Kamasutra books and stories free download online pdf in Gujarati

કામસૂત્ર

વાત્સ્યાયનરચિત

કામસૂત્ર

કંદર્પ પટેલ

READ MORE BOOKS ONwww.matrubharti.com

વાત્સ્યાયન મુનિના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘કામસૂત્ર’ પરથી શ્રી યશોધર જયમંગલા ટીકા ‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું?

જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે.

ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો!

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણ તથા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી - આ ચાર આશ્રમો છે. એમના બધા મોક્ષ ઇચ્છતા નથી તેથી જ ધર્મ, અર્થ અને કામ જ પરમ પુરુષાર્થ છે.

સંસારના સર્વોત્તમ પદાર્થોમાં આ ત્રણની ગણના કરવામાં આવે છે. જે માનવી આ ત્રણ નું યથાર્થ પાલન કરે છે તે સંસારયાત્રા માં વિજયી નીવડે છે. આ વ્યક્તિ જ આલોક તેમજ પરલોક માં સુખી થાય છે.

શ્રી વાત્સ્યાયન મહર્ષિ કહે છે કે, આ ગ્રંથની રચનામાં એ દરેક આચાર્યોના ગ્રંથોનો આધાર લેવાયેલો છે જેમણે ધર્મ, અર્થ અને કામ શાસ્ત્રની રચના કરી છે. એટલે જ અહીં જે નમસ્કાર કહેવામાં આવ્યા છે એ તેમના પ્રતિ કૃતજ્ઞતા, ધન્યવાદ અને આદરભાવ પ્રદર્શિત કરવા માટે જ છે.

પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરી તેના જીવનને ક્રમપૂર્વક ચલાવવા માટે તથા તેમના ધર્મ, અર્થ અને કામની સિદ્ધિને માટે સૌ પ્રથમ એક અધ્યાયમાં કામસૂત્રની રચના કરી.

આ શાસ્ત્રના ધર્મ વિષયક અંગને બ્રહ્માના પુત્ર મનુએ અલગ કરી લીધું અને તેની નવી જુદી રચના કરી. આ રચનાને માનવધર્મશાસ્ત્ર કહે છે. આ માનવધર્મશાસ્ત્ર તે જ મનુસ્મૃતિ.

બૃહસ્પતિએ અર્થશાસ્ત્ર બનાવ્યું.

મહાદેવના અનુચર નંદીએ એક હજાર અધ્યાયમાં કામસૂત્રને પૃથક કર્યું.

નંદીએ રચેલા આ કામસૂત્રને ઉદ્દાલકના પુત્ર શ્વેતકેતુએ પાંચસો અધ્યાયમાં સંક્ષિપ્ત કરી એક અલગ જ કામસૂત્ર લખ્યું.

છેવટે, પંચાલ દેશવાસી બભ્રુના પુત્ર બાભ્રવ્ય એ શ્વેતકેતુના સક્ષિપ્ત શાસ્ત્રને દોઢસો અધ્યાયમાં રચી-

૧. સાધારણ

૨. સામ્પ્રયોગિક

૩. કન્યાસમ્પ્ર્યુક્તક

૪. પારદારિક

૫. ભાર્યાધિકારિક

૬. વૈશિક

૭. ઔપનિષદિક

આ સાત અધિકરણોમાં વિભક્ત કરી સંક્ષિપ્ત કર્યું.

આ પ્રકારે જોતા આ શાસ્ત્રમાં કુલ

૩૬ અધ્યાય

૬૪ પ્રકરણ

૭ અધિકરણ અને

૧૨૫૦ શ્લોક છે.

અધિકરણ - ૧ - સાધારણ

આચાર્ય શ્રી વાત્સ્યાયન મુનિ કહે છે કે,

સો વર્ષ સુધી આયુષ્ય ભોગવનારા મનુષ્યોએ પોતાનું જીવન ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વચ્ચે વિભક્ત કરી નાખવું જોઈએ. પોતાના જ વર્ણવાળી અને શુદ્ધ આચરણ ધરાવતી કુમારી સાથે લગ્ન કરવાથી ધર્મનું રક્ષણ થાય છે તેમજ કામની પણ સિદ્ધિ થાય છે. અવ લગ્ન આવકારદાયક અને શ્રેષ્ઠ છે. સવર્ણ કન્યાની સાથે વિધિપૂર્વકના વિવાહથી સુખની પ્રાપ્તિ થાય છે. અસવર્ણ, વિધવા, પરસ્ત્રી તથા વેશ્યાના સહવાસથી કામની તૃપ્તિ તો થાય છે, પરંતુ ધર્મ તથા અર્થનો નાશ થાય છે.

  • જીવનની ત્રણ અવસ્થા:
  • ૧. બાલ્યાવસ્થા

    ૨. યુવાવસ્થા

    ૩. વૃદ્ધાવસ્થા

    બાલ્યાવસ્થામાં બ્રહ્મચર્ય ધારણ કરી વિદ્યાનું અધ્યયન કરવું.

    યુવાવસ્થામાં અર્થ અને કામનો સંચય કરવો અને તેનો ઉપભોગ કરવો.

    વૃદ્ધાવસ્થામાં ધર્મ અને મોક્ષપ્રાપ્તિ માટે આચરણ કરવું.

    ધર્મ એટલે શું? – શાસ્ત્રના નિયમોનું યોગ્ય આચરણ કરવું તેને ધર્મ કહે છે.

    અર્થ એટલે શું? – વિદ્યા, જમીન, સોનું, પશુ, અનાજ રહેઠાણ, વસ્ત્રો તેમ જ મિત્રોને ધર્મપૂર્વક પ્રાપ્ત કરી તેની વૃદ્ધિ કરવી એ જ અર્થ.

    કામ એટલે શું? – આત્માથી સંયુક્ત, મનથી સંયુક્ત, મનથી અધિષ્ઠિત તેવા કાન, ત્વચા, ચક્ષુ, જીભ, નાક (પાંચ ઇન્દ્રિયો) ઈચ્છાનુકૂળ બની પોતપોતાના કાર્યમાં પરોવાઈ જય તે પ્રવૃતિને કામ કહે છે.

    મનમાં કામનો વેગ ઉદ્ભવે છે. કાનમાં મધુર સ્વરોની લાલસા જાગે છે. જીભને સ્વાદિષ્ટ ભોજનની તલપ જાગે છે. આંખને સુંદર રૂપ જોવાની ઈચ્છા થાય છે. ત્વચાને સ્પર્શ-સુખ ભોગવવાની સંવેદના થાય છે.

    કામરસ બે પ્રકારે ઉત્પન્ન થઇ શકે : સામાન્ય કામ અને વિશેષ કામ

    સામાન્ય કામ : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ. આ પાંચ વિષયોને લીધે મનમાં ઉત્પન્ન થતા ભાવને જયારે ચિંતાનું આભૂષણ ચડે ત્યારે મન તે વિષયમાં વિચારવા માટે પ્રવૃત્ત બની જાય છે. બળપૂર્વક તે વિષય વિષે વિચારવા માટે આસક્ત બની જવાય છે. જયારે આત્મા પણ આ વિષયમાં આસક્ત બનીને પ્રવૃત્ત બને છે ત્યારે તેની આ અસક્તિને ‘કામ’ તરીકે ઓળખવામાં આવે છે. આત્માને આમ કરતા જે સુખ મળે છે તે ‘સામાન્ય કામ’ કહેવામાં આવે છે.

    વિશેષ કામ : જયારે રૂપ, રંગ, ગંધ આદિની સાથે આલિંગન, ચુંબનથી સંયુક્ત બની સ્ત્રી-પુરુષના વિશેષ અંગોનો સ્પર્શ થાય અને તે વીર્ય-સ્ખલન સુધી પહોંચે તે સુખને પ્રધાન કામ કહે છે. સ્ત્રી-પુરુષના સંયોગ વિના સામાન્ય કે વિશેષ કામની ઉત્પત્તિ થઇ શકતી નથી.

  • ભૂષણ, લેપન અને માળા આદિને ધારણ કરવું તે આયતન સમ્પ્રયોગ છે. સંગીત, નૃત્ય, દ્રશ્યો, કોમળ સ્પર્શ, જીભને સ્વાદિષ્ટ ભોજન અને નાસિકાને સુગંધી પદાર્થો વગેરેની પ્રાપ્તિ થાય તેને કામના અંગોની સાથેનો સંપ્રયોગ કહ્યો છે.
  • વાત્સ્યાયન મહર્ષિનું કહેવું છે કે,

    રાજાઓને માટે અર્થ-ધર્મ અને કામથી વિશેષ જરૂરી છે.

    વેશ્યાઓને માટે ધન અને કામ-ધર્મથી અધિક છે.

    કામ એ શાંત અને મઘ્યમ અવસ્થામાં પ્રસંશનીય છે. પણ જયારે એ વિકૃત બને છે ત્યારે એ ધિક્કારવા યોગ્ય છે. વિકૃત કામ માણસમાં પ્રમાદ, અપમાન, લાંછન અને અવિશ્વાસ ઉત્પન્ન કરાવે છે.

    ઇન્દ્ર અહલ્યા સાથે, કીચક દ્રોપદી સાથે, રાવણ સીતા સાથે વિષયવાસનામાં લલચાઈને નાશ પામ્યા હતા.

    જાતીય જ્ઞાનના વિશ્વવિખ્યાત તેવા હેવલોક એલિસ કામસૂત્રના રચયિતા વાત્સ્યાયનને કામકાલાની વિદ્યાના અઠંગ અભ્યાસુ તરીકે સ્વીકારે છે અને કહે છે કે, મુનિ વાત્સ્યાયન કામસૂત્રના મહાન અભ્યાસુ ગણી શકાય.

    કામસૂત્ર કોણ જાણી શકે?

    આચાર્ય વાત્સ્યાયન કહે છે કે,

    ધર્મવિદ્યા, અર્થવિદ્યા તથા બીજી વિદ્યાઓના અધ્યયન સાથે થોડો સમય કાઢીને કામસૂત્ર તેમજ તેની અંગવિદ્યાનો પણ અભ્યાસ કરવો જરૂરી છે.

    સ્ત્રીઓ એ કામસૂત્ર જાણવું જરૂરી છે.

    અપરિણીત યુવતી યુવાનીના સમય પહેલા પોતાના પિતાને ઘેર જ સંગીત, ચિત્ર, આદિ વિદ્યા શીખે છે અને તે પછી લગ્ન બાદ પતિની સંમતિ લઇ કામસૂત્રનું અધ્યયન કરે. આવું પહેલાના સમયમાં થતું હતું.

    સ્ત્રીઓમાં કામસૂત્ર વાંચવાથી ક્રિયાત્મક શિક્ષણ પણ આવે છે તેથી તેમને પણ આ ભણાવવું જોઈએ. તેથી વિશ્વાસપાત્ર સ્ત્રી કોઈ અન્ય સહેલી દ્વારા ગુપ્ત જગ્યાએ સમસ્ત શાસ્રોના દરેક પ્રયોગોને પોતાના પિતાના ઘરે જ શીખે.

    કામભવન વિશાલ, સુંદર, સારી રીતે સફેદ રંગથી સજેલું, ચિત્રોથી શણગારેલું, વિશાલ ચોક ધરાવતું, ધૂપ – સુખડ - અને પુષ્પોથી સુવાસિત, સંગીતના સાધનોની હાજરી ધરાવતું, દીવાથી પ્રકાશિત હોવું જોઈએ. આવા સ્થાનમાં નિ:શંક બનીને પોતાના પ્રિયપાત્ર સાથે ઇચ્છાનુસાર કામક્રીડા કરવી જોઈએ.

    ગૃહનિર્માણ અને શય્યારચના

    વિદ્યાભ્યાસ પૂર્ણ થયા પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એ ચારેય વર્ણના પુરુષોએ દાન, વિજય, ચાકરી કે વ્યાપાર કરીને ધન પ્રાપ્ત કરવું જરૂરી છે. ત્યારબાદ કોઈ કન્યા સાથે લગ્ન કરીને તેની સાથે ગૃહસ્થાશ્રમ માંડવો અને પુરુષની જેમ આચરણ કરવું.

  • ઘર કેવું હોવું જોઈએ?
  • ગૃહસ્થનું ઘર કેવું હોવું જોઈએ તેનો ઉલ્લેખ પણ વાત્સ્યાયન આચાર્ય કરે છે.

    જે શહેર કે ગામમાં રહેતા હોઈએ તેની નજીક નદી, તળાવ કે સમુદ્ર પાસે રાખવું. પ્રત્યેક કાર્યને માટે અલગ-અલગ ઓરડાની રચના કરવી. શયનગૃહ માટે બે અલગ ઓરડા રાખવા જોઈએ.

    ***

    બહારના શયનગૃહમાં મુલાયમ અને સુગંધિત શય્યા રચાવી જોઈએ. બંને છેડે નરમ તકિયા ગોઠવીને તેને એક તરફ ઝુકેલી રાખવી. શૈયા પર સફેદ ચાદર બિછાવવી. તેની બાજુમાં જ રતિક્રીડા માટે અલગ પલંગ લગાવવો.

    શાસ્ત્રકારોના મત મુજબ નિદ્રા અને રતિ માટે અલગ-અલગ શૈયા હોવી જરૂરી છે. એક જ શૈયા પર રાત્રે શયન અને ક્રીડા કરી શકાય નહિ. પવિત્ર નિદ્રા માટે ક્રીડા કરેલી શૈયા તદ્દન નકામી અને અપવિત્ર ગણાય છે. મુખ્ય શૈયાના મસ્તક તરફના ભાગ આગળ એક નાની વેદિકા રાખવી જોઈએ. આ વેદિકા પર રાત્રીના ઉપભોગ પછી બચેલું ચંદન, લેપન, પુષ્પમાળા, સુગંધી પાત્ર, પાન વગેરે વસ્તુઓ મુકવી જોઈએ. આ દરેક વસ્તુઓ કામક્રીડાને ઉત્તેજન આપનારી છે. શૈયાની પાસે જમીન પર થૂકદાની, ખૂંટી પર લગાવેલ વીણા, ચિત્રોથી સજ્જ દીવાલ, કલમ, પીંછી, રંગ વગેરે દોરવાની સામગ્રી હોવી જોઈએ. કોઈ વિનોદાત્મક પુસ્તક અને કુરંટક પુષ્પની માળા કે જે આલિંગન – ચુંબન જેવી સ્પર્શક્રિયા કરવા છતાં કરમાતી કે કચડતી નથી. આ બધી વસ્તુ વેદિકા કે શૈયા પર ન હોવી જોઈએ. પરંતુ, તેની પાસે નીચે જમીન પર મુકવી જોઈએ. શૈયાની પાસે એક ગોળ આસન બિછાવવું અને તેના પર એક સુંદર તકિયો મુકવો. આસનની બાજુમાં જુગાર-પાસા આદિ રમવાના સાધનો મૂકવા.

    ઉદ્યાનની રચના :

    શયનગૃહની બહાર પક્ષીઓ જેવા કે મેના-પોપટ વગેરેના પાંજરા ટાંગવા અને એકાંત સ્થળે એક બગીચાની વ્યવસ્થા કરવી. આ બગીચામાં પતિ-પત્નીએ નિદ્રાના સમય પહેલા ટહેલવું. વિનોદ કરવો અને એકબીજાનો પ્રેમ વધે તેવી ચર્ચાઓ કરવી.

    ઉદ્યાનમાં એક એવા હિંચકાની વ્યવસ્થા કરવી જેના ઉપર લતાઓ-વૃક્ષોની છાયા બિછાવાઈ હોય. સુંદર પુષ્પો ઝુલાની આસપાસ અને ઉપર મહેકી રહ્યા હોય. આ ઝૂલા પર બેસીને પતિ-પત્નીએ વિનોદ કરવો. તેની બાજુમાં જ એક નાનકડી શૈયા બનાવવી જેના પર પુષ્પો ફેલાયેલા હોય. દરેક પ્રકારના ઉપભોગની સામગ્રી રાખવી. ગૃહસ્થ જીવનની ખરી મજા આવી ગૃહ રચના અને શૈયારચના વડે જ મળે છે.

    સ્ત્રી-પુરુષની દિનચર્યા

    પ્રાત:કાલે ઉઠી શૌચક્રિયાથી નિવૃત્ત બની, દાતણ કરી, ચંદન અને કેસરનો લેપ લગાવી પુષ્પમાળા પહેરી પોતાના હોઠ લાલ રાખવા. તેના પર મીણ ઘસી, અરીસામાં ચહેરો જોઈ, પાન અને સુગંધની ગોળી ખાઈ, ધર્મ – અર્થ – કામના કાર્યમાં લાગી જવું. નિત્ય સ્નાન કરવું, દર બીજા દિવસે દરેક અંગ મસળાવવું, દર ત્રીજે દિવસે ફીણ લગાવવા, દર ચોથે અને પાંચમે દિવસે ગુહ્ય સ્થાન પરના વાળ કાપવા. આ દરેક નાગરિકના નૈતિક ધર્મ છે. દરેક નાગરિકે પોતાની બગલમાં થતા પસીનાને હંમેશા લૂછતાં રહેવું.

    બીજા પ્રહરની પહેલા અને સાંજના સમયે ભોજન કરવું જોઈએ. તેમજ રાત્રિના હળવું ભોજન લેવું જરૂરી છે.

    ભોજન લીધા પછી થોડો સમય વિનોદમાં પસાર કરવો જોઈએ. સંધ્યા સમયે નૃત્ય કે મનોરંજનના અન્ય સાધનો વડે આનંદ મેળવવો. ત્યારબાદ નાગરિકે પોતાના ક્રીડાંગણને સજાવવું. પોતાની પત્નીને ઘરનું કામ આટોપીને પોતાની પાસે બોલાવવી. પોતાના મિત્રસાથીઓને પણ માન આપીને બેસાડવા. પત્નીનો શૃંગાર અસ્તવ્યસ્ત થઇ ગયો હોય, વસ્ત્રો અને અલંકારો પોતાની જગ્યાથી ખસી ગયા હોય તથા ફૂલમાળા કરમાઈ ગઈ હોય ત્યારે તેને પતિએ નવીન વસ્ત્ર અને આભૂષણથી સજ્જ કરવી. શૃંગારની સામગ્રી પોતાના મિત્રો દ્વારા તૈયાર કરાવવી. આ દરેક બાબતો સામાન્ય નાગરિકના કર્તવ્યમાં આવે છે.

    પોતાની જેટલી જ સમાન વયના મિત્રો સાથે કે પરિચિતોની સાથે દેવદર્શન કે યાત્રા માટે જવું. કવિઓ, શાસ્ત્રીઓ ક પંડિતો સાથે ચર્ચા કરવી. મદિરા આદિ માદક પદાર્થોનું સેવન કરવું. બાગ-બગીચાની સહેલ કરવી. દર પંદર દિવસે કે પ્રતિ મહિને કોઈ નક્કી કરેલા સરસ્વતી મંદિરમાં જવું. ત્યાં જઈને હાસ્યવિનોદ, ખેલ-ગમ્મત કરીને સામાજિકતાનો આનંદ લૂંટવો.

    વેશ્યાઓને ઘરે, સભામાં અથવા અંદર અંદર એકબીજાની બેઠકમાં વિદ્યા, બુદ્ધિ, શીલ, ધન અને અવસ્થામાં સરખા હોય તેવાની સાથે મળીને બેસવું. સાથે વેશ્યાઓને બેસાડીને ભેગા મળીને વિનોદાત્મક વાતાવરણ ઉભું કરવું તેનું નામ ગોષ્ઠી. તેનો મુખ્ય ઉદ્દેશ મનોરંજન છે. જો વેશ્યાઓ કે નાયિકાઓ ન હોય તો પોતાના નાગરિકો અને સખીઓની સાથે મળીને વિનોદમાં પોતાનો સમય પસાર કરવો.

    ધનહીન એકલો પુરુષ, જેની પાસે મલ્લિકા હોય. અલગ-અલગ વસ્ત્રો હોય અને પ્રસિદ્ધ દેશમાંથી આવેલો હોય તે વ્યક્તિ કોઈ સભા કે ઉત્સવોમાં જઈને લોકોનું મનોરંજન કરે અને પૈસા કમાય તેને ‘પીઠમર્દ’ કહેવાય.

    જે પુરુષે સુખ ભોગવ્યું હોય, જે ગુણી હોય, જેની સ્ત્રી જીવતી હોય તથા વેશ્યાઓ અને રસિક સમાજમાં જેનું આદરમાન હોય એ પુરુષ અન્ય વિલાસી પુરુષોની સેવા કરીને પોતાની આજીવિકા કમાય તેને ‘વિટ’ કહે છે.

    જે પુરુષ ૬૪ મૂળ કલાઓમાં સંગીત, નૃત્ય કે કોઈ વિદ્યાનો જાણકાર હોય, જેની પાસે કઈ પણ ન હોય છતાં સર્વસ્વ ભોગવી ચૂક્યો હોય, એકલો હોય, કઈ કમાવાનું સાધન ન હોય તો તે વિદૂષક બનીને વેશ્યાઓ તેમજ વિલાસી પુરુષોનું પ્રિય પાત્ર બની શકે છે. આવો સ્વભાવ ધરાવતા વ્યક્તિને ‘વિદૂષક’ કહે છે.

