Ishwar chhe j books and stories free download online pdf in Gujarati

ઈશ્વર છે જ

          નારદ નગર નામનું એક ગામ હતું. ગામ માં "કેશવ આચાર્ય" નામનો ભગવાન માં ખુબ જ માનનારો બ્રાહ્મણ એની પત્ની અને એક ની એક દિકરી જોડે રહેતો હતો. કેશવજી ગામ માં આવેલા શિવ મંદિર ની પુજા કરે અને કર્મકાંડ નું કામ કરી મળતી દક્ષિણા માંથી પોતાનુ ઘર ચલાવતા! કેશવજી દયાળુ અને સેવાભાવી વ્યકિત હતા. તેઓ ક્યારેય પણ બીજા ના કાર્ય કરવામાં પોતાનો સ્વાર્થ ના જોતા. હંમેશા એમના મોઢે ભગવાનનું જ નામ હોય!

          કેશવજી નો રોજનો નિત્યક્રમ સવારે સૂર્યાદય પહેલાં ઉઠી દૈનિક કાર્ય પતાવી મંદિરે સેવા પુજા કરતા અને સાંજ ના સમય મંદિર ના ઓટલે બેસી શિવ નામની માળા જપતા અને જોડે નાના બાળકો ને પ્રસાદ આપતાં. કેશવજી ને અબોલા જીવ પ્રત્યે લાગણી એટલે રસ્તે મળતાં અબોલા જીવો ની સેવા પણ કરતા!

          સવારનો સમય હતો. કેશવજી સ્નાન આદિ કરી ઘેર થી નીકળતા હતા ને ત્યા એમના ધર્મપત્ની બોલ્યા,"એ સાંભળો! હવે દિકરી આપણી મોટી થઈ એને સાસરે વળાવવાનું અને લગ્ન માટે દર દાગીના નું વિચારો હવે!"

કેશવજી:- "તમે ચિંતા ના કરશો બધું જ સમય પર થશે!" એટલું બોલી કેશવજી મંદિર જતાં રહ્યા.

             કેશવજી મંદિરે પહોચી પુજા આરાધના આદિ કર્મ કરી. "ભોલેનાથ" સામે હાથ જોડીને કહ્યુ,"હે,દેવો ના દેવ મહાદેવ! તું ભુત, ભવિષ્ય અને વર્તમાન સર્વસ્વ જાણે છે! તારાથી કાંઈજ છુપું નથી. હે, ત્રિલોકના સ્વામી, ક્યારેય કોને કેટલું આપવું એ તું ઠીક થી જાણે છે! મારા જીવન માં આવેલ દિકરી ના લગ્ન ની ચિંતા તુ જાણે છે! હું તો રહ્યો નિર્ધન બ્રાહ્મણ! દિકરી ના લગ્ન કાજે હું ધન કયાંથી લાવું? હે, નીલકંઠ! આ કાર્ય ની ચિંતા હું તને આપી, હું ચિંતામુક્ત થાઉં છું. હવે તું જાણે ને તારા કામ! દિકરી ના લગ્ન કરાવ કે ના કરાવા એ તારું કામ! મને તારો હર એક નિર્ણય વ્હાલો જ હશે! હું જાણું છું મારો "ભોળો" કયારેય પણ મારા અહિત નું નહી જ કરે! હર હર મહાદેવ!" કેશવજી એકદમ ચિંતામુક્ત થઈ પોતાના નિત્યક્રમ મા લાગી ગયાં!

   
              બસ, આમને આમ દિવસો વીતવા લાગ્યા. કેશવજી ભગવાનની સેવા અર્ચના કરી પોતાના કાર્ય માં રહેતા. એકદિવસ, કેશવજી શિવ મંદિર ના ઓટે બેસી ને  શિવ નામની માળા ના જાપ માં લીન હતા. ત્યા એક વ્યકિત દર્શન કાજે આવ્યો. પેલી વ્યકિત દર્શન કરી ને બહાર ઓટે બેસેલા કેશવજી પાસે આવીને એમના પગે લાગ્યો! કેશવજી ની આંખ ખુલી અને કેશવજી એ પેલી વ્યકિત ને આશીર્વાદ આપ્યા!

પેલી વ્યકિત બોલી,"કેશવજી, મને ઓળખ્યો?"

કેશવજી:- ના, ભાઈ! કોણ તમે?

પેલી વ્યકિત:- "વર્ષો પહેલા આ મંદિરના ઓટે તમને એક નવજાત શિશુ મળ્યુ હતું! જેને તમે ગામના શેઠ કે જેઓ તમને માનતા હતા અને જે નિસંતાન હતા! એમના કલ્યાણ માટે પેલું બાળક એજ શેઠ ને આપી શેઠ ને સંતાન સુખ આપ્યુ હતું! યાદ આવ્યુ?"

કેશવજી:-"અરે......હા,હા યાદ છે! યાદ છે!

