Saraswati Chandra - Part 2 - Ch. 9 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર

ભાગ : ૨

ગુણસુંદરીનું કુટુંબજાળ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૯

પ્રાતઃકાળની તૈયારીઓ

સુવર્ણપુર અને મનોહરપુરી વચ્ચેનો રસ્તો સુભદ્રા ઉપર પુલ ઉપર થઇને જતો હતો; એ પુલ પાકા પથ્થરનો બાંધેલો હતો અને એની નીચે કરેલી કમાન તળે થઇને નદી ઘુઘવાટ કરતી ચાલી જતી હતી. સમુદ્ર પાસે હોવાથી ચૈત્ર માસ છતાં પણ પાણી માથોડું માથોડું રહેતું અને પુલ આગળ તો ઊંડાણ હતું. ઊંડાણમાં ધસી પડતું અને કમાનમાં અટકી જોરથી માર્ગ કરતું પાણી કમાનથી બહાર નીકળતાં બે પાસની ભેખડોને કાપતું તે એવી રીતે કે અજાણ્યું માણસ ત્યાં ઊભું રહે તો ભેખડ ભાંગે ને માણસ નદીમાં પડી જાય. અહીં આગળ નદીમાં તાણ એટલું હતું કે મોટા મોટા તારાઓ પણ તરવાની છાતી ચલાવતા ન હતા.

આજની મધ્યરાત્રિ પછી આ જગાએ અંધકારમાં છાનીમાની ધામધૂમ થવા માંડી. બરોબર બારેક વાગે શંકર મહારાજ હાથમાં જાડી ડાંગ લઇ આ રસ્તેથી સુવર્ણપુરની વાટે દોડ્યો, અને ઘોરી રસ્તાથી આડું ગાઉ ઉપર સુવર્ણપુરના તાબાનુંગામડું હતું ત્યાં ફલંગો મારતો ગયો. જંગલનાં ક્રૂર પ્રાણીઓનીતેમ સુરસંગની બીક રાખવાનું છોડી દઇ આ શૂર બ્રાહ્મણ નકાળજો થઇ ગયો હતો, અને બીજાં વાઘવરુમાનું એ પણ એક પ્રાણી હોયતેમ જતો આવતો. એને ગયે બેત્રણ કલાક ભાગ્યે થયા હશે એટલામાં તો મનહરપુરીથી નીકળેલી જથાવાળી ઘોડેસવારોની ટુકડી બેધડક સરિયામ રસ્તે થઇને આવી, પુલ છોડતાં પહેલાં તરત એ ટુકડીના બે ભાગ પડ્યા, એક ભાગને લઇ વૃદ્ધ માનચતુર અને અબદુલ્લો આગળ ધસતા ચાલ્યા, બીજો ભાગ લઇ ફતેહસંગ પુલ નીચે રસ્તાની એક પાસ રહ્યો, તેમાંથી બેચાર જણાઓ ઘોડા ઉપરથી ઊતરી મોટાં તાપણાં સળગાવવા લાગ્યા, અને ચારે બાજુએ નજર નાખતું સાવધાન રહી સૌ મંડળ શૂરી વાતોમાં રાત્રિ ગાળવા લાગ્યું. એ પછી પા કલાક થયો નહીં હોય એટલામાં તો ત્રિભેટાના વડથી આણીપાસ બબ્બે ગાઉ સુધી હેરાફેરા કરતા મનહરપુરીના માણસોની બૂમો સંભળાવા લાગી; “ખમા મહારાજ મણિરાજને !” “નાસો ! નાસો ! મણિરાજના શત્રુઓ જ્યાં હોય ત્યાંથી નાસો !” જ્યારે પુલની દક્ષિણે તાપણીઓના ઊંચા ભડકાઓ ચોપાસ અને આકાશમાં વિકરાળ સિંદૂર જેવી જ્વાળાઓ ફેલાવતા હતા, ધુમાડાના ગોટેગોટ તારામંડળને રાહુ પેઠે છાઇ દેતા હતા, અને તાપ ભડુક કરતો ગાજતો હતો, ત્યારે ઉત્તર પાસે મણિરાજના વિજયધ્વનિ આવી રીતે ગાજી રહેવા લાગ્યા. માનવી તો અહીં આવે ત્યારે પણ જંગલમાં આજના આ અપૂર્વ ઠાઠથી સિંહવાઘ જેવાં પ્રાણીઓ તો અત્યારથી જ દિવસ ઊગ્યો હોય તેમ શાંત થઇ જવા લાગ્યાં અને આશ્ચર્યથી શું થાય છે તે જોવામાં ચિત્ત પરોવવા લાગ્યાં-જંગલનાં પ્રાણીઓ ઉપર તો મણિરાજની આણ વર્તાઇ ચૂકી ! પુલ આગળ થતા ભડકાનાં પ્રતિબિમ્બ અને આસપાસ પડતા મણિરાજના નામના વિજયધ્વનિના, પ્રતિધ્વનિ, એ ઉભય સુભદ્રાના વહેતા પાણીમાં ઊછળતાંઊછળતાં દૂર જતાં હતાં અને રત્નનગરીના પ્રધાનની પુત્રીના માર્ગમાંથી સર્વ અમંગળ હાંકી કાઢવા વીરધ્વજ ફરકાવતાં હતાં.