  • વિદૂષક, પીઠમર્દ અને વિટ ની જેમ ૬૪ મૂળ કલાઓમાં નિપુણ વિધવા, વંધ્ય અને વૃદ્ધ વેશ્યાઓ પણ ભેદ કરાવીને મંત્રીત્વથી પોતાનું જીવન ચલાવે છે. આવી સ્ત્રીઓ કે જેઓ એકબીજામાં લડાઈ કરાવીને પછી સમાધાન કરાવે છે, તેઓને ‘કુટ્ટીનિ’ નામથી ઓળખવામાં આવે છે.
  • આચાર્ય વાત્સ્યાયન કહે છે કે,

    એકદમ સંસ્કૃત કે તદ્દન દેશી ભાષામાં વાર્તાલાપ કરવો યોગ્ય નથી. શુદ્ધ સંસ્કૃત ભાષામાં વાર્તાલાપ કરવામાં આવે તો થોડા જ સમજી શકશે અને જો દેશીભાષામાં ચર્ચા કરવામાં આવે તો લોકો સમજશે કે આ માણસ વિદ્વાન નથી. તેથી હંમેશા વ્યક્તિ એ તેવી ભાષામાં વાર્તાલાપ કરવો જોઈએ કે જેથી વિદ્વાન અને મુર્ખ બંને પ્રસન્ન રહે.

    સમાજની રૂઢિ અનુસાર કામ કરનારો, ગોષ્ઠી-સભાને અનુકૂળ આચરણ કરનારો નિપુણ નાગરિક સંસારમાં દરેક જગ્યાએ સફળતા મેળવે છે.

    ***

    (અધિકરણ – ૧) : સાધારણ પૂર્ણ

    આવતા ખંડ....

    અધિકરણ ૨ : સામ્પ્રયોગિક માં પૂર્વ ક્રીડા ચર્ચા, આલિંગન, ચુંબન, મૈથુન, સિત્કાર, મુખ-મૈથુન, સંભોગનો આરંભ, રાગના પ્રકાર, નખક્ષત, પ્રણયકલહ વગેરે વિષે જોઈશું.

    અધિકરણ - ૨ - સામ્પ્રયોગિક

    ૧) સ્ત્રી-પુરુષ અને મિત્રોના પ્રકાર

    ૨) સ્ત્રી-પુરુષની કામવાસના

    ૩) આલિંગન

    ૪) ચુંબન

    ૫) નખક્ષત

    ૬) દંતદશન

    ૭) પ્રહાર અને સિત્કાર

    ૮) વિપરીત ક્રીડા

    ૯) મુખ મૈથુન

    ૧૦) સંભોગ પહેલા અને પછીનું કર્તવ્ય

    ૧. સ્ત્રી - પુરુષ અને મિત્રોના પ્રકાર

  • સંબંધ બાંધવા યોગ્ય સ્ત્રીઓ :
  • બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારે વર્ણના પુરુષ પોતાની સમાન જાતિ ધરાવતી અને અક્ષતયોનિ કુમારી યુવતી સાથે શાસ્ત્રને અનુકૂળ વિવાહ કરીને પુત્રવાન, યશસ્વી અને લોકકુશળ બને છે.

    કૂલ ત્રણ પ્રકારની સ્ત્રીઓ વિષયભોગ માટે છે.

    ૧. અવિવાહિત કન્યા

    ૨.વિધવા

    ૩.વેશ્યા

    સવર્ણ કન્યા સાથે પ્રીતિ બાંધીને તેની જોડે લગ્ન કરવું સર્વશ્રેષ્ઠ છે. વિધવા સાથે પ્રેમ કરવો એ ઉતરતું કાર્ય છે. જયારે વેશ્યા સાથે સ્નેહ બાંધવો તે બધાથી હીન કાર્ય છે.

    વિધવા સ્ત્રીઓ બે પ્રકારની હોય છે.

    -અક્ષતયોનિ

    -ક્ષતયોનિ

    જે પહેલા પરપુરુષ જોડે સંભોગ કરેલી છે તે ક્ષતયોનિ ધરાવતી મહિલા સંભોગ માટે ત્યાજ્ય છે. અક્ષતયોનિ ધરાવતી મહિલા સાથે લગ્ન કરી ધાર્મિક સંતાન ઉત્પન્ન કરી શકાય છે.

    આચાર્ય વાત્સ્યાયનના મત અનુસાર ચાર પ્રકારની નાયિકા છે.

    ૧. વિધવા

    ૨. સન્યાસિની

    ૩. વેશ્યાપુત્રી

    ૪. કૂલયુવતી

    નાયકના પ્રકાર :

    ૧. પતિ સ્વરૂપ

    ૨. વિશેષ કાર્યની સિદ્ધિ માટે કોઈ પરિણીત સ્ત્રી સાથે અનુચિત કે ગુપ્ત સંબંધ રાખે તે

    કોઢ ધરાવતી, પાગલ, લજ્જા કરનારી, વધુ પડતી સફેદ ચામડી ધરાવતી, અત્યંત કાળી, જેના મુખ – યોનિમાંથી દુર્ગંધ આવતી હોય, બીજા પુરુષ સાથે સપર્ક રાખનારી, સંભોગ સમયે મુખ ફેરવી લેનારી, પત્નીની મિત્ર, સન્યાસિની, કુટુંબની સ્ત્રી. આ દરેક સાથે સંગ કરવો અધર્મ છે અને પાતક છે.

  • મિત્રોના પ્રકાર :
  • ૧. બાળપણમાં સાથે ધૂળમાં રમનારો

    ૨.સ્વભાવ, દોષ અને ગુણોમાં સમાન હોય તેવો

    ૩. સહપાઠી

    ૪. એકબીજાના રહસ્યોને જાણતો હોય

    સ્નેહ, ગુણ અને જાતિયુક્ત. આ ત્રણ પ્રકારે મિત્રો બનતા હોય છે.

    ૨. સ્ત્રી-પુરુષની કામવાસના

    પુરુષ અને સ્ત્રીના ગુહ્ય ભાગોનું પ્રમાણ, સંભોગનો સમય અને કામવાસનાની અધિકતા કે ન્યૂનતા અનુસાર રતિભાવનું વિવેચન કરવામાં આવે છે. ગુહ્યેન્દ્રિયના નાના, મધ્ય અને મોટા પ્રમાણ અનુસાર મનુષ્યને શશ, વૃશ તથા અશ્વ એમ ત્રણ પ્રકારના પુરુષ તરીકે જોવામાં આવે છે. સ્ત્રીના ગુહ્યસ્થાનના નાના, મધ્ય અને મોટા પ્રમાણ અનુસાર તેને પણ મૃગી, ઘોડી અને હસ્તિના નામથી ઓળખવામાં આવે છે.

    સ્ત્રી-પુરુષના સંબંધને સમરત કહે છે. મૃગીના શશની સાથે, વૃષ્ણના ઘોડી સાથે અને અશ્વના હસ્તિની સાથેના રતિસંયોગને સમરત કહે છે.

    લિંગ પ્રમાણેના ભેદો અનુસાર અહી ભાવાવેશમાં પણ સ્ત્રી-પુરુષના નવ પ્રકારના સંબંધો થાય છે.

    શીઘ્ર, મધ્ય અને ચિરકાળ આ ત્રણ ભેદ સંભોગના સમય આધારિત પાડવામાં આવ્યા છે.

    પ્રશ્ન : સ્ત્રીમાં પુરુષની જેમ વીર્ય હોતું નથી છતાં, સ્ત્રી શા માટે સંભોગ કરવા તૈયાર થતી હશે?

    સ્ત્રીનો પુરુષની સાથે સંબંધ બાંધવાથી તેની ખંજવાળ બંધ પડે છે. રજ:સ્વલા થયા પછી સ્ત્રીની યોનિમાં સતત ખંજવાળ ઉત્પન્ન થાય છે. પુરુષની સાથે રતિમાં સતત ઘર્ષણ થવાથી એ ખંજવાળ શાંત પડે છે. ચુંબન – આલિંગન આદિ પ્રેમને ઉત્પન્ન કરનારી ક્રિયાઓને કારણે સ્ત્રીઓને પુરુષ જોડે સંબંધ બાંધવામાં આનંદ આવે છે.

    ‘તને ક્રીડામાં કેવું સુખ મળે છે...!’ એ વાત પૂછવા છતાં પણ જાણી શકાતું નથી. માનસિક આનંદને શબ્દોમાં વર્ણવવો અસંભવિત થઇ પડે છે.

    સ્ત્રીની કામેચ્છા કુંભારના ચાક સાથે સરખાવી શકાય. આરંભમાં તેની ગતિ વેગવંત બને છે અંતમાં તે બંધ થઇ જાય છે આવી જ રીતે ધાતુ (વીર્યક્ષરણ) ત્યાં પછી સ્ત્રીની રતિ બંધ થઇ જાય છે.

    ૩. આલિંગન

    આચાર્યના મત અનુસાર આલિંગન, ચુંબન, નખચ્છેદ, દશનચ્છેદ, આસન, સિત્કાર, સ્ત્રીનું પુરુષ પર પડવું અને મુખમૈથુન. આ આઠેય માં પ્રત્યેકના ફરીથી આઠ ભેદ છે. આવી રીતે કૂલ ૬૪ કામકલા છે.

    ચાર આલિંગન મુખ્ય છે.

    ૧.સ્પૃષ્ટક : રસ્તા વચ્ચે ચાલતા આપની પ્રેમપાત્ર સ્ત્રી સામેથી આવતી દેખાય તો ગમે તે બહાને તેના શરીર સાથે આપણા શરીરનું ઘર્ષણ કરીએ તો તેને ‘સ્પૃષ્ટક’ કહેવાય.

    ૨.વિદ્ધક : સ્ત્રી પણ જયારે પોતાના પ્રિયને નિર્જન સ્થાનમાં એકલો ઉભેલો કે બેઠેલો જુએ ત્યારે તે કોઈ વસ્તુ લેવાને બહાને તેની પાસે જઈ પહોંચે અને પોતાના સ્તનોથી તેની છાતી દબાવે. આ આલિંગનને ‘વિદ્ધક’ કહે છે.

    ૩.ઉદ્યધ્રુષ્ટક : અંધકારમાં, જનસમૂહમાં અથવા એકાંતમાં ધીરે ધીરે ચાલતા નાયક-નાયિકાના શરીરનું ઘર્ષણ અધિક સમય માટે ચાલુ રહે તો તેને ‘ઉદ્યધ્રુષ્ટક’ કહે છે.

    ૪.પિડીતક : જયારે ભીંત અથવા સ્તંભના આધારે નાયક નાયિકાને સારી રીતે દબાવે તથા આલિંગન આપે તેને ‘પિડીતક’ કહે છે.

    પરિણીત પુરુષોના આલિંગન :

    ૧. લાતાવેષ્ટિક : જે પ્રકારે લતા વૃક્ષને લપેટાઈ જય છે તે પ્રકારે યુવતી પણ લતારૂપી બાહુઓથી પુરુષને લપેટાઈ જાય છે અને ચૂમવાને માટે તેના મુખને નીચું કરે છે. પછી પાછળ ખસીને પુરુષને લપેટાઈ રહીને ધીરે ધીરે સિત્કાર કરી પુરુષનું મુખ-સૌન્દર્ય અવલોકવું તેને ‘લતાવેષ્ટિક’ કહે છે.

    ૨. તિલતંદુલક : શૈયા પર પડીને બંને હાથ અને પગથી સ્ત્રી-પુરુષ પરસ્પરને ગઢ આલિંગન કરે છે. આ આલિંગનમાં બંનેના હાથ અને પગ તાલ અને ચોખાની જેમ ભળી જાય છે. જેને ‘તિલતંદુલક’ કહે છે.

    ૩. વૃક્ષાધિરુક : સ્ત્રી પોતાના એક પગથી પુરુષનો એક પગ દબાવે છે અને બીજા પગને પુરુષના પગ પર રાખે છે અથવા પોતાના પગને પુરુષની જાંઘ અથવા કમર પર વીંટાળી દે છે. સાથે સાથે પુરુષની પીઠ પર એક હાથ રાખી બીજા હાથ વડે નાયકની ગરદનને નીચે નમાવવાની કોશિશ કરે છે. ત્યારબાદ ધીરે ધીરે સિત્કાર કરતી તે પુરુષની છાતી તરફ ચૂમવાને માટે જાય છે. જેને ‘વૃક્ષાધિરુક’ કહે છે.

    ૪. ક્ષીરનિરક : કામથી અંધ બનીને હાનિની પરવા ન કરતા જયારે નાયક-નાયિકા એકબીજામાં પ્રવેશવાની ઈચ્છા કરતા બહુ જોરપૂર્વક પરસ્પરને ગાઢ આલિંગે છે તેને ‘ક્ષીરનિરક’ કહે છે.

    ૪. ચુંબન

    જીવનમાં પ્રેમરસ એક મહત્વનું સ્થાન ભોગવે છે. પ્રેમ વગરનો મનુષ્ય એક પથ્થર સમાન છે. તેનું જીવન જળ અને શુષ્ક બની જાય છે. લજ્જા, નમ્રતા અને આનંદ એ પ્રેમના મિત્રો છે. શરમનું સ્થાન નેત્રોમાં છે. હર્ષનું સ્થાન હૃદયમાં છે. આંખ મળે પછી અંતરના પટ ઉલેચાઇ વાર્તાલાપ શરુ થાય છે, પ્રેમ પ્રકાશમાં આવે છે.

    ચુંબનના સ્થાનો :

  • મસ્તક
  • મસ્તક સાથેના વાળ
  • કપાળ
  • આંખો
  • છાતી
  • સ્તન
  • હોઠ
  • મુખનો આંતરિક ભાગ
  • ચુંબનના પ્રકાર :

    નિમિત્તક : પ્રથમવાર જયારે પોતાની નવવધુને પોતાના આગ્રહ અને બળથી ચૂમવા માટે ફરજ પડે છે, ત્યારે સ્ત્રી પોતાના પતિના હોઠ પર પોતાના હોઠ રાખી દે છે. પરંતુ, તે હોઠ હલાવતી નથી. તેને ‘નિમિત્તક’ કહે છે.

    સ્ફૂરિતક : જયારે પતિ પોતાના હોઠને સ્ત્રીના મુખમાં રાખે છે ત્યારે સ્ત્રી શરમને લીધે પોતાના હોઠથી પકડવા માંગે છે અને પોતાના હોઠ હલાવે છે. પરંતુ, તે ઉપરના હોઠને હલાવતી નથી. આ ચુંબનને ‘સ્ફૂરિતક’ કહે છે.

    ઘટ્ટિતક : પુન: નવોઢા પોતાના મુખમાં રાખેલા પતિના હોઠને પકડીને પોતાની આંખો બંધ કરી દે છે. પોતાના હાથથી પતિની આંખો પણ બંધ કરે છે. જીભની અણી વડે પોતાના પતિના હોઠને ચાટે છે રગદોળે છે. આ પ્રકારને ‘ઘટ્ટિતક’ કહે છે.

  • જયારે સ્ત્રી ચુંબનમાં બાજી હારી જાય છે ત્યારે છણકા કરે છે, ડૂસકા ભરવા લાગે છે. દાંતથી પતિને કરડે છે. જો પતિ તેનું મુખ પોતાની તરફ ખેંચે તો તેની સાથે ઝઘડવા માંડે છે. આમ, ચુંબનમાં પ્રણયકલહ જરૂરી છે. જયારે પતિનું ધ્યાન બીજી તરફ હોય ત્યારે તેના હોઠ પોતાના હોઠથી પકડીને ખેંચે છે અને વિજય હાંસિલ કરે છે. જો પતિ તે છોડવાની વાત કરે તો સંભોગ ન કરવા દેવાની વાતોથી ડરાવે છે. જે સંભોગમાં એક વેગ પૂરો પડે છે.
  • ૫. નખક્ષત

    નખક્ષત એ એક કળા છે. સ્તન તથા અન્ય માંસલ ભાગને દબાવવાથી જે ચિહ્ન પડી જાય છે તેને નખ્ચ્છેધ્ય કહે છે. તેમાં હાથ પહોળા કરીને સ્ત્રીના માંસલ ભાગ પર દબાવવામાં આવે છે. આ દબાણ લઈને નખોની નિશાની એ અંગો પર અંકિત થઇ જાય છે. નખોના સ્પર્શ અને દબાણથી સ્ત્રીનું શરીર રોમાંચક બને છે. તેનામાં રતિવેગ પ્રબળ બને છે.

    ચિહ્ન અનુસાર નખચ્છેદના આઠ પ્રકાર છે.

    આચ્છુરિત : બધી આંગળીઓ નખોની સાથે મેળવીને કપાળ, સ્તન અથવા હોઠ પર હલકા હાથે સ્પર્શ માત્ર કરાય જેથી નખોનું ચિહ્ન ન પડે અને માત્ર શરીર પર રોમાંચ થાય ને પ્રેમની ઝણઝણાટી પ્રકટી ઉઠે. તેને ‘આચ્છુરિત’ કહે છે.

    અર્ધચંદ્ર : ગરદન અને સ્તન પર અર્ધચંદ્રની જેમ નખની નિશાની કરવામાં આવે તો તેને ‘અર્ધચંદ્ર’ કહેવામાં આવે છે.

    મંડળ-ગોળ : નિતંબ તથા જાંઘોના ખૂણામાં અર્ધચંદ્રના બે નખક્ષત એકબીજાની સામે કરવામાં આવે ત્યારે તેનો આકાર ગોળ બની જાય છે. આ ગોળાકારને ‘મંડલક્ષત’ કહે છે.

    રેખા : કમર અને પીઠ પર જે નખ વડે પુરુષ લાંબી રેખાઓ ખેંચે છે તેને ‘રેખા’ કહે છે.

    વ્યાઘ્રનખ : એકાદ નખના નહોર કંઇક તૂટેલા હોય અને તે સ્તનના મુખની સમીપ હોય તો તેને વ્યાઘ્ર-નખ કહે છે.

    મયુરપદક : પાંચ આંગળીઓ નખ વડે સ્તનમુખને પોતાની તરફ પકડી ખેંચવાથી ચારે તરફ જે રેખાઓ બની જાય છે તેને ‘મયુરપદક’ કહે છે.

    શશપ્લુતક : પત્ની મયુરપદકની અભિલાષા કરે ત્યારે પુરુષે પોતાના પંચે નખથી સ્તનના મુખ પર જ જોરથી પ્રહાર કરી નિશાન મારી દેવું. આ પ્રકારના બનેલા નખચિહ્નને ‘શશપ્લુતક’ કહે છે.

  • કમળપત્ર : સ્તન અને કમરના ભાગમાં જ્યાં મેખલા બાંધવામાં આવે છે ત્યાં કમળના પર્ણનો સમાન નખક્ષત કરવામાં આવે છે તેને ‘કમળપત્ર’ કહે છે.
  • ૬. દંતદશન

    પતિ-પત્ની વચ્ચે પ્રેમ પ્રદર્શિત કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના ઉપચારો જરૂરી છે. સ્તન અને નિતંબ જેવા માંસલ ભાગો પર દાંત દબાવવાથી જે નિશાન પડી જાય છે તેને દંતદશન કહે છે. આ દાંતની નિશાની જે-તે અંગો પર અંકિત થઇ જાય છે. દાંતના સ્પર્શ અને દબાણથી સ્ત્રીનું શરીર રોમાંચિત બને છે અને તેમનામાં રતિવેગ પ્રબળ બને છે.

    દંતદશનના સ્થાન :

    ૧. ગૂઢક : દાંતનું નિશાન કોઈ ગુહ્ય કે માંસલ ભાગ પર ન રહી જવા પામે તેમજ સ્ત્રીને કોઈ પ્રકારની તે સ્થાને લાલાશ ન આવે તે પ્રકારે કરાયેલા દંતદશનને ‘ગૂઢક’ કહે છે.

    ૨. ઉચ્છ્નક : દાંતથી વધુ જોર કરવામાં આવે અને ઉપરના હોઠમાં સોજો આવે તેને ‘ઉચ્છ્નક’ કહે છે.

    ૩. બિંદુ : સ્ત્રીની ગ્રંડા, હોઠ જેવી જગ્યાએ ત્વચાને ખેંચીને એક ઉપરના અને બીજા નીચેના એમ બે દાંત વડે ઉપસી આવતા લોહીના તલ જેટલા નાના ભાગને ‘બિંદુ’ કહે છે.

    ૪. બિંદુમાલા : ‘બિંદુ’ની જેમ ઉપસી આવેલા અને એક જ સ્થાન પર જમા થયેલા અધિક ‘બિંદુ’ને ‘બિંદુમાલા’ કહે છે.

    ૫. પ્રવાલમણિ : ઉપરના દાંત અને નીચેના હોઠના સંયોગથી જે ક્ષત બને છે તેને ‘પ્રવાલમણિ’ કહે છે.

