Saraswati Chandra - 1 Chapter - 4 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ 1 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૪

બુદ્ધિધન (અનુસંધાન)

નમાઇ સૌભાગ્યદેવી બાળક અવસ્થામાં આજ સુધી સાસરે જ રહેતી.

તેનું કન્યાવય હવે બદલાવા લાગ્યું અને શરીર તથા સમજમાં દેખીતો ફેર પડવા લાગ્યો. સસરા ગુજરી જવાથી સાસુ ઓરડે બેઠાં અને આખા ઘરનું કામ ઉપાડી લેવાનો ભાર ઊછરતી વહુને માથે પડ્યો. ઔરડામાં બેઠાં બેઠાં સાસુ કામ બતાવે અને તેમની સગવડ વણમાગી સાચવવી તથા તેમના વચન ઉપાડી લેવા એ સૌ ચિંતા વહુને માથે પડી અને વણપરણ્યે ગૃહિણી ધર્મનો તેને અનુભવ થવા લાગ્યો. બુદ્ધિધન સાથે આજ સુધી બોલવાનો

પ્રસંગ પડ્યો ન હતો, પરંતુ ઘરખટલાના સમયમાં ન ચાલ્યે હળવે હળવે છાનાં છાનાં તથા બીતે બીતે વાતચીતનો પ્રસંગ પડવા લાગ્યો. આઘાં ઊભા ઊભા પણ વણપરણ્યાં દંપતી ઊગનાર મદનના આભાસથી નવીનતા ભોગવતાં અને બીડેલાં હ્ય્દયકમલની પાંખડીઓ જોબનના જોસને વાસ્તે તૈયાર થતા ઉમળકાઓના જોરથી ‘ઓ ઊઘડી’ ‘ઓ ઊઘડી’ થતી. ચારે પાસ ખરેખરી વિપત્તિ છતાં પણ બાલકસ્નેહ એકાંત અવકાશ મળશે એવી રીતે

મુગ્ધવિનોદનાં નિર્દોષ સ્વપ્ન ભોગવતો અને વરવહુ બેમાંથી એકને પણ આનું ભાન ન રહેતું. કારણ આવી ક્રીડાસમયે સંસાર પર નજર ન રહેતી અને સંસારકાર્ય સમયે મુગ્ધપણું ભૂલી જવાતું, એટલે બંને અવસ્થાનો એકમેકથી વિરોધ વિચારી જોવાનો પ્રસંગ જ મળતો નહીં તે એટલે સુધી કે ચંચળ

થવા સર્જેલી મનોવૃત્તિઓનો તનમનાટ કોઇ વખત તો આજથી જ સાકાર થવા યત્ન કરતો અને વધતા પરિચયની વેદી ઉપર સહજ અટકચાળાપાણાના સાથિયા પૂરતો. આવી રીતે બે બાળકોને એકબીજા સાથે ‘માયા’ થઇ અને ભરચક દુઃખની અંધારી અમસા જેવી સાડી ઉપર નિર્દોષ મુગ્ધવિલાસની૪

આકાશગંગા જેવી તારાટપકી, એકાંતમાં અને જાણે આખું જગત ઊંઘી ગયું હોય એવા વિશ્વાસથી ચમકારા કરતી. સુખદુઃખના પટ કેવળ એકરંગી ક્વચિત જ હોય છે. વિપત્તિના પથરા પર અથડાતાં એક રીતે કઠણ બનતું બુદ્ધિધનનું શૂરવીર મન આવી રીતે બીજી પાસથી કોમળ બનવાની કેવળણી પામતું હતું. ગંભીરતામાં દૃઢ થતા સ્વભાવના ઊંડા અંતર્ભાગમાં આવી વિલાસશીલતાના ફણગા ફૂટતા હતા અને તે આખા જગતમાં કોઇને માલૂમ

પડતું ન હતું.

એક દિવસ ઓરડામાં બેઠાં બેઠાંં સાસુવહુ વાતો કરતાં હતાં અને ગઇગુજરી સંભારી નિઃશ્વાસ મૂકતાં હતાં. સાસુનું હૈયું ભરાઇ આવ્યું અને બાળકના દેખતાં રોઇ ન પડાય તો સારું એવો વિચાર કરી તેને કાંઇ કામને મિષે આઘી મોકલવાની યુક્તિ કરી. ‘વહુ ! જરા પાણી લઇ આવશો ?’

સાંભળતાં જ કુટુંબદીપિકા પાણી લેવા ચાલી. ઘરના બીજા ભાગમાં જાય છે અને ગોળીમાંથી પાણી ભરે છે. બુદ્ધિધણ કાંઇક વિચારમાં પડ્યોપડ્યો હીંચકા ખાતો હતો તેને નજર ચમકાવનાર મળતાં હીંચકા બંધ કર્યા; સૌભાગ્યદેવી પાણી ભરતી હતી તેણી પાસે એકીટશે જોવા લાગ્યો અને ઉઘાડાં મુક નેત્ર આદિ જોઇ દૃષ્ટિ ઠારવાની, અને ઢંકાયેલા પરંતુ છાના ન રહેતા મુગ્ધ અને

લલિત અવયવો જોઇ કૌતુકમાં મગ્ન થવાની અવસ્થાઓ વચ્ચે આમથી તેમ

હિંદોળા ખાવા લાગ્યો. પાણી ભરતાં ભરતાં સૌભાગ્યદેવીની પણ સ્વાભાવિક રીતે વર ભણી નજર ગઇ અને બે જણ એકબીજાને કેટલીક વાર સુધી જોઇ

રહ્યાં અને બીજા સર્વ અંતર્બાહ્ય વ્યાપાર સ્તબ્ધ થઇ ગયા. સાસુને પાણી જોઇએ છે એ વાત વહુ ભૂલી ગઇ. વહુ ગઇ એટલામાં અશ્રુપાત કરી ઊભરો કાઢી સાસુ સાવધાન થયાં અને વહુને આવતાં વાર કેમ થઇ તે વિચાર થયો તથા રખેને મારા મોં ઉપરથી ચેતી એ પોતે રોતી હોય એવો વિચાર કરી, વિધવાનો રૂઢિધર્મ ભૂલી ઓરડામાંથી બહાર નીકળી વહુની પાછળ ચાલી. ‘મારા ઘરનું સૌભાગ્ય - મારા રંક ઘરની આશા મારા વધનાર કુળની દેવી ! મારા આવા દુઃખમાં તારું સુખ છાજશે ખરું ? હે

