દરેક ક્ષેત્રમાં સફળતા

(520)
  • 145.7k
  • 43
  • 56.5k

પ્રસ્તાવના દરેક વ્યક્તીને સફળ થવાની ઇચ્છા હોય છે, ફેમસ બનવાની, લોકોનુ ધ્યાન આકર્ષવાની અને ખુબ પૈસા કમાવાની ઇચ્છા હોય છે. આ ઇચ્છાના જોરે તેઓ ઉત્સાહમા આવી કાર્ય શરુ તો કરી દેતા હોય છે પણ તેમા મુશ્કેલીઓ આવતા તેઓને ડર લાગતો હોય છે, ધીરે ધીરે નિરાશ થવા લાગતા હોય છે, કામ કરવાની ઇચ્છામા ઘટાડો થવા લાગતો હોય છે જેથી તેઓ પીછે હટ કરી છેવટે નિષ્ફળતાના શીકાર બનતા હોય છે. તો આ રીતેતો ક્યારેય સફળતા મળી શકે નહી કારણકે સફળતા મેળવવા માટેતો

New Episodes : : Every Wednesday & Saturday

1

દરેક ક્ષેત્રમાં સફળતા - 1

પ્રસ્તાવના દરેક વ્યક્તીને સફળ થવાની હોય છે, ફેમસ બનવાની, લોકોનુ ધ્યાન આકર્ષવાની અને ખુબ પૈસા કમાવાની ઇચ્છા હોય છે. આ ઇચ્છાના જોરે તેઓ ઉત્સાહમા આવી કાર્ય શરુ તો કરી દેતા હોય છે પણ તેમા મુશ્કેલીઓ આવતા તેઓને ડર લાગતો હોય છે, ધીરે ધીરે નિરાશ થવા લાગતા હોય છે, કામ કરવાની ઇચ્છામા ઘટાડો થવા લાગતો હોય છે જેથી તેઓ પીછે હટ કરી છેવટે નિષ્ફળતાના શીકાર બનતા હોય છે. તો આ રીતેતો ક્યારેય સફળતા મળી શકે નહી કારણકે સફળતા મેળવવા માટેતો ...Read More

2

દરેક ક્ષેત્રમાં સફળતા - 2

સ્ટેપ ૧ પોતાના પર કાબુ મેળવો આ સ્ટેપ એ સફળતા મેળવવા માટેની નીતિઓનુ ઘડતર છે. સફળતા મેળવવા માટેની લડાઇ શરૂ કરતા પહેલા યુદ્ધ મેદાનમા કેવી માનસીક પરિસ્થિતિઓ ઉત્પન થશે અને કેવી રીતે તેને પહોચી વળશુ કે કેવી રીતે તેનાથી બચી શકશુ તેના માટેની વર્તન નીતિઓની સ્પષ્ટતા કરવાનો આ સ્ટેપનો હેતુ છે. સફળતા મેળવવા માટે કેવુ વર્તન દાખવવુ તેને લગતી નીતિઓ સ્પષ્ટ હોવી ખુબ જરૂરી બને છે કારણ કે જ્યાં સુધી આવી નીતિઓ સ્પષ્ટ નથી થતી ...Read More

3

દરેક ક્ષેત્રમાં સફળતા - 3

2) વિનમ્ર એટીટ્યુડ વિકસાવો માની લ્યો કે કોઇ વ્યક્તી મેડિકલ રીપ્રેઝેન્ટેટીવ છે કે સેલ્સમેન છે તે પોતાની પ્રોડક્ટ વેચવા નિકળ્યા હોય એવામા કોઇ ગ્રાહક પાસે જઇને તે કોઇ મોટા સાહેબ હોય એ રીતે એકદમ સ્ટાઇલમા ખીસામા હાથ નખીને ઉભા રહે, પોતે કોઇ મોટી હસ્તી હોય એ રીતે વાત કરે, સામેની વ્યક્તીને નીચા પાળવાનો પ્રયત્ન કરે કે અભીમાનથી તે પોતાનુ ઉત્પદન વેચવાનો પ્રયત્ન કરે તો શું સામેની વ્યક્તી તેનુ આવુ વર્તન જોઇ તેની પાસેથી ખરીદી કરવાનુ મન બનાવી શકશે? શું તમને લાગે છે કે આ રીતે તમે ગ્રાહકો સાથે આત્મીયતા બાંધી ...Read More

4

દરેક ક્ષેત્રમાં સફળતા - 4

વ્યક્તીનો એટિટ્યુડ તેના આસપાસના વાતાવરણને ઘણીજ અસર પહોચળતો હોય છે. એક નેગેટીવ વ્યક્તી આસપાસ નકારાત્મક્તા ફેલાવતો હોય છે જ્યારે પોઝિટીવ વ્યક્તી આસપાસ હકારાત્મકતા ફેલાવતો હોય છે. આ રીતે વ્યક્તી જાણે અજાણે પણ એવા વાતાવરણનુ નિર્માણ કરતો હોય છે કે જેના પરીણામો પછા તેણેજ ભોગવવા પડતા હોય છે કારણ કે વ્યક્તીના મન વિચારો અને કર્યો પર એવીજ અસરો ઉદભવતી હોય છે કે જેવુ તેની આસપાસનુ વાતાવરણ હોય. દા.ત. કોઇ વ્યક્તી સમાજમા અસહકાર ભર્યુ વર્તન દાખવતો હોય તો હકિકતમાતો તે પોતાના માટેજ અસહકાર ભર્યા વાતાવરણનુ નિર્માણ કરી રહ્યો હોય છે કારણ કે હવેથી લોકો પણ તેને અસહકારજ આપશે. હવે ...Read More

