Darek khetrama safdata - 23 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 23

ભાગ 23
પ્રકરણ 10

નકામી બાબતોમા ન પડો


એક વ્યક્તીને દુરના કોઇ શહેરમા અગત્યનુ કામ કરવા જવાનુ હોવાથી તે ત્યાં જવા પોતાનુ વાહન લઇને નીકળે છે. રસ્તામા તે મુસાફરી કરવાને લીધે થાકી જાય છે એટલે આગળ જતા એક હોટલે નાશ્તા પણી માટે રોકાય છે, પણ હવે બને છે એવુ કે તે હોટલ, ત્યાંના બાગ બગીચા અને ત્યાંના કર્મચારીઓ એટલા બધા સરસ અને સેવાભાવી છે કે આ ભાઇતો ખુશ ખુશાલ થઇ જાય છે અને એમ વિચારવા લાગે છે કે અસલી સુખ તો અહીજ છે. આના સીવાય બીજે ક્યાય શાંતી મળી શકે તેમ નથી તેમ વિચારી તેતો પોતાના બધાજ કામ કાજ ભુલી ત્યાજ રોકાઈ જાય છે અને આખો દિવસ પસાર કરી નાખે છે. આ રીતે તે વ્યક્તી જે કામ કરવા માટે નીકળ્યો હતો તે કામ કરવાનુતો રહીજ જાય છે પણ સાથે સાથે તે કામ ન થવાને લીધે તેના દુષ્પરીણામો પણ તેણે ભોગવવા પડે છે.

અસલ જીંદગીમા પણ આપણી સાથે આવુજ કઇંક બનતુ હોય છે ! આપણે કશુંક પ્રાપ્ત કરવા નિકળ્યા હોઇએ ત્યારે રસ્તામા મળતી કોઇને કોઇ પ્રવૃતી જેમકે રખળપટ્ટી, ગપ્પાબાજી, વાદ-વિવાદ, દેખા-દેખી અને આરામના નામે એવાતે ગુંચવાઇ જતા હોઇએ છીએ કે જાણે ત્યાંજ સૌથી મોટુ સ્વર્ગ છુપાએલુ હોય, પછીતો તેના સીવાય બીજી કોઇ પ્રવૃતીમા રસજ પળતો હોતો નથી જેથી આપણો મુળ ઉદ્દેશ સાવ કોરાણે ધકેલાઇ જતો હોય છે. વિદ્યાર્થીઓના જીવનમા આવુ સૌથી વધારે બનતુ હોય છે. તેઓ કોઇ શહેરમા અભ્યાસ કરવા માટે ગયા હોય તો ત્યાં શરુ શરુમાતો ખુબ અભ્યાસ કરતા હોય છે પણ પછીતો મોજ મસ્તી, મીત્રતા અને હરવા ફરવાના નામે અભ્યાસને પળતો મુકી બાકી બીજી બધી પ્રવૃતીઓ તરફ એવા તે આકર્ષાઇ જતા હોય છે કે જાણે તેના થકીજ તેઓનુ જીવન દીપી ઉઠવાનુ હોય !! સુખ સમૃદ્ધી ભોગવવામા લોકો ગુંચવાઇ જાય એ તો સમજ્યા પણ ઘણા લોકો તો વ્યસનો, ચીંતાઓ, દુ:ખ-નિરાશા અને વાદ વિવાદમા પણ એટલા બધા અટવાઇ જતા હોય છે કે આપણનેય એક વખત એમ થઇ જતુ હોય છે કે હવે તો આ વ્યક્તી આ બધામાથી બહાર નીકળે તો સારુ. આ રીતે સફળતા મેળવવા નીકળેલા લોકો આવી બધી પ્રવૃત્તીઓમા અટવાઇને એટલીતે દિશા ચુકી જતા હોય છે કે તેઓ નીકળ્યા હોય છે ઉત્તર તરફ જવા પણ પહોચી જાય છે દક્ષીણ દિશામા. પછી જ્યારે તેઓની આંખ ઉઘળતી હોય છે ત્યારે ખુબ મોળુ થઇ ગયુ હોય છે જેથી વણઉકેલ્યા પ્રશ્નો, ગરીબી, નિરાશા નિશ્ફળતા અને અફસોસ સીવાય બીજુ કશુ તેઓના હાથમા બચતુ હોતુ નથી. આ વાત હું એટલા માટે કહુ છુ કે જ્યારે તમે સફળતા મેળવવાના માર્ગે નીકળશો ત્યારે અનેક પ્રવૃતીઓ, સમસ્યાઓ તમને આકર્ષવાનો કે પથ ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, તમારી શક્તીઓને અવળે રસ્તે વાળવા મથશે, તો આવા સંજોગોથી થાપ ખાઇ પોતાનો માર્ગ ચુકી જવાને બદલે તેનો જરુરીયાત મુજબ ઉપયોગ કરી નીરંતર પોતાની દિશામા આગળ વધતા રહેવુ જોઇ એટલે કે દુનિયાની કોઇ પણ શક્તી આપણો મુળ ઉદ્દેશ મિટાવી શકવી ના જોઇએ. જો તેમ થઇ જાય તો એ આપણી સૌથી મોટી ભુલ, ખામી કે કમજોરી કહેવશે. માટે જો થાકી જવાય તો ફ્રેશ થવા થોડી મોજશોખની પ્રવૃતીઓ કરી શકાય પણ તેને આપણા જીવનને બર્બાદ કરવાની ખુલી છુટ તો નજ અપાય. જીવનમા કે પોતાની મંજીલ મેળવવાના માર્ગમા થોળી ગંભીરતા, હસીમજાક, વાતચીત, મોજમસ્તી કરતા કરતા જવુ જરુરી છે પણ તે એટલુ બધુ પણ ન વધી જવુ જોઇએ કે પોતાનો મુળ હેતુજ ભુલાઇ જાય.

