Motivation - Part 1 books and stories free download online pdf in Gujarati

પ્રોત્સાહન વિભાગ - 1 (MADwAJS)



પ્રોત્સાહન,
પ્રોત્સાહન” નામની આ જવાળા દરેક વ્યકિતમાં હોય છે. આપણે આપણી જાતને પ્રોત્સાહીત
કરીએ છીએ. આપણે આપણા આદર્શ પાત્રો દ્વારા પણ પ્રોત્સાહીત થઈએ છીએ, એક પુખ્ત યુવાન તરીકે
આપણે આપણી જાતને પ્રોત્સાહીત કરવી જ જોઈએ. પ્રોત્સાહન, એ માણસની વર્તણુંક અને અભિગમ
ઉપર આધાર રાખે છે. પ્રોત્સાહન માણસના મનને એના ચોક્કસ ધ્યેય તરફ દોરે છે, સ્વ-પ્રોત્સાહન
માણસની સારી ભાવનાને ઉત્તમ પરિણામમાં ફેરવે છે. સારા પરિણામો સામાન્ય માણસને મહાન માણસમાં
ફેરવે છે. મહાન માણસો સામાન્ય માણસો જ હોય છે કે જેઓ અસામાન્ય કાર્યો કરતા હોય છે, તો અહી
ભેદ માત્ર એ છે કે મહાન માણસો જે કાંઈ પણ કાર્યો કરે છે તે કંઈક અલગ રીતે કરતા હોય છે, તો આ
છે એ પ્રોત્સાહનમાં સમાયેલો છે.
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે પૃથ્વી ઉપર ચાર પ્રકારના માણસો હોય છે,
૧) એવા માણસો કે જેઓ વસ્તુઓ કે બાબતો બનતી જોયા કરે છે,
૨) એવા માણસો કે જેઓની સાથે આવી વસ્તુઓ કે બાબતો બનતી હોય છે.
3) એવા માણસો કે જેઓ કાંઈ જાણતા જ નથી કે શું થઈ રહ્યુ છે.
૪) એવા માણસો કે જેઓ પોતે જ કંઈક કરીને બતાવે છે. | બધી વસ્તુઓ કે બાબતો કરતા હોય છે.

હા, તમે એવા માણસોમાં આવો છો કે જેઓ આવી વસ્તુઓ કે બાબતો કરીને બતાવે છે. અથવા
પોતે જ કંઈક કરીને બતાવે છે.
સ્વ-પ્રોત્સાહન :
સ્વ-પ્રોતસાહન શું છે, એ એક આપણી અંદર છુપાયેલો એવો સ્ત્રોત છે કે જેના દ્વારા આપણે ધારેલા કાર્યો
કરી શકીએ છીએ છે. જો સ્વ-પ્રોત્સાહન તમે ન કરતા હોવ તો આ સ્ત્રોત તમે કેવી રીતે મેળવી શકો.
તમારી જરૂરીયાતોની સાથે સાથે તમારો સ્વ-પ્રોત્સાહનનો સ્ત્રોત પણ બદલાય છે. હાલમાં તમે તમારા
ગુણ સારા આવે તેના માટે કાર્ય કરતા હશો અથવા તો સારી ગુણવત્તા માટે કાર્ય કરતા હશો અથવા તો
એમના માટે ઈચ્છા દર્શાવતા હશો કે જેમની સલાહ કે સુચનો તમારા માટે ખૂબજ અગત્યના હોય છે. આ
બધા બાહય પ્રોત્સાહનના સ્વરૂપો છે. આનો અર્થ એ થયો કે તમે જે કાંઈ પણ મેળવો છો તે બાહy રીતે
બહારથી પ્રગટ થયેલી ઈચ્છા છે. થોડે અંશે આ બાહય ઈચ્છાઓને આંતરિક પ્રોત્સાહન સાથે પણ સાંકળી,
શકાય છે, આંતરિક પ્રોત્સાહન એ માનવીના આંતર મનમાંથી ઉદ્ભવતું સ્વ-પ્રોત્સાહન છે જેમકે સારૂ કાર્ય
કર્યાનો સંતોષ.
નીચેની યાદી સ્વ-પ્રોત્સાહન ને લગતા અમુક સુચનો છે કે જેના દ્વારા તમે તમારી કાર્યોમાં ઘણો સુધારો.
કરી શકશો. જો તમે ઈચ્છતા હોવ તો આ બાબતને તમે તમારા વ્યકિતત્વનો એક ભાગ બનાવી શકો છો

તાત્કાલિક ફાયદો કે આનંદ ન આપી શકે તેવા કાર્યો પ્રત્યે પણ કામ કરવાની ક્ષમતા.

