mari nani books and stories free download online pdf in Gujarati

મારી નાની



દીના ,સતા ,રાજુ ,વિમલ ,રવા આવા શબ્દો કાન ને અથડાય એટલે અમે બધા દોડી ને ત્યાં હાજર એવી એમની ધાક ,સિંહ ના જેવી દહાડ સંભાળી ને ત્યાં જઈ એ એટલે અમારા માટે કઈક ખાવાનું લઈ ને જ બેઠા હોય ,આખા ઘર ની ચિંતા ,તે ખાધું ,તારે સુ ખાવું, તું તારે ચિંતા ના કર હું સાથે છું,અમારા બધા ના તકલીફો નું એક જ ઉપાય અને એ મારી નાની
નાનપણ થી જ એનું જીવન તકલીફો ભર્યું રહ્યું .ભગવાન એ જાણે બધી જ તકલીફો સહન કરવા માટે એને જ પસંદ કરી હોય એમ ,અને એ પણ એમ થોડી હાર માને એવી ,ભગવાન ની સામે દ્રઢ મનોબળ થી ઉભી રહેલી,પોતાના પર આવેલી સમસ્યા ઓ ને મન માં દબાવી ને .જેમ એક વૃક્ષ તડકો સહન કરી ને પોતાના સાનિધ્ય માં બેઠેલા લોકો ને છાયડો આપે એમ એ ભગવાન એ આપેલ દુઃખો ને દિલ માં દબાવી અમને આખા પરિવાર ને એની છત્રછયા માં સમાવી ને બેઠેલી,નાનપણ માં જ પિતા નો ચહેરો પણ બરાબર જોવા મળ્યો નહિ હોય ને એણે પિતા ને ગુમાવ્યા ,ત્યાર થી જ એના સંઘર્ષ ની શરૂઆત થઈ,મારા નાની ને એ ૨ ભાઈઓ અને ૩ બહેનો.જેમાં મારા નાની સૌથી નાના .
. નાના હોવા છતાં કામ હમેશા એમના મોટા ,સાહસ ,ધૈર્ય ,બુદ્ધિ બધું જ ભગવાન એ આપેલું ,પિયર માં પિતા ની છત્રછાયા ગુમાવ્યા બાદ ભાઈ ઓ અને બહેનો ની તાકાત બની ને રહ્યા ,માડકા આવ્યા એટલે મારા નાના સાથે નું જીવન
.મારા નાના એટલે ભગવાન નું બીજું સ્વરૂપ.શાંત અને ધિર ગંભીર ,બંને સ્વભાવ થી એક બીજા થી વિપરીત ,એક પાણી તો બીજું આગ,પણ સમજદારી માં બંને એક સમાન.સમય જતાં મારી મમ્મી નો જન્મ થયો ,ત્યાર બાદ ત્રણ બહેનો અને બે ભાઈ એટલે કે મારા મામા ઓ.અરુણા બેન ,દિનેશ ભાઈ , સારદા બેન ,સતીશ ભાઈ અને વર્ષા બેન એમ સંતાનો થયા
ત્યારે ફરી ભગવાન ને આ ખુશીઓ સહન ના થઈ ,એમ મારી નાની ના ભાઈ ને ભગવાન એ બોલાઈ લીધા ,હવે તો એમનું મન માડકા ઓછું ને લવાણા વધુ રહે,ત્યાં ભાઈ ઓ ના પરિવાર માં પણ બાળકો નાના ,એટલે અહી મારા નાના ના ભરોસે બધું મૂકી ને ગમે ત્યારે પિયર પહોંચી જાય.ત્યાં ભાઈ ઓ ના પરિવાર ના દીકરા ,દીકરીઓ ના લગ્ન ના તમામ કામો ઉપાડી લે.તેમનો એક પગ માડકા તો બીજો પિયર મા રેતો,આ બાજુ પણ મારા નાના ને આ બધા સંયુક્ત કુટુંબ માં રહે ,ઘર હોય એટલે આંતરિક મતભેદો પણ થાય,પણ મારી નાની ની સુજબુઝ એવી મતભેદ ને ક્યારેય મનભેદ માં પરિવર્તન ના થવા દે,