આણીપાસ સુરસિંહના માણસો રાવણામાંથી વેરાઇ પોતાના સરદારે બતાવ્યા પ્રમાણે વહેંચાઇ ગયાં હતાં અને દરેક ટુકડી પોતાના નાયક સાથે આસપાસના જંગલમાં વેરાયેલાં ગામડાંમાં પાંચેક કલાકની અસ્વસ્થ નિદ્રા ભોગવવા વેરાઇ ગઇ હતી. કોઇક ગામડાં ઉજ્જડ હતાં અને ઉજ્જડ થઇ ગયેલી વસ્તીનાં બાકી રહેલાં ગોઝારાં ઘર સિવાય તેમાં કંઇ ન હતું. કોઇક ગામડામાં જૂજ વસ્તી હતી તો સુરસિંહનાં માણસો પડ્યાં રહેવા આવે તેને ના કહેવા છાતી ચલાવે એટલા ચોકીદારો ત્યાં ન હતા. આવી જગ્યાઓમાં ભોંય ઉપર અથવા ઘાસ છાતી ચલાવે એટલા ચોકીદારો ત્યાં ન હતા. આવી જગ્યાઓમાં ભોંય ઉપર અથવા ઘાસ ઉપર અથવા ઓઢવાની ચાદર ઉપર જેને જેમ ફાવ્યું તેમ પથારી કરી, તરવારો પથરા ઉપર અથવા માથે બાંધવાનાં ફાળિયાં ઉપર અથવા ઢાલ ઉપર ઉશીકાં કરી, તરવારો કેડે રાખી, કામઠાં અને ભાલોડાં ઉપર હાથ રાખી બચ્છીઓ અને ડાંગો ઉપર પણ નાંખી, અર્ધા ઊંઘતાં અર્ધા જાગતાં પ્રતાપસિંહ, વાઘજી, ભીમજી અને ચંદનદાસના માણસો જુદેજુદે ઠેકાણે સૂઇ ગયાં. તેમાંના થોડાક નાની નાની તાપણીઓ સળગાવી, આસપાસ ભરાઇ, ચારેપાસ નજર ફેરવતા, ચોકી કરતા બેઠા, ચલમો ફૂંકવા લાગ્યા, વચ્ચેવચ્ચે ઝીણીઝીણી વાતો કરી નિદ્રાને દૂર કાઢી મૂકવા લાગ્યા, અને જેમજેમ રાત ચાલતી ગઇ તેમ તેમ ઊંચે તારાઓ ભણી નજર કરી સૌને ઉઠાડવાને અને ચાલવાને બાકી રહેલો વખત માપવા લાગ્યા.

