Mane game chhe mari school bag - 5 books and stories free download online pdf in Gujarati

મને ગમે છે સ્કૂલબેગ - ભાગ 5

મને ગમે છે સ્કૂલબેગ

(વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ખૂબજ ઉપયોગી પુસ્તક)

  • નટવર આહલપરા
  • અનુક્રમ

    ૮૧) ગુણોનો વિકાસ

    ૮૨) પ્રતિજ્ઞા

    ૮૩) લક્ષ્યપ્રાપ્તિ

    ૮૪) સુરક્ષા કવચ

    ૮૫) સુખી થવાના ૧૦ રસ્તા

    ૮૬) ધ્યેય પ્રાપ્તિ

    ૮૭) અમેરિકાના પ્રમુખ

    ૮૮) સદાચાર

    ૮૯) જીવન ઘડતરનો પાયો

    ૯૦) નહીં માફ નીચું નિશાન.

    ૯૧) સૈનિકોને પ્રણામ

    ૯૨) મને શું થવું ગમે?

    ૯૩) સુંદર અક્ષરો

    ૯૪) લક્ષ્ય, જ્ઞાન, મહેનત = સફળતા

    ૯૫) આભાર માનું છું

    ૯૬) વકતૃત્વથી વિકાસ

    ૯૭) આદર્શ વિદ્યાર્થી

    ૯૮) મને લખવું બહુ ગમે છે

    ૯૯) મારી સ્કૂલ બેગ

    ૧૦૦) સ્કર્ટ, રમત – ગમત

    ગુણોનો વિકાસ

    લાલ બહાદુર શાસ્ત્રીજી કહેતા કે, ‘જેમ બાળારાજાના અને યુવાનોના ઘડતર માટે આપણે બધું કરી

    છૂટીએ છે તેમ કિશોર-કિશોરીઓ આપણા રાષ્ટ્રની ધરી છે.’ શાસ્ત્રીજીનો જન્મ તા.૨ ઓક્ટોબર ૧૯૦૪ના રોજ

    મુગલ સરાઈમાં થયો. ૧૭ વર્ષની વયે અભ્યાસ ત્યજ્યો અને ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયાં

    અને ધરપકડ વહોરી. ૧૯૫૮માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બન્યા ગૃહમંત્રી બન્યાં. પંડિત જવાહરલાલ

    નહેરૂજીના મૃત્યુ બાદ ૧૯૬૪માં વડાપ્રધાન બન્યાં હતાં. કરકસર, સાદગી, દેશભાવના જેવા અનેક ગુણો

    એમનામાં હતાં આપણે પણ એ ગુણોને વિકસાવવાના છે.

    આશા કદી તમને છોડીને ચાલી જતી નથી, શ્રધ્ધા કદી ખૂટતી નથી,

    વિશ્વાસ અને પ્રેમ ક્યારેય નિષ્ફળ જતાં નથી. – ડો.રાજેન્દ્ર પ્રસાદ

    ---------------------------------------------------------------- ૮૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પ્રતિજ્ઞા

    કાર્યક્રમ પૂરો થાય પછી પ્રકાશ, ઊર્જા, શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ પોતાના સ્થાન ઉપર ઊભા

    થાય છે. આજે પણ સૌ ઊભા થયાં. પ્રતિજ્ઞા લેતાં બોલ્યાં:

    ‘અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે, વીજળી,પાણી,વાણી,ઈંધણનો સમજણ પૂર્વક ઊપયોગ કરશું અને

    બચત કરશું. વાતાવરણ પોઝિટિવ બને છે. વૃક્ષો છોડવાઓ રાજીરાજી થઈ જાય છે. નાચવા માંડે છે.

    પંખીઓ ટહુકે છે. ગૌશાળાના વાછરડાઓ કૂદે છે. ગાય માથું ધુણાવી સૂરમાં સૂર પુરાવે છે. નવજીવન

    કિશોરશાળામાં રોજની માફક સૌમાં નવજીવનનો સંચાર થાય છે. બસ સંચાર થાય છે.

    સિધ્ધાંતો અને આદર્શો સાથે બાંધછોડ કરશો નહીં સત્યનિષ્ઠા છોડશો

    નહી, લાચારીનો હાથ કદી બંલાવશો નહી. – મોરારી બાપુ

    ---------------------------------------------------------------- ૮૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    લક્ષ્યપ્રાપ્તિ

    આ નિષ્ફળતાને બારીકાઈથી તપાસતા જણાશે કે, આ ‘લક્ષ’ નક્કી કરવા માટેના કારણો જ મજબૂત

    ન હતાં. મારે ‘આમ’ થવું છે. મારે ગમે તે ભોગે આ ‘વસ્તુ’ મેળવવી જ છે. આ ‘સ્થાન’, ‘નંબર’, ‘પ્રિયપાત્ર’,

    ‘જીવનસાથી’, મેળવવું જ છે. તે માટે હુંગમે તે કરવા તૈયાર છુંનુંમાત્ર રટણ તમને તે રળી નથી આપતું.

    અંગ્રેજીમાં કહેવત છે કે ‘ઈચ્છાઓના ઘોડા હોત તો ગધેડાઓ(મુર્ખાઓ) તેના પર સવારી કરત.