આજે તમે જોશો તો જણાશે કે મોટા ભાગના લોકો દેખાદેખી, લાલચ, આળસ, રખળપટ્ટી, ગપ્પાબાજી, વધુ પડતા મનોરંજનો, વ્યસનો અને બદલા લેવાની પ્રવૃત્તીમા એટલા બધા ગુંચવાઇ ગયા છે કે તેઓ પોતાના જીવનનો કે આ ધરતી પર આવવાનો, ભગવાને સોપેલો મુળ હેતુ શું છે તેજ ભુલી ગયા છે. તેઓને માટેતો રોજ સવારે મોડે મોડે ઉઠવુ, લોકોની ઇર્ષા કરવી, દેખાદેખી કરવી અને અંતે રખળપટ્ટી, વ્યસનો કે ગપ્પાબાજી કરી ખાઇ પીને સુઇ જવુ બસ એજ તેઓની જીંદગી બની ગઇ છે. તેઓને જીવનમા કઇંક પ્રાપ્ત કરી બતાવવુ, વધુ જ્ઞાન મેળવવુ, નવ સર્જન કરવુ, શરીરમા તાજગી કે સ્ફુર્તી અનુભવવી, સમાજમા માનભેર જીવવાનો કે અથાક પરીશ્રમ કરી બતાવવાના આનંદની કશી ખબરજ હોતી નથી. આવા માણસો પાસે પોતાની કોઇ અલગ ખાસ વિચારસરણી ન હોવાથી તેઓ જાતે કોઇ ટાર્ગેટ સેટ કરી શકતા હોતા નથી એટલા માટેજ તેઓ અન્યોને પોતાના કરતા વધારે મહત્વ આપી દેખાદેખી કે રખળપટ્ટીમા આવી પોતાનો કિંમતી સમય અને જીંદગી બન્ને વેળફી નાખતા હોય છે. પછી જ્યારે આજુ બાજુમા કોઇ વ્યક્તી કે મીત્ર માન સમ્માન કે સફળતા મેળવતા હોય છે ત્યારે તેઓને અચાનકજ જટકો લાગતો હોય છે કે અરે!! હું તો આ બધાથી ઘણોજ પાછળ રહી ગયો છુ.. હવે મારુ શું થશે ? કેવી રીતે હું બધુ મેળવીશ, હવે હું ક્યાં જઇશ ? ઉપરથી પાછુ જ્યારે સમાજના લોકો પણ આરોપ અપમાન કરવા લાગતા હોય છે ત્યારેતો વધુ નિરાશા અનુભવતા હોય છે. એવા સમયે તેઓને સાચુ માર્ગદર્શન કે હકારાત્મક વાતાવરણ ન મળે તો તેઓ પોતાની નીરાશા દુર કરવા ફરી પાછા વ્યસનો, રખડપટ્ટી કે ગપ્પાબાજીના ચક્કરમા ફસાઇ જતા હોય છે. આ રીતે તેઓ જણે અજાણે પણ નીંભર બની જતા હોય છે એટલે કે હવે તેઓને ગમે તેટલુ રોકવા ટોકવા કે સમજાવવામા આવે તો પણ તેઓને કશી અસર થતી હોતી નથી. આવી પરીસ્થીતિથી બચવાનો ઉપાય માત્ર એજ છે કે તમે સાચી દિશામા ધ્યાન કેન્દ્રીત રાખો એટલે કે જયાં સુધી તમારુ ધ્યાન તમારા હેતુ પરજ કેન્દ્રીત રહેશે ત્યાં સુધી દુનિયાની કોઇ તાકાત તમને તેમ કરતા રોકી શકે નહી જેથી તમે વણથંભ્યે આગળ વધી શકતા હોવ છો.

