Pratishodh book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pratishodh is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રતિશોધ પ્રથમ અંક - Novels
by Jatin.R.patel
in
Gujarati Horror Stories
નમસ્કાર વાચક મિત્રો, તો તૈયાર થઈ જાઓ એક રહસ્યમય અને ભયાનક અનુભવ માટે. ડેવિડ, ડેવિલ રિટર્ન, આક્રંદ એક અભિશાપ જેવી હોરર સસ્પેન્સની ભવ્ય સફળતા પછી હું પુનઃ આપ સૌની પસંદગીનું લખાણ લઈને હાજર છું.
વર્ષોથી વિશ્વભરનાં લોકો માટે કાળી વિદ્યા, તંત્ર મંત્ર, ભૂત-પ્રેત એમનો રસનો વિષય રહ્યો છે. ભલે તમે ભૂતપ્રેતમાં વિશ્વાસ ધરાવતાં હોવ કે ના ધરાવતાં હોવ પણ આ વિષયમાં જાણવાની રુચિ તમારાં મનમાં હંમેશા રહેલી જ હોય છે. તમારાં કાને જ્યારે આવી કોઈ વાત પડે કે તુરંત જ તમારાં કાન એ સાંભળવા સરવા થઈ જાય છે.
ગુજરાતી સાહિત્યમાં હોરર જોનર એ વર્ષોથી વાચકોની પસંદગીનું જોનર રહેલું છે. છતાં એચ.એન.ગોલીબાર સિવાય અત્યારનાં સમયમાં અન્ય કોઈ લેખક આ જોનરમાં જોઈએ એવી સફળતા મેળવી નથી શક્યાં. આનું કારણ હકીકતમાં શું છે એ તો મને નથી ખબર પણ, શક્યવત કલ્પનાનાં કેનવાસ પર લખાતાં આ લખાણને વિવેચકો નિમ્નકક્ષાનું માનતા હોવાં જોઈએ એ વાત આ બધાં પાછળ ક્યાંકને ક્યાંક જવાબદાર હોવી જોઈએ.
પ્રતિશોધ પ્રથમ અંક પ્રસ્તાવના નમસ્કાર વાચક મિત્રો, તો તૈયાર થઈ જાઓ એક રહસ્યમય અને ભયાનક અનુભવ માટે. ડેવિડ, ડેવિલ રિટર્ન, આક્રંદ એક અભિશાપ જેવી હોરર સસ્પેન્સની ભવ્ય સફળતા પછી હું પુનઃ આપ સૌની પસંદગીનું લખાણ લઈને હાજર છું. વર્ષોથી ...Read Moreલોકો માટે કાળી વિદ્યા, તંત્ર મંત્ર, ભૂત-પ્રેત એમનો રસનો વિષય રહ્યો છે. ભલે તમે ભૂતપ્રેતમાં વિશ્વાસ ધરાવતાં હોવ કે ના ધરાવતાં હોવ પણ આ વિષયમાં જાણવાની રુચિ તમારાં મનમાં હંમેશા રહેલી જ હોય છે. તમારાં કાને જ્યારે આવી કોઈ વાત પડે કે તુરંત જ તમારાં કાન એ સાંભળવા સરવા થઈ જાય છે. ગુજરાતી સાહિત્યમાં હોરર જોનર એ વર્ષોથી વાચકોની પસંદગીનું
પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:2 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ પંડિત શંકરનાથ પંડિત હવે વધુ તીવ્ર અવાજમાં શ્લોકોનું રટણ કરી રહ્યાં હતાં. જેમ-જેમ એમનો સ્વર ઊંચે જઈ રહ્યો હતો એમ-એમ આસપાસ પડઘાતી ભયાવહ ચીસો વધુને વધુ ડરાવણી થઈ રહી હતી. પોતાની ...Read Moreભડવીર કહેનારાં લોકો માટે પણ જ્યારે ત્યાંનાં ભયાનક વાતાવરણમાં ઊભું રહેવું અશક્ય હતું ત્યારે શંકરનાથ પંડિતનો પૌત્ર સૂર્યા એનાં દાદાજીના જણાવ્યાં મુજબ હાથમાં મોજુદ રહેલી બરણીને કસકસાવીને પકડીને બેઠો હતો. અચાનક એક મોટો કાગડો સૂર્યાની નજીકથી કકર્ષ અવાજ કરતો પસાર થયો જેની આંખો કોઈ હીરાની માફક ચમકી રહી હતી. આવાં સમયે આવું કોઈ અન્ય વ્યક્તિ સાથે થાય તો નક્કી એનાં
પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:3 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ પોતાનાં દાદાની આજ્ઞાનું પાલન કરવા સૂર્યા અબ્રાહમની આત્માનો શિકાર કરવા બિહામણા જંગલોમાં પ્રવેશી ચૂક્યો હતો. જાણે મોટું ચક્રવાત આવવાનું હોય એમ જંગલોમાં પવનનું જોર વધી ગયું હતું. આમથી તેમ હાલકડોલક થતાં ...Read Moreપરસ્પર ઘસાવાના લીધે ઉત્તપન્ન થતો વિચિત્ર ધ્વનિ આ સમયે હાડ ધ્રુજાવી નાંખે એવો ભયાનક લાગી રહ્યો હતો. "એ બાળક, જતો રહે અહીંથી પાછો!" એક તીણો સ્ત્રી અવાજ સૂર્યાના કાને પડ્યો. "અબ્રાહમની આત્મા હવે એકલી નથી, એની સાથે અમે પણ છીએ." "તો પછી હું તમારાં બધાંનો પણ એની સાથે શિકાર કરીશ.!" સૂર્યા આજુબાજુ નજર ઘુમાવતાં મક્કમ અવાજે બોલ્યો. "તારાં દાદા છેલ્લાં
પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:4 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ સૂર્યાએ પોતાની ઉપર પડેલું ભારે-ભરખમ લાકડું ઉપાડીને દૂર કરવાની ઘણી કોશિશ કરી પણ એ બધી કોશિશો વ્યર્થ સાબિત થઈ. "શંકરનાથ, તે મારો શિકાર કરવા આ માસુમ બાળકને મોકલીને બહુ મોટી ભૂલ ...Read Moreછે." અબ્રાહમ હવે વ્યંગ કરતાં કહ્યું. "તું મારું કાંઈ નહીં બગાડી શકે!" સૂર્યાએ ક્રુદ્ધ સ્વરે કહ્યું. "આટલો બધો ઘમંડ સારો નહીં મૂર્ખ બાળક." અબ્રાહમે સૂર્યાની તરફ આગળ વધતાં કહ્યું. "હવે તું બે ઘડીનો મહેમાન છે તો આ સમયમાં તું તારાં ભગવાનને યાદ કરી લે, હું જોઉં છું કે તારો ભગવાન તને કઈ રીતે બચાવે છે!" પોતે જે પરિસ્થિતિમાં ફસાયો હતો
પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:5 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ પોતાનાં દાદાએ સોંપેલું કાર્ય સિદ્ધ કરીને સૂર્યા જ્યારે પોતાનાં ઘરે પહોંચ્યો ત્યારે એનાં દાદા ઘરની અંદર સ્થાપિત માં કાળીનાં મંદિર આગળ બેસીને પૂજા કરી રહ્યાં હતાં. "તું આવી ગયો દીકરા?" સૂર્યાના ...Read Moreઅવાજ સાંભળી શંકરનાથે કહ્યું. સૂર્યાને એ વાતનું આશ્ચર્ય થયું કે એનાં દાદાની આંખો હજુ બંધ છે છતાં પોતાનાં આગમનની જાણ એમને કેમની થઈ? "જા, તું તારાં રૂમમાં જઈને સુઈ જા..વધુ વાતો સવારે કરીશું." સૂર્યા જંગલમાં શું થયું એ વિશે પોતાનાં દાદાને જણાવવા ઉત્સુક હતો પણ શંકરનાથના આ શબ્દો સાંભળી એ કોઈ જાતનો વિરોધ કર્યાં વિનાં પોતાનાં રૂમમાં જઈને સુઈ ગયો.