badlo - 3 books and stories free download online pdf in Gujarati

બદલો - 3

કેશવજી ના બાપા સવજીબાપા ના બાપ દાદા તાળા અને ચાવી બનાવવા ના સારા કારીગર હતા પછી આધુનિક તાળા આવ્યા ને જુના ખંભાતી તાળા નું વેચાણ ઘટ્યું એટલે તે અને તેનો દીકરો ખોવાઈ ગયેલ ચાવી બંનાવવા ના ધંધા માં પડ્યા અને ઍ માટે જ ખંભાત થી સુરત આવી અહીં ની મુખ્ય હીરા બજાર માં કેબીન નાખી ને ધંધો કરવા લાગ્યા હતા પણ ગરીબી ને કારણે કેશવજી ના લગ્ન થઇ શક્યા નહિ એટલે જયેશ ને પુત્ર જેમ સાચવી પોતાનો ધંધો શીખવાડી દીધો હતો પણ સુરત તો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ નું કેન્દ્ર અહીં ના લોકો ખાણી પીણી ના શોખીન એમાં વળી જયેશ ને એક છોકરી સાથે પ્રેમ થયો એનું નામ સવીતા ઍ હીરા બજાર ના ઘણા કારખાનાઓ માં કચરા પોતા નું કામ કરતી હતી તે દેખાવે ખુબ સુંદર હતી તેનું એક સ્વપ્ન હતું કે હું પૈસાદાર ને જ પરણીશ જો કે તે માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવવા જેટલું જ માંડ ભણી હતી પરંતુ તેને તેની સુંદરતા નું ખુબ જ અભિમાન હતું તે જયેશ ની કેબીન પાસે ના રસ્તા પર થી દરરોજ કામે જતી હતી તેને પહેલીવાર જોઈ ને જ જયેશ તેના પ્રેમ માં પડી ગયો હતો જયેશ એક દિવસ રસ્તા પર સવિતા સામે પ્રેમ પ્રસ્તાવ મૂકે છે ત્યારે સવિતા ખુબ જ ગુસ્સે થઇ જાય છે તેના પર અને સવિતા ગુસ્સે થઇ ને જયેશ ને ચેલેન્જ આપે છે 1 વર્ષ માં ત્રણ લાખ કમાઈ શકે તો જ હું તારી સાથે લગ્ન કરીશ બોલ છે મંજુર? અને જયેશ પણ જોશ માં આવી ને તેને હા પાડી દે છે અને પછી ચોર બની જાય છે પણ એક વાર ચોરી કરવા જતા ઘર ના અંધારિયા ફળીયા ના એક ખૂણા માં સૂતેલો મકાન માલિક નો વફાદાર કૂતરો મોતી જાગી જાય છે અને જોર જોર થી ભસી ને મકાન માલિક ની સાથે સાથે આખી શેરી જાગી જાય છે અને સારો એવો માર મારી ને પછી પોલીસ ને હવાલે કરે છે અને પોલીસ પણ જયેશ ને ખુબ જ મારે છે પણ જયેશ અગાઉ કરેલી બે ચોરી વિશે કઈ જ બોલતો નથી અને પોલીસ ને પોતાનું નામ પણ ખોટું જ જણાવે છે તે પોલીસ ને પોતાનું નામ જેઠાલાલ હોવા નું જણાવે છે કેશવજી બાપા ને જયેશ ની હરક્ત જાણી ને દુઃખ થાય છે અને તે જયેશ સાથે ના બધા સબંધ તોડી નાંખે છે કેશવજી બાપા ઍ એક ગરીબ પણ ઈમાનદાર અને ઈજ્જતદાર વ્યક્તિ છે હીરા બજાર માં તેમનું ખુબ માન હતું એકવાર બજાર ના એક કરોડપતિ હીરા વેપારી જેડી શેઠ ની તિજોરી ની ચાવી ક્યાંક ખોવાઈ જાય છે તેમને તે દિવસે એક વેપારી સાથે જે હીરા નો સોદો કરવા માટે વીડી શેઠ નામ ના એક બીજા હીરા વેપારી સાથે મિટિંગ ગોઠવી હતી એટલે તિજોરી ખોલવા માટે કેશવજી બાપા ને બોલાવે છે કેશવજી બાપા તેનું કામ કરી આપે છે અને જેડી શેઠ ખુશ થઇ ને તેને પોતાના ગળા માં પહેરેલ પાંચ તોલા નો ચેન આપવા માંગે છે પણ કેશવજી બાપા તે લેવા ની ના પાડે છે અને પોતાની મહેનત ના માત્ર પાંચસો રૂપિયા જ થતા હોવા નું કહે છે ત્યારે જેડી શેઠ ખુશ થઇ ને કેશવજી બાપા ને પોતાના કારખાના માં ચોકીદાર ની નોકરી ઑફર કરે છે અને કેશવજી બાપા તે સ્વીકારી લે છે...
ક્રમસઃ