#KNOWN - 11 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 11

"એક મિનિટ, આ માટે તારે સંપૂર્ણ નિર્વસ્ત્ર થવું પડશે." ત્રિલોકનાથે અનન્યા સામું જોઈને કહ્યું.

અનન્યા પોતાના ગાઉનની ચેન પાછળથી ખોલવા જતી જ હોય છે ત્યાંજ ત્રિલોકનાથ ફરી અનન્યાને ઉદ્દેશીને કહે છે,
"અનન્યા આજની સાધના શવ સાધના છે.શવની ઉપર નિર્વસ્ત્ર બેસીને આ સાધના કરવાની હોય છે. તારી નીચે પુરુષનું મડદું રાખેલું હશે. હું જેમ જેમ મંત્રોચ્ચાર કરીશ એમ એમ તારે પણ હિંમત રાખવી પડશે અને પછી જયારે આ સાધના તેની પૂર્ણ ચરમસીમાએ પહોંચે એટલે તે મડદું ઉભું થશે અને આપણી ઈચ્છા પૂર્ણ કરશે. સાધના પૂરી થયાં બાદ તારે તે મડદાં પાસે મારી માટે અપરાજિત શક્તિ માંગવાની છે અને તે તારે મને સોંપવાની છે, સમજી શું તું કરી શકીશ આ??" ત્રિલોકનાથ પોતાના ભવા ચઢાવતા અનન્યાને સવાલ કરે છે.
"હા, હું કરીશ આ સાધના.ત્યારબાદ તમારે મને તમારી વિદ્યા શીખવવાની છે.મારે અઘોરપંથમાં જ આગળ વધવું છે." અનન્યાએ ચહેરા પર કાતિલ સ્માઈલ લાવતા કહ્યું.
"અઘોરપંથ સરળ નથી અનન્યા. અમે અઘોરીઓ કાચા માંસ અને મડદાં ખાતા પણ કોઈ અચકાતા નથી."
"હું પણ નથી અચકાતી. મેં પણ ઘણા કાચા માંસ ખાધા છે તેમજ રક્ત પણ પીધું છે. મને એ કરવામાં જરાય ક્ષોભ નથી થતો." અનન્યા હાસ્ય વેરતા બોલી.
"ઉત્તમ,અતિ ઉત્તમ!! તો સાંભળ આ શવ સાધના પૂરી થયાં બાદ તારે મારી સાથે સંભોગ કરવો પડશે. ત્યારબાદ હું તારા પર ભરોસો કરીને તને વિદ્યા શીખવવાની આરંભ કરીશ અને તારે મારી સાથે અહીંયા આ સ્મશાનમાં રહીને જ વિદ્યા શીખવાની રહેશે." ત્રિલોકનાથ ખુશ થતા બોલ્યો.
પણ જાણે તેનું આ કરવા પાછળનું કારણ કાંઈક નવું રહસ્ય હોય એવું લાગતું હતું. આ તરફ અનન્યાનાં ચહેરામાંથી પણ કપટતા દેખાઈ રહી હતી.
કોણ કોને દગો આપશે એ તો સમય જ જાણે.
અનન્યા નિર્વસ્ત્ર થઈને ઉભી રહી ગઈ હતી. ત્રિલોકનાથ તેની સામે લોલુપ નજરે તેના માંસલ દેહને નિહાળીને ખુશ થઇ રહ્યો હતો પણ ચહેરા પર સભાનતા લાવતા તેણે એક ક્ષણનો પણ વિલંબ કરવાનું ઉચિત નાં સમજ્યું.રાતના 12 વાગવા આવ્યા હતા. આજની શનિવારી અમાસની રાહ ત્રિલોકનાથ ઘણાય વર્ષોથી જોતો હતો. તે આ તકને ગુમાવવા નહોતો માંગતો. તેણે ફટાફટ બધી સાધન સામગ્રી એકઠી કરી અને પોતે તેને વ્યવસ્થિત ગોઠવવા લાગ્યો. અનન્યા આ બધું એકધારું જોઈ રહી હતી. શિયાળાની કડકડતી ઠંડીમા અનન્યાનું અનાવૃત શરીર પણ ઠંડુ બરફગાર થઇ ગયું હતું પણ જાણે ત્રિલોકનાથ તેની પૂર્ણ પરીક્ષા લેવાના મૂડમાં હતો એવું ભાસતું હતું.
ત્યારબાદ ત્રિલોકનાથે અનન્યા સામે મડદું ગોઠવી દીધું.
"તમે તો મને લાવવા માટે કહ્યું હતું ને?? " અનન્યા મડદાં સામું જોઈને બોલી.
"તું જે શવ લાવી છું અનન્યા એ નહીં ચાલે કેમકે એ તારા પિતા જ છે. શવ સાધના માટે મડદાંની પણ સહમતી હોવી જરૂરી છે. તારા પિતાની સહમતી ના હોવા છતાં જો શવ સાધના કરશું તો એનું માઠું પરિણામ ભોગવવું પડશે. એટલે મેં પૂર્વતૈયારી રૂપે સાંજ પડતા જ આ મડદાંની વ્યવસ્થા કરી રાખી હતી, ચાલ આ મડદાંની ઉપર આવી જા." ત્રિલોકનાથે અનન્યાને તે મડદાં તરફ ઈશારો કરીને આદેશ આપતાં કહ્યું.
અનન્યા તે પુરુષ શવની ઉપર બે પગ પહોળા કરીને નિર્વસ્ત્ર ઉભી રહી ગઈ.
ત્રિલોકનાથે તેના મંત્ર ઉચ્ચારણ ચાલું કર્યા.

