Saraswati Chandra - Part 2 - Ch. 7 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર

ભાગ : ૨

ગુણસુંદરીનું કુટુંબજાળ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૭

જંગલ, અંધારી રાત અને સરસ્વતીચંદ્ર

સરસ્વતીચંદ્રના ચિત્તથી પરમાર્થવૃત્તિ કલ્પવા પણ અસમર્થ સ્વાર્થ લોચનથી જ લોચનવાન અર્થદાસ મણિમુદ્રા લઇ પલાયન કરી ગયો તે પ્રસંગે દિવસ પૂરો થતાં રાત્રિ આકાશના ગર્ભસ્થામાંથી અર્ધી જન્મેલી હતી અને અર્ધ ભાગે આકાશના ઉદરમાં હતી. આકાશ પણ પ્રસૂતિકાળની ભયંકર અવસ્થા ભોગવતું હતું. તેને મૂર્છા આવતી હોય અને તેની ચેતના દૂર જતી રહેતી હોય તેમ પક્ષીમાત્ર અધીરાં બની ટોળે મળી પૃથ્વી ભણી ઊડી આવતાં હતાં અને વૃક્ષોમાં અદ્દૃશ્ય થતાં હતાં. કંઇક પ્રકાશ અને કંઇક અંધકાર એ બેની મળવમી શૂન્ય અરણ્યમાં એકલા માનવીનું હ્ય્દય કંપાવે એવી ત્રાસદાયક લાગતી હતી અને ઝાંખી દૂબળી ચંદ્રલેખા પણ વિશાળ આકાશના એક ખૂણામાં ઊગી, ઊગતાંવેંત જ જગતના આ દેખાવથી ત્રાસી, અસ્તાચળની ઊંડી ગુફામાં ભરાઇ જવાનું કરતી હતી. તેવે પ્રસંગે સરસ્વતીચંદ્ર મૂર્છામાંથી જાગી ઊઠ્યો અને તેની આંખ આ આકાશ, અરણ્ય અને દૂરથી ચીસો નાખતી રાત્રિ પર પડી. મનુષ્યવસ્તીની છેલ્લી નિશાની-અર્થદાસ-કઇ દિશામાં ગુમ થઇ ગઇ તે શોધવા સરસ્વતીચંદ્ર બેઠો થયો કે રસ્તા ઉપર બે પાસ લાંબી દ્દૃષ્ટિ નાંખવા લાગ્યો, પ્રયત્ન નિષ્ફળ થતાં ઉપરનું આકાશ પળવાર જોવા લાગ્યો, પળવાર પવનથી ખડખડતા ચારેપાસનાં જંગલભણી નજર ફેરવવા લાગ્યો, અંતે જંગલના ઊંડા ઊંડાણમાં પડવા માંડતી ભયંકર પ્રાણીઓની ચીસો સાંભળી ચમક્યો, અને ભૂખ્યો ન હોય, અશક્ત ન હોય, ને ખિન્ન પણ ન હોય, તેમ સફાળો એકદમ ઊભો થયો. તે જ ક્ષણે ચંદ્રલેખા પણ બીની હોય તેમ સંતાઇ ગઇ અને વાઘ જેવો અંધકાર વિશ્વ ઉપર ફાળ મારી કૂદી પડ્યો ને સરસ્વતીચંદ્રના પણ સામો આવી ક્રોધભરેલા ડોળા ઘુરકાવવા લાગ્યો.

પળવાર આ નવા અચિંત્યા સ્વપ્નથી હ્ય્દયસ્તંભ પામી, છાતી પર હાથી મૂકી, કાંઇ નવી શોધ થઇ હોય તેમ સરસ્વતીચંદ્ર ચંચળ બની ચારે પાસ દ્દૃષ્ટિ ફેરવવા લાગ્યો, કાન ઘરવા લાગ્યો અને તેના મુખ પર આનંદ ચમકવા લાગ્યો. “હા ! જે મહારાત્રિનાં દર્શન કરવાનો અભિલાષ હતો તે આ જ ! કુમુદ ! હવે હું તને ભૂલું છું. તું દિવસમાં રહી-હું રાત્રિમાં આવ્યો ! યમરાત્રિના પ્રતિબિમ્બરૂપ રાત્રિ ! યમરાત્રિ કેવી હશે તે તાારાા દર્શનની સહાયતાથી હું અત્યારે કલ્પું છું. ચંદ્રકાંત ! તું વળી મને આમાંથી અટકાવતો હતો-અટકાવવા આવ્યો છે ! ગુમાનબા, આ સૌ તમારો આભાર છે ! પિતાજી ! તમે મારા ઉપરથી સ્નેહ ઉતારી મને માયાના ફંદમાંથી મુક્ત કર્યો ! સંસાર, સ્નેહ, લક્ષ્મી અને બધી માયામાંથી મુક્ત થઇ, આખર હું આ આખરની અવસ્થા અનુભવવા પામું છું. આ નિર્જન ઘોર અરણ્યમાં-શૂન્ય રાત્રિનાં ક્રૂર પ્રાણીઓ વચ્ચે માત્ર ઇશ્વરસનાથ હું આવી પહોંચ્યો અને જે દશા અંતે થવાની તે આજથી આણી ! ગૃહ અને લક્ષ્મીનાં જાળ ચીરી નાખ્યાં !”

“આમ જ ચીરી એ દંભ નીચે,

આમ જ એ સૌ દંભ નીચે

ઊતરી પડ્યો હું નીચે નીચે !