    ૬. મણિમાલા : પૂર્વે કરેલા દંતદશનથી માલા જેવો આકાર રચાય છે જેણે ‘મણિમાલા’ કહે છે.

    ૭. ખંડાભ્રક : સ્તન પર વાદળના ટુકડાઓની જેમ સમાન દાંત વડે અલગ-અલગ ચિહ્ન કરવામાં આવે છે તેને ‘ખંડાભ્રક’ કહેવાય છે.

    ૮. વરહચવિર્તક : જો પાસે પાસે દંતદશનની અનેક લાંબી લાંબી હારો હોય અને જો તે ચમકતી હોઈ તો તેને ‘વરાહચવિર્તક’ કહે છે.

    નાયિકા ભોજપત્રના તિલકને પોતાના લલાટ પર લગાવે, લીલા કમળના પુષ્પો કાનમાં પહેરે, ફૂલોના હાર કે ગુચ્છ લટકાવે, સુગંધિત તમાલપત્ર પહેરે જેના પર નાયક કામાવેશમાં આવીને દંતદશન કરે છે.

    ૭. પ્રહાર અને સિત્કાર

    સંભોગ સમયે પતિ-પત્ની બે અલગ પ્રકારના વ્યવહારમાં આવી જાય છે. રતિક્રીડા સમયે આવેશમાં આવી જઈને સમગ્ર બળથી પુરુષ પર તે પ્રહાર કરે છે. આ પ્રહાર કરવામાં પુરુષને વધુ આનંદ આવે છે. કામ વધુ વેગવાન બને છે. સ્ત્રી પણ પુરુષ પર પ્રહાર કરવાનું ચૂકતી નથી. એ પ્રહારથી સ્ત્રીને પીડા થાય છે પરંતુ, તેમાં પણ અલગ જ આનંદની પ્રાપ્તિ તેને થાય છે. આ પ્રહારથી સ્ત્રીને પીડા થાય છે. જેણે સિત્કાર કહે છે.

    પ્રહાર-સિત્કાર શા માટે કરવામાં આવે છે?

    કામશાસ્ત્રો એ રતિને મદનયુદ્ધ માન્યું છે. તાડન એ રતિનું મહત્વનું અંગ છે. સ્ત્રી-પુરુષ એકબીજાની સામે પ્રહારો કરે છે, જે રતિવેગને પ્રબળ બનાવવાના હેતુ થી હોય છે. પ્રહારનું પણ આવશ્યક અંગ હોય છે.

    જેમ કે,

    ૧. બંને બગલો

    ૨. મસ્તક

    ૩. સ્તનો અને તેની વચ્ચેની છાતી

    ૪. પીઠ

    ૫. જાંઘ

    ૬. જાંઘની પાછળનો ભાગ

    પ્રહાર કેવી રીતે કરવો?

    ૧. અપહસ્તક : હાથથી પીઠનું તાડન કરવું

    ૨. પ્રસૂતક : હાથને પહોળો કરીને સ્ત્રીના શિર પર માર મારવો

    ૩. મુષ્ટિ : મુઠ્ઠીથી તાડન કરવું

    ૪. સમતલક : હથેળીથી જાંઘ અને તેની પાછળના ભાગ પર તાડન કરવું

    રતિ સમયે પુરુષનો આવેગ સરખો હોતો નથી. પ્રથમ પ્રહાર વખતે તે શાંત હોય છે. ત્યારબાદ તે પોતાના કઠોર સ્વભાવ તરફ ચાલ્યો જાય છે. સ્ત્રીની શારીરિક અવસ્થા ન જોતા તે પ્રબળ વેગથી પ્રહાર કરે છે. જયારે તેઓ સહી શકતી નથી ત્યારે સ્ત્રી અવાજ કરે છે. એ સમયે તે સિત્કાર-રૂદન વગેરે કરે છે. આચાર્ય કહે છે કે, શિષ્ટ પુરુષે પ્રહારનો ઉપયોગ કરવો જોઈએ નહિ. આ કાર્ય નિર્દયી લોકોનું છે.

    ૮. વિપરીત ક્રીડા

    ઘણા સમય સુધી સંભોગ કરવાથી થાકી જવાય અને સ્ત્રીની કામેચ્છા પૂર્ણ ન થાય ત્યારે પુરુષની અજ્ઞા લઈને સ્ત્રી પુરુષની છાતી પર ચડી બેસે છે. પુરુષની જેમ પ્રેમ કરવા લાગે છે. પોતાનો ચહેરો પુરુષના મુખ આગળ લઇ જાય છે. તે સમયે તેના સ્તન પુરુષની છાતીને સ્પર્શે છે. આ સ્તનાગ્ર પુરુષની છાતીને સ્પર્શતાની સાથે જ રતિવેગ પ્રબળ બનતો જાય છે. પોતાની યોનિમાં પુરુષના શિશ્નને અવગત કરાવે છે.

    સ્ત્રીની છાતી ધબકારા મારે છે, મસ્તકના વાળ વિખેરાઈ જાય છે. શ્વાસ લેવા છતાં પણ હસી હસીને પોતાનો વિજય પોકારે છે. આ સમયે તેના હર્ષનો પાર નથી રહેતો. જયારે કામેચ્છા પૂર્ણ થઇ જાય છે ત્યારે એ સંકોચાય છે. શર્મિન્દગી મહેસૂસ કરે છે. પોતાની આંખો બંધ કરી દે છે. થાકથી નીચે ઉતરીને વિશ્રાંતિ મેળવવા માટે પ્રયત્ન કરે છે. ત્યારબાદ તે પુન: પુરુષની જેમ પતિ પર પ્રેમ દર્શાવવા લાગશે.

    નવોઢા સ્ત્રીને કેમ મનાવવી?

    સંભોગ દરમિયાન નાયિકા પોતાના શરીરના જે અંગ દબાયાથી આંખની કીકી ઘુમાવે, એ અંગને વારંવાર દબાવવું. આમ કરવાથી સ્ત્રીની કામવાસના તુરંત પ્રબળ બની જશે. શરીરનું શિથિલ થઇ જવું, આંખો બંધ થઇ જવી, લજ્જાનો નાશ થવો, સ્ત્રીનું ગુહ્યઅંગ પુરુષના અંગ સાથે દબાય વગેરે લક્ષણ સ્ત્રીની કામવાસના તૃપ્ત થવાણી સૂચના ગણી શકાય.

    જયારે સંભોગની સમાપ્તિ આવી જાય ત્યારે સ્ત્રી પોતાના હાથ હલાવે છે. શરીરે પસીનો છૂટે છે. જમીન પર ઉછળીને તે પડે છે. પુરુષને નખમહોર મારે છે. પોતાના પગ પલંગ પર કે પછી જમીન પર ઉછાળીને પડે છે. જો સ્ત્રીની ઈચ્છા હજુ બાકી હોય તો તે પુરુષને પણ ફરજીયાત તેની ઈચ્છાને વશ થવું પડે છે. સંભોગ ક્રીડાને લંબાવવી પણ પડે છે. વિપરીત રતિમાં સ્ત્રીની કામવાસના તેના મૂળ સ્વભાવે સ્પષ્ટ પ્રતીત થઇ જાય છે.

    ૯. મુખ મૈથુન

    મુખ મૈથુન એ સૌથી અધમમાં અધમ અને ધૃણિત કાર્ય છે. આ કૃત્ય મોટે ભાગે હિજડાઓ કરે છે. પુરુષત્વહીન વ્યક્તિને મોટેભાગે હિજડો કહેવાય છે. તેમને પણ કામેન્દ્રિય હોય છે. પરંતુ, તે ઘણી સૂક્ષ્મ અને અવિકસિત હોય છે. મૂત્રમાર્ગ સિવાય તેનો બીજો કોઈ ઉપયોગ થતો નથી.

    હિજડા બે પ્રકારના હોય છે :

    ૧. સ્ત્રીરૂપિણી

    ૨. પુરુષરૂપિણી

    પુરુષરૂપિણી સ્ત્રીને દાઢી-મૂંછ હોય છે અને સ્ત્રીરૂપિણીને થોડા અંગોના ઉભાર દેખાઈ આવે છે. આ સ્ત્રી-પુરુષો એકાંતમાં મળતા કોઈ પુરુષ ય સ્ત્રીની ઇન્દ્રિયને પોતાન મુખમાં લઈને અનંગ આનંદની પ્રાપ્તિ કરે છે. હિજડાઓનો સંપર્ક વેશ્યાઓથી પણ ભયાનક છે, માટે પ્રત્યેક વ્યક્તિએ તેમનાથી ચેતતા રહેવાની જરૂર છે. આવા લોકો નપુંસક હોય છે કે પછી સંભોગસાધન ન મળવાને લઈને અલગ અલગ માર્ગ પ્રયોજે છે. આવા લોકોથી પોતાના બાળકોને દૂર જ રાખવા જોઈએ. અસભ્ય જંગલી લોકોનું આ કૃત્ય છે.

    મુખ મૈથુન કરનાર વેશ્યાઓની સાથે સંભોગ કરતા પુરુષ તેના મુખને ચૂમતા નથી. તેનું કારણ સ્પષ્ટ છે. ચુંબન રોગને પ્રસરાવવામાં તેમજ વ્યાપક બનાવવામાં અપૂર્વ છે. ગરમી, ચાંદી, આદિ ઝેરી જંતુઓ ચુંબન દ્વારા એકબીજામાં ભળી જાય છે. પરિણામે, બંને ભયંકર રોગમાં ફસાઈ શકે છે.

    મનુષ્યનું મન ઘણું જ ચંચળ હોય છે. કામાતુર અવસ્થામાં તો અતિ ચંચળ અને ચપળ બને એટલે માણસ ક્યારે, ક્યાં અને કેવો નીવડશે તે કહેવું અતિ મુશ્કેલ છે.

    ૧૦. સંભોગ પહેલા અને પછીનું કર્તવ્ય

    રાત્રિના સમયે રતિક્રીડા સમયે શું પહેરવું જોઈએ?

    શયનગૃહમાં જતા પહેલા સ્ત્રીએ સોળ શૃંગાર કરવા જોઈએ. શૃંગાર સૌન્દર્યને અધિક મનોહર અને આકર્ષક બનાવે છે. રતિસદનમાં જતા પહેલા યોગ્ય આભૂષણો-સુંદર વસ્ત્રો અને સુગંધી ગંધ, પુષ્પમાળા આદિ સજીને જ જવાની આજ્ઞા આપી છે.

    પત્ની સાથે ક્રીડા કરવા નાયકે પોતાના શયનગૃહને પુષ્પો, સુગંધિત પદાર્થો આદિથી સજાવવું. સ્નાન કરીને સ્વચ્છ બનેલી અને શૃંગાર સજીને આવેલી પત્નીને પોતાની પાસે બેસાડવી. ધીરે-ધીરે વાતો કરીને તેને પોતાના તરફ વાળવી. પુરુષ જમણી બાજુ બેસે અને તેના ગાલ પર વહાલથી હાથ ફેરવે. ત્યારબાદ જે સમયે સ્ત્રી કામવિહ્વળ બને ત્યારે પુષ્પમાળા, ચંદન આદિનો લેપ કરવો. સ્ત્રીની લજ્જા તૂટી જય ત્યાતે તેનો રતિવેગ ઉન્મત્ત બને છે. ત્યાબાદ પતિએ તેની સાથે સંભોગ કરવાની તૈયાર કરવી.

    સંભોગ બાદ સ્ત્રી-પુરુષે એકબીજાને જાણ ન હોય તેમ લજ્જિત થઇ મૂત્ર ક્રિયા પૂરી કરીને સ્વસ્થ બનવું. તે પછી ચંદનનો લેપ લગાવવો અને તાંબૂલનુ ભક્ષણ કરવું. ત્યારબાદ ઋતુને અનુસરતા ફાળો, મિઠાઈઓ, દૂધ વગેરે રુચિ અનુસાર લેવા. જલપાન કરવું. સાથે સાથે પત્નીને પુરુષે પોતાના જામના હાથથી આલિંગન પણ કરવું. તેનાથી સ્ત્રી શાંત બને છે અને સાંત્વના મળે છે. ચંદ્રમાને જોતી અને પોતાની ગોદમાં પડેલી પ્રિયતમાને પતિએ તારા, નક્ષત્ર વગેરેનો પરિચય કરાવવો. સંભોગ બાદ વૈરાગ્ય આવતું અટકાવવા માટે પ્રેમભરી વાતો કરવી જરૂરી છે. પત્નીના માથામાં હાથ ફેરવતા-ફેરવતા પતિએ તેના વાળને સહેલાવવા. પત્નીને ધીરે-ધીરે વાતો કરીને સૂવડાવીને પુરુષે પણ સુઈ જવું.

    (અધિકરણ ૨ : સામ્પ્રયુક્તક પૂર્ણ )

    અધિકરણ – ૩ (કન્યાસમ્પ્રયુક્તક)માં લગ્ન, સોહાગ રાત, નવોઢા પ્રતિ વિશ્વાસ, પુરુષને પોતાના તરફ આકર્ષવાની રીત, વિવાહ સંબંધ વગેરે વિષયો પર જોઈશું.

    અધિકરણ - ૩ - કન્યાસમ્પ્રયુક્તક

    ૧) લગ્ન

    ૨) સોહાગ રાત

    ૩) કન્યા સાથે પરિચય કેળવવાની યુક્તિ-પ્રયુક્તિઓ

    ૪) નાયકે કન્યા-પ્રાપ્તિ માટે કરવાના યોગ્ય પ્રયત્નો

    ૫) ગાંધર્વ વિવાહ

    ૧. લગ્ન

    ચારેય વર્ણ : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના યુવકોએ પોતાના વર્ણની યોગ્ય કન્યા સાથે શાસ્ત્રની વિધિ અનુસાર લગ્ન કરવાથી ધર્મ, અર્થ, સંતાન, સંબંધ, કૂલવૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય છે.

    બુદ્ધિમાન અને સમજુ પુરુષોએ આ પ્રકારની કન્યા સાથે લગ્ન કરવા જોઈએ.

    ૧. કુલીન વંશની હોય

    ૨. માતા-પિતા જીવિત હોય

    ૩. વયમાં પોતાનાથી ઓછામાં ઓછી ૩ વર્ષ નાની હોય

    ૪. પિતૃત્વ સુંદર, સદાચારી અને સંપન્ન હોય

    ૫. કન્યા પોતે સૌંદર્યવાન, સદાચારી અને શીલ ચરિત્ર ધરાવતી હોય

    ૬. જેના દાંત, નખ, કાન, વાળ, આંખ અને સ્તન બહુ નાના કે મોટા ન હોય

    ૭. નીરોગી હોય

    ૮. શરીરમાં પોતાનાથી ભારે ન હોય

    લગ્ન બે પ્રકારે થાય છે :

    ૧. ભાગ્યથી, ૨. ઉદ્યમથી

    ભાગ્યથી જે કન્યાના લગ્ન થાય છે તે ઈશ્વરની ઈચ્છાને આધીન હોય છે. જે કન્યા મળે તે યુવક સ્વીકારી લે છે. તેમાં પસંદગીનો પ્રશ્ન હોતો નથી. ઉદ્યમથી પ્રાપ્ત થયેલી કન્યા એટલે જેનો નિર્ણય નાયક તેને પ્રેમ કરીને મેળવે છે.

  • લગ્ન ન કરવા યોગ્ય કન્યા :
  • ૧. વધુ મેદસ્વી

    ૨. વધુ આરામ કરે તેવી

    ૩. ઘરની બહાર વિના કારણ ભટકનારી

    આના સિવાય પણ આચાર્ય ઘણી બાબતો લગ્ન ન કરવા લાયક કન્યા વિષે જણાવે છે. પરંતુ, આ દરેક નિયમો આદર્શ પુરુષની સરખામણીમાં કરેલા છે.

    ખરાબ નામ ધરાવતી, ગુણદોષ છૂપા હોય તેવી, શરીર પર શ્વેત ચિહ્ન હોય તેવી, કદરૂપી હોય તેવી, વ્યભિચારિણી, મૂંગી, રજસ્વલા, બાલ્યાવસ્થામાં સાથે રમેલી હોય તેવી, અને યુવકથી વધુ પડતી નાની ઉંમર ધરાવતી હોય તેવી કન્યા જોડે લગ્ન કરવાની આચાર્યજી ના પાડે છે.

  • લગ્ન સમય નજીક આવે ત્યારે માતા – પિતાએ શું કરવું જોઈએ?
  • જયારે કન્યા યુવતી બને અને તેના માટે લગ્ન માટેનો સમય નજીક આવે ત્યારે માં-બાપે પોતાની પુત્રીને સારા વસ્ત્રો પહેરાવી અને શૃંગાર કરાવી બહાર ફરવા ઉદ્યાન, બજાર કે કોઈ મિત્ર અથવા સંબંધીને ત્યાં લઇ જવી. આમ કરવાથી લોકોના ધ્યાનમાં એ કન્યા આવે અને તેમને જાણ થાય કે આવા રૂપ-ગુણ ધરાવતી કન્યા હજુ અવિવાહિત છે.

    પ્રાચીન કાળમાં ચાર પ્રકારના લગ્નો પ્રચલિત હતા :

    ૧. બાહ્ય

    ૨. આય

    ૩. પ્રાજાપત્ય

    ૪. દેવ

  • લગ્ન સંબંધ કેવી કન્યા જોડે બાંધવો જોઈએ?
  • સંબંધ, રમત અને વિવાહ આ ત્રણ કાર્ય પોતાના સમાન કુળ અને સમાન વ્યક્તિ સાથે કરવા જોઈએ.

    જે કન્યા સાથે લગ્ન કરી પુરુષની દશા સેવક જેવી થઇ જતી હોય અને ઉચ્ચ સંબંધ કહે છે. બુદ્ધિમાન પુરુષો આવો સંબંધ કરતા નથી.

    જે કન્યા સાથે લગ્ન કરીને પુરુષ સ્વામી જેવા પૂજ્યભાવથી પૂજાય તેને હીન સંબંધ કહે છે. ભદ્ર સમાજના પુરુષો તેની નિંદા કરે છે.

    જ્યાં બંને પક્ષને સમાન આનંદ અનુભવવાનો મળે, જેમાં એકબીજા મદદગાર અને અનેકને શોભારૂપ થઇ પડે. ત્યાં એકબીજાને હસવાનો, વિનોદ કરવાનો સંબંધ હોય.

  • ૨. સોહાગ રાત
  • સ્ત્રીના સ્વભાવમાં કોમળતા અને મૃદુતા હોય છે. પુરુષે પ્રથમ સમાગમમાં તેના પર બળાત્કાર, રોષ આદિ ન કરવા જોઈએ. જો તેવું કરવામાં આવે તો સ્ત્રીના મનમાં વિરક્તિ આવી જાય છે. નવવધુને પતિમાં વિશ્વાસ નથી આવતો અને નિર્દયીપણું જણાય છે.

  • લગ્ન પછી ત્રણ રાત્રિનું કર્તવ્ય :
  • લગ્ન થઇ ગયા બાદ ત્રણ રાત સુધી વરવહુએ ભૂમિ પર શયન કરવું અને પૂર્ણ બ્રહ્મચર્ય જાળવવું. આ દિવસો દરમિયાન સાત્વિક અને મીઠા વગરનું ભોજન કરવું. એ પછી સાત દિવસો સુધી દંપતીએ મંગલ શબ્દો સાથે સ્નાન, શૃંગાર આદિ કરતા રહેવું. વાર-વહુ બંને સાથે ફરે, નાટક જુએ અને ફરે. નવપરિણીત યુગલ ગંધ, પુષ્પોથી સત્કારે અને તેમને વડીલો તેમને આશિષ આપે. ત્રણ રાત્રિ બાદ એકાંતના સમયે પતિએ મધુર આલાપ કોમલ અને મૃદુ ઉપચારોથી નવવધુને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરવો જેથી એની લજ્જા ઓછી થવા માંડે.

    જો કે ત્રણ રાત્રિ પછી નાયક જડ વસ્તુના જેવો જ ચૂપ અને નિર્જીવ રહે, કન્યાને બોલાવે નહિ તેમ જ તેનો સત્કાર પણ ન કરે તો વધુને બહુ દુઃખ લાગે છે. પતિને નપુંસક સમજીને તેનો તિરસ્કાર કરવા લાગે છે.

    પ્રથમ સહવાસમાં પત્ની સાથે બહુ મૃદુ અને શિષ્ટ આચરણ કરવું જરૂરી છે. જે પ્રકારે નવવધૂના હૃદયમાં પતિને સ્થાન મળે અને એ અનુરાગ કરવા લાગે , તે પ્રકારે પ્રવૃત્તિ કરવી. અવસર પ્રાપ્ત થતા પતિ પત્નીને આલિંગન કરે. નાયક નાયિકાને આલિંગન કરે તો તે ઉપરના અંગ ઉપર જ કરે. બીજા અંગ સાથે છેડછાડ ન કરે. પૂર્ણ ગૌરવશાળી સ્ત્રી કે જે લજ્જાનો ત્યાગ થયેલો હોય તેની સાથે દીપકના પ્રકાશમાં આલિંગન કરવું જોઈએ. પરંતુ લજ્જાશીલ નવવધુ સાથે અંધકારમાં જ આલિંગન કરવું જોઈએ.

