THE DEPLOMACY elemant gone enimy - 29 in Gujarati Fiction Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 29

Featured Books
Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 29

જોકે એક અસંતુલન તે પણ હતું જ કે જે આતંકવાદીઓ પંજાબમાં જ રહીને પંજાબી ઓને જ ટાર્ગેટ કરી ને સ્વયંને ખાલિસ્તાનીસ્વાતંત્ર સેનાની કહેડાવતા હતા,અને વળી પાછી ગુરુદ્વારા ઓ ની ઓફીસો તેમને શરણ પણ આવતી હતી.

હજુ તે વાત ક્વચિત સંતુલિત કહેવાય છે કે તે ખાલિસ્તાની આતંકવાદીઓ નોન પંજાબી ઓ ને ટાર્ગેટ કરીને તેમની મુમેન્ટ ચલાવી રહ્યા છે. પરંતુ,તેમની મુમેન્ટ માં આવા સેન્સિબલ કેટેગરાઈઝેશન ક્યાં હતા જ નહીં એટલે એક વાત પણ બનતી હતી કે સત્તાના ઊંચા અને જિમ્મેદાર હોદ્દાઓ પર બેઠેલા લોકો આવી બચકાની માંગો ને ફગાવી દે તે સ્વાભાવિક હતું.
પરંતુ કેટલાક નૈષ્ઠિકો એવા પણ હતા કે જેમની નિષ્ઠા તેમના કર્મકાંડનો થકી જ બોલાતી હતી.
પરંતુ,જેમ કે ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે કર્મ કરનાર અને કર્મકાંડ કરનાર બન્ને પોતપોતાની જગ્યાએ સાચા જ હોય છે.
એટલે એવા કર્મકાંડી નૈષ્ઠિકો જો અવાજ ઉઠાવે તો તેનું પણ શ્રવણ અવશ્ય થવું જ જોઈએ.
કર્મકાંડ ની અંદર પ્રથમ અને સર્વ ફરીદ તત્વોની આવશ્યકતા હોય તો તે છે પવિત્રતા.મન ની પવિત્રતા સાથે સાથે ભૂ , સ્થલી, વાત અને વસ્ત્ર ઇત્યાદિ બધું જ શુદ્ધ હોવું અનિવાર્ય છે અને એટલે પણ ક્યારેક ધૂપ-દીપ ઇત્યાદિ લો પણ કર્મકાંડમાં વપરાતા હોય છે.
આદિકાળથી તે વાત પ્રચલિત છે કે કર્મકાંડ અને આધ્યાત્મિક ઇત્યાદિ સૂક્ષ્મ જગત સાથે સંકળાયેલા કર્મ કરનાર ગુરુઓ અને આચાર્યોએ સત્તાઓ શાસકો કે સંવિધાનો ની સામે અમુક બાબતોમાં સમાધાનો નથી જ કર્યા.અને તે બાબતો માં શુદ્ધિ બહુ મોટી જીદ્દ હતી.
આજે પણ આમજ કશુક થવા જઈ રહ્યું છે.
એન્ટાયર અકાલ ઓર્ગેનાઇઝેશન કે જે વૈશ્વિક વિચારધારા ધરાવનારા સંગઠનો માનુ એક કહેવાય છે,જેમાં કોઇ અતિશયોક્તિ નથી.અને જેની અંદર આજે કેટલાક ખાલિસ્તાની મોમેન્ટ ચલાવનારા લોકો નો પણ સમાવેશ થઇ ચૂક્યો છે.કે જેમને માટે દેશ-દુનિયા, પંજાબ, ખાલિસ્તાન કે પછી હિન્દુસ્તાન પાકિસ્તાન જેવું કશું જ માઈને નથી રાખતુ.
એમને માટે જીંદગી અને મોતનો ખેલ જ ખેલવા નો છે. અર્થાત્ કે જ્યાં ખુશહાલ જિંદગી દેખાય ત્યાં મોતની ચાદર બિછાવી દેવાની છે.અને ખુશ થયા કરવાનું છે.આવા મા તેમને માટે ગુરુદ્વારા ઓની પવિત્રતા ઇત્યાદિ ક્યાંય પણ નજરે પડે તે સંભવ જ નથી.તેમનું ચાલે તો તેઓ ગુરુદ્વારા ઓને પણ સમશાન ઘાટ બનાવી દે.
બસ,તેમણે દોગલી વાતો જ કરવાની હતી કે ગુરુદ્વારાઓ મા હિંસાચાર ના થવો જોઈએ.
પેલા બાલ સ્વયંસેવકને ઠાકોર ના કેટલાક દિવસો સુધી સુવર્ણ મંદિરના કર્મકાંડી નૈષ્ઠિકોએ કોઈ અવાજ ના ઉઠાવ્યો પરંતુ,લગાતાર ગંદકી અને માંસાહારો એ એક દિવસ તે કર્મકાંડી નૈષ્ઠિકો ને હચમચાવી મૂકયા,અને એક દિવસ એક નૈષ્ઠિક અંધારી કોટડી ના દરવાજા પાસે આવી ને ઉભા રહે છે અને દ્વાર ખડખટાવે આવે છે.
અંદરથી ચીલમ ની દુર્ગંધ વાળો ધુમ્ર બહાર આવે છે.અને પેલા નૈષ્ઠિક hardayal સિંગ કહે છે ક્યા મેં અંદર આ સકતા હું!!
અંદરથી નશા ની સહેજ તોછડાઈ માં જવાબ મળે છે,કોન હૈ!!
એટલે hardayal સિંહે કહ્યું મેં hardayal હું, ગુરુદ્વારા મે પૂજા પાઠ કરવાતા હું.
તો ક્યાં અભી હમે પ્રસાદ બાંટને આયે હો,
અને પાંચ ઠહાકા એકસાથે સંભળાયા.
hardayal એ કહ્યું,નહીં નહીં મેં આપકો કુછ જરૂરી ચીઝે બતાને આયા હું, જીસકા આપ આગે સે ધ્યાન રાખીયેગા,તું આપ કી બડી મહેરબાની રહેગી.
ચીલમ નો ધુમ્ર અને હુંકાર બંને સાથે બહાર આવ્યા અને hardayal એ કહ્યું,યે ગુરુદ્વારા હૈ જો પવિત્ર મેસે ભી પવિત્ર સ્થાન કહેલાતા હૈ.કિસી સે ગંદા મત કરો.
અંદર શ્રી એક બીજો અવાજ આવ્યો તો કે હમ ખાલિસ્તાન છોડ દે!!

hardayal એ કહ્યું ઇસ મેં ખાલિસ્તાન કહાસે બીચ મેં આ ગયા!!