    ઘણી વાર આ લક્ષ્ય (Target)(Goal) ઉછીનો લીધેલ ચેપ છે. મારા ઓળખીતા કે મિત્ર કે પડોશીને

    ધ્યાનમાંરાખી, હરીફાઈ સ્વરૂપે નક્કી કરીએ છીએ. ઘણીવાર સંજોગોની ગરમીને લઈને, ધ્યેય નક્કી થતુંહોય

    છે. દા.ત. મારામારી, દાદાગીરીના પ્રસંગે હવે હુંપણ ‘કસરતી’ શર્રીર બનાવીશ નુંધ્યેય. જે સમયની સાથે ઠંડુ

    થઈ જાય છે. સફળતાનો બધો જ આધાર તમારા ‘લક્ષ’ને લગતા કારણો પર આધાર રાખે છે.

    વિચારો, વાણી, વર્તન અને વ્યવહાર એ તમારા મહાન શસ્ત્રો છે. એ

    બધાના સમન્વયથી તમે મહા માનવ બની શકો.

    ---------------------------------------------------------------- ૮૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સુરક્ષા કવચ

    બેચરભાઈ પૌત્ર – પૌત્રીને જ પોતાના ભગવાન માને છે. તેઓ જોડકણાં શીખવે છે :

    ‘હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા,

    સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ, લપસી પડ્યો ચંદુ’.

    પૌત્ર – પૌત્રીઓને તો એવી મજા આવે છે. તેઓ દાદા – દાદી સાથે રમે, જમે અને સાથે સૂઈ જાય છે.

    દાદા – દાદી બાળકોને જોઈ પોતાનું બધું દુઃખ ભૂલી જાય છે. દાદા, દાદીને કહે છે કે, જો મોતી આપણે માળા ન કરીએ તો ચાલે, આપણા પ્રભુ આ ફૂલડાઓ, બાળારાજાઓ, એમને રોવડાવીને, દુઃખી કરીને માળા કરીએ, ભગવાનની પૂજા કરીએ એ ક્યાંનો ન્યાય?

    દાદી પણ પોતાના ફૂલડાને જોઈ કહેતા કે, મારા તો ઘરમાંજ ગોકુળ ને ઘરમાં જ મથુરા છે. આપણે ચાર ધામની જાત્રા કરવાની કાંઈ જરૂર છે?

    બેચર દાદાય કહેતા, ‘ના, ભાઈ ના આપણે તો આપણા ફૂલડાનું સુરક્ષા કવચ બની રહેવામાં જ મજા છે!

    કામ કે કચેરી છોડ્યા પછી તેની વાત ન સાંભળો, ચિંતા છોડી દો અને

    અન્ય કૌટુંબિક બાબતોમાંય મન બહેલાવે તેવી પ્રવૃત્તિમાં જોડાઈ જાવ’.

    ---------------------------------------------------------------- ૮૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સુખી થવાના ૧૦ રસ્તા

    ૧) મોડેથી સુવાનું નહી અને મોડેથી ઊઠવાનું નહીં.

    ૨) લેણ – દેણનો હિસાબ રાખવાનો.

    ૩) કોઈના માટે કંઈ પણ કરવું.

    ૪) પોતાની વાતને જ સાચી બતાવવી નહીં.

    ૫) કોઈનો પણ વિશ્વાસ કરવો.

    ૬) કારણ વગર જુઠું બોલવું નહીં.

    ૭) કોઈપણ કામ સમયસર કરવું.

    ૮) વિના માગે સલાહ આપવી નહીં.

    ૯) જે સુખ જતું રહ્યું છે તેને વારંવાર યાદ કરવુંનહીં.

    ૧૦) હંમેશા પોતાના માટે જ વિચારવું નહીં.

    સારા વિચારો, શ્રધ્ધા અને આશાવાદી તથા વિધાયક માનસિક વલણ

    રાખવાથી મન, શાંત, શુધ્ધ અને પસન્ન રહે છે.

    ---------------------------------------------------------------- ૮૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ધ્યેય પ્રાપ્તિ

    તમારે આ ધ્યેય પ્રાપ્ત કરવું છે કારણ કે, એક...બે...ત્રણ... કારણો છે. આ કારણો તમારા માટે ખૂબ

    જ અગત્યના હોવા જોઈએ. અંગત હોવા જોઈએ. તમારા આખા પૂરેપૂરા વ્યક્ત્તિત્વના વિકાસને અસરકર્તા

    હોવા જોઈએ. જો આમ થશે તો તમારો ધ્યેય પ્રાપ્તિનો રસ્તો ઘણો જ સરળ થઈ જશે.

    તમારું ધ્યેય અને પ્રાપ્તિ તમારી જિંદગીને એટલી બધી સ્પર્શતી હોય, મહત્તવ રાખતી હોય, જરૂરી

    હોય ત્યારે તમારી ધ્યેય પ્રાપ્તિ થવાની તકો ઉજળી હોય છે.

    ‘કરો યા મરો’ નો જ્યાં સવાલ આવે છે ત્યારે માણસ ક્યારેય મરતો નથી, જયારે પૂરા અસ્તિત્વનો જ

    સવાલ હોય ત્યારે પ્રયત્નો કેટલાં ભરપૂર હોય છે. તેના દાખલાઓ ઈતિહાસ અને વર્તમાનકાળમાં પણ

    જાણવામાં આવતાં હોય છે.

    ‘શ્રધ્ધા નાશ પામે છે ત્યારે તે સર્વસ્વ ગુમાવી દે છે’.