પ્રભુ !’ એમ કહેતી કહેતી નિઃશ્વાસ નાખી આવે છે ત્યાં દીકરાવહુની મુગ્ધ

ચેષ્ટા નજરે પડી અને એકદમ પગ પાછો ખેંચ્યો. પરંતુ આપત્તિકાળથી ઘેરાયેલીથી આ સુભગ દેખાવનું ખરાપણું માની ન શકાયું અને તે ખરાપણું અજમાવવા સારુ - કૌતુકથી - રંગમાં ભંગ પડે એવી રીતે છુપાઇ રહી જોવા લાગી અને તે સૌભાગ્યવૃત્તિમાં એના રંક તરંગો લય પામ્યા. અત્યાર સુધી જેને ઓછું આવતું હતું તે માતા છાતીએ હાથ દઇ, ઇશ્વરનો આભાર

માનતી સ્નિગ્ધ ભીની આંખ વડે જ જીવતી હોય એમ વડીલનો રૂઢિધર્મ ભૂલી પોતાને ન જોવાનું જોઇ રહી.

બુદ્ધિધન અને સૌભાગ્યદેવીનું તારામૈત્રક રચાયું હતું તેની સીમા આવી રહેતા હમણાં એ મને પાણી છાંટશે એવી બીક લાગવાથી બુદ્ધિધન તે રમણીય બીક ખરી પડવાની વાટ જોઇ સજ્જ થયો હતો. પરંતુ તે બીક ખરી ન પડી અને વધારે જોતાં સૌભાગ્યદેવીની આંખ આંસુ ભરી ભાસી.

તે એકદમ ઊઠ્યો. પાણી ભર્યા કળશ દૂર મુકાવી મુગ્ધ કન્યાનો હાધથ ઝાલી ‘શું થયું ? આ શું ?’ એમ પૂછવા લાગ્યો અને ઉત્તરમાં નીચી દૃષ્ટિ તથા વધતાં ડૂસકાં સિવાય બીજું કાંઇ ન મળ્યું એટલે તેને છાતીસરસી

ચાંપી વાંસે હાથ ફેરવવા લાગ્યો.

તેની માને રૂઢિધર્મ ઓળંગાયાનું અચિંત્યું ભાન આવ્યું અને એકદમ

પાછી હઠી, વિચારમાં પડી, ઝડપથી પોતાના ઓરડામાં જઇ બેઠી. ન જોવાનું જોયું એમ તેને સ્પષ્ટ લાગ્યું.

‘કંઇ નહીં’ - ‘કંઇ નહીં’ - કહી બાથ છોડવી ભાન આવ્યું હોય

તેમ સૌભાગ્યદેવી પાણીનું પાત્ર લઇ એકદમ ઝડપથી આસુ પાસે ચાલી.

બુદ્ધિધન સાશ્ચર્ય અને દિગ્મૂઢ બની ઊભો જ રહ્યો.

આટલા ભેદભંગનો પ્રસંગ આજ સુધીમાં આ પ્રથમ જ થયો હતો.

બન્નેને તેનાથી તનમનમાં નવા વિચારના ચમકાર થતા જણાયા. વિચારમાં પડી ધીમે ધીમે પોતાને ઠેકાણે જઇ બુદ્ધિધને હીંચકા ખાવા પાછા આંરભ્યા.

તેની માના મનમાં થયું કે ડહાપણનો રસ્તો એ છે કે વરકન્યાને એકદમ પરણાવી દેવાં અને પોતાના વૈધવ્યનું વર્ષ પૂરું નથી થયું તેનો બાધ

ન ગણવો. મનમાં માત્ર જરાક ઓછું આવ્યું, પણ પોતાની નાની વયના દિવસ સંભારી ઉદાર ચિત્તમાં ક્ષમાદૃષ્ટિ ભરી. ‘નાચી ખૂંદીને પગ સામું જોવું’ અને ‘છોકરાંને ઢાંકવાં’ એ આર્ય માતાઓની સહજ બુદ્ધિ છે. દેવી કન્યાવસ્થાની બહાર નીકળવા યોગ્ય થવા છતાં શોકના બાયસથી તેનું લગ્ન કરવું અટકી પડ્યું હતું, પરંતુ આ કૃત્રિમ બાધ ઇશ્વરલીલા આગળ ટકી રહેવાનો નથી અને કૃત્રિમ લગ્નની વાટ અંતઃકરણોનું લગ્ન જોશ નહીં એ વાતનું તાત્પર્ય ચકોર માતા તરત મસજી ગઇ.

લગ્ન તરત બંધ રાખવાનું બીજું કારણ પણ હતું. પિતાના ક્રિયાખરચમાં બુદ્ધિધન આવ્યો હતો અને લગ્નના ખરચમાં તેવે વખતે પડવું તે માથે આપત્તિ આણવા જેવું હતું. પરંતુ માતાની પાસે શરમ છોડાઇ નહીં. લગ્ન થયું અને વરકન્યા સાકાર ગાંઠથી જગતની આંખ આગળ જોડાયાં. ઉત્સવ પૂરો થયો. ચોરી છૂટી. સંસારનું મંડાણ થયું અને લેણદારોનું મોં જોવાનાં આવ્યાં. આજ સુધી વર્ષાસનમાંથી ઘરખરચ નભતું પરંતુ લેણદારોને સંતોષવા ક્યાંથી ? ઘરમાં હજાર હજાર નવી વસ્તુઓનો ખપ પડવા લાગ્યો. જમીનની ઉપજ પણ તણાઇ જવા લાગી અને ઉઘરાણી ઘસાતી હતી. ઘરમાં માં કે

સ્ત્રી આગળ આ ફિકર દર્શાવવી એ તેમને નિરર્થક ચિંતામાં નાખવા જેવું હતું. ખોટી પણ ધીરજ બતાવી ઘરમાં પુરુષપણું જાળવવાની જરૂર હતી.