5

દરેક ક્ષેત્રમાં સફળતા - 5

Tips૧) વિનમ્ર એટીટુડ કેળવવા માટે સૌ પ્રથમતો આપણા વિચારોમા રહેલુ અભીમાન દુર કરવુ જોઇએ. આપણે ગમે તેટલા પૈસાદાર હોઇએ, તેટલા દેખાવડા હોઇએ કે ગમે તેટલા હોશીયાર હોઇએ, જો આપણે તેનુ અભીમાન કરશું તો ક્યારેય લોકો આપણને સમ્માન આપશે નહી. આ રીતેતો લોકોનો અહમ ઘવાશે અને આખરે તેઓ આપણા વિરોધી બની જશે. માટે જેમ જેમ સફળતાઓ વધતી જાય તેમ તેમ વિનમ્રતામા પણ વધારો કરતા જવુ જોઈએ. આ રીતે લોકો એમ વિચારવા પ્રેરાતા હોય છે કે આ વ્યક્તી આટલો સફળ થયો છે તેમ છતાય તેનામા અભીમાનનો ...Read More

6

દરેક ક્ષેત્રમાં સફળતા - 6

જીવનનુ કોઇ પણ કામ હોય, ગમે તેવો વિપરીત સમય હોય, આપણી નિયત સાફ હશે, હેતુ પવિત્ર હશે તો તરતજ આપણને મદદ કરવા દોળી આવશે, તેનાથી વિપરીત જો આપણે કોઇને છેતરવા કે નુક્શાન પહોચાળવાના સ્વાર્થી ઇરાદાથી કામ કરતા હશું, અપ્રામાણિકતાથી કે બેવળુ ધોરણ અપનાવતા હશું, કંઈક છુપાવવાનો પ્રયત્ન કરતા હશું તો તે બધુ સમાજમા બહાર આવ્યા વગર રહેશે નહી અથવા તો કોઇકને તો આપણા પર શંકા થઇજ જશે. પછી જેવી લોકોને આપણી નીયતની જાણ થશે કે તરતજ તેઓ આપણને નોકરીમાથી કાઢી મુકશે અથવાતો આપણો સાથ આપવાને બદલે આપણી વિરુધમા કામ કરવા લાગશે, લોકોને આપણા વિરુધ્ધ ભેગા કરશે અને ...Read More

7

દરેક ક્ષેત્રમાં સફળતા - 7

સારી ઈમેજ વિકસાવો એક ગામ હતુ. તેમા એક છોકરો દરરોજ ઘેટા બકરા ચરાવવા જંગલમા જતો એક દિવસ કોણ જાણે તેને શું સુઝ્યુ તે ગામના લોકોની મશ્કરી કરવાનો તેને વિચાર આવ્યો. તેણે ઘણો વિચાર કર્યો કે કઈ રીતે ગામના લોકોની મશ્કરી કરી શકાય! અચાનકથી તેને એક યુક્તી સુઝી એટલે તે જ્યાં ઘેટા બકરા ચરતા હતા ત્યાં એક ઝાડ પર બેસી "વાઘ આવ્યો વાઘ આવ્યો, બચાવો બચાવો તેવી બુમો પાડવા લાગ્યો. છોકરાની આવી બુમો સાંભળીને ગામના લોકોતો લાકડી, ધારીયા જે હાથમા આવે તે હથીયાર લઈને પેલા વાઘને ભગાળવા માટે ...Read More

8

દરેક ક્ષેત્રમાં સફળતા - 8

જરા તમે તમારી આસપાસ કે કોલેજના એવા વ્યક્તી વિશે વિચાર કરો જોઇએ કે જેને તમે હંમેશા મદદરુપ થવા તૈયાર હોવ કે હંમેશા તેઓનોજ પક્ષ લેવાનુ પસંદ કરતા હોવ. તમે આવુ શા માટે કરો છો ? તો આ પ્રશ્નના જવાબમા તમે જે કંઈ પણ જવાબ આપશો તે છે પેલા વ્યક્તીની તમારા મનમા રહેલી ઇમેજ. આ ઇમેજ જેટલી પ્રબળ હોય છે તેટલીજ તત્પરતાથી તમે મદદ આપવા તૈયાર થતા હોવ છો. આમ જે વ્યક્તીએ જાહેર જીવનમા કે સબંધોમા સફળ થવુ છે, વ્યાપાર વાણિજ્યમા સફળ થવુ છે, જેમને વારંવાર બીજા લોકોની મદદની જરુર પડે છે તેઓએ પોતાની ઇમેજ પ્રત્યે ખુબજ ...Read More

9

દરેક ક્ષેત્રમાં સફળતા - 9

[૨] તમે અભીમાની છો તેવી છાપ દુર કરવા માટે.- સામેથી લોકોને બોલાવો, વાતચીત કરો, ખબર અંતર પુછો, સ્માઇલ આપો. દરેકનુ ધ્યાન રાખો, દરેકની ગણતરી કરો, દરેકને જરુરી મહત્વ આપો, તેઓને નિર્ણય પ્રક્રિયામા ભાગીદાર બનાવો.- લોકોની નાનામા નાની બાબતની કાળજી રાખો.- મોટા મોટા ગપ્પા લાગે તેવી રીતે વાત રજુ ન કરો.- વિનમ્ર દેખાવ રાખો, બધા સાથે હળી મળી જાઓ. - જતુ કરી દો, માફ કરી દો.- શો ઓફ ન કરો.- કોઇને પણ અપમાનીત કે નીચા ન પાડો. - પોતાની ભુલ હોય તો સહજતાથી તેને સ્વીકારી લ્યો. - કોઇના પણ અહમ, આત્મસમ્માનને ઠેસ ન પહોચાડો.- મતભેદ થાય ત્યારે મો ચઢાવી બેસી જવાને બદલે તરતજ તેના ...Read More

