ થઇને અંતે પાછી પરમાત્માના ચરણોમાં જ વિલીન થઇ

જાય એમાજ આ જન્મની સાર્થકતા છે.પ્રભુ આપની પરમ કૃપાથી જ મને જૈન કુળમાં જન્મ

મળ્યો. હવે શેષ રહેલા જીવનના બાકીના વર્ષોમાં આપનું સાનિધ્ય હોજો. હૃદયના ધબકારે

ધબકારે આપની સીગ્નેચર હોજો. જીવનના જેટલા શ્વાસ લેવાય તે બધાય શ્વાસ આપના

નામ-સ્મરણપૂર્વકના હજો. જીવનની સુખદુઃખની હર પળમાં આપની હાજરી અવશ્ય હજો.

મારા મન મંદિરમાં સદેવ આપ બિરાજમાન હજો. જીવનમાંથી જે ચાલ્યું જવું હોય તે ભલે

ચાલ્યું-આપનો સથવારો કાયમી હજો. જીવનનો છેલ્લેા શ્વાસ જયારે ચાલતો હોય ત્યારે

આપ અવશ્ય હાજરાહજુર હજો. તન-મન–ધન-જીવન બધુંજ આપનામાં એકાકાર હજો.

પભુ - મારી આટલી નમ્ર વિનંતી આપ સ્વીકારશો એજ આપના ચરણોમાં પ્રાર્થના.

આપણાં ખુબજ પુણ્યોદય હોવાથી મનુષ્ય જન્મ મળેલ છે. પ્રભુનો આપણા પર સહુથી મોટો

ઉપકાર છે. રવિન્દ્રનાથ ટાગોરે મનુષ્ય જીવનને પ્રભુની એક મહાન બક્ષિસ તરીકે વર્ણવ્યું છે.

મનુષ્યે દિવ્યતા પ્રાપ્ત કરવાની છે. પણ એ પહેલા મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું,મનુષ્યયોનિમાં

જન્મ લેવા માત્રથી મનુષ્ય થવાતું નથી. માટે જ કવિ શ્રી સુંદરમ કહે છેઃ

‘હું માનવી થાઉં તો ઘણૂં!

જન્મ તેનું મરણ - સંયોગ તેનો વીયોગ એ કુદરતનો નિયમ છે.પરસ્પર ઉપકાર કરવો તે ધર્મ

છે. ઉપકાર ન કરવો તે ગુનો છે. એજ ગુના ની સજા રુપે જ આપણને દુઃખમય સંસાર મળેલ

છે. હું ભગવાનને બોલાવું ત્યારે આવી જાય છે. ઇચ્છું છું ત્યારે ભગવાનની શકિતનો

અનુભવ કરું છું. હું કરી શકું તો તમે પણ કરી શકો? સંપૂર્ણ શ્રદ્વા હોવી જરૂુરી છે. જીવનમાં

કાંઇ મેળવવું છે? શું પશુની જેમ-ઢોરની જેમ જીવન વ્યતીત કરવં છે? મરણનો કોઇ

નિશ્ચિત સમય નથી. છતાં નિશ્ચિત બનીને બેઠા છીએ. ના માનવ જીવન કંઇક મેળવવા માટે

છે. સમયની સરિતાના સલિલ સરી જાય છે. ઘૂઘવાટાં કરતાં પવનનાં વાયરાઓ વહી જાય

છે. ગગનચુંબી ઇમારત જમીનદોસ્ત થઇ જાય છે (પરંતુ) જીવનમાં મહાપુરૂષોની યાદ

ચિરંજીવી રહી જાય છે. આત્માની ચિંતા કરે તે ધર્મી, શરીરની ચિંતા કરે તે કર્મી.. કપડાં કરતાં

શરીરની કિંમત વધારે અને શરીર કરતાં આત્માની કિંમત વધારે. શ્રીમંતાઇ અને ગરીબીના

લાભ અને નુકસાન જેમ મગજમાં જડબેેસલાક બેસી ગયા છે એવીજ રીતે પુણ્ય અને પાપના

નુકસાનો મગજમાં ગોઠવી દો પછી પુણ્ય કર્યા વિના નહીં રહી શકાશે અને પાપને છોડયા

વિના નહીં રહેવાય. મૃત્યુનો વિચાર વૈરાગ્ય લાવે, મોક્ષનો વિચાર મૈત્રી લાવે. તો બસ

અત્યારે મળેલા પુણ્યના ઉદયનો પૂરો લાભ ઉઠાવી નવું પુણ્ય બાંધી લઇએ.

હે પ્રભુ! તમોએ લાગે છે કે મારી લાયકાત કરતાં ઘણું બધું અધિક મને આપ્યુ છે. આપની

કૃપાના બળે જ મને માનવનો અવતાર મળ્યો, સુકુળમાં જન્મ મળ્યો, પાંચે ઇંન્દ્રિઓથી

પરિર્પૂણ દેહ મળ્યો, સારો પરિવાર મળ્યો, રૂપીયા,કપડાં,મકાન બધું મળ્યું. આખી પૃથ્વીની

પ્રદક્ષિણા કરી શકું એવા પગ મળ્યા અને દિવસ-રાત કામ કરી શકુ એવા હાથ મળ્યા. તારી

ભકિત કરી શકું,દુઃખી જીવો પર દયા અને કરૂણા કરી શકું એવું હૃદય મળ્યું. કાર્ય-અર્કાય નો

વિચાર કરી શકું એવું મસ્તક મળ્યું -આથી વધારે જોઇએ શું? પ્રભુ તે એટલું બધુંઆપી દીધું

છે કે હવે મારે કાંઇ જરૂર નથી. બાકી ઇચ્છાઓનો કોઇ અંત નથી.. માણસનું મન જ એવું છે

કે જેટલું મળે તેટલું ઓછું પડે. જેની પાસે થોડું છે-તે ગરીબ નથી, પણ જેને ઘણું જોઇએ છે

તે ગરીબ છે.બે દિવસની મુસાફરી માટે જબરી તૈયારી કરનાર, તારી ‘કાયમની મુસાફરી

માટેની તૈયારી કેટલી?મોત કાલે નથી, કોઇ પણ પળે છે. અશુભના ત્યાગની ને શુભના

સેવનની જે પણ સંભાવના છે એ અત્યારે જ છે, મોત પછી તો નથી જ, પણ પછી ની પળે

પણ નથી. આજે જો ગુરુવાર છે તો આવતીકાલે શુક્રવાર જરૂર આવવાનો છે પરંતુ એ શુક્રવારે

આપણે જીવતા હશું કે નહીં એ નિશ્ચિત નથી. આવા સર્વથા નિશ્ચિત એવા મોતને સુધારી

દેવા સિવાય આ જીવનમાં બીજું કશું જ કરવા જેવું નથી. કારણકે મોત સુધર્યું તો પરલોક

સુધર્યો અને પરલોક જો સુધર્યો તો જ આત્મકલ્યાણની સંભાવના ઊભી રહી. તીર્થયાત્રામાં

જતાં પહેલા ધર્મશાળામાં કયાં ઉતરશું, એની ચોક્કસાઇ કરી લઇએ અને આંખ બંધ થઇ ગયા

પછી કયાં જશું, એ બાબતમાં સર્વથા બેદરકાર રહીએ એ તો ચાલે જ શી રીતે?

મનને માટે મનનો માનવી જોઇએ. મિત્ર વગરનું જીવનનો કોઇ અર્થ નથી. આંસુ સારવા માટે

કોઇનો ખંભો ન મળે - હસવા માટે કોઇનો સંગાથ ન મળે- ત્યારે આખું જીવન હાસ્યાસ્પદ

લાગે છે. સાંજ સવાર ગમગીન થઇ જાય છે. આંખ સામે રણ પ્રસરે છે. એક વાત મેઇન છે-

રાતનો દિવસ ફરે-દિવસની રાત ફરે. માણસ ભલે મોટી મોટી વાતો કરે. પણ માણસને

માણસ વગર ચાલતું નથી. એકલતા માણસને કોરી ખાય છે. ત્યાગમાં જે સુખ છે તે ભોગમાં

નથી. જેટલું સુખ બીજાને આપશો તેટલા તમો સુખી થશો.

હે પરમેશ્વર, આપે અમને ઉત્તમ મિત્રો આપ્યા છે.તે માટે હું તમારો આભાર માનું છું. મિત્રો

જેમના સાથમાં દુઃખો વહેંચાઇ જાય છે અને આનંદ બેવડાય છે. જેમની સમક્ષ અમે જેવા

છીએ, અને નિખાલસપણે હૃદય ખોલી શકિએ છીએ, જેઓ અમારી નિર્બળતાની જાણ સાથે

અમને સ્વીકારે છે અને અમારામાં એવી લાગણી પ્રેરે છે કે તેમને અમારી જરૂર છે; જેમને

મળીને અમે હળવા થઇએ છીએ,ગેરસમજ થવાના,કે મૈત્રી જોખમાવાના ભય વિના અમે

જેમના વિચારો કે કાર્યોનો વિરોધ કરી શકીએ છીએ અને એ વિરોધ પાછળનો પ્રેમ જેઓ

પારખી શકે છે. જેઓ લાંબા સમયથી ટકી રહ્યા છે, બધા વાવાઝોડામાં સાથી બન્યા છે અને

ભવિષ્યમાં પણ તેઓ સાથે જ હશે એવો વિશ્વાસ જેમના માટે રાખી શકાય છે. જેઓ અમારા

માટે ઘસાય છે અને એ વિશે સભાન હોતા નથી. આવા મિત્રો આપે અમને આપ્યા છે તે

માટે અમે તમારા કૃતજ્ઞ છીએ.

પરમાત્મા,અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે કે અમારા મિત્રોની અપ્રગટ શકયતાઓ

પિછાણી શકીએ અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ,અમારીઉણપો,નબળાઇઓ,

ભૂલો દૂર કરવાના અને સાત્ત્વિકતા,સત્ય નિષ્ઠા,નિર્ભયતા વધારવાના પ્રયત્નોમાં અમે એક

મેકને સક્રિય સાથ આપીએ. અમારી સારી દશામાં જેઓ અમારી સાથે હતા, તેમનો માર્ગ

દુર્દશાની ખીણમાંથી પસાર થાય ત્યારે અમે તેમને વિસરીએ નહીં. ઇશ્વરત્વનો અંશ એમા

ઝલકે છે તેવા આ ઉત્તમૌતમ માનવ-સંબંધનું અમને વરદાન આપો, પ્રભુ! મન ઉપર કાબુ

રાખવો તે ઘણું મુશ્કેલ છે-આપણા મનના બે ભાગ છે-એક આપણને સારા કામ માટે

સમજાવે છે-બીજો ભાગ આપણને બુરા માર્ગે ચાલવા પ્રેરે છે. આખો ધ્યાનયોગ મન પર

કાબૂ લાવવા માટે યોજાયેલ છે. તે છતાં :

જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાજેે

મનને જેમ જેમ પ્રયત્ન કરીને કબજે રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે તેમ તેમ એ દૂર જ

નાસતું જાય છે. મન પર વિજય મેળવવાની આવશ્યકતા સર્વ યોગીઓએ સ્વીકારી છે એમા બે

મત નથી એ વાતને સ્વીકારી સમજી લઇએ.હવે આપણું ચારિત્ર કેટલું ઉચ્ચ છેતેમુજબ આપણે

કરીએ છીએ. સારુ કામ કરીયે તો સારા કર્મ એટલે કે પુણ્યનું ઉપાર્જન થાય-ખરાબ કામ

કરીએ તો પાપ બંધાય-જે આપણને છેવટે દુઃખ જ આપે છે.મનતો વાંદરા જેવું છેતેનેકાબુમાં

રાખતાં શીખવું પડે.

પહેલાના જમાનામા પતિ પરમેશ્વર કહેવાતા-હવે પત્ની પરમેશ્વરી કહેવાય છે. એક વાત

યાદ આવે છે. પતિ જમે છે–પત્ની શાક પીરસે છે. પતિ કહે છે કે શાકમાં મીઠું વધારે છે.

પત્ની જવાબ આપે છે કે મીઠું તો રોજ જેટલું નાંખું એટલુ છે પણ આજે શાક ઓછું આવ્યું છે.

બોલો છે કાંઇ આનો જવાબ? શાક ઓછું આવ્યું તો મીઠું ઓછું નાંખવાની બદલે જાણે

એનો કોઇ વાંક નથી તેવો જવાબ આ સંસાર છે.

સાગર તરવા માટે પ્રવાહને અનુકૂળ બનવું પડે છે પણ ભવસાગર તરવા માટેતો મનને

પ્રતિકૂળ બનવું પડે છે. સામે પ્રવાહે સાગર તરી શકાતો નથી તો સીધા મને ભવસાગર પાર

કરી શકાતો નથી. મનને શરણાગત બનાવવાથી કાર્યસિદ્વિ થઇ જાય છે. મનને સમજવું કે

સમજાવવું ખુબ જ મુશ્કેલ છે અને જે આમાં સફળ થાય છે તે જ ભવસાગર તરી જાય છે.

લોહ તણી સાંકળના બાંધે, પળભર ના બંધાતું,

લાગણીઓના કાચા દોરે, જીવનભર જકડાતું,

ઓ મન! તું જ નથી સમજાતું.

આરાધના જીવનમાં સફળતા મેળવવાનું રહસ્ય મનમાં પડયું છે! કાયા પ્રતિક્રમણ કરે એ

પહેલા મનને પ્રતિક્રમણ માટે તૈયાર કરી દો! કાયા દેરાસર પહોંચે એ પહેલા મનને

પરમાત્માના મંદિરમાં મોકલી દો! આયંબિલનું પચ્ચકખાણ લેવા માટે હાથ તૈયાર થાય એ

પહેલા મનને આંયબિલથી પ્રભાવિત કરી દો!વૈયાવચ્ચના પવિત્ર યોગમાં કાયા જોડાય એ

પહેલા મનમાં વૈયાવચ્ચ પ્રત્યે ભારોભાર આદર ઊભો કરી દો! ધર્મ ક્રિયામાં કાયા પહોંચે કે

ન પહોંચે,મનનેતો પહોંચાડી જ દો!અને હા,આ પરિસ્થિતિ ઊભી કરવા માટે ધર્મક્રિયાઓની

પ્રચંડ તારકતા અને પાપ ક્રિયાઓની ભારે ખતરનાકતા સતત નજર સામે રાખતા જાઓ!

ધર્મક્રિયામાં જે ક્રિયા કરો છો તેનો અર્થ મનમાં મમળાવો જોઇએ. અર્થનું જ્ઞાન પણ જરૂરી છે.

ટૂંકમાં - જ્ઞાન વગરનું આચરણ અને આચરણ વગરનું જ્ઞાન બંને નકામાં છે. જ્ઞાન-ક્રિયા બંને

જરૂરી છે-બંનેનું આચરણ જરૂરી છે.દા.ત. તમો એક સૂત્ર બોલો-પણ તેનો અર્થ તમોને ખબર

ન હોય તો તે સૂત્ર બોલવાથી કોઇ પુણ્ય મળતું નથી. તમારા મનમાં સૂત્ર નો અર્થ-ભાવાર્થ

સૂત્ર બોલતી વખતેે તમને જ્ઞાન આપતું હોય તે ખુબ જ જરૂરી છે. અર્થ ન આવડે ને સૂત્ર

બોલો તેનો શું ઉપયોગ? સૂત્ર બોલતી વખતે દરેકે દરેક શબ્દનો અર્થ તથા આખા સૂત્રનો

ભાવાર્થ તમારા મનમાં મમળાવવો જોઇએ તો જ તમોને સૂત્ર બોલવાનો આનંદ આવશે.

ધર્મ આપણા માટે કરવાનો છે. કોઇને દેખાડવા માટે કે જય જય કાર થાય,નામ થાય -

કિર્તી મળે તે માટે કરવાનો નથી. તમારો સાચી રીતે જે સમય દેરાસરમાં જ્ઞાન અને ક્રિયા

માટે વપરાય -ભાવ ખૂબજ નમ્ર હોય- પ્રભૂ સાથે તન-મન-વચન એકાકાર હોય તો જ

તમારી પૂણ્યની બેંકના ખાતામાં જમા થાય. આમ જોઇએ તો આ પણ તમારું પુણ્યની બેંકમાં

ઇનવેસ્ટમેંટ છે.

શુભ વિચારો તરત અમલમાં મુકવા-તેને મુલતવી ન રાખશો. અશુભ વિચારો હંમેશા મુલતવી

રાખો. કોશીશ કરો કે અશુભ વિચારો જ ન કરો તો વધું સારું. તાંબા કે લોઢા પર સુુવર્ણ

સિધ્ધીનો રસ પડે તો તે સોનુ બની જાય એમ કહેવાય છે. ભગવાનની ભકિતનો રસ હૃદયમાં

પડે તો આપણો આત્મા પરમ બની જાય. ભગવાનની ભકિત વિના કર્મો નહીં ઓગળે. કર્મો

ઓગળ્યા વિના અંદર રહેલ પરમાત્મા નહીંં પ્રગટે. મહારાજ સાહેબ વાસક્ષેપ કેવા ભાવથી

નાંખે - બોલે નિત્થાર પારગા હે હ. એનો અર્થ તમો કર્મો ખપાવી તમો સંસાર થી પાર

ઉતરો. પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય તેની સદગતિ થાય - શુભધ્યાનથી સદગતિ - અશુભધ્યાનથી

દુર્ગતિ. જ્ઞાન દીવો છે. તમારા હૃદયમાં(જ્ઞાનનો દીવો)જલતો રહેશેતો બીજા હજારો દીવાને

પ્રગટાવી શકશો. જીવનમાં વિનય આવ્યો તો બધું આવ્યું. વિનય ગયો એટલે બધું ગયું. વિનય

ગયોે એટલે અવિનય આવશે. વિનય જો સર્વ ગુણોનો પ્રવેશદ્વાર છે તો અવિનય સર્વ દોષોનો

પ્રવેશદ્વાર છે.માટે જ ધર્મમાં પ્રથમ દ્વાર વિનય છે. વિનય કોનો કરવાનો છે-દેવ-ગુરુ-ધર્મ

બધાનો જ. વિનય હશેતો જ જ્ઞાન આવશે. વિનય- સમ્યગદર્શન-ભકિત-ચારિત્ર બધું

આવશે. છેલ્લે ગ્રંથકાર કહે છે આપણે અનાદિકાળ થી પુનઃ પુનઃ જન્મ મરણના ચક્ર માં ફર્યા

કરીએ છીએ. હવે એવો પ્રયત્ન કરો કે એ ચક્ર બંધ થઇ જાય. આત્મા સ્વમા સ્થિર થઇ જાય.

ભગવાનને જાણો તો બધું જણાઇ જશે. ભગવાનને હૃદયમાં લાવો - બધા મંગળો આવી જશે.

ભગવાન જ સૌથી ઊંચુ મંગળ છે.

અરિહંતના ધ્યાનથી જ્ઞાનાચારની શુધ્ધિ થાય છે.

સિધ્ધના ધ્યાનથી દર્શનાચારની શુધ્ધિ થાય છે.

આચાર્યની આરાધનાથી ચારિત્રાચારની શુધ્ધિ થાય છે.

ઉપાધ્યાયના ધ્યાનથી તપાચારની શુધ્ધિ થાય છે.

સાધુની આરાધનાથી વીર્યાચારની શુધ્ધિ થાય છે.

જ્ઞાન વિના ક્રિયા નકામી છે. તેમજ ક્રિયા વગર જ્ઞાન પણ નકામું છે.

બંન્ને આવશ્યક છે જ્ઞાન-ક્રિયા. ભગવાનની વાણી એટલે ટમટમતાં દિવડા. કલિકાલના ઘોર

અંધારામાં એના વિના ચાલે તેમ નથી. આમ શાસ્ત્ર ગોખવાની વિધા નથી. આંખો મીંચીને

આચરવાના નિયમો નથી શાસ્ત્ર એ તો સત્યના માર્ગને ચીંધનારા છે; જીવનની કેડીને

અધયાત્મથી ઉચ્ચ બનાવનારાં છે, જયારે એના સત્યને પામનાર પરમાત્માની સમીપ પહોંચી

જાય છે.ભગવાનતો મેઘ જેમ સર્વત્ર વરસે છે-પાત્ર સવળું હોય તો તે ભરાઇ જાય અને પાત્ર

અવળું - ઉંધુ હોય તો તે ખાલી જ રહે. પ્રભુ ભકતથી બંધાયેલા છે જો અભેદભાવે પ્રભુ

સાથે મળવા તીવ્ર તલસાટ હોય તધ્ઢો ભકતને પ્રભુનું સર્વસ્વ મળે છે. જે પ્રભુના બની જાય તેને

પોતાનું કંઇ જ રહેતું નથી. જે કાંઇ થાય છે તે પ્રભુકૃપાથી - પ્રભાવથી જ થાય છે. ગુરૂ એટલે

અનંત સંસારસાગરમાં પામર જીવોના તારણહાર. એમના પર અપૂર્વ બહુમાન,ભકિત જોઇએ.

ગુરૂના કટુવચનો અમૃતસમાન લાગવા જોઇએ. કટુવચન ભલે લીંબુ છે, પણ સમજની સાકર

તેમાં ભળે તો શરબત બની જાય. ગુરૂ કૃપાએ સર્વ રોગ વિનાશિની ઓૈષધી છે. આ બધું

ધ્યાનમાં રાખી શ્રેષ્ટ સંયમ સાધના કરી સ્વ પર કલ્યાણ કરો એજ શુભેચ્છા છે.

પરમ પૂજયપાદ આચાર્ય ભગવંતશ્રી રત્નસુંદરસૂરિના પુસ્તક‘કલિયુગની કમાલ કુમારપાળ

વી. શાહની લખેલ વાત નીચે તેમનાજ શબ્દોમાં લખું છુ. પરિવાર વિના ન જ જીવી શકાતું

હોય તો આપણે એક ખાસ કામ કરવા જેવું છે. નાનો પરિવાર છોડીને બહુ મોટો પરિવાર

આપણે ઉભો કરી દેવા જેવો છે. અને આ જગતમાં મોટામાં મોટો પરિવાર કોનો હોય છે એ

ખ્યાલમાં છે? એકઃ અરિહંતનો અને બે : સંયમનો. જીવ માત્ર પ્રત્યે કરુણા છે અરિહંતને

અને જીવ માત્ર પ્રત્યે સ્નેહભાવ છે સંયમીને. આપણા જીવનનાં આદર્શ તરીકે આ બંનેને

ગોઠવી જ દઇએ. ફાવી જશું.

ચ્ણ્ત્ર્થ્ર્ત્ડ ત્ણ્દ્યણ્ત્ત્ડ્ઢ ટ્ટત્ત્ઠ્ઠ કણ્ડ્ઢઢ ચ્ર્ઢણ્ત્ત્ણૂણ્ત્ત્ડ્ઢ

ના સૂત્રને જીવનમાં ઉતારશો તો આપણા ઘણાં પ્રશ્નો

અને દુઃખોનો અંત આવી જાય. પૃથ્વી પર આપણે બધા એક જ કુટુંબના છીએ તો વેર ઝેર

શેના? ઝઘડાં શેના? શા માટે બે માણસો લડે? શા માટે બે દેશો લડે? પૂરી દુનિયા, પૂરી

પૃથ્વી એક માળો છે. બધા દેશો એક થઇ જાય. બધાની કરંસી પણ એક જ રહે. દરેક માણસ

દુનિયાનો સીટીઝન હોય. આપણે બધા ભાઇચારાથી રહીએ તે જરૂરી છે. આવું થાય તો

કાશમીર શું કે રશીયા કોઇ દેશમાં ઝઘડો જ ન થાય. તમો કોઇ પણ જગાએ જાવ તમારે ન

વીસા જોવે કે ન પાસપોર્ટ જોવે. એકતા મા જે લાભ છે તે અલગ અલગ રહેવામાં નથી તે

સમજશોજી. આતંકવાદ પણ ખતમ થઇ જાય. મારો દેશ - તારો દેશ બધું ખતમ થઇ જાય

ધર્મમાં જેને જે ધર્મ પાળવો હોય તેની છૂટ હોય - બાકી વિશ્વધર્મ - માણસાઇનો ધર્મ રહે.

