Gumraah - 44 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 44



ગતાંકથી...

"હાથના મોજા ?" હં, તે માણસે હાથમાં મોજાં પહેરેલાં એટલે તેનો તો જીવ જવાની બીક જ નહોતી ,પણ ઇન્સ્પેક્ટર બચ્યો તેનું કારણ એ હશે કે, ઇન્સ્પેક્ટરને આપતા પહેલા તેને થોડીવાર માટે હવા લાગી હોવી જોઈએ. સારું ,ત્યારે આ જાતના ચક્ર કેટલા જણ ઉપર અજમાવાયાં એમ તારું કહેવું છે ને? "સાયન્ટિસ્ટે પૂછ્યું.

"પાંચ વ્યક્તિ ઉપર, તેથી બે વ્યક્તિ મરી ગયા અને બે બેભાન થયા. અને એકના સંબંધમાં અગાઉથી સાવચેતી વાપર્યા ને લીધે તેને કંઈ ઇજા જ થઈ નહિ."

"કેવી સાવચેતી લેવાઈ હતી ?"

હવે આગળ.......

પૃથ્વી ની શાલીની ઉપર આવેલા બંધ કવર ને લગતી અને તેના ઉપર ચક્કર હોવાનો શકું પત્તા તેણે તે ખોલીને તેને બચાવી હોવા ની બધી જ વાત કહી ચક્કર જ્યારે જમીન ઉપર પડ્યું ત્યાર પછી મેં સાલીની સાથે પોતે વાતચીતમાં રોકાયો અને તે પછી તે એકદમ સંભાળપૂર્વક કાતરથી તે લઈને કોરા કાગળ વચ્ચે મૂકીને બંધ પેકેટમાં ભરી મૂકી દીધું એ પણ તેણે જણાવ્યું
આ સંજોગોમાં કેવળ અકસ્માતથી જ બચાવ થયો છે એ ચક્કર જો તે કાતર ન ઉઠાવ્યું હોત તો જરૂર તે ક્ષણે તારો પ્રાણ જાત
મને તેમાં ઝેર હોવાનો શોખ હોવાથી જ મેં આંગળી શુદ્ધ તેને અટકાડી નહોતી
એ બરોબર કર્યું હતું. તારી પાસે એ ચકર મોજુદ છે એમાંના તમામ ઝેરી તત્વ અત્યારે પણ અકબંધ કાયમ હશે
ખુબ જ જોઈએ એમ કહીને પૃથ્વીએ પોતાના ખિસ્સામાંથી તે ચક્કરનો કવર કાઢીને સાયન્ટિસ્ટના હાથમાં મૂક્યું એને એક નાના ચીપિયા થી બહાર કાઢી વિક્રમ રહે તેનો પ્રયોગ કરી જોવા માટે કાચના એક મોટા વાસણમાં મૂક્યું અને પૃથ્વી ને કહ્યું વાહ ચક્કર મારી પાસે જાળવી સાચવી રાખું છું જે ટોળી આ ચક્ર અજમાવતી હોય તે પકડાય તો તેના વડા ઉપર જ તેનો પ્રયોગ કરવો એવો મારો અભિપ્રાય છે
બેશક તેમ થવાની જરૂર છે દિનકરરાયે કહ્યું આવી ઝેરી ઝાડ પ્રસ્તાવનાર બદમાશો જગતને કાયમ રહે તો દરેક જણ નું જીવન ભયમાં આવી જાય ખાસ કરીને ધનવાનો નું જીવન
ઇન્સ્પેક્ટર ખાંડ આ બધા સુની તપાસમાં છે પૃથ્વી એ કહ્યું
એમ વિક્રમરાય પૂછ્યું જો તેઓને પકડવામાં ઇન્સ્પેક્ટર સફળ થશે તો હું તેના તેમાં સરકારના પોલીસ ખાતાને મારા વૈજ્ઞાનિક અભ્યાસની અને અનુભવની પૂરી મદદ આપીશ પૃથ્વી તને કહું છું કે તારી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ખુશીથી મારી પાસે આવીને આ બાબતમાં જે કાંઈ વધુ ખુલાસા જોઈતા હોય તે મેળવી જવા અને બદમાશો પકડાય ત્યારે મેં તને અદાલતમાં જો મને અદાલતમાં તું બોલાવીશ તો હું ત્યાં આવીને આ ચક્રની પ્રાણ ઘાતક હોવાની શક્તિ બરાબર રીતે પુરવાર કરી આપીશ
થેન્ક્યુ વેરી મચ આપનો ખૂબ ખૂબ આભાર આપે આટલા ખુલાસાઓથી મને ઘણો આભારી બનાવ્યો છે.
આટલી વાતચીત બાદ તેઓ છૂટા પડ્યા.

