હવે તો આ શિક્ષણ પદ્ધતિ માં ફેરફાર થાય તો સારું...

(21)
  • 4.3k
  • 3
  • 1k

આજના સમય નું શિક્ષણ જોતા તો એવું જ લાગે છે કે ખરેખર આ શિક્ષણ માં ફેરફાર થવો જોઇએ. આજના સમયમાં ફક્ત શિક્ષણ માં જ નહિ પરંતુ વેપાર વાણિજ્ય, નોકરી ધંધા દરેક જગ્યા એ ભ્રષ્ટાચાર નું પ્રમાણ વધતું જાય છે. આજે શિક્ષણ પદ્ધતિ માં વધારે પડતો જ ફેરફાર આવી ગયો છે. આવા અનિચ્છિત ફેરફાર ને કારણે શિક્ષણ પદ્ધતિ ખોરવાઈ ગઈ છે. આવા અનિચ્છિત ફેરફાર ની કોઈને આશા ક અપેક્ષા ન હતી. શિક્ષણ માં થયેલા આવા અસાધારણ ફેરફારો ને કારણે શિક્ષણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આતંકવાદ અને ભ્રષ્ટાચાર નો વ્યાપ ફક્ત રાજકારણ માં જ નહિ પરંતુ શિક્ષણ માં પણ વધવા લાગ્યું છે.