10

દરેક ક્ષેત્રમાં સફળતા - 10

હવે બીજી બાજુ એક પૈસાદાર ઘરની સ્ત્રી હતી જેની સેવા માટે કેટલાય નોકરો ખડે પગે રહેતા. તેણે એક નાનુ કામ કરવાનુ ન’તુ તેમ છતાય તે પોતાના બાળકો શું કરે છે, કોની સાથે રમે છે, તેઓને કેવા સંસ્કાર મળે છે તેની કશી કાળજી રાખતી નહી. તેણેતો એમજ માની લીધુ હતુ કે ઘરના કામતો નોકરોએજ કરવાના હોય, જો નોકર એક દિવસ ન આવે તો આખો દિવસ ઘરમા ગંદકી ફેલાયેલી રહેતી પણ તે એક તણખલુ પણ ઉપાળવાનો પ્રયત્ન કરતી નહી. શું મોટા ઘરની માલકિન હોવાને નાતે તેના ઘર પરીવારની સાર સંભાળ રાખવાની તેની જવાબદારી નથી બનતી ? ઘરના આવા વાતાવરણને કારણે તેના ...Read More

11

દરેક ક્ષેત્રમાં સફળતા - 11

ઘણી વખત ઘરના કોઇ સભ્યથી ભુલ થઈ જાય, શાકમા મીઠુ ઓછુ પડી જાય તો બેજવાબદાર લોકો આખુ ઘર માથે લેતા હોય છે, લોકોથી આવી ભુલ થાયજ કેમ તેવી બુમા બુમ કરી મુકતા હોય છે પણ પોતે પોતાની જવાબદારીઓ બરોબર નિભાવે છે કે નહી તે જોતા હોતા નથી. આવા લોકોએ કોઇના પર આરોપો નાખતા પહેલા પોતે પોતાની જવાબદારીઓ વ્યવસ્થીત રીતે નિભાવી રહ્યા છે કે નહી તે પહેલા ચકાસવુ જોઇએ અને પછી બીજાઓની ફર્યાદ કરવી જોઇએ. જો વિશ્વનો દરેક વ્યક્તી પોત પોતાની જવાબદારીઓ ઉપાડી લે કે ઇવન સમજી પણ લેય તો પણ અનેક પ્રકારની સમસ્યાઓના સમાધાન થઈ જતા હોય છે, પણ ...Read More

12

દરેક ક્ષેત્રમાં સફળતા - 12

એક જવાબદાર વ્યક્તી એજ છે કે જે પોતાના લીધે કોઇ પણ બાબત બગળવા ન દે અને જો તે બગળી તો તેના માટે તે પોતાનેજ જવાબદાર માની જાતેજ તેને સુધારવાનો પ્રયત્ન કરે. એટલે કે જ્યારે વ્યક્તી કોઇને પણ નુક્શાન પહોચાળ્યા વગર ઉચ્ચ કક્ષાના મુલ્યોને સાથે રાખીને નિર્ણયો લેય અને તેની અસરો પ્રત્યે સભાનતા દર્શાવી પોતાનુ કાર્ય કરે કે ફરજો નીભાવે તો તે વ્યક્તી જવાબદારી પુર્વકનુ વર્તન કરી રહ્યો છે તેમ કહી શકાય. વ્યક્તી કોઇ પણ કાર્ય કરે ત્યારે તેને લીધે ઉદ્ભવતા પરીણામ માટે તે પોતેજ જવાબદાર બનતો હોય છે, તેવીજ રીતે જો તે વ્યક્તી પોતાની ફરજો ન નિભાવે તો ...Read More

13

દરેક ક્ષેત્રમાં સફળતા - 13

જીવનમા પોતે નિભાવવાની જવાબદારીઓનુ મહત્વ સમજ્યા બાદ ચાલો હવે પોતાની જવાબદારીઓ વિશે થોડી માહિતી મેળવીએ અને તેને નિભાવવા કટીબદ્ધ વ્યક્તીની મુખ્ય ૭ જવાબદારીઓ દર્શાવવામા આવી છે જે નીચે મુજબ છે.૧) પોતાના શરીર પ્રત્યેની જવાબદારીઓ - આ જવાબદારીઓ નીભાવવા માટે શરીરને નીરોગી રાખવુ, તેને શુધ્ધ આહાર આપવો, યોગ્ય દીનચર્યા ગોઠવવી, શરીરને મજબુત રાખવુ, વ્યસનોથી દુર રહેવુ. - શરીરને વગર કારણે નુક્શાન થાય તેવા જોખમો ન લેવા.- કુદરતે આપેલા તન અને મનની કિંમત સમજવી ઉપરાંત કઠિનમા કઠિન સંજોગોમા પણ તેને ટકાવી રાખવુ એટલેકે આત્મહત્યા, આત્મગ્લાની, લઘુતાગ્રંથીથી દુર રહેવુ.૨) પોતાના જીવન પ્રત્યેની જવાબદારીઓ- પોતાના જીવનને સુધારવા માટે જ્ઞાન, કળા, આવડત, કૌશલ્ય, સામર્થ્ય, શીક્ષણ, ...Read More

14

દરેક ક્ષેત્રમાં સફળતા - 14

Tips૧) સૌથી પહેલાતો આ કામ હું નહી કરી શકુ, મારી પાસે સમય કે પૈસા નથી, લોકો મને આગળ આવવા નથી વગેરે જેવા બહાનાઓ કાઢવાનુ બંધ કરી દો. આવા બધા બહાનાઓ એવી છટકબારીઓ છે કે જેનો ઉપયોગ લોકો પોતાની જવાબદારીઓમાથી છટકી જવા માટે કરતા હોય છે. જો બહાનાઓ કાઢવાનુ એટલેકે આ છટકબારીઓજ બંધ કરી દેવામા આવે તો પછી આપણા માટે જવાબદારી નિભાવવા સીવાય બીજુ કશુજ બચશે નહી અને તેના પર સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત કરી શકાશે. જેને કામ કરવુજ છે તેને ક્યારેય કોઇ સમસ્યા ...Read More