દેખાદેખી, લાલચ, આળસ, વાદ વિવાદ, દુશ્મનાવટ, બદલો લેવાની ભાવના એ બધી એવી પ્રવૃત્તીઓ છે કે જેમા એક વખત વ્યક્તી જકળાઇ જાય તો પછી પોતાને બર્બાદ કર્યા બાદજ તેનો અંત આવતો હોય છે. આવી બધી પ્રવૃતીઓ એ મીઠા જહેર સમાન હોય છે, તે વ્યક્તીની આંખો પર બંધાયેલી એવી કાળી પટ્ટી સમાન હોય છે કે જે વ્યક્તીને ભ્રામક સુખ સુવીધામા ડુબાળી ખરેખર ફાયદો શેમા છે કે કઇ દિશામા જવુ જોઇએ તે સમજવાની શક્તી છીનવી લે છે. આવા વ્યક્તીઓને સફળતા મેળવવાની વાત તો દુર પણ પોતાનો વિકાસ કરવા સુદ્ધાનો પણ વિચાર આવતો હોતો નથી, પછી આવા લોકો પ્રગતી ક્યાંથી કરી શકે ?
ઘણી વખતતો મનેય પ્રશ્ન પુછવાનુ મન થઇ જતુ હોય છે કે કોઇ વ્યક્તી ૧ નહી ૧૦ લીટર દારુ પી જાય તોય તેને શું ફાયદો થઇ જવાનો હતો? તમે ૨ કલાક સુખના ભ્રમમા રહેશો એટલુજ ને !! તો શું આવા ભ્રમમા રહેવા માટે પોતાના પૈસા અને શરીરનો બગાળ કરવો વ્યાજબી ગણાય ? શું તેનાથી ખરેખર સમસ્યાઓ સુધરી જવાની હતી ? શું આ માનવ તરીકેની જીંદગી ખોટા ભ્રમમા રહેવા માટેજ મળી છે ? તેવીજ રીતે તમે ઇન્ટરનેટ પર લાખ અજણ્યા મીત્રો બનાવી લ્યો તોય એ બધા ક્યાં તમને મદદ કરવા દોળી આવવાના હતા ? અહી તો બધા નકામી ચર્ચાઓ કરીને કોણ હું ને કોણ તુ એમ કરીને ચાલતીજ પકળવાના છે તો પછી આટલા સીધા સાદ ગણીત સામે શા માટે આંખ આડા કાન કરવા પડે ? શું આપણી પાસે કોઇ જ હેતુ નથી ? શું આપણા જીવન-ભવિષ્યની કોઇ જ કીંમત નથી ? શું આપણે બધા વૈચારીક રીતે સાવ નાદર થઇ ગયા છીએ? શું આપણા વિચારોમા કોઇજ તાકાત રહી નથી ? જે વ્યક્તી આ વાત સમજી જતો હોય છે તેને આ દુનિયામા કોઇ હરાવી શકતા હોતા નથી કારણકે તેનો પોતાના હેતુ પરનો ફોકસીંગ પાવર એટલો બધો મજબુત થઇ ગયો હોય છે કે દુનિયાની કોઇ તાકાત, કોઇ નિષ્ફળતા કે ઘોર નિરાશા પણ તેને તેના માર્ગ પરથી વિચલીત કરી શકે નહી જેથી તે નીરંતર આગળને આગળ વધતો રહેતો હોય છે. આ વાત તમને નીચેની વાર્તા પરથી વધુ સારી રીતે સમજાશે.

એક રાજા હતો, તે ખુબ લાંબી માંદગીથી પીડાતો હતો, તે હવે વધારે જીવી શકે તેમ ન હતો અને વધુમા તેને કોઇ બાળક પણ ન હતુ એટલે તેણે પોતાના નગરજનોમાથીજ કોઇને વારસદાર બનાવી રાજગાદી સોંપવાનુ નક્કી કર્યુ. પણ રાજગાદી સોંપવી કોને એ બહુ મોટો પ્રશ્ન હતો .! રાજાએ થોડુ વિચારી હુકમ કર્યો કે જાઓ રાજગાદી સંભાળવા જેટલા યુવાનો લાયક હોય તેમને આમંત્રણ આપી એકઠા કરો. રાજાની આજ્ઞા મુજબ ૧૦૦ જેટલા યુવક યુવતીઓને રાજ્યનુ શાસન ચલાવવા લાયક સમજી તેઓને એકઠા કરવામા આવ્યા.

