Antim Aashram book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Antim Aashram is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અંતિમ આશ્રમ - Novels
by Rakesh Thakkar
in
Gujarati Fiction Stories
શહેરથી દૂર આવેલા 'વયવંદન જીવન આશ્રમ'માં ઉજેશભાઇએ પ્રવેશ મેળવ્યો એની પાછળ તેઓ વૃધ્ધ અને એકલા હતા એ એકમાત્ર કારણ ન હતું. એક અલગ આશય સાથે તેમણે પ્રવેશ મેળવ્યો હતો. તેમને ખબર ન હતી કે તેમનો હેતુ કેટલો પાર પડવાનો છે અને તે વહેતા ઝરણાના નિર્મળ નીર જેટલી સરળતાથી રહી શકવાના છે કે દરિયામાં આવતા તોફાન જેવો અનુભવ કરવાના છે. આ આશ્રમ બીજા વૃધ્ધાશ્રમોથી અલગ હતો. એમાં આર્થિક રીતે પછાત કે જીવનમાં દુ:ખી વૃધ્ધોથી પ્રવેશ મેળવી શકાતો ન હતો. આ એવા વૃધ્ધો માટેનો આશ્રમ હતો જ્યાં રહેવા માટે મોટી કિંમત ચૂકવવી પડતી હતી. સમાજમાં એવા અનેક એકલા વૃધ્ધ સ્ત્રી-પુરુષો છે જેમની પાસે પૈસા છે પણ તેમની સાથે કોઇ વાત કરે કે રહે એવી પરિસ્થિતિ નથી. એવા વૃધ્ધો આ આશ્રમમાં નિવાસ કરીને એકલતા દૂર કરી શકે અને પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉજેશભાઇ 'વયવંદન જીવન આશ્રમ'માં પ્રવેશ માટેની એ બંને લાયકાત ધરાવતા હતા જેનું નિર્ધારણ આશ્રમની સ્થાપના વખતે થયું હતું.
રાકેશ ઠક્કર પ્રકરણ-૧ શહેરથી દૂર આવેલા 'વયવંદન જીવન આશ્રમ'માં ઉજેશભાઇએ પ્રવેશ મેળવ્યો એની પાછળ તેઓ વૃધ્ધ અને એકલા હતા એ એકમાત્ર કારણ ન હતું. એક અલગ આશય સાથે તેમણે પ્રવેશ મેળવ્યો હતો. તેમને ખબર ન હતી કે તેમનો હેતુ ...Read Moreપાર પડવાનો છે અને તે વહેતા ઝરણાના નિર્મળ નીર જેટલી સરળતાથી રહી શકવાના છે કે દરિયામાં આવતા તોફાન જેવો અનુભવ કરવાના છે. આ આશ્રમ બીજા વૃધ્ધાશ્રમોથી અલગ હતો. એમાં આર્થિક રીતે પછાત કે જીવનમાં દુ:ખી વૃધ્ધોથી પ્રવેશ મેળવી શકાતો ન હતો. આ એવા વૃધ્ધો માટેનો આશ્રમ હતો જ્યાં રહેવા માટે મોટી કિંમત ચૂકવવી પડતી હતી. સમાજમાં એવા અનેક એકલા વૃધ્ધ
રાકેશ ઠક્કર પ્રકરણ-૨ ઉજેશ રાજપરાએ ગહન ચિંતન કરીને 'જીવનલેખા' માટેની નવી નવલકથાના કરારમાં કેટલીક સત્તા તંત્રી જયરામ શેઠને આપી હતી. પહેલાં તો ઉજેશભાઇને આવી કલ્પના જ ન હતી. જયરામ શેઠ આવી શરત મૂકશે એ કલ્પના બહારનું જ નહીં માની ...Read Moreના એવું હતું. ઉજેશભાઇએ જ્યારે જાણ્યું કે 'વયવંદન જીવન આશ્રમ' કાર્યરત છે અને તેમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત સામાન્ય વૃધ્ધાશ્રમોથી અલગ છે ત્યારે રસ પડ્યો. અને એ આશ્રમ વિશે થોડું જાણ્યા પછી એના પરથી એક અલગ પ્રકારની નવલકથા લખવાનો વિચાર આવ્યો. એક એવી કથા જેમાં જુદા-જુદા વર્ગમાંથી જુદા-જુદા વિચાર ધરાવતા પૈસાદાર લોકોના જીવનની કથની હોય અને તે એકબીજાને સમાંતર ચાલતી