સ્ત્રીઓમાં બીક ઉપજાવવી તે પોતાના પગ કાપવા જેવું અને નવું દુઃખ

ઉત્પન્ન કરવા જેવું હતું. સર્વ ચિંતાથી બુદ્ધિધનનું શરીર ઘસાતું ગયું, તેના

મુખ ઉપર કાંતિ રહી નહીં, શરીર પર લોહી રહ્યું નહીં અને જુવાનીમાં ઘડપણ આવ્યું. ઘોર અંધારી રાતમાં એક જ દીવો બળતો હતો. આખા દિવસથી કંટાળી પરવારતાં સાંયકાળે વિધવા માની સાથે વાતોમાં પડતાં, તે વાતોમાં સૌભાગ્યદેવીની કોમળ ટાપશીઓ સાંભળતાં, અને આખર એકાંતમાં સૌભાગ્યદેવીની મીઠી વાણી, મધુર ગાયન અને મુગ્ધ વિલાસામૃત અનુભવતાં, દુઃખી પુરુષ ઘડીભર સુખી અવસ્થા ભોગવતો હતો અને સંસારના વ્યાપારમાંથી થાકેલું મન જાગતી ઊંઘમાં આનંદસ્વપ્ન જોતું હતું. કુટુંબસુખની પરિસીમા રંક અવસ્થામાં જ ભોગવાય છે.

આ સ્વપ્ન પણ ટૂંકા જીવતરવાળું હતું. ચિંતાનું ઔષધ કરવા ઘરનું સુખ અસમર્થ નીવડ્યું. બુદ્ધિધનને કોઇ કોઇ વખત તાવ આવવા

લાગ્યો. તેને તરત ન ગાંઠ્યો. તેમાંથી જીર્ણજ્વર પેદા થયો અને આખરે એ હડહડતા તાવના ઝપાટામાં પછડાયો અને પથારીવશ થયો. ચિંતાના દુઃખ આગળ ઔષધ ઉપચારનું ચાલે એમ ન લાગ્યું. ગામમાાં વૈદ્યો ઘણા હતા, પણ તેમાંનો મોટો ભાગ ઊંટવૈદ્યોનો હતો. સૌ પોતપોતાનું ઔષધ

બતાવતા. બુદ્ધિધનનું ઘર ગરીબ હતું પણ ‘કારભારી કુટુંબ ’નું પ્રસંગે માન રહેતું. એટલે ઘણા લોકો જોવા આવતા અને ભીડ કરી, માંદા માણસને કંટાળો આપી, ઘરમાં પુરુષ ન હોવાને લીધે આદરસત્કારમાં ખામીઓ કાઢી, ઘરની સ્થિતિ ઉપર અને માણસો ઉપર ટીકા કરી, મોંએ અને કદીક મનમાં

લૂખી દયા આણી, કોઇક વાર ઘરમાંની સ્ત્રીઓ માંદા માણસની પથારી પાસે બેસતી તેના ઉફર કુદૃષ્ટિભરી નજર નાખી અને કંઇ કંઇ તર્કવિતર્ક કરી, કોઇ વાર હાથ આવ્યું ચોરી લઇ, શોરબકોર કરી, આખર સૌ પોતપોતાને ઘેર રજા માગી અથવા માગ્યા વગર ખરુંખોટું બહાનું કાઢી જતાં રહેતાં સૌભાગ્યદેવી અને તેની સાસુ મૂળ તો દુખિયારાં અને ઘણા લોકો ઔષધ

કંઇ કંઇ બતાવે તેમાં ખરું શું કરવું તે ન સૂઝે. આખરે શોક ન ગણી બધાં આવ્યાં હોય તે વખત પણ મા દીકરા પાસે બેસી રહે અને વહુ હેરોફેરો કરે અને હરતાંફરતાં ડસડસી રહે. રંક કુટુંબના આધારભૂત બુદ્ધિધનને હજુ કરાર ન થયો.

દુઃખ ઉપર દુઃખ આવી પડે. બુદ્ધિધનના બાપને ગુજર્યે વર્ષ થવા આવ્યું. નવો પટ્ટો કરી આપવાની કારભારીઓએ ના પાડી. ખાનગી રીતે સૂચના મળી કે કારભારી અને વચલા માણસોના હાથ ભરાય તો વર્ષાસન

ચાલુ રહે. આપત્તિમાં પડેલા નિર્ધન કુટુંબને આ અશક્ય થઇ પડ્યું હતું અને વર્ષાસન બંધ પડ્યું ! લાચાર અબળાઓ - સાસુવહુ - રોઇ રહ્યાં અને બુદ્ધિધનને સમાચાર ન કહ્યા. મંદવાડ લાંબો પહોંચ્યો, ઘરમાંથી ખરચી ખૂટી, આવક બંધ થઇ, જમીન અને ઉઘરાણી પુરુષ વગર નકામાં પડ્યાં.

બજારકામ કરનાર કોઇ રહ્યું નહીં. વૈદ્યને દવા કરવાના ઉત્સાહનું કારણ રહ્યું નહીં અને એના ફેર ઓછા થવા લાગ્યા. લોકો જોવા આવતા હળવે હળવે થાકી ગયા અને બંધ પડ્યા. ઘરમાં શૂન્યકાર લાગવા માંડ્યો, અને

માંદા માણસ ભણીથી બીજી પાસ ધ્યાન ખેંચનાર વસ્તુ રહી નહીં. માંદા

માણસ પાછળ સાજા માણસ પણ માંદાં જેવાં - હવેરાં જેવાં - બની ગયાં.

બિચારી સાસુવહુના દુઃખની - વિડંબનાની - મર્યાદા રહી નહીં. ઉપર આભ અને નીચે પાણી એ બે વિના ત્રીજું, રંક અબળાઓને જોવાનું રહ્યું નહીં.