એ જગદંભતણા સાગરની નીચે નીચે આવ્યો !

સમુદ્રતળિયે ઊતરી પડ્યો, પડી નીચે નીચે આવ્યો !

આમ જ હજી આ દંભ નીચે,

કામણ કંઇ મુજ કાઇ હીસે,

હજી ઊતરી પડું નીચે નીચે.

નીચે નીચે !!”

“મુંબઇનગરીના લલ્હાધિપતિપણામાંથી બુદ્ધિધનના ઘરમાં ક્ષુદ્ર અતિથિની અવસ્થામાં, ત્યાંથી આ અન્ધ અરણ્યમાં-અને અહીંથી પણ નીચે જવાનું નિશ્ચિત !”

પોતે ભોલે છે તેના પણ ભાન વિના આ શબ્દો બોલી, તેના પડઘા સાંભળતો-ઉત્તર સાંભળતો હોય તેમ, મનમાં ને મનમાં આનંદ પામતો, અંધકારને જોતો, ક્રૂર ગર્જનાઓ સાંભળતો, અંધકારમાંથી શાંત તેજ નિકળતું હોય અને ગર્જનાઓને ભેદી આથેથી ઝીણું કોમળ ગાન આવતું હોય અને તે તેજને જોવાને અને ગાનને સાંભળવાને રસિક આતુર બનતો બનતો, હ્ય્દય ઉપર હાથનો સ્વસ્તિક રચી સરસ્વતીચંદ્ર કેટલીક વાર સુધી એમનો એમ ઊભો.

જે ક્ષણે સરસ્વતીચંદ્ર જડ જેવો, મૂર્ખ જેવો, શબ જેવો, સ્વપ્નસ્થ જેવો, સમાધિસ્થ જેવો, આ પ્રમાણે ઊભો હતો તે પ્રસંગે રાત્રિ પણ એના જેવી નિરંકુશ બની, સંસારના સુખદુઃખની ચેતના નષ્ટ કરી, નિશ્ચેતન જેવી પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વ્યાપી રહી જડ જેવી ઊભી રહી; કર્તવ્ય-અકર્તવ્યનું, યોગ્ય-અયોગ્યનું ભાન નસ્ટ કરી, મુકુટ ધારણ કરનારાઓને સ્ત્રીવશ કરી, પંડિતોને બુદ્ધિહીન નિદ્રાવસ્થામાં નાખી, બ્રહ્મચર્યા અને સંન્યાસના વ્રતસ્થ પુરુષોને સ્વપ્નસૃષ્ટિમાં રમાડી, સ્થળે સ્થળે મૂર્ખચેષ્ટા કરી રહી; પ્રકાશહીન, ચેતનહીન, વસ્ત્રહીન થઇ ગયેલા સંસારરૂપ આ મહાસ્મશાનમાં નિશ્ચેષ્ટ શબરૂપે પડી પડી, ઘુવડ અને શિયાળ જેવાં પોકેપોક મૂકી રોતાં સંબંધીઓ વચ્ચે, કાળાગ્નિ ભડભડ બળતી અજરામર એકાંત અને ભયંકર ચિતાના મુખમાં ખવાવા લાગી; શૂન્ય જેવા દશે દિશામાં વ્યાપતા અંધકારના અદ્દૃષ્ટ અવયવોમાં કલ્પનાની પેઠે ભરાઇ મચી રહેલાં જંગલો, પર્વતો, નગરો અને પ્રાણીઓના-અંતર્ગત ઠઠ ઠાઠને આંખો મીંચી જોઇ રહેતી હોય, તે મહાસ્વપ્નમાંને સ્વપ્નમાં જ સિંહવાગ વગેરની ભયંકર ગર્જનાઓને લવતી હોય, તેમ સુષુપ્તિસમયે જાગૃત સંસ્કારોમાં પ્રવાહપતિત થઇ ગઇ; બાહ્ય સંસારના પ્રપંચોને અગોચર કરી ચારે પાસ અંધકાર ભરી સરસ્વતીચંદ્રના મગજમાં કોઇ સર્વવ્યાપી એક તત્વનો લય કરી એ લયમાં જ સમાધિસ્થ થઇ ગઇ. ઘર છોડ્યું, લક્ષ્મી છોડી, પિતા છોડ્યા, મિત્ર છોડ્યો, કુમુદ છોડી અને સ્નેહ પણ છૂટી ગયો; એ સર્વ પટ સરી ગયા તેની સાથે જ એ ઉપાધિપટમાં ઢંકાયેલું તત્ત્વ જાતે અપ્રયાસે દ્દૃષ્ટિગોચર થયું હોય તેમ તે જોતો સરસ્વતીચંદ્ર અત્યારે જંગલ વચ્ચે, અંધકાર વચ્ચે ઊભો રહ્યો અને ઊંડા વિચારમાં વિચારશૂન્ય જેવો લીન થઇ ગયો.

પરંતુ આ અવસ્થા ઘણી વાર ટકી નહીં. થોડીક વારમાં શરીરયંત્રની કમાને બળ કરી, એકાંત મનોવૃત્તિને નદીની રેલનો પ્રવાહ કિનારાની ભેખડને તોડે તેમ, તોડી પાડી અને પોતાના પ્રવાહમાં લીન કરી.

“શરીરયંત્રને પ્રકોપકાળે શિથિલ યોગની માયા !”

