Uday - 30 books and stories free download online pdf in Gujarati

ઉદય ભાગ ૩૦

ભભૂતનાથ અવઢવ માં હતા પણ મહાશક્તિ સાથે વાત થયા પછી તેઓ આશ્વસ્ત થયા હતા . તેમને દિશા મળી ગઈ હતી.તેઓ ઉદય જ્યાં હતો તે ખંડ માં આવ્યા.ઉદય હાજી બેહોશ હતો અને ભભૂતનાથ જાણતા હતા કે તે હજી ઘણો સમય બેહોશ રહેવાનો હતો કારણ હતું તેને લગાવેલી દવાઓ. તે દવાઓમાં અસ્થિવર્ધક, શક્તિવર્ધક અને પીડાશામક વનસ્પતિના મૂળ હતા. ભભૂતનાથ તે ખંડમાંથી નીકળી ગયા અને તે દ્વાર મંત્રથી બંદ કર્યું જેનાથી અસીમાનંદ પ્રવેશી ન શકે. ભભૂતનાથ હવે શ્રાપ મુક્ત થઇ ગયા હતા હવે તેમની પાસે શક્તિ આવી ગયી હતી જેનાથી તેઓ ત્રીજા, ચોથા અને પાંચમા પરિમાણમાં ગમે ત્યારે પ્રવેશી શકે.તેઓ ચોથા પરિમાણ માં ગયા અને કીયંડુનાથ ને આદેશ આપ્યો દેવાંશી ને ચોથા પરિમાણ માં લઇ આવવાનો. અને પછી સર્વેશ્વરનાથ ને સેનાએ ને તૈયાર કરવાનો આદેશ આપ્યો. તેમને સર્વેશ્વરનાથ ને કહ્યું કે હવે યુદ્ધ ગમે ત્યારે થઇ શકે તેના માટે તમે તૈયાર રહો. કદાચ અસીમાનંદ પણ તેની તૈયારી કરી રહ્યો હશે. ભભૂતનાથે પોતાના ખંડ માં જઈ પોતાનો ફરસો ઉપાડ્યો અને યુદ્ધાભ્યાસ કરવાનું શરુ કર્યું.

અસીમાનંદ તે ગુફા માં થી નીકળીને એક બીજી ગુફા માં ગયો જે ત્યાંથી ખુબ દૂર હતી . તેની નિશાનદેહી કાળી શક્તિઓ એ પાંચમા પરિમાણ માં પ્રવેશવા પહેલા આપેલી હતી . તે ગુફા માં પ્રવેશ્યા પછી તેના છેડે રહેલ અગ્નિકુંડ પાસે ગયો અને કાળી શક્તિઓનું રક્ત અર્પણ કરી આવાહન કર્યું . એક આકૃતિ અગ્નિ માં પગટ થઇ તેને કહ્યું કે ઉદયશંકરનાથ ના શરીર નો નાશ મેં કરી દીધો છે અને ઉદય પણ અત્યારસુધીમાં મૃત્યુ પામ્યો હશે હવે મારે આગળ શું કરવું તેનું માર્ગદર્શન કરો . અસીમાનંદ નો પ્રશ્ન પૂર્ણ થતા સાથે તેના પર એક જોરદાર પ્રહાર થયો જેનાથી તે જમીન પર પછડાયો. આકૃતિ એ કહ્યું તારા જેટલો મહામૂર્ખ મેં જીવન માં જોયો નથી. રાવણ નું ઓજાર તારી મૂર્ખતા ને લીધે નષ્ટ થયું અને ઉદય ને તે ઘાયલ કરીને છોડી દીધો . તે તેની હત્યા કેમ ન કરી. શું તું હજી પોતાને દિવ્યપુરૂષ મને છે જેને મહાશક્તિ ના આદેશ સિવાય હત્યા નો અધિકાર નથી . અસીમાનંદે કહ્યું કે ઉદય નક્કી મરી ગયો હશે . આકૃતિ એ કહ્યું કે ના તે જીવિત છે અને સાજો થઇ રહ્યો છે . તો હું તેને અત્યારે જ જઈને મરી નાખીશ અસીમાનંદ બોલ્યો .

આકૃતિ એ કહ્યું મેં આના માટેજ તને મહામૂર્ખ કહ્યો હાથ માં આવેલ તક ફરી ફરી નથી મળતી. તારા લીધે મારા મહત્વના સેવક નું મૃત્યુ થયું. હવે તારે જરખ નું સ્થાન લેવાનું છે . હું તને એક વિધિ કહું છું જેનાથી tu એક સેના તૈયાર કર અને અહીં ભભૂતનાથ અને ઉદય ને હરાવ અને પછી ચોથા પરિમાણ ના રહેલ તેમના સેવકો ને હરાવ પછી તને ત્રીજા પરિમાણ માં કોઈ નહિ હરાવી શકે અને આખા જગત પર તારો કબ્જો હશે. બાકીના પરિમાણો પર મારો કબ્જો હશે. અસીમાનંદને પછી વિધિ સમજાવી. તે ત્યાંથી નીકળી રણ માં ગયો . તેના ત્યાંથી નીકળી ગયા પછી તે ગુફા માં એક વ્યક્તિ પ્રવેશી અને અગ્નિકુંડ સામે ઉભી રહી. આવાહન પછી આકૃતિ ફરી પ્રગટ થઇ અને બોલી પાંચમા પરિમાણ માં તારું સ્વાગત છે જરખ. હવે તું વધુ શક્તિશાળી થઇ ગયો હોઈશ. જરખે હકાર માં માથું હલાવ્યું અને કહ્યું આપણી કૃપાને લીધે હું ફરી જીવિત થયો છું. આકૃતિ એ કહ્યું કે અસીમાનંદ ને લાડવા માટે મોકલ્યો છે તે જેવો સફળ થાય એટલે તું તેની હત્યા કરી દેજે અને ત્રીજા પરિમાણ પર તારું રાજ ચાલશે. જરખે પૂછ્યું કે તમે યુદ્ધ માટે મારી પસંદગી કેમ ન કરી શું તમને મારી સફળતા પર વિશ્વાસ નહોતો. આકૃતિ એ કહ્યું તું ૧૦૦૦ વર્ષ થી મારી સેવા કરે છે મને તારી તાકાત અને નબળાઈઓ વિષે ખબર છે.અસીમાનંદ એક દિવ્યપુરૂષ છે તે શક્તિશાળી છે અને તેઓ અંદરો અંદર લડતા હોય તો મારે તને શું કામ લડવા મોકલવો. મહાશક્તિ ને માત આપવાનો આનાથી શ્રેષ્ઠ માર્ગ કયો ? હું તને એક હથિયાર આપું છું જેનાથી તું યુદ્ધ ને અંતે અસીમાનંદ નો વધ કરજે.

ચોથા પરિમાણ માં કીયંડુનાથ ભભૂતનાથ ની કુટિર ની બહાર બેહોશ દેવાંશી ને લઈને ઉભો હતો. તેને ભભૂતનાથ ને પૂછ્યું શું અને હોશ માં લાવું. ભભૂતનાથે તેવું કરવાની ના પડી અને કહ્યું આને ઉદય પાસે લઇ ગયા પછી હોશ માં લાવીશ. ભભૂતનાથે દેવાંશી ને ખભા પર ઉપાડી અને એક દિશા તરફ પ્રયાણ કર્યું .