The Business Man - Gautam Adani books and stories free download online pdf in Gujarati

The Business Man - Gautam Adani


‘‌રી’ બિઝનેસમેન

ગૌતમ અદાણી

-ઃ લેખક :-

કંદર્પ પટેલ


patel.kandarp555@gmail.com


www.kparticleworld.wordpress.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

‘્‌રી’ બિઝનેસમેન

ગૌતમ અદાણી

૧. લાઈટ ઓફ લેમ્પ

“Business is all about risk taking and managing uncertainties and turbulence.”

- ગૌતમ અદાણી

ગુજરાતના ખમીરવંતા ઔદ્યોગ્િાક સાહસને એક નવી ક્ષિતિજની ઉંચાઈએ લઈ જીને બિઝનેસની છમ્ઝ્રડ્ઢને એક નવો કક્કો-બારાક્ષરી શીખવનાર ખોળિયું એટલે ગૌતમ અદાણી. વર્ષો પહેલા ધીરૂભાઈ અંબાણીની જેમ અલગ સફરે અલગ દ્રષ્ટિકોણ લઈને ધૂંધળાપણાને દુર કરી ક્લિઅર-કટ વિઝન સાથે બિઝનેસની ફિલોસોફીમાં આ તોખાર પોતાના રથને સાથે લઈને ઝપાટાભેર આગળ વધી રહ્યો છે. પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા કેટલાયે નવાસવા મુરતિયાઓ માટે ‘લર્ન્િાંગ ગુરૂ’ બની રહે તેવો વ્યક્તિ. ટૂંકમાં ઘણું બધું સર કરીને ઈન્ડસ્ટ્રીઅલ ગ્રોથ સાથે સફળતાના શિખરો સુધી પહોંચનાર અગ્રણી ઉદ્યોગપતિ એટલે ગૌતમ અદાણી. આ ગુજરાતી વિરલા પાસેથી ઘણું બધું શીખવા-સમજવા અને જીવનમાં ઉતારવા જેવું ખરૂં. ગુજરાતના સાહસની યશગાથાને પોતાના દરેક કોષમાં ઘૂંટીને પી ગયેલો વ્યક્તિ એટલે ગૌતમ અદાણી- ધ બિઝનેસમેન.

કેટલીયે અવનવી-અજાણી ન સાંભળેલી વાતો સાથે, પોર્ટની દુનિયામાં ગુજરાતના દરિયે શીપમાં બેસીને કાર્ગોની સફરે આવો અને રસ્તામાં ગૌતમ અદાણીની ‘શૂન્યાવકાશ’થી ‘આકાશ’ સુધીની રોમાંચક સફરનો આનંદ માણો.

૨. ‘જીૈ’ ઓફ ‘ર્જીે’

જુન ૨૪, ૧૯૬૨ના રોજ અમદાવાદના રતનપોળમાં આ જીવડો બિઝનેસનો કોષ લઈને શાંતાબેનની નાળથી ધરતી પર આવ્યો. પિતા શાંતિલાલ અદાણી અમદાવાદમાં પોતાનો ટેક્સટાઈલનો બિઝનેસ ચલાવતા હતા. થોડો ઘણો ‘બિઝનેસી વરસો’ ગળથુથીમાં જ પવાયો હતો. સામાન્ય ઘર-પરિવારમાં ઉછેર થયો. ગૌતમ અને તેના સાત ભાઈ-બહેનોનો ખુબ સારો ઉછેર થયો. ત્યારબાદ તેઓ ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તાર થરાદમાં રહેવા માટે આવ્યા. અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં તેમનું પ્રાથમિક શિક્ષણ થયું. નીચે પછડાટ ખાઈને ઊંંચા ઉઠવાની ગૌતમની સ્ટોરી ખુબ ઈન્ટરેસ્ટિંગ છે.

