safar me aatma books and stories free download online pdf in Gujarati

સફર મેં આત્મા

વતન જવા દિવાળી ની રજાઓ ની વૈભવ રાહ જોઈ રહ્યો હતો. કંપની તરફ થી તે વધુ રજા લેવા માંગતો હતો. જેથી તે તેના ગામડા માં ખુશી થી માતા પિતા સાથે સમય ગાળી શકે.

કંપની તરફ થી રજા મળી એટલે સામાન પેક કરી વૈભવ ગામડે જવા નીકળ્યો. અમદાવાદ થી તાલાળા ની બસ પકડી. આઠ કલાક ની મુસાફરી થી વૈભવ થાકી ગયો હતો. પણ એક બાજુ ગામડા નો આનંદ હતો. બસ તાલાળા બસ સ્ટોપ પર ઊભી રહી. વૈભવ બસ માંથી નીચે ઊતર્યો તો જોયું તો અંધારું થઈ ગયું હતું. રાતના નવ વાગ્યા હસે. ભૂખ પણ લાગી હતી એટલે એક રેસ્ટોરન્ટ ખુલી હતી ત્યાં જઈ તે જમ્યો.

અત્યારે તેના ગામડે જવું હિતાવહ ન હતું. તેનું ગામ બહુ દૂર તો ન હતું નહીં પણ અત્યારે વાહન મળવું વૈભવ માટે મુશ્કેલ હતું.

તે રસ્તે ચાલવા લાગ્યો આગળ જતાં એક માણસ તેમને મળે છે. વૈભવ તેને પોતાનાં ગામ તરફ જવાનું પૂછ્યું, ત્યાં તે માણસ ખરાબ રસ્તા તરફ ઈશારો કર્યો, વૈભવ કહ્યું પેલો રસ્તો નહિ ત્યારે તેણે કહ્યું તે રસ્તો બંધ છે તમે અહી થી જાવ. વૈભવ તો ચાલવા લાગ્યો. બંને બાજુ જંગલ દેખાય રહી હતું તે હજી વિચારતો હતો કે તેના ગામનો રસ્તો આજે પણ કેમ આટલો ખરાબ છે? એક રસ્તો નહીં બને તો ગામનો વિકાસ કેવો રહેશે? પરંતુ તે ચારે બાજુ જંગલ જોઈને ખુશ હતો, કારણ કે અમદાવાદ તે ફક્ત ઇમારતો જ જોતો હતો,

જેમ જેમ તે આગળ વધી રહ્યો હતો, રસ્તો ફૂટપાથમાં ફેરવાઈ રહ્યો હતો અને જંગલો ઘટ્ટ થઈ થતું જતું હતું, ચારે બાજુ જંગલ જ જંગલ દેખાઈ રહ્યું હતું, ક્યાંય માણસ કે ઘરનું નિશાન દેખાતું ન હતું, અંધકાર પણ વધી રહ્યો હતો. વૈભવ ને લાગ્યું કે તે માણસ ખોટો રસ્તો નથી બતાવ્યો ને. આ જંગલમાં કોઈ ગામ કેવી રીતે હોઈ શકે,

પરંતુ અંધકારને લીધે, તે કશું જોઈ શકતો ન હતો , તે તેની આ સમજણમાં ખુશ ન હતો. પગ પાછા વાળ્યા અને વિચાર્યું હું પાછો રસ્તા પર જઈશ અને પૂછું છું, અથવા થોડા સમય માટે રોકાઈશ અને કંઈક ખાઈશ, કારણ કે તેને ચાલતી વખતે ભૂખ અને તરસ બંને અનુભવાઈ હતી.પણ અંધકારને કારણે તે રસ્તો ખોઈ ગયો અને જંગલમાં અટવાઈ ગયો, શું કરવું, તે કાંઈ સમજી શક્યો નહીં, હવે એક વિચિત્ર વિચિત્ર અવાજ પણ સંભળાવવા લાગ્યો, શિહ ની ત્રાડ અને બીજા પ્રાણીઓનો અવાજ સાથે ઝાડના પાંદડાંની કોલાહલ સંભળાયો, શું કરવું? ચારે બાજુ અંધકાર છવાયો હતો. તે જંગલમાં ચાલતા ચાલતા થાકી ગયો હતો, તેથી વૈભવે ક્યાંક રોકાવાનું નક્કી કર્યું,

એક મોટું વડલા નું જાડ જોયું તેને લાગ્યું થોડી વાર આરામ કરું તો પછી નિરાંતે હું ચાલી શકીશ, તેણે આરામ કરવાનું શરૂ કર્યું, પછી તેની આંખ લાગી ગઈ, પરંતુ એક હળવા અવાજે તેની આંખો ખોલી, તેની આંખો ખોલી અને તેની સામે એક સુંદર છોકરી બેઠેલી મળી, વૈભવ થોડી વાર તેને જોઈ રહ્યો ને વિચારવા લાગ્યો આ સમયે આટલી સુંદર છોકરી અહી.પછી તેને પૂછ્યું કે તમે કોણ છો અને તમે અહીં શું કરો છો?