ત્યાર બાદ ક્રમાનુસાર બધા સંતાનો ના લગ્ન કર્યા ,બધા સંતાનો હવે સારી રીતે સેટ થઇ ગયા હતા.બધા ના ઘરે બાળકો ના કિલકિલાટ જોઈ મારી નાની અને નાના ને સ્વર્ગ નો અનુભવ થવા લાગ્યો..એને હવે એવું લાગ્યું કે ભગવાન એ હવે સારા દિવસો આપ્યા ,પણ એમને કામ છોડ્યું નહિ,મારા નાના અખો દિવસ ભગવાન ની ભક્તિ કરે ,અને પુસ્તકો નું વાંચન કરે અને નાની અમારા આખા સંયુક્ત પરિવાર ની જવાબદારી ઉપાડી ને દોડ્યા કરે ,એને નિરાંતે બેસેલી અમે કોઈ એ નહિ જોઈ,ગામ માં બધા ગોરાણી કહે અને આખા ગામ માં એમની સાહસ અને બુદ્ધિ ક્ષમતા ની બધા ને ખબર ,અહી ઘરે પણ નાની વહુ ઓ છોકરાઓ અને બધા જ એમના થી ડરે ,ગમે એને સાચું કહેવાથી પાછી પાની ના કરે ,અમે રાજપૂત વાસ માં રહી એ ત્યાં બધા એમને નામ થી જ બોલાવે ,ભગવતી.
અને એમનો સ્વભાવ દૂધ માં સાકર ની જેમ ભળી જાય એવો..દરેક ને એમ જ લાગે કે આ તો મારું ખૂબ રાખે,મારા નાના ને એ ચાર ભાઈઓ જેમાં ત્રણ પરિવાર અહીંયા રહે અને એક થરાદ રહે ,પણ ચારે ઘર માં કોઈ પણ તકલીફ આવે ત્યારે પેલા મારી નાની પહોંચી જાય,અને એ જાય એટલે એવો ન્યાય કરે કે બધા ને સંતોષ થઈ જાય,ખબર નહિ ભગવાન એ કઈ માટી થી બનાવી હતી,ક્યારેય કંટાળેલા જોવા ના મળે,અમારે શ્રાવણ મહિના માં ચાંદરવા માં પૂજા અને જમવાનું ચાલે તો ત્યાં એ મહિનો રહે એટલા માં તો ત્યાં એ લોકો ના દિલ માં એવી ઉતરી જાય ,કે મહિનો પૂરો થાય તો એ બધા કે ગોરાણી માં તમે હજી રહી જાઓ.એની જિંદગી માં પરોપકાર સિવાય મે ક્યારેય કઈ જોયું જ નહિ,જમવા નું બધા નું એકલા હાથે બનાઈ દે ,નાની વહુ ઓ ઘર માં આવી પણ એમણે ક્યારેય કહ્યું નહિ કે તું આ કામ કર .
ત્યારે અમે રાજસ્થાન એટલે કે મારું મૂળ વતન કાલોડી. ધંધો પપ્પા નો શિણધરી એટલે ત્યાં રહી એ, અમે ૩ ભાઈ ઓ મોટા ભાઈ ની ઉંમર ૮ વર્ષ જેવી હસે હું પાંચ વર્ષ જેવો અને નાનો ભાઈ બે વર્ષ જેવો હસે અને એ કાળી ડીબાંગ રાત્રે અમારા ખુશખુશાલ નાના પરિવાર ને ગ્રહણ લાગ્યું,બહુ જ જ્ઞાની ,વિદ્વાન મારા પિતા શ્રી ને ભગવાન પોતાની દુનિયા માં લઇ ગયા , અમારા પરિવાર ના સંપૂર્ણ આધાર એવા પિતાશ્રી ની છત્રછાયા ગુમાવી દીધી , વહાણ માં નાવિક વગર નું નાવ મધદરિયે જેમ ફસાય એમ મારો પરિવાર કોઈ સહારા વગર હોય એવું લાગ્યું,કાકા ઓ ,અને મારા દાદા એમને પણ ભગવાન એ એ વખતે કુબુદ્ધિ સુજાડી હોય એમ સાથ આપવાની જગ્યા એ પોતાના માં મશગુલ થઈ ગયા.ઘણી વાર તો મારા નાના અને નાની એ રાહ જોઈ કે જ્યાં સુધી સારું થઈ જાય ત્યાં સુધી સારું ,પણ પરિસ્થિતિ દિવસે દિવસે વધારે બગડતી જતી હતી.મારી મમ્મી ને બહુ જ ગહેરો આઘાત લાગ્યો હતો.અને મને અને નાના ભાઈ ને તો પિતાશ્રી સાથે સમય પસાર કરવા જ ના મળ્યો.મોટા ભાઈ ને એમનો ચહેરો યાદ આવે ,અમે બધા બહુ જ અપસેટ થઈ ગયા હતા ,કઈ જ સુજે ના.
