ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ

(145)
  • 68.3k
  • 23
  • 39.5k

ચન્દ્રમૌલીશ્વર ભગવાન સોમનાથના મંદિરનો હંમેશનો નિયમ પ્રમાણે થતો, રાત્રીનો છેલ્લો ઘંટાઘોષ, સમુદ્રના જલતરંગો ઉપર થઈને દૂર દૂરનાં અગાધ નીરમાં શમી ગયો. રાત્રે ખડો ચોકીપહેરો કરનાર પહેરેગીરો કોટની હૈયારખી પાસે તરત દેખાયા. તેમણે અરસપરસ પોતપોતાની જગ્યા સાંભળી લીધાનો સંકેતશબ્દ આપી દીધો. થોડી જ વારમાં ફરસબંધી ઉપર થઈને, મુખ્ય દ્વાર તરફ જતો કોઈની ચાખડીનો અવાજ કાને પડ્યો. મઠપતિ મુખ્ય દ્વાર તરફ જઈ રહ્યા હતાં – રાત્રિની છેલ્લી ઘોષણા આપવા. એની પાછળ-પાછળ એક સાધુ ચાલતો હતો. તે મંદિરના મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યો. દ્વારપાલો ભાલા નમાવીને તેને પ્રણમી રહ્યાં. નગારા ઉપર છેલ્લો ડંકો થયો: એક ઘંટો પડ્યો અને વનનાં વન જગવી દેતો શંખનાદ સંભળાયો. મઠપતિ દ્વારમાંથી બહાર નીકળી પગથિયાં ઉતરતા દેખાયા. પગથિયાં ઉતરી બે-ચાર પગલાં આગળ વધ્યા; ઘડીભર ત્યાં શાંત ઉભા રહ્યા. ઉંચે દ્વારમાં જલી રહેલી બંને બાજુની દીપિકાએ એમના પડછાયાને લાંબેલાંબે સુધી મેદાનમાં વિસ્તરતી કોઈ મહાકાય આકૃતિ જેવો દેખાવ આપી દીધો હતો.

Full Novel

1

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 1

જયસિંહ સિદ્ધરાજ ધૂમકેતુ ૧ સોમનાથના સમુદ્રતટે ચન્દ્રમૌલીશ્વર ભગવાન સોમનાથના મંદિરનો હંમેશનો નિયમ પ્રમાણે થતો, રાત્રીનો છેલ્લો ઘંટાઘોષ, સમુદ્રના જલતરંગો થઈને દૂર દૂરનાં અગાધ નીરમાં શમી ગયો. રાત્રે ખડો ચોકીપહેરો કરનાર પહેરેગીરો કોટની હૈયારખી પાસે તરત દેખાયા. તેમણે અરસપરસ પોતપોતાની જગ્યા સાંભળી લીધાનો સંકેતશબ્દ આપી દીધો. થોડી જ વારમાં ફરસબંધી ઉપર થઈને, મુખ્ય દ્વાર તરફ જતો કોઈની ચાખડીનો અવાજ કાને પડ્યો. મઠપતિ મુખ્ય દ્વાર તરફ જઈ રહ્યા હતાં – રાત્રિની છેલ્લી ઘોષણા આપવા. એની પાછળ-પાછળ એક સાધુ ચાલતો હતો. તે મંદિરના મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યો. દ્વારપાલો ભાલા નમાવીને તેને પ્રણમી રહ્યાં. નગારા ઉપર છેલ્લો ડંકો થયો: એક ઘંટો પડ્યો અને ...Read More

2

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 2

૨ જગદેવ પરમારની વાતે લીધેલું સ્વરૂપ પરમાર જગદેવને આંહીં જોઇને પરશુરામને ગભરાટ ને આશ્ચર્ય બંને થયાં. જગદેવ આંહીં હતો. એને ખબર હતી. ભગવાન સોમનાથના દ્વારે એણે કોઈ ઉપાસના માંડી હતી, એ વાતની પણ એને જાણ હતી. પરંતુ મહાચાણક્ય મુંજાલ મહેતાએ જગદેવ પરમાર વિશે કેટલીક વિચિત્ર વાતો હમણાં-હમણાં મેળવી હતી. જયસિંહદેવ મહારાજના અંતરમાં એની રાજભકિત વિશે કંઈક શંકા ઉત્પન્ન થાય ને જગદેવ વિદાય થાય એવી પેરવી પણ તેમણે માંડી હતી. જગદેવ પરમારથી આ વાત અજાણી ન જ હોય. પરશુરામને પોતાને હાથે ચડેલી અમૂલ્ય સંપત્તિ ઝૂંટવાતી લાગી. પરમાર જગદેવ એકલો પાંચસો યોદ્ધા સામે લડવાનું સામર્થ્ય રાખે છે. – એ વાત એણે ...Read More

3

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 3

૩ બર્બરકની સિદ્ધિ ધૂંવાપૂંવા થતો પરશુરામ, જે સમે સોમનાથના સમુદ્ર તટે, યુદ્ધરંગને પલટાવી દે એવી તક પોતાના હાથમાંથી સરી અવાક્ ની પેઠે જોઈ રહ્યો હતો, બરાબર તે જ સમે જૂનાગઢ પાસેની સોલંકીની છાવણીમાંથી બે પુરુષો, ગિરનારની અટંકી ગિરીમાલાના ભૈરવી ખડકો નિહાળવા ગુપચુપ જંગલકેડીને માર્ગે જઈ રહ્યા હતાં. તેમાંના આગલા પુરુષે માથા ઉપર શેલું વીંટ્યું હતું. એને ખભે ઢાલ હતી. બગલમાં તલવાર લટકતી હતી. પગમાં બરડાના ઓખાઈ જોડા પહેર્યાં હતા. એને ખભે ફૂમતાં મૂકેલી ધાબળી હતી. હાથમાં પાકા વાંસની લોહકડી જડેલી મોટી ડાંગ રાખી હતી. પણ એના ચહેરાનો કોઈ ભાગ એકદમ નજરે આવે તેમ ન હતો. એની પાછળ જતો માણસ ...Read More