***************************

"કિટલર! એઈ કિટલર? કાં મુવો? એ_એ_ઈ_ઈ કિટલર?"

"આયો જી ,કિચનમાં છું જ _ જઈ"

"હું અડધા કલાકથી.ઉઉફ.... બૂમો મારી મારીને મરી જવું છ ઉઉઉ...ને તું ....હુઉઉફ..આસ્તેથી આ...યો...જી.. કહે છે?"

આ શેઠ નોકર વચ્ચેના ધમપછાડા એક પારસી ચાલીમાં વકીલ મિ. રાયચુરા અને તેમના નોકર કિટલર વચ્ચે ચાલતા હતા. જે વખતે પૃથ્વીને મિ. વિક્રમ પાસેથી ભેદી ચકરડાં વિશે અવનવી ભેદી શોધ મળી, જે વખતે ઇન્સ્પેક્ટર ખાન બદમાશ ટોળીનું નિકંદન કાઢવાની પ્રતિજ્ઞા લઈ રહ્યો હતો. અને જે વખતે લાલ ચરણ 'લોક સેવક'ને કચડી નાખવા અધિરો બન્યો હતો તે વખતે કુદરતે આ વકીલ રાયચુરાને દુઃખથી ઘેર્યો હતો. તેને શરીરમાં તમામ સાંધા અને પાંસળીઓમાં જબરૂ દર્દ થતું હતું. વારંવાર દુખાવો ઉપડી આવતો અને જાણે પાંસળીઓમાં ,પગમાં, હાથમાં મોટા મોટા હથોડા થી ટીપ ટીપ કોઈ કરતું હોય તેવું તેને અસહ્ય દુઃખ થતું હતું. તેથી તે ઘેલો બની જતો અને કીકીયારીઓ પાડીને ચિડચિડિયો બની જતો. જેની અને તેની ઉપર ગુસ્સે થઈ જતો. જરાક પણ અવાજ થતા ચિડાઈ જઈને એક નાનકડાં બાળક જેવું તોફાન કરી મુકતો. તે આમ તો વકીલ તરીકે ના ધંધામાં ખૂબ કમાયો હતો પણ જેવો મખ્ખી ચૂસ હતો કે બધીએ કમાણી તેને બેંકમાં જ મૂકી રાખી હતી. એક સાધારણ ભાડાની ચાલીમાં તે રહેતો અને કિટલર નામે નોકર થી બધું નિભાવી લેતો.
'દાઢી ની દાઢીને સાવરણીની સાવરણી' એ પ્રમાણે રસોઈયો પણ કિટલર ,વાસણ કરનાર ગણો તો તે પણ કિટલર, ઘરની સાફ-સફાઈ માટે પણ કિટલર,બહારથી કાંઈ ચીજો લાવવી હોય તો પણ કિટલર અને કચરા પોતા મારનાર પણ કિટલર ! એકના એક નોકર સિવાય નથી તેને કોઈ સ્ત્રી, નહોતું તેને કોઈ સંતાન, નહોતા કોઈ ભાઈ બહેન કે નહોતાં બીજા નજીકનાં કોઈ સગા વહાલા !એકલો અટૂલો આ વકીલ પૈસો કમાતો અને બેંકમાં મૂકતો. ઘર ખર્ચ માટે નજીવી રકમ તે પાસે રાખતો. સાંધાના દુખાવાની બીમારીથી તો તે છેલ્લા દસ વર્ષથી પીડાતો હતો. ઘડીક મટે , વળી પાછું ઉપડે ,વળી મટે -એમ એ દર્દનો કોઈ ઈલાજ તેને મળતો ન હતો. પણ આ વખતે તો જાણે પાછલા તમામ વર્ષનો વેર વાળવાને માટે જ દર્દ ઉપડ્યું હોય એમ જણાતું હતું .તેના શરીરનો એક પણ સાંધો આ વખતે પીડામાંથી બચ્યો ન હતો. જેને વીતી હોય તેને જ આવા દર્દનો ખ્યાલ આવી શ.કે વકીલ ભારે ધાંધલીયો અને બરાડિયો હતો. એ તો આ વાર્તામાં આપણે આગળ જોયું જ છે. ઘડી અને પળવારે 'હુઉઉફ' ' ઓઈ_ એ _ઈ ' એવાં શબ્દો એના મોંમાંથી નીકળતા જ રહેતાં એવાં ઉદ્દગારના ખાસ બે કારણો હતા. પહેલું તો તેના દર્દનું કારણ. કોઈ વાર વાત કરતો હોય ને સાંધામાં દુખાવો પણ આવે ત્યારે આ પ્રમાણે કુદરતી રીતે જ બોલી જતો. બીજું આમ વાત કરનારને પોતે બનાવી જતો હોય_ મશ્કરીમાં ઉડાવતો હોય_ અને પોતે જાણે ઘણો જ હોશિયાર હોય, એમ તેના મગજમાં ઠસાવાનો તેમના દિલમાં ઇરાદો રહેતો. આ બે કારણોથી તે ઘણીવાર સાંભળનારને ખૂબ કંટાળો ઉપજે એવી રીતે ' ઉફફ' ને હુઉઉઉફ 'બોલ્યા કરતો.