15

દરેક ક્ષેત્રમાં સફળતા - 15

શાણપણથીજ કામ કરો શાણપણ એટલે સમય સંજોગો, આવળત, મર્યાદા અને દરેક બાબતને બેલેન્સમા રાખી ભવિષ્યનો વિચાર કરીને ચાલવાની આવળત. જ્યારે વ્યક્તી આવી તમામ બાબતોનો વિચાર કરીને ચાલે છે, ગંભીરતાથી દરેક પ્રશ્નો, શક્યતાઓનુ સમાધાન લાવવામા માને છે ત્યારે તેનામા શાણપણ રેહેલુ છે તેમ કહી શકાય. આવા શાણપણ દ્વારાજ વ્યક્તી નાની નાની બાબતોને ન્યાય આપીને મોટી સફળતા મેળવી શકતો હોય છે.ઘણી વખત વ્યક્તી પાસે પુષ્કળ જ્ઞાન હોય છે તેમ છતા પણ તેઓ નિષ્ફળ થતા હોય છે કારણકે તેની પાસે પોતાના જ્ઞાનને અમલમા કેમ મુકવુ ...Read More

16

દરેક ક્ષેત્રમાં સફળતા - 16

ભાગ 16૧૬) હંમેશા પોતાના મુખ્ય હેતુને વધારે મહત્વ આપો. તે કાર્ય પુર્ણ થઇ ગયા બાદજ ફ્રેશ થવા માટે આનંદ કે મનોરંજનનો સહારો લેવો જોઈએ. મહત્વના કાર્ય કરતા મનોરંજનના પ્રમાણને ક્યારેય વધવા ના દેવુ જોઈએ. ૧૭) દરેક કાર્યને ચીવટતાથી વ્યક્તીગત રીતે ધ્યાન આપીને પુર્ણ કરવાનો પ્રયત્ન કરો.૧૮) ખરાબ કે નિષ્ફળતાના સમયમા ફર્યાદો અને આરોપો નાખવાને બદલે નિષ્ફળતાના કારણો ગોતો અને દુ:ખના સમયમા રો કકળ કરવાને બદલે શું સુધારી શકાય તેમ છે તેના પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી તેના પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરો.૧૯) મન મરજી મુજબ આડેધડ જીવન જીવવા કરતા નીતિ નિયમો, સિદ્ધાંતો અને માનવ મુલ્યોની કાળજી રાખીને જીવન જીવવાનો પ્રયત્ન ...Read More

17

દરેક ક્ષેત્રમાં સફળતા - 17

ભાગ 17 ગેર માન્યતાઓ દુર કરો માણસને સાચી પરીસ્થિતિ સમજતા અટકાવનારુ, ખોટી દિશા તરફ વાળનારુ અને તેના વિકાસને રુંધનારુ કોઇ પરીબળ હોય તો તે છે તેની ખોટી, ભુલ ભરેલી માન્યતાઓ. આવી માન્યતાઓને કારણેજ વ્યક્તી સત્ય પામવાનો પ્રયત્ન કરતા હોતા નથી અથવાતો તેનાથી દુર રહી જતા હોય છે જેથી તેમના નિર્ણયો ભુલ ભરેલા રહી જવાથી તેઓ નિષ્ફળતાના શીકાર બનતા હોય છે. દા.ત. ઘણા વ્યક્તીઓને એવી માન્યતા હોય છે કે સાચુ સુખ તો માત્ર રખડપટ્ટી કરવામા અને મન ફાવે તેમ બીંદાસ વર્તન કરવામા કે મન પડે તેટલુ સુતા રહેવામાજ છે, શીસ્તબદ્ધ જીવન ...Read More

18

દરેક ક્ષેત્રમાં સફળતા - 18

ભાગ 18 નશીબ વિશેની ઘણા લોકો એવુ વિચારતા હોય છે કે નશીબમા જે લખાયેલુ હોય તેટલુજ પ્રાપ્ત થતુ હોય છે તેના વગર આ દુનિયામા કશુજ મળતુ હોતુ નથી તો આ વાત સંપુર્ણ સત્ય નથી કારણકે નશીબમા હોય તે બધુ ત્યારેજ પ્રાપ્ત થતુ હોય છે કે જ્યારે વ્યક્તી તે નશીબના ઇશારાઓને સમજી તે પ્રમાણે ઉત્સાહથી કામ કરી બતાવે અને પોતાની તમામ શક્તીઓનો ઉપયોગ કરી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી હીંમતથી આગળ વધી બતાવે. જો વ્યક્તીના નશીબ જોર કરતા હોય પણ તે આગળ વધી પ્રયત્નોજ ના કરે તો પછી નશીબમા લખાયેલી વસ્તુ પણ ...Read More

19

દરેક ક્ષેત્રમાં સફળતા - 19

ભાગ 19 પૈસા કમાવાને લગતી ગેર “ વધારે પૈસા કમાઇને શું કામ છે ? તેના માટે શા માટે વધારે મહેનત કરવી જોઇએ જ્યારે મરતી વખતે તો કશુજ સાથે નથી આવવાનુ “ ઘણા લોકો આવી માન્યતા ધરાવતા હોવાથી તેઓ વધુ મહેનત કરવાથી બચતા હોય છે. તો હું આ સંદર્ભમા એટલુજ કહેવા માગીશ કે શું પૈસા કમાવવા એજ એક મહેનત કરવાનુ કારણ હોઇ શકે? શું તેના સીવાય બીજા કોઇ કારણો ન હોઇ શકે ? દરેક વ્યક્તીના કે તેના સગા વહાલાઓના જીવનમા ગંભીર સમસ્યાઓ, લા ઇલાજ બીમારીઓ કે કુદરતી આફતો આવતીજ હોય છે તો આવી સમસ્યાઓને ...Read More