  • પુરુષે સ્ત્રીને મનાવવા શું કરવું જોઈએ?
  • જયારે નવવધુ પ્રથમ આલિંગન સહી લે ત્યારે પુરુષ પોતાના મુખમાં પાન રાખીને સ્ત્રીના મુખમાં આપે. જો સ્ત્રી સ્વીકાર ન કરે, તો કોમળ વચનોથી, મધુર શબ્દોથી સોગંદ આપીને પણ તેનો સ્વીઅર કરાવવો જોઈએ. જયારે નાયિકા નાયકના મુખમાં રહેલું પણ પોતાના મુખમાં ગ્રહણ કરી લે ત્યારે નાયક સુકુમારતાથી જરા પણ અવાજ કાર્ય વિના એક મૃદુ ચુંબન લઇ લે.

    નાયક પોતાને અનુકુળ બંને પક્ષની વિશ્વાસપાત્ર સ્ત્રીઓને મધ્યસ્થી બનાવી વાતચીતનો આરંભ કરવો. નાયિકા લજ્જાને કારણે નીચું મુખ રાખીને વાર્તાલાપ સાંભળશે અને હસ્યા કરશે. નાયિકાને જો એ વાર્તાલાપથી વધુ લજ્જિત થવું પડે તો તે ક્રોધિત બને છે અને પોતાની સખી સાથે લડે છે. આ પ્રકારના વાર્તાલાપ અને મીઠા ઝઘડાથી દંપતીનો પ્રેમ વધે છે.

    પતિએ પોતાની પત્નીના સ્તનપ્રદેશ પર કોમળ સ્પર્શ કરવો. સ્ત્રીને આલિંગન કરવું અને પોતાનો હાથ નભી સુધી લંબાવવો. ત્યારબાદ નવોઢાને પોતાની ગોદમાં લઈને અધિક પ્રેમ કરવો. જો તે શરમથી લજ્જિત થઈને સંકોચ અનુભવે તો પુરુષે ડર બતાવવો.

    આ પ્રકારે ત્રણ રાત્રિ સુધી અનુરાગની વૃદ્ધિ કરાવવી અને કામ જાગ્રત થાય તે અવસરે તેના કૌમાર્યને ભંગ કરવું. તેને દુઃખ ન થાય તે રીતે સંપ્રયોગ કરતા રહેવું. નવવધુને વિશ્વાસમાં લેવાની આ વિધિ છે.

    ૩. કન્યા સાથે પરિચય કેળવવાની યુક્તિ-પ્રયુક્તિઓ

    જે પુરુષ ગુણી હોય છતાં પણ ધનહીન, શ્રીમંત હોવા છતાં અકુલીન, ધનિક હોવા છતાં પાડોશી સાથે વસનારો, સ્વભાવથી બાળમાનસ હોય તેના યુવાનોને કુલીન કુળની કન્યા સ્વયં પસંદ કરતી નથી. આવા યુવકો બાળપણથી જ અલગ-અલગ યુવતીઓ સાથે સંબંધ બાંધવાના અભરખા જોતા હોય છે અને તેને પામવા માટે ચેષ્ટાઓ કરતા રહે છે.

    આચાર્ય વાત્સ્યાયનજી કહે છે કે, વર બે પ્રકારના હોય છે.

    ૧. બાળક અને ૨. યુવાન

    કન્યાની સાથે પુષ્પો તોડવા, માટીના નાના – મોટા ઘર બનાવવા, રમતો રમવી. આ દરેક બાબતો કન્યા સાથે પોતાનો સંબંધ ગાઢ બનાવવા માટે હોય છે. કન્યાની વિશ્વાસુ સખીઓ પણ સાથે હોય અને તેની સાથે બલકે એવા પ્રકારની રમતો રમતી રાખવી અને કન્યા સાથે પોતાની ઘનિષ્ઠતા વધારવી.

    યુવક જે યુવતીને પ્રેમ કરતો હોય તેણે એ કન્યાની વિશ્વાસપાત્ર સખી સાથે પ્રીતિ રાખવી જરૂરી છે. આ સિવાય છોકરી સાથે પણ યુવાને પોતાનો પરિચય વધારવો અને તેને પોતાના પક્ષમાં લેવી. જો એ પ્રસન્ન થઇ જાય તો પુરુષની કન્યા પ્રતિ પ્રેમની ઈચ્છા સમજીને તેમની મુલાકાત ગોઠવી આપે છે.

    મુલાકાત સમયે સ્ત્રી જે વસ્તુની ઈચ્છા રાખે એ દરેક ઇચ્છાઓ પૂરી કરી આપવી જોઈએ. નાયિકા ઈચ્છે તે ચીજો લાવીને નાયકે પોતાની સામર્થ્ય શક્તિ દર્શાવવી જોઈએ. આમ કરવાથી નાયિકા પુરુષ પ્રત્યે આકર્ષાય છે અને તેનો અનુરાગ વધે છે. આમ કરીને જ નાયક પોતાની ઇચ્છિત ધારણાઓ પાર પાડી શકે છે. નાયકે સુંદર વસ્ત્રો પહેરીને યુવતીની નજીક જવું જોઈએ. તેનો વેશ કદી પણ અસંસ્કારી કે કુત્સિત ન હોવો જોઈએ.

  • સ્ત્રીના આંતરિક અને બાહ્ય ભાવોનું વર્ણન :
  • યુવતી કન્યા સામે બેઠેલા પોતાના ઇષ્ટ પુરુષની તરફ જોતી નથી. જો પુરુષ તેની તરફ દ્રષ્ટિ કરે તો તે પોતે શરમાઈને મુખ નીચે કરી દે છે. યુવતી પોતાના પ્રેમીને એકલ અવસ્થામાં અથવા દૂર ચાલી ગયા પછી તેને વારંવાર જોયા કરે છે. યુવક પાસેથી કંઈ ખુલાસો માંગે તો યુવતી મંદ મંદ હસીને અસ્પષ્ટ શબ્દો બોલે છે અને પોતાનું મુખ નીચું કરી દે છે.

    નાયક જ્યાર પોતાની નાયિકાને જોઈ રહે છે ત્યારે તે પોતાની ગોદમાં રમતા બચ્ચાને આલિંગન કરે છે, સખીના મસ્તક પર તિલક આદિ કરી તેમને પરાણે રોકી રાખે છે. આવી અનેક પ્રકારની મન લુભાવન ચેષ્ઠાઓ નાયિકા કરે છે. આ યુવતી પોતાના પ્રિયને જોઇને હોઠ ફરકાવે છે. આંખો ઘુમાવે છે. વિખરાયેલા વાળને વારંવાર બાંધે છે. કંચુકી નીચે છુપાયેલા સ્તનને બહાર પ્રકટ કરે છે.

    ઉપરાંત, પ્રેમીના મિત્રો સાથે મિત્રભાવ રાખે છે. તેમની સાથે વાર્તાલાપ કરે છે અને રમતો પણ રમે છે.

    ૪. નાયકે કન્યા-પ્રાપ્તિ માટે કરવા યોગ્ય પ્રયત્નો

    બે પ્રકારના પ્રયત્નો દ્વારા કન્યાની પ્રીતિ જીતી શકાય છે.

    ૧. બાહ્ય

    ૨. આંતરિક

    યુવક અને કન્યા સાથે ચોપાટ, શતરંજ કે અન્ય જુગાર રમવા બેઠા હોય ત્યારે નાયકે કન્યાનો હાથ પકડી લેવો. ત્યાબાદ કન્યાની સંમતિ લઇ તેની મરજી હોય તો આલિંગન આપવું. વૃક્ષના પાન પર મનના ભાવો લખીને મોકલવા. મેળામાં, નાટકમાં કે અન્ય સ્થળે પોતાના કુટુંબીજનોની બેઠકમાં કન્યા સમીપ યુવાન બેસે અને કોઈ પણ બહાને સ્પર્શ કરે. કન્યાના પગ દબાવે અને આંગળીને સ્પર્શે. નાયક પોતાના અંગૂઠાથી કન્યાના અગ્રભાગને દબાવે. ત્યારબાદ નાયક પગ, જાંઘ અને કમરને સ્પર્શ કરે. નાયક પાણી પાઈ રહેલ નાયિકા પર પાણીની છાલક મારીને હેરાન કરે. એકાંત કે અંધકારમાં બેસીને સ્પર્શ અને વાર્તાલાપ કરે. નાયક પોતાને ઘેર આવેલી નાયિકાને પોતાનું મસ્તક દબાવવા વિનંતી કરે. જો કન્યા તેને ચાહતી હશે તો તેના વચનને તરત જ ઉઠાવી લેશે અને મસ્તક દબાવવા લાગશે.

    સંધ્યા સમયે કે પછી અંધારી રાત્રીમાં સ્ત્રીઓની લજ્જા દૂર થાય છે અને આ સમયે જ તેમને કામ અગ્નિ પ્રદીપ્ત થાય છે. આ સમયે સ્ત્રીઓ પુરુષ સાથે સંભોગ કરતા પોતાને રોકી શકતી નથી. એ સમયે પુરુષે સ્ત્રી સાથે સમાગમ કરવું જોઈએ.

    ૫. ગાંધર્વ વિવાહ

    નાયક કન્યામાં પોતાના પ્રતિ અનુરાગ ઉત્પન્ન કરી સ્વયંવર અથવા ગંધર્વ રીતિ મુજબ તેની સાથે વિવાહ કરે. જયારે નાયક કન્યા પ્રત્યક્ષ દર્શન ન કરી શકે ત્યારે તેને પોતાનો પ્રેમ – સંદેશ મોકલવા એક યુવતી પાસે જાય છે. આ યુવતી એ કન્યાની સખી હોઈ શકે છે.

  • પ્રેમ-સંદેશો લઇ જતી યુવતીનું કર્તવ્ય :
  • આ યુવતી એ કન્યા પાસે જઈને યુવકનું વર્ણન કરવું અને ખુબ સુંદરતાથી કરવું. જે સાંભળીને નાયિકા નાયકને ચાહવા લાગે અને તેમાં જ પોતાનું સર્વસ્વ જુએ. નાયકના જે ગુણો કન્યાને વધુ પસંદ હોય તે ગુણ નું તે વારંવાર વર્ણન કરે. નાયકના માતા – પિતાનું પણ ખૂબ સરળ અને સુંદર ભાષા અને લઢણથી વર્ણન કરે.

    “જો તું પોતે તેનો સ્વીકાર નહિ કરે તો નાયક બળપૂર્વક તે પકડીને લઇ જશે અને તારી સાથે આનંદપૂર્વક લગ્ન કરી લેશે.” આ પ્રકારનો મીઠો પ્રેમ દર્શાવતો ભય પણ યુવતી એ કન્યા આગળ બતાવવો જોઈએ. વાત સ્વીકારીને કન્યા વિવાહ કરવા સહમત થાય પછી એકાંત સ્થાનમાં તેને લઇ આવે. નાયક વેદશાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણના ઘરમાંથી અગ્નિ મંગાવે. હવન-હોમ કરીને ત્રણ વાર અગ્નિ પરિક્રમા કરે.

    ત્યારબાદ બંને સાથે મળીને મદિરાપાન કરે. નાયિકા નાયકને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરે. નાયક મદિરાથી બેહોશ બનેલી એ આજ્ઞાયુક્તિ કન્યાની સાથે સંપ્રયોગ કરીને તેનું આચરણ કરે. ત્યારબાદ નાયક પોતાની નાયિકા જોડે સમાગમ કરે. પોતાના અને કન્યાના સંબંધીઓની આ વાત પ્રગટ કરી દે.

    ત્યારબાદ આ લગ્નની વાત પોતાના કુટુંબીજનોમાં ફેલાવે.

    જયારે કન્યાના માતા – પિતા આ લગ્નને સ્વીકારે ત્યારે નાયકે તેમના તરફ પૂજ્યભાવ દર્શાવવો. નવવધૂના ભાઈ-બહેનોને ઉપહાર, ભેટ વગેરે આપીને પ્રસન્ન કરવા.

    મધુરભાષી સ્ત્રી, વિવેકી અને ગુણવાન પુત્ર, આવશ્યક ધનસંપત્તિ, સ્વપત્નીમાં પ્રીતિ, સજ્જનની મિત્રતા – આ બધું જેમની પાસે છે તેમનો ગૃહસ્થાશ્રમ ભવ્ય જાણવો.

    અધિકરણ ૩ – (કન્યાસમ્પ્રયુક્તક) પૂર્ણ

    અધિકરણ ૪ – (ભાર્યાધિકારિક) માં પતિવ્રતા ગૃહિણીનું કર્તવ્ય, પ્રવાસ સમયે તેનું કર્તવ્ય, પતિના જયેષ્ઠ બંધુઓના પત્ની સમક્ષ તેનું કર્તવ્ય, અંત:પુર તરફનું કર્તવ્ય, પુરુષનું અન્ય પત્નીઓ તરફનું કર્તવ્ય વગેરે વિષે જોઈશું.

    અધિકરણ - ૪ - ભાર્યાધિકારિક

    ૧) ગૃહિણીનું કર્તવ્ય

    ૨) પરસ્ત્રીગમન

    ૩) સ્ત્રીના હાવ – ભાવ

    ૪) પરસ્ત્રીના આંતરિક ભાવ

    ૧. ગૃહિણીનું કર્તવ્ય

    સ્ત્રી અને પુરુષના આત્માને એક કરવા માટે ઈશ્વરે જે વ્યવસ્થા કરી છે, જે આકર્ષણ શક્તિ આપેલી છે તેનું નામ પ્રેમ છે. પ્રેમના મંદિરમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર લગ્ન છે. તેનાથી વધુ પવિત્ર બીજી કોઈ ક્રિયા નથી. તેનાથી ઉચ્ચ, શ્રેષ્ઠ સંબંધ પણ કોઈ નથી.

    સ્ત્રી એ પુરુષની અર્ધાંગના છે. ગૃહસંસારની એ સંચાલિકા છે અને ગૃહસ્થી જીવનનો પ્રાણ છે. ઘરનું ઉત્કર્ષ, સુખ દુઃખ, પ્રેમ જેવી દરેક વસ્તુ ગૃહિણીની યોગ્યતા પર નિર્ભર રહે છે. જેવી સ્ત્રી, તેવું ગૃહ આ લોકવાયકા સાચી જ છે. સ્ત્રી સંસારનો સાર છે, પુરુષના જીવનને ઉન્નત કરે છે. પ્રફુલ્લ રાખે છે. નારીનું હૃદય પ્રેમ, કરુણા, મમતા અને સહાનુભુતિથી ભરેલું હોય છે. સ્ત્રીની ત્યાગવૃત્તિ અનુપમ હોય છે. પતિને એ ઉત્સાહિત કરે છે અને તેને સાહસ આપવા પ્રેરે છે. આપત્તિના સમયે સ્ત્રી પોતાના પતિને સાંત્વના આપે છે. તેને હિંમત આપે છે. સાચી ગૃહિણી પોતાના પતિ પ્રત્યે સન્માન રાખે છે, ગૃહસ્થી જીવનને ઉજાળે છે.

    પુરુષમાં શૌર્ય અને સ્ત્રીમાં કોમળતા અને મધુરતા છે. આ બંનેનું મિલન એટલે જ પૂર્ણતા. એકબીજાના મિલનમાં, સુખ દુઃખમાં આજીવન સંકળાયેલા રહે અને એકબીજાના વ્યક્તિત્વમાં પોતાનું ભૂલી જાય તેમાં જ પરમાનંદ સમાયેલો છે.

  • સ્ત્રી : લક્ષ્મી
  • મનુસ્મૃતિકારે કહ્યું છે કે, “જયારે ભર્તા અને ભાર્યા પરસ્પર પ્રીતિ ધરાવે છે ત્યારે જ ધર્મ. અર્થ અને કામ ત્રણેય પદાર્થોનો તેમને લાભ થાય છે.”

    સ્મૃતિકાર કહે છે કે, “પુરુષને પ્રજા ઉત્પન્ન કરી આપવામાં મહાભાગ્યશાળી, વસ્ત્રોથી તથા આભૂષણોથી સત્કાર કરવા યોગ્ય અને ઘરને શોભા આપનારી સ્ત્રીઓમાં તથા લક્ષ્મીમાં કોઈ તફાવત નથી.”

    ઘરમાં વૈભવ હોય છતાં જો સ્ત્રી ન હોય તો ગૃહસ્થ પુરુષ, પોતાને ત્યાં આવતા અતિથીનો સત્કાર કરી શકતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, “ઘર એ ઘર નથી જ્યાં ગૃહિણી ન હોય.” ઘરમાં વૈભવ હોવા છતાં ઘરની શોભા સ્ત્રી વડે વધે છે, તેથી તેને લક્ષ્મી સમાન કહેલી છે.

  • સ્ત્રીને આધીન કર્તવ્ય :
  • ભગવાન માનું કહે છે, “સંતાન ઉત્પન્ન કરી, તેને ઉછેરી મોટા કરવા, સંસ્કારોનું સિંચન કરવું, સગાં, સંબંધી, મિત્ર, અતિથી વગેરેનો ભોજનથી સત્કાર કરવો અને ઘરના કામકાજની વ્યવસ્થા રાખવી, જે પ્રત્યક્ષ રીતે સ્ત્રીને આધીન છે.”

    “અગ્નિહોત્ર વગેરે ધાર્મિક કર્યો કરવા, પતિને ઉત્તમ પ્રકારનું સુખ આપવું, પિતૃઓને સ્વર્ગલોકનો લાભ કરી આપવો, આ સર્વ કાર્યો સ્ત્રીને આધીન છે. જે સ્ત્રી મન, વાણી અને કાયા વડે પતિને અનુકુળ રહે છે તે સ્ત્રી પતિના લોકમાં જાય છે અને સંત પુરુષો તેને સાધ્વી કહે છે.”

    મનુસ્મૃતિકારે જણાવ્યા પછી આચાર્ય વાત્સ્યાયન કહે છે, દાસ-દાસીઓ પર કેવી રીતે શાસન ચલાવવું, સ્વચ્છતા, પાક-વિદ્યા (રસોઈ), ખાદ્યપદાર્થોની રક્ષા, સંગ્રહ અને ઉપયોગ, પતિવ્રત ધર્મનો આદેશ, કુટુંબીજનો, મિત્રો સાથે વ્યવહાર કેવી રીતે કરવો? આ દરેક વાતો ગૃહસ્થ જીવનની વિસ્તૃતપણે ચર્ચી છે.

    પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો અને દેવતુલ્ય માનવો. પતિની ઈચ્છાને અનુસરીને વર્તતા રહેવું એ જ પતિવ્રતા પ્રેમી સ્ત્રીનું પરમ કર્તવ્ય છે. કુટુંબના કલ્યાણ માટે વિચારવું અને સતત કુટુંબીજનો માટે વિચારતા રહેવું.

    પોતાના કુટુંબીજનો તથા પોતાના પતિને ક્યાં પદાર્થો રુચિકર છે અને ક્યાં પદાર્થો અરુચિકર છે. તે વિષયને લક્ષ્યમાં રાખીને પોતાના પતિ તથા પોતાના કુટુંબીજનો માટે ભોજન માટે તૈયાર કરવા. પોતાના પતિ સમક્ષ અલંકાર તથા શૃંગાર વડે પોતાના શરીરને અલંકૃત કરીને જવું. સ્ત્રી જો આભૂષણ વગેરેથી ઝળહળતી રહે તો કૂળ પણ દીપી ઉઠે છે. પતિ જો ધનનો અન્ય અથવા ખરાબ માર્ગે ઉપયોગ કરી રહ્યો હોય તો તેને અટકાવવો. સારા માર્ગે વાળવો. એકાંતમાં પ્રમાદનો ઉપયોગ કરી તેને સારા – નરસા ની સમજ આપવી.

    પત્નીએ રસોઈ ઘર સ્વચ્છ, સુંદર અને દર્શનીય રાખવું. ઉપરાંત, તે સુરક્ષિત સ્થાનમાં રાખવું જોઈએ. ક્યારેક વિના કારણે જ પતિ કઈ બોલી ઉઠે અને ક્રોધિત થઇ જાય ત્યારે પત્નીએ શાંત મોઢે સાંભળી લેવું. થોડા સમય બાદ પતિનો ક્રોધ શાંત થાય ત્યારે સ્ત્રીએ શાંત અને મધુર શબ્દોમાં તેને મનાવી લેવો જોઈએ.

    મન, વાણી અને કાયાથી નિયમમાં રહેનારી સ્ત્રી ઉપર કહેલા સદાચાર પ્રમાણે વર્તે છે. તે સ્ત્રી ઉત્તમ કીર્તિ મેળવે છે અને મરણ પછી પતિના લોકમાં જાય છે.

    ૨. પરસ્ત્રીગમન

    પારકી સ્ત્રીઓ સાથે કઈ અવસ્થામાં અને કેવી રીતે સંપ્રયોગ કરવામાં આવે તે આચાર્ય વાત્સ્યાયન ખૂબ સારી રીતે જણાવે છે.

