Karan Ghelo - 12 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 12

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

પ્રકરણ ૧૨


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧ર

‘‘અરે ભગવાન ! તું કીડીનો કુંજર તથા તરણાનો મેરુ કરી શકે છે. તારી ગતિનો પાર કોઈ પામી શકતું નથી.’’ એ પ્રમાણે દિલ્હીના સરિયામ રસ્તા ઉપર એક મોટા મહેલ આગળ કોઈ હિંદુ નામે બિહારીલાલ ઘોડા ઉપર બેસીને આવ્યો તે તે મહેલ જોઈને બોલ્યો. તે બિચારો મહાસંકટમાં આવી પડ્યો હતો, અને તેમાંથી છૂટવાનો ઉપાય કરવાને તે ત્યાં આવ્યો હતો. સઘળા કાફર હિંદુઓ મુસલમાન ધર્મ ન માને તો શરેહ પ્રમાણે તેઓની પાસેથી જઝીઓ કર લેવામાં આવતો હતો. એ કર આપવામાં જેઓ હરકત કરતા, અથવા કાંઈ દગો કરી તે જેટલો જોઈએ તે કરતાં ઓછો આપતા, તેઓને ભારેમાં ભારે દેહાંતદંડની શિક્ષા કરવામાં આવતી હતી. બિહારીલાલે ઘરમાંનું એક માણસ છુપાવી ઓછો જઝીઓ આપ્યો એવું તેના ઉપર તહોમત આવ્યું હતું; અને અગર જો તે બિલકુલ પાયા વગરનું હતું, અગર જો તે નિરપરાધી હતો, તથા એ સઘળું કામ જઝીઆના ઉઘરાતદારની દુશ્મનીને લીધે ઊઠ્યું હતું, તોપણ આજે રાજ્યમાં હિંદુઓ ઉપર દ્વેષ, જ્યાં ઈન્સાફનો કાંટો પૈસા વડે ગમે તેણી ગમ નમે, અને જ્યાં સરકારને જે વાતથી નુકસાન થાય એવી વાત ન્યાયાધીશો રૈયતની વિરુદ્ધ ફેંસલો કરે એ નિશ્ચય, ત્યાં બિહારીલાલ પોતે નિર્દોષ છતાં પોતાના જાનમાલની મોટી ધાસ્તીમાં રહે એમાં કાંઈ આશ્ચર્ય ન હતું. ધાસ્તી તો શું પણ તેના મનમાં નક્કી હતું કે જો આ પ્રસંગે ઘટતા ઉપાય કરવામાં આવશે નહીં તો વધારે દહાડા જીવવાની આશા જ રાખવી નહીં. પણ પરમેશ્વરની મહેરબાનીથી એવા અન્યાયી જુલમી રાજ્યમાં શિક્ષામાંથી બચવાનો એક મોટો ઉપાય હોય છે, અને જ્યાં સુધી તે ઉપાય કરવો આપણા અખત્યારમાં હોય છે ત્યાં સુધી જિંદગી સલામત છે એમ કહી શકાય છે. એ ઉપાય પૈસા છે. ‘જરા ચાહે સો કર,’ એ કહેવત કેટલીક વાતોમાં ખરી પડે છે. જરવાળો માણસ ખરા અથવા ખોટા ગુનામાંથી એ સાધનથી બચી શકે છે, એટલું જ નહીં પણ તે ગુના કોઈ બીજા ઉપર ઢોળી શકે છે, એવે ઠેકાણે જેઓ ગરીબ એટલે અશક્તિમાન, સાધનરહિત, હોયછ તેઓની ખરેખરી કમબખ્તી થાય છે. તેઓ પોતાના ઉપરના ખરા અથવા ખોટા અપરાધની શિક્ષા ભોગવે છે એટલું જ નહીં પણ બીજા શ્રીમંત લોકોના અપરાધની સજા ઘણી વખતે તેઓને ખમવી પડે છે, તેઓનો બેલી તો પરમેશ્વર જ છે; અને તેઓ જીવતા રહે એ જ આ જગતના તથા તેમના દેશના પાદશાહનો મોટો પાડ એમ તેઓએ માનવું જોઈએ. બિહારીલાલ મોટો વ્યાપારી હતો, અને તેણે થોડાંક વર્ષમાં ઘણું દ્રવ્ય મેળવ્યું હતું; પણ રાજ્યના જુલમને લીધે તેનાથી તે દ્રવ્યનો ઉપભોગ થઈ શકતો ન હતો. સરકારનાં માણસોની ગીધ જેવી નજર તેના ઉપર ન પડે તે માટે એક ખૂણામાં એક નાના સરખા ઘરમાં રહેતો હતો ખાવા જેટલો પૈસો બહાર રાખી તેણે પોતાની સઘળી દોલત ભોંયમાં દાટી મૂકી હતી; અને એવાં નઠારાં પહેરીને તે ફરતો તથા ઘરમાં એવો થોડો ખરચ રાખતો હતો કે તેની પાસે પૈસો છે એવો શક કોઈને ઘણી જ મુશ્કેલીએ આવે. પણ પૈસાની બાબતમાં જુલમી સરકારની ઘ્રાણેંદ્રિય ઘણી જ તીક્ષ્ણ હોય છે. જેમ કેટલાક શિકારી કુતરા ભોંયમાં દર કરી ભરાયેલાં સસલાંને સૂંઘવાથી બહારથી પારખે છે, જેમ મુડદાંની વાસ ગીધ તથા સમડીને ઘણે દૂરથી લાગે છે, તથા જેમ મંકોડા સાકરની પીમળ ગમે ત્યાંથી ઓળખી કાઢે છે, તેમ તેવા દાટેલા ધનની ગંધ સરકારના નાકમાં પહોંચી. હરેક માણસને કોઈ પણ શત્રુ હોય છે, અને વળી જો તેની અવસ્થા સારી હોય તો કેટલાક તેની અદેખાઈ કરનાર હોય છે. તેઓને પોતાનું વેર લેવાને, અથવા અદેખાઈનો તાપ હોલવવાને, બીજો કાંઈ ઉપાય જડતો નથી, ત્યારે તેની પાસે અખૂટ દોલત છે એવી સરકારમાં ખબર આપે છે. પછી તે ખબર ખરી હોય કે ખોટી તોપણ તેના ઘર ઉપર બીજે દહાડે પહેરો આવવાનો, તેના માલની જપ્તી થવાની તે કોઈ અન્યાયને માટે સરકારમાં ઘસડવાનો, તહોમત તેના ઉપર સાબિત થવાનું, સજા કરતી વેળા જાણી જોઈને ભાંજગડ કરવા કેટલાક પડવાના, તેની પાસે વધારે દોલત છે એ જ તેનો મોટો દોષ એમ તેની ખાતરી થવાની, તથા અંતે તેની દોલતનો અર્ધો ભાગ અથવા વખતે તેથી પણ વધારે ઘણી રકઝક તથા તકરાર પછી તેને આપવો પડવાનો, એમાં કાંઈ સંશય જેવું નથી. આવા ખાનગી દુશ્મનો તથા અદેખા લોકો એ કામને વાસ્તે જાણે બસ ન હોય તેમ સરકારના તરફથી ગુપ્તજાસૂસો પણ શહેરમાં ફર્યા કરતા હતા. તેઓ દિલ્હીના હરેક ભાગની, હરેક મહોલ્લાની, તથા હરેકની ઘરની બાતમી રાખતા હતા, અને કોઈ પણ શિકાર તેઓને મળ્યો એટલે તરત તેના ઉપર પંજા લાંબા કરી તેઓ તરાપ મારતા હતા. એવે વખતે જે માણસ તે જાસૂસને રાજી રાખવાને તથા તેનું ગજવું ભરવાને આનાકાની કરે તેની ખરેખરી કમબખ્તી જાણવી. તે હોલામાંથી બચવા જતાં ચૂલામાં પડે છે; તેને બકરી કાઢતાં ઊંટ પેસે છે; અને આખરે તેને સરકાર તથા જાસૂસ એ બંનેને ટાઢા પાડવા પડે છે. બિહારીલાલની દોલતની વાસ સરકારને પડી હતી, અને તે ખબર કરનાર જઝીઆનો ઉઘરાતદાર હતો. પોતાની સાચવટ ઉપર ભરોસો રાખી, તથા એવા લોકોનો જુલમ અટકાવવાના હેતુથી, તેણે ઉઘરાતદારને ખુશ કર્યો નહીં, અને તેનું પરિણામ એ થયું કે, થોડા દહાડામાં તેના ઘર ઉપર જપ્તી બેઠી; તેનાં બૈરીછોકરાંને એક ઓરડામાં ગોંધ્યાં, તથા તેને ગુનેગારની પેઠે બાંધીને સરકારમાં લઈ ગયા. તે દિવસે તો તે હાજરજામીન આપીને છૂટ્યો; પણ હવે શું થશે એ વાતની તેના મનમાં ઘણી જ ચિંતા રહી. તેને પોતાની જાતને વાસ્તે એટલી બધી ફિકર હતી એમ કાંઈ ન હતું. પોતાનો વહાલો પૈસો જે તેણે ઘણે શ્રમે, ઘણાં સંકટ ભોગવીને, તથા મોટાં જોખમ માથે લઈને મેળવ્યો હતો તે સઘળો એક પળમાં ઊડી જશે, અને તેનાં બૈરાંને માટે પણ મહાભારત દુઃખ આવી પડશે, અને તેના આવા કામને લીધે તેઓને પણ સજા થશે, એ વિચારથી તેના અંતફકરણને તીક્ષ્ણ બાણ વાગતાં હતાં. જેમ ખ્રિસ્તી ધર્મ પ્રમાણે બાવા આદમના કરેલા ગુનાને માટે પરમેશ્વરે કરેલી શિક્ષા આપણે સઘળાં માણસો ભોગવીએ છીએ, જે પ્રમાણે માબાપના રોગ છોકરાંઓ ઉપર ઊતરે છે, તથા જે પ્રમાણે મા બાપનાં કરેલાં કામોનાં ફળ દુનિયામાં વખતે છોકરાંને ચાખવાં પડે છે તે પ્રમાણે અન્યાયી જુલમી તથા આપઅખત્યારી રાજાના હાથ નીચે માબાપના ગુનાની સજા છોકરાંને ભોગવવી પડે છે એટલું જ નહીં, પણ તેઓનાં છોકરાં તથા નિકટના સંબંધીઓને પણ તેમાં વખતે સામેલ કરવામાં આવે છે. એવી બારીક હાલતમાં બીહારીલાલ આવી પડ્યો હતો. વાઘ જેવાના સપાટામાંથી પણ કોઈ વાર બચાય, પણ સરકારની આવી ચુંગાલમાંથી સહીસલામત છૂટવું એ તો ઈશ્વરી ચમત્કાર જાણવો. કરોળિયાની જાળમાં કોઈ માખી સપડાય છે તયારે તે કેટલીક વાર સુધી તરફડિયાં મારે છે, તેમાંથી જો પાંખ અથવા પગ તૂટતાં પણ બહાર નીકળાય તો તેનું મોટું ભાગ્ય જાણવું, નહીં તો તે કરોળિયો આઘે બેસીને તેના પછાડા જોયા જ કરતો હોય છે, અને જ્યારે તેનો ભક્ષ નરમ પડે છે એટલે તે ધીમે ધીમે આવી તેની જિંદગીનો અંત આણે છે. તે પ્રમાણે બિહારીલાલ બિચારો સરકારની મહાજાળમાં ફસાયો હતો, અને તેમાંથી હવે નીકળવાને હવે પછાડા મારતો હતો. તેની ચુક માત્ર એટલી જ હતી કે તેણે જમાનો, દેશની હાલત, તથા રાજનીતિ બરોબર તપાસી નહીં. સાચવટ તથા પ્રમાણીકપણા ઉપર ભરોસો રાખી, તથા તેને ખડકના જેવાં અચળ સમજીને તેઓને અઢેલીને તે ઊભો રહ્યો. પણ તે એટલું સમજ્યો નહી કે સાચવટ તથા પ્રમાણીકપણું આ દુષ્ટ જગતમાં ઘણે પ્રસંગે માણસને દુનિયા તરફના નુકસાનથી બચાવી શકતાં નથ, તથા આ તોફાની ભવસાગરમાં તે ખડકો કેટલીક વાર ખસી જાય છે, અને તેઓના ઉપર વિશ્વાસ રાખી તેને વળવી રહેનાર માણસ ઊછળતાં મોજામાં ઘસડાઈ જાય છે.

