THE DEPLOMACY elemant gone enimy - 28 books and stories free download online pdf in Gujarati

THE DEPLOMACY elemant gone enimy - 28

એટલે જનરલ હાઉસે પણ અકાલ ઓર્ગેનાઇઝેશન લે વાયદો કર્યો કે ખાલિસ્તાન લિબરેશન માટે અમે અમારો બધું જ પાવર કામે લગાવી દઈશું.
એવુ નહોતું કે ચાલી એકમાત્ર જનરલ હાઉસથી જ ડાયરેક્ટ કનેક્ટ હતો તે વાયા પાકિસ્તાન આઈએસઆઈ ખાલિસ્તાન ના કેટલાક લીડરો સાથે વ્યક્તિગત સંપર્ક માં હતો.અને તે લીડર્સ પણ ઊંડે ઊંડે સમજી ચૂકેલા હતા કે આ તો આખી ગેમ જ છે અને એટલે જ પેલા લીડર્સ ક્યારેક-ક્યારેક જનરલ હાઉસ અને ખાલિસ્તાન સિપાહસાલારો પર મૂછમાં હસ્યા કરતા હતા.

એની વે એ જે પણ હોય પરંતુ પ્લાન એક મેગા ઓર્ગેનાઇઝેશન નો તૈયાર કરેલો હતો એટલે તે માસ્ટર પ્લાન હતો તેમાં કોઇ શંકા નહોતી પરંતુ ચાર્લી ના બચકાના હિતાતર્થો એ હઠ લગાવી દીધી હતી કે ડેમોક્રસી ના એસ્ટાબ્લીશમેન્ટ પછી પણ તેણે ડિવાઇડ એન્ડ rule prove કરવું છે જે તેને કદાચ આગળ જતા ભારે પણ પડવાનું જ હતું.

આ બાજુ ગુરુદ્વારાઓ ના રિચ્યુઅલ્સ કે જે
છેલ્લા પાંચસો વર્ષોથી બીજી બધી જ જાતિવાદી અને અન્ય જંજામણો થી અછુતા જ હતા, અને એકમાત્ર શીખ જાતિના ઉત્થાન અને વિકાસ માટે કરવામાં આવતા હતા તેમાં ક્યાંક માઈક્રો percent જેટલો પણ ભેદભાવ સર્જાયો જરૂર હતો.
જો કે એ વાત સર્વથા માન્ય જ છે કે લાલચમાં અંધ બનેલા ખાલિસ્તાની નેતાઓ આવા શુધ્ધ સ્ફટિક સમાન કર્મકાંડો ને નજર અંદાજ કરતાં જ હશે.પરંતુ શીખો ની ભારતની અન્ય જાતિઓ ની સાથે ની એકતા વાળી જે પણ કોઈ પકડ હતી તેમાં આવા કર્મકાંડો નો ફાળો તો અવશ્ય જ હશે જ. may be through cosmos way!!!

any way lets track to the topic once again.

આ બાજુ ગોલ્ડન ટેમ્પલ ના દર્શન થઈ રહ્યા છે અને તે પણ ઉષાકાળ થતાની સાથે જ.
સરોવર ની અંદર એક કમળપુષ્પ ખીલ્યું છે અને જેના પર ઔસ ની કેટલીક બુંદો પણ વ્યાપેલી છે.
દ્રશ્ય ને જોતા એમજ લાગે છે કે જાણે સાક્ષાત ગુરૂવર કમળના આસન પર બિરાજેલા છે.અને હમણાં જ તેમના સમાધિસ્થ નેત્રો ખુલશે,અને એક પછી એક શીખ શિષ્યો ને આશીર્વાદની પ્રાપ્તિ થશે.
પરંતુ,જે પણ કોઈ દ્રશ્ય હતું અને જેની વિશુદ્ધિ માંથી જે કલ્પનાઓ જન્મ લેતી હતી એવું કશું જ નહોતું થવાનું.
કેમ કે હજુ એ ઘોર રાત્રી થવાની છે જેમાં આતંકવાદીઓ તેમના અધર્મ ની લીલાઓ નું પ્રદર્શન કરવાના છે.
સૂર્યાસ્ત નો પ્રારંભ થતાની સાથે જ સુવર્ણ મંદિર નું ગીત થઈ ઊઠે છે અને ફુવારાઓ નૃત્ય કરવા લાગે છે.
સંધ્યાવંદના સ્વરૂપ જ્ઞાનવાણી ના ગાન અને સંગીત સંભળાવવાના શરૂ થાય છે અને એક મંદિર સ્વયંસેવક પ્રસન્નચિત્ત થઈને તેના હાથમાં ની થાળીમાં કેટલાક ફળફળાદી અને સ્વાદિષ્ટ વ્યંજનો લઈને ઝરૂખા ની અટારી પાર કરી રહ્યો છે.
તે સ્વયં સેવક એક કક્ષ પાસે જઈ‌ ને તેનો દરવાજો ખોલે છે અને અંદર પ્રવેશ કરે છે.

અંદર પ્રવેશ કરતાંની સાથે જ તે lights on કરે છે અન બીજી જ સેકન્ડે મોહ પર રૂમાલ
ઢાંકી દે છે.અને તે જ સ્થિતિમાં કહે છે યે કેસી બદબુ હૈ!!
બીજી જ સેકન્ડે થાળી ઉપર જોરથી ધક્કો પડવાનો અવાજ આવે છે અને એક ખુંખાર આતંકવાદી તેની ખુલ્લી જટાઓ સાથે ચિલ્લાઈ ને કહે છે,યે ક્યા લાયા હૈ મેરે લિયે બદતમીઝ!! મને તુજ સે શરાબ મંગવાઈ થી,ઔર તુ યે ઘાસફૂસ લેકર આ ગયા.
ચલ જા જલ્દી સે મેરે લિયે દો bottle whisky ઓર થોડી ચિકન લે કે આ.
પેલા બાલ સ્વયંસેવક રડતા રડતા થાળી ઉઠાવી અને ચાલતો બન્યો.
પરંતુ તેણે કાર્યાલય ઉપર જઈને એટલું ચોક્કસ કહી દીધું તે વો લોગ જહા ખાતે હૈ,વહી પર ટટ્ટી ભી કરતે હૈ મેં અબ દુબારા વાહ નહીં જાઉંગા.