    પરસ્ત્રી સાથે ગમન કરતા પહેલા પુરુષે નીચેની વાતો પર ધ્યાન રાખવું જોઈએ.

    ૧. આ સ્ત્રી પોતાના વશમાં આવી શકશે નહિ

    ૨. વિશ્વાસ કરવા યોગ્ય છે કે નહિ

    ૩. સંભોગ માટે યોગ્ય છે કે નહિ? એ કોઈ ચેપી રોગથી પીડાય છે કે નહિ તે જાણી લેવું

    ૪. તેની સાથેનો સંબંધ સ્વાસ્થ્ય અને સમાજ તેના પર કેવી રીતે

    ૫. સ્વભાવ સાથે મન-મેળાવ થશે કે નહિ એ જોવું જોઈએ

    કામવિકારની દશ અવસ્થાઓ :

    ૧. નેત્ર પ્રીતિ

    ૨. મનની આસક્તિ

    ૩. ઇષ્ટપ્રાપ્તિનો સંકલ્પ

    ૪. નિદ્રા ભંગ

    ૫. શરીરની દુર્બળતા

    ૬. વિષયસુખની વિરક્તિ

    ૭. નિર્લજ્જતા

    ૮. ઉન્માદ

    ૯. મૂર્છા

    ૧૦. મૃત્યુ

    ધૂર્ત પુરુષો સ્ત્રીઓને ફસાવવા શું કરે છે?

    જો સ્ત્રી ધર્મ અને સદાચારને કારણે પોતાના અધિકારમાં ન આવી શકતી હોય અથવા તો તે પોતે જ સંસારમાં લીન થયેલી હોય તો તે પુરુષ તેના પ્રતિ પોતાનો પ્રેમ જગાવવા માટે પ્રયત્નો કરે છે. જો કોઈ સ્ત્રી સાધનની ખામી લઈને પોતાને નહિ મળી શકતી હોય તો તે લોકો તેને ઉપાયો પણ બતાવે છે.

    અધિક પરિચય થવાથી સ્નેહ બંધાઈ જાય છે. સ્ત્રી પોતાના વર્ચસ્વને ભૂલી જાય છે. આ દરમિયાન તે અમેના પુરુષના સ્વભાવથી, શક્તિઓથી સંપૂર્ણ માહિતગાર બની જાય છે. જો નાયિકા આવું કાર્ય કરતા ભય – બીક લાગતી હોય તો પુરુષ તેને આશ્વાસન આપી પોતાના અધિકારમાં લાવે છે.

    પરસ્ત્રીઓને ક્યાં પુરુષો વશ કરી શકે?

    ૧. કામસૂત્રના જાણનારાઓ

    ૨. વાર્તા – કથા કહેનારાઓ

    ૩. બાલ્યાવસ્થાથી કન્યાઓ સાથે રહેનારો

    ૪. પૂર્ણ યૌવન ધરાવતો યુવાન

    ૫. રમત – ગમત આદિમાં સ્ત્રીઓનો વિશ્વાસુ સાથી

    ૬. સ્ત્રીઓના કર્યો કરનારો

    ૭. સુંદરતામાં પ્રસિદ્ધ

    ૮. સાથે પોશાયેલો

    ૯. કામશાસ્ત્રીના નિપુણ નોકર ‘

    ૧૦. પાડોશી

    ૧૧. નાટક જોવાનો શોખીન

    ૧૨. નવો જમાઈ

    ૧૩. હૃષ્ટપુષ્ટ

    ૧૪. સાહસી, શૂરવીર

    ૧૫. જે અતિ મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરતો હોય તે

    કઈ સ્ત્રી સુગમતાથી પ્રાપ્ત થઇ શકે?

    ૧. ઘરના દ્વાર પર વારંવાર ઉભી રહી જોનારી

    ૨. છત પરથી રસ્તા તરફ જોનારી

    ૩. મનુષ્યો તરફ સદા જોનારી

    ૪. પતિ સાથે દ્વેષ કરનારી

    ૫. સંતાનહીન

    ૬. પિતાના ઘરમાં રહેનારી

    ૭. જેના સંતાન મારી ગયા છે તે

    ૮. સ્વભાવે નફફટ અને સ્વતંત્ર

    ૯. બાળવિધવા

    ૧૦. નિર્ધન – દરિદ્ર

    ૧૧. જેણે ઘણા દિયર હોય

    ૧૨. નાટક કરનારાઓની સ્ત્રીઓ

    ૧૩. દરેક સ્ત્રી સાથે મૈત્રી બાંધનારી

    ૧૪. સમાન રૂપ – ગુણ ધરાવતી સ્ત્રીઓથી તિરસ્કૃત થયેલી

    ૧૫. જેનો પતિ પરદેશ રહેતો હોય

    ૩. સ્ત્રીઓના હાવ – ભાવ

    સ્ત્રીઓ બે પ્રકારના હાવ – ભાવ દર્શાવે છે.

    ૧. સ્વાભાવિક રીતે

    ૨. શરમથી

    સ્ત્રીના મનોગત ભાવ :

    ૧. નાયક તરફ તે વારંવાર જુએ છે.

    ૨. નખથી પોતાના શરીર પર જ ખંજવાળે છે.

    ૩. પોતાના વાળને બાંધે છે અને છોડે છે.

    ૪. હોઠ દબાવે છે, કચડે છે.

    ૫. મોટેથી બોલે છે.

    ૬. નાયક તરફ જોઇને પોતાની સખીઓને કંઇક કહે છે.

    ૭. પોતાની આંગળીઓ ને વાળીને અવાજ કરે છે.

    ૮. નાયકની વાતો શાંતિથી સાંભળે છે.

    જયારે નાયિકા પોતાના પ્રેમને પ્રગટ કરીને પોતાના આંતરિક ભાવોને પ્રગટ કરે છે ત્યારે તે પ્રથમવાર જ પુરુષે આપેલી વસ્તુઓનો સ્વીકાર કરવા લાગે છે. સ્ત્રીઓના મનોભાવ સમજીને પુરુષ સારી સુગંધિત વસ્તુ, વસ્ત્રો, પુષ્પો અને પોતાની મૂલ્યવાન વીંટી ભેટમાં આપે છે.

    પરસ્ત્રી ગમે તેવી સાહસી હશે તો પણ તે પરપુરુષની સાથે રહીને ગભરાશે અને સંકુચિત રહેશે. સ્ત્રીઓનો ભય દૂર કરવા પુરુષો તેમને અલગ પ્રશ્નો પૂછીને કે પછી અનુરોધ કરીને તેનો એ ગભરાત દૂર કરે છે. પરપુરુષની સાથે તે એકાંતમાં જવા લાગે છે. આલિંગન – ચુંબન કરે છે. પરસ્પર ગુહ્યેન્દ્રિયનો સ્પર્શ કરાવે છે. કાળક્રમે એ લજ્જા તૂટી પડે છે અને વ્યભિચારી ગર્તામાં ડૂબી જાય છે. આ પ્રકારે પોતાના વિશ્વાસમાં આવેલી સ્ત્રી જયારે એકાંતમાં હોય ત્યારે આ પરપુરુષ સાથે સંપ્રયોગ કરવાની પ્રાર્થના કરે છે. જો એ માત્ર અનુભવી વિધવા હોય તો પ્રથમ તેને કંઇક પુરસ્કાર આપીને ધૂર્ત પુરુષો વશમાં લે છે અને પછી તે જ સ્ત્રી સાથે પ્રેમ કરે છે.

    શંકા કરનારી, સુરક્ષિત, ભયભીત તથા જેની સાસુ હોય છે તેવી સ્ત્રી સાથે પરિચય બાંધવાનો પ્રયત્ન ધૂર્ત પુરુષો કરતા નથી.

    ૪. પરસ્ત્રીના આંતરિક ભાવ

    જયારે પરસ્ત્રી એની વિષય – વાર્તા ધ્યાનથી સાંભળવા લાગે પરંતુ એ પોતાના અંતર – ભાવ પ્રગટ ન થવા દે ત્યારે નાયક તેની પાસે કોઈ દૂતી (પરસ્ત્રી) મોકલીને કાર્ય સિદ્ધ કરાવે છે.

    જયારે નાયકના પ્રેમ – પ્રસ્તાવને ઉડાવી દે છે અને તેમની વારંવાર વિનંતીઓ હોવા છતાં પણ તે એની સામે જતી નથી. ત્યારે પણ દુષ્ટ પુરુષો પોતાનો પ્રયત્ન છોડતા નથી અને કઠીન શ્રમ તેમજ ઉદ્યોગ કરીને તેને પોતાના વશમાં લાવવા પ્રયત્નો કરે છે.

    ગમે તેવી ગૌરવવાન અને ઉચ્ચ સ્ત્રી હોય તો પણ પુરુષ સતત શ્રમ અને ઉદ્યોગથી તેના વશમાં આવી જાય છે. એકમાં પુરુષ સ્વયં અને તેની સાથે ઘનિષ્ટતા વધારે છે. આ સ્ત્રી પુરુષને સખ્ત શબ્દો કહે, ઠપકો આપે છતાં તેના તરફ અનુરાગભર્યા કાર્યો કરે ત્યારે પુરુષ તેના પ્રેમને સ્વીકારી લે છે. જયારે પરસ્ત્રી પુરુષને એકાંતમાં મળી લે છે, પુરુષના કોઈ બહાના હેઠળ કરાયેલા એ સ્પર્શને સહી લે છે અને સ્વીકાર – અસ્વીકારની દ્વિધામાં રહે છે. સંતોષ અને ધીરજથી પુરુષ આવું કાર્ય ઘણા દિવસો સુધી કરે છે.

    પુરુષની પાસે સૂતેલી પરસ્ત્રી પોતાના દેહ પર છવાયેલા પુરુષના હાથને સહી છે છે. એ જાગતી હોવા છતાં પણ નિદ્રામાં હોય તેવો ઢોંગ કરે છે. હાથ ને એમ જ રહેવા દે છે. પુરુષ પાસેથી પ્રેમ માટે અનુરોધની અપેક્ષા રાખે છે. પરંતુ, પોતાના મુખેથી સ્વયં એ પ્રગટ કરતી નથી.

    જ્યાર પરસ્ત્રી પરપુરુષમાં આસક્ત બને ત્યારે કાંપતી ગદગદ વાણીથી વાર્તાલાપ કરે છે. તેના હાથ-પગની આંગળીઓમાં પરસેવો આવી જાય છે અને લજ્જાથી તેનું મુખ રક્તવર્ણ બની જાય છે. સ્ત્રી કામાતુર બનીને પુરુષના પગને દબાવે છે. બીજા હાથથી તેના અંગને સ્પર્શ કરીને આલિંગન કરવાનો પ્રયત્ન કરે છે. તે પોતાના બંને હાથ શરીર પર રાખીને ચૂપ રહે છે. ચતુર પુરુષ ત્યારબાદ પોતાનું મસ્તક તેની જાંઘ આર નાખી દે છે.

    ઘણી પર્સ્ત્રીઓ ધિરા અને અપ્રગલ્લભ હોય છે. એ એટલી શાંત હોય છે કે તેના આંતરિક ભાવોનો કોઈ પતો મળતો નથી. આવી સ્ત્રીઓ સાથે પહેલા ઘનિષ્ટતા વધારવી જોઈએ અને ત્યારબાદ જ તેની જોડે સંપ્રયોગની તૈયારી કરવી જોઈએ. અમુક પરર્સ્ત્રીઓ તરત જ ભળી જાય છે અને સંસર્ગમાં આવી જાય છે. આવી સ્ત્રીઓને બીજી વખત મળવાની જરૂર નથી. એ પ્રગલ્લ્ભા બનીને પોતાના મનોભાવને પ્રેમભર્યા શબ્દોમાં પ્રગટ કરી દે છે.

    અધિકરણ – ૪ (ભાર્યાધિકારિક) સમાપ્ત

    અધિકરણ – ૫ (પારદારિક)માં સ્ત્રી – પુરુષનો શીલ સ્વભાવ, પરપુરુષ સાથે સંબંધ બાંધવામાં આવતી અડચણો, કોઈ પ્રયત્ન વિના જ પરપુરુષને વશ થનારી સ્ત્રીઓ, હૃદયના ભાવોની પરીક્ષા, દૂતી – કર્મ, સ્ત્રીઓની રક્ષાના ઉપાય વગેરે.. વિષે જોઈશું.

    અધિકરણ - ૫ - પારદારિક

    ૧) શ્રીમંતો અને રાજાઓના કુત્સિત કર્મ

    ૨) અંત : પુરની વિલાસ – લીલા

    ૧. શ્રીમંતો અને રાજાઓનું કુત્સિત કર્મ

    આચાર્ય વાત્સ્યાયન આ પ્રકરણમાં પુરુષ અને સ્ત્રીના વિલાસ વિષે વાતો કરે છે. આ દરેક પુરુષ – સ્ત્રીઓ તરીકે રાજાઓ, અમીરો અને શ્રીમંત લોકોની યાદી છે. આ દરેકની વ્યભિચાર – લીલાનું અહી પ્રદર્શન કરેલ છે.

    મઘ્યમ વર્ગના લોકો સદા સ્વતંત્ર અને ભયભીત હોય છે. રાજનીતિક દંડ અને સમાજ, લોકો, નીતિના ડરથી માધ્યમ વર્ગના લોકો આવા કુત્સિત કર્મો કરતા નથી. જયારે શ્રીમંત અને રાજવર્ગના લોકોને કોઈ પ્રકારનો ભય હોતો નથી. ઉપરાંત, અત્યાચારી શાસનકર્તાઓના ત્રાસથી સદાય નીચલા વર્ગના લોકો ભયગ્રસ્ત રહે છે. આવી સ્થિતિમાં પાપી શ્રીમંતો અને રાજાઓ પોતાની આશ્રિત પ્રજા પર અનેકવિધ અત્યાચારો કરે છે. વહુ-બેટીઓના હરણ કરે છે. આવા રક્ષણ નીચે કોઈને પણ સુખ મળી શકતું નથી અને અંતે રાજ્યનો નાશ થાય છે.

  • નીચલો સમાજ ઉચ્ચ સમાજના કર્યો જોઇને શીખે છે.
  • રાજા, મંત્રી તેમજ અન્ય મોટા પુરુષોએ પરભાર્યાગમન જેવું કુત્સિત કાર્ય ન કરવું જોઈએ. આ જોઇને નીચલો સમાજ પણ એવું જ આચરણ કરે છે. સૂર્ય જગતનો સર્વશ્રેષ્ઠ જ્યોતિ સ્વરૂપ છે. ઉદય પામેલો જોઇને જ બધા લોકો જાગી જાય છે. પોતપોતાના વ્યવસાયમાં પ્રવૃત્ત બની જાય છે જયારે સંધ્યા સમયે સૂર્ય આથમી જાય છે ત્યારે લોકો પોતાનું કાર્ય બંધ કરીને સૂઈ જાય છે.

    શ્રીમાન લોકો જે કંઈ કાર્ય કરે છે તેનું જ સામાન્ય જન અનુકરણ કરે છે. આથી શ્રીમંતોને બીજાના ઘરમાં જઈને અન્ય સ્ત્રી સાથે સંભોગ કરવાનું અશક્ય બને છે. ખુલ્લી રીતે પણ વ્યભિચાર કરે એ બરાબર નથી. નિંદા થાય છે. આથી આચાર્ય જણાવે છે કે, રાજાઓએ તેમજ શ્રીમંતોએ પરસ્ત્રીગમન જેવું કુત્સિત કાર્ય કરવું જોઈએ નહિ.

  • શ્રીમંતો અન્ય પરદારા સ્ત્રીને કેવી રીતે ફસાવે છે?
  • જમીનદારો પોતાને ત્યાં કામ કરતી સ્ત્રી, મજૂરણ સાથે વ્યભિચાર કરે છે. જમીનદારીમાં કાર્ય કરતી સ્ત્રી શ્રીમંતોની આવી માંગણી નકારી શકતી નથી. સ્ત્રીને વધુ આદરભાવ અને પક્ષપાત બતાવીને પોતાના વશમાં કરી લેવામાં આવે છે. સ્ત્રી એમાં પણ સંકોચ અનુભવતી નથી. આ પ્રકારે શ્રીમંતો પોતાના મકાનમાં કોઈ ને કોઈ બહાને ગામડાની સ્ત્રી કે દાસીઓને બોલાવીને પોતાના વૈભવ – વિલાસની પ્રતીતિ કરાવીને તેને પોતાના વશમાં કરવાની યુક્તિ – પ્રયુક્તિઓ વિચારે છે. ઉપરાંત, પ્રતિભાની ધૂળ આંખમાં આંજીને પોતાની મનોકામના પૂરી કરે છે.

    આ મુજબ ગોવાળોની યુવતીઓ ને દૂધ, દહીં, માખણ, ઘી વગેરે ખરીદવાના અથવા તો બનાવવાના બહાને પોતાને ત્યાં બોલાવવામાં આવે છે. તેમની સાથે પોતાનો શોખ પૂર્ણ કરે છે. આ પ્રકારે વિધવા, અનાથ અને આમતેમ ફરતી સન્યાસિનીઓને સૂતર કાંતવા માટે પોતાને ત્યાં બોલાવે છે અને પોતાની ભોગલિપ્સા પૂરી કરે છે. ગામને પૂરી રીતે જાણતા ચોકીદારો કે નગરરક્ષકો દ્વારા તેમને બોલાવીને તેઓ પોતાની લાલસા સંતોષે છે.

  • રાજાઓના કુત્સિત કર્મો :
  • રાજાઓ પોતાની વહુ – બેટીઓને ફસાવી તેમની સાથે દુરાચાર કરે છે તે આ અધિકરણમાં આચાર્ય વાત્સ્યાયન બખૂબી વર્ણવે છે.

    આચાર્ય શ્રી કહે છે કે, જન્માષ્ટમી, શરદપૂર્ણિમા, વસંતપંચમી, આદિ શુભ ઉત્સવ પર રાજા – મહારાજાઓ ઉત્સવ મનાવે છે. આ અવસર પર દુરાચારી રાજાઓ પોતાના અંત:પુરની સ્ત્રીઓ સાથે એ પરિચય કરાવી લે છે અને તે બાદ બહારથી આવનારી સ્ત્રીઓ પોતાના સકંજામાં લઈને તેમની સાથે ઉપભોગ કરે છે.

    આનંદ – વિલાસ માટે બહારથી આવનારી સ્ત્રીઓ રાજદરબારની આવી સ્ત્રીઓ સાથે ગાઢ સંબંધ બનાવી લે છે. આ સમયે રાજા પોતે પણ ત્યાં આવે છે. રાજા આવી બહારથી આવનારી પરદારા સ્ત્રીઓનો વિશ્વાસ મેળવી લે છે. તે બધા ભોજન કરીને સાથે મદ્યપાન કરે છે. ત્યારબાદ પોતાની દુષ્ટ મનોકામના સિદ્ધ કરે છે. આ પ્રકારે સુખ ભોગવ્યા પછી રાત્રી બાકી રહેતા અંધારામાં જ પોતાના રાજભવનમાંથી વિદાય કરાવી દે છે. કારણ કે, દિવસમાં તેમાં આવવા જવાથી રાજાની પ્રતિષ્ઠામાં કલંક લાગે છે.

  • નીચ રાજદૂતીનાં કર્મો :
  • રાજાઓના નીચ કાર્યોમાં તેમના દાસ – દાસીઓ વધુ ભાગ ભજવે છે. લંપટ રાજાઓના સેવકો પણ હલકી બુદ્ધિના અને તેમના કાર્યોને ઉત્તેજન આપનારા હોય છે. રોજ રાજાને નવી સ્ત્રીઓ લાવી આપે છે અને તેમના શોખને પોષે છે. રજાઓ દાસીઓ તેમજ દાસ દ્વારા કોઈ અભિષ્ટ યુવતીને પોતાની જાળમાં ફસાવે છે. આવી સ્ત્રીઓને સકંજામાં લાવવા માટે અનેક પ્રલોભનો, આશાઓ આપે છે. જેમ કે પ્રબાલ – જડિત વેદી, મણિનિર્મિત પ્રાર્થનાગૃહ, પુષ્પવાટિકા, દ્રાક્ષમંડપ અથવા અંગૂરથી છવાયેલું લતાકુંજ, નિર્ઝરિણીગૃહ યા સમુદ્રગૃહ, ભીંત દ્વારા ગુપ્ત માર્ગે નીકળતી નિર્ઝરિણીઓ, અંતરિક્ષ જળને આવવાનો તથા જવાનો માર્ગ, પાંજરામાં રાખેલા મૃગ, શૂક – સારસ – હંસ વગેરે પક્ષીઓ અને વાઘ તથા સિંહ જેવા હિંસક પશુઓ બતાવવાની વાતો કરે છે તેમ કહીને સ્ત્રીનું મન વિચલિત બનાવે છે.