રાકેશ ઠક્કર પ્રકરણ-૩ ઉજેશભાઇ માટે અલ્પનાનો પહેલો પરિચય ચોંકાવનારો હતો. પોતે વિચારતા હતા કે 'વયવંદન જીવન આશ્રમ' માં રહેતા વૃધ્ધોનો ફાઇલમાં પ્રાથમિક પરિચય જ છે. પરંતુ પોતે અહીં આવે એ પહેલાં પોતાની પ્રસિધ્ધિ અહીં આવી પહોંચી હતી? અલ્પનાબેન પોતાને ...Read Moreહતા એ વાત માની લઇએ. એ ઓળખ બેંક મેનેજર પૂરતી સીમિત છે કે લેખક સુધી વિસ્તરેલી છે એનો ખ્યાલ આવતો નથી. પણ અહીં આવવાનો મારો હેતુ એ જાણે છે અને કોઇને પોઇન્ટ બ્લેન્કથી ગોળી મારતા હોય એમ કહે છે એ આશ્ચર્યજનક કરતાં ડરાવનારું વધારે છે. ઉજેશભાઇને શું જવાબ આપવો એ જ સમજાતું નથી. આ મહિલા પોતાના મોંએથી જ હું મારો
રાકેશ ઠક્કર પ્રકરણ-૪ ઉજેશભાઇને થયું કે અલ્પનાનું જ્યોતિષ જ્ઞાન એના જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થયું એ જાણતા પહેલાં પોતાના જીવન માટે મુશ્કેલી સર્જી જશે. અલ્પનાની પહેલી આગાહી જ ચોંકાવનારી હતી. બાળપણના લખવાના શોખને કારણે પોતે લેખક બનવાનો છે ...Read Moreઆગાહી કરી છે. ઉજેશભાઇએ એને ખોટી ઠરાવવા કહ્યું:"બાળપણમાં તો બધાને જ લખવાનો શોખ હોય છે. અભ્યાસ કરતી વખતે તો લખવાનું જ વધારે હોય ને! અને હું તો મોટો થયા પછી બેંકની અને બીજી પરીક્ષાની નોકરી આપવા માટે પણ ઘણું વાંચતો અને લખતો હતો...." ઉજેશભાઇ પોતાની વાતથી અલ્પનાની વાતને બીજા પાટા પર લઇ જવામાં સફળ રહ્યા. એને વધારે વિચારવાની કે ગણતરી
રાકેશ ઠક્કર પ્રકરણ-૫ ઉજેશભાઇને થયું કે 'વયવંદન જીવન આશ્રમ' ની અસલી હકીકત બતાવીને તેમણે ભૂલ કરી છે. પોતાનો હેતુ પણ હસમુખભાઇ જાણે છે? એમને ઓળખવામાં હું થાપ ખાઇ ગયો છું. યોજનાબધ્ધ રીતે 'વયવંદન જીવન આશ્રમ' ચાલી રહ્યો છે? પોતે ...Read Moreકેટલો પ્રભાવિત થઇ ગયો હતો. આશ્રમના નામ પર અહીં બીજી જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. વૃધ્ધો માટેના ઓઠા હેઠળ પ્રવેશ અપાય છે પણ એમના પર સંસ્થાનું કોઇ નિયંત્રણ નથી. મને તો બધા નિયમોની વાત કરી હતી. ઉજેશભાઇએ કહ્યું:"મારો હેતુ તો બધાંને મળવાનો જ છે....તમે જે નિયમો બનાવ્યા હોવાનું કહ્યું હતું એનું પાલન કોણ કરે છે?" "તમારો જે હેતુ હોય એ,