Satya na Prayogo Part-2 - Chapter - 22 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-2 - 22

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૨. ધર્મનિરીક્ષણ

આમ જો હું કોમી સેવામાં ઓતપ્રોત થઇ ગયો હતો તો તેનું કારણ આત્મદર્શનની અભિલાષા હતું. ઇશ્વરની ઓળખ સેવાથી જ થશે એમ ધારી સેવાધર્મનો સ્વીકાર કર્યો હતો.

હિંદની સેવા કરતો હતો કેમ કે તે સેવા મને સહજપ્રાપ્ત હતી, તેની મને આવડત હતી. તેને

મારે શોધવા નહોતું જવું પડયું. હું તો મુસાફરી કરવા, કાઠિયાવાડની ખટપટમાંથી છૂટવા અને આજીવિકા શોધવા દક્ષિણ આફ્રિકા ગયો હતો. પણ પડી ગયો ઇશ્વરની શોધમાં - આત્મદર્શનના

પ્રયત્નમાં. ખ્રિસ્તી ભાઇઓએ મારી જિજ્ઞાલા બહું તીવ્ર કરી મૂકી હતી. તે કેમ શમે તેમ નહોતી; ન ખ્રિસ્તી ભાઇબહેનો, હું શાંત થવા માગું તોયે, થવા દે તેમ હતું. કેમ કે ડરબનમાં મિ.

સ્પેન્સર વૉલ્ટન, જે દક્ષિણ આફ્રિકાના મિશનના મુખી હતા, તેમણે મને ખોળી કાઢ્યો. તેમના ઘરમાં હું કુટુંબી જેવો થઇ પડયો. આ કુટુંબી જેવો થઇ પડયો. આ સંબંધનું મૂળ પ્રિટોરિયામાં થયેલા સમાગમ હતા. મિ. વૉલ્ટનની શૈલી કંઇક જુદા પ્રકારની હતી. તેમણે મને ખ્રિસ્તી થવા નોતર્યો હોય એવું યાદ નથી. પણ પોતાના જીવનને તેમણે મારી આગળ મૂકી દીધું ને પોતાની

પ્રવૃત્તિઓ મને જોવા દીધી. તેમની ધર્મપત્ની અતિ નમ્ર પણ તેજસ્વી બાઇ હતી.

મને આ દપંતીની પદ્ઘતિ પસંદ પડતી હતી. અમારી વચ્ચે રહેતા મૌલિક ભેદો અમે બન્ને જાણતા હતા. એ ભેદો ચર્ચા કરી ભૂંસી શકાય તેવું નહોતું. જ્યાં જ્યાં ઉદારતા, સહિષ્ણુતા અને સત્ય છે ત્યાં ભેદો પણ લાભદાયક નીવડે છે. મને આ દપંતીનાં નમ્રતા, ઉદ્યમ, કાર્યપરાયણતા પ્રિય હતાં. તેથી અમે વખતોવખત મળતાં.

આ સંબંધે મને જાગ્રત રાખ્યા. ધાર્મિક વાચનને સારુ જે નવરાશ મને પ્રિકટોરિયામાં

મળી ગઇ તે તો હવ અશક્ય હતી, પણ જે કંઇ વખત બચતો તેનો ઉપયોગ હું તેના વાચનમાં કરતો. મારો પત્રવ્યવહાર જારી હતો. રાયચંદભાઇ મને દોરી રહ્યા હતા. કોઇ મિત્રે મને નર્મદાશંકરનું ‘ધર્મવિચાર’ પુસ્તક મોકલ્યું. તેની પ્રસ્તાવના મને મદદરૂપ થઇ પડી. નર્મદાશંકરના વિલાસી જીવનની વાતો મેં સાંભળી હતી. તેમના જીવનમાં થયેલ ફેરફારના પ્રસ્તાવનામાં કરેલા વર્ણને મને આકર્ષ્યો, ને તેથી તે પુસ્તક પ્રત્યે મને આદર થયો. હું તે ધ્યામપૂર્વક વાંચી ગયો.