    આ પ્રકારે તેના મનમાં કુતૂહલ ઉત્પન્ન કરાવીને રાજાએ બતાવેલા એકાંત સ્થળમાં એ રાજ્દાસી તેને લઇ આવે છે અને ત્યાં આવ્યા પછી તે યોગ્ય શબ્દોમાં રાજાની ઈચ્છિત વાત તેની આગળ પ્રગટ કરે છે. ફરીપાછી દાસી એ કુતૂહલ પામેલી સ્ત્રી આગળ રાજાની કલાઓના વખાણ કરે છે. અંતમાં એ દાસી તેને વિશ્વાસમાં લાવવા માટે તેની આગળ સોગંદ ખાય છે કે આ ગુપ્ત વાર્તાને તે કદી પણ કોઈની આગળ બહાર પાડશે નહિ. રાજા સાથેના મેળાપને તે હંમેશા છૂપી રાખશે.

    ત્યારબાદ રાજા મહેલમાં પ્રવેશે છે. તે સ્ત્રી સાથે મીઠી મીઠી વાતો કરે છે. તે સ્ત્રીને ભમાવીને તેને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. આ વર્તનને લીધે એ સ્ત્રીને ખાતરી થાય છે કે રાજા ચોક્કસ તેના પર પ્રેમભાવ રાખે છે. અન્ય રાણીઓની જેમ તે પોતે પણ રાજાની પ્રિય પાત્ર છે. આવો વિશ્વાસ ઉત્પન્ન થવાને લીધે તેને પોતાના પાપકાર્યનો ડર રહેતો નથી.

    આ પ્રકારે પરભાર્યાગમન તથા પોતાની કામલાલસાની તૃપ્તિ માટે રાજા – મહારાજાઓ અનેક પ્રયોજન આચરે છે. આજે પણ સંસારના દરેક ખંડોમાં આ પ્રકારનો વ્યભિચાર ભયાનક રૂપમાં વિદ્યમાન છે. પ્રજાનું હિત ચાહનારા તથા શ્રીમંતો કોઈ પણ જાતિ કે વર્ણમાં આવી કુત્સિત પ્રથાનો પ્રચાર કરવો ઇષ્ટ નથી. સદવર્તન દ્વારા જ કામ – ક્રોધ વગેરે છ પ્રકારના દુશ્મનોને જીતીને પૃથ્વીને શાસન કરી શકે છે.

    ધર્મ કામને સર્વદા વર્જ્ય તો ગણ્યો જ નથી. જે વર્જ્ય નથી તે અપવિત્ર નથી. ધર્મનો ઈતિહાસ વિચારતા એટલું તો સ્પષ્ટ જણાઈ આવે છે કે માનવજાત કામવૃત્તિને – જાતીયતાને તથા જાતીય આકર્ષણને સર્વદા એક ચમત્કાર તરીકે જ ગણતી આવી છે.

    ૨. અંત : પુરની વિલાસ – લીલા

    જે પ્રકારે રાજાઓ અને શ્રીમંતોને પરદારા સ્ત્રીઓ માટે મહેલના અન્ય ખંડ કે ગૃહમાં પ્રવેશવાનું મુશ્કેલ અને યોગ્ય થઇ પડે તેવી જ રીતે શહેરીઓને તેમજ અન્ય બહારના પુરુષોને અંત:પૂરમાં પ્રવેશવાનું અતિ મુશ્કેલ થઇ પડે છે. રાજાઓના મહેલો અને દ્વારની આગળ ચોકીદારોનો પહેરો હોય છે. રાજ્વાર્ગના માણસો સિવાયનું કોઈ વ્યક્તિ અંદર જઈ શકતું નથી. ઉપરાંત, રાજરાણીઓથી મહેલ છોડીને બહાર જઈ શકાતું નથી. રાણીઓના મહેલમાં માત્ર રાજા એકલો હોય છે, જે દરેક સ્ત્રીઓની કામલિપ્સા સંતોષી શકતો નથી. દરેકની રતિ-લાલસાને શાંત કરી શકતો નથી. પરિણામે એ સ્ત્રીઓ વિવિધ પ્રકારના ઉપાયથી પરસ્પર પોતાની શાંતિ અને તૃપ્તિ કરવાનો પ્રયત્ન કરે છે. અંત:પુરની રાજરાણીઓ પોતાની વિશ્વસ્ત દાસી અથવા સખીને પુરુષની માફક વસ્ત્રો પહેરાવીને કંદમૂળ, કેળા વગેરેને કોઈ ફળની કૃત્રિમ પુરુષ ગુહ્યેન્દ્રિય બનાવી પોતાને સંતુષ્ટ કરે છે.

    પુરુષના આકારના પુતળા સાથે શયન કરીને પોતાનું જ મનોરંજન કરે છે. રાજા પણ રાણીઓ પર કૃપા કરવા માટે વાસ્તવિક કામેચ્છા ન હોતા બનાવતી ગુહ્યેન્દ્રિય લગાવીને એક જ રાતમાં અનેક સ્ત્રીઓની કામવાસના તૃપ્ત કરે છે. પોતે જ સ્ત્રીમાં વધુ અનુરાગ રાખે તો જે ઋતુસ્નાન કરી ચુકી હોય તેની સાથે સંતાન લાલસાને લીધે સંભોગ કરે છે. પ્રચંડ કામલાલસાને લીધે પુરુષોના અભાવમાં સ્ત્રીઓ અપ્રાકૃતિક મૈથુનથી પોતાની જ્વાળા શાંત કરે છે. આવી રીતે પુરુષ પણ સ્ત્રીઓ ન મળતા વિજાતી – કૂતરી, ઘોડી વગેરે પશુઓથી યા તો હસ્તમૈથુનથી વીર્યપાત કરી પોતાના કામાગ્નિને શાંત કરે છે. અયોગ્ય ક્ષેત્ર અથવા ભૂમિ પર વીર્ય પતન કરવાની શાસ્ત્રોમાં મનાઈ કરેલી છે.

  • રાજરાણીઓના બાહ્ય પ્રયોગો :
  • અંત:પુરણી રાણીઓ પોતાની વિશ્વાસુ દાસીઓ દ્વારા નાગરિકોને સ્ત્રીઓનો વેશ પરિધાન કરાવીને દાસી અથવા સખીના બહાને અંત:પૂરમાં બોલાવે છે અને તેમની સાથે વિહાર કરે છે. આ વિશ્વાસુ દાસી નાગરકને મહેલમાં લાવવા માટે અનેક પ્રયોજન આપે છે. અમુક સ્ત્રી બહુ પ્રભાવશાળી અને ધનિક છે, તેમની સાથે સંપ્રયોગ કરવાથી તું પોતે પણ ધનિક અને ભાગ્યશાળી થઇ જશે તેવી લાલચ આપે છે. છતાં, નાગરક રાજાના અંત:પૂરમાં જતા ડરે છે. જયારે અંતમાં નાગરક આવવા માટે તૈયાર થાય છે ત્યારે તેને અંત:પુરની બધી વ્યવસ્થા સમજાવે છે. રાજભવન બહુ વિશાળ, એકાંત અને નીરવ છે. રાજા હંમેશા મહેલમાં રહેતા નથી, તે મૃગયા, રમત માટે બહાર જાય છે. તેવું દાસી તેને સમજાવે છે. જે નાગરકોનું હૃદય શુદ્ધ છે અને પરસ્ત્રી સાથે સંભોગ કરવા તૈયાર ન હોય તેમને દાસી અંત:પૂરમાં નથી લઇ જતી. કારણ કે, ક્યારે આ વ્યક્તિ પોતાનું મુખ રાજા કે બીજા કોઈ રાજ્દારી આગળ ખોલી દે તે નક્કી ન કહેવાય. ઉપરાંત, રાજાની નજરમાંથી જે – તે રાણીનું માન ઘટી જાય.

    દરેક પ્રકારની અનુકુળતાઓ ચકાસીને પછી નાગરક મહેલમાં પ્રવેશવાની તૈયારી કરે છે. ક્યાં ઓરડામાં અધિક લોકો મળે છે, કઈ જગ્યા એ પહેરો વધુ છે, ક્યાં અંત:પુરની નજીક ચોકીદારોની સંખ્યા વધુ છે આ દરેક બાબત તે દાસીને પૂછી લે છે. જેથી ફરી ઉચિત અવસર મળે તો અનુકુળ વેશમાં અંત:પૂરમાં પ્રવેશી શકે.

  • નાગરક પોતે અંત:પુરમાં કેવી રીતે પ્રવેશે છે?
  • નાગરક મહેલમાં પ્રવેશવા માટે રાજપ્રાસાદના દ્વારપાળો અને રક્ષકોની સાથે મિત્રાચારી યા તો સંબંધ બાંધી લે છે. નાગરક રાજ્યના ગુપ્ત્ચરોના કાર્ય, તેમના રહેવાના સ્થળોને બરાબર ચકાસી લે છે અને જોતો રહે છે. એમનાથી બચવાનો પ્રયત્ન કરે છે. તે દૂતીએ દર્શાવેલા કોઈ ચોક્કસ સ્થાને જઈને ઉભો રહે છે. નાયિકાના સંકેતસ્થાનની આજુબાજુ ફરે છે. ફરી-ફરીને નાયિકાની રાહ જોઇને એ સ્થળે જાય છે. સાથે ઉભેલી દૂતીને તેમની તબિયત અને ક્ષેમ-કુશળ વિષે પૂછ્યા કરે. પ્રેમમુગ્ધા નાયિકાને આમતેમ જોતો રહે છે. તે દ્રશ્યમાન થાય છે. સંભવ છે કે નાયિકા કે જેણે બોલાવ્યો છે તે કોઈ કાર્યમાં રોકાઈ જવાથી અથવા કોઈ કારણથી એ નિશ્ચિત સમય પર એ સંકેત સ્થળ પર ન આવી શકે. કેટલોક સમય પસાર થયા પછી એ ફરીથી સંકેતસ્થાન પર આવે છે. પોતાના સંકેતનો કઈ ઉત્તર મળ્યો છે કે નહિ તે જુએ છે. અંત:પૂરમાં જનારો નાગરક ચતુર અને બાહોશ હોય છે. તે ઉદ્યાન અથવા સ્નાનાગૃહમાં પહેરેદારોના વેશ પહેરીને ઉભો રહે છે. જો પહેરેદરના વેશમાં જવાનું શક્ય ન બને તો તે કામળો કે રજાઈ ઓઢીને અંદર આવજાવ કરે છે.

    નોળિયાનું હૃદય અને સાપની આંખને કોળાના તેલમાં પકવીને તેનું અંજન બનાવી સમાન ભાગે જળમાં મિલાવીને આંખમાં આંજે તો કોઈ જોઈ શકતું નથી. તેમજ તેની છાયા પણ દેખાતી નથી. પ્રસંગોપાત અંત:પુરમાં જઈને રાણીની મહેચ્છાઓ પૂર્ણ કરે છે. રાજાનું કાર્ય તે નાગરક કરે છે. સામે છેડે રાણી પણ તે નાગરકને અને તેના કુટુંબને પોતાને ત્યાં કામ પર રાખે છે. ધનવર્ષા કરે છે.

  • સ્ત્રીઓને પતિત અને ભ્રષ્ટ થવા માટેના કારણો:
  • ૧. સ્ત્રીઓની સાથે સદા વાતચીત કરનારી

    ૨. નિરંકુશ સ્વચ્છંદતાથી વર્તન કરનારી

    ૩. જેનો પતિ પૂર્ણ સ્વતંત્રતાથી વ્યવહાર કરતો હોય

    ૪. પુરુષોની સાથે વારંવાર મળવાનો પ્રસંગ થતો હોય

    ૫. પતિ દેશ – પ્રદેશ ઘૂમ્યા કરતો હોય

    ૬. પતિ નપુંસક હોય

    ૭. કુલટા સ્ત્રીના સંસર્ગથી

    ૮. પતિની ઈર્ષા કરવાથી

    આ પ્રકરણમાં વર્ણવેલા કપટને જાણીને પુરુષવર્ગ પોતાની ધર્મ-પત્નીઓની રક્ષાનો પ્રારંભ આરંભથી જ કરવા પ્રયત્નશીલ બને, નહિ તો તેમનું ચરિત્ર ખંડિત થઇ જતા કોઈ ઉપાય રહેતો નથી. ધર્મ – અર્થનો નાશ થઇ જાય છે. કોઈ એમ ન સમજી લે કે જનસમાજને વ્યભિચારનું શિક્ષણ આપવા માટે આ વિધાન કરવામાં આવ્યું છે. આવું સમજવું આ શાસ્ત્રકારના પવિત્ર ધ્યેયને કલંક લગાડવા બરાબર છે.

    અધિકરણ – ૫ (પારદારિક) પૂર્ણ

    અધિકરણ – ૬ (વૈશિક) માં આપણે વેશ્યા, વેશ્યા વડે થતો ધનનાશ, નાયકો સાથેનું મિલન, અર્થ – અનર્થ અન સંશયનો વિચાર વિષે જોઈશું.

    અધિકરણ - ૬ - વૈશિક

  • 1) વેશ્યા
  • 2) નાયક પ્રત્યે વેશ્યાનું વર્તન
  • 3) વેશ્યા વડે ધન-નાશ
  • 4) પૂર્વપરિચિત નાયકો વડે મિલન
  • 5) લાભાલાભ
  • 6) અર્થ, અનર્થ અને સંશયનો વિચાર
  • ૧. વેશ્યા

    વેશ્યા એ સમાજનું એક કલંક છે. તેમનું અસ્તિત્વ અતિ પ્રાચીન છે. વિશ્વના પ્રત્યેક ધર્મ અને સભ્ય સમાજમાં એ મળી આવે છે. પાશ્ચાત્ય દેશોમાં આ પ્રથા વધુ વિકસેલી છે. જ્યાં દેશો વધુ ધનિક અને સમૃદ્ધ છે ત્યાં આ વેશ્યાપ્રથા વધુ વિકસેલી છે. આપણા દેશના પ્રાચીન ગ્રંથો, પુરાણો અને અતીત કાળથી ભારતીય સમાજમાં વેશ્યાઓની વિદ્યમાનતા છે તેમ કહી જ શકાય. સમાજનું આ અંગ ઘણું ઘાતક છે. સાંસારિક જીવનને છિન્નભિન્ન કરી મુકે તેવી પ્રથા છે. સમાજમાં ભયંકર વ્યાધિઓ, વ્યભિચાર અને વાસનાની ગંધ ફેલાય છે.

    વેશ્યાઓની ઉત્પત્તિનું કારણ સમાજના અત્યાચારો છે. પ્રત્યેક વર્ગમાં પુરુષની જ સત્તા ચાલે છે. તે જ સમાજનો નિર્માતા છે. આથી સમજે એટલા જટિલ અને કઠોર બંધનો બનાવી રાખ્યા છે કે જરા પણ ભૂલ થતા જ સ્ત્રીઓને પતિતા બનાવી દેવામાં આવે છે. પુરુષ વર્ગ ગમે તેટલું કુત્સિત, અસભ્ય અને અશોભનીય વર્તન સ્ત્રી સાથે કરે છતાં તેમના માટે કોઈ જ દંડ નથી મળતો. આવું આચરણ કરવા છતાં તે ઉન્નત મસ્તકે ફરી શકે છે. જયારે સ્ત્રીઓનું નાનું અસભ્ય વર્તન પણ નિંદનીય સમજવામાં આવે છે. સામાજિક અને નૈતિક ધર્મની વિરુદ્ધ કિંચિત આચરણ સ્ત્રીઓને માટે અધર્મ ગણાય છે. આ પતિતા સ્ત્રીઓની સંખ્યામાં વધારો થતો ગયો અને અંતે એક જાતિમાં ફેરવાઈ ગઈ. આમ વેશ્યા જાતિ અસ્તિત્વમાં આવી. તેનો નિર્માતા જ સમાજ છે અને સમાજનો ભોગ બનેલી સ્ત્રીઓની જ એ જાતિ છે.

  • વેશ્યાઓનો ઉદ્દેશ:
  • વેશ્યાને કામશાસ્ત્રની ત્રીજી નાયિકા ગણવામાં આવી છે. પરદારાઓ અને વેશ્યાઓમાં ફર્ક એટલો છે કે, પરદારા સ્ત્રી રતિ – અસૌખ્યના લીધે અથવા પ્રેમમાં આબદ્ધ બનીને પરપુરુષનો સંયોગ કરે છે. પરંતુ, વેશ્યાઓમાં કોઈના પ્રતિ પ્રેમ, રાગ, અનુરાગ કે પ્રીતિ હોતી નથી. તેઓ માત્ર ધનની પ્રાપ્તિને માટે જ દેહનો વિક્રય કરે છે. આ તેમનો ધંધો છે. અનેક પ્રકારના હાવ – હેલાઓ દર્શાવીને પુરુષ પાસેથી પૈસા કઢાવે છે અને તેને પાયમાલ કરી મુકે છે. રતિ-ક્રિયા એ તેમનો મુખ્ય ઉદ્દેશ નથી, ગૌણ છે. વ્યવસાય માત્ર પૈસા કમાવાનો જ છે, જેણે માટે તેઓ છલ-કપટ કરે છે. આ જાતિ બીજા કરતા અધિક ચતુર અને કામ-કળામાં નિપુણ હોય છે. સમાજના અનેક લોકો સાથે તેમનો સહવાસ થાય છે તેથી કામ - કળામાં નિપુણ ન હોય તો તેમનો વ્યવસાય ચાલી પણ શકતો નથી. દરેકને પ્રિય થઇ પડે તેવું બોલવું, વિનોદ કરવો, સૌને આકર્ષણ થાય તેવી રીતે વર્તન કરવું તે તેમના જીવનનું મુખ્ય શિક્ષણ હોય છે.

    વેશ્યાઓને પુરુષના સંભોગથી રતિસુખ પણ પ્રાપ્ત થાય છે. સાથે ધન પણ મળે છે અને પુરુષને ધનની હાનિ થાય છે. વેશ્યાઓના સંભોગના બે ઉદ્દેશ હોય છે. જે પુરુષમાં એ આસક્ત બની જાય છે તેની સાથે પોતાને સમગ્ર દેહ સમર્પિત કરીને પ્રેમવશ સંભોગ કરાવે છે તેને સ્વાભાવિક પ્રેમ કહે છે. તેનાથી વિપરીત કોઈ પુરુષ સાથે માત્ર અર્થપ્રાપ્તિ માટે સમાગમ કરે ત્યારે તેને કૃત્રિમ પ્રેમ કહે છે. અર્થપ્રાપ્તિ માટે જે પુરુષો એ પોતાનો બનાવટી પ્રેમ દર્શાવે છે તેની સાથે પણ તે સ્વાભાવિક પ્રેમ હોય તેવું જ વર્તન પ્રદર્શિત કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ ધન મેળવવાનો જ હોય છે પરંતુ તે ક્યારેય પ્રદર્શિત કરતી નથી. પોતાના હાવભાવ, બાહ્ય સ્વરૂપ અને ભોગ વિલાસમાં પુરુષને એટલો ઉત્તેજિત કરી મુકે છે કે પુરુષ તેનો કૃત્રિમ પ્રેમ જોઈ શકતો નથી. પ્રેમ વાસ્તવિક જ છે અને તેમ માની તેની સાથે સાચા પ્રેમી જેવું વર્તન કરે છે. આ કૃત્રિમ અને કાપતી પ્રેમના આવરણ નીચે આચ્છાદિત કરવાનું એકમાત્ર કારણ વેશ્યાનું એ જ હોય છે કે, જે – તે પુરુષ તેને પોતાની પ્રેમિકા સમજીને આવે જેથી તે માંગે તેટલા ધનની યાચના કરી શકે અને પુરુષ તે આપવા માટે તૈયાર પણ થઇ જાય. પરંતુ, પોતાની નિર્લિપ્તતા અને નિર્લેભતા હંમેશા પ્રગટ કરતી રહે છે.

    વેશ્યાઓના સહાયકો:

  • ચોર
  • દુષ્ટોથી રક્ષણ કરવા માટે કોટવાલ
  • જ્યોતિષી
  • સાહસિકો
  • સંગીત, નૃત્ય આદિ કળા શીખવનારા
  • વિદુષકો
  • માળી
  • ધોબી
  • હજામ
  • ભિક્ષુક
  • ધર્માધિકારી
  • આ લોકો જોડે વેશ્યાઓ વધુ સંબંધ રાખે છે. આ લોકો સમય સમયે તેમને સહાયતા આપે છે. પ્રત્યેક સ્થળે તેઓ જાય છે અને વેશ્યાઓની પ્રસંશા કરે છે.