પણ આ વખતે તો કેવળ બીમારીના આકરાપણા ને કારણે તે બિચારો પોતાની જીવન પયઍંતનઈ 'હુઉઉઉફ 'ની ટેવ મુજબ વાક્યે વાક્યે બોલ્યા કરતો.

નોકર કેટલા પોતાના સેઠની ઘડી ઘડીમાં મિજાજ ખોઈ નાખવાની ટેવ થી વાકેફ હતો. શેઠ ગુસ્સે થતો ત્યારે ઘણીવાર તેને મજા પડતી અને તેથી તેને વધારે વધારે ચીડવવા માટે કંઈ ને કંઈ આડાઅવળા કામ તે કરતો તેને ચા લાવવાની કહે તો પાણી લાવે, પાણી લાવવા કહે તો ગરણી લાવે એમ કંઈ ને કંઈ વિચિત્રતાઓથી આ શેઠ -નોકરના દહાડા પસાર થતા.

કિટલરને બોલાવવા રાયચુરાએ દસ મિનિટ સુધી બરાડા પાડ્યા. અને કિટલરે દસ મિનિટ સુધી 'આયો જી' 'આયો જી' એ જ કહ્યા કર્યું. તે બાદ તેણે શેઠના રૂમમાં જવા વિચાર કર્યો.તેવા માં ડોક્ટર આવ્યા.. આ ડોક્ટર દરરોજ સવારમાં વકીલની મુલાકાત લઈ જતો ને 'મટી જશે' 'મટી જશે 'એમ કહીને દવા આપતો.

ડોક્ટરને જોઈને કિટલરે કહ્યું : "દાકતર સાહેબ! તમો થીક વખત પર આવી લાગીઆ. શેઠ અરધા કલાકથી મારો માથું ખાઈ જાયે છે અને દાકતરને બોલાવ, દાકતરને બોલાવ, દાકતર ને બોલાવ. એમ બરાડા પાડીઆ જ કરેચ : પન કામ કાજ થી હું પરવારું ત્યારે તમોને બોલાવવા આઉવું કની?"

ડોક્ટર શો જવાબ આપશે તે જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ......
ક્રમશઃ......