મૅકસમૂલરનું પુસ્તક ‘હિંદુસ્તાન શું શીખવે છે?’ એ મેં બહું રસપૂર્વક વાંચ્યું. થિયૉસૉફિકલ

સોસાયટીએ પ્રગટ કરેલ ઉપનિષદનું ભાષાંતર વાંચ્યું. મારો હિંદુ ધર્મ પ્રત્યેનો આદર વધ્યો. તેની ખૂબી હું સમજવા લાગ્યો. પણ બીજા ધર્મો પ્રત્યે મને અભાવ ન થયો. વૉશિંગ્ટન અરવિંગકૃપા

મહમદનું ચરિત્ર અને કાર્લાઇલની મહમદસ્તુતિ વાંચ્યાં. પેગંબર પ્રત્યે મારું માન વધ્યું.

‘જરથુસ્તનાં વચનો’ નામનું પુસ્તક પણ વાંચ્યું.

આમ મેં જુદા જુદા સંપ્રદાયોનું ઓછુંવત્તું જ્ઞાન મેળવ્યું. આત્મનિરીક્ષણ વધ્યું. જે વાંચવું ને પસંદ કરવું તેનો અમલ કરવો એ ટેવ દઢ થઇ, તેથી હિંદુ ધર્મમાં સૂચવેલી પ્રાણાયામ વિશેની કેટલીક ક્રિયાઓ, જેવી હું પુસ્તકમાંથી સમજી શકયો તેવી, મેં શરૂ કરી. પણ મારો મેળ ન જામ્યા. હું તેમાં આગળ ન વધી શકયો. હિંદુસ્તાન પાછો જાઉં ત્યારે તેનો અભ્યાસ કોઇ

શિક્ષકની દેખરેશ નીચે કરવાનો ઇરાદો રાખ્યો. તે કદી પાર પડી ન શકયો.

ટૉલ્સ્ટૉયનાં પુસ્તકોનું વાચન વધારી મૂક્યું. તેનું ‘ગૉસ્પેલ્સ ઇન બ્રીફ’ (નવા કરારનો સાર), ‘વૉટ ટુ ડુ’ (ત્યારે કરીશું શું?) વગેરે પુસ્તકોએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી.

વિશ્વપ્રેમ મનુષ્યને ક્યાં લગી લઇ જઇ શકે છે એ હું વધારે ને વધારે સમજવા લાગ્યો.

આ જ સમયે એક બીજા ખ્રિસ્તી કુટુંબ સાથે મારે સંબંધ બંધાયો. તેની ઇચ્છાથી હું વેેસ્લિયન દેવળમાં દર રવિવારે જતો. ઘણે ભાગે દર રવિવારે સાંજે તેને ઘેર જમવાનું પણ મને હોય. વેસ્લિયન દેવળની મારા ઉપર સારી અસર ન પડી. ત્યાં અપાતાં પ્રવચનો મને શુષ્ક

લાગ્યાં. પ્રેક્ષકમાં મેં ભક્તિભાવ ન ભાળ્યો. આ અગિયાર વાગ્યાની મંડળી મને ભકતોની ન

લાગી, પણ કંઇ વિનોદ કરવા ને કંઇ રિવાજને વશ થઇને આવેલા સંસારી જીવોની જણાઇ.

કોઇ કોઇ વેળા આ સભામાં અનિચ્છાએ મને ઝોલાં આવતાં. હું શરમાતો. પણ મારી આસપાસના પણ કોઇને ઝોલાં ખાતા જોઉં તેથી મારી શરમ હળવી પડે. મારી આ સ્થિતિ મનેે ન ગમી. છેવટે મેં આ દેવળમાં જવાનું મૂકી દીધું.