બી.કોમ (કોમર્સ વિદ્યાશાખા)ના બીજા વર્ષમાં જ યુનિવર્સીટી ડરોપઆઉટ સ્ટુડન્ટ બનવાનું બહુમાન મેળવ્યું. બહુમાન એટલા માટે કે, આજે વિશ્વમાં જેટલા ધનાઢ્‌ય વ્યક્તિઓના નામ તરત નજરે અને જીભે ચડે એ દરેક યુનિવર્સીટી ડરોપઆઉટ સ્ટુડન્ટ જ છે. બિલ ગેટ્‌સથી માંડીને અઝીમ પ્રેમજી સુધી, સ્ટીવ જોબ્સથી માંડીને માર્ક ઝુકરબર્ગ સુધી. બસ, મંઝિલ દેખાવાની શરૂઆત વહેલા થઈ. કારણ કે, અભ્યાસમાં રૂચિ નહોતી. કંઈક કરવાના પડઘાઓ સતત વાગ્યા કરતા હતા. માત્ર ૧૮ વર્ષની ઉંમરે તેઓ કેટલાક પૈસા લઈને મુંબઈ ઉપડયા, હીરાના વ્યવસાયમાં જોડવા માટે. મહિન્દ્રા બ્રધર્સમાં તેઓ ડાઈમન્ડ સોર્ટર તરીકે કામ કરતા હતા. બુદ્‌ધિ એટલી ચાલે કે, માત્ર ૨ વર્ષમાં ઝવેરી બજારમાં પોતાનું જ ડાઈમન્ડ બ્રોકરેજ આઉટફિટ શરૂ કરી દીધું. ડાઈમન્ડ ટ્રેડીંગના બિઝનેસમાં માત્ર ૩ વર્ષમાં ૧૦ લાખ રૂપિયા તેઓ કમાયા. બસ, આ વાત તેમના સૌથી મોટા ભાઈને જાણ થઈ. મનસુખભાઈ એ ૧૯૮૧માં અમદાવાદમાં એક પ્લાસ્ટિક યુનિટ ખરીદ્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે ગૌતમ તેણે સંભાળે. પછી તો વાત જ શું પૂછવી? અદાણીની જર્ની પોલીવિનાઈલ ક્લોરાઈડ (ઁફઝ્ર)ના ઈમ્પોર્ટથી શરૂ થઈ ચુકી.

૩. કેરિઅર : કેરી ‘ઓવર’

ભાઈ મનસુખ અદાણીના પ્લાસ્ટિક યુનિટને સારી રીતે સંભાળતા થયા ત્યારે તેઓ ગ્લોબલ ટ્રેડ વિષે ઘણું શીખ્યા. ૧૯૮૦ના સમયમાં નવા યંગ બિઝનેસમેન સોફ્ટવેર અને ટેલીકોમ ક્ષેત્રની સાથે વધુ જોડાઈ રહ્યા હતા. પરંતુ, ગૌતમ અદાણીએ ભૂતકાળમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મર્ચન્ટ વચ્ચે જે રીતે બ્રિટીશ રૂલ પ્રમાણે ૧૦૦૦ વર્ષ પહેલા બિઝનેસ થતો તે રીત અપનાવી. ધ અદાણી ગ્રુપ, એ પોતાની જ ફ્લેગશિપ હેઠળ રહેલ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની ૧૯૮૮માં સ્થાપના કરી. જેની ભાગીદારીથી સ્થપાયેલ કંપનીની કેપિટલ રેવન્યુ ૫ લાખ હતી.

ગૌતમ અદાણીને ગુજરાતના બીજા ધીરૂભાઈ અંબાણી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બંને બિઝનેસ સ્ટાર્ટર હતા. બંને ફર્સ્ટ જનરેશન બિઝનેસમેન તરીકે બહાર આવ્યા અને પોતાની કોઠાસૂઝથી શૂન્યમાંથી સર્જન કરીને આગળ આવનાર વ્યક્તિઓ છે.

૧૯૮૮માં સ્થપાયેલ આ અદાણી ગ્રુપ આજે ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર બનીને પોતાનો બિઝનેસ કોલ માઈનિંગ, કોલ ટ્રેડીંગ, ઓઈલ શ્ ગેસ, પોર્ટસ, મલ્ટી-મોડેલ લોજિસ્ટિક, પાવર ઉત્પાદન, એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાદ્ય તેલના ટ્રાન્સમીશન અને ગેસ વિતરક તરીકે અલગ-અલગ વિભાગોમાં ચલાવે છે.

