Darek khetrama safdata - 14 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 14

Tips

૧) સૌથી પહેલાતો આ કામ હું નહી કરી શકુ, મારી પાસે સમય કે પૈસા નથી, લોકો મને આગળ આવવા દેતા નથી વગેરે જેવા બહાનાઓ કાઢવાનુ બંધ કરી દો. આવા બધા બહાનાઓ એવી છટકબારીઓ છે કે જેનો ઉપયોગ લોકો પોતાની જવાબદારીઓમાથી છટકી જવા માટે કરતા હોય છે. જો બહાનાઓ કાઢવાનુ એટલેકે આ છટકબારીઓજ બંધ કરી દેવામા આવે તો પછી આપણા માટે જવાબદારી નિભાવવા સીવાય બીજુ કશુજ બચશે નહી અને તેના પર સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત કરી શકાશે. જેને કામ કરવુજ છે તેને ક્યારેય કોઇ સમસ્યા નડતી નથી, તેઓતો તેમાથી પણ રસ્તો શોધીજ લેતા હોય છે પણ જેને કામ નથીજ કરવુ તેઓને માટે તો એક નાની એવી તકલીફજ કામને પડતુ મુકવા માટે પુરતી થઈ પડતી હોય છે. માટે બહાનાઓ કાઢવાવાળા નહી પણ રસ્તો શોધવા વાળા બનો. આ રીતેજ તમે તમારા જીવનને સુધારી શકતા હોવ છો.

૨) જવાબદાર બનવા માટે પોતાના નજીકના લોકોના સુખને નજર સમક્ષ રાખીને જીવો. એક જવાબદાર વ્યક્તી હંમેશા પોતાના પરીવાર બાળકો કે સમાજના લોકોના સુખને વધારે મહત્વ આપતો હોય છે અને તેમા સતત વધારો કરવા પ્રયત્નશીલ રહેતો હોય છે. જો તમે પણ તમારા મા બાપ, પત્ની બાળકો કે સમાજના લોકોની સુખાકારીને નજર સમક્ષ રાખીને જીવવાનો પ્રયત્ન કરો તો ચોક્કસ પણે પોતાની જવાબદારી નીભાવી શકતા હોવ છો.

૩) કોઇ આપણો સાથ આપે કે ન આપે, આપણને સમ્માન મળે કે ન મળે આપણે આપણી જવાબદારી નિભાવ્યે જવી જોઇએ. એક સાચો જવાબદાર વ્યક્તી એજ છે કે જે અનેક પ્રકારની અવગણના, અપમાન કે દુશ્મનાવટ હોવા છતા પણ કોઇ પણ પ્રકારના સ્વાર્થ વગર પોતાના ભાગમા આવતી જવાબદારી વગર સ્વાર્થે નિભાવી બતાવે. જો માતા પીતા પોતાનાજ બાળકોના ઉછેર માટે બાળકો પાસેથી પૈસા માગવા લાગે કે કોઇ વખાણ ન કરે તો કામ પડતા મુકી દે તો પછી તેઓને જવાબદાર વ્યક્તી ગણી શકાય નહી. આમ સાચો જવાબદાર વ્યક્તી એજ છે કે જે અનેક પ્રકારની અવગણના, અપમાન કે દુશ્મનાવટ હોવા છતા પણ પોતાના ભાગમા આવતી જવાબદારી વગર સ્વાર્થે નીભાવી બતાવે.

૪) આત્મવિશ્વાસ વધારો. જ્યારે વ્યક્તીને એમ થવા લાગે છે કે હવે હું આ કામ નહી કરી શકુ કે આટલી બધી જવાબદારી નહી નિભાવી શકુ ત્યારેજ તે જવાબદારીઓથી છટકાવાનો પ્રયત્ન કરતો હોય છે પણ જો તેને એક વખત એમ થઈ જાય કે ગમે તેટલા અને ગમે તેવા કામ કરવાના આવી પડે તો પણ હું તેને પહોચી વળવા સક્ષમ છું તો પછી તેને કોઇ પણ પ્રકારનો ડર લાગશે નહી અને તે આત્મવિશ્વાસથી પોતાની જવાબદારી નિભાવી બતાવશે.