પ્રભુ મહાવીરનો માર્ગ અપરિગ્રહનો છે. ધનના ઢગલા કરવાની પરમાત્મા ના પાડે છે. જીવન

જીવવા માટે કેટલા રૂપીયા જોઇએ? પેટનો ખાડો ભરવા કેટલી માટી જોઇએ? સૂવા માટે

કેટલી જગા જોઇએ? અને છેલ્લે બાળવા માટે કેટલા લાકડાં જોઇએ? વિશ્વ આખાની

જરૂરિયાત સરખી-૬ બાય ૩ ફૂટ જગ્યામાં જ થઇ જાય છે અને માત્ર ૨૫૦ કીલો લાકડામાં

બળીને રાખ થઇ જાય છે, વધારે કશી જરૂર નથી. મારે તમને પુછવું છે કે શું લાવ્યાતા-શું લઇ

જવાના? કાંઇ નહીં. તો પછી રૂપિયા પાછળ દોડધૂપ શા માટે? હજી કહુંછું - સંતોષ અને

સાદાઇથી જીવતા શીખો. ચિત્તમાં અપૂર્વ શાંતિનો અનુભવ થશે. અને હવે મર્યા બાદ પણ

પુણ્ય કરી શકો છો - તમારી ભાવના હોય તો ચક્ષુ દાન કરી શકો છો -બે અંધ વ્યકિત ે જયાં

સુધી જીવશે તમને દુઆ આપશે. ત્યારબાદ તે ના મૃત્યુ પછી તે અંધજન પણ પોતાની આંખ જે

તમારાથી મળી છે તે ડોનેટ કરશે.તમારું મોતીયાનું -કેટરેકટનું પણ ઓપરેશન થયું હોય તો

પણ આ ચક્ષુદાન તમો કરી શકશો. હજી વધુ શુભ ભાવના હોય તો દેહ દાન પણ કરી શકો

છો. પણ આ બધા શુભ કામ માટે મનમાં નક્કી કરીે અગાઉ થી ફોર્મ ભરેલ હશે તો તે

પાછળ વાળા ને સરળ થશે. મોતનો સમય નક્કી નથી. શુભ ભાવના હોય તો આ રીતે પણ

તમો કોઇક ને ઉપયોગી થઇ શકશો. યોગી નથી બન્યા - પણ ઉપયોગી થઇએ. મારી વિનંતી

છે જો આ વાત તમારે ગળે ઉતરતી હોય તો આજે જ- હમણાંજ આ શુભ વિચાર ને અમલમાં

મુકી દેજો.આવા શુભ વિચારનું પુણ્ય જબરદસ્ત છે તથા મનમાં તમને ખૂબ જ શાંતી મળશે.

આતો વહેતી ગંગા જેવું છે -જેમ તમારી આંખો જયાં સુધી ફરતી રહેશે, જેમ તમારા શરીર

ના જે પણ અંગ જેને પણ આરોપણ થયેલ છે તેમ બીજા કેટલા જીવને જીવનદાન આપશે,

તેમના કુટુંબની દુઆ તમોને મળશે - તેવી જ રીતે આ પુસ્તક વાંચ્યા બાદ બીજાને પણ વાંચવા

આપવા વિનંતી છે. એક પુસ્તક - શકય તેમ વારાફરતી વાંચવામાં ફરતું રહે તો વધુ ને વધુ

પુણ્યશાળીઓ ને લાભ મળશે. મારી દરેકે દરેક વાંચક મિત્રને વિનંતી છે કે જ્ઞાન ને વહેતી

ગંગા જેમ ફરતું રાખશો અને આ રીતે જે પણ ભાઇ કે બેન આ પુસ્તક વાંચશે તે ૧૦૦ ટકા

આપનો આભાર માનશે- મનમાં ને મનમાં તમોને દુઆ જરૂર આપશે.

તમે એક વાર કસમ ખાઇને પાકો નિર્ધાર કરો કે,ભૂખે મરી જઇશ પણ અન્યાયના ધનને હાથ

નહીં લગાડું. બસ! આટલું કરશો તો લક્ષ્મીદેવી તમારા ચરણોમાં ડાન્સ કરતાં હશે. ચાહે તમે

માનો કે ન માનો. નીતિથી મેળવેલ ધનથી ગુલાબજાંબુને બદલે સુક્કો બાજરાનો રોટલો

મળશે ને તોય તે મીઠો લાગશે.એ રોટલાને હજમ કરવાં તમારે હજમા-હજમની ગોળીઓ

નહીં ખાવી પડે.નીતિનું ધન આરામથી પચી જશે. અનીતિનું ધન ડાયાબિટિશ, હાર્ટએટેક અને

બ્લડપ્રશરમાં કન્વર્ટ થઇ જાય છે.

એટલા માટે ભગવાનને પ્રાર્થના કરો કે - હે ભગવન! મારી વાણી હો સુંદર,મેરા મન હો

સુંદર, મેરા જીવન હો સુંદર. આપણી પાસે રહેલું બધું જ લુંટાવી દેવા આપણે તૈયાર રહીએ

એ છે શરણ સ્વીકારને, તાત્પયાર્થ, વર્ષો પૂર્વે અધ્યાત્મયોગી પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રી

કલાપૂર્ણસૂરિ મહારાજના પાવન સાનિધ્યમાં પરમ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રી

રત્નસુંદરસુરિ શ્રી જી ને બેસવાનું થયું હતું ત્યારે તેઓશ્રી એ પણ કાંઇક આવી જ વાત કરી

હતી.વહાલાને વહાલથી વહાલી વસ્તુ આપી દેવી એ જ છે સાચું શરણ! આત્મા આપણને

વહાલો છે દેવ-ગુરુ-ધર્મ આપણા માટે વહાલા છે. હૃદય આપણું વહાલથી ભરેલું છે. શરણ

માટે હવે વિલંબ શા માટે?

પાણીના બે ગ્લાસ. એક માં પથ્થર નાંખો - બીજા માં પતાસા (સાકર) નાંખો. આપણે

પથ્થરની જેમ માત્ર મળવું નથી પણ સાકરની જેમ ભળવું છે. પ્રભુ બધું આપવા તૈયાર છે.

આપણા તરફથી સમર્પણ ની જરૂર છે.અંતર ના ભાવપૂર્વક વંદન ન થાય ત્યાં સુધી ધર્મનો જન્મ

ન થાય. મન-વચન-કાયા ત્રણેય નમ્ર બને તો જ ભાવ નમસ્કાર આવે. જીવન એવું નિષ્પાપ

રાખો કે પશ્ચાતાપ કરવાનો વ્વખત આવે જ નહીં અને મન એવું રાખો કે સત્કાર્યોની

અનુમોદના કર્યા વિના એ રહી શકે જ નહીં. પૈસા કમાવવાથી ધનવાન બનાય છે, પણ પૈસા

સત્કાર્યમાં વાપરવાથી પુણ્યવાન બનાય છે. માટી પડી છે - કુંભાર વિના ઘડો કયાંથી બને?

આપણે મોઢેથી શરણાગતી બોલીએ છીએ, પણ બધુ આપણી પાસે રાખીને. મન-વચન-

કાયા જ નહીં આત્માનું પણ પ્રભુને સમર્પણકરવાનું છે. તમો બધુ પ્રભુને સમર્પિત કરી

જુઓ - શું મળે છે - ઇંદ્રભૂતી (ગૌતમસ્વામી) એ કરી જોયું ને પામી ગયા.

ચાર શરણંઃ-

અરીહા શરણં સિદ્વા શરણં, સાહુ શરણં વરીએ

ધમ્મો શરણં પામી વિનવે, જિન આણા શિર ધરીએ

અરીહા શરણં મુજને હોજો, આતમશુધ્ધિ કરવા

સિદ્વા શરણં મુજને હોજો, રાગ-દ્વેષને હરવા

સાહુ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા

ધમ્મો શરણં મુજને હોજો, ભવોદધિથી તરવા

મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા કાપે

ચિદ્દધન કેરી ડૂબતી નૈયા, ભવજલ પાર ઉતારે.

શરણે જવું એટલે સમર્પિત થવું. મન-વચન અને કાયાથી સમર્પિત થવું. જીવે જો પરમાત્માની

શરણાગતિ સ્વીકારી હોત તો તેની આવી દુર્દશા ન થઇ હોત. ચાર શરણનો સ્વીકાર એટલે

પોતાની તમામ ઇચ્છાઓને, કામનાઓને ખંખેરી નાંખીને માત્ર પ્રભુની આજ્ઞા અને ઇચ્છા

પ્રમાણે જીવવું તેને શરણાગતિ કહેવાય છે. દરેકે દરેક ધર્મમાં પ્રભુની શરણાગતિ સ્વીકારવાની

ઉપદેશવાતો આવે છે.ભગવતગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે-હે અર્જુન! બધાજ

પ્રકારની મનોકામનાઓને જતી કરીને તું મારા શરણે ચાલ્યો આવ. હું તને બધી રીતે સંભાળી

લઇશ. તેવીજ રીતે બાઇબલમાં ઇશામસીહે કહ્યું છે – જો તું મને ખરેખર ચાહતો હોયતો

મારા શરણે આવીજા! જૈનદર્શનમાં પણ પ્રભુના શરણે જવાથી ભકતને સુખ-શાંતિ મળે છે

તેમ જણાવેલ છે. ધર્મબિંદુ ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિ મહારાજાએ ફરમાવતા કહ્યું છે કે

ભગવાન જયારે હૃદયમાં બિરાજમાન થાય છે ત્યારે કિલષ્ટ કર્મોનો પણ નાશ થાય છે. જલ

અને અગ્નિી જેમ એકમેક સાથે રહી શકતા નથી કેમ કે તે બન્ને પરસ્પર વિરોધી છે - તેમ

પરમાત્મા અને કર્મો બન્ને એક સાથે રહી શકતા નથી. પ્રભુની શરણાગતિના લાભો જાણનાર

પળનોય વિલંબ કર્યા વિના પ્રભુના શરણમાં ચાલ્યા જાય છે.

મીરાબાઇ પ્રભુને શરણાગત થઇ ગયેલ સંપૂર્ણ પણે. રાણાએ એણીને મારી નાંખવા ઝેરના

પ્યાલા મોકલ્યા હતા.મીરા પ્રભુને સમર્પિત હતી. ભગવાનના ભરોસે એણીએ ઝેરના પ્યાલા

ગટગટાવી દીધા હતા.પ્રભુની શરણાગતિથી તે ઝેરના પ્યાલા પણ અમૃત થઇને પરિણમ્યા

હતા.

જૈન રાજ કન્યા મયણાને તેના પિતાશ્રીએ કોઢીયા પતિની સાથે પહેરેલુગડે રાજમહેલમાંથી

બહાર ધકેલી દીધી હતી. મયણાને પ્રભુની શરણાગતિમાં પૂર્ણ વિશ્વાસ હતો. મેં મારું જીવન

પરમાત્માને હવાલે કર્યુ છે. પ્રભુ જે કરે છે તે બધું સારા માટે જ કરે છે. ભગવાનશ્રી

આદીનાથના દેવાલયમાં જાય છે અને પ્રભુના શરણમાં જવા માત્રથી તમામ દુઃખો અને

વિખવાદોનો અંત આવી જાય છે. મયણા શ્રીપાળને પરમાત્માની ભકિત કરાવે છે અને નવેનવ

દિવસ સિદ્વચક્ર પૂજન વિધિ સહિત ભણાવે છે.

સિદ્વચક્રમાં દેવ, ગુરુ અને ધર્મ.

દેવ - અરિહંત, સિદ્વ.

ગુરુ- આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંત.

ધર્મ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ.

દેવ કરતાં ગુરુ નજીક - ગુરુ કરતાં ધર્મ નજીક - માટેજ દેવના બે (અરિહંત,સિદ્વ), ગુરુ ના

ત્રણ (આચાર્ય, ઉપાધ્યાય, સાધુભગવંત) અને ધર્મના ચાર પદો છે ( દર્શન, જ્ઞાન, ચારિત્ર

અને તપ છે.) આમ નવપદ થાય છે. દેવ દર્શન આપે, ગુરુ જ્ઞાન આપે, ધર્મ ચારિત્ર આપે.

ધર્મ સંસાર તરવા માટે,પાપ ખપાવવા માટે કરવાનો છે. અહંકારની પાઘડી ઊતારીશું તો

જીવતરનો મર્મ સમજતા લાગશે માત્ર પા ઘડી.. ધર્મનો પ્રારંભ શ્રદ્વાથી એટલે દર્શનથી, વિકાસ

સમ્યગજ્ઞાનથી, પરિણામ ચારિત્રથી અને ઊત્તમ ફળ તપથી મળે છે. રેતીમાંથી તેલ પ્રગટાવવું

એ મોટી વાત નથી,આ દેહમાં પ્રભુને પ્રગટાવવા એજ મોટી વાત છે- એમાંજ જીવનની

સફળતા છે. ભકિત ખૂબ જ અગત્યની છેતે એવું વજ્ર છે જેથી મોહનો પર્વત ચૂર ચૂર થઇ

જાય. તમે ‘સદાગમ‘ ના ઉપાસક બનો જેને મોહ કાંઇ ન કરી શકે. ધર્મ ફકત વાતોમાં કે

ઉપદેશ માં ન હોવો જોઇએ- ક્રિયામાં પણ યથાશકિત સ્થાન હોવું જ જોઇએ. આચારમાં

અવતરિત ધર્મ જ ફળ ને સાધી શકે છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. જેમ જેમ જ્ઞાન વધશે તેમ

જીવનમાં તપ, ત્યાગ, સાદાઇ, સરળતા, નમ્રતા, વિનય, વિવેક વગેરે વધશે. જ્ઞાન વધારવા

ધર્મમાં થોડું ઊંડુ ઉતરવું પડશે - મનમાં એક વાત સમજો કે મને જે ખબર છે તે ટોટલ જ્ઞાનમાં

એક ટકાથી પણ લાખ ભાગ થી પણ ઓછું છે. એટલે મારે હજી ઘણું ઘણું જાણવાનું,

સમજવાનું બાકી છે. ટૂંકમાં હું જાણું છું તેના કરતાં જે નથી જાણતો તે ખૂબજ છે.જાણે

સમુદ્રમાં એક ટીપું જ્ઞાન છે બાકી આખા સમુદ્ર બરાબર અજ્ઞાન છે. આ નમ્રતા હશે તો જ નવું

જ્ઞાન પામી શકશો. અભિમાન આવી ગયું તો જે જ્ઞાન હશે ને તે પણ જીરો થઇ જશે. ધર્મમાં

શ્રદ્વા હોય તો કેવા ચમત્કારો સર્જાય છે નીચે જોઇએ.

પ્રથમ દર્શને જ ચમત્કારોની હારમાળા શરુ થાય છે. પ્રભુના હાથમાંથી શ્રીફળ ઉછળે છે,

કંઠમાંથી માળા ઉછળે છે. શ્રીપાળ શ્રીફળ ને ગ્રહણ કરે છે. મયણા માળાને સ્વીકારે છે. માત્ર

નવ દિવસની સાધનાથી શ્રીપાળને કોઢ દૂૂર થાય છે. વિશાળ રાજયની સંપ્રાપ્તિ થાય છે.

જીવનની બધી જ આધિ-વ્યાધિ, ઉપાધીનો અંત આવી જાય છે.

મગધ નરેશ શ્રેણિકે ભગવાન મહાવીર કઇ દિશામાં વિચરે છે, એનો સંદેશો લાવનારા

માણસો બધી દિશામાં ગોઠવ્યા હતા. રોજ માણસો તે તે દિશામાંથી સંદેશો લઇને આવતા,

શ્રેણિક રોજ સિંહાસનથી ઉભા થઇને પ્રભુ જે દિશામાં હોય, તે દિશામાં સાત ડગલા સામે

ચાલતા અને પછી દૂર રહ્યા થકાં ભગવંતને ભાવથી વંદન કરતા. સોનાના ચાવલથી સાથિયો

કરતા. પ્રભુની શરણાગતિ સ્વીકારતા અને પછી જ રાજસિંહાસને બિરાજતા. જિનાલયોમાં

જઇને ત્રિકાળ પ્રભુની ઉપાસના કરતા. અહર્નિશ શ્વાસોશ્વાસે પ્રભુનું નામ સ્મરણ કરતાં,

અફાટ વૈભવોની વચ્ચે કયારેય તેઓ પ્રભુનું સ્મરણ ચૂકયા ન હતાં.

માનવી ની કાયા તો અશુચિથી ભરેલી છે. કાયાના તમામ છીદ્રોમાંથી હંમેશા ગંદકી જ વહયા

કરે છે. રૂધિર, માંસથી ભરેલી અને ચામડાથી મઢેલી આ કાયા એક દિવસ ઢળી પડવાની છે.

કાયા ઢળી ગયા પછી આગમાં બળી ને રાખ થવાની છે. ગમે તેટલો રાગ આ કાયા પર કર્યો

હશે તોય તે ઢળી પડવાની.ગમે તેટલો પણ ખર્ચો આ કાયાને રૂપાળી રાખવાકે નિરોગીરાખવા

કર્યો હશે તોય આ કાયા રાખમાં ફેરવાઇ જવાની છે. જે કાયાનો કશો ભરોસો નથી એવી

તકલાદી કાયામાં જયાં સુધી આત્મા હયાત છે ત્યાં સુધી એ કાયાનો ઉપયોગ કરીને પ્રભુની

સેવા, પ્રભુનું સ્મરણ, પ્રભુની આજ્ઞાનું પાલન અને પ્રભુનું કાર્ય શા માટે ન કરી લેવું?બીજું

ઉપર જણાવેલ છે દેહ દાન- ચક્ષુ દાન વિગેરે કરશો તો પરભવનું પુણ્ય માં જમા રકમ ખૂબજ

વધી જશે.પ્રભુ તરફથી ધર્મ આવી રહ્યો છે. હું ધર્મ ઉત્પન કરું છુ એમ ખ્યાલમાં નથી

રાખવાનું. સ્વીકારશો તો જ ધર્મ ફળશે. પરમાત્માને પ્રિય બનતાં પહેલા પરિવારજનોને પ્રિય

બનો. મિત્રોને પ્રિય બનો. સમાજને પ્રિય બનો.ટૂંકમાં બધાને પ્રિય બનો તો જીવન તરી

જશો.પ્રિય બનવાં માટે ભગવાન ના ગુણો આપણામાં આવવા જોઇએ - આચરણમાં ઉતારવા

પડે. કાજળની કોટડી માં રહેવું ને કાળા ન થવું એ કેમ બને? સંસારમાં રહેવું ને દુઃખ ન

પામવું એ કેમ બને? કામી તુલસીદાસ જે રત્નાવતી પત્નીની પાછળ પાગલ બનીને, મડદા પર

સવારી કરીને નદી તરી ગયા હતાં. સસરાના બારણે પહોંચી મધરાતે પત્નીને પડકારી હતી.

ચાલ! હમણાં ને હમણાં ચાલ! તારા વિના મારાથી એક રાત પણ રહેવાય તેમ નથી.

કામવાસનાથી ધગધગતા અંગારા પર પાણી નાંખતા પત્ની રત્નાવતીએ કહ્યું કે,

લાજ ન લાગત આપ કો, દોડે આયે હૈ નાથ.

ધિક ધિક ઐસે વિષય કો; કયા કહું મેં આજ.

અસ્થિ-ચર્મમય દેહ મમ,તામે જૈસી પ્રીત.

ઐસી પ્રીત રઘુનાથકી,તો ન ભવભીત.

‘હાડકાં અને માંસથી ભરેલા, ચામડાથી મઢેલા મારા દેહમાં તમને જે પ્રીત છે, એવી પ્રીત જો

તમે પ્રભુ રઘુવીરની કરી હોત તો તમારી આ દશા ન હોત.’ પત્નીના શબ્દોથી પરિવર્તન

પામેલા-સત્યના સાક્ષાત્કારથી તુલસીદાસ ચિત્રકુટના ઉધાનમાં ચાલ્યા ગયા હતા. તેના

વિલાસી જીવનનો ર્ટનિંગ-પોઇન્ટ આવી ગયો. તે વિરાગી સંત બની ગયા. રત્નાવતીનો અસિમ

ઉપકાર માનીને સંત-જીવનની વાટ પકડી લીધી! શ્રી રામની ભકિતમાં એમણે જીવન વ્યતીત

કર્યુ હતું. જગતમાં તેઓ ગોસ્વામી સંત તુલસીદાસ તરીકે વિખ્યાત થયા હતા.

બીજા ની વાત નહીં - પણ મારી જ વાત કરું છું. ૧૯૯૪ માં મને નોન હોટકીંસ લીમ્ફોમા નું

કેંસર થયું. મદ્રાસ અડયાર કેંસરની હોસ્પીટલમાં બોન મેરો ટેસ્ટ કરાવ્યો. એક બોન મેરો ની

સ્લાઇડ તાતા મેમોરીયલ હોસ્પીટલ-મુંબઇ અને હજી એક રેનબેક્ષી -મુંબઇ તપાસ માટે

મોકલી.મદ્રાસનો રીર્પોટ આવ્યોતાતા મેમોરીયલ તથા રેનબેક્ષીનો પણ રીર્પોટ આવી ગયો

ફેકસ માં. બધાનો રીર્પોટ એક જ હતો કે આ ભાઇને કેંસર છે જે લીવર- અબડોમેન-

સ્પલીન- ગળા માં બધે ફેલાઇ ગયું છે-ગળામાં તો એક ગાંઠ પણ મોટી હતી - દસ દિવસ

પછી દુઃખાવો ઉપડશે અને માંડ બીજા પાંચેક દિવસ કાઢશે. પંદર દિવસ નું આયુષ્ય છે.

પણ મને ભગવાન માં સંપૂર્ણ શ્રદ્વા હતી - મારા દિકરાને કીધું કે મને કાંઇ નહીં થાય હું તારા

આદીત-મારો પૌત્રના લગ્ન જોઇને જ જઇશ. અહીં બેંગલોરમાં સહજમુની આચાર્ય મહારાજ

૩૬૫ દિવસ ના ઉપવાસ કરતાં હતાં તેમનું માંગલીક સાંભળીને તથા તે વખતે તેમણે મારી

ગાંઠ હતી ત્યાં હાથ રાખી મુકેલ -કોને ખબર ગાંઠ તો બીજે દિવસે જતી રહી આપોઆપ.

અને કીડવાઇ કેંસર હોસ્પીટલમા ત્રણ વાર ડોકટર બાપસીએ મારો બોન મેરો ટેસ્ટ કર્યો

કેંસર જ નથી તેમ આવ્યું. પણ મારા કર્મો ભારી હતાં - ડોકટરના કહેવાથી કે કમ્પુટરમાં જેમ

વાઇરસ કોઇક વાર હોય તો પણ ખબર ન પડે ડોરમેંટ થઇ જાય - એટલે સેફટી માટે

કીમો થેરાપી કરવી સારી. ઘરના બધા ગભરાય ગયેલ - અને ચાર સાયકલ કીમો થેરાપી કરી

વાળ બધા ઉતરી ગયા- શરીર ખખડી ગયુ–અને મેં હોસ્પીટલથી ત્રાસી ને રજા ન મળી તો

અમારા જોખમે રજા લઇ ઘરે આવી ગયા. મુંબઇ અડવાની ડોકટરને બતાવવા પહોંચી ગયા.

તેણે માથા પર હાથ મુકી દીધો કે તમને કેંસર ન હતુ-શું કામ કીમો લીધો? અમેાએ કહ્યું કે

સાવધાની રુપે. તો તેમણે મને એક ક્રોસીન ગોળી આપી કીધું કે લઇલો કાલે તાવ આવશે. મેં

કીધું કે મને તાવ જ નથી તો અત્યારે કેમ લેવાની? તરતજ તેમણે કહ્યું કે જયારે બોન મેરોનો

તમો એ બેંગલોર ટેસ્ટ કર્યા અને કેંસર નથી તેમ આવ્યું ત્યારે જ કોઇ દવાની જરુર ન હતી.

ખેર - મારા કર્મમાં ભોગવવાનું હશે એટલે કીમો લીધા.પંદર દિવસની વાત દૂૂર, આજે ૧૪

વર્ષ થઇ ગયાં હું હયાત છું. ભગવાન ઉપર-ગુરુ મહારાજ ઉપરતે શ્રદ્વા કામ કરી ગઇ.

જીવનમાં શ્રદ્વા વિશ્વાસ પ્રભુ પર રાખશો તો - અને ભગવાનના બતાવેલ માર્ગ પર ચાલવાની

પુરી કોશીશ કરશો તો તમારા કર્મ પણ ર્નીર્જરી જશે.

જીવન એટલે જ શ્રદ્વા. શ્રદ્વાનું બીજું નામ છે આત્મવિશ્વાસ. સંત વિનોબા ભાવે તો કહેતા કે

શ્વાસ એટલે જ વિશ્વાસ. શ્વાસમાં છે ઇશ્વરનો વાસ. જેને પોતાનામાં વિશ્વાસ નથી તેને

કયાંય ભગવાનના દર્શન નહીં થાય. ભગવાન તો સર્વત્ર વ્યાપ્ત છે. જલન માતરી જેવા કવિ

કહે છેઃ- શ્રદ્વાનો હો વિષય તો - પુરાવાની શી જરૂર?

કુરાનમાં તો કયાંય - પયગંબરની સહી નથી.

ગુજરાતના પ્રસિધ્ધ ગઝલકાર સ્વર્ગીય ગની દહીંવાલાનો એક જાણીતો શેર છે.

શ્રદ્વા જ મારી લઇ ગઇ મંઝિલ ઉપર મને,

રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઇ.