જો સાચવટ તથા પ્રમાણિકપણા ઉપર પાકો ભરોસો રાખવો હોય તો દુનિયા તરફની ખરાબીથી કદી પણ બીવું નહીં. તેમણે નક્કી મનમાં સમજવું કે આ બે અમૂલ્ય ગુણ પકડી રાખ્યાથી દુનિયામાં કદાચ તેના ઉપર ગમે તેટલી આફત પડે, તેમની પાયમાલી થઈ જાય, અથવા વખતે જાનની પણ ખુવારી થજાય, તોપણ આ પ્રપંચી દુનિયાનો ત્યાગ કર્યા પછી પરલોકમાં સર્વશક્તિમાન તથા સઘળાં સારાં કામોનો તથા સઘળા શ્રેષ્ઠ ગુણોનો બદલો આપનાર પરમેશ્વરની તરફથી અક્ષય સુખની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં, એ વાત ઉપર નજર રાખીને તથા એ ગુણો સારા જ છે માટે હમણાં તેઓથી ગવમે તેવાં માઠાં પરિણામ નીપજે તેની દરકાર ન કરતાં તે ગુણો પાળવા જ એમ તેમણે મનમાં નક્કી રાખવું. એ સદ્‌ગુણોને લીધે દુનિયામાં પણ ઘણા લાભ થાય છે. પણ તે લાભ ઉપર એટલો વિશ્વાસ રાખવો નહીં. જે માણસ આ જગતમાં ફાયદાને માટે જ સદાચરણે વર્તે છે તેનો ટેકો ઘણો નબળો છે. સદ્‌ગુણી માણસો ઉપર ઘણી વિપત્તિઓ આવી પડે છે; તેઓને પણ જગતમાં સામાનય નિયમ લાગુ પડે છે; તથા તેઓને પણ હમેશાં લાભ જ થાય એમ બનતું નથી ત્યારે સાચવટ અને પ્રમાણિકપણે ચાલનાર એવી આશા રાખે કે એ પ્રમાણે વર્તવાથી પરમેશ્વર તેના ઉપર મહેરબાન થઈ તેને હમેશા સુખી રાખશે, તેની ઉમેદ હમેશાં બર લાવ્યા કરશે, તથા તેને માથે કોઈ દહાડો પણ આફત આવી પડશે નહીં, તો તે ઘણો નાઉમેદ તથા નિરાશ થઈ જાય છે; અને તેનું પરિણામ એ થાય છે કે તેના મનમાં બેમાંથી એક વાતની શંકા ઉત્પન્ન થાય છે; એક તો એ કે પરમેશ્વર નથી; તે આંધળો થઈ બેઠો છે, તથા સારાં નઠરાં માણસોમાં કાંઈ ભેદ ગણતો નથી માટે તેના ઉપર પ્રીતિ રાખવાથી, તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખવાથી, તથા સારાં કામોના બદલાની તેની તરફથી આશા રાખવાથી કાંઈ ફળ નથી; અથવા તેને એવી ખાત્રી થાય છે કે સારાંનઠારાં કામોમાં કાંઈ ભેદ નથી. નઠારાં કામનો નઠારો અને સારાં કામનો સારો બદલો મળશે એ ખોટું છે; એ એક જૂઠી લાલચ અસલ વખતમાં ડાહ્યા લોકોએ આપેલી છે; તથા નઠારાં કામો કરતાં લોકોને અટકાવવાને વ્યર્થ ધમકી બતાવેલી છે. જે મૂર્ખના મનમાં એ પ્રમાણે શંકા ઉત્પન્ન થાય છે તેમાં ખરેખરો તેનો વાંક છે. પરમેશ્વરનો નથી. અગર જો જગતના નિયમ એવા બનાવેલા છે કે સદ્‌ગુણીને ઘણી વાર લાભ થાય છે, તોપણ તેઓનાં સારાં કામોનો બદલો આ લોકોમાં મળે એવો પરમેશ્વરનો હેતુ નથી. માટે પરલોકમાં સારાં ફળ ભોગવવાની ઉમેદથી જ તથા સદ્‌ગુણનો બદલો સદ્‌ગુણ જ છે એમ જાણી જે લોકોને સદ્‌ગુણે આચરવું હોય તેઓએ દુનિયા તરફના લાભ ઉપર નજર રાખવી નહીં. જે દેશની સ્થિતિ એવી હોય કે સાચવટ રાખ્યાથી જાનમાલને નુકસાન પહોંચે તો તે દેશ છોડીને જતા રહેવું, અથવા ત્યાં રહી સાચવટને આપણો દેહ, માલમતા, અથવા આપણી વહાલામાં વહાલી વસ્તુઓ જરૂર પડે તો અર્પણ કરવી, પણ સાચવટ કદી છોડવી નહીં એવી નીતિ છે. શું બકરી પોતાના નિર્દોષપણા ઉપર વિશ્વાસ રાખી ઊભી રહે તો વાઘ તેને માર્યા વિના રહેશે ? શું ચકલી પોતાની ગરીબાઈ તથા નિરપરાધીપણા ઉપર ભરોસો રાખી નિશ્ચિંત બેસે તો શકરો તેને તરાપ મારી લઈ નહીં જાય ? એ તો સૃષ્ટિના નિયમ પ્રમાણે થશે જ બિહારીલાલને એ વાતનું જ્ઞાન ન હતું, અથવા તે વખતે તે ભૂલી ગયો હતો. હવે જ્યારે તે આવી આફતમાં આવી પડ્યો ત્યારે કેટલાક દુનિયાદારીમાં ડાહ્યા તથા વખત પ્રમાણે ચાલનારા તેના મિત્રો તેને આવી મળ્યા, અને તેને કહેવા લાગ્યા, ‘હવે બાળો તમારી સાચવટ. આવડા મોટા થયા તોપણ બરોબર અક્કલ આવી નહીં. ભાઈ ! જેવો દેશ તેવો વેશ રાખવો, અને સમય પ્રમાણે વર્તવું. તે દહાડે જો અમારી સલાહ પ્રમાણે પેલા ચંડાળ ઉઘરાતદારનું મોં પૂર્યું હોત તો આ દહાડો કદી આવત નહીં. પણ તે દહાડે તો સાચવટ ઉપર ગયા ! હવે તમારી સાચવટ કેમ મદદ કરી શકતી નથી ? તે દહાડે માન્યું હોત તો થોડે પતત. હવે પૈસા પણ વધારે ખરચવા પડશે, અને તેમ કર્યા પછી પણ કામ સિદ્ધ થશે એવી પાકી આશા નથી. સાચવટ ! જો સાચવટ રાખવી હોય તો દુનિયામાં શા માટે રહો છો ? વેરાગી અથવા સંન્યાસી થઈ જાઓ. પછી તમારું ડહાપણ ચલાવજો.’ આ બધા ઠોક બિચારા નિર્બળ મનના બિહારીલાલે સાંભળી લીધા; અને ઘણું પસ્તાઈને તેઓની સલાહ માથે ચઢાવી કેટલાક પૈસા સાથે રાખીને ઉપર કહ્યા પ્રમાણે તે એક મહેલ આગળ ઊભો રહી, આ પ્રકરણને મથાળે જે શબ્દો લખ્યા છે તે બોલ્યો.