  • ધન માટે સંબંધ બાંધવા યોગ્ય પુરુષો
  • વેશ્યાઓ મુખ્યત્વે બે કારણોસર પુરુષો જોડે સંબંધ રાખે છે. ૧) ધન અને ૨) યશપ્રાપ્તિ

  • કોઈ જોડે સંબંધ ન હોય તેવો સ્વતંત્ર પુરુષ
  • યુવાન
  • જેની આવક નક્કી છે તેવો પુરુષ
  • જેણે ધનનો વ્યય કરવાનો પૂર્ણ અધિકાર છે
  • વધુ ઉદાર
  • નિરંતર આવક થયા કરતી હોય
  • અર્ધ નપુંસક હોય
  • જેને પ્રસંશા પ્રિય હોય
  • પુરુષાર્થી
  • રાજા અને મંત્રીઓ જેના વશમાં હોય
  • લક્ષ્મીનો અદર ન કરતા હોય તેવા
  • અધિક ખર્ચ કરનારાઓ
  • ઘરના લાડકા સંતાન
  • સંપત્તિવાન
  • પ્રચ્છન્ન કામી
  • જે શૂરા પુરુષ અથવા વૈધ હોય
  • ગુણવતી વેશ્યાના લક્ષણો

  • લાવણ્ય, યૌવન અને અન્ય સૌભાગ્ય – ચિહ્નનોથી મધુર
  • નાયકના ગુણોમાં અનુરાગ કરનાર
  • નાયક પાસેથી દ્રવ્યનો લોભ રાખનારી
  • કર્તવ્યનિષ્ઠ
  • માયારહિત
  • સદા પોતાની વૃત્તિમાં સંતુષ્ઠ રહેનારી
  • વાર્તાઓ તથા અન્ય લલિત – કલાઓમાં અનુરાગ રાખનારી
  • વેશ્યાઓ બીજા ક્યાં પુરુષો સાથે સંબંધ બાંધે છે?

  • કોઈ પુરુષમાં વાસ્તવિક પ્રેમ ઉત્પન્ન થવાથી
  • મૃત્યુનો ભય આપનારની સાથે
  • જમીન વગેરેની પ્રાપ્તિ થવાના લોભથી
  • બદલો લેવાની ઇચ્છાથી
  • કોઈ ખાસ પુરુષનું નામ સાંભળીને તેની યોગ્યતાને જાણવાની અભિલાષાથી
  • કોઈને પોતાનો આશ્રયદાતા સમજીને જીવિકા પ્રાપ્તિને માટે
  • ક્યારેક કોઈ વિદ્વાન અને ગુણી પુરુષ સાથે માત્ર ધર્મ કે યશની લાલસાથી
  • કોઈ મિત્રના અનુરાગથી
  • લજ્જાથી
  • સમાન સુખભોગની આશાથી
  • અધિક કામાતુર થવાથી રતિરાગની શાંતિ માટે
  • સજાતીય હોવાને લીધે
  • વાત્સ્યાયન મુનિ કહે છે કે, જો કોઈ વેશ્યાનો કોઈ નાયક સાથે સંબંધ બંધાયો હોય તો તેને આકર્ષિત કરવા માટે પતિવ્રતા સ્ત્રીની જેમ આચરણ કરવું જોઈએ. નાયકને એ દરેક રીતે પ્રસન્ન રાખે, પરંતુ એ કદી પણ તેનામાં આસક્ત ન થાય. આસક્ત બનીને ચેષ્ટા અને હાવભાવ કરે. નાયિકા વેશ્યા ક્રૂર સ્વભાવની માતા કે અન્ય વૃદ્ધ સ્ત્રીના તાબામાં રહીને પોતાની પરતંત્રતાનો ભાવ દર્શાવીને ધન મેળવે છે. આ માતા કે વૃદ્ધા જે – તે નાયકની સાથે આ વેશ્યાની અધિક પ્રીતિ થવા દેતી નથી. તેને પોતાની માતાની આજ્ઞાનું પાલન કરવું પડે છે. નાયક પોતાના પ્રેમી નાયકની નજીક જતા સમય અનિચ્છા રાખે અને રંગમાં ભંગ થવાથી વિયોગજન્ય વ્યાકુળતાનો ભાવ પ્રગટ કરે.

    નાયકની નજીક બેઠેલી નાયિકાએ ક્યારેક કોઈ બીમારીનું બહાનું કાઢીને પોતાના ભાવને છુપાવવું તેમજ આકસ્મિક વ્યાધિથી ઉત્પન્ન થનારા કષ્ટને દુઃખની સાથે પ્રગટ કરવું. આમ કરવાથી નાયકની અનુરક્તિ અને સહાનુભુતિ વધે છે અને એ તેને અધિક પ્રેમથી ચાહવા લાગે છે. જો કોઈ કારણવશ નાયકનું મન તેના પરથી વિરક્ત થઇ ગયું હોય તેવું લાગે તો તેણે પોતાની દાસીને માળા, તાંબૂલ વગેરે આપીને તે નાયકની પાસે મોકલવી.

    નાયકના આવી ગયા પછી નાયિકાએ મૃદુ અને મધુર ઉપચાર દ્વારા પોતાનું અભૂતપૂર્વ રતિ – કૌશલ્ય બતાવવું. એ પોતાના નાભિ, કટી તેમજ સ્તન વગેરે ગુહ્યાંગોને વિકૃત રૂપથી એવી રીતે ઢાંકે કે જેથી નાયકને તે નજર પડતા દેખાય નહિ પરંતુ રતિ ક્રીડા કરવા માટે કામાતુર બની જાય. અધિક આસક્ત બનતો જાય. વેશ્યા પોતાના અનુરાગને મુખથી ન કહેતા પોતાના આકાર હાવભાવ અને સંકેત દ્વારા નાયક આગળ પ્રગટ કરે છે. આ હાવભાવથી ચતુર નાયક સમજી જાય છે કે એ કામાતુર બની ગઈ છે. નાયિકા શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ વગેરે વિષયો અને કામ-કલાઓ પર વાતચીત અને ચર્ચા કરે. વેશ્યાએ નાયકની રુચિ અનુકુળ વાતો કરવી. નાયક દ્વારા કહેવામાં આવેલી અન્ય સ્ત્રી કે વેશ્યાની કથા ચુપચાપ સાંભળે અને કોઈ પ્રકારની ઈર્ષ્યા કે ક્રોધ પ્રગટ કરે નહિ.

    વેશ્યાઓની મનોવૃત્તિ અત્યંત સૂક્ષ્મ હોય છે. એમનો સ્નેહ સ્વાભાવિક છે કે કૃત્રિમ એ જાણવું અતિ મુશ્કેલ છે. એ બહુ લોભી હોય છે અને પોતાની વાસ્તવિક ભાવનાઓ છુપાવી ઉત્કટ કામેચ્છા અને અનન્ય પ્રેમ દર્શાવે છે. વેશ્યા પુરુષને ચાહે છે પરંતુ સ્થાયી રૂપથી આસક્તિ પ્રગટ કરતી નથી. પુરુષ સાથે સ્નેહ કરે છે અને વિરક્ત બનીને પુન: તેને ત્યજી દે છે. પુરુષ જાણે છે કે આ વેશ્યા મારામાં અધિક અનુરાગ બતાવે છે છતાં, તેનો અનુરાગ કેવો હોય છે તે માત્ર વેશ્યા જ જાણે છે. જેટલું ધન પુરુષ પાસેથી ખેંચી શકાય છે એટલું એ ખેંચે છે. ધન ખલાસ થતા તેને ત્યજી દઈને બીજા પુરુષનો આશ્રય કરે છે. વેશ્યાઓનો અનુરાગ માત્ર ધનને માટે જ છે અને પ્રત્યેક પુરુષે વેશ્યાના આ કપટી અનુરાગથી સાવધાન રહેવું જોઈએ.

    વેશ્યા વડે ધન – નાશ :-

    વેશ્યાઓને આસક્ત પુરુષો પાસેથી બે પ્રકારે મળે છે.

    ૧. સ્વાભાવિક રીતિથી

    ૨. ઉપાય કરવાથી

    દાનશીલ પુરુષો ઉપાયોનો પ્રયોગ કરવાથી બીજું ધન પણ આપે છે અને એટલા માટે જ વેશ્યાઓ બધા જ પ્રકારના મનુષ્યો પાસેથી વિવિધ ઉપાયો દ્વારા ધન ચૂસે છે.

    વેશ્યાઓ વડે કેવી રીતે ધન મેળવવામાં આવે છે એ વાત્સ્યાયન મુનિ નીચે પ્રમાણે વર્ણવે છે.

    અલંકાર, મીઠાઈ, ફળ, અનાજ, મધ, માંસ, રેશમી વસ્ત્રો, કુમકુમ, ચંદન, તાંબૂલ વગેરે વસ્તુના પૈસા હજુ આપવાના બાકી છે, ધન આપો તો આપી દઉં.

    વેશ્યા નાયકની નજીક જઈને તેના ધનની પ્રસંશા કરે છે, પરિણામે નાયક ફુલાઈ જાય છે અને તે ધન આપે છે.

    તમારી પાસે રાત્રીના સમયે આવતી વખતે રક્ષકોએ તેમજ ચોરોએ મારી પાસે રહેલા બધા જ અલંકારો છીનવી લીધા છે. હવે એ નવા કરાવવા છે તેના માટે ધન જોઈએ છે.

    ઘરમાં આગ લાગવાથી, મકાન પડી જવાથી, ચોરી થવાથી ઘરનો નાશ થઇ જવાથી ધનની જરૂર છે.

    નાયકના મિત્રોના શુભોત્સવમાં ન જવાનું બહાનું કરે અને કારણ પૂછવાથી કહે : એમને ભેટ આપવાને મારી પાસે પૂરતા પદાર્થો નથી, આગળ એ લોકો મારે માટે અતિ મુલ્યવાન ભેટો મોકલી હતી એટલે હું ખાલી હાથે એને ત્યાં આવા શુભ પર્વોએ જવા નથી માંગતી.

    વૈદ તથા મહામંત્રીને કોઈ ઉપકારના બદલામાં અમુક રકમ ભેટ તરીકે આપવી છે, તેમને પ્રસન્ન રાખવાની ખાસ જરૂર છે.

    ઘર ભાંગી જવા આવ્યું છે, જૂનું છે, સમારકામ કરાવવું છે.

    સખીના પુત્રનો ઉત્સવ છે. તેમાં ખર્ચવા ધનની આવશ્યકતા છે.

    દવાદારૂ માટે પૈસા જોઈએ છે. મિત્રનું દુઃખ દૂર કરવું છે. ખોટા કારણો બતાવી વેશ્યાઓ નાયકની પાસેથી ધન કઢાવે છે. આપને માટે મેં મારા કેટલાયે અલંકારો વેચી નાખ્યા છે. તેમને ફરીથી બનાવવા માટે દ્રવ્યની જરૂર છે.

    જો તમે મને અમુક વસ્તુ નહિ આપો તો હું તમારા પાસે આવીશ નહિ.

    વેશ્યા ક્યા ઉપાયો વડે નાયકને હાંકી કાઢે છે?

    નાયક જેને ચાહતો ન હોય અને જેની સાથે દ્વેષ કરતો હોય તેવા પુરુષ સાથે વેશ્યા પ્રેમ કરવા લાગે છે.

    નાયક જેની નિંદા કરતો હોય તે પુરુષની વેશ્યા વારંવાર સેવા કરે છે અને માનભર્યો સંબંધ રાખે છે.

    નાયકને જોતા જ એ જમીન પર પગ પછાડે છે અને હોઠ દબાવે છે.

    જે વિષયમાં નાયક અજ્ઞાન હોય તે વિષયની ચર્ચા કરે છે.

    નાયકના અભિમાનનું ખંડન કરે છે.

    નાયકની પરવા ન કરતા જેમ ફાવે તેમ વર્તે છે.

    નાયકમાં જે દોષો – કુટેવો હોય તે દોષ – કુટેવ ધરાવતા પુરુષની નિંદા કરે છે.

    ઉપભોગના સમયે પણ અનેક રીતે નાયકને હેરાન કર્યા કરે છે. એ નાયકને ચુંબન કરવા દેતી નથી. તાંબૂલ આદિ આપવામાં ઉદ્વેગ દર્શાવે છે, જાંઘને સ્પર્શવા નથી દેતી. નાયકના નખ – દશનની નિંદા કરે છે. આલિંગનના સમયે એ પોતાના બંને હાથ છાતી પર મૂકી દે છે. પોતાના શરીરને સખત દબાવી રાખે છે. સંપ્રયોગ સમયે પોતાની ટાંગોને આમતેમ ફેરવે છે, જેથી નાયક રતિસુખનો આનંદ ન મેળવી શકે. સૂવાનું બહાનું કાઢે છે. થાકેલા નાયકને ફરી ફરી વખત સંભોગ માટે પ્રાર્થના કરે છે, જો તે નકારવામાં આવે તો તે નાયકનો ઉપહાસ કરે છે.

    લાભ – અલાભના વિચાર

    વેશ્યાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે.

  • માત્ર એક પુરુષ સાથે સંબંધ બાંધનારી
  • અનેક પુરુષો સાથે સંબંધ રાખનારી
  • અપરિગ્રહી (કોઈ પણ સાથે પ્રેમ સંબંધ ન કરનારી)
  • વેશ્યા તરીકે રહેલી નાયિકાઓ પણ ત્રણ પ્રકારના ગુણ ધરાવતી હોય છે.

  • ગણિકા
  • રૂપજીવા
  • કુંભદાસી
  • આ ત્રણમાં પણ તેના ગુણ અનુસાર વિભાગ પડી જાય છે.

  • ઉત્તમા
  • મધ્યમા
  • અધમા
  • વેશ્યાઓના લાભ – અલભ માટે વાત્સ્યાયન મુનિ દર્શાવે છે કે,

    લોભની સાથે હાનિ અને અનિષ્ટ પણ થાય છે. વેશ્યાઓના સંપર્કમાં આવનારા મનુષ્યો મુખ્યત્વે ધૂર્ત, લંપટ, જુગારી, શરાબી, ચોર, ડાકુ અને અન્ય વિકૃતિઓ ધરાવતા હોય છે. સારા અને સભ્ય તો ત્યાં જતા પણ નથી. ધનપ્રાપ્તિને માટે વેશ્યાઓને અનેક પ્રકારના અનર્થ અનુબંધ અને સંશયનો સામનો કરવો પડે છે.

    અનર્થની ઉત્પત્તિના કારણો :-

  • નાયિકાની મૂર્ખતાથી
  • સરળતાથી
  • ઉહાપોહ કરવાથી
  • અત્યંત અનુરાગથી
  • અધિક વિશ્વાસથી
  • અન્ય પ્રેમથી
  • અહંકારથી
  • મિથ્યા દંભ કરવાથી
  • પ્રમાદથી
  • ગફલતથી
  • દુર્ભાગ્યથી
  • સંસાર – સુખના વિધાયક અને ઘટક ત્રિવર્ગો :-

  • અર્થ
  • ધર્મ
  • કામ
  • એ ત્રણેય ત્રિવર્ગ છે અને વિધાયક છે.

    તેનાથી ઉલટા,

  • અનર્થ
  • અધર્મ
  • દ્વેષ
  • નાયક ત્રણ પ્રકારના હોય છે.

  • ઉત્તમ
  • મઘ્યમ
  • અધમ
  • વેશ્યા વિષે રાજા ભર્તુહરિ એ પોતાના શૃંગાર શતકમાં પોતાનો મત પ્રદર્શિત કર્યો છે. રાજા ભર્તુહરિ કહે છે, વેશ્યા સૌંદર્ય રૂપી ઇંધણમાંથી પ્રગટેલી કામ – અગ્નિની જ્વાળા છે. જેમાં પુરુષો યૌવન અને ધનને હોમે છે.

    કયો કુલીન પુરુષ વેશ્યા સુંદર હોવા છતાં વેશ્યાના અધર પલ્લવનું ચુંબન કરે?

    અર્થાત્ કોઈ જ નહિ. તેના અધરોષ્ઠ ચાકર, નીચ પુરુષ, ચોર, દસ, નટ, જુગારી અને વીટ પુરુષોને થુકવાનું પાત્ર છે. આ બધા અધમ નીચ પુરુષો વેશ્યાના હોઠનું ચુંબન કરે છે માટે કુલીન પુરુષોએ વેશ્યાનું સેવન કરવું જોઈએ નહિ. જન્માંધ, ગંધાતા મુખ, વૃદ્ધ, અતિ શિથિલ, મૂઢ, નીચ કૂલ, કોઢિયા, અલ્પ ધન ધરાવતા પુરુષને પોતાના મનોહર અંગ સ્વાધીન કરતી અને એટલા જ માટે વિવેકરૂપી કલ્પવૃક્ષને છેદનારી વેશ્યા પર કયો કુલીન પુરુષ આસક્ત થાય? અર્થાત, કોઈ જ નહિ.

    કામસૂત્ર : અધિકરણ ૬ (વૈશિક) પૂર્ણ

    કામસૂત્ર : અધિકરણ ૭ (ઔપનિષદિક) માં આપણે વશીકરણ તથા સૌંદર્યના પ્રયોગો, વાજીકરણ પ્રયોગો, નપુંસકતા નિવારણ માટેના પ્રયોગો, સંતાનપ્રાપ્તિ માટેના પ્રયોગો વિષે જોઈશું.

    અધિકરણ - ૭ - ઔપનિષદિક

  • 1) વશીકરણ તથા સૌંદર્યના પ્રયોગો
  • 2) વાજીકરણ પ્રયોગો
  • 3) નપુંસકતા નિવારણના પ્રયોગો
  • 4) સંતાનપ્રાપ્તિના પ્રયોગો
  • વશીકરણ અને સૌંદર્યના પ્રયોગો

    વાત્સ્યાયન ઋષિ કહે છે કે, કામશાસ્ત્ર અને તેની દરેક સહાયક વિદ્યાનું વર્ણન આગળના અધિકરણોમાં થઇ ચુક્યું છે. આ પ્રકરણમાં વર્ણવેલા ઉપાયો કોઈ સુયોગ્ય વેદ, અનુભવી કે પછી કોઈ નિષ્ણાંતની સંમતિ વગર ઉપયોગમાં ન લેવા. અમુક ને કોઈ એક ઔષધ ગુણકારી નીવડે છે તો બીજાને જે-તે ઔષધ હાનિકારક નીવડે છે. શરીરની પ્રકૃતિ મુજબ જ ઔષધ કામ આપે છે.

  • સ્ત્રીઓ અને સૌંદર્ય :-
  • પ્રાચીન સમયથી સ્ત્રી પોતાના સૌંદર્યનું અભિમાન કરતી આવી છે. સંસારની સર્વ સ્ત્રીઓ માટે સૌંદર્યને ખૂબ જ મહત્વનું ગણ્યું છે. જે દિવસથી સ્ત્રી પોતાનું રૂપ ગુમાવી બેસે છે તે દિનથી તેને માટે ધ્રુણા, નિંદા અને અવહેલનાની વસ્તુ બની જાય છે.

  • સ્ત્રીઓનું અંગસૌંદર્ય :-
  • સ્ત્રી સૌંદર્યના વિદ્વાનોએ સ્ત્રીઓના રૂપ – સૌંદર્ય માટે પોતાનો મત નીચે મુજબ પ્રદર્શિત કર્યો છે. એ કથન મુજબ,

  • નેત્ર
  • દંતપંક્તિ
  • નખ
  • ચહેરાની કાંતિ
  • સ્ત્રીના આ શરીરના ચાર ભાગ ઉજ્જવળ, શ્વેત વર્ણના હોવા જોઈએ.

  • વાળ
  • પાંપણ
  • ભૂકુટી
  • આંખની કીકીઓ
  • આ ચાર શ્યામ વર્ણના હોવા જોઈએ.

  • ગાલ
  • જીભ
  • કપાળ
  • હોઠ
  • આ ચાર રક્ત વર્ણના હોવા જોઈએ.

  • મસ્તક
  • આંગળીઓનો અગ્રભાગ
  • પગની એડીઓ
  • બાહુ પ્રદેશ
  • આ ચાર ગોળ અને સમાન હોવા જોઈએ.

  • નેત્ર
  • મસ્તક
  • ભ્રમરો
  • આંગળીઓ
  • આ ચાર લાંબા હોવા જોઈએ.

  • નિતંબ
  • ગ્રીવા
  • ઘૂંટી
  • જાંઘ
  • આ ચાર મોટા હોવા જોઈએ.

  • મસ્તક
  • નેત્ર
  • સ્તન
  • સ્કંધ
  • આ ચાર વિશાળ હોવા જોઈએ.

  • સૌંદર્યના મુખ્ય ત્રણ અંગો :-
  • બાહ્ય સૌંદર્ય
  • આંતરિક સૌંદર્ય
  • વ્યવહારિક સૌંદર્ય
  • સ્ત્રીઓનો સોળ શૃંગાર :-

  • તેલ, અત્તર વગેરે સુગંધિત પદાર્થો
  • વસ્ત્ર
  • કુમકુમ
  • કાજળ
  • કાનમાં કુંડળ
  • નાકમાં મોતીની વાળી
  • ગળાનો હાર
  • કેશગૂંફન
  • ફૂલોના આભૂષણ
  • સિંદૂર
  • શરીરમાં ચંદન, કેસરનો લેપ
  • આંગળીઓ અને હાથ પર મહેંદીની સજાવટ
  • પાન તાંબૂલ
  • કમરમેખલા
  • હાથમાં કંકણ
  • રત્નજડિત આભૂષણો
  • સુંદરતા મેળવવા માટેના પ્રયોગો :-

    તલ, સરસવ, હળદર, દારુ, કૂઠ તેનું મિશ્રણ દેહ પર લગાડવાથી શરીરની ક્રાંતિ સુવર્ણની આભાની જેમ પ્રકાશિત થાય છે.