ઉભય પક્ષનાં માણસોએ રાત્રિ અધિરાઇ અને આતુરતાના ઉજાગરામાં ગાળી. સુરસંગ અને તેના માણસોને કાંઇક નિશ્ચિંતતાનું કારણ એટલું હતું કે પોતાની છાતી વાતોની કોઇને પણ ખબર પડી હશે એવી તેમને કલ્પના સરખી પણ ન હતી. તેઓએ સૌ જાતની તૈયારી રાખી હતી, હતી, પણ આટલે સુધી તેમનાં મન તૈયાર ન હતાં. વિદ્યાચતુરની રાજનીતિનું એક ધોરણ એ હતું કે સૌ વાત એને પોતાને કાને આવે એટલું જ નહીં પણ જેને જે કામ સોંપ્યું હોય તે માણસ તે કામ બાબત ચારેપાસની ખબર રાખે. દેશી રાજ્યમાં ઘણુંખરું એમ બને છે કે હાથ નીચેનાં માણસો વિશ્વાસયોગ્ય હોતાં નથી ને તેમના ઉપર વિશ્વાસ રાખવામાં આવતો પણ નથી. આનું પરિણામ એવું થાય છે કે માણસોને કામ સોંપ્યા વિના તો ચાલતું નથી, છતાં અવિશ્વાસને લીધે કામ કરવાની સ્વતંત્રતા આ માણસોને આપવામાં આવતી નથી. આમ પરતંત્ર થયેલાં માણસ કામ સાધવાની વૃત્તિ રાખવા કરતાં ઉપરીને ખુશ રાખી પોતાને માથે જોખમ નન આવે એવા માર્ગ લેવા તત્પર હોય છે. આ સૌ માણસનું કામ એક ઉપરી રાંજા અથવા પ્રધાન કરી શકતો નથી અને કામ બગડે છે. આવી રીતે કામ બગડે તેનો દોષ કોઇ નિર્જીવને માથે પડે છે. અંગ્રેજી રાજ્ય જેવા અતિ વિસ્તારી રાજ્યમાં સૌ માણસો ઉપર દેખરેખ રાખવી અશક્ય છે અને તેથી માણસોની સ્વતંત્રતા તેમ જોખમ ઓછાં કરી નાંખી “કાયદા” ને માથે કે રાજ્યધોરણને માથે દોષ નંખાય તેનો ઉપાય નથી. પણ નાનાંસરખાં દેશી રાજ્યમાં તો નોકરનાં ઉપર પૂરી જવાબદારી રાખવી, તે જ્વાબદારી જેટલી પૂરી સ્વતંત્રતા આપવી, અને કામ સરે એટલી દેખરેખ રાખવી, એ સર્વ બની શકે એવી વાત છે, અને એ વાત બની શકે તો અંગ્રેજી રાજ્ય કરતાં ઉત્તમ રાજ્ય થાય એવો વિદ્યાચતુરનો સિદ્ધાંત હતો. કેટલાક મૂર્ખ રાજાઓ નોકરો ઉપર અતિ વિશ્વાસ રાખે છે તેા કરતાં અર્ધદગ્ધ રાજાઓ અવિશ્વાસ રાખે છે તે અતિભૂંડું છે એમ વિદ્યાચતુર માનતો હતો, એટલું જ નહીં પણ એ ધોરણ રાજાઓને તેમ તેમના પ્રધાનોને પણ લાગું છે એવું માની તે પ્રમાણે વર્તતો. જુવાન મણિરાજને પ્રફુલ્લ વદનથી હંમેશ એમ જ કહેતો કે “યશસ્વી મહારાજ ! આપણે એવાં શું હોઇએ કે વિશ્વસનીય માણસો શોધતાં આપણને ન આવડે ? જે માણસ વિશ્વાસ રાખવા યોગ્ય નથી તે આપની સેવાને યોગ્ય નથી. જો આપના સેવક વિશ્વાસપાત્ર હોય તો તે આપની સેવા કરવા જેટલી સ્વતંત્રતાને પણ પાત્ર છે. આપણે કામની સાથે કામ છે. કામ કરનાર આપની ઇચ્છા પ્રમાણે જ ઊઠે બેસે ને