જ્યારે અલફખાંએ પાટણ શહેર લીધું, ત્યારે તેના સાંભળવામાં આવ્યું કે ખંભાતમાં ઘણા દ્રવ્યવાન વ્યાપારીઓ છે. તે ઉપરથી લૂંટની આશાથી સઘળું લશ્કર તે શહેર ઉપર ચઢ્યું. ત્યાં જઈ તે શહેર લીધું તથા ત્યાંના તમામ ધનવાન લોકોનાં ઘરો લૂંટી લીધાં. એ લૂંટમાં અલફખાંએ એક ખુબસૂરત ગુલામને પકડ્યો. તે એક વ્યાપારીના તાબામાં હતો, અને તેને ખોજો કરીને તેના ઝનાનખાનાની ચોકી કરવા ઉપર રાખ્યો હતો. જ્યારે તે ખંભાતમાં હતો ત્યારે તે ખોજો કાફુર એ નામથી ઓળખાતો હતો, અને તેનામાં રૂપ સિવાય બીજા ઘણા ગુણો હતા. પોતાનો સ્વાર્થ સાધવાને તથા દુનિયામાં મોટી પદવી મેળવવાને જે જે ગુણો જરૂરના તે સઘળા તેનામાં હતા. તેનામાં કેટલાક સારા તેમ કેટલાક નઠારા પણ ગુણો હતા. જે જે કામોની સાથે તેના સ્વાર્થને સંબંધ ન હોય તે તે કામોમાં તે સારા ગુણો વાપરતો, અને તે વખતે તેનામાં દુર્ગુણ એક પણ હોય એમ કોઈને લાગતું નહીં; પણ જ્યાં તેની મતલબ પાર પાડવાની હોય, જ્યારે પોતાનો સ્વાર્થ સાધવા કાંઈપણ કામ કરવાનું હોય, અથવા પોતાને કાંઈ ફાયદો થતો હોય, ત્યારે ગમે તેવું દુષ્ટ કામ હોય તોપણ તે કરતાં જરા પણ આંચકો ખાતો નહીં. એ પ્રમાણે તે બે જાતનો માણસ હતો. જ્યાં સુધી તે ગુલામગીરીમાં રહ્યો ત્યાં સુધી એ સઘળા ગુણો વાપરવાને તેને પ્રસંગ આવ્યો નહીં; પણ તેનું ભાગ્ય ખૂલવાનું તેથી તે મુસલમાન લશ્કરના હાથમાં પડ્યો અને તે દેખીતો ખુબસૂરત હતો તેથી જો તેને પાદશાહ પાસે નજર દાખલ મોકલવામાં આવે તો તે ઘણો ખુશ થાય એમ જાણી તેને દિલ્હી મોકલવાનો અલફખાંએ ઠરાવ કર્યો. તેને કૌળાદેવી સાથે અલ્લાઉદ્દીન પાસે મોકલ્યો. ત્યાં તે પાદશાહને ઘણો પસંદ પડ્યો છેક હલકી પદવી ઉપરથી ચઢતાં ચઢતાં આ વખતે તે અલાઉદ્દીનનો માનીતો થઈ પડ્યો હતો. આપણા દેશી રાજ્ય-દરબારમાં જે ખટપટ, કાવતરાં તથા દગાફટકા ચાલે છે, તે સઘળામાં તે ઘણો કુશળ હતો, અને તેણે પોતાની તદબીર તથા ચતુરાઈથી રાજાના મન ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે રાજા તેને વશ થઈ ગયો હતો તે જ જાણે પાદશાહ હતો, અને સઘળા મોટા અમીર-ઉમરાવોને આ ખોજા કાફુરને માન આપવું પડતું હતું તેથી તેઓને ઘણું માઠું લાગતું હતું. તથા તેઓ તેની ઘણી અદેખાઈ કરતા હતા. દ્વેષમાં સઘળા તેને ‘હજાર દીનારી’ કહેતા હતા, કેમ કે અસલ તેને હજાર દીનાર આપીને વેચાતો લીધો હતો. તેનું ચલણ એટલું તો હતું કે કેટલાંક કામ તે પોતે પાદશાહને પૂછ્યા સિવાય પણ કરતો, અને આવી તેની ચઢતી કળાથી તેના મનમાં એટલો લોભ ઉત્પન્ન થયો હતો કે શાહના મૂઆ પછી પોતે તખ્ત ઉપર બેસવા સારુ ઉમેદ રાખતો હતો; બલકે તે પોતાના સ્વાર્થ આગળ એટલો આંધળો થઈ ગયો હતો કે જેણે તેના ઉપર આટલા બધા ઉપકાર કર્યા હતા, તથા જેણે તેને ધૂળમાંથી ઉઠાવી લઈને એક મહેલમાં બેસાડ્યો હતો, તેની જ તરફ અપકાર કરીને તેના જીવતાં પણ પોતે તખ્તનશીન થવાને નિરંતર ઉદ્યોગ કર્યા કરતો હતો. તે ખોજા કાફુર હજારીના મહેલ આગળ બિહારીલાલ ઊભો હતો અને તેને દ્રવ્ય આપી સંતોષીને આવી પડેલી આફતમાંથી બચવાની તે .મેદ રાખતો હતો.

ઘોડા ઉપરથી ઊતરીને દરવાજામાં બિહારીલાલ પેસવા જાય છે એટલે દરવાને તેને રોક્યો, અને એક હડસેલો મારી તેને ફેંકી દેવાની તૈયારીમાં હતો એટલામાં તેણે તેનો જુસ્સો સોના વતી નરમ પાડ્યો. આગળ જતાં ઘણા સિપાઈઓ તેને વીંટળાઈ વળ્યા. તેઓ સઘળાને તેણે સોનાના પ્રસાદથી સંતોષ્યા. પછી કેટલાક મહેતાઓને પણ પાનસોપારી મળ્યાં. એટલું સોનું જ્યારે વપરાયું તયારે તેને બેસવાની જગા મળી, અને એક સિપાઈએ માંહેના ઓરડામાં કાફુર એક દરવેશ સાથે વાત કરતો હતો ત્યાં જઈ બિહારીલાલ આવ્યાની વાત જાહેર કરી, કાફુરનું નાક પણ પૈસા સૂંઘી સૂંઘીને ઘણું તીવ્ર થયેલું હતું, તેથી તેણે બિહારીલાલના પૈસાની ગંધ પારખી, અને દરવેશને થોડી વાર સબૂર કરવાનું કહી તે બહાર આવ્યો. બિહારીલાલને આગળથી ભણાવી મુક્યો હતો તે પ્રમાણે કાફુરને જોતાં જ તેણે પાઘડી માથા ઉપરથી ફેંકી દીધી અને લાંબો થઈ પગે લાગીને રડી પડ્યો. પણ રુદનના શબ્દથી પીળે એવું કાફુરનું અંતઃકરણ કોમળ ન હતું. તેના હૈયા ઉપર તો જુદી જ રીતે અસર થતી, અને જ્યારે સોનાનો ખણખણાટ તેને કાને પડતો ત્યારે જ તે ઈંદ્રિય દ્વારા તેના હૃદય પર અસર થતી. જ્યારે તેનું કામ થવાને બદલે ઊલટો કાફુર ગુસ્સે થયો ત્યારે તેણે પોતાની પાસે જે એકસો સોનાની અશરફીની કોથળી હતી તે તેની પાછળ ખાલી કરી, અને ‘‘મારો જે અપરાધ થયો હોય તે ક્ષમા કરો,’’ એટલું જ તે બોલી શક્યો. કાફુરે તે અશરફીના ઢગલા તરફ જોયું, પણ તે ઘણો નાનો લાગ્યો તેથી તે ઉપર પગની ઠેસ મારી તેને વેરી નાખી, ક્રોધથી બોલ્યો : ‘કાફર ! ચંડાળ ! હરામખોરી કરી કરોડો રૂપિયા પચાવ્યા છે, અને નાના છોકરાને સમજાવવા આવ્યો હોય તેમ આટલી અશરફી મૂકીને પોક મૂકે છે ! હું કાંઈ કરી શકતો નથી. પાદશાહ પાસે સઘળું કામ ગયેલું છે. જો અપરાધ સાબિત થશે તો મોત સિવાય બીજી કાંઈ શિક્ષા નથી.’ બિહારીલાલે ઘણચા કાલાવાલા કર્યા, પણ કાંઈ કામ થતું નથી એમ જોઈને તેણે તેવી જ એક બીજી કોથળી પણ ખાલી કરી; પણ સઘળું વ્યર્થ ગયું. કાફુર તો તેના નામ પ્રમાણે ખરેખરો કાફર હતો. આવા રૂપની સાથે તેનામાં આવું દુષ્ટ અંતફકરણ હશે એમ કોઈના ધાર્યામાં આવે નહીં. તે તો ઈંદ્રવરણાનું ફડળ. તેથી જ્યારે બિહારીલાલે એવી પાંચ કોથળી ઠાલવી ત્યારે જ તેનો ચહેરો નરમ પડેલો દેખાયો, અને તયારે જ તેણે બિહારીલાલને વચન આપ્યું કે હવે તારા માથાના એક વાળને પણ નુકસાન પહોંચશે નહીં. બિહારીલાલ ત્યાર પછી ઘણો હરખાતો બહાર ગયો, અને કાફુર પણ ખુશ થઈ ચાકરને તે થેલીઓને ખજાનામાં મુકવાનો હુકમ કરી, દરવેશ પાસે ગયો. દરવેશે આ સઘળું બન્યું તે છાનાંમાનાં જોઈ લીધું, અને પૈસાને વાસ્તે એક કાફર હિંદુ ઉપર દયા કરી, જરની ખાતર પાક મઝહબનું એક ફરમાન તોડી જઝીઅ કર માફ કર્યો, એ જોઈને કાફુર ઉપર તેને ઘણો ગુસ્સો ચઢ્યો.

કાફુરને આવતો જોઈ તે ક્રોધથી બોલ્યો : ‘યછા અલ્લા ! યા કરીમ ! શો જમાનો બારીક આવ્યો છે ! દીન તો સઘળો ડૂબી ગયો અને જર અંતઃકરણમાં અલ્લા મિયાંના તખ્ત ઉપર બેઠું છે. તું કોણ અને કેવો હતો તે તને યાદ નથી ? અલ્લાતાલાએ રહેમ લાવી તને ખાકમાંથી ઊંચકી લઈ આટલો મોટો મરતબો આપ્યો તે આટલા સારુ ? ઈસ્તગફરૂલ્લાહ ? કાફર હિંદુને માફી ? કુરાને શરીફમાં શું કહ્યું છે ? કાફર લોકો જેઓ મૂર્તિપૂજકો છે, જેઓ નાપાક શેતાનનો ધર્મ પાળે છે, તેઓને તો જોરજુલમથી આપણા પાક, હઝરત પેગંબર સાહેબને જબ્રઈલ ફિરસ્તાએ આપેલો દીન પળાવવો. એ કાફર લોકોને માફી ? તેઓ તો સુન્નત કરાવે નહીં તો તલવારથી તેઓનાં માથાં કાપી નાખવાં. બિસ્મિલ્લાહ ! એ લોકો દુનિયામાં વસીને શું કરે છે ? ફક્ત દોઝખનો ખાડો ભરે છે. તેઓને આવી રીતે માફી ? તાલે અલ્લાહ ! હજી ક્યામતનો દહાડો તો દૂર છે.’’

કાફુર દરવેશનો ગુસ્સો જોઈને ઘણો બીધો, અને તે જાતે ઘણો અજ્ઞાન અને તેને લીધે ઘણો વહેમી હતો તેથી જો દરવેશ શાપ દેશે તો પોતે પાયમાલ થઈ જશે એ ધકાકથી તે થરથર કંપવા લાગ્યો, અને ગભરાટમાં બોલી ઊઠ્યો : ‘‘દરવેશ સાહેબ ! ગુનો માફ કરો. પાદશાહ પણ એ જ પ્રમાણે કરે છે, અને પૈસાની બાબતમાં તે હિંદુ તથા મુસલમાનમાં કાંઈ તફાવત ગણતો નથી.’’