બુદ્ધિધનનું દરદ વધતું ગયું. મૂળ વ્યાધિમાંથી કંઇ કંઇ વધ્યું. પથારીમાં સૂતો સૂતો બુદ્ધિધન, વૃદ્ધ માતા અને બાળક પત્ની આમતેમ ફરતાં તેમ

તેમ તેમના ભણી ડૂબી ગયેલા ડોળા ફેરવતો. વહુ આખો દિવસ વર ભણી જોઇ એકાંતે રોયાં કરતી અને આંખો સુજાવી નિઃશ્વાસ મૂકતી. માને પણ દુઃખની સીમા ન રહી. પરંતુ દીકરા વહુ ભણી વારંવાર વારાફરતી જોયાં કરતી, એકાંતે કપાળ કૂટતી, અને દેખાીતી હિંમત રાખી દીકરાની બરદાસ કરતી અને વહુ એકાંતે પડી સોરે નહીં તેની ચિંતા રાખી તેને ચાલતા સુધી નજર આગળથી ખસવા ન દેતી.

આખરે ઘરમાં સૌનો અવરજવર બંધ થઇ ગયો. માત્ર એક વૈદ્ય પરમાર્થ બુદ્ધિથી જ નિર્ધન થઇ ગયેલાનું ઔષધ કરવા આવતો; અને એક વૃદ્ધ પડોશીની વાર્તા બુદ્ધિધણ સારો હતો ત્યારે સાંભળતો એટલે બેની વચ્ચે પ્રીતિ થયેલી હતી તેથી તે પડોશી ઘડીવાર આવી પથારી પાસે બેસી વાતો કરી તેના મનમાં શાંતિ ઉત્પન્ન કરતો, અને વિધવાની દયા જાણી બજારકામ તથા વૈદ્યને ઘેર ફેરાફાંટાનું કામ કરતો. વર્ષાસન બંધ પડવાની વાત અત્યાર સુધી બુદ્ધિધનને કોઇએ જણાવી ન હતી તે એના જ કહ્યાથી.

એક દિવસ તે પણ બિચારો માંદો પડ્યો એટલે એક આખો દિવસ તેનાથી અવાયું નહીં અને વૈદ્યથી પણ અવાયું નહીં. વિધવા બારણે નીકળતી નહોતી તેને બહુ અકળામણ થઇ. વહુને મોકલવી એ વાજબી લાગ્યું નહીં અને આખરે દીકરા સારુ લોકમર્યાદા અને રૂઢી તરછોડી બીજે દિવસે મળસકામાં વત્સલ માતા વૈદ્યને ઘેર લજવાતી છુપાવી ચોરની પેઠે ચાલી અને લાજ છોડી છોડવી વહુને દીકરાની પથારી પાસે પોતાની ગેરહાજરીમાં બેસવાનું અને ખબર રાખવાનું સૂચવતી ગઇ.

સાસુ ગયાં એટલે કમાડ વાસી વહુ વરની પથારી આગળ આવી બેઠી. બુદ્ધિધનની આંખ જરા મીંચાઇ હતી; તેનું ફીકું અને માંદલું મોં

નિંદ્રાને લીધે શબ જેવું લાગતું હતું, અને દુર્બળ થઇ ગયેલા બાકીના આખા શરીર ઉપર ધોતિયું ઓઢી લીધું હતું. હાથ ઉઘાડો હતો અને તેના નળા તથા હાડકાં સ્પષ્ટ દીસતાં હતાં. સાસુ બારણે ગયાથી ઊભરો કાઢવાને વહુના ડસડસી રહેલા અંતઃકરણને કાંઇક અવકાશ મળ્યો હતો, અને તેની આંખમાં ઝળઝળિયાં ભરાઇ આવ્યાં હતાં. તેમાં પથારી પાસે બેઠી અને પોતાના ‘નોધારાં આધાર’ સ્નેહી પતિનું આવું શરીર અન મુખ જોતાં તેનું વિચારમાં ને વિચારમાં ઝીણે રાગે ગાવા - ગણગણવા - લાગી :

‘દુઃખી દારા દુનિયામાંહ્ય કંથ વિદેશ ગયે,

સુખી સમજે સ્ત્રી સંસાર સ્વામી સંગ રહ્યે,

આ અવસરમાં, પ્રીતમ પ્યારા, ન્યારા ! તજી, પરદેશ રે જાવા આવા સિદ્ધ થયા પણ મનમાં ઊપજે કલેશ,

કંથ વિદેશ ગયે !

કંથ વિદેશ ગયે - કંથ વિદેશ -’

આ ગાતાં ગાતાં અને પતિના મડદા જેવા મોં સામું જોતાં જોતાં તેની કલ્પાશક્તિ સળગી ઊઠી. દુઃખના અંધારામાં નબળા મનની આંખ

આગળ કંઇ કંઇ અમંગલ તર્કવિતર્ક ભૂતે પેઠે ખડા થયા અને અંતઃકરણ પર

મહાજોરથી મારી રાખેલો આગળો કલ્પનાને ધક્કે એકદમ ઊઘડી ગયો. પતિ જાગશે એ ભાન રહ્યું નહીં અથવા રહેવા છતાં તેને વશ રહી શકી નહીં.

