એક કુંભાર ની આ વાત છે તેની પાસે ત્રણ ગધેડા હતા એ ત્રણ ગધેડા ને લઈને દરરોજ પોતાના કામે નીકળતો, અને કામથી જ્યારે પાછો આવતો હોય ત્યારે પાછો ફરતી વખતે તો તને વધારે પડતી તરસ લાગી હોય તો તે સાથે ત્રણ ગધેડા માટે દોરડા લઈને જતો જેથી વચ્ચે એક નદી આવતી એ નદી પાસે ત્રણે ગધેડાને દોરડેથી બાંધી લેતો અને પછી નિરાંતે પાણી પી લે તો. કોઈ વખત તે વધારે પડતો થાકી ગયો હોય તો નદીમાં નાહવા પણ પડી જતો અને ફરીથી ગધેડા ને છોડીને પોતાના ઘરે ચાલ્યો જતો.
એક દિવસ તે ઉતાવળમાં ઉતાવળમાં ઘરેથી માત્ર બે દોરડા લઈને જ નીકળ્યો હતો. અને કામ પર જઈને ફરી પાછી ફરતી વખતે તેને નદીમાં નાહવા જવું હતું એટલે તેને ગધેડાને દોરડાથી બાંધવાનું વિચાર્યું પરંતુ દોરડા તો એની પાસે માત્ર બે જ હતા અને તે પણ આ વાતથી અજાણ ન હતો.
ત્યાં બાજુમાં એક માણસ બેઠો હતો તેને જોઈને તે ડાહ્યો માણસ લાગી રહ્યો હતો એટલે તેણે માણસને કહ્યું કે મારી પાસે આવી પરિસ્થિતિ છે હવે હું શું કરું?
એટલે તે માણસે તેને સલાહ આપી કે તું નદીએ જઈ આવ અને નાહી લે પરંતુ તુબે ગધેડાને દોરડાથી બાંધી દેજે અને ત્રીજો ગધેડો આ બે ગધેડા ને બાંધતો હોય તે જોઈ રહ્યો હોય એ રીતે બાંધજે. પછી ત્રીજા ગધેડાને ખોટેખોટી ખાલી એક્શન કરજે, માત્ર નાટક જ કરવાનું છે. કુંભારને આ વાતમાં કંઈ દમ લાગ્યો એટલે તેને ટ્રાય કર્યું.
પહેલા બંને ગધેડા ને તેણે દોરડાથી બાંધ્યા અને ત્રીજો ગધેડો નો ઉભો બધું જોઈ રહ્યો હતો. પછી તેણે ખોટે એક્શન કરીને ત્રીજા ગધેડાને પણ બાંધવા નું નાટક કર્યું.
આટલું કરીને તે નદીમાં નાહવા માટે જતો રહ્યો પરંતુ નદીમાંથી પણ તે ગધેડા પર નજર રાખી રહ્યો હતો, ત્રણે ગધેડા ત્યાં ને ત્યાં જ ઉભા હતા ત્રીજો ગધેડો પણ જાણે બંધાઈને ઊભો હોય એ રીતે જ ઉભો હતો.
થોડીવાર પછી નહાઈને બહાર આવીને જોયું તો પણ ત્રણે ગધેડા ત્યાં જ ઉભા હતા. કુંભાર એ તરત જ તૈયાર થઈને બે ગધેડાઓ માંથી દોરડું કાઢી નાખ્યું અને ચાલતો થયો, એની સાથે સાથે બંને ગધેડા તો ચાલતા થયા પરંતુ જેને બાંધ્યો નહોતો તે ત્રીજો ગધેડો પોતાના સ્થાનેથી જરાપણ હાલ્યો નહીં.
એટલે કુંભારે ત્યાં બાજુમાં જઈને ધક્કો માર્યો તો પણ પેલો ત્યાંથી હલ્યો જ નહીં. કુંભારે ફરી પેલા માણસ ને પૂછ્યું કે આ હવે તો ચાલતો નથી હવે મારે તેનું શું કરવું?
