Badlo - 4 books and stories free download online pdf in Gujarati

બદલો - 4

ડો કુલકર્ણી અને ડો રોહિત જે DNA નો માણસ જોય તો હતો એ મળી ગયો એનુ નામ શ્રેય છે એ મુંબઈ દાદર રહે છે શ્રેય ગરીબ કુટુંબ માં મોટો થયો છે ને એ અત્યારે એકલો જ રહે છે શ્રેય ના માતા પિતા મરી ગયા છે એ નાની કંપની મા જોબ કરે છે પણ એ ધર નુ પુરુ કરી શકે એટલુ કમાય નથી શકતો બસ આ બધી જણ ડો કુલકર્ણી અને ડો રોહિત ને આ વાત ખબર પડી કે એને રૂપિયા ની ખુબ જરુર છે એટલે એને રૂપિયા ની લાલચ થી ફસાવવા નો પ્લાન કરે છે ને એને મળવા નિકળી જાય છે

બીજી બાજુ બજાજ અઘોરી ને મળવા ગયો હોય છે ને અઘોરી બોલાવી ને કે છે બોલ કેમ આવ્યો છુ બજાજ થોડો અચકાતા બાબા મારે ખુબ જ રૂપિયા કમાવવા છે ને દુનિયા નો સૌથી વધુ ધનવાન બનવુ છે એના માટે તમારી પાસે આવ્યો છુ અઘોરી કે છે થઈ જાશે પણ હુ જે કરીશ એના થી કોય ની મોત થશે જો તુ તૈયાર હોય તો કરુ બજાજ વિચાર્યા વગર હા બોલી દે છે એટલે અધોરી બજાજ ને એક આત્મા સાથે ધરે મોકલે છે એ આત્મા ચોવીસ કલાક બજાજ જોડે જ રહે છે ને એ જે કામ કરવા માંગે છે જો ના થાય તો આ આત્મા એના શરીરમાં જઈ ને એ કામ પુરું કરે છે ને પછી એને મારી નાખે છે આમ ધીમેધીમે બજાજ વધુ ધનવાન થવા લાગે છે ને મોટા માણસ મા ગણતરી થવા લાગે છે એ બધી જ બાજુ ધણો માન સન્માન મેળવવા લાગે છે એને ખબર નથી આગળ જતા આ આત્મા એના માટે કેટલો ખતરો બનશે

આ બાજુ ડો કુલકર્ણી અને ડો રોહિત શ્રેય ના ધરે પહોંચે છે ને બારણુ ખખડાવે છે શ્રેય બારણું ખોલે છે ને આપ કોણ કહી ને થોડીવાર ઉભો રહી જાય છે બન્ને ડોક્ટર પોતાની ઓળખાણ આપે છે ને અંદર આવવા પુછે છે શ્રેય માન સાથે અંદર બોલાવે છે ને પુછે છે આપ કોણ હુ તમને નથી ઓળખતો ને તમને મારુ શુ કમ છે ડો કુલકર્ણી બોલ્યે અમે તારી માટે એક કામ લાવ્યા છી જેમા તારે ખાલી એક દિવસ અમને આપવો પડસે એના માટે હુ 15 લાખ રૂપિયા અત્યારે આપુ છુ બીજા કામ થયા પછી શ્રેય તો રૂપિયા જોઈ ને ચોંકી જાય છે ને પુછે છે કે મારે શુ કરવા નુ છે તો તમે આટલા રૂપિયા આપો છો ડો રોહિત પહેલા તુ વિચારી લે તારે કામ કરવુ છે જો કરવુ હોય તો કાલ તને જે કહી એ જગ્યાએ આવજે ને ચોવીસ કલાક અમને આપજે ને પછી બીજા રૂપિયા લઈ લે જે નહી તો આ રૂપિયા પાછા આપી ને જતો રહે જે એમ બોલી ને ત્યા થી બન્ને જતા રહે છે

રૂપિયા જેની પાસે નથી એ માણસ રૂપિયા કમાવવા કઈ પણ કરી શકે છે શ્રેય એમાંનો જ એક છે જેણે ગરીબી જ જોઈ છે ને એક એક રૂપિયા ભેગા કરવા ખૂબ મહેનત કરવી પડે છે છતા નથી કરી શકતો આવા સમય પર જો કોય 15 લાખ જેટલી મોટી રકમ સામે મુકે તો એ શું વિચારે તેમ છતા શ્રેય સીધો સાદો માણસ હતો એટલે વિચારવા લાગ્યો એવુ તો શુ કામ હશે કે મને આટલા રૂપિયા આપે છે આજ વિચાર ને ગડમથલમાં એને રાતે ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી બીજા દિવસે ઉઠીને ડો કુલકર્ણી ને ડો રોહિત પાસે જવા નુ નક્કી કર્યુ ને વિચાર્યું એક જ દિવસ નો સવાલ છે જો એની માટે આટલા રૂપિયા મળે છે તો હુ આખી જીંદગી શાંતિ થી જીવી શકીશ..........

ડો કુલકર્ણી ને ડો રોહિત 15 લાખ આપી ને શ્રેય ના ઘરે થી નિકળી જાય છે એમને ખબર છે કે કોય આટલી મોટી રકમ પાછી આપી જ ના શકે ને એમા પણ જ્યારે ગરીબી થી થાકેલો હોય બસ એ હવે શ્રેય એમની પાસે આવે એની રાહ જોવા લાગ્યા થયું પણ એવુ જ શ્રેય બીજા દિવસે સવારે 9 વાગતા જ ડોક્ટર ની કહેલી જગ્યા પર પહોચી ગયો શ્રેય ને જોય ને પહેલે થી જ રહ જોતા ડો કુલકર્ણી ડો રોહિત કમીશનર ખૂશ થઈ જાય છે ને શ્રેય ને અંદર બોલાવે છે કહે છે શ્રેય તુ તૈયાર છે ને અમને એક દિવસ આપવા તારા 24 કલાક પુરા થયા પછી બાકી ના 15 લાખ મળી જશે તને શ્રેય ખૂશ થઈ જાય છે એને ખબર નથી હોતી કે આમા એનો જીવ પણ જઈ શકે છે શ્રેય ને તો ખાલી 30 લાખ રૂપિયા દેખાય છે...

આ બાજુ બજાજ મુસીબત મા આવી જાય છે અઘોરી મદદ થી ધનવાન થવા જે રસ્તો અપનાવેલો એ જ એના ગળા નો ફંદો બની ગયો હતો જ્યા પણ બજાજ જાય ત્યા આત્મા એની સાથે જાય ને જોડે ને જોડે જ રહે બજાજ ને જે પણ કામ કરવુ હોય ને જો ના થાય છે એ આત્મા સામે વાડા ને નુકશાન પહોંચાડે અથવા મારી જ નાખે થોડા દિવસ આ બધુ સારુ લાગ્યું પણ આ બધી મોત બજાજ ને નથી ગમતી બસ હવે આના થી બચવા નુ વિચારવા લાગ્યો આત્મા થી છુટકારો મેળવવા એણે અધોરી પાસે ફરી જવા નુ નક્કી કર્યુ ...........

(શ્રેય રૂપિયા ની લાલચ મા પોતા નો જીવ ગુમાવશે ? બજાજહવે આ આત્મા થી છુટી શકશે )

મોનિકા "એક આશ