શ્રદ્વા જીવનનું ચાલક બળ બની શકે છે. શ્રદ્વા આત્મવિશ્વાસની જનની છે. શ્રદ્વા આસ્તિકતાની

પરિચાયક છે. શ્રદ્વા એટલે દિલે મનથી ઇશ્વરને લખેલી કંકોતરી. શ્રદ્વામાં ઘૂંટાયેલી લાગણીનો

અર્ક હોય છે. શ્રદ્વામાં વિશ્વાસનો પડઘો છે. શ્રદ્વામાં આત્મા પરબ શોધે છે. શ્રદ્વાના કોડિયામાં

સહનશીલતાનું ઉંજણ અને ધૈર્યની દીવેટ હોય છે. બિછાને પડેલ દરદીને પલંગ પાસે શીર્ષાસન

કરી લટકેલા ગ્લુકોઝના બાટલામાં શ્રદ્વા હોય છે. ડોકટર સાહેબના હોઠ પર લાંબો સમય ટકી

રહેલા સ્મિત પર દરદીનાં સગાવહાલાંઓને શ્રદ્વા હોય છે. જયારે દર્દીની પત્નીને રાખેલી

બાધા, નકોરડાં ઉપવાસ અને મંદિરની રોજની તપ સાધના પર શ્રદ્વા હોય છે.ઇશ્વર પ્રત્યેની

આસ્થાને શ્રદ્વા કહેવામાં આવે છે; પરંતુ વિસ્તૃત અર્થમાં શ્રદ્વા એટલે અડગ વિશ્વાસ. શ્રદ્વાનો

જન્મ હૃદયમાંથી થતો હોય છે. શ્રદ્વાને પુરાવાની જરૂર હોતી નથી. શ્રદ્વા માનવજીવનમાં નવો

પ્રાણ પૂરે છે. શ્રદ્વા હોયતો જ પથ્થરમાં ભગવાન જોઇ શકવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. શ્રદ્વા

વગરનું જીવન સુકાની વગરની નાવ સમાન હોય છે. શ્રદ્વા શબ્દનું કેંન્દ્ર બીંંદુ ધર્મયુકત સત્ય છે.

ઇશ્વરશ્રદ્વા નરસિંહ મહેતા જેવી હોવી જોઇએ. કુંવરબાઇનું મામેરું કરવા ગયેલા નરસિંહ

મેહતા પાસે કશી સામગ્રી નહોતી, પણ ખાલી છાબ પાસે બેસી ને ભદ્વન કરતાં એમને ખાતરી

હતી કે શામળિયો એમની મજાક નહીં થવા દે. અને એમની એ શ્રદ્વા સાચી પડે છે.

અવિનાશ ચેટરજીએ પોતાનો અનુભવ વર્ણવતા એક પ્રસંગ લખ્યો છેઃ-એક દિવસ મારી

ગાડી ધર્મતલા સ્ટી્રટમાં ઊભેલી કોઇની ગાડી સાથે અથડાઇ પડી. હું મારી ગાડી થોભાવીને

નીચે ઊતર્યો અને પેલી ગાડીને કેટલું નુકસાન થયું છે એ જોવા લાગ્યો. નુકસાન વધારે

નહોતું થયું; કેવળ પાછલા ભાગનું એક મડર્ગાડ જરાં દબાઇ ગયું હતું. વળી ગાડી જૂની

પણ હતી. છતાં એ કારના માલિકને શોધવા લાગ્યો. પરંતુ કોઇ દેખાયું નહીં. છેવટે મેં મારું

સરનામું લખી નુકસાનીની રકમ લેવા મારી ઓફીસમાં આવવા માટે એક કાગળ લખીને

કારમાં મૂકયો.

બીજા જ દિવસે મારી ઓફીસમાં એક વૃદ્ધ સજજન પધાર્યા. તેમણે મારી સામે પેલો પત્ર

ધર્યો.મેં એમને માનપૂર્વક બેસાડયા અને પછી અકસ્માતનું વર્ણન કરીને ખિસ્સામાંથી પાકીટ

કાઢયું. તરતજ તેઓ બોલી ઉઠયા, ગાંડા થયા છો? આ શું કરો છો? હું નુકસાની લેેવા

થોડો આવ્યો છું? મારી તો એ જોવાની ઇચ્છા હતી કે આજે પણ એવો પ્રામાણીક માણસ

કોણ છે જે પોતાની ભૂલ સ્વીકારવામાંથી પાછો નથી પડતો? તમે કશું ભળતું ના સમજતાં

અને મારા તરફથી આ એક નાની ભેંટ સ્વીકારો. ભગવાન તમને આ જ પ્રમાણે સદા દોર્યા

કરે! અને તેમણે કાગળમાં વીંટેલી એક મોટી વસ્તુ મારી સામે ધરી.ખોલીને જોયું તો સોનેરી

ફે્રમમાં મઢેલી મહાત્મા ગાંધીજીની એક છબી હતી.આપણે પ્રામાણિકતા માત્ર પૈસાથી જ

માપીએ છીએ. પ્રામાણિકતા એટલે પોતાની જાત પ્રત્યેની વફાદારી. અંતરાત્માના અવાજને

અનુસરીને પોતાના સ્વાર્થના ભોગે વ્યાપક હિતમાં યોગ્ય લાગે એવું વર્તન કરવું એ સાચી

પ્રામાણિકતા. દુઃખનું કારણ એ છે કે સુખ કયાં છે તે માણસને ખબર નથી.. અહં ને ગમે

તેટલો પૂરવા અને પોષવાનો પ્રયત્ન કરો પણ તે પુર્ણ થઇ શકે તેમ નથી. સુખ પ્રાપ્ત કરવું

હોય તો અહં ને વિદાય આપવી જ રહી.

આપણી ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન છે. ધર્મ એટલે જ ભકિત. ધર્મ એટલે જ સદાચાર અને

નીતિ. ભકિતભાવે કરેલું દરેક કર્મ એ જ ધર્મ છે. ચાલો આપણે પણ ભકિતભાવે આપણાં

જીવનને અજવાળીએ. સંતોષથી મોટું સુખ બીજું એકેય નથી. મનુષ્યમાત્ર દીર્ધ સુખ-કાયમી

સુખ ઇચ્છે છે, પણ તેવું સુખ શામાં છે તેની ખબર નથી. શાશ્વત સુખ સંતોષમા છે. કાયમી

સુખતો કેવળ મોક્ષ જ આપી શકે છે. દુઃખમાં સુખનું દર્શન એ વહેવાર સમ્યગદર્શન અને

સુખમાં દુઃખનું દર્શન એ નિશ્ચય સમ્યગદર્શન. પુણ્ય પેટો્રલ જેવું છે - પ્રયત્ન કીક મારવા

જેવો છે. પરોક્ષમાં બોલાય તે પ્રશંસા- પ્રત્યક્ષમાં બોલાય તે ખુશામત. હૃદયથી કરવામાં આવે

તે કદર..

ભરત મહારાજાના હાથની વીંટી પડી ગઇ અને લેવા માટે ન નમ્યા તો કેવલજ્ઞાન થયું -

અને બાહુબલજી (વીરા-ગજ થી હેઠા ઉતરો) નમ્યાતો કેવલજ્ઞાન થયું.

શાસ્ત્રમાં ય શ્રોતાઓ ત્રણ પ્રકારના બતાવવામા આવ્યા છે - સોતા, સરોતા અને શ્રોતા.

સોતાઃ- કેટલાક લોકો સુંદર પ્રવચન ચાલતું હોય ત્યારે મીઠી નિંદર માણતા હોય. ઘરમાંથી

કંટાળીને આવ્યા હોય, ઉપાશ્રયમાં ઠંડો પવન આવતો હોય ઉમમમ ઉપ અને ભાઇ સાહેબ

નિરાંતે ઉંઘતા હોય. આવા શ્રોતાઓને વાણી શું અસર કરે? એક શેઠ વ્યાખ્યાનમાં રોજ

આગળ આવી ને બેસે પણ રોજ ઝોંકા ખાય. એકવાર મહારાજે પૂછયું કે શેઠ ઉંઘો છો? શેઠ

એકદમ ઝબકી ને કહે કે ના . ના સાહેબ જાગું છું ને! ઉંઘતા હોવા છતાંયે કહે છે કે હું

જાગુ છું ને! માણસ હંમેશા સ્વનો બચાવ જ કરે છે. ભૂલનો સ્વીકાર કરવામાં તેને નાનપ

લાગે છે.માટે તો રખડે છે સંસારમાં. જવાબ આપીને ફરી પાછા શેઠ ઝોંકે ચડી ગયા.

મહારાજ પણ તેમને માથાના મળેલા. તેથી મહારાજે થોડીવાર થઇને ફરી પૂછયું કે શેઠ જીવો

છો? ના. નાસાહેબ! આખી સભા ખડખડાટ હસી પડી. ત્યારે શેઠ ને ભાન થયું કે મેં

શું જવાબ આપ્યો. આ માણસને વ્યાખ્યાન શું અસર કરે?

સરોતાઃ- સરોતા એટલે સૂડી. કેટલાક માણસો સૂડીની જેમ કાપવાનું જ કામ કરતા હોય.

વકતાના દોષો જ શોધતા હોય. વાણીમાં શું દોષ છે તેને શોધવામાં પડેલા હોય. તેને પણ

વાણીની અસર થતી નથી.

શ્રોતસઃ- શ્રોતસ એટલે કાન. સાચા શ્રોતાઓ તે જ છે કે જે કાન દઇને પ્રાણરેડીને સાંભળે.

કાનથી અને પ્રાણથી સાંભળનારા જ આ શાલ-મહાશાલની જેમ તરી ગયા. ઘણા લોકોને

સાંભળવું ગમે પણ અમલમાં કાંઇ મૂકે જ નહીં. આચરણ વિનાનું બધું નકામું છે.

વ્યાખ્યાનમાં બેસીએ છીએ એમ નહીં પણ વ્યાખ્યાન તમારા હૈયામાં બેસવું જોઇએ.

પ્રવચનનો એક અક્ષર પણ જો હૈયામાં બેસી જાય તો બેડો પાર થઇ જાય. ધર્મ સાંભળવાનો

કાનથી - સમજવાનો બુદ્વિથી, પરંતુ આચરવાનો હૃદયથી.

શાલ-મહાશાલ નામના બે ભાઇઓ છે બન્ને ભાઇઓ વચ્ચે ગાઢ પ્રીતિ છે. એક રાજા છે

બીજો યુવરાજ છે. ન્યાય-નીતિથી રાજય ચલાવે છે. પ્રજા તેમને દેવ જેવા ગણે છે. પ્રજાના

સુખે સુખી અને દુઃખે દુઃખી. બન્ને ભાઇઓની સુંદર જોડી છે. એકવાર ભગવાન મહાવીર

વિચરતાં-વિચરતાં પધારે છે. શાલ-મહાશાલની પૃષ્ઠચંપા નગરી નજીક જ છે તેથી ભગવાન

ગૌતમસ્વામીને આદેશ કરે છે કે પૃષ્ઠચંપામાં જાઓ. શાલ-મહાશાલની નગરીમાં ગુરુ ગૌતમ

પધારે છે.શાલ-મહાશાલ અને નગરીના લોકોહર્ષઘેલાં બન્યા છે,સાક્ષાત કલ્પવૃક્ષ આંગણે

આવ્યું.ગુરુની દેશના સાંભળવા હજારો લોકો ભેગાં થયા છે.ગૌતમસ્વામી દેશના શરુ કરે છે.

સંસારની અસારતા સમજાવે છે. શાસ્ત્રમાં સંસારનું બીજું નામ માર આવે છે જયાં જીવને

સતત માર જ પડયા કરતો હોય છે. ફૂટબોલની રમતમાં બોલની સ્થિતિ તમે જોઇ છે ને! એક

માણસ આમ લાત મારે-સામે બીજો લાત મારે. આમ લાત જ ખાતો-ખાતો કૂટાયા જ કરે છે.

તેમ માણસ પણ ઘરમાં બૈરીની-દિકરાની-નોકરોની અને ઓફીસમાં શેઠની-સાહેબોની

આમ બધાની લાતો જ ખાતો જીવતો હોય છે. આવા આ સંસારમાં પરમાત્માએ બતાવેલો

માર્ગ એ જ સાચો છે. તેનાથી જ આ આત્માનું કલ્યાણ છે. ગૌતમસ્વામીની દેશના સાંભળીને

બન્ને ભાઇઓને સંસાર છોડવાનું મન થયું. શાલ મહાશાલને કહે છે કે ભાઇ તમે રાજય

સંભાળો અને મને રજા આપ. મહાશાલ શાલને કહે છે કે ભાઇ તમે રાજય સંભાળો અને

મને રજા આપો. છેલ્લે વચલો માર્ગ કાઢે છે. પોતાની એક બેન હતી. તેને એક પુત્ર હતો.

બેન-બનેવી-ભાણિયાને બોલાવે છે. પોતાની સંયમ માર્ગે જવાની ભાવના વ્યકત કરે છે.

ભાણેજ અને બનેવી રાજયની સંભાળનો સ્વીકાર કરે છે. અને બંને ભાઇઓ દીક્ષા લે છે. ખૂબ

સુંદર આરાધના કરતાં વિચરે છે.ઘણાં વર્ષો પછી વિચરતાં-વિચરતાં એ પ્રદેશમાં આવેછે.

શાલ-મહાશાલ ભગવાનની રજા લે છે પોતાની નગરીમાં જવા.ભગવાન ગૌતમસ્વામીની

સાથે બન્નેને મોકલે છે. પ્રજા પોતાના ભૂતપૂર્વ રાજાને જોઇ હર્ષઘેલી છે. બેન-બનેવી અને

ભાણિયો પણ દેશના સાંભળવા આવે છે. ત્રણેને સંયમનો ભાવ થાય છે અને ગૌતમસ્વામી

પાસે સંયમ ગ્રહણ કરે છે. બધા સાથે ભગવાન મહાવીર પાસે જવાં નીકળે છે.

રસ્તામાં શાલ-મહાશાલ- બેન-બનેવી-ભાણિયાનો વિચાર કરે છે કે આ લોકો કેવા સારા છે.

આપણને દીક્ષા લેવા માટે માર્ગ મોકળો કરી આપ્યો. પોતે આંટી-ઘૂંટીને પ્રપંચથી ભરેલા

રાજયનો સ્વીકારીને આપણને મુકત કર્યા. કેવા સજજન છે! આમ અહોભાવથી તેમને

નમસ્કાર કરે છે. મનમાં એમના ગુણોને જ વિચારે છે. આ બાજૂ બેન વિચારે છે કે મારા

ભાઇઓ કેવા સારા છે? બહેનને પરણાવ્યા પછી પિયરમાં શું હુંફ હોય?છતાં પોતાનું આખું

રાજય મને આપી દીધું! કેવી ઉદારતા!બનેવી વિચારે છે કે આ સાળાઓે કેવા સારા છે!

રાજય લેવા માટે તો કેટલી લોહીની નદીઓ વહેડાવવી પડે. જયારે વિના મહેનતે સામેથી

રાજ આપ્યું. એટલું જ નહીં પણ અમે રાજયમાં ખૂંચી ન જઇએ માટે અમને તારવા સામેથી

આવ્યા. ભાણીયો વિચારે છે કે મામા કેવા સારા છે.આમ ત્રણે જણ પોતપોતાની રીતે વિચારે

છે - પાંચે જણા એક-બીજાના ગુણો ને જ જૂએ છે. રસ્તામાં ચાલતાં-ચાલતાં ઉચ્ચગુણોની

વિચારધારાઓ ચડે છે અને ગુણની વિચારધારાં એમને કયાં લઇ ગઇ! ક્ષણમાં જ બધાં જ

કર્મો નો ભૂક્કો, અને નિર્મળ કેવળજ્ઞાન થયું પાંચે ને. ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે

આ પાંચે ને લઇ ને આવે છે. દેશના ચાલી રહી છે. પાંચે કેવળજ્ઞાનીઓ કેવળીની પર્ષદાં તરફ

વળે છે. ત્યાં ગૌતમસ્વામી બોલે છે કે અરે! એ બાજુ કયાં જાઓ છો? એ તો કેવળીની પર્ષદા

છે. તમારે તો આ બાજુ બેસવાનું છે. ત્યાં ભગવાન કહે છે કે ગૌતમ! કેવળીની આશાતના ન

કર.. એ પાંચેને કેવળજ્ઞાન થયેલ છે. ગૌતમસ્વામી આશ્ચર્યમુગ્ધ બને છે.બોલી ઉઠે છે

ભગવાન! હજુ હાલ તો દીક્ષા લીધી છે એટલીવારમાં કેવળજ્ઞાન.. હા ગુણાનુરાગથી એ

આત્મા તરી ગયા. આપણી ત્રીજી ચાવી જીવનની સફળતાની આ જ છે-સફેદ જુઓ-ગુણો

જુવો-કાળુ નહી જુવો. એકબીજાની સારપ જોઇ તોભાગ્યમાં કેવળજ્ઞાન મળ્યું. જન્મમરણના

ચક્કરમાંથી છૂટકારો થઇ ગયો.દેવ પાસેથી દર્શન-ગુરુ પાસેથી જ્ઞાન- ધર્મ પાસેથી ચારિત્ર

મળે. આપણો અંહકાર તોડવાનો છે માટે જ નવકારમાં- નમો પ્રથમ છે. હે પ્રભુ - તમે જ છો

હું નહીં - એનો સ્વીકાર નમો છે. આપણે તો દોષોના ઢગલાથી ભરેલ હતા - આપણા

દોષો દૂર કરી ગુણો પ્રગટાવનાર ભગવાન છે. એ ઉપકાર શી રીતે ભુલાય?

સંસારનો રાગ આગ બની ને બાળે છે -પ્રભુનો રાગ બાગ બનીને જીવન અજવાળે છે. પ્રભુનો

રાગ કરવાથી દોષોનો નાશ અને ગુણોનું પ્રકટીકરણ થાય છે. સમગ્ર શાસ્ત્રોના અર્થ સાર

પ્રભુ ભકિત છે. મુકિતથી અધીક તુજ ભકિત મુજ મન વસી. આવા પ્રભુ આપણા હૃદયમાં,રગ

રગમાં વસે એવી સાધના કરીએ - હર એક શ્વાસમાં પ્રભુ યાદ આવવા જોઇએ.

શાણો માણસ વર્તન કરતાં પહેલા વિચારે છે જયારે મૂરખ માણસ વર્તન કર્યા પછી વિચારે

છે. જે લોકો સમયનો દુરુપયોગ કરતા હોય છે એ લોકોજ સમય ઓછો પડવાની ફરિયાદ

કરતા હોય છે. પરમાત્માને પ્રિય બનતાં પહેલા પરિવારને પ્રિય બનો. આટલું નક્કી કરો -આ

જન્મ હવે એળે નથી જવા દેવો. જેમ જેમ તમારું જ્ઞાન વધશે તેમ તમનેજ તમારા અજ્ઞાનનું

ભાન થશે. જેથી અભિમાન નહીં આવે. જ્ઞાન અને દર્શન બંને મળી ને ચારિત્ર મળે.

પર્યુષણ પર્વ એટલે વેર વિસર્જન મહોત્સવ. અધ્યાત્મ જીવનનું ખુલતું પ્રભાત. વિસ્મૃત થયેલ

પાપનું સ્મરણ કરી નિર્મળ બનવાની તક. ક્ષમાપના દિને વાતોથી જ નહીં વિરોધીઓના ચરણ

પશ્ચાતાપના આંસુથી ભીંજવી આરાધો. આત્મહિત સાધવાની મોસમ - બળેલા કે જખમી

હૃદયના મલમપટા કરો.પર્યુર્ષણ પર્વ આત્માને પરમાત્મા બનાવવાનું પર્વછે. આપર્વ દરમિયાન

જ આત્મા- અહિંસા,સંયમ અને તપના ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે તે પરમાત્મા બને છે.

આ પર્વમા-સ્નેહના સરવાળા કરી, વેરની બાદબાકી કરી,ગુણોનો ગુણાકાર કરી, ભૂલોનો

ભાગાકાર કરવો. તું તારા માટે જે ઇચ્છે છે તેવું બધાને માટે પણ ઇચ્છજે. પાણી વગર

અનાજ પાકતું નથી તેમ વિનય વિના વિધા ફળતી નથી.

દેવાધિદેવ શ્રી મહાવીરપ્રભુના નિર્વાણ કલ્યાણકથી વિભૂષિત દીપાવલી. વરસો વરસ દર વર્ષે

દિવાળી આવે છે અને કારતક સુદ એકમનું મંગલ પ્રભાત આપણને નવા વર્ષની અનુપમ ભેંટ

અર્પણ કરે છે. જયાં સુધી આપણું આયુષ્ય કર્મ પહોંચે છે ત્યાં સુધી આ નવા વર્ષની ભેંટ

આપણને મળતી રહે છે.પરંતું આપણને કદી વિચાર આવે છે ખરો કે મારી કર્મસત્તાની

નવલી ભેંટ નો ઉપયોગ મેં સત્કર્મોમા કર્યો કે નહીં? આ મને મળેલી અણમોલ માનવભવની

બક્ષીક્ષની એક એક ક્ષણ મેં સાધનામાં વિતાવી ધર્મર્માગે વિતાવી કે પછી બસ ખાવું-પીવું કે

જલસા કરવા ...અને પછી આયારામ-ગયારામ-મનુષ્ય ભવ પૂરો.

દિવાળી ને દિવસે વેપારીઓ વર્ષનું નફા નુકસાનનું સરવૈયુ કાઢે છે. આવું સરવૈયુતો એક

અણઘડ સામાન્ય વેપારી પણ કાઢી શકે જયારે આપણેતો દેવાધિદેવ શ્રી મહાવીરપ્રભુજીના

સંતાન. આવા પરમ ઉપકારી પરમપિતાના સંતાનતો આપણે શેનું સરવૈયુ કાઢવાનું? આપણા

પરમપિતાજી શ્રી મહાવીરપ્રભુજી એ દિવાળીની રાત્રીએ છેલ્લા મુર્હતે સંસારની કાર્યવાહી

સમાપ્તિ કરી. નુકસાનીના વળતર વાવી દીધાં. અને ધૂમ ધર્મવ્યાપારને અંતે સમસ્ત દોષો

ટાળીને અનંત ઘણો નફો તારવ્યો. જયારે આપણેતો મોહ-માયા-અજ્ઞાનને રવાડે ચઢેલા

અવળા વેપાર કરીને નુકસાની વહોરતા જઇએ છીએ અને ભવભ્રમણ વધારતા જઇએ છીએ.

મહર્ષિ શ્રી ભુવનભાનુસુરશ્વરજી મ.સા. તેમના દિવ્યદર્શન દ્વારા સમજાવે છે કે આ અણમોલ

માનવભવ એતો મહાકીંમતી મન-સુવર્ણને રિફાઇન કરવાની રિફાઇનરી છે. આપણે એની

ખરી કિંમત સમજીને આ ભવમાંતો ધર્મરુપી ઝવેરાતનો વેપાર કરીને કરોડોની કમાઇ કરી

લેવાની છે. અઢાર પાપસ્થાનકોમાં આ અણમોલ ક્ષણો બરબાદ ન થઇ જાય એજ ધ્યાન

રાખવાનું છે તો ચાલો આપણે આપણું જીવન પલટીએ - સુધારીએ.

જીવનની સહી દિશા તરફ પ્રયાણ ચાલુ કરીએ. તો ચાલો - જીવન સમાપ્ત થાય તે પહેલાંજ

મનની સાફસુફી કરીએ.જેમ ઘર સાફ કરીએ છીએ તેમ દિલ સાફ કરીેએ.આંગણામાં રંગોળી

પૂરીએ છીએ તો આ વખતેે આપણા મનમંદિરમાં,હૃદયમંદિરમાં- પ્રેમની - કરુણાની - દયાની

વાત્સલ્યની - મૈત્રીભાવનું પવિત્ર ઝરણું હૃદયમાં વહાવી દઇએ.

વાઘ બારસને દિવસે આપણા દોષો સામે - આપણા પાપો સામે - વાઘ જેવા બનીને હટાવી

દઇએ.

ધનતેરસને દિવસે સમ્યક દર્શન- જ્ઞાન-ચારિત્ર રુપી ત્રણ અનમોલ રત્નોની ખરા અંતઃકરણ

પૂર્વક ધનપૂજા કરીને આપણી આત્મસમૃધ્ધિને છલકાવી દઇએ.

કાળીચૌદસને દિવસે અંતરની બધી કાલિમાને હટાવી દઇએં.દીપાવલી ની રાત્રી એ દ્રવ્ય દિપક

પ્રગટાવીએ ત્યારે ભાવ દિપકને ખાસ યાદ કરીએ.અહો! કેવો ધન્ય દિવસકેવી ધન્ય

દિવાળી- કેવું ધન્ય નિર્વાર્ણ કલ્યાણક-જુગ જુગ જીવો આ મહાપવિત્ર આ દિન - આ દીવો.