આ દરેક વ્યક્તીને નગરના એક છેળેના દરવાજા પાસે ઉભા રાખી કહેવામા આવ્યુ કે જે વ્યક્તી આ દરવાજેથી દોડીને નગરની સામે બાજુએ ૫ માઇલ દુર આવેલા દરવાજાથી સૌથી પહેલા પણ ૧ કલાકની સમય મર્યાદામા બહાર નિકળી બતાવશે તેને રાજા બનાવવામા આવશે. આ સાંભળી બધા યુવક યુવતીઓતો હરખમા આવી ગયા અને શરત સ્વીકારી દોડવા માટે તૈયાર થઈ ગયા.પછી દોળવાનો આદેશ મળતાજ બધા યુવક યુવતીઓ પુરી તાકાત લગાવીને દોળવા લાગ્યા. થોળે દુર પહોચ્યા તો ત્યાં એક બોર્ડ મારેલુ હતુ જેમા લખેલુ હતુ કે “ શું તમે સુખી થવા માગો છો “ આ જોઇ યુવાનોતો હરખાણા કે અહી આપણા માટે સુખી થવા જેવુ વળી શું હોઇ શકે ? ત્યાં જઇને જોયુ તો ત્યાં બધાના મનપસંદ હીરો હીરોઇનો નાચી રહ્યા હતા. બધાને તેઓની સાથે નાચવાની છુટ હતી એટલે મોટા ભાગના લોકો મન મુકીને નાચવા લાગ્યા અને બાકીના લોકો આગળ વધ્યા. આગળ વધતા રસ્તામા મોટી બજાર આવી, ત્યાં જાત જાતની ખાણી પીણીના સ્ટોલ હતા. ત્યાંનુ ખાવાનુ જોઇ જાઓ તો વર્ષો જુની ભુખ ઉઘળી જાય તેવુ સ્વાદીષ્ટ અને રજવાળી ટાઇપનુ હતુ. વધુમા આઇસક્રીમ, પીત્ઝા, શરબત, વેજ–નોનવેજ એમ બધાજ પ્રકારનુ શાહી ભોજન તૈયાર હતુ. એટલે વળી પાછા અમુક લોકો ખાવા માટે તો અમુક લોકો ફરવા માટે રોકાઇ ગયા. પણ આ બધામાથી એક યુવાન સતત દોળતો રહ્યો અને પેલા દરવાજાને સૌથી પહેલા પાર કરી બતાવ્યો. બધા લોકોએ ફુલહાર અને ઢોલ નગારા વગાળી તેનુ સ્વાગત કર્યુ અને જાહેર કરવામા આવ્યુ કે તમેજ અમારા નગરના રાજા બનશો. પછી રાજાએ ખુશ થઇને તે યુવાનને પ્રશ્ન પુછ્યો કે રસ્તામા મળેલી સુખ–સુવીધાઓ ભોગવવાનુ તમને મન ના થયુ ? આ પ્રશ્ન સાંભળીને તેણે ખુબ સરસ જવાબ આપ્યો કે મહારાજ હું પણ એક માણસ છુ, મને પણ સુખ–સુવીધાઓ ભોગવવાનુ મન થતુ હતુ, તેમ છતાય હું થોડી વાર રહી વિચારતો હતો કે આ બધુ તો આજનો દિવસજ છે, કાલે એ બધુ હશે કે નહી તેની કોને ખબર છે ! તેના કરતા જો હું આ બધુ જતુ કરીને એક વખત રાજા બની જાવ તો જીંદગી ભર આવી સુખ સાહ્યબીઓ ભોગવવાનો લાભ મેળવી શકુ તેમ છુ. આ કારણથીજ મે જીંદગીભારના આનંદ માટે એક દિવસનો આનંદ જતો કર્યો અને છેવટ સુધી જરા પણ ધ્યાન ભટક્યા વગર દોળતો રહ્યો. રાજા આવો જવાબ સાંભળી ખુબ ખુશ થઇ ગયા અને તેને પોતાનો ઉત્તરાધીકારી ઘોષીત કર્યા.
આપણા બધાના જીવનમા પણ આવુજ કંઇક બનતુ હોય છે. મોટા ભાગના લોકો ક્ષણીક સુખ ભોગવવાની લાલચમા પોતાનો હેતુ ભુલી જીંદગી ભરનો આનંદ ગુમાવી બેસતા હોય છે. નાની નાની નકામી બાબતોમા પડી તેઓ સાચો માર્ગ ભુલી જતા હોય છે અને પાછળથી તેઓ પછતાતા હોય છે. આટલી વાત જો લોકો સમજી જાય અને છેવટ સુધી પોતાના ધ્યાનને નકામી બાબતો, લોભ, લાલચમાથી બચાવી પોતાના હેતુમાજ કેન્દ્રીત રાખે તો વ્યક્તીને સફળ થતા કોઇજ રોકી શકે નહી.

એક ભાઇને અભીમાન કરવાની અને નાની નાની બાબતોમા જઘળાઓ કરવાની ખુબ ખરાબ આદત હતી. જે કોઇ પણ વ્યક્તી તેની સાથે વાત કરે તેને તે પોતાની મોટી મોટી વાતોથી નીચા પાળવાનો પ્રયત્ન કરતો, જો કોઇનાથી ભુલ થઈ જાય, આનાકાની કરે તો તેની સાથે તે જઘડી પડતો. લગભગ દરેક વ્યક્તી સાથે આવુ બનતુ એટલે ગામના લોકો આ ભાઇથી ખુબ કંટાળતા. ગામના ઘણા લોકો સાથે આ ભાઇને ઝઘડો હતો એટલે તેણે ઘણા મોરચે પોતાના કામ ધંધા મુકી લળવુ પડતુ હતુ. તે કામ કરતા કરતા પણ આવી લડાઇઓમા કેમ કરીને જીતવુ અને કેમ કરીને બદલા લેવા તેનીજ વિચારણાઓ કર્યે રાખતો એટલે તેનો મોટા ભાગનો કિંમતી સમય આવી નકામી બાબતોમા વેળફાઇ જતો હતો. તેણે ક્યારેક ઘરમાને ઘરમા ૨–૩ દિવસ સુધી પુરાઇ રહેવુ પળતુ તો ક્યારેક ગામ બહાર પણ ભાગવુ પળતુ. આ રીતે તે મહત્વના કામમા પુરતો સમય આપી ન શકવાને કારણે તે પોતાના મુખ્ય કામમા નીશ્ફળ જતો અને વધુ નકામી બાબતોમા ગુંચવાઇ જતો. પછીતો તેને લોકોએ બોલાવવાનુ બંધ કર્યુ, કામ આપવાનુ બંધ કર્યુ અને પૈસાની તંગી ઉભી કરી તેમ છતાય તે પોતાનો વટ મુકવા તૈયાર ન હતો. તેના માટે બીજી બધી બાબતો કરતા પોતાનો વટ વધારે મહત્વનો જણાતો હતો.