કાફુરના આ બોલ સાંભળીને દરવેશને પગથી તે મથા સુધી ઝાળ ચઢી. તેનું લોહી ઊકળી આવ્યું, અને તેના ક્રોધના અગ્નિમાં જાણે ઘી હોમાયું, તે બોલ્યો : ‘‘અરે નાપાક મુઝી ! પાદશાહ એ પ્રમાણે કરે છે માટે તે શું વાજબી થયું ? જ્યારે તમે સઘળા એમ જ કરો છો ત્યારે અજબ છે કે આસમાન તૂટી પડતું નથી ! અજબ છે કે આપણે સઘળા મરકીના સપાટામાં ઘસડાઈ જતા નથી ! અજબ છે કે આપણે ધરતીમાં ગરક થઈ જતા નથી ! એ કાફર લોકોના દીન (થૂ તેઓના મોં ઉપર) અને આપણા દીનનો મુકાબલો કરવો ? તેઓમાં શું ફરક નથી ? અરે ! આસમાન-જમીન જેટલો તફાવત અરે ! અંધારા-અજવાળા જેટલું અંતર. અરે ! શેતાન અને ફિરસ્તા જેટલી જુદાઈ. અલહમદુલિલ્લાહ ! આ લોકોનાં માથાં જ ફરી ગયાં છે ને ! તેઓ ખુદાને પણ ઓળખતા નથી ! તેઓ ખરો અને ખોટાઈ પારખી શકતા નથી ! તોબા ! તોબા ! સઘળા ધર્મો દુનિયામાં મનાય છે તેમાં મૂર્તીપૂજા સૌથી નાપાક છે. આખી જહાનમાં એક ખુદાને માનનાર તથા સર્જેલી વસ્તુને નહીં પૂજનાર એવા તો ફક્ત ત્રણ ધર્મના જ લોક છે, એક યહૂદી, બીજા ઈસાનો મત માનનારા, અને ત્રીજા આપણે મુસલમાન છીએ. હવે એ ત્રણમાં કોનો દીન સાચો તે હું તને બતાવું છું. આરબ લોકો તથા યહૂદી લોકો બંને ઈબ્રાહીમ વંશના છે, એક ઈસ્માઈલના અને બીજા ઐઝાકના છોકરા. વળી પેગંબર સાહેબે યહૂદી લોકોનું તોરત કબૂલ રાખ્યું છે, અને આદમ, નુહ, મુસા વગેરેનો પેગંબરી દાવો મંજૂર ગણેલો છે. આદમની બેવફાદારીથી દુનિયાની ખરાબી થઈ; માણસને મહેનત કરવી પડે છે; રોગો શરીરને વળગ્યા; બીજાં દુઃખો આદમજાત ઉપર આવી પડ્યાં; અને મોતની સજા જગતમાં પરમેશ્વરે ચલાવી માટે બાવા આદમનો પેગંબરી હક્ક રહ્યો નથી. નુહનાં ફરમાનો ઘણાં જ થોડાં મનાય છે, અને મુસાના કાયદા તે વખતના યહૂદી લોકોને જ વાસ્તે કરેલા હતા. તેઓના તોરતમાં લખેલું છે કે, આખરે એક પેગંબર જન્મશે તે આ દુનિયાને જીતશે, તે પ્રમાણે હઝરત મુહમ્મદનો જન્મ થયો. પણ આંધળા યહૂદી લોકોએ તકરાર ઉઠાવી કે, આરબ લોકો ઈસ્માઈલના છોકરા, અને ઈસ્માઈલ ઈબ્રાહીમની લોંડીના પેટનો તેથી તોરતમાં લખેલો પેગંબર હજરત મુહમ્મદ નથી. આપણામાં અને તેઓમાં એટલો જ વાંધો છે. વળી મરિયમના છોકરા ઈસાનો ધર્મ કાંઈક સારો છે; શાથી કે ઈસા પણ પેગંબર હતો; અને જ્યારે હઝરત મુહમ્મદ બોરાક ઉપર બેસીને સાતમા આસમાન સુધી જઈ જઈ આવયા ત્યારે ઈસાની તેમણે મુલાકાત લીધી હતી. પણ મુહમ્મદ (શુકર તેના નામ ઉપર !) સૌથી છેલ્લા આવ્યા માટે તે સૌથી મોટા પેગંબર, અને તેનો દીન સૌથી સાચો, એમાં કોઈથી ના કહી શકાશે નહીં. મૂર્તિપૂજકોમાં સઘળાથી ઊંચા પારસી લોકો છે. તેઓ આતશપરસ્ત છે તેથી તેઓ અગર જો ખુદાની પાક નજરમાં ઘણા ગુનેગાર છે, તોપણ તેઓ હિંદુઓ કરતાં ઘણા સારા છે. સૌથી નાપાક બૂતપરસત હિંદુ લોકો છે; તેથી એવા દોઝખી ધર્મવાળાઓ ઉર મહેર રાખવી નહીં. પહેલાં તો એ કાફર હિંદુ લોકો એક ખુદાને માનતા નથી. તેઓના દેવ તેત્રીશ કરોડ છે. કેવા આંધળા અને હૈયાના ફૂટેલા ! આસમાનમાં હીરાની પેઠે જડેલાં અગણિત બિંદુઓ જેને આપણે તારા કહીએ છીએ, જે શીતળ ચંદ્ર રાતની વખતે પૃથ્વીને અજવાળું આપે છે, તથા વનસ્પતિને ઊગવામાં મદદ કરે છે, જે તેજસ્વી આગનો ગોળો દુનિયાને અજવાળું તથા ગરમી પહોંચાડે છે, તથા સઘળા ચૈતન્યવાળા પદાર્થોના જીવનનો આધાર છે, જે અનિયમિત કેતુઓ વખતે વખતે આવી પૃથ્વીના લોકોને ત્રાસ પમાડે છે, તથા લોકો ઉપર કોઈ પ્રકારની મોટી આફત આવી પડશે એવી ચેતવણી અજ્ઞાની લોકોને આપે છે, તે તથા એવા બીજા ચમત્કારી આકાશના પદાર્થોથી તે એક રેતીના દાણા અથવા એક ઘાસના તણખલા સુધી સઘળા નાના મોટા પદાર્થોને માટે એક જ સરખા નિયમો હોય છે, અને એક નાના પરમાણુથી તે કરોડો યોજનને અંતરે જે અસંખ્યાત ગોળાઓ અવકાશમાં ગબડે છે તેઓ સુધી સઘળે એકત્વપણું જોવામાં આવે છે, તે ઉપરથી તે સઘળાનો કર્તા એક જ છે એવું સહજ અનુમાન થઈ શકે છે. જેમ પદાર્થો નાશવંત છે તેમ પરમેશ્વર નાશવંત નથી, એ વાત પણ તરત અક્કલમાં ઊતરે છે. નાશ એટલે અવસ્થાંતર, એટલે પરમાણુની સ્થિતિમાં ફેરફાર થઈ તેઓનું બંધારણ તૂટી તેઓનું વિખરાઈ જવું. માટે જેમાં પરમાણુ છે તે જ નાશ પામે છે. એટલે પરમેશ્વર જે નાશવંત નથી તેમાં પરમાણુ નથી, અથવા તે પદાર્થ નથી. હવે જ્યારે તે પાકૃતિક નથી, ત્યારે તેમાં પ્રકૃતિના ગુણ નથી, અને રૂપ નથી ત્યારે તેને મર્યાદા નથી, અને મર્યાદા નથી ત્યારે તે અપાર સર્વવ્યાપક છે. એ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે પરમેશ્વર એક તથા આત્મીક એટલે નિરાકાર છે, અને તે સર્વવ્યાપક છે.’’

કાફુર - દરવેશ સાહેબ ! માફ કરો તો બોલું : પણ હિંદુ લોકોમાં એક વેદ નામની કિતાબ છે તેમાં લખ્યું છે કે પરમેશ્વર એક તથા નિરાકાર છે.

દરવેશ - જૂઠું. જે વાત પેગંબરને ખુદાની તરફથી ફિરશ્તાએ કહેલી તે જાણવાને એ કાફર લોકોના દિલમાં ખુદાઈ રોશની હોય એમ માનવામાં આવતું નથી; અને અગર જો એ વાત તેઓની વેદની કિતાબમાં લખેલી છે તો તેઓ શા માટે માનતા નથી ? એટલા જ ઉપરથી જણાય છે કે વેદમાં એ પ્રમાણેનું નથી. કદાચ હોય તોપણ શા કામનું ? આપણી કુરાને શરીફમાં સાફ એ વાત લખેલ છે, ત્યારે એવી વેદ જેવી કિતાબોની શી જરૂર છે ? તેઓ જલદીથી બળી જાય, અથવા ફના થઈ જાય તો સારું. જ્યારે આરબ લોકો આસમાનના તારા વગવેરેને પૂજતા હતા, જ્યારે યહૂદી લોકો મુસાના કાયદાને એક કોરે મુકી, તથા દાઉદનાં પવિત્ર ગીત અને સુલેમાનનાં દાનાઈનાં વચનની અવગણના કરી ચાલતા હતા, જ્યારે ઈસા પેગંબરના મતવાળા ઈસા તથા મરયિમબીબીનાં પૂતળાં બનાવી દેવળમાં રાખતા, અને ઘણા સાધુઓ તથા શહીદોની કબરો તથા હાડકાંને ખુદાઈ માન આપતા હતા, તે વખતે હઝરત મુહમ્મદ સાહેબે, ‘લાઈલાહાઈલુલ્લાહ મુહમ્મદુર રસલુલ્લાહ (એક પરમેશ્વર સિવાય બીજો પરમેશ્વર નથી, અને મુહમ્મદ પરમેશ્વરનો પેગંબર છે.) એ મત ચલાવ્યો.

કાફુર - શુકર અલ્લા ! શુકર અલ્લા ! અને હજરત સાહેબના નામને પણ શુકર.