    લીંબડો, અમલતાસ, દાડમ, શિરીષ અને લોધ્ર એ વૃક્ષોની છાલ એક કરી તેનું હળદરમાં મિશ્રણ કરવામાં આવે અને તે મિશ્રણનો લેપ મુખ પર કરવામાં આવે તો સ્ત્રીઓના સૌંદર્યની વૃદ્ધિ થાય છે.

    કાળા તલ, કાળું જીરું, પીળા સરસવ અને જીરું એ બધાને સમભાગે લઇ, દૂધમાં કાલવીને જો તેનો લેપ કરવામાં આવે તો શરીર અત્યંત સુંદર બની જાય છે.

    છોડા વગરના જવનું ચૂર્ણ, યષ્ઠી, સફેદ સરસવ અને લોધ્રની છાલ મેળવીને તેનું માલિશ કરવામાં આવે તો સ્ત્રીઓના મુખની કાંતિ ઉત્તમ અને સુવર્ણના જેવી પ્રકાશમાન કરે છે.

    વડના પાકેલા પાન, કચનાર, મૂલહઠી, સુગંધલતા, કમળ સહદેવી, શ્વેત ચંદન, લાહી, કાકુ અને લોધ્રની છાલને સરખા ભાગે લઇ પાણીમાં વાટી વિલાસીની સ્ત્રીઓ તેનો લેપ કરે તો એમની મુખકાંતિ શરતચંદ્રને તિરસ્કૃત કરે છે. તેમનું મુખ કમળના જેવું પ્રકાશમાન થાય છે.

    શ્વેતચંદન, કુમકુમ, પુષ્કરમૂલ, લોધ્રની છાલ, તગર અને તલ એ બધાને સરખે ભાગે લઇ તેનો બારીક ભૂકો કરી તેને વાટીને શરીર પર લગાવવામાં આવે તો દુર્ગંધનો નાશ થઇ જાય છે.

    જાયફળ, જાવાત્રી, તુલસી, કંકુ અને કુષ્ઠ એ બધાનું મિશ્રણ કરી તેની ગોળીઓ બનાવી ચૂસવાથી અથવા તેનો રસ ગળવાથી મોઢાની વાસ દૂર થાય છે.

    કામ વશીકરણ :-

    જો સૂર્ય – ચંદ્રના ગ્રહણ સમયે કોઈ સ્ત્રી સહદેવીના મૂળને ઘસીને તેનું ચંદન બનાવી ચાંલ્લો કરે તો તે પોતાના આપ્તજનો, વડીલો વગેરેને પણ કામથી વ્યાકુળ બનાવી દે છે.

    જો સ્ત્રી પોતાના આર્તવના રક્તનો સુંદર ચાંલ્લો લગાવી દે તો એ સ્ત્રી સમસ્ત વિશ્વને પોતાના વશમાં કરી દે છે.

    સિતદૂર્વા, સિતબૃહતિ, શ્વેતા પરાજીતાના પાંદડાઓને સમાન ભાગે લઇ તેને મેળવીને ખાવામાં આવે તો સ્ત્રી – પુરુષ પરસ્પર એકબીજાને વશ કરી શકે છે.

    તગર, કુષ્ઠ, તાલીસપાત્રનું મિશ્રણ કરી તેનો લેપ આખા શરીર પર કરવામાં આવે તો સમગ્ર શરીરની કાંતિ ઝળહળી ઉઠે છે.

    પુનર્નવા, સહદેવી અને ઉત્પલપાત્ર આ દરેકનું વિધિપૂર્વક તેલ બનાવી તેનું અંજન કરવામાં આવે તો આ અંજન માનવીને સૌભાગ્ય અને આયુષ્ય આપે છે.

    તાજા ગરમ દૂધથી હાથ – મોં ધોવાથી પણ ચામડી સુંદર અને સુંવાળી બને છે.

    લોધર, ધાણા અને મરીનો લેપ કરવાથી ખીલ માટી જાય છે અને મુખ ચમકે છે.

    જાયફળ, મરી અને ચંદનને એકત્ર વાટીને તેનો લેપ કરવાથી ખીલ મટી જાય છે.

    ચંદન, કેસર, લોધ્ર, ખાસ અને સુગંધી વાળાને ખલમાં ઘૂંટીને તેના રસનું શરીર પર માલિશ કરવામાં આવે તો દેહનું સૌંદર્ય અલૌકિક રીતે ખીલી ઉઠે છે.

    વાજીકરણ પ્રયોગો :-

    જે પદાર્થોનું સેવન કરવાથી મનુષ્યને મૈથુન ક્રિયામાં ઘોડાના જેવું બળ મળે છે, તે પદાર્થોને વાજીકરણ કહે છે.

    મનુષ્યના વીર્ય નાશ પામવાના કારણો :-

    મનુષ્યનું વીર્ય અનેક કારણોને લઈને નાશ પામી જાય છે. વાત્સ્યાયન મુનિ કહે છે એ, નીચેના કારણો મુખ્ય છે.

    ૧. વૃદ્ધતા

    ૨. ચિંતા

    ૩. વ્યાધિ

    ૪. શરીરનું આકર્ષણ

    ૫. ઉપવાસ

    ૬. અધિક મૈથુન

    આ કારણોને લઈને મનુષ્યનું વીર્ય ઘટી જાય છે અને અંતે તે નાશ પામી જાય છે.

    કામોત્તેજક પદાર્થો :-

  • તેલનું માલિશ
  • સ્નાન
  • સુગંધિત વસ્તુઓ પહેરેવી
  • પુષ્પોના હાર
  • ઉત્તમ આભૂષણો
  • સુંદર ઘર
  • સુંદર શય્યા
  • આસન
  • નવા વસ્ત્રો
  • પક્ષીઓના મધુર કલરવ
  • સ્ત્રીઓ દ્વારા પગચંપી
  • કામદેવના આયુધો :-

  • ભ્રમરોના ગુંજારવ અને કમળથી શોભતું સુંદર તળાવ
  • ચમેલી, કમળ, ખાસ, જઈ વગેરેથી સુરભિત સદન
  • મધુર કલરવ કરતી નદીઓ
  • જ્યોત્સનામયી રાત્રિ
  • સુગંધિત પુષ્પોના ગંધયુક્ત શીતલ અને મંદ સમીરનો સ્પર્શ
  • રતિના ઉપભોગ જેવી રાત્રિ
  • એકાંત સ્થાન
  • સુંદર, આનંદદાયક, મેના, કોયલ વગેરેના કલરવથી ગુંજતું ઉદ્યાન
  • ઉત્તમ, મધુર, સ્નિગ્ધ, અન્ન પાન
  • મધુર અને કર્ણપ્રિય સંગીત
  • સુગંધિત પુષ્પોની માલા
  • સુંદરી નવયૌવન સ્ત્રી
  • વાજીકરણ કોણે સેવવું જોઈએ?

  • જેની યૌવનાવસ્થા પસાર થઇ ચુકી હોય અને સ્ત્રી સંભોગની જેને વધુ ઈચ્છા રહેતી હોય
  • જે પ્રિયવલ્લભ બનવાની ઈચ્છા ધરાવતો હોય
  • જે અધિક સ્ત્રી – સંગના કારણે ક્ષીણ બની ગયો હોય
  • જે નપુંસક થઇ ગયો હોય અથવા તો કમજોર બની ગયો હોય
  • જેનું વીર્ય ઘટી ગયું હોય
  • જે ભોગી અને વિલાસીની હોય
  • જે શ્રીમંત, રૂપવાન અને યુવાન હોય
  • જેના ઘરમાં અનેક સ્ત્રીઓ હોય, વાજીકરણ ઔષધોનું સેવન અતિ હિતકારી છે.
  • વીર્ય કેવી રીતે બને છે?

    વીર્ય નીચેની વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થાય છે.

  • મનુષ્ય જે કઈ આહાર કરે છે તેનો રસ
  • લોહી
  • માંસ
  • ચરબી
  • હાડકા
  • મજ્જા
  • શુક્ર
  • વીર્ય ક્યાં રહે છે?

    ઘણાની માન્યતા એવી છે કે વીર્ય બનીને કોઈ ખાસ સ્થાનમાં ભેગું થાય છે. જો ઘણા દિવસ સુધી તેનો ઉપયોગ કરવામાં ન આવે તો એ પોતાનું સ્થાન ભરાઈ જતા સ્વપ્નદોષ તથા વીર્યના રૂપમાં બહાર નીકળી જાય છે. પરંતુ, આ માન્યતા ભૂલભરેલી છે. વીર્ય કોઈ ખાસ સ્થાનમાં એકઠું થતું નથી. પુષ્પમાં સુગંધી અને છાસમાં માખણ છે તેવી જ રીતે તે સમસ્ત શરીરમાં વ્યાપ્ત થયેલું છે. જે પ્રકારે છાસમાંથી માખણ કાઢવા માટે મંથન કરવામાં આવે છે તેવી જ રીતે મૈથુન સમયમાં શારીરિક ઈન્દ્રિયોનું મંથન થાય છે અને વીર્ય મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. આ જ કારણથી મૈથુનના સમયે નાડીઓની ગતિ અત્યંત તીવ્ર બને છે અને શરીરમાં રોમાંચ આદિ ક્રિયા થવા લાગે છે. શરીરમાં પ્રત્યેક અંગમાંથી વીર્યનું ખેંચાણ જ આનંદ આપનારું હોય છે.

    જેવી રીતે શેરડીમાં રસ, દહીંમાં ઘી અને તલમાં તેલ રહે છે તેવી જ રીતે સમસ્ત શરીરમાં વીર્ય રહે છે.

    નપુંસકતા નિવારણના પ્રયોગો :-

    રતિ અસમર્થ હોવાના ભાવને નપુંસક કહે છે.

    આ નપુંસકતા મનુષ્યની વીર્યશક્તિ પર આધાર રાખે છે. મનુષ્યની શક્તિઓનો નાશ થઇ ગયો હોય અથવા વીર્યનો નાશ થઇ ચુક્યો હોય તો મનુષ્ય નપુંસક બની જાય છે. આવો નપુંસક યુવાન રતિક્રિયા ભોગવી શકવા અસમર્થ બને છે.

    જે પુરુષ વાજીકરણ ઔષધોનું સેવન કરતો નથી તે પુરુષનું વીર્ય ઘટી જાય છે અને નપુંસક બની જાય છે.

    સાત પ્રકારની નપુંસકતા :-

  • માનસિક
  • પિત્તજ
  • વીર્યક્ષયજન્ય
  • રોગજન્ય
  • શિરાચ્છેદજન્ય
  • શુક્રસ્તંભન
  • સહજ
  • મૈથુન કરવાની ઈચ્છા ધરાવતા પુરુષનું મન ભય, શોક અને ક્રોધ વગેરે દુઃખદ વિકારોથી પીડાઈને અસ્વસ્થ થાય અથવા અણગમતી સ્ત્રીનો સમાગમ થાય તેથી શિશ્ન નમી જાય તેને માનસિક નપુંસકતા કહે છે.

    તીખા, ખાટા , ખારા અને ગરમ પદાર્થોના સેવનથી પિત્ત વધવા માંડે છે, તેને લીધે વીર્ય બળી જાય છે. જેનાથી નપુંસકતા આવે છે. આને પિત્તજ કહે છે.

    પુરુષ અત્યંત મૈથુન કર્યા કરે અને વાજીકરણ પદાર્થોનો ઉપયોગ ન કરે કે પછી તેનું સેવન ન કરે તો તેનું શિશ્ન નમી જાય છે અને નપુંસકતા પ્રાપ્ત થાય છે. તેને વીર્યક્ષયજન્ય કહે છે.

    શિશ્નમાં કેટલીક વખતે કોઈ મોટા રોગથી નબળાઈ આવે છે. જેણે રોગજન્ય કહે છે.

    વીર્યવાહક નસનું છેદન થઇ જાય છે તો શિશ્નનું અક્કડપણું ચાલ્યું જાય છે અને મનુષ્ય નપુંસક થઇ જાય છે. તેને શિરાચ્છેદજન્ય કહે છે.

    શરીર સારું હોય છતાં પણ અધિક કામાતુર હોવા છતાં મનને બળજબરી કરી રોકવાથી વીર્યનું સ્તંભન થાય છે. તેને શુક્રસ્તંભન કહે છે.

    જે મનુષ્ય જન્મથી જ નપુંસક હોય તેને સહજ કહે છે.

    નપુંસકતા નિવારક પ્રયોગો :-

    વિદારીકંદના કલ્કના ગુલરની બરાબર ઘી લઇ દૂધમાં મેળવીને પીવાથી વૃદ્ધ પણ યુવાન રહી શકે છે.

    સુવરની ચરબીને મધની સાથે ભેળવીને શિશ્ન પર લેપ કરવાથી શિશ્ન સ્થૂળ અને દીર્ઘ બને છે.

    કમલગટ્ટાની શીંગીને મધમાં ઘસીને નાભિ પર તેનો લેપ કરવામાં આવે તો લેપ જ્યાં સુધી રહે ત્યાં સુધી વીર્ય સ્ખલિત થતું નથી.

    આમળાંના વૃક્ષની છાલથી ભાગને નિત્ય ધોવામાં આવે તો વૃદ્ધ સ્ત્રી ષોડશીની સમાન રમણ કરી શકે છે.

    મૂંડીના કવાથને તેલમાં પકવી કુચો પર લેપ કરવામાં આવે તો વૃદ્ધાના સ્તન પણ તરુણીની સમાન પુષ્ટ અને કઠોર બની જાય છે.

    તલ અને ગોખરુંના ચૂર્ણને બકરીના દૂધમાં પકાવી એ પીવામાં આવે તો એક સપ્તાહમાં જ પુરુષની નપુંસકતા દૂર થઇ જાય છે.

    કલ્પવૃક્ષ, તગર, વચ, કાળી અગર, કસ્તુરી અને ચંદન એ બધાનો રસ કાઢી જો દંપતી પરસ્પર એકબીજાને એનો લેપ કરે તો તેનાથી પતિ-પત્નીની પ્રીતિ વધે છે. અશ્વગંધા, શકરશંદ, જલ-શુક્ર, બૃહતીફળ, માખણ, હસ્તિકર્ણ અને વજ્રવલ્લીનો રસ એ બધાને એક કરી મિશ્રણ કરવામાં આવે અને બાહ્ય ઉપયોગ કરવામાં આવે તો એક માસ સુધી લિંગવૃદ્ધિ થતી રહે છે.

    કોકીલાક્ષના ફળના લેપથી હસ્તિણી સ્ત્રીની યોનિ એક રાતમાં જ ઓછા પરિમાણની થઇ જાય છે.

    નાગકેસર અને સોપારી એનું ચૂર્ણ ખાવામાં આવે તો પણ તે ગર્ભદાતા છે.

    ખાખરાના એક પાનને દૂધમાં વાટીને ગર્ભિણી સ્ત્રી પીએ તો તેને પરાક્રમી અને વીર પુત્ર જન્મે જન્મે એમાં જરાયે શંકા નથી.

    સંતાનપ્રાપ્તિના પ્રયોગો :-

    જયારે સ્ત્રી ઋતુપ્રાપ્ય થઇ જાય ત્યારે ચાર દિવસો સુધી તેને એકાંત, સ્વચ્છ, સુંદર મકાનમાં રાખી દૂધ, ભાત જેવો ઉત્તમ અને હલકો આહાર આપવો જોઈએ. ચોથે દિવસે ઋતુસ્નાન કાર્ય પછી સારા સુગંધયુક્ત દ્રવ્યોથી માલિશ કરાવી પુન:સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ ઉત્તમ વસ્ત્રો, અલંકાર સજીને પુષ્પમાળાઓ ધારણ કરવી જોઈએ. કેસર, કંકુનો લેપ કરીને દેવ-દેવીઓના દર્શને જવું અને તે બાદ પોતાના પતિના દશન કરવા.

    એ દિવસે પુરુષ પણ સ્નાન પછી ચંદન લગાવી સુગંધિત અત્તર અને માલા આદિથી યુક્ત પ્રસન્નચિત્ત વાતાવરણમાં વીર્ય વર્ધક ઔષધિઓ ખાઈ, સુંદર વસ્ત્ર અને વેશાભુષણથી ભૂષિત બની, તાંબૂલ લઇ પોતાની પ્રિય ભાર્યામાં અનુરક્ત થવું જોઈએ. ત્યારબાદ રતિ – સદનમાં પોતાની સ્ત્રી પાસે જવું.

    શયનગૃહ સ્વચ્છ, નિર્મળ અને સુગંધિત પુષ્પો આદિથી સજાયેલ હોવું જોઈએ. પતિ પોતાની પત્ની સાથે મીઠી મીઠી વાતો કરતા જયારે એનામાં કામભાવ સંપૂર્ણપણે જાગી ઉઠે ત્યારે ગર્ભાધાન માટે એ પ્રવૃત્ત બને. ગર્ભાધાનના સમયે દીપક પુરુષની સન્મુખ જ રહે. પુરુષે એ સમયે મહાપુરુષો તેમજ ધાર્મિક પુરુષોનું ચિંતન કરવું જોઈએ જેથી બાળકમાં પણ એવા ગુણો ઉતરે. ગર્ભાધાન સમયે સ્ત્રી – પુરુષોનું ચિત્ત હોય છે તેવા જ તેમના સંતાનો થાય છે. ઉત્તમ અને જુના ચોખાવાળો ભાત દૂધની સાથે ખાવાથી સ્ત્રીને અવશ્ય સુંદર અને ગૌર વર્ણના સંતાનો પ્રાપ્ત થાય છે.

    પુત્રપ્રાપ્તિ માટેના પ્રયોગો:-

    ઋતુસ્નાનને દિવસે જો સ્ત્રી નવીન નાગકેસરના ચૂર્ણને ઘી ની સાથે ચાટી ઉપરથી દૂધ પી એ અને પ્રિયતમની સાથે સંભોગમાં પ્રવૃત્ત બને તો તે અવશ્ય ગર્ભવતી બને છે.

    એક વર્ણવાળી ગાયના દૂધમાં મયુરશિખાની જડ પીસીને પી જવાથી વંધ્ય સ્ત્રી પણ ગર્ભધારણ કરે છે.

    લીલું કમળ, ખડી સાકાર, મૂળહઠી, શ્યામલતા, લોધ્ર અને ચંદનને ચોખાના ધોયેલા પાણી સાથે પીસીને ગર્ભસ્ત્રાવ અટકી જાય છે અને ગર્ભ સ્થિર થાય છે.

    ગુરુચ અને આસગંધને દૂધમાં પકવીને માસિકધર્મ બંધ થાય પછી જો એ પીવામાં આવે તો તે ઇન્દ્રાણીની જેમ ગર્ભધારણ કરે છે.

    સૂંઠ, નાની ભટકૈયા અને પીપલનું ચૂર્ણ ગાયના ઘી ની સાથે કે આછી દૂધની સાથે પીવાથી બંધ પુષ્પવાળી સ્ત્રી પણ ગર્ભધારણ કરી પુત્ર ઉત્પન્ન કરે છે.

    કમળ અને કુમુદિનીના પુંકેસરને પીસીને ફૂલ અને મધણી સાથે ગર્ભિણીને ચટાડવામાં આવે તો ગર્ભની રક્ષા થાય છે.

    સિંધવ, કમલગટ્ટા તથા કસેરુ એ ત્રણેય ગર્ભિણી સ્ત્રીને ખાવા માટે આપવા માટે અથવા ગંધપ્રિયું, નિલોવર, કમળની જડ અને ગુલરના કાચા ફળ બકરીના દૂધની સાથે પીવડાવવાથી ગર્ભની રક્ષા થાય છે.

    કામસૂત્ર : અધિકરણ ૭ (ઔપનિષદિક) પૂર્ણ

    (કામસૂત્ર ગ્રંથ પૂર્ણ)

    આ શાસ્ત્રને સમજનારાઓ પાશવિક વૃત્તિમાં ફસાતા નથી. ધર્મ, કર્મ અને અર્થને પોતાની અવસ્થા મુજબ આચરણમાં લાવે છે. તે પ્રમાણે વર્તે છે. ચારેય વર્ણના ગૃહસ્થાશ્રમમાં રહેનારા સ્ત્રી-પુરુષોની સંસારયાત્રાના કલ્યાણ માટે આ ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું છે.

    આ શાસ્ત્ર સમાપ્ત થાય છે. પ્રભુ આ શાસ્ત્ર વાંચનારાઓને સદબુદ્ધિ આપે અને ગૃહસ્થનો પૂર્ણ આનંદ લેતા લેતા તેઓ આયુષ્ય અન યશની પ્રાપ્તિ કરે, એ જ પ્રાર્થના...!

    “ધર્મ, અર્થ અને કામનો જય હો...!”

    રેફરન્સ :

    ૧. વાત્સ્યાયન કામસૂત્ર (ઠક્કર)

    ૨. Kama Sutra: The ancient handbook of lovemaking

    Share

    NEW REALESED