ગામના કાચા રસ્તા પર સૂરજ અસ્ત થઈ રહ્યો હતો. એ અસ્ત થતો સૂરજ જાણે કાનજીભાઈના પરિવારની હાલત જેવી લાગતો—ધીમે ધીમે પ્રકાશ ઓછો થતો, પણ આશા હજી પૂરી મરી નહોતી.
કાનજીભાઈ અને કાંતાબેન ગરીબ ખેડૂત. બે સંતાન—મોટી દીકરી મની અને નાનો દીકરો રાજુ. ઘર માટીનું, છાપરું ટપકતું, પણ હૃદય પ્રેમથી ભરેલું. ગરીબી એ ઘરની સાથીદાર હતી.
રાજુ બાળપણથી જ સમજદાર. શાળામાં જવા પહેલા ગાયને ઘાસ નાખે, પાણી ભરે, પછી બેગ લઈને દોડતો. મની પણ મમ્મીને કામમાં મદદ કરતી.
સમય ગયો. મની મોટી થઈ. ગામમાં લોકો વાતો કરવા લાગ્યા—
“દીકરી મોટી થઈ ગઈ, હવે લગ્ન કરાવો.”
કાનજીભાઈ પર દેવું, ઘરખર્ચની તકલીફ… છતાં મનીના લગ્ન કરી દીધા. શરૂઆતમાં બધું સારું હતું, પણ થોડા સમયમાં સાસરીયામાં મતભેદ શરૂ થયા. ઝગડા, અપમાન… અને અંતે મની છૂટાછેડા લઈને પિયર આવી ગઈ.
ઘર ફરી એક વાર તૂટ્યું. લોકોના તિરસ્કારભરા શબ્દો, આર્થિક સંકટ, મનીની આંખોમાં આંસુ… કાંતાબેન રાતે છુપાઈને રડે.
એ વચ્ચે રાજુનો દસમો ધોરણમાં નિષ્ફળ પરિણામ આવ્યું. ગામમાં ફરી વાતો—
“આ છોકરો શું કરશે?”
પણ એ અસ્ત થતો સૂરજ ફરી ઉગવાનો હતો.
રાજુએ મનમાં કસમ ખાધી. અગિયારમા અને બારમા ધોરણમાં પ્રથમ ક્રમે પાસ થયો. દિવસમાં મજૂરી, રાત્રે અભ્યાસ. મહેનત અને સંકલ્પ એનો સાથીદાર. પછી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી.
શહેરમાં એક શાળામાં તાત્કાલિક નોકરી મળી. પગાર ઓછો, પણ આત્મવિશ્વાસ મોટો.
સમય બદલાતો ગયો. રાજુએ બહેન મનીના ફરી લગ્ન કરાવ્યા. આ વખતે સારું ઘર મળ્યું. મની ફરી હસવા લાગી. એ હાસ્યમાં આખા પરિવારની ખુશી છુપાયેલી હતી.
પછી કોરોનાનો સમય આવ્યો. નોકરીમાં અનિશ્ચિતતા, આર્થિક કટોકટી… પણ રાજુ ડગમગ્યો નહીં. શહેરમાં સ્થિર થયો. મહેનત ચાલુ રાખી. લગ્ન કર્યા. જીવનસાથી પણ સંઘર્ષમાં સાથી બની.
આજે રાજુ શહેરમાં સારી રીતે સ્થિર છે. ઘર ભાડાનું નથી, પોતાનું છે. ગાડી નાની છે, પણ મહેનત મોટી છે.
કાનજીભાઈ અને કાંતાબેન હજી ગામમાં રહે છે. સાંજ પડે ત્યારે કાનજીભાઈ આંગણે બેસીને અસ્ત થતો સૂરજ જુએ છે.
હવે એ અસ્ત થતો સૂરજ તેમને અંધકારનો સંકેત લાગતો નથી.
એ તેમને યાદ અપાવે છે—
“સૂરજ ભલે અસ્ત થાય, પણ ફરી ઉગે છે.
મહેનત અને આશા હોય, તો જીવન પણ ફરી ચમકે છે,
અથામતો સૂરજ” વાર્તા ગરીબી, સંઘર્ષ અને અડગ આશાની કથા છે. કાનજીભાઈ અને કાંતાબેનનું જીવન ગામની કઠિન પરિસ્થિતિઓમાં પસાર થાય છે. તેમની પાસે સંપત્તિ નથી, પરંતુ સંતાનો—મની અને રાજુ—પ્રત્યે અખૂટ પ્રેમ છે. ગરીબી છતાં બંને બાળકો મહેનત અને સંસ્કાર સાથે ઉછરે છે.
સમય જતા મનીના લગ્નનો દબાણ વધે છે. આર્થિક તંગી હોવા છતાં કાનજીભાઈ દીકરીના લગ્ન કરે છે, પરંતુ લગ્ન બાદ મનીના જીવનમાં સુખ ટકી શકતું નથી. સાસરીયામાં થતા ઝગડા અને અપમાનથી તૂટીને મની છૂટાછેડા લઈને પિયર પરત આવે છે. આ ઘટનાથી પરિવાર પર માનસિક અને સામાજિક દબાણ વધે છે. લોકોની ટીકા અને ગરીબી પરિવારને વધુ તોડી નાખે છે.
આ સમયગાળામાં રાજુ પણ નિષ્ફળતા અનુભવે છે. દસમો ધોરણમાં નિષ્ફળ થવાથી તેની ક્ષમતાઓ પર શંકા થાય છે, પરંતુ રાજુ હિંમત હારે નથી. તે મહેનતને જીવનનો માર્ગ બનાવે છે. અગિયારમા અને બારમા ધોરણમાં પ્રથમ ક્રમે પાસ થઈ પોતાની ક્ષમતા સાબિત કરે છે. ઉચ્ચ અભ્યાસ કરીને માસ્ટર ડિગ્રી મેળવે છે અને શાળામાં તાત્કાલિક નોકરી શરૂ કરે છે.
રાજુ પોતાની બહેનની જવાબદારી સમજે છે અને મનીના ફરી લગ્ન કરાવે છે. આ વખતે મનીનું જીવન સુખી બને છે અને તે સ્થિર થાય છે. કોરોનાકાળમાં પડકારો આવે છે, છતાં રાજુ સતત મહેનતથી શહેરમાં પોતાનું સ્થાન બનાવે છે. તે લગ્ન કરે છે અને જીવન ધીમે ધીમે સ્થિર બને છે.
આજે રાજુ સફળ છે, જ્યારે માતા-પિતા ગામમાં શાંતિથી રહે છે. વાર્તાનો સૂરજ અસ્ત થાય છે, પરંતુ તે અંધકાર નહીં, નવી શરૂઆતનું પ્રતિક બને છે. આ કથા શીખવે છે કે સંઘર્ષ ભલે કઠિન હોય, પરંતુ મહેનત અને આશા જીવનને ફરી ઉજળું બનાવી શકે છે.