Manosthiti 2 books and stories free download online pdf in Gujarati

મનોસ્થિતિ - 2

મનોસ્થિતિ 2

મનોસ્થિતિ ૧ અનુસાર આગળ માનસિક તાણ થી પણ અનેકો રોગો થાય છે, તે બાબત વિષે મનોસ્થિતિ 2 માં ચર્ચા કરીશું.

માનસિક તાણથી થતા રોગો :
પૂર્વ આપણે જોયું છે કે માનસિક તાણ શરીરને માટે ખૂબ ખતરનાક નીવડી શકે છે. પરંતુ કેવી રીતે નીવડે છે? તેની થોડીક સમજ કેળવીએ. માનસિક તાણને કારણે થતાં રોગો પૈકી કેટલાક રોગો નીચે મુજબ છે :
માનસિક તાણ અને હૃદયરોગ :
માનસિક તાણને કારણે એડ્રિનાલીન ગ્રંથિનો સ્રાવ વધે છે. તેના કારણે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધે છે. પરિણામે હૃદયને વધુ કાર્યબોજ વેંઢારવો પડે છે. તેમાંથી જ હૃદયરોગની વિવિધ સમસ્યાઓ ઊભી થાય છે.
વળી, વારંવાર થતા માનસિક તાણને કારણે કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે, તેમાં પણ ખાસ કરીને ખરાબ પ્રકારનું કોલેસ્ટરોલ (એલ.ડી.એલ.), ટ્રાઈગ્લીસરાઈડ્‌સ અને પ્રિફેટી-એસિડ્‌સના પ્રમાણમાં વધારો થાય છે. આ ઉપરાંત માનસિક તાણને કારણે આ વધારાની ચરબી દૂર કરવાની શારીરિક પ્રક્રિયાઓ પણ મંદ પડે છે તેથી લોહીની નળીઓમાં વધારાની ચરબી જમા થાય છે જે લોહીના પરિભ્રમણમાં અવરોધ ઊભો કરે છે.
વળી, માનસિક તાણને કારણે વારંવાર એડ્રિનાલીન ગ્રંથિનો સ્રાવ વધવાથી લોહીની નળીઓમાં સંકોચન અને વિકાસ થાય છે. આથી નળીઓમાં અંદરની બાજુ એ જ્યાં ચરબીના થર જામ્યા હોય તેમાં તિરાડો પડે છે. તેને કારણે તેમાં લોહીના કણો જમા થાય છે અને ધીમે ધીમે તે ગઠ્ઠો થઈ જાય છે આને થ્રોમ્બોસીસ કહે છે. તેના કારણે વ્યક્તિને હાર્ટ એટેક આવે છે.
ઉપરનાં બધાં જ કારણોસર માણસ હાઈબ્લડ પ્રેશરનો પણ શિકાર બને છે.
માનસિક તાણ અને રોગપ્રતિકારક શક્તિ :
માનસિક તાણને કારણે શરીરમાં કોર્ટિસોõલ (cortisol) નામના અંતસ્રાવનું પ્રમાણ વધે છે. તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આથી, વાઈરસ કે બેક્ટેરિયાથી થતા ચેપી રોગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે.
માનસિક તાણ એચ.આઈ.વી. પોઝિ ટિવ વ્યક્તિ માટે વધુ ખતરનાક પુરવાર થાય છે. માનસિક તાણને કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, આથી એચ.આઈ.વી.ની અસર અતિશય ઝડપી બને છે, જે શરીરમાં એઈડ્‌સનો ઝડપી ફેલાવો કરી દે છે.