આખા દિવસની ક્ષુધા વિચારમાત્રનું ભક્ષણ કરવા લાગી અને મસ્તિક ખાલી પડ્યું; તૃષા કંઠને રોકી બેઠી અને સરસ્વતીનો પ્રવાહ નીકળવા માંડે તે પહેલાં તેનું આચમન કરવા લાગી; અંધકારે નકામી કરેલી આંખોની શરીરની અશક્તિએ ફરી મિચાવી અને સરસ્વતીચંદ્ર મૂર્છા ખાઇ ફરી પૃથ્વી પર ઢળી પડ્યો. પશ્ચાત્તાપ કરાવનાર બુદ્ધિ અધિષ્ઠાન વિનાની થઇ પડી; ભય અને શોક કરાવનાર ભાન ઊડી ગયું. ઘણાક ઉદ્ધત પુરુષો મોટી મોટી વાતો કરી વાત પ્રમાણે કામ કરવાનો પ્રસંગ આવ્યે ડરી જઇ કંપારી ખાય છે; સરસ્વતીચંદ્રે તે કંપારી ખાધી ન હતી. તામસને વશ થયેલા ઘણાક મૂર્ખો વિચારશૂન્ય કામ કરી બેસી પશ્ચિમબુદ્ધિના કાંટા વાગતાં કર્યુ અને કર્યુ કરવા મથે છે; એક કુમુદસુંદરીની વાતમાં તેમ કરવા ઇચ્છા હોય તો તે પૂરી પાડવી અશક્ય હતી અને બીજી કંઇ પણ વાતમાં તેમ કરવા સરસ્વતીચંદ્રને ઇચ્છા સરખી થઇ હતી નહીં અને તે જ કારણથી ચંદ્રકાંતથી નાસતો ભાગતો આ જંગલનાં દુઃખમાં મંગલ ગણવા લાગ્યો હતો. એ સર્વ વિચિત્ર નાટકનું વિચિત્ર અવસાન આવ્યું હોય અને પડદો પડ્યો હોય તેમ અત્યારે થયું. પોતે મૂર્ખતા કરી છે કે ઉચ્ચાભિલાષ સિદ્ધ કર્યો છે તે વિચારનાર પણ કોઇ રહ્યું નહીં અને સ્થળસમયની અવસ્થા પણ સરસ્વતીચંદ્રને જગાડે એવી ન હતી.

અંધકારની સેના ચારેપાસ ઘણા જોરથી ઘસારો કરતી હતી અને દશે દિશા છાઇ લીધી હતી. ઘોડેસવારો વેગથી સવારી કરતા હોય અને ઘોડાની ખરીઓના ડાબલાના ડાબકા જમીન પર દેવાતા હોય તેમ કાળરાત્રિ ગાજતી હતી. અનેક તરવારો અથડાતી હોય તેમ પવનને બળે અનેક ઝાડોનાં પાંદડાં તથા દાળો અથડાઇ અવાજ કરતાં હતાં. મોટા બાણાવળી ઉગ્રબળથી બાણ ફેંકતા હોય અને તેના સુસવાટ ચારેપાસ મચી રહ્યા હોય તેમ પવન સુસવાટા નાખી રહ્યો હોત અને વૃક્ષો વચ્ચેના, પાંદડાં વચ્ચેના, આંતરા વચ્ચે થઇને ઘસી આવતાં, ચીસો નાંખતો હતો. ચારેપાસ યુદ્ધનાં ભયંકર વાજાં વાગી રહ્યાં હોય અને યુદ્ધની બૂમમાં બરોબર ન સંભળાતાં સ્થળે સ્થળે તેનો નાદ સ્ફુરતો હોય તેમ સર્વ પાસ તમરાં નિરંતર બોલતાં હતાં. ઘવાઇ ઘવાઇ, કોઇ હાથ ખોઇ, કોઇ પગ ખોઇ, પડેલા જોદ્ધાઓ, દોડતા લડતા જોદ્ધાઓના પગ તળે કચરાતાં છૂંદાતાં, દુઃખથી અશરણ બની, હ્ય્દયવેધક ચીસો પાડી ઊઠતા હોય તેમ હરણ, સસલાં અને અનેક ગરીબ પશુઓ, બોડમાં ઊંઘતા પ્રાણીઓ શોધી ખાનાર વરુ જેવા ક્રૂર ચોર પશુઓના પંજામાં પોતાને અથવા નર કે માદાને બચ્ચાંને ફસાયેલાં દેખી, ઊંડાણમાંથી કારમી ચીસો નાખતાં હતાં. આખા જંગલમાં શિકારી અને શિકારની દોડાદો૦ડ મચી રહી હતી અને સિંહવાઘના પંજા અને નખ ધબ ળઇને પડતા હતા અને ગરીબ પ્રાણીઓના કોમળ માંસમાં ખુંપી જતા હતા. શિયાળનાં ટોળાં ચારે પાસથી કાયર જોદ્ધાઓ નાસતાં નાસતાં ચીસો પાડે તેમ રોતાં હતાં. શૂરા સવારો પેઠે વાઘ નાનાં ઝાડ અને ઘાસ ઉપર ફાળ ભરતા, વેગથી ચાલ્યા જતા અને ચોમાસાના પૂર પેઠે ઠેકાણે ઘુઘવાટ કરતા હતા. સેનાના નાયક જેવો મૃગપતિ સિંહ અંધરાત્રે રસ્તા વચ્ચે બેઠો બેઠો-મોટું વાદળું ગાજતું હોય-તોપ ધડૂકતી હોય-તેમ મહાગર્જના કરી રહ્યો હતો. એ ગર્જના સાંભળતાં વાઘ સરખાં હોય-તોપ ધડૂકતી હોય-તેમ મહાગર્જના કરી રહ્યો હતો. એ ગર્જના સાંભળતાં વાઘ સરખાં પ્રાણી ચૂપ થઇ લપાઇ જતાં હતાં, હાથીઓ અને પાડાઓ બરાડા પાડતા પાડતા નાસાનાસ કરી મૂકતા હતા, ઝાડ ઉપર સૂતેલાં પક્ષીઓ જાગી ઊઠતાં હતાં અને કંપતાં કંપતાં કાન માંડતાં હતાં, આખા જંગલમાં અને આઘેના સુંદરગિરિનાં કોતરોમાં વિકરાળ પડઘા ઊઠી રહ્યાં હતાં, પશુમાત્રમાં પોતાની આણ વર્તાવતો હતો અને આખા જંગલમાં ખૂણે ખૂણે સર્વત્ર તેની હાક વાગી રહી હતી. અગ્નિના અંગારા પેઠે તેની આંખો રાતા તેજથી ચળકતી હતી અને આઘે સુધી તીવ્ર ભયંકર કટાક્ષ નાંખતી હતી. ક્રૂર પશુઓનો આ મહારાજ ઘડી ઘડી યાળ ફેંકારતો હતોઅને તે વીંઝાતી તેના સ્વરથી ચમકતાં તમરાં પણ ચૂપ થઇ જતાં હતાં. જે રસ્તાને એક છેડે આ વનરાજ આવી રીતે બિરાજતો હતો તે જ રસ્તાને બીજે છેડે તે જ સમયે, કાળજું કહ્યું ન કરે એવે સ્થળે ને સમયે, મનસ્વી મન-રાજ સરસ્વતીચંદ્ર ત્રિભેટા આગળ વચ્ચોવચ એકલો પડ્યોપડ્યો નિર્ભય અને નિઃશંક મૂર્છાસમાધિ સાધતો હતો.

