Visrayela jeev-1 books and stories free download online pdf in Gujarati

વિસરાયેલ જીવ - ભાગ 1

  વિસરાયેલ જીવ

"રક્ત નો જવાબ રક્ત માંગે,
આંસુ ઓનો હિસાબ માંગે,
બસ એક વાત સરહદ પર 
ગયા વિના હર એક યુદ્ધ માંગે.
રણસિંગા ના સાદે  વીરો માં જોશ સુણાય
ને ચાર મો ગાથા થી કસુંબો રુડો પાય,
ભાગ  આતંકવાદ ભાગ આતો ભારત વર્ષ ની તાકાત છે,આ ભારત ભુમિ નું પાણી દુશ્મનો ને ખાનદાન યાદ કરાવે,આતો વીરો ની ભુમી છે 
આતો વીરો કેરી ભુમિ છે."
    

       વાત છે, એ વીરો ની જે દેશ ખાતર પોતાને સદાય ને માટે હોમી જાય છે,ને આવા વીરો નો દેશ સદાય ઋણી  રહે છે,એવા મારા પુલવામાં ના અને કાંગડા ભુમિ પર જે શહિદ થઇ ગયા તે ભાઈ ઓને યાદ કરીએ .આ લખતાં આ "લબ્સ"નો હાથ ધ્રુજી જાય છે. આંખો પણ રડી પડે છે.

        હવે સમય આવી ગયો છે.ભારત જાગ ભારત જાગ હવે જોજે  હા મોડું ન થઇ તને  આ સમજાય 

      આપણા દેશ પર સદી ઓથી આક્રમણો થતા આવ્યાં છે.આર્યો,શકો,હુણો,મુગલો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો,અંગ્રેજો  આવ્યા ને દેશ ને લૂંટી ને ગયા. આ દેશ અડીખમ ઉભો છે,ને અત્યારે પણ આ થાય જ છે, દાનવો જે ચોર ની જેમ ધુસી ને જે કાયર જેવો હુમલો કરી ગયાં. એમાં આપણા 50ભાઇઓ શહીદ થયાં. થોડા દિવસ સોર મચાયો,પછી બધાં જેસે થે,તેમ થઇ ગયું.આ બોલતા મને શર્મ અનુભવાય છે,

  આ દાનવો જે ચોરી છુપી આવ્યા ,એનું કારણ કોઇ રાજકીય પક્ષ જવાબદાર નથી,તે માટે  જવાબદાર છે,દેશ માં એકતા નો અભાવ,બધાં એ એકસુત્રતા માં બંધાવવા ની જરુર છે, દેશ નો પ્રત્યેક નાગરિક મજબુત હશે તો સરકાર મજબુત થશે. માટે લોકો એ જાગવાની જરુર છે.

આપણા દેશ માં કેટલાય એવા લોકો પણ રહે છે જે ભારત માં રહી પાકિસ્તાન નાં ગુણ ગાય છે,એવાં દેશદ્રોહીઓ કંલક છે તેને ડામવા જરૂરી છે, નહીં તો દેશ માં આવી રીતે કેટલાંય સાપ દેશ ને ડંખી ને ખોખલો કરી નાંખશે.પહેલાં મોદી દાદા તમે તેમને નિકાળો.અમે શહીદ નાં કુટુંબ ની પડખે ઉભા છીએ.મોદી દાદા તમને વિનંતી શહીદ ને પરિવાર ખાતર અમારા એકાઉન્ટ માંથી પૈસા કાપો તો કંઈ વાંધો નહીં એ વીરો ના પરિવાર ને કોઈ સામે હાથ ન ફેલાવો પડે, એની તમે કાળજી રાખજો 