ૐ અઘોરેભ્યો ધોરેભ્યો નમઃ
ૐ અસ્ય શ્રી બ્રહ્માસ્ત્ર વિદ્યા નારદ રુક્ષયે અસિત,
ૐ કાલિકે શવ સાધનેતી અષ્ટાંગ દંડે કપાલિકે.....

જેમ જેમ ત્રિલોકનાથ મંત્ર ઉચ્ચારણ કરતો હતો એમ જ સ્મશાનમાં જાણે પડઘા પડી રહ્યા હોય એવું લાગતું હતું.આસપાસ ત્રિલોકનાથનાં મંત્રનાં જાપ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ધ્વનિ નહોતો થઇ રહ્યો. અનન્યા એકધારું પોતાની નીચે રહેલ મડદાંને એકીટસે જોઈ રહી હોય છે. તેની બિહામણી ખુલ્લી આંખો જાણે ક્રોધની અગ્નિમાં સળગતી હોય એવું લાગે છે. તે પુરુષ શવ પણ નગ્ન અવસ્થામાં સૂતેલો હતો. તેના શરીર પર પડેલ ઘા ધીરે ધીરે રૂઝાઈ રહ્યા હતા જે વાત અનન્યાએ અનુભવી. ત્રિલોકનાથનાં મંત્રોના જાપ સતત 2 કલાક સુધી ચાલી રહ્યા હતા. અનન્યાને ઉભા રહેવાના લીધે પોતાની જાંઘો દુખવા લાગી હતી. તેને ઘડીક બેસવું હતું પણ ચાલું સાધના એ શક્ય નહોતું. અનન્યાની જાંઘો ઠંડીની ધ્રુજી રહી હતી. તેના ઉડતા લાંબા કેશ પવનનાં લીધે તેના શરીરે અથડાઈને ગલીપચી કરી રહ્યા હતા.

બીજા અડધો કલાક બાદ અનન્યાને તેના પગ પાસે કાંઈક સ્પર્શ થયું.તેણે નીચે વળીને જોયું તો એ શવમાં નિમ્ન હલનચલન થઇ રહી હતી. અનન્યાનાં ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ હતી. અનન્યા માટે આ જાતનો અનુભવ પ્રથમ હતો. અત્યાર સુધી માત્ર મોબાઈલમાં જ શવ સાધના વિશે સાંભયેલ અનન્યા આજે આ દ્રશ્ય પ્રત્યક્ષ જોઈને ખૂબજ નવાઈ પામી ગઈ હતી. અનન્યાની જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચ આ દ્રશ્ય જોઈને ચક્કર ખાઈ ગયું હોત પણ અનન્યાની વાત જ નિરાળી હતી. તે મડદાંમાં જાણે પ્રાણ પૂરાતા હોય એમ તે મડદું જીવિત થઇ રહ્યું હતું. તે મડદું જીવિત થતા ત્રિલોકનાથે પોતાનો મંત્રોચ્ચાર પૂરો કર્યો.
અનન્યાએ તે મડદાં સામું જોઈને પોતાની ઈચ્છા પ્રગટ કરી.
"તારે ત્રિલોકનાથને અપરાજિત શક્તિ આપવાની છે." અનન્યાએ એકદમ નીડર થઈને તે મડદાંની આંખોમાં આંખો પરોવતાં કહ્યું.
"ચોક્કસ, હું આપી દઈશ, પણ એ પહેલા તારે મારી સાથે સંભોગ કરવો પડશે." તે મડદાંએ અનન્યાનાં દેહ પર અપલક નજર નાખીને અટ્ટહાસ્ય કરતા કહ્યું.
ત્રિલોકનાથ અને અનન્યા જાણે મૂક બનીને આંખોનાં ઈશારે વાત કરી રહ્યા હતા. ત્રિલોકનાથની સહમતી મળતા જ અનન્યાએ તે મડદાંની ઉપર ચઢીને પોતાના ધારેલ કામને અંજામ આપવા લાગી.
થોડીવાર બાદ બંને શરીરો અલગ થયા અને તે મડદાંએ ત્રિલોકનાથને અસીમ શક્તિ આપી. ત્યારબાદ તે મડદાંએ પોતાનું જીવનદાન માંગ્યું.