‘હાય, હાય, હાય, હાય, હાય, !’ કરી બુદ્ધિધનના પગ આગળ એકદમ

માથું પછાડી, તેના પગે બે હાથ વચ્ચે માથા સરસા ચાંપી, મોકળું મૂકી

મોટે સાદે છાતીફાટ અનાથ બાળક અબળા રોવા લાગી અને ઊનાં આંસુના ખળી ન રહેતા પ્રવાહથી પથારી ભીની થઇ ગઇ. બુદ્ધિધન અચિંત્યો જાગી ઊઠ્યો. નબળાઇને લીધે ઊઠવાની તેની શક્તિ ઘણા દિવસથી ગઇ હતી તે કોણ જાણે ક્યાંથી આવી કે ઝડપ લઇ પથારીમાં બેઠો થયો અને લાંબા નાખેલા પગના છેડા આગળથી દૂબળા સોટા જેવા હાથ વડે દુઃખી પતિવ્રતાનું

માથું ખોળામાં ખેંચી લીધું અને તે હાડપિંજર જેવી પોતાની છાતી સાથે દાબવા - જોર ન હોવાથી વ્યર્થ શ્રમ કરવા - લાગ્યા. તેનું બેબાકળું -

ભયવ્યાકુલ - મોં જોઇ દીન બની ગયેલો, પરંતુ ધીર, પુરુષ તેના શોકનું કારણ સમજી ગયો, અને સજલનયન બની અમી વગરને મોંએ ત્રુટ્યે ગદ્‌ગદ

સ્વરે બોલ્યો :

‘દેવી ! આમ શું કરે છે ? ધીરજ રાખ, ઇશ્વર અનાથનો બેલી છે.’

ઇશ્વરને ઠપકો દેતી હોય - ઇશ્વરની ઇચ્છા પોતાને પ્રતિકૂળ તઇ

માનતી હોય - એમ કાંઇપણ બોલવા વગર દીન બનેલી માત્ર પતિના સામું ઘેલી જેવી જોઇ રહી. તેને ખભે હાથ નાખી, થોડીવારે નીચું જોઇ, રોતી રોતી બોલી ઊઠી : ‘હું શું કરું ? મારાથી નથી ખમાતું ! માતુશ્રી(સાસુ)એ તો કરવાનું કર્યું : પલ્લું વેચી આપણા લગ્નમાં થયેલું દેવું તેમણે વાળ્યું.

થોડું વધ્યું તેનાથી ઘરખરચ નભાવે છે. હું ઘણુંયે કરું છું પણ મારું પલ્લું વેચવા ના પાડે છે ! શોક ન ગણી અત્યારે વૈદ્યને ઘેર ગાયં છે. હાય !

હાય ! મને તે દૈવે શાને ઘડી ? મને પરણવા તમારે દેવું થયું. મારી જાત એવી નકામી છે કે માતુશ્રીને આટલી અડચણ છતાં બારણે જઇ મારાથી કામમાં ન અવાયું ને એ ગયાં. એમનું કર્યું કોણ કરશે ? એમનો અવતાર સફળ થયો. હું મોઇ નકામી. મારું પલ્લુંયે નકામું ! તમને ન ખપે ! હાય, હાય ! વર્ષાસન ગયું, તો ગયું પણ - બળ્યું એ પલ્લું ! તમારે કાન ન આવે તો પણ ન આવે ! મારે શું કામ હતું એનું ?’ એમ કહી ઝપોઝપ શરીર પરનાં ઘરેણાં કાઢી સામી ભીંત ભણી રીસ કરી જોરથી ફેંકી દીધાં.

‘હું તો માત્ર તમારું આવું શરીર અને આવું શરીર અને આવું મોં જોવાને જ સરજી છું ! આ નથી જોવાતું રે મારા નાથ !’ એમ કહી વળી ઠૂઠવો

મૂક્યો.

નરમ બની વધારે ખેદ પામી બુદ્ધિધન પત્નીના મુખ સામું લાચાર આંખે જોતો બોલ્યો : ‘દેવી ! આમ શું કરે છે ? વર્ષાસન ગયું તની મને ખબર કેમ કરી નથી ? હશે. તું નકામી નથી. તું નકામી કેમ ? કતું તો ઘણેય કામ આવીશ. મારા આધાર - મારી વહાલી ? મારી દેવી ! ધીરજ રાખ. ઇશ્વર અનાથનો બેલી છે. આ ઘરેણાં તારા સૌભાગ્યનાં છે. તેને ફેંક નહીં.’

‘મારું સૌભાગ્ય તમારા વિના બીજે ક્યાં છે ? મારે ઘરેણાં સાથે કાંઇ સગપણ નથી. તમારા મોંની તેજી ક્યાં ? ઇશ્વર હસે તેનો હસે. હું શું કરું રે ઇશ્વર ! તમે સૂઇ જાઓ, તમારી નબળાઇ વધશે. અરે, આ વખતે પણ હું તમને દુઃખ દેવાને સરજી છું. એમ કહી બે હાથે મોં અને આંખો ઢાંકી રોઇ લઇ પતિને ઝાલી પાછો સુવાડ્યો.

આમ કેટલોક વખત ગયો એટલામાં બારણું ખખડ્યું. ઉતાવળમાં ઘરેણાં એમ ને એમ રહેવા દઇ સૌભાગ્યદેવીએ બારણું ઉઘાડ્યું.

વત્સલ માતા ઘરમાં આવી. તે નિરાશ દેખાતી હતી. તેના મોં પર ઉગ્ર કોપ અને આંખોમાં રતાશ અને પાણી ઢાંક્યાં રહેવા અશક્તિમાન

લાગતાં હતાં. તેના ઓઠ ફફડતા હતા અને વૃદ્ધ હૈયું ધબકતું હતું. તેમાં વળી દીકરો, વહુ, અને ઘરેણું એ સૌનો નવો તાલ જણાયો અને એક પળવારમાં કંઇ કંઇ ચિંતાઓ અને શંકાઓ તેના અંતઃકરણમાં નવીજૂની થઇ

ગઇ.

સૂતો સૂતો હળવે હળવે પુત્ર બોલ્યો : ‘માતુશ્રી ! ક્યાં ગયાં હતાં

? આજ સુધી વર્ષાસનના સમાચાર મને ન કહ્યાં તે ઠીક કર્યું ? તમારું મોં

આપ કેમ ?’

વર્ષાસનની વાત ઊઘાડી પડી જાણી ઠપકા ભરેલી આંખે વહુના સામું જોઇ ઘરેણાં ભણી નજર કરી સાસુ ઊભી જ રહી.