    એ કરુણ દિવસ મને યાદ છે,દેશભર ઉત્સવ હતો,જયાં લોકો આ દિવસે પ્રેમ નો એકરાર કરતાં હતા ને ફરતા હતા, સમગ્ર દેશ માં ખુશી નો માહોલ હતો ને એક સમાચારે બધા ને હલાવી નાંખ્યા,સમગ્ર ખુશી દુ:ખ માં ફેરવાઇ ગઇ,પુલવામા માં આપણા ભાઈ ઓ શહિદ થઇ ગયા એ પાછા 50 આ સંખ્યા કંઈ ઓછી ન કહેવાય,આપણે જાગવાની જરુર છે, આપણે જે ભાઈઓ શહિદ થઇ ગયા છે એમને પાછા તો નહીં લાવી શકવાના પણ બીજા ભાઈઓની સાથે આપણે ઊભા રહીએ , જે ગયા એતો આ જોવા નથી આવવાના બીજા ભાઈ ઓની હિંમત બની રહી શકીએ ને.
હવે તે વેળા આવી ગઈ છે,પ્રત્યેક નાગરિકો એ યુદ્ધ લડવા માટે મજબુત થવાની,ખાલી ખાલી ભાષણો આપવા થી કંઇ નહીં થાય.પક્ષ ને બદલવાથી પણ કંઈ ફાયદો નથી.આપણે જ મજબુત બનશું તો દેશ મજબુત બનશે,લોકો એ સજાગ બનવું પડશે.

    એક સૈનિક નો દરજ્જો ભગવાન ની તોલે હોવો જોઇએ,અેમનું પણ કુટુંબ હોય છે દેશ ને ખાતર તે પોતાનું  કુટુંબ પણ તે ભુલી જાય છે.દેશ ને જ પોતાનું કુટુંબ માને છે. ને દેશ ની ભુમિ ને પોતાની માં માની લે છે. મા ભારત ને કાજે જે રાત દિવસ જાગે છે.મારો દેશ ના બંધુઓ સુરક્ષિત રહે.પોતાના ફેમીલી ને પણ છોડી દે છે.એતો સાચા હીરો છે,જે પોતાનો ભોગ આપી આપણને સુરક્ષા પુરી પાડે છે,

      "હે નારી તું સંતાન પેદા કર તો એવો કર જે વીરો નો વીર હોય અભિનંદન જેવો શેર હોય શિવાજી જેવો બહાદુર,વિવેકાનંદ જેવો જ્ઞાની હોય નહીં તો નારી તુ સદાય ને રહેજે વાંઝણી તારું નુર ગુમાવીશ નહીં."