"આ તો શક્ય નથી.મર્યા બાદ શવને અમુક કલાકો સુધી જીવંત રાખી શકાય પણ જીવનદાન તો અશક્ય છે.જો આમજ અમને અઘોરીઓને આવડતું હોત તો મહાકાલનું અસ્તિત્વ જ ના હોત ને!! એટલે તું જતા પહેલા તારી અંતિમ ઈચ્છા કહી શકે છે." ત્રિલોકનાથે તે મડદાંને ઉદ્દેશીને કહ્યું.
"હું એક અતૃપ્ત આત્મા જ બની રહેવા માંગુ છું અને દર અમાસે અનન્યાએ આ સ્મશાનમાં આવીને મને તૃપ્ત કરવાનો રહેશે. જો તે ચૂકી જશે તો હું તેનું જીવન અઘરું કરી દઈશ." તે મડદું આટલું બોલીને અટ્ટહાસ્ય કરવા લાગ્યું.
અનન્યા ઘડીક તો આ સાંભળીને ડરી ગઈ. તે જીવંત મડદું ફરી શવ બની ગયું.
અનન્યાના ચહેરા પરના હાવભાવ સમજીને ત્રિલોકનાથે કહ્યું, "જ્યાં સુધી હું તારી સાથે છું, તારે ડરવાની બિલકુલ જરૂર નથી, એ આત્મા તારું કશુંજ નહીં બગાડી શકે."
અનન્યાએ રાહતનો શ્વાસ લીધો અને ત્રિલોકનાથ અનન્યા પાસે આવીને પોતાની તરસ બુઝાવવામાં લાગી ગયો.
કામક્રીડા પૂર્ણ થયાં બાદ અનન્યાએ ત્રિલોકનાથને ઉદ્દેશીને પૂછ્યું, "આપ સંભોગમાં સ્ખ્લન બહાર કેમ કરો છો??"
ત્રિલોકનાથ હસ્યાં અને બોલ્યા, "કારણકે અંદર કરવાથી અમારી શક્તિઓ ક્ષીણ થઇ જાય અને અઘોરિપંથમાં આને પાપ કહેવાય, અઘોરપંથમાં માંસ ખાવું, સંભોગ કરવો અને સાધના કરવી આ મુખ્ય બાબતો હોય છે."
અનન્યા આ સાંભળીને મનમાં ને મનમાં પોતાની કોઈ અલગ રમત વિચારીને ખુશ થઇ રહી હોય છે....

(ક્રમશ :)

(આપને વાર્તા ગમી હોય તો પ્રતિભાવો આપવાનું નાં ભૂલશો, આપના પ્રતિભાવો મને સારુ લખવાં પ્રેરે છે. )

આ માત્ર કાલ્પનિક વાર્તા છે, તેને સત્યતા સાથે કોઈજ સંબંધ નથી, અઘોરી શબ્દ સાંભળતા આપણા માનસપટ પર એક છબી આવી જાય, અઘોરી વિશેની અમુક વાતો વાર્તામાં સત્ય છે, અને બાકીની માત્ર એક કલ્પના છે,
અઘોરી લોકોના અમુક રહસ્યો આજ દિન સુધી કોઈજ ઉકેલી નથી શક્યું....