Uday - 29 books and stories free download online pdf in Gujarati

ઉદય ભાગ ૨૯

ઉદય અને દેવાંશી થોડીવાર પછી એક ગુફા ના દ્વાર સમીપ પહોંચ્યા. ગુફા માં અંધકાર દેખાતો હતો. ગુફા ની દ્વાર નજીક મુકેલી મશાલ દેવાંશી એ ઉપાડી અને બાજુમાં મૂકેલું દ્રવ્ય તેમાં નાખતાંજ મશાલ માં અગ્નિ પ્રગટ થયો પછી ગુફા માં પ્રવેશ્યા. ગુફા નું પ્રવેશદ્વાર સાંકડું હતું પણ જેવા તે આગળ વધતા ગયા તેમાં ગુફા પહોળી થતી ગઈ. થોડા આગળ જઈને તેમને મશાલ ની જરૂરત ન રહી અંદર નો ભાગ સ્વયંપ્રકાશિત હતો. આગળ જતા ગુફા પૂર્ણ થઇ ગઈ હતી. આગળ વધવાનો રસ્તો ન હતો. દેવાંશી એ હાથ માં કટાર લીધી અને ઉદય ને હાથ આગળ કરવા કહ્યું. ઉદયે પૂછ્યું આગળ કેવી રીતે વધીશું . દેવાંશી એ કહ્યું કે ફક્ત તમારા રક્ત થી આગળ જવાનો રસ્તો ઉત્પન્ન થશે. તેને ઉદય ને હાથ પર એક કાપો મુક્યો અને થોડું રક્ત છાંટ્યું એટલે ત્યાં એક દરવાજો ઉત્પન્ન થયો . દેવાંશી એ કહ્યું કે આ તારા શરીર ની રક્ષા માટે કર્યું હતું જેથી અસીમાનંદ અહીં પ્રવેશી ને તારા પૂર્વજન્મ ના શરીર ને નષ્ટ ન કરી શકે. પછી તેઓ ગુફા માં પ્રવેશી ગયા અંદર મોટો ખંડ હતો જેના વચમાં એક પેટી રાખેલી હતી જેમાં એક વિશાળ શરીર પડ્યું હતું. ઉદય નજીક જઈને તે વિશાળ શરીર ને જોઈ રહ્યો . લગભગ સાડા ૬ ફૂટ લાબું શરીર પહોળા ખભા અને આકર્ષક ચહેરો. જોઈને લાગતું ન હતું કે આ શરીર વર્ષોથી અહીં પડ્યું છે એમ લાગતું હતું કે આ વ્યક્તિ અહીં આરામ થી સુઈ રહી છે . ઉદયે પૂછ્યું હવે આગળ શું કરીશું .

દેવાંશી એ અટ્ટહાસ્ય કર્યું અને હવે તેની સામે દેવાંશી નહિ પણ અસીમાનંદ ઉભો હતો. તેને કહ્યું ઉદય તું કેટલો મૂર્ખ છે. તને તો એ પણ ખબર નથી કે કોના પર વિશ્વાસ કરવો કોના પર નહિ . તારા સિવાય મને અહીં કોઈ પહોંચાડવામાં સમર્થ ન હતું તેથી મારે આટલી મોટી માયાજાળ રચવી પડી. તારા પર હુમલો કરનાર પણ હું હતો અને બચાવનાર પણ હું હતો. મારે તારા પર ફક્ત વાર કરવાનો હતો મારવાનો ન હતો. તને મારવો હોત તો ત્રીજા પરિમાણ માં જ મારી નાખ્યો હોત પણ પછી આ દરવાજો ન ખુલ્યો હોત અને મહાશક્તિ એ કોઈ બીજો રસ્તો કર્યો હોત ઉદયશંકરનાથ ને જીવિત કરવાનો. ઉદય અવાચક થઈને જોઈ રહ્યો. સપ્ત પરિમાણો માં તેના પ્રવેશ કર્યા પછી ઘણા આશ્ચર્યો જોયા હતા પણ આતો તેના માટે મોટો ઝટકો હતો. તેને એ પણ ખબર હતી કે અસીમાનંદ તેનાથી તાકતવર અને અનુભવી હતો છતાં તેને લડી લેવાનું નક્કી કર્યું . તેણે ઉરૃમી કમર પરથી ખોલી અને અસીમાનંદ પર વાર કર્યો . અસીમાનંદ તેના માટે તૈયાર હતો અને તેનો વાર પોતાની તલવાર પર ઝીલી લીધો. અને થોડીવાર પછી ઉદય લહુલુહાન થઈને જમીન પર પડ્યો હતો. પછી અસીમાનંદે નિર્દયતાથી પેટી માં રહેલ ઉદયશંકરનાથ ના શરીર ના ટુકડે ટુકડા કરી દીધા . તેના ચેહરા પર ભયંકર ક્રુરતાના ભાવ હતા. હવે ખંડ માં એક ખૂણા માં ઉદય લહુલુહાન થઈને પડ્યો હતો અને પેટીમાં ઉદયશંકરેનાથ નું ક્ષત વિક્ષત શરીર. અસીમાનંદે ઉદય ની હત્યા ન કરી અને અટ્ટહાસ્ય કરતો પ્રવેશદ્વાર માં થી નીકળી ગયો. હવે તેણે રોકનાર કોઈ બચ્યું ન હતું. લોહીનીગળતી અવસ્થામાં ઉદય જાગૃત રહ્યો પણ પછી તેની આંખો મીંચાઈ ગઈ . તે આહત હતો પોતાની હાર થી અને પોતાની થયેલ છેતરપિંડી થી . તેણે મૃત્યુ નજીક દેખાતું હતું .