4

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 4

૪ ઘર ફૂટ્યે ઘર જાય પાછા ફરતાં આખે રસ્તે સિદ્ધરાજના મનમાં ગડભાંગ થઇ રહી હતી. આંહીં આ બર્બરક પાસે સિદ્ધિ હતી. બર્બરકની આ સિદ્ધિનો યુદ્ધમાં ઉપયોગ થાય તેવી જાણ થતાં તો સોરઠ આખાની પ્રજા એકપગે મરવા તૈયાર થાય એ ભય હતો. બીજી બાજુ રા’ના ભાણેજ લોકવાયકા છે તેમ. ફૂટ્યા હોય તો આટલી આ વસ્તુની જાણ રા’ની સાન ઠેકાણે લાવવામાં સહાયરૂપ થઇ પડે એમ હતી. કદાચ એ જુદ્ધ ટૂંકાવી નાખે. રા’ સોરઠ તજીને જતો રહેતો હોય તો એને આ યુદ્ધનો યશસ્વી અંત માની લેવામાં કાંઈ જ વાંધો ન હતો, રાણકનું પછી થાળે પડી જશે. પણ રા’ માનશે ખરો? રા’ ને ...Read More

5

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 5

૫ જૂનોગઢનાં આંતરિક દ્રશ્યો જે તીર જોઇને જયસિંહદેવ મહારાજ સ્તબ્ધ થઇ ગયા હતા તે સામાન્ય તીર ન હતું. કોઈકે જોઇને, જયદેવસિંહ આ રસ્તે છે એ કળ્યા પછી, એ ફેંક્યું હોય તેમ જણાતું હતું, એનો ઈતિહાસ જાણવાનો જૂનોગઢના અંતરંગમાં પ્રવેશ કરવો પડે. જૂનોગઢની અટંકી ડુંગરમાળાએ પટ્ટણીઓના દાંત ખાટા કરી નાંખ્યા હતા. એમાં જેટલો કુદરતનો, એટલો જ માણસનો પણ હિસ્સો હતો. એ દુર્ગની રચના જ અનોખા પ્રકારની હતી. એનો કિલ્લો સીધી કરાડ જેવો ભયંકર ખડકો ઉપર ઉભો હતો. એને કોઈ પણ બાજુથી પહોંચવું મુશ્કેલ હતું. એમાં પછી આ ખડકોને ફરતી પાણીની ઊંડી પહોળી ખાઈ હતી. ખાઈને ફરતું વિસ્તીર્ણ જંગલ હતું અને ...Read More

6

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 6

૬ ઝાંઝણે વાત મેળવી કૈલાસરાશિ સામે પરશુરામે ખામોશી પકડી હતી તે વાત આગળ આવી ગઈ. તે છતાં પાછા ફરતાં રસ્તે પરશુરામને એના જ વિચારો આવ્યા કર્યા. વહેલી પ્રભાતે તે જ્યારે છાવણીમાં આવી પહોંચ્યો ત્યારે પણ હજી તે સોમનાથની અસરમાંથી તદ્દન મુક્ત થયો ન હતો. એને પોતાના મનમાં સોએ સો ટકા ખાતરી હતી કે એ નારી પાસે અમૂલ્ય માહિતી હોવી જોઈએ. કોઈ પણ સોલંકી સૈનિકને હાથે સોમનાથની જરા જેટલી મર્યાદાનો ભંગ અત્યારે થાય તો એ વાત જુદું જ રૂપ પકડે એવી લોકવાયકા ઉડે તો સોરઠ આખાની પ્રજા હાલકડોલક થઇ જાય એટલે એણે કૈલાસરાશિને તે વખતે વધારે કાંઈ ન કહેતાં ચાલતી ...Read More

7

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 7

૭ યુદ્ધનો વિશેમકાલ પરશુરામ થોડી વારમાં જ મહાઅમાત્યના વસ્ત્રાપુર પાસે આવી પહોંચ્યો. અનેક માણસોની ત્યાં ભીડ જામી હતી. ઘોડેસવારો, સૈનિકો, સરદારો – કેટલાક મળવા આવી રહ્યા હતાં કેટલાક મળીને પાછા જતા હતાં ઘણા મળવાની તક શોધતા ઉભા હતાં. મહાઅમાત્ય જે માર્ગે નીકળવાનો સંભવ હતો, તે માર્ગે પણ દૂરદૂર સુધી માણસોની ઠઠ જામી હતી. મુખદ્વાર ઉપર બે જબરદસ્ત ભાલાધારી સૈનિકો ઉભા રહી ગયા હતા. આસપાસના ચારેતરફ અશ્વદળના સૈનિકો નજરચોકી કરતા ફરી રહ્યા હતા. પાસેના એક વિશાળ વડ નીચે મહાઅમાત્યનો ગજેન્દ્ર ડોલી રહ્યો હતો. ગુજરાતના મહામંત્રીશ્વર જેવા સ્થાન ઉપર બેઠેલો પુરુષ ગમે તે ક્ષણે અહિના કોઈ ને કોઈ માણસના ઝપાટામાં આવી ...Read More

8

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 8

૮ મહાઅમાત્ય મુંજાલ સાંજ પડવા આવી. પૃથ્વીને વીંટળાઈ વળતું અંધારું ચારેતરફથી દોડતું આવ્યું. આકાશપૃથ્વીની વચ્ચે સેંકડો તારાઓ ઊગી નીકળ્યા તેમ, ડુંગરેડુંગરે દીપમાલાઓ પ્રગટી નીકળી. સૈનિકોને સાવધ રહેવાની સૂચના આપતો શંખનાદ થયો. પણ દસોંદી લાલ ભાટ કે મઠપતિ કૈલાસરાશિ – બેમાંથી એક આવવાના ચિહ્ન હજી મુંજાલને ક્યાંક દૂર ક્ષિતિજમાં પણ જણાયાં નહિ. હરપળે એમના આવવાની રાહ જોતો મહાઅમાત્ય આમથી તેમ અધીરાઈમાં ટહેલી રહ્યો હતો. એના મગજમાં અત્યારે જૂનોગઢનું યુદ્ધ ઘૂમી રહ્યું હતું, એ જુદ્ધે મોટાને નાના કર્યા હતા નાનાને નકામા ઠરાવ્યા હતા, અનુભવી સેનાપતિઓને એક કોડીની કિંમતના બનાવ્યા હતા મુત્સદ્દીઓને મામુલી ગણાવ્યા હતાં પાટણના ગજેન્દ્રોને ગધેડા કરતાં નપાવટ મનાવ્યા હતા ...Read More