સૌભાગ્યદેવી ઊઠી, સાસુને બાઝી પડી અને તેની છાતીમાં માથું સમાવી દઇ રોતી રોતી બોલી : ‘માતુશ્રી ! વાંક માફ કરો. આટલું મારું ઘરેણું તો કામમાં આણો !’

બારણું વાસી બે જણ પથારી પાસે બેઠાં. બેસતાં સાસુ બોલી :

‘દેવી ! બેટા ! તું બાળક છે. તારાં ઘરેણાંને કેમ કામ નહીં લગાડીએ ?

જરૂર પડશે ત્યારે એમ પણ કરવું પડશે. તારી સમજ કાચી છે. તારી ફિકર

મારે છે. ઇશ્વર એ ઘરેણાં સદૈવ તારા શરીર ઉપર જ રાખો ! બેટા, તું આમ રો નહીં, પહેર ઘરેણાં.’ આમ કહી નિઃશ્વાસ મૂક્યો.

‘દીકરા ! હું શું કહું ? કેટલું કહું ?’ એમ કહી લૂગડા વતે આંખો

લોહી. વૈદ્ય પરગામ ગયો હતો અને તેની બાઇડી મળી તે હલકા સ્વભાવની હતી. વૈદ્ય મફત ઔષધ આપતો તે વાત વૈદાણીથી છાની રાખી હતી, કારણ એવાં એવાં મફતિયાં તો ઘણાંયે આવે એને તેનું કામ વૈદ્ય કરે તો વૈદાણીનો જીવ જતો અને ધણી પર રમસ્તાન મચાવી મૂકતી. બુદ્ધિધનની

માને આવતી જોઇ મફતિયું ઘરાક જાણી તેને ગાળો દઇ ધમકાવી અને વૈદ્યનો પત્તો પણ ન બતાવ્યો, તે કોઇ દયાળુ પડોશીએ કહ્યું તારે જાણ્યું કે અચિંત્યું વૈદ્યને જવું પડ્યું. નિરાશ બની બાઇ પાછી ફરી. પાછાં ફરતાં વિચાર થયો કે કારભારી મારો પિયરનો સગો છે, તેને માંહ્યમાંહ્યથી જઇ

વર્ષાસનની વાત કરું. કારભારીના ઘરમાં પેસતાં તેની દીકરી ઓટલે ઊભી હતી. તેણે ગરીબ બાઇ ઉપર મોં મરડ્યું ને ચાળા પાડ્યા. ગરજ ગધે૦ડીને

મા કહે. ચાળાબાળા જાણે કોઇએ પાડ્યા નથી એવું ગણી બાઇ ઘરમાં પેઠી.

કારભારી ચોકમાં ચાકરો વચ્ચે બેઠો બેઠો દાતણ કરતો હતો. બાઇને જોઇને જ તેને આવવાનું કારણ તે કળી ગયો. આવા ભૂખઘરાક પાસેથી કાંઇ

પાકવાનું નથી અને નકામી માથાફૂટ સવારના પહોરમાં પડશે જાણી કામભારીએ કસમોડું મોં કર્યું અને ચાકર મારફત કહેવડાવ્યું : ‘હાલ કામદાર કામમાં બેઠા છે. જાઓ, કામ હોય તો દરબારમાં અરજી લખી આપજો.’ બીતી બીતી : ઉંમર ઓળંગતી હતી તે આ સાંભળી બાઇ પાછી વળી. થોડેક

ચાલી એક રાંડેલી પણ શણગારાયેલી બાઇ કારભારીના ઘરમાંથી નીકળી અને થોડેક છેટે ગયા પણ દુઃખી વિધવાને પકડી પાડી તેની સાથે વાતોમાં પડી.

‘તમે વર્ષાસન સારુ કારભારીને ઘેર ગયાં હશો.’

‘હા.’

‘મારું એક કહ્યું કરો તો તમારું વળે.’

‘મારી પાસે લાંચ આપવાને પૈસા નથી. હું તો ગરીબ છું.’

‘પૈસાના કરતાં વધારે તમારી પાસે છે.’

અચિંતી ચમકીને બુદ્ધિધનની મા પેલી બાઇ સામું શંકા અને ભય

ભરેલી આંખે જોઇ રહી અને બોલી : ‘શું ?’

બેશરમી કુલટા હિંમત રાખી બોલી : ‘કંઇ નહીં. મારી જોડે તમારી વહુને જરી મોકલો. હું કામ કરી આપીશ. કારભારીના દીકરાને ને મારે સારાસારી છે. તમારા સારા સારુ કહું છું.’ ગરીબની વહુ સૌની ભાભી.

પવિત્ર વિધવાએ દાંત કચડ્યા અને ઓઠ પીસ્યા. આંકો રાતી થઇ

ગઇ. પણ દુષ્ટ રાક્ષસી આગળ મૌંનું બળ બતાવવાથી પણ ભયનું કારણ હતું. પવિત્ર કોપ દેખીતો ઢાંકી દીધો અને ‘બાઇ, મારે વર્ષાસન નથી જોઇતું’ કહી તેના દુષ્ટ પડછાયાની હદ તજી ચાલવા માંડ્યું. દેશી રજવાડામાં દીકરો ફોજદાર, ભાઇ ન્યાયધીશ અને બાપ કારભારી : કોની ફરિયાદ

કોની પાસે કરવી ? અનાથ, અબળા છાનીમાની ઘેર ચાલી.