અને આપણાં રોમ રોમમાં - આપણાં શરીરના અણુએ અણુમાં અનંત લબ્ધિ નિધાન શ્રી

ગૌતમસ્વામીજી ગુરુભકિતનો અનુપમ નાદ ગુંજાવી દઇએ અને ભાવના ભાવવા બેસી જઇએ

કે હે મારા દાદાશ્રી અનંત લબ્ધિનિધાનશ્રી ગૌતમસ્વામીજ જેવો વિનયગુણ મને પ્રાપ્ત થાઓ.

શ્રી અભયકુમારજી જેવોભદ્રવૈભવ મને પ્રાપ્ત થાઓ. શ્રી ધનાજી અને શ્રી શાલિભદ્રજી જેવી

ત્યાગ ભાવના ભરી રિદ્ધિ સિદ્ધિ મને પ્રાપ્ત થાઓ. શ્રી પુણીયા શ્રાવકજી જેવા સામાયિકના

રંગે રંગાઇ જવાની ભાવના મને પ્રાપ્ત થાઓ. શ્રી કવયન્ના શેઠ જેવું સૌભાગ્ય મને પ્રાપ્ત

થાઓ અને વળી .. વળી આપણી આંખ બની જાયે કરુણાની પ્યાલી - અંતર ઝખે સહુની

ખુશાલી - અન્યના દુઃખમાં આંસુ વહાવીએ તો જ આપણે આંગણે રોજ દિવાળી.. તો આ

રીતે નૂતન વર્ષની નવલી પ્રભાતે આપણે આપણાં આત્મરામને અજવાળી દાદાની પૂજા-

દર્શન કરતાં ભાવના ભાવવાની છે.. દાદા તમારા જેવું બનવું છે મારે. તમારા ગુણો મારામાં

આવે. પ્રભુ તારા જેવું મારે થાવું છે - પ્રેમનું અમૃત પાવું છે. ભકિતના રસમાં નહાવું છે.

સામે કિનારે મારે જાવું છે. પ્રભુ તારા જેવું મારે થાવું છે. દાદા તારા જેવું મારે થાવું છે.

છોકરામાં માબાપની આકૃતિનો વારસો જેમ ઉતરે છે તેમ તેમ તેના ગુણદોષનો વારસો પણ

ઉતરે છે. માબાપ જો પોતાના સંતાનોને કોઇપણ સાચી સંપત્તી સમાન રીતે આપી શકે તેમ

હોય તો તે પોતાનું ચારિત્ર અને કેળવળી ની સગવડો છે. તે બાળકોના જીવનના મુળ આધાર

સ્થંભ છે. મા બાપથી વધુ વહાલી વ્યકિત કોઇ હોય ન શકે? પણ મુશ્કેલી એ છે કે સંતાન

યુવાન થયા બાદ પછી મા બાપને પણ તિરસ્કૃત કરે છે? આવું શા માટે? કર્મ ને જ દોષ દેવો.

પોતાનાજ કર્મને-બાકી કદી બીજાનો દોષ ન જોવો. કદી કોઇની અપેક્ષા રાખવી નહીં. હંમેશા

આપવાની,હંમેશા ત્યાગની,હંમેશા સમર્પણની,હંમેશા કરુણામય ભાવના રાખવી.મન મોટું

રાખવું - સમતા રાખવી - શાંતી રાખવી.

ભગવાન માત્ર ગુણ કે જ્ઞાન સમૃદ્ધ નથી, પણ પરોપકારી અને દાની પણ છે. એમના ગુણો

વિનિયોગની કક્ષા સુધી પહોંચી ગયેલા છે. ભગવાને દીક્ષા પહેલાં બધાને દાન આપ્યુ ં ત્યારે

પેલો બ્રાહ્મણ બહાર ગયેલો. ભગવાને દીક્ષા લીધી પછી નિર્ધન જ ઘરે આવ્યો.પત્નીના

કહેવાથી ભગવાન પાસે માંગવા જતાં મુની અવસ્થામાં પણ ભગવાને વસ્ત્રનું દાન કરેલ છે.

સહેજ પરોપકારની વૃત્તિ વિના આવુ ંન બની શકે. પ્રભુનામમાં પણ ઉપકારની શકિત છે.પ્રભુ

નામની ઓૈષધી ખરા ભાવથી ખાય,રોગ શોક વ્યાપે નહીં સંકટ સવી મીટ જાય.પ્રભુની

ગુણચાંદની સર્વત્ર છે. એને માટે આંખ જોઇએ. આંધળાને સૂર્ય શું કે ચંદ્ર શું? મન અરીસા

જેવું સ્વચ્છ બનાવો તો જ પ્રભુ મનમાં બીરાજશે. ઝવેરીને ખબર પડી જાય કે આ હીરો છે -

આ પથ્થર નથી.જે જીવનમાં ધર્મને રાખશે તેને ધર્મ રાખ્યા વિના નહીં રહે. આગ લાગ્યા પછી

કુવો ખોદવો નકામો છે તેમ આફત આવ્યા બાદ ધર્મના શરણે દોડવાને બદલે અત્યારથીજ

ધર્મનુંં શરણ શા માટે ન સ્વીકારવું?તમારી ડાયરીમાં નોંધી લેા કે મંદિરમાં પૂજા કરવી કે

ઉપાશ્રયમાં જઇને સત્સંગ કરવો એ જો ધર્મ છે તો બજારમાં જઇને ન્યાય નીતિથી જ ધંધો

કરવો એવા પ્રકારનો શુભઆશય એ પણ ધર્મ છે.

પૂજા કરવાની વાત આવી ત્યારે એક વાત યાદ આવી ગઇ. એક શહેરમાં આચાર્ય સૂરીશ્વરજી

બિરાજેલ હતા-તેમનું ચોમાસુ ત્યાં હતું. સાહેબ વ્યાખ્યાન દેતા હતા ત્યારે એક મોટા શેઠ

સુટ-ટાઇ વિગેરે પહેરી ને આવ્યા. તરત જ ગુરુ મહારાજ પાસે ગયા. તેમને કહે છે આપણા

દેરાસરમાં પૂજા વિગેરે ખોટો ખર્ચ બંધ કરવો જોઇએ. સવારના છ વાગ્યામાં જ ધોતીયું

પહેરીને બધા પૂજા કરવા આવી જાય. કેસર વિગેરે લગાડે - પણ પૂજારી તો બધુ લુછી નાંખે

આ કેટલો સમયની બરબાદી-એની કરતાં કોઇ પૂજા ન કરે તો જ બરોબર કહેવાય. સાહેબજી

આપજો સાચામહારાજ સાહેબ હો તો આ પૂજા બંધ કરાવી દો. સાહેબે કીધુ ‘ભાઇ તારી

વાત સાચી લાગે છે પણ તે કદી પૂજા કરેલ છે. શેઠ કહે છે કે હું કાંઇ ગાંડો નથી આવી રીતે

સમય બગાડું. મહારાજ સાહેબ કહે છે-શેઠજી ત્રણ દિવસ તમો સવારના પૂજા કરો– તમારા

માટે નહીં - મારા માટે. ચોથે દિવસે મને મળશો આપણે આખા ભારતદેશમાં બધા દેરાસરમાં

પૂજા બંધ કરાવીશું- મારું તમનેે વચન છે. શેઠ કે આખા દેશનો ફાયદો થાતો હોય તો ત્રણ

દિવસ હું સવારના પૂજા કરવા તૈયાર છું.શેઠનો પહેલો દિવસ પૂજાનો ગયો. આમ કાયમ

મગજ ગરમ જ રહે પણ પૂજા કરીને મન શાંત થઇ ગયું. ઘરે પત્ની એ ચા-નાસ્તો પિરસ્યો-

શાંતિથી ખાઇ લીધો. નોરમલી શેઠ ગરમ જ હોય કાં તો ચા નો કપ ઘા કરે અથવા

નાસ્તાની પ્લેટનો ઘા કરે. આજે શાંત મને નાસ્તો કર્યો -પત્ની સાથે પણ શાંતિથી વાત કરી-

ઓેફીસ - ફેકટરી ગયા. પણ રોજતો સવારથી જ માથાકુટ કચકચ ચાલું હોય આજે કોણ

જાણે શેઠ શાંત જ હતા ને બધા સાથે પ્રેમથી જવાબ આપતા હતા. એક નવો વેપારી બીજા

વ્યાપારીએ આની સાથે કામ નહીં કરતા કહેલ- તે તો શેઠ નો સ્વભાવ જોઇને ખુશ થઇ

ગયા. મોટો ઓર્ડર - એંડવાંસ વિગેરે આપીને ગયો.

શેઠ આજે ખુબજ ખુશ હતા,ઘર જઇ પત્ની છોકરાવને બહાર જમવાં પણ લઇ ગયા. રાતનાં

જ બીજા દિવસના કપડાં તૈયાર રાખ્યા - એલારમ મુકી દીધો -કોઇ પણ હિસાબે દેરાસર પૂજા

કરવા જવાનું હતું.સવારના ઉઠી ફટાફટ રેડી થઇ પૂજા માટે પહોંચી ગયા - અને ખૂબ

આનંદથી ભાવથી પૂજા કરી.હવે તો પત્ની - બાળકો બધા એની નજદીક આવી ગયા હતાં.

આ જે પણ ફેકટરીમાં માણસો સાથે પ્રેમથી વાત કરી -બધાને એક મહિનાનું વધારાનું બોનસ

આપવા નક્કી કર્યુ. મોઢામાં કર્કશ વાણી હતી તે ગાયબ થઇ ગઇ. ત્રીજે દિવસે પણ બીજા

દિવસ કરતાં સારો ગયો,આમ કરતાં ૧૪ દિવસ થઇ ગયા-પછી એક દિવસ મહારાજ સાહેબ

તે દેરાસરમાં જ હોય છે - બોલાવે છે. ભાઇ શું કરવું છે? મહારાજ ના પગમાં પડી જાય છે

અને કહે છે કે હવેતો-હું-મારા ઘરેથી અને રજામાં બાળકોપણ પૂજા કરવાઆવશે.ભગવાનની

પ્રતિમાને સ્પર્શ થાય છે ને જીવનમાં ફરક પડવા માંડે છે- ક્રોધ–ગુસ્સો બધું ગાયબ-તેની

બદલે દયા-કરુણા-લાગણી.બીજાનું ભલું-સારું કરવાની ભાવના હૃદયમાં ઉભરાય છે.

સાહેબ મને માફ કરી દો- હવે પૂજાતો રોજ કરીશું. કર્યા પછી તેની જે અનુભુતિ થઇ છે.

એકદમ અલૈકિક છે. મારુંતો જીવન બદલાઇ ગયું છે. હવે દાદાની કૃપાથી આપનું વ્યાખ્યાન

પણ રોજ સાંભળીશું અને ધીમે ધીમે ધર્મના માર્ગ પર વધુ ને વધુ ચાલશુ.મહારાજ સાહેબના

ખોળામાં માથું મુકીને ધ્રુસકે ધ્રુસકે રોવે છે અને માફી માંગે છે. સાહેબ મારી આ નાદાની

હતી - માફ કરજો- દેરાસરમાં જેટલો સમય જાય છે તે જ સાચું ઇનવેસ્ટમેંટ છે. પુણ્યની

બેંક માં રૂપિયા જમા થાય તેમ.મંદિરમાં ભગવાન પાસે શું કામ જવાનું છે? માત્ર હાથ જોડી

બહાર નથી આવવાનું. દર્શનતો ભગવાનના એવા કરવા કે એક દિવસ આપણા હૃદયમાં

રહેલ ભગવાન પણ દેખાય ચોવીસેય કલાક ભગવાન દેખાયા કરે દીલમાં જ.

ભગવાનપર બહુમાન થશેતો બીજું બધું પોતાની મેળે થશે. સૌ પ્રથમ માતા-પિતાનું બહુમાન

કરતાં શીખો. માતા-પિતાનું બહુમાન કરશો તો તે ભગવાનને પણ ગમશે.નદીને નારી

મર્યાદામાં સારી. ધર્મમાં ખર્ચાતું ધન વાપર્યું ન કહેવાય પણ વાવ્યું કહેવાય. ધનને આપણે

સાચવવું પડે છે ત્યારે ધર્મ આપણને સાચવે છે. શાહુકાર માણસ ગામ છોડીને જવાનો

હોયતો બધાનું દેવું ચુકતે કરી જાય છે તેમ આપણે આ શરીર છોડવાના અવસરે આપણાં

બધા પાપોની આલોચના કરીને શુદ્ધ બનાવવાનું છે.

ઉત્તમ પશુપંખી પણ રાતે ભોજન ટાળે.કબુતર,ચકલા,કાગડા,પોપટ વગેરે પક્ષીઓ-પ્રાણીઓ

પણ રાત્રે ખાતાં નથી. પછી સમજુ ધર્મી મનુષ્યે રાત્રિભોજનનો ત્યાગ કરવો જરૂરી છે.

સોયના અગ્રભાગ પર રહે તેટલા કંદમૂળના ટુકડામાં અનંતા જીવો છે. કોઇ વ્યકિત

જીવનપર્યંત લીલા શાકભાજી ખાય અને જે પાપ લાગે તેના કરતાં પણ એક વખત એક

બટાટાનો ટુકડો ખાય તેનું પાપ વધી જાય છે, માટે જીભના સ્વાદ ખાતર અનંતા જીવોની

હિંસા ન કરતાં તે જીવોને અભયદાન આપવું એ દરેક જૈનોનું મુખ્ય કર્તવ્ય છે.

લગ્નમાં કે ક્રિકેટમાં ફટાકડાં ફોડવાથી અનંત જીવોની હિંસા એ આધુનીક ફેશન બનવા માંડી

છે. જેથી અશાતા વેદનીય કર્મ બાંધી જીવ પોતેજ પોતાના આત્માને દુઃખ માં મુકે છે. દુઃખી

થાય છે. આજે મનુષ્ય ભાન ભૂલ્યો છે. અને આ પાપોનાં કાતિલ પરિણામે ભાવિમાં નરક-

નિગોદના કેવા કડવાં અનુભવો પડશે એ સાવ ભૂલી ગયો.કોઇપણસંસ્થા દ્ધારારાત્રિભોજન,

અભક્ષ્ય ખાન-પાન અથવા બીજા ધર્મ કે સંસ્કૃતિ વિરુદ્ધ કાર્યક્રર્મો યોજાય છે ત્યારે તે સંસ્થાના

ટ્રસ્ટી,પ્રમુખ,મંત્રી, હોદેદારો, કાર્યકરો અને આ કાર્ય માટે ડોનેશન આપનારા દાનવીરો આ

સામુહિક થતાં દોષ અને પાપ માટે સૌ પ્રથમ જવાબદાર બને છે. સેંકડો અને હજારો

વ્યકિતઓના સામુહિક પાપની ટીલી તેઓએ તેમના શિરે લલાટે ન લેવી જોઇએ. પાપથી

બચાવવાની બદલે સમુહ સમાજને પાપમાં જોડવાથી આયોજક અને દાતાઓ કર્મથી ભારે

બનેછે. પાપ કરે-કરાવેકે અનુમોદે તે સર્વ દુઃખના પાપના ભાગી બને છે. જૈન શબ્દને

લજાવું પડે છે.

વધુ દુઃખ અને આઘાતની વાત ત્યારેે બને છે જયારે સંસ્થાના નામ આગળ જૈન શબ્દ

લગાડેલો હોય-ઘણીવાર પર્વ તિથિઓ પણ વિસરાઇ જાય છે માટે જવાબદાર વ્યકિતઓએ

સાવધાન બની અરિહંત પરમાત્માની આજ્ઞાને બાધ ન આવે તેવા શુદ્ધ ભોજન ખાન-પાન

અને સંસ્કૃતિ મુજબના કાર્યક્રમો દિવસના યોજાય તેવા શુભ પ્રયત્નો કરવા જોઇએ જેથી

કોઇને પણ રાત્રિભોજન કે અભક્ષ્ય ખાન-પાન ન કરવું પડે. આપણા પૂર્વજોએ સાચવેલી

પવિત્ર જૈનાચારની મર્યાદા પાળવામાં સ્વ પર સૌનું હિત અને કલ્યાણ છે.મનોવાંછીત ફળ

આપવા માટે અહિંસા કામધેનુ સમાન છે. માટે દયાધર્મનું પાલન કરો. જીવ હિંસા

રાત્રિભોજન બંધ કરો.

અતિ આહારની જેમ રાત્રિના આહાર પણ બિમારીનું ઉત્પતિસ્થાન છે. વેદોનુંં સ્પષ્ટ ફરમાન

છે કે રાત્રે સુતા પહેલા ૩-૪ કલાક પૂર્વ જ ખોરાક ખાય લેવો જોઇએ. જેથી એ ખોરાકનું

સારી રીતે પાચન થાય. સૂર્યના પ્રકાશમાં સુક્ષ્મ જીવાણુંઓની ઉત્પત્તિ નથી થતી..

જૈનેતર ગ્રંથોમાં રાત્રિભોેજન એટલે નર્ક નો નેશનલ હાઇવે નંબર એક. સૂર્ય આથમી ગયા

પછી પાણી પીવું એ પણ લોહી પીવા બરાબર છે અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર

છે.જે પુણ્યાત્માઓ રાત્રે બધાજ આહારોના (પાણીપણ) ત્યાગ કરે છે તેઓ એક મહિનામા

પંદર ઉપવાસનું ફળ મેળવે છે. રાત્રિભોજન ન કરનારને રોજ તીર્થયાત્રાનું ફળ મળે છે.

ડોકટરોનું કહેવું છેં કે ભોજન અને શયનની વચ્ચેે ઓછામાં ઓછા ૩-૪ કલાકનું અંતર

હોવું જોઇએ. આર્યુવેદ કહે છે પેટ સૂર્યમુખી કમલ છે - જે બપોરે બાર વાગે સંપૂર્ણ રુપથી

ખીલે છે અને સૂર્યાસ્તની સાથે બંધ થઇ જાય છે આના પછી કાંઇપણ ખાવામાં આવે તે

પચતું નથી અને કાયમ માટે પેટની બિમારીઓ પેદા કરે છે. રાત્રે ખાધેલ બ્રહ્મચર્યને પણ

બાધક છે.

કેવળજ્ઞાની પણ રાત્રિભોજનના અનંત દોષોનું વર્ણન કરવામાં સક્ષમ નથી.. વાતાવરણના

અગણિત હિંસાને કારણે રાત્રિભોજનને મહાપાપ માનવામાં આવેે છે. પ્રત્યેક વર્ણના

અગણિત ત્રસકાયના જીવ ઉત્પન્ન થાય છે માટે રાત્રિભોજન માંસ સમાન અનેે રાતના પાણી

પીવું લોહી સમાન છે. આ જંતુઓને હોસ્પીટલોનું સ્ટરીલાઇઝડ વાતાવરણ પણ રોકી શકતું

નથી. માટે ડોકટરો પણ મેજર ઓપરેશનમાં ડે-લાઇટ ની અપેક્ષા રાખે છે. રાત્રે ગમે તેટલું

ફલડલાઇટ હોવા છતાંય પેલા રાત્રિચર સુક્ષ્મ કિટાણુઓને જોઇ શકાતાં નથી. ઊડતાં રોકી

શકાતા નથી. તે કીટાણુઓ ઓપરેશનના ખુલ્લા કરેલા ભાગ પર ચોંટે તો ઓપરેશન ફેલ

જાય છે. માટે રાત્રે ઓપરેશન કરવાનું ડોકટરો પણ ટાળે છે. રાત્રે તૈયાર થયેલી તાજી રસોઇ

પર સેંકડો સૂક્ષ્મ કીટાણુઓ અડડો જમાવી દે છે. ભોજન કરતાં તે બધા જ હોજરીમાં ઠલવાય

છે. માટે રાત્રી ભોજન અયોગ્ય છે.

મારા આહાર માટે જે કોઇ એકેન્દ્રિય જીવની હિંસા-વિરાધના થઇ છે તે સર્વ જીવોની ક્ષમા

માંગુ છુ.આ આહાર મારા મુખ સુધી પહોંચાડવામાં જે કોઇ જીવોને જે કોઇ પ્રકારનું કષ્ટ

પડયુંં હોયતે માટે તે જીવોની ક્ષમા માંગુ છુ. હું આહાર લઉં છુ. પરંતુ મારા આત્માના

અણાહારી પદનું મને કયારેય વિસ્મરણ ન થશો. મેં લીધેલો આહાર મારા દેહમાં એવી શુભ

રીતે પરિણમે કે જેથી મારા અધ્યવસાયો શુભ રહે અને સંયમની વિરાધના ન થાય. વિશ્વમાં

સર્વત્ર ક્ષુધા વેદનીય કર્મરેનો જયાં જયાં ઉદય હોય ત્યાં ત્યાં તે શાંત થાવ. તપસ્વીને શાતા

અને ભૂખ્યાને ભોજન મળી રહો. આહારથી અણાહારી પદ સુધીનું સ્થૂલ અન્ન સૂક્ષ્મ ક્ષેત્રે

કેટલું વિરાટ અને કેટલું વિસ્મયજનક છે!

જેટલા માથાના વાળ પ્રભુજી! એટલા શરીરના રોમ રે.. તેટલા..કરમ તો મેં કર્યા. પ્રભુજી રે.

વળી પાપનો ભારો માથે લઇને ભટકું છું હું જનમ જનમ.જનમ જનમ ભટકું છું તોયે મુજને

આવે નહીં શરમ..આ રીતે નિંદા-ગર્હા કર્યા કરવાથી પૂર્વેકરેલા પાપોના અનુબંધતો તૂટે જ.

માટેજ તો મહર્ષિઓ સમજાવે છેકે દરેકે પુણ્ય - પ્રકાશ નું સ્તવન રોજ વાંચી લેવું જોઇએ.

કામ-ક્રોધ-લોભ-માન-હાસ્ય-રતિ-અરતિ વગેરેના વિનાશની ક્રિયા વડે આત્માને શલ્યરહિત

બનાવવાનો છે અને તે સમયગ્જ્ઞાન-દર્શન અને ચારિત્ર થી જ શકય બને છે. આત્માને આ

સંસ્કાર ગાઢ કરવા માટે આ સૂત્ર ઉપરાંત- મુહપત્તિના બોલમાં પણ વારે ઘડી એ આદરુંઅને

પરિહરું શબ્દોની ગોઠવણ કરીને આપણને આપણા શ્રી દેવાધિદેવે કેટલા ન્યાય કરી દીધા

છ? એક એક ક્રિયા આ રીતે ભાવવાહી - અને સમજણપૂર્વક થઇ જાય તો આત્માની ગરિમા

પ્રગટી ઉઠતાં વાર ન થાય. આ બધું સમય્ક આચારપાલનથી જ શકય બને છે. પુરૂષે

મુહપત્તિના પચાસ બોલ સાથે ક્રિયા કરવાની છે તેવીજ રીતે બહેનોએ ૪૦ બોલથી

મુહપત્તિનું પડિલેહણ કરવાનું છે. આ ક્રિયા અર્થ સમજીને કરવાથી ખૂબ જ લાભ થાય છે.

દરેક બોલનો અર્થ સમજવા ખાસ પ્રયત્ન કરશોજી. તો જયારે સામાયિક કે પ્રતિક્રમણ કરશો

અને ક્રિયા સાથે મનમાં અર્થ ભાવ ભળશે તો તમોને ખુબજ લાભ અને પુણ્યનું ઉર્પાજન

થશે. આ સાથે શ્રદ્વા હોવી સો ટકા ખુબજ જરૂરી છે. એટલે સૂત્ર ધીમે ધીમે અર્થ મનમાં

મમળીને બેાલશો તો તમને મનમાં ખૂબજ આનંદ થશે.

માનવજીવન અમૂલ્ય છે. જ્ઞાનનો પ્રકાશ અને કષાયની મંદતા એ જીવનની ઓળખ છે. ઢોરની

જેમ જીવનનો શું અર્થ? આવા અમૂલ્ય માનવ જીવન પામીનેય આપણે જો આત્મઘર તરફ

પાછા નહીં ફરીયે તો કયારે કરશું? સાંજ પછી રાતઆવે છે કાળી ડિંબાંગ તો જો માનવ

જીવન વેડફીશું તો પછી લમણે દુર્ગતિ જ ઝીંકાય છે.

નવકારમંત્રના જાપથી સદગતિ મળશે જ એવો વિશ્વાસ રાખવો. કોઇપણ સાધનામાં શ્રદ્વા એ

મહત્વનુ બળ છે. શ્રદ્વા વિના સાધના ફળ સુધી પહોંચતી નથી. શ્રદ્વા હોયતો ઇષ્ટફળની

પ્રાપ્તિમાં થતાં વિલંબ કે વચ્ચે આવતી અડચણોથી સાધક વિચલિત થયા વિના પોતાની

સાધનાને દઢત્તા પૂર્વક વળગી રહે છે; પરિણામે તેની સાધના ફળ સુધી અચૂક પહોંચે છે.