એક દિવસ ફરી પાછો તેને કોઇની સાથે ઝઘડો થયો, પણ આજ વખતે કોઇ સામાન્ય માણસ સાથે નહી પણ મોટા પહેલવાન સાથે ઝઘડો થયો હતો. હવે તમે સૌ જાણોજ છો કે મોટા પહેલવાન સાથે જઘડો થાય તો કેવા હાલ થાય. તો આ પહેલવાને પણ એમજ કર્યુ. કેટલાય દિવસથી તે આ વ્યક્તીને પાઠ ભણાવવા માગતો હતો એટલે આજે બરોબરનો લાગ હતો. તેણે આવેલી તકનો ભરપુર લાભ ઉઠાવ્યો અને પેલા વ્યક્તીની બરોબર ધોલાઇ કરી નાખી.
બોલ હવે કોઇ દિવસ અભીમાન કરીશ ?
ના સાહેબ ના , નહી કરુ ....
હવે ક્યારેય લોકો સાથે નાની નાની બાબતોમા જઘડો કરીશ ?
ના, ભાઇ ના, હવે હું ક્યારેય જઘડો નહી કરુ. મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ છે મને માફ કરો, હું વચન આપુ છુ કે ફરી પાછુ આવુ ક્યારે નહી થાય.
ઠીક છે, જા તને હુ માફ કરુ છુ.
પણ જો હવે કોઇની સાથે ઝઘડતો કરતા દેખાણો તો ગામના બધા લોકો ભેગા થઇને પહેલાતો તને ખુબ મારશુ અને પછી તને ગામની બહાર કઢી મુકશુ,
બોલ મંજુર છે ?.......
હા, મને તમારી બધીજ શરતો મંજુર છે એમ કહી વાતનુ સમાધાન કર્યુ.
જો આ વ્યક્તી પહેલેથીજ સમજી ગયો હોત કે નકામી બાબતોમા પડવાથી કે ઝઘડાઓ થાય તેવુ વર્તન કરવાથી આખરેતો આપણાજ કામ રજળી જતા હોય છે, તો આવો માર તેણે ક્યારેય ખાવો પડ્યો ન હોત, તેના કાર્યો અને કીંમતી સમય પણ બચી ગયા હોત. જો દરેક વ્યક્તી આટલુ સીધુ સાદુ ગણીત સમજી લે તો તેની શક્તીઓ ખોટી જગ્યાયે વેળફાતા બચી જતી હોય છે અને આખરે તેને સફળતા પ્રાપ્ત થતી હોય છે.

માટે યાદ રાખો કે આપણુ જીવન એ કંઈ કચરા પેટી નથી તે આપણે તેમા નકામી બાબતો ઠાલવ્યેજ રાખીએ. જો તમે નકામી બાબતોને તમારી જીંદગીમા ઠાલવ્યેજ જશો તો તમારી જીંદગી એક કચરાપેટી જેવી બનતી જશે, પછીતો લોકો તમારી સાથે વાત કરવાનુ પણ પસંદ નહી કરે, પણ જો તમે જીવન ઉપયોગી બાબતોનેજ જીવનમા સ્થાન આપવાનુ રાખશો તો પોતાની જીંદગી ફુલોના બગીચા જેવી સુદર અને સુગંધીત બની જશે અને વિશાળ જન સમુદાયને આકર્ષી શકાશે.

એક સમજદાર અને ડાહ્યો વ્યક્તી ખુબ સારી રીતે સમજતો હોય છે કે એકતો આપણી પાસે સમય શક્તી ઓછા છે અને એમાય તેનો ફાલતુની ચીજોમા બર્બાદ કરવો એમા કોઇ દ્રષ્ટીકોણથી બુદ્ધીમાની ન કહેવાય. આવી સમજણને કારણેજ આવા વ્યક્તીઓ ઓછા સંસાધનોનો મહત્તમ લાભ મેળવી મહાન સફળતા પ્રાપ્ત કરી બતાવતા હોય છે. આવા લોકોના જીવનમા ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ તેઓ શાંત મનથી ધ્યાન ક્યાં કેન્દ્રીત કરવુ જોઇએ તેવા પોઇન્ટ શોધી કાઢતા હોય છે જ્યારે નીષ્ફળ લોકો નાની નાની બાબતોમા ચીડાઇ જતા હોય છે, ગુસ્સો કરતા હોય છે અને તેઓ પોતાના વાણી–વર્તન પર કાબુ ગુમાવી વધુ નવી સમસ્યાઓ ઉત્પન કરી બેસતા હોય છે. આમ સમસ્યાનો વધારો થતા માણસ મેળવેલી તમામ સફળતાઓ પણ ગુમાવી બેસતો હોય છે.