૫) સામેની વ્યક્તી ગમે તે કરે, આપણે આપણી જવાબદારી ચુકવા જોઇએ નહી, આપણે આપણી જવાબદારી નિભાવશુ તો લોકોને તેઓની જવાબદારીનુ જરુર ભાન થશે અને જ્યારે તેમ થશે ત્યારે આપો આપ પરીસ્થીતિઓ સુધરી જશે આવો વિચાર આપણને સતત પોતાની જવાબદારી નિભાવવાની પ્રેરણા આપે છે.

૬) માણસની પણ એક મર્યાદા હોય છે. તે એક સમયે અમુક હદ સુધીજ કામ કરી શકતો હોય છે. જ્યારે અનેક પ્રકારની દિશામા કામ કરવુ પડતુ હોય ત્યારે બધાજ કામ આપણે કરશુ તેવો આગ્રહ રાખવાને બદલે વિશ્વાસુ, ટેલેન્ટેડ કે અનુભવી લોકોને આ કામ સોંપી દેવુ જોઇએ. આ રીતે આપણા કામ પણ થતા રહેશે અને માથે બોજ પણ નહી રહે. આમ કાર્યનુ વિકેન્દ્રીકરણ કરવાથી મોટા ભાગની સમસ્યાઓના સમાધાન લાવી શકાતા હોય છે.

૭) સહનશક્તી વધારો કારણકે વ્યક્તી જવાબદાર ત્યારેજ બની શકે છે કે જ્યારે તે બધાજ દુ:ખ, દર્દ, તકલીફ સહન કરીને પણ પોતાનુ કામ કર્યે રાખે. જે લોકોમા સહનશક્તી નથી હોતી તેઓતો તરતજ કાર્યને પડતુ મુકી ભાગી જતા હોય છે. પછી આવા લોકો પાસેથી કોઇ જવાબદારીપણાની અપેક્ષા રાખી શકાતી હોતી નથી. ઘણી વખત તમે સાંભળ્યુ હશે કે એતો નાદાન છે, એને કશી ખબર પડે નહી, પણ તમેતો જવાબદાર વ્યક્તી છો ને! તમારાથી આવુ કામ કેવી રીતે થઈ શકે? તો આ રીતે પણ પોતાની જવાબદારીઓ નિભાવ્યે જવી જોઇએ.

૮) પોતાની વિવિધ ભુમીકાઓ સમજો. દા.ત. આસપાસ કચરો ફેલાયેલો હોય તો તેના માટે તમે પોતાનેજ જવાબદાર ગણો કે નહી આ બધુ મારા કારણેજ થઇ રહ્યુ છે, મને ખબર છે કે આસપાસ કચરો ના ફેલાવાય તેમ છતા પણ હું લોકોમા જાગૃતી ફેલાવાનો પ્રયત્ન નથી કરતો, હું લોકોને માર્ગદર્શન આપવાની મારી ભુમીકા કે જવાબદારી નથી સમજતો એટલા માટેજ લોકો પોતાની જવાબદારી નથી સમજતા અને અહી કચરો ફેલાવે છે. જો હું આ બાબતને મારી જવાબદારી સમજી જાતેજ કચરો સાફ કરવાનો પ્રયત્ન કરી ઉદાહરણરૂપ શરૂઆત કરૂ તો ધીરે ધીરે લોકોને પોતાની ભુલ સમજાશે અને આ રીતે નાની એવી શરુઆત મોટા આંદોલનમા ફેરવાઇ જાશે. આમ સમાજમા જે કંઇ પણ ચોરી, લુંટફાટ, દગાખોરી, અજ્ઞાનતા કે કુરીવાજો છે તેમા પોતાની ક્યાંકને ક્યાંક રહેલી ભુમીકા સમજી જાતેજ તેમા સુધારો કરવાના પ્રયત્ન કરવામા આવે કે એક નવી શરુઆત કરવામા આવે તો પોતાની જવાબદારીઓ સારી રીતે નીભાવી શકાતી હોય છે.

૯) પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને માનવતા, દેશ અને સમાજના હિતમા હોય તેવુજ કાર્ય કરો, જે માર્ગ પર પોતાની જીંદગી સુધરી શકતી હોય અથવાતો દરેકનુ ભલુ થતુ હોય તે માર્ગનીજ પસંદગી કરો, નહી કે હીંસા, અત્યાચાર કે બદલાની.

૧૦)દરેક બાબતની કાળજી લેતા શીખો, તેના માટે તમારે શું યોગ્ય છે, શું અયોગ્ય છે, તેમજ સાચા-ખોટાની પરખ કરી યોગ્ય નિર્ણય લેતા શીખો.