હવે આ બધું મારી નાની થી સહન ના થયું તેમને મારા મામા અને માશી ને ત્યાં મૂક્યા ,પરિસ્થિતિ વધુ બગડે એવું લાગતા જ મારી નાની ખુદ ત્યાં આવી અને સંઘર્ષ કરી અમને ત્યાં થી માડકા લાવી દીધા .ત્યાર થી અમે માડકા જ રહી એ, વડ એવા ટેટા ,હોય એમ .મારી મમ્મી પણ મજબૂત મનોબળ વાળી હતી.કારણ કે મારી નાની ના સંસ્કારો બધા ભાઈ બહેનો માં ઉતરેલા ,બધા ભાઈઓ અને ભાભીઓ બધા એક બીજા સાથે હળી મળી ને રહેવા લાગ્યા ,મારા મામા ઓ અને નાના, નાની એ એ પ્રકારે રાખ્યું કે ક્યારેય ખ્યાલ જ ના આવે કે આ મામા નું ઘર છે
અમે મામા અને ભાણેજ એવી રીતે રહી એ કે લોકો ને લાગે કે આ સગા ભાઈઓ છે,અને આ બધા ને એક તાંતણે બાંધી ને રાખ્યા મારી નાની એ,બધું ભાર એકલી પોતાના માથે લઈ ને ફરે ,કોઈ ની તાકાત ના હોય કે અમને એક શબ્દ પણ બોલે ,અમે પણ અહી સેટ થઈ ગયા હતા ,મોટા ભાઈ ડોક્ટર ,હું શિક્ષક અને નાનો ભાઈ પણ શિક્ષક ,મામા ઓ પણ મોટા મામા શાસ્ત્રી થઈ ગયા હતા એમને મારા નાના જોડે થી બહુ શીખવા મળ્યું ,તો નાના મામા પણ ધંધા માં પાવરધા થઈ ને વાવ માં જોરદાર દુકાન ચાલે ,
એવા માં જ નાની ના બીજા ભાઈ નું પણ દેહાવસાન થયું ,આ સાંભળતા જ મારી નાની ને મોટો આંચકો લાગ્યો ,અને પેલો હર્દય નો હુમલો તેને ત્યારે જ આવી ગયો,પણ એને કોઈ ને ના કહ્યું ,હર્દય હુમલા ની તકલીફ બહુ ભયંકર હોય છે,એની પીડા એ કોઈ ને કહ્યા વગર આંખો મીંચી ને સહન કરી ,છાતી પર હાથ રાખી ને ત્યાં પહોંચી ને બધા ને સાંત્વના આપવા લાગી,ત્યાર થી એની તબિયત અવાર નવાર ખરાબ રેવા લાગી,એને ડાયાબિટીસ ,બ્લડ સુગર રહેવા લાગ્યા ,એનું ડાયાબિટીસ અને બ્લડ સુગર એટલા ઊંચા હોય કે રિપોર્ટ ડોક્ટર જોવે એટલે પેલા જ બોલે કે દર્દી એમ્બ્યુલન્સ માં છે અને મારી નાની હસતા મોઢે કહે હું જ છું દર્દી ,દવા કરો,આ સાંભળી ડોક્ટર માનવા જ તૈયાર ન થાય ,ડોક્ટરો પણ કહેતા કે માજી નું મનોબળ હિમાલય જેવડું છે,હોય જ ને આટલી ભગવાન એ આપેલી ઠોકરો સામે આ દર્દ એને ક્યાં અસર કરે.ડોક્ટર કહે રોજ નું ઇન્જેક્શન લેવું પડશે અને મારી નાની હસતા મોઢે કહે કે હોય એ લાવો હું લઈ લઈશ ,અને એમને રોજ ડાયાબિટીસ નું ઇન્સ્યુલીન નું ઇન્જેક્શન લેવા પડતા ,અને એ પણ જાતે જ લઈ લે, ડર તો એને લાગતો જ નહિ