આપણે બધા જે સમાજમા રહીએ છીએ, તેમા એક બીજા સાથે હળી મળીને ધ્યાન રાખીને જીવવુ પડતુ હોય છે, પણ ઘણી વખત તેમા મનમોટાવ કે ટકરાવ થઇ જાય તેવી પરીસ્થીતિઓ ઉત્પન્ન થતી હોય છે તો આવા સંજોગોમા પોતાની સુઝ બુઝનો ઉપયોગ કરીને આવા ટકરાવો અને વિવાદોને સાચવી લેતા શીખવુ જોઇએ. જે વ્યક્તીને પોતાની જાતને આવી બાબતોથી બચાવતા આવળી જાય છે તેઓ જીંદગી ભરના ત્રાસ દાયક ઝઘળાઓ અને વિવાદોમાથી બચી જતા હોય છે. આ રીતે તેઓ ખુશ ખુશાલ જીવન પસાર કરી શકતા હોય છે અને પોતાના કામમા સફળતા પણ મેળવી શકતા હોય છે.

આવી નકામી બાબતો જોઇએ તો તેમા...

- વધુ પળતા મોજ શોખ, આરામ, દેખાદેખી
- ગુસ્સો, અભીમાન, અપમાનની ભાવના ( નકારાત્મક લાગણીઓ )
- દુ:ખ, ચીંતા, નીરાશા, બદલો લેવાની ભાવના
- વાદ વિવાદ, દુશ્મનાવટ, દલીલબાજી, ગપ્પાબાજી,
- ચોરી, લુંટફાટ, દગાખોરી,
- નકારાત્મક લાગણીઓ, નકારાત્મક વિચારો અને નકારાત્મક લોકો.
- કજીયા, કુટેવ, દેખાદેખી, લાલચ, વધુ પડતા મનોરંજનો, કોઇ પણ બાબતમા અતિશયોક્તી.
- પોતાના હેતુ, જીવન કે ક્ષેત્રને મદદરુપ ન થઈ શકે તેવી બબતો.
- બધુજ યાદ રાખવાનો, દરેક બાબતમા પડવાનો પ્રયત્ન કરવો.
- લફળાબાજી, અશ્લીલતા, વિક્રુતીઓ
- અનૈતીકતા કે અનૈતીક સંબંધો રાખવાની લાલચ વગેરેનો સમાવેશ કરી શકાય ...
આવી નકામી બાબતોમા પળવાના કારણો શું હોઇ શકે ?

- વધુ પડતી લાલચ
- આત્મસંયમ અને નૈતીકતાનો અભાવ
- સમસ્યાને પદ્ધતીસર હેંડલ ન કરી શકવાની અણઆવળત
- પોતાની લાગણીઓ અને નકારાત્મકતા પર ઓછો કાબુ
- ભ્રામક સુખ મેળવવાની લાલચ
- જવાબદારીઓ પ્રત્યે અજ્ઞાનતા કે અણગમો, સમ્માન મેળવવાની અનીચ્છા
- સમાજ પ્રત્યે તીરસ્કાર હોવો
- કોઇ બાબતનો કશો ફર્ક ન પળવો
- શોર્ટકટ કે અનૈતીકતાથીજ બધુ મેળવવાની કુટેવ
- પોતાની આગવી, કુશળ વિચારપદ્ધતી કે કાર્યાપદ્ધ ન હોવી
- માનવિય મુલ્યો, સીધ્ધાંતો, સામાજીક મર્યાદાઓ, કે અનુશાસનમા વિશ્વાસ ન હોવો.
- ખુબ જળપથી બધુ મેળવી લેવાની લાલચ, ધીરજનો અભાવ
- પોતાના માટે શું વધારે મહત્વનુ છે તે નક્કી કરવાની અણઆવળત
- લોકોની નજરોમા પોતાને દુ:ખી, નિરાશ, બેબસ લાચાર સાબીત કરી તેઓની સીંપથી મેળવવાના વલખા મારવા.
- અપમાન કે બદલો લેવાની ભાવના
- તેમજ ડર, ગુસ્સો, અહંકાર વગેરે જેવી બાબતો વ્યક્તીને તેના માર્ગ પરથી અવળે રસ્તે વાળી મુકતી હોય છે.
આવી પરીસ્થિતિઓથી બચવાના ઉપાયો શું હોઇ શકે ?