સામે યુવતીએ પૂછ્યું કે તમે કોણ છો અને મારા ઘરે તમે શું કરી રહ્યા છો? વૈભવ ચોકી ઉઠ્યો ને કહ્યું, તમારું ઘર કયુ છે? યુવતીએ કહ્યું કે આ પીપળનું ઝાડ મારું ઘર છે અને તમે મારા ઘરે આવ્યા છો? આ સાંભળ્યા પછી થોડા સમય માટે વૈભવ ડરી ગયો, તેને લાગ્યું કે તે કોઈ આત્મા સાથે વાત કરી રહ્યો છે, અથવા કોઈ ભૂત.

વૈભવ પૂછ્યું કે તમે આત્મા છો કે ભૂત? આ જોઈને છોકરીએ જોરજોરથી હસવાનું શરૂ કર્યું અને ચારે તરફ માથું ફેરવ્યું, પૂછ્યું, તને શું લાગે છે, હું તારી તો રાહ જોઈ રહી હતી. હવે તું ક્યાંય નહિ જઈ શકે હું જે કહું તે તારે કરવાનું છે.

વૈભવ ના હોશ ઉડી ગયા, હવે શું કરવું તે વિચારવા લાગ્યો. એક બાજુ અંધારી રાત ને બીજી બાજુ આ ભૂત વૈભવ ને ત્યાં થી નીકળવું મુશ્કેલ લાગી રહ્યું હતું. ત્યાં એક માણસ ત્યાં થી પસાર થયો. વૈભવ તે માણસ ને જોઈ સમજી ગયો કે આ તે જ માણસ છે જેને મને રસ્તો બતાવ્યો હતો.

તે માણસને પૂછ્યું કે તમે મને ખોટો રસ્તો કેમ બતાવ્યો, પછી તે માણસે ભૂતને કહ્યું, દીકરી, તમે લગ્ન કરવાનો આગ્રહ કર્યો હતો, ને તેથી જ હું તારા માટે એક સરસ છોકરો લાવ્યો, તને તે ગમ્યો ?

ભૂતનીએ કહ્યું, હા આ છોકરો ઘણો સારો છે, હું તેની સાથે લગ્ન કરીશ, લગ્નની તૈયારી કરીશ. આજ રાતનાં જ લગ્ન થશે. વૈભવ નું મન કામ કરવાનું બંધ કરી દીધું, તે ભૂતની સાથે કેવી રીતે લગ્ન કરશે? વૈભવ તો ડરી ગયો હતો પણ ડરીને પણ ભૂત ને કહ્યું, શું ઉતાવળ છે? પહેલા આપણે બંને એક બીજાને ઓળખીશુ અને પછી લગ્ન કરીશું.

આ તરફ ભૂતનીએ કહ્યું, "લગ્ન કર્યા પછી, આપણે બંને એક બીજાને જાણીશું અને ઓળખીશું, પહેલા લગ્ન કરીશું અને પરિચિત થઈશું. હવે વૈભવ નારાજ થઈ જાય છે, ત્યારે વૈભવ કહ્યું કે લગ્ન માટે પણ પરિવાર જરૂરી છે., જેની પાસેથી આપણે આશીર્વાદ લેવાના રહેશે,

વૈભવ ને કોઈ વિચાર આવતો ન હતો, પછી તેણે કહ્યું, તમે ભૂત છો અને હું કેવી રીતે લગ્ન કરીશ? આ અંગે ભૂત્નીએ કહ્યું, જો તમારે લગ્ન પહેલાં અથવા લગ્ન પછી મરવું હોય, તો તમે પણ ભૂત બની જશો, તો પછી આપણે બંને સાથે રહી શકીશું, હવે વૈભવને લાગ્યું કે તેનું મૃત્યુ નિશ્ચિત છે,

મૃત્યુની નજીક પહિશ્યો. વૈભવ કહ્યું કે તેણે મૃત્યુ પામ્યા પહેલા લગ્ન કરવાનું છે અને તેના માતાપિતા પાસેથી આશીર્વાદ લેવા તેને ગામ જવું પડશે, પછી તારી સાથે રહેવા માટે મારે માતા પિતા ને તૈયાર કરાવા પડશે ભૂતનીને તેનો વિચાર ગમ્યો અને તેણી સંમત થઈ ગઈ., તે જ રાતે બંનેના લગ્ન થયા અને વૈભવ કઈ પણ રીતે તેણે રાત ગાળી. તેને ખબર હતી જો રાત્રે ભાગીશ તો તેની ભૂતિયા પત્ની તેને મારી નાખી શકે છે.