    ---------------------------------------------------------------- ૮૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    અમેરિકાના પ્રમુખ

    માતાની સૂચના પ્રમાણે નાનો અબ્રાહમ ખુલ્લી હવામાં બહાર નીકળ્યો. જંગલમાં નાની મોટી ગુફાઓમાં મન મૂકીને ફરતો રહ્યો. પક્ષીઓનો કલબલાટ અને ઝરણાનું ખળખળ સંગીત સાંળતીને તે પ્રફુલ્લિત થયો. એવા આનંદિત મન સાથે અબ્રાહમ ઘરે આવ્યો પછી તેની માતા પાસે અભ્યાસ કરવા બેઠો. માતાએ કહ્યું, ‘દીકરા, તને ક્યા વિષયમાં મૂંઝવણ કે? તે પુસ્તક તું કાઢ, શાબાશ! હવે પહેલો પાઠ વાંચ જોઈએ’

    અબ્રાહમે ફટાફટ પાઠ વાંચ્યો. તેની માતાએ પૂછ્યું ‘તને કંઇ ખબર પડી? અબ્રાહમે નાં કહી ડોક હલાવી. માતાએ કહ્યું, આ પાઠ તુંફરીથી વાંચ, અબ્રાહમે પાઠ ફરીથી વાંચ્યો. માતાએ પૂછ્યું હવે તને કંઇ ખબર પડી? અબ્રાહમે કહ્યું’હા, માતા થોડી થોડી ખબર પડી’, માતાએ કહ્યું, સારું, ફરીથી એક વખત પાઠ વાંચી જા તો, ‘અબ્રાહમે ફરીથી એક વખત મન લગાવીને પાઠ વાંચ્યો. માતાએ પૂછ્યું, હવે તને આમાંકાંઈ શંકા જણાય છે?. અબ્રાહમ આનંદપૂર્વક બોલ્યો, નાં માતા, હવે મને પાઠ પૂરેપરો સમજાઈ ગયો. તેના અનુસંધાનમાંમાતાએ કહ્યું. શાબાશ બેટા! હવે આગળ વાંચ. અબ્રાહમે બીજો પાઠ વાંચ્યો.

    માતાના ફરીથી વાંચ અને આગળ ‘વાંચ’, આ શૈક્ષણિક મહામંત્રે અબ્રાહમની જિંદગીની દિશા જ બદલી નાખી. આ જ અબ્રાહમ મોટા થઈને અમેરિકાના જગવિખ્યાત રાષ્ટ્રપ્રમુખ બન્યા.

    એક નાની સરખી સમસ્યાને જો સમયસર ઉકેલવામાંન આવે તો કાલે એક

    મહાન સમસ્યા બનીને તમને થથરાવશે.

    ---------------------------------------------------------------- ૮૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સદાચાર

    ‘પ્રકાશ, નીતિકારોને ચાર પ્રકારની માતા બતાવી છે : (૧) માત્ર સંતાનની પ્રાપ્તિથી જ સંતોષ માનનારી માતા તે પશુ માતા છે. (૨) પુત્રને ધનાર્જન માત્ર કરતાંદેખી માત્ર સંતોષ પામનારી માતા એ અધમમાતા. (૩) પુત્રના વિશિષ્ઠ પ્રકારના કાર્યોથી ખુશ થનારી માતા મધ્યમ માતા (૪) પુત્રની ટોચ કક્ષાની પરોપકારિતા દેખી ખુશ થનારી તે ઉતમ મતા છે.’

    પ્રકાશને ઊર્જાનું ચિંતન બહુ ગમતું હતું. શાળા જ પોતાનું ઘર હતું કારણ ઘર સામે જ પોતાની શાળા જીવંત રહે અને બંને પણ જીવંત રહી શકે. બંનેનાં મનમાં નાનપણથી જે મુરાદ હતી તે ધીમેધીમે પૂર્ણ થઈ રહી હતી. પ્રકાશ અને ઊર્જા બંને એકસાથે બોલે છે સદાચાર હંમેશા સારો બદલો આપે છે.

    ‘સંકલ્પ કરો તો તમે અફાટ સાગરને ઉલેચી શકો છો અને હિમાલયને

    ઓગળી શકો છો. તમારી આત્મશ્રદ્ધાથી તમે નદીઓના ધસમસતાંપૂર

    થંભાવી શકો છો અને સિંહ જેવા રાણી પશુઓને તમારા દાસ

    બનાવી શકો છો.’

    ---------------------------------------------------------------- ૮૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    જીવન ઘડતરનો પાયો

