Vaat samay ni books and stories free download online pdf in Gujarati

વાત સમય ની

વાત સમય ની

હેલ્લો , મિત્રો આજે હું પહેલી વખત સ્ટોરી લખી રહ્યો છો. આ સ્ટોરી માં હું તમને સમય ની કિંમત વિશે જણાવીશ.તમે પણ તમારી આજુ બાજુ ના વ્યક્તિ ઓ કે સમાજ ના લોકો ને જોઈ રહ્યો છો.કે તેઓ સમય ની કીમત કરી રહ્યા નથી.લોકો મોબાઇલ માં અથવા આડશ કરી. ને પોતાનો કિંમત  સમય વેડફી રહ્યા છે.......

મિત્રો ,આપને આજે એક વાત કરવી છે. વાત ની શરૂઆમાં આજે વાત સમય ની કરવી છે. ત્યારે સમય શું છે.  ને સમય ની કિંમત શું છે.તો વાત આવી છે. કે સમય એ સાથે છે. પણ તેની ખબર પડતિ નથી. આજ ના આધુનિક યુગમાં સમય ની સાથે ચાલતા શીખવું પડશે મિત્રો. ન તો આ ઉમર પછી આવશે. ન તો  વિતિગેલો સમય પાછો આવશે.
આવાત પરથી મને એક શાયરી યાદ આવે છે.....

ના રોકો તમારા સમય ને .એમાં તમારો હક્ક નથી .

લાગણી છે સાચી અમારી ..

એ વાતમાં કોઈ શક નથી........


મિત્રો , જગત માં ઇશ્વરે બધાજ મનુષ્ય ને ૨૪ કલાક નો સમય આપ્યો છે. કોણ ક્યાં કેવી રીતે સમય નો ઉપયોગ કરે છે. તે વ્યક્તિ પર નિર્ભર કરે છે....

(સમય શું છે સમય ની કિંમત શું છે.)


મિત્રો , સમય છે ને પાણી ના વહેણ ની જેમ હોય છે.જેમ  પાણી પોતાની માર્ગ શોધી લે છે. તેમજ સમય પણ પોતાનો ગતી અનુસાર આગળ વધવા લાગે છે.....


મિત્રો , સમય ની કિંમત બહું ઓછા લોકો ને સમજાય છે.અને ગણા ને સમજાય છે.ત્યારે મોડું થઈ ગયું હોય છે. મિત્રો દરેક વ્યક્તિ ના જીવન માં એક સમય જાણે કે ને એક દાયકો આવે છે. પણ એ સમય એ દાયકાને કેવી રેતી ઝળપવો તે વ્યક્તિ પર નિર્ભર છે.અને સમય છે ને કોઈ ની પણ રાહ જોતો નથી.એટલેજ ઇંગ્લિશ માં એક કહેવત છે.....



time and tide wait for none

મિત્રો , સમય માણસ ને ક્યાંથી ક્યાં લાઈજાય છે.વાત કરું એ વ્યક્તિ ની જેમનાથી  આપ સહુ પરિચિત છો....


મહાત્મા ગાંધી  જેઓ પોતે સારો અભ્યાસ કરી ને વકીલાત શરૂ કરી હતી. તેઓ વકીલાત ના કામ થી બહાર જવા ટ્રેન મા ફર્સ્ટ ક્લાસ ની ટિકિટ હોવા છતાં તેઓને અગ્રેજો એ તેમાં બેસવાની ના પાડી. તેઓ નું અપમાન કરી ને ટ્રેન માંથી નીચે ઉતરી દીધા.ગાંધીજી ને એમ થયું કે અંગ્રેજો આ હાલત કરી નાખી છે.મારા દેશ ની ગાંધીજી એ નીશ્ચાય કરી લીધો કે હવે તો હું અંગ્રેજો ને ભારત માંથી બહાર કાઢી ને જ રહીશ.અને તેમનો નીશ્ચાય સફળ થયો.....


આવાત થી આપડે સહુ પરિચિત જ છીએ.મારો કેવાં નો ઉદેશ છે.કે સમય નો જો આપડે સહુ સારો ઉપયોગ કરી એ તો જીવન માં આગળ વધી શકાય.આજે પણ મહાત્મા ગાંધીજી ને આપણે યાદ કરી એ છીએ.....

મિત્રો ,હું અને તમે સમય ની કિંમત નહિ કરીએ. તો ના આ સમય પાછો આવશે.નાતો વિતિગલી સમય ની કિંમત પાછી આવશે.દુનિયામાં લગભગ રૂપિયા થી બધું ખરીદી શકાય પણ વિતીચૂકેલો સમય ખરીદી શકાતો નથી....

મિત્રો મે આજ પહેલી વાર મારા વિચારો ને લખી ને  આપના સુધી પહોંચડવા નો પ્રયત્ન કર્યો છે. મારી ઇચ્છા છે .મારા ખુદના શબ્દો ને સંગીત ના સુરની જેમ ગોઠવીને આપના સુધી પહોંચે એવો મારો પ્રયાસ છે.....

જો આપને આ મારી વાત વાચી ને આનંદ મળ્યો હોય તો આપ સહુ મિત્રો પોતનો અભીપ્રાય જણાવશો જી.




રવિ પંડ્યા