આ સર્વ સમાચારથી બુદ્ધિધનને મંદવાડમાં દુઃખ થશે જાણી તેને ન કહેવા ઠરાવ કર્યો હતો. પરંતુ તે માના મોં ઉપરથી કળી ગયો કે કાંઇ

નવાજૂની થઇ છે તેને સંતોષવાને માત્રે એટલું જ કહ્યું કે ‘જોને, દુઃખીનું નસીબે દુઃખી. વૈદ્ય ગામ ગયા છે.’ બાકીની વાત, આડીઅવળી વાત કરી, ભુલાવી અને નબળા મગજ પર તેમ કરવું કઠણ ન પડ્યું. બુદ્ધિધન પાછો ઊંઘી ગયો. સાસુવહુ હળવે રહીને જોડેના ભાગમાં જઇને બેઠાં. વહુનું રોવું રહ્યું નહીં. સાસુ વહુનું માથું ખોળામાં મૂકી બેઠી અને તેવી રીતે સૂતી સૂતી બાળક વહુ રોતી રોતી ઊંઘી ગઇ અને સ્વપ્નવશ થઇ. વડીલ વિધવા આમ એકલી જેવી પડી એકલે વિચારમાં ગરક થઇ ગઇ. બેઠી બેઠી એક હાથે વહુને થાબડતી હતી અને આંખમાંથી ચોધાર આંસુ છાનાંમાના વણઅટકાવ પડતાં હતાં તેને બીજે હાથે વ્યર્થ લોહ્યાં કરતી હતી. ઓટલામાં વૃદ્ધ

પડોશી દયાશંકરે બારણું વાસી આવ્યો અને તેની પાસે બેઠો. એક દિવસ ન અવાયું તેનું કારણ બતાવી ખબર પૂછવા લાગ્યો.

અનાથ બાઇ ગળગળી થઇ ગઇ અને સાદ સંભળાય નહીં એમ

રોઇ પડી.

‘સ્વજનસ્ય હિ દુઃખમગ્રતો ।

વિવૃતદ્ધારમિવોપજાયતે ।।’

પોતાનં માણસ મળ્યું એટલે દુઃખીનાં દુઃખનાં બારણાં ઊઘડી જાય

છે. દયાળું પડોશી પાસે દુખિયારી બાઇએ વૈદ્યના અને કારભારીના ઘરના સર્વ સમાચાર અથઇતિ સવિસ્તાર કહી બતાવ્યા. દીકરાની અને વહુની પણ વાત કરી. ‘હાય હાય, આ અનાથ ફુલની શી અવસ્થા થશે ?

દયાશંકર ! હું તો ઘડપણમાં બેઠી. પણ આ બાળકે મારા જેવી થઇને બેસશે તો એનું મોં મારાથી કેમ જોવાશે ? એની શી વલે થશે ? હુંયે હવે

મરવાની એટલે આ મારી દેવીનું કોણ ?’ વૃદ્ધ દયાશંકરે બાઇને હિંમત આપી.

‘બહેન ! તમેં હિંમત રાખો. તમારા ભાગ્યમાં હજી ઘણાં સારાં વાનાં છે. બુદ્ધિધનને પાછો આરામ થવાનો એમાં સંદેહ નથી. અને એને આરામ થયો એટલે એ સિંહનું જોર કરવાનો. એ બાબતમાં મારું અંતઃકરણ સાક્ષી પૂરે છે માટે સત્ય માનજો. તમારી વહુનું સૌભાગ્ય અમર છે એવું

મેં એની જન્મોત્રીમાં જોયું છે. બુદ્ધિધનને પણ હમણાં તો વર્ષ નડે છે પણ આખરે સારું છે.’

દયાશંકરને જ્યોતિષ ઉપર કાંઇ વિશેષ શ્રદ્ધા હતી એવું ન હતું પરંતુ દુઃખી વિધવાના અંતઃકરણમાં એ નિમિત્તે આશાનું અમૃત રેડ્યું વાતો કરી દુઃખી માતાનું અર્ધું દુઃખ શાંત કરી દીધું અને તેનાં આંસુ સૂકવ્યાં.

એટલામં સૌભાગ્યદેવી પણ ઊઠી અને વિનયસર બેઠી. આખરે સૌ બુદ્ધિધન પાસે ગયાં.

દયાશંકરના પગના ઘસારાથી જ બુદ્ધિધન જાગ્યો હતો. મંદવાડમાં તેના કાન સરવા થયા હતા. સર્વ વાતો તેણે જિજ્ઞાસાથી તથા તૃષ્ણાથી સાંભળી લીધી. સાંભળતાં સાંભળતાં ક્રોધ, દયા, દીનતા, આશા અને ઉત્સાહ એવી કંઇ કંઇ વૃત્તિઓ કંઇ કંઇ વિચારોની પાંખો ઉપર ચડીને તેના

મનોનિધિમાં પ્રતિબિંબ પાડતી પાડતી ઊડી ગઇ. આખરે તે શાંત થયો, અને એટલામાં તો બધાં અંદર આવ્યાં.

દયાશંકર પથારી આગળ બેઠા અને બુદ્ધિધનના માથા ઉપર હાથ

મૂકી નાડી જોઇ બોલ્યા : ‘કેમ, ભાઇ, પ્રકૃતિ તો ઠીક છે કની ? મને તો કાંઇ સારો ફેર લાગે છે. માત્ર તારા મોં ઉપર જરા ગભરાટ છે.’

‘હા, કાકા, મને આજ જરી ઠીક છે. પણ માતુશ્રીએ તમને કહ્યા તે સમાચાર સાંભળી જીવ જરી ઊકળી આવ્યો. તમે જુઓ છો કારભારી કેવી લુચ્ચો છે તે ! આખું વાજું જ નફટ અને દુષ્ટ છે. હસે; ઘણું કરે તે થોડાને માટે.’ એમ કહી બુદ્ધિધન કાંઇક ગુપ્ત ક્રોધ અને વિચારમાં પડ્યો દેખાયો.

‘ભાઇ ! એ તો એમ જ હોય. આપણે કારભાર કરો ત્યારે સરત રાખજો.’ એમ કહી દયાશંકર જરા હસ્યા ‘બ’ન, એમાં કંઇ ન થવા જેવું ન જાણશો, હોં ! આ જ કારભારી ઘેર ધાન ખાવા ન હતું તે તમને ખબર છે. શા વારાફેરા થવાના છે તે કોઇને ખબર છે ? તમારું અસલનું કારભારી કુટુંબનુું ખાનદાન, તે હતું એવું આજ પચાસ વર્ષે પાછું થાય તો એમાં ઇશ્વરને ઘેર શું અશક્ય છે ?’

બુદ્ધિધન ડોસી ભણી જોઇ રહ્યો.