20

દરેક ક્ષેત્રમાં સફળતા - 20

ભાગ 20શા માટે આપણે ગેરમાન્યતાઓ નથી છોળી શકતા ? તેમ ન કરી શકવાનુ કારણ હોય છે આપણો દ્રષ્ટીકોણ. અમુક બાબતોને અમુક પ્રકારના દ્રષ્ટીકોણથીજ જોવાની એટલી બધી ટેવ કે સગવળ થઈ ગઈ હોય છે કે પછી તેને બીજા એંગલથી જોવાનુ પસંદ કરતાજ હોતા નથી એટલેકે તલભારનુય જતુ કરવા તૈયાર હોતા નથી. ઉપરાંત ઘણીવખત આપણને પોતાની આવી ગેરમાન્યતાઓને વ્યાજબી ઠેરવવાના એવા એવા લોકો, રસ્તાઓ કે બહાનાઓ મળી જતા હોય છે કે પછી આપણી શંકાઓ કે માન્યતાઓ ખોટી હોવા છતા પણ દ્રઢ થતી જતી હોય છે. તો આવા વાતાવરણમા ક્યારેય કોઇ પરીસ્થીતિ સમજી તેના ઇલાજ કરી શકાય નહી. આમ યોગ્ય અસરકારક અસરો ...Read More

21

દરેક ક્ષેત્રમાં સફળતા - 21

ભાગ 21 પ્રકરણ 8 અનુશાસીત કે શીસ્તબદ્ધ રહો ગાંધીજીના સમયની આ વાત છે. ગાંધીજી પોતાના જે આશ્રમમા રહેતા હતા તે આશ્રમના ભોજનાલયનો એક એવો નિયમ હતો કે જ્યારે પણ જમવાનો સમય થાય અને બધા ભોજન શરુ કરે કે તરતજ ભોજનાલયના દરવાજા બંધ કરી દેવામા આવતા અને મોડા આવનાર વ્યક્તીએ ત્યાં બહારજ લોકો જમી લે ત્યાં સુધી ઉભા રહી પોતાના વારાની પ્રતીક્ષા કરવી ...Read More

22

દરેક ક્ષેત્રમાં સફળતા - 22

ભાગ 22 પ્રકરણ 9 શોર્ટકટથી દુર રહો એક છોકરાને ડોક્ટર બનવાનો ખુબ શોખ હતો. તે બીજા બધા ડોક્ટરોની આવક અને લોકો દ્વારા અપાતુ સમ્માન જોઈ તે રાત દિવસ એવાજ વિચાર કરતો કે હું પણ ડોક્ટર બનુ અને લોકો પણ મને આ રીતે ખુબ સમ્માન આપે. એક બાજુ તે ડોક્ટર બનવા માગતો હતો પણ બીજી બાજુ તે ડોક્ટર બનવા ...Read More

23

દરેક ક્ષેત્રમાં સફળતા - 23

ભાગ 23 પ્રકરણ 10 નકામી બાબતોમા ન પડો એક વ્યક્તીને દુરના કોઇ શહેરમા અગત્યનુ કામ કરવા જવાનુ હોવાથી તે ત્યાં જવા પોતાનુ વાહન લઇને નીકળે છે. રસ્તામા તે મુસાફરી કરવાને લીધે થાકી જાય છે એટલે આગળ જતા ...Read More

24

દરેક ક્ષેત્રમાં સફળતા - 24

ભાગ 24 પ્રકરણ 11 નેવર ગીવઅપ માની લ્યો કે કોઇ બે વ્યક્તી છે જેમને ચીત્રો દોરતા બીલકુલ આવળતુ નથી અને તેઓ સાથે બેસીને ચીત્ર દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે દેખીતુજ છે કે બન્ને વ્યક્તી પ્રથમ વખતજ ચીત્ર દોરતા હોવાથી તેમના ચીત્રો જોઇએ તેવા સારા ...Read More

25

દરેક ક્ષેત્રમાં સફળતા - 25

ભાગ 25આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે શું કરવુ જોઈએ? જ્યારે પણ તમને આત્મહત્યા કરવાનો વિચાર ત્યારે તમને જે કંઈ પણ નુક્શાની થઈ છે તેની પોતાના જીવ સાથે સરખામણી કરો કે બન્નેમાથી શું વધારે મહત્વનુ છે? દા.ત. તમે અભ્યાસમા નાપાસ થયા હોવ અને તમને આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે તમે એવી સરખામણી કરો કે મારુ એક વર્ષ બગડી ગયુ એ મારી જીંદગી કરતા મોટુ છે કે મારી જીંદગી મોટી છે ? બીજી વખત મહેનત કરીને સારુ પરીણામ લાવી શકાશે પણ શું પાછો જીવ લાવી શકાશે? ...Read More

26

દરેક ક્ષેત્રમાં સફળતા - 26

સ્ટેપ 2 ભાગ 26 વિવિધ ગુણ આવડતો વિકસાવો આમતો ગુણ એ ચર્ચાનો નહી પણ જીવનમા ઉતારી લેવાનો વિષય છે. ગુણ વિશે આપણે ગમે તેટલી ચર્ચાઓ કરી લઈએ પણ તે આપણા જીવનમાજ ન ઉતરે તો લાંબી લાંબી ચર્ચાઓનુ કશુજ મહત્વ રહેતુ હોતુ નથી. વિશ્વના કોઈ પણ કાર્યને સુઘડતાથી પાર પાડવા માટે વિવિધ ગુણ આવળતો અનીવાર્ય બનતા હોય છે, તેના વગર કાર્ય પાર પડી શકે ...Read More