કામ કરે એવો કંઇ અભિપ્રાય ન હોવો જોઇ. આપને કિયા માર્ગ અનિષ્ટ છે તે દરેક સેવકે જાણવું જોઇએ; તે અનિષ્ટ માર્ગથી દૂર રહી ઇષ્ટ કામ ગમે તે દ્ધારે સાધે એટલી સ્વતંત્રતા અને પ્રવીણતાવાળાં માણસ રાખવાં એ આપનું અને આપના પેટામાં મારું કામ છે. વિશ્વાસ વગરના અને અસ્વતંત્ર સેવકો ઉલ્લાસ વગર કામ કરે છે, ઉલ્લાસ વગર કોઇ સાધન થતીનથી અને વેઠિયાવાડ થાય છે. માણસને સ્વતંત્રતા મળ્યાથી તેમાં ઉલ્લાસ આવે છે, ઉલ્લાસથી કામ કરવાના માર્ગ શોધવામાં તેની બુદ્ધિ ખીલે છે, બુદ્ધિશાળી સેવકો એટલું તો સરત રાખી શકશે કે આટલી વાત ઉપરીને અનિષ્ટ છે. સાધારણ માણસો વ્યાપારમાં રત્ન વગેરે જડ પદાર્થોની પરીક્ષા કરે છે; મહામૂલ્યવાન પુરુષરત્ન રાજાઓનાં રાજ્યનાં ભૂષણ છે એટલું જ નહીં પણ એ રત્નોના પ્રકાશથી જ રાજ્યનું દારિદ્રય ફીટે છે અને રાજ્યનું અંધેર-અંધારું નાશ પામે છે. મહારાજ ! એ રત્નો વગર રાજ્ય નથી એ વાત ખરી છે તેમ એ રત્નોના શોધનાર, પરીક્ષક, ગ્રાહક અને ઉત્તેજક તે તો ડાહ્યા અને બુદ્ધિશાળી રાજાઓ જ છે.” મણિરાજના રાજદર્પનો તિરસ્કાર ન થાય તેમ આ સર્વ બોધક વિચાર તેના ઉત્સાહ મનમાં ભરી, તે વિચારનો આધાર ચતુર વિદ્યાચતુર કરી દેખાડતો હતો. જેમ ખૂણેખાંચરે પડેલી સંતાયેલી લોહની કણિકાઓને લોહચુંબક શોધી કાઢે તેમ વિદ્યાચતુર શોધી કાઢે તેમ વિદ્યાચતુર પુરુષરત્નોને ખોળી ખોળી શોધી કાઢતો, પુરુષરીક્ષા સૂક્ષ્મતાથી કરતો, ગુણ પ્રમાણે પરીક્ષિત જનને પ્રતિષ્ઠા આપતો-કામ આપતો-વિશ્વાસ બતાવતો-સ્વતંત્રતા આપતોકામ લેતો-અને તેથી જ આનંદ લેતો અને આપતો. દરેક માણસને એમ અભિમાન રહેતું કે આ રાજ્યનો સ્તંભ તો હું છું અને તે છતાં ઉપરી પાસે મન નિરભિમાન રહેતું. ઉપરીઓ હાથ નીચેનાં માણસ પાસેથી, અને હાથ નીચેનાં માણસો ઉપર પાસેથી કામ શીખતાં અને કામ લેતાં. સદ્‌ગુણી અને શુદ્ધ રાજનીતિના સામાન્ય નિયમ પરસ્પર વાતચીતથી અને પરસ્પર દ્દૃષ્ટાંતથી સૌ ગ્રહી લેતાં. સેનાધિપતિના ધ્વજ ઉપરથી-શબ્દ ઉપરથી-દ્દૃષ્ટિપાતથી, આખી સેના એક કાર્યે સાથે લાગી સરખાં પગલાં ભરવા માંડે તેમ વિદ્યાચતુરના રાજ્યમાં થતું. એ રાજ્યતંત્ર જાતે જ એક જાતની શાળા થઇ પડી હતી. કુમુદસુંદરીના રક્ષણને અર્થે થયેલી યોજના આ જ શાળાનું પરિણામ હતું. ફતેહસંગ, અબ્દુલ્લો અને હરભમ ત્રણે જણ રાજ્યના નાના પણ કસાયેલા અધિકારીઓ હતા અને એમના ઘણાક ગુણ રત્નનગરીના ઘણાખરા અધિકારીઓમાં