પેલી વ્યકિત:-"કેશવ મારાજ એ બાળક હું પોતે છું! મને મારા પિતા શેઠ કરશનદાસે બધી હકીકત કહી હતી! કળિયુગ માં કોઈ વ્યકિત કોઈ નું સ્વાર્થ વગર સારું કરતી નથી, ત્યા તમે મુજ જેવા અનાથ બાળક ને દુનિયા ની હરએક ખુશી આપી દિધી! તમારો ઉપકાર હું ક્યારેય ના ભુલી શકીશ!

કેશવજી:-"દિકરા, હું તો ખાલી માધ્યમ બન્યો હતો! લીલા કરવા વાળો તો મારો ભોળો છે! એમનો આભાર માન!

પેલી વ્યકિત:- ભગવાન નો અને તમારો બન્ને નો આભાર માનવા જ અહીંયા આવ્યો હતો! અને હા હવે તો ઉપકાર નો બદલો આપીને જ જઈશ!

કેશવજી:-" કેવો.....ઉપકાર નો બદલો?"

પેલી વ્યકિત:- "ગામ માં આવી! પહેલા હું તમારા ઘર નું ઠેકાણું પુછતા પુછતા તમારા ઘરે પહોંચ્યો! ઘર ની ડેલીએ ટકોર કરવા જ જતો હતો ને ત્યા અંદર થી મને આંસુ સાથે બોલતી સ્ત્રી નો આવજ આવ્યો! એ એમની દિકરી ના લગ્ન ની ચિંતા કરતા હતા અને એમની જોડે લગ્ન માટે મુડી નહોતી એ પણ મેં સાંભળ્યુ! અને પછી મેં ડેલી પર ટકોર મારી તો તમારા ધર્મપત્ની બહાર આવ્યા ને મને જણાવ્યું કે તમે આ મંદિરે બેઠા હશો એટલે હું અહીંયા પહોંચ્યો!

એટલું કહી પેલી વ્યકિતએ નાણાં થી ભરેલી પોટલી કેશવજી ને ધરી દિધી અને કહ્યુ,"હું જાણી ગ્યો છું એ દિકરી તમારી છે એટલે કાંઇ પણ બોલ્યા વિના લઇ લેજો તમને તમારા "ભોળા" ના સોગંધ! અને હા તમારી દિકરી ના લગ્ન નો ખર્ચ અને તમારા જીવન નિર્વાહ ની જવાબદારી હું જ અદા કરીશ તમારો પુત્ર બનીને!

        કેશવજી ની આંખો માંથી આંસુ નીકળી ગયાં અને શિવ પાસે જઈને દંડવત પ્રણામ કરી શિવને કહેવા લાગ્યા,"તું તો મારી કેટલી ચિંતા કરે છે, જે દિકરી ના લગ્ન ની ચિંતા મને આજ કાલ થઈ, એની વ્યવસ્થા તે વર્ષો પહેલા જ કરી રાખી હતી! એ તો એ...મારા જીવન ની પણ તને આટલી ચિંતા? મેં તો એક પાત્ર માં જળ માગ્યું હતું તે તો સરોવર આપી દીધું! ધન્ય છે તું પરમેશ્વર, ધન્ય છે! મારા શિવ શંભુ સાચે જ તારી કરુણા નો કોઈ પાર નથી! હર હર મહાદેવ!"

    
        મિત્રો,ઇશ્વર તો સર્વત્ર છે! મનુષ્ય અને અબોલા પશુ-પંખી પ્રત્યે સત્ય,પ્રેમ,દયા અને નિસ્વાર્થ સેવા! એમાં ઈશ્વર જ છે! ઇશ્વર એટલો દયાળુ છે જે થોડા સારા માં ઘણુ આપી દે છે! પણ...પણ એના માટે માનવીય ગુણો સાથે પ્રભુ મા વિશ્વાસ અને ભકિતની જરુર છે! જીવન ફક્ત મોજ મજા માટે નથી આ જીવન પ્રભુ એ આપણ ને ખાસ કાર્યો થી આપ્યુ છે! જીવો પ્રત્યે કલ્યાણ ના કાર્યો કરી પ્રભુ નું નામ લઇ જીવન મરણ ના ચક્ર માથી મુકત થઈ પરમેશ્વર માં હંમેશ માટે સમાઈ ને "મોક્ષ" પામી જઉં એજ માનવ નો ધ્યેય હોવો જોઈએ! જે સાંસારીક જીવન જીવીને પણ આપણે કરી શકીએ છીએ!

"હે માનવ! કરી લે જે સારા કર્મ! કોણ જાણે કાલ તારી કેવી વાટ જોતી હશે, જે મોહ અને પૈસા પાછળ ઘેલો થયો છે એ મોહ પૈસો નહી, સારા કર્મો જ તુજ સંગ ચાલશે!

લેખન:- શક્તિ અનુપમભાઈ પંડયા

------------------------------------

           "દેવો નો દેવ મહાદેવ સૌનું ભલું કરે!

                       ॐ નમઃ શિવાય 


[ ? મિત્રો, ફોલો કરજો, રચના ને શેર કરો અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપવાનું ભુલાય નહી હો!]