27

દરેક ક્ષેત્રમાં સફળતા - 27

પ્રકરણ 12 ભાગ 27 પ્રેરણા પ્રાપ્ત કરતા શીખો એક પરીવારમા બે ભાઇ હતા, જેમાથી મોટો ભાઇ ખુબજ નશો કરતો, ગેરકાનુની કામ કરતો અને ઘરમા મારઝુડ પણ કરતો, જ્યારે નાનો ભાઇ ઇમાનદારી અને પ્રામાણિકતાથી કામ કરતો અને મોટા વેપાર સામ્રાજ્યનો માલીક હતો. આ બધુ જોઇ લોકોને આશ્ચર્ય થતુ કે એકજ માની કુખે જન્મેલા બે ભાઇઓ વચ્ચે આટલી બધી અસમાનતા કેવી રીતે હોઇ ...Read More

28

દરેક ક્ષેત્રમાં સફળતા - 28

ભાગ 28 પ્રકરણ 13 પોતાના વિચારોને પોઝિટીવ રાખતા શીખો વ્યક્તીના વિચારોની તેના જીવન પર ખુબજ ઉંડી અસર થતી હોય છે. તે જેવુ વિચારતો હોય છે તેવોજ તે બની જતો હોય છે. વિચારોના આવા પ્રકાર દ્વારા વ્યક્તી સુખી કે દુ:ખી થતો હોય છે અને આસપાસ સુખ કે દુ:ખનો ફેલાવો કરતો હોય છે કારણકે વ્યક્તીના જીવન અને સફળતાનો આધાર તેના વિચારો પર ખાસ રહેલો હોય ...Read More

29

દરેક ક્ષેત્રમાં સફળતા - 29

ભાગ 29 હકારાત્મક વિચારોનુ એકજ કામ છે જે છે વ્યક્તીના શાંત રાખી પ્રોત્સાહક વાતાવરણની રચના કરી તેને કાર્યમા ઓતપ્રોત રાખવા કારણકે દરેક વ્યક્તીને અલગ અલગ વાતાવરણ મળતુ હોય છે. કોઇને શાંત વાતાવરણ મળતુ હોય છે તો કોઇને ઉશ્કેરાટ ફેલાવનારુ. શાંત વાતાવરણમાતો સૌ કોઇ કામ કરી શકતા હોય છે પાણ ઉશ્કેરાટવાળા વાતાવરણમા કામ કરી બતાવે એજ સાચો શાણો માણસ કહેવાય છે કારણકે આવા વાતાવરણમા વ્યક્તી ઉશ્કેરાટ અનુભવતો હોય છે, બહુ જલ્દી ગુસ્સે થઈ જતો હોય છે જેથી તે બધા સાથે જઘડાઓ કરી ...Read More

30

દરેક ક્ષેત્રમાં સફળતા - 30

ભાગ 30૬) એક નિયમ રાખો કે જ્યારે પણ નબળા વિચારો આવે ત્યારે ફરજીયાત પણે તેનાથી વિરુદ્ધનો વિચાર કરવો. દા.ત. વ્યક્તી પ્રત્યે ફર્યાદ કે ગુસ્સો હોય ત્યારે તેની વિરુદ્ધમા વિચારો કરવાને બદલે તેની સારી બાજુઓના વખાણ કરો, તેણે કરેલા સારા કામ, સારા સ્વભાવ કે વર્તનની સરાહના કરો. આ રીતે નકારાત્મક વિચારો પર કાબુ મેળવી શકાશે.તેના માટે નીચે પ્રમાણે વિચારો કરી શકાય.- દુ:ખના સમયમા સુખના સમયને યાદ કરો- અપમાનના સમયમા તમને મળેલુ માન અને મળવાપાત્ર સમ્માનનો વિચાર કરો. - કોઇ બાબત ન ગમતી હોય તો તેમાથી પણ ...Read More

31

દરેક ક્ષેત્રમાં સફળતા - 31

ભાગ 31૨૧) ગમે તેમ કરીને પણ પોતાના માર્ગને વળગી રહો, બધુ સહન કરીને, જતુ કરીને, માફ કરીને પણ પોતાના પહેલી પ્રાથમિકતા આપો અને ટકી રહો.૨૨) કાર્ય કરતી વખતે નિષ્ફળતા કે શક્યતાઓના વિચાર કરી શકાય પણ તેને પોતાના કાર્યનો એક ભાગ સમજી કે કાર્ય પર્ફેક્ટ બને અને તેમા કોઇ કમી ન રહે તે હેતુથી કરવા જોઈએ. ૨૩) દરેક ઘટનામાથી કંઈક સારી બાબત ગોતી તેના ફાયદા, ઉપયોગીતા ગોતવાનો પ્રયત્ન કરો.૨૪) પોતાની સાથે કોઇ પણ પ્રકારનો દુ:ખદ બનાવ બને ત્યારે દુ:ખી થવાને બદલે એવુ નક્કી કરવુ જોઇએ ...Read More

32

દરેક ક્ષેત્રમાં સફળતા - 32

ભાગ 32 પ્રકરણ 14 લઘુતાગ્રંથી દુર કરો આજે લોકો આત્મહત્યાં શા માટે કરે છે ? તેના કારણો જોઇએ તો તેમા નિષ્ફળતા, એકલતા, ઘરકંકાસ, દગો, નિરાશા જેવા અનેક પરીબળોનો સમાવેશ કરી શકાય. આ બધા કારણો છે અલગ અલગ તેમ છતાય તેમા એક વાત એવી છે કે જે બધામા કોમન છે, જેના લીધેજ વ્યક્તી આત્મહત્યાં કરવા પ્રેરાતા હોય છે. આ કારણ છે ...Read More