૧૧) મમત્વભાવ વિકસાવો, તમે જ્યારે એમ વિચારતા થશો કે નહી આ બધુ મારા માટે છે, મારા દેશ, સમાજ કે પરીવાર માટે છે, આ મારી વસ્તુ છે, આ મારો પરીવાર છે, આ મારુ જીવન છે જેને હું આ રીતે બગળવા નહીજ દઉ તો આ રીતના વિચારોથી તમને તેની કિંમત સમજાશે, તેની કાળજી લેવાની એક પ્રકારની તત્પરતા કે મમત્વભાવ ઉત્પન થશે જે તમને જેમ મા-બાપ પોતાના બાળકો પ્રત્યેની જવાબદારી નિભાવે છે તેમ પુરા પેશન અને ડેડીકેશનથી પોતાની જવાબદારી નિભાવતા કરી આપશે.

૧૨) તમારા મા-બાપ, પરીવાર, સમાજ અને દેશે તમારા માટે કરેલા કાર્યો, બલીદાનો, મદદ અને સેવાને યાદ કરો, સમાજના કોઇ મોભીએ તમારા જેવા વ્યક્તીઓના ભલા માટે, વિકાસ માટે કેટલા અથાક પ્રયતો કર્યા છે, દુ:ખો સહન કર્યા છે અને કેટલા બલીદાનો આપ્યા છે તેને યાદ કરો. તમે જે દેશમા રહો છો તે દેશના જવાને બુરી તાકતોથી તમને બચાવવા પોતાના જીવનુ બલીદાન પળભરમાજ આપી દીધુ છે તે યાદ કરો, તેનો અભ્યાસ કરશો અથવાતો તેઓએ જે તકલીફો, યાતનાઓ, મનોવ્યથાઓ કે અપમાનો સહન કર્યા છે તેને અનુભવવાનો એક વખત પ્રયત્ન કરશો તો જરૂરથી તમને તમારી જવાબદારીઓ સમજાશે જે તમારા જીવનમા એક નવો અધ્યાય શરુ કરશે અને તેને એક નવીજ દિશા પ્રદાન કરશે.

૧૩) દરેક બાબતનો હિસાબ રાખો, કોઇ પણ બાબત કે વસ્તુનો બગાળ ન થવા દો પછી તે સમય, સંપતી, નાણા સંબંધો, દ્રવ્યો, વાતાવરણ, મગજ, ભાષા, લાગણીઓ, વિચારો, એમ કંઇ પણ હોય. આમ દરેક બાબતનુ ધ્યાન રાખવુ એ જવાબદારીપણાનુ સૌથી મોટુ લક્ષણ છે, માટે દરેક બાબતની કાળજી રાખો અને બને ત્યાં સુધી દરેક બાબત સુધારવાનો પ્રયત્ન કરો.

૧૪) નાની–નાની વાતોમા ફર્યાદો કરવી, આરોપો નાખવા, ચુગલીઓ કરવી, તેમજ નિરર્થક ગપ્પાબાજીઓ કરવાનુ બંધ કરી દો, તેનાથી તમારા સમય, શક્તી, વિચારો અને માનસીક શક્તીઓનો બગાળ થશે અને તમારુ વર્તન વધુ બેજવાબદાર બની જશે.

૧૫) લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરો અને તેને કોઇ પણ રીતે જાળવી રાખો.

૧૬) સમાજ ઉપયોગી નીતિ નિયમો અને મુલ્યોનુ કડકાઇથી પાલન કરો. શીસ્તબદ્ધ જીવન જીવવાનો પ્રયત્ન કરો.

૧૭) સંપુર્ણ શીષ્ટાચારથી વર્તન કરો, દરેકના સમ્માન અને લાગણીઓને માન માળી રહે તેવુ વર્તન દાખવો.

૧૮) આરોપો, ભુલો, ફર્યાદો કે પરીણામોનો રઘવાયા થયા વગર સ્વીકાર કરતા શીખો.

૧૯) દરેક વ્યક્તી પ્રત્યે સમભાવ રાખો, દરેક વ્યક્તી પોતાના સમાજનુ મહત્વનુ અંગ છે તેમ સમજી તેઓ પ્રત્યે આદરભાવ કેળવો અને દરેકના હિતોનુ રક્ષણ કરો.