9

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 9

૯ રા’ ખેંગારનો રણઘેલો જવાબ મુંજાલ ભા દેવુભા પાસે આવ્યો ત્યારે એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. પરશુરામ તો સીધો ગયો હતો. પણ ભા દેવુભા, ત્રિભુવનપાલ દંડનાયક અને જગદેવ પરમાર જુગજુગના મિત્રો હોય તેમ એકબીજા સાથે રણક્ષેત્રની વાતોનો આનંદ કરી રહ્યા હતા. ખેંગારની વાતે ત્રિભુવનને અને જગદેવને લગભગ એના પ્રશંસક બનાવી દીધા હોય તેમ એને લાગ્યું. મુંજાલ કળી ગયો. એને દેવુભા ભયંકર લાગ્યો. તેણે એક અર્થવાહી દ્રષ્ટિ દેશળ ઉપર કરી લીધી. દેશળની પાસેથી પસાર થતાં તેણે ધીમેથી એને કહ્યું: ‘સોમનાથમાં ગ્રહણે મળીશ. મહારાજે હા કહી છે. પણ હમણાં તો તમને તતડાવીશ!’ દેશળને પહેલાં બે વાક્યોનો મર્મ સમજાયો. ત્રીજું શા વિશે ...Read More

10

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 10

૧૦ ત્રિભુવનપાલ ઝાંખો પડે છે સોનેરી ઘંટડીઓનો આકાશમાંથી આવી રહેલો રણકાર કાને પડતાં એક ઘડીભર તો સૌ સ્તબ્ધ જ ગયા. કોઈને કાંઈ સમજ પડી નહિ. આ શું છે – ને અટકળ પણ થઇ શકી નહિ. ‘આ અવાજ શાનો? શું આવા ભયંકર કળજુગમાં પણ દેવલોકમાંથી કોઈ આંહીં આવી ચડ્યું છે કે શું?’ – દરેકના મનમાં આ પ્રશ્ન આવી ગયો અને કૂતૂહલના માર્યા સૌ ક્ષણભર એકકાન થઇ ગયા. પણ દંડનાયક ત્રિભુવનપાલ એનું રહસ્ય પામી ગયો. તે ઝાંખો પડી ગયો. બર્બરકની જે સિદ્ધિ વિશે લોકવાયકા ચાલી રહી હતી – હમણાં જ દેવુભાએ જે વિશે ટોણો માર્યો હતો – તે જ આ સિદ્ધિ ...Read More

11

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 11

૧૧ રા’ ખેંગાર ભા દેવુભાના શબ્દો દંડનાયક ત્રિભુવનપાલને શરસંધાનની પેઠે વીંધી ગયા હતા. તેણે પોતાની અણિશુદ્ધ રાજપૂતી વટલાતી લાગી. મહારાજને પોતાને મળવાનો નિર્ણય કયો. એનું પરિણામ સ્પષ્ટ હતું. એને પાછા લાટમાં જવું પડત અથવા મહારાજ આ મોરચો એને જ સોંપી દેત. મુંજાલને એ વસ્તુ પોસાય તેમ ન હતી. એને લાટમાં પાછો મોકલવાનો જ હતો, પણ મોકલવાને હજી વાર હતી હમણાં એને આંહીં રાખવો હતો. દેશળ સોમનાથમાં કેવોક વરસે છે, એના ઉપર વાતનો મદાર હતો. નહિતર ત્રિભુવનપાલ વિના ગિરનારી દુર્ગ હાથ કરવો વસમો પડે તેવો હતો. તેણે મહારાજ સાથેની એની મુલાકાત આગળ ઠેલાવ્યે રાખી. ત્રિભુવનપાલ ખિજાયો. જગદેવ તો પાછો સોમનાથ ...Read More

12

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 12

૧૨ મુંજાલનો સંકેત આછા ઉજાસ અને ઘેરા અંધારભરેલા જંગલરસ્તે થઈને જયદેવ અને મુંજાલ રાજમાર્ગે ચડી જવા માટે આગળ વધી હતા. ખેંગાર એ રસ્તે થઈને જ ત્રિવેણીસંગમ તરફ જઈ શકે તેમ હતું. એટલે એ રસ્તે નીકળી જાય, તે પહેલાં રાજમાર્ગે કે રાજમાર્ગ પાસે એમણે પહોંચી જવાનું હતું. પણ મુંજાલના મનમાં મહારાજના અત્યારના વર્તને એક જબરદસ્ત ગડભાંગ ઊભી કરી દીધી હતી. દેશળવાળી યોજના એણે ઘડી કાઢી. એક સુભગ પળે મહારાજ જયસિંહદેવની સંમતિ પણ એ મેળવી શક્યો આખી યોજનાને સાંગોપાંગ પાર ઉતારવાની એની તૈયારી હતી. ત્યારે આ શું? મહારાજે એને સંમતિ આપી એ ઉપરટપકેની હતી એમ સમજવું? શું સમજવું? ભા દેવુભા સાથે ...Read More

13

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 13

૧૩ કેદારેશ્વરમાં શું બન્યું? મુંજાલ અને જયસિંહદેવ કેદારેશ્વરના મંદિરમાં પહોંચ્યા. સંકેત પ્રમાણે દેશળ આંહીં આવવાનો હતો. આ મંદિર જંગલના ભાગમાં હતું. દિવસે પણ હિંસક પશુઓનો ત્યાં ભય લાગતો. પૂજારી પણ ત્યાં ઠેરતો નહિ. પૂજા કરીને ઘર ભણી પાછો જતો રહેતો, એટલે સંકેતસ્થાન તરીકે એ સરસ હતું. રાજા અને મંત્રી બે ક્ષણ પણ ત્યાં ઉભા રહ્યા હશે, એટલામાં પાછળના ભાગમાંથી કાંઇક પાંદડાં ખરવાનો અવાજ તેમને કાને પડ્યો. ‘મહારાજ! પણ આપણે એને સકંજામાં લેવો પડશે, નહિતર એ આપણને બનાવી જશે!’ મુંજાલે મહારાજને પોતાની વાત સ્વીકારાય એવી ભૂમિકા માટે તૈયાર કરવા માંડ્યા. ‘મુંજાલ, પહેલાં તો તું જ વાત જાણી લે હું પેલા ...Read More

14

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 14

૧૪ હવે શું થાય? એક ક્ષણભર તો મુંજાલ અવાક જેવો ત્યાં ઊભો જ રહી ગયો. એને રાજાના આ વિચિત્ર કાંઈ સમજણ પડી નહિ. મહારાજ ત્યાં હતાં નહિ અને દેશળની સાથે રહીને લીલીબાને હાથમાં લેવાની પૂરેપૂરી જરૂર હતી. પળપળ વખત ચાલ્યો જતો થો. દેશળને કાલે તો પાછા વળવાનું હશે. મુંજાલને ચોક્કસ ખાતરી થઇ ગઈ કે રાજા અત્યારે વિક્રમી સ્વપ્નના એક એવા ભવ્ય ખ્યાલમાં રમી રહ્યો છે કે એ હાજર હોત તો દેશળની વાતમાં ઉલટાનું ભંગાણ પડત. તેણે આસપાસ જોવા માંડ્યું. બીજા પણ બે-ત્રણ સ્તંભની પાછળ એ જઈ આવ્યો. ત્યાં તો કોઈ હતું નહિ. એણે પોતાની યોજના પોતાની જ જવાબદારી ઉપર ...Read More