૪. સ્ટેપ બાય સ્ટેપ જર્ની : અ મેસિવ રાઈડ

ખુબ થોડા સમયમાં કોઈ પણ કૌટુંબિક અનુભવ અને વારસા વિના જ આવડું મોટું સાહસ ખેડીને આજે ભારતના ટોપ ૧૦ કોંગ્લોમિરેટસ કંપનીમાં સ્થાન અપાવનાર ગૌતમ અદાણીની સમયની દ્રષ્ટિએ નાની પણ કાર્યની દ્રષ્ટિએ ખુબ મોટી હરણફાળની એક ‘હાર્ટથ્રોબિંગ રાઈડ’ પર જીએ. ૩૩ વર્ષના બિઝનેસ અનુભવમાં ૮ બિલિયન ડોલરનું મોટું સામ્રાજ્ય ઉભું કરનાર વ્યક્તિની સકસેસ સ્ટોરી,

૧૯૮૮માં અદાણી ગ્રુપની સ્થાપના.

૧૯૯૧માં આર્થ્િાક ઉદારીકરણની નીતિના પગલે ‘અદાણી એક્સપોર્ટ’ના બિઝનેસને ખુબ સારો આવકાર મળ્યો અને ફાયદો મળ્યો. ઉપરાંત, પ્રોફિટ માર્જિન પણ ખુબ સારૂં રહ્યું. જેથી બિઝનેસને વધારવાનો નિર્ણય તેમને કર્યો.

૧૯૯૩માં ગુજરાત સરકારે પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને મુંદ્રા પોર્ટ સંભાળવા આમંત્રિત કરી. ૧૯૯૫માં આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવ્યો.

‘અદાણી પાવર લિમિટેડ’ના સ્થાપક અને ચેરમેન બન્યા. લગભગ ૮૦૦૦ કિલોવોટના થર્મલ પાવર પ્લાન્ટ સમગ્ર દેશમાં ઉભા કર્યા, જે ખાનગી ક્ષેત્રે ભારતમાં સૌથી વધુ ઉર્જાનું ઉત્પાદન કરતુ ગ્રુપ છે.

ભારતમાં સૌથી વધુ ૪૦ મેગાવોટ જેટલી સોલાર ઉર્જા ઉત્પન્ન કરતુ ગ્રુપ છે.

વર્ષ ૨૦૦૦માં ૩૩૦૦ કરોડના ટર્નઓવર સામે ૨૦૧૪ સુધીમાં એ ૫૦૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની બની ચુકી છે.

૧૯૯૬માં અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘કોર્પોરેટ સોશિઅલ રિસ્પોન્સિબિલિટી’ (ઝ્રજીઇ) જેવી પ્રવૃત્તિ શરૂ કરી. આ ફાઉન્ડેશન રૂરલ ડેવલપમેન્ટ, શિક્ષણ, લોકોની સ્વાસ્થ્ય અને સુખાકારી પરત્વે કાર્યરત છે.

માર્ચ ૨૦૧૧, ભારતના ટોપ ૧૦ ધનિક લોકોમાં ગૌતમ અદાણીનો સમાવેશ. ઉપરાંત, અમદાવાદના સૌ પ્રથમ બિલિયોનેર બન્યા.

એક બિલિયોનેર એ સાચો ધનવાન ત્યાં સુધી ન કહેવાય જયારે તેની પાસે લેટેસ્ટ પ્રાઈવેટ જેટ ના હોય. અરે ભૈલા..! અદાણી પાસે ૨ પોતાના જેટ છે. ૨૦૦૫માં ખરીદેલ બીચક્રાફ્ટ અને ૨૦૦૮માં ખરીદેલ હોકર. આ બંને જેટનો ઉપયોગ કોઈ પણ પોલિટીકલ વ્યક્તિ ભાડું ચૂકવીને કરી શકે છે.

બિઝનેસમેન લોકોને એક-એક સેકંડની ગણતરી કરવી પડે ને દોસ્ત..! એ કારણોસર જ ગૌતમ અદાણી, ‘ધ’ ચેરમેન ઓફ અદાણી ગ્રુપ એ પોતાના અમદાવાદના ઘરથી પોતાના જે બંને જેટ પાર્ક કરેલા છે તે એરપોર્ટ સુધી ઓગસ્ટા વેસ્ટલેન્ડ છઉ ૧૩૯ ‘ચોપર’ ૧૨ કરોડમાં ખરીદ્યું. જે ૧૫ સીટર છે.