નિર્મળ ભાવે કરેલ નવકારનું સ્મરણ કદી નિષ્ફળ જતું નથી . પરંતુ તેનુંફળ જોવાની અકાળ

ઉત્સુકતા સાધકે ન રાખવી જોઇએ. એણે એ સમજવું જોઇએ કે ધરતીમાં બીજ વાવી દઇએ -

પણ બીજા જ દિવસે ફળ ખાવાની આશા રાખવી એ મૂર્ખાઇ જ છે. દરેક વસ્તુ સમય માંગે છે.

દેખી શકાય તેવું ફળ આવતા વિલંબ થાય તેથી એમ ન કહી શકાય કે સાધના નિષ્ફળ ગઇ છે.

જેમ કોઇ પથ્થર તોડવા માટે હથોડાના ચાલીસઘા મારવા પડે ત્યાં પ્રથમના ત્રીસઘા સુધીતો

કાંઇ પણ પરિણામ દેખાતું નથી. એકત્રીસમાં ઘા એ પથ્થરમાં સહેજ તીરાડ પડે છે અને

ચાલીસમાંઘા એ પથ્થરના ટૂકડા થઇ નીચે પડે છે એનો અર્થ એ નથી થતો કે પ્રથમ ત્રીસઘા

નિષ્ફળ ગયા. એવુંજ કુવાનું ખોદકામમાં ચાલીસ હાથે જયાં પાણી નીકળતું હોય તે પ્રદેશમાં

કુવો ખોદતા પ્રથમ ત્રીસ હાથ ખોદતા સુધી પાણીના કોઇ ચિન્હોે ન દેખાય છતાં એ પ્રયાસ

નિષ્ફળ નથી જવાનો. જીવનના દરેક ક્ષેત્રે ફળ મેળવવા પૂર્વે ધૈર્ય રાખી પ્રયત્ન જારી રાખવો

પડે છે. તેમ ધૈર્ય, ખંત અને નિષ્ઠાપૂર્વક નવકારમાં સતત જાપને વળગી રહેનાર સાધક એક

દિવસ ખુદ પોતે પરમેષ્ઠીઓમાં સ્થાન પામે એ નક્કી જ છે. હવે વિવાદકરશોનહીં. અખતરો

કરી જુઓ. શાસ્ત્રકાર કહે છે કે જગતમાં એવું કોઇ કામ નથી જે નવકાર સિદ્ધ ન કરી આપે.

જૈનકુળમાં જન્મેલ આપણું સૌનુ એ સૌભાગ્ય છે કે મત-પંથ કે નામ રુપની કોઇ આડશ

ઊભી કર્યા વિના શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિત સર્વ મુકતાત્માઓ અને નીજ શુદ્ધ સ્વભાવની

પ્રાપ્તિનાપંથે નિષ્ઠાપૂર્વક કેન્િૃદ્વત પ્રયાસ કરી રહેલ સર્વ સાધકો (પરમેષ્ઠીઓ) પ્રત્યે શ્રદ્વા

અને આદર અભિવ્યકત કરતો શ્રી નવકાર - નમસ્કાર મહામંત્ર આપણને સાંપડયો છે.

નવકારનો જાપ એટલે અન્યમનસ્ક ચિત્તે અને ભાવશુન્ય હૈયે નવકારના અક્ષરોનું રટણમાત્ર

નહીં; પણ શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિત કે શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિના પંથે શ્રદ્વા - આદર અને

સમર્પણ ને વ્યકત કરવાનો નિરંતર ઉધમ. આ રીતે નવકારની આરાધના માત્ર નવકારના

જાપમાં અટકી જતી નથી . સાધકના જીવનમાં તેે પરિવર્તન લાવે જ છે. નવકાર ગણે તેના

જીવનમાં ધર્મ આવ્યા વિના રહેતો નથી. જયાં નવકાર આવ્યો ત્યાં પાપ ટકી શકતું નથી .

સમ એટલે સમભાવ, આય એટલે લાભ, ઈક એટલે વાળુ. જેનાથી સમભાવનો લાભ થાય તે

સામાયિક, જેમાં આત્માનો રસ પ્રાપ્ત કરનાર દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપનો લાભ થાય તે

સામાયિક. આવું સામાયિક બે ઘડી કે ૪૮ મીનીટ સુધી કરવાનો જૈનધર્મમાં આદેશ છે.

જયાં સુધી તમો સામાયિક અવસ્થામાં રહો તેટલો સમય તમો પણ સાધુ-સાધ્વી સમાન રહો

છો. સામાયિક એટલે સર્વ જીવો પ્રત્યે ઉપશમભાવ. સામાયિક શબ્દ ઘણાં વિશિષ્ટ અર્થોથી

ભરેલો છે. સામાયિક -પૌષધ વગેરેમાં શ્રાવક ભાવના કરે કે - હું ઉત્તમોતમ ત્યાગ કયારે

કરીશ? જંગલમાં જઇને ધ્યાન કયારે કરીશ? ક્ષપક શ્રેણીદ્વારા કેવળજ્ઞાન કયારે પામીશ?

ધર્મદેશના દ્વારા જીવોનો ઉદ્વાર કયારે કરીશ? અને છેવટે અઘાતી કર્મનો ક્ષય કરી મોક્ષ કયારે

પામીશ.સમભાવને સિધ્ધ કરેલા આત્માને સામાયિક પાર્યા બાદ સંસારની પ્રવૃત્તિ કરવી પડે

ત્યારે અન્ય જીવોને ઉનાળાની ગરમીમાં ખુલ્લા પગે બહાર નીકળતાં જેવી અકળામણ થાય

તેવીજ અકળામળ તે ધર્માત્માને થાય. માટે જ તે જલ્દી બીજું સામાયિક લેવા તલપાપડ હોય.

સાધુએ પણ જાતને પૂછવું પડે કે જીવનભરની સામાયિક તો લઇ લીધી પણ આખા દિવસમાં

સામાયિકમાં - સમભાવ કેટલીવાર રહે છે? ગુરુની સકામ ભકિત અનુચિત છેે અને ત્યાગી

ગુરુઓ સાંસારીક પ્રવૃત્તિ માટે કાંઇ પણ કથન કરતા નથી. આ મુનિ ધર્મનો શ્રેષ્ટ આચાર

છે. તપ એ અગ્નિ સમાન છે. જેમ અગ્નિ સોનામાં રહેલ ભેળસેળને બાળી નાંખી સોનાને

શુદ્ધ બનાવે છે તેમ તપ આત્મામાં રહેલા કર્મના કવચ ને બાળીને આત્માને શુદ્ધ બનાવે છે.

તપ આહાર સંક્ષાને નાબુદ કરી અણાહારી પદ આપે છે. ધન્ના અણગાર, ઋષભદેવ,

મહાવીર સ્વામી વગેરેને યાદ કરી ઓછામાં ઓછો નવકારશીનો તપ કરવો જોઇએ. તપથી

શારીરિક રોગો પણ દૂર થાય છે. કલિકો જીતના હૈ તો મુસ્કાન સે જીતો - હરિણ કો જિતના

હૈ તો બંખી કે ઝંકાર સે જિતો- કિસીકો જિતના કયા હૈ બલ ઔર તોપોસે. કિસીકો જીતના

હૈ તો પ્યાર સે જીતો. તપ કરો પણ કોઇના ઉપર તપશો નહીં .

મહાપુણ્ય હોય તો જ મળેલી સામગ્રીનો ત્યાગ કરી સાધુપણું સ્વીકારવાનું મન થાય એમ

હરિભદ્રસૂરિજી કહે છે. સંસાર તો સ્વાર્થમય છે - પ્રભુ સાથે એકતા કર્યા વિના સમકિત પણ

ન મળે તો ચારિત્ર તો મળે જ કયાંથી. કોઇ પણ શુભ કાર્ય કરવું હોય તો નવકાર ગણવો

જોઇએ. નવકાર વિનય રુપ છે. નમો- વિનયનું પ્રતિક છે.

વેંઠ ઉતારતાં હોય તેવી રીતે ચૈત્યવંદન ન કરાય. શુદ્ધ અધ્યાવ્યસાય પૂર્વક ચૈત્યવંદન કરશો

તો કર્મોની છાવણી પર એટમબોંબની જેમ અસર થશે. ચૈત્યવંદનથી સૌ પ્રથમ સમ્યગદર્શન

મળે. સમ્યગદર્શન આવતાં જ જ્ઞાન સમ્યગજ્ઞાન બની જાય. ચારિત્ર સમ્યગચારિત્ર બની જાય.

દીક્ષા લેતી વખતે રજોહરણના પ્રદાન પહેલાં એટલે જ ચૈત્યવંદનાદિ ક્રિયા કરાવવામાં આવે

છે. આ ક્રિયા મુમુક્ષુમાં શુભ ભાવો ન હોય તો ઉત્પન્ન કરે છે. શુભ ભાવ ઉત્પન્ન થયેલા

હોય તો તે ટકાવે છે. જો વિધિપૂર્વક ચૈત્યવંદન થાયતો જ શુભ ભાવો પેદા થાય. વિધિનો

આદર ખૂબજ જરૂરી છે. સ્નાન કર્યા પછી ગ્રહસ્થોમાં તાજગી આવે તેમ દેરાસરમાં ચૈત્યવંદન

કર્યા પછી તાજગી આવવી જોઇએ. આનંદનો ઉલ્લાસ થવો જોઇએ – નહીં કે કામ પતાવ્યું.

ભકિતમાં ઉલ્લાસ વધે તેમ આત્માનુભૂતિની શકિત વધે.ચૈત્યવંદન જેવી તેવી ક્રિયા નથી. કૌનું

ચૈત્યવંદન કરવાનું છે? આવા પરમ ઉપકારી, મહા કરુણાસિંધુ, ત્રિલોકપૂજિત ભગવાનનું -

પરમાત્માનું ચૈત્યવંદન કરવાનો મોકો - આવો ઉત્તમ લાભ મારા જેવા પામરને મળ્યો?

આવો ગદગદ ભાવ ચૈત્યવંદન પૂર્વ આપણા મન મંદિરમાં - હૃદયપટ પર ઉઠવો જોઇએ તો જ

ચૈત્યવંદન ફળદાયી બને. શાસ્ત્ર મુજબ ચૈત્યવંદન કરશો તો આ જ જન્મમાં તમો ન્યાલ થઇ

જશો. અહીં જ આનંદનો અનુભવ થશે. ઉપયોગ ન હોય ત્યાં સુધી ચૈત્યવંદન, પ્રતિકમણ

આદિ દ્રવ્યક્રિયા જ કહેવાય. ઉપયોગ ભળશે તો જ ભગવાન પ્રત્યે બહુમાન જાગશે. દરેક

સૂત્રના અર્થ શીખવાનું પણ જરુરી છે. અર્થ સમજાશે તો જ વિધિમાં આનંદ આવશે.

જ્ઞાન વિના પશુ સરિખા, જાણો એણે સંસાર;

જ્ઞાન આરાધનથી લહે, શિવપદ સુખ શ્રીકાર.

જ્ઞાન રહિત ક્રિયા કહી, આકાશ કુસુમ ઉપમાન;

લોકાલોક પ્રકાશકર, જ્ઞાન એક પ્રધાન.

જ્ઞાની શ્વાસોશ્વાસમેં, કરે કર્મનો છેહ;

પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની કરે તેહ.

દોરો પરોવેલી સેય ચાલતી રહેતો કપડું સંધાય. જો દોરા વગરની સોય ચાલતી રહેતો

ઊલટાનું કાણા પડે! પાણીને બાંધવાનું કામ જેમ ઘડો કરે છે તેમ, મનને બાંધવાનું કામ

જ્ઞાન કરે છે. જો મનની હાજરી હોય તો જ કાર્ય સફળતાને વરે મનોયોગ વિના થતાં

ધર્માનુષ્ઠાન કેવાં હોય એ સોયદોરાના રૂપક દ્ધારા સમજાશે. ફાટેલાં વસ્ત્રને સાંધવા માટે

સોયમાં થોડો દોરો પરોવાયેલો હોય છે. સાંધતાં-સાંધતાં દોરો ખૂટે છે અને સોય ચાલતી

રહે છે. ખ્યાલ રહેતો નથી. ફકત સોય ચાલતી રહે એટલે સંધાવાની વાત તો દૂર રહી ઉલટા

નવાં નવાં કાણાં પડે! અહીં જ્ઞાન દોરાને સ્થાને છે અને સોય ક્રિયાના સાથે છે. આપણે

ધર્માનુષ્ઠાન કરતી વખતે કાયાયોગ વચનયોગનો દોરો છે કે નહીં તે સતત જોતાં રહેવું

જોઇએ. જયાં મનોયોગનો દોરો છે ત્યાં વસ્ત્ર જરૂર સંધાઇ જાય છે. જયાં ક્રિયાયોગની ખાલી

સોય જ ફરે છે ત્યાં કાણાં જ પડે છે.જ્ઞાનયોગમાં ક્ષણે-ક્ષણે નિર્જરા કહી છે. જ્ઞાનએ સીધો

આત્માનો ગુણ છે. તેના ઉઘાડ માટે સ્વાધ્યાય છે. તેમાં મનોયોગ જોઇએ જ જોઇએ.

ચૈત્યવંદન સંપૂર્ણ વિધિપૂર્વક, સ્થાન, વર્ણ, અર્થ, આલંબન આદિ સાથે કરનારા કેટલા?

નમુત્થુણંના અર્થ જાણ્યાં એટલે સિધ્ધર્ષિને ભગવાનની કરુણા સમજાય. અર્થ આદિનું ભાવન

કરિએ તો જ ચૈત્યવંદન ભાવ ચૈત્યવંદન થઇ શકશે. અર્થાદિમાં મનને જોડવાનું છે.

મોટા અવાજે ચૈત્યવંદન કરવાની ધર્મમાં ના નથી. પણ શાસ્ત્રમાં લખ્યું છે કે સુમધુર અવાજ

સાથે, સ્પષ્ટ ઉચ્ચાર સાથે પ્રયોગ થતો હોય, તો સાંભળનારને પણ તેનાથી ભાવ પેદા થાય

અને બોલનારને પણ વધુ ભાવ આવે, આ રીતે ચૈત્યવંદન કરવાનું છે. સમુહમાં ચૈત્યવંદન

થાય આવી રીતે તો વિશેષ લાભદાયક છે. જેમ કોઇ સુમધુર કંઠે કે ભાવથી સ્તવન ગાય તો

લાયક જીવોને ત્યારે વિશેષ ભાવો ઉર્મિઓ થાય. ચર્ચમાં જેમ મૌન પદ્વતિથી પ્રેયર-પ્રાર્થના

થાય છે, તેમ આપણે કરવાનું નથી પરંતુ જો તમારો અવાજ સુમધુર -સ્પષ્ટ - ભાવમય ન

હોય તો મોટેથી કરવામાં બીજાને વિક્ષેપ થાય. જેથી તે ચૈત્યવંદન કરતાં ભૂલી જાય. તેને

અંતરાય થાય. જિનમંદિરોતો ભકિતથી ગાજતાં હોવાં જોઇએ. સ્તવનો, સ્તુતિ બોલાતા હોય,

વાંજિત્રો વાગતાં હોય, કાંઇ દેરાસરમાં થ્ર્ણ્ત્ત્ઠ્ઠદ્રથ્થ્ર્ દ્મણ્ત્ડત્ત્ઠડ રાખવાની નથી . પણ તમે તો

જગચિંતામણી સૂત્ર વિગેરે સૂત્રો - વગેરેના અક્ષરો એટલા ઝડપથી બોલો છો કે અક્ષરો

પકડાય જ નહીં.. પછી અર્થ કયાંથી પકડાય. સૂત્ર તો એવી રીતે બોલવું કે અક્ષરો પકડાય -

શુદ્ધ સંભળાય તો જ અર્થ પકડાશે.મારી આટલી વાત માનો ચૈત્યવંદનતો શાંતિથી કરો.આડી

અવળી પ્રવૃત્તિ માટે આપણો ઘણોસમય જાય છે. પણ ચૈત્યવંદન જેવી મહત્વની પ્રવૃત્તિ માટે

આપણને સમય નથી.. ધર્મક્રિયા વેંંઠ ઉતારીને કરવાની નથી. પણ ભાવથી, દિલથી -પ્રભુ

સાથે એકમય થઇ ને ધર્મક્રિયા જ્ઞાનથી-અર્થ સમજીને કરવાની છે.ચૈત્યવંદન વખતે સૂત્રો

અસ્ખલિત આદિ ગુણો પૂર્વક બોલવાના છે. સૂત્રો બોલાય ત્યારે તેના અર્થોનું અનુસ્મરણ

પણ ત્યારે થવું જોઇએ. આ ભકિત યોગ છે. નમુત્થણં આઠ સંપદા (વિશ્રામ સ્થાન) પૂર્વક

બોલવાનું છે.ભગવાનનું નામ કેવળ અક્ષરો નથી. ભગવાનની મૂર્તિ કેવળ પથ્થરનો આકાર

નથી - પણ સાક્ષાત ભગવાન છે.ભકિતર્માગમાં આગળ વધવું હોય તો આ સત્ય સમજવું

રહ્યું. ભગવાનતો સર્વત્ર છે તેમ સર્વવ્યાપી છે. એક જ શરત કે મન સ્વચ્છ કરો. મન પવિત્ર

કરો. મન સ્વચ્છ બન્યું - મન પવિત્ર બન્યું એટલે ભગવાન મનમાં આવી ગયા સમજો. મન

વિષય કષાયથી મલિન બનેલુ છેે. જેમ જેમ વિષય કષાય ઘટતાં જાય તેમ તેમ મન સ્વચ્છ

બનતું જાય - કર્મ ઘટતા જાય. મન નિર્મળ થાય તો મનમાં પ્રભુ પ્રતિબિંબિંત થાય.

ભગવાનનું બહુમાન હૃદયમાં ગોઠવાય ગયું તો આપણી પાનખર વસંતમાં બદલાઇ જશે.

ડગલે ને પગલે ક્રિયા કરતાં ખૂબજ આનંદ આવશે. ભગવાનનું બહુમાન એજ સર્વ સાધનાનો

પાયો છે. તોજ આપણા દોષો સુધારીશું અને બીજાના સુકૃતોની અનુમોદના કરીશું. દીક્ષા

એટલે સાધનાની પૂર્ણાહતી નહીં પણ સાધનાનો પ્રારંભ. એ વાત સતત મનમાં યાદ

રાખવાની . સૌ પ્રથમ પ્રભુ ને ચાહો - (પ્રીતિયોગ)

પછી પ્રભુ ને સમર્પિત થાઓ (ભકિતયોગ)

પછી પ્રભુની આજ્ઞા પાળો (વચનયોગ)

પછી પ્રભુ સાથે એકમેક થઇ જાવ (અસંગ યોગ)

આટલામાં સંપૂર્ણ મોક્ષ માર્ગ ગયો. જો મોક્ષ મેળવવું હોય તો ઉપર મુજબ કરવું પડશે. આ

ચૈત્યવંદન સૂત્રો બરાબર સમજશો તો ભગવાન પર ખૂબ જ આદર પેદા થશે. મારામાં પ્રભુ

પ્રત્યે પ્રેમ પ્રગટે એવી નહીં રાખતાં શીખો. કામ થઇ જશે. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની

રક્ષા કરે છે. જે પ્રભુની પાસે રહે છે પ્રભુ તેની સાથેે રહે છે.

તમો પંદર મીનીટમાં ચૈત્યવંદન કરો છો ઘરે જવાની બહુ ઉતાવળ છે એમ જ ને. આ બધા

સૂત્રો તો જંગમ અને સ્થાવર તીર્થની યાત્રા છે એમા તમો આ સૂત્રને એકદમ ગાડીની જેમ

ગબડાવીને પુરુ કરી દો છો તો કેમ એમ?આ બધા સૂત્રોતો શેરડી જેવા છે એને જેમ ચાવો

તેમ રસ મળતો રહે. પણ અહીં ચાવવાની તકલીફ કોણ ઉઠાવે? જ્ઞાન વિના ક્રિયા નકામી છે.

તેમજ ક્રિયા વગર જ્ઞાન પણ નકામું છે. બન્ને આવશ્યક છે જ્ઞાન અને ક્રિયા.

માટે શાંતિથી ધીમે ધીમે સ્પષ્ટ અક્ષર થી સૂત્રો બોલવાના જેમ શેરડી ચાવી ને ખાઓ તેમ.

મનમાં સૂત્રનો અર્થ સમજતાં સમજતાં બોલો. ચૈત્યવંદનતો અનુષ્ઠાનના રાજા સમાન ખૂબ જ

મહાનયોગ છે. નમસ્કાર ત્રણ પ્રમાણે ૧) કાયિક કાયાની સ્થિરતા પૂર્વક, ૨) વાચિક શુદ્ધ

પાઠના ઉચ્ચારણ પૂર્વક ૩) માનસિક - મનની સ્થિરતાપૂર્વક.

ચૈત્યવંદન એટલે-મનનો ઉપયોગ સૂત્રમાં રહે.સૂત્રથી વાચ્ય ભગવાનમાં રહે. ઇલેકટી્રક

આપણા શરીરમાં પ્રવેશ કરતાં જ કેવો ઝાટકો લાગે છે. જો એની મારક શકિત કામ કરી

શકતી હોય તો ભગવાનની તારક શકિત કેમ કામ ન કરે?પણ આપણે ભગવાન સાથે સંબંધ

જોડયો નથી એટલે જ ભગવાનનો મહિમા સમજયા નથી. આ ભગવાન તો દાદા છે.

કરુણાના સાગર છે. કેવળજ્ઞાન રુપી ઉત્કૃષ્ટ લક્ષ્મી ભગવાન પાસે છે. જ્ઞાનનો આનંદ

અદ્દભૂત છે એને બીજા કોઇ પદાર્થ સાથે તોલી ન શકાય.

જીવન જીવવાની કળા

ઃઃઃઃ દરરોજ ઉઠીને પહેલા મા-બાપ તથા વડીલો ને વંદન - પ્રણામ કરો.

ઃઃઃઃ દરરોજ ઉઠીને પ્રભુસ્મરણ, પ્રભુ પ્રાર્થના કરો.

ઃઃઃઃ આપણા પોતાના દોષોને તપાસીનેે તેની નીંદા કરો.

ઃઃઃઃ જગતના સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છો. જગતના સર્વ જીવોેની સાથે મૈત્રી ઇચ્છો.

ઃઃઃઃ ગુણીજનોના ગુણોની અનુમોદના કરો.

ઃઃઃઃ દુઃખી જીવો ઉપર કરૂણા લાઓ. બની શકે તો તેનું દુઃખ દૂર કરવામાં મદદ કરો. કોઇનું

દુઃખ દૂર કરવા અશકિતમાન હો તો છેવટે તે તેના દુઃખથી મુકત થાય તેવી ભાવના ભાવો.

ઃઃઃઃ પાપી જીવો પ્રત્યે ધિક્કારવૃતિ ન રાખો. એના કર્મોના ઉદયને આધીન પાપ કરે છે તેમ

માનો - પાપીને નહીં પણ પાપને ધિક્કારો.

ઃઃઃઃ જગતના સૌ જીવો અશાંતિની આગમાં બળી રહ્યા ં છે. સૌ જીવોને સુખશાંતિ મળે

અને સૌ જીવો ધર્મ પામે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરો. .

ઃઃઃઃ કોઇનું બુરું વિચારો નહી તેમજ કરો પણ નહીં.

ઃઃઃઃ કોઇનું બુરુ સાંભળો નહીં તેમજ બોલો પણ નહીં.

ઃઃઃઃ જગતમાં સૌ જીવો ની દરરોજ સવાર સાંજ ક્ષમા માંગો.

ઃઃઃઃ બીજાને મદદરૂપ થવાની ભાવના રાખો અને તક મળતાં તન,મન,ધનથી મદદ કરો.

ઃઃઃઃ હાલતાં- ચાલતાં, ઊઠતાં-બેસતાં ઉપયોગ રાખો. કોઇ જીવની હિંસા ન થઇ જાય તેનું

ધ્યાન રાખો.

ઃઃઃઃ સંસાર પ્રારબ્ધ તથા કર્મ ને આધીન છે તેવું દ્રઢતાપૂર્વક સ્વીકારો.

ઃઃઃઃ મનુષ્ય જીવન વારંવાર મળતું નથી તેના ઉપર વિચાર કરો.

ઃઃઃઃ ક્રોધ - માન - માયા - લોભ ને હંમેશા ટાળો.

ઃઃઃઃ મારું કોઇ દુશમન નથી અને હું કોઇનો દુશમન નથી. તેમ હંમેશા વિચારો.

ઃઃઃઃ મારું મૃત્યું આજ પણ આવી શકે છે ગમે તે ઘડી એ - તેનો વિચાર કરો.

ઃઃઃઃ સંસારની અસારતા પર વિચાર કરો. સંસારના સુખોની અનિત્યતા પર વિચાર કરો.

ઃઃઃઃ સંસારમા કોઇ કોઇ નું શરણ નથી તેના ઉપર વિચાર કરો.

ઃઃઃઃ સંસારમા મારું શું? પરાયું શું ? તેના ઉપર વિચાર કરો.

