Humdard Tara prem thaki - 38 books and stories free download online pdf in Gujarati

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 38. યશ નું કન્ફેશન્

યશ મલિક મેન્શન માં દાખલ થયો, અડધી રાત્રિ પસાર થઈ ચૂકી હતી પરંતુ દાદી ના રૂમ માંથી હજી હીંચકા નો કિચૂક કિચુક અવાજ આવતો હતો.યશ દાદીની સ્થિતિ જાણતો હતો. યશ તે અવાજ ની દિશા તરફ આગળ વધ્યો, તે જાણતો હતો દાદીની બેચેની,તકલીફ અને હવે આવનારા તુફાન વિશે.. પણ હવે તેના અને સ્વરા ના સંબંધ વિશે દાદી થી છુપાવવાનો કોઈ અર્થ રહ્યો ન હતો. ચારેતરફ સન્નાટો હતો પણ મનની અંદર ખૂબ ભયંકર અવાજો થતાં હતાં હજી તો તે દરવાજો ખોલી અંદર દાખલ થાય ત્યાં જ ફરી તેનો ફોન રણક્યો ,આ વખતે પણ રોનિત જ હતો.

"બોલ ,રોનિત હવે શું છે? જ્યારે પણ આ સમયે તું ફોન મને કરે છે કોઈ સારા સમાચાર આપતો જ નથી,

રોહિત યશ નો ગુસ્સો જાણી ગયો હતો પરંતુ ખરેખર ખબર મનહુંસ જ હતા

" સર; તમારા અને નીતા કપૂરના લગ્નની વાત મીડિયા સુધી દાદીએ જ પહોંચાડી હતી અને તેને રિલીઝ કરવાનું પણ દાદીએ જ કહ્યું હતું પરંતુ ફોટાઓ નીતા કપૂર એ પોતે આપેલા છે"

" શું બંનેએ મળી ના કર્યું છે? "

" ના સર બંનેએ પોતપોતાની રીતે ન્યુઝ આપ્યા છે બંને નથી જાણતા કે તેમના સિવાય આ ન્યુઝને જાહેર ખબર બનાવવા કોઈ બીજું પણ આતુર છે"

ઓકે"

યશે ખૂબ જ ઝડપથી ફોન કાપી નાખ્યો તેની બેચેની વધતી જતી હતી પહેલી વખત યશ આ રીતે થોડો અસ્વસ્થ બન્યો હતો કારણ કે તે દાદીની આ ચાલ થી વાકેફ ન હતો પરંતુ તે આવનારા સમયને પારખી ચૂક્યો હતો નીતા કપૂર તો લાંબી બુદ્ધિથી વિચારતી જ નથી તે યશ જાણતો હતો પરંતુ દાદીએ આપેલી મીડિયા ને આ ન્યુઝ બીજી દિશામાં ઈશારો કરી રહ્યા હતા તે જાણી ચૂક્યો હતો કે કંપની ના શેર વિશે જાણકારી કઢાવવી તે પણ આટલા વર્ષો પછી એટલે કે દાદીને કંઈક તો અંદાજો આવી ગયો છે પણ શું ? શું તે બધું જ જાણે છે કે પછી માત્ર સ્વરાના મલિક એમ્પાયરના શેર વિશે જ ખબર છે ??

સુમિત્રા દેવી પણ એક સમયના સફળ બિઝનેસ ટાયકુન હતા યસ તેમના જ નીચે તૈયાર થયો હતો આથી યશના પગદંડીને તે સારી રીતે પારખી ચૂક્યા હતા હા તેમને પહેલા યશ અને સ્વરાના આ ગુપ્ત સંબંધો વિશે ખબર ન હતી કારણ કે સ્વરા તેમની જિંદગીમાંથી નીકળી ચૂકી હતી. આથી તેના વિશે વિચારવાનો કોઈ તક જ ન હતો પરંતુ જ્યારે હવે સ્વરા ફરી દિલ્હીમાં દાખલ થઈ ચૂકી છે ત્યારે સુમિત્રા દેવી તેમ પોતાનું સન્માન નીચું નમવા દે તેમ ન હતા.

યશે સ્વરાને ફોન લગાડ્યો સ્વરા એ બીજી જ રિંગે તેનો ફોન ઉપાડ્યો,

હેલો

યશ હજી શાંતા જ હતો તે સ્વરા ને શું કહે તે સમજાતું ન હતું પરંતુ સ્વરા યશના મૌન ને પણ સમજી ગઈ હતી તેને તરત જ યશને બધું જ સત્ય દાદી ને જણાવી દેવા કહ્યું, કારણ કે તેને શેર વિશે ની માહિતી રોનિત પાસેથી જાણ થઈ ગઈ હતી.

પણ શું યસ નું આ કન્ફેશન કોઈ બીજી મુસીબતો ઊભી નહીં કરી દે ?? કારણ કે દાદી સ્વરાથી જે નફરત કરતા હતા તે તો હવે વધુ થઈ જશે .

પણ સ્વરા.....( યશ ત્યાં જ અટકી જાય છે ) તે સ્વરા ને જણાવી શકતો નથી કે તેના અને નીતા ના લગ્નની વાત દાદીએ જ મીડિયા સુધી પહોંચાડી છે બંને અત્યાર સુધી આ બધી પોતાના ભાઈ બહેન ની ચાલ સમજતા હતા પરંતુ અત્યારે અંવેશા આમાં ક્યાંય ન હતી. આ બધું દાદીએ જ કરેલું હતું પણ શું વિચારીને ??