- પોતાના કામથી કામ રાખો, દરેક વાતમા સલાહ સુચન દેવાનુ, ટીકા ટીપ્પણીઓ કરવાનુ કે લોકોને નીચા પાળવાનુ બંધ કરો. જો કોઇ વ્યક્તી સાથે સમસ્યા હોય તો મન પડે તેમ આરોપ પ્રતી આરોપ કરવાથી બચો કારણ કે તેનાથી સમસ્યા વધુ ગુંચવાતી હોય છે, તેના કરતા એક બીજાનુ હીત સાચવી સભ્ય ભાષામા વાતચીત કરવામા આવે તો બન્ને વ્યક્તીઓ આવી બાબતોમાથી બહાર આવી શકતા હોય છે.

- પોતાના હેતુને બરોબર સમજો, તેના માટે કેવા કામ કરવા જોઇએ અને કેવા નહી તેની સ્પષ્ટતા કરો, આવી સમજ ધરાવતા વ્યક્તીને દરેક કાર્ય પોતાના હેતુને ફાયદાકારક છે કે નુક્શાન કારક તેનુ મુલ્યાંકન કરવાની સમજ વિકસતી હોય છે જેથી તેઓ આસાનીથી નકામા કાર્યોને ઓળખી તેની ચંગુલમા ફસાતા બચી જતા હોય છે.

- જ્યારે તમારા માટે તમારુ જીવન, કાર્ય, પરીવાર દેશ કે સમાજનુ હીત સર્વોપરી બની જશે, તેના સીવાય તમને બીજુ કશુ દેખાશે નહી અથવાતો તમને કંઇક કરી બતાવવાની, સમાજની સેવા કરવાની તાલાવેલી ઉત્પન થશે કે તમને એમ થઇ ઉઠશે કે આ દુનિયાની કોઈ પણ બાબત મને મારો માર્ગ ભટકાવી શકે નહી અને હું જે લેવા નિકળ્યો છુ તે લઇનેજ રહીશ તો આવી વિચારસરણી દ્વારા ધ્યાનને પોતાના હેતુ પર કેન્દ્રીત કરી શકાતુ હોય છે.

- જ્યારે તમને એમ થશે કે મારી પાસે મારી પોતાની ઉચ્ચ કક્ષાની વિચારસરણી છે એટલે મારે કોઇ સામાન્ય વિચારસરણીની દેખાદેખી કે નકલ કરવાની જરુર નથી ઉપરાંત હજુ પણ હું કંઇક અલગ કરી બતાવવા સક્ષમ છુ એટલે મારે કોઇની નકલ કરવાની જરૂર નથી ત્યારે તમારુ ધ્યાન માત્ર તમારા હેતુ પર કેન્દ્રીત થઇ જશે. પછી તમારે કોઇ સાથે બદલો લેવાની કે દેખાદેખીમા પડી મહત્વ મેળવવા હાંફળા ફાંફળા થવાની જરુર રહેશે નહી.

- બીજો એક ઉપાય એ છે કે તમે તમારા નૈતીક મુલ્યોમા વધારો કરી દો. પોતાનામા નૈતીકતા લાવી દો. નૈતીકતા એટલે જાતેજ કોઇ કામ કરવા કે ન કરવાની સમજ. જ્યારે તમે એવુ મજબુતપણે માનવા લાગશો કે મારે અમુક પ્રકારના કામ નજ કરવા જોઇએ, તે મારા વ્યક્તીત્વ, હેતુ કે સમાજની સુખાકારીને અનુરૂપ આવે તેમ નથી ત્યારે તમે તેવા તમામ કાર્યો કરતા બચી જશો કે જે તમારે નજ કરવા જોઇએ. અહી તમને અંદરથીજ તમારી આત્મા તેમ કરવાની ના પાળશે અને જો તેમ કરશો તો તમને ઘણુ દુ:ખ પણ થશે. તો આવી નૈતીકતા તમને એવી તમામ દુષ્ટ, નકામી, નિરર્થક પ્રવૃતીઓથી બચાવી લેશે કે જે તમારા જીવનને બર્બાદ કરવા સક્ષમ હોય.

- ત્રીજા ઉપાય તરીકે અહી અવળે રસ્તે ચઢવાના જેટલા પણ કારણો આપવામા આવ્યા છે તેનો ઇલાજ કરો. દા.ત. વધુ પડતી લાલચ હોય તો તેના ઉપાય તરીકે લાલચ ઓછી કરી દો અને સંતોષથી જીવન જીવવા લાગો.વગેરે...

- ફોનમા આપણે જેટલી વધારે એપ્લીકેશનો ચાલુ રાખીએ તેટલીજ ફોનની સ્પીડ ઘટી જતી હોય છે અને તે વધારે બેટરી કંજ્યુમ કરતો હોય છે. તેના કરતા જો નકામી તમામ એપ્લીકેશનો બંધ કરી દેવામા આવે અને કોઇ એકજ અથવાતો જરૂર પુરતી એપ ચાલુ રાખવામા આવે તો ખુબજ સ્મુધતાથી કામ કરી શકાતુ હોય છે અને વધુમા બેટરીનો પણ બવચાવ કરી શકાતો હોય છે. આમ પોતાના કાર્યમા વગર અડચણે સ્મુધતાથી કામ કરવા માટે નકામી બાબતો, ઘટનાઓ કે વિવાદોથી દુર રહેવુ જોઇએ કે તેના પર પુર્ણવિરામ મુકી દેવુ જોઇએ. આ રીતે વધુ કાર્ય કુશળતા અને શક્તીથી કાર્યને અંજામ આપી શકાતો હોય છે.