33

દરેક ક્ષેત્રમાં સફળતા - 33

ભાગ 33 પ્રકરણ 15 હેતુ નક્કી કરો મહાભારતની કથામા એક ઋષીમુની પોતાના શીષ્યોને ધનુર્વિદ્યાના પાઠ ભણાવી રહ્યા હતા. તેમણે નિશાના તરીકે દુર જાળની ડાળી પર એક ચકલી મુકી અને શીષ્યોને તેની આંખ વીંધવા કહ્યુ. ગુરુજીએ પહેલા શીષ્યને નિશાન લગાવવાનુ કહી પુચ્છ્યુ, બોલ જોઇએ બેટા તને સામે શું દેખાય છે ? શીષ્યએ જવાબ આપતા કહ્યુ, ગુરુજી મને તો ચકલી જે ...Read More

34

દરેક ક્ષેત્રમાં સફળતા - 34

ભાગ 34હેતુ નક્કી કરવાથી શું થતુ હોય છે ? હેતુ નક્કી કરવાથી વિચારો અને વર્તનમા પરીવર્તનો આવવાની શરુઆત થતી હોય છે, તે જડમુળથી બદલાવા લાગતો હોય છે, તેનામા એક્ટીવ અને રીઝલ્ટ ઓરીએન્ટેડ થીંકીંગનો વિકાસ થતો હોય છે જેથી તે બુદ્ધીથી નિર્ણયો લઈ શકતો હોય છે, તેના દરેક પ્રકારના સામર્થ્યમા વધારો થવા લાગતો હોય છે અને તે ગતીશીલ બનતો હોય છે. હેતુ નિર્ધારીત કરવાથી પોતાના સામર્થ્યની જાણ થતી હોય છે, શું કરવુ અને શું ન કરવુ જોઇએ તેની સમજ વિકસતી ...Read More

35

દરેક ક્ષેત્રમાં સફળતા - 35

ભાગ 35હેતુ નક્કી કરતી વખતે નીચે પ્રમાણીને બાબતો ધ્યાનમા રાખવી જોઇએ. ૧) હેતુ હંમેશા મહાન રાખો. હેતુ હંમેશા મહાન રાખવો. પોતનુ સામર્થ્ય હોય કે ન હોય પણ હેતુ મહાન રાખવાથી આપણા વિચારો અને વર્તન પણ મહાન બનતા હોય છે જેથી કુવાનો દેડકો બની રહેવાને બદલે દુરદ્રષ્ટી અને સાહસનો વિકાસ થતો હોય છે. કોઈ મોટા પહાડ ચઢવાનો હેતુ રાખવાથી રસ્તામા આવતી કઈ ટેકરીઓ પર ચઢવુ અને કઈ ટેકરી પર નહી તેની ગણતરી કરી યોગ્ય માર્ગનુ નિર્માણ કરી શકાતુ હોય છે ઉપરાંત કોઇ ચોક્કસ ...Read More

36

દરેક ક્ષેત્રમાં સફળતા - 36

ભાગ 36 હેતુ સીદ્ધ કરવાની પ્રક્રિયા પોતાના હેતુઓ સીદ્ધ કરવા માટે નીચે મુજબની પ્રક્રિયાનુ પાલન કરી શકાય.૧) પ્રબળ ઇચ્છા કરો. કોઇ પણ હેતુ પ્રાપ્ત કરવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરી સતત પ્રયત્નો ત્યારેજ કરી શકાતા હોય છે જ્યારે તે હેતુ પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રબળ હોય. આપણુ કોઇ અપમાન કરે અને ત્યારે જે ફરી પાછુ સમ્માન મેળવવાની ઇચ્છા જાગૃત થાય તેવી જ્વલંત ઇચ્છા કરવામા આવે તો દુનિયાની કોઇ તાકાત આપણને તેમ કરતા રોકી શકે નહી. આવી જ્વલંત ...Read More

37

દરેક ક્ષેત્રમાં સફળતા - 37

પ્રકરણ 16 મહત્વકાંક્ષા રાખો હોકાયંત્ર બનાવતા કારખાનાની તમે મુલાકાત લેશો તો જણાશે કે તેમા વપરાતી સોયનો એક જગ્યાએ ઢગલો પડેલો હોય છે. આવી સોય કોઇ પણ પ્રકારની દિશા ન દર્શાવતી હોવાથી તેનુ કોઇજ મહત્વ હોતુ નથી પણ જેવુ તેને ચુંબકત્વ પ્રાપ્ત થતુ હોય છે કે તરતજ તેના મહત્વમા વધારો થઇ જતો હોય છે કારણકે હવે તેનામા ઉત્તર દક્ષીણ દિશા દર્શાવી અનેક લોકોની જીંદગી બચાવવાની શક્તી આવી ગઈ છે. જો માણસ પણ પોતાના ...Read More

38

દરેક ક્ષેત્રમાં સફળતા - 38

ભાગ 38 તમે જ્યારે મોટા સપાનાઓ જોશો, ઉંચી આકાંક્ષાઓ રાખશો ત્યારે લોકો તમારી ઉડાવશે, તમારા પર શંકા કરશે, તમને નીચા પાળશે કે રોકવા–ટોકવાનો પ્રયત્ન કરશે. આવી પરિસ્થિતિઓથી તમારે ગભરાવાને બદલે તેનો સામનો કરી પોતાના સપના મુજબ વિકાસ કરવા મક્કમ રહેવુ જોઇએ, કૃતનિશ્ચયી થવુ જોઇએ. જે દિવસે તમે તમારા નિર્ણયો, સપનાઓને વળગી રહેતા શીખી જશો તેજ દિવસથી તમેજ તમારા સૌથી મોટા ભાગ્ય વિધાતા કે મદદગાર બની જશો, પછી તમારે નશીબના જોરે બેસી રહેવાની જરુર પડશે નહી. આ વિશ્વમા જેટલા પણ મહાન માણસો છે ...Read More

