Operation Chakravyuh - 1 book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Operation Chakravyuh - 1 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - Novels
by Jatin.R.patel
in
Gujarati Thriller
આપણે પોતાના ઘરમાં આજે સહીસલામત શાંતિની નીંદર લઈ શકીએ છીએ એનો યશ આપણા દેશનાં સુરક્ષાકર્મીઓ, પોલીસકર્મીઓ અને દેશની જાંબાઝ આર્મીને જાય છે. આ ઉપરાંત પણ અમુક એવા યોદ્ધાઓ છે જે દેશની બહાર રહીને પણ દેશની સુરક્ષાની ચિંતામાં પોતાની જીંદગી જોખમમાં મૂકતાં હોય છે.
રૉ હોય કે પછી આઈ.બી આ બંને સંસ્થામાં કામ કરતાં હજારો વીર યોદ્ધાઓ ઘણીવાર પોતાના માથે કફન બાંધીને અન્ય દેશોમાં જઈ, વેશ પલટો કરીને જાસૂસીનું કામ કરતાં હોય છે. આવાં લોકો પોતાના ઘર-પરિવારની પરવાહ મૂકીને આપણા ઘર-પરિવારની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતાં હોય છે.
આ નવલકથા એવા જ અમુક માથાફરેલ પોલીસકર્મીઓ પર આધારિત છે જે દેશની રક્ષા માટે એવા કામ માટે તૈયાર થાય છે જે કરવાનું હકીકતમાં એમની ફરજમાં આવતું જ નથી. તો તૈયાર થઈ જાઓ દેશભક્તિથી તરબતર એક રોમાંચક અને દિલધડક નવલકથા માટે.
ઑપરેશન ચક્રવ્યૂહ પ્રસ્તાવના આપણે પોતાના ઘરમાં આજે સહીસલામત શાંતિની નીંદર લઈ શકીએ છીએ એનો યશ આપણા દેશનાં સુરક્ષાકર્મીઓ, પોલીસકર્મીઓ અને દેશની જાંબાઝ આર્મીને જાય છે. આ ઉપરાંત પણ અમુક એવા યોદ્ધાઓ છે જે દેશની બહાર રહીને પણ દેશની સુરક્ષાની ...Read Moreપોતાની જીંદગી જોખમમાં મૂકતાં હોય છે. રૉ હોય કે પછી આઈ.બી આ બંને સંસ્થામાં કામ કરતાં હજારો વીર યોદ્ધાઓ ઘણીવાર પોતાના માથે કફન બાંધીને અન્ય દેશોમાં જઈ, વેશ પલટો કરીને જાસૂસીનું કામ કરતાં હોય છે. આવાં લોકો પોતાના ઘર-પરિવારની પરવાહ મૂકીને આપણા ઘર-પરિવારની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતાં હોય છે. આ નવલકથા એવા જ અમુક માથાફરેલ પોલીસકર્મીઓ પર આધારિત
ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-2 બે અઠવાડિયા પહેલા, અમદાવાદ ડી.આઈ.જી રુદ્ર પ્રતાપ શર્મા કિશનપુર શહેરના પી.એસ.આઈ માધવ દેસાઈને કોલ કરી અમદાવાદ આવવા જણાવે છે. અચાનક ડી.આઈ.જી પોતાને અમદાવાદ કેમ બોલાવી રહ્યા હતા એ બાબતથી અજાણ માધવ પોતાના સાથી પોલીસ અધિકારી ...Read Moreકિશનપુર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપી અમદાવાદ આવવા નીકળે છે. માધવની માફક રાધાનગરના એ.સી.પી અર્જુનને પણ ડી.આઈ.જી શર્મા તાબડતોબ અમદાવાદ આવવાનું કહેણ મોકલાવે છે. નક્કી કંઈક મહત્વની વાત હોવી જોઈએ એમ વિચારી અર્જુન પણ અમદાવાદ આવવા નીકળે છે. આખરે ડી.આઈ.જી સાહેબે પોતાને આ રીતે કેમ કોઈ કારણ જણાવ્યા વિના અમદાવાદ આવવા આદેશ આપ્યો હશે એ જાણવાની તાલાવેલી સાથે માધવ અને અર્જુન
ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-3 બે અઠવાડિયા પહેલા, અમદાવાદ "હા, આ જ છે અકબર પાશા. લશ્કરનો ચીફ ઈન કમાન્ડર અને પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ." શેખાવતે કહ્યું. "છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાન માલિકીનાં કશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ કરનારા આતંકવાદીઓને તાલીમ આપવાનું કામ પાશા ...Read Moreકરી રહ્યો હોવાની માહિતી છે." "પણ, પાશા તો નવ મહિના પહેલા કેન્સરથી મરી ગયો હતો.!" શર્માએ કહ્યું. "પાકિસ્તાન તરફથી આની સત્તાવાર ઘોષણા પણ થઈ ચૂકી છે." "હા, પણ એ માત્ર એક અફવા હતી." નગમાએ કહ્યું. "બલવિંદરે જે ફોટો મેળવ્યાં એ પાંચ મહિના પહેલાના હોવાની આઈ.ટી ટીમ દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે. આનો અર્થ એ નીકળતો હતો કે પાકિસ્તાન સરકાર આવાં
ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-4 બે અઠવાડિયા પહેલા, અમદાવાદ "હા, ઓફિસર..તમારે અને નાયકે ચીન જવાનું છે." રાજવીર શેખાવતે અર્જુન તરફ જોતા કહ્યું. "ગુજરાત પર જે હુમલો થવાનો છે એના તાર ચીન સાથે પણ જોડાયેલા હોવાનું અમને માલુમ પડ્યું છે." "કાસમની ...Read Moreએક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જે ઝૂંપડીમાં લાગેલી આગમાં મહદઅંશે સળગી ગયો હતો. મોબાઈલ તો અમારા કંઈ કામનો નહોતો રહ્યો પણ એની અંદર મોજુદ સીમ કાર્ડ અમારા માટે ખૂબ કામનું પુરવાર થયું. અમે એ સીમકાર્ડની કોલ ડિટેઈલ નીકાળી તો જાણવા મળ્યું કે એ નંબર પરથી એક અન્ય નંબર પર દર બે દિવસે રાતે દસ વાગે કોલ કરવામાં આવતો હતો.
ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-5 બીજા દિવસે સાંજે સાત વાગે અર્જુન, નાયક અને માધવ પોતપોતાનો સામન લઈને અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યાં હતાં. રૉ ચીફ રાજવીર શેખાવત અને અંડર કવર ઓફિસર નગમા શેખ પહેલેથી જ એરપોર્ટ પર મોજુદ હતાં. અર્જુન, માધવ ...Read Moreનાયકની ફ્લાઈટ ટિકિટની વ્યવસ્થા પહેલેથી જ થઈ ચૂકી હતી. સાડા ત્રણ કલાક બાદ એ લોકો મુંબઈની ખ્યાતનામ હોટલ ધ લીલામાં આવી પહોંચ્યાં હતાં, જ્યાં એ લોકો માટે પહેલેથી જ રૂમ બુક કરેલાં હતાં. અર્જુન, નાયક અને માધવને મિશન પર ગયાં પહેલા અહીં જ રોકાવાનું હતું. નગમા મુંબઈની રહેવાસી હતી એટલે એ પોતાના ઘરે જ રોકવાની હતી, જ્યારે રાજવીર શેખાવત રૉ