ઃઃઃઃ પ્રભુની દેશના કેવી કલ્યાણકારી, મૃદુ અને પ્રેમાળ છે. આપણા હૃ્રદયની આરપાર ઉતરી

જાય એવી હોય છે. તેના વિશે વિચાર કરો.

ઃઃઃઃ પ્રભુનો વિહાર થાય અને પ્રભુ ના પાવન પગલાં થાય ત્યાં રોગ નહીં શોક નહીં દુઃખ

નહીં દર્દ નહીં કલેશ નહીં કંકાસ નહીં ઝગડા નહીં તોફાન નહીં માર નહીં મરકી નહીં વેર

નહીંશાંતિ-શાંતિ-શાંતિનું સામ્રાજય હોય છે તેવા તેના અતિશય ઉપર વિચાર કરો.

ઃઃઃઃ અરિહંત પરમાત્માનું જીવન જગતના હિત માટે હોય છે. જગતના જીવો કેમ સુખશાંતી

પામે, કેમ ધર્મ પામે એવી કરૂણાથી ભરેલું હોય છે. તેના ઉપર વિચાર કરો .

ઃઃઃઃ સિધ્ધ ભગવંતના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ વિષે વિચાર કરો અને તેવા

બનવા માટે સંકલ્પ કરો.

ઃઃઃઃ દરરોજ આ પ્રમાણે કરવાથી ઘણા બધા પાપબંધથી મુકત થઇ જવાય છે અને ઘણા બધા

પુણ્યનું ઉપાર્જન કરી શકાય છે. ગુણ ગુણી બનાવે. દયા માનવી ને દયાળુ બનાવે. જે

માનવી દયાળુ છે તે પોતાના આ ગુણ ને વિકસાવતો જ જાય છે. પાપ ઘટે તો પુણ્ય વધે.

પુણ્ય વધે તો ધર્મ વધે અને ધર્મ વધે તો આત્માને શાશ્વત સુખ પ્રાપ્ત થાય.

ઇશ્વરે માનવનું સર્જન કર્યુ, ત્યારે માનવ કેવળ માનવ હતો.તેમાં ઉંચ-નીચ, જાતિ -પાંતિ,

નાત-જાત,છૂત-અછૂત એવી વાડાબંંધી ન હતી. આ વાડાબંધી રચી માનવોએ. ઇશ્વરના

દરબારમાં માનવીએ કરેેલા કર્મના લેખાજોખાં પ્રમાણે જ સ્થાન મળે છે. પછી તે ભલે ગમે તે

જાતીનો હોય, હા!..તેના કર્મોમાં સાત્વીકતાની સુગંધ હોય,પવિત્રતાનો પમરાટ હોય,મનની

મીઠાશ હોય, હૃદયની શુદ્ધ ભાવના હોય અને આ બધામાં ઇશ્વરીય તત્વ ડોકાતું હોય. સંત

રોહીદાસ ચમાર જાતીના હતા.એમનું કામતો ચામડાં સાથે હતું.ઢોરનાં ચામડા કાપવાં,ધોવા,

એમાથી પગરખાં બનાવવાં વિગેરે કામ તેઓ કરતાં.કામ કરતી વખતે મુખેથી પ્રભુસ્મરણ

ગુંજયા કરતું. ઇશ્વર સાથે તેમનો નાતો હતો. તેમના કર્મ ઇશ્વર સાથેજોડાયેલાહોવાથીસદાય

નિજાનંદમાં મસ્ત રહેતા. પ્રભુ પ્રત્યે પ્રેમ અને સમર્પણ જ સાચી પ્રાર્થના છે. સંત તુલસીદાસ

રોહીદાસને મળવા ઘરે આવ્યા. ત્યારે તુલસીદાસને જોતાં જ રોહીદાસ ભાવવિભોર બની

તેમને ભેંટવા દોડયા. પરંતુ રોહીદાસના હાથ લોહીવાળા જોતાં જ તુલસીદાસજી પાછા હટી

ગયા. થોડા લોહીના છાંટા તુલસીદાસજીના ધોતીયા પર પડયાને તેેના ડાઘ રહી ગયા. આ

જોતા તેના મનમાં ભાવ આવ્યો કે આખરે તો ચમાર જ ને. પરંતુ અબુધશિષ્યના મનમાં

રોહીદાસ પ્રત્યે પૂરેપૂરો ઉત્કટ આદરભાવ હતો.

તુલસીદાસજી તરત જ આશ્રમમાંં પાછા ફર્યા. અબુધશિષ્યે તેેમના ધોતીયા પર લોહી ના

ડાઘ કાઢવા ઘણાં પ્રયત્નો કર્યા, પરંતુ ડાઘ દૂર ન થયા. છેવટે તેણ પોતાનાં મોં વડે લોહીના

ડાઘચૂસી નાંખ્યા અને જાણે ચમત્કાર થયો. અબુધ શિષ્યને ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત થઇ ગયું.

કોઇપણ માણસના મનમાં ચાલતા વિચારોને તે જાણી સકવા લાગ્યો. આ તો સંતની કૃપા

હતી. તુલસીદાસને રોહીદાસના મિલનમાં જાતિ-પાતિ-કર્મના ભેદભાવ આડેઆવ્યા.પરિણામે

રોહીદાસ સામે હોવા છતાં મિલન શકય ન બન્યુંંં. પરંતુ પેલો અબોધ શિષ્યનો ઉત્કૃષ્ટ ભાવ

હોવાથી તેને ત્રિકાળજ્ઞાન લાદયું. અબોધ એેટલે કોઇ પણ બોધ તેનામાં સરળતાથીરેડીશકાય

આથી ખાલી અવસ્થા ઇશ્વરને અતિપ્યારી છે. પરમાત્માને મેળવવાનો, પામવાનો ઉત્કૃષ્ટભાવ

હોવો ખુબ જ જરુરી છે. આવો ભાવ જયારે ચરમ સીમાએ પહોંચે છેયારેપરમાત્માસાથમિલન

શકય બને છે. ભગવાન આવા ભકતોની ખૂબ ભાળ રાખે છે. ભકત નરસિંહમહેતાની પત્ની

ખૂબ જ બીમાર હતી ત્યારે હરિજનવાસમાંથી તેડં આવ્યું. આવનાર કહેવા લાગ્યો મેહતાજી,

મારી પત્ની ગર્ભવતી છે તેનો પ્રસવકાળ નજીક આવ્યો છે. પ્રસવપીડા ભારે છે, સહન નથી

થાતી. પરંતુ છૂટકારો થતો નથી. આપ અમારા વાસમાં ભજન કીર્તન કરવા આવો. તમારા

પ્રભુ અમારી રક્ષા કરે. બીમાર પત્નીને મૂકીને મહેતાજિએ હરિજનવાસમાં આખી રાત ભજન-

કીર્તન કર્યા. પ્રસુતા સ્ત્રીનો છૂટકારો થયો. હેમખેમ બાળક અવતર્યું. સવાર પડતાં જ ભગત

ઘરે આવ્યા. પત્નીનું મૃત્યુ થયું હોવા છતાં મહેતાજી ભગવાનને ફરિયાદ કરતાં નથી. જેવી

પ્રભુની ઇચ્છા એમ કહી બોલી ઉઠે છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખેભજશુ શ્રીગોપાલ.ભકત

નરસૈયાના કામ પ્રભુએ કર્યા છે. કુંવરબાઇનું મામેરું, પિતાજીનું શ્રાદ્વ, શામળશાની હુંડી

વગેરે ભગવાન ભકતોની વહારે થાય છે. તેમના કામો ભગવાન જાતે પાડી લે છે.સંત

સખુબાઇને પંઢરપુર વિઠોબા રૂકમણીમાના દર્શન કરવાની ઉત્કૃષ્ટ ઇચ્છા હતી. સાસુજી એ

ઘસી ને ના પાડી દીધી. તો ભગવાને સખુબાઇનું રૂપ લઇ તેનેપંઢરપુર મોકલી અને સખુબાઇ

બની રોટલા ઘડયા, પાણી ભર્યું, વાસીદા કર્યા. ગોરા કુંભાર, જ્ઞાનદેવ, તુકારામ, એકનાથ,

મીરાંબાઇ-વગેરે ભકતોની અંતઃકરણમય સાચી ભકિતથી પ્રભુ રીઝાયા છે. પ્રસંન્ન થયા

છે. પ્રભુએ તેમની જાતિ- પાતિના ભેદભાવ રાખ્યા નથી. તેમનો પોકાર ઝીલ્યો છે. પ્રભુ

વણ બોલાવ્યા દોડી ગયા છે અને ભકતોની લાજ રાખી છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૦૧ બે નારામાં કયો ચડે?

લેનારા ઘણાં છે તો દેનારાનોયે તોટો નથી;પણકયારેક દેનારા કરતાંયે લેનારાની ઊંચાઇ

જોવા મળે છે. ત્યારે ભલે હાથ તેનો નીચો રહેતો હશે, પણ દિલ ઉંચુ છે એમ કહેવું પડે.

એક એવી ઘટના હમણાં જાણવા મળી. જયારથી એ ઘટના જાણી ત્યારથી અભાવ દારિદ્રય

અને સ્વભાવ દારિદ્રયની ભેદરેખા સ્પષ્ટ થઇ ગઇ, દેનારામાં અભાવ દારિદ્રય અને સ્વભાવ

દારિદ્રય નથી હોતું તે તો અનેકવાર જોવા મળે છે પણ લેનારમાં પણ સ્વભાવ દારિદ્રય ન

હોય એ તો ઘણું પ્રશંસનીય ગણાય. પ્રસંગ આ રીતનો છે. સાંજનો સમય છે. ડો.સ્મોલેટ

લટારે નીકળ્યા છે. કુદરતના વૈભવનો કારોબાર પૂરબહારમાં છે પણ આજે ડોકટર

ઉતાવળમાં છે. એક એપોઇન્ટમેંટ આપી છે. તેનો સમય થઇ ગયો છે. ચાલ ઉતાવળી છે.

એવામાં પાછળથી એક યાચકનો અવાજ કાને પડયો. સ્વરમાં યાચના હતી. ઉભા રહી

પાછળ વળી જોયું, લંગડાતા પગે અને લંગડાતી ચાલે એ ડોકટર તરફ આવી રહ્યો હતો.

એની ધીમી ગતિ જોઇને ડોકટરને થયું કે આ બિચારો કયારે નજીક આવશે! તેથી ઉતાવળ

હોવા છતાં તેઓજ સામે ગયાં. એનું દયામણું મોં જોયું. લંબાયેલો કૃશ હાથ જોયો.

ગજવામાં હાથ નાંખ્યો અને જે સીક્કો હાથમાં આવ્યો તે યાચકના હાથમાં મૂકીને એવીજ

તેજ ગતિથી આગળ ચાલવા લાગ્યા. વળી યાચકનો અવાજ સંભળાયો. પગ થંભ્યા. યાચક

હવે ઉતાવળો થઇને નજીક આવી રહ્યો હતો. એના લંબાયેલા હાથમાં પેલો ચળકતો

સીક્કો હતો. સાહેબ! આ લ્યો. આપે ઘણી મોટી રકમનો સિક્કો આપી દીધો છે; આવો

સિક્કો ન હોય. સામાન્ય સિક્કો આપો. ડોકટરે ગજવામાંથી એવો જ બીજો સોનાનો સીક્કો

કાઢી ફરી યાચકને આપ્યો. કહ્યું, પહેલો સિક્કો તારી યાચનાનો અને આ બીજો સીક્કો તારી

પ્રામાણિકતાનો! આટલું કહી, યાચક પાસેથી વળતા કોઇ પણ ઉત્તરની અપેક્ષા વિના

ડોકટરે આગળ ચાલવા માંડયું. યાચક બે હાથમાં બે સિક્કા લઇ ડોકટરના રૂપમાં આવેલા

કોઇ ફરિશ્તાને જોઇ રહ્યો ! હાથમાં આવેલા આ સિક્કાને આ વધારે પડતું છે માટે લઇ

લ્યો એવું દાતાને સામેથી કહેનાર યાચક પણ મહાન છે. દેનાર અને લેનાર એ બંને શબ્દોમાં

નારા શબ્દતો આવે છે, તો આ બંને માં કોણ ચડે? વિચારતાં થઇ જઇએ એવું છે.

પાવન કરે તે પર્વ - તારે તે તીર્થ

શ્રદ્વા ત્યાં એકરાર તર્ક ત્યાં તકરાર..

જાત ને તારે તેનું નામ ભાવના જગતને તારે તેનું નામ પ્રભાવના.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૦૨ મન સ્વચ્છ તો પરિવાર સ્વચ્છ

બે ભાઇઓએ નક્કી કર્યુુ કે આપણે રામ-લક્ષ્મણ જેવા બનીને રહેવું.એક દિવસ મોટાભાઇ

બંનેના બાળકમાટેકેરી લેવા ગયા. કેરીવાળાને કહ્યુંઃબે સરખી કેરી આપ.કેરીઓ સરખીતો

હોય નહીં..નાની મોટી બે કેરી મળી. હવે બન્યું એવું કે જયારે એ કેરીઓ લઇને શેરીમાં

પ્રવેશ્યા ત્યારે મનમાં એમ થયું કે આ મોટી કેરી મારા દીકરાને મળે તો સારું. બનવા જોગ જે

હાથમાં નાની કેરી હતી એ બાજુ પોતાનો દીકરો વળગ્યો અને જે હાથમાં મોટી કેરી હતી ત્યાં

નાનાભાઇનો દીકરો વળગ્યો. હવે કરવું શું? મોટી કેરી પોતાના દીકરાના હાથમાં આવે એ

આશયથી હાથમાં આંટી પાડી. મોટી કેરી પોતાના દીકરાને ગઇ.નાની કેરી નાના ભાઇના

દીકરાને ગઇ. આ દ્રશ્ય નાનાભાઇએ જોયું. એ વિચારમાં પડયો.અરે,એક નાની મોટી કેરી

માટે પણ મોટાભાઇના હાથમાં આંટી પડી જાય છે, ત્યારે એમના અંતરમાં તો કેટકટલી

આંટી ઘુંટીઓ ભરી હશે? આ પ્રસંગથીનાનાભાઇનું મન ભાંગી ગયું.એજદિવસેમોટાભાઇથી

જદવસેમોટાભાઇથી નાનો ભાઇ જુદો થઇ ગયો. યાદ રાખો-ઘરમાં જો સંપ બનાવી રાખવો

હોય તો હંમેશા દિલ સાફ રાખો.ઘરમાં તમારો પ્રત્યેક વ્યવહાર સ્પષ્ટ અને સ્વચ્છ રાખો. જો

અંતરમાં આંટીઘુંટી હશેતો પરિવારમાં અને જીવનમાં પણ આંટીઘુંટીઓ ઊભી થઇ જશે અને

જીવન નીરસ બની જશે.દુનીયા સ્વાર્થી લાગવા માંડશે,મન બેચેન બની જશે.આબધી સંભવિત

ઉપાધીથી બચવું હોય તો એક માત્ર ઉપાય છે.અંતર હંમેશા નિર્મળ-મન કપટ વગરનું.મનુષ્ય

ઘર એટલા માટે બનાવે છે કે એનાથી ટાઢ,તડકો,વરસાદ,આંધી આદિ થી રક્ષણ મળે છે.

ચોર,લુંટારાઓથી બચાવ થાય છે. તમો ગમે ત્યાં ફરવા જાવ પણ આખરે ધરતી નો છેડો

ઘર..ઘરે પાછા આવોતો જ શાંતી થાય છે. હાશ અનુભવી શકાય છે. પણ શુંઇંટ,ચૂનો,પથ્થર,

માર્બલ,ગ્રેનાઇટનું ઘર એ અસલી ઘર છે? અરે એ તો એક માત્ર વિશ્રામગૃહ છે.જન્મમરણના

ચક્કરમાંનો એક પડાવમાત્ર છે. આપણું અસલી ઘરતો આપણી અંદર છે. જેણ ેપવિત્રતાનો,

ઇમાનદારીનો, પ્રામાણીકતાનો, સંયમનો, સત્યનો, પરોપકારનો, અહિંસાનો, સંતોષનો,

દયાનો, વિનય-વિવેકનો,નમ્રતાનો વિકાસ કર્યો છે. એણે પોતાનું સાચુ ઘર બનાવી લીધું

છે. તમારા ઘરમાં સંયમ રુપી ઇંટ, સહિષ્ણુતા રૂપી ચૂૂનો,સહનશીલતારૂપીસીમેંટ,પવિત્રતારૂપી

પથ્થર, ઇમાનદારીરૂપ માર્બલ અને ભાવનાઓથી શુદ્ધરૂપી ગ્રેનાઇટ નાંખી ચિરકાળ સુધી

આનંદમા રહો એ જ અભ્યર્થના.

અનુક્રમણિકા

વાર્તા નં :૧૦૩ જૂનાગઢના રાજા ખેંગારઃ ગોવાળના વચને જીવનમાં પરિવર્તન

જૂનાગઢના રાજા ખેંગાર સસલાનો શિકાર કરીને પાછા ફરી રહ્યા હતા.રસ્તામાં ભૂલા પડયાં.

એક ગોવાળ વાંસળી વગાડી રહ્યો હતો.રાજા એ પૂછયુંઃ-આ માર્ગ કયાં જાય છે? ગોવાળઃ

માર્ગતો બે જ છેઃ એક સ્વર્ગ તરફનો અને બીજો નર્ક તરફનો.રાજાઃઆતુંશું કહે છે?ગોવાળઃ

એમજ વાત છે. જીવોની હત્યા કરીને સસલાંને મારીને ખાવા એ નર્કનો માર્ગ છે અને જીવો

ઉપર દયા કરીને, ગુરુના દ્વારે પહોંચવું એ સ્વર્ગનો માર્ગ છે. તમારે કયો માર્ગ જોઇએ રાજા

ખેંગાર?

ગોવાળના વચનો સાંભળી ખૂબ ઊંડા વિચારમાં ઉતરી ગયેલ રાજાને તેના વચનો અસર કરી

ગયા.રાજાએ સસલાને ત્યાંજ મૂકી દીધા અને કહ્યું.જૂનાગઢની ગિરિ-ગુફામાં કોઇ સાધુ-સંત

હોયતો મને બતાવ ભાઇ! હવે હું ત્યાં જઇશ અને આખી જીંદગી માટે અહિંસાનો માર્ગ

સ્વીકારીશ.કેવો અદ્દભૂત ચમત્કાર? લાગી જાયતો એક ગોવાળનાં વચનો કામ કરી જાય છે

અને બેડો પાર થઇ જાય છે. અન્યથા ગુરુના વચનો સાંભળી સાંભળી જિંદગી વીતી જાય તો

ય ઠેરના ઠેર રહી જવાય છે.

સમય વહી જાય છે જેમ સરિતાના નીર - ચેતન ચેતીલે હવે સમય ન થોભે લગીર. આમાં

સમજવાનું છે કે જીવદયા -અભયદાન સૌથી મોટું પુણ્ય કાર્ય છે તમે બીજા જીવને સુખ

આપશો તો તમને પણ સુખ મળશે. સુખ આપવાની તક મળે તો છોડશો નહીં.

ઉંડટ્ટદ્ધદ્દણ્ડ્ડદ્ધત્ ઘ્ડથ્થ્ર્ત્ડ ટ્ટદ્રડ ઉઠદ્દદ્મ થ્ડ્ડ ગ્ટ્ટદ્દદ્ધદ્રડ, ટ્ઠદ્ધદ્દ ઉંડટ્ટદ્ધદ્દણ્ડ્ડદ્ધત્ ગ્ર્ત્ઠ્ઠ ઘ્ડથ્થ્ર્ત્ડ ટ્ટદ્રડ દ્વથ્દ્રણૂદ્મ થ્ડ્ડ ઉદ્રદ્દ.

ચ્ર્કઋ ગ્ર્ગ્ઋગ્ઋચ્ચ્ ગ્ર્ૠ કછખ્ર્ઉગ્ ૠઉખ્ર્ક્કખ્જી.

ઊંથ્ત્ત્’દ્દ ઠદ્રડટ્ટદ્દડ ડત્ત્ડત્ર્ણ્દ્દધ્ દ્વણ્દ્દઢ ટ્ટત્ત્ધ્થ્ત્ત્ડ ટ્ટદ્મ ક્ગ્ર્ઊં ણ્દ્મ દ્વણ્દ્દઢણ્ત્ત્ ડદ્યડદ્રધ્થ્ત્ત્ડ

-ચ્ણ્ણૂઢણ્દ્મત્ર્-ક્દ્ધદ્રદ્ધ ઉદ્રણુદ્ધત્ત્ ઊંડદ્યણુણ્ ૨૫૯, ક્દ્ધદ્રદ્ધ ક્દ્રટ્ટત્ત્દ્દઢ ચ્ટ્ટઢણ્ટ્ઠ.

ઙડડ્ઢટ્ટદ્રઠ્ઠ ધ્થ્દ્ધદ્ર ત્ત્ડણ્ડ્ઢઢટ્ઠથ્દ્ર;દ્મ ડ્ઢટ્ટણ્ત્ત્ ટ્ટદ્મ ધ્થ્દ્ધદ્ર ડ્ઢટ્ટણ્ત્ત્ ટ્ટત્ત્ઠ્ઠ ધ્થ્દ્ધદ્ર ત્ત્ડણ્ડ્ઢઢટ્ઠથ્દ્ધદ્ર’દ્મ ત્થ્દ્મદ્મ ટ્ટદ્મ ધ્થ્દ્ધદ્ર ત્થ્દ્મદ્મ. -

ચ્ર્ટ્ટથ્ણ્દ્મત્ર્ -ચ્ર્ટ્ટણ્ ચ્ઢટ્ટત્ત્ડ્ઢ ક્ષ્ટ્ટત્ત્ જીણ્ત્ત્ડ્ઢ ઘ્ત્ડત્ત્.૨૧૩-૨૧૮.

ગ્ર્ત્ત્ડ દ્વથ્દ્રઠ્ઠ દ્વઢણ્ઠઢ દ્મદ્ધત્ર્દ્મ દ્ધથ્ર્ દ્દઢડ ટ્ઠટ્ટદ્મણ્દ્મ થ્ડ્ડ ટ્ટત્ત્ ડ્ઢથ્થ્ઠ્ઠ ઠથ્ત્ત્ઠ્ઠદ્ધઠદ્દ.ત્થ્દ્યણ્ત્ત્ડ્ઢ ણૂણ્ત્ત્ઠ્ઠત્ત્ડદ્મદ્મ. ઊંથ્ ત્ત્થ્દ્દ ઠ્ઠથ્

થ્દ્દઢડદ્રદ્મ દ્વઢટ્ટદ્દ ધ્થ્દ્ધ ઠ્ઠથ્ ત્ત્થ્દ્દ દ્વટ્ટત્ત્દ્દ ઠ્ઠથ્ત્ત્ડ દ્દથ્ ધ્થ્દ્ધદ્રદ્મડત્ડ્ડ. - ઊથ્ત્ત્ડ્ડદ્ધઠણ્ટ્ટત્ત્ણ્દ્મત્ર્ (ઉત્ત્ટ્ટત્ડઠદ્દદ્મ) ૧૫.૨૩ -

ઊથ્ત્ત્ડ્ડદ્ધઠણ્દ્ધદ્મ.)

જઢટ્ટદ્દ ણ્દ્મ ઢટ્ટદ્દડડ્ડદ્ધત્ દ્દથ્ ધ્થ્દ્ધ, ઠ્ઠથ્ ત્ત્થ્દ્દ ઠ્ઠથ્ દ્દથ્ ધ્થ્દ્ધદ્ર ડ્ડડત્ત્થ્દ્વ ત્ર્ટ્ટત્ત્. ચ્ર્ઢણ્દ્મ ણ્દ્મ દ્દઢડ દ્વઢથ્ત્ડ ચ્ર્થ્દ્રટ્ટઢઃ ઉત્ત્

દ્દઢડ દ્રડદ્મદ્દ ણ્દ્મ ઠથ્ત્ર્ત્ર્ડત્ત્દ્દટ્ટદ્રધ્.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૦૪ મેઘકુમાર

મહાવીર પ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા. મહારાજા શ્રેણિક,અભયકુમાર, ધારણી દેવી

વગેરેએ ભગવાનની દેશના સાંભળી. શ્રેણિક રાજાએ સમકિતનો આશ્રય કર્યો અને

અભયકુમારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. દેશનાને અંતે પ્રભુને પ્રણામકરી પરિવાર સાથે

રાજભવન પધાર્યા. ત્યારે તેમના એક પુત્ર મેઘકુમારે ભકિતથી અંજલિ જોડી, પ્રાર્થના કરીકે

શ્રી વીરપ્રભુ જે ભવ્ય લોકાના સંસારને તારનારા છે અને સ્વયં અત્રે પધારેલ છે, તેમના

ચરણમાં જઇ દીક્ષા લઉં કારણ કે હું અંનંત દુઃખદાયી સંસારથી થાકી ગયો છું

પુત્રના આવા વચન સાંભળી શ્રેણિક અને ધારણી બોલ્યાકે,આ વ્રત કંઇ સહેલું નથી.