કોઈ માં પોતાની અંદર નવ મહીના રાખેલો દિકરો જયારે દેશની સેવા માટે આપતી હોય છે. કોઈ પત્ની પોતાનો પતિ આપતી હોય છે ને એક બેટી પોતાના પિતા એક બહેન પોતાનો ભાઈ આપતી હોય છે ધન્ય છે તે સિંહો સમા પરિવારો ને એક દિકરો શહિદી વોરે છતાંય તે દેશ ની સેવા માટે બીજો પુત્ર આપે છે.તેમને આપણે એના બદલા માં તેમના ટુકડા આપીએ છીએ.તેમને હિંમત આપવી જોઈએ કે આખો દેશ તમારી પડખે ઊભા  છીએ .ને આપણે થોડા દિવસ ની ફેશન આવે સીઝનેબલ વસ્તુ ની ફેશન આવે ને પછી જતી રહે તેમ આ થોડા દિવસ ચાલે છે,ને જતું રહે છે,પછી કોઇ આવા વ્યક્તિ હતા થઈ જાય છે.પછી લોકો ના મન માં આ વાત ભુલાઈ જાય છે.આપણી જે હરીફરી શકીએ છીએ સુરક્ષિત રીતે એમાં એક પરિવાર નું બલિદાન હોય છે. અેમને તેમના પરિવાર નું એક અગત્ય નો હિસ્સો આપ્યો હોય છે.તેને લીધે આ શક્ય છે.તેમને  મારે આ સિંહ ને લોકો ના દિલે અમર રાખવા છે.ને તેમને મારે જીવંત રાખવા છે. સલામ છે તેવા માં બાપ નેજે આવા સિંહો ને જન્મ આપે છે.આ દેશ પ્રેમ ની ભાવના ઇન્ટરનેટ પુરતી નહીં લોકો ના દિલે રોજબરોજ દોડવી જોઇએ.આ દેશ ના હકો પ્રત્યે બધાં સજાગ હોય છે  તેના માટે લડીએ છીએ.પણ હવે વારો ફરજો નીભાવવા માટે લડવાનો  માટે સમય આવી ગયો છે.હવે દેશ ના દરેક વ્યક્તિ એ પોતાને સૈનિક જેવી મજબુત બનાવી પડશે.દરેક યુવાન અને યુવતીઓ એ સૈનિકો ની મદદે જવું પડશે,પાકિસ્તાન સામે યુદ્ધ લડવુ જોઇએ ને તમે 40ને બદલે 4000મારો એવી કોમેન્ટ બાજી નહીં ચાલે,સરકાર ને આમ કરવું જોઈએ અને ,સૈનિકો એ આમ કરવું જોઈએ, તેમ સલાહ આપો અેના કરતાં ત્યાં જઈ ઉભા તો રહો પગ નીચે થી હવા નિકળી જશે.હું તે યુવાનો ને યુવતી ઓને કહેવા માંગુ છું કે તમે ખોટો ખોટો તકલાદી દેશપ્રેમ ન જતાવો.તમને એટલું જ દુ:ખ હોય તો તમે તેમના પરિવાર ના દુઃખ માં સહભાગી થાવ.તેમના ખબર અંતર પુછવા જાવ આંસુ લુછવા જાવ.તેમના પરિવાર ને મદદ કરો.આમ ખોટી  સલાહ સરકાર અને સૈનિકો ને ન આપો.તે તેમનું કામ કરશે.

કોઇ જીવતો સૈનિક હોય તો તેની કોઇ કિંમત નથી.જ્યારે તે શહિદ થાય ત્યારે તેના સ્મારકો બને છે. થોડા દિવસ રેલીઓ નીકળે મૌન તેમની વાહ વાહી થાય છે, ગાથાઓ ગાય છે. ને પછી બધા તેમને ભુલી જાય છે.ને તેમના પરિવાર ને તેમના ગયા ની ખોટ તો  આજીવન સારે છે તેમને પછી સરકાર ની કચેરી ના એ ધકકા ખાવા પડે છે. તેમના પેન્શન માટે ધક્કા ખાવા પડે આનાથી કરુણ દ્રશ્ય કયું હોઈ શકે.શહીદો ને સાચી શ્રદ્ધાંજલી ત્યારે જ કહેવાશે,જ્યારે દેશ ના યુવાનો કે યુવતીઓ સૈનિકો સાથે કદમ થી કદમ મળાવી સેનાની મદદે યુદ્ધ માં આવશે ને ત્યારે તમને સાચા અર્થ માં શ્રધ્ધાંજલી આપી ગણાશે.

    પાકિસ્તાન મુર્દાબાદ બોલવાથી કંઈ નહીં થાય.યુવા ફોજ તૈયાર કરવી પડશે. દરેક નાગરિકે પોતાની જાત ને સૈનિક જેવી ટ્રેન કરવી પડશે.ઘરે ઘરે સૈનિક બનવું પડશે.ત્યારે જ આપણે ભારતીય મિલીટ્રી ની પડખે ઉભા  રહી શકીશું.ત્યારે જ આવા ઓચિંતા હુમલા ને રોકી શકશું 


       ભારત માતા ની જય બોલવાની સાથે મા ના રક્ષણ કાંજે લડવું પણ પડશે આર્મી ની સાથે ઉભા રહી હવે સમય આવી ગયો છે. પાકિસ્તાન અને ચીન ને ઔકાત દેખાડવા નો 

મારો ભારત મહાન , હું ભારત અને બધા દેશ ને અને તેના આર્મી સેના ઓને પ્રેમ કરું છું સિવાય પાકિસ્તાન અને ચીન