pavitra shravan maas ma bhagwan shiv ni krupa prapt karva mate chamatkarik mantra guruchavi - 2 books and stories free download online pdf in Gujarati

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી 2

દુનિયાના કોઇપણ દેશમાં જવામાં આવતી અડચણમાંથી મુક્તિ મેળવવા માટેની


મનુષ્ય સ્વીકારે કે ના સ્વીકારે આજના યુગમાં સંસારચક્રનો કોઇપણ ભૌતિક પ્રશ્ન જ્યારે યક્ષ પ્રશ્ન બની જાય ત્યારે તેનું સમાધાન ખૂબ જ અનિવાર્ય બની જાય છે.

આવી જ એક સત્ય ઘટના સાથે આપ સૌનો પરિચય કરાવવાનું મને યોગ્ય લાગતા આપને હું કરાવી રહ્યો છું.

2017 ડિસેમ્બરમાં મુંબઇમાં અંધેરી ખાતે રહેતા એક દંપતિ અમદાવાદ મને મળવા માટે આવ્યા. દંપતિનો પ્રશ્ન એકદમ અલગ અને ઝડપી સમાધાન માંગે એવો હતો. દંપતિની અમેરિકા જવા માટે ફાઇલ મુકવામાં આવી હતી. જેમાં દંપતિએ એમના બંન્ને પુત્રોના નામ સમાવેલા હતાં. મને મળ્યા ત્યારે બંન્ને પુત્રોમાં એક પુત્ર 18 વર્ષનો અને એક પુત્ર 16 વર્ષની ઉંમર ધરાવતા હતાં. ક્રમ મુજબ એમની ફાઇલ ખુલવી જોઇતી હતી. પરંતુ કોઇપણ કારણસર એ ફાઇલ ખુલતી ન હતી. સમસ્યા એવી હતી કે પતિના પિતાએ અમેરિકામાં ડીપાર્ટમેન્ટલ સ્ટોર ખરીદ્યો હતો અને એમણે જ પોતાના પુત્ર અને એમના પરિવાર માટે ફાઇલ મુકી હતી.

હવે જો ઝડપથી ફાઇલ ના ખુલે તો અમેરિકામાં ડીપાર્ટમેન્ટલ સ્ટોર સાંભળવા માટે કોઇ હતું નહીં અને નુકસાન મોટું થાય એવું હતું.

બસ આ જ પ્રશ્નના ઉકેલ માટે તેઓ મુંબઇથી અમદાવાદ મને મળવા માટે આવ્યા હતા. દંપતિનો પ્રશ્ન સાંભળી મેં એમની મુખમુદ્રા અને ઓરાનો અભ્યાસ કરી મંત્રસાગરમાંથી ચમત્કારિક મંત્રરૂપી મોતી આપ્યું.

મંત્ર અને ૐકાર ચાલીસા લઇ દંપતિ મુંબઇ પરત ફર્યા. મંત્ર શરૂ કર્યાના બે મહિનાની અંદર એમની ફાઇલ સાથે જોડાયેલી બે બાબતોની જાણકારી અમેરિકાની એમ્બેસીમાંથી માંગવામાં આવી.

ફાઇલ બાબતમાં આવેલ પ્રશ્નથી દંપતિ ગભરાઇ ગયું અને મને ફોન કર્યો. મેં એમને કહ્યું કે આપ ચિંતા વગર અમેરિકા એમ્બેસીએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપી દો. આપને વાંધો આવશે નહીં.

પ્રશ્નના જવાબ આપ્યાના 15 દિવસમાં જ એમની ફાઇલનો પોઝીટીવ જવાબ આવી ગયો અને 2018માં તેઓ સહપરિવાર અમેરિકા ગયા.

અમેરિકા જતાં પહેલા પૂરો પરિવાર મને મળવા અમદાવાદ આવ્યો. મારા આશીર્વાદ લઇ દંપતિએ મને કહ્યું કે ગુરૂજી આપે આપેલા મંત્રથી અમારા જીવનમાં જે ચમત્કાર થયો છે એ ચમત્કાર અમે અમારા જીવનમાં ક્યારેય ભૂલી શકીશું નહીં.

આપના આશીર્વાદ સદાય અમારા પરિવાર પર રાખજો.

આપ પણ કોઇપણ દેશમાં જવા માંગતા હોવ અથવા તો રહેતા હોવ કે આવા કોઇ જટીલ પ્રશ્નથી ઘેરાયેલા હોવ તો આ પ્રશ્નમાંથી બહાર નીકળવા માટે હું આપને ચમત્કારિક મંત્ર આપી રહ્યો છું.


મંત્ર

|| વવલ્યાની વૃજાક વૃજાક નમઃ ||


ઉપર આપેલ મંત્ર 3 (ત્રણ) વખત કરી ૐઋષિ રચિત ૐકાર ચાલીસાનો પાઠ એકવાર કરવો. આ મંત્ર કોઇપણ સમયે કરી શકાય.


ૐકાર ચાલીસા

વિશ્વશાંતિ મંત્ર

|| ૐ શાંતિ શાંતિ વિશ્વમાન કુરૂ કુરૂ વામ સ્વાહા ||

( આ મંત્ર 27 વખત કરી આપની ઇચ્છાપૂર્તિ માટે મનોકામના કરવી અને પછી ૐકાર ચાલીસાનો પાઠ કરવો.)