હતાં એમ કહીએ તો અતિશયોક્તિ ન થાય. એમની નિમણૂક વિદ્યાચતુરે જાતે કરી ન હતી. તેમને શું કામ કરવું તે કહેવામાં આતવું હતું, કિયે માર્ગે જવું તે બતાવવામાં આવતું હતું, અને તે માર્ગે કેમ જવું તે એમની બુદ્ધિ ઉપર જાગૃત દ્દૃષ્ટિથી તપાસતા. આવી રીતે સત્તાના સૂત્રના તાંતણા સર્વ સેવકોના હાથમં વણવા અપાતા. ચારચક્ષુ રાજાનું ચારકર્મ આ સેવકોએ એવી રીતે કર્યું કે પ્રધાનપુત્રીના રક્ષણનો માર્ગ વેળાસર લેવાયો. વૃદ્ધ માનચતુરે તેમને યોગ્ય માર્ગ બતાવ્યો. ત્રણ સત્તાના સીમાડાઓ વચ્ચે એવો પ્રતાપ જગાડવો કે શસ્ત્ર વાપર્યા વિના શત્રુ ડરી જાય અને પારકી સત્તા નીચેના પ્રદેશમાં શસ્ત્ર વાપરી પરરાજ્યમાં ન્યાયધીશો પાસે આરોપી ન થવું પડે; આ અને એવા બીજા પ્રયોજનવાળો માર્ગે માનચતુરે બતાવ્યો તેની સાથે જ સાંભળનારા સમજી ગયા અને ત્વરાથી તે માર્ગે પ્રવર્ત્યા. વધારે સૂચનાની કોઇને અગત્ય ન પડી. કળવાળા વાજાને એક ઠેકાણે વગાડે એટલે ભૂંગળીઓમાંથી રાગ નીકળવા માંડે તમ માનચતુરની આજ્ઞાઓ ઝિલાઇ.

અબ્દુલ્લો, મુખી અને ફતેહસંગ સર્વને પોતપોતાની શક્તિ બતાવવાનો ઉમંગ હતો. પણ ઉમંગનો પ્રસંગ તેમના હાથમાં ન હતો. પણ હરભમનો તો એ પ્રસંગ જાતે જ શોધવાનો હતો.

જ્યારે રાત્રિના પહેલા પ્રહરમાં બહારવટિયાઓ વડ નીચે મળ્યા હતા ત્યારે તેમની સર્વ વાત હરભમે જ વડની ડાળોમાં રહી જાણી લીધી હતી. મનહરપુરીમાંથી નીકળી સુરસંગની પૂંઠ લેવાનું કામ તેને માથે આવ્યું અને તે કામમાં સુરસંગનો પત્તો મેળવવાનું તેને માથે આવ્યું. શૂરકાર્યમાં ચારકર્મ ભેળવવાનું નાનુંસરખું પણ દુસ્તર કામ કરવામાં હરભમને કાંઇક ખાસ આનંદ મળતો અને એ આનંદથી એની બુદ્ધિ ખીલતી. જ્યારે માનચતુર અને બીજી સર્વ ટુકડીઓ સુવર્ણપુરને માર્ગે વળી ત્યારે હરભમ પોતાનાં વીણી કાઢેલાં માણસો લઇ બીજે જ માર્ગે નીકળ્યો. પૂર્વ દિશાના આંબાના વનમાં અંગ્રેજી હદનાં ઘણાંક ખેડાં ગામડાંમાં એણે પોતાની બુદ્ધિને મોકલી. કેટલાંક મુખ્ય ગામડાંમાં જાતે ફરી વળ્યો; કેટલાંક ગામડાંને પાદર રહી માણસો દ્ધારા સમાચાર પ્રસાર્યો; કેટલાંક આઘેનાં ગામડાંમાં રાત્રિને વખતે જતો આવતો કોઇ ચોર અથવા વિરલો મુસાફર મળી આવ્યો તો તેની સાથે પણ વાત મોકલ્યા. જ્યાં મિત્રો હતા ત્યાં ત્રણે વાનાં કર્યા; જ્યાં અજાણ્યાં માણસો હતાં ત્યાંથી માત્ર સમાચાર મેળવ્યા; જ્યાં સુરસંગના માણસ હતા ત્યાંથી સમાચાર મેળવવા પ્રયત્ન