રંક વિધવા નિઃશ્વાસ નાંખી કપાળે હાથ દઇને બોલી : ‘ભાઇ !

અમારે તો કારભારે નથી જોઇતો ને બારભારે નથી જોઇતો. લાખ મળવાના નથી ને લખેશરી થવાનાં નથી. મારે તો આ એક આંખ ઠારવા જેટલું ઇશ્વર રાખે તો ઇન્દ્રપુરી છે. દીકરો સારો થાય અને કંઇ રસ્તે પડે, અને આ જોડ સુખી થાય એટલે ગંગા નાહ્યાં. આ અવસ્થામાં વીતેલું હું એટલેથી જ વિસારે નાંખીશ. પછી તો પરમેશ્વર મને તેડું મોકલે એટલું જ માગવાનું બાકી રહે.’ માને ઓછું આવ્યું તે તેના મુખ ઉપર દીકરાએ સ્પષ્ટ દીઠું.

‘નિશ્ચિત રહો. રૂડાં વાનાં થશે. કેમ ભાઇ બુદ્ધિધન ?’

માનો નિઃશ્વાસ જોઇ, વહુની આંખોમાં લાચારીનાં આંસુ જોઇ બુદ્ધિધન ધૂણી ઊઠ્યો :

‘કાકા ! તમારા મોંમાં સાકર. અત્યારે તો મશ્કરી જેવું દેખાય છે.

પણ સરત રાખજો કે આ લુચ્ચા કારભારીએ આ અનાથ અને કુલીન મારાં

માતુશ્રીનેજે તરછોડ્યાં છે અને એના દુષ્ટ દીકરાએ મારા કુટુંબને આવી રંક અવસ્થામાં જે અપમાન પહોંચાડ્યું છે તેનું વેર બુદ્ધિધન લેશે. ઇશ્વર ખોટામાંથી સારું કરે છે. વર્ષાસન ગયું તે સારું જ થયું છે. હું હવે કારભારીનો દબલો નથી અને આવા દબેલા રહી શું કરવું તે ઘાટ મને સૂઝતો નહોતો. પણ હવે મારી ચિંતા દૂર થઇ છે અને હું સ્વતંત્ર મારો મુખત્યાર થયો છું.

આહા ! ઇશ્વર ! કારભારીએ મારો રસ્તો મોકળો કરી દીધો. હવે હું સાજો જ થવાનો. મને જીવવાની ઇચ્છા પાછી થઇ છે. મારાં વહાલાંમાં વહાલાં આ બે રત્ન - તેની ખાતર હું શું નહીં કરું ? હા. છું તો ગરીબ. મારી પાસે નથી પૈસો અને નથી એવા મિત્ર. કારભારે પહોંચવું ન પહોંચવું એ તો ભાગ્યની વાત છે. પરંતુ આ કારભારીને તો પાયમાલ કરું જ - અને વળી તેને જ મોંએ મને પોતાને સારો કહેવરાવું - એવી મારામાં તાકાત છે તે જગત જોશે. વરે - વેર - રાતદિવસ મારા કાળજામાં બળ્યા કરવાનું અને એ આગ કારભારી કુટુંબમાં જન્મ્યો છું. આજકાલના આ ફાટી ગયેલા કારભારી જેવો નીચ કુટુંબનો નથી. માતુશ્રી, હું તમારી કૂખમાં ઊછર્યો છું.

મેં ચૂડીઓ નથી પહેરી !’ દાંત પીસતો, ઓઠ કરડતો, લાંબા હાડકા જેવા ઘડીએ ઘડીએ ઊંચોનીચો થતો હતો, ઘણું બોલવાથી અને ક્રોધ ચડવાથી

માંદો માણસ થાકી ગયો; તેના હાથ પહોળા થઇ પથારીમાં બે પાસ પાછા પડ્યા, અને તેની રાતી થયેલી આંખોમાં ડોળા થોડી વાર આમ તેમ ફર્યા અને આખરે આવેશમાં ને આવેશમાં તેની આંખ મીંચાઇ. થોડી વારમાં ધારણ બોલવા માંડ્યાં અને આ જાગ્રત અવસ્થાનું સ્વપ્ન બિલકુલ શાંત થઇ

ગયું. માત્ર નિદ્રામાં પણ તેની ભમર ચડેલી રહી હતી અને ઘડીએ ઘડી વાંકીચૂકી થઇ જતી હતી તે પરથી સ્પષ્ટ દીસતું હતું કે નિદ્રામાં પણ કાંઇક બળવાન સ્વપ્નમાં તે ધૂંધવાય છે.

દિઙ્‌મૂઢ સૌ જણ તેના ભણી જોઇ રહ્યાં અને તેને ઊંઘેલો જોઇ

આશ્ચર્ય અને વિચારમાં પડી સૌ ઊઠ્યાં. ‘ઊંઘવા દો, ઊંઘવા દો એને’ એમ

કહી દયાશંકર કેટલીક સૂચનાઓ કરી ઘેર ગયા. બુદ્ધિધનના શબ્દ ક્રોધ અને

મંદવાડનાં લવારામાં ગણાયા. પરંતુ બીજે દિવસેથી વૈદ્ય પાછો આવતો થયો. તેના ઔષધનો ગુણ હે વહેલો લાવવા માંડ્યો અને થોડા દિવસમાં બુદ્ધિધન ઘરમાં હરતોફરતો થયો. મંદવાડ સમૂળગો ગયો અને નિશાનીમાં

માત્ર વૈર અને ક્રોધના ધૂંધવાટને પાછળ મૂકતો ગયો. મધ્યરાત્રિએ ઉત્પાતસૂચક ધૂમકેતું આકાશમાં ઘણા દિવસ સુધી દેખાયાં કરે તેમ એકાંત પણ આ

ક્રોધથી ચડેલી ભ્રૂકુટિ હંમેશાં બુદ્ધિધનને કપાળે ચડી આવતી,અને તે કારભારીનો નિઃસંશય વિનાશ સૂચવતી હતી.૧