દરવેશ - (પોતાની દાઢી પર હાથ ફેરવીને) આમીન ! આમીન ! આમીન ! વળી હિંદુ લોકો પોતાના મૂએલા તથા જીવતા માણસોને ઈશ્વર જેવાં માને છે. તેઓના રામ, કૃષ્ણ વગેરે બીજા દેવો પાછલા જમાનામાં આદમીઓ હતા; પણ તેઓએ જીવતાં મોટાં મોટાં પરાક્રમ કરેલાં તેથી મૂઆ પછી માનવી રૂપે ઈશ્વર હતા એમ મનાવા લાગ્યું. એ કેવી મુર્ખાઈ ! ખુદાની તલવાર, અને કાફરોને કતલ કરનારા ખાલિદ, મિસરનો જીતનાર અમરૂ, આપણા ખલીફાઓ અબુબકર, ઉંમર, અલી, ઈત્યાદિ; તેઓના વિક્રમ તથા ભોજ જેવા, આપણા હાતેમતાઈ તથા હારૂનઅલર્‌શીદ એ સઘળાને આપણે જરા પણ પૂજતા નથી. વળી તેઓ હેવાનને પણ પુજે છે. ગાય, હાથી, વાંદરાં વગરે ઘણાં જાનવરોને તેઓ પરમેશ્વર સરખાં માને છે. અને સાપ તથા નોળિયાને પણ કેટલેક દહાડે પૂજે છે. એવા કાફર પાણી લોકો દુનિયાની સપાટી ઉપર કોઈ પણ વસતા નહીં હશે. જેમ સાડમ અને ગામરા શહેરો ઉપર તેઓના રહેવાસીઓના મહાપાપને લીધે ખુદાએ આતશ તથા ગંધકનો વરસાદ વરસાવ્યો તથા તેઓને પાયમાલ કરી નાખ્યા. તેમ આ આખો મુલક કોઈ દહાડો ધરતીમાં ગરકાવ થઈ જશે, અથવા તે ઉપર દરિયો ફરી વળશે. હેવાનને ખુદાઈ માન આપવું ! એ આંધળા લોકોની આગળ તો કુરાન કે તલવાર. તેઓ અલહમદુલિલ્લાનો ધર્મ માને, નહીં તો તલવારની ધારથી તેઓના આત્માને જલદીથી દોઝખમાં મોકલી દેવા. ઈસ્તગફરુલ્લાહ્‌.

બચ્ચા કાફુર ! હજી બસ થયું નથી. તેઓ જીવવાળા થઈ નિર્જીવ વસ્તુઓને માને છે; સૂરજ, ચંદ્ર, તારાને પૂજે છે; ભોંયની પૂજા કરે છે; નદી, પહાડ વગેરેને માન આપે છે; અને દુનિયામાં જે જે વસ્તુઓ અથવા દેખાવ જોવામાં આવે છે તેઓને તેઓ ઈશ્વર જેટલું માન આપે છે ત્યારે પેદા કરનાર અને પેદા થયેલી વસ્તુઓમાં તફાવત શો ? એટલું એ આંધળા લોકોના સમજવામાં આવતું નથી. આદમ જાતને ખુદાએ સૌથી ઊંચી બનાવી છે; તેઓને બીજા સઘળાઓ કરતાં વધારે સાધન આપેલાં છે; તેઓને સૃષ્ટિનું ધણીપણું આપેલું છે; તથા તેઓના સુખ અને રક્ષણને માટે દુનિયા માંહેલા બીજા પદાર્થો ઉત્પન્ન કરેલા છે; માટે આદમ જાત સૌથી શ્રેષ્ઠ છે, તે છતાં પણ એ લોકો પોતાને સઘળાથી હલકા માને છે, પરમેશ્વર જ જલદીથી તેઓનાં અંતફકરણનું અંધારું દૂર કરે, અને સાચી વાત સમજવાને તે કિરતાર તેઓને રોશની આપે.

કાફુર - આમીન ! આમીન !

દરવેશ - પણ આખી જહાનમાંથી એ અંધારું દુર કરવાને ખુદાએ હઝરત પેગંબર સાહેબને જન્મ આપ્યો, કુરાને શરીફના ફકરા આપી હરેક રમજાન મહિનામાં મક્કાની પાસેની હીરાની ગુફામાં પેગંબર સાહેબની પાસે જબ્રઈલ ફિરશ્તાને મોકલ્યો, કાબાના રખેવાળ તથા તેના પક્ષનાં માણસોને હરાવ્યાં, આખા મદીના અને મક્કા શહેરમાં અને પાછળથી તમામ અરબસ્તાનમાં નબી સાહેબના મોત પહેલાં આપણો દીન ફેલાયો; ત્યાર બાદ આપણા ખલીફાઓના હુકમથી ઈરાન તા રૂમ, શામના પાદશાહોના મુલક આપણા શૂરા સરદારોએ સર કર્યા; અને એ પ્રમાણે ધીમે ધીમે આપણો તથા આપણા પાક દીનનો અમલ ઘણું કરીને આખા જહાનમાં પથરાયો. એ સઘળું ખુદાની મહેરબાનીથી થયું. માટે આપણે ગમે તે ઉપાયથી એ કાફર હિંદુઓના મન ઉપર જે ખોટા વહેમોનો પડદો વળેલો છે તે ફાડી નાખવો જોઈએ.

વળી પરમેશ્વર નિરાકાર છે તેથી તે અવ્યક્ત છે; માટે તે કેવો છે તેની લોકોને કલ્પના આવી શકતી નથી, તે ઉપરથી જ્યારે લોકોને બંદગી કરવી હોય, તેની પૂજા કરવી હોય, અથવા તેને ખુશ કરવાને કાંઈ અર્પણ કરવું હોય, ત્યારે કોને કરવું એ તેઓ સમજતા નથી. ત્યારે પરમેશ્વરના પ્રતિનિધિ તરીકે તેઓ માટી, લાકડાં, અથવા ધાતુની, માણસના અથવા મનસ્વી આકારની મૂર્તિઓ બનાવે છે, અને ઈશ્વર સર્વવ્યાપક છે માટે મૂર્તિઓમાં પણ હોવો જ જોઈએ, એમ સમજીને તેઓને પરમેશ્વરની માફક માન આપે છે. એ પ્રમાણે કરવાનું સઘળી આદમ જાતનું સ્વાભાવિક વલણ હોય છે, અને તેઓને ગમે તેવો પાક ધર્મ બતાવ્યો હોય તોપણ પરમેશ્વરની માનસિક પૂજા કરવાને બદલે તેને ઠેકાણે કોઈ દૃશ્યમાન પદાર્થને ગોઠવીને તેની પૂજા કરે છે. જયારે યહૂદી લોકો મિસરથી નાસીને પોતાના દેશ તરફ જતા હા ત્યારે વારેવારે તેઓ મૂર્તીઓ બનાવીને તેમને પૂજતા. અને એમ કરવામાં મોટું પાપ છે, એમ સમજાવવાને મુસા પેગંબરને ઘણી મુશ્કેલી પડી હતી. છેલ્લી વારે સીનાઈ પર્વત ઉપર ખુદાએ તેને એક પથ્થર આપ્યો. તેના ઉપર દશ આજ્ઞા કોતરેલી હતી. તેમાં સાફ હુકમ કરેલો હતો કે મૂર્તિપૂજા કરવી નહીં. એ પૂજાની મોટામાં મોટી ખરાબી એટલી જ છે કે એવી પૂજા કરનાર ધીમે ધીમે મૂર્તિને પરમેશ્વર સમજે છે; અને ધણીને ન માનતાં ગુમાસ્તાને શેઠનું માન આપે છે. એવી રીતનું લોકોનું વલણ છે, તે ઉપરથી આપણા હઝરત પેગંબર સાહેબે મૂર્તિ પૂજવાની સાફ મના કરેલી છે, એટલું જ નહીં પણ તેની પોતાની, ખુદાની અથવા કોઈ પણ મોટા પાક આદમીની તસ્વીર પાડવી નહીં, અથવા મસ્જિદોમાં પુતળાં કોતરવાં નહીં, અથવા ચિત્ર રાખવાં નહીં, એવું ફરમાવ્યું છે.

કાફુર - સુબહાનઅલ્લાહ ! કેવી પેગંબર સાહેબની દાનાઈ. જો એ પ્રમાણેની મનાઈ કરી ન હોય તો આપણે પણ બીજા કાફર લોકોની પેઠે બૂતપરસ્ત હોત. ‘‘લાઈલાહાઈલુલ્લાહ’’ દરવેશ સાહેબ ! હું સારી પેઠે જાણું છું કે એ હિંદુ ઘણા નાપાક, પાપી, કાફર લોકો છે. તેઓની પાસે જોરજુલમથી પણ આપણો સાચો તથા પાક દીન મનાવવો જોઈએ, અને જો શેતાનના સમજાવ્યાથી તેઓ આપણી વાત સાંભળે નહીં તો તેઓ સઘળાને કતલ કરવા, અથવા જરા પણ તેઓના ઉપર દયા કરવી નહીં. પણ દરવેશ સાહેબ ! એ પ્રમાણે રાજાઓથી ચલાતું નથી, અને આગલા ખલીફાઓએ પણ એ પ્રમાણે કર્યું નથી. આપણી શરેહમાં એક ઠેકાણે લખ્યું છે કે કાફર લોકો જેટલો કર આપી શકે તેટલો કર તેઓની પાસેથી લેવો; નહીં આપે તો તેઓની બિલકુલ નસલ કાઢવી. વળી આપણા દીનમાં દાના લોકોએ ઈસ્લામ ધર્મ માનનારાઓને ફરમાવ્યું છે કે તેઓને કાપી નાખવા. અથવા તેઓને આપણા ધર્મમાં લાવવા, એવું હઝરત પેગંબર સાહેબે ખુદે કહ્યું છે, પણ ત્યાર પછી ઈમામ હનીફે એવું ફરમાવ્યું છે કે મોતને બદલે તેઓના ઉપર જઝીઓ, અથવા જેટલો ખમાય એટલો બીજો કોઈ કર બેસાડવો, અને તે લોકોને નકામા કતલ કરવાની તેણે સાફ મના કરી છે. તેનો ફરમાન એવો છે કે તેઓની પાસેી જેમ બને તેમ જઝીઓ એટલે માથાદીઠ વેરો, અને ખિરાજ એટલે ખંડણી લેવી, અને તે વસૂલ કરવામાં એટલી સખ્તી વાપરવી કે તે સજા મોતની લગભગ થઈ રહે. વળી જે હિંદુ હમણાં અહીં આવી ગયો તેણે કોઈ કસુર કરી નથી. તેણે જઝીઓ બરાબર આપેલો છે. તેના ઉપર જે તહોમત મુકાયેલું છે તે ખોટું છે. તેનો અપરાધ આટલો જ છે કે તેની પાસે દોલત ઘણી જ છે. જઝીઆ ઉઘરાતદારની દાનત તેની પાસેથી પૈસા કઢાવવાની હતી, પણ જ્યારે તેને માગેલા પૈસા આપ્યા નહીં, ત્યારે તેણે આ ખોટી ફરિયાદ કરી. હું સારી પેઠે જાણતો હતો કે તે વગર પાયાની છે, તોપણ એવો શિકાર ક્યાં મળવાનો છે એમ જાણી, તથા એવા નાપાક કાફર પાસે દોલત રહે તે નઠારે માર્ગે વપરાય માટે એની પાસેથી પાંચસો અશરફી મેં કઢાવી છે, તેમાંથી અર્ધી મને આપવાને મે ધાર્યું છે, તે મહેરબાની કરી લેશો, અને ખુદાને પસંદ પડે એવે સારે રસ્તે આપ વાપરશો.

