Shankhnad - 6 books and stories free download online pdf in Gujarati

શંખનાદ - 6

રૃપરામ સિંધી ના હિન્દ સાડી સેન્ટર માં ૩ કરોડ ની રહસ્યમય સાડી નો સોદો થયો હતો ..એમાં ભારત ના જાગૃત ગૃહપ્રધાન શ્રી સતીશ શાહ અને સીઆઇડી ચીફ ડો.કેદારનાથ માથુર સામેલ હતા ..એ સાડી ના સોદાથી મિશન " શંખનાદ " ની શરુ આર થઇ ગઈ હતી ..
ઇતિહાસ જોઈએ તો મિશન શંખનાદ ના પાયા આજથી ૬ મહી ના પહેલા મુંબઈ માં નંખાઈ ગયા હતા !! આ મિશન અંતર્ગત ગૃહપ્રધાન અને સીઆઇડી ચીફ મુંબઈ ના એક પ્રધાન ની દીકરીના લગ્ન પ્રસંગે મળ્યા હતા એવું કહેવા માં જરાય અતિશયોક્તિ ના કહેવાય કે એ પ્રાસંગિક મુલાકાત ન હતી પણ રાજકીય મુલાકાત હતી ..એ વખતે એ બંને મહાનુભાવ વચ્ચે એવી વાત ચિટ થઇ હતી કે આ મિશન ની વાતો ક્યારેય સેટેલાઈટ ફોન કે કોઈ ૦ન ઇલેકટ્રીક માધ્યમ દ્વારા કરવા ની નહીં . એક લગ્ન સમારંભ માં એક ચોક્કસ તારીખે ગૃહ પ્રધાન એક સાડી લઈને આવશે અને સીઆઇડી ચીફ એ સાડી ના ખરીદાર તરીકે આવશે ..એ સાડી માં મિશન શંખનાદ ની તમામ રૂપરેખા છૂપાયે કી હશે બસ પછી તો ગૃહપ્રધાન અબીનાશ ચેટર્જી બની ને રૃપરામ સીધી નો કોન્ટાક્ટ કરવા ના હતા અને સી આઈ ડી ચીફ કમલેશ પાટીલ તરીકે મુંબઈ ના એક બિઝનેસ મેન બની ને સાડી ખરીદનાર બની ગયા હતા !! એ દિવસે હિન્દ સાડી સેન્ટર માં ગૃહપ્રધાન તરફથી સી આઈડી ચીફ ને મિશન શંખ નાદ નો આખો પ્લાન આપવા માં આવ્યો હતો . આ સોડા માટે હિન્દ સાડી સેન્ટર ની પસંદગી પણ એક સચોટ કારણ સર કેવા માં આવી હતી ..એ ઈ ખબર આખા હિન્દુસ્તાન ને પછી પાડવાની હતી
મિશન શંખ નાદ એ આઝાદ ભારત નું એક આગવું મિશન હતું ..રો અને બીજી જાસૂસી સંસ્થા તરફથી પાડોશી દેશ પાકિસ્તાન ભારત માં કેવી રીતે પરોક્ષ લડાઈ કદી રહ્યું છે ..ભારત ના લાલચુ જયચંદો નો ઉપયોગ કરીને ભારત ને આર્થિક અને સામાજિક રીતે ખતમ કરવા નો ખતરનાક પ્લાન પાકિસ્તાને અમલ માં મુક્યો હતો એની સામે બાથ ભીડીને પાકિસ્તાન ને મુહ ટોડ જવાબ આપવાનું મિશન શંખનાદ થાકી થકી નક્કી કરવામાં આવ્યું હતું પાકિસ્તાન ના આ ના પાક ઈરાદા માં ભારત ના જે પણ લોકો સામીલ છે એને નેસ્ટ નાબૂદ કરવા ના હતા ..ફક્ત એટલું જ નહિ પણ શંખ નાદ માં એટલી કક્ષા નું પ્લાંનિંગ કરવા માં આવ્યું હતું કે હવે પાકિસ્તાન ને તેની જ ભાષા માં જવાબ આપવો. એટલેકે પાકિસ્તાને ભારત માં જે પરોક્ષ યુદ્ધ ચાલુ કર્યું હતું એજ રસ્તે પાકિસ્તાન માં પણ પરોક્ષ યુદ્ધ કરીને તેની ઈકોનોમી ની કમરટીડીને પાકિસ્તાન ની કબર માં છેલ્લો ખીલો મારી દેવાનો એ પણ શંખનાદ મિશન માં નક્કી થયું હતું !!!
મહાભારત કલ માં યુદ્ધ શરુ થાય એટલે શંખનાદ કરવામાં આવતો બરાબર એજ પ્રકારે આ શંખનાદ હતો ..નાપાક પાકિસ્તાન ને પરોક્ષ યુદ્ધ માં પરાસ્ત કરવા નો...આ શંખનાદ હતો દુનિયા ના નકશા માંથી પાકિસ્તાન ને નેસ્ટ નાબૂદ કરવાનો ..!! આ શંખનાદ હતો પાકિસ્તાન ને બળ થી નહિ પણ છાલથી નેસ્ટ નાબૂદ કરવાનો ..જ. જેરહસ્યમય સાડી માં પાકિસ્તાન ના મોત નો પરવાનો હતો એ સાડી હવે સાચા અર્થ માં દેશભક્ત હોય એવા સીઆઇડી ચીફ ડો.કેદારનાથ માથુર અને એમની ઇંટેરિલિજન્ટ ટિમ પાસે પહો ચી ગઈ હતી અને હવે એક પણ પળ ના વિલંબ વગર મિશન શંખ નાદ ની શરૂઆત થઇ જવાની હતી !!
આ મિશન શંખનાદ માં આગળ વાઢીયે એ પહેલા ડો કેદારનાથ માથુર અને એની ટિમ વિષે ની જાણકારી જાણવી જરૂરી છે
વધુ આવતા અંક માં