15

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 15

૧૫ જ્યારે એક નારી વૈર લેવા નીકળે છે જ્યારે એક નારી વૈર લેવા નીકળે છે ત્યારે જેમ એના સાહસનો નથી, તેમ એના વિનિપાતનો પણ છેડો હોતો નથી. એ પોતાના વૈરને સંતોષવા માટે શું નહિ કરે એ કહી ન શકાય. લીલીબા વૈર લેવા નીકળી હતી. મુંજાલ એ વસ્તુસ્થિતિનો લાભ ઉઠાવવા માંગતો હતો. એ જ્યારે સોમનાથના મંદિરના પશ્ચિમ ભાગમાં દરિયાકિનારે પહોંચ્યો, ત્યારે ત્યાં એક નાળિયેરીને અઠંગીને ઊભેલા દેશળને દીઠો. એણે હવે બહુ સાવચેતીથી કામ લેવાનું હતું. કોઈ આવનાર-જનારની દ્રષ્ટિ ન પડે એટલા માટે તેઓ પાસેના એક જૂના ખંડિયેર તરફ ચાલ્યા ગયા. ‘કેમ દેશુભા! લીલીબાનો પત્તો લાગ્યો?’ મુંજાલે અંદર જતાં જ પૂછ્યું. ...Read More

16

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 16

૧૬ જયસિંહદેવની શોધમાં કેદારેશ્વરના મંદિરમાંથી અદ્રશ્ય થયેલા મહારાજ જયસિંહદેવ ક્યાં હોઈ શકે એ મુંજાલને માટે હવે અગત્યનો પ્રશ્ન બની એટલામાં એણે રાજમાતાની પાલખીને આવતી જોઈ. તે સમજી ગયો. હજી મહારાજનો પત્તો ન હતો. મહારાજ જયસિંહદેવે એક અનોખી પ્રણાલિકા સ્થાપી હતી. કોઈ વાતની જાતમાહિતી મેળવવા કે પરદુઃખમાં અચાનક મદદ કરવા ઘણી વખત આ પ્રમાણે અદ્રશ્ય થઇ જતા. મહારાજની એ સ્થાપિત પ્રણાલિકા હોવાથી એમની આવી ગેરહાજરી એકદમ નજરે ચડી આવે તેમ ન હતી એ ખરું પણ મુંજાલને તો ધુબાકાની વાતચીત યાદ હતી. મહારાજ ત્યાં હતા – કે ખેંગારને પાછો ફરતો રોકવાનો નવો યત્ન આરંભી બેઠા હતાં – કે પરદુઃખી સમાચારે એમણે ...Read More

17

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 17

૧૭ મુંજાલને વધુ સમજણ પડે છે સોમનાથના મુખ્ય મંદિરને ફરતાં સેંકડો મંદિરો હતાં. એક તરફ ગર્જના કરતો સોમનાથી જલનિધિ બીજી તરફ પવનના ઝપાટામાં ગાજી રહેતાં ગાંડી ગિરનાં વન – અને એમાં કુદરતબક્ષી વનરાજિની પરંપરામાં ઊભેલાં સેંકડો મંદિરો – એ આખી રચના જ અલૌકિક હતી. મંદિરોની સેંકડો ધજાઓ ત્યાં નિરંકુશ, રાત ને દિવસ ફરફર ફરફર્યા કરતી. મીનલદેવી એ હજારો ધજાને નિહાળતી સૂર્યમંદિર તરફ જવા ઉપડી. અત્યારે મુંજાલના મનમાં ગડભાંગ તો થતી હતી કે મહારાજ પોતે સૂર્યમંદિરમાં હશે કે નહિ: થોડુંક ચાલ્યા પછી તે આગળ વધતો અટકી ગયો. ‘કેમ, મહેતા? કેમ અટક્યા?’ ‘સૂર્યમંદિર તો પેલું સામે રહ્યું, બા! પણ પહેલાં હું ...Read More

18

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 18

૧૮ ઉદયન આવ્યો પછી એક દિવસ સોમનાથથી સમુદ્રને કિનારે સ્તંભતીર્થનું એક વહાણ આવીને નાંગર્યું. તેમાંથી એક આધેડ વયનો પણ જેવો લાગતો માણસ હોડીમાં બેસવા માટે આગળ આવ્યો. તે નવા આવનારને કૂતુહલથી બધી બાજુ જોઈ રહ્યો હતો. આ તરફ તે પહેલી વખત જ આવતો હોય તેમ જણાતું હતું. તેણે એક કાનમાં સાચાં મોતીનાં લંગર પહેર્યા હતાં. પગમાં ખંભાતી જોડા હતાં. ગોઠણ સાથે તંગ લાગે એવો ધોતિયાનો કચ્છો વાળ્યો હતો. એને માથે સુંદર નાજુક મારવાડી ઘાટની પાઘડી હતી. એના કપાળમાં કાશ્મીરી કેસરનો પીળો ચાંદલો હતો ઉપરટપકે જોતાં એ એકદમ સામાન્ય જેવો માણસ જુદો જ બની જતો જણાય. એનું જાડું, વ્યવહારુ, પહોળું ...Read More

19

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 19

૧૯ ઉદયન અને પરશુરામ કેટલાક માણસો સ્થિતિસ્થાપક હોય છે. એમને તમે ગમે તેટલા દબાણમાં રાખો જરાક તક મળી એ પાછા હતાં તેવા. બીજા કેટલાક ઝરણા જેવા હોય છે ગમે તેટલે ઊંડે એને ભંડારો, એ માર્ગ શોધી લેવાના. ઉદયનમાં એ બંને ગુણ હતાં. એ સ્થિતિસ્થાપક હતો અને માર્ગશોધક પણ હતો. એને આંહીં સોરઠમાં આવવું પડ્યું એ પ્રથમ તો રુચ્યું ન હતું. સ્તંભતીર્થને એણે પોતાનું માન્યું હતું. ત્યાં એણે અઢળક ધન મેળવ્યું હતું. અઢળક ધન વાપર્યું પણ હતું. ત્યાં સ્તંભતીર્થમાં એ મુગટ વિનાનો રાજા હતો. આંહીં તો એની કાંઈ ગણતરી પણ ન હતી. એણે સ્તંભતીર્થને અનેક જિનાલયોથી શણગાર્યું હતું. પણ આંહીં ...Read More