.એક વખત એની તબિયત વધારે બગડી ,કોઈ ને વાત ના કરી પણ એક બાજુ સૂતી રહે અને મારી નાની સુવે એટલે જાણે આખું ઘર બીમાર હોય એવું લાગે એટલે પરાણે મામા ને એ દવા કરવા લઈ ગયા ,પણ થરાદ બતાયું તો કે આ તો તકલીફ વધારે છે આગળ લઈ જાઓ,અને એ હસતા મોઢે કહે કઈ નહિ મટી જશે પણ આ વખત તો મારા મામા ને એ મહેસાણા બતાવવા લઇ ગયા ,ત્યાં ગયા તો ડોક્ટર કહે એમને નળીઓ બંધ છે બલૂન મૂકવું પડશે ,એ ના પાડતા હોવા છતાં પરાણે ડોક્ટર ને ઓપરેશન માટે કહ્યું ,ઓપરેશન ની તૈયારી થઈ ,કપડાં ચેન્જ કર્યા ,હોસ્પિટલ ના કપડા પહેર્યા,સંપૂર્ણ તૈયારી થઈ બાટલો ચાલુ કર્યો અને ભગવાન એ જાણે એને કઈક ખરાબ થયા નો સંકેત કર્યો ,ચાલુ બાટલે બાટલો હાથ માં લઇ ને ઓપરેશન થીએટર માંથી બહાર આવતી રહી અને કે મને ઘરે લઈ જાઓ .મારે ઘરે જવું છે,બધા એ બહુ સમજાયું પણ ના માની ,અંતે ડોક્ટર થી વાત કરી તો ડોક્ટર કહે આ ઓપરેશન ના કરાયું તો માજી ૩ મહિના ઉપર નહિ જીવે,આવું સાંભળી અમે ત્યાં હાજર બધા બહુ ચિંતા કરવા લાગ્યા .તો એ ડોક્ટર ને કહે મને કઈ જ ના થાય .એમ કહી ગાડી માં આવી ને બેસી ગઈ અને કહે જડપી તું ગાડી ઘરે લઈ જા બસ.
એને દિલ માં ખબર પડી ગઈ હતી કે સુ .એમ એ લોકો મહેસાણા થી આવતા હતા અને આ બાજુ માડકા માં દશરથ ભાઈ (મામા ના કાકા ના ભાઈ નો દીકરો ) જે બહુ જ રમુજી માણસ હતા ,એમના જોડે બેસી એ એટલે સમય ક્યાં જાય ખબર જ ના પડે ,આખા ગામ માં બધા ને એમના પ્રત્યે બહુ પ્રેમ .એ, અને ગામ ના બહુ જ ભલા માણસ અને જેમને નાની ઉંમર માં જ લોકો ના દિલો માં જગ્યા બનાવી હતી એવા રાજેન્દ્રસિંહ બંને નો અકસ્માત થયો અને ભગવાન એ બંને ને અમારા જોડે થી છીનવી લીધા ,ફરી અમારા ઘર પર મોટું સંકટ આવી પડ્યું, દશરથ ભાઈ ને પણ નાના બે બાળકો ,એટલે ફરી આ પરિસ્થિતિ નો સામનો મારી નાની એ પરિવાર ની હિંમત બની ને કર્યો,ખબર નહિ ભગવાન એ કેવા કેવા દુઃખ જોવાના લખ્યાં હસે..પોતે બેઠા હોય અને સગા ભાઈ ,જમાઈ ,અને દીકરા સમાન દશરથ ભાઈ નું આવું જોવું એટલે .એવું લાગે કે તકલીફો એના જીવન નો એક ભાગ બની ગઈ હતી,રોજ ડાયાબિટીસ ના ઇજેકશન લે,ખરાબ તબિયત હોય તો ખૂણા માં બેસી ને કોઈ ને કહ્યા વગર બેસી રે,અને તોય મોઢા પર અમને હસાવવા કાલ્પનિક હાસ્ય રાખે,