આ પ્રસંગે આખા જંગલમાં પેસવા કોઇ માનવીની છાતી ચાલે એમ ન હતું અને ખરા શૂરવીરો પણ રાત્રિસમયે આ ભયંકર જનાવરોને છંછેડવા હિંમત ધરતા નહોતા. આખા જંગલમાં માત્ર જનાવરોની કારમી ચીસો સંભળાયા કરતી અને બહારવટિયાઓ રાવણું કરતા તે પણ મનોહરપુરીની બાજુના વડમાં ભરાતા. સરસ્વતીચંદ્ર પડ્ય હતો તે જગા વડથી થોડે છેટે હતી અને વડ નીચે ઊઠતો શોરબકોર પણ અંધારામાં કાન પર અફળાતો ત્યારે ઓછો ભયંકર નહોતો લાગતો. આકાશમાંતારાનાં ઝુંડ ઝબૂકતાં હતાં તે પણ ભયંકર પ્રાણીઓની અંખો જવાં વિકરાળ પ્રકાશવાળાં લાગતાં હતાં અને જંગલનો આ ઠાઠ જોઇ નબળોપોચો માણસ તો ભયથી ગાંડો જ થઇ જાય. સરસ્વતીચંદ્રની મૂર્છા વળી, તોપણ ઊઠવાની કે બોલવાની તેનામાં શક્તિ રહી ન હતી. રસ્તાની ધૂળમાં ચતોપાટ પડેલો હતો તેને કંઇક શુદ્ધિ આવતાં, પ્રથમ કાન સચેત થવા પામતાં, સિંહની ત્રાડથી ગર્જના અને તેની સાથે જ બીજાં પ્રાણીઓની ચીસો એકદમ એ કાનમાં દોડી આવવા લાગી, અને આંખો ઉઘાડતાં એ ગર્જનાઓથી ગાજતો વીંઝાતો ત્રાસ વર્ષાવતો અંધકાર અને અંધકારસાગરને પેલે કિનારે ચાંચિયાઓની તરવારોની અણીઓ પેઠે ચળકતા ચમકતા તારાઓ દ્દૃષ્ટિમાં ઉપરાઉપરી ઊભરાવા લાગ્યા. સરસ્વતીચંદ્રના પંડિત વિચાર નાસી ગયા; કવિતા તો પાસે આવી જ નહીં; જ્ઞાનમાર્ગ તો સૂઝયો જ નહીં; માબાપ; કુમુદસુંદરી અને ચંદ્રકાંત પણ એના મનની દ્દૃષ્ટિ મર્યાદામાંથી ખસી ગયાં; મરણકાળે સૌને મૂકી એકલાં જવાનું તેવી જ રીતે આ મહાભયપ્રસંગે પણ સરસ્વતીચંદ્ર એકલાં જવાનું તેવી જ રીતે આ મહાભયપ્રસંગે પણ સરસ્વતીચંદ્ર એકલો અનાથ ભોંય નાખેલા જેવો કાળરાત્રિના ઘોર ભયભૈરવનું ઉગ્ર સ્વપ્ન જોવા લાગ્યો. ઊઠવાની જ શક્તિ નહીં તો નાસવાની ક્યાંથી હોય ? નાસીને પણ આ અજાણ્યા જંગલમાં અંધકારે કઇ દિશાએ જવું ? ગમે તો ભૂખ અને અશક્તિથી અથવા ગમે તો કોઇ ભયંકર પ્રાણીના મુખમાં આહુતિ પેઠે પડી, સંસાારને છેલ્લા નમસ્કાર કરવાનો પ્રસંગ પ્રત્યક્ષ લાગ્યો. તેની સાથે ભૂતકાળ દ્દૃષ્ટિ આગળ ખડો થયો. પિતા, કુમુદસુંદરી, અને પ્રિય ચંદ્રકાંતનાં દીન મુખ નેત્ર આગળ આવી ઊભાં, અને તે સર્વનાં, નેત્રમાંથી આંસુની અખંડિત ધાર વહેતી દેખાઇ. બોલવાની શક્તિ વગર, બોલ્યા વગર, સરસ્વતીચંદ્રનો આત્મા જ આ જોઇ રોવા લાગ્યો; સૌની ક્ષમા માગવા લાગ્યો; કરગરવા લાગ્યો; બ્રહ્મહત્યા જેવી સ્નેહહત્યા ફરી ફરી સાંભરી આવી તેના આખા શરીરને કંપાવવા લાગી; એની આંખોમાંથી આંસુ જાતે નીકળવા લાગ્યાં અને બેપાસ આંખના ખૂણામાંથી લમણા ઉપર થઇ કાન આગળ થઇ પૃથ્વી પર પડવા લાગ્યાં; તેની ઓશીત આવ્યા જેવું થયું; રોવાની શક્તિ હોત તો પોકેપોક મૂકી રોવાઇ જાત, પણ રોવા જેટલી શરીરમાં શક્તિ સરખી ન હતી તેથી શરીર અને મુખ રાંક થઇ ગયાં; લક્ષ્મીનંદન, કુમુદસુંદરી અને ચંદ્રકાંત એ શબ્દથી ભરેલા નિઃસ્વાસ અને પ્રાણ છાતીમાં ધડકવા લાગ્યા; એ નિઃશ્વાસ અને પ્રાણ હવે તો જાય તો સારું એવું ઇચ્છી તેનો માર્ગ મોકળો કરવા ગરીબડું મુખ પહોળું થઇ ગયું, પગ ચુસાવા લાગ્યા પણ હલાવવાની શક્તિ ન હતી, પેટમાં દાહ ઊઠવા લાગ્યો અને યમરાજના દૂતનાં પગલાંના જેવા ધબકારા સંભળાયા. અત્યારે એને કોઇ અગ્નિદાહ કરવા ન હતું; એના શબ પાસે મરણપોક મૂકનાર પણ ન હતું. માત્ર અંધકારભરેલું જંગલ ભયાનક અને ગંભીર દેખાવ ધારણ કરી ચારેપાસથી ત્રાડો નાખતું, મારેલા શિકાર પાસે ગાજતો વાઘ બેઠો હોય તેમ બેઠું હતું અને ખાવા ધાતું હતું.