20

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 20

૨૦ બે મુત્સદ્દીઓ ઉદયન અંદર આવ્યો. ત્યાં યુદ્ધસભા શરુ થવાની તૈયારી હતી. મહારાજ આવી પહોંચ્યા હતા. એ ઉતાવળે અંદર મહારાજને પ્રણામ કર્યા. એક બાજુ પોતાની જગ્યા લીધી. ‘આ કોણ? મુંજાલ! ઉદો છે? ઉદા! તું ક્યારે આવ્યો?’ મહારાજે પ્રશ્ન કર્યો અને તેની સામે જોઈ રહ્યા. ઉદયન ક્ષોભ પામ્યો. ઉત્તર આપવામાં એણે સંકોચ અનુભવ્યો. ‘મહારાજ! હું તો હમણાં આંહીં છું!’ તેણે બે હાથ જોડ્યા. ‘કેમ?’ ‘પ્રભુ! રાજમાતાએ મને બોલાવ્યો હતો.’ ‘જયદેવ! એને મેં બોલાવરાવ્યો છે,’ મીનલે કહ્યું, ‘આપણે સોરઠી જુદ્ધ લંબાવવું નથી. ઉદયન આંહીં ઉપયોગી થઇ પડશે!’ જયદેવ કાંઈ બોલ્યો નહિ, તેણે એક બગાસું ખાધું, હાથ લંબાવ્યા. ઉદયને એ જોયું. રાજમાતાનો ...Read More

21

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 21

૨૧ જગદેવ વિદાય લે છે! ત્રિભુવનપાલ અને જગદેવ બંને અંદરના ખંડમાં જયસિંહદેવ સાથે ગયા હતા. અંદરનો ખંડ વટાવી રાજા નીકળ્યો. બંને જણા એની પાછળ-પાછળ ચાલ્યા. બહાર મોટું મેદાન હતું. મેદાનની ચારે તરફ ઊંચા ઘાટાં વૃક્ષો આવી રહ્યાં હતાં, મેદાનમાં શું છે એ બહારથી ખબર પડે તેવું ન હતું. મેદાનને છેડે, સામે, ઝૂંપડા જેવું કાંઇક દેખાતું હતું. એ તરફ બોલ્યાચાલ્યા વિના રાજા આગળ વધ્યો. ઝૂંપડા પાસે સૌ પહોંચ્યા. ત્યાં આગળ એક મોટી લાંબી શય્યા ઉપર કોઈક સૂતેલું લાગ્યું. રાજાને દેખીને શય્યા ઉપરથી, અંધારામાં એક મોટી, જાડી, ઊંચી ભયંકર આકૃતિ ઊભી થતી જણાઈ. ‘બાબરો છે. ત્રિભુવન!’ સિદ્ધરાજે કહ્યું. બાબરો ઘણુંખરું, પાણખાણમાં ...Read More

22

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 22

૨૨ કેશવનું વિષપાન કૃપાણ આવ્યો. દેખીતી રીતે તેની પાસે અતિ અગત્યના સમાચાર હોય તેમ લાગતું હતું. તે મહારાજને પ્રણામ બોલ્યા વિના જ ઊભો રહી ગયો. મહારાજે એની સામે જોયું. ‘મહારાજ!’ કૃપાણ એક ક્ષણભર બોલવું કે ન બોલવું તેનો વિચાર કરી રહ્યો. મુંજાલ એની સામે જોઈ રહ્યો હતો. ઉદયને એની દ્વિધાવૃત્તિમાં કાંઇક ભેદ દીઠો. મહારાજના આજ્ઞાદર્શક સ્વરે એણે બે હાથ જોડીને માથું નમાવ્યું અને પછી કાંઇક અપ્રિય વસ્તુ કહેતો હોય તેમ ધીમેથી ઉમેર્યું: ‘મહારાજ! કેશવ નાયક આવેલ છે!’ કાંકરી પડે તો સંભળાય એવી ગંભીર શાંતિ એક ક્ષણભર વ્યાપી ગઈ. કેશવ નાયકને મહારાજે ગોધ્રકમંડલમાં મોકલી દીધો હતો, એ સૌને ખબર હતી. ...Read More

23

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 23

૨૩ ઉદયનનો એક જ રાત્રિનો અનુભવ આજે મંત્રણાસભા શરુ થઇ ત્યારથી અત્યાર સુધીના થોડા સમયમાં પણ એટલા બનાવોની પરંપરા જોવી પડી હતી કે એમાંથી કયા બનાવને કેટલું મહત્વ આપવું એ વિશે હજી એ કાંઈ સ્થિર વિચારણા જ કરી શક્યો ન હતો. મંત્રણાસભાની શરૂઆત થઇ – અને પરશુરામ મળ્યો. ત્યાગવલ્લીની વાતનું સાચું મૂલ્યાકન માંડે તે પહેલાં તો ત્રિભુવન અને જગદેવની વાતે એનું ધ્યાન ખેંચ્યું. દંડનાયક ને પરમારની વિદાય વિશે વિચારે ન વિચારે, ત્યાં કેશવ નાયક આવ્યો. અને હજી કોણ જાણે કયો નવો રંગ નીરખવાનો હતો, એ કેવળ અનુમાનનો વિશેય હતો! એના સ્તંભતીર્થમાં એક જ રાત્રિમાં આટલા અનુભવો એને ક્યારેય મળ્યાં ...Read More

24

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 24

૨૪ દેવી ભુવનેશ્વરી ‘પરશુરામ?’ ‘કાકા! આ દેવી ભુવનેશ્વરી!’ પરશુરામે તરત કહ્યું. અને પછી ઉદયનને બતાવીને પેલી સ્ત્રીને કહ્યું: ‘આ આપણે વાત થઇ એ પ્રમાણે, કાકા! હું જવાનો હતો – ત્યાં એ રસ્તામાં જ મળી ગયાં. પણ આંહીં આપણને કોઈ સાંભળે તેમ નથી નાં! એમણે થાપ મારી છે – જેવા તેવાને નહિ, લક્ષ્મીદેવીને – એટલે સંભાળવાનું છે!’ પાછલા શબ્દો પરશુરામ અતિ ધીમેથી બોલ્યો હતો. અંદર ગુપચુપ બેઠેલા કેશવના કાન સરવા થઇ ગયા હતા. પણ ઉદયન પોતાના વિશે કાંઈ બોલ્યો હોય એમ લાગ્યું નહિ. કારણકે પરશુરામ હજી આગળ વધી રહ્યો હતો: ‘અને આ ભેટો પણ કાકા: અકસ્માત જ થઇ ગયો!’ ‘એમ?’ ...Read More