થોડી વાર પછી જયારે તે ભાન માં આવ્યો ત્યારે તેણે જોયું કે તેના આખા શરીર ફરતે કપડું વીંટાળેલું હતું અને અંદર કોઈ જાતનો લેપ લગાડેલો હતો. તે હાથ પગ પાલ હલાવી શકવાની અવસ્થા માં ન હતો. ઇજિપ્ત માં મમી ની જેમ બંધાયેલ અવસ્થા માં હતો. તેને ફક્ત છત દેખાતી હતી. તેને એટલો ખ્યાલ આવી ગયો કે બાજુમાં કોઈ બેસેલું છે પણ કોણ છે તેને ખબર ન પડી. બાજુમાં ભભૂતનાથ પદ્માસન ની મુદ્રામાં બેઠા હતા . તે ઉદય ના હોશમાં આવવાની રાહ જોતા હતા. ઉદય ભાન માં આવ્યો છે તે જોતાજ તે ઉભા થયા અને ઉદય ને પૂછ્યું આ કેવી રીતે થયું ? ઉદય હોઠ પણ હલાવી શક્યો નહિ અને ફરી પાછો બેહોશ થઇ ગયો.

ભભૂતનાથ ત્યાંથી બીજા ખંડમાં ગયા જ્યાં એક જ્યોત દિવા માં સળગતી હતી તેની સામે ગયા અને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને મહાશક્તિ આવાહન માત્ર બોલ્યા . થોડી વાર પછી જ્યોત તીવ્ર પ્રકાશ થી ઝળહળી ઉઠી અને તેમાંથી અવાજ આવ્યો ફરીથી સ્વાગત છે તમારું પાંચમા પરિમાણ માં ભભૂતનાથ .

ભભૂતનાથે હાથ જોડીને નમસ્કાર કર્યા અને કહ્યું કે ખુબ આશા હતી કે ઉદયશંકરનાથ જીવિત થશે અને અસીમાનંદ નો વિનાશ કરશે પણ વ્યર્થ અને ઉદય પાસેથી પણ મને કોઈ આશા નથી રહી .જ્યોત થોડી હલી અને તેમાંથી અવાજ આવ્યો વિશ્વાસ તે ખુબ જ મોટી શક્તિ છે . તમે જયારે પોતાનામાંથી વિશ્વાસ ખોઈ બેસો ત્યારે જ તમે બીજા પર અવિશ્વાસ કરવા લાગો છો . તમે પોતાના માં વિશ્વાસ રાખો અને ઉદય માં પણ તમે હજારો વર્ષ ની સાધના પછી શક્તિશાળી થયા છો અને તમે ઉદય પાસે થોડા સમયમાં શક્તિશાળી થવાની આશા રાખો તે ખોટું છે. ઉદયશંકરનાથ નું ફક્ત શરીર નષ્ટ થયું છે તેની આત્મા તો ઉદય ના શરીર માં છે તમે તેની અંદર ની ચેતના જગાડો એટલે તે ઉદયશંકરનાથ બની જશે. ઉદયશંકરનાથ નું શરીર નષ્ટ કરીને અસીમાનંદે ઉદય નો ઉદયશંકરનાથ બનવાનો માર્ગ મોકળો કર્યો છે. યાદ રાખો કે ઉદય તમારી જેમ મારી નિર્મિતિ નથી તે ગર્ભ માંથી ઉત્પન્ન થયેલ વ્યક્તિ છે. તેની શક્તિ તેની ભાવનાઓ સાથે જોડાયેલ છે .

તેને થોડો સમય આપો. કાળી શક્તિઓ એ શરુ કરેલ યુદ્ધ ફક્ત તે ખતમ કરી શકશે. તમે તમારું ધ્યાન બાકીના ભાઈઓને છોડાવવા તરફ આપો. તેઓ ક્યાં છે તે મારી દિવ્યદૃષ્ટિ પણ જોઈ નથી શક્તિ અને દિવ્યશક્તિ એ મારી મદદ કરવાનો ઇન્કાર કર્યો છે. દિવ્યશક્તિ નું કહેવાનું છે કે તમારું કામ તમે પોતે કરો.

તો હવે હું પણ તમારી મદદ નહિ કરી શકું.એકબીજા પર વિશ્વાસ રાખો. ફકત એટલું જ કહી શકું કે દેવાંશી નામની યુવતી ઉદય ની શક્તિ બની શકે. જો તેને તમે અહીં લાવશો તો ઉદય ઉદયશંકરનાથ બની જશે .પણ ધ્યાન રહે તેને ખબર ન પડે કે આ પાંચમું પરિમાણ છે. જો કે દેવાંશી ઉદય ને ક્યારેય મળી નથી પણ અસીમાનંદે પોતે દેવાંશી બનીને જે કઈ કર્યું તેની યાદો દેવાંશી ના મનમાં રોપી દીધી છે તેથી હવે દેવાંશી ઉદય ને મનોમન પ્રેમ કરે છે અને તેની મદદ કરવા તે તૈયાર થઇ જશે . તો ભભૂતનાથ હવે તમે પધારો .