કામ પાછું ઠેલવાના બદલે મનોરંજક રમત કે ઘટનાને ત્યજવાની ક્ષમતા

અંત સમયેજ કામ શરૂ ન કરતા જરૂરીયાતના સમયે કામ કરવાની ક્ષમતા.

ખલેલ પહોંચાડનારી અમરીમાં પણ કામ કરવાની ક્ષમતા શારિરીક પ્રતિકુળતા, ઘોંઘાટ,
માનસિક તણાવ, બજારો, વગેરે

જરૂર હોય તે સમયે પ્રસંગેની માંગ પ્રમાણે મોડી રાત સુધી પણ કામ કરવાની ક્ષમતા.

|તમારી જાતને કેવી રીતે પ્રોત્સાહિત કરશો ?

કોઈ પણ કાર્યનો સૌથી મુશકેલ તબક્કો છે તેની શરૂઆત થઇ લાગતી વસ્તુ, આપણા માટે મેળવવી
કેટલીક વાર ખૂબ સરળ હોય છે દા.ત.ગાડી ચલાવવા કરતા તે ચાલું કરવા માટે વધુ શકિત જાય છે
નીચે કેટલીક શકિતશાળી શરૂઆત માટેના અગત્યના મુદા દશાવલ છે,
તમારી યોજનાને લખી લો તમારા મગજમાં તે યાદ રાખી લો અને કાગળ ઉપર પણ તે યોગ્ય
રીતે લખી લો કે તમે કેવી રીતે તમારું ધ્યેય મેળવશો.

જાત ચકાસણીની પધ્ધતિનો ઉપયોગ કરી, યોજના બનાવવી અને તે કયારે પુરી થશે તેની
ચકાસણી કરવી, આટલું પુરતું નથી. પરંતુ તમારે જરૂરીયાતના મુદાઓની યાદી બનાવવી
જોઈએ. દાત. તમારે એક મહિનામાં દસ વસતુઓ મેળવવાની ઈચ્છા છે તો તમારે દર અઠવાડી એ.
જરૂરીયાતની ચકાસણી કરવી જોઈએ

શરૂઆત ઝડપી હોવી જોઈએ. જો તમારી પાસે કોઈ કાર્ય છે તો જલદી તેનો અમલ શરૂ કરી.
વહેલી શરૂઆત એ કંઈક મેળવવા માટેનો દ્રઢ નિર્ધાર સૂચવે છે,

નથી થઈ શકતું અને કરવું નથી એ બન્ને વચ્ચેનો ભેદ પારખો. જયારે લોકો એમ કહેં છે કે આ
થઈ શકે તેમ નથી, ત્યારે મોટા ભાગે તેનો અર્થ તેમને કરવું નથી એવો થાય છે.

પ્રથમ શું કરવાની જરૂર છે તે નક્કી કરો, અમુક પ્રકારની ગતિવિધિઓ અને પ્રક્રિયાઓ કોઈ પણ
કાર્ય સાથે જોડાયેલી હોય છે. જો આપણે નક્કી ન કરી શકીએ કે ખરેખર કઈ રીતે કોઈ કાર્ય
કરવું છે તેનો અર્થ કે આપણે કંઈજ કરવું નથી .

જાતને કેળવવાની ક્ષમતા વિકસાવો, તમારું કંઈક કરવું કે ન કરવું તેનો આધાર તમારી આ
ક્ષમતા પર છે, ખાસ કરીને આ એવા કાર્યો માટે સાચું છે કે જે આનંદાયક કે રોમાંચક નથી હોતા.
તમારી જાતને પ્રોત્સાહિત કરી કાર્ય કરવા પ્રેરવા માટે તમારી જાતને આ સવાલો પૂછો.
1.મારે જે કાર્ય પૂર્ણ કરવું છે તેને હું પાછું શા માટે ઠેલું છું.
2.હું જે કરું છું તે શા માટે કરું છું.
3. તે કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે, અત્યારે શા માટે નહી.
4. શું હું એવી ધારણા કરું છું કે હું પછીથી આને વધુ સારૂ બનાવી શકીશ.
5. પાછું ઠેલવાના ગેરફાયદા કયા છે,
6.નકારાત્મક વિચારોને યોગ્ય દિશા આપો. જો તમને તમારી. શકિત માટે શંકા છે તો તમારી
જાતને આ પ્રશ્ન પૂછીને દૂર કરો. હું આ’ કરી. શકું એમ નથી તેવું વિચારવા મને શું પ્રેરે છે.
હવે જોઈશું બીજા વિભાગ મા જોતા રહો comment કરતા રહો
આશિષ શાહ
9825219458
MADwAJS : making a difference with Ashish J Shah