    ગુરુ દ્રોણને જન થતાં ભીલકુમાર એકલવ્યને શિક્ષા આપવાની એમને ના પાડી. એકલવ્ય તરીકે ખ્યાત થયેલા ભીલકુમારે પોતાના દ્રઢ આત્મવિશ્વાસનું સંપાદન કરી ગુરુ દ્રોણની માટીની પ્રતિકૃતિ બનાવી અકલ્પ્ય બુધ્ધિ પ્રતિભા હાંસલ કરી. આ શુંબતાવે છે? પ્રત્યેક માનવી ઈતિહાસમાં બનેલા બનાવો, મહાગ્રંથો માંથી સર્જાયેલી ઘટનાઓ કે પછી ધર્મગ્રંથોમાં જુદી જુદી જગ્યાએ સંગ્રહિત થયેલા આત્મવિશ્વાસને ગ્રહણ કરશે તો પોતાની જીવન ઈમારતનો પાયો નક્કર રીતે પુરી શકશે. ચંદ્ર ઉપર ગયા બાદ માનવીને એક વાત સહજ લાગી હશે. પરંતુ એ પહેલા વિશ્વસનીય નહીં લાગી હોય. મનુષ્ય પોતાના જીવનમાં એક જ પળે આત્મવિશ્વાસનું સંપાદન કરશે તો એ પળ કદાચ સાગરમાં ફેંકેલી કાંકરી દ્વારા ઉત્પન્ન થયેલા તરંગ જેવું હશે. તો વળી, પોતાના જીવનના ઘનઘોર આકાશમાં વીજરેખાની માફક ચમકી ઉઠશે. દૂર વૃક્ષ પર બેઠેલાંપક્ષીની બારીક આંખને વીંધી શકાય તમે પોતાના જીવનને વીંધી શકે.

    આત્મવિશ્વાસ વિનાનો શ્વાસ તદન પાંગળો, શુષ્ક અને નહિંવત્ લાગે છે. આત્મવિશ્વાસના ખમીરથી આપણા ઐતિહાસિક પાત્રો આજ સુધી આપણા માનસપટ પર શોર્યનો ચિરાગ પેટાવી ગયા છે. મહારાણા પ્રતાપ, વીર ભામાશા, ઝાંસીની રાણી, તાત્યા ટોપે, ગોપાલકૃષ્ણ ગોખલે, હુમાયુ, વિનોબા ભાવે અસંખ્ય ઉદારણો રજૂ કરી શકાય.

    એકાગ્રતા કેળવવા સારુ તમારી શ્રવણશક્તિ, નિરીક્ષણ શક્તિ અને મનન

    શક્તિનો વધુ અસરકારક ઉપયોગ કરવો જોઈએ.

    ---------------------------------------------------------------- ૮૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    નહીં માફ નીચું નિશાન.

    સ્વેટ માડર્નનું વિધાન મેં નિબંધમાં લખ્યું હતું કે, ‘જયારે તમે તમારી ચારે તરફ નિષ્ફળતાનું વાતાવરણ લઈને ચાલો છો, જેને જોઈને તમારામાં સંહેદ અને નિરુત્સાહ જન્મે છે ત્યાં સુધી તમે નિષ્ફળ નિવડશો, પણ આ બધું દૂર કરો અને પછી જૂઓ તમે ક્યાં પહોંચો છો? આ વિધાન મારા જીવનમાં મેં પણ દ્રઢ કર્યું છે.

    હું સૌપ્રથમ તો પાંચ પ્રશ્નો પોતાને પૂછ્યા કરું છું:

    ૧) મારે જે મેળવવું છે, તે અંગે મારા વિચારો બરાબર સ્પષ્ટ છે ખરા, અને તે સંદર્ભમાં હું અત્યારે ક્યાં ઊભો છું, તેનો મને બરોબર ખ્યાલ છે ખરો?

    ૨) મારી સિદ્ધિ માટે મારી પાસે વિગતવાર અને લેખિત યોજના ઘડેલી છે ખરી?

    ૩) મેં નક્કી કરેલા ધ્યેયોને પહોંચવા માટે મારે મારી પાસે ભડભડતી ઈચ્છા છે?

    ૪) તે ધ્યેયો સુધી પહોંચવા મને મારી શક્તિઓ પર અને જાત પર અટલ વિશ્વાસ છે ખરો?

    ૫) અડચણો, લોકનિંદા અને વિરોધ હોવા છતાં આગળ વધવાનો લોખંડી નિશ્ચય શું મેં કરી લીધો છે ખરો?

    દીવા પાસે બેઠાં હોઈએ અને હાથમાં પુસ્તક હોય એના જેવો

    આનંદ બીજો એક પણ નથી. – યોશીદા કેનાકે

    ---------------------------------------------------------------- ૯૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સૈનિકોને પ્રણામ

    આપણું રાષ્ટ્રગીત ‘જનગણમન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા’ અને ‘સારે જહાં સે અચછા હિન્દોસ્તાં હમારા’ સહિત દેશભાવનાના ઘણાં ગીતો મને ગાવા ગમે છે. ‘જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈસો પાવત હૈ’ ગીત મને બહુ જ પ્રેરણા આપે છે.

    જીવન એ એક રણમેદાન છે. એમાં જય – પરાજય તો આવતા જ રહે છે. એવા પરાજયથી માણસ હતાશ થઈ બેસી રહેવું જોઈએ નહીં.

    અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનથી માંડીને ઈંગ્લેંડના વડાપ્રધાન ડીઝરાયેલી અને ગ્લેડસ્ટનને તેમના જીવનમાં અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડેલો.

    આપણા દેશમાં ખુદ ગાંધીજીને પણ બ્રિટીશ હકૂમત સામેની લડતમાં ૧૯૨૦ થી ૧૯૪૫ દરમિયાન અનેક નિષ્ફળતાઓ અને દગાબાજીનો સામનો કરવો પડેલ. કિન્તુ આ બધા મહાપુરુષો નિષ્ફળતાને સફળતા માટેનું એક વધુ સોપાન ગણીને પોતાના ધ્યેયની દિશામાં આગળ વધતા રહ્યાં અને આખરે તેમણે સફળતા માટેનું એક વધુ સોપાન ગણીને પોતાના ધ્યેયની દિશામાં આગળ વધતા રહ્યાં અને આખરે તેમણે સફળતાનાં ઉન્ન્ત શિખરો સર કરી આઝાદી અપાવી. સૌને પ્રણામ.