25

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 25

૨૫ સોરઠની વિશિષ્ઠ પરંપરા ઉદયનને પરશુરામે સમાચાર આપ્યા હતા, તેમાંથી જ એક અનુમાન સ્પષ્ટ હતું: ભુવનેશ્વરીને લક્ષ્મીરાણી સહીસલામત જવા કે નહિ, એની એના મનમાં જબરદસ્ત શંકા હતી. પણ હવે કેશવ એને દ્વીપ સુધી પહોંચાડવામાં સફળ નીવડે, તો એક અમૂલ્ય તક સાંપડી જતી હતી. એ સંબંધમાં બંદોબસ્ત કરવાનો હતો તે રાતમાં ને રાતમાં કરી નાખ્યો હતો, પ્રભાતે એને ધારાગઢ તરફ જવાનું હતું. પરશુરામે એને પેલી બાઈ વિશેની વાત – એકસો ને એકમી વખત ફરીથી સંભળાવી. એ વાત કહેવામાં પરશુરામને રસ આવતો. એમાંથી ઉદયનને ખાતરી થઇ ગઈ કે, કહો ન કહો, પણ એ વાતમાં કાંઇક ભેદ રહ્યો છે. એટલે પોતે સંધિની ...Read More

26

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 26

૨૬ ઉદયન રસ્તો શોધવા મથે છે ઉદયન વિચાર કરી રહ્યો: આ માણસ ખુલ્લા દિલનો નર્યો યોદ્ધો હતો. એનો સર્વનાશ એ ચોક્કસ હતું આને નમાવવાની વાત ગગનકુસુમ જેવી હતી. તેણે બે હાથ જોડયા: ‘મહારાજ! હું તો મહારાજ જયદેવનો મોકલ્યો તમારી પાસે આવ્યો છું. મારે એક-બે વાત કરવી છે. ને આંહીંનો સંદેશો લઈને તરત પાછા ફરવું છે!’ ‘જુઓ ભા, ઉદા મહેતા! તમે આવ્યા એ અમારાં આંખ-માથા ઉપર. વાત તમે કહેશો તે સાંભળીશું. અમને આવડે એવો જવાબ પણ આપીશું. પણ, ભા! અમારી આંહીં સોરઠની તો રાજરીત છે, જુદ્ધ તો હાલ્યા કરે, એમાં શું? પણ તમે આંગણે આવ્યા છો ને રોટલા વિના વાતું ...Read More

27

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 27

૨૭ મહાઅમાત્યપદની ઝાંખી સ્તંભતીર્થના પોતાના નાનકડા સ્વાધીન અધિકારની કેટલી ઓછી આંકણી છે એ ઉદયનને સમજાઈ ગયું હતું. આંહીં સોરઠમાં આવવું પડ્યું – મુંજાલની એક આજ્ઞાએ. પણ આંહીં આવ્યો ત્યારે તો મહાઅમાત્યપદેથી જ હવે પાછા ફરવું એવો મહત્વાકાંક્ષી લોભ એને જાગ્યો હતો. એણે એક વસ્તુ જોઈ લીધી હતી: આ રાજા જયસિંહદેવ ઘણો તેજસ્વી હતો. એનામાં અસાધારણ શક્તિ હતી. એ ધારે તે કરે એવો પ્રભાવ હતો. ભુવનેશ્વરીએ એના વિક્રમી સ્વપ્નને સ્પર્શ કર્યો, અને એ એનો થઇ ગયો. એને એક મહાન આકાંક્ષા હતી: મહાન વિક્રમી સ્વપ્ન સિદ્ધ કરવાની. એને માત્ર મહાન રાજની કે વિજયની તમન્ના ન હતી એના એવા યશની એને ભૂખ ...Read More

28

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 28

૨૮ દેશળનો સંદેશ મહારાજ જયદેવની આજ્ઞા પ્રમાણે, બરાબર નિર્મિત તિથીએ ને સમયે પૃથ્વીભટ્ટ આવી ગયો હતો. પરશુરામ પણ ત્યાં હતો. ઉદયન હતો. દોઢસો જેટલા જંગલયુદ્ધના અનુભવી જોધ્ધા હતાં. ધુબાકો હતો. આડેસર હતો. કૃપાણ હતો. ક્યાં જવાનું છે ને શી વાત છે એની હજી કોઈને ખબર ન હતી. સજ્જન મહેતો અને મુંજાલ એ બંને તો હવે ધારાગઢ મોરચે પડ્યા હતા. આવતી પૂનમે એક મોટો હલ્લો કરવાના સમાચાર ત્યાંથી આવી ગયા હતા. મહારાજ પોતે પણ ત્યારે ધારાગઢ જવાના હતા, એમ વાત ચાલતી કરી હતી. આ બાજુ આ વાત થઇ રહી હતી ઉદયનને કાંઈ સમજણ પડી નહિ. જયસિંહદેવ બહાર આવ્યો. તેણે એક ...Read More

29

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 29

૨૯ મહારાજ જયદેવની યોજના ઉદયને હવે સ્પષ્ટ રીતે જોઈ લીધું કે મુંજાલના હલ્લાના સમય પહેલાં જ જયદેવ મહારાજની યોજના થવાની હતી. એટલે મહારાજ જયદેવ પોતે જ હવે આ યુદ્ધને દોરવા માગે છે એ ચોક્કસ થયું. ત્યાગવલ્લીની જે વાત થઇ ગઈ એ હમણાં એમ જ રહે – અને આંતરઘર્ષણ જન્માવતી બંધ પડે – એ વસ્તુ સમયસર એમણે સ્વીકારી લીધેલી લાગી: એ વિશે એમણે ત્યાર પછી ઈશારો જ કર્યો ન હતો. ઉદયનને પોતાના અભ્યુદય માટે એ જરૂરી લાગ્યું હતું. એણે ફરીને બીજો માણસ પણ સ્તંભતીર્થ તરફ રવાના કર્યો હતો. ત્યાગવલ્લી પાછી હાથતાળી દઈ ન જાય એ જોવાનું હતું. એણે મુંજાલની મહત્તા ...Read More