ગૌતમ અદાણીના ગેરેજમાં અનેક મ્સ્ઉ રહેલી છે. જેમાં મ્સ્ઉ ૭ સીરીઝની બ્લેક લિમોઝીન (જે ભારતના વડાપ્રધાન માટે બનાવાય છે) અને લાલ ફેરારી પણ છે.

૫. મુંદ્રા પોર્ટ : મેગાસ્ટ્રકચર

ભારતનું સૌથી મોટું ખાનગી મલ્ટી-કાર્ગો પોર્ટ એટલે મુંદ્રા, કચ્છ.

એક વર્ષમાં ૨૦૦ મિલિયન ટન કાર્ગોના હેરફેરની કેપેસિટી ધરાવે છે.

૧૮.૫ મીટર જેટલી ઊંંડાઈ ધરાવતું દેશનું એકમાત્ર સૌથી ઊંંડું પોર્ટ એટલે મુંદ્રા પોર્ટ.

દરેક ઋતુમાં કામ થઈ શકે એ પ્રકારની મિકેનિઝમ સાથે કામ કરતી સિસ્ટમથી યુક્ત પોર્ટ. જે પૂર્ણતઃ મિકેનીકલ છે.

૨૦૦૦ જેટલા લોકો ૨૪ટ૭ કલાક અને ૩૬૫ દિવસ સુધી સતત કાર્યરત રહે છે.

હાઈ-સ્પીડ કન્વેયર સિસ્ટમ અને ૭ કિલોમીટર લાંબી રેલ્વે લાઈન ધરાવતું એકમાત્ર પોર્ટ એટલે મુંદ્રા.

દર એક સેકંડે મોન્સ્ટર જેવડી ક્રેઈન્સ કાર્ગોને લિફ્ટ અપ કરે છે.

એક કલાકમાં ૪૦ કાર્ગો (કન્ટેઈનર)ને મહાકાય શિપ્સમાંથી અનલોડ કરવામાં આવે છે.

મરીન શીપ કંટ્રોલ સિસ્ટમ ૨૪ કલાક સ્ટેન્ડબાય રહે છે અને એક્ટિવ રહે છે.

પોર્ટ પર આવતી દરેક શીપ એક સેકંડના સમય માટે પણ ઉભી ન રહે તે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. તેમની સેફટી, સમય અને એકબીજા સાથે અથડાય તેવા સંજોગો ઉભા ન થાય તે માટે ખુબ સાવચેતીથી કાર્ય કરવામાં આવે છે.

ભરતી-ઓટને ધ્યાનમાં રાખીને અલગ કોમોડિટી, અલગ હવામાન, અલગ પરિસ્થિતિ, અલગ કાર્ગો લોડ સાથે પોર્ટ પર આવતી શીપને ખુબ જ સિસ્ટમેટિક રીતે લાવવામાં આવે છે.

મિડલ ઈસ્ટ, આફ્રિકા અને યુરોપથી મોટાભાગની શીપ માટે સૌથી સરળ પોર્ટ મુંદ્રા છે. એ દરેક જગ્યાએથી સૌથી વધુ શીપ આવે છે.

ક્રુડ ઓઈલ, કેમિકલ્સ, કન્ટેનર્સ અને બીજી અનેક કોમોડિટી જે શક્ય હોય તે દરેક મુંદ્રા પોર્ટ પર હેન્ડલ કરવામાં આવે છે.

દેશનું સૌથી મોટું ઓપરેશનલ સ્પેશિઅલ ઈકોનોમિક ઝોન (જીઢ) એ મુંદ્રા પોર્ટ છે. ઈન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટિએ સૌથી મોટું ખાનગી પોર્ટ, મુંદ્રા. લગભગ ૬૦૦૦ હેક્ટરને ભારત સરકાર દ્વારા જીઢ તરીકેની મંજૂરી મળી છે.

૨૦૦ હજાર ચોરસ વર્ગમાં કાર્ગો સ્ટોરેજ ગોડાઉન ફેલાયેલું છે. લિક્વિડ કાર્ગો માટેની ૪૦૦ હજાર કિલોલિટર જેટલી કેપેસિટી ધરાવે છે. મુંદ્રા પોર્ટ પાસે દેશની સૌથી વધુ પાવરફૂલ ટર્નબોટ્‌સ છે, જે મહાકાય શીપને સાવચેતીથી ઈવેક્યુશન એરિયામાં લઈ જવાનું કામ કરે છે. દરેક ટર્નબોટ ૬૦૦૦ બ્રેક હોર્સપાવર(હ્વર) ધરાવે છે. ૧૦૦૦ ગણી સાઈઝ અને ૨૦૦ ગણા વજન જેટલી શીપને ટર્ન કરવા માટે આ ટર્નબોટ વપરાય છે.