એવામાં રસ્તાની એક બાજુ પરની ઝાડીમાં કોઇક ખખડાટ થયો, અને થોડી વારમાં એક મહાન અજગર-કાળો-નાગ ફૂંફાડા મારતો ઝાડીમાંથી રસ્તા ઉપર દાખલ થયો, અને ફુવારના પાણી પેઠે ઊઠળતો ઊછળતો સરસ્વતીચંદ્ર પડ્યો હતો એણી પાસ સમુદ્રના-અટકે નહીં એવા-મોજા પેઠે આવ્યો. સરસ્વતીચંદ્રના અશક્ત શરીરમાં એના ઘસારાએ અને ફુંફાડાએ અચિંતી લેશ શક્તિ આણી અન ઉઠાયું તો નહીં પણ નાગ આવતો હતો તે ભણી દ્દૃષ્ટિ ફેરવી અને યમદૂત જેવા નાગને એણે દીઠો અને તેની સાથે આંખો આકાશ ભણી હતી તેવી કરી દીધી. સગાંસ્નેહીના વિચાર, પશ્ચાત્તાપ, દીનતા, શોક, અને આંસુ એ સર્વ સંસારના પદાર્થોનો વીજળીની ત્વરાથી ત્યાગ કરી દીધો, ને મહામંગળ-સમય જેવા મરણકાળને વાસ્તે સરસ્વતીચંદ્ર આંખના પલકારા જેટલી વારમાં સજ્જ અને સાવધાન થઇ ગયો. આ સર્પ પોતાને ક્યારે ડસે છે તેની વાટ ધડકતા હ્ય્દયથી જોવા લાગ્યો. સર્વ સંસારનું હવે અવસાન આવે છે સમજી, ક્ષોભ તજી, તે શાંત થઇ ગયો. વિચારનો અવકાશ મળ્યે, ઊપજેલું મરણ-ભય, અવકાશ જતો રહ્યો તેની સાથે જતું રહ્યું. માત્ર આત્મરક્ષણની સાહજિક વૃત્તિ૧ સૂર્ય ગયા પછી પણ સૂર્યનાં કિરણ રસળે તેમ હજી રહી હતી અને એ વૃત્તિએ પણ એવું જ શીખવ્યું કે નાગની પાસે સચેતન દેખાવા કરતાં જડ દેખાઇ, જાય તે રસ્તે તેને જવા દેવો એ જ સારું છે. મહાસર્પ દોડતો દોડતો આવ્યો તે ક્ષણે સરસ્વતીચંદ્ર આવાં કારણથી હાલતો ચાલતો બંધ થઇ સ્તબ્ધ બની શ્વાસ રૂંધી પડી રહ્યો. સર્પ આડોઅવળો વાંકો થતો એની પાસે આવ્યો, પોતાના માર્ગનો અવરોધ કરતો એને દેખી એની ચારેપાસ પ્રદક્ષિણા કરવા લાગ્યો,અને અંતે પ્રથમ હતો તે પાસે આવી એની છાતી પર ચડી ગયો. સાપ પાંચ-છ હાથ લાંબો, ચારપાંચ આંગળ જાડો અને વિકરાળ હતો. તારાના તેજમાં એની તીવ્ર આંખો, ધોળી મૂછો અને કાંચળીમાંના પટા આભાસ ધરવા લાગ્યાં. પોતાની પહોળી મોટાં પાંદડાં જેવી અગ્રફણા ઊંચી કરી કંપાવવા માંડી સરસ્વતીચંદ્રની છાતી પર નાગરાજ ડોલવા અને ભયાનક ડાકલી વગાડવા લાગ્યો. સરસ્વતીચંદ્રના ધૈર્યની સીમા આવી ગઇ અને સાપ કરડ્યો હોય એવી જ વૃત્તિ આ દેખાવ જોઇ એને થઇ ગઇ. તેના ઓ, નખ અને દાંત કાળા પડ્યા હશે તે તો અંધારામાં શું જણાય પણ તે સર્વમાં શીત વ્યાપી ગયું, કાન બહેરા થઇ ગયા, શરીરમાંથી લોહી ફટકી ગયું, અને આત્મા શબ જેવા શરીરમાં માત્ર સાલ્લીરૂપે રહ્યો.