30

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 30

૩૦ વદી ત્રીજે મુંજાલે શું જોયુ? મુંજાલને ખાતરી હતી: જયસિંહદેવ એખ વખતે જાગ્યો, પછી એનો ઉત્સાહ નિ:સીમ બની જતો. જાગ્યો હતો. હવે એ પોતાના જ પ્રકાશથી પોતાનો પંથ ઘડવાનો. એમાં એને દોરવાની ઈચ્છા રાખનારને થપ્પડ મળે તેવું હતું. તેણે હમણાં શાંત રહેવામાં સાર જોયો સમયની પ્રતીક્ષા કરવામાં ડહાપણ દીઠું. જયસિંહની આજ્ઞા પ્રમાણે એ મજેવડી દરવાજે પોતાની કુશળ વ્યૂહરચના કરી રહ્યો હતો. રા’એ એની સામે તૈયારીઓ માંડી હતી. એટલું છતાં, પૂર્ણિમાના દિવસે, એણે પોતાની વાત નાણી જોવાનો નિશ્ચય તો રાખ્યો હતો. એ પ્રમાણે એ પોતે એકલો પૂર્ણિમાને દિવસે, ધારાગઢના જંગલમાં ગુપચુપ આવી ગયો. એને ખબર હતી કે જે રસ્તો લીલીબાની ...Read More

31

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 31

૩૧ દુદો ને હમીર સિદ્ધરાજ થંભી ગયો. દેશળની સાથે પહેલાં વાતચીત થયેલી એમાંથી ખબર તો એમ હતી કે દુદો હમીર બંને ધારાગઢના – ખાસ કરીને આ માર્ગના – વિશ્વાસુ ચોકીદારો હતા. કદાચ આ માર્ગના એ પણ હવે જાણકાર થયા હોય તો? મૂરખ દેશળે એ વાત છેક છેલ્લી ઘડીએ કરી હતી. અને મહારાજને ત્યારે જે શંકા થઇ હતી, તે આંહીં પ્રત્યક્ષ બની. પણ હવે શું થાય? એ બંને આંહીં ઊભા હતા. એ કેમ આવ્યા, શા માટે આવ્યા, એવા કોઈ જ પ્રશ્નને આંહીં અવકાશ ન હતો. શું પગલું ભરવું એ જ વાત હતી. એક પળનો વધુ વિલંબ થાય, અને વાતનો ઘટસ્ફોટ ...Read More

32

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 32

૩૨ બહેનનાં હેત! રા’ના ડુંગરી કિલ્લામાં રણયુદ્ધ એ મહોત્સવનો પ્રસંગ હોય એમ જણાતું હતું. ત્યાં ક્યાંય થાકના ચિહ્ન ન રા’ને લીલીબા ભાગી ત્યારે ચટપટી થઇ હતી. એના ઉપર ને દેશળ-વિશળ ઉપર એણે જાપ્તો પણ રાખ્યો હતો. પણ એ સ્વભાવથી કુટુંબપ્રેમી હતો અને દિલાવરી જુદ્ધનો રસિયો જીવ હતો. એ આ વાત જાણે ભૂલી ગયેલો જણાયો. જોકે એણે એક સાવચેતી રાખી હતી: પોતાના ડુંગરી મહાલયમાં રાતવાસો રહેવાની. ગમે તે પક્ષે, ગમે તે દુશ્મન, ગમે તે રીતે આવે, પણ એ મહાલયમાંથી એને બહાર જવાનો કોઈ ને કોઈ માર્ગ તો જરૂર મળી રહે, અને એક વખતે એ બહાર હોય, પછી ભલેને ખુદ જૂનોગઢી ...Read More

33

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 33

૩૩ અભય ખેંગાર લીલીબાએ પેલા સૈનિકને ઉતાવળે આવતો જોયો. દેવુભાની વાત એને કાને પડી ન પડી, ને તે ક્ષણમાં સમજી ગઈ. સોલંકી સૈન્ય ગઢમાં પેસી ગયું હતું. હવે આ રા’ રાણકને અંત:પુરમહાલયે વિદાય લેવા જવાનો એ વિદાયલઇ બહાર પડે કે તરત ત્યાં દરવાજે એને રોકી દે કોઈ – તો વિજય વહેલો થાય. આ વિચાર સાથે તે તરત વીજળીવેગે બહાર નીકળી ગઈ. રા’ને એની સામે જોવાની કે બોલવાની તક સાંપડે એ પહેલાં તો એ અદ્રશ્ય થઇ ગઈ! પાછલે બારણેથી એ દોડતી નીકળી. તેણે દેશુભાને દીઠો. એની સાથે ઊભેલો જયસિંહદેવ હોવો જોઈએ. એક પણ શબ્દ બોલવાનો વખત ન હતો. ‘આ હા! ...Read More

34

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 34

૩૪ જૂનોગઢનો અજેય રા’ સિદ્ધરાજને ત્યાં ખાંખાખોળા કરતો મૂકીને રા’ખેંગાર સીધો જરાક નીચેની ખીણનો માર્ગ પકડીને રાણકદેવીની રણવાસીગઢીએ જવા ઊપડી ગયો હતો. સિદ્ધરાજ એવે અજાણ્યે માર્ગે પાછળ પડે એ શક્ય ન હતું. રા’ રણવાસગઢીએપહોંચ્યો ત્યારે ભરભાખળું થવા આવ્યું હતું. દોઢીઓ વટાવતો એ અંદર ગયો. ઉતાવળે દેવીના મંદિર પાસે પહોંચી ગયો. અંદર દીવાઓનો પ્રકાશ દેખાયો. એણે અંદર નજર કરી. ત્યાંનું દ્રશ્ય જોઇને એક ઘડીભર એ બારણા પાસે બહાર જ થોભી ગયો. અંદર મંદિરમાં પ્રગટેલી દીપાવલિથી મંદિર આખું ઝળાહળાં શોભી રહ્યું હતું. ત્યાં તેણે માની મૂર્તિ સામે ઊભેલી રાણકને દીઠી. એની આંખો મીંચેલી હતી, માથું નમાવેલું હતું. એણે માની સામે બે ...Read More

35

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 35

૩૫ રા’ હણાયો કે મરાયો? ખેંગાર સ્વપ્નની માફક ઊડી ગયો હતો. સિદ્ધરાજે એ જોયું અને એના આશ્ચર્યનો પાર રહ્યો હતો પણ અંધારઘેરા અજાણ્યે રસ્તે એની પાછળ જવાનો કાંઇ જ અર્થ ન હતો. દેશુભાને દોડાવવા એ પણ નકામું હતું. એની યોજનામાં એ દોડી ગયો હતો. એ રાણકદેવીની રણવાસગઢીથી તૈયાર થઈને નીકળે, અને સોઢલની ગઢી તરફ કે બીજી તરફ મુખ્ય સૈન્ય સાથે એનો ભેટો થાય તે પહેલાં રસ્તામાં જ હવે એને રોકી દેવો જોઈએ, લીલીબાના કહેવા પ્રમાણે તો એ એ તરફ જ આવવો જોઈએ. આંહીં સોલંકી સૈન્યને હઠાવ્યા વિના રા’ માટે બીજો કોઈ ઉપાય જ ન હતો. સિદ્ધરાજે તરત સોઢલની ગઢી ...Read More