અઢીસો અશરફી પોતાને મળવાની છે, એ સાંભળીને દરવેશને ઘણો આનંદ થયો અને તેની આંખમાં સોનાનું તેજ તે જ વખતે આવી ગયું. તે બોલ્યો : ‘‘શાબાશ, બચ્ચા, શાબાશ ! તે કર્યું છે તે ઘણું જ વાજબી છે. એવું હમેશાં કર્યા કરજે, અને જે મળે તેમાંથી થોડો ભાગ ખેરાત કરજે; અને થોડો ભાગ અમારા જેવા દરવેશોને ખુદાના કામમાં વાપરવાને આપજે. જો એવી તારી દાનત રહેશે તો તે પરવરદેગાર તારા ઉપર વધારે રાજી થશે, અને આથી પણ મોટો મરતબો તને આપશે.’’

કાફુર - આમીન ! એ સઘળું તમારા આશીર્વાદથી થશે. પણ આથી વધારે મરતબો બીજો કોઈ નથી. ફક્ત એક છે તે તો -

દરવેશ - ‘‘તારી મતલબ હું સમજ્યો, અને તે ખુદા જલદીથી બર લાવે. હવે ચૂપ. ભીંતને પણ કાન હોય છે, માટે હવે એ વાત બંધ કર.’’ એટલું કહી આંખની ઈશારત કરી, દરવેશ અઢીસો અશરફી બાંધીને, તથા કાફુરને અંતઃકરણથી આશીર્વાદ દઈને ચાલયો ગયો, અને કાફુર પણ દરબારમાં જવાને તૈયાર કરવા લાગ્યો.

હવે બીહારીલાલ મોતના સપાટામાંથી તથા એથી વધારે બીજી મોટી આફતોમાંથી બચી ગયો તેથી તેના હૈયામાં હર્ષ માયો નહીં. તે રસ્તામાં જેવો હવામાં ચાલતો હતો, પણ જ્યારે તે દિલ્હીના મોટા ચોગાનમાં આવ્યો, ત્યારે એક ભયંકર દેખાવ તેની નજરે પડ્યો. આ વખતે મોગલ લોકો હિંદુસ્તાન ઉપર હમેશાં હુમલો કર્યા કરતા હતા, તથા રાજ્યને નિરંતર ઉપદ્રવ કરતા હતા. ઐબકખાં કરીને એક મોગલનો સરદાર, હજાર બળવાન સવાર તથા એથી વધારે બીજા માણસો લઈને હિંદુસ્તાન ઉપર આવ્યો, અને મુલતાન શહેર ઊજડ કરીને શિવાલિક પહાડો આગળ છાવણી નાખીને પડ્યો. એ લોકો ઉપર પાદશાહી લશ્કરે હુમલો કર્યો, અને ઘણાં માણસોને કાપી નાખી તેઓને હરાવ્યાં. જેઓ જીવતાં રહ્યાં તેઓ જંગલમાં તરસ તથા ઊના પવનથી મરણ પામ્યાં, અને તેઓના લશ્કરનાં ત્રણ હજાર માણસો કેદ પકડાયાં તે સિવાય એક પણ આદમી જીવતો રહ્યો નહીં. ઐબકખાં અને એ ત્રણચાર હજાર કેદીઓને દિલ્હીમાં લઈ આવ્યા; અને તેઓ સઘળાને એકદમ મારી નાખવાને ત્યાં તૈયારી થઈ રહી હતી. પોતાના માણસોની શી દશા થાય છે તે જોવાને ઐબકખાંને એક પ્રસિદ્ધ ઠેકાણે બાંધીને બેસાડેલો હતો. સઘળા મોલ લોકોનાં બૈરાંછોકરાં જે પકડાયાં હતાં તેઓને જુદે જુદે શહેર મોકલીને બજારમાં હરરાજ કરી ગુલામ દાખલ વેચી નાખ્યાં હતાં; અને તેઓના મરદોને ઘણી દુષ્ટ રીતે મારી નાખવાને પાદશાહનો હુકમ થયો હતો. તે ત્રણ હજાર માણસોની ત્રીશ ત્રીશની સો ટુકડી કરી, અને તે ટુકડીઓને આઘે રાખી; પછી ત્યાં સો ગાડાં આણ્યાં, તથા સો જોરાવર હાથીઓને લાવી તેઓને દારૂ પાઈને ઘણા જ મસ્ત કર્યા પછી સો જલ્લાદોએ આવીને તેઓએ એક એક ટુકડી તથા એકેક હાથી લઈ લીધો, અને એકેક માણસને હાથીના પગ તળે છૂંદાવી નાખી બધાને મારી નાખ્યા. એ પ્રમાણે થોડા વખતમાં ત્રણ હજાર ઈશ્વરના પેદા કરેલા માણસોના પ્રાણ આ રાક્ષસી દુષ્ટ ચંડાળ પાદશાહે લેવડાવ્યા. ત્રણ હજાર માણસને આવી ક્રૂર રીતે મારી નાખ્યા એ વિચારે જ શરીરમાનું સઘળું લોહી ઠરી જાય, એ સ્વાભાવિક છે. ગાંડા મસ્ત થયેલા સો હાથીઓને આવી રમત મળી તેથી મગ્ન થઈ તેઓ વખતે વખતે બરાડા પાડતા હતા. તે અવાજો, જે બિચારા કેદીઓ તેના મોટા તથા ભારે પગના દબાણથી કચડાઈ જતા હતા તેઓનું કષ્ટ તથા તેઓની તે વખતની ચીસાચીસ, જેઓનો મરવાનો વારો આવ્યો નહોતો તેઓનાં ચિંતાથી તથા ભયથી લોહી ઊડી ગયેલાં મોં, તેઓનો નિરાશ દેખાવ, તથા બેબાકળી આંખો, કેટલાક નબળા મનના મોગલોની આવા દુષ્ટ મોતના ધાકથી થયેલી દયામણી શિકલ, તથા પોતાનો દેશ, બૈરી, છોકરાં, સગાંવહાલાં, એ સઘળાં યાદ આવ્યાથી તેઓની આંખોમાંથી વહેતી આંસુની ધાર, તથા પોતાના મન ઉપર અખત્યાર ન રહેવાથી કેટલાંકનું ડૂસકાં ભરીને રડવું. એ સઘળાંની કલ્પના માત્ર કરો, પછી કોણ એવો વજ્રહૈયાનો હશે કે તેને દયા આવ્યા વિના રહેશે ? અને કોના નિમાળા ઊભા નહીં થાય ? પણ આટલી બધી ક્રૂરતા એ નિર્દય પાદશાહને બસ લાગી નહીં. થોડેક દૂર કેટલાક કસાઈઓ બેઠેલા હતા, તેઓ મરી ગયેલા મોગલોની ખોપરીઓ કાપીને કાઢી લેતા હતા, અને તેઓને ગાડાંમાં ભરતા હતા. આ તમાશો જોઈને બિહારીલાલને ઘણો કમકમાટ ઊપજ્યો. તોપણ એ ખોપરીઓને શું કરે છે એ જાણવાની આતુરતાથી તે સઘળાં ગાડાં ભરાયા પછી તેઓની પાછળ તે ગયો. એ સઘળાં ગાડાં દિલ્હીના બદાયુન દરવાજા આગળ ખાલી કર્યા, અને ત્રણ હજાર ખોપરીઓને એક ઉપરો એક ગોઠવીને તેઓનો એક ઊંચો સ્તંભ બનાવ્યો.

એ ભયંકર કામ પૂરું થયું, એટલે લોકોનું એક મોટું ટોળું તે રસ્તે આવ્યું. તેમાં એ મોગલનો સરદાર ઐબકખાં ઘોડા ઉપર બેઠેલો હતો. તેના હાથ બાંધેલા હતા, તથા પગે ઘણી ભારે બેડીઓ જડેલી હતી. એ લોકોના ટોળામાં બીહારીલાલ પણ સામેલ થયો, અને તેઓ સઘળા નદી કિનારે ગયા. ત્યાં પહોંચ્યા પછી તમાશગીર લોકો જમુનાને કાંઠે હારબંધ ઊભા રહ્યા, અને ઐબકખાંને એક હોડીમાં બેસાડ્યો, અને તેમાં પાદશાહનાં માણસો બેઠાં. ઐબકખાંની ઉંમર આશરે પાંત્રીશ વર્ષની હતી, અને તેનું શરીર પણ ઘણું જોરાવર હતું. પણ હમણાં તો તેની સઘળી ઉમેદ ભાંગી ગઈ હતી; તેનું લશ્કર હારી ગયું હતું; તેને મહા સંકટ વેઠવું પડ્યું હતું; તેનાં ઘણાં માણસો ભૂખતરસથી માર્યા ગયાં હતાં; તે દુશ્મનના હાથમાં પકડાયો હતો; તેને દિલ્હીમાં ઘણા અપમાન સાથે લાવ્યા હતા; તેણે તેની નજરે પોતાના જાતભાઈઓને, પોતાના જૂના તથા નિમકહલાલ સિાઈઓને આવા દુષ્ટ મોતે મરતા જોયા હતા; પોતાને પણ મરવાની સજા થયેલી હતી; અને હમણાં મોત તેની પાસે આવી ઊભું રહેલું હતું, એ સઘળાં કારણોથી તે છેક નંખાઈ ગયેલો માલૂમ પડતો હતો. તે મરવાથી જરા પણ બીતો ન હતો, પણ પોતાની તથા પોતાના લશ્કરની આ દશા થઈ તેથી માવરાઉન્‌નહર, એટલે સ્વતંત્ર તાતાર દેશના પાદશાહ અમીર બેગ તથા ખાજા તાશના મૃત્યુનું વેર લેવાયું નહીં, એ વાતથી તેને ઘણું જ દુઃખ થતું હતું. પણ હવે તે શું કરે ? લાચાર. હોડી પવનના જોરથી જમુના નદીમાં આગળ ચાલી અને જ્યારે તે વચ્ચોવચ આવી, ત્યારે તેને અટકાવીને ત્રણ-ચાર માણસોએ ઐબકખાંને ઊંચકીને નદીનાં ઊછળતાં મોજાંમાં ફેંકી દીધો. તે બિચારાના હાથ બાંધેલા. પગે બેડી, એટલે તેનાથી તરી તો ક્યાંથી શકાય ? તે પછાડા પણ મારી શક્યો નહીં. પોતાના અંગબળ વડે તે એક વાર ઊંચો આવ્યો, અને આ દુનિયા ઉપર છેલ્લી નજર કરી સઘળાંને રામરામ કરી લીધા; પણ તરત તે નીચે ગયો, અને તેના ઉપરનું પાણી થોડી વાર સુધી હાલ્યા પછી પાછું સ્થિર થઈ ગયું. એ પ્રમાણે આ કમનસીબ સરદાર મરણ પામ્યો. જમુના નદીનું પાણી તેની કબર થઈ અને કાલિંદીનું કાળું નીર તેની લાશ ઉપર ફરી વળ્યું. તેણે મરતી વખત એક પણ ચીસ પાડી નહીં. પણ ચુપકીથી તેનો આત્મા તેના ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ચાલ્યો. તમાશગીર લોકોના મન ઉપર આ ભયંકર મોત જોઈને કાંઈપણ અસર થઈ નહીં. અગર જો તેઓ એવા રાક્ષસ ન હતા કે તેઓ આ તમાશો જોઈને ખુશીની બૂમ પાડે. તોપણ કસાઈને બકરું કપાતું જોવામાં જેટલી બેપરવાઈ હોય છે તેટલી જ બેપરવાઈ તેઓને હતી. પણ એમાં તેઓનો કાંઈ વાંક ન હતો. જેને જે જોવાની ટેવ પડી જાય છે તે જોવાથી તેના મન પર કાંઈ પણ અસર થતી નથી. તે વખતમાં દિલ્હીમાં એવા તમાશા વારેવારે જોવામાં આવતા હતા, તેથી તેઓની દયાની વૃત્તિ બહેર મારી ગઈ હતી, અને ભયાનક દેખાવો જોવામાં માણસના મનને જે કમકમાટ તથા આંચકો લાગે છે તે મહાવરાથી બિલકુલ જતો રહ્યો હતો. સરકારનાં માણસો પોતપોતાને કામે લાગ્યાં, તથા લોકો અને તેમાં બિહારીલાલ પણ ઘેર ગયા.

