Pauranik kathao ane salamatini drushti - 4 books and stories free download online pdf in Gujarati

પૌરાણિક કથાઓ અને સલામતીની દ્રષ્ટિ - ૪

આપણે ઘણાં ભાગ્યશાળી છે કે આપણને ધાર્મિક પુસ્તકો અને કથાઓનો અમુલ્ય વારસો મળ્યો છે. આપણી ધાર્મિક કથાઓમાથી આપણે ઘણી બધી સમસ્યાઓનુ સમાધાન મળી જાય છે. તેના માટે યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવવો પડે છે. જૂના પ્રસંગોમાંથી પણ ઘણી બધી શીખ મળે છે. મહાભારત સિરિયલનું ગીત પણ છે કે- 'सिख हम बिते युगोसे नये युग का करें स्वागत'
( અહીં રામાયણ અને મહાભારત તથા બીજા કેટલાક પ્રસંગોનુ ઉદાહરણ આપી સલામતીનો દ્રષ્ટીકોણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુળ કથા ફક્ત રૂપક તરીકે લેવામાં આવી છે. કારણ કે આ કથાઓ બધાને ખબર જ છે. પણ સલામતીની સરળતાથી સમજણ આપવા અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેમાં કંઇ ભુલ ચુક થાય તો માફ કરશો. )
અધુરી માહિતી અને અધુરું જ્ઞાન :-
કોઈપણ કાર્ય કરતા પહેલા તેના વિશે પુરેપુરી માહિતી હોવી જરૂરી છે. અને એ કાર્ય કરવાનું પૂરેપૂરુ જ્ઞાન હોવું જરૂરી છે. અધુરી માહિતી અથવા અપુરતુ જ્ઞાન મુસીબતમાં નાખી શકે છે. ધારોકે શિફ્ટમાં કામ કરતા કારખાનામાં આગળની શિફ્ટમાં કોઈક મશીનનુ સમારકામ કરવાનું રહી ગયું હોય. અને બીજી શિફ્ટ વાળાને તે વિશે પૂરી માહિતી ન હોય તો સલામતી જોખમાઈ શકે છે. મહાભારત કાળની વાત કરીએ તો ભીમના પુત્ર ઘટોત્કચ નો પુત્ર બર્બરિક માતા પાસે યુદ્ધ કરવાની પરવાનગી માગી યુદ્ધ કરવા નીકળી પડે છે. પણ તે પાંડવોને ઓળખતો નથી. તેની માતા જાણે છે કે પાંડવો કૌરવો કરતા સંખ્યામાં ઓછા છે. એટલે હારી જવાની પૂરેપૂરી શક્યતા છે. તેની માતાએ હારે તેના પક્ષે રહીને યુદ્ધ કરવાનું કરવાનું સૂચવે છે. ભગવાન શ્રીકૃષ્ણને ખબર હતી કે બર્બરીકના અધુરા જ્ઞાન થી પાંડવોને સલામતી જોખમાશે. માટે યુદ્ધ શરૂ થતાં પહેલાં જ તેની બલિ આપવામાં આવે છે. અને બીજી એક ઘટનામાં દ્રોણાચાર્ય જ્યારે યુધ્ધ કરે છે. ત્યારે તેમને હરાવવા તેમના પાસે ખોટી માહિતી પહોંચાડવામાં આવે છે કે અશ્વત્થામા નું મૃત્યુ થયું છે. અને તેની તપાસ કરવા તે સમાધિષ્ઠ થાય છે. અને ત્યાં તેમનું મૃત્યુ નિપજાવવા માં આવે છે.
કૌવરવોએ યુદ્ધમાં ચક્રવ્યૂહ ની રચના કરી હતી. ચક્રવ્યૂહને ભેદવાનું પુરેપુરું જ્ઞાન અભિમન્યુ પાસે ન હતુ. પણ પરિસ્થિતીને વશ થઈને તે ચક્રવ્યૂહમાં ઝંપલાવે છે. અને યુદ્ધ કરતા કરતા જીતને બદલે મૃત્યુને પ્રાપ્ત થાય છે. માટે યાદ રાખો કે- અધૂરું જ્ઞાન, ખોટી હિમ્મત, માગે મોટી કિંમત....
વધુ પડતો આત્મવિશ્વાસ :-
વધુ પડતો આત્મવિશ્વાસ પણ ક્યારેક સલામતીમાં બાધારૂપ થાય છે. કોઈપણ મશીન હોય કે વાહન હોય ગમે ત્યારે બગડી શકે છે. માટે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું એ દુર્ઘટના ને નોતરું આપવા બરાબર છે. રાવણ નો પુત્ર ઇન્દ્રજીત જ્યારે હનુમાનજીને અશોક વાટીકા થી પકડીને લાવે છે. ત્યારે પોતાની શક્તિ પર ના વધુ પડતા આત્મવિશ્વાસને કારણે રાવણ હનુમાનજી ની પૂંછડી માં આગ લગાવવાનો આદેશ કરે છે. જેના પરિણામ સ્વરૂપ આખી લંકા માં હનુમાનજી આગ લગાડી દે છે. રાવણે જો શક્તિ ઉપર વધુ પડતો ભરોસો ન રાખ્યો હોય હોત અને હનુમાનજીને આવો દંડ ન આપ્યા હોત તો લંકા આજની ઝપેટમાં આવત નહીં. બીજા એક બનાવમાં જોવા જઈએ તો વાલી ને એની શક્તિ પર અભિમાન હતું. અને જ્યારે સુગ્રીવની લલકાર સાંભળી એની જોડે લડવા તૈયાર થયો નહોત. તો એનું મૃત્યુ નીપજત નહીં. અને આમ શક્તિ ઉપર વધુ પડતા આત્મવિશ્વાસને કારણે મૃત્યુ થાય છે. એવીજ રીતે રાજા દશરથને પણ પોતાની ધનુષવિધા પર વધુ પડતો આત્મવિશ્વાસ હતો. અને શબ્દવેધી બાણ ચલાવી જંગલી પશુની જગ્યાએ શ્રવણને મારી નાખ્યો હતો. આમ, વધુ પડતો આત્મવિશ્વાસ ક્યારેક સલામતી માટે ખતરો બની જાય છે.
માટે સલામતીના નિયમોનું સમજણ પુર્વક પાલન કરો અને સલામત રહો. ફરી મળીશું બીજા અંકમાં નવી કથાઓ સાથે....

Kishor Padhiyar
For you... With you... always...
______________________________