પાચં સાત મિનિટ સુધી વિષયમ પ્રાણી આ શરીર ઉપર આમતેમ ફર્યો અને એના ભાર નીચે ચગદાતા ગયા તેમ તેમ શરીરના અવયવ એક પછી એક મરી ગયા જેવા થયાં અંતે એકદમ પૂંછડું જોરથી સરસ્વતીચંદ્રના મોં પર ઝાપટી, શરીર ઉપરથી ઊતરી, સાપ સામે રસ્તે ચાલ્યો ગયો. તે પળે “ઓ કરડ્યો !” એવી વેદના સરસ્વતીચંદ્રના રહેલા ભાનના અંગારામાં વિષ૨ પેઠે વ્યાપી ગઇ અને તેની સાથે એ અંગારો હોલાઇ ગયો. જંગલ પાછું હતું તેવું થઇ ગયું; સરસ્વતીચંદ્રના હ્ય્દયના ધબકારા પણ બંધ થઇ ગયા; એને ધારણ કરનારી રાત્રિચિતામાં અંધકાર ભડભડ લાગવા માંડ્યો; અને જંગલસ્મશાનમાં પ્રાણીબંધુઓની પોકેપોકે ચારેપાસ ગાજી રહી અને આકાશને ભેદવા લાગી. કઠણમાં કઠણ કાળજાં ચીરી નાખે એવી મરણપોક જેવી સિંહગર્જના બીજા સર્વ નાદને ડુબાવી દઇ એકલી સંભળાવા લાગી અને દશે દિશાએ ઘોર શૂન્ય અંધકારમાં યમને ખોળે પડેલા સરસ્વતીચંદ્રની પ્રાણયાત્રાના અવસાનના સાક્ષીભૂત થવા, એ સૂતો હતો ત્યાંથી ફરતા બેત્રણ ગાઉ સુધીમાં કોઇ માનવી આ ભયંકર પ્રહરે હશે એવી કલ્પના પણ થવાનું કારણ ન હતું. ચારેપાસનું જંગલ, પૃથ્વી, આકાશ અને સર્વ દિશાઓ એકદમ આ પુરુષના પ્રાણને વાસ્તે પોકારતી હતી એને એ પોકાર અંધકારમાં પડઘા પામી ગાજી ઊઠતો હતો. “ઓ સરસ્વતીચંદ્ર !” - “સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! ઓ ! ઓ !....” એવી લંબાતી કારમી ચીસ આખા અરણ્યમાંથી ઊંચા તાડોનાં વચાળાંમાં થઇને નીકળતી લાગતી હતી, અને ઠેઠ મનહરપુરીમાં પહોંચી ચંદ્રકાંતનાં હ્ય્દયને ચીરતી હતી, અને સુવર્ણપુર સુધી પહોંચી ગરીબ કુમુદસુંદરીની આંખોમાંથી ઊંઘને હાંકી કાઢી આંસુનો સાગર ઉભરાવતી હતી અને અમાત્યનો મહેલ અને પ્રમાદધનનું રંગભવન તેને મન સ્મશાન જેવું કરી દેતી હતી.