39

દરેક ક્ષેત્રમાં સફળતા - 39

ભાગ 39 ઘણા લોકો એમ કહેતા હોય છે કે જીવનમા મહત્વકાંક્ષા રાખવી એ વાત સાચી પણ હવે અમારી ઉમર થઈ ગઈ છે, ૫૦-૬૦ વર્ષની ઉમરે મહત્વકાંક્ષાઓ રાખીને હવે અમારે શું કામ છે, હવે તો વધારે કામ પણ થઇ શકતુ નથી. હકીકતમા આ વાત બરોબર ન કહેવાય કારણ કે જ્યાં સુધી શરીર તંદુરસ્ત છે, હાથ પગ ચાલે છે અથવા તો જે લોકોએ હજુ પણ કંઇક નવુ કરી બતાવવાની તમન્ના છે તેઓ માટે ઉમર કોઇ સમસ્યા છે જ નહી. આવા લોકો હજુ પણ ...Read More

40

દરેક ક્ષેત્રમાં સફળતા - 40

ભાગ 40 ઘણા લોકો સાદગીથી જીવન જીવવામા માનતા હોય છે. માત્ર જરૂરીયાતો સંતોષાય એટલે બહુ થયુ એમ માનીને બેસી જવામા માનતા હોય છે જેથી તેઓ કોઇ મોટા સપનાઓ કે મહત્વકાંક્ષાઓ રાખવાથી બચતા હોય છે. ઘણી વખતતો તેઓ સપનાઓ જોવાથી પણ ડરતા હોય છે. તો આવા વ્યક્તીઓને હું માત્ર એટલુજ કહેવા માગીશ કે સાદગીને મહેનત સાથે કોઇજ લેવા દેવા હોતા નથી. ખુબ મહેનત કરીને કે ખુબ પૈસા કમાઇને પણ તમે સાદગીથી જીવન જીવી શકતા હોવ છો. સમાજમા એવા ઘણા લોકો છે કે ...Read More

41

દરેક ક્ષેત્રમાં સફળતા - 41

પ્રકરણ 17 ભાગ 41 સેલ્ફએસ્ટીમ વિકસાવો એક વિદ્યાર્થી પોતાને ખુબજ ઉંચા સ્થાને જોવા માગતો હતો એટલે તે ખુબજ મહેનત કરતો હતો. તે પોતાના વિકાસ પ્રત્યે એટલો બધો સેન્સીટીવ કે સજાગ હતો કે જો તેને અભ્યાસમા માત્ર ૧ માર્ક્સ ઓછો આવી જાય તો પણ તેને તે મંજુર રહેતુ નહી. જો ભુલેચુકેય એકાદ માર્ક્સ ઓછો આવી જાય તો તે ખુબ દુ:ખી થઈ રડવા ...Read More

42

દરેક ક્ષેત્રમાં સફળતા - 42

ભાગ 42ટીપ્સ૧) સેલ્ફ એસ્ટીમ વધારવા માટે પોતાના વિશે જે ખોટી માન્યતાઓ, શંકાઓ છે તેને દુર કરી દો અને પોતાની પર વિશ્વાસ રાખો. તેના માટે એમ વિચારી જુઓ કે - આઇ કેન ડુ ઇટ, - મારા માટે બધુજ શક્ય છે, - આ દુનિયામા મારા માટે અશક્ય જેવુ કશું છેજ નહી, - હું પણ ઇશ્વર પુત્ર છુ, તેઓ મારી કસોટીઓ લઈને મને મજબુત બનાવવા માગે છે, જીત માટે તૈયાર કરવા માગે છે, તેમજ આ સંસારના તમામ સુખ, સુવિધાઓ ભોગવવાનો મને હક આપ્યો છે તો મારે મહેનત કરીને તે બધુ મેળવી બતાવવુ જોઇએ. ૨) પોતાની શક્તીઓને ઓળખો. તેનો ઉપાયોગ કરીને જે સફળતાઓ કે અચીવમેન્ટ પ્રાપ્ત કરી બતાવી ...Read More

43

દરેક ક્ષેત્રમાં સફળતા - 43

ભાગ 43પ્રકરણ 18 જેવા બનવુ છે તેવા વાતાવરણમા રહો. શું આસપાસના વાતાવરણને વ્યક્તી સફળ કે નિષ્ફળ થઈ શકે ? હા ચોક્કસ થઈ શકે કારણકે વાતાવરણની વ્યક્તીના માનસ પર ઘણીજ ઉંડી અસર થતી હોય છે. આસપાસનુ વાતાવરણ એ વ્યક્તી માટે પ્રેરણા સ્ત્રોત તરીકે કામ કરતુ હોય છે જેથી વ્યક્તી અમુક રીતે વિચારવા કે વર્તવા પ્રેરાતા હોય છે જે છેવટે તેની સફળતા કે નિષ્ફળતાનુ કારણ બનતુ હોય છે. તમે ચોખ્ખા, હવા ઉજાશ વાળા કે શાંત વાતાવરણમા વાંચવા બેસો અને પછી ગંદા, દુર્ગંધ મારતા કે શોર બકોર વાળા વાતાવરણમા વાંચવા બેસો તો કોઇ કાર્ય માટે અમુક પ્રકારના વાતાવરણની શું જરુરીયાત ...Read More