આ અમારા પરિવાર પર આવી પડેલી તકલીફો માંથી માંડ અમારો પરિવાર બહાર આવ્યો ત્યાં મારા માશી અરુણા બેન (નાની ના દીકરી ) ને માથા ના ભાગે કેન્સર થયું ,ઘણી વાર તો બધા એ નાના અને નાની થી છુપાયું ,પણ એની સમજદારી સામે અમારી સમજદારી ક્યાં ચાલે ? અને એ સામે થી જ બોલી કે અરુણા ને કેન્સર છે,કેમ કહેતા નથી ,ફરી એના મોઢા ની દશા ફેરવાઈ ગઈ.મોઢા પર દુઃખ ની કરચલીઓ દેખાવવા લાગી.અને એ ગોલપ માં એમની સાથે વધારે સમય પસાર કરવા લાગ્યા ,એમની હિંમત વધારવા લાગ્યા ,કેન્સર એ માશી ને પૂરી રીતે પોતાના વશ માં કરી લીધા ,અને અંતે કુદરત સામે લાચાર બની ને એ પણ અમને મૂકી ને જતાં રહ્યાં .હવે તો મારા નાના અને નાની પર દુઃખ નો પહાડ તૂટી પડ્યો,સંપૂર્ણ પણે ભાગી પડ્યા,ભગવાન પણ જેને દુઃખ આપવા બેસે ત્યાં કઈ બાકી જ નથી રાખતો.
આ સદમાં માંથી બહાર આવવું એમના માટે ખૂબ જ કપરું હતું.છતાં પરિવાર ભાગી ન પડે એટલે નાની એ આ દુઃખ ને પોતાના શરીર માં દબાવી દીધું ,તે અંદરો અંદર રડી રહ્યા હતા,પણ દુનિયા સામે બીજા ને હિંમત આપે,તબિયત એક બાજુ બહુ ઓછો સાથ આપે ,પણ તોય એને પોતાના શરીર ની તો ક્યાં પડી જ હતી.અવાર નવાર દુખાવો ઉપડે,ઉલ્ટી થાય,પણ આ મગજ માં જ ના લે.ઘણીવાર પરાણે દવાખાને લઈ જઈ એ તોય ત્યાં ડોક્ટર ને કહે આ મારા છોકર ઓ ને સમજાવો ,કહો કે આ ડોશી ને કઈ ના થાય,અને એ પેલી વાત અમને યાદ કરાવે કે મહેસાણા માં ડોક્ટર એ સુ કહ્યું તું હું ત્રણ મહિના એ નહિ રહું ,થાય છે મને કઈ ,આ ડોશી ને કઈ ના થાય ,આવું કહેતા ડોક્ટર પણ હસી પડે.
એક દિવસ અચાનક મારી નાની ની થતી ઉલ્ટીઓ નો અવાજ અમને ઘર માં સંભળાયો.અમે બધા પોતપોતાના કામો મૂકી દોડતા મામા ના ઘરે આવ્યા .ત્યારે મામા ને બધા દવાખાને જવાનું કહે અને એ બોલાય ઓછું ,ઉલ્ટીઓ ચાલુ એટલે હાથ થી ના ના ઈશારાઓ કરે.અંતે બહુ સમજાવટ બાદ અમે પરાણે એને ગાડી માં બેસાડી ,હું ઘરે જ રહ્યો ,અમને એમ કે હમણાં તરત દવા લઈ રોજ ના જેમ પાછા આવશે,પણ કોને ખબર કે આ મારી નાની ની જીવંત શરીર ની ઘર થી અંતિમ વિદાય હસે,વાવ ગયા ત્યાં તો તબિયત વધારે બગડતા થરાદ ગયા ,ત્યાં દવા કરાવી ત્યારે એ બોલવા લાગી ,ત્યારે અંતિમ વાર મે અને મારી મમ્મી એ વીડિયો કોલ માં એના થી વાત કરી ,ત્યારે પણ એના એ જ શબ્દો હમણાં આવું હો બેટા .