માનવીનો પગસંચાર આ અરણ્યમાં થવો અસંભવિત હતો તેવે આ પ્રહરે જે રસ્તે સરસ્વતીચંદ્ર શબવત્‌ પડ્યો હતો તે રસ્તાપર કેટલેક છેટે પૂર્વ દિશામાં ભૂતાવળી જેવું એક ટોળું આવતું હતું. એ ટોળું બહારવટિયાઓનું ન હતું, કારણ એ લોક તો ક્યારના વડ આગળથી વેરાઇ ગયા હતા. અત્યારે રાત્રના અગિયાર વાગ્યા હતા, અને રાત્રિ વધી તેમતેમ ભયંકર થતી ગઇ, ભયંકર પશુઓની ચીસો વધતી ગઇ, અને ઘુવડ ઠેકાણે ઠેકાણે નીકળી પડી ઘૂઘવવા લાગ્યાં. જંગલમાં પડતી ચીસોની પ્રત્યુત્તર મનહપુરીની શેરીઓના કૂતરા મોટં સાદે કરવા લાગ્યા અને તેમનું ભસવું અને રોવું આ રસ્તા સુધી સંભળાવા લાાગ્યું. આકાશમાં તારાઓના પોપડેપોપડા બંધાયા અને તેમનું તેજ એકાંત ભયસૂચક લાગવા માંડ્યું. ક્વચિત્‌ એકદા રડીખડી કાળાશ મારતી નાની વાદળી સિવાય જ્યાં જુઓ ત્યાં તારા જ તારા અને વચ્ચે ભયંકર કાળું આકાશ. ઝાકળ પણ પડવા માંડતું હતું અને ભયભીત જગતને શરીરે પરસેવા પેઠે એકઠું થઇ સર્વને ઠંડાગાર કરી નાંખી કંપાવતું હતું. ત્રિભેટાની પૂર્વ ભણીથી આ ઘડીએ ભયંકર ભૂતાવળી જેવું એક ટોળું આવતું હતું અને રાત્રિની ભયંકર ભૂતાવળી જેવું એક ટોળું આવતું હતું અને રાત્રિની ભયંકરતાને વધારતું હતું.

આ ટોળાંની આસપાસ કેટલાક જણ વાંસના ભારા બાંધી તેને મશાલો પેઠે સળગાવી ચાલતા હતા. એ ઊંચા વાંસની મશાલો વગરતેલે બળતી હતી અને તેનાં શિખરો ઉપર બળતા રાતાપીળા ભડકા ઘણેક છેટે સુધી પ્રાકસ નાંખતાં હતા, અને ઝાડો અને તાડોની વચ્ચે અંધકારના, ઊંચા શિખરકળશ જેવા લાગતાં હતા. કોઇ કોઇ વખત તો વાંસોની ગાંઠો બળતાં ફૂટતી અને ચારેપાસ તેના તણખા કડાકા કરતા ઊડતા હતા. આ ટોળામાં સર્વેએ માથે શિવના ગણની પેઠે મોટી જટાઓ ઊંચી બાંધી લીધી હતી અને કાળા વાળની ઊભી ગડો અજવાળામાં મોટા સાપની પેઠે ચળકતી હતી અને જટાઓ ઊભા રાફડાઓ જેવી લાગતી હતી. આ ટોળું બાવાઓનું હતું અને તેમના પગનો ઘસારો ઘણે છેટેથી સાંભળીને સાપ સરસ્વતીચંદ્રના શરીર પર પળવાર સ્તબ્ધ ઊભો રહ્યો હતો અને તે ઘસારો તથા પ્રકાશ દુરથી પાસે આવતો સમજી એકદમ નાસી ગયો હતો.

