ઘણીવાર એવું પણ થાય કે ભૂતકાળ માં કોઈ એવી વાત બની હોય કે કોઈ એવી ઘટના થઇ હોય જે અજાણતા આપની સામે આવી ને ઉભી રે ત્યારે શું કરવું ?
પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત આ પ્રશ્ન ઘણા ને મૂંઝવતો હોય છે .
તો પહેલી વાત તો એકે ભૂલ કેટલી મોટી કે નાની છે તે જોઈ લેવું ,
કારણ કે આપણે માણસ છીએ . નાની - મોટી ભૂલો તો થયા રાખશે ,
જીવસી ત્યાં સુંધી , આ સિલસિલો ચાલુ રહેશે ,
કોઈ ને સુખ આપસો તો કોઈને દુખ આપમેળે મળી જાશે .
આમાં તમારો કોઈ વાંક કે ગુનો નથી .
આ તો પ્રકૃતિ નો નિયમ છે .
એક સિક્કા ની બે બાજુ છે .
કોઈ નું સુખ એ કોઈ નું દુખ બને જ છે .
એને તમે બદલી નહિ શકો .
માટે નાની નાની ભૂલો પર દુખ લગાડવા નું અને મન પર લેવાનું મૂકી દો .
ભગવાન પણ આખી દુનિયા ને વસંત નથી આપી શકતા તો ,
તમારું અને મારું ગજ્જુ જ શું ?
અને જે વ્યક્તિ નાની નાની ભૂલો પર તમારો સાથ છોડી ને ચાલ્યા જાય ,
એને તો જવા જ દો ,
કારણ કે એ તમારે માટે બન્યા જ નથી ,
એ તમારી કદર પણ નથી કરતા ,
એને તો કહી જ દેવું ,
પહેલી ફુરસત સે નીકલ ,
બાકી રહી મોટી ભૂલો તો અમુક ભૂલ ,
એ સ્વાભાવિક છે . જે માણસ જન્મ થી જ લખાવી ને આવે છે .
કે ભાઈ ફલાણા ફલાણા ભાઈ આ પૃથ્વી પણ આટલી ભૂલો કરશે .
એમાં તમારું કે મારું કોઈનું કઈ નઈ ચાલે .
તમે કે હું લાખ કોશિશ કરી લઈશું તો પણ તે ભૂલ થશે થશે ને થશે .
જેને કેવાય ને કે બાય બર્થ લઈને આવ્યા તે .
ઘણી વાર ખબર હોવા છતાં પણ ભૂલ થાય છે કારણ કે તે પહેલે થી નિર્ધારિત થયેલ છે .
લખાયેલ છે . તમે અને હું માત્ર નિમિત છીએ .
તો શું તેને એમને એમ રહેવા દઈએ .
નાં યાર મેં એમ ક્યારે કહયું કે એમને એમ રહેવા દઈએ .
તેનાથી તો તે ભૂલ નું પ્રમાણ વધતું જાય .
તો શું કરવું વાત આવી મુદા ની
શું કરવું ?
પહેલું તો જે તમારી સાથે જ રહે છે .
એને કહેવાની કે ક્લેરીફીકેશન આપવાની કોઈ જરૂર જ નથી .
જે તમારી સાથે છે . તમને ઓળખે છે .
તે એકાંત માં તમને તમારી ભૂલ કહી દેશે .
અને મન માં પણ નહિ રાખે .
બાકી રહી એવા વ્યક્તિ ની વાત જેને વાત વાત માં મસાલો શોધવાની ટેવ છે .
તે તમારી ભૂલ નો ઢંઢેરો પીટી નાખશે .
અને એવા લોકો ને પછી . ધ્યાન માં જ ના રખાય .
કારણ કે એનું કામ જ એ હોય છે .
અહિયાં ની ત્યાં અને ત્યાં ની અહી આઘા - પાછી કરવી .
પછી એમજ સમજવાનું કે મુકદર મેં ફના હોના હી લિખા હે .તો ભડડકર રાખ હોને મેં ક્યાં હર્જ હે .
હા થઇ ગયું જા છીએ જ આવા તો શું કરી લેશો .
માત્ર ૫ થી ૧૦ ટકા વ્યક્તિ જ એવા હોય જેને ક્લેરીફીકેશન અપાય જે તમારા દિલ ની નજીક હોય .
અને તમને પોતાના સમજતા હોય . બાકી એક જ વાત જૈસે થે વૈસે હૈ .
જો તમને આ વાત સાચી લાગી હોય તો તમારો પ્રતિભાવ આપતા જજો ...