મેઘકુમારે જવાબ આપ્યો કે, સુકુમાર છું છતાં સંસારથી ભય પામેલો હોવાથી દુષ્કરવ્રતને

આદરીશ. શ્રેણિકરાજાએ એક વાર રાજયનો ભાર ગ્રહણ કરી તેમના જીવને શાંતિ આપવા

વિનંતિ કરી. મેઘકુમારે તેમ કરવા હા પાડી. એટલે મોટો મહોત્સવ કરી મેઘકુમારને

રાજયગાદી પર બેસાર્યો અને હર્ષિત થઇ શ્રેણિક મેઘકુમારને કહ્યું કે હવે શું કરી આપું? ત્યારે

મેઘકુમારે કહ્યું કે તમો ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને રજોહરણ અને પાત્રા

મંગાવી દો.મહારાજા વચનથી બંધાયેલ હોવાથી કચવાતે મને પણ તેમ કરવું પડયું અને

મેઘકુમારે પ્રભુ પાસે જઇ દીક્ષા લીધી.

દીક્ષાની પહેલીજ રાત્રે નાનામોટા સાધુના ક્રમ પ્રમાણે મેઘકુમાર છેવટના સંથારા ઉપર સુતા

હતા તેથી બહાર જતા- આવતા મુનિઓનાં ચરણ વારંવાર તેમના શરીર સાથે અથડાતાં

હતાં આથી રાત્રે તેઓ ઊંઘી ન શકયા અને વિચારવા લાગ્યા કે, હવે હું વૈભવ વગરનો થઇ

ગયો એટલે બીજા મુનિઓ તેમના પગથી સંઘટુ કરતા જાય છે. વૈભવ જ સર્વે જગ્યાએ પુજાય

છે. મારે વ્રતને છોડી દેવું જોઇએ.વ્રત છોડી દેવાનું નક્કી કરી સવારે તેઓ પ્રભુપાસેગયા પ્રભુ

કેવળજ્ઞાની હોવાથી મેઘકુમારનો ભાવ જાણી તેમને સમજાવવા લાગ્યા કે, તારા આગલા

ભવો સાંભળ. ગયા ભવમાં તું વિંધ્યાચલમાં હાથી હતો. એક વખત વનમાં દાવાનળ જાગ્યો.

એક ઘાસ વગરના મંડલમાં બીજા પણ નાના મોટા હજારો પ્રાણીઓથી એ મંડલ ખીચોખીચ

ભરાઇ ગયું.તું ત્યાં ઉભો રહ્યો. તને પગે ખૂજલી ઊપડતાં એક પગ ખણવા માટેઉપાડયો.ત્યારે

એક સસલું દાવાનળથી બીજી કોઇ સુરક્ષિત જગ્યા ન મળવાથી પગ નીચે આવી બેસી ગયું.તે

ે નીચે જોયું. પગ નીચે મુકે તો સસલું મરી જાય, હત્યા લાગે એવા વિચારે તે અદ્ધર રાખ્યો.

અઢી દિવસે દાવાનળ શાંત થયો ત્યારે બધા જાનવરો પોતાના સ્થાનકે જવા લાગ્યાં. પગ નીચે

નું સસલું પણ પોતાના સ્થાને જવા દોડી ગયું. ક્ષુધા અને તૃષાથી પીડિત એવો તું પાણી પીવા

માટે દોડવા ગયો, પણ ઘણો વખત પગ અદ્ધર હોવાથી એ પગ અક્કડ થઇ ગયો હોવાથીદોડી

નઅને પૃથ્વી પર પડી ગયો. આ રીતે ભૂખ તરસથી પીડાતો તું ત્રીજે દિવસે મૃત્યુ પામ્યો.

ભગવાને યાદ કરાવતાં કહ્યું. સસલા પર કરેલ દયાના પુણ્યે તું રાજપુત્ર થયો. તને માંડ

માંડ આ મનુષ્ય ભવ મળ્યો છે. હાથીના ભવે આટલી વેદના સહન કરી તો મનુષ્યભવમાં

તું કેમ આવી નાનીશી વેદનાઓ સહન નથી કરતો. એક જીવને અભયદાન દેવાથી તને

એટલું મોટું ફળ મળ્યુંતોે સર્વ જીવોને અભયદાન આપનાર મુનિપણાના પ્રાપ્ત ફળની તો વાત

જ શી કરવી! ભવસાગર તરવા માટે આ ઉત્તમ મોકો મળ્યો છે અને તે જે વ્રત સ્વીકાર્યું છે

તેનું સારી રીતે પાલન કર અને ભવસાગર તરી જા. આવી પ્રભુવાણીથી મેઘકુમાર વ્રતમાં

સ્થિર થયાને રાત્રે કરેલ માઠા વિચારનું મિથ્યા દુષ્કૃત કર્યું અને વિવિધ તપ આચરવા માંડયું.

એવી રીતે ઉત્તમ રીતે વ્રત પાળી મૃત્યુ પામી વિજય વિમાનમાં દેવતા થયા.

હું કાંઇક છું, હું બધું જાણું છું, હું ડાહયો છું,હું બીજાથી શ્રેષ્ટ છું એ માણસનો અહંકાર છે.

અહંકારમાં પડેલ માણસ સત્યથી દૂર રહે છે.માણસ નમ્ર અને નિખાલસ બને, નવું જાણવાની

જિજ્ઞાસા રાખે અને પોતાનું જ્ઞાન અલ્પ છે એમ સમજે એજ જીવનમાં કંઇ શીખી શકે છે અને

જ્ઞાનમેળવી શકે છે. શુદ્ધિ અને જ્ઞાનનો અહંકાર પદના અહંકાર કરતાં વધુ ખતરનાક છે. આ

જગતમાં કોઇ પણ માણસ સર્વસ્વ નથી. દરેકને પોતાની મર્યાદા છે. કોઇ પણ વસ્તુની

જાણકારી સંપૂર્ણ નથી. સલાહ આપવી સહેલી છે પણ સ્વીકારવી કઠીન છે. બીજાની ટીકા કે

નીંદા કરીએ ત્યારે તેની સરખામણીમાં આપણે કેવા છે તે જુઓ. અન્યનું એક વાંકુ પણ

આપણાતો અઢારે વાંકા. કબીરે કહ્યું છેઃ-

બૂરા દેખન મેં ચલા,

બૂરાન મીલા કોઇ,

જો દિલ ખોજા અપના,

મુઝસા બૂરા ન કોઇ.

તમારા મિત્રની ભૂલ ખાનગીમાં કાઢો, અને એના વખાણ જાહેરમાં કરો.

ઊંથ્ ત્ત્થ્દ્દ ઠ્ઠથ્ દ્ધત્ત્દ્દથ્ થ્દ્દઢડદ્રદ્મ દ્વઢટ્ટદ્દડદ્યડદ્ર ણ્દ્મ ણ્ત્ત્ણુદ્ધદ્રણ્થ્દ્ધદ્મ દ્દથ્ ધ્થ્દ્ધદ્રદ્મડત્ડ્ડ.

જ્રથ્દ્રથ્ટ્ટદ્મદ્દદ્રણ્ટ્ટત્ત્ણ્દ્મત્ર્ (ચ્ઢટ્ટધ્ટ્ટદ્મદ્દ-ત્ત્ટ્ટ-ચ્ઢટ્ટધ્ટ્ટદ્મદ્દ ૧૩.૨૯.

ક્કત્ત્ ડદ્યડદ્રધ્દ્દઢણ્ત્ત્ડ્ઢ, ઠ્ઠથ્ દ્દથ્ થ્દ્દઢડદ્રદ્મ ટ્ટદ્મ ધ્થ્દ્ધ દ્વથ્દ્ધત્ઠ્ઠ ઢટ્ટદ્યડ દ્દઢડત્ર્ દ્દથ્ ઠ્ઠથ્ દ્દથ્ ધ્થ્દ્ધ,ડ્ડથ્દ્ર દ્દઢણ્દ્મ ણ્દ્મ દ્દઢડ ત્ટ્ટદ્વ

ટ્ટત્ત્ઠ્ઠ દ્દઢડ થ્ર્દ્રથ્થ્ર્ઢડદ્દદ્મ.

ઊઢદ્રણ્દ્મદ્દણ્ટ્ટત્ત્ણ્દ્દધ્ - ખ્ર્ટ્ટદ્દદ્દઢડદ્વ ૭.૧૨ - ક્રડદ્મદ્ધદ્મ ઊઢદ્રણ્દ્મદ્દ.

ગ્થ્દ્દ થ્ત્ત્ડ થ્ડ્ડ ધ્થ્દ્ધ દ્દદ્રદ્ધત્ધ્ ટ્ઠડત્ણ્ડદ્યડદ્મ દ્ધત્ત્દ્દણ્ત્ ધ્થ્દ્ધ દ્વણ્દ્મઢ ડ્ડથ્દ્ર થ્દ્દઢડદ્રદ્મ દ્વઢટ્ટદ્દ ધ્થ્દ્ધ દ્વણ્દ્મઢ ડ્ડથ્દ્ર ધ્થ્દ્ધદ્રદ્મડત્ડ્ડ. -

-- ક્કદ્મત્ટ્ટત્ર્(કટ્ટઠ્ઠણ્દ્દઢ-ઘ્દ્રથ્થ્ર્ઢડદ્દ-ખ્ર્દ્ધઢટ્ટત્ર્ત્ર્ટ્ટઠ્ઠ.)

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૦૫ આદર્શ મહાન દીકરો

સરલ સાસુને વહુ હેરાન કરતી . એકવાર વહુએ સાસુને કહી દીધું આજતો તમારું માથું ન

મુંડાવું તો જો જો. વહુએ સ્ત્રી ચરિત્ર ભજવવાનું ચાલુ કરી દીધું, ગાંડા જેવી થઇ જાણે

વળગાડ ન વળગ્યો હોય તેમ લવારા કરવા લાગી, પતિએ આવી પૂછયું ત્યારે કહ્યું, તમારી

મા નું માથું મૂંડાવી, તેનું માેં કાળુ કરી, ગધેડે બેસી આવે તો જ જઇશ, નહી તો તારી વહુનો

જીવ લઇને રહીશ. પતિને ખ્યાલ આવી ગયો કે, તેની પત્નિ સ્ત્રી ચરિત્ર ભજવી રહી છે. તરત

જ પોતાના સાસરે પહોંચી ગયો, ત્યાં જઇને એની સાસુને વાત કરી, તમારી દીકરીને વળગાડ

વળગ્યો છે, એ ભુતડાઓ એમ કહે છે કે જો તેની મા માથું મુંડાવી, મોં કાળુ કરી ગધેડે બેસી

આવે તો જ જઇશ. તમે આવો તો જ તમારી દીકરી બચી શકે તેમ છે, નહીતર એનો જીવ

ભુતડાઓ લઇને જ જંપશે. તરત જ સાસુમા તૈયાર થઇ ગયા,માથું મુંડાવી, મોં કાળું કરી,

ગધેડે બેસાડી વાજતે ગાજતે પોતાના ઘરે લઇ આવે છે,પતિ બાજુના રુમમાં સંતાઇ ગયો.વહુ

બોલે છે,દેખ રંડીકા ચાલા, શીર મુંડા, મુહ કાલા,ત્યાં તેનો પતિ બોલે છે,દેખ મરડાકી હત

ફેરી,મા મેરી કે તેરી..બરાબર તું દેખતો ખરી-આ મારી મા નથી,પણ તારી મા છે,આ

સાંભળતા જ વહુ શરમાઇ ગઇ. એને ખ્યાલ આવી ગયો કે,આ ઘરમાં રહેવું હોય તો સાસુને

હેરાન કર્યા વિના તથા બરાબર સાચવવા પડશે.કેવો મહાન દીકરો. પોતાની વહુને શાનમાં

સમજાવવા પોતાની મા ની બદલે, તેની પત્નીની મા ને મેશ ચોપડાવી,અવળે ગધેડેબેસાડી..

ગુણ ગુણી બનાવે. દયા માનવીને દયાળુ બનાવે.જે માનવી દયાળુ છે તે પોતાના આ ગુણને

વિકસાવતો જ જાય છે. પાપ ઘટેતો પુણ્ય વધે. પુણ્ય વધે તો ધર્મ વધે અને ધર્મ વધે તો

આત્માને શાશ્વત સુખ પ્રાપ્ત થાય.

મેળવજો નીતિથી,

વાપરજો રીતિથી

રહેજો પ્રીતિથી,

તો બચી જશો દુર્ગતિથી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૦૬ ભગવાન સાથે ભોજન

(ડો.આઇ.કે.વીજળીવાળા લીખીત મોતીચારો પુસ્તકમાંથી સાભાર)

એક નાનકડા બાળકે એક વખત પોતાની નાનકડી બેગ તૈયાર કરવા મંડી. એમા એણે

ચોકલેટસ ભરી. બે ચાર પેકેટસ બિસ્કિટસ નાંખ્યા. એકાદ વેફર્સનું પેકેટ પણ લીધું. એની

માં પાસે માંગીને લંચબોકસમાં બેત્રણ થેપલાં તેમજ અથાણું ભયુર્ં. પાણી માટે વાટરબેગ

ભરી.માતાને નવાઇ લાગી. બાળક તો ચૂપચાપ બધું પેકીંગ કર્યે જતો હતો. માતાથી હવે ન

રહેવાયું. એણે પૂછયું શું કરે છે બેટા? કયાં જવાની તૈયારી કરે છે?

ભગવાનને મળવા જઉં છુ! ગંભીર મુખમુદ્રા સાથે બાળકે જવાબ આપ્યો.

માને હસવું આવ્યું. એને થયું કે કયાંક બાગ-બગીચામાં રમવા જતો હશે. અથવા તો એના

જેવડાં બાળકો સાથે પીકનીકનો પ્રોગ્રામ બનાવ્યો હશે. એણે ફરી વાર પૂછયું પણ બાળકે

તો એ જ જવાબ આપ્યો. મા એ ગંભીરતાથી ન લીધું. બાળકે વાટર બેગ ખભે લટકાવી

પોતાની બેગ પીઠ પર બરાબર બાંધી અને એતો ઘરેથી ઊપડયો!

એના ઘરથી થોડેક દૂર એક જાહેર બાગ હતો. ત્યાં પહોંચતામાંતો બાળક થાકી ગયો. થોડીક

વાર આરામ કરવાનો વિચાર કરીને એ બાંકડા પર બેઠો. હવે એ સમયે એ જ બાંકડાના

બીજે છેડે અહૃઢ ઘરડો ભિખારી બીજી તરફ જોઇને બેઠો હતો. ત્યાં ઉડતાંપંખીઓને એ જોઇ

રહ્યો હતો.

બાળકને ભૂખ પણ લાગી હતી! એણે પોતાની બેગ ખોલી. થેપલું કાઢીને મોઢામાં મૂકવા

જતો હતો ત્યાં જ પેલા ઘરડા માણસે એની સામે જોયું! એના મોઢા પરથી એ ઘણાં દિવસનો

ભૂખ્યો હોય તેવું લાગતું હતું. બાળકે થેપલા વાળો હાથ પેલા ભીખારીની સામે લાંબો કર્યો.

ઘરડા ભિખારીએ થેપલું લઇ લીધું. પછી એ બાળકની સામે જોઇને આભારવશ હસ્યો. ઘણાં

દિવસે ખાવાનું મળ્યું તે માટેનો આનંદ અને બાળક તરફથી કૃતજ્ઞતાથી ભરેલું એ હાસ્ય

બાળકને પણ ખૂબ જ ગમ્યું. એને કંઇક ન સમજાય તેવી ખુશી થઇ. ભિખારીએ થેપલું પુરું

કર્યુ ને બાળક સામે જોયું. એ ફરીથી હસ્યો. બાળકને એના હાસ્યમાં મજા આવી ગઇ. એણે

ફરીથી થેપલું આપ્યું. ભિખારીએ ફરીથી થેપલું લઇ લીધું. પછી તો આ ઘટનાક્રમ એમ જ

ચાલ્યો. બાળક ભિખારીને પાતાની બેગમાંથી કંઇક ખાવાનું આપે. અને એ ખાઇ ભિખારી

સરસ મજાનું હસે. એમ કરતાં સાંજ પડી ગઇ. બાળક કે ભિખારી બેમાંથી કોઇ એક શબ્દ

પણ નહોતું બોલ્યું. હાસ્ય જ બંને વચ્ચેની પરિભાષા હતી. બેગમાં ભરેલા થેપલાં,

બિસ્કિટસ, પાણી વગેરે બધું જ ખલાસ થઇ ગયું. થોડુંક અંધારુ થઇ ગયું. બાળક હવે ઘર

જવું જોઇએ એવા વિચાર સાથે પોતાની વસ્તુઓ ખભે નાંખીને એ ઘર તરફ ચાલ્યો. થોડેક

દૂર ગયો હશે ત્યાંજ કંઇક યાદ આવ્યું હોય તેમ ઊભો રહી ગયો. વોટરબેગ અને થેલો નીચે

નાંખીને દોડતો પાછો આવ્યો. બાંકડા પાસે જઇને પેલા ભિખારીને એ વળગી પડયો. એના

ગંદા ગાલ ઉપર એક પપ્પી કરી. પછી દોડતો દોડતો પોતાની વસ્તુઓ લઇને ઘર તરફ

ઊપડયો.

પોતાને આવડે તેવાં ગીતો લલકારતો અને આનંદથી ઠેકડા મારતો એ ઘરમાં દાખલ થયો.

એની માતાને એનો અદ્દભૂત આનંદ જોઇને આશ્ચર્ય થયું. એણે પૂછયું, એલા મુન્ના! આ

બે-ત્રણ કલાક તું કંયા ગયો હતો? અને હા! હું તો પૂછતાં જ ભૂલી જાઉં છું, તને ભગવાન

મળ્યા કે નહીં?

હા. મા! ભગવાન મને બગીચામાંજ મળી ગયા!

માતાના આશ્ચર્યમાં વધારો થયો. એણે ફરીથી પૂછયું, શું કહ્યું? તને બગીચામાં ભગવાન

મળ્યા?હા, મા! સાચું કહું છું. ભગવાન મને બગીચામાં મળી ગયા. મેં અને ભગવાને

સાથે બેસીને નાસ્તો કર્યો. મા! એક વાત કહું? ભગવાન જેવું સરસ હસતાં મેં આજ સુધી

કોઇને પણ જોયા નથી. એ એટલું સરસ હસ્તા હતાં . માં! કે મને તો મજા આવી ગઇ. અમે

નાસ્તો કર્યો અને એકબીજા સાથે ખૂબ હસ્યા. મા! ભગવાન કેટલું સરસ હસેને?! અને મા

ભગવાન ખૂબ જ મોટા અને ઘરડાં હશે એ પણ મને આજે જ ખબર પડી!.....

મા તો બિચારી શું બોલે? હા બેટા! એટલું કહીને એ આશ્ચર્યથી જોઇ જ રહી .

આ બાજુ પેલો ભિખારી પણ પોતાની ફૂટપાથ પર ઉપડયો. એ પણ ખૂબ જ ખુશ હતો. એ

લહેરથી ગીત ગણગણતો હતો. એને આટલો બધો ખુશીમાં જોઇને બાજુવાળા ભિખારીથી

પૂછયા વગર રહેવાયું નહીં. એણે કહ્યું કેમ અલ્યા, આજે કાંઇ મોટો દલ્લો ભીખમાં મળી

ગયો છે કે શું? આટલી બધી ખુશી કઇ વાતની છે? ભીખમાં ખૂબ પૈસા-બૈસા આવી ગયા

છે કે? આજે મને બગીચામાં ભગવાન મળી ગયા હતાપેલો ભીખારી બોલ્યો, પણ એ

આટલા નાનકડા હશે એ મને પહેલી વખત ખબર પડી!પછી ખુશીથી એણે આકાશને ભરી

દેતું ખડખડાટ હાસ્ય કર્યું.! આખા દિવસમાં આપણને ભગવાન કેટકેટલી વખત મળતા હશે

નહીં? અને આપણે એને ઓળખી પણ નહીં શકતા હોઇએ. એકાદ નાનકડું લાગણીભયુર્ં

કૃત્ય પણ ભગવાનનું જ કૃત્ય છે. એક એક કાળજીભર્યા હાથના કોમળ ર્સ્પશ પાછળ રહેલા

ઇશ્વરને ઓળખીએ. પ્રભુ! આપ અમારા લક્ષ્યને બદલી નાંખો. અમને શાતાપ્રેમી નહીં,

સમાધિપ્રેમી બનાવી દો. આનંદધનજી જગતના જીવોને ઉદેશીને કહે છે કે પ્રભુજીને

પરમ૪પ્રધાનપદ આપીને સેવો. જગતના બીજા બધા કાર્યો કરવા પડતાં મૂકી, આ પ્રભુની

સેવા કરવારૂપ, આત્માર્થનું કામ સૌથી પહેલું કરો. જગતમાં બીજા બધા કામ તુચ્છ, અલ્પ

ફળદાયી અને આ લોક પૂરતાંજ ઉપકારી છે, પણ આ પ્રભુસેવા-પરમ મોક્ષદાયી-આલોક

પરલોકમાં આત્માનું પરમ કલ્યાણકારી, પરમ ઉપકારી છે. ભકિત એ મુકિતનો ભવ્ય

રાજર્માગ છે. ભકિત એ જીવન જીવવાની ગજબ શકિત છે. ભકિત એટલે પૂજયભાવ. ભકિત

એટલે સમર્પણભાવ. ભકિત એટલેજ ધર્મ-કર્મ,કર્મ-ધર્મ. ભકિત એટલે ઇશ્વરની શ્રેષ્ટ

આરાધના.ભકિત એટલે ભગવાનની પ્રાર્થના. સાચા દિલથી ઇષ્ટદેવનું સ્મરણ એ જ ભકિત.

પ્રભુના સોૈંદર્યમાં આંખ અને મન પરોવાય તો જ ભકિત થઇ શકે છે.ધર્મ સાંભળીએ બે ઘડી

પણ એને સાચવીએ હર ઘડી. સત્યની પ્રાપ્તિ શ્રદ્વાથી થાય છે. પ્રભુમાં વિશ્વાસ અને જીવનમાં

સુવાસ એજ જીવનની સફળતા છે.

જેનું ધ્યેય અનશનનું હોય અને જે નિરંતર તપ કર્યા કરવાની ભાવનાવાળો હોય, એ જ સાચા

તપનો સાચો સ્વાદ અનુભવી શકે. આ સિવાય વાર-તહેેવારે મોટા-મોટા તપ કરી નાંખનારો

પણ તપનો સાચો સ્વાદ અનુભવી ન શકે. પર્યુષણ જેવા દિવસોમાં માસક્ષમણ જેવો ભીષ્મ-

તપ કરનારા પણ પર્યુષણ બાદ રાત્રિભોજનને છોડી શકતાં નથી. આ હકીકત જ બતાવી

આપે છે કે, તપ કરવા છતાં તપનો સ્વાદ અનુભવાયો નથી.,નહીં તો એના જીવનમાં

રાત્રિભોજનાદિ પાપો ટકી શકે ખરા? રાત્રિભોજન કરે- કરનાર તે પામે ઘુવડ અવતાર;

રાત્રેપંખી ન ખાયે ધાન, માણસ હૈયે ન દીસે સાન. સૂરજ સરીખો આથમે દેવ પણ માણસને

ખાવાની ટેવ; ધર્મી લોક જ હોયે જેહ, રાત્રિભોજન ન કરે તેહ.ઉપવાસ નથી થતો? કાંઇ

વાંધો નહીંં. ઉપશાંત તો થવાય ને? તપ નથી થતો?કાંઇ વાંધો નહીં - બીજા ઉપર તપશો

તો નહીંને ?

જીવતાઓની સેવા તે મૃતકોને યાદ કરવાનો શ્રેષ્ટ રસ્તો છે.

સંબંધોમાં જીવવાની કળા એટલે સામેવાળી વ્યકિતને સમજવાની કળા.

વૈરાગ્ય એ જ મોક્ષનો ભોમિયો છે.

સેવાનો માર્ગ ભકિતમાર્ગ કરતાં પણ ચઢિયાતો છે.