બીજા દિવસે સવારે તે ઘરે જતો હતો. ત્યારે ભૂતનીએ કહ્યું કે હું પણ તમારી સાથે જ આવીશ માટે પણ તેના આશીર્વાદ લેવાના છે, વૈભવ તેનો ઇનકાર કરી શક્યો ન હતો અને તે બંને ગામમાં જવા નીકળ્યા.

ગામ પહોંચતાં જ તે તેના માતાપિતાને મળ્યા. વૈભવ તેના માતા પિતા ને ચુપી રીતે બધી વાત કરી .માતાપિતા આ સંભાળી અસ્વસ્થ થાય. માતા પિતા ને પણ સમજાયું નહીં કે શું કરવું.

પછી વૈભવના પિતા ઘરની બહાર નીકળ્યા, અને તે એક તાંત્રિકને મળ્યો અને તેને આખી વાત જણાવી અને ઘરે જવા કહ્યું, તાંત્રિક રાજી થઈ ગયો અને તેની સાથે ચાલ્યો ગયો. ઘરે પહોંચ્યા પછી ભૂતનીએ વૈભવને કહ્યું કે તાંત્રિકને જોઇને તેણે તેની સાથે છેતરપિંડી કરી હતી, જેના પર વૈભવ બોલ્યો, મને ખબર નહોતી કે તેના પિતા તાંત્રિક લાવશે. ત્યારે ભૂતનીએ કહ્યું તે સત્ય સાંભળીને વૈભવ ને આંસુ આવી ગયા.

ભુતેનીએ કહ્યું કે આજે તેની હાલત આ તાંત્રિકને કારણે છે, તે જ તાંત્રિકે મને મારી નાખી હતી, જેના કારણે તે આજે ભૂત બની ગઈ છે. સત્ય જાણી ને વૈભવ ખૂબ ગુસ્સે થયો અને તાંત્રિકને ત્યાંથી ભગાડી દીધો, હવે ઘરના બધા લોકો અસ્વસ્થ થઈ ગયા અને વૈભવ દ્વારા પૂછવામાં આવતા વૈભવ તેને ભૂત વિશે કહ્યું. તેના પિતાએ આ અંગે કહ્યું, તાંત્રિકે આજદિન સુધી કોઈની હત્યા કરી ન હતી, તો પછી તે આ છોકરીને કેવી રીતે મારી શકે,

આ અંગે ભૂત બોલી કે તમે મારી સાથે છેતરપિંડી કરી છે તેથી ખોટી વાર્તા કહીને તેણે પણ છેતરપિંડી કરી છે. આ સાંભળ્યા પછી વૈભવ અસ્વસ્થ થઈ ગયો અને હવે તેણે વિચાર્યું કે રાત્રે તેની હત્યા કરવામાં આવશે, કારણ કે ભૂત તેને મેળવવા માટે તેને મારી નાખશે, અને ભૂત ચારે બાજુ પ્રસરી રહ્યો હતો, જ્યારે ઘર કોઈએ પગ મૂક્યો ત્યારે તેણે તાંત્રિકને સામે જોયો, તાંત્રિકે કહ્યું કે તે જાણે છે કે તેણે યુક્તિ કરી હતી, તેથી તે રાત થવાની રાહ જોઈ રહ્યો હતો, પછી તાંત્રિક અને ભૂત વચ્ચે યુદ્ધ શરૂ થયું, ભૂતે કહ્યું ફક્ત તેના પતિને જ જોઈએ છે, પરંતુ તાંત્રિકે કહ્યું કે તે ત્યાં હોય ત્યારે આવું ન થઈ શકે. તાંત્રિકે તેની શક્તિથી ભૂતનીને પકડી લીધી, અને અને તે તાંત્રિક ભૂત ને વડલા પાસે લઈ ગયો ને યાત્રિક મંત્રો થી તેને ત્યાં જ વાસ કરાવી દીધો. તાંત્રિક વૈભવ ની ઘરે આવી વાત કરી. ને બધાએ રાહત નો સાસ લીધો.

સવાર પડતાં જ વૈભવ પાછો અમદાવાદ તરફ ગયો. અમદાવાદ પહોંચ્યા પછી તેણે રાહત નો શ્વાસ લીધા શુધ્ધ હવા ન નહિ પણ તે ચારે તરફની ઇમારતો જોઈ તેને ભૂત નહિ હોય અહી એવી રાહત અનુભવાઈ.

જીત ગજ્જર