એટલે ફરી પેલા માણસને સલાહ આપતાં કહ્યું કે શું પહેલા તે ત્રીજા ગધેડા ને છોડી દીધો? એટલે કુંભાર હસવા લાગ્યો અને કહ્યું અરે તમને દેખાતું નથી મેં તો તેને બાંધ્યો જ નથી.
એટલે પહેલા ડાહ્યા માણસે કહ્યું એ તું તો જાણે છે કે ગધેડો બાંધેલો નથી પરંતુ તે પોતાની જાતને બંધાયેલો જ સમજે છે, હવે તારે ખોટે તેને છોડવા નું નાટક કરવું પડશે.
એટલે કુંભારે એ રીતે કર્યું તો આશ્ચર્યચકિત થઇ ગયો કારણકે જેવો છોડ્યો તેઓ ગધેડો તરત જ ચાલવા લાગ્યો.
અહીં એક નહીં પરંતુ ઘણા બધા સવાલ મનમાં ઊભા થશે,
એ ત્રીજા ગધેડાને બાંધ્યો નહોતો તો પણ તેને અટકાવનાર કે પછી તેને ચાલવાથી રોકનાર શું હતું?
શું તે ત્રીજા ગધેડા પાસે ચાલવાની તક નહોતી?
શું તે ત્રીજા ગધેડા પાસે આગળ ચાલવા માટે રસ્તો નહોતો?
શું તેની જ સામે પેલા માણસે બંને ગધેડા ને છોડ્યા તો તે બે ગધેડાઓ નું ઉદાહરણ હતું નહિ?
શું તે ત્રીજા ગધેડા માં ચાલવાની શક્તિ જ નહોતી?
શું તેની પાસે જરા પણ સપોર્ટ નહોતો? અરે સપોર્ટ ખૂબ જ હતો, એનો માલિક ગધેડો ચાલવા લાગે એટલા માટે રીતસર બાજુમાં જઈને ધક્કા મારતો હતો.
તેની પાસે બધું જ હતું તેમ છતાં તેને ચાલવાથી કોણ રોકી રહ્યું હતું અથવા તો શું રોકી રહ્યું હતું?
હકીકતમાં મિત્રો આપણી સાથે પણ હંમેશા જીવનમાં એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે. આપણે આપણી કલ્પનામાં સાવ ખોટી શરમ, સંકોચ અને અત્યંત નાની મનોવૃત્તિ ના કાલ્પનિક દોરડાથી બંધાઈ ચૂક્યા હોઈએ છીએ.
મને શરમ આવે છે, સંકોચ થાય છે, મને ક્યારેય તક નથી મળતી, મને કોઈનો સપોર્ટ જરા પણ મળતો નથી, મારે શું કરવું તેનો રસ્તો/માર્ગ નથી મળતો.
મારાથી આ થઈ શકે તેમ નથી વગેરે વગેરે કેટલી કાલ્પનિક માન્યતાઓ સાથે આપણે જીવતા હોઈએ છીએ.
પરંતુ આ બધા આપણને ખોટે ખોટ બાંધી રાખેલા દોરડાઓ છે. આપણે આપણા મનમાં કલ્પના નો ઉપયોગ કરીને ઊભી કરેલી એવી બંધન વૃત્તિથી અલબત્ત છૂટવાની જરૂર છે.
એટલા માટે જ કહેવામાં આવે છે કે જેને ઊડવું છે તેને આકાશ મળી રહે છે. જેને ગાવુ છે તેને ગીત મળી રહે છે. અને મહત્વનું જેને ચાલવું છે તેને દિશા મળી જ રહે છે.
આથી બધી માન્યતાઓ માંથી મુક્ત થઈ જાઓ અને તમારી જાતને આઝાદ કરીને સફળતા તરફ વધુ એક કદમ અપનાઓ અને વિકાસ તરફ આગળ વધો.