    સાહિત્ય તો સાગરવેળ : જીવનના અણુએ અણુને પ્લાવિત કરી મૂકે

  • ઝવેરચંદ મેઘાણી
  • ---------------------------------------------------------------- ૯૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મને શું થવું ગમે?

    ‘મને શું થવું ગમે?’ એ પ્રશ્ન પહેલાં મને મૂંઝવતો હતો પણ હવે, આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે. ‘મારે શિક્ષક બનવું છે’ શિક્ષક ભગવાનનું સ્વરૂપ છે. જે જીવનનો સાચો રસ્તો બતાવે છે. મારે વિદ્યાર્થીઓના પથદર્શક બનવું છે. બીજાને જ્ઞાન આપવું એ સુંદર વિચાર છે એમ હું માનું છું.

    ‘યેશા અને મોહા સતત ત્રણ મહિના સુધી મહેનત કરે છે. નવમા અને આઠમા ધોરણમાં ભળતી કિશોરીઓ સાયન્સ સિટીના યજમાનપદે વિજ્ઞાનમેળો યોજાય છે. સમગ્ર દેશમાંથી દર હજાર વધુ પ્રોજેક્ટ્સમાંથી વૈજ્ઞાનિકોએ પસંદ કરેલા ૯૭ પ્રોજેક્ટ પસંદ થયો. ભારતના આયુર્વેદ ગ્રંથોમાં જેનો ઉલ્લેખ થયો છે તેવા અને પુરાતનકાળથી ભારતીય પ્રણાલીમાં જેનો સ્વીકાર થયો છે તેવા ‘કરંજના દાંતણ’નો ઉપયોગ કરંજના અર્કમાં રહેલા બેકટેરિયાનો નાશ કરનાર તત્વ અંગેનું સંશોધન રજૂ કરે છે.

    ૪૦ જેટલા જુદા જુદા ક્ષેત્રના સાયન્ટીસ્ટની જજીસ કમિટી બે દિવસ સુધી મેળામાં રજૂ થયેલાં પ્રોજેક્ટ્સ ચકાસી તેમાંથી ૧૫ પ્રોજેક્ટ્સને ગ્રાન્ડ એવોર્ડ વીનર તરીકે જાહેર કરે છે. યેશા અને મોહાના પ્રોજેક્ટ પસંદ થાય છે અને અમેરિકાના પીટ્સબર્ગ આઈ. એસ. ઈ. એફ. એટલે કે સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ ફેરમાં ભાગ લે છે અને દેશ – વિદેશના જિજ્ઞાસુઓ સાથે મુલાકાત લે. છે.

    તમારી નબળાઈઓ પારખો અને તેને દૂર કરો – લોકમાન્ય ટિળક

    ---------------------------------------------------------------- ૯૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સુંદર અક્ષરો

    ગાંધીજીના શબ્દો મેં મારા જીવનમાં બરાબર ગ્રહણ કર્યા છે. ‘નઠારા અક્ષરોએ અધૂરી કેળવણીની

    નિશાની છે’ હું પણ મારા અક્ષરો પ્રમાણસર, સીધા, બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એવા કરું છું અને

    ક્યારેક તો મારા અક્ષરો મોતીના દાણા જેવા પણ થઈ જાય છે.

    ‘વિદ્યાર્થી જીવનમાં ટેવોનું ચારિત્ર્યનું અને વિવિધ કૌશલ્યોનું જેટલું મહત્વ છે તેટલું, બલકે તેથી

    વિશેષ મહત્વ સુંદર હસ્તાક્ષરનું છે. કોઈપણ વિદ્યાર્થીની પ્રતિભા નક્કી કરવાનું પ્રથમ સાધન તેના હસ્તાક્ષર

    છે. સુંદર અને મરોડદાર અક્ષર સૌને માટે એક આકર્ષણની બાબત બની જાય છે. પોતાના હસ્તાક્ષર તમને

    ગમે છે ખરા? જો ગમતા હોય તો તે ખરેખર બીજાની દ્રષ્ટિએ કેવા છે. તે જાણી લો. અન્યની નજરે જો

    તમારા હસ્તાક્ષર સારા ન હોય, તો તમારે તમારી દ્રષ્ટિ બદલવી જોઈએ પણ પોતાને જ પોતાના હસ્તાક્ષર

    ન ગમતાં હોય, તે ખામી ભરેલા લાગતાં હોય તો તમારે તે સુધારવાનો સંકલ્પ કરવો જોઈએ.

    ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગત શીતળ

    હોય છે – કાલિદાસ

    ---------------------------------------------------------------- ૯૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    લક્ષ્ય, જ્ઞાન, મહેનત = સફળતા

    અબ્દુલ કલામસાહેબનાં પાંચ મંત્રો મેં મારા જીવનમાં ઉતર્યા છે (૧) જીવનમાં લક્ષ્ય નિશ્ચિત કરો (૨) જ્ઞાન મેળવો (૩) સખત મહેનત કરો (૪) લક્ષ્ય પ્રત્યે રૂઢ રહો (૫) અમે સફળ થઈશું. અબ્દુલ કલામ અને વિવેકાનંદ મેં મારા જીવનમાં આદર્શ બનાવ્યા છે. તે પ્રમાણે હું આગળ વધું છું.