- ઇર્ષા, અહંકાર, અપમાનભાવ, નાનપ એ મોટા વજનદાર પથરા છે. આવા પથ્થરો એક પછી એક પોતાના માથે મુકતા જશો તો તમેજ તેના બોજ તળે દબાઇ જશો. પછી પહેલા જેટલી સ્ફુર્તી, હળવાશ કે તાકાત લગાવીને આગળ વધી શકશો નહી. આમ સફળ થવા માટે એ જરુરી છે કે તમે જેટલો જરુરી હોય અથવાતો ક્ષમતા મુજબનોજ વજન ઉપાડી આગળ વધવાનો પ્રયત્ન કરો. જો તમે નકામી બાબતો, નકારાત્મક વિચારો અને લાગણીઓનો બોજ વધારતા જશો તો એ આખરે તમનેજ પડતા કરવા માટે નીમીત્ત બનશે. માટે બને તેટલી નકામી બાબતોથી દુર રહો, તેનાથી તમારા પર બોજો ઓછો પડશે, તમારુ ધ્યાન જરુરી મુદ્દાઓ પર રહેશે અને તેને સરળતાથી હેંડલ પણ કરી શકાશે.

- શાંતીથી પોતાનુ કામ કરો, ગામ આખાની પંચાયત નકરો.

- નકામા બીન જરુરી કજીયા ન કરો.

- શું મહત્વનુ છે અને શું મહત્વનુ નથી અથવાતો શું વધારે મહત્વનુ છે તે સતત ઓળખતા રહો.

- જયાં સુધી મોટી કે ગંભીર બાબત ન હોય ત્યાં સુધી કોઇનોય વિરોધ, દલીલબાજી કે ઝઘડાઓ ન કરો.

- દિવસ દરમિયાન આપણે ઘણા બધા લોકો સાથે મળવાનુ થતુ હોય છે, અનેક પ્રકારની ચેનલો, માહિતીઓ અને સંદેશાઓના સંપર્કમા આવતા હોઇએ છીએ તો એ બધુજ યાદ રાખવાને બદલે તેમાથી આપણા માટે જે ઉપયોગી બાબત હોય તેનેજ યાદ રાખવાનો પ્રયત્ન કરો અને નકામી, ઉશ્કેરાટભરી બાબતોને ભુલી જાઓ. બધીજ બાબતો યાદ રાખવાથી, આપણા મન પર બોજ વધી જતો હોય છે, આપણે કન્ફ્યુઝ, વિકેન્દ્રીત અને ગુંચવાઇ જતા હોઇએ છીએ, પછી આપણે શું કરવુ અને શું ન કરવુ તેની સમજ કેળવી શકતા હોતા નથી. તેના કરતા જો માત્ર જરુરી બાબતોનેજ મહત્વ આપવાનુ વલણ ધરાવતા હોઇએ તો તરતજ નિર્ણય લઈ શકાતો હોય છે કે આપણે શું કરવુ જોઈએ અને શું નજ કરવુ જોઈએ. સચોટ નિર્ણય લેવા માટે આવી વિચારસરણી ખુબજ ઉપયોગી સાબીત થતી હોય છે.
- પ્રાથમિક બાબતોને પ્રાથમિકતા આપો, તેને પહેલા પુરુ કરવાનો પ્રયતન કરો અને ત્યાર બાદજ બીજી કોઇ પ્રવૃતી કરો. એટલેકે અભ્યાસના સમયે અભ્યાસ, રમતના સમયે રમત, જમવાના સમયે જમવુ અને મનોરંજનના સમયે મનોરંજન કરવુ જોઈએ. આ રીતે કામ કરવાથી સમય સંજોગો મુજબ કામ કરી શકાતુ હોય છે.

- છેલ્લે તો હું એટલુજ કહીશ કે પોતાનુ–પોતાના સમાજનુ અને પોતાના દેશનુ હીત સર્વોપરી છે, તેની તુલનાએ અન્ય પ્રવૃતીઓ ક્યારેય મહત્વની ન હોવી જોઇએ ઉપરાંત એવી કોઇ તાકાત પણ ન હોવી જોઇએ કે જે આપણને ભાવુક કે મુર્ખ બનાવી પથભ્રષ્ટ કરી શકે. જો તમે એવુ ઇચ્છતા હોવ તો તમારે નકામી બાબતો કે પ્રવૃતીઓથી ૧૦૦ માઇલ દુરજ રહેવુ જોઇએ ધેટ્સ ઇટ ......