નાગ ગયો અને થોડીક વાર થઇ હશે એટલામાં તો બાવાઓનું ટોળું સરસ્વતીચંદ્રનું શરીર પડ્યું હતું તે જગા આગળથી દ્દૃષ્ટિગોચર થયું. આશરે ત્રીસચાળીસ બાવાઓનું ઝુંડ હતું અને સૌની વચ્ચે એક રથ હતો તેને બળદ ન જોડતાં બાવાઓ જ ખેંચતા હતા. બાકીના બાવાઓમાંથી કેટલાક હાથમાં કરતાલ, ડફ, કાંશીઓ વગેરે લેઇ વગાડતા હતા. કેટલાક પાસે માત્ર મશાલો જ હતી. કેટલાકની પાસે લાંબી ઉઘાડી તરવારો હતી અને તરવારવાળાઓ રથની આસપાસ અને ટોળાની આસપાસ ચોગમ આંખો ફેરવતા હતા. એક જણનની પાસે ભગવા રંગનો ઊંચો ઝંડો હતો તે રાત્રે પણ ઉનાળાના પવનના સપાટાથી ફરફરતો હતો અને મશાલોના વીંઝાતા ભડકાઓની ભભક સામે વીંઝાતો હતો અને લાલ ભગવો રંગ ભડકાઓના રંગથી રંગાઇ ચારેપાસના અંધકારમાં સૌથી ઊંચે જાતે એક ભડકો જ હોય તેમ ભભક મારતો હતો. રાખથી ભરેલી જટાઓ, ભસ્મથી ભરેલાં માળાઓના ભારાથી લચી પડતાં, અર્ધા ઉઘાડાં અને અર્ધા ભગવે લૂગડે ઢંકાયેલાં, કાળાં પ્રૌઢ બળવાન શરીર, આકાશ સુધી ગાજી નીકળતી સિંહવાઘને પણ ડરાવતી, આખા વનમાં પડઘા ભરતી જાડી ફાટી ભજનની નિર્ભય બૂમો, અને એકાંત ભયંકર જંગલમાં ભજનની લેહમાં ઉન્મત્ત પડતા પગના ધબકારા : આ સર્વથી આ અલમસ્ત જોગીઓનું ટોળું આખા જંગલને, ચડાઇ કરી, સર કરતું લાગતું હતું સિંહવાઘનાથી ત્રાસ થાય તેના કરતાં આ સ્થળે આ સમયે તેમની આ દશાનું દર્શન માણસની છાતીને ઓછી કંપાવે તેવું ન હતું. ફાળો ભરતા ભરતા, ત્રાડો નાંખતા નાંખતા, મશાલોની ઊંચી ઝાળોની ગુફાઓમાંથી ઉછાળા મારતા હોય તેમ, ધસતા ધપતા સર્વ બિહામણા બાવાઓ સરસ્વતીચંદ્રના શરીર પાસે આવી પહોંચ્યા. તેમના શરીર પર જુદે જુદે ઠેકાણે કરેલાં ગોપીચંદન, કંકુ અને સિંદૂરનાં છાપાંતિલકને લીધે મોટા વાઘના ટોળાના જેવા તે લાગતા હતા. તેમના ખડખડતા લાંબા કાળા ચીપિયા મોટા નાગની પેઠે તેમની કેડોથી, ખભાથી અથવા હાથથી લટકતા હતા. સૌના ખભા પાછળ હોડકાના આકારનાં જાડાં લાંબાં લાકડાનાં ભિક્ષાપાત્ર નાખી દીધાં હતાં અને ભરેલી ભગવી ઝોળીઓ સૌની બગલો નીચે ઝોળા ખાતી હતી. મહારુદ્રની આસપાસ વીંટાઇ વળી આવતા ભયંકર ગણેના ટોળા પેઠે આ ટોળું ફાળો ભરતું સરસ્વતીચંદ્રના શરીર પાસે આવી પહોંચ્યું, અન એ શરીર ચગદાઇ જાય તે પહેલાં મશાલોનું અજવાળું એના પર પડવાથી સૌની આગળ ચાલતો બાવો ચમક્યો, ખચક્યો, એ શરીર પર દ્દૃષ્ટિ નાખી ઊભો રહ્યો, અને તેની સાથે જ સર્વ ટોળું ઊભું રહ્યું, નિશ્ચેષ્ટ થયું, એકદમ બોલતું બંધ થઇ ગયું અને ગાાડીમાંથી જોગીશ્વરે બૂમ પાડી : “મોહનપુરી ! શું છે ?” આગળ ચાલતા બાવા મોહનપુરીની આસપાસ તરવારબંધ કેટલાક બાવા મોહનપુરી બોલ્યો : “ગુરુજી, માણસનું શરીર શબવત્‌ પડેલું છે.” ન્યાળતો ન્યાળી બોલ્યો : “આજ્ઞા હોય તો સ્પર્શ કરીને જોઉં કે જીવે છે કે શબ છે.” પરીક્ષા કરી સર્વેએ ઠરાવ કર્યો કે જનાવરે એને માર્યો નથી અને એ મરી ગયો નથી. ગુરુજીએ ધ્યાન ધરી આજ્ઞા કરી : “બચ્ચા, એ પુરુષને ઊંચકી લે. શ્રી જગદીશની અચ્છા છે કે સુંદરગિરિના મઠનો આ પુરુષ ઉત્કર્ષ કરશે અને ત્યાંના સાધુગોસાંઇઓ જતે દિવસે એના આશ્રિત થઇ રહેશે. બચ્ચા, એને જીવની પેઠે જાળવજે ! એ મહાપુરુષ થશે અને સાધુસંત એના ચરણારવિંદની સેવા કરશે !”

ત્રિકાળજ્ઞાની ગણાતા જોગેશ્વરનું આ અણધાર્યુ વચન સાંભળી સર્વ સ્તબ્ધ થઇ ગયા. સરસ્વતીચંદ્રના શરીરને બળવાન મોહનપુરીએ બાળકના શરીરની પેઠે પોતાનાં ખભે નાખ્યું. આવ્યા હતા તેવા જ સર્વ કીર્તન કરતા ચાલ્ય. આગળ જતાં આખું જંગલ બળતું હતું અને ગાઉના ગાઉ સુધી ભયંકર દવ પ્રગટી રહ્યો હતો. ઠેકાણે બળતાં વાંસોની ગાંઠો ફૂટતી હતી અને તણખા ઊડતા હતા. નાનાંમોટાં પશુઓ પરસ્પર-વિરોધ ભૂલી જીવ સાચવવાની સર્વમાન્ય ઇચ્છાને વશ થઇ દોડધામ કરી રહ્યાં હતાં. ઊંઘેલાં પક્ષીઓ માળાની સાથે બળી જતાં કારમી મરણચીસો નાખી શાંત ભસ્મ બની જતાં હતાં. દવના પ્રકાશથી અને ધુમાડાથી ઊભરાતા આકાશમાં પણ આગ લાગેલી જણાતી હતી. આ ભયંકર દવથી બળતા જંગલ વચ્ચે માર્ગ શોધી કાઢી આગમાં પ્રવેશ કરતું હોય, દવ વચ્ચે ચાલતું હોય, અગ્નિલોકમાં જીવતું હોય તેમ જોગીઓનું ટોળું પ્રકાશમાં, તાપમાં, ભડકામાં લીન થઇ ગયું, અદ્દૃશ્ય થઇ ગયું. મોહનપુરીના ખભા ઉપર પડેલા સરસ્વતીચંદ્રના ઉત્તમાંગમાં લટકતાં લોચનકમળ, તાપને બળે ઊઘડ્યાં હોય તેમ પળવાર ઊઘડી, આ ચિત્રસ્વપ્નને જોઇ કંઇ પૂછ્યા વિના, બોલ્યા વિના, વિચાર્યા વિના, પાછાં મીંચાઇ ગયાં, અને એ પણ આખરે અદ્દૃશ્ય થઇ ગયાં.