    દુનિયામાં એવો કયો માણસ હશે જે સફળતા નહીં ઈચ્છતો હોય? પરતું આપણે જાણીએ છીએ કે, બધાં જ માણસો જીવનમાં સફળતા મેળવી શકતા નથી. કેટલાક માણસો જીવનભર નિષ્ફળતા મેળવીને દુઃખી થતાં હોય છે, કિન્તુ એનો અર્થ એવો નથી કે, સફળતાના શિખર સર ન જ કરી શકાય. સફળતા મેળવીને દુષ્કર ભલે હોય, પરંતુ તેને પણ ચોક્કસ નિયમો હોય છે અને તેને અનુસરવાથી જીવનમાં અવશ્ય સફળતા પામી શકાય છે. પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ અને તે સાધવાની શક્તિ ઈશ્વરે આપેલી જ છે.

    હકારાત્મક વિચારોથી હંમેશા બળ મળે છે. આજે કે હવે પછી આપણે ઉજ્જવળ કારકિર્દીમાં આગળ હતાં, છીએ અને રહીશું.નબળી વાતોને, વિચારોને ફેંકી ડો, નિરાશાવાદ છોડો, આપણે નસીબદાર શ્રી સરસ્વતીજીના સંતાનો, વિચારો, સંસ્કારી ઘરમાં આપણને જન્મ મળ્યો છે. પૂર્વજોના માતા પિતાના અને સદગુરુના આશિષ આપણા ઉપર સતત વરસ્યા કરે છે પછી ઉપાધી શાની?

    સંસારમાં શિક્ષણ સૌથી મહાન ઉપલબ્ધિ છે – નિરાલા.

    ---------------------------------------------------------------- ૯૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    આભાર માનું છું

    હું હંમેશા મારીભૂલ બતાવનારનો, ટીકા કરનારો આભાર માનું છું. મને જાગૃત રાખનાર આ બધા

    મારા ગુરુઓ છે. હું મારી લીટી જ મોટી કરુંછું. મને સિધ્ધિ મળતી રહે છે, સફળતાની દિશા ભૂલે છે. અને

    મારો વિકાસ થતો રહે છે. હું સતત જાગું છું, જાગ્યા જ કરું છું.

    ‘શિક્ષણના સાચા શિષ્ય એટલે સ્વામી વિવેકાનંદ. કારણ કે તેને તેનો પ્રચાર નો’ તો કરવો. પરંતુ

    સમાજમાં મૂળ નાખી ગયેલાં અનર્થો, બેકારી, નિરક્ષરતા, કંગાલિયત સામે લડી આમૂલ પરિવર્તનની પ્રેરણા

    દેવાનું ભગીરથ કાર્ય કરવાનું હતું. તેમાં તેઓ સાંગોપાંગ સફળ થયા. સાધુ પ્રત્યે તેઓને બચપણથી

    અતિપ્રેમ હતો. બારણે સાધુ આવે એટલે તે તો રાજીરાજી થઈ જતાં. બહેનોને એ ભારે પજવતાં. આ નાનકડા

    નર શિષ્યમાંથી નરસિંહ સમા નરેન્દ્રને કેમ ભૂલાય? જેણે ભારતના ઈતિહાસને ઢંઢોળ્યો,ભક્તિની અંજલિ

    છાંટી, ઈતિહાસને બેઠો કર્યો. આ બેઠેલા ઈતિહાસને આધ્યાત્મિક

    તાની મંઝીલ તરફ દોડાવ્યો. સો માઈલ લાંબા પ્રવાસની શરૂઆત માત્ર એક ડગલાથી જ થાય છે. તો

    આજથી હુંપણ કેમ આગળ ન વધું.?

    એકાગ્ર બનો અને વિજયી બનો – વિનોબા ભાવે

    ---------------------------------------------------------------- ૯૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    વક્ર્તૃત્વથી વિકાસ

    વક્ર્તૃત્વ કલા ખીલવવા હું સતત નવું નવું વાંચુ છું. વિષયને અનુરૂપ ચિંતન કરી ઉત્તમ સ્ક્રિપ્ટ તૈયાર કરુંછું. વક્તવ્ય સહજ સ્પષ્ટ, મુદ્દાસર, પ્રસંગ, ઉદાહરણ, દાખલા, દલીલ અને અસરકારક પંક્તિઓ મૂકું છું વક્તવ્ય સમયસર પૂરું થાય તે માટે ત્રણ ચાર પ્રેક્ટીસ કરું છું. સૌને ગમે તેવું બોલવા યત્ન કરું છું.

    સતત – સરસ વાંચનથી વક્ર્તૃત્વ અભિવ્યક્તિ ખીલે છે. વક્ર્તૃત્વનાં વિષય માટે ચિંતન – મનન કરવું અનિવાર્ય છે. સાંપ્રત પ્રવાહ અને ઘટના સાથે સંપર્ક જરૂરી છે. શ્રેષ્ટ વક્તવ્ય માટે સારામાં સારી સ્ક્રિપ્ટ તૈયાર કરો.