પણ કાળ ને આ વખતે કઈક અલગ જ મંજૂર હતું,ફરી એ રાત્રે તબિયત વધારે બગડી ,ડોક્ટર એ આગળ લઈ જવાનું કહ્યું,નાનો ભાઈ રવી અને મામા સતીશ એ બધા પાલનપુર ખાતે લઇ ગયા ,એમ્બ્યુલન્સ માં પણ એ ઘરે જવું એ વાત પર જ અડગ હતી,શરીર માં ઑક્ષિજન ની કમી સર્જાઈ ગઈ હતી.,ત્યાં જતાં જ ઇમ્મરજન્સી માં લેવામાં આવી,બસ આ છેલ્લી વખત ત્યારે એને બોલતા બધા એ જોઈ,એક દિવસ વીત્યો ,દવાઓ ચાલુ બે ટાઈમે મળવા જવાય એ જ સ્થિતિ ,બીજા દિવસે પણ એ જ સ્થિતિ ,ત્રીજા દિવસે હું પણ હોસ્પિટલ પહોંચ્યો,મે જ્યારે એને જોઈ ત્યારે ઘાયલ સિંહ સૂતો હોય એવી પ્રતીતિ મને થઈ,બહુ પગ દબાવ્યા ,બોલાવી નાની,નાની ,બાઈ ,બાઈ એ ઉઠ બાઈ ,હું અને મારા મામા અને મમ્મી બધા એ બહુ બોલાઈ ,ત્યારે એને આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો અને હોઠ થી બોલવાનો પ્રયત્ન પણ કર્યો.પણ કાળમુખો શેનો આંખો ખોલવા દે, પ્રેમ અને વાત્સલ્ય ભારી આંખો ફરી બંધ થઈ ગઈ.અમે નિરાશ મોઢે બહાર આવ્યા ,સાંજ ના સમયે મુલાકાત ના સમયે ગયા એ જ સ્થિતિ .
ત્યારે અચાનક જ ત્યાં થી બુમ પડી ,ભગવતી બેન ના સંબંધી અને અમને બધા ને દિલ માં ધ્રાસકો પડ્યો,અમે દોડી ને જતાં જ મારી નાની ના પ્રેમ અને હિમ્મત ની ભગવાન ઇર્ષા કરી ચુક્યો હતો,અમે બહુ જ એને જગાડવાનો પ્રયત્ન કરતા રહ્યા ,બાઈ ઉઠ ,બાઈ જાગો..નાની એ નાની ,નાની જાગ ,એકવાર કઈક બોલ ,પણ એ બહુ લાંબી સફર પર નીકળી ચૂકી હતી,જ્યાં થી ફરવું મુશ્કેલ છે ,બાકી અમે બોલાઈ એ અને એ ના બોલે એ અશક્ય છે.
અમારા જોડે હવે રહી ગયું હતું તો એની યાદો એનો પ્રેમ ,એની બહાદુરી અને એનું બુદ્ધિચાતુર્ય.અને એના છેલ્લે સમય ની આંખો અને એણે કરેલ બોલવાં ના પ્રયત્નો.
એ ત્યારે એ જ બોલી હસે કે તમે હિંમત ન હારતા , હું શરીર થી જઉં છું ,બાકી હમેશા આત્મા થી તમારા સાથે જ છું ,આમ મારી નાની સાથે જ એક પરોપકારી યુગ નો અંત થયો જાણે,આ અમારા આખા પરિવાર માટે એક એવું પાત્ર હતું કે જેના માટે અમે જેટલું લખી એ એટલું ઓછું પડે ,અંતે એટલું જ કહીશ કે હે ભગવાન એ જ્યાં પણ હોય એને દુનિયા ની તમામ ખુશી ઓ આપજે..
અને અમારી પાસે તો રહી છે તો માત્ર એની
યાદ.યાદ .યાદ