આવી રીતે સખ્તી કરવાથી રાજ્યમાં ફાયદો થતો હશે, એમ કોઈના મનમાં આવે તો તેની મોટી ભૂલ છે, દુનિયામાં જોર-જુલમથી તથા સખ્તીથી લાભને બદલે હાનિ થાય છે. મોગલ લોકોએ અલાઉદ્દીન ાદશાહના વખતમાં ઘણી વાર હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરી; સઘળી વાર તેઓ હાર્યા; એક કરતાં વધારે વાર તેઓ પકડાયા; તેઓના ઉપર ઘણી રીતે જુલમ કરવામાં આવ્યો; તેઓનાં બૈરી-છોકરાંને વેચવાવી નાખ્યાં; તથા તેઓને પણ નિર્દય રીતે મારી નાખ્યાં; આ વખતે ણ આવી રીતે તેઓની દુર્દશા થઈ. હવે કોઈના મનમાં આવશે કે તેઓ ફરીથી રાજ્યને ઉપદ્રવ કરશે નહીં, પણ જે વખતે ઉપર લખેલો બરનાવ બનતો હતો તે વખતે બાલમંદ કરી એક બીજા મોગલ સરદારે દેશ ઉપર હુમલો કર્યો હતો, અને તેની સામે પાદશાહે એક બીજું લશ્કર મોકલ્યું હતું.

જ્યારે બિહારીલાલ પોતાને ઘેર જતો હતો ત્યારે કાફુર સવારી સાથે પાદશાહી દરબારમાં જતો હતો. કાફુર હમણાં રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો, તે બાદશાહનો એવો તો મૂછનો બાલ હતો, તથા તેના મન ઉપર તેણે એટલી બધી સત્તા મેળવી હતી કે તે ચાહે તે કરી શકતો હતો. તેણે મોટામાં મોટીી પદવી મેળવી હતી, પણ તે છતાં તે સુખી ન હતો. રાજાની જે પ્રીતિ તેણે સંપાદન કરી હતી તે કાયમ રાખવાને, તથા પાદશાહના સ્વછંદી અન ચળ સ્વભાવને લીધે તેને જે નિરંતર ચિંતા થયાં કરતી હતી, તથા અમીર-ઉમરાવોને આવા નીચ ગુલામ, આવા આજકાલના ચઢેલા શખ્સને પાદશાહ જેટલું માન આપવું પડતું હતું, તેથી તેના ઉપર જે કંટાળો, ક્રોધ તથા અદેખાઈ આવતી હતી, અને તેને લીધે તેઓ તેની ઊંચી પદવી ઉપરથી તેને ઢોળી પાડવાને તથા તેનો અંત આણવાને પણ હજારો યુક્તિઓ કર્યા કરતા હતા, તેને અટકાવવાને તેને હમેશાં ચોકસાઈ રાખવી પડતી. એથી જે તેના સુખમાં ઘટાડો થતો હતો તે એક કોરે મૂકીએ તોપણ તેને અસુખ થવાને બીજાં બે મોટાં કારણો હતોં. એક તો એ કે તેના લોભની તથા અસંતોષની વૃત્તિ ઘણી પ્રબળ થઈ ગઈ હતી. આટલી બધી વાર સુધી તેનાં ધારેલાં કામો તથા રાખેલી આશા સફળ થયાં કરી તેથી ઈચ્છાનું જોર ઘટવાને બદલે ઊલટું વધ્યું. તેના અંતઃકરણમાં લોભનો કીડો મોટો થયો, અને તેનું કલેજું કોતરી ખાવા લાગ્યો. તેને હવે પાદશાહ થવાનો લોભ થયો, અને તેની નજર હવે તે નિશાન ઉપર યા કરતી હતી. પણ પાદશાહ થતાં પહેલાં તેને પ્રસિદ્ધ થવું જોઈએ; તેણે કોઈ પ્રકારે નામ મેળવવું જોઈએ; અને આવા અજ્ઞાન લોકોમાં શૂરાતન દેખાડવાથી જ તથા બહાદુરીનાં કામો કરવાથી જ પ્રસિદ્ધ થવાય, નામ મેળવાય, તથા પ્રતિષ્ઠા સંપાદન થાય. અત્યાર સુધી તેણે કાંઈ બહાદુરીનાં કામ કર્યા ન હતાં, તેણે આ મોટો મરતબો ફક્ત નરમાશથી તથા કાવતરાં કરી મેળવ્યો હતો. તેનું કુળ આવું નીચું હતું, તેની અવસ્થા કનિષ્ઠમાં કનિષ્ઠ ગુલામગીરીની હતી, તે પોતાનું રૂપ સુધારવાને હમેશાં ઉપાયો કર્યા કરતો હતો; તેણે ઝનાનખાનામાં તેની જિંદગીનો કેટલોક ભાગ કાઢ્યો હતો, તથા તે ખોજો હતો તે ઉપરથી તેના શૂરાતન વિષે લોકોના મનમાં મોટો શક હતો, અને જ્યાં સુધી તે શક કાયમ રહે ત્યાં સુધી તેની ધારેલી મતલબ પાર પાડવામાં મોટી હરકત પડે એમ સમીને તેણે પોતાનું ખરું સ્વરૂપ લોકોને દેખાડવાનો, પોતાની સ્વાભાવિક હિમ્મત તથા બહાદુરી પ્રગટ કરવાનો, તથા પોતાના નામ ઉપરનું આ કલંક ધોઈ નાખવાનો ઠરાવ કર્યો હતો. ઈતિહાસ ઉપરથી માલૂમ પડે છે કે ખોજાઓ પુરુષનાં લક્ષણથી રહિત હોય છે તોપણ તેઓમાં હમેશાં નામર્દાઈ હોય છે, અથવા તેઓ નાહિમ્મત હોય છે, એમ કાંઈ હોતું નથી. નારસીસ અને બીજા કેટલાક ઝનાનખાનાના રખેવાળોએ મોટાં શૂરાં કામો કરેલાં છે. તેઓમાં બહાદુરીની કાંઈ કસર ન હતી, તે જ પ્રમાણે કાફુરને હતું. માટે તેનામાં જે જવાહિર હતું તે દુનિયાને દેખાડી આપવાને કોઈપણ લડાઈ ઉપર ચઢવાનો તેણે નિશ્ચય કર્યો.