    વક્ર્તૃત્વ સહજ, સ્પષ્ટ, મુદ્દાસર, સપ્રમાણમાં ભાષામાં સ્વસ્થતાથી અને પ્રસન્નચિત્તે રજૂ કરવું જોઈએ. વક્ર્તૃત્વ કળામાં છટાદાર અભિવ્યક્તિ, વાકંચાતુર્ય, આરોહ – અવરોહ, સપ્રમાણ આંગિક અભિનય, સુંદર પરિવેશ જેવી બાબતને ખાસ ધ્યાનમાં રાખવી. વક્તવ્યનો પ્રારંભ કોઈ પ્રસંગ, ઉદાહરણ, દાખલા – દલીલ કે અસરકારક પંક્તિથી કરી શકાય.

    વક્ર્તૃત્વ સ્પર્ધાના વિષય માટે ઉપયોગી થાય તેવી વિવિધ ભાષાની પંક્તિઓનો સંગ્રહ કરો. વક્તવ્ય નિયત સમયમાં બરાબર પૂરું થાય તે માટે મહાવરો રાખવો જોઈએ. વક્ર્તૃત્વ સ્પર્ધા કોણ યોજે છે, ક્યારે યોજાય છે, તે અંગેની વિગત મેળવવા શાળા – કોલેજના નોટિસ બોર્ડ, વર્તમાન પત્રો અને સામયિકો વાંચવા જોઈએ. વક્ર્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાથી સમાજમાં તમને માન સન્માન મળશે. ઉત્સાહ અને પ્રતિભા ખીલશે.

    જીવનમાંછેતરવા અને અપમાનિત થવા કરતાં જાગતા રહો.

    યાદ રાખો મિત્રો, એક હજાર માણસમાં એકાદ પંડિત બને જયારે દસ હજારમાં એકાદ વ્યક્તિ શ્રેષ્ટ વક્તા બને છે.

    સત્ય એ સત્ય રહે છે, ભલેને બધાંજ તેની વિરૂધ્ધ હોય. જે સત્ય બોલે છે

    તે જ તેના હ્રદયમાં આગળ વધે છે. – અબ્દુલ કલામ

    ---------------------------------------------------------------- ૯૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    આદર્શ વિદ્યાર્થી

    હુંઆદર્શ વિદ્યાર્થી બનવા સતત જાગૃત રહું છું. અભ્યાસથી તેજસ્વી બનું છું. વિનય, સંસ્કાર, સ્વચ્છતા, મહેનત, નિયમિતતા, ઉત્સાહથી હું આદર્શ વિદ્યાર્થી બનવા આગળ વધું છું. કર્મને વચનને અનુરૂપ અને વચનને કર્મને અનુરૂપ કરી સાચો વિદ્યાર્થી બનીશ.

    આદર્શ વિદ્યાર્થી એટલે અનુકરણીય વિદ્યાર્થી. અન્ય વિદ્યાર્થી પોતાના સમગ્ર વ્યક્તિત્વની એક સુંદર છાપ ઉપસાવી તેમને સન્માર્ગે વાળી શકે. એ આદર્શ વિદ્યાર્થી, તે એ જ કહેવાય ને? વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાપ્રાપ્તિ એ જ વિદ્યાર્થીનું એકમાત્ર ધ્યેય હોવું જોઈએ. એનું તાત્પર્ય એવું નથી કે વિદ્યાર્થી પુસ્તકિયો કીડો કે કૂપમંડુક રહે. વિદ્યાર્થીઓનો સુંદર પ્રેરણા આપતી અંગ્રેજી પંક્તિ નીચે પ્રમાણે છે:

    I alone have the power to make my life. મારે મારી જિંદગી બગાડવી કે કેવળ સુધારવી તે મારા હાથમાં છે. શીલ અને સંસ્કાર તો વિદ્યાર્થીની અમૂલ્ય પૂંજી છે. આજનો વિલાસી યુગ વિદ્યાર્થીને ભરખી ગયો છે. એમાંથી વિદ્યાર્થી પણ બાકાત નથી રહ્યો. પરંતુ આદર્શ વિદ્યાર્થીએ પોતાના ચરિત્રને કોઈપણ ભોગે રક્ષવું જોઈએ. સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને સહ્રદયતાપૂર્વકની એની કર્તવ્યનિષ્ઠા અન્ય વિદ્યાર્થી માટે આદર્શરૂપ બની જાય છે.

    કોઈપણ કાર્યની સફળતા માટે સંકલ્પ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે.

    ---------------------------------------------------------------- ૯૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મને લખવું બહુ ગમે છે

    આઠથી બારમા ધોરણમાં ગુજરાતી વિષયમાં નિબંધ એક ફરજિયાત પ્રશ્ન તરીકે પૂછાય છે.

    પરીક્ષા અને ગુણભારની દષ્ટિએ નિબંધનો પ્રશ્ન અતિ મહત્વનો બની રહે છે.

    આપેલા વિષયો પૈકી જે વિષય લખવા માટે પસંદ કર્યો હોય તેના પર ૨૦૦ થી ૩૦૦ શબ્દોમાં (લગભગ ૨૫ થી ૩૫ લીટીમાં) નિબંધ લખવાનો હોય છે.

    પસંદ કરેલા વિષય પર વધારે વિસ્તારથી વિચારો વ્યક્ત થઈ શકે તેવા વિષય લખવા માટે પસંદ કરવો.

    જે વિષય પર વધારે વિસ્તારથી વિચારો વ્યક્ત થઈ શકે તેવા વિષય લખવા માટે પસંદ કરવો.