સંશોધનોએ સાબિત કર્યું છે કે વારંવાર થતી માનસિક તાણને કારણે ટી.બી. તથા વાયરસ બેક્ટેરિયાના અન્ય ઈન્ફેક્શનનું પ્રમાણ વધી જાય છે. દા.ત. (GAS) ટાઈપ. જેનો ચેપ સામાન્ય રીતે ખૂબ સાધારણ હોય છે. પરંતુ માનસિક તાણને કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી આ જ રોગનો પ્રકોપ અતિશય વધી જાયછે. પરિણામે લોહી, સ્નાયુઓ, ફેફસાંમાં એ વાયરસ, બેક્ટેરિયા પગદંડો જમાવી દે છે. તેના કારણે નેક્રોટિક ફેશિયાઈટીસ થાય છે. તેમાં સ્નાયુ, ચામડી, ચરબીનો સંપૂર્ણ નાશ થઈ જાય છે, જે પ્રાણઘાતક નીવડે છે. આ ઉપરાંત લ્વ્લ્લ્ પણ થાયછે. જેમાં કિડની, લીવર અને ફેફસાં પર ઘાતક અસર પહોંચે છે.
સામાન્ય રીતે ફ્લૂનો રોગ ઘણાને થાયછે. પરંતુ માનસિક તાણને કારણે આ જ રોગનો પ્રકોપ અતિશય વધી જઈને તે ન્યુમોનિયામાં પરિણમે છે. દમના દર્દીને પણ માનસિક તાણને કારણે દમના હુમલા પણ વધી જાય છે.
જેમને ડાયાબિટીસ હોય તેમને માનસિક તાણને કારણે ડાયાબિટીસ વધુ વકરે છે.
માનસિક તાણ અને પાચનતંત્ર :
માનસિક તાણને કારણે જઠર-આંતરડાંને લોહી મળતું ઓછુ _ થાયછે. સમગ્ર પાચનતંત્રને લોહી પૂરતું ન મળવાથી, તેમાંથી પૂરતા પાચક રસો ઝ રતા નથી. આથી પાચનક્રિયાના રોગો પણ થાય છે. જઠર-આંતરડાંમાં ચાંદા પડે, એસિડિટી, અપચો-કબજિયાત જેવા રોગ થાય છે, અલ્સરેટિવ કોલાઇટિસ જેવો ભયાનક રોગ પણ તેમાંથી જ થઈ શકે છે. ઇરિટેબિલ બોવેલ સિન્ડ્રોમ (IBS) પણ થાય છે.
માઇગ્રેન, માથાનો દુખાવો :
માનસિક તાણને કારણે માથાનો દુખાવો વધે છે, માઇગ્રેનના હુમલાઓ વધે છે અને 'ટેન્શન-હેડેક' વધે છે. ગરદન અને કમરના દુખાવા પણ વધી જાય છે.
માનસિક તાણ અને કેન્સર :
૧૯૯૦માં થયેલાં સંશોધોનો પ્રમાણે માનસિક તાણને કારણે ટી.લિમ્ફોસાઈટ્‌સ(શ્વેતકણો-જે કેન્સરના કોષો સામે લડે છે)તેનું પ્રમાણ ઘટી જાય છે. તેના કારણે શરીરમાં કેન્સર ઝડપથી ફેલાઈ જાયછે.
સતત માનસિક તાણને કારણે ઓક્સિડન્ટ અને એન્ટિઓક્સિડન્ટનું સંતુલન ખોરવાઈ જાયછે. ઓકિસડન્ટનું પ્રમાણ વધે છે, પરિણામે શરીરના કોષો ખામીયુક્ત બને છે. એમાં રહેલાં ઈલેકટ્રો નેગેટિવ તત્ત્વો રંગસૂત્રોમાં દખલ કરીને કેન્સરના નવા કોષો ઉત્પન્ન કરે છે. મગજના કોષોનો નાશ કરે છે અને 'આલ્ઝ õઈમર્સ ડિસીઝ ' નામનો રોગ થાય છે, જેમાં માણસની યાદશક્તિનો સંપૂર્ણ વિલય થાય છે.
ટૂંકમાં માનસિક તાણ અનેક રોગોની જનેતા છે. અહીં દર્શાવેલા અને ન દર્શાવેલા અનેક રોગોનું મૂળ માનસિક તાણ છે, આ રોગોને દૂર કરવા માટે આધુનિક ચિકિત્સકો જાતજાતની થેરાપી દર્શાવે છે. જેમ કે સાઉન્ડ થેરાપી, મ્યુઝિ ક થેરાપી, વોકિંગ થેરાપી, બાયોફીડબેક થેરાપી, ઓટોજેનિક થેરાપી, વિઝ્યુઅલાઈઝેશન થેરાપી વગેરે...
કેટલાક ચિકિત્સકો વિવિધ ડ્રગ્સ દ્વારા પણ પ્રયોગ કરે છે. જો કે વર્ષોના અંતે હવે એ પુરવાર થઈ ગયું છે કે આધ્યાત્મિક ઇલાજની તોલે આવી શકે એવો કોઈ ઇલાજ નથી.

