Half Love Part 3 in Gujarati Love Stories by Bhavin Jain books and stories PDF | અડધો પ્રેમ ભાગ-3

Featured Books
Categories
Share

અડધો પ્રેમ ભાગ-3

જાન્વી અને વિવાન અઠવાડિયે ફક્ત ૫ થી ૧૦ મિનિટ મેસેજમાં એવા મશગુલ થઈ જતાં કે બંને મનોમન એકબીજાને વ્હાલ કરતાં હોય અને લાગણીઓનો જાણે વરસાદ થઈ રહ્યો હોય.

વાત મારા વ્હાલની

કદીયે ના ભૂલું વ્હાલી તારી વાત

ટમટમતા તારલા કેમ કરી ભૂલે એ રાત,

ગુંજતો અવાજ તારો મદમસ્ત બનાવે મનને

સ્વીકાર્યું મે આજ કે લખું તારા નામે આ તનને,

દરિયો પણ ટૂંકો પડે જ્યારે આવે આવો પ્રેમ

જીવનની મહેફિલમાં સૌને વ્હાલો છે જીવ જેમ,

જિંદગી મારી તને સોપું જો તું લે મારી સંભાળ

દિલમાં બનાવું બીજો માળ જ્યાં રહે આપણું બાળ,

મનમાં મારી તું ભમે છે કેમ કરી તને કહું

ઈચ્છા ફક્ત એક મારી, સંગે તારી હું રહું,

વાટે છું એ ક્ષણની જ્યારે લગ્ન આપણાં લેવાય

માણીએ આપણે દરેક પળ જ્યારે વાયરા ઠંડા વાય

આભાર

આમ વિવાન હમેશા જાન્વી સાથે વાત કરવા ઉત્સુક હોય પણ જાન્વી પાસે પોતાનો ફોન ના હોવાથી ઘરના ફોનમાથી મેસેજ કરવા અનુકૂળ સમય બનાવવો પડતો. એ સમય બનાવવા માટે જાન્વી વહેલી સવારે ૪ વાગે વાંચવા જાગે અને મેસેજ કરે જ્યારે આ તરફ વિવાન હાથમાં ફોન લઈને સૂતો હોય જેથી જેવો મેસેજ આવે કે તરત જ અડધી ઊંઘમાથી જાગીને વાત કરવા ઊભો થઈ જતો અને મેસેજથી ૫-૧૦ મિનિટ વાત કરતાં. આવું અઠવાડિયે એકવાર શક્ય બનતું અને ક્યારેક તો મહિને એકવાર પણ વિવાનનો પ્રેમ જુઓ તો મેસેજ આવે કે ના આવે સવાર સાંજ ફોન હાથમાં રાખીને રાહ જુએ.

રોજ સમયસાર ક્લાસે આવે બંને અને ફક્ત એકબીજાને જોઈને આંખોમાં જ પ્રેમી મુલાકાત થતી.

સાચો પ્રેમ હતો એ વાત તો ત્યાં જ સાબિત થાય જ્યારે ૩ મહિના વીતી જવા છતાં એ બંને એકપણ જગ્યા એ એકાંતમાં મળ્યા જ નહોતા, અને મળવાની વાત તો દૂર પણ એકબીજાને સ્પર્શ પણ

નહોતું કર્યું. એ બંનેનું એવું માનવું હતું કે પ્રેમ તો આંખોમાં અને દિલમાં ઉતરવો જોઈએ, આત્માનું મિલન થાય અને પ્રેમની લાગણીઓ અનુભવાય તો જ સાચો પ્રેમ અને અહિયાં એવું જ હતું.

તો આપણે આપણાં પ્રેમી પંખીઓની વાત આગળ વાંચીએ કે શું થયું આપણાં વિવાન અને જાન્વીની પ્રેમ કહાનીમાં.

ઘણીવાર તો એવું થતું કે માંડ એકાદ મહિને મેસેજ આવ્યો હોય અને સરસ મજાની વાતો કરતાં હોય ત્યાં જ અચાનક જાન્વી જવાબ આપવાનું બંધ કરી દે તેથી વિવાન ખૂબ જ ચિંતામાં પડી જાય, ક્યાય મન ના લાગે, કોઈ કામ ના ગમે, રોજ સવાર સાંજ ભગવાન પાસે જઈને પૂછે કે શું થયું જાન્વીને, ત્યાં ને ત્યાં આંસુ નીકળી જાય અને મનમાં પ્રાર્થના કરતો કે જાન્વીને કઈ થયું ના હોય તો સારું, જાન્વીના ઘરે કોઈને ખબર ના પડી ગઈ હોય તો સારું અને ભગવાનને કહેતો કે જલ્દી બીજી વાર મેસેજ આવે કે કોલ પર વાત થાય જાય તો હાશકારો થાય.

પણ થતું એવું કે આવી ચિંતામાં ૧૦ દિવસ નીકળી જાય અને બિચારો વિવાન આટલા દિવસની ચિંતામાં ના સરખું જમે અને ના તો સરખું ક્યાય ધ્યાન હોય પણ જ્યારે જાન્વીનો મેસેજ આવે કે વિવાનની ખુશી એટલી હોય કે જાણે ખૂબ જ તડકા પછી ઠંડો વરસાદ પડ્યો હોય અને બાળકો નાચતા હોય, અને જે લાગણીઓ અનુભવાય, તે કઈક અલગ જ હોય છે.

પરંતુ એક દિવસ જાન્વી એ ફક્ત મિસકોલ કર્યો અને વિવાન એ મેસેજ કરીને પુછ્યું કે કેમ મિસકોલ?

અને જાન્વીનો જવાબ આવ્યો કે "કોલ કરો"...

ક્રમશઃ