ૐકાર ચાલીસા

: સાખી :

સદગુરુ શરણ મેં લીજીએ, દીજે વો વરદાન |

ૐકાર કે તેજ સે, મીટે તિમિર અજ્ઞાન ||


જય ૐકાર સૃષ્ટિ કે કર્તા, નાદબ્રહ્મ ત્રિભુવન કે ભર્તા || 1 ||

તીન ગુણોં કે તુમ હો સ્વામી, પરમપિતા હે અંતર્યામી || 2 ||

શાસ્ત્ર-પુરાન અક્ષર કે આદિ, બ્રહ્મા, હરિહર ઔર સનકાદિ || 3 ||

જપત નિરંતર ૐ કી માલા, સૃજક, સંહારક, રખવાલા || 4 ||

સર્વ મંત્ર મેં ૐ હૈ આગે, કુંડલિની મૂલ સે જાગે || 5 ||

ૐ જપત હી ધ્વનિ વો જાગે, ભૂતપિશાચ મૂઠ લઇ ભાગે || 6 ||

શબ્દ સૂર સબ ૐ સે પ્રકટત, ૐકાર હૈ નાદ અનાહત || 7 ||

યોગી ધ્યાન મેં રટે નિરંતર, ૐ હૈ સત્ય, શિવ ઔર સુંદર || 8 ||

રિદ્ધિ સિદ્ધિ હૌ ૐ કી દાસી, પડે નહીં ગલ જમ કી ફાંસી || 9 ||

ગ્રહદશા સબ ૐ સુધારે, જીવન મેં હો વ્યારે ન્યારે || 10 ||

મન-ક્રમ-વચન કી હોવે શુદ્ધિ, પ્રગટે ૐ સે સબ સદબુદ્ધિ || 11 ||

આત્મ-અનાત્મ વિવેક જગાવે, અંતઃકરણ કે દોષ મિટાવે || 12 ||

અગમ-નિગમ કે ભેદ બતાવે, પિંડ મેં હી બ્રહ્માંડ દિખાવે || 13 ||

પ્રણવમંત્ર કી મહિમા ભારી, જપો સદૈવ ૐ નરનારી || 14 ||

ૐ નમઃ કા મંત્ર જો ધ્યાવે, તીન લોક કી સંપત પાવે || 15 ||

ૐ ત્રિત્રાંશક્રિયા કી શક્તિ, ઇસી જન્મ મેં દે દે મુક્તિ || 16 ||

જીવન મેં ભર દેતા ઊર્જા, ૐ સા મંત્ર નહીં કોઇ દૂજા || 17 ||

ૐકાર હૈ પ્રાણ ચેતના, સુર-નર-મુનિવર કરે વંદના || 18 ||

પ્રણવમંત્ર હૈ ગુરૂ સમાના, તિમિર મિટાવે જો અજ્ઞાના || 19 ||

જ્ઞાન પ્રકાશ હૃદય મેં કર દે, ચિદાનંદ અંતર મેં ભર દે || 20 ||

સાત ચક્રોં કા કર દે ભેદન, બ્રહ્મરંધ્ર મેં હો પ્રાણ કા સ્થાપન || 21 ||

યોગશક્તિ કા ૐ હૈ દ્યોતક, સત-ચિત્ત આનંદ કા હૈ વાચક || 22 ||

વેદ ઉવાચ હરિ ૐ તત્ સત્, જગ હૈ મિથ્યા ૐ હી હૈ સત્ || 23 ||

ૐ હૈ ગંગાજલ સા પાવન, કર દેતા હૈ શુદ્ધ જો તન-મન || 24 ||

ૐકાર હૈ ચક્ર સુદર્શન, કાટે સર્વ પાપ કે બંધન || 25 ||

દૃશ્ય પદારથ સર્વ વિનાશી, કાલાતીત ૐ અવિનાશી || 26 ||

ૐકાર કો રામને ધ્યાયા, જનક સભા મેં ધનુષ ઉઠાયા || 27 ||

ગોવિંદ ને જબ ગીતા ગાઇ, ૐ ને અપની પહચાન બતાઇ || 28 ||

નિરાકાર-સાકાર મેં રાજે, સૃષ્ટિ કે કણ-કણ મેં વિરાજે || 29 ||

ધર્મ-અર્થ-કામ ઔર મુક્તિ, ૐ સે મિલે સર્વ સંતુષ્ટિ || 30 ||

ૐ કે બિના હૈ યજ્ઞ અપૂર્ણ, ૐ સે હી સ્વાહા સંપૂર્ણ || 31 ||

ૐકાર કો જીસને ધ્યાયા, લગી ઉસે ના જગ કી માયા || 32 ||

લખચોરાસી ફંદ છુડાયા, મોક્ષદ્વાર પે ૐ લે આયા || 33 ||

પંચમહાભૂતો મેં સમાયા, ચારો અંતઃસ્કરણ મેં છાયા || 34 ||

ૐકાર ગાયત્રી વિદ્યા મેં, અમર તત્ત્વ હૈ ૐ સુધા મેં || 35 ||

ૐકાર જો ગાવે નિસદિન, સારે કષ્ટ મિટે હર પલ છીન || 36 ||

શંકર કે ડમરુ મેં ગાજે, કૃષ્ણ કી મુરલી મેં બાજે || 37 ||

પાર્શ્વનાથ ભગવાન કે ભીતર, ગુંજે મંત્ર ૐ હી નિરંતર || 38 ||

“ૐઋષિ” સમાન સર્વ આત્મા, ૐ હૈ સૂર્ય સરિસ પરમાત્મા || 39 ||

જો યહ પઢે ૐકાર ચાલીસા, સર્વ કાર્ય હો સિદ્ધ હમેશા || 40 ||



: સાખી :

ૐ પુરૂષ સૃષ્ટિ કરન, હે પરબ્રહ્મ કા રૂપ |

ૐકાર કો જો રટે, હોવે બ્રહ્મ સ્વરૂપ ||

|| ઇતિ શ્રી ૐઋષિ વિરચિતં શ્રી ૐકાર ચાલીસા સંપૂર્ણમ્ ||


|| ૐ નમઃ ||