જે કુટુંબમાં હું દર રવિવારે જતો ત્યાંથી તો મને રજા જ મળી કહેવાય. ઘરધણી બાઇ

ભોળાં, ભલાં, પણ સાંકડા મનવાળાં લાગ્યાં. તેમની સાથે દર વખતે કંઇક ને કંઇક ધર્મચર્ચા તો થાય જ. તે વેળા હું ઘેર ‘લાઉટ ઑફ અશિયા’ વાંચી રહ્યો હતો. અમે જિસસ અને બુદ્ઘના જીવનની સરખામણીમાં પડયાંઃ

‘જુઓને ગૌતમની દયા. તે મનષ્યજાતને ઓળંગી બીજાં પ્રાણીઓ સુધી ગઇ. તેના ખભા ઉપર રમતા ઘેટાનો ચિતાર આંખો સામે આવતાં જ તમારું હ્ય્દય પ્રેમથી નથી ઊભરાતું?

આ પ્રાણીમાત્ર પ્રત્યેનો પ્રેમ હું ઇશુના ઇતિહાસમાં નથી જોતો.’

બહેનને દુઃખ લાગ્યું. હું સમજ્યો. મેં મારી વાત આગળ ન લંબાવી. અમે ખાવાના ઓરડામાં ગયાં. તેમનો પાંચેક વર્ષનો હસમુખો બાળક પણ અમારી સાથે હતો. છોકરાં મને મળે એટલે બીજું શું જોઇએ? તેની સાથે મેં દોસ્તી તો કરી જ હતી. મેં તેની થાળીમાં પડેલા માંસના ટુકડાની મજાક કરી, ને મારી રકાબીમાં શોભી રહેલા સફરજનની સ્તુતિ શરૂ કરી. નિર્દોષ બાળક પલળ્યો, ને સફરજનની સ્તુતિમાં ભળ્યો.

પણ માતા? તે બિચારી દુભાઇ.

હું ચેત્યો. ચૂપ રહ્યો. વાતનો વિષય બદલ્યો.

બીજે અઠવાડિયે સાવધાન રહી હું તેમને ત્યાં ગયો ખરો, પણ મારો પગ ભારે થયો હતો. મારે જ ત્યાં જવાનું બંધ કરવું એ મને ન સૂઝયું, ન ઉચિત લાગ્યું. ભલી બહેને જ મારી

મુશ્કેલીનો નિકાલ કર્યો. તે બોલી, ‘મિ. ગાંધી, તમે દુઃખ ન લગાડશો. પણ મારે તમને કહેવું જોઇએ કે તમારી સોબતની મારા બાળક ઉપર માઠી અસર થવા લાગી છે. હવે તે રોજ માંસ ખાવાની આનાકાની કરે છે ને પેલી તમારી ચર્ચા યાદ દેવડાવી ફળ માગે છે મને આ ન પરવડે. મારો છોકરો માંસાહાર છોડે તો માંદો ન પડે તોયે નબળો તો થાય જ. એ મારાથી કેમ સહન થાય? તમે જે ચર્ચા કરો તે આપણી ઘડાયેલાની વચ્ચે શોભે. બાળકો ઉપર તેની ખરાબ જ અસર થાય.’

‘મિસિસ....., હું દિલગીર છું. તમારી માતા તરીકેની લાગણી હું સમજી શકું છું મારે પણ છોકરાં છે. આ આપત્તિનો અંત સહેલાઇથી આવી શકે છે. હું બોલું તેની અસર થાય તેના કરતાં જે ખાઉં તે જોયાન અસર બાળક ઉપર ઘણી વધારે થાય. એટલે સારો રસ્તો એ છે કે

મારે હવેથી તમારે ત્યાં રવિવારે ન આવવું. આપણી મિત્રતામાં તેથી કશી ખલેલ નહીં આવે.’

‘તમારો પાડ માનું છું,’ બાઇએ રાજી થઇને ઉત્તર આપ્યો.