કર્યો, એટલું જ નહીં પણ સુરસંગને પહોંચાડવા ખરાખોટા સમાચારના ગોળા ફેંક્યા. સર્વ ગામોમાં બેધડક સમાચાર ફેલાવ્યા કે સુરસંગની વાત રત્નનગરી અને સુવર્ણપુર સુધી પહોંચી ગઇ છે અને પ્રાતઃકાળમાં બહારવટિયાઓ કંઇ પણ શિક્ષાપાત્ર અપરાધ કરવો આરંભે એટલી જ વાટ જોવી એ હુકમ લઇ, તે વાટ જોતાં અપરાધીઓ જાળમાં ફસે એટલે તેમને પકડવાને જોઇએ એટલું લશ્કર બે સંસ્થાનો તેમ અંગ્રેજી રાજ્યમાંથી આવેલું પ્રાતઃકાળે માલમ પડશે. સુરસંગનો પત્તો લાગવો આ અંધકારમાં જંગલમાં થોડા વખતમાં કઠણ હતો પણ હરભમે આ આટલું કામ કર્યું તે સુરસંગને કાને જવા પામ્યું, તેની અને તેના માણસોની હિંમત રાત્રિથી નરમ પડી, અને ગામેગામના મુખીઓ અને રખેવાળ પ્રાતઃકાળની વાટ જોતા પોતપોતાની હદમાં સાવધાન થઇ ગયા.

ભયંકર પ્રાણીઓવાળા આ જંગલમાં અંધકારને સમયે ફરવાની છાતી ચલવે, ઉતાવળા થયા વિના સાવધાનપણે અગમચેતી વાપરે, ચતુરાઇનું શેતરંજ રમતાં પાછી પાણી કરે નહીં-એવા વિદ્યાચતુરના અનુકારક સેવકોમાંનો આ એક હરભમ, આખી રાત આઘડી, સુભદ્રા ઉપર એક એવે સ્થાને રહ્યો કે જ્યાંથી પોતાનાં અને સામાના સર્વ પાસનાં માણસોના સમાચાર મળે અને તેમાંથી જેમાં ભળી જવું હોય તેમાં ભળી જવાય. એણે એવી કલ્પના કરી કે સુરસંગને કોઇ એવે ઠેકાણે રહેવું પડશે કે ત્યાંથી પ્રતાપ, વાઘજી અને ભીમજી સર્વની દોરીઓ હાથમાં રહે. આવું ઠેકાણું સુરસંગ ક્યાં શોધી કાઢશે તેનું અનુમાન કરી, સુરસંગ પોતાને ઠેકાણેથી છાનોમાનો નીકળી ન જાય પણ તેની પૂંઠ લેવાય એટલું એની પાસે રહેવાય પોતાને ઠેકાણેથી છાનોમાનો નીકળી ન જાય પણ તેની પૂંઠ લેવાય એટલું એની પાસે રહેવાય એવો જોગ રાખી, એક નાના સરખા ખંડેરમાં હરભમ રાત્રિના છેક ચાર વાગતાં જાગતો વિસામો લેવા પામ્યો. અંધકારમાં કાકડા સળગાવી અને એના સાથીઓ ઘોડાઓનો થાક ઉતારવા ઊતર્યા, તેમને તાજા કરવા તેમની નોકરી કરવા મંડ્યા અને તોબરા ચડાવી દીધા, અને પોતે તાજા થવા કરવા તેમની નોકરી કરવા મંડ્યા અને તોબરા ચડાવી દીધા, અને પોતે તાજા થવા બીડીઓ ફૂંકવા લાગ્યા અને ધીમી ધીમી વાતો કરવા લાગ્યા. હરભમ પોતે ઘોડાને થાબડતો વાતો કરતો ખંડેરના દરવાજા આગળ બહાર આંખ અને કાન રાખતો એક પથરા ઉપર બેઠો. જેમ પ્રાતઃકાળ પૂર્વ દિશાના આકાશમાં અંધકારે ભીડેલાં કમાડ પોતાના સતેજ હાથથી બહાર ઊભો ઊભો ઉઘાડવાનું કરતો હતો, અને તે હાથના નખ એ કમાડો વચ્ચેની તડમાં કંઇક ચળકતા હતા.