તું મને ભગવાન એક વરદાન આપી દે, જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

હું જીવું છું એ જગતમાં જયાં નથી જીવન, જીંદગીનું નામ છે બસ બોજ ને બંધન,

આખરી અવતારનું મંડાણ બાંધી દે, જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

આ ભૂમીમાં ખૂબ ગાજે પાપ ના પડઘમ,બેસુરી થઇ જાય મારી પુણ્યની સરગમ,

દિલરૂબાના તારનું ભંગાણ સાંધી દે,જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

જોમ તનમાં જયાં લગી છે સૌ કરે શોષણ, જોમ જાતા કોઇ અહીંયા ના કરે પોષણ,

મતલબી સંસારનું જોડાણ કાપી દે, જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

તું મને ભગવાન એક વરદાન આપી દે, જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૦૭ મંત્ર તો એનો એ પણ

મારા કલ્યાણ મિત્ર દંપતિશ્રી અમૃતલાલભાઇ તથા તેમનાં ધર્મપત્ની અં.સૌ.ભાનુબેન અને હું

બેંગલોેર ડોકટર વિક્રમ શાહ તથા ભરત ગજજરને મળવા જલારામ ભવનમાં સાથે જ ગયા

હતા. ત્યાં ખૂબ જ ભીડ હતી એટલે બે કલાક જેટલું બેસવાનુ હતું. જલારામ ભવનના

વ્યવસ્થાપકો ખૂબ જ વિનયી અને નમ્ર હતા. તેમના મનમાં દિલમાં બધાને સારા માં સારી

ફેસીલીટી - સરવીસ તથા નિયમ મુજબ જેનો વારા પહેલો હોય તેને જ ચાંસ મળવો જોઇએ

તેવી શિસ્તનું કડકથી પાલન કરતાં હતાં ગમે તેવા મોટા માણસો આવે તેમને પણ વારા

મુજબ જ ડોકટર સાહેબ તપાસતા હતા. અમને તો ડોકટર વિક્રમ શાહ ને ખાસ મળવું હતું

કોઇ ફરિયાદ ન હતી - પણ અમારા મનમાં દિલમાં તો તેઓ ભગવાન બરાબર હતા- ઘરે

ઉતરવાનું-જમવાનું બધું કહેવું હતુ. પણ તેઓ કોનફ્રન્સ માં ખુબ બીઝી હતાં . અમો તેમને

મળી ન શકયા. હવે ડોકટરની રાહ જોતા જોતા અમોએ વાર્તા કહેવાનું નક્કી કયુર્ં. પહેલી

વાર્તા શ્રી અમૃતલાલભાંઇએ કરી-મંત્રતો એનો એ પણ.

કબીરના જીવનનો એક પ્રસંગ છે, ઇશ્વરનું રટણ કરતાં રોજનું કામ પતાવીને, કુટીરની

બહાર આવે ત્યારે કેટલાક દુઃખી માણસો અને રોગીઓ કબીરની દુઆ માંગવા આવે. કબીર

સૌને સાંત્વન આપે અને રોગીઓને દર્દ થતું હોય ત્યાં મંત્ર ભણીને પાણી છાંટે દર્દ દૂર

થાય અને રડતાં રોગી હવે હસતાં હસતાં પાછા જાય. કબીરનો પુત્ર કમાલ આ જોયા કરે .

તેણે આશ્ચર્યની સાથે કબીરને પૂછયું કે બાબા કયો મંત્ર ભણો છો કે રોગીના રોગ મટી જાય

છે. કબીરે કહ્યું કે બેટા મંત્ર સિધો સાદો છે, હું ભાવપૂર્વક રામનું નામ બોલી પાણીની

અંજલી રોગી ઉપર નાંખુ છું. અને રોગી સારો થઇ જાય છે. કમાલના મનમાં આ વાત જંચી

નહી ં. એક દિવસ કબીરની ગેરહાજરીમાં એક રોગી આવ્યો, કમાલને થયું કે કબીર નથી લાવ

હુંજ મંત્ર ભણીને પાણી છાંટુ, મંત્રનું પારખું થઇ જશે. કમાલે હાથમાં પાણી લઇને શ્રી રામ

બોલીને રોગી ઉપર પાણી છાંટયું, પણ રોગીનો રોગ દૂર થયો નહીં કમાલને લાગ્યું કે

બાબાએ સાચો મંત્ર આપ્યો નથી . કબીર આવતાંજ કમાલે ફરિયાદ કરી તમે મને સાચો મંત્ર

આપ્યો નથી .

કબીરે કહ્યું કે બેટા તને ન સમજાય-તારે જાણવું હોય તો અહીંથી બે કોશ દૂર ગામના

પાદરમાં એક તળાવને કાંઠે એક વડલો છે ત્યાં એક બાવાજી બેઠા છે તે તારી શંકાનું

સમાધાન કરી શકશે. કમાલ બીજે દિવસે બાવાજી પાસે પહોંચી ગયો. ત્યાં ઘણા બધા

કોઢીયાઓ બાવાજીની રાહ જોતા હતા - બાવાજી ઝુંપડીમાંથી બહાર આવ્યા. હાથમાં ચીપીયો

અને શરીરે ભભુતી લગાવી હતી. કપાળમાં ટીલા તાણેલ હતા. બાવાજીએ ધખતી ધુણીમાંથી

રાખનો મુઠ્ઠો ભરી ભાવ પૂર્વક રામ બોલી કોઢીયાઓ ઉપર નાંખ્યો. જેના ઉપર રાખ પડી તે

બધા નો કોઢ દૂર થયો. કમાલને થયું કે શીખવા જેવો તો આ મંત્ર છે, લાંબી ઝંઝંટ નહી એક

મુઠી રાખમાં જયજયકાર, જયારે કમાલે જાણ્યું કે બાવાજી પણ ભાવપૂર્વક રામનામ બોલીને

રાખ નાંખે છે અને કોઢ દૂર થાય છે. તેને આશ્ચર્ય થયું, પણ બાવાજીની વાત ગળે ઉતરી

નહીં . કમાલે સાચો મંત્ર જણાવવા વીનંતી કરી .

પણ બાવાજીએ કહ્યું કે હું તો બીજું કાંઇ જાણતો નથી. કબીર જેવો જ્ઞાની નથી. ધૂણી

ધખાવીને ને રામનામ લેતાં તન અને મન તપાવું છું કોઇ રડતાં આવે તો ધુણીમાંથી રાખની

મુઠ્ઠી ભરી ભાવથી રામનું નામ લઇને તેમના ઉપર નાખું છું રોગીઓ કેમ સાજા થાય છે તે

હું શું જાણું. છતાંય તારે આ વાત જણવી હોયતો અહીંથી ચાર કોશ દૂર જા ત્યાં નદીના

કિનારા પાસે એક સંન્યાસી છે એ મંત્ર તંત્ર ના જાણકાર છે તે તને સમજાવશે.

બે-ત્રણ દિવસે તે સંન્યાસી પાસે પહોંચ્યો. સંન્યાસીને પગે પડીને કમાલે બધી વાત કરી.

બીજે દિવસે સંન્યાંસીએ કહ્યું કમાલ તુ. નદી કિનારે જા થોડીવારે એક મડદું તણાતું અવશે

તે મડદાને કિનારે ખેેંંચી લાવી મને બોલાવજે. આશ્ચર્યની સાથે કમાલ નદી કિનારે જઇ

ઉભો. થોડી વારમાં એક મડદું તણાતું આવ્યું, સંન્યાસીની સૂચના મુજબ મડદાંને કિનારે

લાવીને, સંન્યાસી ને બોલાવ્યા. સંન્યાસીએ આવીને મડદાનાં કાનમાં ફુંક મારી -મડદામાં

પ્રાણ સંચાર થયો અને માણસ બેઠો થયો. સાધુને પગે પડયો પ્રાણ બચાવવા બદલ આભાર

માન્યો. કમાલને થયું કે શીખવા જેવો આ જ મંત્ર છે. કમાલે સંન્યાસીને કહ્યું કે તમો કહો

તેટલા દિવસ ચાકરી કરું પણ મને તમારો મંત્ર શીખવાડો. સંન્યાસી કહે છે કે મેં કાંઇ કર્યુ

નથી, રામનું નામ બોલીને ફૂંક મારી - મડદું સજીવન થયું કયાંક પ્રાણ રુંધાયો હશે તે છૂટો

થયો. કમાલને વિચારમાં પડેલો જોઇ સંન્યાસીએ કારણ પૂછયું. કમાલ કહે છે બાપજી

રામ તો બધાય બોલે છે. સૌની અસર જુદી જુદી થાય છે અને હું રામનામ બોલું છું પણ

કાંઇ અસર થાતી નથી. સન્યાસીએ કહયં કે બધા જ રામનો મંત્ર બોલે છે પણ બધાયની મંત્ર

સીધ્ધી જુદી જુદી છે. જેવી જેની સાધના તેવી તેની મંત્ર સીધ્ધી આપણે ત્યાં મંત્ર બાબત

ઘણું અજ્ઞાન અને ગેરસમજ પ્રર્વતે છે.

નવકારમંત્ર એનો એજ છે. પણ કોઇને ફળે છે તો કોઇને ફળતો નથી. વળી નવકારમંત્રના

પ્રભાવ વિશેની વાતો વાંચીએ ત્યારે લાગેકે ખરેખર આ વાતો સાચી હશે? આપણને તો

એની સરખામણીમાંકાંઇ મળતુ નથી કે કાંઇ ફળતું નથી. એનુ મૂળ કારણ એ છે કે નવકારની

આપણી મંત્ર સાધના ઘણી નિર્બળ છે. કહેવાય છે કે એક નવકારમંત્રનું રટણ પણ

સંસારસાગર થી પાર ઉતારી દે છે. વાત ખોટી નથી. પણ આપણે વાતને ખોટી રીતે પકડી છે.

ખાલી કોરો નવકાર એક વખત બોલી જઇએ તેથી કંઇ સંસાર સાગર પાર ન ઉતરાય. એ તો

સામ્થર્ય યોગના નવકારમંત્ર ની વાત છે. એમા પહેલાં ઇચ્છા યોગ આવે, પછી શાસ્ત્ર યોગ

એટલે વિધિયોગ આવે અને એમ સાધના ઉત્કૃષ્ટ થતી જાય. જયારે નવકારની આરાધના

એની ચરમસીમાએ પહોંચે ત્યારે તેમાં સામ્થર્ય આવે અને એ સામર્થ્યયોગનો નવકાર કહેવાય

મંત્રમાં બળ આપણે ભાવથી,દિલથી,અર્થ મનમાં મમળાવીને,મનની સ્થિરતા રાખીને પ્રભુના

ગુણો યાદ કરીને તથા જીવનમાં શુભ કરવું છે, શુભ બોલવાનું છે- બધા માટે શુભ થાય તેવી

ભાવના કેળવવાની છે-શુભ વિચારવાનું છે.મંત્રમાં પ્રાણ પૂરવા માટે તપ જોઇએ-શુદ્ધિજોઇએ

શુભ ભાવ સાથે પ્રભુ પ્રત્યે સંપુર્ણ સમર્પણ જોઇએ.ધ્યાન જોઇએ.ચારિત્ર જોઇએ.મંત્રોએનાએ

કોઇ રીતે ધર્મ ક્રિયા નહીં કરતાં પોતાના પુત્રને ધાર્મિક બનાવવા પેલાપિતાએઘરનાબારશાખ

પર ભગવાનની મૂર્તિ બેસાડી- બારણું નાનું કરાવ્યું.ભલે એ પુત્ર મરી ને માછલુ બન્યો,પછી

ઠેકાણું થાય છે ને ત્યાંથી મરીને આઠમાં દેવલોકે ગયો ને.આટલું નક્કી કરો - આ જન્મ હવે

એળે નથી જવા દેવો- જેમ જેમ તમારું જ્ઞાન વધશે તેમ તમને જ તમારાં અજ્ઞાનનું ભાન થશે.

જેથી અભિમાન નહીં આવે.પ્રભુથી પાગલ થઇ કરીએ પ્રીત,પછી તારી જયાં જાય ત્યાં જીત.

સાગર-સમુદ્ર કયારેય પણ સરીતાઓને, નદીઓને પ્રાર્થના કરતો નથી, નદીઓને પગે પડતો

નથી, વિનંતિઓ નથી કરતો કે તમે દોડતી મારી તરફ આવો અને મારા પેટમાં સમાઇ જાવ..

તોય જગતની બધી નદીઓ ઉતાવળી થઇને દોડતી સમંદરમાં જઇને ઘસી પડે છે. તેમ જે

આત્મા સુપાત્ર છે, જે આત્મા સુયોગ્ય છે, સદાચારી છે, ધર્મી છે અને પરમ નીતિમાન છે, તે

આત્મા પાસે સંપત્તિઓ, શુભલક્ષ્મીઓ સામેથી ઉતાવળી થઇને દોડતી આવે છે. પ્રસન્ન ચિત્તે

સદવિચાર ને વરેલા રહો. ભૂતકાળનો શોક નહીં-વર્તમાનનો મોહ નહીં-ભવિષ્યની ચિંતા

નહીં. સુખની લાલી જીવનમાં લાવવી હોય તો શુભેચ્છાઓ વધારવી પડશે.

દુનિયાભરમાંથી શુભેચ્છાઓ ભેગી કરો. જયાં જાવ ત્યાં નમો. નમ્યો તે સહુને ગમ્યો.સુખના

દહાડામાં માથું ઉંચુ કરશો નહીં. નમતા રહો. દુનિયાને શીખવા દો કે આત્મા આટલો સુખી

છતાં કેવો વિનયી! દુનિયામાં શું લેવાનું છે?શુભેચ્છા અને બધાની દુવા લેવાની છે.

દુનિયાને દેવાનું શું છે? પ્રેમ - લાગણી - માન. માણસને સમૃદ્ધિથી માપવો હોય ત્યારે એની

સંપત્તિ જોવી પડે છે પણ માણસને આનંદથી માપવો હોય ત્યારે એનો પ્રેમ જ જોવો પડે છે.

ક્કદ્દ ણ્દ્મ દ્દથ્થ્ ત્ટ્ટદ્દડ દ્દથ્ દ્મદ્વણ્ત્ર્ ટ્ટદ્મ દ્દઢડ દ્યડદ્મદ્મડત્ દ્મણ્ત્ત્ણૂદ્મ - ઋદ્રત્ત્ડદ્મદ્દ ઉંદ્રટ્ટત્ર્ટ્ટઢ.

સ્વયં દેખતો માણસ જ બીજાને માર્ગ બતાવી શકે,

સ્વયં તરી શકનાર જ બીજાને તારી શકે.

હે પ્રભુ - મેરા મન હો સુંદર - વાણી હો સુંદર – જીવન સુંદર

પ્રભુમાં વિશ્વાસ અને જીવનમાં સુવાસ આજ સફળતાની ચાવી છે.

અનુક્રમણિકા

વાર્તા નં.૧૦૮ ત્યાં ભગવાન જરૂર હશે!

(ડો.આઇ.કે.વીજળીવાળા લીખીત પુસ્તક મોતીચારો માં થી સાભાર)

કાલે સવારે હું તારા હૃદયનું ઓપરેશન કરવાનો છું. એક નિષ્ણાત સર્જન હૃદયરોગથી

પીડાતા એક પાંચેક વર્ષના બાળકને સમજાવી રહ્યા હતા. બાળકને ઓપન હાર્ટ સર્જરીના

ઓપરેશન માટે બીજે દિવસે લેવાનું હતું. અને પછી તારા હૃદયને હું ખોલીને જોઇશ કે.

તમને ત્યાં ભગવાન બેઠેલા દેખાશે. સર્જન પોતાનું વાકય પુરું કરે તે પહેલા પેલો બાળક

બોલી ઉઠયો. ભગવાનના અસ્તિત્વમાં ન માનતા નાસ્તિક સર્જનને આ ન ગમ્યું.

અણગમાના ભાવ સાથે એમણે આગળ કહ્યું. બેટા! હું તારા હૃદયને છરી થી કાપી ને

જોવાનો છું કે અંદર કેટલું નુકસાન થયું છે અને . પણ તમે જો જો હો, ત્યાં તમને

ભગવાન જરૂર મળી રહેશે. એ આપણાં હૃદયમાં જ રહેતા હોય છે. સર્જન પુરું કરે તે

પહેલાં ફરીથી પેલો છોકરો બોલી ઉઠયો. સર્જનને અકળામણ થઇ. એણે કંટાળીને બાળકનાં

માતાપિતા સામે જોયું. બાળકને સમજાવાનું પડતું મૂકીને એણે હવે માબાપ સાથે

વાતચીતનો દોર સાધ્યોઃ જુઓ, તમારા બાળકના હૃદયમાં હું કાલે જોવા માંગુ છું કે રોગથી

તેને કેટલું નુકસાન થયું છે. અને હવે પછી આપણે આગળ શું કરવું અને મારાથી એ રીપેર

થઇ શકે તેમ છે કે નહીં. અને ત્યારબાદજ ..પણ તમે જો જો, ભૂલી નહીં જતા. ભગવાન

હૃદયમાં જ રહેતા હોય છે. એ તમને ચોક્કસ દેખાશે. મારા દાદા-દાદી કહેતા હતા..

ચર્ચમાં ફાધર પણ એક વખત કહેતાં હતા કે ભગવાન ત્યાં જ રહેતા હોય છે. તમે જરૂરથી

જોજો.પછી મને કહેજો નુકસાન પામેલી લોહીની નળીઓ અને સડી ગયેલી હૃદયની

દીવાલો સિવાય ત્યાં કંઇ જ નહીં હોય તેની હું ખાત્રી આપું છું. ચિડાયેલા સર્જને બાળકની

વાતને તોડી પાડતાં બાકીની સૂચનાઓ આપીને વિદાય લીધી.

બીજા દિવસે ઓપરેશન થિયેટરમાં પેલા બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું. નાનકડા એ

હૃદયમાં કંઇ કરતાં કંઇ જ સાબૂત બચેલું નહોતું. હૃદયની દીવાલો, ધમનીઓ, શિરાઓ,

વાલ્વ વગેરે બધું જ રોગથી ઘસાઇને ખવાઇ ગયું હતું. કંઇ પણ થઇ શકે તેમ નહોતું.

દુનિયાની કોઇ પણ સારવાર હવે આ બાળકના હૃદયને વધારે વખત ધબકતું રાખી શકવા

માટે સમર્થ નહોતી પેલા સર્જનને ન સમજાય તેવી લાગણી થઇ. ભારે હૃદયે એણે બાળકના

હૃદયને ટાંકા લઇ પાછું છાતીમાં બંધ કર્યુ.બાળકને ઇન્ટેન્સીવ કેેર યુનિટમાં મોકલીને સર્જન

વિચારે ચડી ગયા. નાનકડાં બાળકની ભગવાનપરની અનન્ય શ્રદ્વા એમને મનનાં ઊંડાણમાં

કયાંક સ્પર્શી ગઇ હતી. અચાનક એમણે જોયું કે પોતે ભગવાનની સામે ઊભા છે. મંદ મંદ

સ્મિત વેરતા ભગવાને કહ્યું, મારા દીકરા! તારું સ્વાગત છે. તેં આજે મારા નાનકડા અને

ખૂબજ વહાલાપંખીના હૃદયનું ઓપરેશન કરી લીધું ને! તારું કામ પુરું થયું અને એનું કામ

પણ પુરું થયું. હવે હું એને મારી પાસે બોલાવી લઇશ!પણ ભગવાન! આજ સુધી હું તો

એવું જ માનતો હતો કે તમે છો જ નહીં. અને જો તમે હો અને એવું કહેતા હો કે એ

બાળક તમારું નાનકડુ ં અને ખૂબ જ વહાલુંપંખી છે તો તમે એને આટલું બધું દર્દ કેમ

આપ્યું? એને આટલી બધી પીડા સહન કરવા માટે મોકલ્યું જ શું કામ?

એના એ જ સ્મિત તેમજ ભાવ સાથે ભગવાને કહ્યું, દીકરા! મારું એ નાનકડુંપંખી મને

ખૂબ વહાલું છે જ. એને આવું દર્દ આપીને એટલા માટે મોકલ્યું હતું કે તારી જેવા અહૃઢ

ખોવાઇ ગયેલાપંખીને મારી પાસે લાવી શકે. બોલ! આ પહેલાં તે કદી પણ મારો વિચાર

કરેલો ખરો? તને અત્યારે કેટલી બધી શાંતિ લાગે છે? આ શાંતિનો તું અનુભવ કરી શકે તે

માટે જ મેં એને તારી પાસે મોકલ્યું હતું. હવે તેનું કામ પુરું થઇ ગયું છે. હવે હું એને મારી

પાસે બોલાવી લઇશ. હવે કાલથી એને કોઇ પીડા નહીં રહે. કારણકે મારી પાસે આવે તેનેે

શાશ્વત શાંતિ જ હોય છે. અહીંયા કોઇ પણ પીડા કે દર્દ નથી હોતાં.

સર! ઓ સર! ઇન્ટેન્સીવ કેરમાં શિફટ કરાયેલું પેલું નાનું બાળક હવે ભાનમાં આવી ગયું

છે. નર્સના અવાજથી તંદ્વામાં સરી પડેલા ડોકટર સફાળા જાગી ગયા.એમને થયેલા

અનુભવની કે હમણાં જ જોયેલા સ્વપ્નની અસર હજુ એમના પર હતી. અચાનક જ એમને

ડૂમો ભરાઇ આવ્યો. થોડીક ક્ષણો માટે એમણે પોતાના અહંકારને તેમજ પોતાની જાતને

પણ ઓગળી જતી અનુભવી . ઇન્ટેન્સિવ કેરના ખાટલા પર વિવિધ જાતની કંઇ કેટલીયે

નળીઓ વચ્ચે પડેલા બાળકે આંખો ખોલી. સર્જને એનો હાથ પોતાના હાથમાં લીધો.

બાળકને કંઇક કહેવું હોય તેવું લાગ્યું. સર્જને બાળકના મોઢા પરથી ઓકિસજન માસ્ક દૂર

કર્યો. પછી હળવેથી એના માથા પર હાથ ફેરવ્યો.દર્દથી પીડાતો બાળક ધીમેથી બોલ્યો.

સર! તમે મારા હૃદયનું ઓપરેશન કરી લીધું? હા બેટા! સર્જને કહ્યું. તમે મારા હૃદયને

આખું ખોલેલું? હા દીકરા તમને ત્યાં શું દેખાયું? મારા હૃદયમાં તમને કંઇ મળ્યું? બેટા!

સર્જનનો અવાજ ભારે થઇ ગયો મને ત્યાં ભગવાન બેઠેલા દેખાયા. મારા દીકરા! તારા

હૃદયમાં મને ભગવાન મળ્યા! જો! હું નહોતો કહેતો? તમને મારા હૃદયમાં ભગવાન જરૂર

મળશે. મને ખબર જ હતી કે એ ત્યાં જ રહેતા હોય છે. ખૂબ જ આનંદ સાથે એ બાળક

બોલી ઉઠયો. પછી સર્જનની સામે એક મીઠી અને સંતોષથી ભરેલી નજર નાંખીને હંમેશ માટે

એણે આંખો મીંચી લીધી. જે પ્રભુની પાસે રહે છે, પ્રભુ તેની સાથે રહે છે.

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

ભગવાન પાસે - ઘરે જવાં વખતે - રજા લેવા બોલાતું સૂત્ર

દેવ મારાં આજથી

તારો બનીને જાઉં છું

દીલડાંના દેવ મારા દીલ દઇને જાઉં છું

મનડાં કેરી ભકિતની હું મહેક મુકતો જાઉં છું

અંતર તણા આપેલ આશિષ,અંતરમાં લઇ જાઉં છું

ફરી ફરી મળવાનો હું કોલ દઇને જાઉં છું

નીભાવવાનો ભાર તારે મુકતો જાઉંં છું

શ્વાસે શ્વાસે નામ જપીશ

હું સોગંદથી કહી જાઉં છું

જુગ જુગ જીઓ ઝાજી ખમ્મા

ચરણ ચૂમતો જાઉં છુ.

દેવ મારા આજથી તારો બની ને જાઉં છું.

ભાગ બીજો

હે પ્રભુ - મેરા મન હો સુંદર - વાણી હો સુંદર – જીવન સુંદર.

કાલની કોઇને ખબર નથી. ભગવાનની આજ્ઞા મુજબ થશે.

આમાં પણ કદાચ ૧૦૮ વાર્તા હશે?આપનો સુઝાવ જણાવવા વિનંતી છે.

આપના સુઝાવ મળશે પછી ભગવાન ના પ્રભાવથી જે મનમાં આવશે તેમ શુભ ભાવથી કરીશું.

દાદાની ઇચ્છા વગર પાંદડું પણ હલશે નહીં.

જે થશે તે સારા માટે થશે.

સેવાનો માર્ગ ભકિતમાર્ગ કરતાં ચઢીયાતો છે.

જીવનમાં જે ગમેઅને તે મળે તેનું નામ સુખ,

જીવનમાં જે મળે .અને તે ગમે તેનું નામ . સંતોષ.

પુસ્તકનો પણ ઉપયોગ સારો એવો થાય માટે આપે વાંચ્યા બાદ બીજા બધાને પણ વાંચવા

આપવા નમ્ર વિનંતી છે. આપ આ રીતે પુણ્ય કાર્ય ના સહભાગી થશો. જે કોઇ ભાઇ કે બેન

આપની પાસેથી મળેલ આ પુસ્તક વાંચશે તેઓ ચોક્કસ આપનો આભાર માનશે.

નરેન્દ્ર મનસુખલાલ શાહ પરિવાર ના જયજીનેન્દ્ર.