વર્ષો સુધી જગતના આરોગ્ય વિજ્ઞાનમાં મનના પ્રશ્નોને કોઈ સ્થાન આપવામાં આવ્યું નહોતું. પરંતુ આજના વિશ્વમાં, શરીરના રોગો કરતાંય મનના રોગો વધુ ધ્યાનાકર્ષક બન્યા છે.
માનસિક તાણ એવી જ એક સમસ્યા છે, જે આધુનિક મેડિકલ વિજ્ઞાન માટે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો બન્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે શરીરની અનેક સમસ્યાઓ, શરીરના અનેક રોગોનું મૂળ તેની સાથે જોડાયેલું છે.
એટલી હદ સુધી કે મનની આ સમસ્યા માણસને તન-મનથી સાવ ભાંગી નાંખે છે. આધુનિક જગત એટલી હદે માનસિક તાણ તરફ ધસી રહ્યું છે કે આપણે હવે સાવધાન થઈ જવું જોઈએ, નહીંતર વહેલી ઉંમરે આપણે અનેક રોગોના ભોગ બની શકીએ છીએ. અહીં આધુનિક મેડિકલ વિજ્ઞાનની નજરે માનસિક તાણ શું છે, તે જોવાનો એક સરળ પ્રયાસ કરીએ.
કોઈ પણ સંજોગો કે વિચારને કારણે વ્યક્તિને હતાશા, ગુસ્સો કે ચિંતાની લાગણી થાય, તેનું નામ માનસિક તાણ અથવા સ્ટ્રેસ. એક વ્યક્તિ માટે જે સંજોગો માનસિક તાણ પેદા કરી શકે છે, તે બીજી વ્યક્તિ માટે પણ હોઈ શકે.
'કંઈક અજુગતું બની જશે' એવો મનમાં રહેતો સતત ભય પણ માનસિક તાણનું એક સ્વરૂપ છે.
રોજબરોજના સંજોગોમાં માણસને કામકાજથી લઈને અનેક કારણોસર, સાધારણ માનસિક તાણ રહેતી જ હોય છે. શરીર અને મન એવા સંજોગોનો સામનો કરીને પરિસ્થિતિને અંકુશમાં લાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય તેને માનસિક તાણની સ્થિતિ કહેવાય.
જે પરિબળોને કારણે માનસિક તાણ (STRESS) પેદા થાય તેને 'સ્ટ્રેસર્સ' (STRESSORS) કહેવાય છે. આવી વધારે પડતી માનસિક તાણની પરિસ્થિતિને DISTRESS કહેવાય છે. આવી પરિસ્થિતિ વારંવાર થતી રહે કે સતત રહ્યા કરે તો તેની શરીરનાં બધાં જ અંગો પર વિપરીત અસર થાય છે. આવાં પરિબળો નીચે પ્રમાણે હોઈ શકે છે :
૧. ભૌતિક પરિબળો :
અતિ ગરમી, અતિ ઠંડી, અતિ ઘોંઘાટ, ધ્રુજારીઓ, અતિશ્રમ, બદલાતી રાતપાળી-દિવસપાળીઓ, આ બધું ભૌતિક પરિબળો ગણી શકાય. આના કારણે શરીરની બાયોલોજિકલ ક્લોકનું તંત્ર ખોરવાઈ જાય છે. આવાં પરિબળો શરીરને સીધી રીતે જ નુકસાન કરે છે. શરીર આવાં પરિબળોનો સામનો કરીને પોતાની સ્વસ્થતા જાળવવાનો પ્રયત્ન કરે છે. છતાં તેની સીધી અસર વ્યક્તિની ભૂખ, ઊંઘ, શરીરનું તાપમાન, બ્લડ પ્રેશર, બ્લડશૂગર, અને રોગપ્રતિકારક શક્તિ પર પડે છે.

આગળ ના પરિબળો વિષે મનોસ્થિતિ ૩ માં જાણીશું

બંસીદવે