એ પ્રમાણે વિચાર કરતો કરતો કાફુર પાદશાહી મહેલમાં ગયો, અને પાદશાહ ક્યાં છે એ વાતની તેણે તજવીજ કરી. તે વખતે અલાઉદ્દીન ઝનાનખાનામાં બેઠેલો હતો, પણ કાફુરને બેગમોને જોવાને તથા તેઓની સાથે વાતચીત કરવાને કાંઈ હરકત ન હતી, તેથી તે પણ ઝનાનખાનામાં ગયો. તે જઈને જુએ છે તો અલાઉદ્દીન ભોજન કરવાને બેઠો હતો. તેની આગળ મેજ ઉપર નાના પ્રકારના દારૂના શીશા પડેલા હતા, તથા પ્યાલાઓ વારાફરતી ભરાતા હતા. તેની પાસે તેની કૌળારાણી બેઠેલી હતી, અને તેઓ બંને અતિ આનંદમાં વાતચીત કરતાં હતાં, તથા રાતા ચળકતા પ્રવાહીઓનો ઘણી છૂટથી ઉપયોગ કરતાં હતાં. કૌળારાણીને આપણે છેલ્લી જોઈ તે કરતાં હમણાં કાંઈ બદલાઈ ન હતી. ઊલટી રજપૂતાણીનો પહેરવેશ બદલી તેણે હમણાં પઠાણની બૈરીનો પોશાક પહેર્યો હતો, તથા ઘણાં ઉમદા અને કીમતી જવાહિરો પહેરેલાં હતાં, તેથી તે વધારે ખૂબસૂરત દેખાતી હતી, તથા તેનું હૂરીના જેવું રૂપ વધારે પ્રકાશી નીકળતું હતું. ગુજરાત છોડતી વખતે તેને જે દુઃખ ઊપજ્યું હતું તે ધીમે ધીમે ઘસાઈ ગયું હતું. દુઃખનું ઓસડ જે દહાડા, તેણે તેના મન ઉપર મોટો ફેરફાર કર્યો હતો, અને ટેવ જે માણસને હરેક સ્થિતિ સાથે અનુકૂળ કરી આપે છે તેણે હવે તેની મદદે આવીને તેને તેની આ નવી અવસ્થાની સાથે સમાધાન કરાવ્યું હતું. એટલા ઉપરથી કોઈએ એમ ધારવું ન જોઈએ કે તેનું આગલું દુઃખ ખોટું હતું. તથા તેણે જે વિલાપ કરેલ તે ઢોંગ હતો. માણસને માથે જ્યારે દુઃખ પડે છે ત્યારે ખરેખરી દિલગીરી થાય છે, પણ પરમેશ્વરે દુઃખી માણસ ઉપર દયા આવી તેનું મન એવું તો સ્થિતિસ્થાપક કરેલું છે કે થોડી મુદત સુધી ઘણામાં ઘણો સંતાપ ભોગવી કેટલીકવાર પછી આશાની સહાયતાથી તે પોતાની અસલ સ્થિતિ ઉપર આવી જાય છે. જો પરમ દયાળુ ઈશ્વરે એમ કર્યું નો હોત, જો માણસનું દુઃખ વખત જવાથી નરમ પડતું ન હોત, તો તે ખરેખરો દુઃખી અભાગિયો થઈ પડત. તેની આખી આવરદા દિલગીરીમાં જ જાત, અને તેથી દુનિયાનો ઘણી મુદત ઉપર અંત આવ્યો હોત, અગર જો કેટલાકનું મન એવું જડ હોય છે કે તેમાં દિલગીરી જડમૂળ ઘાલીને વસે છે, તથા તેથી તેઓ દેહતયાગ કરે છે, તોપણ એવા થોડા છે. તેઓ જગતના નિયમથી બહાર છે. કૌળાદેવી તેવી ન હતી, માટે તેને ઠપકો દેવો એ અયોગ્ય ગણાય. કાફુરે કેટલીક ાવત કર્યા પછી ખંડિયા રાજાઓનો વિષય કાઢ્યો, અને દેવગઢનો રાજા રામદેવ પોતાના સામર્થ્ય ઉપર ભરોસો રાખીને આજ ત્રણ વર્ષ થયાં ખંડણી આપતો નથી, એ આપણું મોટું અપમાન થાય છે, માટે તેને ભારે સજા થવી જોઈએ, તેના ઉપર એક મોટું લશ્કર મોકલવું જોઈએ, અને જો આપની રજા હોય તો હું તે લશ્કર લઈને જલદીથી તેને ઠેકાણે લાવી તેની પાસેથી ચઢેલી ખંડણી વસૂલ કરી લાવું, એટલું જ નહીં પણ ત્યાંની અગણિત લક્ષ્મી ઘસડી લાવી આપની સેવામાં રજૂ કરું, એ કામ કરવાથી બે ફળ થશે. એક તો આપણી દોલતમાં તથા સત્તામાં વધારો થશે, આપણી બહાદુરી પ્રગટ થશે, અને આપણા નામનો ત્રાસ હિંદુસ્તાનમાં ફેલાશે, લોકો જોશે કે આપણે હજુ લડાઈથી થાકી ગયા નથી; આપણી પાસે લશ્કર, દ્રવ્ય તથા લડવાનાં બીજાં સાધનોની હજી કાંઈ ખોટ નથી; તથા આપણે હજી આપણી મેળવેલી સત્તા વધારવાને તથા કાયમ રાખવાને અને બળવાખોરોને ભારે સજાએ પહોંચાડવાને સમર્થ છીએ. બીજું ફળ મારી જાતને થશે. અહીંના અમીર લોકો મને ધિક્કારે છે, હું ખોજો છું તેથી તેઓ એમ સમજે છે કે હું સ્ત્રીઓનાં કામ કરવાને જ માત્ર લાયક છું, અને મારામાં કાંઈ શૂરાતન નથી. તેઓને મારે ખાતરી કરી આપવી છે કે અગર જો પરમેશ્વરે મને નીચ કુળમાં જન્મ આપ્યો છે, મારી પાસે ગુલામગીરી કરાવી છે, મારામાંથી પુરુષાતન લેવડાવી લીધું છે, મને અબળાઓનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું છે, તોપણ તે પરવરદિગારે જોઈએ તેટલી હિંમત તથા બહાદુરી મને બક્ષેલી છ, અને જેમ હું દરબારનું કામ હોશિયારીથી કરી શકું છું, તેમ લડાઈ ઉપર લશ્કર પણ જઈ શકું છું; માટે જહાંપનાહ ! આપના ગુલામની અરજ કબૂલ રાખી એક મોટું લશ્કર તૈયાર કરાવવું જોઈએ અને તેની સરદારી મને આપીને મને દેવગવઢ ઉપર મોકલવો જોઈએ.

કાફુરનું આ બોલવું સાંભળીને પાદશાહને ઘણી ખુશી થઈ, અને તેના માનીતા કાફુરની કોઈ પણ નજીવી અરજ તે કદી નામંજૂર કરતો ન હતો તે આવી મોટી તથા તેને ગમતી વાત શી રીતે નાપસંદ કરે ? વળી દેવગઢ ઉપર ચઢાઈ કરવાથી કાફુરે બતાવ્યા તે પ્રમાણેના ઘણા લાભ ન થાય તોપણ એકલી નકામી, વગર જરૂરની લડાઈ વહોરવાનો પણ તેને ઘણો શોખ હતો; લડાઈનું નામ સાંભળીને તે જાગ્રત થઈ જતો; તેની નસોમાં લોહી વધારે જુસ્સાથી વહેતું; તથા તેમાં ઝંપલાવી પડવાને તે તરત તૈયાર થઈ જતો. તેને લડાઈમાં જાતે જવાની મરજી થઈ, પણ કાફુરના કાલાવાલા ઉપરથી તેણે તે વિચાર છોડી દીધો અને તેને મોકલવાનું કબૂલ કર્યું.ં

કૌળાદેવીએ જ્યારે આ વાત સાંભળી, અને દેવગઢ તથા રમદેવનાં નામ તેને કાને પડ્યાં, ત્યારે તેનું આગલું સઘળું દુઃખ યાદ આવ્યું, અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેનો આગલો ધણી કરણ બાગલાણમાં છે એવી તેને ખબર હતી; તેની મોટી છોકરી કનકદેવી મરી ગઈ તે પણ તે જાણતી હતી; અને તેની નાની દિકરી દેવળદેવી તેના બાપની પાસે છે, એમ તેને માલૂમ હતું. પાદશાહની પાસે રહેવામાં પોતાને ઘણી તરેહનું સુખ હતું તોપણ તેને વખતે ઘણું એકાંતપણું લાગતું, અને ઘણી વાર ઉદાસ રહેતી. બૈરાંને છોકરાં પોતાની પાસે રાખવાં ઘણાં ગમે છે, તે પ્રમાણે કૌળાદેવીને પોતાની મોટી થયેલી, તેર વર્ષની છોકરીને બોલાવવાનું ઘણું મન હતું. માની છોકરાં ઉપર ઘણી પ્રીતિ હોય છે, તેની સાથે તેઓ એવું સમજે છે કે છોકરાં ઉપર માના જેટલું બાપનું હેત હોતું નથી, અને તેઓના ઉપર બાપના કરતાં માનો વધારે હક્ક હોય છે. દેવળદેવીને વાસ્તે તેને જે પ્યાર હતો તેથી તે એવી તો આંધળી થઈ ગઈ કે તેને બોલાવવાથી તેનાં ભરથાર કરણને જે દુઃખ થશે, તથા તેને દીકરીના જવાથી, નિરાધાર થઈ જવાથી, અને ઘણી મુદતની બાપ અને છોકરીની વચ્ચે મજબૂત બંધાયેલી પ્રીતિ તૂટવાથી જે સંતાપ થશે તે સઘળું આ વખતે ભૂલી ગઈ. તેણે અલાઉદ્દીનને વિનંતી કરી કે જ્યારે કાફુર દેવગઢ સુધી જાય છે ત્યારે બાગલાણમાં મારી તેર વર્ષની એક દેવળદેવી નામની છોકરી છે તેને લઈ આવવાનો કાફુરને હુકમ આપવો જોઈએ. અલાઉદ્દીનને આ અરજ ઘણી માકુલ જણાઈ નહીં, તોપણ પોતાની વહાલી રાણીને ખુશ કરવાને તેણે કાફુરને દેવળદેવીને લાવવાનો હુકમ કર્યો. કાફુરે એ હુકમ માથે ચડાવ્યો, અને તેને ન લાવું તો મારું માથું આપવું એવું વચન આપ્યું.

બીજે દહાડે એક મોટો દરબાર ભરી ત્યાં પાદશાહે પોતાને હાથે કાફુરને મોગટો શિરપાવ તથા ખિલખત આપ્યાં, અને હવે પછી તેને નાયબ મલેક કાફુર કહેવો, તથા સઘળા અમીર-ઉમરાવોએ તેને પોતાના જેટલું જ માન આપવું એવો હુકમ કર્યો, પછી એક મોટું લશ્કર તૈયાર કરાવ્યું, અને થોડા દહાડામાં દિલ્હીમાં પાદશાહની રૂબરૂ એક લાખ સવાર આવી ઊભા રહ્યા. એ લશ્કરની સરદારી નાયબ મલેક કાફુરને સોંપી. અને તેના હાથ નીચે ખાજા હાજી નામના એક ઘણા સદ્‌ગુણી માણસને નીમ્યો. તે લશ્કર દિલ્હીથી ઈ.સ.૧૩૦પમાં દક્ષિણ દેશ જીતવાને નીકળ્યું. આ મોટા સૈન્યની સાથે ઘણા નામાંકિત અમીરો હતા; તથા તેને મદદ આપવાને માળવાના સૂબા અયનુલ્‌મુલ્ક મુલતાનીને હુકમ થયો હતો. તથા ગુજરાતના સુબા અલફખાંને પણ લશ્કર લઈ મલેક કાફુર જોડે એકઠા થવાનું લખ્યું હતું. કાફુરે પાદશાહની છેલ્લી રજા લીધી. અને તેના જવાથી તથા લડાઈના સપાટામાં તે કદાચ મરણ પામે એ વિચારથી પાદશાહે ઘણી દિલગીરી બતાવી. આ વખતે પણ દેવળદેવીને લાવવાનું તેણે યાદ દેવડાવ્યું. અને જો તેને નહીં લાવે તો મારા ક્રોધને લીધે મારાથી જે થઈ જશે તેનો હું જવાબદાર નથી, એમ કહી સંભળાવ્યું.