    નિબંધ રસપૂર્વક અને ભાવથી લખો. નિબંધની શૈલી મૌલિક, સરળ, રસિક, અર્થપૂર્ણ, પ્રવાહી અને સચોટ હોવી અનિવાર્ય છે.

    મુખ્ય તેમ જ પેટા મુદ્દાઓ નક્કી કર્યા પછી મુદ્દાઓનું વર્ગીકરણ કરવું. લખતાં લખતાં કોઈ મુદ્દો, વિચાર કે સંદર્ભ યાદ આવે તો નિબંધ સમાપન કરતાં પૂર્વે તેને સ્વાભાવિક રીતે સમાવી લેવો જરૂરી છે.

    નિબંધનો આરંભ આકર્ષક અને ચોટદાર હોવો જોઈએ. નિબંધના હાર્દને અનુરૂપ મધ્યભાગ જરૂરી છે. અંતે આકર્ષક અને સૂત્રાત્મક હોવો જોઈએ.

    નિબંધ લેખનમાં સુંદર અક્ષર, જોડણીની શુદ્ધિ, સ્પષ્ટ મુદ્દા, જરૂરી હાંસિયો, યોગ્ય ફકરા અને સ્વચ્છતા આવશ્યક છે.

    નિબંધમાં પ્રયોજેલી પંક્તિઓ, સુવાક્યો, ઉદાહરણ વગેરે નીચે લીટી કરો.

    શ્રેષ્ઠ અને સર્વોત્તમ ઈરાદાથી કરતાં તો એક નાનું સરખું સારું કામ

    વધારે સારું ગણાય છે. – સ્ટીફન

    ---------------------------------------------------------------- ૯૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મારી સ્કૂલ બેગ

    મારી સ્કૂલ બેગમાં જોઈએ તેટલા જ પુસ્તકો, નોટબૂક ટાઈમ ટેબલ પ્રમાણે રાખું છું. લંચ બોક્સમાં

    પૌષ્ટિક નાસ્તો લઈ જાઉં છું. શોકસ, શૂઝ, આઈન્ડેન્ટી કાર્ડ, કંપાસ, વોટર બોટલ, રૂમાલ, ડેઈલી ડાયરી,

    કલર બોક્સ મારા મિત્રો છે. તેની સંભાળ હું બરાબર લઉં છું. સ્કૂલબેગ સ્વચ્છ રાખું છું.સ્કૂલ બેગ મારો સાથી

    છે. મારી મમ્મી અને પપ્પા છે. સ્કૂલ બેગની ટેક્ષ બૂક્સ મને જાગૃત રાખે છે. હોમવર્કસની નોટ મને સખત

    મહેનત કરવાની યાદ આપે છે. સ્કૂલ નોટસમાં મને સ્ટાર, એ ગ્રેડ મળ્યાં હોય છે. તેની નોંધ હોય છે અને

    તેના જોતા જ મારો અભ્યાસ કરવાનો ઉત્સાહ વધી જાય છે.

    મારી સ્કૂલ બેગમાં વધારાની કોઈ વસ્તુ ક્યારેય હોય જ નહીં.

    ખરેખર, મારી સ્કૂલ બેગ તો

    મારી સ્કૂલ બેગ છે, સફળતા

    મારી સ્કૂલ બેગમાં છે.

    આપણે એ ન ભૂલવું જોઈએ કે ‘અનુભવ એ આપણો

    મહાન શિક્ષક છે.’ – કાકા કાલેલકર

    ---------------------------------------------------------------- ૯૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    કસરત, રમત – ગમત

    કસરત કરવી મને બહુ જ ગમે છે. સ્કૂલમાં હું ક્યારે શનિવાર આવે તેની રાહ જોઉં છું. લંગડી,

    કબડ્ડી, ખો – ખો, વોલીબોલ, બાસ્કેટ બોલ, ક્રિકેટ, હોકી, સ્વિમિંગમાં બહુ રસ લઉંછું. સ્વાતંત્ર્ય અને

    પ્રજાસત્તાક દિનના રોજ હું અનેકવાર ચેસમાં, બેડમિંટનમાં નંબર લઈ આવું છું અને મારું બળ વધારું છું.

    ‘જૂઓ, મિત્રો, આજે આપણે ફીટ રહેવાની વાતો કરીએ છીએ પણ આ ફીટ શું છે? ખાલી વાતો

    કરવાથી ફીટ ન રહેવાય. તેના માટે સતત ધ્યાન રાખવું જોઈએ. ‘ચાલતા રહેજો’નો અર્થ એ છે કે આપણે

    આપણી પ્રવૃત્તિમાં પણ સતત ચાલતા રહેવું જોઈએ. ચાલવાથી શરીર અને મન તંદુરસ્ત રહે છે. ઓક્સિજન

    મળે છે. ચોખ્ખી હવા મેળવવી છીએ. કુદરતી વાતાવરણ અનુભવવા મળે છે. મિત્રો સાથે ચાલવાની મજા

    પડે છે.

    ખરેખર, ‘ચાલતા રહેજો’ સૂત્ર મેં બરાબર આપ્યું છે ને? જીવનમાં ચિત્ર, સંગીતનું મહત્તવ છે તેટલું

    જ મહત્તવ કસરતનું છે.

    ‘જેના જીવનમાં સ્વપ્ન કે કલ્પના નથી તે હંમેશા પામર

    અને અકિંચન રહે છે. – બર્નાડ શો

    -------------------------------------------------------------- ૧૦૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