36

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 36

૩૬ લીલીબા ખેંગાર પડ્યો છે, એ પહેલાં તો કોઈએ માન્યું નહિ, પણ ખેંગારજીની પાઘડી હતી કેકાણ ત્યાં એકલો હતો. ખેંગારજીનું શબ ક્યાં પડ્યું છે એ શોધવાની તાલાવેલીએ થોડી વાર જુદ્ધ બંધ રહ્યું. પણ બીજી જ પળે ભયંકર નિશ્ચલતાથી સોરઠીઓ આગળ ધસ્યા. સિદ્ધરાજને હવે યુદ્ધ બંધ કરવું હતું. એનું મન ધારાગઢ દરવાજા બહાર વાડીમાં પહોંચી ગયું હતું. એને હજી રાણકને હાથ કરવાની બાકી હતી – ત્યાં સુધી આ જીત અરધી હતી – સોરઠનાં રાજારાણીને પાટણની સભામાં લઇ જવાં હતાં. તેણે જુદ્ધ બંધ રાખવાનો, રાજાનું શબ રખડે એ અધર્મ થાય છે, એવો સાદ કરાવ્યો. રા’ હણાયો છે, હવે જુદ્ધનો અર્થ નથી. ...Read More

37

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 37

૩૭ અજિત ગઢીનો અજિત સ્વામી સોઢલની ગઢી હજી અજિત હતી. એના ઉપર હલ્લો લઇ જવામાં એને ગૌરવ મળતું હતું. એ વિચાર માંડી વાળ્યો. રાતે ને રાતે રા’ખેંગારને આંહીંથી વર્ધમાનપુર તરફ મોકલી દેવાનો નિર્ણય થયો. ગઢીની દુર્ભેદ્ય રચના જોતાં ગઢી ચાર-છ મહિના રમતરમતમાં કાઢી નાખે એ લીલીબાની વાત સાચી હતી. અને રા’ની વાતમાં જરાક પણ કાચું કપાય તો ફરીને ઉપાધિ ઊભી થાય. મુંજાલ, ઉદયન, પરશુરામ, સજ્જન સૌ રાતે મળ્યા. મહારાજ જયદેવે પોતે જ ખેંગાર વિશે કરેલો નિર્ણય કહી સંભળાવ્યો: ‘મુંજાલ મહેતા! સાથે કોણ જશે? રા’ને લઇ જવો છે!’ સૌની દ્રષ્ટિ ઉદયન ઉપર પડી. સ્તંભતીર્થ એ પાછો ફરે છે, એવી વાત ...Read More

38

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 38

૩૮ જય જિનેન્દ્ર કહે, ગાંડા ભાઈ! મહારાજને દ્વારે પરશુરામને અત્યારે જોઇને ઉદયનને આશ્ચર્ય થયું. એ જલદીથી સોઢલની વાત કરી માગતો હતો. તેણે પરશુરામને ત્યાં જોયો, ધીમેથી પૂછ્યું: ‘શું છે પરશુરામ?’ ‘કાકા! પૃથ્વીભટ્ટ આવ્યો છે. પાટણના સમાચાર સાચા લાગતા નથી!’ ‘કોણ! આવ્યો છે! પૃથ્વીભટ્ટ? એ તો કાલે જ ઊપડ્યો હતો ને મુંજાલ સાથે?’ તેણે બહુ જ ધીરે કહ્યું. બંને સોરઠી સાંભળે છે એ જોઇને એક ક્ષણ બંને શાંત રહ્યા. એટલામાં કૃપાણ આવ્યો: ‘સોઢલભા આવ્યા છે, પ્રભુ? મહારાજ એમને ને દેવુભાને બોલાવે છે!’ સોઢલ ને દેવુભા અંદર ગયા. ‘કાકા! પાટણના સમાચાર સારા લાગતા નથી! પૃથ્વીભટ્ટ ગભરાટમાં હતો!’ ‘પણ એ ગયો ક્યાં?’ ...Read More

39

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 39

૩૯ જોગમાયા દેશુભા, વિશુભા અને સિદ્ધરાજ રણવાસની ગઢીએ આવી પહોંચ્યા તે પહેલાં જ દેવુભા અને સોઢલ ત્યાં આવી ગયા હવે આ ગઢીની દોઢીએ એમણે મુકામ કરી દીધો. પરશુરામને સોઢલે પોતાની ગઢી સોંપી દીધી હતી. દેવુભા રણવાસની ગઢીને દરવાજે એક બાજુની ગઢીએ બેસી ગયો સામે બીજી બાજુ સોઢલ પોતાના ધોળા નિમાળા ઉપર હાથ ફેરવતો. દેવુભા મનમાં કૈંક ઘોડા ઘડી રહ્યો હતો. એના હ્રદયમાં ઊંડો વિશોદ હતો. આંખમાં ઝેર હતું. મનમાં ભીષણ નિશ્ચયનું બળ હતું. આ સ્થિતિને પણ તરી પાર ઊતરવાની એને આશા હતી. સામી દોઢીએ બેઠેલો સોઢલ એ હજી જળવિહોણા મત્સ્યની અવસ્થામાંથી પૂરોપાધરો ઊભો થયો ન હતો. જેને બાળપણથી પોતે ...Read More

40

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 40 - છેલ્લો ભાગ

૪૦ રાણકદેવી તો ત્યાં હોય, જ્યાં રા’ હોય! જૂનોગઢથી ઊપડેલું સોલંકીદળ તો ક્યાંક પાછળ રહ્યું. જોજનઘડિયા સાંઢણીઓ ઉપર જયસિંહ પોતે, દેશળ, વિશળ, રાણક અને થોડા બીજા આગળ નીકળી ગયા હતા. એને પાટણમાં પહોંચી જવાની ઉતાવળ હતી. વર્ધમાનપુર થોડોક વિસામો લઈને તરત જ ત્યાંથી નીકળી જવાનું હતું. રા’ખેંગાર ત્યાં હશે, એટલે એને લઈને આશુક મહામંત્રી, રાજમાતા મીનલ, રાણકદે’ સૌ પાછળથી આવે એવી ધારણા એણે રાખી હતી. એ એકલો ઝપાટાબંધ આગળથી પાટણ પહોંચીને ત્યાંની સ્થિતિ જાણી લેવા માંગતો હતો. સાંતૂએ માલવાને કેવાં કાંડાં કાપી આપ્યાં છે એની સાચી માહિતી હજી એને મળી ન હતી. સોરઠ રા’ના પાટણપ્રવેશની ઘડીએ – આ વસ્તુની ...Read More