કેમિકલથી ભરેલા કાર્ગો ધરાવતી શીપ માટે સૌપ્રથમ તેના તળિયે લીકેજ કે ફોલ્ટ નથી તેની ચકાસણી કરવામાં આવે છે. શીપનો એક એન્ડ સાથે રહેલ ૧૮૦૦૦ કિલોગ્રામના રબર હોસને ૧૦૦ મીટર ઊંંડે કેમિકલના ટ્રાન્સફર માટે જોડવામાં આવે છે. તેને ૯ કિલોમીટર લાંબી પાઈપલાઈન સાથે જોડીને કિનારા સુધી લઈ જવામાં આવે છે. તેના માટે તેનું મેન્યુઅલ ઈન્સ્પેકશન કરવામાં આવે છે. શીપની નીચેના તળિયાને ઈંચ બાય ઈંચ ચકાસવામાં આવે છે.

અદાણી અને તાતા થર્મલ પાવર પ્લાન્ટની કેપેસિટી ૮૦૦૦ મેગાવોટની છે. કોલસાને સીધો જ શિપમાંથી ૭.૫ મીટર/સેકંડની કન્વેયર સ્પીડથી ત્યાં સુધી લઈ જવામાં આવે છે.

૨૦૦૧માં આવેલા ભયાનક ભૂકંપમાં મુંદ્રા પોર્ટ એકમાત્ર એવું પોર્ટ હતું જેને કોઈ પણ પ્રકારનું નુકશાન થયું નહોતું. સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં ખુબ મોટી તારાજી સર્જાઈ હતી. કચ્છ એ ભૂકંપનું એપિસેન્ટર હોવા છતાં મુંદ્રા પોર્ટને લેશમાત્ર પણ નુકશાન થયું નહોતું. જે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતાઈનો પુરાવવો આપે છે. જેથી, મુંદ્રા પોર્ટ એ અદાણી ગ્રુપની સૌથી મોટી સફળતા છે. આવી વિશેષતાઓને લીધે જ મુંદ્રા પોર્ટ એ ભારતના મેગાસ્ટ્રકચર પૈકીનું એક છે.

ફ્રન્ટીઅર ક્વીન (કોલ કેરિઅર), બુન્ગા કસ્તુરી લીમા (ક્રુડઓઈલ કેરિઅર), ડર્બન હાઈવે (મેગા વ્હિકલ કેરિઅર) જેવી મોટી શીપ મુંદ્રા પોર્ટ પર આવે છે. જ્યાંથી કેટલાયે કાર્ગો લોડ-અનલોડ થાય છે. જે વર્લ્ડના સૌથી મોટા ૧૦ ઓટોમેટેડ મેગાપોર્ટસ પૈકીનો એક છે.

૬. કોન્ટ્રોવર્સી

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના બે ઉદ્યોગપતિઓના નામ બધું ચર્ચામાં આવ્યા. જેમના એક ગૌતમ અદાણી અને બીજા મુકેશ અંબાણી. તેનું કારણ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે તેમની નજદીકી જવાબદાર છે એવું મનાતું હતું. પરંતુ, ચૂંટણી પહેલા જ લેવાયેલા એક ઈન્ટરવ્યૂમાં ગૌતમ અદાણીએ દરેક પ્રશ્નો અને કોન્ટ્રોવર્સીના ખુબ સારી રીતે જવાબો આપ્યા.

પ્રશ્ન : ગૌતમભાઈ, તમારી પાસે બે જેટ પ્લેન છે. એમનો ઉપયોગ નરેન્દ્ર મોદીએ ચૂંટણીની રેલીઓ માટે કર્યો હતો. શું એ આરોપ સાચો છે?

