Chaa vachva thi laine vadapradhan sudhi safar - 2 books and stories free download online pdf in Gujarati

ચા થી લઇને વડાપ્રધાન સુધી સફર - 2

મિત્રો ઘણા સમય પહેલા ચા થી લઇને વડાપ્રધાન સુધી સફરમાં દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વાત કરી હતી.તેમાં છેલ્લે 2016 સુધી વાતો કરી હતી.હવે તેમાં આગળની નવી વાતો કરવા જઇ રહયો છું.પહેલી બુક જ હતી અને તે ધણા બધા મિત્રો વાંચી છે , તો મને વિશ્વાસ છે કે આ વખતે પણ મને સપોર્ટ કરશો.

આપણે છેલ્લે જોયું હતું કે 2016 માં જે પાકિસ્તાન કાયરનો હમલો કર્યો અને તે હમલાનો જવાબ દેવાનું નકકી કર્યુ અને આપણા જવાનો એ પાકિસ્તાનમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.તેના પછી પાકિસ્તાન જે પરમાણુ હુમલાની ધમકી આપતું હતું , તેની હેકડી નીકળી ગઇ.

હવે આગળ ...

2016 પસાર થઇ ગયું.2017 નું વર્ષ આવ્યું.પહેલા ફેબુઆરીમાં નવું બજેટ આવ્યું, બજેટમાં ગરીબો , મધ્યમ વર્ગ માટે જાહેરાત થઇ. પછી માર્ચ આવ્યો એપ્રિલ આવ્યો. આમ ધીમે ધીમે મહિનાઓ પસાર થઇ ગયા.કોઇ પણ એક વર્ષમાં પાંચ રાજયમાં ચુંટણી આવે છે.

2018 નું વર્ષ આવ્યું પસાર થઇ ગયું.2019 નું વર્ષ મહત્વનું એટલા માટે હતું કે આ વર્ષમમાં સરકારને પાંચ વર્ષ પુર્ણ થતા હતા.સરકાર અને વિપક્ષ બંને લડી લેવાના મુળમાં હતા.સરકાર પોતાના કામના આધારે લડવા માંગતી હતી અને મોદીના ચહેરા પર લગવા માંગતી હતી, જયારે વિપક્ષ મોદી સરકારના કામો ત્રુટિ પર લડવા માંગતી હતી.2019 જાન્યુઆરી મહિનો આવ્યો આમ તો સરકાર ઇલેકશન મોડમાં આવી ગઇ હતી.
ફેબુઆરીમાં સરકારે બેજેટ જાહેર કર્યુ.બજેટમાં ઘણી બધી જાહેરાત કરવામાં આવી.પાકિસ્તાન પણ બધું જોતું હતું.

પાકિસ્તાનના આકાઓ એક કાવતરૂ ધડયું , અને ભારતમાં મોટો બધો હુમલો કરાવવામાં માટેની તૈયારી કરી.ભારત દેશમાં 14 ફેબુઆરી એટલે આમ તો પ્રેમીઓનો દિવસ હોય.પરંતુ પાકિસ્તાની આકાઓ આ દિવસને ઇતિહાસનો કાળો દિવસ બનાવી દીધો.આતંકવાદીઓ હુમલો કર્યો તેમાં સી.આર.પી.એફ 44 જેટલા જવાનો શહીદ થયા.તે દિવસે આખો દેશમાં માતમ છવાય ગયો.ભારતની જનતામાં આકોશ પેદા થયો.ભારતની જનતાએ કહયું કે હવે આ વખતે આરપારની લડાઇ કરીને પાકિસ્તાને જવાબ આપો.સરકાર પણ સર્તક થઇ ગઇ. બીજા દિવસે વડાપ્રધાન દિલ્લીના કાર્યકમમાં પોતાની જનતાને આશ્ર્ધાવન આપ્યું કે સમયે આવ્યે જવાબ મળશે.

સરકારે રણનીતિ બનાવી કે આ વખતે આતંકવાદીઓ જયાંથી આવ્યા છે તેનો જ નાશ કરવો છે.દિવસ પસાર થતા ગયા.લોકો દ્રારા શ્રદ્રાંજલિના કાર્યકમો અપાયા.સરકારે તેનું કામ ચાલું કરી દીધું .બસ સમયની રાહ હતી.

હવે તે સમય આવી ગયો હતો.26 ની રાત્રે વાયુસેના હેલિકોપ્ટરો આંતકવાદી કેમ્પો પર બોમ્બ મારો કર્યો અને નાશ કર્યા . લગભગ 300 ની આસપાસ જેટલા આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો ન્યુઝ ચેનલોમાં આવવા લાગ્યું.પાકિસ્તાન સરકાર પર એકશનમાં આવી તો સામે આપણી સરકાર પણ તૈયાર હતી જો કોઇ પણ ત્યાંથી કાર્યવાહી કરવા આવે તો તેનો જવાબ આપવો.વડાપ્રધાન ઘેર સી.સી.એસ ની બેઠક થઇ.આગળની રણનીતિ પર ચર્ચા થઇ.આખા વિશ્વમાં ભારતની છબી ચમકી તેનો શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે.પાકિસ્તાનએ પોતાના પ્લેન મોકલ્યા તેમાં જવાબી કાર્યવાહીમાં આપણો જવાન અભિનંદન પાકિસ્તાનમાં બોર્ડર પર ધાયલ થયો.પાકિસ્તાની તેને લઇ ગયા.સરકારે કીધું કે તેને છોડી દો નકકર ખરાબ પરિણામ ભોગવવા પડશે.પણ પાકિસ્તાન આમ થોડુંક છોડે તેમ હતું.વડાપ્રધાન મોદી ઇસારા ઇસારામાં સમજાવી દીધું કે છોડી નકકર કોઇ પણ હદ સુધી જઇ શકીએ તેમ છીએ.24 કલાકમાં અભિનંદન ને છોડી દીધો.

હવે ચુંટણીની તારીખ આવી ગઇ . સરકારે પણ પોતાના દ્રારા કરાવેલી એર સ્ટ્રાઇક અને પોતાના કામે વોટ માંગ્યા.ચુંટણીની સભા જોઇને લાગવા લાગ્યું કે બહુમતી થી સરકાર બનશે.જનતાએ નકકી કરી લીધું હતું કે દેશના વડાપ્રધાન મોદીને બીજી વડાપ્રધાન બનાવવા છે.

ચુંટણીનું પરિણામ આવ્યું.મોદી સરકારને 303 સીટો એકલાને આપી તેમના ગઠબંધનો સાથી ગણીને 350 જેટલી સીટો આપી.મોદી સરકારેનું શપથ સમારોહ યોજાયો.

આગામી મે મહિનામાં સરકાર એક વર્ષ પુર્ણ કરશે ત્યારે મોદી સરકાર 2 નું 1 વર્ષ સફળતાપુર્વક પુર્ણ કરશે ત્યારે આ વાત તેમને સમર્પિત છે.
આગળની વાત ભાગ 3 માં...