૨૦)નકારાત્મક લાગણીઓ જેવીકે ગુસ્સો, અપમાન, અહંકાર, બદલો લેવો, ઇર્ષાથી દૂરજ રહો કારણ કે મોટા ભાગના લોકો આવા કારણોને લીધેજ પોતાની જવાબદારી ચુકી જતા હોય છે .

૨૧) દારુ, વ્યસનો, ગુંડાગર્દી, અસામાજીક પ્રવૃતી, વધૂ પડતા મોજ શોખ, અશ્લીલતાનો ત્યાગ કરી દો કારણકે આવી બધી પ્રવૃત્તીઓ વ્યક્તીની પોતાની જવાબદરીઓ પ્રત્યેની સમજશક્તી છિનવી લે છે.

૨૨) પોતાના કાર્યો, ફરજો અને તેની અસરો પ્રત્યે સભાનતા કેળવો, તેનાથી કોઇને નુક્શાની ન થાય તેની કાળજી રાખો.

૨૩) અન્યોને ગમે તેવુ વર્તન કરો, તેઓના દુરવ્યવહરની નકલ કરવાને બદલે તેઓને સાચી દિશામા પ્રોત્સાહન આપી સમાજ ઉપયોગી બનાવી દો.

૨૪) માફ કરતા શીખો, દરેક વ્યક્તીથી ભુલ થાયજ છે તેમા કશું નવુ નથી તેમજ આવી ભુલોને સુધારી શકાય છે તેમ સમજીને માફ કરતા શીખો. નાના બાળકોની જેમ નાની નાની વાતોમા બદલો લેવા ન દોળો, સમજાવટથી કે વાતચીતથી સમસ્યાનુ સમધાન થઇજ શકે છે તેવો વિશ્વાસ કેળવવો એ પણ એક પ્રકારનુ જવાબદારીભર્યુ વર્તનજ છે.

૨૫) નાની-નાની જવાબદારીઓ નિભવવાની પ્રેક્ટીસ કરો કારણકે આવી નાની નાની જવાબદારીઓ નિભાવવાનો અનુભવ હશે તો મોટી જવાબદારીઓ નિભાવવી સરળ બની રહેશે.

૨૬) પોઝિટીવ બનો કારણ કે નકારાત્મકતાની ચંગુલમાથી છુટી હકારાત્મકતા પ્રાપ્ત કરવી એ દરેક વ્યક્તીની પોતાના જીવન પ્રત્યેની જવાબદારી બને છે.

૨૭)દરેક વ્યક્તીની પોતાના જીવનને ઉંચાઇઓ તરફ લઇ જવાની જવાબદારી હોય છે માટે દરેક વ્યક્તીએ પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત કરી સતત મહેનત કરી એવી આવળતો વિકસાવવી જોઇએ કે જે તેમને સફળતાના શીખર પર બીરાજમાન કરે અને તમારા જીવનને વધુ સમૃધ્ધ બનાવે.

૨૮) મનુષ્ય એ સામાજીક પ્રાણી છે, તે દરેકને પોતાનો દેશ, પ્રદેશ, પરીવાર કે સમાજ હોય છે કે જેમા તે રહેતો હોય છે. આ દરેક વ્યક્તી પોતાના પરીવાર, દેશ-પ્રદેશ કે સમાજનો ઋણી હોય છે. તો આ ઋણ ચુકવવા માટે નિસ્વાર્થ ભાવે તેની સેવા કરવી, તેની તકલીફો દૂર કરવી એ દરેક વ્યક્તીની જવાબદારી બને છે. માટે પોતાના શ્રમ, શક્તી અને આવકનો અમુક ભાગ સમાજ સેવામા વપરાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ.

૨૯) દેખાદેખી, નાટકબાજી, ટાઇમપાસ કે વધુ પડતા મનોરંજનો બંધ કરી પોતાના જીવનને સુધારવામા લાગી જાઓ કારણકે આખરેતો આવી પ્રવૃતીઓનો કોઇજ લાભ નથી. એક વખત તેનો હીસાબ માંડી જોજો.

૩૦) તમામ પ્રકારના કાર્યો, જવાબદારીઓ નિભાવી બતાવવાની ધુન પોતાના મન પર સવાર કરો. આ રીતે આપો આપ તમે સતત પ્રયત્નશીલ બની જશો અને તમામ કાર્યો સુખદ રીતે પુર્ણ કરી શકશો.