જવાબ : હા, પરંતુ માત્ર નરેન્દ્ર મોદી જ નહિ. ચૂંટણી જયારે પણ આવે છે ત્યારે કોઈ પણ પાર્ટીના નેતા તેનો ઉપયોગ ભાડું ચૂકવીને કરી શકે છે. આ બંને જેટ પેઈડ સર્વિસ છે. ચૂંટણીના ફાળા તરીકે અમે ક્યારેય પણ કોઈને જેટ પ્લેટ આપ્યા નથી. બીજેપી એ આ પેઈડ સર્વિસનો ઉપયોગ કર્યો હતો.

પ્રશ્ન : ખેડૂતો પાસેથી જબરજસ્તીથી જમીન લેવામાં આવી અને માર્કેટ પ્રાઈઝ કરતા ઓછા ભાવમાં જમીન ફાળવાઈ. આ બંને આરોપો આપના પર અવાર-નવાર લગતા રહ્યા છે. આના માટે તમારે શું કહેવું છે?

જવાબ : જે આરોપો લગાવે છે તેમને આજના અને ૧૯૯૩ના મુંદ્રાની પરિસ્થિતિનો અંદાજ નથી. એ સમયે ખાનગી જમીનનો ભાવ એકરના ૪૦૦-૫૦૦ રૂપિયા હતો. એ સમયે ૧૦ ગણી વધુ ખાનગી જમીન અમે ખરીદી શકતા હતા. છતાં, અમે જે ખરાબાની જમીન હતી કે જે વેસ્ટ લેન્ડ હતી. જેના પર કશું પાક લઈ શકતો નહોતો કે ખેડૂતની માલિકીની નહોતી એ જમીન અમે સરકાર પાસેથી અમે લીધી. આજે ત્યાનો કોઈ ખેડૂત એવું નથી બોલતો કે, અદાણી એ અમારી ૧ એકર જમીન પણ લીધી છે. દરેક ખેડૂત ખુશ છે. કારણ કે અમે ત્યાની જમીનનો ભાવ ૧૦૦થી ૧૦૦૦ ગણો કરી દીધો છે. સરકારના ભૂમિ અધિગ્રહણ નિયમના ખંડન વિના જ અમે એ જમીન લીધી છે. ઉપરાંત, સરકારના હાથમાં જેટલી ખરાબાની જમીન હતી માત્ર તે જ જમીન અમને સરકારે ફાળવી છે.

પ્રશ્ન : ચૂંટણીમાં સૌથી વધુ જમીનના મુદ્દે તમને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે?

જવાબ : જમીન તો અમને ૨૦ વર્ષ પહેલા પણ મળી હતી. કોંગ્રેસની સરકાર ગુજરાતમાં હતી ત્યારે પણ મળી હતી. કોઈ એ નથી વિચારતું કે સમગ્ર ભારતનો જે પછાત જીલ્લો કચ્છ હતો તેમાં આજે અદાણી ગ્રુપએ ઈન્વેસ્ટમેન્ટ કરીને તેમાં જાન લાવી દીધી છે. ૨૦૦૧માં જયારે ભૂકંપ આવ્યો પછી લોકો નોકરી માટે મુંબઈ જતા રહેતા હતા. આજે કચ્છ એ ઔદ્યોગ્િાક ક્ષેત્રે ભારતનો સૌથી હોટેસ્ટ પ્રદેશ બની ગયો છે. નાના-નાના કેટલાયે રોકાણકારો પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. જે ખરેખર ખુબ મહત્વની વાત છે.

પ્રશ્ન : શું ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને જે લાઈમલાઈટમાં તમે છો, એ મફતની પબ્લિસિટી તમારા માટે સારી છે કે ખરાબ?

જવાબઃ ઈલેક્શનના મુદ્દાના હિસાબે દરેક પબ્લિસિટી ખરાબ જ છે. ખરેખર, પબ્લિસિટી તરીકે એવું આવવું જોઈએ કે અદાણી ગ્રુપ એ રાષ્ટ્રના નિર્માણમાં કેટલી લગનની કાર્ય કર્યું છે. પરંતુ એ આવતું નથી અને સમાજમાં એક પ્રકારની નેગેટિવીટી ફેલાવવાનો પ્રયત્ન થાય છે. જે દુઃખની વાત છે.

સચોટ જવાબો આપીને તેના પર ઉભી થયેલી આભાસી આરોપોનો તેઓ ખંડન કરે છે.*****

‘Being an entrepreneur is my dream job, as it tests ones tenacity.’

- ગૌતમ અદાણી